gu_obs/content/19.md

12 KiB

19. પ્રબોધકો

OBS Image

ઈસ્ત્રાએલના સંપૂર્ણ ઈતિહાસ દરમ્યાન ઈશ્વરે પ્રબોધકોને મોકલ્યા. પ્રબોધકો ઈશ્વર પાસેથી સંદેશો સાંભળતા અને ત્યારબાદ લોકોને તે સંદેશો કહેતા.

OBS Image

આહાબ જ્યારે ઈસ્ત્રાએલનો રાજા હતો ત્યારે એલિયા પ્રબોધક હતો. આહાબ દુષ્ટ માણસ હતો જેણે લોકોને જુઠો દેવ જેનુ નામ બઆલ હતુ તેની આરાધના કરવા પ્રોત્સાહિત કર્યા. એલીયાએ આહાબને કહ્યુ ”હુ જ્યાં સુધી ના કહુ ત્યાં સુધી ઈસ્ત્રાએલમાં વરસાદ કે ઝાકળ પડશે નહિ.” આના લીધે આહાબ ઘણો ક્રોધિત બન્યો.

OBS Image

ઈશ્વરે એલિયાને અરણ્યમાં આવેલા નાળામાં આહાબ કે જે તેને મારી નાખવા માંગતો હતો તેનાથી સંતાઈ જવા કહ્યુ. દરેક સવારે અને સાંજે પક્ષીઓ તેના માટે માંસ અને રોટલી લાવતા હતા. આહાબ અને તેનુ સૈન્ય એલિયાની શોધ કરતુ હતુ પરંતુ તેઓ તેને શોધી શક્યા નહિ. દુકાળ એટલો બધો સખત હતો કે નાળુ છેવટે સુકાઈ ગયુ.

OBS Image

માટે એલિયા નજીક્ના દેશમાં ગયો. તે દેશમાં વિધવા અને તેનો પુત્ર દુકાળના કારણે ભોજનની પર્યાપ્ત માત્રા વગરના હતા. પરંતુ તેઓએ એલિયાની કાળજી રાખી અને માટે ઈશ્વરે તેમનુ પૂરું પાડ્યુ જેથી તેમની કુપ્પીમાનું તેલ અને વાટકામાંનો લોટ થઈ રહ્યો નહિ. આખા દુકાળ દરમ્યાન તેઓ પાસે પૂરતુ ભોજન હતુ. એલીયા કેટલાક વર્ષો સુધી ત્યાં રહ્યો.

OBS Image

સાડા ત્રણ વર્ષ પછી, ઈશ્વરે એલીયાને ઈસ્ત્રાએલ રાજ્યમાં પાછા ફરવા કહ્યું અને આહાબને મળવા જણાવ્યુ, કારણ કે તે ફરીથી વરસાદ મોકલવા જઈ રહ્યા હતા. જ્યારે આહાબે એલીયાને જોયો, ત્યારે તેણે તેને કહ્યું, “તું દુ:ખ દેનાર છે !” એલીયાએ તેને ઉત્તર આપ્યો, “તું દુ:ખ દેનાર છે ! તમે યહોવાની આજ્ઞાનો ત્યાગ કર્યો છે અને બઆલની સેવા કરી છે. તું ઈસ્ત્રાએલના બધા લોકોને કાર્મેલ પર્વત ઉપર બોલાવ.”

OBS Image

ઈસ્ત્રાએલના બધા જ લોકોને અને બઆલના 450 પ્રબોધકોને, સાથે કાર્મેલ પર્વત પર આવ. એલીયાએ લોકોને કહ્યું, “ક્યાં સુધી તમે ઢચુ પચુ રહેશો ? જો યહોવા ઈશ્વર છે તો તેને ભજો ! અને જો બઆલ દેવ છે તો તેને ભજો !”

OBS Image

ત્યારે એલીયાએ બઆલના પ્રબોધકોને કહ્યું, “એક ગોધાને મારીને તેના માટે વેદી તૈયાર કરો, પરંતુ તેના પર અગ્નિ પ્રગટાવશો નહીં. હું પણ તેવું જ કરીશ. જે અગ્નિથી જવાબ આપે તે જ સાચો ઈશ્વર છે.” માટે બઆલના યાજકોએ વેદી તૈયાર કરી પરંતુ અગ્નિ સળગાવ્યો નહીં.

OBS Image

ત્યારબાદ બઆલના પ્રબોધકોએ બઆલને પ્રાર્થના કરી કે, “બઆલ અમારું સાંભળ.” આખો દિવસ તેઓએ પ્રાર્થના કરી અને પોકારો કર્યા તથા પોતાની જાતને ચપ્પાઓથી ઘા કર્યા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.

OBS Image

અને સાંજે એલીયાએ ઈશ્વરની વેદી સમારી. ત્યારબાદ તેણે લોકોને વેદી ઉપરનું માંસ, લાકડા અને વેદીની આસપાસની જમીન પર પલળી ના જાય ત્યાં સુધી બાર માટલા પાણી રેડવાનું કહ્યું.

