gu_tn/mat/22/intro.md

3.8 KiB

માથ્થી 22 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદ વાંચનને સરળ બનાવવા માટે કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણથી જમણી તરફ ગોઠવે છે. યુએલટી આ પ્રમાણે કલમ 44 માંની કવિતા સબંધી કરે છે, જેના શબ્દો જૂના કરારમાંથી લેવામાં આવ્યા છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

લગ્ન જમણ

લગ્ન જમણના દ્રષ્ટાંતમાં (માથ્થી 22:1-14), ઈસુએ શીખવ્યું કે જ્યારે ઈશ્વર વ્યક્તિને બચવાની તક આપે છે, ત્યારે તે વ્યક્તિએ તે તકનો સ્વીકાર કરવો જોઈએ. ઈસુએ ઈશ્વર સાથે જીવનની વાત કરી હતી, જેમાં એક રાજા તેના પુત્ર માટે મિજબાનીનું આયોજન કરે છે, જેનું હમણાં જ લગ્ન થયું છે. વધુમાં, ઈસુ એ વાત પર ભાર મૂકે છે કે ઈશ્વરે જેઓને મિજબાનીમાં આમંત્રણ આપ્યું છે તેઓમાંના દરેક યોગ્ય રીતે તૈયાર થઇ મિજબાનીમાં આવશે તેવું બનશે નહીં. અને મિજબાનીમાં અયોગ્ય રીતે તૈયાર થઇને આવેલાઓને ઈશ્વર બહાર ફેંકી દેશે.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

સ્પષ્ટ માહિતી

ઉપદેશક સામાન્ય રીતે એવી બાબતો કહેતા નથી કે જે તેઓ માને છે કે તેમના સાંભળનારાઓ પહેલેથી જ સમજતા હોય. જ્યારે દ્રષ્ટાંતમાં રાજાએ કહ્યું, ""મારા બળદો અને પુષ્ટ વાછરડાઓને કાપવામાં આવ્યાં છે"" (માથ્થી 22:4), તે ધારી લે છે કે ત્યારે સાંભળનારાઓએ સમજી લીધું કે જેમણે પ્રાણીઓને કાપ્યા છે તેઓએ તેમને રાંધ્યા પણ છે.

વિરોધાભાસ

વિરોધાભાસ એ સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરવા ઉપયોગમાં આવે છે. યહૂદીઓ માટે, તેમના પૂર્વજો, વંશજોના માલિકો હતા, પરંતુ એક ગીતમાં દાઉદ તેના વંશજોમાંથી એકને ""પ્રભુ"" તરીકે સંબોધે છે. ઈસુ યહૂદી આગેવાનોને કહે છે કે આ વિરોધાભાસ છે, એમ કહીને, ""જો દાઉદ ખ્રિસ્તને 'પ્રભુ' કહે છે તો ખ્રિસ્ત દાઉદનો દીકરો કેવી રીતે છે? ([માથ્થી 22:45] (../../mat/22/45.md)).