4.5 KiB
4.5 KiB
ઈશ્વરના લોકો, મારા લોકો
વ્યાખ્યા:
“ઈશ્વરના લોકો” શબ્દ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓને ઈશ્વરે પોતાની સાથે ખાસ સંબંધ રાખવા જગતમાંથી તેડ્યા છે.
- જ્યારે ઈશ્વર “મારા લોકો” કહે છે ત્યારે તેઓ જેઓને તેઓએ પસંદ કર્યા છે અને જેઓનો ઈશ્વર સાથે સંબંધ છે તે લોકો વિષે વાત કરે છે.
- ઈશ્વરના લોકોને ઈશ્વર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે અને ઈશ્વરને પ્રસન્ન કરે તેવી રીતે જીવવા જગતમાંથી અલગ કરવામાં આવ્યા છે.
ઈશ્વર પોતાના લોકોને પોતાના બાળકો પણ કહે છે.
- જૂના કરારમાં, “ઈશ્વરના લોકો” શબ્દ ઇઝરાયલ દેશનો ઉલ્લેખ કરે છે કે જેને ઈશ્વર દ્વારા પસંદ કરાયો હતો અને તેમની સેવા કરવા તથા આજ્ઞાઓ પાળવા બીજા દેશોમાંથી અલગ કરાયો હતો.
- નવા કરારમાં, “ઈશ્વરના લોકો” શબ્દ ખાસ કરીને એ બધા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે અને જેઓને મંડળી કહેવામા આવે છે.
તેમાં યહૂદીઓ અને બિનયહૂદીઓ બંનેનો સમાવેશ થાય છે.
અનુવાદ માટેના સૂચનો:
- “ઈશ્વરના લોકો” શબ્દનો અનુવાદ “ઈશ્વરની પ્રજા” અથવા તો “ઈશ્વરની આરાધના કરતા લોકો” અથવા તો “ઈશ્વરની સેવા કરતા લોકો” અથવા તો “ઈશ્વરની માલિકીના લોકો” તરીકે કરી શકાય.
- જ્યારે ઈશ્વર “મારા લોકો” શબ્દ વાપરે છે તો તેનો બીજો અનુવાદ “એવા લોકો કે જેઓને મેં પસંદ કર્યા છે” અથવા તો “મારી આરાધના કરતા લોકો” અથવા તો “મારી માલિકીના લોકો” એ રીતે કરી શકાય.
- તેવી જ રીતે, “તમારા લોકો” શબ્દનો અનુવાદ “તમારી માલિકીના લોકો” અથવા તો “એવા લોકો જેમણે તમારા બનવા પસંદ કર્યું” તરીકે કરી શકાય.
- વળી “તેમના લોકો” શબ્દનો અનુવાદ “તેમની માલિકીના લોકો” અથવા તો “ઈશ્વરે પોતાના બનાવવા માટે પસંદ કરેલા લોકો” તરીકે કરી શકાય.
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 11:1-3
- પ્રેરિતોનાં કૃત્યો 7:33-34
- પ્રેરિતોનાં કૃત્યો 7:51-53
- પ્રેરિતોનાં કૃત્યો 10:36-38
- દાનિયેલ 9:24-25
- યશાયા 2:5-6
- યર્મિયા 6:20-22
- યોએલ 3:16-17
- મીખાહ 6:3-5
- પ્રકટીકરણ 13:7-8
શબ્દ માહિતી:
- Strong's: H430, H5971, G2316, G2992