gu_ulb/43-LUK.usfm

1722 lines
311 KiB
Plaintext

\id LUK
\ide UTF-8
\sts - Free Bible Gujarati
\h લૂક
\toc1 લૂક
\toc2 લૂક
\toc3 luk
\mt1 લૂક
\s5
\c 1
\p
\v 1 આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનના સેવકો હતા, તેઓએ આપણને કહ્યું છે તે પ્રમાણે,
\v 2 આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરવાને ઘણાએ સ્વીકાર્યું છે;
\v 3 માટે, ઓ માનનીય થિયોફિલ, મેં પણ શરૂઆતથી સઘળી વાતોની ચોકસાઈ કરીને, તને વિગતવાર લખવાનું નક્કી કર્યું,
\v 4 કેમ કે જે વાતો તને શીખવવામાં આવી છે, તેઓની સત્યતા તું જાણે.
\s5
\v 5 યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો; તેની પત્ની હારુનની દીકરીઓમાંની હતી, તેનું નામ એલિસાબેત હતું.
\v 6 તેઓ બન્ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, તથા પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે વર્તતાં હતાં.
\v 7 તેઓ નિઃસંતાન હતાં કેમ કે એલિસાબેત જન્મ આપવાને અસમર્થ હતી. તેઓ બન્ને ઘણાં વૃદ્ધ હતાં.
\s5
\v 8 તે છતાં ઝખાર્યા પોતાના ક્રમ પ્રમાણે ઈશ્વરની આગળ યાજકનું કામ કરતો હતો,
\v 9 એટલામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના ભક્તિસ્થાનમાં જઈને અર્પણ કરવાનો તેનો સમય આવ્યો.
\v 10 અર્પણ કરાતું હતું તે સમયે લોકોની સભા બહાર પ્રાર્થના કરતી હતી.
\s5
\v 11 તે સમય દરમિયાન ધૂપવેદીની જમણી બાજુમાં પ્રભુનો એક દૂત ઊભેલો તેના જોવામાં આવ્યો.
\v 12 દૂતને જોઇને ઝખાર્યા ગભરાઈ ગયો, અને તેને બીક લાગી.
\v 13 દૂતે તેને કહ્યું કે, ઝખાર્યા, બીશ નહિ; કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારી પત્ની એલિસાબેતને દીકરો થશે, તેનું નામ તું યોહાન પાડશે.
\s5
\v 14 તને આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મથી ઘણા લોકો હરખાશે;
\v 15 કેમ કે તે પ્રભુની સમક્ષતામાં મોટો થશે, દ્રાક્ષાસવ પીશે નહિ; અને માતાના પેટમાં હશે ત્યારથી જ પવિત્ર આત્માથી ભરપૂર થશે.
\s5
\v 16 તે ઇઝરાયલના ઘણા વંશજોને તેઓના ઈશ્વર યહોવા તરફ ફેરવશે.
\v 17 તે એલિયાના આત્માએ તથા પરાક્રમે ઈશ્વરની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન બાળકો તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે [ચાલવાને] ફેરવે, તથા પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.
\s5
\v 18 ઝખાર્યાએ દૂતને કહ્યું કે, 'એ મને કેવી રીતે જણાય? કેમ કે હું અને મારી પત્ની ઘણાં વૃદ્ધ છીએ.'
\v 19 દૂતે તેને ઉત્તર આપ્યો કે, 'હું ઈશ્વરની સમક્ષતામાં રહેનાર ગાબ્રિયેલ છું; તારી સાથે વાત કરીને તને આ શુભ સંદેશો મને મોકલવામાં આવ્યો છે.'
\v 20 એ વાત બનશે તે દિવસ સુધી તું બોલી શકશે નહિ, કેમ કે મારી વાતો જે ઠરાવેલા સમયે પૂર્ણ થશે તેં તેઓનો વિશ્વાસ કર્યો નહિ.
\s5
\v 21 લોકો ઝખાર્યાની રાહ જોઈ રહયા હતા, તેને ભક્તિસ્થાનમાં વાર લાગી, માટે લોકો આશ્ચર્ય પામ્યા.
\v 22 તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહિ; ત્યારે લોકો એવું સમજ્યા કે અંદર ભક્તિસ્થાનમાં તેને કંઈ દર્શન થયું હશે; તે તેઓને ઈશારો કરતો હતો, અને બોલી શક્યો નહિ.
\v 23 તેના સેવા કરવાના દિવસો પૂરા થયા ત્યારે એમ થયું કે તે પોતાના ઘરે પાછો ગયો.
\s5
\v 24 તે દિવસ પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો, તે પાંચ મહિના સુધી ગુપ્ત રહી, અને તેણે કહ્યું કે,
\v 25 'માણસોમાં મારું મહેણું દૂર કરવા મારા પ્રભુએ પોતાની [કૃપા]દ્દષ્ટિના સમયમાં મને સારા દિવસો આપ્યા છે.'
\s5
\v 26 છઠ્ઠે મહિને ગાબ્રિયેલ દૂત ને ગાલીલના નાસરેથ નામે એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો હતો.
\v 27 દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઇ થઇ હતી; તેનું નામ મરિયમ હતું.
\v 28 દૂતે તેની પાસે આવીને કહ્યું કે, 'હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે!'
\v 29 પણ એ વચન સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે, આ તે કઈ જાતની સલામ હશે!
\s5
\v 30 દૂતે તેને કહ્યું કે, 'હે મરિયમ, બીશ નહીં; કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે.
\v 31 જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે.
\v 32 તે મોટા થશે, અને પરાત્પર (ઈશ્વર)ના દીકરા કહેવાશે; અને ઈશ્વર પ્રભુ તેમને તેમના પિતા દાઉદનું રાજ્યાસન આપશે.
\v 33 તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.'
\s5
\v 34 મરિયમે દૂતને કહ્યું કે, 'એ કેમ કરીને થશે? કેમ કે હું કુંવારી છું, અને હું કોઈ પુરુષ સાથે સબંધમાં આવી નથી.'
\v 35 દૂતે તેને ઉત્તર આપ્યો કે, 'પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર (ઈશ્વર)નું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે [તારાથી] જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે.
\s5
\v 36 જો, તારી સગી એલિસાબેતે પણ તેની વૃધ્ધાવસ્થામાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે નિ:સંતાન કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે.
\v 37 'કેમ કે ઈશ્વર પાસેથી [આવેલું] કોઈ પણ વચન પરાક્રમ વગરનું થશે નહિ.'
\v 38 મરિયમે દૂતને કહ્યું કે, 'જો, હું પ્રભુની સેવિકા છું, તારા કહ્યા પ્રમાણે મને થાઓ.' ત્યારે દૂત તેની પાસેથી ગયો.
\s5
\v 39 તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ.
\v 40 ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી.
\v 41 એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને
\s5
\v 42 તથા ઊંચા સ્વરથી કહ્યું કે, 'સ્ત્રીઓમાં તુ ધન્ય છે, તારા બાળકને પણ ધન્ય છે!'
\v 43 એ [કૃપા] મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે?
\v 44 કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું.
\v 45 જેણે વિશ્વાસ કર્યો તેને ધન્ય છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે.
\s5
\v 46 મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે,
\v 47 અને ઈશ્વર, મારા ઉધ્ધારનારમાં મારો આત્મા હરખાયો છે.
\s5
\v 48 કારણ કે તેમણે પોતાની સેવિકાની દીનાવસ્થા પર દ્ર્ષ્ટિ કરી છે; કેમ કે, જો, હવેથી સઘળી પેઢીઓ મને ધન્ય કહેશે.
\v 49 કેમ કે પરાક્રમી (ઈશ્વર)એ મારે સારુ મહાન કૃત્યો કર્યા છે, તેમનું નામ પવિત્ર છે.
\s5
\v 50 જેઓ તેમનું સન્માન કરે છે, તેઓ પર તેમની દયા પેઢી દરપેઢી રહે છે.
\v 51 તેમણે પોતાના પરાક્રમી હાથો વડે ઘણાં પરાક્રમી કાર્યો કર્યાં છે, અભિમાનીઓને તેઓનાં હૃદયની કલ્પનામાં તેમણે વિખેરી નાખ્યા છે.
\s5
\v 52 તેમણે સરદારોને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને ગરીબોને ઊંચા કર્યા છે.
\v 53 તેમણે ભૂખ્યાંઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે; અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢયા છે.
\s5
\v 54 આપણા પૂર્વજોને તેમના કહ્યા પ્રમાણે, ઈબ્રાહિમ પર તથા તેના વંશ પર
\v 55 સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.'
\s5
\v 56 મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘેર પાછી ગઈ.
\v 57 હવે એલિસાબેતના દિવસો પૂરા થયા, એટલે તેને દીકરો જન્મ્યો.
\v 58 તેના પડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓ તેની સાથે આનંદ કર્યો.
\s5
\v 59 આઠમે દિવસે તેઓ છોકરાની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવા માંગતા હતા;
\v 60 પણ તેની માએ તેઓને કહ્યુ કે, 'એમ નહિ, પણ તેનું નામ યોહાન પાડવું.'
\v 61 તેઓએ તેને કહ્યું કે, 'તારાં સગામાંના કોઈનું એવું નામ પાડેલું નથી.'
\s5
\v 62 તેઓએ ઈશારો કરીને તેના પિતાને પૂછ્યું કે, 'તું તેનું શું નામ પાડવા ચાહે છે?'
\v 63 તેણે પથ્થરપાટી[સ્લેટ] માગીને તેના પર લખ્યું કે, 'તેનું નામ યોહાન છે.'
\s5
\v 64 તેથી તેઓ સર્વ અચંબો પામ્યા. તરત ઝખાર્યાનું મુખ ઊઘડી ગયું, ને તેની જીભ [છુટી થઇ], તે ઈશ્વરની સ્તુતિ કરતો બોલવા લાગ્યો.
\v 65 તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, અને યહૂદિયાના આખા પહાડી દેશમાં એ વાતોની ચર્ચા ચાલી.
\v 66 જેઓએ તે વાતો સાંભળી તે સર્વએ તે મનમાં રાખીને કહ્યું કે, ત્યારે આ છોકરો કેવો થશે? કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો.
\s5
\v 67 તેના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઇને એવો પ્રબોધ કર્યો કે,
\v 68 ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.
\s5
\v 69 જગતના આરંભથી ઈશ્વરે પવિત્ર પ્રબોધકોના મુખથી કહ્યું હતું તે પ્રમાણે,
\v 70 તેમણે પોતાના સેવક દાઉદના કૂળમાં, આપણે સારુ એક પરાક્રમી ઉધ્ધારનાર આપ્યા છે,
\v 71 એટલે તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે;
\s5
\v 72 એ સારુ કે તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર યાદ કરે,
\v 73 એટલે તેમણે આપણા પિતા ઈબ્રાહિમની સાથે જે સમ ખાધા તે;
\v 74 એ માટે કે તે આપણે સારુ એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને, નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળ
\v 75 શુદ્ધતાથી તથા ન્યાયીપણાથી તેમની સેવા કરીએ.
\s5
\v 76 અને, ઓ પુત્ર, તું પરાત્પર (ઈશ્વર)નો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુનો માર્ગ તૈયાર કરે,
\v 77 તથા તેમના લોકોને પાપની માફી મળવાથી જે ઉધ્ધાર મળે છે, તેનું જ્ઞાન તું તેઓને આપે.
\s5
\v 78 [અને આ માફી] આપણા ઈશ્વરની ઘણી દયાથી સ્વર્ગમાંથી ઉધ્ધારનાર ઊગતા સૂર્ય સમાન આપણી પાસે આવે છે,
\v 79 એ માટે કે અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ આપે તથા આપણા પગલાંને શાંતિના માર્ગમાં દોરી જાય.
\s5
\v 80 પુત્ર મોટો થયો, આત્મામાં બળવાન થતો ગયો, અને ઇઝરાયલમાં તેના જાહેર થવાના દિવસ સુધી તે અરણ્યમાં રહ્યો.
\s5
\c 2
\p
\v 1 તે દિવસોમાં કાઈસાર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે, સર્વ દેશોના લોકોની ગણતરી કરવામાં આવે.
\v 2 કુરેનિયસ સિરિયા [પ્રાંત]નો રાજ્યપાલ હતો, તેના વખતમાં વસ્તીની એ પ્રથમ ગણતરી થઈ હતી.
\v 3 બધા લોકો પોતાનાં નામ નોંધાવવા સારુ પોતપોતાના શહેરમાં ગયા.
\s5
\v 4 યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયામાં દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં,
\v 5 પોતાનું તથા પોતાની ગર્ભવતી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમકે તે ડેવિડના વંશ તથા કુળમાંનો હતો.
\s5
\v 6 તેઓ ત્યાં હતાં, એટલામાં મરિયમના પ્રસવાવસ્થાના દિવસો પૂરા થયા.
\v 7 અને તેણે પોતાના પ્રથમ દીકરાને જન્મ આપ્યો; તેને કપડામાં લપેટીને ગભાણમાં સુવડાવ્યો, કારણ કે તેઓને સારુ ધર્મશાળામાં કંઈ જગ્યા નહોતી.
\s5
\v 8 તે દેશમાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ઘેટાંને સાચવતા હતા.
\v 9 પ્રભુનો એક દૂત તેઓની આગળ પ્રગટ થયો, પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ પ્રકાશ્યો, તેથી તેઓ ઘણા ભયભીત થયા.
\s5
\v 10 દૂતે તેઓને કહ્યું કે 'બીશો નહી; કેમ કે, જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે;
\v 11 કેમ કે આજ ડેવિડના શહેરમાં તમારે સારુ એક ઉધ્ધારનાર, એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે.
\v 12 તમારે માટે એ નિશાની છે કે, તમે એક બાળકને કપડામાં લપેટેલું તથા ગભાણમાં સૂતેલું જોશો.'
\s5
\v 13 પછી એકાએક દૂતની સાથે આકાશના બીજા દૂતોનો સમુદાય પ્રગટ થયો; તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતા હતા કે,
\v 14 'સ્વર્ગમાં ઈશ્વરને મહિમા, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓ મધ્યે શાંતિ થાઓ.'
\s5
\v 15 જયારે દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા તે પછી, ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું કે, 'ચાલો, આપણે બેથલેહેમ જઈને આ બનેલી બિના જેની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ.'
\v 16 તેઓ ઉતાવળથી ગયા, અને મરિયમને, યૂસફને, તથા ગભાણમાં સૂતેલા બાળકને જોયા.
\s5
\v 17 તેઓને જોયા પછી જે વાત એ બાળક સંબંધી તેઓને કહેવામાં આવી હતી, તે તેઓએ કહી બતાવી.
\v 18 જે વાતો ઘેટાંપાળકોએ કહી, તેથી સઘળા સાંભળનારાઓ આશ્ચર્ય પામ્યા,
\v 19 પણ મરિયમ એ સઘળી વાતો મનમાં રાખીને વારંવાર તે વિષે વિચાર કરતી રહી.
\v 20 ઘેટાંપાળકોને જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેથી તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પોતાનાં ઘેટાં પાસે પાછા ગયા.
\s5
\v 21 આઠ દિવસ પૂરા થયા પછી બાળકની સુન્નત કરવાનો વખત આવ્યો, તેમનું નામ ઈસુ પાડવામાં આવ્યું, જે નામ, જન્મ પહેલાં દૂતે આપ્યું હતું.
\s5
\v 22 મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુઘ્ઘીકરણના દિવસો પૂરા થયા,
\v 23 ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે, પ્રથમ જન્મેલો દરેક બાળક પ્રભુને સારુ પવિત્ર કહેવાય, તે પ્રમાણે તેઓ તેને પ્રભુની સમક્ષ રજૂ કરવાને,
\v 24 તથા પ્રભુના નિયમશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે એક જોડ હોલાનો અથવા કબૂતરનાં બે બચ્ચાને અર્પણ કરવા સારુ, તેને યરુશાલેમમાં લાવ્યાં.
\s5
\v 25 ત્યારે જુઓ, સિમયોન નામે એક માણસ યરૂશાલેમમાં હતો, તે ન્યાયી તથા ધાર્મિક હતો, તે ઇઝરાયલને દિલાસો મળે તેની રાહ જોતો હતો, અને પવિત્ર આત્મા તેના પર હતો.
\v 26 પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે, 'પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહિ.'
\s5
\v 27 તે આત્મા[ની પ્રેરણા]થી ભક્તિસ્થાનમાં આવ્યો, ત્યાં નિયમશાસ્ત્રની વિધિ પ્રમાણે કરવા માટે બાળક ઈસુના માતાપિતા તેમને સિમયોનની પાસે લાવ્યા.
\v 28 ત્યારે તેણે બાળકને હાથમાં ઊંચકીને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે,
\v 29 'હે પ્રભુ, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા સેવકને શાંતિથી જવા દો;
\s5
\v 30 કેમ કે મારી આંખોએ તમારો ઉધ્ધાર જોયો છે,
\v 31 જેને તમે સર્વ લોકોની સંમુખ સિદ્ધ કર્યો છે;
\v 32 તે બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે.'
\s5
\v 33 તેમના (બાળક) સંબંધી જે વાતો કહેવામાં આવી, તેથી તેમનાં માતાપિતા આશ્ચર્ય પામ્યાં.
\v 34 શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને તેમની મા મરિયમને કહ્યું કે , 'જો, આ બાળક ઇઝરાયલમાંના ઘણાના પડવા, તથા પાછા ઊઠવા સારુ, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાની થવા સારુ ઠરાવેલો છે.
\v 35 હા, તારા પોતાના જીવને તરવાર વીંધી નાખશે; એ માટે કે ઘણાં મનોની કલ્પના પ્રગટ થાય.'
\s5
\v 36 આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. અને તે પોતાનાં લગ્ન પછી પોતાના પતિની સાથે સાત વર્ષ સુધી રહી હતી.
\v 37 તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી; તે ભક્તિસ્થાનમાં જ રહેતી હતી, અને રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાસહિત ભક્તિ કર્યા કરતી હતી.
\v 38 તેણે તે જ ઘડીએ ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી, અને જેઓ યરૂશાલેમના ઉદ્ધારની રાહ જોતા હતા તે સઘળાને તે બાળક સંબંધી વાત કરી.
\s5
\v 39 તેઓ પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે બધું કરી ચૂક્યા પછી ગાલીલમાં પોતાના શહેર નાસરેથમાં પાછાં ગયાં.
\v 40 ત્યાં તે છોકરો મોટો થયો, અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો, અને ઈશ્વરની કૃપા તેના પર હતી.
\s5
\v 41 તેનાં માતાપિતા વરસોવરસ પાસ્ખાપર્વમાં યરૂશાલેમ જતાં હતાં.
\v 42 જયારે ઈસુ બાર વરસના થયા, ત્યારે તેઓ રિવાજ પ્રમાણે પર્વમાં ત્યાં ગયાં.
\v 43 [પર્વ]ના દિવસો પૂરા કરીને તેઓ પાછાં જવા લાગ્યાં, ત્યારે ઈસુ યરુશાલેમમાં રોકાઈ ગયા, અને તેમના માતાપિતાને તેની ખબર પડી નહિ.
\v 44 પણ તે સમૂહમાં હશે, એમ ધારીને તેઓએ એક દિવસ સુધી મુસાફરી કરી અને પછી પોતાનાં સગામાં તથા ઓળખીતામાં ઈસુને શોધ્યા.
\s5
\v 45 ઈસુ તેઓને મળ્યા નહિ, ત્યારે તેઓ તેમને શોધતાં શોધતાં યરુશાલેમમાં પાછાં ગયાં.
\v 46 ત્રણ દિવસ પછી તેઓએ તેમને ભક્તિસ્થાનમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભાળતા તથા તેઓને સવાલો પૂછતા જોયા.
\v 47 જેઓએ તેમનુ સાંભળ્યું તેઓ બધા તેમની બુદ્ધિથી તથા તેમના ઉત્તરોથી વિસ્મિત થયા.
\s5
\v 48 તેમને જોઈને તેમનાં માતાપિતા આશ્ચર્ય પામ્યાં; અને તેમની માએ તેમને કહ્યું કે, 'દીકરા, અમારી સાથે તું આવી રીતે કેમ વર્ત્યો? જો, તારા પિતાએ તથા મેં દુઃખી થઈને તારી કેટલી શોધ કરી!'
\v 49 ઈસુએ તેઓને કહ્યું કે 'તમે મારી શોધ શા માટે કરી? શું તમે જાણતાં નહોતાં કે મારે મારા પિતાના ઘરમાં હોવું જોઈએ?'
\v 50 જે વાત ઈસુએ તેઓને કહી તે તેઓ સમજ્યાં નહિ.
\s5
\v 51 ઈસુ તેઓની સાથે ગયા, અને નાસરેથમાં આવ્યા, માતાપિતાને આધીન રહ્યા અને તેમની માએ એ સઘળી વાતો પોતાના મનમાં રાખી.
\v 52 ઈસુ જ્ઞાનમાં તથા કદમાં, ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામતા ગયા.
\s5
\c 3
\p
\v 1 હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વર્ષે, જયારે પોંતિયુસ પિલાત યહૂદિયાનો અધિપતિ, તથા હેરોદ ગાલીલનો રાજ્યકર્તા તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજ્યકર્તા તથા લુસાનિયસ અબીલેનોનો રાજ્યકર્તા હતો
\v 2 આન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા ત્યારે ઝખાર્યાના દીકરા યોહાનની પાસે ઈશ્વરનું વચન અરણ્યમાં આવ્યું.
\s5
\v 3 તે યર્દનની આસપાસના સઘળા પ્રદેશમાં પાપની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કરતો આવ્યો.
\s5
\v 4 યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખ્યું છે તેમ કે, 'અરણ્યમાં ઘાંટો કરનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો;
\s5
\v 5 દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચાં કરાશે, વાંકું સીધું કરાશે અને ખાડાટેકરાવાળા માર્ગ સપાટ કરવામાં આવશે.
\v 6 સઘળા મનુષ્યો ઈશ્વરનું ઉધ્ધાર જોશે.'
\s5
\v 7 તેનાથી બાપ્તિસ્મા પામવાને આવતા ઘણા લોકોને યોહાને કહ્યું કે, 'ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યા?
\s5
\v 8 તો પસ્તાવો [કરનારને] શોભે એવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડો કે, ઇબ્રાહિમ અમારો પિતા છે,' કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને સારુ સંતાન ઉત્પન્ન કરી શકે છે.'
\s5
\v 9 વળી હમણાં કુહાડો વૃક્ષોની જડ પર છે, માટે હરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તે કપાય છે, અને અગ્નિમાં નંખાય છે.'
\s5
\v 10 લોકોએ યોહાનને પૂછ્યું, 'ત્યારે અમારે શું કરવું?'
\v 11 તેણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'જેની પાસે બે અંગરખા હોય તે જેની પાસે એકપણ નથી તેને આપે; જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે.'
\s5
\v 12 કર ઉઘરાવનારાઓ પણ બાપ્તિસ્મા પામવા સારુ આવ્યા, ને તેને પૂછ્યું કે, 'ઉપદેશક, અમારે શું કરવું?'
\v 13 તેણે તેઓને કહ્યું કે, 'જે તમારે સારુ નિયત કરાયેલો કર છે, તે કરતાં વધારે જબરજસ્તીથી ન લો.'
\s5
\v 14 સૈનિકોએ પણ તેને પૂછતાં કહ્યું કે, 'અમારે શું કરવું?' તેણે તેઓને કહ્યું કે, 'જબરજસ્તીથી કોઈની પાસેથી પૈસા પડાવો નહિ. અને કોઈની ઉપર જૂઠા આરોપો ન મૂકો. તમારા પગારથી સંતોષી રહો.'
\s5
\v 15 લોકો [ખ્રિસ્તની] રાહ જોતા હતા, અને સઘળા યોહાન સંબંધી પોતાના મનમાં વિચાર કરતા હતા કે, 'એ ખ્રિસ્ત હશે કે નહિ;'
\v 16 ત્યારે યોહાને ઉત્તર આપતાં સર્વને કહ્યું કે, 'હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ મારા કરતાં જે બળવાન છે તે આવે છે, તેમના ચંપલની દોરી છોડવાને પણ હું યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે.
\s5
\v 17 તેમનું સૂપડું તેમના હાથમાં છે, તેનાથી તે પોતાની ખળીને સાફ કરી નાખશે, અને ઘઉં પોતાની વખારમાં તે ભરશે; પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.'
\s5
\v 18 તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોને સુવાર્તા પ્રગટ કરી.
\v 19 યોહાને હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કરવા બદલ તથા બીજા ઘણાં ખરાબ કામો કરવા બદલ ઠપકો આપ્યો,
\v 20 એ બધાં ઉપરાંત તેણે યોહાનને જેલમાં પૂર્યો.
\s5
\v 21 સર્વ લોક બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા, એટલામાં આકાશ ઊઘડી ગયું;
\v 22 અને પવિત્ર આત્મા કબૂતરના રૂપે તેમના પર ઊતર્યા; અને આકાશમાંથી એવી વાણી થઈ કે, 'તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.'
\s5
\v 23 ઈસુ પોતે [બોધ] કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષની ઉંમરના હતા, અને (લોકોના ધાર્યા પ્રમાણે) તે યૂસફના દીકરા હતા, જે એલીનો [દીકરો],
\v 24 મથ્થાતનો, જે લેવીનો, જે મલ્ખીનો, જે યન્નયનો, જે યૂસફનો,
\s5
\v 25 જે મત્તિયાનો, જે આમોસનો, જે નાહૂમનો, જે હેસ્લીનો, જે નગ્ગયનો,
\v 26 જે માહથનો, જે મતિયાનો, જે શિમઇનો, જે યોસેખનો, જે યોદાનો,
\s5
\v 27 જે યોહાનાનનો, જે રેસાનો, જે ઝરુબ્બાબેલનો, જે શાલ્તીએલનો, જે નેરીનો,
\v 28 જે મલ્ખીનો, જે અદ્દીનો, જે કોસામનો, જે અલ્માદામનો, જે એરનો,
\v 29 જે યેશુનો, જે એલીએઝેરનો, જે યોરીમનો, જે મથ્થાતનો, જે લેવીનો,
\s5
\v 30 જે શિમયોનનો, જે યહૂદાનો, જે યૂસફનો, જે યોનામનો, જે એલ્યાકિમનો,
\v 31 જે મલેયાનો, જે મિન્નાનો, જે મત્તાથાનો, જે નાથાનનો, જે ડેવિડનો,
\v 32 જે યશાઈનો, જે ઓબેદનો, જે બોઆઝનો, જે સલ્મોનનો, જે નાહશોનનો,
\s5
\v 33 જે અમિનાદાબનો, જે અનીનો, જે હેસ્રોનનો, જે પેરેસનો, જે યહૂદાનો,
\v 34 જે યાકૂબનો, જે ઇસહાકનો, જે ઇબ્રાહિમનો, જે તેરાહનો, જે નાહોરનો,
\v 35 જે સરૂગનો, જે રયૂનો, જે પેલેગનો, જે એબરનો, જે શેલાનો,
\s5
\v 36 જે કેનાનનો, જે અર્યાક્ષદનો, જે શેમનો, જે નૂહનો, જે લામેખનો,
\v 37 જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો,
\v 38 જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો દીકરો હતો.
