gu_tn/MAT/09/03.md

3.6 KiB

ઈસુનું પક્ષઘાતીને સાજાપણું આપવાનું પ્રકરણ અહીં આગળ વધે છે.

જુઓ

આ એક નવી ઘટનાની શરૂઆત દર્શાવે છે. એવું બને કે આ મહાન/મોટી વાર્તા માં અહીં એવી નવી વ્યક્તિઓ ઉમેરાય કે જે આગળની ઘટનાઓ માં સંડોવાયેલ ના પણ હોય.

માંહોમાંહે

આનો મતલબ “અંદરોઅંદર,” એમના મનમાં, કે “એકબીજાની સાથે,” ગુસપુસ કરતા.

“ઈશ્વર નિંદા” ઈસુ અહીં એવું કઈ કરવાનો દાવો કરે છે જે શાસ્ત્રીઓના મતે માત્ર દેવ જ કરી શકે.

તેમનાં વિચાર જાણીને

કદાચ ને દૈવી રીતે અથવા એકબીજાની સાથે ગુસપુસ કરતા જોઇને, પણ તેઓ શું વિચારતાં હતા તે ઈસુ જાણી ગયા.

તમારાં હૃદયમાં ભૂંડા વિચાર કેમ કરો છો?

શાસ્ત્રીઓને ઠપકો આપતા ઈસુએ આ પ્રશ્ન કર્યો. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

તમે...તમારાં

બહુવચન છે.

ભૂંડું

આ કોઈ સાદી ગેરસમજ નહીં પણ ગંભીર નૈતિક ભૂંડાઈ અથવા દુષ્ટતા છે.

કયું સહેલું છે...?

શાસ્ત્રીઓ એવું માનતા હતા કે આ માણસ નો રોગ (પક્ષઘાત) તેના પોતાના પાપને કારણે છે તેથી જો તેના પાપ માફ થાય તો આ વ્યક્તિ સાજો થાય. ઈસુ આ પ્રશ્ન શાસ્ત્રીઓને યાદ કરાવી જણાવે છે કે તે પાપ માફ કરી શકે છે. (વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

આમાંનું શું કહેવું સહેલું છે કે, “તારા પાપ માફ થયાં છે?” અથવા એવું કહેવું કે “ઉઠ, અને ચાલ?”

‘તારા પાપ માફ થયાં છે’ એ કહેવું સહેલું છે?” કે “’ઉઠ અને ચાલ’ એ કહેવું સહેલું છે?

તારા પાપ માફ થયાં છે.

આનો મતલબ એમ થઇ શકે કે ૧) “હું તને તારા પાપ માફ કરું છું” અથવા ૨) દેવ તને તારા પાપ માફ કરે છે.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

પણ તમે જાણો કે

“હું તમારી આગળ સિદ્ધ કરીશ.”

તને...તારા

એકવચનમાં છે.

તારા ઘરે જા

ઈસુ તેને અન્ય જગા એ જવાની મનાઈ ફરમાવતા હોય એમ નથી પણ તેને પોતાના ઘરે જવાની તક આપે છે.