4.9 KiB
૩ યોહાનની પ્રસ્તાવના
ભાગ ૧: સામાન્ય પરિચય
૩ યોહાનની રૂપરેખા
૧,પ્રસ્તાવના (૧:૧) ૧.અતિથિસત્કાર માટે પ્રોત્સાહન અને સૂચનાઓ (૧:૨-૮) ૧.દિયોત્રફેસ અને દેમેત્રિયસ(૧:૯-૧૨) ૧. ઉપસહાંર (૧:૧૩-૧૪)
૩યોહાન કોણે લખ્યો?
પત્ર એ લેખકનું નામ આપતો નથી. લેખક પોતે જ તેનું નામ “વડીલ” જાહેર કરે છે. (૧:૧). આ પત્ર યોહાને તેના જીવનના અંતિમ દિવસો દરમિયાન લખ્યો હતો.
૩ યોહાન કઈ બાબતો વિશે છે?
યોહાને આ પત્ર ગાયસ નામના વિશ્વાસીને સંબોધીને લખ્યો છે. તેણે તેને સલાહ આપી હતી કે જ્યારે પણ કોઈ વિશ્વાસી તારા વિસ્તારમાં મુસાફરી કરે ત્યારે તેની કાળજી લેજે.
આ પુસ્તકના શીર્ષકનો અનુવાદ કેવી રીતે કરી શકાય?
આ પુસ્તકના નામનો ઉચ્ચાર અનુવાદકો તેમની સાંસ્કૃતિક રીતે મુજબ કરી શકે, “૩ યોહાન” અથવા “ત્રીજો યોહાન”. અથવા તેઓ વધુ સ્પષ્ટ શીર્ષકનો ઉપયોગ કરી શકે જેમ કે “યોહાનનો ત્રીજો પત્ર” અથવા યોહાને લખેલો ત્રીજો પત્ર.” (જુઓ: rc://*/ta/man/translate/translate-names)
ભાગ:૨: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિકવિચારો
અતિથિસત્કાર એટલે શું?
અતિથિસત્કાર એ પ્રાચીનકાળના પૂર્વ દિશા નજીકના વિસ્તારોમાં એક મહત્વપૂર્ણ ખ્યાલ હતો. પરદેશીઓ અને બહારથી આવનારાઓ પ્રત્યે મૈત્રીપૂર્ણ વ્યવહાર અને તેઓને જરૂરી મદદ પૂરી પાડવી મહત્વનું હતું. ૨ યોહાનમાં, જૂઠા શિક્ષકો પ્રત્યે અતીથીભાવ દર્શાવવા વિશે યોહાન વિશ્વાસીઓને નિરુત્સાહ કરે છે. ૩ યોહાનમાં, વિશ્વાસુ શિક્ષકો પ્રત્યે અતીથીભાવ દર્શાવવા વિશે યોહાન વિશ્વાસીઓને પ્રોત્સાહન આપે છે.
ભાગ;૩ અનુવાદના મહત્વના મુદ્દાઓ
આ પત્રમાં લેખક કૌટુંબિક સંબધોને કેવી રીતે વર્ણવે છે?
“ભાઈ” ” અને “બાળકો” શબ્દોનો ઉપયોગ લેખક જે રીતે કરે છે તે ગૂંચવનારું છે. શાસ્ત્ર “ભાઈઓ” શબ્દનો ઉપયોગ મહ્દઅંશે યહૂદીઓ માટે કરે છે. પણ આ પત્રમાં “ભાઈઓ” શબ્દનો ઉપયોગ યોહાન ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરવા માટે કરે છે. વધુમાં યોહાન કેટલાક વિશ્વાસીઓનો ઉલ્લેખ તેના “સંતાનો” તરીકે કરે છે. આ તે વિશ્વાસીઓછે જેઓને તેણે ખ્રિસ્તનું અનુકરણ કરવા માટે શિક્ષણ આપ્યું હતું.
યોહાને “પરદેશીઓ” શબ્દનો ઉપયોગ પણ જે રીતે કર્યો છે તે ગૂંચવનારું છે. શાસ્ત્ર “વિદેશીઓ” શબ્દનો ઉપયોગ મહ્દઅંશે બિનયહૂદીઓ માટે કરે છે. “ . પરંતુ આ પત્રમાં યોહાન આ શબ્દનો ઉપયોગ ઈસુમાં વિશ્વાસ ના કરનાર લોકો માટે કરે છે. ઈસુ