gu_tn/ROM/10/14.md

3.5 KiB

પણ જેના ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી , તેને તેઓ કેમ વિનંતી કરશે ?

જેઓએ ખ્રિસ્તની સુવાર્તા સાંભળી નથી તેઓ સુધી સુવાર્તા પહોચાડવાનું કેટલું મહત્વનું છે તે ભારપૂર્વક દર્શાવવા પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. " તેઓ" શબ્દ જેઓ હજુ દેવના નથી

અવિશ્વાસી છે તેઓને માટે વપરાયો છે . વૈકલ્પિક ભાષાંતર : " જેઓ દેવમાં વિશ્વાસ કરતા નથી તેઓ તેને વિનંતી કરી શકતા નથી." (જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )

વળી જેના વિષે તેઓએ સાંભળ્યું નથી તેના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે ?

એજ કારણ માટે પાઉલ બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " અને જો તેઓએ તેનો સંદેશ સાંભળ્યો નહિ હોય તો તેઓ તેની પર વિશ્વાસ કરી શકશે નહિ" અથવા " અને જો તેઓએ તેના વિષે સંદેશ સાંભળ્યો નહિ હોય તો તેઓ તેની પર વિશ્વાસ કરી શકશે નહિ"

અને વળી ઉપદેશક વિના તેઓ કેવી રીતે સાંભળશે?

એજ કારણ માટે પાઉલ બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " અને જો કોઈક તેમને કહે નહિ તો તેઓ સંદેશ સાંભળી શકશે નહિ. "

અને વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેવી રીતે ઉપદેશ કરશે?

એજ કારણ માટે પાઉલ બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. " તેઓ" શબ્દ જેઓ હજુ દેવના છે

વિશ્વાસી છે તેઓને માટે વપરાયો છે. સક્રિય ક્રિયાપદ સાથેનુ ભાષાંતર : " અને જ્યાંસુધી કોઈ તેમને મોકલશે નહિ ત્યાં સુધી તેઓ બીજા લોકોને સંદેશ કહી શકશે નહિ." ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )

“ વધામણીની સુવાર્તા સંભળાવનારાઓના પગલા કેવા સુંદર છે!"

જેઓ મુસાફરી કરે છે અને જેમણે સંદેશ સાંભળ્યો નથી તેના સુધી લઇ જાય છે તેને દર્શાવવા પાઉલ "પગલાંનો" ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : જયારે સંદેશવાહક આવે છે અને સારા સમાચાર કહે છે એ અદભુત છે. ( જુઓ : )