કેમ યહુદા ઈશ્કરિયોતે, ઈસુના શિષ્યોમાનાં એકે, ફરિયાદ કરી કે તે અત્તર વેચાત અને તે પૈસા ગરીબોને અપાત?
યહુદાએ આમ એટલા માટે નહોતું કહ્યું કે તેને ગરીબો માટે કાળજી હતી; પણ કારણકે તે ચોર હતો. તે પૈસાની થેલી રાખતો હતો અને તેમાં જે નાખવામાં આવતું હતું તે તે પોતાને માટે લઈ લેતો હતો.