31 KiB
31 KiB
1 | Reference | ID | Tags | Quote | Occurrence | Question | Response |
---|---|---|---|---|---|---|---|
2 | 1:1 | bh82 | પાઉલ કેવી રીતે પ્રેરિત બન્યો? | ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર પિતા દ્વારા પાઉલ, પ્રેરિત બન્યો. | |||
3 | 1:4 | q9lg | ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાઓને શેમાંથી મુક્ત કરવામાં આવ્યા છે? | ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાઓને આ વર્તમાન દુષ્ટ યુગમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. | |||
4 | 1:6 | et4q | ગલાતિયાની મંડળી/વિશ્વાસી સમુદાય સંબંધી પાઉલ શાનાથી આશ્ચર્યચકિત છે? | પાઉલ આશ્ચર્યચકિત છે કે તેઓ આટલી ઝડપથી અલગ સુવાર્તા તરફ વળ્યા છે. | |||
5 | 1:7 | nnd7 | સાચી સુવાર્તા કેટલી છે? | માત્ર એક જ સાચી સુવાર્તા છે, ખ્રિસ્તની સુવાર્તા. | |||
6 | 1:8-9 | duup | ખ્રિસ્તની સુવાર્તા કરતાં અલગ સુવાર્તા જાહેર કરનારને શું થવું જોઈએ તે વિષે પાઉલ શું કહે છે? | પાઉલ કહે છે કે કોઈ પણ વ્યક્તિ જે કોઈ અલગ સુવાર્તા જાહેર કરે છે તે શાપિત થવો જોઈએ. | |||
7 | 1:10 | hguy | ખ્રિસ્તના સેવકોએ સૌપ્રથમ કોના તરફથી માન્યતા મેળવવી જોઈએ? | ખ્રિસ્તના સેવકોએ સૌપ્રથમ ઈશ્વર તરફથી માન્યતા મેળવવી જોઈએ. | |||
8 | 1:12 | etbx | ખ્રિસ્તની સુવાર્તા વિષેનું જ્ઞાન પાઉલને કેવી રીતે મળ્યું? | પાઉલે ખ્રિસ્તની સુવાર્તા ઈસુ ખ્રિસ્ત તરફથી સીધી જ પોતાને સાક્ષાત્કાર સ્વરૂપે પ્રાપ્ત કરી. | |||
9 | 1:13-14 | fmu8 | ખ્રિસ્તની સુવાર્તાનો સાક્ષાત્કાર પ્રાપ્ત થયો તે પહેલાં પાઉલ તેના જીવનમાં શું કરી રહ્યો હતો? | પાઉલ ઉત્સાહપૂર્વક યહુદી ધર્મને અનુસરતો હતો, ઈશ્વરના વિશ્વાસી સમુદાય/મંડળીને સતાવી તે તેનો નાશ કરવા પ્રયત્નશીલ હતો. | |||
10 | 1:15 | ws4e | ઈશ્વરે ક્યારે પાઉલને પોતાના પ્રેરિત તરીકે પસંદ કર્યો? | પાઉલને તેની માતાના ગર્ભમાંથી તેમના પ્રેરિત તરીકે પસંદ કરવામાં ઈશ્વર પ્રસન્ન હતા. | |||
11 | 1:16 | gv0o | કયા હેતુ માટે ઈશ્વરે પાઉલને પોતાના પ્રેરિત તરીકે પસંદ કર્યો? | ઈશ્વરે પાઉલને પોતાના પ્રેરિત તરીકે પસંદ કર્યો જેથી પાઉલ વિદેશીઓમાં ખ્રિસ્તની ઘોષણા કરે. | |||
12 | 1:18-19 | n7ls | બીજા કેટલાક પ્રેરિતોને પાઉલ આખરે ક્યાં મળ્યો? | અંતે, પાઉલ યરૂશાલેમ ગયો અને પ્રેરિતો કેફા અને યાકૂબને મળ્યો. | |||