\s5
\c 4
\p
\v 1 ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછા વળ્યા. અને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીંતહીં દોરાઈને અરણ્યમાં રહયા,
\v 2 તે [દરમ્યાન] શેતાને ઈસુની પરીક્ષણ કરી; તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, તે સમય પૂરા થયા પછી તે ભૂખ્યા થયા.
\s5
\v 3 શેતાને ઈસુને કહ્યું કે, 'જો તમે ઈશ્વરના દીકરા હોય તો આ પથ્થરને આજ્ઞા કરો કે, તે રોટલી થઈ જાય.
\v 4 ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, 'એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ.'
\s5
\v 5 શેતાન તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો, અને એક ક્ષણમાં જગતનાં બધાં રાજ્ય તેમને બતાવ્યા.
\v 6 શેતાને ઈસુને કહ્યું કે, 'કેમ કે એ મને આપેલ છે, અને હું જેને તે આપવા ચાહું તેને તે આપું છું;
\v 7 માટે જો તમે મને નમીને ભક્તિ કરશો તો તે સઘળું તમારું થશે.'
\s5
\v 8 અને ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, 'એમ લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરવી, અને એકલા તેમની જ સેવા કરવી.'
\s5
\v 9 તે ઈસુને યરૂશાલેમ લઈ ગયો, અને ભક્તિસ્થાનના શિખર પર તેમને ઊભા રાખીને તેણે તેમને કહ્યું કે, 'જો તમે ઈશ્વરના પુત્ર હો તો અહીંથી નીચે કૂદી પડો.
\v 10 કેમ કે લખ્યું છે કે, તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે;
\v 11 તેઓ પોતાના હાથે તમને ઝીલી લેશે, રખેને તમારો પગ પથ્થર પર અફળાય.'
\s5
\v 12 ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, 'એમ લખેલું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી ન કરવી.'
\v 13 શેતાન સર્વ પ્રકારની પરીક્ષણ કરીને કેટલીક મુદ્ત સુધી તેમની પાસેથી ગયો.
\s5
\v 14 ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા, અને તેમના વિષેની વાતો આસપાસ આખા દેશમાં ફેલાઈ ગઈ.
\v 15 અને તેમણે તેઓનાં ભક્તિસ્થાનમાં બોધ કર્યો, અને બધાથી માન પામ્યા.
\s5
\v 16 નાસરેથ જ્યાં ઈસુ મોટા થયા હતા ત્યાં તે આવ્યા, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે તે ભક્તિસ્થાનમાં ગયા, અને વાંચવા સારુ તે ઊભા થયા.
\v 17 યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું, તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે દર્શાવ્યા પ્રમાણે લખ્યું છે તેનું વાચન કર્યુ કે,
\s5
\v 18 'પ્રભુનો આત્મા મારા પર છે, કેમકે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે મારો અભિષેક ક્યોં છે; બંદીવાનોને છુટકારો તથા દ્વષ્ટિહીનોને દ્વષ્ટિ આપવાનું જાહેર કરવા, પીડિતોને છોડાવવા
\v 19 તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારુ ઈશ્વરે મને મોકલ્યો છે.'
\s5
\v 20 પછી તેમણે પુસ્તક બંધ કર્યુ, સેવકને પાછું આપીને બેસી ગયા, પછી સભામાં બધા ઈસુને એકનજરે જોઈ રહયા.
\v 21 ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, 'આજે આ લેખ તમારા સાંભળતાં પૂરો થયો છે.'
\v 22 બધાએ તેમના વિષે સાક્ષી આપી, અને જે કૃપાની વાતો તેમણે કહી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, 'શું એ યૂસફનો દીકરો નથી?'
\s5
\v 23 ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે મને નિશ્રે કહેશો કે, વૈદ, તમે પોતાને સાજા કરો.' કફર-નહૂમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવાં કામો અહીં તમારા પોતાના પ્રદેશ (વતન)માં પણ કરો.
\v 24 ઈસુએ કહ્યું કે, 'હું તમને ખરેખર કહું છું કે, કોઈ પ્રબોધક પોતાના વતનમાં સ્વીકાર્ય નથી.
\s5
\v 25 પણ હું તમને સાચું કહું કે એલિયાના સમયમાં સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહિ, આખા દેશમાં મોટો દુકાળ પડ્યો, ત્યારે ઘણી વિધવાઓ ઇઝરાયલમાં હતી;
\v 26 તેઓમાંની અન્ય કોઈ પાસે નહિ, પણ સિદોનના સારફાથમાં જે વિધવા હતી તેની જ પાસે એલિયાને મોકલવામાં આવ્યો હતો.
\v 27 વળી એલિશા પ્રબોધકના વખતમાં ઘણા કુષ્ટરોગીઓ ઇઝરાયલમાં હતા, પરંતુ અરામી નામાન સિવાય તેઓમાંનો અન્ય કોઈ શુદ્ધ કરાયો ન હતો.
\s5
\v 28 એ વાત સાંભળીને સભામાંના સૌ ગુસ્સે ભરાયા;
\v 29 તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા.
\v 30 પણ ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.
\s5
\v 31 પછી તે ગાલીલના કફર-નહૂમ શહેરમાં આવ્યા. એક વિશ્રામવારે ઈસુ ભક્તિસ્થાનમાં તેઓને બોધ આપતા હતા;
\v 32 ત્યારે તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમકે તેનું બોલવું અધિકૃત હતું.
\s5
\v 33 ત્યાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો, તેણે મોટે ઘાંટે કહ્યું કે,
\v 34 'અરે, ઈસુ નાઝીરી, તમારે અને અમારે શું છે? શું તમે અમારો વિનાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર!'
\s5
\v 35 ઈસુએ તેને ધમકાવીને કહ્યું કે, 'ચૂપ રહે, અને તેનામાંથી નીકળ'. અશુદ્ધ આત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ નુકસાન કર્યા વિના નીકળી ગયો.
\v 36 બધાને આશ્ચર્ય લાગ્યું, અને તેઓએ એકબીજાને કહ્યું કે, 'આ કેવા શબ્દો છે! કેમકે તે અધિકાર તથા પરાક્રમ સહિત અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, ને તેઓ નીકળી જાય છે?'
\v 37 આસપાસના પ્રદેશનાં સર્વ સ્થાનોમાં ઈસુ વિષેની વાતો પ્રસરી ગઈ.
\s5
\v 38 ભક્તિસ્થાનમાંથી ઊઠીને ઈસુ સિમોનના ઘેર ગયા. સિમોનની સાસુને સખત તાવ આવતો હતો, તેને મટાડવા માટે તેઓએ તેમને વિનંતી કરી.
\v 39 તેથી ઈસુએ તેની પાસે ઊભા રહીને તાવને ધમકાવ્યો, અને તેનો તાવ ઊતરી ગયો; તેથી તે તરત ઊઠીને તેઓની સેવા કરવા લાગી.
\s5
\v 40 સૂર્ય ડૂબતી વખતે જેઓ વિવિધ પ્રકારના રોગથી પિડાતાં માણસો હતાં તેઓને તેઓ ઈસુની પાસે લાવ્યા, અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં.
\v 41 ઘણાંઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી ગયાં, અને ઘાંટો પાડીને કહેતા હતા કે, 'તમે ઈશ્વરના દીકરા છો!' તેમણે તેઓને ધમકાવ્યા, અને બોલવા દીધા નહિ, કેમકે તેઓ જાણતા હતા કે, 'તે ખ્રિસ્ત છે.'
\s5
\v 42 દિવસ ઊગ્યો ત્યારે ઈસુ નીકળીને ઉજ્જડ જગ્યાએ ગયા, લોકો તેમને શોધતા શોધતા તેમની પાસે આવ્યા, તે તેઓની પાસેથી ચાલ્યા ન જાય માટે તેઓએ તેમને રોકવા પ્રયત્નો કર્યાં.
\v 43 પણ તેમણે તેઓને કહ્યું કે, 'મારે બીજાં શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમકે એ માટે મને મોકલવામાં આવ્યો છે.'
\v 44 ગાલીલનાં દરેક ભક્તિસ્થાનોમાં તે સુવાર્તા પ્રગટ કરતા રહ્યા.
\s5
\c 5
\p
\v 1 હવે એમ થયું કે ઘણા લોકો ઈસુ પર પડાપડી કરીને ઈશ્વરના વચનને સાંભળતા હતા, ત્યારે ગન્નેસરેતના સરોવરને કિનારે તે ઊભા રહ્યા હતા.
\v 2 તેમણે સરોવરને કિનારે ઊભેલી બે હોડી જોઈ, પણ માછીમારો તેઓ પરથી ઊતરીને જાળો ધોતા હતા.
\v 3 તે હોડીઓમાંની એક સિમોનની હતી, ઈસુ તે હોડીમાં ગયા. અને તેને કિનારેથી થોડે દૂર હંકારવાનું કહ્યું. પછી તેમણે હોડીમાં બેસીને લોકોને બોધ કર્યો.
\s5
\v 4 ઉપદેશ સમાપ્ત કર્યા પછી ઈસુએ સિમોનને કહ્યું કે, 'હોડીને ઊંડા પાણીમાં જવા દો, અને [માછલાં] પકડવા સારુ તમારી જાળો નાખો.'
\v 5 સિમોને ઉત્તર આપ્યો કે, 'ગુરુ, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડાયું નહિ, તોપણ તમારા કહેવાથી હું જાળ નાખીશ.'
\v 6 તેઓએ જાળ નાખી તો માછલાંનો મોટો જથ્થો પકડાયો અને તેઓની જાળ તૂટવા લાગી.
\v 7 તેઓના સાથીઓ બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેમને મદદ કરે; અને તેઓએ આવીને બન્ને હોડીઓ માછલાંથી એવી ભરી કે તેઓની હોડીઓ ડૂબવા લાગી.
\s5
\v 8 તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, 'ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ. કેમકે હું પાપી માણસ છું.'
\v 9 કેમ કે તે તથા તેના સઘળા સાથીઓ માછલાંનો જે જથ્થો પકડાયો હતો, તેથી આશ્ચર્ય પામ્યા હતા.
\v 10 તેમાં ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના સાથી હતા, તેઓને પણ આશ્ચર્ય થયું. ઈસુએ સિમોનને કહ્યું કે, 'બીશ નહિ કારણ કે, હવેથી તું માણસો પકડનાર થશે.'
\v 11 તેઓ હોડીઓને કિનારે લાવ્યા પછી બધું મૂકીને ઈસુની પાછળ ચાલ્યા.
\s5
\v 12 એમ થયું કે ઈસુ શહેરમાં હતા, ત્યારે જુઓ, એક રક્તપિત્તનો એક રોગી માણસ ત્યાં હતો; તે ઈસુને જોઈને તેમના પગે પડ્યો અને તેમને વિનંતી કરતાં બોલ્યો, 'પ્રભુ, જો તમે ઇચ્છો તો મને શુદ્ધ કરી શકો છો.'
\v 13 ઈસુએ હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શ કરીને કહ્યું કે, 'હું ચાહું છું, તું શુદ્ધ થા.' અને તરત તેનો રોગ મટી ગયો.
\s5
\v 14 ઈસુએ તેને આજ્ઞા કરી કે, 'તારે કોઈને કહેવું નહિ, પણ મોઝિસના ફરમાવ્યા પ્રમાણે જઈને પોતાને યાજકને બતાવ, ને તારા શુધ્ધીકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ ચઢાવ.'
\s5
\v 15 પણ ઈસુના સંબંધીની વાતો વધારે પ્રમાણમાં ફેલાઈ, અને અતિઘણા લોકો તેનું સાંભળવા સારુ તથા પોતાના રોગમાંથી સાજા થવા સારુ તેમની પાસે ભેગા થતા હતા.
\v 16 પણ ઈસુ પોતે એકાંતમાં અરણ્યમાં જઈ પ્રાર્થના કરતા.
\s5
\v 17 એક દિવસ ઈસુ બોધ કરતા હતા, ત્યારે ફરોશીઓ તથા શાસ્ત્રીઓ ગાલીલના ઘણાં ગામોમાંથી, યહૂદિયાથી તથા યરૂશાલેમથી આવીને ત્યાં બેઠા હતા, અને [બીમારને] સાજા કરવા સારુ ઈશ્વરનું પરાક્રમ ઇસુની પાસે હતું.
\s5
\v 18 જુઓ, કેટલાક માણસો પક્ષઘાત પીડાતી એક વ્યક્તિને ખાટલા પર લાવ્યા, તેને ઈસુની પાસે લઈ જઈને તેમની આગળ મૂકવાનો તેઓએ પ્રયત્ન કર્યો;
\v 19 પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાની જગ્યા ન હોવાથી તેઓ છાપરા પર ચઢ્યા. ત્યાંથી છાપરામાં થઈને તે રોગીને ખાટલા સાથે ઈસુની આગળ ઉતાર્યો.
\s5
\v 20 ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું કે, 'હે માણસ, તારાં પાપ તને માફ થયાં છે.'
\v 21 [તે સાંભળીને] શાસ્ત્રીઓ તથા ફરોશીઓ અંદરોઅંદર વિચાર કરીને કહેવા લાગ્યા કે, 'આ ઈશ્વરની નિંદા કરનાર કોણ છે? એકલા ઈશ્વર સિવાય બીજું કોણ પાપની માફી આપી શકે છે?'
\s5
\v 22 ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને જવાબ આપ્યો કે, 'તમે પોતાના મનમાં શા વિચાર કરો છો?
\v 23 વધારે સહેલું કયું છે, 'તારાં પાપ તને માફ થયાં છે,' એમ કહેવું કે, 'ઊઠીને ચાલ, એમ કહેવું?'
\v 24 પણ પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે, એ તમે જાણો માટે, (તેમણે પક્ષઘાતીને કહ્યું કે) હું તને કહું છું કે 'ઊઠ તારો ખાટલો ઊંચકીને તારે ઘેર જા.'
\s5
\v 25 તરત તે તેઓની આગળ ઊઠીને જે પર તે સૂતો હતો તે ખાટલાને ઊંચકીને ઈશ્વરની સ્તુતિ કરતો પોતાને ઘેર ગયો.
\v 26 સઘળા આશ્ચર્ય પામ્યા, તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી; અને તેઓએ ભયભીત થઈને કહ્યું કે, 'આજે આપણે અજાયબ વાતો જોઈ છે.'
\s5
\v 27 ત્યાર પછી ઈસુ ત્યાંથી રવાના થયા, ત્યારે લેવી નામે એક કર ઉઘરાવનાર (દાણી)ને ચોકી પર બેઠેલો જોઈને ઈસુએ કહ્યું કે, 'મારી પાછળ આવ.'
\v 28 અને તે સઘળું મૂકીને, તેમની પાછળ ગયો.
\s5
\v 29 લેવીએ પોતાને ઘેર ઈસુને માટે મોટો સત્કારસમારંભ યોજ્યો. કર ઉઘરાવનાર તથા બીજાઓનું મોટું જૂથ તેમની સાથે જમવા બેઠું હતું.
\v 30 ફરોશીઓએ તથા તેઓના શાસ્ત્રીઓએ તેમના શિષ્યોની વિરુધ્ધ બડબડાટ કરીને કહ્યું કે, 'તમે દાણીઓ તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો?'
\v 31 ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'જેઓ સાજા છે તેઓને વૈદની જરૂર નથી, પણ જેઓ માંદા છે તેઓને છે;
\v 32 ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને સારુ બોલાવવા હું આવ્યો છું.'
\s5
\v 33 તેઓએ તેને કહ્યું કે, 'યોહાનના શિષ્યો અને ફરોશીઓના શિષ્યો પણ વારંવાર ઉપવાસ તથા પ્રાર્થના કરે છે, પણ તમારા શિષ્યો ખાયપીએ છે.'
\v 34 ઈસુએ તેઓને કહ્યું કે, 'વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો છો શું?
\v 35 પણ એવા દિવસો આવશે કે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે ત્યારે તે દિવસોમાં તેઓ ઉપવાસ કરશે.'
\s5
\v 36 ઈસુએ તેઓને એક દ્વષ્ટાંત પણ કહ્યું કે,' નવા કપડામાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના કપડાને થીગડું મારતું નથી; જો લગાવે તો તે નવાને ફાડશે, વળી નવામાંથી લીધેલું થીગડું જૂનાને મળતું નહિ આવે.
\s5
\v 37 તે જ રીતે નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખશે, અને પોતે ઢળી જશે અને મશકોનો નાશ થશે.
\v 38 પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ.
\v 39 વળી જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો દ્વાક્ષારસ માગતો નથી, કેમકે તે કહે છે કે. જૂનો સારો છે.'
\s5
\c 6
\qc
\v 1 એક વિશ્રામવારે ઈસુ ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યો ઘઉંના ઊંબીઓ તોડીને હાથમાં મસળીને ખાતા હતા.
\v 2 આથી ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, 'વિશ્રામવારે જે કરવું ઉચિત નથી, તે તમે કેમ કરો છો?'
\s5
\v 3 ઈસુએ તેઓને ઉત્તર આપતા કહ્યું કે, 'ડેવિડ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેઓએ જે કર્યુ, તે શું તમે વાંચ્યું નથી કે
\v 4 તેણે ઈશ્વરના ભક્તિસ્થાનમાં જઈને જે અર્પેલી રોટલી યાજક સિવાય બીજા કોઈને ખાવી ઉચિત ન હતી તે તેણે લઈને ખાધી, અને પોતાના સાથીઓને પણ આપી?'
\v 5 તેમણે તેઓને કહ્યું કે, 'માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.'
\s5
\v 6 બીજા એક વિશ્રામવારે ઈસુ ભક્તિસ્થાનમાં જઈને બોધ કરતા હતા; ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો.
\v 7 વિશ્રામવારના દિવસે ઈસુ કોઈને સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તેમને જોયા કરતા હતા, એ માટે કે ઈસુ પર દોષ મૂકવાની તેઓને તક મળે.
\v 8 પણ ઈસુએ તેઓના વિચારો જાણી લઈને જે વ્યક્તિનો હાથ સુકાઈ ગયેલો હતો તેને કહ્યું કે, 'ઊઠીને વચમાં ઊભો રહે.' તે ઊઠીને વચમાં આવીને ઊભો રહ્યો.
\s5
\v 9 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'હું તમને પૂછું છું, કે વિશ્રામવારે સારુ કરવું કે ખોટું કરવું, જીવને બચાવવો કે તે જીવનો નાશ કરવો: એ બન્નેમાંથી કયું ઉચિત છે?'
\v 10 ઈસુએ બધી બાજુ નજર ફેરવીને તે વ્યક્તિને કહ્યું કે, 'તારો હાથ લાંબો કર.' તેણે તેમ કર્યું, એટલે તેનો હાથ સાજો થયો.
\v 11 પણ તેઓ ક્રોધે ભરાયા; અને એકબીજાને કહેવા લાગ્યા કે, 'ઈસુ વિષે આપણે શું કરીએ?'
\s5
\v 12 તે દિવસોમાં એમ થયું કે ઈસુ ઘરમાંથી નીકળીને પ્રાર્થના કરવા સારુ પહાડ પર ગયા; ત્યાં તેમણે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આખી રાત વિતાવી.
\v 13 સવાર થતાં ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંના બારને પસંદ કર્યા, જેઓને તેમણે પસંદ કર્યા તેઓને 'પ્રેરિતો' એવું નામ આપ્યું;
\s5
\v 14 સિમોન જેનું નામ ઈસુએ પિતર પાડ્યું તેને તથા તેના ભાઈ આન્દ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ અને બર્થોલ્મીને,
\v 15 માથ્થી, થોમા, અલ્ફીના [દીકરા] યાકૂબ અને સિમોન, જેને ઝેલોતસ કહેતા હતા તેને,
\v 16 યાકૂબના [ભાઈ] યહૂદાને, અને યહૂદા ઇશ્કરિઓત જે વિશ્વાસઘાતી હતો તેને.
\s5
\v 17 પછી ઈસુ શિષ્યોની સાથે [પહાડ પરથી] ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા, તેમના શિષ્યોનો મોટો સમુદાય તથા આખા યહૂદિયામાંથી, યરૂશાલેમમાંથી, તેમ જ તૂર તથા સિદોનના દરિયાકિનારાના લોકોનો મોટો સમુદાય [ત્યાં હતો] કે, જેઓ તેમનાં વચનો સાંભળવા તથા પોતાના રોગથી સાજા થવા આવ્યા હતા;
\v 18 જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજા કરવામાં આવ્યા.
\v 19 સર્વ લોકો ઈસુને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા હતા; કેમ કે તેમનામાંથી પરાક્રમ નીકળીને સઘળાંને સાજાં કરતું હતું.
\s5
\v 20 ત્યાર પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું કે, 'ઓ ગરીબો, તમને ધન્ય છે: કેમકે ઈશ્વરનું રાજ્ય તમારું છે.
\v 21 અત્યારે ભૂખ વેઠનારાઓ, તમને ધન્ય છે: કેમકે તમે તૃપ્ત થશો. અત્યારે રડનારાઓ, તમને ધન્ય છે: કેમ કે તમે હસશો.
\s5
\v 22 જયારે માણસના દીકરાને લીધે લોકો તમારો દ્વેષ કરશે તમને બહાર કાઢશે, તમને મહેણાં મારશે, તમારું અપમાન કરશે, તમારા નામને કલંકિત માનીને તમને કાઢી મૂકશે, ત્યારે તમને ધન્ય છે.
\v 23 તે દિવસે તમે આનંદ કરો, ને [ખુશીથી] કૂદો :કેમ કે જુઓ, સ્વર્ગમાં તમારો બદલો મોટો છે; કેમ કે તેઓના પૂર્વજોએ પ્રબોધકોની પ્રત્યે એવું જ વર્તન કર્યુ હતું.
\s5
\v 24 પણ ઓ ધનવાનો તમને અફસોસ છે! કેમ કે તમે તમારો દિલાસો પામી ચૂક્યા છો!
\v 25 ઓ અત્યારે ધરાયેલાઓ તમને અફસોસ છે! કેમકે તમે ભૂખ્યા થશો. ઓ હાલના હસનારાઓ, તમને અફસોસ છે! કેમ કે તમે શોક કરશો અને રડશો.
\s5
\v 26 જયારે સઘળા લોકો તમારું સારું બોલે ત્યારે તમને અફસોસ છે! કેમ કે તેઓના પૂર્વજો જૂઠા પ્રબોધકો પ્રત્યે તેમ જ વર્ત્યા હતા.
\s5
\v 27 પણ હું તમને સાંભળનારાઓને કહું છું કે, તમારા શત્રુઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો,
\v 28 જેઓ તમને શાપ દે છે તેઓને આશીર્વાદ દો, જેઓ તમારું અપમાન કરે છે તેઓને સારુ પ્રાર્થના કરો.
\s5
\v 29 જે કોઈ તારા એક ગાલ પર તમાચો મારે, તેની આગળ બીજો ગાલ પણ ધર; કોઈ તારા વસ્ત્રો લઈ લે, તેનાથી તારું પહેરણ પણ પાછું રાખીશ નહિ.
\v 30 જો કોઈ તારી પાસે માગે તેને આપ; કોઈ તારું કશું પણ લઇ જાય તેની પાસેથી તું પાછું માગીશ નહિ.
\s5
\v 31 લોકો જેમ તમારી સાથે જે રીતે વર્તે તેમ જ તમે પણ તેઓની સાથે વર્તન કરો.
\v 32 તમારા પર જેઓ પ્રેમ રાખે છે તેઓ પર જ તમે પ્રેમ રાખો, તો તમારી મહેરબાની શાની? કેમકે પાપીઓ પણ પોતાની ઊપર પ્રેમ રાખનારાઓ પર જ પ્રેમ રાખે છે.
\v 33 જે તમારું સારું કરે છે તેઓનું સારું જો તમે કરો, તો તમારી મહેરબાની શાની? કેમકે પાપીઓ પણ એમ જ કરે છે.
\v 34 જેની પાસેથી તમે પાછું મેળવાની ઇચ્છા રાખો છો, તેઓને જ તમે ઉછીનું આપો, તો તમારી મહેરબાની શાની? કેમકે પૂરેપૂરું પાછું મળવાનું હોય તો પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે.
\s5
\v 35 પણ તમે તમારા શત્રુઓ પર પ્રેમ રાખો, અને તેઓનું સારું કરો, પાછું મળવાની ઇચ્છા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને પણ ઘણું ફળ મળશે, અને તમે પરાત્પરના દીકરા થશો; કેમકે અનુપકારીઓ તથા પાપીઓ પર તે માયાળુ છે.
\v 36 માટે જેમ તમારા ઈશ્વર પિતા દયાળુ છે, તેમ તમે દયાળુ થાઓ.
\s5
\v 37 કોઈનો ન્યાય ન કરો, અને તમારો ન્યાય નહિ કરાશે. કોઈને દોષિત ન ઠરાવો અને તમે દોષિત નહિ ઠરાવાશો. ક્ષમા કરો અને તમને પણ ક્ષમા કરશે.
\s5
\v 38 આપો ને તમને પણ આપવામાં આવશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઉભરાતું તમારા ખોળામાં તેઓ [ઠાલવી] દેશે. કેમકે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી અપાશે.
\s5
\v 39 ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે, 'શું દ્રષ્ટિહીન વ્યક્તિ અન્ય દ્રષ્ટિહીનને દોરી શકે? શું બન્ને ખાડામાં પડશે નહિ?
\v 40 શિષ્ય પોતાના ગુરુ કરતાં મોટો નથી, પણ પ્રત્યેક શિષ્ય સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી પોતાના ગુરુ જેવો થશે.
\s5
\v 41 તું તારા ભાઈની આંખમાંનું તણખલું ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો કચરો કેમ જોતો નથી?
