gu_ulb/45-ACT.usfm

1659 lines
405 KiB
Plaintext
Raw Permalink Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

\id ACT ACT-FREE Bible Gujarati
\ide UTF-8
\rem Copyright Information:Creative Commons Attribution-Share Alike 4.0 License
\h પ્રેરિતોનાં કૃત્યો
\toc1 પ્રેરિતોનાં કૃત્યો
\toc2 પ્રે.કૃ.
\toc3 act
\mt1 પ્રેરિતોનાં કૃત્યો
\is લેખક
\ip આ પુસ્તકનો લેખક લૂક વૈદ છે. પ્રેરિતોનાં કૃત્યોનાં ઘણાં બનાવોનો લૂક પ્રત્યક્ષ સાક્ષી હતો અને તે તેના ઘણાં સત્રોમાંના “અમે” શબ્દના ઉપયોગ દ્વારા સાબિત થાય છે (16:10-17; 20:5-21:18; 27:1-28:16). પારંપારિક રીતે તેને બિનયહૂદી માનવામાં આવે છે અને મૂળભૂત રીતે તે સુવાર્તા પ્રચારક હતો.
\is લખાણનો સમય અને સ્થળ
\ip લખાણનો સમય અંદાજિત ઇ.સ. 60 થી 63 ની વચ્ચેનો છે.
\ip લખાણનાં ચાવીરૂપ સ્થળો યરુશાલેમ, સમરૂન, લોદ, જોપ્પા, અંત્યોખ, ઇકોનિયા, લુસ્ત્રા, દર્બે, ફિલિપ્પી, થેસ્સલોનિકા, બરૈયા, આથેન્સ, કરિંથ, એફેસસ, કાઈસારિયા, માલ્ટા તથા રોમ હોય શકે છે.
\is વાંચકવર્ગ
\ip લૂકે આ પુસ્તક થિયોફિલને લખ્યું હતું (1:1). દુઃખદ વાસ્તવિક્તા એ છે કે થિયોફિલ કોણ હતો તે વિષે વધારે માહિતી મળતી નથી. કેટલીક સંભાવનાઓ એ છે કે તે લૂકનો આશ્રયદાતા હતો અથવા તો થિયોફિલ નામ (જેનો અર્થ “ઈશ્વર પ્રેમી” થાય છે) નો સાર્વત્રિક ઉપયોગ બધા જ ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરવા થાય છે.
\is હેતુ
\ip પ્રેરિતોનાં કૃત્યોનો હેતુ મંડળીનો જન્મ અને વિકાસનું વર્ણન કરવાનો છે. તે યોહાન બાપ્તિસ્મી, ઈસુ અને બાર શિષ્યોએ સુવાર્તાઓમાં શરૂ કરેલ સંદેશને આગળ ધપાવે છે. તે, પેન્ટીકોસ્ટના દિવસે પવિત્ર આત્માનું આગમન થયું ત્યારથી લઈને ખ્રિસ્તી વિશ્વાસના પ્રસારનો હેવાલ આપે છે.
\is મુદ્રાલેખ
\ip સુવાર્તાનો પ્રસાર
\iot રૂપરેખા
\io1 1. પવિત્ર આત્માનું વચન — 1:1-26
\io1 2. પેન્ટીકોસ્ટ: પવિત્ર આત્માનું પ્રગટીકરણ — 2:1-4
\io1 3. પિતરના સેવાકાર્ય દ્વારા મંડળીનો જન્મ — 2:5-8:3
\io1 4. મંડળીનો ફેલાવો યહૂદિયા અને સમરૂનમાં — 8:4-12:25
\io1 5. ખ્રિસ્ત વિશ્વાસનો દુનિયાના દૂરના ભાગોમાં પ્રસાર — 13:1-28:31
\s5
\c 1
\p
\v 1 પ્રિય થિયોફિલ, ઈસુએ જે કર્યું તથા શીખવ્યું, તેમાંની ઘણી બાબતો વિષે મેં મારા પ્રથમ પુસ્તકમાં તને લખ્યું છે
\v 2 તેમને ઈશ્વરે સ્વર્ગમાં લઈ લીધા ત્યાં સુધી.સ્વર્ગમાં ગયા પહેલાં તેમણે પવિત્ર આત્માના પરાક્રમ દ્વારા જે વાતો તેમના પસંદ કરેલા પ્રેરિતોને જણાવવા માંગતા હતા તે કહી.
\v 3 વધસ્તંભ પર દુઃખ સહન કરીને મરણ પામ્યા પછી, તેઓ ફરી સજીવન થયા.ચાળીસ દિવસો સુધી તેણે પ્રેરિતોને દર્શન આપતા રહ્યા, અને ઈશ્વરના રાજ્ય વિષે જણાવ્યું.
