\ip નાહૂમના પુસ્તકનો લેખક, પોતાને નાહૂમ એલ્કોશી તરીકે ઓળખાવે છે જેનો અર્થ હિબ્રૂ ભાષામાં 'સાંત્વના આપનાર' અથવા તો 'દિલાસો આપનાર' થાય છે. નાહૂમ એક પ્રબોધક હતો અને તે આશ્શૂરના લોકોને, અને ખાસ કરીને તેમની રાજધાનીના શહેર નિનવેને પશ્ચાતાપ કરવાનું કહેવા મોકલવામાં આવ્યો હતો. યૂનાના સંદેશાએ નિનવેના લોકોને પશ્ચાતાપ કરાવ્યો હતો. તેના લગભગ 150 વર્ષ પછી નાહૂમ તેઓને સંદેશો આપે છે, તેથી દેખીતી રીતે લોકો પોતાની અગાઉની મૂર્તિપૂજા તરફ પાછા વળી ગયા હતા.
\is લખાણનો સમય અને સ્થળ
\ip લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 620 થી 612 વચ્ચેનો છે.
\ip નાહૂમના પુસ્તકની ઘટનાઓ બે સ્પષ્ટરૂપે જાણીતી ઐતિહાસિક ઘટનાઓ છે. આ લખાણ નો-આમોન શહેરનું પતન તથા નિનવેનું પતન વચ્ચે લખવામાં આવ્યું છે.
\is વાંચકવર્ગ
\ip નાહૂમની પ્રબોધવાણી આશ્શૂરના લોકો માટે હતી કે જેઓ ઉત્તરના ઇઝરાયલના દસ કુળોને પકડીને લઈ ગયા હતા, પણ તે યહૂદાના દક્ષિણના રાજ્ય માટે પણ હતી કે જેઓ ગભરતા હતા કે તેઓની સાથે પણ આવું થશે.
\is હેતુ
\ip ઈશ્વરનું ન્યાયશાસન હંમેશાં ન્યાયી અને હંમેશાં નિશ્ચિત છે. તેઓ થોડા સમય માટે દયા બક્ષે, તો તે કૃપાળુ ભેટ ઈશ્વરની સમગ્ર માનવજાત માટેની અંત સમયની ન્યાય કરવાની વૃત્તિ સાથે બાંધછોડ કરશે નહીં. ઈશ્વરે, જો તેઓ પોતાના દુષ્ટ માર્ગોમાં જીવવાનું ચાલુ રાખે તો શું થશે તેની ચેતવણી સાથે 150 વર્ષ અગાઉ યૂના પ્રબોધકને તેઓ પાસે મોકલી દીધો હતો. લોકોએ તે સમયે પશ્ચાતાપ કર્યો હતો પણ હવે તેઓ અગાઉના લોકો કરતાં વધારે દુષ્ટ જીવન તો જીવતા જ હતા. આશ્શૂરના લોકો તેઓના યુદ્ધોમાં તદ્દન પાશવી બની ગયા હતા. ઈશ્વરે ન્યાયશાસન ઘોષિત કર્યું હતું અને આશ્શૂરના લોકોને બહુ જલદી તેમના કામોનું ફળ મળવાનું હતું તે કારણે નાહૂમ હવે યહૂદાના લોકોને નિરાશ ન થવા જણાવતો હતો.
\v 2 યહોવાહ આવેશી ઈશ્વર છે અને બદલો લેનાર છે; યહોવાહ બદલો લે છે અને તે કોપાયમાન થયા છે; યહોવાહ પોતાના દુશ્મનો પર વૈર વાળે છે, અને પોતાના દુશ્મનો માટે ગુસ્સો સંઘરી રાખે છે.
\v 3 યહોવાહ કોપ કરવામાં ધીમા અને સામર્થ્યમાં પરાક્રમી છે; તે ગુનેગારોને નિર્દોષ ગણનાર નથી. યહોવાહ પોતાનો માર્ગ વંટોળીયા તથા તોફાનમાં બનાવે છે, અને વાદળો તેમના ચરણોની ધૂળ સમાન છે.
\v 4 તે સમુદ્રને ધમકાવે છે અને તેને સૂકવી નાખે છે; તે બધી નદીઓને પણ સૂકવી દે છે. બાશાન અને કાર્મેલના લીલાછમ પ્રાંતો સુકાઈ જાય છે; લબાનોનનાં ફૂલો કરમાઈ જાય છે.
\v 5 તેમની હાજરીમાં પર્વતો ધ્રૂજે છે, અને ડુંગરો ઓગળી જાય છે
\f +
\fr 1:5
\ft બળે છે
\f* ; તેમની હાજરીમાં પૃથ્વી, હા, દુનિયા તથા તેમાં વસતા બધા લોકો હાલી ઊઠે છે.
\v 12 યહોવાહ આમ કહે છે, "જો કે તેઓ સંપૂર્ણ બળવાન તથા સંખ્યામાં ઘણાં હશે, તેમ છતાં તેઓ કપાઈ જશે; તેમના લોકો પણ રહેશે નહિ. પણ તું, યહૂદા જોકે મેં તને દુઃખી કર્યો છે, તોપણ હવે પછી હું તને દુઃખી નહિ કરું
\v 15 જુઓ, સારા સમાચાર લાવનાર, શાંતિની ખબર આપનારનાં પગલાં પર્વત પર દેખાય છે; તે શાંતિના સારા સમાચાર લાવી રહ્યાં છે. હે યહૂદિયા, તારાં પર્વો પાળ, તારી માનતાઓ પૂરી કર, કેમ કે હવે પછી કોઈ દુષ્ટ તારી મધ્યે થઈને જશે નહિ; તેને સંપૂર્ણપણે કાપી નાખવામાં આવ્યો છે.