\v 42 તારી પોતાની આંખમાંનો કચરો ન જોતો હોય તો પછી તું તારા ભાઈને કઈ રીતે કહી શકે કે, ભાઈ, તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે? ઓ દંભી, તું પહેલાં પોતાની આંખમાંથી કચરો કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને બરાબર દેખાશે.
\s5
\v 43 કોઈ સારા વૃક્ષને ખરાબ ફળ આવતું નથી; વળી કોઈ ખરાબ ઝાડને સારું ફળ આવતું નથી.
\v 44 દરેક ઝાડ પોતાનાં ફળથી ઓળખાય છે; કેમકે કાંટાના ઝાડ પરથી લોકો અંજીર વીણતા નથી, અને ઝાંખરા પરથી દ્રાક્ષ વીણતા નથી.
\s5
\v 45 સારો માણસ પોતાના મનના ભંડારમાંથી સારુ કાઢે છે; ખરાબ માણસ પોતાના મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે; કારણ કે મનમાં જે ભરપૂર ભરેલું હોય તે જ મુખથી બોલાય છે.
\s5
\v 46 તમે મને પ્રભુ, પ્રભુ, કેમ કહો છો, અને જે હું કહું છું તે કરતા નથી ?
\v 47 જે કોઈ મારી પાસે આવે છે, અને મારાં વચન સાંભળે છે તથા પાળે છે, તે કોના જેવા છે, એ હું તમને કહીશ.
\v 48 તે એક ઘર બાંધનાર માણસના જેવો છે, જેણે ઊંડું ખોદી ને ખડક પર પાયો નાખ્યો; અને જયારે પૂર આવ્યું, ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો, પણ તેને હલાવી ન શક્યો, કેમકે તે મજબૂત બાંધેલું હતું.
\s5
\v 49 પણ જે મારાં વચનને સાંભળે છે પણ તે પ્રમાણે કરતો નથી તે આ માણસના જેવો છે કે જેણે પાયો નાખ્યા વિના જમીન પર ઘર બાધ્યું; અને તે નદીમાં પૂર આવ્યું અને તે ઘરને તરત પડી ગયું; અને તે ઘરનો સંપૂર્ણ નાશ થયો.'
\s5
\c 7
\p
\v 1 લોકોને બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કપરનાહૂમમાં ગયા.
\s5
\v 2 ત્યાં એક સૂબેદારનો ચાકર જે તેને પ્રિય હતો તે બીમાર પડ્યો હતો અને મરવાની અણી પર હતો.
\v 3 ઈસુ વિશે સૂબેદારે સાંભળતાં તેણે યહૂદિયાના કેટલાક વડીલોને એવી વિનંતી કરી કે, 'તમે આવીને મારા નોકરને બચાવો.'
\v 4 ત્યારે લોકોએ ઈસુની પાસે આવીને તેમને આગ્રહથી વિનંતી કરતાં કહ્યું કે, 'જેને સારુ તમે આટલું કરો તેને તે યોગ્ય છે;
\v 5 કારણ કે તે આપણા લોકો પર પ્રેમ રાખે છે; અને તેણે પોતાના ખર્ચે આપણે સારુ આપણું ભક્તિસ્થાન બંધાવ્યું છે.'
\s5
\v 6 એટલે ઈસુ તેઓની સાથે ગયા. અને ઈસુ તેના ઘરથી થોડે દૂર હતા એટલામાં સૂબેદારે ઈસુ પાસે મિત્રો મોકલીને કહેવડાવ્યું કે, 'પ્રભુ, આપ તસ્દી ન લેશો, કેમકે તમે મારે ઘરે આવો એવો હું યોગ્ય નથી;
\v 7 એ કારણથી હું મારી જાતને પણ તમારી પાસે આવવા લાયક ગણ્યો નહિ; પણ તમે શબ્દ બોલો, એટલે મારો ચાકર સાજો થશે.
\v 8 કેમ કે હું પણ કોઈ માણસના હાથ નીચે કામ કરું છું; અને મારે પોતાના અધિકાર નીચે પણ સિપાઈઓ છે; હું એકને કહું છું કે, જા, અને તે જાય છે; અને બીજાને કહું છું કે, આવ, અને તે આવે છે; મારા નોકરને કહું છું કે આ કર, તે કરે છે.'
\s5
\v 9 એ વાત સાંભળીને ઈસુ તેનાથી આશ્ચર્ય પામ્યા, અને ફરીને પોતાની પાછળ આવેલા લોકોને ઈસુએ કહ્યું કે, 'હું તમને કહું છું કે, આટલો બધો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.'
\v 10 [સૂબેદારે] જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘેર આવ્યા, ત્યારે તેઓએ બીમાર ચાકરને સાજો થયેલો જોયો.
\s5
\v 11 થોડા દિવસ પછી નાઈન નામના શહેરમાં ઈસુ ગયા, અને તેમના શિષ્યો તથા ઘણા લોકો પણ તેમની સાથે ગયા.
\v 12 હવે તેઓ શહેરના દરવાજા પાસે આવ્યા ત્યારે જુઓ, તેઓ એક મરેલા માણસને બહાર લઇ જતા હતા; તે તેની માનો એકનોએક દીકરો હતો, અને તે વિધવા હતી; શહેરના ઘણા લોક તેની સાથે હતા.
\v 13 તેને જોઈને પ્રભુને તેના પર દયા આવી, અને ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, 'રડીશ નહિ.'
\v 14 ઈસુએ મૃત્યુ પામેલી વ્યક્તિની પાસે જઈને તેના ઠાઠડી એટલે તે મૃતદેહ ઊંચકનારા ઊભા રહ્યા. અને ઈસુએ કહ્યું કે, 'જુવાન, હું તને કહું છું કે, ઊઠ સજીવન થા.'
\v 15 જે મૃત્યુ પામેલો હતો તે ઊભો થયો, અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.
\s5
\v 16 આ જોઈને સર્વને ઘણું ભય લાગ્યું; અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે, 'એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકો ઉપર રહેમનજર કરી છે.'
\v 17 તેમના સબંધીની વાતો આખા યહૂદિયામાં તથા આસપાસના સઘળા પ્રદેશમાં ફેલાઈ ગઈ.
\s5
\v 18 યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો વિષે તેને કહી જણાવ્યું.
\v 19 યોહાને પોતાના શિષ્યોમાંના બેને પોતાની પાસે બોલાવીને તેઓને પ્રભુની પાસે મોકલીને પુછાવ્યું કે, 'જે આવનાર છે તે શું તમે છો, કે અમે બીજાની રાહ જોઈએ?'
\v 20 તે માણસોએ તેમની પાસે આવીને કહ્યું કે, બાપ્તિસ્મા કરનાર યોહાને તમારી પાસે અમને એવું પૂછવા મોકલ્યા છે કે, 'જે આવનાર છે તે શું તમે છો, કે અમે બીજાની રાહ જોઈએ?'
\s5
\v 21 તે જ વખતે ઈસુએ [વિભિન્ન પ્રકારના] રોગથી, પીડાથી તથા અશુદ્ધ આત્માઓથી [રિબાતા] ઘણાઓને સાજા કર્યા, અને ઘણા અંધજનોને દેખતા કર્યા.
\v 22 ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'જે જે તમે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો; એટલે કે અંધજનો દ્વષ્ટિ પામે છે, પગથી અપંગ માણસો ચાલતા થાય છે, પક્ષઘાતીઓને સાજા કરાય છે, અને બધિર સાંભળતા થાય છે, મૂએલાંને સજીવન કરવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે,
\v 23 અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહિ ખાશે તેને ધન્ય છે.'
\s5
\v 24 યોહાનનો સંદેશો લાવનાર લોકો ગયા એટલે ઈસુએ લોકોને યોહાન વિશે કહ્યું કે, 'અરણ્યમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને?
\v 25 પણ તમે શું જોવા ગયા હતા? શું મુલાયમ કપડાં પહેરેલા માણસને? જુઓ, જે ભપકાદાર કપડાં પહેરે છે તથા એશઆરામમાં રહે છે, તેઓ રાજદરબારમાં હોય છે!
\v 26 પણ તમે શું જોવા ગયા હતા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, અને પ્રબોધકના કરતાં પણ જે વિશેષ છે, તેને.
\s5
\v 27 જેના વિશે લખ્યું છે કે, જુઓ, હું મારા દૂતને તારા મુખ આગળ મોકલું છું, કે જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે, તે એ જ છે.
\v 28 હું તમને કહું છું કે, સ્ત્રીઓથી જેઓ જન્મ્યા છે, તેઓમાં યોહાન કરતાં મોટો કોઈ નથી, તો પણ ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે પણ તેના કરતાં મોટો છે.'
\s5
\v 29 એ સાંભળીને બધા લોકોએ તથા કર લેનારાઓ સહિત જેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા, તેઓએ 'ઈશ્વર સાચા છે' એમ કબૂલ કર્યું.
\v 30 પણ ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેનાથી બાપ્તિસ્મા પામ્યા નહોતા, માટે તેઓના સંબંધી ઈશ્વરની જે યોજના હતી તે તેઓએ નિરર્થક કરી.
\s5
\v 31 'આ પેઢીના માણસોને હું શાની ઉપમા આપું? તેઓ કોના જેવા છે?
\v 32 તેઓ તો છોકરાંના જેવા છે કે, જેઓ ચોકમાં બેસીને એકબીજાને કહે છે કે, અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; અમે વિલાપ કર્યો, પણ તમે રડ્યાં નહિ.
\s5
\v 33 કેમ કે યોહાન બાપ્તિસ્મા કરનાર રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો આવ્યો નથી; અને તમે કહો છો કે તેને અશુદ્ધ આત્મા વળગ્યો છે.
\v 34 માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છે, ત્યારે તમે કહો છો કે, જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, કર લેનાર તથા પાપીઓનો મિત્ર!
\v 35 પણ જ્ઞાન તેનાં બાળકોથી યથાર્થ મનાય છે.'
\s5
\v 36 કોઈએક ફરોશીએ ઈસુને પોતાની સાથે જમવા સારુ વિનંતી કરી. ઈસુ ફરોશીના ઘરમાં જઈને જમવા બેઠા.
\v 37 જુઓ, એ શહેરમાં એક અપરાધી સ્ત્રી હતી; તેણે જયારે જાણ્યું કે ફરોશીના ઘરમાં ઈસુ જમવા બેઠા છે, ત્યારે અત્તરની સંગેમરમરની ડબ્બી લાવીને,
\v 38 તેમના પગ પાસે રડતી રડતી પાછળ ઊભી રહી, તથા પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા તથા પોતાના માથાના વાળથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યા, તેમને અત્તર ચોળ્યું.
\s5
\v 39 હવે તે જોઈને જે ફરોશીએ ઈસુને જમવા બોલાવ્યા હતા તે મનમાં એમ કહેવા લાગ્યો કે, 'જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્ત્રી તેમને અડકે છે, તે સ્ત્રી કોણ છે અને કેવી છે તે તેઓ જાણત, એટલે કે તે તો અપરાધી છે.'
\v 40 આથી ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, 'સિમોન, મારે તને કંઈ કહેવું છે.' ત્યારે તેણે ઈસુને કહ્યું કે, 'કહો ને, પ્રભુ.'
\s5
\v 41 [ઈસુએ કહ્યું] 'એક લેણદારને બે દેવાદાર માણસો હતા; એકને પાંચસો દીનારનું દેવું, અને બીજાને પચાસનું હતું.
\v 42 જયારે તેઓની પાસે ચૂકવવાનું કંઈ નહોતું, ત્યારે તેણે બન્નેનું દેવું માફ કર્યુ. તો તેઓમાંનો કોણ તેના પર વિશેષ પ્રેમ રાખશે?'
\v 43 સિમોને ઉત્તર આપતાં કહ્યું કે, 'મને લાગે છે કે જેને તેણે વિશેષ દેવું માફ કર્યુ તે.' અને તેણે કહ્યું, 'તેં સાચો જવાબ આપ્યો.'
\s5
\v 44 પછી ઈસુએ પેલી સ્ત્રીની તરફ જોઈને સિમોનને કહ્યું કે, 'આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘેર આવ્યો ત્યારે મારા પગને ધોવા સારુ તેં મને પાણી આપ્યું નહિ; પણ આ સ્ત્રીએ મારા પગ આંસુએ પલાળીને તેમને પોતાના માથાના વાળથી લૂછ્યા છે.
\v 45 તેં મને ચુંબન કર્યુ નહિ; પણ હું અંદર આવ્યો ત્યારથી તે સ્ત્રી મારા પગને ચુંબન કર્યા કરે છે.
\s5
\v 46 તેં મારે માથે તેલ લગાવ્યું નહિ; પણ તેણે મારા પગે અત્તર ચોળ્યું છે.
\v 47 એ માટે હું તને કહું છું કે, એનાં પાપ જે ઘણાં છે તે તેને માફ થયાં છે; કેમકે તેણે ઘણો પ્રેમ રાખ્યો; જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે.'
\s5
\v 48 ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, 'તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.'
\v 49 ઈસુની સાથે જેઓ જમવા બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે, 'આ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?'
\v 50 ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, 'તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા.'
\s5
\c 8
\p
\v 1 થોડા સમય પછી ઈસુ શહેરેશહેર તથા ગામેગામ ઈશ્વરના રાજ્યની સુવાર્તા કહેતા ફર્યા, અને તેમની સાથે બાર શિષ્યો હતા,
\v 2 કેટલીક સ્ત્રીઓને દુષ્ટ આત્માઓથી તથા રોગોથી સાજી કરવામાં આવી હતી, તેઓમાં જેનામાંથી સાત અશુધ્ધ આત્માઓને કાઢવામાં આવ્યા હતા તે મગ્દલાની મરિયમ,
\v 3 હેરોદના કારભારી ખૂઝાની પત્ની યોહાન્ના, સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ, જેઓ પોતાના નાણાં વાપરીને ઈસુની સેવા કરતી હતી તેઓ પણ [તેમની સાથે] હતી.
\s5
\v 4 જયારે ઘણા લોકો એકઠા થયા, અને શહેરે શહેરના લોક તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે દ્રષ્ટાંત કહ્યું કે,
\v 5 'એક માણસ બી વાવવાને ગયો, વાવતાં વાવતાં કેટલાંક બી માર્ગની કોરે પડ્યાં. તે પગ નીચે કચરાઈ ગયાં અને આકાશનાં પક્ષીઓ તે બી ખાઈ ગયાં.
\v 6 બીજાં બીજ પથ્થરવાળી જમીન પર પડયાં અને ઊગ્યાં તેવાં જ તે ચીમળાઈ ગયાં, કારણ, ત્યાં ભેજ નહોતો.
\s5
\v 7 કેટલાક બી કાંટાઝાંખરાંમાં પડ્યાં, કાંટા પણ તેની સાથે વધ્યા અને તેમને દાબી દીધાં.
\v 8 વળી બીજાં બી સારી જમીનમાં પડ્યાં, તે ઊગ્યાં અને તેને સોગણો પાક થયો,' એ વાતો કહેતાં ઈસુએ ઊંચા અવાજે કહ્યું કે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે.'
\s5
\v 9 તેમના શિષ્યોએ ઈસુને પૂછ્યું કે, 'એ દ્રષ્ટાંતનો અર્થ શો છે?'
\v 10 ઈસુએ કહ્યું કે, 'ઈશ્વરના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓને દ્રષ્ટાંતોમાં, કે જેથી જોતાં તેઓ જુએ નહિ, ને સાંભળતાં તેઓ સમજે નહિ.
\s5
\v 11 હવે દ્રષ્ટાંત[નો અર્થ] આ છે; બી તો ઈશ્વરનું વચન છે.
\v 12 અને માર્ગની કોર પરનાં તો સાંભળનારા માણસો છે; પછી શેતાન આવીને તેઓનાં મનમાંથી સંદેશ લઈ જાય છે, એમજ થય કે તેઓ વિશ્વાસ કરીને ઉધ્ધાર પામે.
\v 13 પથ્થર પર પડેલાં બી તો એ છે કે, જેઓ સાંભળીને સંદેશને આનંદથી માની લે છે; અને તેઓને મૂળ કે આધાર ન હોવાથી, તેઓ થોડી વાર સુધી વિશ્વાસ કરે છે, પણ પરીક્ષણના સમયે પાછા હઠી જાય છે.
\s5
\v 14 કાંટાઓમાં પડેલાં બી એ છે કે, જેઓએ સંદેશ સાંભળ્યો છે, પણ પોતાને માર્ગે ચાલતાં ચાલતાં સંસારની ચિંતા, દ્રવ્ય તથા વિલાસથી તે દબાઈ જાય છે, અને તેઓને પાકું ફળ આવતું નથી.
\v 15 અને સારી જમીનમાં પડેલાં એ છે કે, જેઓ સંદેશો સાંભળીને ચોખ્ખા તથા સારા હ્રદયથી વાત ગ્રહણ કરે છે, અને ધીરજથી ફળ આપે છે.
\s5
\v 16 વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ નીચે ઢાંકતો નથી, અથવા ખાટલા નીચે મૂકતો નથી; પણ તેને દીવી પર મૂકે છે કે અંદર આવનારાઓને અજવાળું મળે.
\v 17 કારણ કે, એવી કોઈ છૂપી વસ્તુ નથી કે તે ખુલ્લી નહિ થાય અને જણાશે નહિ, તથા ઉધાડું થશે નહિ, એવું કંઈ ગુપ્ત નથી.
\v 18 માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો; કેમકે જેની પાસે છે તેને અપાશે; અને જેની પાસે નથી તેની પાસેથી તેનું જે છે તે પણ લઈ લેવાશે.'
\s5
\v 19 ઈસુનાં મા તથા ભાઈઓ તેમની પાસે આવ્યાં, પણ લોકોની ભીડને લીધે તેઓ તેમની પાસે જઈ શક્યાં નહિ.
\v 20 અને ઈસુને [કોઈએ] ખબર આપી કે, 'તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભાં રહ્યાં છે, અને તમને મળવા માગે છે.'
\v 21 પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'આ જેઓ ઈશ્વરનાં વચનને સાંભળે છે તથા પાળે છે તેઓ મારાં મા તથા ભાઈઓ છે.'
\s5
\v 22 એક દિવસે એમ થયું કે, ઈસુ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેઠા; ત્યારે ઈસુએ શિષ્યોને કહ્યું કે, 'આપણે સરોવરને સામે પાર જઈએ;' અને તેઓ નીકળ્યા.
\v 23 અને તેઓ હંકારતા હતા એટલામાં ઈસુ ઉંધી ગયા; અને સરોવર પર પવનનું ભારે તોફાન આવ્યું; પાણીથી હોડી ભરાઈ જવા લાગી, ને તેઓ જોખમમાં આવી પડ્યા.
\s5
\v 24 એટલે શિષ્યોએ ઈસુ પાસે આવ્યા, અને તેમને જગાડીને કહ્યું કે, 'ગુરુ, અમે તો મરી જઈશું!' ત્યારે તેમણે ઊભા થઈને પવનને તથા પાણીનાં મોજાંને ધમકાવ્યાં, એટલે તોફાન બંધ થયું અને શાંતિ થઈ.
\v 25 ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારો વિશ્વાસ ક્યાં છે?' તેઓ ભયથી આશ્ચર્ય પામ્યા અને એકબીજાને કહેવા લાગ્યા કે, 'આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે અને તેઓ એમનું માને છે?'
\s5
\v 26 ગાલીલને સામે કાંઠે આવેલા ગેરાસીનીઓના દેશમાં તેઓ પહોંચ્યા.
\v 27 પછી ઈસુ કિનારે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમની સામે આવ્યો. તેને અશુદ્ધ આત્મા વળગેલો હતો; ઘણા સમયથી તે પોતાનાં વસ્ત્રો પહેરતો ન હતો. અને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો.
\s5
\v 28 તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો અને મોટે ઘાંટે કહ્યું કે, 'ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે મને પીડા ન દો.'
\v 29 કારણ કે ઈસુએ અશુદ્ધ આત્માને તે માણસમાંથી બહાર નીકળવાની આજ્ઞા કરી હતી. એ અશુદ્ધ આત્મા તે માણસને વારંવાર વળગ્યા કરતો હતો; અને તેઓ તેને સાંકળોથી તથા બેડીઓથી બાંધતા, પણ તે બંધનો તોડી નાખીને જંગલમાં જતો રહેતો હતો.
\s5
\v 30 ઈસુએ તેને પૂછ્યું કે, 'તારું નામ શું છે?' તેણે કહ્યું કે, 'સેના,' કેમકે તેનામાં ઘણાં ભૂતો હતાં.
\v 31 તેઓએ (અશુધ્ધ આત્માઓએ) ઈસુને વિનંતી કરી કે, 'અમને નીકળીને ઊંડાણમાં જવાનો હુકમ ન કરો.'
\s5
\v 32 હવે ત્યાં ઘણાં ભૂંડોનું ટોળું પહાડ પર ચરતું હતું; અને તેઓએ તેમને વિનંતી કરી કે, અમને 'તેઓમાં પેસવાની રજા આપો.' ઈસુએ તેઓને રજા આપી.
\v 33 ભૂતો તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં પેઠાં; અને ટોળું ટેકરા ઉપરથી ધસરાભેર સરોવરમાં પડી ગયું અને ડૂબી મર્યું.
\s5
\v 34 જે થયું તે જોઈને ભૂંડ ચરાવનારા ભાગ્યા, અને શહેરમાં તથા ગામડાંમાં તે જાહેર કર્યું.
\v 35 જે થયું તે જોવા સારુ લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા; ત્યારે જે માણસમાંથી ભૂતો નીકળ્યાં હતાં તેને તેઓએ [કપડાં] પહેરેલો તથા શુદ્ધિમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો; અને તેઓ ભયભીત થયા.
\s5
\v 36 અશુધ્ધ આત્મા વળગેલો માણસ શી રીતે સાજો થયો, તે જેઓએ જોયું હતું તેઓએ તેમને કહી જણાવ્યું.
\v 37 ગેરાસીનીઓની આસપાસના દેશમાં સર્વ લોકોએ ઈસુને વિનંતી કરી કે, 'અમારી પાસેથી ચાલ્યા જાઓ.' તેઓ ખૂબ ડરી ગયા હતા. પછી હોડીમાં બેસીને તે પાછા ગયા.
\s5
\v 38 પણ જે માણસમાંથી અશુધ્ધ આત્મા નીકળ્યા હતા તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી; પણ ઈસુએ તેને વિદાય કરતાં કહ્યું કે,
\v 39 'તારે ઘેર પાછો જા, અને ઈશ્વરે તારે માટે કેવાં મોટાં કામ કર્યાં છે તે કહી જણાવ.' અને તેણે જઈને ઈસુએ કેવાં મોટાં કામ તેને સારુ કર્યા હતાં, તે આખા શહેરમાં કહી જણાવ્યું.
\s5
\v 40 ઈસુ પાછા આવ્યા, ત્યારે લોકોએ તેમનો આવકાર કર્યો; કેમકે બધા ઈસુની રાહ જોતા હતા.
\v 41 જુઓ, યાઈરસ નામે એક માણસ આવ્યો, અને તે ભક્તિસ્થાનનો અધિકારી હતો; અને તેણે ઈસુને પગે પડીને તેને વિનંતી કરી કે, 'મારે ઘેર પધારો.'
\v 42 કેમ કે તેને આશરે બાર વર્ષની એકની એક દીકરી હતી અને તે મરવાની અણી પર હતી. ઈસુ જતા હતા તે દરમ્યાન ઘણા લોકે તેમના પર પડાપડી કરી.
\s5
\v 43 એક સ્ત્રીને બાર વર્ષથી લોહીવાનો રોગ થયો હતો, અને તેણે પોતાનાં બધાં નાણાં વૈદો પાછળ ખર્ચી નાખ્યાં હતાં પણ કોઈ તેનો રોગ મટાડી શક્યા ન હતા.
\v 44 તે ઈસુની પાછળ આવીને તેમના ઝભ્ભાની કોરને સ્પર્શી, અને તરત તેનો લોહીવા બંધ થયો.
\s5
\v 45 ઈસુએ કહ્યું કે, 'મને કોણે સ્પર્શ કર્યો? અને બધાએ ના પાડી, ત્યારે પિતર તથા જે તેની સાથે હતા તેઓએ કહ્યું કે, 'ગુરુ, ઘણા લોકો તમારા ઉપર પડાપડી કરે છે, અને [તમને] દબાવી દે છે.'
\v 46 પણ ઈસુએ કહ્યું કે, 'કોઈ મને અડક્યું ખરું; કેમકે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી.'
\s5
\v 47 જયારે તે સ્ત્રીએ જાણ્યું કે હું છૂપી રહી શકી નહિ, ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમને પગે પડીને શા કારણથી તેણે તેમને સ્પર્શ કર્યો હતો અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ ઈસુને કહી સંભળાવ્યું.
\v 48 ઈસુએ તેને કહ્યું કે, 'દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા.'
\s5
\v 49 ઈસુ હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી એક માણસે આવીને તેને કહ્યું કે, 'તારી દીકરી મરી ગઈ છે, પ્રભુને તસ્દી ન આપીશ.'
\v 50 પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, 'ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ કર, અને તારી દીકરી સાજી થશે.'
\s5
\v 51 ઈસુ ઘરમાં પહોંચ્યા, ત્યારે પિતર, યાકૂબ, યોહાન, અને છોકરીનાં માબાપ સિવાય ઈસુએ કોઈને પોતાની સાથે આવવા દીધાં નહિ.
\v 52 ત્યાં બધાં લોકો છોકરી પાછળ રડતાં તથા વિલાપ કરતાં હતાં; પણ ઈસુએ કહ્યું કે, રડશો નહિ; તે મરી ગઈ નથી, પણ ઊંઘે છે.
\v 53 તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ ઈસુને હસી કાઢ્યા.
\s5
\v 54 પણ ઈસુએ તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું કે, 'દીકરી, ઊઠ.'
\v 55 અને તેનો આત્મા પાછો આવ્યો, અને તે તરત ઊભી થઈ. અને ઈસુએ તે છોકરીને ખાવાનું આપવાનો હુકમ કર્યો.
\v 56 તેનાં માબાપ આશ્ચર્યચકિત થયાં; પણ તેણે તેઓને તાકીદ કરી કે, 'જે થયું તે વિષે કોઈને કશું કહેશો નહિ.'
\s5
\c 9
\p
\v 1 ઈસુએ [પોતાના] બાર [શિષ્યો]ને બોલાવીને તેઓને સઘળા અશુદ્ધ આત્માઓને તાબે કરવાની, તથા રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યાં;
\v 2 ઈશ્વરના રાજ્યની ઘોષણા તથા માંદાઓને સાજાં કરવા ઈસુએ તેઓને મોકલ્યા.