13 | 1:22-23 | fxfg | યહૂદિયામાંના વિશ્વાસી સમુદાયો/મંડળીઓ પાઉલ વિષે શું સાંભળતા હતા? | યહૂદિયામાંના વિશ્વાસી સમુદાયો/મંડળીઓએ સાંભળ્યું હતું કે પાઉલ, જે એક સમયે મંડળીને સતાવતો હતો, તે હવે વિશ્વાસની ઘોષણા કરી રહ્યો હતો. | |||
14 | 2:1-2 | sg6l | પાઉલ ૧૪ વર્ષ પછી યરૂશાલેમ ગયો ત્યારે તેણે શું કર્યું? | પાઉલે વિશ્વાસી સમુદાયો/મંડળીઓના આગેવાનો સાથે એકાંતમાં વાત કરી, તેઓને તે સુવાર્તા સમજાવી જે તે પ્રગટ કરી રહ્યો હતો. | |||
15 | 2:3 | ryvx | તિતસ, એક વિદેશીએ, શું કરવાની જરૂર ન હતી? | તિતસને સુન્નત કરાવવાની જરૂર ન હતી. | |||
16 | 2:4 | n7kn | જૂઠા ભાઈઓ શું કરવા ઈચ્છતા હતા? | જૂઠા ભાઈઓ પાઉલ અને તેના સાથીઓને નિયમશાસ્ત્રના ગુલામ બનાવવા ઈચ્છતા હતા. | |||
17 | 2:6 | l735 | શું યરૂશાલેમના ચર્ચના આગેવાનોએ પાઉલનો સંદેશ બદલ્યો હતો? | ના, તેઓએ પાઉલના સંદેશામાં કંઈ ઉમેર્યું નહોતું. | |||
18 | 2:7-8 | gi1g | સુવાર્તા જાહેર કરવા માટે મુખ્યત્વે પાઉલને કોની પાસે મોકલવામાં આવ્યો હતો? | પાઉલને સુવાર્તાની ઘોષણા કરવા માટે મુખ્યત્વે બિનસુન્નતીઓ, વિદેશીઓ પાસે મોકલવામાં આવ્યો હતો. | |||
19 | 2:7-8 | u2cc | સુવાર્તાની ઘોષણા કરવા માટે પિતરને મુખ્યત્વે કોની તરફ મોકલવામાં આવ્યો હતો? | પિતરને મુખ્યત્વે સુન્નતીઓ, યહૂદીઓને સુવાર્તાની ઘોષણા કરવા માટે મોકલવામાં આવ્યો હતો. | |||
20 | 2:9 | bx0g | યરૂશાલેમના આગેવાનોએ કઈ રીતે પાઉલના સેવાકાર્યને મંજૂરી આપી? | યરૂશાલેમના આગેવાનોએ પાઉલ અને બાર્નાબાસને તેમની સંમતિ દર્શાવવા માટે સંગતનો જમણો હાથ આપ્યો. | |||
21 | 2:11-12 | gfg5 | જ્યારે પિતર અંત્યોખ આવ્યો ત્યારે તેણે કઈ ભૂલ કરી? | પીતરે બિનયહૂદીઓ સાથે ખાવાનું બંધ કર્યું, કારણ કે તે સુન્નત કરાયેલા પુરુષોથી ડરતો હતો. | |||
22 | 2:14 | q11q | પાઉલે કેફાને બધાની સામે શું પૂછ્યું? | પાઉલે કેફાને પૂછ્યું કે જ્યારે કેફા બિનયહૂદીઓની જેમ જીવતો હતો ત્યારે તે વિદેશીઓને યહૂદીઓની જેમ જીવવા માટે કેવી રીતે દબાણ કરી શકે. | |||
23 | 2:16 | zqqn | પાઉલે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ શાનાથી ન્યાયી ઠરતો નથી? | પાઉલે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ નિયમશાસ્ત્રના કાર્યોથી ન્યાયી ઠરતો નથી. | |||
24 | 2:16 | h9tg | ઈશ્વર સમક્ષ વ્યક્તિ કેવી રીતે ન્યાયી ઠરે છે? | ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્વારા વ્યક્તિ ઈશ્વર સમક્ષ ન્યાયી ઠરે છે. | |||
