4.0 KiB
4.0 KiB
નરક, અગ્નિની ખાઈ
વ્યાખ્યા:
નરક એ અનંત પીડા અને વેદનાનું અંતિમ સ્થાન છે જ્યાં દેવ દરેકને સજા કરશે જે તેની વિરુદ્ધ બળવો કરે છે અને ઈસુના બલિદાન દ્વારા તેમને બચાવવાની તેમની યોજનાને નકારી કાઢે છે. તેને "અગ્નિની ખાઈ" તરીકે પણ ઓળખવામાં આવે છે.
- નરકને અગ્નિ અને ગંભીર દુઃખનું સ્થળ તરીકે વર્ણવવામાં આવ્યું છે.
- શેતાન અને દુષ્ટ આત્માઓ જેઓ તેને અનુસરે છે તેઓને અનંત કાળની સજા માટે નરકમાં નાખવામાં આવશે.
- જે લોકો તેમના પાપ માટે ઈસુના બલિદાનમાં વિશ્વાસ કરતા નથી અને તેમને બચાવવા માટે તેમનામાં વિશ્વાસ કરતા નથી, તેઓને કાયમ માટે નરકમાં સજા કરવામાં આવશે.
અનુવાદ સૂચનો:
- આ શબ્દો સંભવતઃ અલગ રીતે અનુવાદિત થવું જોઈએ કારણ કે તે વિવિધ સંદર્ભોમાં થાય છે.
- કેટલીક ભાષાઓ "આગનું સરોવર" શબ્દસમૂહમાં "સરોવર" નો ઉપયોગ કરી શકતી નથી કારણ કે તે પાણીનો સંદર્ભ આપે છે.
- "નરક" શબ્દનું ભાષાંતર "દુઃખનું સ્થાન" અથવા "અંધકાર અને પીડાનું અંતિમ સ્થાન" તરીકે કરી શકાય છે.
- "અગ્નિનું સરોવર" શબ્દનો અનુવાદ "અગ્નિનો સમુદ્ર" અથવા "વિશાળ અગ્નિ (પીડનો)" અથવા "અગ્નિનું ક્ષેત્ર" તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: [સ્વર્ગ], [મૃત્યુ], [અધોલોક], [પાતાળ])
બાઈબલ સંદર્ભો:
- [યાકૂબ ૩:૬]
- [લુક ૧૨:૫]
- [માર્ક ૯:૪૨-૪૪]
- [માથ્થી ૫:૨૧-૨૨]
- [માથ્થી ૫:૨૯]
- [માથ્થી ૧૦:૨૮:૩૧]
- [માથ્થી ૨૩:૩૩]
- [માથ્થી ૨૫:૪૧-૪૩]
- [પ્રકટીકરણ ૨૦:૧૫]
બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- [૫૦:૧૪] તે (દેવ) તેમને _નરક_માં ફેંકી દેશે, જ્યાં તેઓ રડશે અને કાયમ માટે વેદનામાં દાંત પીસશે. જે અગ્નિ ક્યારેય ન નીકળે તે તેમને સતત બાળશે, અને કીડા તેમને ખાવાનું ક્યારેય બંધ કરશે નહીં.
- [૫૦:૧૫] તે શેતાનને નરકમાં ફેંકી દેશે જ્યાં તે હંમેશ માટે બળી જશે, તે દરેકની સાથે જેણે દેવનું પાલન કરવાને બદલે તેને અનુસરવાનું પસંદ કર્યું છે.
શબ્દ માહિતી:
- સ્ટ્રોંગ્સ: H7585, G00860, G04390, G04400, G10670, G30410, G44420, G44430, G44470, G44480, G50200, G53940, G54570