3.2 KiB
લૂક 18 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
ઈસુએ બે દ્રષ્ટાંતો કહ્યા (લૂક 18:1-8 અને લૂક 18:9-14) અને ત્યારબાદ શીખવ્યું કે તેમના અનુયાયીઓએ નમ્ર હોવું જોઈએ (લૂક 18:15-17), તેઓની પાસે જે સઘળું છે તેનો ઉપયોગ ગરીબને સહાય કરવા માટે કરવો જોઈએ (લૂક 18:18-30), અને તે જલદી મૃત્યુ પામશે એવી અપેક્ષા રાખે (લૂક 18:31-34), ત્યારપછી તેઓ સર્વએ યરૂશાલેમ તરફ મુસાફરી કરવાની શરૂ કર્યું, અને ઈસુએ એક અંધ વ્યક્તિને સાજો કર્યો (લૂક 18:35-43).
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
ન્યાયાધીશો
લોકો અપેક્ષા રાખતા હતા કે ન્યાયાધીશો હંમેશા જે ઈશ્વરે કહ્યું હોય તે જ કરતાં હતા અને તેઓ એ પણ ધ્યાન રાખતા હતા કે બીજા લોકો પણ જે ખરું હોય તે કરે. પરંતુ કેટલાક ન્યાયાધીશો ખરું કરવાની કે બીજા લોકો ખરું કરે તેની કોઈ પરવા કરતાં ન હતા. ઈસુએ આવા પ્રકારના ન્યાયાધીશોને અન્યાયી કહ્યા. (જુઓ: rc://*/tw/dict/bible/kt/justice)
ફરોશીઓ અને દાણીઓ
ફરોશીઓ પોતાની જાતે જ એમ માનતા હતા કે તેઓ પોતે જે ન્યાયી સારા લોકોનો ઉત્તમ નમૂનો છે,આ ને તેઓ માનતા હતા કે દાણીઓ મોટા પ્રમાણમાં અન્યાયી પાપીઓ હતા. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/righteous]] અને [[rc:///tw/dict/bible/kt/righteous]] અને rc://*/tw/dict/bible/kt/sin)
આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ
""મનુષ્ય પુત્ર""
આ અધ્યાયમાં ઈસુ પોતાને ""મનુષ્ય પુત્ર"" તરીકે ઉલ્લેખ કરે છે (લૂક 18:8). તમારી ભાષા લોકોને પોતાને વિશે જેમ તેઓ બીજા કોઈક માટે બોલતા હોય તેમ બોલવાની મંજૂરી આપતી ન હોય. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sonofman]] અને [[rc:///ta/man/translate/figs-123person]])