\s5
\v 3 ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારી મુસાફરીને સારુ કંઈ લેતા સારું કંઈ લેતા નહિ; ન લાકડી, ન થેલી, ન રોટલી, ન નાણાં વળી, બે જોડી કપડાં પણ લેશો નહિ.
\v 4 જે ઘરમાં તમે જાઓ, ત્યાં જ રહો, અને ત્યાંથી જ બીજે સ્થળે જવા રવાના થજો.
\s5
\v 5 તે શહેરમાંથી તમે નીકળો ત્યારે જેટલાએ તમારો સત્કાર કર્યો ન હોય તેમની વિરુદ્ધ સાક્ષી તરીકે તમારા પગની ધૂળ ખંખેરી નાખજો.'
\v 6 અને શિષ્યો [ત્યાંથી] નીકળ્યા, અને ગામેગામ શુભસંદેશનો પ્રચાર કરતા અને બીમાર લોકોને સાજા કરતા બધે ફરવા લાગ્યા.
\s5
\v 7 જે થયું તે સઘળું સાંભળીને હેરોદ રાજા બહુ ગુંચવણમાં પડ્યો, કેમ કે કેટલાએક એમ કહેતા હતા કે, મૃત્યુ પમેલો યોહાન ફરી પાછો આવ્યો છે.'
\v 8 કેટલાક કહેતા હતા કે, 'એલિયા પ્રગટ થયો છે'; અને બીજાઓ કહેતા હતા કે, 'પ્રાચીન પ્રબોધકોમાંનો એક પાછો ઊઠ્યો છે.'
\v 9 હેરોદે કહ્યું કે, 'યોહાનનું માથું મેં કાપી નંખાવ્યું; પણ આ કોણ છે કે જેને વિશે હું આવી બધી વાતો સાંભળું છું?' અને હેરોદ ઈસુને મળવા ઉત્સુક બની ગયો.
\s5
\v 10 પ્રેરિતોએ પાછા આવીને જે જે કર્યું હતું તે ઈસુને કહી સંભળાવ્યું. અને ઈસુ તેઓને સાથે લઈને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા.
\v 11 લોકોને ખબર પડતાં જ તેઓનાં ટોળેટોળા તેમની પાછળ ગયા; અને ઈસુએ તેઓને આવકાર કરીને તેઓને ઈશ્વરના રાજ્ય વિશે સંદેશ કહ્યો, અને જેઓને સાજા થવાની ગરજ હતી તેઓને સાજાં કર્યા.
\s5
\v 12 દિવસ પૂરો થવા આવ્યો, ત્યારે બાર [શિષ્યોએ] આવીને ઈસુને કહ્યું કે, 'લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં ગામોમાં તથા પરાંમાં જઈને ઊતરે, અને ખાવાનું મેળવે; કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ.'
\v 13 ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે તેઓને ખાવાનું આપો.' શિષ્યોએ કહ્યું કે, 'અમારી પાસે તો જવની પાંચ રોટલી અને બે માછલી સિવાય બીજું કશું નથી.અમે જાતે જઈને આ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જ તેમને આપી શકાય.'
\v 14 કેમકે તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, આશરે પચાસ પચાસની પંગતમાં તેઓને બેસાડો.
\s5
\v 15 શિષ્યોએ તે પ્રમાણે કર્યું, અને લોકોને બેસાડ્યા.
\v 16 પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લઈને આકાશ તરફ જોઈને તેઓને માટે ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડા કરીને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી.
\v 17 તેઓ જમ્યા, અને સર્વે તૃપ્ત થયા; ભાણામાં વધી પડેલા ટુકડાઓથી તેઓએ બાર ટોપલીઓ ભરી.
\s5
\v 18 એમ થયું કે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતા હતા, ત્યારે શિષ્યો તેમની સાથે હતા; ઈસુએ શિષ્યોને પૂછ્યું કે, 'હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?'
\v 19 શિષ્યોએ ઉત્તર આપતાં કહ્યું કે, 'યોહાન બાપ્તિસ્મા કરનાર, પણ કેટલાક [કહે છે] કે, એલિયા; અને બીજા [કહે છે] કે, ભૂતકાળના પ્રબોધકોમાંના એક પાછો સજીવન થયેલ પ્રબોધક.'
\s5
\v 20 ઈસુએ તેઓને કહ્યું કે, 'પણ હું કોણ છું તે વિષે તમે શું કહો છો?' પિતરે ઉત્તર આપતા કહ્યું કે, 'ઈશ્વરના ખ્રિસ્ત.'
\v 21 પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા આપી કે, 'એ વાત કોઈને કહેશો નહિ.'
\v 22 વળી, ઈસુએ તેઓને કહ્યું કે, 'માણસના દીકરાને ઘણું દુ:ખ સહેવું, વડીલોથી તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, મરવું, અને ત્રીજે દિવસે પાછા સજીવન થવું આવશ્યક છે.'
\s5
\v 23 ઈસુએ બધાને કહ્યું કે, 'જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને રોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.
\v 24 કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા માગે છે, તે તેને ખોશે; પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે, તે તેને બચાવશે.
\v 25 જો કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા તેને હાનિ પહોંચવા દે તો તેને શો લાભ?
\s5
\v 26 કેમ કે જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો જયારે પોતે પોતાના તથા બાપના તથા પવિત્ર દૂતોના મહિમામાં આવશે ત્યારે શરમાશે.
\v 27 હું તમને ખાતરીથી કહું છું કે, અહીં જે ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જેઓ ઈશ્વરનું રાજ્ય જોશે ત્યાં સુધી મૃત્યુ પામશે નહિ.
\s5
\v 28 એ વચનો કહ્યાને આસરે આઠ દિવસ પછી એમ થયું કે ઈસુ પિતર, યોહાન તથા યાકૂબને લઈને પ્રાર્થના કરવા માટે પહાડ ઉપર ગયા.
\v 29 ઈસુ પોતે પ્રાર્થના કરતા હતા તે સમયે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમનાં વસ્ત્ર ઉજળાં [તથા] ચળકતાં થયાં.
\s5
\v 30 અને, જુઓ, બે પુરુષ, એટલે મોઝિસ તથા એલિયા, તેમની સાથે વાત કરતા હતા.
\v 31 તેઓ બન્ને મહિમાવાન દેખાતા હતા, અને ઈસુનું મૃત્યુ જે યરૂશાલેમમાં થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા.
\s5
\v 32 હવે પિતર તથા જેઓ ઈસુની સાથે હતા તેઓ ઊંઘે ઘેરાયલા હતા; પણ જયારે તેઓ જાગ્રત થયા, ત્યારે તેઓએ ઈસુનું ગૌરવ જોયું અને પેલા બે પુરુષોને પણ જોયા.
\v 33 તેઓ ઈસુની પાસેથી વિદાય થતા હતાં, ત્યારે પિતરે ઈસુને કહ્યું કે, ગુરુ, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ માંડવા બનાવીએ, એક તમારે સારુ, એક મોઝિસને સારુ, અને એક એલિયાને સારુ; પણ પોતે શું કહી રહ્યો છે તે સમજતો નહોતો.
\s5
\v 34 તે એમ કહેતો હતો, એટલામાં એક વાદળું આવ્યું, અને તેઓ પર તેની છાયા પડી; અને તેઓ વાદળમાં પ્રવેશ્યા ત્યારે શિષ્યો ભયભીત થઈ ગયા.
\v 35 વાદળામાંથી એવી વાણી થઈ કે, 'આ મારો પસંદ કરેલો દીકરો છે; તેનું સાંભળો.'
\v 36 તે વાણી થઈ રહી, ત્યારે ઈસુ એકલા દેખાયા. અને તેઓ મૌન રહ્યા, અને જે જોયું હતું તેમાંનું કંઈ તેઓએ તે દિવસોમાં કોઈને કહ્યું નહિ.
\s5
\v 37 બીજે દિવસે તેઓ પહાડ પરથી ઊતર્યા, ત્યારે ઘણા લોકો ઈસુને મળ્યા.
\v 38 અને, જુઓ, લોકો વચ્ચેથી એક માણસે બૂમો પાડીને કહ્યું કે, 'ઉપદેશક, હું તમને વિનંતી કરું છું કે, મારા દીકરા પર દ્વષ્ટિ કરો. કેમકે તે મારો એકનોએક પુત્ર છે;
\v 39 એક [અશુદ્ધ] આત્મા તેને વળગે છે, અને એકાએક તે બૂમ પાડે છે; અને તે તેને એવો મરડે છે કે તેને ફીણ આવે છે, અને તેને ઘણી ઈજા કરીને માંડમાંડ તેને જતો કરે છે.
\v 40 તેને કાઢવાની મેં તમારા શિષ્યોને વિનંતી કરી, પણ તેઓ તેને કાઢી શક્યા નહિ.'
\s5
\v 41 ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, 'ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ, અને તમારું સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ.'
\v 42 તે આવતો હતો એટલામાં અશુધ્ધ આત્માએ તેને પછાડી નાખ્યો, અને તેને બહુ મરડ્યો પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો, છોકરાને સાજો કર્યો, અને તેને તેના બાપને પાછો સોંપ્યો.
\s5
\v 43 ઈશ્વરના મહા પરાક્રમથી તેઓ બધા ચકિત થઈ ગયા. પણ ઈસુએ જે જે કર્યું તે સઘળું જોઈને બધા આશ્ચર્યમાં ડૂબેલા હતા, ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું,
\v 44 'આ વચનો તમારા મનમાં ઊતરવા દો; કેમકે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.'
\v 45 પણ એ વચન તેઓ સમજ્યા નહિ, અને તેઓથી તે ગુપ્ત રખાયું, એ માટે કે તેઓ તે સમજે નહિ અને આ વચન સંબંધી ઈસુને પૂછતાં તેમને બીક લાગતી હતી.
\s5
\v 46 શિષ્યોમાં ચર્ચા શરૂ થઈ કે, 'આપણામાં કોણ સૌથી મોટો છે?'
\v 47 પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને તેને પોતાની પાસે ઊભું રાખ્યું,
\v 48 ઈસુએ તેઓને કહ્યું કે, 'જે કોઈ મારે નામે આ બાળકનો સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે મને મોકલનારનો સ્વીકાર કરે છે.'
\s5
\v 49 યોહાને ઉત્તર આપતા કહ્યું કે, ગુરુ, અમે એક માણસને તમારે નામે ભૂત કાઢતાં જોયો; પણ તે અમારી સાથે આપનો અનુયાયી નહોતો એટલે અમે તેને મના કરી.'
\v 50 પણ ઈસુએ તેને કહ્યું કે, 'મના ન કરો, કેમકે જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષનો છે.'
\s5
\v 51 એમ થયું કે ઈસુને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા, ત્યારે તેમણે યરૂશાલેમ જવાનો મક્કમ નિર્ણય કર્યો.
\v 52 ઈસુએ પોતાની આગળ સંદેશવાહકો મોકલી આપ્યા, તેઓ તેમને માટે વ્યવસ્થા કરવા માટે સમરૂનીઓના એક ગામમાં ગયા.
\v 53 પણ ઈસુ યરૂશાલેમ જતા હતા એટલે ગામના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહિ.
\s5
\v 54 તેમના શિષ્યો યાકૂબ તથા યોહાને એ જોઈને કહ્યું કે, 'પ્રભુ, શું, તમારી એવી ઇચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે આકાશથી આગ પડીને તેઓનો નાશ કરે?'
\v 55 ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યા.
\v 56 અને તેઓ બીજે ગામ ગયા.
\s5
\v 57 તેઓ માર્ગે ચાલતા હતા, તેવામાં કોઈ એકે ઈસુને કહ્યું કે, 'પ્રભુ, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.'
\v 58 ઈસુએ તેને કહ્યું કે, 'શિયાળને બોડ હોય છે, અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.'
\s5
\v 59 ઈસુએ બીજાને કહ્યું કે, 'મારી પાછળ આવ.' પણ તેણે કહ્યું કે, 'પ્રભુ મને રજા આપ કે પહેલાં જઈને મારા પિતાને દફનાવું.'
\v 60 પણ તેમણે કહ્યું કે, 'મૂએલાંઓને પોતાનાં મૃત્યુ પામનારને દફનાવવા દે. પણ તું જઈને ઈશ્વરના રાજ્ય[[ની વાત] પ્રગટ કર.'
\s5
\v 61 અને બીજાએ પણ કહ્યું કે, 'હે પ્રભુ, હું તમારી પાછળ આવીશ; પણ પહેલાં જે મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો.'
\v 62 પણ ઈસુએ તેને કહ્યું કે, 'કોઈ માણસ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.'
\s5
\c 10
\p
\v 1 આ બનાવો બન્યા પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને નીમીને જે જે શહેર તથા જગ્યામાં તે પોતે જવાના હતા, તેમાં તેઓમાંના બબ્બેને પોતાની આગળ મોકલ્યા.
\v 2 ઈસુએ તેઓને કહ્યું કે, 'ફસલ પુષ્કળ છે, પણ મજૂરો થોડા છે; માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.'
\s5
\v 3 જાઓ; અને ધ્યાન રાખજો કે,હું તમને વરુઓની વચ્ચે ઘેટાનાં બચ્ચાં જેવાં મોકલું છું.
\v 4 પૈસાની થેલી કે ઝોળી કે ચંપલ લેતા ના; અને માર્ગે કોઈને સલામ કરશો નહિ.
\s5
\v 5 જે કોઈ ઘરમાં તમે જાઓ ત્યાં પ્રથમ એમ કહો કે, 'આ ઘરને શાંતિ થાઓ.'
\v 6 અને જો કોઈ શાંતિપુત્ર ત્યાં હશે તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો નહિ હોય, તો તે તમારી પાસે પાછી આવશે.
\v 7 તે જ ઘરમાં રહો, અને જે તેઓની પાસે જે હોય તે ખાતાપીતાં રહેજો; કેમ કે મજૂર પોતાના પગારને યોગ્ય છે; ઘેરેઘેર ફરતા નહિ.
\s5
\v 8 જે કોઈ ઘરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર કરે, તો જે કંઈ તેઓ તમારી આગળ મૂકે તે ખાઓ;
\v 9 અને તેમાંના બીમારને સાજા કરો, અને તેઓને કહો કે, 'ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.'
\s5
\v 10 પણ જે કોઈ શહેરમાં તમે જાઓ, ત્યાંના લોકો તમારો આવકાર કરે નહિ, તો ત્યાંથી નીકળી જઈને કહો કે,
\v 11 તમારા શહેરની ધૂળ જે અમારા પગમાં લાગેલી છે તે પણ તમારી વિરુદ્ધ અમે ખંખેરી નાખીએ છીએ; તોપણ એટલું જાણો કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે.
\v 12 હું તમને કહું છું કે, તે દહાડે તે શહેરના કરતાં સદોમના હાલ સહેલ થશે.
\s5
\v 13 ઓ ખોરાજીન, તને હાયહાય! ઓ બેથસૈદા, તને હાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામ થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટમાં તથા રાખમાં બેસીને ક્યારનો પસ્તાવો કર્યો હોત.
\v 14 તો પણ ન્યાયકાળે તમારા કરતાં તૂર તથા સિદોનને સહેલું પડશે.
\v 15 વળી, ઓ કફર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તને હાદેસ સુધી નીચું કરી નંખાશે.
\s5
\v 16 જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે; અને જે તમારો નકાર કરે છે તે મારો પણ નકાર કરે છે; અને જે મારો નકાર કરે છે તે મારા મોકલનાર ઈશ્વરનો નકાર કરે છે.'
\s5
\v 17 તે સિત્તેર ખુશ થતા પાછા આવ્યા, અને તેઓએ કહ્યું કે, 'પ્રભુ, તમારા નામથી ભૂતો પણ અમારે તાબે થયાં છે.'
\v 18 ઈસુએ તેઓને કહ્યું કે, 'મેં શેતાનને વીજળીની જેમ આકાશથી પડતો જોયો.
\v 19 જુઓ, સર્પો તથા વીંછીઓ અને દુશ્મનની બધી શક્તિ પર મેં તમને અધિકાર આપ્યો છે; કશાથી પણ તમને ઈજા થશે નહિ.
\v 20 પણ આત્માઓ તમારે તાબે થયા છે, તેને લીધે ખુશ થતા નહિ; પણ તમારાં નામ સ્વર્ગમાં લખવામાં આવ્યા છે, તેને લીધે હરખાઓ.'
\s5
\v 21 તેજ સમયે તે પવિત્ર આત્માથી હરખાયા, અને બોલ્યા કે, 'ઓ ઈશ્વરપિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું કે, જ્ઞાનીઓથી તથા બુધ્ધિવાનોથી આ વાતો તમે ગુપ્ત રાખી, અને બાળકોને પ્રગટ કરી છે; હા ઈશ્વરપિતા, કેમ કે તમને તે સારું લાગ્યું.
\s5
\v 22 મારા ઈશ્વરપિતાએ મને સઘળું સોંપ્યું છે; દીકરો કોણ છે, એ ઈશ્વરપિતા વિના કોઈ જાણતું નથી; ને ઈશ્વરપિતા કોણ છે, એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તેમના વિના બીજો કોઈ જાણતું નથી.'
\s5
\v 23 ઈસુએ શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું કે, 'જે તમે જુઓ છો, તે જોનાર આંખો આશીર્વાદિત છે.
\v 24 કેમકે હું તમને કહું છું કે, જે તમે જુઓ છો તે ઘણા પ્રબોધકો તથા રાજાઓ જોવાની ઇચ્છા રાખતા હતા, પણ તેઓ જોવા પામ્યા નહિ. અને તમે જે સાંભળો છો તે તેઓ સાંભળવા ઇચ્છતા હતા, પણ સાંભળવા પામ્યા નહિ.'
\s5
\v 25 જુઓ, એક પંડિતે ઊભા થઈને તેમનું પરીક્ષણ કરતાં કહ્યું કે, 'ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે મારે શું કરવું?'
\v 26 ઈસુએ તેને કહ્યું કે, 'નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તું શું વાંચે છે?'
\v 27 તેણે ઉત્તર આપતા કહ્યું કે, 'તમારા ઈશ્વર પ્રભુ પર તારા ખરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી તથા પૂરા મનથી પ્રેમ રાખવો અને જેવા પોતાના પર તેવો તારા પડોશી પર [પ્રેમ રાખવો].'
\v 28 ઈસુએ તેને કહ્યું કે, 'તેં સાચો ઉત્તર આપ્યો છે; એમ કર અને તું જીવીશ.'
\s5
\v 29 પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવા ચાહીને ઈસુને કહ્યું, 'તો મારો પડોસી કોણ છે?'
\v 30 ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, 'એક પુરુષ યરૂશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, તેઓ તેનાં વસ્ત્ર ઉતારી લઈને તથા તેને મારીને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા.
\s5
\v 31 સંજોગોવસાત એક યાજક તે રસ્તે થઈને જતો હતો. તે તેને જોઈને બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો.
\v 32 એમ જ એક લેવી પણ તે જગ્યાએ આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો.
\s5
\v 33 પણ એક સમરૂની તે રસ્તે મુસાફરીએ જતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો, અને એને જોઈને તેને દયા આવી.
\v 34 તે તેની પાસે ગયો, અને તેના ઘા પર તેલ તથા દ્રાક્ષરસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને તેને ઉતારામાં લઈ ગયો, અને તેની સારવાર કરી.
\v 35 બીજે દિવસે તેણે બે દીનાર ઉતારાવાળાને આપ્યા, અને તેને કહ્યું કે, તેની સારવાર કરજે, એ કરતાં જે કંઈ વધારે ખર્ચ તને લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને ભરપાઈ કરીશ.'
\s5
\v 36 'હવે તું શું ધારે છે, લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ ત્રણમાંથી કોણ કહેવાય?'
\v 37 તેણે કહ્યું કે, 'જેણે તેના પર દયા કરી તે.' અને ઈસુએ તેને કહ્યું કે, 'તું જઈને એ પ્રમાણે કર.'
\s5
\v 38 તેઓ રસ્તે ચાલતા હતા એ દરમ્યાન ઈસુ એક ગામમાં આવ્યા; અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાના ઘરમાં તેમનો આવકાર કર્યો.
\v 39 મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના પગ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી.
\s5
\v 40 પણ માર્થા કામ ઘણું હોવાથી ગભરાઈ, તેથી તેણે તેમની પાસે આવીને કહ્યું કે, 'પ્રભુ, મારી બહેને મને કામ કરવા એકલી મૂકી છે, તેની શું તમને ચિંતા નથી? એ માટે તેને કહો કે તે મને મદદ કરે.'
\v 41 પણ ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, 'માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે;
\v 42 પણ એક વાતની જરૂર છે; અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લઈ લેવાશે નહિ.
\s5
\c 11
\p
\v 1 એમ થયું કે ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. ઈસુ પ્રાર્થના કરી રહ્યા પછી, તેમના શિષ્યોમાંના એકે ઈસુને કહ્યું કે, 'પ્રભુ, યોહાને તેમના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું હતું તેમ આપ પણ અમને શીખવો.'
\s5
\v 2 ઈસુએ તેઓને કહ્યું કે, તમે પ્રાર્થના કરો, ત્યારે કહો કે, ઓ આકાશમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ
\s5
\v 3 દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપો;
\v 4 અને અમારાં પાપ અમને માફ કરો; કેમકે અમે પોતે પણ અમારા હરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષામાં ન લાવો, પણ ખોટી બાબતોથી અમારો છૂટકો કરો.
\s5
\v 5 ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારામાંના કોઈને મિત્ર હોય, અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે, મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ,
\v 6 કેમ કે મારો એક મિત્ર મુસાફરીએથી મારે ત્યાં આવ્યો છે, અને તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી,
\v 7 તો શું, તે અંદરથી ઉત્તર આપતાં એમ કહેશે કે, મને હેરાન કરીશ નહિ, હમણાં બારણું બંધ છે, મારાં છોકરાં મારી પાસે ખાટલામાં છે, હું તો ઊઠીને તને તે આપી શકતો નથી?
\v 8 હું તમને કહું છું કે, તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઊઠીને તેને આપે નહિ, તોપણ તેના આગ્રહને લીધે તે ઊઠશે, અને જોઈએ તેટલી [રોટલી] તેને આપશે.
\s5
\v 9 હું તમને કહું છું કે, માગો, અને તમને આપવામાં આવશે; શોધો, અને તમને જડશે; ખટખટાવો અને તમારે સારુ ઉઘાડવામાં આવશે.
\v 10 કેમ કે જે કોઈ માગે છે તે પામે છે, અને જે શોધે છે તેને જડે છે, અને જે ખટખટાવે છે તેને સારુ ઉઘાડાશે.
\s5
\v 11 વળી તમારામાંના એવો કોઈ પિતા છે ખરો, જે છોકરો રોટલી માગે તો શું તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી [માગે] તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે?
\v 12 અથવા જો તે ઈંડું માગે તો શું તે તેને વીંછી આપશે?
\v 13 માટે જો તમે ખરાબ હોવા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?'
\s5
\v 14 તે એક મૂંગા ભૂતને કાઢતા હતા. અને એમ થયું કે ભૂત નીકળ્યા પછી તે અગાઉ જે માણસ બોલતો ન હતો તે બોલ્યો. તેથી લોકોને આશ્ચર્ય લાગ્યું.
\v 15 પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, 'ભૂતોના સરદાર બાલઝબૂલ [ની મદદ]થી તે ભૂતોને કાઢે છે,'
\s5
\v 16 બીજાઓએ પરીક્ષા કરતાં તેમની પાસે આકાશમાંથી નિશાની માગી.
\v 17 પણ ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને કહ્યું કે, 'હરેક રાજ્ય જેમાં ફૂટ પડે છે તે ઉજ્જડ થાય છે; અને ઘરમાં ફૂટ પડે, તો તે પડી જાય છે;
\s5
\v 18 જો શેતાન પણ પોતાની સામો થયેલો હોય તો તેનું રાજ્ય કેમ તકે? કેમ કે તમે કહો છો કે, બાલઝબૂલ[ની મદદ]થી હું ભૂતો કાઢું છું.
\v 19 જો હું બાલઝબૂલ [ની મદદ]થી ભૂતો કાઢું છું તો તમારા દીકરાઓ કોની મદદથી ભૂતો કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે.
\v 20 પણ જો હું ઈશ્વરની આંગળીથી ભૂતો કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે આવ્યું છે.
\s5
\v 21 બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે;
\v 22 પણ જયારે તેના કરતાં વધારે બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેનાં સઘળા હથિયાર જેના પર તે ભરોસો રાખતો હતો તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂટ વહેંચે છે.
\v 23 જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું નથી કરતો તે ફેલાવે છે.
\s5
\v 24 અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી નીકળ્યા પછી નિર્જળ જગ્યાઓમાં વિસામો શોધતો ફરે છે; પણ તે ન મળતાં, તે કહે છે કે, મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ.
\v 25 અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું તથા શોભાયમાન કરેલું હોય છે.
\v 26 ત્યારે તે જઈને પોતાના કરતા દુષ્ટ એવા બીજા સાત અશુદ્ધ આત્માઓને સાથે લઈ આવે છે; અને તેઓ એકસાથે ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ખરાબ થાય છે.'
\s5
\v 27 એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, 'જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.'
\v 28 પણ ઈસુએ કહ્યું હા, પણ તે કરતા જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે.'
\s5
\v 29 સંખ્યાબંધ લોકો તેમની પાસે ભેગા થયા હતા ત્યારે તે કહેવા લાગ્યા કે, 'આ પેઢી તો દુષ્ટ પેઢી છે; તે નિશાની માગે છે, પણ યૂનાની નિશાની વિના બીજી નિશાની તેને અપાશે નહિ.
\v 30 કેમ કે જેમ યૂના નિનવેહના લોકોને માટે નિશાનીરૂપ થયો, તેમ માણસનો દીકરો પણ આ પેઢીને નિશાનીરૂપ થશે.'
\s5
\v 31 દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેઓને દોષિત ઠરાવશે; કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી, અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.
\s5
\v 32 નિનવેહના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેને દોષિત ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો; અને જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.
\s5
\v 33 કોઈ માણસ દીવો સળગાવીને તેને ભોંયરામાં કે માપ તળે મૂકતો નથી, પણ દીવી પર [મૂકે છે] એ માટે કે અંદર આવનારાઓ તેનું અજવાળું જુએ.
\v 34 તારા શરીરનો દીવો તારી આંખ છે; જયારે તારી આંખ સ્વચ્છ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું હોય છે; પણ તે ખરાબ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ અંધકારે ભરેલું હોય છે;
\v 35 તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધાન રહે.
