gu_tn/MAT/10/28.md

3.8 KiB

ઈસુ બાર પ્રેરીતોને પોતાના કામ માટે જે સતાવણી સહન કરવી પડશે એ સબંધી આગળ વાત કરે છે જે ૧૦:૧૬થી શરૂ થઈ.

જેઓ શરીરને મારી નાંખી શકે છે પણ આત્માને મારી નાંખી શકતા નથી તેમનાથી ડરો નહીં

“માણસોથી બીશો નહીં. તેઓ શરીરને મારી શકે પણ આત્માને મારી શકતા નથી.”

શરીરને મારી શકે

શારીરિક મરણ નિપજાવી શકે.

શરીર

જે તે વ્યક્તિનો એવો હિસ્સો જેને સ્પર્શ કરી મહેસૂસ કરી શકાય.

આત્માને મારી શકે

માણસના મૃત્યુ પછી પણ તેમને નુકસાન કરી શકે.

આત્મા

જે તે વ્યક્તિનો એવો હિસ્સો જેને સ્પર્શ કરી મહેસૂસ કરી શકાતો નથી અને જે શારીરિક મરણ બાદ પણ જીવંત રહે છે.

શું એક પૈસાની બે ચકલીઓ વેચાતી મળતી નથી?

આ વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન આ રીતે પણ સમજી શકાય, “ચકલીઓનો વિચાર કરો. તેમનું મૂલ્ય એટલું ઓછુ હોય છે કે તમે એક નાનાં સિક્કા થી તમે બે ચકલીઓ ખરીદી શકો” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

ચકલીઓ

આ બહુ નાનાં અને દાણાં ચણતાં પક્ષીઓનું રૂપક એવી બાબતો માટે વપરાયું છે જેને લોકો મહત્વનું ગણતા નથી.

એક પૈસાની

નાનામાં નાનો સિક્કો હોય તેની વાત. એ સમયમાં તાંબા નો નાનો સિક્કો કે જે એક દિવસની મજુરીના વેતનનો ૧૬મો ભાગ થાય, ટૂંકમાં “બહુ થોડા પૈસા.”

તોપણ તેમાંની એકેય તમારા બાપની ઈચ્છા વગર ભૂમિ પર પડતી નથી

આને આ રીતે પણ વ્યક્ત કરી શકાય, “તોપણ તેમાંની એકેય તમારા બાપની જાણ બહાર ભૂમિ પર પડતી નથી.” અથવા “જો તમારા બાપની ઈચ્છા હોય તો જ તેમાંથી એક ભૂમિ પર પડે” (જુઓ: )

તેમાંથી એકેય

“એક ચકલી પણ નહીં”

ભૂમિ પર પડે

મરી જાય.

તમારા માથાના વાળ પણ ગણેલા છે

“તમારા માથા પર કેટલા વાળ છે તે પણ દેવ જાણે છે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

ગણેલા

નોંધેલા

ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો

“દેવને માટે તમારું મૂલ્ય ઘણી બધી ચકલીઓ કરતાં વધારે છે.”