gu_tn/ROM/11/01.md

2.6 KiB

તેથી હું પૂછું છું

" હું પાઉલ તેથી પૂછું છું

શું દેવે તેના લોકને નકારી

ત્યજી દીધા છે ?

વિદેશીઓને પણ દેવના લોક તરીકે સમાવવામાં આવ્યા છે જયારે યહૂદી લોકોના હૃદયોને કઠણ કરવામાં આવ્યા છે તે બાબતથી જે યહુદીઓ નારાજ થયા છે તેમને જવાબ આપવા માટે પાઉલ આ પ્રશ્ન પૂછે છે ( જુઓ: પ્રશ્નાર્થસુચક પ્રશ્ન )

ના , એવું કદી ન થાઓ

" એ શક્ય નથી ! " અથવા " ખરેખર એ શક્ય નથી" . આ વિધાન સખત રીતે નકારે છે કે આવું શક્ય થાય." તમારી ભાષામાં આના સરખુ વિધાન હોય તો તમે તે ઉપયોગમાં લઇ શકો છો. ૯:૧૪ માં કેવી રીતે ભાષાંતર કર્યું છે તે જુઓ ". .

બિન્યામીનનું કુળ

બિન્યામીનમાંથી જે કુળ ઉતરી આવ્યું હતું તેને દર્શાવે છે, દેવે જે બાર કુળ જુદા કર્યા તેમાંનું એક કુળ.

જેને તે પહેલેથી જાણતો હતો

" જેને તે સમયની પહેલાથી જાણતો હતો "

શાસ્ત્ર એલીયાહ વિષે શું કહે છે તે શું તમે જાણતા નથી , કેવી રીતે તેણે ઇસ્રાએલની વિરુધ્ધમાં દેવને વિનંતી કરી? ( જુઓ: પ્રશ્નાર્થસુચક પ્રશ્ન )

શાસ્ત્ર શું કહે છે

પાઉલ શાસ્ત્રમાં શું લખ્યું છે તેને દર્શાવે છે. ( જુઓ: મૂર્તસ્વરૂપ )

તેઓએ મારી નાખ્યા

ઇસ્રાએલી લોકોએ મારી નાખ્યા

ફક્ત હુંજ બચી ગયો છું

"હું" સર્વનામ એલીયાહ માટે વપરાયું છે.