\v 36 જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય, અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ હોય તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ [તારું આખું શરીર] પ્રકાશથી ભરેલું થશે.'
\s5
\v 37 ઈસુ બોલતા હતા ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેમને નિમંત્રણ આપ્યું, ઈસુ તેની પાસે જઈને જમવા બેઠા.
\v 38 જમતાં પહેલાં ઈસુ નાહ્યા નહિ, તે જોઈને ફરોશી આશ્ચર્ય પામ્યો.
\s5
\v 39 પ્રભુએ તેને કહ્યું કે, 'તમે ફરોશીઓ તો થાળી વાટકો બહારથી શુદ્ધ કરો છો; પણ તમારું અંતર જુલમ તથા દુષ્ટતાથી ભરેલું છે.
\v 40 અરે મૂર્ખો, જેણે બહારનું બનાવ્યું, તેણે અંદરનું પણ બનાવ્યું નથી શું?
\v 41 જે અંદર છે તે પ્રમાણે તમારે દાન અને જુઓ, પછી તમને બધું શુદ્ધ છે.
\s5
\v 42 પણ તમ ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે ફુદીનાનો તથા રિયું તથા સઘળી ખાવાલાયક વનસ્પતિનો દશમો ભાગ આપો છો; પણ ન્યાયકરણ તથા ઈશ્વરનો પ્રેમ પડતાં મૂકો છો; તમારે આ કરવાં જોઈતાં હતાં અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.
\s5
\v 43 તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચોકમાં સલામો ચાહો છે.
\v 44 તમને અફસોસ છે! કેમ કે જે કબરો દેખાતી નથી, અને જેના ઉપર માણસો અજાણતાં ચાલે છે, તેઓના જેવા તમે છો.'
\s5
\v 45 ત્યારે પંડિતોમાંના એકે તેને ઉત્તર આપતા કહ્યું કે, 'ઉપદેશક, એમ કહેવાથી તમે અમારું પણ અપમાન કરો છો.'
\v 46 ઈસુએ કહ્યું કે, 'ઓ પંડિતો, તમને પણ અફસોસ છે! કારણ કે તમે માણસો પર એવા બોજા ચઢાવો છો કે જે ઊંચકતાં મહા મુસીબત પડે છે, અને તમે પોતે એ બોજાને તમારી એક આંગળી પણ લગાડતા નથી.
\s5
\v 47 તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, જેઓને તમારા બાપદાદાઓએ મારી નાખ્યા હતા.
\v 48 તો તમે સાક્ષીઓ છો, અને તમારા બાપદાદાઓનાં કામોને સંમતિ આપો છો; કેમકે તેઓએ તેમને મારી નાખ્યા હતા, અને તમે [તેમની કબરો] બાંધો છો.
\s5
\v 49 એ માટે ઈશ્વરના જ્ઞાને પણ કહ્યું કે, હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ, અને તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે તથા સતાવશે;
\v 50 જેથી જગતના આરંભથી સઘળા પ્રબોધકોના વહેવડાવેલા લોહીનો બદલો આ પેઢીના લોકો પાસેથી લેવામાં આવે;
\v 51 હા, હું તમને કહું છું કે 'હાબેલના લોહીથી તે ઝખાર્યા જે હોમવેદી તથા પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવાશે.
\s5
\v 52 તમો પંડિતોને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર ગયા નહિ, અને જેઓ અંદર જતા હતા તેઓને તમે અટકાવ્યા.'
\s5
\v 53 ઈસુ ત્યાંથી નીકળ્યા, ત્યાર પછી શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઝનૂનથી તેમની સામે થઈને તેમને ઘણી વાતો વિષે બોલવાને ઉશ્કેરવા લાગ્યા.
\v 54 તેમના મુખમાંથી કંઈ વાત પકડી લેવા સારુ તેઓ ટાંપી રહ્યા.
\s5
\c 12
\p
\v 1 એટલામાં હજારો લોકો એકઠા થયા, એટલે સુધી કે તેઓ એક બીજા પર પડાપડી કરતા હતા. ત્યારે સૌથી પહેલાં તે પોતાની શિષ્યોને કહેવા લાગ્યા કે, 'ફરોશીઓના ખમીરથી સાવધાન રહો; તે તો પાખંડ છે.
\s5
\v 2 પણ પ્રગટ નહિ કરાશે એવું કશું ઢંકાયેલું નથી; અને જાણવામાં ના આવે એવું કંઈ ગુપ્ત નથી.
\v 3 માટે જે કંઈ તમે અંધકારમાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે; અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે અગાશી પર પ્રગટ કરાશે.
\s5
\v 4 મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, અને ત્યાર પછી બીજું કંઈ ન કરી શકે, તેમનાથી ડરશો નહિ.
\v 5 પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને જણાવું છું; કે 'મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાનો જેમને અધિકાર છે તે ઈશ્વરથી તમે ડરજો; હા, હું તમને કહું છું કે, તેમની બીક રાખજો.
\s5
\v 6 શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? પણ ઈશ્વર પોતાની દ્રષ્ટિમાં તેઓમાંની એકને પણ ભૂલતા નથી.
\v 7 તમારા માથાના બધા જ વાળ ગણેલા છે. બીશો નહિ. ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.
\s5
\v 8 હું તમને કહું છું કે, માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને ઈશ્વરના દૂતો આગળ માણસનો દીકરો પણ કબૂલ કરશે.
\v 9 પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર ઈશ્વરના દૂતોની આગળ કરવામાં આવશે.
\v 10 જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ વાત બોલશે, તેને તે માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ કોઈ દુર્ભાષણ કરે તો તેને તે માફ કરવામાં આવશે નહિ.
\s5
\v 11 જયારે તેઓ તમને સભાસ્થાનોમાં તથા અધિપતિઓ તથા અધિકારીઓ આગળ લઈ જશે, ત્યારે અમારે કેવી રીતે અથવા શો ઉત્તર આપવો, અથવા અમારે શું કહેવું, તે વિષે ચિંતા ન કરો;
\v 12 કેમ કે તમારે જે કહેવું જોઈએ તે તે જ ઘડીએ પવિત્ર આત્મા તમને શિખવશે.
\s5
\v 13 લોકોમાંથી એક જણે તેને કહ્યું કે, 'ગુરુ, મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે.'
\v 14 ઈસુએ કહ્યું કે, 'ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કે વહેંચી આપનાર કોણે ઠરાવ્યો?'
\v 15 પછી ઈસુએ તેઓને કહ્યું કે, 'સાવધાન રહો, અને બધા લોભથી પોતાને દૂર રાખો; કેમ કે કોઈનું જીવન તેની મિલકતની પુષ્કળતામાં હોતું નથી.'
\s5
\v 16 ઈસુએ તેઓને એવું દ્રષ્ટાંત કહ્યું કે, એક ધનવાન માણસની જમીનમાંથી ઘણી ઊપજ થઇ;
\v 17 તેણે મનમાં એવો વિચાર કર્યો કે, હું શું કરું? કેમ કે મારી ઊપજ ભરી મૂકવાને મારી પાસે જગ્યા નથી.
\v 18 તેણે કહ્યું કે, હું આમ કરીશ; મારી વખારોને હું પાડી નાખીશ, અને તે કરતાં હું મોટી બંધાવીશ; અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત હું ભરી મૂકીશ.
\v 19 હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણાં વર્ષને માટે ઘણી માલમિલકત તારે સારુ રાખી મૂકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર.
\s5
\v 20 પણ ઈશ્વરે તેને કહ્યું કે, ઓ મૂર્ખ, આ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે?
\v 21 જે પોતાને સારુ દ્રવ્યો સંગ્રહ કરે છે, અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.
\s5
\v 22 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, એ માટે હું તમને કહું છું કે [તમારા] જીવને સારુ ચિંતા ન કરો કે અમે શું ખાઈશું, તથા તમારા શરીરને સારુ પણ ન કરો, કે અમે શું પહેરીશું.
\v 23 કેમ કે ખોરાક કરતા જીવ, અને વસ્ત્ર કરતા શરીર, અધિક છે.
\s5
\v 24 કાગડાઓનો વિચાર કરો; તેઓ તો વાવતા નથી અને કાપતા નથી; તેઓની પાસે વખાર કે કોઠાર નથી; તોપણ ઈશ્વર તેઓનું પોષણ કરે છે; પક્ષીઓ કરતા તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો!
\v 25 ચિંતા કરવાથી તમારામાંના કોણ પોતાના જીવનકાળને એક હાથભર પણ વધારી શકે છે?
\v 26 માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા, તો બીજાં વિષે તમે કેમ ચિંતા કરો છો?
\s5
\v 27 ફૂલઝાડોનો વિચાર કરો; તેઓ કેવા વધે છે; તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતાં પણ નથી; તોપણ હું તમને કહું છું કે, સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.
\v 28 એ માટે ખેતરનું ઘાસ જે આજ છે તે કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને પહેરાવશે, એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?
\s5
\v 29 અમે શું ખાઈશું કે શું પીશું, એની શોધ ન કરો, અને મનમાં સંદેહ ન રાખો.
\v 30 કેમ કે જગતના લોકો એ સઘળા વાનાં શોધે છે; પણ તમારો પિતા જાણે છે કે એ વાનાંની તમને અગત્ય છે.
\s5
\v 31 પરંતુ તમે ઈશ્વરનું રાજ્ય શોધો; અને એ વાનાં પણ તમને અપાશે.
\v 32 ઓ નાની ટોળી, ડરશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.
\s5
\v 33 તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે આકાશમાં અખુટ દ્રવ્ય, પોતાને સારુ મેળવો; કે જ્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી.
\v 34 કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.
\s5
\v 35 તમારી કમરો બાંધેલી તથા તમારો દીવો સળગેલો રાખો;
\v 36 અને જે માણસો પોતાનો માલિક લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે, એ માટે કે તે આવીને ખટખટાવે કે તત્કાળ તેઓ તેને સારુ દ્વાર ઉધાડે, તેઓના જેવો તમે થાઓ.
\s5
\v 37 જે દાસોને માલિક આવીને જાગતા જોશે તેઓને ધન્ય છે; હું તમને ચોક્કસ કહું છું કે, તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે, અને આવીને તેઓની સેવા કરશે.
\v 38 જો તે બીજે પહોરે આવે, કે ત્રીજે પહોરે આવે, અને તેઓને એમ [કરતાં] જુએ, તો તે દાસોને ધન્ય છે.
\s5
\v 39 પણ આટલું સમજો કે ઘરનો માલિક જાણતો હોત કે, કઈ ઘડીએ ચોર આવશે, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં ચોરી થવા ન દેત.
\v 40 તમે પણ તૈયાર રહો; કેમ કે તમારા ધારવામાં નહિ હોય તે ઘડીએ માણસનો દીકરો આવશે.
\s5
\v 41 પિતરે કહ્યું કે, 'પ્રભુ, તું આ દૃષ્ટાંત અમને, કે સર્વને કહે છે?'
\v 42 પ્રભુએ કહ્યું કે, જેને તેનો માલિક પોતાના ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા સારુ પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા શાણો કારભારી કોણ છે?
\v 43 જે દાસને તેનો માલિક એમ કરતો જોશે તેને ધન્ય છે.
\v 44 હું તમને સાચું કહું છું કે, તે પોતાની સર્વ માલમિલકત પર તેને [કારભારી] ઠરાવશે.
\s5
\v 45 પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો માલિક આવતાં વાર લગાડે છે, અને દાસોને તથા દાસીઓને મરવા લાગશે, અને ખાવા પીવા અને છાકટો થવા લાગશે;
\v 46 તો જે દહાડે તે વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવામાં તે દાસનો માલિક આવશે, અને તેને કાપી નાખશે, અને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે.
\s5
\v 47 જે દાસ પોતાની માલિકની ઈચ્છા જાણ્યા છતાં પોતે સિદ્ધ થયો નહિ હોય, અને તેની ઈચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.
\v 48 પણ જેણે વગર જાણે ફટકા યોગ્ય કામ કીધું હશે, તે થોડો માર ખાશે. અને જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માંગવામાં આવશે, અને જેને ઘણું સોંપેલું છે તેની પાસેથી વધારે માંગવામાં આવશે.
\s5
\v 49 હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, અને જો તે સળગી ચૂકી હોય તો એનાથી વિશેષ હું શું માંગું?
\v 50 પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે, અને તે પુરું થાય ત્યાં સુધી હું કેવું દબાણ અનુભવું છું?
\s5
\v 51 શું તમે ધારો છો કે પૃથ્વી પર શાંતિ કરાવવા હું આવ્યો છું? હું તમને કહું છું કે ના, પણ તે કરતા ફૂટ પાડવા [આવ્યો છું].
\v 52 કેમ કે હવે એક ઘરમાં પાંચ મધ્યે ફૂટ પડશે, એટલે ત્રણ બેની સામા, અને બે ત્રણની સામા થશે.
\v 53 બાપ દીકરાની સામો, તથા દીકરો બાપની સામો થશે; મા દીકરીની સામે, અને દીકરી પોતાની માની સામે થશે; સાસુ પોતાની વહુની સામે, અને વહુ પોતાની સાસુની સામે થશે, એમ તેઓમાં ફૂટ પડશે.
\s5
\v 54 તેમણે લોકોને પણ કહ્યું કે, તમે પશ્ચિમથી વાદળી ચઢતી જુઓ છો, કે તરત તમે કહો છો કે, ઝાપટું આવશે, અને એમ જ થાય છે.
\v 55 જયારે દક્ષિણનો પવન ચાલે છે ત્યારે તમે કહો છો કે, લૂ વાશે, અને એમ જ થાય છે.
\v 56 ઓ ઢોંગીઓ, પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો, તો આ સમય તમે કેમ પારખી નથી જાણતા?
\s5
\v 57 અને વાજબી શું છે તે તમે પોતાની જાતે કેમ પારખતા નથી?
\v 58 તું તારા વાદીની સાથે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તું તેનાથી છુટકો પામવા સારુ યત્ન કર, એમ ન થાય કે તે તને ન્યાયાધીશ આગળ ઘસડી લઇ જાય, અને ન્યાયાધીશ તને સિપાઈને સ્વાધીન કરે, અને સિપાઈ તને બંદીખાનામાં નાખે.
\v 59 હું તને કહું છું કે, તું છેલ્લી દમડી ચૂકવીશ, ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી.
\s5
\c 13
\p
\v 1 તે જ સમયે ત્યાં હાજર કેટલાક માણસોએ આવીને ઈસુને જણાવ્યું કે, કેટલાક ગાલીલીઓ બલિદાન ચડાવતા હતા ત્યારે પિલાતે તેઓની હત્યા કરીને લોહી વહેવડાવ્યું હતું.
\v 2 ઈસુએ તેઓને જવાબ આપતાં કહ્યું કે, 'તે ગાલીલીઓ અન્ય ગાલીલીઓ કરતાં વધારે પાપી હતા તેથી તેમની એવી દશા થઈ એમ તમે માનો છો?'
\v 3 હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે પણ એ જ રીતે નાશ પામશો.
\s5
\v 4 અથવા શિલોઆહમાં જે અઢાર માણસો પર બુરજ તૂટી પડવાથી તેઓ મરણ પામ્યા, તેઓ યરૂશાલેમમાં વસતા બીજા બધા માણસો કરતાં વધારે ગુનેગાર હતા એમ તમે માનો છો?
\v 5 હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે બધા પણ એ જ રીતે નાશ પામશો.'
\s5
\v 6 ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે, એક માણસની દ્રાક્ષવાડીમાં એક અંજીરનું ઝાડ હતું. તે તેના પર ફળ શોધતો આવ્યો, પણ તેને એકે ફળ મળ્યું નહિ.
\v 7 ત્યારે તેણે દ્રાક્ષવાડીના માળીને કહ્યું કે, 'જો, ત્રણ વર્ષથી આ અંજીરી પર હું ફળ શોધતો આવું છું, પણ મને એકે ફળ મળતું નથી; એને કાપી નાખ; તે જમીન કેમ નકામી રોકી રહી છે?'
\s5
\v 8 ત્યારે માળીએ ઉત્તર આપતા કહ્યું કે, 'શેઠ, તેને આ વર્ષ રહેવા દો, તે દરમ્યાન હું એની આસપાસ ખાડો કરીશ અને ખાતર નાખીશ.
\v 9 જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક; નહિ તો તેને કાપી નાખજો.'
\s5
\v 10 વિશ્રામવારે ઈસુ એક સભાસ્થાનમાં ઉપદેશ કરતા હતા.
\v 11 ત્યાં એક સ્રી એવી હતી કે જેને અઢાર વર્ષથી બીમારીનો આત્મા વળગેલો હતો. તે વાંકી વળી ગઈ હતી અને સીધી ઊભી થઈ કે રહી શકતી જ નહોતી.
\s5
\v 12 ઈસુએ તેને જોઈને તેને બોલાવી, અને તેને કહ્યું કે, 'બહેન, તારી બીમારી મટી ગઈ છે.'
\v 13 ઈસુએ તેના પર હાથ મૂક્યો; અને તરત તે ટટ્ટાર થઈ અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગી.
\v 14 પણ વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, તેથી સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું કે, 'છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવું જોઈએ, એ માટે તે [દિવસો]માં આવીને સાજા થાઓ, પણ વિશ્રામવારે નહિ.'
\s5
\v 15 પ્રભુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, 'ઓ દંભીઓ, શું તમારામાં એક પણ માણસ એવો છે જે વિશ્રામવારે પોતાના બળદને કે ગધેડાને ગમાણમાંથી છોડીને પાણી પીવા સારુ લઈ જતો નથી?
\v 16 આ સ્ત્રી જે ઇબ્રાહીમની દીકરી છે, જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે છૂટી કરી એ શું ખોટું કર્યું?'
\s5
\v 17 ઈસુ એ તે વાતો કહી ત્યારે તેમના સામેવાળા શરમિંદા થઈ ગયા; પણ અન્ય લોકો તો ઈસુ જે અદ્દભુત કામો કરી રહ્યા હતા તે જોઈને આનંદ પામ્યા.
\s5
\v 18 ઈસુએ કહ્યું કે, 'ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું એને શાની ઉપમા આપું?
\v 19 તે રાઈના દાણા જેવું છે. કોઈ માણસે દાણો લઈને પોતાની વાડીમાં વાવ્યો. પછી છોડ ઊગ્યો અને તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશનાં પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.'
\s5
\v 20 ફરીથી ઈસુએ કહ્યું કે, 'હું ઈશ્વરના રાજ્યને શાની ઉપમા આપું?
\v 21 તે ખમીર જેવું છે. એક મહિલાએ ખમીર લઈને ત્રણ માપ લોટમાં મેળવ્યું. પરિણામે બધો લોટ ખમીર વાળો થયો.'
\s5
\v 22 ઈસુ યરૂશાલેમ તરફ મુસાફરી કરતા હતા ત્યારે માર્ગ પર આવતાં શહેર અને ગામોની મુલાકાત કરીને લોકોને બોધ કરતા હતા.'
\v 23 એક માણસે ઈસુને પૂછ્યું કે, 'પ્રભુ, ઉધ્ધાર પામનાર લોકો થોડા છે શું?' પછી ઈસુએ તેઓને કહ્યું કે,
\v 24 'સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ, હું તમને કહું છું કે ઘણા અંદર પ્રવેશ કરવા માગશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ.
\s5
\v 25 જયારે ઘરનો માલિક ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભાં રહીને બારણું ખટખટાવીને કહેશો કે, 'પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણાં ઉઘાડો'; અને તે તમને ઉત્તર આપતાં કહેશે કે, 'હું તમને ઓળખતો નથી કે તમે ક્યાંના છો'?
\v 26 ત્યારે તમે કહેશો કે, અમે તારી સમક્ષ ખાધું પીધું હતું અને તમે અમારા રસ્તાઓમાં બોધ કર્યો હતો.
\v 27 પણ તે કહેશે કે, હું તમને કહું છું કે, તમે ક્યાંના છો એ હું જાણતો નથી; હે અન્યાય કરનારાઓ, તમે લોકો મારી પાસેથી જતા રહો.
\s5
\v 28 જયારે તમે ઈબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને અને બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મુકેલા [જોશો], ત્યારે તમારે રડવાનું તથા દાંત પીસવાનું રહેશે.
\v 29 તેઓ પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી તથા દક્ષિણમાંથી લોકો આવશે, અને ઈશ્વરના રાજ્યમાં બેસશે.
\v 30 જોજો, જેઓ કેટલાક છેલ્લા છે તેઓ પહેલા થશે અને [કેટલાક] જે પહેલા છે તેઓ છેલ્લા થશે.
\s5
\v 31 તે જ ઘડીએ કેટલાક ફરોશીઓએ ઈસુ પાસે આવીને કહ્યું કે, અહીંથી જતા રહો. કેમકે હેરોદ તમને મારી નાખવા માગે છે.
\v 32 ઈસુએ તેઓને કહ્યું, તમે જઈને એ શિયાળવાને કહો કે, જુઓ, આજકાલ તો હું ભૂતોને કાઢું છું અને રોગ મટાડું છું અને પણ ત્રીજે દિવસે મારું કામ પૂરું થશે.
\v 33 કોઈ પણ સંજોગોમાં આજે, કાલે તથા પરમ દિવસ મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર મૃત્યુ પામે એ શક્ય નથી.
\s5
\v 34 ઓ યરૂશાલેમ, યરૂશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાને પથ્થરે મારનાર, મરઘી જેમ પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તે પ્રમાણે મેં કેટલી વખત તારાં બાળકોને એકઠાં કરવાનું ચાહ્યું, પણ તમે તે થવા દીધું નહિ.
\v 35 જુઓ, તમારું ઘર તમારે માટે ઉજ્જડ કરી મૂકાયું છે, અને હું તમને કહું છું કે, તમે કહેશો કે 'પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે,' ત્યાં સુધી તમે મને ફરીથી જોઈ શકવાના નથી.'
\s5
\c 14
\p
\v 1 અને એમ થયું કે ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારના દિવસે ઈસુ જમવા ગયા હતા, ત્યારે તેઓ તેમને એક નજરે જોઈ રહ્યા હતા.
\v 2 એક માણસ ત્યાં હાજર હતો જેને જલંદર નામનો રોગ થયો હતો.
\v 3 ઈસુએ પંડિતોને અને ફરોશીઓને ઉત્તર આપતા કહ્યું કે, વિશ્રામવારે કોઈને સાજા કરવા તે ઉચિત છે કે નહિ?
\s5
\v 4 પણ તેઓ મૌન રહ્યા. [ઈસુએ] તે રોગીને સ્પર્શીને તેને સાજો કર્યો, અને તેને વિદાય કર્યો.
\v 5 તેમણે [ઈસુએ] તેઓને કહ્યું કે, તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડી જાય તો શું તમે વિશ્રામવારે તરત તેને બહાર કાઢશો કે નહિ?
\v 6 એ વાતોનો પ્રત્યુત્તર તેઓ તેમને આપી શક્યા નહિ.
\s5
\v 7 ભોજનમાં નિમંત્રિતો કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા, તે જોઈને તેમણે તેઓને દૃષ્ટાંત કહ્યું કે,
\v 8 'કોઈ તને લગ્નમાં નિમંત્રે ત્યારે મુખ્ય આસન પર બેસી ન જા. એમ ન થાય કે તારા કરતાં કોઈ વિશેષ માનવંતા માણસને તેણે નિમંત્રણ આપેલું હોય.
\v 9 જેણે તને તથા તેને નિમંત્રણ આપેલું હોય તે આવીને તને કહે કે, 'એને જગ્યા આપ'; ત્યારે તારે અપમાનિત થઈને સહુથી છેલ્લે સ્થાને બેસવું પડે.
\s5
\v 10 પણ કોઈ તને નિમંત્રે ત્યારે સહુથી છેવટની જગ્યાએ જઈ બેસ, કે તને નિમંત્રણ આપનાર તને કહે કે, 'મિત્ર ઉપર આવ'; ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે.
\v 11 કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.'
\s5
\v 12 જેણે તેમને નિમંત્ર્યા હતા તેને પણ તેમણે [ઈસુ]એ કહ્યું કે, જયારે તું દિવસનું કે રાતનું ભોજન આપે, 'ત્યારે કેવળ તારા મિત્રોને, ભાઈઓને, સગાંઓને, કે શ્રીમંત પડોશીઓને ન બોલાવ; એમ ન થાય કે કદાચ તેઓ પણ તને પાછા બોલાવે, અને તને બદલો મળે.
\s5
\v 13 પણ જયારે તું મિજબાની આપે ત્યારે ગરીબોને, અપંગોને, પાંગળોઓને તથા અંધજનોને તેડાવ.
\v 14 તેથી તું આશીર્વાદિત થઈશ; કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના પુનરુત્થાનમાં તને બદલો આપવામાં આવશે.'
\s5
\v 15 તેમની સાથે જમવા બેઠેલાઓમાંના એકે એ વાત સાંભળીને તેમને કહ્યું કે, 'ઈશ્વરના રાજ્યમાં જે રોટલી ખાશે તેને આશીર્વાદ છે.'
\v 16 પણ તેમણે [ઈસુએ] તેને કહ્યું કે, 'કોઈ એક માણસે રાતના મોટો ભોજનસમારંભ યોજ્યો. તેણે ઘણાને આમંત્રણ આપ્યું.
\v 17 તે સમયે તેણે પોતાના નોકરને મોકલીને આમંત્રિત મહેમાનોને એમ કહેડાવ્યું કે આવો; 'કેમ કે હમણાં બધું [ભોજન] તૈયાર [થયું] છે'.
\s5
\v 18 સર્વ એકસાથે બહાનાં કાઢવા લાગ્યા. પહેલાએ તેને કહ્યું કે, 'મેં ખેતર વેચાતું લીધું છે, મારે જઈને તે જોવાની અગત્ય છે; હું તને વિનંતી કરું છું કે મને માફ કર.'
\v 19 બીજાએ કહ્યું કે, 'મેં પાંચ જોડ બળદ વેચાતા લીધા છે, અને હું તેમને પારખવા જાઉં છું; હું તને વિનંતી કરું છું કે મને માફ કર.'
\v 20 અન્ય એકે કહ્યું કે, 'મારું લગ્ન હમણાં જ થયું છે, માટે મારાથી અવાશે નહિ.'
\s5
\v 21 પછી તે નોકરે આવીને પોતાના માલિકને બધી વાત કરી; ત્યારે ઘરના માલિકે ગુસ્સે થઈને પોતાના નોકરને કહ્યું કે, 'શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જઈને ગરીબોને, અપંગોને, પાંગળાઓને અને અંધજનોને બોલાવી લાવ.'
