3.2 KiB
3.2 KiB
રક્તપાત
વ્યાખ્યા:##
“રક્તપાત” શબ્દ, માનવીના મૃત્યુ દર્શાવે છે જે ખૂન, યુદ્ધ, અથવા બીજી હિંસા દ્વારા આવે છે.
- આ શબ્દના શાબ્દિક અર્થ અનુસાર તેનો અર્થ “રક્ત વહેવડાવવું” કે જે દર્શાવે છે, જયારે વ્યક્તિના ખુલ્લા ઘામાંથી રક્ત બહાર આવે છે.
- જયારે લોકોની મોટા પ્રમાણમાં કતલ કરવામાં આવે ત્યારે “રક્તપાત” શબ્દ વપરાય છે
- તે સામાન્ય રીતે ખૂનના પાપને દર્શાવવા માટે પણ વપરાય છે.
ભાષાંતરના સૂચનો:
- “રક્તપાત” શબ્દનું ભાષાંતર, “લોકોની હત્યા” અથવા “ઘણા લોકો કે જેઓની હત્યા થઈ છે” તે માટે કરી શકાય છે.
- “રક્તપાત દ્વારા” શબ્દનું ભાષાંતર, “લોકોની કતલ કરીને” પણ થઇ શકે છે.
- “નિર્દોષ રક્તપાત” નું ભાષાંતર, “નિર્દોષ લોકોની હત્યા” એમ થાય છે.
- “રક્તપાત એ રક્તપાતને અનુસરે છે” જેનું ભાષાંતર, “તેઓ લોકોની કતલ કરવાનું ચાલુ રાખે છે” અથવા “લોકોનો સંહાર ચાલુ રહે છે” અથવા “તેઓએ ઘણા લોકોને મારી નાખ્યા અને તેમ કરવાનું ચાલુ રાખે છે” અથવા “લોકો બીજા લોકોને મારવાનું ચાલુ રાખે છે” એમ કરી શકાય છે.
- આ શબ્દનો રૂપક રીતેનો ઉપયોગ, “ખૂન તમારી પાછળ લાગશે” જેનું ભાષાંતર, “તમારા લોકો રક્તપાતનો અનુભવ કરતા રહેશે” અથવા “તમારા લોકો બીજા દેશો સાથે યુદ્ધ કરતા રહેશે અને લોકો મરતા રહેશે” એમ થઇ શકે છે.
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H1818, G2210