\s5
\v 4 એક વખત જયારે તેઓ તેમની સાથે હતા, ત્યારે તેમણે તેઓને જણાવ્યું, “યરુશાલેમ છોડશો નહિ.પણ, જ્યાં સુધી મારા પિતા જેમ તેમણે વચન આપ્યું છે તેમ, તેમનો આત્મા તમારા પર મોકલે નહિ ત્યાં સુધી અહિ રાહ જુઓ. મેં તમને તે સંબંધી કહ્યું છે તે તમે સાંભળ્યું છે.
\v 5 યોહાને પાણીથી લોકોનું બાપ્તિસ્મા કર્યું, પણ થોડા દિવસ પછી ઈશ્વર પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.”
\s ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં લઈ લેવાયા
\s5
\p
\v 6 એક દિવસે પ્રેરિતો જયારે ઈસુની સાથે બેઠા હતા, ત્યારે તેઓએ તેમને પૂછ્યું,” પ્રભુ, શું તમે આ સમયે હવે ઇઝરાયલીઓને તેઓના રાજ્યને ફરીથી સોંપવાનો છે?”
\v 7 તેમણે તેઓને ઉત્તર આપ્યો, “એ બધું ક્યારે થશે તે સમય અને દિવસ વિષે તમારે જાણવાની જરૂર નથી.એ બધું ક્યારે બનશે તે મારા પિતા બાપ જ સમયો અને તારીખો નક્કી કરવા માટે અધિકૃત છે.
\v 8 પણ જયારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તે તમને બળવાન કરશે. ત્યારે તમે યરુશાલેમમાં અને યહૂદિયાના પ્રદેશોમાં, સમરુનમાં અને આખી દુનિયામાં મારા વિષે લોકો ને જણાવશો.”
\s5
\v 9 તેઓને આ બાબત કહ્યા પછી, તેઓના દેખતા તેમને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા, અને વાદળે તેમને તેમની દ્રષ્ટિથી દુર રાખ્યા.
\v 10 જ્યારે પ્રેરિતો હજુ આકાશ તરફ તાકીને તેમને જતાં જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક બે સફેદ વસ્ત્રો પહેરેલા પુરુષો તેમની સાથે ઊભા હતા. તેઓ દૂતો હતા.
\v 11 તેઓમાંના એકે કહ્યું,” ઓ ગાલીલના લોકો, તમારે અહી ઊભા રહીને આકાશ તરફ તાકી રહેવાની જરૂર નથી! એક દિવસ એ જ ઈસુ, જેમને ઈશ્વરે તમારી પાસેથી સ્વર્ગમાં લઈ, લીધા છે, તેઓ પૃથ્વી પર પાછા આવશે. જેમ તમે તેમને સ્વર્ગમાં જતાં જોયા છે તેવી જ રીતે તેઓ પાછા આવશે.”
\s યહૂદાનો અનુગામી
\s5
\p
\v 12 ત્યારપછી તે બે દૂતો ગયા, પ્રેરિતો જૈતૂન પર્વત પરથી યરુશાલેમ પાછા આવ્યા, જે યરુશાલેમથી થોડા અંતરે આવેલ હતો.
\v 13 શહેરમાં પ્રવેશ્યા પછી, ઉપલી મેડી જ્યાં તેઓ રહેતા હતા ત્યાં પાછા આવ્યા.જેઓ ત્યાં હતા તેઓમાં પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન જે ઝનૂની હતો અને બીજો એક વ્યક્તિ જેનું નામ યાકૂબ હતું તેનો દીકરો યહૂદા.
\v 14 આ બધા પ્રેરિતો એ સાથે મળીને સતત પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું. બીજા જેઓ તેમની સાથે પ્રાર્થના કરતા હતા તેઓમાં જે સ્ત્રીઓ ઈસુની સાથે હતી, એટલે ઈસુની મા મરિયમ અને તેમના બીજા નાના ભાઈઓ હતા.
\s5
\v 15 તે દિવસોમાં પિતર સાથી વિશ્વાસીઓ મધ્યે ઊભો થયો. ત્યાં આશરે 120 જેટલા ઈસુના અનુયાયીઓનું જૂથ હતું. તેણે કહ્યું,
\v 16 “મારા ભાઈઓ, યહૂદાના સંબંધમાં દાઉદ રાજાએ લાંબા સમય પહેલા લખ્યું હતું. તે શબ્દો સાચા પડે તે જરૂરી હતું, અને એમ થયું, કારણ કે પવિત્ર આત્માએ દાઉદને એ પ્રમાણે લખવા જણાવ્યું હતું.