\v 22 તે નોકરે કહ્યું કે, માલિક, તમારા હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે, અને હજી પણ ત્યાં ઘણી જગ્યા ખાલી છે.'
\s5
\v 23 માલિકે કહ્યું કે, 'રસ્તાં પર તથા ગલીઓમાં જઈને તેઓને આગ્રહ કરીને બોલાવી લાવ, કે મારું ઘર ભરાઈ જાય.
\v 24 કેમકે હું તમને કહું છું કે, પેલા માણસો જેઓ આમંત્રિત હતા તેઓમાંના કોઈ પણ હવે મારી મિજબાનીમાંથી ચાખશે નહિ.'
\s5
\v 25 હવે ઘણા લોક તેમની [ઈસુની] સાથે જતા હતા, અને તેઓને તેમણે પાછા ફરીને કહ્યું કે,
\v 26 'જો કોઈ મારી પાસે આવે, અને પોતાનાં માતાનો અને પિતાનો, પત્નીનો, બાળકોનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્રેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી.
\v 27 જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઇ શકતો નથી.
\s5
\v 28 કેમકે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલાં બેસીને ખર્ચ નહિ ગણે, કે તે પુરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ?
\v 29 રખેને કદાચ પાયો નાખ્યા પછી તે પુરો કરી શકે નહિ; ત્યારે જે જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે,
\v 30 અને કહે કે, આ માણસ બાંધવા લાગ્યો, પણ પૂરું કરી શક્યો નહિ.
\s5
\v 31 અથવા કયો રાજા એવો છે કે બીજા રાજાની સામે લડાઈ કરવા જતો હોય, પણ પહેલાં બેસીને વિચાર નહિ કરે, કે જે વીસ હજાર [સૈનિકો] લઈને મારી સામે આવે છે, તેની સામે હું દસ હજાર [સૈનિકોને] લઈ લડી શકીશ કે નહિ?
\v 32 નહિ તો બીજો [રાજા] હજી ઘણો દૂર છે, એટલામાં તે એલચીઓને મોકલીને સલાહની શરતો વિષે પૂછશે.
\v 33 તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય થવાને પાત્ર નથી.
\s5
\v 34 મીઠું તો સારુ છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય, તો તે શાથી ખારું કરાશે?
\v 35 તે જમીનને સારુ અથવા ખાતરને સારુ યોગ્ય નથી; પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તેણે સાંભળવું.'
\s5
\c 15
\p
\v 1 હવે તેમનું [ઈસુનું] સાંભળવા સારુ સઘળા દાણીઓ [કર ઉઘરાવનાર] તથા અપરાધીઓ તેમની પાસે આવતા હતા.
\v 2 ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ કચકચ કરીને કહ્યું કે, 'આ માણસ ગુનેગારોનો સ્વીકાર કરે છે, અને તેઓની સાથે ભોજન પણ કરે છે.'
\s5
\v 3 ઈસુએ તેઓને આ દૃષ્ટાંત કહ્યું કે,
\v 4 'જો કોઈ માણસ પાસે સો ઘેટાં હોય, અને એ સો ઘેટાંમાંથી એક ઘેટું ખોવાય, તો શું તે પેલાં બાકીનાં નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને ખોવયેલું ઘેટું મળે નહિ ત્યાં સુધી તેની શોધમાં નહિ જાય?
\v 5 તે [ઘેટું] તેને મળે છે ત્યારે તે હર્ષથી પોતાના ખભા પર ઊંચકીને ઘરે લઈ જાય છે.
\s5
\v 6 ઘેર આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે, અને તેઓને કહે છે કે, મારી સાથે આનંદ કરો, કેમકે મારું ઘેટું જે ખોવાયું હતું તે મને પાછુ મળ્યું છે.
\v 7 હું તમને કહું છું કે, તે જ રીતે નવ્વાણું ન્યાયીઓ કે જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક અપરાધી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે.
\s5
\v 8 અથવા એક સ્ત્રી કે જેની પાસે ચાંદીના દસ સિક્કા હોય, અને તેઓમાંનો એક સિક્કો ખોવાય, તો તે દીવો કરીને, ઘર નહિ વાળે અને તે મળે નહિ ત્યાં સુધી તેની શોધ સારી રીતે નહિ કરે?
\v 9 તેને તે સિક્કો મળે છે ત્યારે તે પોતાની સખીઓને તથા પાડોશીઓને બોલાવીને કહે છે કે, મારી સાથે આનંદ કરો, કેમકે મારો સિક્કો ખોવાઈ ગયો હતો તે મને પાછો મળ્યો છે.
\v 10 હું તમને કહું છું કે એ જ પ્રમાણે એક પાપી પસ્તાવો કરે, તેને લઈને ઈશ્વરના દૂતોની સમક્ષ આનંદ થાય છે.'
\s5
\v 11 વળી ઈસુએ કહ્યું કે, 'એક માણસને બે દીકરા હતા.
\v 12 તેઓમાંના નાનાએ પિતાને કહ્યું કે, પિતાજી, મિલકતનો જે મારો ભાગ આવે તે મને આપો; તેથી તેણે [પિતાએ] તેઓને (ભાઈઓને) પોતાની મિલકત વહેંચી આપી.
\s5
\v 13 અને થોડા દિવસો પછી નાનો દીકરો બધું ભેગું કરીને દૂર દેશમાં ચાલ્યો ગયો, અને ત્યાં મોજમજામાં પોતાની સંપત્તિ વેડફી નાખી.
\v 14 અને તેણે બધું ખલાસ કરી નાખ્યું, ત્યાર પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો અને તેને તંગી પડવા લાગી.
\s5
\v 15 તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો; તેણે તેને પોતાના ખેતરમાં ભુંડો ચારવા માટે તેને મોકલ્યો.
\v 16 ખેતરમાં જે શિંગો ભૂંડો ખાતાં હતાં તેનાથી પોતાનું પેટ ભરવાનું તેને મન થતું હતું; કોઈ તેને કશું ખવાનું આપતું નહિ.
\s5
\v 17 એવામાં તે ભાનમાં આવ્યો અને તેને થયું કે,મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે ને હું તો અહીં ભૂખે મરું છું!
\v 18 હું ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં આકાશ સામે તથા તમારી આગળ પાપ કર્યું છે;
\v 19 હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી;
\s5
\v 20 પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો, અને તે હજી ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, તેમને દયા આવી, અને તેના પિતા દોડીને તેને ભેટ્યા તથા તેના પર વાત્સલ્ય વરસાવ્યું.
\v 21 દીકરાએ તેમને કહ્યું કે, પિતાજી, મેં ઈશ્વર સામે તથા તમારી આગળ પાપ કર્યું છે, હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી.
\s5
\v 22 પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, સારામાં સારો ઝભ્ભો જલદી લાવીને એને પહેરાવો; એને હાથે રત્નજડિત વીંટી અને પગમાં બુટ પહેરાવો;
\v 23 ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરો. આવો આપણે મિજબાની કરીએ અને આનંદ મનાવીએ.
\v 24 કેમ કે આ મારો દીકરો મૃત્યુ પામ્યો હતો, તે પાછો સજીવન થયો છે; તે ખોવાયેલો હતો, તે પાછો મળ્યો છે અને તેઓ આનંદ કરવા લાગ્યા.
\s5
\v 25 હવે પિતાનો મોટો દીકરો ખેતરમાં હતો; તે ત્યાંથી ઘેર આવતાં ઘરની નજીક આવી પહોંચ્યો, ત્યારે તેણે નાચગાનનો અવાજ સાંભળ્યો.
\v 26 તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું કે, આ શું ચાલી રહ્યું છે?
\v 27 ચાકરે તેને કહ્યું કે, તમારો ભાઈ પાછો આવ્યો છે, ને તમારા પિતાએ મોટી મિજબાની આપી છે, કેમ કે તે તેમને સહીસલામત પાછો મળ્યો છે.
\s5
\v 28 પણ તે ગુસ્સે થયો, અને અંદર જવા માટે રાજી ન હતો. તેના પિતાએ બહાર આવીને તેને વિનંતી કરી.
\v 29 પણ તેણે તેના પિતાને ઉત્તર આપતા કહ્યું કે, જો, આટલાં બધાં વર્ષથી હું તમારી ચાકરી કરું છું, અને તમારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી, તોપણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારુ તમે મને લવારૂય કદી આપ્યું નથી.
\v 30 પણ આ તમારો દીકરો કે જેણે વેશ્યાઓ પાછળ તમારી મિલકત વેડફી નાખી છે, તે પાછો આવ્યો ત્યારે તમે તેને સારુ મિજબાની આપી છે.
\s5
\v 31 પિતાએ તેને કહ્યું કે, દીકરા, તું મારી સાથે નિત્ય છે, અને જે મારું છે તે સઘળું તારું જ છે.
\v 32 આપણે માટે ખુશી થવું તથા આનંદ કરવો તે ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ જે મૃત્યુ પામ્યો હતો, તે સજીવન થયો છે; જે ખોવાયેલો હતો, તે પાછો મળી આવ્યો છે.'
\s5
\c 16
\p
\v 1 પછી તેમણે [ઈસુએ] શિષ્યોને પણ કહ્યું કે, 'એક શ્રીમંત માણસ હતો, તેણે એક કારભારી [મિલકતનો વહીવટ કરનાર] રાખ્યો; અને શ્રીમંતની આગળ કારભારી પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે, તે તમારી મિલકત ઉડાવી દે છે.
\v 2 અને તેણે તેને બોલાવીને કહ્યું કે, આ જે તારે વિષે હું સાંભળું છું તે શું છે? તારા વહીવટનો હિસાબ આપ; કેમકે હવેથી તું કારભારી રહી શકશે નહિ.
\s5
\v 3 કારભારીએ પોતાના મનમાં કહ્યું કે, હું શું કરું? કેમ કે મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લે છે. મારામાં મજૂરી કરવાની શકતી નથી; ભીખ માગતાં મને શરમ લાગે છે.
\v 4 તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો મારા સાથમાં રહે તે માટે શું કરવું તેની મને સૂઝ પડે છે.
\s5
\v 5 તેણે પોતાના માલિકના દરેક કરજદારને બોલાવ્યા. તેમના પહેલાને કહ્યું કે, મારા માલિકનું તારે કેટલું દેવું છે?
\v 6 અને તેણે કહ્યું કે, સો માપ તેલ. અને તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને જલ્દી બેસીને પચાસ લખ.
\v 7 પછી તેણે બીજાને કહ્યું કે, તારે કેટલું દેવું છે? અને તેણે કહ્યું કે, સો માપ ઘઉં, તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને એંસી લખ.
\s5
\v 8 તેના માલિકે અન્યાયી કારભારીના વખાણ કર્યાં, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો; કેમકે આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાના દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે.
\v 9 અને હું તમને કહું છું કે, અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારુ મિત્રો કરો, કે જયારે તે થઇ રહે, ત્યારે તેઓ સદાકાળના માંડવાઓમાં તમારો અંગીકાર કરે.
\s5
\v 10 જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણામાં પણ અન્યાયી છે.
\v 11 માટે જો અન્યાયી દ્રવ્યમાં તમે વિશ્વાસુ ન થયા હો, તો ખરું [દ્રવ્ય] તમને કોણ સોંપશે?
\v 12 જો તમે પરાયામાં વિશ્વાસુ ન થયા હો, તો જે તમારું પોતાનું તે કોણ તમને સોંપશે?
\s5
\v 13 કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી; કેમકે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો વિરોધી થશે. ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી તમે કરી નથી શકતા.
\s5
\v 14 અને ફરોશીઓ જેઓ દ્રવ્યના લોભી હતા તેઓએ તે સઘળી વાતો સાંભળીને તેમની [ઈસુની] મશ્કરી કરી.
\v 15 ઈસુએ તેઓને કહ્યું કે, માણસોની આગળ તમે પોતાને ન્યાયી બતાવો છો, પણ ઈશ્વર તમારાં અંત:કરણ જાણે છે; કેમકે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દ્રષ્ટિમાં કંટાળારૂપ છે.
\s5
\v 16 નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાનના સમય સુધી હતા; તે સમયથી ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરાય છે, અને દરેક માણસ તેમાં જબરજસ્તીથી પ્રવેશવા મથે છે.
\v 17 પણ શાસ્ત્રની એક પણ માત્રા રદ થાય, તે કરતાં આકાશ તથા પૃથ્વીને જતું રહેવું સહેલ છે.
\s5
\v 18 જે કોઈ પોતાની પત્નીને ત્યાગીને બીજી [સ્ત્રી] સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે.
\s5
\v 19 એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના પાતળા વસ્ત્ર પહેરતો હતો, અને નિત્ય મોજમઝામાં રહેતો હતો.
\v 20 લાજરસ નામે એક ભિખારી જેને આખા શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડી રહેતો હતો.
\v 21 શ્રીમંતની મેજ પરથી પડેલા ભોંયમાંના કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો; વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા.
\s5
\v 22 પછી એમ થયું કે તે ભિખારી મરણ પામ્યો, દૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઇ ગયા; અને શ્રીમંત માણસ પણ મરણ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો.
\v 23 હાદેસમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમને તથા તેના ખોળામાં લાજરસને જોયા.
\s5
\v 24 તેણે બૂમ પાડીને કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, મારા પર દયા કરીને લાજરસને મોકલ, કે તે પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમકે આ આગમાં હું વેદના પામું છું.
\s5
\v 25 પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, યાદ કર કે તારા જીવનમાં તું સારી સામગ્રી પામ્યો, અને લાજરસ તો તેવું પામ્યો ન હતો; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે, અને તું વેદના પામે છે.
\v 26 વળી તે સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચ્ચે મોટી ખાઈ આવેલી છે, એ માટે કે જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ ત્યા આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ બાજુ પણ આવી શકે નહિ.
\s5
\v 27 તેણે કહ્યું કે, પિતા, એ માટે હું તમને વિનંતી કરું છું કે, [લાજરસને] મારા પિતાને ઘરે મોકલો,
\v 28 કેમ કે મારા પાંચ ભાઈઓ છે. લાજરસ તેઓને સાક્ષી આપે, એમ ન થાય કે તેઓ પર પણ આ પીડા આવી પડે.
\s5
\v 29 પણ ઇબ્રાહિમે કહ્યું, તેઓની પાસે મોઝિસ તથા પ્રબોધકો છે; તેઓનું તેઓ સાંભળે.
\v 30 અને તેણે કહ્યું કે, પિતા ઈબ્રાહિમ, એમ નહિ, પણ જો કોઈ મૃત્યુમાંથી [સજીવન પામીને] તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે.
\v 31 અને તેણે [ઈબ્રાહિમે] તેને કહ્યું કે, જો તેઓ મોઝિસ તથા પ્રબોધકોનું નહિ સાંભળે, તો પછી મૃત્યુ પામેલાઓમાંથી કોઈ ઊઠીને જાય, તોપણ તેઓ માનવાના નથી.'
\s5
\c 17
\p
\v 1 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 'ઠોકર ખાવાના પ્રસંગ ન આવે એમ બની શકતું નથી, પણ જેનાથી ઠોકર આવે છે તેને અફસોસ છે!
\v 2 કોઈ આ નાનાઓમાંના એકને ઠોકર ખવડાવે, એ કરતાં તેના ગળે ભારે પથ્થર બાંધીને તેને સમુદ્રમાં ડુબાડવામાં આવે, તે તેને માટે સારુ છે.
\s5
\v 3 સાવચેત રહો; જો તમારો ભાઈ અપરાધ કરે, તો તેને ઠપકો આપો; અને જો તે પસ્તાવો કરે, તો તેને માફ કરો.
\v 4 જો તે એક દિવસમાં સાત વાર અપરાધ કરે, અને સાત વાર તમારી તરફ ફરીને કહે કે, હું પસ્તાઉ છું, તો તેને માફ કરો.
\s5
\v 5 પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે, 'અમારો વિશ્વાસ વધારો.'
\v 6 પ્રભુએ કહ્યું કે, 'જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ ગુલ્લર ઝાડને કહો કે અહીંથી ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા તો તે તમારું માનશે.
\s5
\v 7 પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર [ખેતર] ખેડતો હોય અથવા [ઘેટાં] ચરાવતો હોય, અને તે [ચાકર] જયારે ખેતરમાંથી આવે, ત્યારે તેને કહે કે, આવીને તરત જમવા બેસ?
\v 8 તે કરતાં, શું તે એમ નહિ કહેશે કે, મારું ભોજન તૈયાર કર, અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર; અને તું પછી ખાજે પીજે?
\s5
\v 9 તે દાસે તેની આજ્ઞાઓ પાળી હોય તે માટે તે તેનો આભાર માને છે શું?
\v 10 તેમ જે આજ્ઞા તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે, અમે નકામા ચાકરો છીએ, કેમકે જે કરવાની અમારી ફરજ હતી એટલું જ અમે કર્યું છે.'
\s5
\v 11 એમ થયું કે યરૂશાલેમ જતાં ઈસુ સમરૂન તથા ગાલીલમાં થઈને જતા હતા.
\v 12 એક ગામમાં ઈસુએ પ્રવેશ કર્યો, એટલામાં રક્તપિતના દસ દર્દીઓ તેમને સામે મળ્યા. તેઓએ દૂર ઊભા રહીને
\v 13 બૂમ પાડીને કહ્યું કે, 'ઓ ઈસુ,સ્વામી, અમારા પર દયા કરો.'
\s5
\v 14 અને તેઓને જોઇને તેમણે તેઓને કહ્યું કે, 'જાઓ, પોતાને યાજકોને બતાવો અને એમ થયું કે તેઓને રસ્તે ચાલતાં ચાલતાં શુદ્ધ કરવામાં આવ્યા.
\v 15 તેઓમાંનો એક, પોતે સાજો થયો છે તે જોઇને, મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં પાછો વળ્યો.
\v 16 તેણે ઈસુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો; તે સમરૂની હતો.
\s5
\v 17 ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, 'શું દસે જણને શુદ્ધ કરાયા નહોતા? તો બીજા નવ ક્યાં છે?
\v 18 ઈશ્વરને મહિમા આપવાને પાછો આવે, એવો આ પરદેશી વિના અન્ય કોઈ નથી શું?
\v 19 [ઈસુએ] કહ્યું કે, 'તું ઊઠીને ચાલ્યો જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.'
\s5
\v 20 ફરોશીઓએ તેમને પૂછ્યું કે, ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે? ત્યારે તેમણે તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ઈશ્વરનું રાજ્ય દૃશ્ય રીતે નથી આવતું.
\v 21 વળી એમ નહિ કહેવામાં આવશે કે, જુઓ, આ રહ્યું! કે, પેલું રહ્યું! કેમકે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે.'
\s5
\v 22 તેમણે શિષ્યોને કહ્યું કે, 'એવા દિવસો આવશે કે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવાની ઇચ્છા રાખશો, પણ તમે જોઈ શકશો નહિ.
\v 23 તેઓ તમને કહેશે હે 'જુઓ, પેલો રહ્યો, જુઓ, આ રહ્યો, તમે જતા ના, અને એમની પાછળ ચાલતા ના.
\v 24 કેમ કે વીજળી આકાશમાં ચમકે છે ને તે એક દિશાથી બીજી દિશા સુધી પ્રકાશે છે, તેમ માણસના દીકરાનું તેમના સમયમાં આગમન થશે.
\s5
\v 25 પણ તે પહેલાં તેમને ઘણું સહન કરવું પડશે, અને આ પેઢીથી તેમને નાપસંદ થવું પડશે.
\v 26 અને જેમ નૂહના દિવસોમાં થયું, તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે.
\v 27 નૂહ વહાણમાં ગયો, અને જલપ્રલયે આવીને બધાનો વિનાશ કર્યો તે દિવસ સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા.
\s5
\v 28 તેમ જ લોતના દિવસોમાં પણ થયું, તેઓ ખાતા, પીતા, વેચાતું લેતા, આપતા, રોપતા, બાંધતા હતા;
\v 29 પણ લોત સોદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક આકાશમાંથી વરસ્યાં, અને તેથી બધાનો વિનાશ થયો;
\s5
\v 30 જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે.
\v 31 તે દિવસે જેઓ ઘરની અગાસી પર હોય, તેઓએ સામાન લેવા સારુ નીચે ઊતરવું નહિ, અને જે ખેતરમાં હોય તેણે પણ ત્યાંથી પાછા આવવું નહિ.
\s5
\v 32 લોતની પત્નીને યાદ કરો.
\v 33 જે કોઈ પોતાનો જીવ બચાવવા કોશિશ કરશે, તે તેને ખોશે, અને જે કોઈ તેને ખોશે તે તેને બચાવશે.
\s5
\v 34 હું તમને કહું છું કે, તે રાત્રે એક પથારીમાં બે જણ સૂતા હશે; તેઓમાંના એકને લઈ લેવાશે, અને બીજાને પડતો મુકાશે.
\v 35 બે સ્ત્રીઓ સાથે દળતી હશે; તેમાંથી એકને લઈ લેવાશે, અને બીજીને પડતી મૂકવામાં આવશે.
\v 36 ખેતરમાં બે જણ હશે, તેઓમાંનો એક લેવાશે, અને બીજો પડતો મુકાશે,'
\v 37 અને તેઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, 'પ્રભુ, ક્યાં?' અને [ઈસુએ] તેઓને કહ્યું કે, 'જ્યાં મૃતદેહ પડ્યો હશે ત્યાં ગીધો પણ એકઠાં થશે.'
\s5
\c 18
\p
\v 1 સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને કંટાળવું નહિ, તે શીખવવા સારુ ઈસુએ એક દ્રષ્ટાંત તેઓને કહ્યું કે,
\v 2 'એક શહેરમાં એક ન્યાયાધીશ હતો, જે ઈશ્વરથી બીતો ન હતો અને માણસને ગણકારતો ન હતો;
\s5
\v 3 તે શહેરમાં એક વિધવા સ્ત્રી હતી; તે વારંવાર તેની પાસે આવીને કરગરતી હતી કે 'મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવ.'
\v 4 કેટલીક મુદત સુધી તે [એમ કરવા] ઇચ્છતો ન હતો; પણ પછીથી તેણે પોતાના મનમાં વિચાર્યું કે, જો કે હું ઈશ્વરથી બીતો નથી, અને માણસને ગણકારતો નથી,
\v 5 તોપણ આ વિધવા સ્ત્રી મને તસ્દી આપે છે, માટે હું તેને ન્યાય અપાવીશ, કે જેથી તે વારેઘડીએ આવીને મને તંગ કરે નહિ.'
\s5
\v 6 પ્રભુએ કહ્યું કે, 'એ અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો.
\v 7 (એ ન્યાયાધીશની માફક) ઈશ્વર પોતાના પસંદ કરેલા, જેઓ તેમની આગળ રાતદિવસ હાંક મારે છે, અને જેઓ વિષે તે ખામોશી રાખે છે, તેઓને શું ન્યાય નહિ આપશે?'
\v 8 હું તમને કહું છું કે, 'તે જલ્દી તેઓને ન્યાય આપશે. પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે તેમને શું પૃથ્વી પર વિશ્વાસ જડશે?'
\s5
\v 9 કેટલાક પોતાના વિષે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અને બીજાને તુચ્છકારતા હતા, તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે,
\v 10 બે માણસો પ્રાર્થના કરવા સારુ ભક્તિસ્થાનમાં ગયા; એક ફરોશી, અને બીજો દાણી હતો.
\s5
\v 11 ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, 'ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તારી ઉપકારસ્તુતિ કરું છું.
\v 12 અઠવાડીયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું.'
\s5
\v 13 પણ દાણીએ દૂર ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતાં, દુ:ખ સાથે છાતી કૂટીને કહ્યું કે, 'ઓ ઈશ્વર, મુજ પાપી પર દયા કરો.'
\v 14 હું તમને કહું છું કે, 'પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો; કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઉચ્ચસ્થાન અપાશે.'
\s5
\v 15 તેઓ ઈસુ પાસે પોતાનાં બાળકો પણ લાવ્યા, એ સારુ કે તે તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યા.
\v 16 તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે, 'બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાંઓનું છે.
\v 17 હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશી શકશે નહિ.'
\s5
\v 18 એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે, 'ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા હું શું કરું?'
\v 19 ઈસુએ તેને કહ્યું કે, 'તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી.
\v 20 તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માબાપને માન આપ.'
\v 21 તેણે કહ્યું કે, એ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું.'
\s5
\v 22 ઈસુએ તે સાંભળીને તેને કહ્યું કે, 'તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખ, અને તે ગરીબોઓને આપી દે, એટલે આકાશમાં તને દ્રવ્ય મળશે; પછી આવીને મારી પાછળ ચાલ.'
\v 23 પણ એ સાંભળીને તે અતિ ઉદાસ થયો, કેમ કે તેની માલમિલકત પુષ્કળ હતી.
\s5
\v 24 ઈસુએ તેને જોઈને કહ્યું કે, 'જેઓની પાસે સંપત્તિ છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે!
\v 25 કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.'
\s5
\v 26 તે વચન સાંભળનારાઓએ કહ્યું કે, 'તો કોણ ઉધ્ધાર પામી શકે?'
\v 27 પણ ઈસુએ કહ્યું કે, 'માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.'
\s5
\v 28 પિતરે કહ્યું કે, 'જુઓ, અમે પોતાનું [બધું] મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.'
\v 29 ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને ચોક્કસ કહું છું કે, 'જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માબાપને કે સંતાનોને ઈશ્વરના રાજ્યને લીધે ત્યાગ્યા હશે,
\v 30 તેને આ કાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.'
\s5
\v 31 ઈસુએ બારે શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે,' જુઓ, આપણે યરૂશાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોથી જે લખાયું છે તે સર્વ પૂરું કરાશે.
\v 32 કેમ કે તેમને બિનયહૂદીઓને આધીન કરાશે, અને તેમની મશ્કરી તથા અપમાન કરાશે, અને તેમના પર તેઓ થૂંકશે;
\v 33 વળી કોરડા મારીને તેઓ તેમને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછા સજીવન થશે.'
\s5
\v 34 પણ તેમાંનું કંઈ તેઓના સમજવામાં આવ્યું; નહિ અને આ વાત તેઓથી ગુપ્ત રહી, અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહિ.
\s5
\v 35 એમ થયું કે ઈસુ યરીખો પાસે આવતા હતા, ત્યારે માર્ગની બાજુએ એક અંધ જન બેઠો હતો, તે ભીખ માગતો હતો.
