# તેથી હું પૂછું છું " હું પાઉલ તેથી પૂછું છું # શું દેવે તેના લોકને નકારી ત્યજી દીધા છે ? વિદેશીઓને પણ દેવના લોક તરીકે સમાવવામાં આવ્યા છે જયારે યહૂદી લોકોના હૃદયોને કઠણ કરવામાં આવ્યા છે તે બાબતથી જે યહુદીઓ નારાજ થયા છે તેમને જવાબ આપવા માટે પાઉલ આ પ્રશ્ન પૂછે છે ( જુઓ: પ્રશ્નાર્થસુચક પ્રશ્ન ) # ના , એવું કદી ન થાઓ " એ શક્ય નથી ! " અથવા " ખરેખર એ શક્ય નથી" . આ વિધાન સખત રીતે નકારે છે કે આવું શક્ય થાય." તમારી ભાષામાં આના સરખુ વિધાન હોય તો તમે તે ઉપયોગમાં લઇ શકો છો. ૯:૧૪ માં કેવી રીતે ભાષાંતર કર્યું છે તે જુઓ ". . # બિન્યામીનનું કુળ બિન્યામીનમાંથી જે કુળ ઉતરી આવ્યું હતું તેને દર્શાવે છે, દેવે જે બાર કુળ જુદા કર્યા તેમાંનું એક કુળ. # જેને તે પહેલેથી જાણતો હતો " જેને તે સમયની પહેલાથી જાણતો હતો " # શાસ્ત્ર એલીયાહ વિષે શું કહે છે તે શું તમે જાણતા નથી , કેવી રીતે તેણે ઇસ્રાએલની વિરુધ્ધમાં દેવને વિનંતી કરી? ( જુઓ: પ્રશ્નાર્થસુચક પ્રશ્ન ) # શાસ્ત્ર શું કહે છે પાઉલ શાસ્ત્રમાં શું લખ્યું છે તેને દર્શાવે છે. ( જુઓ: મૂર્તસ્વરૂપ ) # તેઓએ મારી નાખ્યા ઇસ્રાએલી લોકોએ મારી નાખ્યા # ફક્ત હુંજ બચી ગયો છું "હું" સર્વનામ એલીયાહ માટે વપરાયું છે.