gu_tn/ACT/15/15.md

1.9 KiB

(યાકુબે બોલવાનું ચાલુ રાખ્યું)

આ સાથે સહમત

“આ સત્યને અનુમોદન આપવું” અથવા “આ સત્ય સાથે સહમત થવું”

હું પાછો આવીશ... હું બાંધીશ...હું સ્થાપિત કરીશ

“હું” એટલે ઈશ્વર જે પરબોધકના વચનો વડે વાત કરે છે.

હું દાઉદનો મંડપ ફરીથી બાંધીશ

આ એવું અભિવ્યક્ત કરે છે કે ઈશ્વર રાજા દાઉદના વંશજ માંથી એક રાજા ને પસંદ કરશે.

હું તેને બાંધીશ અને તેના ખંડેરોને પુનઃસ્થાપીત કરીશ, જેથી માણસોમાં બાકી રહેલા પ્રભુની શોધ કરે.

“હું દાઉદના વંશ માંથી એક રાજાને સ્થાપીશ જેથી લોકોને પ્રભુની શોધ કરવાનો અવસર મળે.

તેના ખંડેરો પુનઃસ્થાપીશ

“ખંડેરો” એટલે જયારે કોઈ નગરનો નાશ કરવામાં આવે ત્યારે બચી ગયેલી એવી ઈમારતો, દીવાલો, અને વસ્તુઓ જે ઘણા વર્ષો સુંધી નાશ પામવાને છોડી દેવામાં આવે.

કોણે આ પ્રાચીન વસ્તુઓને જાહેર કરી

“કોણે આ પ્રાચીન વસ્તુઓને લાંબા સમય અગાઉ જાહેર કરી”