\v 36 ઘણા લોકો પાસે થઈને જતા હોય એવું સાંભળીને તેણે પૂછ્યું કે, 'આ શું હશે?'
\v 37 તેઓએ તેને કહ્યું કે, 'ઈસુ નાઝીરી પાસે થઈને જાય છે.'
\s5
\v 38 તેણે બૂમ પાડીને કહ્યું કે, 'ઓ ઈસુ, ડેવિડના દીકરા, મારા પર દયા કરો.'
\v 39 જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો, કે 'ચૂપ રહે;' પણ તેણે વધારે ઘાંટો પાડીને કહ્યું કે, 'ડેવિડના દીકરા, મારા પર દયા કરો.'
\s5
\v 40 ઈસુએ ઊભા રહીને તેને પોતાની પાસે લાવવા જણાવ્યું, અને તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછ્યું કે,
\v 41 'હું તારે માટે શું કરું, તારી ઇચ્છા શી છે?' તેણે કહ્યું કે, 'પ્રભુ હું દ્રષ્ટિ પામું.
\s5
\v 42 ઈસુએ તેને કહ્યું કે, 'તું દ્રષ્ટિ પામ; તારા વિશ્વાસે તને બચાવ્યો છે,'
\v 43 અને તરત તે દ્રષ્ટિ પામ્યો અને ઈશ્વરને મહિમા આપતો તે તેમની પાછળ ચાલ્યો; બધા લોકોએ તે જોઈને ઈશ્વરની આભારસ્તુતિ કરી.
\s5
\c 19
\p
\v 1 ઈસુ યરીખોમાં થઈને જતા હતા.
\v 2 ત્યાં જાખ્ખી નામે એક પુરુષ હતો; તે મુખ્ય દાણી હતો, અને શ્રીમંત હતો.
\s5
\v 3 તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે તેમને જોઈ શક્યો નહિ, કેમ કે તે નીચા કદનો હતો.
\v 4 તેથી આગળ દોડી જઈને ઈસુને જોવા સારુ ગુલ્લર ઝાડ પર તે ચડ્યો; ઈસુ તે રસ્તે થઈને પસાર થવાના હતા .
\s5
\v 5 તે જગ્યાએ ઈસુ આવ્યા.તેમણે ઊંચે જોઇને કહ્યું , 'જાખ્ખી, તું જલદી નીચે ઊતરી આવ, મારો આજનો ઉતારો તારે ઘેર છે.'
\v 6 તે જલ્દી નીચે ઊતર્યો . તેણે આનંદથી ઈસુને આવકાર્યા.
\v 7 બધાએ તે જોઈને કચકચ કરી કે , ઈસુ અપરાધી માણસને ઘેર મહેમાન તરીકે રહેવા ગયો છે.
\s5
\v 8 જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે, 'પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપું છું; અને જો અન્યાયથી મેં કોઈના નાણાં પડાવી લીધા હોય તો હું ચારગણા પાછાં આપીશ,'
\v 9 ઈસુએ તેને કહ્યું કે, 'આજે આ ઘેર ઉધ્ધાર આવ્યો છે, કારણ કે જાખ્ખી પણ ઇબ્રાહિમનો દીકરો છે.
\v 10 કેમ કે જે ખોવાયું છે તેને શોધવા તથા ઉધ્ધારવા સારુ માણસનો દીકરો આવ્યો છે.'
\s5
\v 11 તેઓ આ વચન સાંભળતા હતા, ત્યારે ઈસુએ અન્ય એક દ્દ્રષ્ટાંત પણ કહ્યું, કેમ કે તે યરૂશાલેમ પાસે આવ્યા હતા, અને તેઓ એમ ધારતા હતા કે, ઈશ્વરનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે.
\v 12 માટે ઈસુએ કહ્યું કે, 'એક કુળવાન માણસ પોતાને માટે રાજ્ય મેળવીને પાછા આવવાના ઇરાદાથી દૂર દેશ ગયો.
\s5
\v 13 તે અગાઉ તેણે પોતાના દસ નોકરોને બોલાવીને તેઓને દરેકને એક એમ કુલ દસ મહોર આપીને તેઓને કહ્યું કે, હું આવું ત્યાં લગી તમે તેનો વહીવટ કરો.
\v 14 પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા, અને તેની પાછળ એલચીઓને મોકલીને કહેવડાવ્યું કે, 'એ માણસ અમારા પર રાજ્ય કરે એવું અમે ઇચ્છતા નથી.'
\v 15 એમ થયું કે તે રાજ્ય મેળવીને પાછો આવ્યો, ત્યારે જે નોકરોને તેણે નાણું આપ્યું હતું, તેઓને પોતાની પાસે બોલાવવાનું કહ્યું, એ માટે કે તેઓ શું શું કમાયા, તે એ જાણે.
\s5
\v 16 ત્યારે પહેલાએ તેની પાસે આવીને કહ્યું કે, 'માલિક, તમારી એક મહોરે બીજી દસ મહોર પેદા કરી છે.
\v 17 તેણે તેને કહ્યું કે, 'શાબાશ, ભલા નોકર, તું નજીવી વાતમાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે, માટે દસ શહેરોનો અધિકારી થા.'
\s5
\v 18 બીજાએ આવીને કહ્યું કે, 'શેઠ , તમારી એક મહોરે પાંચ મહોર પેદા કરી છે.'
\v 19 તેણે તેને પણ કહ્યું કે, 'તું પણ પાંચ શહેરનો ઉપરી થા.'
\s5
\v 20 બીજા નોકરે આવીને કહ્યું કે, 'માલિક, જુઓ , તમારી મહોર આ રહી, મેં રૂમાલમાં બાંધીને તેને સાચવી રાખી હતી,
\v 21 કારણ કે તમારી મને બીક લાગતી હતી, કેમ કે તમે કડક માણસ છો; તમે જે મૂક્યું ન હોય તે ઊઠાવો છો, અને જે વાવ્યું ન હોય તે તમે કાપો છો.'
\s5
\v 22 કુલવાન માણસે તેને કહ્યું, 'ઓ દુષ્ટ નોકર, તારા પોતાના મુખથી હું તારો ન્યાય કરીશ; હું કડક માણસ છું, જે મૂક્યું ન હોય, તે હું ઉઠાવું છું, અને જે વાવ્યું ન હોય તે કાપું છું, એમ તું જાણતો હતો;
\v 23 માટે તેં શાહુકારને ત્યાં મારું નાણું કેમ નહોતું આપ્યું, કે હું આવીને વ્યાજ સહિત તે મેળવી શકત',
\s5
\v 24 પછી જેઓ પાસે ઊભા હતા તેઓને તેણે કહ્યું કે, તેની પાસેથી તે મહોર લઈ લો, અને જેની પાસે દસ મહોર છે તેને આપો.'
\v 25 તેઓએ તેને કહ્યું કે, 'માલિક , તેની પાસે તો દસ મહોર છે!'
\s5
\v 26 હું તમને કહું છું કે, જે કોઈની પાસે છે, તેને અપાશે, અને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે.
\v 27 પરંતુ આ મારા વૈરીઓ કે જેઓ ચાહતા નહોતા કે હું તેઓ પર રાજ કરું, તેઓને અહીં પકડી લાવો, અને મારી આગળ મારી નાખો.'
\s5
\v 28 એમ કહ્યા પછી તે યરૂશાલેમને માર્ગે તેમની આગળ ચાલવા લાગ્યા.
\s5
\v 29 એમ થયું કે ઈસુ બેથફાગે તથા બેથાનિયા પાસે જૈતૂન નામના પહાડ આગળ આવ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને એવું કહી મોકલ્યા કે,
\v 30 'તમે સામેના ગામમાં જાઓ, અને તેમાં પેસતાં જ ગધેડાનું એક વછેરુ બાંધેલું તમને મળશે, તેના પર કોઈ માણસ કદી બેઠું નથી; તેને છોડી લાવો.
\v 31 જો કોઈ તમને પૂછે કે, તેને કેમ છોડો છો? તો એમ કહો કે, પ્રભુને તેની જરૂર છે.'
\s5
\v 32 જેઓને મોકલ્યા તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તે પ્રમાણે તેઓને વછેરુ મળ્યું.
\v 33 તેઓ તેને છોડતા હતા ત્યારે તેના માલિકોએ તેઓને કહ્યું કે, તમે વછેરાને કેમ છોડો છો?'
\v 34 તેઓએ કહ્યું કે, 'પ્રભુને તેની જરૂર છે.'
\v 35 તેઓ તેને ઈસુની પાસે લાવ્યા, અને વછેરા પર પોતાનાં કપડાં નાખીને ઈસુને તેના પર બેસાડ્યા.
\v 36 ઈસુ જતા હતા ત્યારે લોકોએ પોતાનાં કપડાં માર્ગમાં પાથર્યાં.
\s5
\v 37 ઈસુ નજીકમાં જૈતૂન પહાડના ઢોળાવ પાસે આવી પહોચ્યા, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે સઘળાંને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષ કરીને ઊંચે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા કે,
\v 38 'પ્રભુને નામે જે રાજા આવે છે તે આશીર્વાદિત છે! આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા!'
\s5
\v 39 લોકોમાંથી કેટલાએક ફરોશીઓએ ઈસુને કહ્યું કે, 'ઉપદેશક, તમારા શિષ્યોને ધમકાવો.'
\v 40 ઈસુએ ઉત્તર આપ્યો કે, 'હું તમને કહું છું કે જો તેઓ ચૂપ રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે.'
\s5
\v 41 ઈસુ પાસે આવ્યા ત્યારે શહેરને જોઇને તેને લીધે રડ્યા, અને કહ્યું કે,
\v 42 'હે યરુશાલેમ,જો તેં, હા તેં, શાંતિને લગતી જે બાબતો છે તે જો તેં આજે જાણી હોત તો કેવું સારું! પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલી છે.
\s5
\v 43 કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જયારે તારા વૈરીઓ તારી સામે મોરચો માંડશે. તને ઘેરી લેશે, અને ચારે બાજુથી તને દબાવશે.
\v 44 તેઓ તને તથા તારી સાથે રહેતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે, અને તેઓ તારામાં એક પત્થર પર બીજો પત્થર રહેવા દેશે નહિ, કેમ કે તારી કૃપાદ્રષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.'
\s5
\v 45 ઈસુ સભાસ્થાન માં ગયા અને ત્યાંનાં દુકાનદારોને અંદરથી ધકેલી મૂકવા લાગ્યા.'
\v 46 તેણે તેઓને કહ્યું કે, એમ લખ્યું છે કે, 'મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.'
\s5
\v 47 ઈસુ રોજ સભાસ્થાનમાં બોધ કરતા હતા, પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના આગેવાનો તેમને મારી નાખવાની કોશિશ કરતા હતા;
\v 48 શું કરવું તે તેઓને સમઝાયું નહિ; કેમ કે બધા લોકો એકચિત્તે ઈસુને સાંભળતા હતા.
\s5
\c 20
\p
\v 1 તે અરસામાં એક દિવસે એમ થયું કે ઈસુ મંદિરમાં લોકોને બોધ આપતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો પાસે આવીને ઊભા રહ્યા.
\v 2 તેમની સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે, 'અમને કહો કે, કયા અધિકારથી તમે આ કામો કરો છો? આ અધિકાર તમને કોણે આપ્યો છે?'
\s5
\v 3 ઈસુએ તેઓને જવાબ આપતા કહ્યું કે, 'હું પણ તમને એક વાત પૂછું છું, તે મને કહો:
\v 4 યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસોથી?'
\s5
\v 5 તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું કે, 'જો કહીએ કે આકાશથી, તો તે કહેશે, તો તમે તેનું કેમ માન્યું નહિ?
\v 6 અને જો કહીએ કે 'માણસોથી', તો બધા લોકો આપણને પથ્થર મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.'
\s5
\v 7 તેઓએ ઉત્તર આપ્યો કે, 'તે ક્યાંથી હતું એ અમે નથી જાણતા.'
\v 8 ઈસુએ તેઓને કહ્યું કે, "હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું.'
\s5
\v 9 તે લોકોને આ દ્રષ્ટાંત કહેવા લાગ્યા કે, 'એક માણસે દ્રાક્ષાવાડી રોપી, અને તે ખેડૂતોને ભાડે આપી, પછી લાંબા સમય સુધી તે પરદેશ જઈને રહ્યો.
\v 10 મોસમે તેણે ખેડૂતોની પાસે એક નોકરને મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાડીનાં ફળનો ભાગ તેને આપે; પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો.
\s5
\v 11 પછી તેણે બીજા એક નોકરને મોકલ્યો; તેઓએ તેને પણ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે કાઢી મૂક્યો.
\v 12 તેણે ત્રીજા નોકરને મોકલ્યો; અને તેઓએ તેને પણ ઘાયલ કરીને કાઢી મૂક્યો.
\s5
\v 13 દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું કે, 'હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ, તેને જોઈને કદાપિ તેઓ તેનું માન રાખે.'
\v 14 પણ ખેડૂતોએ જયારે તેને જોયો ત્યારે તેઓએ માંહોમાંહે મનસૂબો કરીને કહ્યું કે, આ વારસ છે, ચાલો, આપણે તેને મારી નાખીએ કે વારસો આપણો થાય.
\s5
\v 15 તેઓએ તેને વાડીમાંથી બહાર ધકેલીને મારી નાખ્યો. માટે હવે દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે?
\v 16 તે આવીને ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. અને એ સાંભળીને તેઓએ કહ્યું કે, 'એવું ન થાઓ.'
\s5
\v 17 પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું, કે 'આ જે લખેલું છે તેનો અર્થ શો છે?, એટલે, જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો તે ખૂણાનો મુખ્ય પથ્થર (કોણશિલા) થયો.
\v 18 તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડેટુકડા થઇ જશે, પણ જેના પર તે પડશે તેનો તે છુંદો કરી નાખશે.'
\s5
\v 19 શાસ્ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેમના પર હાથ નાખવાની કોશિષ કરી; પણ તેઓ લોકોથી બીધા, કેમ કે તેઓ સમજ્યા કે, તેમણે આ દ્રષ્ટાંત આપણા પર કહ્યું છે.
\v 20 તેમના પર જાપતો રાખીને તેઓએ ન્યાયી હોવાનું ડોળ રાખનારા જાસૂસોને મોકલ્યા, એ સારુ કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને રાજ્યપાલના હવાલામાં તથા અધિકારમાં સોંપી દે.
\s5
\v 21 તેઓએ ઈસુને પૂછ્યું કે, 'ઉપદેશક, અમે જાણીએ છીએ, કે તમે જે કહો છો અને શીખવો છો સત્ય છે, અને તમે કોઈની શરમ રાખતા નથી, પણ સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો;
\v 22 તો આપણે કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ?'
\s5
\v 23 પણ તેઓનું કપટ જાણીને ઈસુએ તેઓને કહ્યું કે,
\v 24 'મને એક દીનાર (સિક્કો)દેખાડો; એના પર કોની છાપ તથા કોનો લેખ છે?' અને તેઓએ કહ્યું કે, 'કાઈસારનાં.'
\s5
\v 25 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'તો જે કાઈસારનું છે તે કાઈસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો.'
\v 26 લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી શક્યા નહિ, અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ ચૂપ રહ્યા.
\s5
\v 27 સાદૂકીઓ જે કહે છે કે પુનરુત્થાન નથી, તેઓમાંના કેટલાકે તેમની પાસે આવીને પૂછ્યું કે,
\v 28 'ઉપદેશક, મોઝિસે અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ, તેની પત્ની [જીવતી] છતાં, સંતાન વિના મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને પરણે અને પોતાના ભાઈને સારુ સંતાન ઊપજાવે.
\s5
\v 29 હવે, સાત ભાઈ હતા; અને પહેલો પત્નીને પરણીને સંતાન વિના મરી ગયો;
\v 30 પછી બીજાએ તેને પત્ની કરી,અને તેના મૃત્યુ પછી
\v 31 ત્રીજાએ તેને પત્ની કરી. એમ સાતેય ભાઈઓ નિ:સંતાન મૃત્યુ પામ્યા.
\v 32 પછી તે સ્ત્રી પણ મરણ પામી.
\v 33 તો પુનરુત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે તે સાતેય ની પત્ની થઈ હતી.'
\s5
\v 34 ઈસુએ તેઓને કહ્યું કે, 'આ જગતનાં છોકરાં પરણે છે તથા પરણાવાય છે;
\v 35 પણ જેઓ જગતને તથા મરેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતા નથી તથા પરણાવતા નથી;
\v 36 કેમ કે તેઓ ફરીથી મૃત્યુ પામી શકતા નથી; કારણ કે તેઓ દૂતો સમાન છે; પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે.
\s5
\v 37 વળી 'ઝાડવાં' [નામના પ્રકરણ]માં મોઝીસ પ્રભુને ઇબ્રાહીમના ઈશ્વર તથા ઇસહાકના ઈશ્વર તથા યાકૂબના ઈશ્વર કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મૂએલાં ઉઠાડાય છે.
\v 38 હવે તે મૂએલાના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે; કેમ કે બધા તેમને અર્થે જીવે છે.'
\s5
\v 39 શાસ્ત્રીઓમાંના કેટલાકે જવાબ આપતાં કહ્યું કે, 'ઉપદેશક, તમે સાચું કહ્યું.'
\v 40 પછીથી તેમને કશું પૂછવાની તેઓની હિંમત ચાલી નહિ.
\s5
\v 41 ઈસુએ તેઓને કહ્યું કે, 'ખ્રિસ્ત ડેવિડ નો દીકરો છે, એમ લોકો કેમ કહે છે?
\v 42 કેમ કે ડેવિડ પોતે ગીતશાસ્ત્રમાં કહે છે કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે,
\v 43 હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.
\v 44 દાઉદ તો તેમને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?'
\s5
\v 45 સઘળા લોકોના સાંભળતાં ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે,
\v 46 'શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમકે તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, તથા ચોકમાં સલામો પામવાનું તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ પસંદ કરે છે;
\v 47 જેઓ વિધવાઓની મિલકત પડાવી લે છે અને દંભથી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.'
\s5
\c 21
\p
\v 1 ઈસુ ભક્તિસ્થાનમાં ઊંચું જોતા હતા. ત્યાં તેમણે શ્રીમંતોને [ધર્મ] ભંડારમાં પોતાનાં દાન નાખતા જોયા.
\v 2 એક દરિદ્રી વિધવાને તેમાં નજીવા મૂલવાળા બે સિક્કા નાખતા જોઈ,
\v 3 ત્યારે ઈસુએ કહ્યું કે, 'હું તમને સાચું કહું છું કે, આ દરિદ્રી વિધવાએ એ સૌ કરતાં વધારે દાન આપ્યું છે.
\v 4 કેમ કે એ સહુએ પોતાની જરુરીયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક નાખ્યું, પણ તેણે પોતાની તંગીમાં તેની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.'
\s5
\v 5 સુંદર પથ્થરોથી તથા ધર્મ દાનોથી મંદિર કેવું સુશોભિત કરાયેલું છે તે વિષે કેટલાક વાત કરતા હતા, ત્યારે ઈસુએ કહ્યું કે,
\v 6 'આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જયારે અહીં પાડી નંખાશે નહિ એવો એક પથ્થર પણ બીજા પર રહેવા દેવાશે નહિ.'
\s5
\v 7 તેઓએ તેમને પૂછ્યું કે, 'ઉપદેશક, તો એ ક્યારે થશે? જયારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે કઈ નિશાની દેખાશે?'
\v 8 ઈસુએ કહ્યું કે, 'કોઈ તમને ભુલાવે નહિ માટે સાવધાન રહો; કેમકે મારે નામે ઘણા આવીને કહેશે કે, તે હું છું; અને સમય પાસે આવ્યો છે; તો તમે તેઓને અનુસરશો નહિ.'
\v 9 જયારે તમે યુદ્ધોના તથા બળવાઓના સમાચાર સાંભળો ત્યારે ગભરાશો નહિ , કેમકે આ બધું પ્રથમ થાય તે જરુરી છે; પણ એટલેથી અંત આવવાનો નથી.
\s5
\v 10 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે,' પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે;
\v 11 અને મોટા ધરતીકંપો થશે, તથા ઠેરઠેર દુષ્કાળ તથા મરકીઓ થશે; આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા ભયાનક ચિહ્નનો થશે.
\s5
\v 12 પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનો તથા જેલના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા રાજ્યપાલ સમક્ષ લઈ જશે.
\v 13 એ તમારે સારુ સુવાર્તા સંભળાવવા તે તમારે સારુ સાક્ષીરૂપ બની રહેશે.
\s5
\v 14 માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે અગાઉથી ચિંતા કરવી નહિ.
\v 15 કેમકે હું તમને એવું મુખ તથા એવી બુદ્ધિ આપીશ, કે તમારો કોઈ પણ વિરોધી તમારી સાથે વાદવિવાદ કરી શકશે નહિ અને તમારી સામે થઇ શકશે નહિ.
\s5
\v 16 માબાપથી, ભાઈઓથી, સગાથી તથા મિત્રોથી પણ તમે પરાધીન કરાશો; તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે.
\v 17 મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે.
\v 18 પણ તેઓથી તમારા માથાનો એક વાળ પણ વાંકો કરી શકાશે નહિ.
\v 19 તમારી ધીરજથી તમારા જીવને તમે બચાવશો.
\s5
\v 20 પણ જયારે યરૂશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો સમય પાકી ગયો છે.
\v 21 ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ ખેતરોમાં હોય તેઓએ [શહેર]માં આવવું નહિ.
\v 22 કેમકે એ વેર વાળવાના દિવસો છે, એ માટે કે જે લખેલું છે, તે બધું પૂરું થાય.
\s5
\v 23 એ દિવસોમાં જેઓ સગર્ભા હશે તથા જેઓ સ્તનપાન કરાવતી હશે તેઓની હાલત કફોડી થશે. કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને આ લોકો પર કોપ આવી પડશે.
\v 24 તેઓ તરવારની ધારથી માર્યા જશે, અને કેટલાકને ગુલામ બનાવીને અન્ય દેશોમાં લઈ જવાશે; અને બીનવિશ્વાસીઓના સમયો પૂરા થશે, ત્યાં લગી યરૂશાલેમ તેઓથી ખૂંદી નંખાશે.
\s5
\v 25 સૂર્ય તથા ચંદ્ર તથા તારાઓમાં ચિહ્નનો થશે; અને પૃથ્વી પર દેશજાતિઓ, સમુદ્રના મોજાંઓની ગર્જનાથી ત્રાસીને ગભરાઈ જશે.
\v 26 પૃથ્વી ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની ખાતરીથી માણસો થાકી જશે; કેમકે આકાશમાં પરાક્રમો હાલી ઉઠશે.
\s5
\v 27 ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમાસહિત વાદળામાં આવતા જોશે.
\v 28 પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઊઠાવીને તમારાં માથાં ઊંચા કરો, કેમકે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે, એવું સમજવું.
\s5
\v 29 ઈસુએ તેઓને દ્દ્રષ્ટાંત કહ્યું કે, અંજીરી તથા સર્વ વ્રુક્ષોને જુઓ.
\v 30 હવે તેઓ જયારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને આપોઆપ સમજો છો કે ઉનાળો આવી રહ્યો છે.
\v 31 તેમ જ તમે પણ આ સઘળું થતાં જુઓ, ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે છે.
\s5
\v 32 હું તમને નિશ્ચે કહું છું કે, સઘળાં પૂરા થશે ત્યાં સુધી આ પેઢીનો અંત આવશે નહિ.
\v 33 આકાશ તથા પૃથ્વી નાશ પામશે , પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
\s5
\v 34 તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.
\v 35 કેમકે તે દિવસ આખી પૃથ્વી ઉપર વસનારાં સર્વ પર આવી પડવાનો છે.
\s5
\v 36 તમે સતત જાગતા રહો, અને વિનંતી કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની સમક્ષ રજૂ થવા માટે તમે સક્ષમ થાઓ.'
\s5
\v 37 ઈસુ દરરોજ દિવસે ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા અને રાતવાસો જૈતૂન પહાડ પર કરતા હતા.
\v 38 બધા લોકો તેમનું સાંભળવા સારુ વહેલી સવારે તેમની પાસે ભક્તિસ્થાનમાં આવતા હતા.
\s5
\c 22
\p
\v 1 હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખા કહેવાય છે, તે પાસે આવ્યું.
\v 2 ઈસુને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા.
\s5
\v 3 યહૂદા જે ઇશ્કરિયોત કહેવાતો હતો, જે બાર શિષ્યોમાંનો એક હતો, તેનામાં શેતાને પ્રવેશ કર્યો.
\v 4 તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં ઈસુને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મસલત કરી.
\s5
\v 5 તેથી તેઓ ખુશ થયા, અને તેને [લાંચ રૂપે] પૈસા આપવાનું વચન આપ્યું;
\v 6 તે સહમત થયો, અને લોકો હાજર ન હોય ત્યારે ઈસુને તેઓના હાથમાં સોંપવાની તક તે શોધતો રહ્યો.
\s5
\v 7 બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જયારે પાસ્ખાની વિધિ કરવાની હતી.
\v 8 ઈસુએ પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે, 'જઈને આપણે સારુ પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ.'
\v 9 તેઓએ ઈસુને કહ્યું કે, 'અમે ક્યાં તૈયાર કરીએ એ વિષે તમારી શી ઈચ્છા છે?'
\s5
\v 10 ઈસુએ તેઓને કહ્યું કે, 'જુઓ, તમને શહેરમાં પેસતાં પાણીનો ઘડો લઈને જતો એક પુરુષ મળશે, તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ જજો.'
\v 11 ઘરના માલિકને કહેજો કે,' ઉપદેશક તને કહે છે કે, જ્યાં મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે?
\s5
\v 12 તે તમને સરસામાન સહિતની એક મોટી મેડી દેખાડશે, ત્યાં તૈયાર કરો.'
\v 13 તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું, અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું.
\s5
\v 14 વખત થયો ત્યારે તે બેઠા, તથા બાર શિષ્યો તેમની સાથે બેઠા.
\v 15 ઈસુએ તેઓને કહ્યું કે, 'મરણ સહ્યા પહેલાં આ પાસ્ખા તમારી સાથે ખાવાની મારી ઘણી ઇચ્છા હતી.
\v 16 કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરના રાજ્યમાં તે પૂરું થાય ત્યાં સુધી હું તે ફરી ખાઈશ નહિ.'
