gu_tn/MAT/11/20.md

4.2 KiB

ઈસુ એ બધા શહેરોના લોકોની વિરુદ્ધ કહેવાનું શરૂ કરે છે કે જ્યાં તેમણે પહેલાં ચમત્કારો કરેલા.

શહેરોને ઝાટકે/ધમકાવે/આળ મુકે છે

ઈસુ અહીં શહેરોને મતલબ તેમાં રહેતા ભૂંડા લોકોની પર આળ મુકે છે.

શહેરો

નાની મોટી વસ્તી/પરગણાં

જેમાં મોટા અને પરાક્રમી કૃત્યો કરવામાં આવ્યા

આને પ્રત્યક્ષ ક્રિયાપદ વાપરી આ રીતે પણ સમજી શકાય, “કે જેમાં તેણે મોટા પરાક્રમી કૃત્યો કર્યા” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

પરાક્રમી કૃત્યો

આને “મહાન કાર્યો” અથવા “સામર્થ્યવાન કામ” અથવા “ચમત્કાર” તરીકે સમજી શકાય.

કારણ કે તેમણે પસ્તાવો કર્યો નહીં

સર્વનામ “તેમણે” જે તે શહેરોના લોકોને દર્શાવે છે કે જેમણે પસ્તાવો કર્યો નહીં.

ખોરાજીન તને અફસોસ! બેથસૈદા તને અફસોસ!

ઈસુ એવી રીતે કહી રહ્યાં છે કે જાણે ખોરાજીન અને બેથસૈદાના લોકો તેમને સાંભળી રહ્યાં હોય, પણ તેઓ તો નહોતા. (જુઓ: )

ખોરાજીન...બેથસૈદા...તૂર...સિદોન...

આ શહેરોના નામ તેમાં રહેતા લોકોને ઉદ્દેશીને વપરાયા છે. (જુઓ: )

જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો તૂર અને સિદોન માં થયાં હોત

આને પ્રત્યક્ષ વાણી માં ભાષાંતર કરી શકાય: “જો તારા માં જે પરાક્રમી કામો કર્યા તે મેં તૂર અને સિદોન માં કર્યા હોત” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

તને અફસોસ

સર્વનામ “તને” એકવચન છે.

તેમણે ઘણાં સમય પહેલા પસ્તાવો કર્યો હોત

સર્વનામ “તેમણે” તૂર અને સિદોન ના લોકોને દર્શાવે છે.

પસ્તાવો કર્યો હોત

“તેમનાં પાપને માટે તેમને માફી માગી દિલગીર થયાં હોત”

ન્યાયકાળે તૂર અને સિદોન ને તારા કરતા સહ્ય થશે

“ન્યાયના દિવસે દેવ તારા કરતાં તૂર અને સિદોન પર વધારે દયા દર્શાવશે” અથવા “ન્યાયના દિવસે તૂર અને સિદોન ના લોકો કરતાં દેવ તને વધારે સખત શિક્ષા કરશે” (જુઓ: ). આનો મૂળભૂત ભાવાર્થ “કારણ કે તમે મને ચમત્કારો કરતા જોયો છતા પણ મારા પર વિશ્વાસ કરી પસ્તાવો કર્યો નહીં.” (જુઓ: )

તારા કરતાં

સર્વનામ “તારા” એકવચન છે અને ખોરાજીન અને બેથસૈદા ને ઉદ્દેશીને વપરાયું છે.