\v 3 તેના યોદ્ધાઓની ઢાલોનો રંગ લાલ છે, શક્તિશાળી માણસોએ કિરમજી રંગનો પોષાક પહેર્યો છે; તૈયારીના દિવસે રથો પોલાદથી ઝગઝગે છે, સાયપ્રસના ભાલાઓ ભયંકર રીતે હલાવાઈ રહ્યા છે.
\v 4 શેરીઓમાં રથો ગાંડાતૂર બનીને ઘૂમી રહ્યાં છે; તેઓ ચોકમાં એકબીજાની સામે અથડાય છે. તેમનો દેખાવ મશાલના જેવો છે અને તેઓ વીજળીની પેઠે દોડે છે.
\v 5 તે પોતાના અધિકારીઓને ગોઠવે છે; તેઓ કૂચ કરતા ઠોકર ખાય છે, તેઓ કોટ પર હુમલો કરવા આગળ ધસે છે. હુમલો કરનારાઓથી રક્ષણ મેળવવા ભાલા તૈયાર કરવામાં આવ્યા છે.
\v 10 નિનવે નગર ઉજ્જડ અને ખાલી થઈ ગયું છે. હૃદય પીગળી જાય છે, ઘૂંટણો એકબીજા સાથે અથડાય છે, દરેક જણનાં શરીરને પીડા થાય છે; દરેકના ચહેરા નિસ્તેજ થઈ ગયા છે.
\v 11 જ્યાં સિંહ તથા સિંહણ તેઓનાં બચ્ચા સાથે ફરતાં હતાં અને તેઓને બીવડાવનાર કોઈ ન હતું અને જે જગ્યાએ જુવાન સિંહના બચ્ચાં ભક્ષ કરતાં હતાં તે સિંહની ગુફા ક્યાં છે?
\v 12 સિંહ તેના બચ્ચાં માટે શિકારને ફાડીને ટુકડા કરે છે; તે પોતાની સિંહણ માટે શિકારને ગૂંગળાવીને મારી નાખતો, તે પોતાની ગુફા શિકારથી મારી નાખેલાં પ્રાણીઓથી ભરતો હતો.
\v 3 ઘોડેસવારોની દોડાદોડ, ચમકતી તલવારો, તેજસ્વી ભાલાઓ, લાશોના તથા કતલ થયેલાઓના ઢગલા અને મૃતદેહોનો તો કોઈ અંત જ નથી; તેઓ પર હુમલો કરનારાઓ મૃતદેહો પર થઈને જાય છે.
\v 4 આ બધાનું કારણ એ છે કે, સુંદર ગણિકાની વિષયવાસના, જે જાદુક્રિયામાં પ્રવીણ, જે પોતાની ગણિકાગીરીથી પ્રજાઓને તથા લોકોને પોતાના જાદુક્રિયાથી વેચી દે છે, તેના વ્યભિચાર પુષ્કળ છે
\v 6 હું તારા પર કંટાળાજનક ગંદકી નાખીશ, અને તને ધિક્કારપાત્ર કરીશ; હું તને હાસ્યસ્પદ બનાવીશ કે દરેક લોક તને જોઈ શકે.
\v 7 ત્યારે એવું થશે કે જે લોકો તને જોશે તેઓ તારી પાસેથી નાસી જશે અને કહેશે, 'નિનવેનો નાશ થયો છે; કોણ તેના માટે વિલાપ કરશે?' તને આશ્વાસન આપનારને હું ક્યાં શોધું?"
\v 10 તેમ છતાં તેનું અપહરણ થયું; તે ગુલામગીરીમાં ગઈ; શેરીની ભાગળમાં તેનાં બાળકોને મારીને ટુકડા કરવામાં આવ્યા, તેના માનવંતા માણસો માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી, તેના બધા માણસોને સાંકળોથી બાંધવામાં આવ્યા.
\v 11 હે નિનવે, તું પણ નશાથી ચકચૂર બનશે; તું પોતાને છુપાવશે; તું પણ શત્રુને લીધે આશ્રયસ્થાન શોધશે.
\v 13 જો, તારામાં રહેનાર લોકો સ્ત્રીઓ જેવા છે; તારા દેશની ભાગળો તારા શત્રુ માટે ખુલ્લી મૂકવામાં આવી છે; અગ્નિ વડે તારા દરવાજાઓ ભસ્મ કરી નાખવામાં આવ્યા છે.
\v 17 તારા રાજકુમારો તીડ જેવા છે અને તારા સેનાપતિઓ તીડના ટોળાં જેવા છે, તેઓ ઠંડીના દિવસોમાં વાડોમાં છાવણી કરે છે પણ સૂરજ ઊગતાં જ તેઓ ઊડી જાય છે અને ક્યાં ગયા તેની કોઈને ખબર પડતી નથી.