Door43-Catalog_gu_tw/bible/kt/conscience.md

2.6 KiB

અંત:કરણ

વ્યાખ્યા:

અંત:કરણ વ્યક્તિના વિચારોનો એક ભાગ છે કે જે દ્વારા ઈશ્વર તેને વાકેફ કરે છે કે તે કઈંક અધમ (પાપ) કરી રહ્યો છે.

  • ઈશ્વરે લોકોને સાચું શું છે અને ખોટું શું છે, તે વચ્ચે ભેદ પારખવા માટે મદદ તરીકે અંત:કરણ આપ્યું છે.
  • જે વ્યક્તિ ઈશ્વરને આધીન જીવે છે તેને “શુદ્ધ” અથવા “નિર્મળ” અથવા “સ્વચ્છ” અંત:કરણ છે તેમ કહેવાય છે.
  • જો વ્યક્તિને “નિર્મળ અંત:કરણ હોય” તેનો અર્થ કે તે કોઇપણ પાપ છૂપાવતો નથી.
  • જો કોઈ તેમના અંત:કરણનો નકાર કરે અને જયારે તે પાપો કરે ત્યારે તેને અપરાધની લાગણી અનુભવતો નથી, તેનો અર્થ કે જે બાબત ખોટી છે તે માટે તેનું અંત:કરણ સંવેદનશીલ રહ્યું નથી. બાઈબલ તેને “દમાયેલું/શુષ્ક” અંત:કરણ તરીકે દર્શાવે છે, જેના પર જાણે કે ગરમ લોખંડ દ્વારા “નિશાન (છાપ)” પાડવામાં આવ્યું છે. આવા અંત:કરણને “લાગણીશૂન્ય” અને “પ્રદૂષિત” થયેલું પણ કહેવાય છે.
  • સંભવિત રીતે આ શબ્દનું ભાષાંતર, “આંતરિક નૈતિક માર્ગદર્શક” અથવા “નૈતિક વિચારો” જેવા શબ્દોનો સમાવેશ કરી શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G4893