* જંગલી જાનવર એક પ્રકારનું પ્રાણી છે કે જે વન અથવા ખેતરોમાં છૂટથી રહે છે અને લોકો દ્વારા કેળવાયેલું હોતું નથી.
* પાળેલું જાનવર એવું પ્રાણી છે કે જે લોકો સાથે રહે છે અને ખોરાક માટે અથવા કામ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, જેમકે ખેતર ખેડવા માટે તેનો ઉપયોગ થાય છે. મોટેભાગે “પશુધન” શબ્દ આ પ્રકારના જાનવર માટે દર્શાવાયો છે.
* જૂના કરારમાં દાનિએલના પુસ્તકમાં અને નવા કરારમાં પ્રકટીકરણના પુસ્તકના દર્શનોમાં જે જાનવરનું (શ્વાપદ) વર્ણન કરવામાં આવ્યું છે તે ઈશ્વરની વિરુદ્ધિ દુષ્ટ શક્તિ અને સત્તાઓનું પ્રતિનિધિત્વ કરે છે. (જુઓ: [રૂપક](rc://en/ta/man/translate/figs-metaphor))
* આમાંના થોડા ઘણા પ્રાણીઓ વિચિત્ર લક્ષણોવાળા દર્શાવાયા છે, જેવાં કે કેટલાક માથાં અને શિંગડા. તેઓ પાસે મોટે ભાગે શક્તિ અને સત્તા હોય છે, કે જેઓ દેશો, રાષ્ટ્રો, અથવા રાજકીય સત્તાઓને દર્શાવે છે.