“ભટકાયેલ” અને “કુમાર્ગે જવું” શબ્દોનો અર્થ ઈશ્વરની ઈચ્છાનો અનાદર કરવો, થાય છે. જે લોકો “અવળે માર્ગે દોરાયા” તેઓએ ઈશ્વરની આજ્ઞાનો ભંગ કરવા બીજા લોકો અથવા સંજોગોને પ્રભાવ પાડવા દીધો.
* “કુમાર્ગે જવું” એ શબ્દસમૂહનું ભાષાંતર “ઈશ્વરથી દુર જવું” અથવા “ઈશ્વરની ઈચ્છાથી દુર ખોટો માર્ગ પકડવો” અથવા “ઈશ્વરની આજ્ઞા પાળવાનું બંધ કરવું” અથવા “એવા માર્ગમાં જીવવું કે જે ઈશ્વરથી દુર જાય છે” થઇ શકે છે.
* “કોઈને કુમાર્ગે દોરવું” તેનું ભાષાંતર આ રીતે થઇ શકે છે: “કોઈને ઈશ્વરની આજ્ઞા ન પાળવા માટે નિમિત્ત બનવું” અથવા “કોઈને ઈશ્વરની આજ્ઞા પાળવાથી રોકવું” અથવા “કોઈને ખોટે માર્ગે ચલાવવા નિમિત્ત બનવું.”