25 | 2:18 | eljf | જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યા પછી નિયમશાસ્ત્રનું પાલન કરવાનો પ્રયાસ કરવા પાછો ફરે છે, તો તે ખરેખર શું બન્યો છે? તે વિષે પાઉલ શું કહે છે | પાઉલ કહે છે કે તે પોતાની જાતને વાસ્તવમાં નિયમશાસ્ત્ર તોડનાર તરીકે દર્શાવે છે. | |||
26 | 2:20 | c7ji | પાઉલે કહ્યું કે હવે તેનામાં કોણ રહે છે? | પાઉલે કહ્યું કે હવે તેનામાં ખ્રિસ્ત રહે છે. | |||
27 | 2:20 | stq0 | ઈશ્વરના દીકરાએ તેના માટે શું કર્યું, તે વિષે પાઉલ શું કહે છે? | પાઉલ કહે છે કે ઈશ્વરના પુત્રએ તેને પ્રેમ કર્યો અને પાઉલને માટે પોતાને અર્પણ કર્યો. | |||
28 | 3:6 | n5o2 | ઇબ્રાહિમને ઈશ્વર સમક્ષ કઈ રીતે ન્યાયી ગણવામાં આવ્યો હતો? | ઇબ્રાહિમેં ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે તેને લેખે ન્યાયીપણા તરીકે ગણવામાં આવ્યો હતો. | |||
29 | 3:7 | ihwt | ઇબ્રાહિમના પુત્રો કોણ છે? | જેઓ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે તેઓ ઇબ્રાહિમના સંતાનો છે. | |||
30 | 3:8 | ibj7 | શાસ્ત્રએ અગાઉથી જોયું કે વિદેશીઓને કઈ રીતે ન્યાયી ઠેરવવામાં આવશે? | શાસ્ત્રએ અગાઉથી જોયું કે વિદેશીઓ વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરશે. | |||
31 | 3:10 | t6yk | જેઓ ન્યાયી થવા માટે નિયમશાસ્ત્રના કાર્યો પર આધાર રાખે છે તેઓ શેના હેઠળ છે? | જેઓ ન્યાયી થવા માટે નિયમશાસ્ત્રના કાર્યો પર આધાર રાખે છે તેઓ શાપ હેઠળ છે. | |||
32 | 3:11 | wofi | નિયમશાસ્ત્રના કાર્યો દ્વારા ઈશ્વર દ્વારા કેટલા લોકોને ન્યાયી ઠેરવવામાં આવ્યા છે? | નિયમશાસ્ત્રના કાર્યો દ્વારા કોઈને ન્યાયી ઠેરવવામાં આવ્યા નથી. | |||
33 | 3:14 | ks37 | શા માટે ખ્રિસ્તે આપણા માટે શાપ બનીને આપણો ઉધ્ધાર કર્યો? | ખ્રિસ્તે આપણા માટે શ્રાપ બનીને આપણને છોડાવ્યા જેથી ઇબ્રાહિમ પરનો આશીર્વાદ બિનયહૂદીઓ પર આવે. | |||
34 | 3:17 | rkbr | શું ઇબ્રાહિમના ૪૩૦ વર્ષ પછી યહૂદી નિયમશાસ્ત્ર આવવાથી ઈશ્વરે ઇબ્રાહિમને આપેલું વચન રદબાતલ કર્યું? | ના, નિયમશાસ્ત્રએ ઇબ્રાહિમને આપેલું વચન રદબાતલ કર્યું નથી. | |||
35 | 3:19 | r3x5 | તો પછી નિયમશાસ્ત્ર શા માટે હતું? | ઇબ્રાહિમના વંશજ આવ્યા ત્યાં સુધી નિયમશાસ્ત્ર ઉલ્લંઘનને કારણે આવ્યું. | |||
36 | 3:22 | jvvr | શાસ્ત્રમાંના નિયમશાસ્ત્રએ દરેકને શેના હેઠળ કેદ કર્યા? | શાસ્ત્રમાંનું નિયમશાસ્ત્ર દરેકને પાપ હેઠળ કેદ કરે છે. | |||
37 | 3:23-26 | vaww | આપણે નિયમશાસ્ત્રની કેદમાંથી મુક્ત કેવી રીતે થયા? | આપણે ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્વારા નિયમશાસ્ત્રની કેદમાંથી મુક્ત થયા છીએ. | |||
38 | 3:27 | dti9 | ખ્રિસ્તમાં કોને વસ્ત્ર પહેરાવામાં આવ્યું છે? | જેમણે ખ્રિસ્તમાં બાપ્તિસ્મા લીધું છે તે બધાને ખ્રિસ્તમાં વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. | |||
39 | 3:28 | bp4h | કેવા પ્રકારની વિભિન્ન વ્યક્તિઓને ખ્રિસ્ત ઈસુમાં એક કરવામાં આવે છે? | યહૂદીઓ, ગ્રીક, ગુલામો, સ્વતંત્ર, પુરુષ અને સ્ત્રી, બધાને ખ્રિસ્ત ઈસુમાં એક કરવામાં આવ્યા છે. | |||
40 | 4:1-2 | kml9 | મિલ્કતનો વારસદાર જ્યારે બાળક હોય ત્યારે તે કેવી રીતે જીવે છે? | વારસદાર તેના પિતા દ્વારા નિર્ધારિત સમય સુધી વાલીઓ અને ટ્રસ્ટીઓ હેઠળ ગુલામની જેમ જીવે છે. | |||
41 | 4:4-5 | gsoo | ઈતિહાસમાં ઈશ્વરે યોગ્ય સમયે શું કર્યું? | યોગ્ય સમયે, ઈશ્વરે તેમના પુત્રને નિયમશાસ્ત્ર હેઠળના લોકોને છોડાવવા માટે મોકલ્યા. | |||
42 | 4:5 | aa5k | જેઓ નિયમશાસ્ત્રને આધીન હતા તેઓને ઈશ્વર પોતાના કુટુંબમાં કેવી રીતે લાવ્યા? | ઈશ્વરે નિયમશાસ્ત્ર હેઠળના બાળકોને પુત્ર તરીકે દત્તક લીધા. | |||
43 | 4:6 | ge9i | ઈશ્વર તેમના બાળકોના હૃદયમાં શું મોકલે છે? | ઈશ્વર તેમના પુત્રના આત્માને તેમના બાળકોના હૃદયમાં મોકલે છે. | |||
44 | 4:8 | lmva | આપણે ઈશ્વરને ઓળખીએ તે પહેલાં આપણે કોના ગુલામ છીએ? | આપણે ઈશ્વરને ઓળખીએ તે પહેલાં, આપણે એવા આત્માઓના ગુલામ છીએ જે જગત પર રાજ કરે છે, જેઓ બિલકુલ દેવતાઓ છે જ નહિ. | |||
45 | 4:9 | et22 | પાઉલ મૂંઝવણમાં હતો કે ગલાતીઓ શાની તરફ પાઉલ મૂંઝવણમાં હતો કે ફરી રહ્યા હતા? | પાઉલ મૂંઝવણમાં હતો કે ગલાતીઓ ફરીથી જગતના શાસક આત્માઓ તરફ પાછા ફરી રહ્યા હતા. | |||
46 | 4:9-11 | dcls | જ્યારે તે ગલાતીઓને પાછા ફરતા જુએ છે, ત્યારે પાઉલ તેઓ માટે શાનો ડર અનુભવે છે? | પાઉલને ડર છે કે ગલાતીઓ ફરીથી ગુલામ બની જશે, અને તેણે તેમના પર વ્યર્થ મહેનત કરી છે. | |||
47 | 4:13 | grkg | પાઉલ ગલાતીઓ પાસે પહેલી વાર આવ્યો ત્યારે, તેને કઈ સમસ્યા હતી?When Paul first came to the Galatians, what problem did he have? | જ્યારે પાઉલ ગલાતીઓ પાસે પ્રથમ વખત આવ્યો ત્યારે તેને શારીરિક બીમારી હતી. | |||
48 | 4:14 | v4yn | પાઉલની સમસ્યા હોવા છતાં, ગલાતીઓએ તેને કેવી રીતે સ્વીકાર્યો હતો? | પાઉલની સમસ્યા હોવા છતાં, ગલાતીઓએ પાઉલને ઈશ્વરના દેવદૂત તરીકે, ખ્રિસ્ત ઈસુ તરીકે સ્વીકાર્યો. | |||