\s5
\v 17 ઈસુએ પ્યાલો લઈને સ્તુતિ કરીને કહ્યું કે, 'આ લો, અને માંહોમાંહે વહેંચો.
\v 18 કેમકે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી હું હવેથી દ્રાક્ષનો રસ પીનાર નથી.'
\s5
\v 19 પછી ઈસુએ રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપીને કહ્યું કે, 'આ મારું શરીર છે જે તમારે સારુ આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો.'
\v 20 તે પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું કે, 'આ પ્યાલો તમારે સારુ વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.
\s5
\v 21 પણ જુઓ, જે મને પરાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે.
\v 22 માણસનો દીકરો ઠરાવ્યા પ્રમાણે જાય છે ખરો, પણ જે માણસથી તે પરાધીન કરાય છે તેને અફસોસ છે!'
\v 23 તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા, કે' આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે?'
\s5
\v 24 આપણામાં કોણ મોટો ગણાય તે સંબંધી પણ તેઓમાં વાદવિવાદ શરૂ થયો.
\v 25 ઈસુએ તેઓને કહ્યું કે, 'બિનવિશ્વાસીઓના રાજાઓ તેમના પર સત્તા ચલાવે છે અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે.
\s5
\v 26 પણ તમે એવા ન થાઓ; પણ તમારામાં જે મોટો હોય તેણે નાના જેવા થવું, અને જે આગેવાન હોય તેણે સેવક ના જેવા થવું.
\v 27 કેમ કે આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારના જેવો છું.
\s5
\v 28 પણ મારી કપરી કસોટીઓમાં મારી સાથે રહેનાર તમે થયા છો.
\v 29 જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું;
\v 30 કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ અને પીઓ; અને તમે ઇસ્રાએલનાં બાર કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બિરાજો.'
\s5
\v 31 'સિમોન, સિમોન, જો, શેતાને તમને ઘઉંની પેઠે ચાળવા સારુ [કબજે લેવા] માગ્યા.
\v 32 પણ મેં તારે સારુ વિનંતી કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ; અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.'
\s5
\v 33 તેણે તેમને કહ્યું કે, 'પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા તથા મરવા પણ તૈયાર છું.'
\v 34 પણ ઈસુએ કહ્યું કે, 'પિતર, હું તને કહું છું કે, આજે મરઘો બોલ્યા અગાઉ, 'હું તને ઓળખતો નથી', એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરશે.'
\s5
\v 35 પછી તેણે તેઓને પૂછ્યું કે, 'જયારે થેલી તથા પગરખા વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી?' તેઓએ કહ્યું કે, 'કશાની નહિ.'
\v 36 ત્યારે તેમણે તેઓને કહ્યું, 'પણ હમણાં જેની પાસે નાણાં હોય તે રાખે, થેલી પણ રાખે, અને જેની પાસે તરવાર ના હોય તે પોતાનું કપડું વેચીને તરવાર ખરીદી રાખે.
\s5
\v 37 કેમ કે હું તમને કહું છું કે, 'તે અપરાધીઓની સાથે ગણાયો', એવું જે લખેલું છે તે મારા સંદર્ભે હજી પૂરું થવું જોઈએ; કારણ કે મારા સંબંધીની વાતો પૂરી થાય છે.'
\v 38 તેઓએ કહ્યું કે, 'પ્રભુ, જો બે તરવાર આ રહી;' તેણે તેઓને કહ્યું કે, 'એ બસ છે.'
\s5
\v 39 બહાર નીકળીને પોતાની રીત પ્રમાણે ઈસુ જૈતૂન પહાડ પર ગયા; શિષ્યો પણ તેમની પાછળ ગયા.
\v 40 ઈસુ તે જગ્યાએ આવ્યા, ત્યારે તેમણે તેઓને કહ્યું કે, 'પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.'
\s5
\v 41 આશરે પથ્થર ફેંકાય તેટલે દૂર તે તેઓથી ગયા, અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરતાં કહ્યું કે,
\v 42 'હે પિતા, જો તમારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.'
\s5
\v 43 આકાશમાંથી ઈસુને બળ આપતો એક દૂત તેમને દેખાયો.
\v 44 તેમણે વેદના સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી, અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.
\s5
\v 45 પ્રાર્થના કરીને ઊઠયા પછી ઈસુ પોતાના શિષ્યોની પાસે પાછા આવ્યા, ત્યારે તેઓને થાકને લીધે નિદ્રાવશ થયેલા જોયા,
\v 46 ઈસુએ તેઓને કહ્યું કે, 'કેમ ઊંઘો છો? ઊઠીને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો.'
\s5
\v 47 તે હજી બોલતા હતા એટલામાં, જુઓ, ઘણા લોકો આવ્યા, યહૂદા નામે બાર શિષ્યોમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; તે ઈસુને ચુંબન કરવા સારુ તેમની પાસે આવ્યો.
\v 48 પણ ઈસુએ તેને કહ્યું, 'શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરાધીન કરે છે?'
\s5
\v 49 જેઓ તેમની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઇને તેમને પૂછ્યું , 'પ્રભુ, અમે તરવાર મારીએ શું?'
\v 50 તેઓમાંનાં એકે મુખ્ય યાજકના ચાકરને તરવારનો ઝટકો માર્યો, અને તેનો જમણો કાન કાપી નાખ્યો.
\v 51 પણ ઈસુએ જણાવ્યું કે,'હવે બસ કરો' . અને તેમણે ચાકરના કાનને સ્પર્શીને સાજો કર્યો.
\s5
\v 52 જે મુખ્ય યાજકો તથા ભક્તિસ્થાનના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, 'જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તરવારો તથા લાકડીઓ લઈને કેમ આવ્યા છો?
\v 53 હું રોજ તમારી સાથે ભક્તિસ્થાનમાં હતો, ત્યારે તમે મારા પર હાથ નહોતા નાખ્યા; પણ હાલ તમારો સમય અને અંધકારનું જોર છે.'
\s5
\v 54 તેઓ ઈસુની ધરપકડ કરીને લઈ ગયા. મુખ્ય યાજકના ઘરમાં તેમને લાવ્યા. પણ પિતર દૂર રહીને તેમની પાછળ ચાલતો હતો.
\v 55 ચોકની વચમાં તાપણું સળગાવીને તેઓ તાપવા બેઠા ત્યારે પિતર તેઓની સાથે બેઠો હતો.
\s5
\v 56 એક છોકરીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ સતત જોઈ રહીને કહ્યું કે, 'આ માણસ પણ તેમની સાથે હતો.'
\v 57 પણ પિતરે ઇન્કાર કરીને કહ્યું કે, 'બહેન, હું તેમને ઓળખતો નથી.'
\v 58 થોડી વાર પછી બીજાએ તેને જોઈને કહ્યું કે,'તું પણ તેઓમાંનો છે.' પણ પિતરે કહ્યું, 'અરે, ભાઈ, હું એમાંનો નથી.'
\s5
\v 59 આસરે એક કલાક પછી બીજાએ ખાતરીથી કહ્યું કે, 'ખરેખર આ માણસ પણ તેમની સાથે હતો, કેમકે તે ગાલીલનો છે.'
\v 60 પણ પિતરે કહ્યું, 'અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી.' અને તરત, તે બોલતો હતો એટલામાં મરઘો બોલ્યો.
\s5
\v 61 પ્રભુએ ફરીને પિતરની સામે જોયું. અને પિતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે, 'ઈસુએ તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.'
\v 62 તે બહાર જઈને બહુ જ રડ્યો.
\s5
\v 63 ઈસુ જે માણસોના હવાલે હતા તેઓએ તેમની ઠેકડી ઉડાવી અને તેમને માર માર્યો.
\v 64 તેઓએ તેમની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે 'કહી બતાવો, તમને કોણે માર્યા?'
\v 65 તેઓએ તેમની નિંદા કરીને તેની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું.
\s5
\v 66 દિવસ ઊગતા જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ભેગા થયા; અને તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે,
\v 67 'જો તમે ખ્રિસ્ત હો , તો અમને કહો.' પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'જો હું તમને કહું, તો તમે વિશ્વાસ કરવાના નથી
\v 68 વળી જો હું પૂછીશ તો તમે મને જવાબ આપવાના નથી.'
\s5
\v 69 પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરના પરાક્રમને જમણે હાથે બિરાજશે.
\v 70 લોકોએ કહ્યું, 'તો શું, તમે ઈશ્વરના દીકરા છો?' તેમણે તેઓને કહ્યું કે, 'તમે કહો છો તે મુજબ હું તે છું.'
\v 71 અને તેઓએ કહ્યું કે, હવે આપણને પુરાવાની શી જરૂર છે? કેમ કે આપણે પોતે તેમના મુખથી જ સાંભળ્યું છે.
\s5
\c 23
\p
\v 1 અને તેઓનો આખો સમુદાય ઊઠીને ઈસુને પિલાતની પાસે લઇ ગયા.
\v 2 અને તેઓ તેમના પર એવો આરોપ મૂકવા લાગ્યા કે, 'અમને એવું માલૂમ પડ્યું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસાર રાજાને કર આપવાની મના કરે છે, અને કહે છે કે, હું પોતે ખ્રિસ્ત એક રાજા છું.'
\s5
\v 3 અને પિલાતે [ઈસુને] પૂછ્યું, 'શું તું યહૂદીઓના રાજા છો?' અને તેમણે તેનો ઉત્તર આપતા કહ્યું, 'તમે કહો છો તે બરાબર છે.'
\v 4 અને પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું, 'આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી.'
\v 5 પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે, 'ગાલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં [ઈસુ] બોધ કરીને લોકોને ઉશ્કેરે છે.'
\s5
\v 6 પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું કે, શું, 'આ માણસ ગાલીલના છે?'
\v 7 અને ઈસુ હેરોદના અધિકાર નીચે છે એમ તેણે જાણ્યું, ત્યારે તેમને હેરોદની પાસે મોકલ્યા; [હેરોદ] પોતે પણ તે દિવસોમાં યરૂશાલેમમાં હતો.
\s5
\v 8 હવે હેરોદ ઈસુને જોઈને ઘણો ખુશ થયો; કેમકે તેમના સંબંધી તેણે સાંભળ્યું હતું, માટે ઘણા દિવસથી તે તેમને જોવા ઇચ્છતો હતો; અને મારા દેખતાં તે કંઈ ચમત્કાર કરશે એવી આશા તે રાખતો હતો.
\v 9 હેરોદે તેમને ઘણી વાતો પૂછી, પણ ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહિ.
\v 10 અને મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેમના ઉપર આવેશથી આરોપ મૂકતા હતા.
\s5
\v 11 અને હેરોદે પોતાના સિપાઈઓ સહિત તેમનો તુચ્છકાર કરીને તથા મશ્કરી કરીને તેમને રાજવી વસ્ત્ર પહેરાવીને પિલાતની પાસે પાછા મોકલ્યા.
\v 12 અને તે જ દિવસે પિલાત તથા હેરોદ એક બીજાના મિત્ર થયા; એ પહેલા તો તેઓ એક બીજા પર વેર રાખતા હતા.
\s5
\v 13 અને પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકને સમૂહમાં બોલાવીને
\v 14 તેઓને કહ્યું કે, 'આ માણસ લોકને ભુલાવે છે, એવું કહીને તમે તેમને મારી પાસે લાવ્યા છો; પણ, જુઓ, મેં તમારી આગળ ઈસુની તપાસ કર્યા છતાં, જે વાતોનો તમે તેમના પર આરોપ મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ ઈસુમાં મને જણાયો નથી;
\s5
\v 15 તેમ જ હેરોદને પણ જણાયો નથી ; કેમકે તેણે તેમને અમારી પાસે પાછા મોકલ્યા; અને જુઓ, મરણદંડને યોગ્ય તેમણે કશું જ કર્યું નથી.
\v 16 માટે હું તેમને થોડી શિક્ષા કરીને છોડી દઈશ.'
\v 17 હવે પાસ્ખાપર્વ નિમિતે તેઓને સારુ કોઈએક અપરાધીને છોડી દેવો પડતો હતો.
\s5
\v 18 પણ તેઓએ ઊંચે અવાજે કહ્યું કે, 'ઈસુને લઈ જાઓ, અને બરાબાસને અમારે સારુ છોડી દો.'
\v 19 એ બરાબાસ તો શહેરમાં કેટલાક દંગા તથા હત્યા કરવાને લીધે જેલમાં નંખાયો હતો.
\s5
\v 20 ત્યારે ઈસુને છોડી દેવાની ઇચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો.
\v 21 પણ તેઓએ પોકારીને કહ્યું કે, 'એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો.'
\v 22 અને તેણે ત્રીજી વાર તેઓને કહ્યું કે, 'શા માટે? તેણે શું ખોટું કર્યું છે? તેમનામાં મરણદંડને યોગ્ય મને કંઈ માલૂમ પડ્યું નથી; માટે હું તેને થોડી શિક્ષા કરીને મુક્ત કરી દઈશ.'
\s5
\v 23 પણ તેઓએ મોટે અવાજે દુરાગ્રહથી માગ્યું કે 'તેમને વધસ્તંભે જડાવો.' અને છેવટે તેઓનું ધાર્યું થયું.
\v 24 અને પિલાતે હુકમ કર્યો કે 'તેઓના માગ્યા પ્રમાણે કરવામાં આવે.'
\v 25 અને દંગો તથા ખૂન કરવાને લીધે જે માણસ જેલમાં પુરાયો હતો, અને જેને તેઓએ માગ્યો હતો, તેને તેણે છોડી દીધો, પણ ઇસુને તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા.
\s5
\v 26 અને તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન નામે કુરેનીનો એક માણસ જે બહારગામથી આવતો હતો તેને તેઓએ પકડ્યો, અને તેના ખભા પર વધસ્તંભ ચઢાવ્યો, કે તે ઊંચકીને તે ઈસુની પાછળ ચાલે.
\s5
\v 27 લોકો તેમ જ રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ, સંખ્યાબંધ માણસો, ઈસુની પાછળ પાછળ ચાલતા હતા.
\v 28 પણ ઈસુએ તેઓની તરફ ફરીને કહ્યું કે, 'યરૂશાલેમની દીકરીઓ, મારે માટે રડો નહિ, પણ પોતાને માટે તથા તમારા બાળકોને માટે રડો.
\s5
\v 29 કેમ કે એવા દિવસો આવશે કે જેમાં તેઓ કહેશે કે, જેઓ નિ:સંતાન છે તથા જેઓને પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી સ્તનપાન કરાવ્યું નથી, તેઓ પ્રસંશાપાત્ર છે.'
\v 30 ત્યારે તેઓ પહાડોને કહેશે કે, 'અમારા પર પડો'; અને ટેકરાઓને કહેશે કે, અમને દબાવી દો.'
\v 31 કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું કરશે?
\s5
\v 32 બીજા બે માણસ, જે ગુનેગાર હતા, તેઓને મારી નાખવા સારુ તેમની સાથે લઈ જતા હતા.
\s5
\v 33 ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેમને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ, અને બીજાને ડાબી તરફ, વધસ્તંભે જડ્યા.
\v 34 ઈસુએ કહ્યું, 'હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.' ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમનાં વસ્ત્ર અંદરોઅંદર વહેચી લીધા.
\s5
\v 35 લોકો એ જોતા ઊભા રહ્યા હતા. અને અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતા હતા કે, 'તેમણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, [એટલે] તેમનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે.'
\s5
\v 36 સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી, અને પાસે આવીને સરકો આપવા લાગ્યા,
\v 37 અને કહ્યું કે, 'જો તું યહૂદીઓનો રાજા હો તો પોતાને બચાવ.'
\v 38 તેમના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે, 'આ યહૂદીઓના રાજા છે.'
\s5
\v 39 તેમની સાથે ટીંગાડેલ ગુન્હેગારોમાંના એકે તેમની નિંદા કરીને કહ્યું કે, 'શું તમે ખ્રિસ્ત નથી? તમે પોતાને તથા અમને બચાવો.'
\v 40 પણ બીજાએ ઉત્તર આપતાં તેને ધમકાવીને કહ્યું કે, 'તું તે જ શિક્ષા ભોગવે છે તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી?'
\v 41 આપણે તો વાજબી રીતે શિક્ષા [ભોગવીએ છીએ], કેમ કે આપણા કામનું યોગ્ય ફળ આપણે પામીએ છીએ; પણ એમણે તો કશું ખોટું કર્યું નથી.
\s5
\v 42 તેણે કહ્યું કે, 'હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.'
\v 43 ઈસુએ તેને કહ્યું કે, હું તને ચોક્ક્સ કહું છું કે,' આજ તું મારી સાથે પારાદૈશમાં હોઈશ.'
\s5
\v 44 હમણાં લગભગ બપોર થઈ હતી, અને ત્રીજા પહોર સુધી સૂર્ય[નું તેજ] ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધકાર વ્યાપ્યો હતો.
\v 45 વળી સભાસ્થાનનો પડદો વચમાંથી ફાટી ગયો.
\s5
\v 46 ઈસુએ મોટી બૂમ પાડી, અને કહ્યું કે,' ઓ પિતા, હું મારો આત્મા આપના હાથમાં સોંપું છું;' તેમણે એમ કહીને પ્રાણ છોડ્યો.
\v 47 જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે, 'ખરેખર આ તો ન્યાયી માણસ હતો.'
\s5
\v 48 જે લોકો એ જોવા સારુ એકઠા થયા હતા તેઓ સઘળા, જે થએલું હતું તે જોઈને છાતી ફૂટતા કરતા પાછા ગયા.
\v 49 તેમના સઘળા ઓળખીતાઓ તથા જે સ્ત્રીઓ ગાલીલમાંથી તેમની પાછળ પાછળ આવી હતી, તેઓ દૂર ઊભાં રહીને આ જોતા હતાં.
\s5
\v 50 હવે યૂસફ નામે ન્યાયસભાનો એક સભ્ય હતો. તે સારો તથા ન્યાયી માણસ હતો,
\v 51 તે યહૂદીઓના એક શહેર અરિમથાઈનો હતો, તેણે તેઓના નિર્ણય તથા કામમાં સંમતિ આપી નહોતી. અને તે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો.
\s5
\v 52 તેણે પિલાતની પાસે જઈને ઈસુનો મૃતદેહ માગ્યો.
\v 53 તેણે ઈસુના મૃતદેહને ઉતારીને શણના કાપડમાં વીંટીને ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યો , જ્યાં કદી કોઈને દફનાવવામાં આવ્યો નહોતો.
\s5
\v 54 તે દિવસ સિદ્ધિકરણનો હતો, અને વિશ્રામવાર નજીક આવ્યો હતો.
\v 55 જે સ્ત્રીઓ તેમની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેમનો મૃતદેહ શી રીતે મૂકાયો હતો તે જોયું.
\v 56 તેઓએ પાછા આવીને સુગંધી તથા અત્તર તૈયાર કર્યાં. નિયમ પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો.
\s5
\c 24
\p
\v 1 અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી.
\v 2 તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો જોયો.
\v 3 તેઓ કબરની અંદર ગઈ, પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ.
\s5
\v 4 એમ થયું કે, એ સંબંધી તેઓ ગુંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા.
\v 5 તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, 'મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો?
\s5
\v 6 તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા,
\v 7 ત્યારે તેમણે તમને કહ્યું હતું કે, પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય અને ત્રીજે દિવસે પાછા ઊઠે એ જરૂરનું છે.'
\s5
\v 8 તેમની [ઈસુની]વાતો તેઓને યાદ આવી.
\v 9 કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર [શિષ્યોને] તથા બીજા સર્વને એ બધી વાતો કહી.
\v 10 હવે જેઓએ આ વાત પ્રેરિતોને કહી તે મરિયમ માગ્દાલિની, યોહાન્ના, યાકૂબની [મા] મરિયમ તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓ હતી.
\s5
\v 11 એ વાતો તેઓને અક્કલ વગરની લાગી, અને તેઓએ તેનું માન્યું નહિ.
\v 12 પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે વસ્ત્રો એકલા પડેલા જોયા; અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં તે આશ્ચર્ય પામતો પોતાને ઘેર ગયો.
\s5
\v 13 તે જ દિવસે તેઓમાં બે, એમ્મોસ નામનું એક ગામ યરૂશાલેમથી ચારેક ગાઉ દૂર છે, ત્યાં જતા હતા.
\v 14 આ બધી બનેલી બીનાઓ વિષે તેઓ એક બીજાની સાથે વાત કરતા હતા.
\s5
\v 15 એમ થયું કે તેઓ એક બીજાની સાથે વાત કરતા તથા અંદરોઅંદર સવાલ પૂછતા હતા, ત્યારે ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યા.
\v 16 પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેમને ઓળખે શક્યા નહિ.
\s5
\v 17 ઈસુએ તેઓને કહ્યું કે,'તમે ચાલતાં ચાલતાં એક બીજાની સાથે શી વાત કરો છો?' તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા.
\v 18 કલિયોપાસ નામે એકે ઉત્તર આપતાં કહ્યું કે, 'શું, યરૂશાલેમમાં રહેનારાઓમાંનો એકલા તમે જ આ દિવસોમાં બનેલા બિનાઓ નથી જાણતા ?
\s5
\v 19 તેણે તેઓને કહ્યું કે, 'કઈ બિનાઓ?' તેઓએ તેને કહ્યું કે, 'ઈસુ નાઝીરી, જે ઈશ્વરની આગળ તથા સઘળા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતા, તે સંબંધીની બિનાઓ;
\v 20 વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેમને મરણદંડ ભોગવવા સારુ પરાધીન કર્યા, અને તેમને વધસ્તંભે જડાવ્યા.
\s5
\v 21 પણ અમે આશા રાખતા હતા કે, ઈઝરાયલને જે ઉદ્ધાર આપવાના હતા તે એ છે; વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજ ત્રીજો દિવસ થયો.
\s5
\v 22 વળી અમારામાંની કેટલીએક સ્ત્રીઓ જેઓ કબર આગળ વહેલી ગઈ હતી, તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું,
\v 23 એટલે તેઓએ તેમનો મૃતદેહ જોયો નહિ, ત્યારે તેઓએ આવીને કહ્યું કે, 'અમને દૂતોનું દર્શન પણ થયું હતું, કે જેઓએ કહ્યું કે તે જીવિત છે.
\v 24 અમારી સાથેના કેટલાક કબર આગળ ગયા, અને જેમ સ્ત્રીઓએ કહ્યું હતું તેમ જ તેઓને જોવા મળ્યું; પણ તેમને તેઓએ જોયા નહિ.'
\s5
\v 25 તેમણે તેઓને કહ્યું કે, 'ઓ અણસમજુઓ, તથા પ્રબોધકોએ જે કહ્યું છે, તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદબુદ્ધિનાઓ!
\v 26 શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું?'
\v 27 મોઝિસ થી તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેમણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.
\s5
\v 28 જે ગામે તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા, ત્યારે તેમણે જાણે કે આગળ જવાનું કર્યું.
\v 29 તેઓએ તેમને આગ્રહ કરીને કહ્યું કે, 'અમારી સાથે રહો; કેમ કે સાંજ થવા આવી છે અને દિવસ નમી ગયો છે.' અને તેઓની સાથે રહેવા સારુ તે અંદર ગયા.
\s5
\v 30 એમ થયું કે, તે તેઓની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપી.
\v 31 ત્યારે તેઓની આંખો ઉઘડી અને તેઓએ તેમને ઓળખ્યા; એટલામાં તેઓની દ્રષ્ટિમાંથી તે અદ્દ્રશ્ય થઈ ગયા.
\v 32 તેઓએ એક બીજાને કહ્યું કે, 'જયારે તેઓ માર્ગમાં આપણી સાથે વાત કરતા હતા, અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણા મન આપણામાં જવંલત નહોતાં થતાં શું?'
\s5
\v 33 તે જ ઘડીએ તેઓ ઊઠીને યરૂશાલેમ તરફ પાછા વળ્યા, અને અગિયાર [શિષ્યો]ને તથા તેઓની સાથેનાઓને એકઠા થએલા જોયા,
\v 34 કે, જેઓ કહેતા હતા કે, 'પ્રભુ ખરેખર ઊઠ્યા છે, અને સિમોનને તેમનું દર્શન થયું છે.'
\v 35 ત્યારે તેઓએ માર્ગમાં બનેલા બનાવ તથા રોટલી ભાંગતાં તે તેઓથી કેવી રીતે ઓળખાયા હતા તે કહી બતાવ્યું.
\s5
\v 36 તેઓ એ વાતો કહતા હતા, ત્યારે [ઈસુ] પોતે તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે કે, 'તમને શાંતિ થાઓ.'
\v 37 પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે, અમારા જોવામાં કોઈ આત્મા આવે છે.
\s5
\v 38 તેમણે તેઓને કહ્યું કે, 'તમે કેમ ગભરાઓ છો, અને તમારાં મનમાં તર્કવિતર્ક કેમ થાય છે?
\v 39 મારા હાથ તથા મારા પગ જુઓ, કે એ હું પોતે છું; મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છે કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતાં નથી.'
\v 40 એ કહ્યા પછી તેમણે તેઓને હાથ તથા પગ બતાવ્યા.
\s5
\v 41 તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને આશ્ચર્ય પામતા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારી પાસે કંઈ ખાવાનું છે?'
\v 42 તેઓએ ઈસુને શેકેલી માછલીનો ટુકડો આપ્યો,
\v 43 ઈસુએ તે લઈને તેઓની આગળ ખાધો.
\s5
\v 44 ઈસુએ તેઓને કહ્યું કે, 'હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, જે મોઝિસના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી લખ્યું છે તે બધું પૂરું થવું જોઈએ.'
\s5
\v 45 ત્યારે ધર્મલેખો સમજવા સારુ ઈસુએ તેઓનાં મન ખોલ્યાં.
\v 46 ઈસુએ તેઓને કહ્યું કે, 'એમ લખ્યું છે, કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ;
\v 47 યરૂશાલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપનિવારણ પ્રગટ કરાવાં જોઈએ.
\s5
\v 48 એ વાતના સાક્ષીઓ તમે છો.
\v 49 હું મારા પિતાનું વચન તમારા પર મોકલું છું; પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ઠિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો.'
\s5
\v 50 બેથાનિયાની સામે તેઓને બહાર લઈ ગયા પછી તેમણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો.
\v 51 એમ થયું કે ઈસુ તેઓને આશીર્વાદ આપતા હતા એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને આકાશમાં લઈ લેવાયા.
\s5
\v 52 તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરૂશાલેમમાં પાછા વળ્યા.
\v 53 અને તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા.