2.6 KiB
2.6 KiB
અંત:કરણ
વ્યાખ્યા:
અંત:કરણ વ્યક્તિના વિચારોનો એક ભાગ છે કે જે દ્વારા ઈશ્વર તેને વાકેફ કરે છે કે તે કઈંક અધમ (પાપ) કરી રહ્યો છે.
- ઈશ્વરે લોકોને સાચું શું છે અને ખોટું શું છે, તે વચ્ચે ભેદ પારખવા માટે મદદ તરીકે અંત:કરણ આપ્યું છે.
- જે વ્યક્તિ ઈશ્વરને આધીન જીવે છે તેને “શુદ્ધ” અથવા “નિર્મળ” અથવા “સ્વચ્છ” અંત:કરણ છે તેમ કહેવાય છે.
- જો વ્યક્તિને “નિર્મળ અંત:કરણ હોય” તેનો અર્થ કે તે કોઇપણ પાપ છૂપાવતો નથી.
- જો કોઈ તેમના અંત:કરણનો નકાર કરે અને જયારે તે પાપો કરે ત્યારે તેને અપરાધની લાગણી અનુભવતો નથી, તેનો અર્થ કે જે બાબત ખોટી છે તે માટે તેનું અંત:કરણ સંવેદનશીલ રહ્યું નથી. બાઈબલ તેને “દમાયેલું/શુષ્ક” અંત:કરણ તરીકે દર્શાવે છે, જેના પર જાણે કે ગરમ લોખંડ દ્વારા “નિશાન (છાપ)” પાડવામાં આવ્યું છે. આવા અંત:કરણને “લાગણીશૂન્ય” અને “પ્રદૂષિત” થયેલું પણ કહેવાય છે.
- સંભવિત રીતે આ શબ્દનું ભાષાંતર, “આંતરિક નૈતિક માર્ગદર્શક” અથવા “નૈતિક વિચારો” જેવા શબ્દોનો સમાવેશ કરી શકે છે.
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: G4893