49 | 4:17 | d3xb | ગલાતિયામાંના ખોટા શિક્ષકો કોને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? | ખોટા શિક્ષકો ગલાતીઓને પાઉલથી અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. | |||
50 | 4:20-21 | s4s2 | ખોટા શિક્ષકો ગલાતીઓને શેના હેઠળ મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે? | ખોટા શિક્ષકો ગલાતીઓને નિયમશાસ્ત્ર હેઠળ પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. | |||
51 | 4:22 | tswh | કઈ બે પ્રકારની સ્ત્રીઓમાંથી ઇબ્રાહિમને બે પુત્રો થયા? | ઇબ્રાહિમને બે પુત્રો હતા, એક ગુલામ સ્ત્રીથી અને બીજો સ્વતંત્ર સ્ત્રીથી. | |||
52 | 4:26 | wwsm | પાઉલ અને વિશ્વાસી ગલાતીઓની સાંકેતિક માતા કોણ છે? | ઉપરના ભાગનું યરૂશાલેમ, મુક્ત સ્ત્રી પાઉલ અને વિશ્વાસી ગલાતીઓની પ્રતીકાત્મક માતા છે. | |||
53 | 4:28 | gz32 | શું ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાઓ દેહના બાળકો છે કે વચનના બાળકો છે? | ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાઓ વચનના બાળકો છે. | |||
54 | 4:29 | jmva | વચનના બાળકોને કોણ સતાવે છે? | દેહના બાળકો વચનના બાળકોને સતાવે છે. | |||
55 | 4:30 | sdh3 | ગુલામ સ્ત્રીના બાળકોને શું વારસામાં નથી મળતું? | ગુલામ સ્ત્રીના બાળકો સ્વતંત્ર સ્ત્રીના બાળકો સાથે વારસો મેળવતા નથી. | |||
56 | 4:31 | r7te | શું ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાઓ ગુલામ સ્ત્રીના બાળકો છે કે સ્વતંત્ર સ્ત્રીના બાળકો? | ખ્રિસ્તમાં વિશ્વાસીઓ મુક્ત સ્ત્રીના બાળકો છે. | |||
57 | 5:1 | rtss | ખ્રિસ્તે આપણને કયા હેતુ માટે મુક્ત કર્યા છે? | સ્વતંત્રતા માટે ખ્રિસ્તે આપણને મુક્ત કર્યા છે. | |||
58 | 5:2 | ow5t | પાઉલે ગલાતીઓને શું ચેતવણી આપી જો તેઓ સુન્નત કરાવે તો? | પાઉલે કહ્યું કે જો ગલાતીઓની સુન્નત થઈ જશે, તો ખ્રિસ્ત તેમને કોઈ રીતે લાભ કરશે નહિ. | |||
59 | 5:4 | unjp | પાઉલે ચેતવણી આપી હતી કે નિયમશાસ્ત્રનું પાલન કરીને ન્યાયી ઠરવા માંગતા સઘળા ગલાતીઓનું શું થશે? | પાઉલે ચેતવણી આપી હતી કે બધા ગલાતીઓ જેઓ નિયમશાસ્ત્રનું પાલન કરીને ન્યાયી ઠરવાનો પ્રયત્ન કરશે તેઓ ખ્રિસ્તથી દૂર થઈ જશે અને કૃપાથી દૂર થઈ જશે. | |||
60 | 5:6 | izs9 | સુન્નત અને બેસુન્નતના વિરોધમાં, ખ્રિસ્ત ઈસુમાં ફક્ત એક જ બાબતનો અર્થ શું છે જે અર્થપૂર્ણ છે? | ખ્રિસ્ત ઈસુમાં, પ્રેમ દ્વારા કાર્યરત એકમાત્ર વિશ્વાસનો અર્થ સર્વસ્વ મહત્વતા ધરાવે છે. | |||
