Door43-Catalog_gu_tw/bible/other/detestable.md

4.1 KiB

તિરસ્કારવું, ઘૃણાપાત્ર, ધિક્કારપાત્ર

સત્યો/તથ્યો:

“તિરસ્કારપાત્ર” શબ્દ કઈંક કે જે નાપસંદ અને ફગાવી દીધેલું છે તેને વર્ણવે છે. “તિરસ્કારેલું” એટલે એવું જે કંઈ જે સખત રીતે નાપસંદ હોય.

  • મોટેભાગે બાઈબલ દુષ્ટને ધિક્કારવાની વાત કરે છે. તેનો અર્થ એમ કે દુષ્ટની (બાબતની) નફરત કરવી અને તેનો અસ્વીકાર કરવો.
  • જેઓ જૂઠા દેવોની આરાધના કરે છે તેઓના દુષ્ટ વ્યવહારોનું વર્ણન કરવા ઈશ્વરે “તિરસ્કારપાત્ર” શબ્દનો ઉપયોગ કર્યો છે.
  • ઈઝરાએલીઓને તેમના કેટલાક પડોશી લોકોના જૂથો, જે પાપી, અનૈતિક કાર્યો કરતા હતા તે બાબતોનો “તિરસ્કાર” કરવાની આજ્ઞા આપવામાં આવી હતી.
  • ઈશ્વર બધાંજ ખોટા જાતીય કાર્યોને “ધિક્કારપાત્ર” કહે છે.
  • ઈશ્વર માટે ભવિષ્યકથન, મેલીવિદ્યા, અને બાળકનું બલિદાન બધું જ “તિરસ્કારપાત્ર” હતું.
  • “તિરસ્કાર કરવો” શબ્દનું ભાષાંતર, “સખત રીતે અસ્વીકાર્ય” અથવા “ધિક્કારવું” અથવા “ખૂબ જ દુષ્ટ ગણવું” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
  • “તિરસ્કારપાત્ર” શબ્દનું ભાષાંતર, “ભયાનક રીતે દુષ્ટ” અથવા “ઘૃણાસ્પદ” અથવા “નકારવાલાયક” તરીકે પણ કરી શકાય છે.
  • જયારે આ શબ્દ, ન્યાયી લોકો પ્રત્યે દુષ્ટ લોકોનો “ધિક્કાર” દર્શાવવા વપરાય છે, ત્યારે તેનું ભાષાંતર “વધુ અનિચ્છનીય ગણવા” અથવા “અણગમતા લાગવા” અથવા “તેમના દ્વારા નકાર,” એવું (ભાષાંતર) થઇ શકે છે.
  • ઈશ્વરે ઈઝરાએલીઓને ચોક્કસ પ્રકારના પ્રાણીઓ કે જેને ઈશ્વરે “અશુદ્ધ” જાહેર કર્યા હતા અને ખાવા માટે યોગ્ય નહોતા તેનો “તિરસ્કાર” કરવા કહ્યું હતું. આ શબ્દનું ભાષાંતર, “સખત રીતે નાપસંદ” અથવા “અસ્વીકાર્ય” અથવા “અસ્વીકાર્ય ગણવા” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય.

(આ પણ જુઓ: ભવિષ્યકથન, શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1602, H6973, H8130, H8251, H8262, H8263, H8441, H8581, G946, G947, G948, G4767, G5723, G3404