OBS Image

ત્યારે એલીયાએ પ્રાર્થના કરી, “હે યહોવા, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના ઈશ્વર, અમને બતાવ કે તું ઈસ્ત્રાએલનો ઈશ્વર છે અને હું તારો સેવક છું. મને જવાબ આપ કે જેથી આ લોકો જાણી શકે કે તું સાચો ઈશ્વર છે.”

OBS Image

તરત જ, આકાશમાંથી અગ્નિ ઉતર્યો અને માંસ, લાકડા, પથ્થરો, ધૂળ અને પાણી કે જે વેદીની આસપાસ હતું તે સઘળુ બાળી નાખ્યું. જ્યારે લોકોએ આ જોયું, તેઓ ભોંય પર પડ્યા અને કહ્યું, “યહોવા જ ઈશ્વર છે ! યહોવા જ ઈશ્વર છે !”

OBS Image

ત્યારે એલીયાએ કહ્યું, “બઆલના એકપણ પ્રબોધકને નાસી જવા દેશો નહીં !” માટે લોકોએ બઆલના પ્રબોધકોને પકડ્યા અને તેઓને ત્યાંથી તેઓ દૂર લઈ ગયા અને મારી નાખ્યા.

OBS Image

ત્યારે એલીયાએ આહાબ રાજાને કહ્યું, “તુ તરત જ શહેર તરફ જા. કારણ કે વરસાદ આવી રહ્યો છે.” તરત જ કાળા વાદળો આવ્યા અને ભારે વરસાદ વરસ્યો. યહોવાએ દુકાળનો અંત આણ્યો અને સાબિત કર્યું કે તે જ સાચો ઈશ્વર છે.

OBS Image

એલીયાના સમય બાદ, ઈશ્વરે એલીશા નામના માણસને પોતાના પ્રબોધક તરીકે પસંદ કર્યો. ઈશ્વરે એલીશા મારફતે ઘણા ચમત્કારો કર્યા. એક ચમત્કાર નામાન સાથે થયો, જે દુશ્મન સેનાનો સેનાપતિ હતો, જેને ચામડીનો ભયંકર રોગ હતો. તેણે એલીશા વિશે સાંભળ્યુ અને તે એલીશા પાસે જઈને તેને સાજો કરવા વિશે જણાવે છે. એલીશાએ નામાનને યર્દન નદીમાં સાત વાર ડુબકી મારવાનું જણાવ્યું.

OBS Image

શરૂઆતમાં નામાન ક્રોધિત થયો અને તેણે તેવું કર્યુ નહિ કારણ કે તેને તે મુર્ખતા જેવું લાગ્યું. પરંતુ પાછળથી તેણે પોતાનું મન બદલ્યું અને તેણે સાત વાર યર્દનમાં પોતાને ડુબાડ્યો. અંતિમ વાર જ્યારે તે બહાર આવ્યો, તેની ચામડી સંપૂર્ણપણે સાજી થઈ ગઈ હતી. ઈશ્વરે તેને સાજો કર્યો હતો.

OBS Image

ઈશ્વરે બીજા ઘણા પ્રબોધકોને મોકલ્યા. તેઓએ લોકોને મૂર્તિપૂજા ન કરવાનું અને ન્યાયથી વર્તવાનું અને બીજાઓ પ્રત્યે દયા દાખવવાનું જણાવ્યું. પ્રબોધકોએ લોકોને ચેતવ્યા કે જો તેઓ દુષ્ટતા કરવાનું છોડશે નહીં અને ઈશ્વરને આજ્ઞાધીન રહેવાનું શરૂ નહીં કરે તો ઈશ્વર તેમને દોષિત માનીને ન્યાય કરશે અને તે તેમને શિક્ષા કરશે.

OBS Image

ઘણી બધી વાર લોકો ઈશ્વરને આધિન રહ્યા નહીં. તેઓ પ્રબોધકોની સાથે અયોગ્ય રીતે વર્ત્યા અને ઘણીવાર તેઓને મારી પણ નાખ્યા. એકવાર, યર્મિયા પ્રબોધકને સૂકા કૂવામાં નાખી દેવામાં આવ્યો અને તેને મરવા માટે છોડી દીધો. તે કૂવામાં રહેલા કાદવમાં ખૂંચી ગયો, પરંતુ રાજાને તેની પર દયા આવી અને તેણે પોતાન સૈનિકોને આજ્ઞા આપી કે યર્મિયા મૃત્યુ પામે તે પહેલા તેને બહાર કાઢો.

OBS Image

કેમ કે લોકો તેમને નફરત કરતા હતા તો પણ પ્રબોધકો ઈશ્વર માટે બોલતા રહ્યા. તેમણે લોકોને ચેતવ્યા કે જો તેઓ પસ્તાવો નહીં કરે તો ઈશ્વર તેમનો નાશ કરશે. તેઓએ લોકોને ઈશ્વરનું એ વચન પણ યાદ દેવડાવ્યું કે ખ્રિસ્ત (મસીહ) આવશે.

બાઈબલની વાર્તા: ૧રાજા ૧૬-૧૮,, ૨ રાજા ૫, યર્મિયા ૩૮