* પવિત્ર આત્માને "આત્મા" અને "યહોવાનો આત્મા" અને "સત્યનો આત્મા" તરીકે પણ ઓળખવામાં આવે છે.
* કારણ કે પવિત્ર આત્મા દેવ છે, તે તેના તમામ સ્વભાવમાં અને તે જે કરે છે તેમાં સંપૂર્ણ પવિત્ર, અનંત શુદ્ધ અને નૈતિક રીતે સંપૂર્ણ છે.
* પિતા અને પુત્રની સાથે, પવિત્ર આત્મા વિશ્વની રચનામાં સક્રિય હતો.
* જ્યારે દેવના પુત્ર, ઈસુ સ્વર્ગમાં પાછા ફર્યા, ત્યારે દેવે પવિત્ર આત્માને તેમના લોકો પાસે મોકલ્યો, તેઓનું નેતૃત્વ કરવા, તેઓને શીખવવા, તેમને દિલાસો આપવા અને ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા સક્ષમ બનાવવા.
* પવિત્ર આત્માએ ઈસુને માર્ગદર્શન આપ્યું અને તે ઈસુમાં વિશ્વાસ કરનારાઓને માર્ગદર્શન આપે છે.
* _[૨૪:૮]_ જ્યારે ઈસુ બાપ્તિસ્મા લીધા પછી પાણીમાંથી બહાર આવ્યા, ત્યારે _દેવનો આત્મા_ કબૂતરના રૂપમાં પ્રગટ થયો અને નીચે આવ્યો અને તેના પર ઊતર્યો.
* _[૨૬:૧]_ શેતાનની પરીક્ષણ પર વિજય મેળવ્યા પછી, ઈસુ _પવિત્ર આત્માની શક્તિમાં_ ગલીલના પ્રદેશમાં જ્યાં તેઓ રહેતા હતા ત્યાં પાછા ફર્યા.
* _[૨૬:૩]_ ઈસુએ વાંચ્યું, "દેવે મને _તેમનો આત્મા_ આપ્યો છે જેથી હું ગરીબોને વધામણી જાહેર કરી શકું, બંદીવાસીઓને સ્વતંત્રતા, અંધોને દૃષ્ટિની પુનઃપ્રાપ્તિ અને દલિતોને મુક્ત કરી શકું."
* _[૪૨:૧૦]_ "તો જાઓ, પિતા, પુત્ર અને _પવિત્ર આત્મા_ના નામે બાપ્તિસ્મા આપીને અને મેં તમને જે આજ્ઞા આપી છે તેનું પાલન કરવાનું શીખવીને બધા લોકોના જૂથોને શિષ્ય બનાવો."
* _[૪૩:૩]_ તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર હતા અને તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા.
41 * _ [૪૩:૮]_ “અને ઈસુએ પવિત્ર આત્મા મોકલ્યો છે _ જેમ તેણે વચન આપ્યું હતું કે તે કરશે. પવિત્ર આત્મા _ તે દરેક બાબતોનુંકારણ બને છે જે તમે હવે જોઈ રહ્યા છો અને સાંભળી રહ્યા છો."
* _[૪૩:૧૧]_ પિતરે તેમને જવાબ આપ્યો, “તમારામાંના દરેકે પસ્તાવો કરવો જોઈએ અને ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા લેવું જોઈએ જેથી દેવ તમારા પાપોને માફ કરે. પછી તે તમને પવિત્ર આત્માની ભેટ પણ આપશે."
* _[૪૫:૧]_ તેની (સ્તેફન) સારી પ્રતિષ્ઠા હતી અને તે _પવિત્ર આત્મા_ અને શાણપણથી ભરપૂર હતી.