gu_tn_old/jhn/02/intro.md

2.4 KiB

યોહાન 02 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

દ્રાક્ષારસ

યહૂદીઓ ભોજન સમયે અને ખાસ કરીને જ્યારે તેઓ વિશેષ કાર્યક્રમની ઉજવણી કરતા ત્યારે તેઓ દ્રાક્ષારસ પીતા હતા. દ્રાક્ષારસ પીવો તે પાપ છે એવુ તેઓ માનતા નહોતા.

નાણાવટીઓને હાંકી કાઢ્યા

ઈસુને મંદિર અને સમગ્ર ઇઝરાએલ પર અધિકાર છે તે દર્શાવવા નાણાવટીઓને મંદિરમાંથી હાંકી કાઢ્યા

""તેઓ જાણતા હતા કે માણસમાં શું રહેલુ છે""

ઇસુ માણસના પુત્ર તેમજ ઈશ્વરના પુત્ર હતા અને છે તેથી બીજાઓ શું વિચારતા હતા તે જાણતા હતા.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""તેમના શિષ્યોને યાદ આવ્યું""

યોહાન આ વાક્યનો ઉપયોગ મુખ્ય ઇતિહાસ કહેવાનું બંધ કરવા અને જે ઘટના ઘણા સમય પછી બની હતી તે જણાવવા માટે કરે છે. તેણે કબૂતર વેચનારાઓને ઠપકો આપ્યો તેના પછી તરતજ (યોહાન 2:16) યહૂદી અધિકારીઓએ તેની સાથે વાત કરી. ઈસુના સજીવન થયા પછી તેમના શિષ્યોને પ્રબોધકોએ લાંબા સમય અગાઉ જે લખ્યુ હતુ તે અને ઈસુ તેમના શરીરરૂપી મંદિરની વાત કરી હતી તે યાદ આવ્યું (યોહાન 1:2 અને યોહાન 2:22).