61 | 5:10 | z2kn | ગલાતીઓને સુવાર્તા વિષે મૂંઝવણમાં મૂકનાર વ્યક્તિ વિષે પાઉલને શું વિશ્વાસ છે? | પાઉલને વિશ્વાસ છે કે જેણે ગલાતીઓને સુવાર્તા વિષે મૂંઝવણમાં મૂક્યા છે તેણે ઈશ્વરના ન્યાયાસનને સહન કરવું પડશે. | |||
62 | 5:11 | v9ve | પાઉલ કહે છે કે સુન્નત જાહેર કરવાથી શું થાય છે? | પાઉલ કહે છે કે સુન્નતની ઘોષણા કરવામાં, વધસ્તંભની ઠોકરનો નાશ થશે. | |||
63 | 5:13 | wgj2 | કેવી રીતે વિશ્વાસીઓએ ખ્રિસ્તમાં તેમની સ્વતંત્રતાનો ઉપયોગ ન કરવો જોઈએ? | વિશ્વાસીઓએ ખ્રિસ્તમાં તેમની સ્વતંત્રતાનો ઉપયોગ દેહની તક તરીકે ન કરવો જોઈએ. | |||
64 | 5:13 | hglc | વિશ્વાસીઓએ ખ્રિસ્તમાં તેમની સ્વતંત્રતાનો ઉપયોગ કેવી રીતે કરવો? | વિશ્વાસીઓએ પ્રેમમાં એકબીજાની સેવા કરવા ખ્રિસ્તમાં તેમની સ્વતંત્રતાનો ઉપયોગ કરવો જોઈએ. | |||
65 | 5:16 | ympc | વિશ્વાસીઓ કેવી રીતે દેહની વાસનાને પરિપૂર્ણ ના કરવી? | વિશ્વાસીઓ આત્મા દ્વારા જીવી શકે છે, અને આમ, દેહની વાસનાને પરિપૂર્ણ ના કરે. | |||
66 | 5:17 | a5pf | વિશ્વાસીની અંદર કઈ બે બાબતો એકબીજાના વિરોધમાં છે? | વિશ્વાસીની અંદર આત્મા અને દેહ એકબીજાના વિરોધી છે. | |||
67 | 5:20-21 | cztb | દેહના કાર્યોના ત્રણ ઉદાહરણો શું છે? | દેહના કાર્યોના ત્રણ ઉદાહરણો નીચેની સૂચિમાંથી કોઈપણ ત્રણ છે: જાતીય અનૈતિકતા, અશુદ્ધતા, લંપટતા, મૂર્તિપૂજા, જાદુટોણા, દુશ્મનાવટ, ઝઘડો, ઈર્ષ્યા, ગુસ્સાનો વિસ્ફોટ, દુશ્મનાવટ, મતભેદ, સાંપ્રદાયિક વિભાજન, ઈર્ષ્યા, દારૂડિયાપણું અને નશામાં રમખાણો. | |||
68 | 5:21 | ubwn | જેઓ દેહના કામો કર્યા કરે છે તેઓને શું નહિ મળે? | જેઓ દેહના કાર્યો કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ. | |||
69 | 5:22-23 | k16e | આત્માનું ફળ શું છે? | આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, દયા, ભલાઈ, વિશ્વાસ, નમ્રતા અને આત્મસંયમ છે. | |||
70 | 5:24 | q615 | જેઓ ખ્રિસ્ત ઈસુના છે તેઓએ દેહ અને તેની વાસનાઓનું શું કર્યું છે? | જેઓ ખ્રિસ્ત ઈસુના છે તેઓએ દેહ અને તેની વાસનાઓને વધસ્તંભે જડ્યા છે. | |||
71 | 6:1 | rthj | જો કોઈ માણસ કોઈ અપરાધમાં પકડાઈ જાય તો જેઓ આત્મિક છે તેઓએ શું કરવું જોઈએ? | જેઓ આત્મિક છે તેઓએ તે માણસને નમ્રતાની ભાવનામાં પુનઃસ્થાપિત કરવો જોઈએ. | |||
