* __[13:7](rc://en/tn/help/obs/13/07)__ ઈશ્વરે બીજા પણ ઘણા કાનૂનો અને નિયમો પાળવા માટે આપ્યા.
જો લોકો તે કાનૂનો પાળે તો, ઈશ્વરે વચન આપ્યું કે તેઓ તેમને આશીર્વાદ આપશે અને રક્ષણ કરશે.
જો લોકો તેનો અનાદર કરે તો ઈશ્વર તેઓને __શિક્ષા કરશે.__
* __[16:2](rc://en/tn/help/obs/16/02)__ ઇઝરાયલીઓએ ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવાનું ચાલ્યું રાખ્યું માટે, ઈશ્વરે તેઓના શત્રુઓ તેઓને હરાવે એવું કરીને તેઓને __શિક્ષા કરી__.
* __[19:16](rc://en/tn/help/obs/19/16)__ પ્રબોધકોએ લોકોને ચેતવણી આપી કે જો તેઓ દુષ્ટતા કરવાનું બંધ કરીને ઈશ્વરનું આજ્ઞાપાલન નહીં કરે તો, ઈશ્વર દોષિત તરીકે તેઓનો ન્યાય કરશે અને તેઓને __શિક્ષા કરશે.__
* __[48:6](rc://en/tn/help/obs/48/06)__ ઈસુ સંપૂર્ણ પ્રમુખ યાજક હતા કારણ કે તેઓએ દરેક વ્યક્તિએ દરેક સમયે કરેલા દરેક પાપની __શિક્ષા__ ભોગવી.
* __[48:10](rc://en/tn/help/obs/48/10)__ જ્યારે કોઈ વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે છે ત્યારે, ઈસુનું રક્ત તે વ્યક્તિના પાપ દૂર કરે છે અને તેના પરથી ઈશ્વરની __શિક્ષા__ દૂર કરાય છે.
* __[49:9](rc://en/tn/help/obs/49/09)__ પણ ઈશ્વરે દુનિયાની દરેક વ્યક્તિને એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપ્યો કે જેથી જે કોઈ વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે તેને તેના પાપ માટે __શિક્ષા ન થાય__ પણ તે વ્યક્તિ સદાકાળને માટે ઈશ્વર સાથે રહેશે.
* __[49:11](rc://en/tn/help/obs/49/11)__ ઈસુએ કદાપિ પાપ કર્યું નહોતું, પણ તેમણે તમારા અને દુનિયાની દરેક વ્યક્તિના પાપો દૂર કરવા __શિક્ષા પામવા__ અને સંપૂર્ણ બલિદાન તરીકે મરવા પસંદ કર્યું.