1.5 KiB
1.5 KiB
દિયોત્રેફેસ શું ચાહે છે?
દિયોત્રેફેસ મંડળીમાં મુખ્ય થવા ચાહે છે. [૧:૯]
દિયોત્રેફેસનું યોહાન પ્રત્યે શું વલણ છે?
દિયોત્રેફેસ યોહાનનો સ્વીકાર કરતો નથી. [૧:૯]
જો યોહાન ગાયસ તથા મંડળી પાસે આવશે તો તે શું કરશે?
જો યોહાન આવશે તો તે દિયોત્રેફેસ જે કામો કરે છે તેમને યાદ કરાવશે.
દિયોત્રેફેસ ઈસુના નામમાં નીકળેલા ભાઈઓ સાથે કેવો વર્તાવ કરે છે?
દિયોત્રેફેસ ભાઈઓનો અંગીકાર કરતો નથી. [૧:૧૦]
દિયોત્રેફેસ ઈસુના નામમાં નીકળેલા ભાઈઓનો અંગીકાર કરનારાઓ સાથે કેવો વર્તાવ કરે છે?
દિયોત્રેફેસ તેઓને ભાઈઓનો અંગીકાર કરતા અટકાવે છે અને વિશ્વાસી સમુદાયમાંથી તેઓને બહિષ્કૃત કરે છે. [૧:૧૦]