72 | 6:1 | xaix | જેઓ આત્મિક છે તેઓએ કયા જોખમથી સાવધ રહેવું જોઈએ? | જેઓ આત્મિક છે તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ પણ પરીક્ષણમાં ન આવે. | |||
73 | 6:2 | c0kl | વિશ્વાસીઓ ખ્રિસ્તના નિયમને કેવી રીતે પરિપૂર્ણ કરે છે? | વિશ્વાસીઓ એકબીજાનો બોજો વહન કરીને ખ્રિસ્તના નિયમને પરિપૂર્ણ કરે છે. | |||
74 | 6:4 | uy96 | કોઈ વ્યક્તિને પોતાના કામ વિષે ગર્વ કરવા જેવું કંઈક કેવી રીતે હોઈ શકે? | વ્યક્તિ પોતાની જાતને બીજા કોઈની સાથે સરખાવ્યા વિના, પોતાના કામની તપાસ કરીને ગર્વ કરવા જેવું કંઈક ધરાવી શકે છે. | |||
75 | 6:6 | vqa1 | જેને વચન શીખવવામાં આવે છે તેણે તેના શિક્ષક સાથે શું કરવું જોઈએ? | જેને વચન શીખવવામાં આવે છે તેણે તેના શિક્ષક સાથે બધી સારી બાબતો વહેંચવી જોઈએ. | |||
76 | 6:7 | z414 | માણસ આત્મિક રીતે જે કંઈ રોપશે તેનું શું થાય છે? | માણસ આત્મિક રીતે જે પણ રોપશે તે લણશે. | |||
77 | 6:8 | onr9 | પોતાના દેહ માટે રોપનાર માણસ શું લણશે? | જે માણસ પોતાના દેહ માટે વાવેતર કરે છે તે તેના દેહમાંથી વિનાશની લણણી કરે છે. | |||
78 | 6:8 | q4vy | આત્મા માટે રોપનાર માણસ શાની લણણી કરશે? | આત્મામાંથી એક માણસ જે આત્માને વાવે છે તે શાશ્વત જીવનની લણણી કરે છે. | |||
79 | 6:9 | sx5e | જો કોઈ વિશ્વાસી હાર ન માને અને સારું કરવાનું ચાલુ રાખે, તો તેને શું પ્રાપ્ત થશે? | જે વિશ્વાસી સારું કરવાનું ચાલુ રાખે છે તે પાક લણશે. | |||
80 | 6:10 | kigw | વિશ્વાસીઓએ ખાસ કરીને કોનું સારું કરવું જોઈએ? | વિશ્વાસીઓએ ખાસ કરીને વિશ્વાસના ઘરના લોકોનું સારું કરવું જોઈએ. | |||
81 | 6:12 | tst8 | જેઓ વિશ્વાસીઓને સુન્નત કરાવવાની ફરજ પાડવા માગે છે તેમની પ્રેરણા શું છે? | જેઓ વિશ્વાસીઓને સુન્નત કરાવવાની ફરજ પાડવા માંગે છે તેઓ ખ્રિસ્તના વધસ્તંભ માટે સતાવણી સહન કરવા માંગતા નથી. | |||
82 | 6:14 | tx9g | પાઉલે શું કહ્યું કે તેને ગર્વ હતો? | પાઉલે કહ્યું કે તેને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર ગર્વ છે. | |||
83 | 6:15 | xubf | સુન્નત અથવા બેસુન્નતને બદલે, શું મહત્વનું છે? | જે મહત્વનું છે તે નવી ઉત્પત્તિ છે. | |||
84 | 6:16 | d3zg | પાઉલ કોના પર શાંતિ અને દયા ઈચ્છે છે? | પાઉલ જેઓ નવી ઉત્પત્તિના નિયમ પ્રમાણે જીવે છે અને ઈશ્વરના ઈઝરાયલ પર શાંતિ અને દયાની ઈચ્છા રાખે છે. | |||
85 | 6:17 | veyw | પાઉલ તેના શરીર પર શું વહન કરે છે? | પાઉલ તેના શરીર પર ઈસુના ચિહ્નોની નિશાનીઓને વહન કરે છે. |