\s5
\v 17 યહૂદા આપણા જેવો જ પ્રેરિત હતો છતાં, જેઓ ઈસુને પકડવા અને મારી નાખવા ઇચ્છા રાખતા હતા તેમને તેણે દોર્યા.”
\v 18 આ માણસ આવું ભૂંડું કરવા દ્વારા નાણા કમાયો.આ નાણાથી તેણે એક ખેતર ખરીદ્યું. ત્યાં તે ભૂમિ પર તે પડી ગયો, તેનું શરીર ફાટી ગયું અને તેના બધા આંતરડા બહાર નીકળી ગયા.
\v 19 બધા લોકો જેઓ યરુશાલેમમાં રહેતા હતા તેઓએ તે વિષે સાંભળ્યું, તેથી તેઓએ તે ખેતરનું નામ તેમની અરેમિક ભાષામાં, અકેલ્દામા પાડ્યું, જેનો અર્થ” લોહીનું ખેતર” થાય છે.
\s5
\v 20 પિતરે પણ કહ્યું, “હું જોઉં છું કે યહૂદાને જે થયું તે દાઉદે જે કહ્યું તેના જેવું જ છે: ‘તેનો વંશ નાબૂદ થાય; તેમાં કોઈ એક પણ બાકી ના બચે. અને એવું લાગે છે કે આ બીજા શબ્દો જે દાઉદે કહ્યા તે પણ યહૂદાના સંબંધમાં છે: ‘બીજો કોઈ આગેવાન તરીકેનું તેનું કાર્ય સંભાળે.’”
\s5
\v 21 “તેથી આપણ પ્રેરિતો માટે એ પસંદ કરવું જરૂરી છે કે કોઈ માણસ યહૂદાની જગ્યા લે. તે એવો માણસ હોય કે જે જયારે પ્રભુ ઈસુ આપણી સાથે હતા તે બધો સમય આપણી સાથે હોય.
\v 22 એટલે કે, યોહાન બાપ્તિસ્મી જેણે ઈસુનું બાપ્તિસ્મા કર્યું ત્યારથી માંડીને ઈસુ આપણાથી છુટા પડ્યા અને સ્વર્ગે જવા પાછા ઊઠ્યા તે દિવસ સુધી. જે માણસને યહૂદાની જગ્યાએ મૂકવામાં આવે તે એવો હોય કે જેણે ઈસુને મૃત્યુમાંથી સજીવન થયેલા જોયા હોય.”
\v 23 તેથી પ્રેરિતોએ અને બીજા વિશ્વાસુઓએ બે માણસોના નામ સૂચવ્યા. એકનું નામ યૂસફ બર્સબા, જેનું નામ યુસ્તસ પણ હતું. બીજો માણસ માથ્થિયાસ હતો.
\s5
\v 24 પછી તેઓએ પ્રાર્થના કરી: “પ્રભુ ઈસુ, તમે જાણો છો દરેક માણસ તેના હૃદયમાં શું વિચારે છે, તેથી કૃપા કરી અમને બતાવો કે યહૂદાની જગ્યા એ આ બેમાંથી કોને પસંદ કર્યો છે.”
\v 25 યહૂદા પ્રેરિત તરીકે મટી ગયો. તેણે પાપ કર્યું અને જે જગ્યાને માટે તે યોગ્ય હતો ત્યાં તે ગયો.
\v 26 પછી તેઓએ બંને વચ્ચે પસંદગી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી. ચિઠ્ઠી માથ્થિયાસના નામની નીકળી, અને તે બીજા અગિયાર પ્રેરીતોની સાથે પ્રેરિત બન્યો.
\s5
\c 2
\s પવિત્ર આત્માનું ઊતરવું
\p
\v 1 યહૂદીઓ જયારે પચાસમાના પર્વની ઉજવણી કરી રહ્યા હતા તે દિવસે, બધા વિશ્વાસીઓ યરુશાલેમમાં એક જગ્યાએ ભેગા થયા હતા.
\v 2 અચાનક તેમણે આકાશમાંથી આવતો ઘૂઘવતા પવન જેવો અવાજ સાંભળ્યો. આખા ઘરમાં જ્યાં તેઓ બેઠેલા હતા તેઓ બધાએ તે અવાજ સાંભળ્યો.
\v 3 પછી તેમણે આગની જ્વાળાઓ જેવું કંઈક જોયું. આ જ્વાળાઓ એકબીજાથી અલગ થઈ અને તેમાંની એક તેઓમાંના દરેક વિશ્વાસીઓના માથા પર ઉતરી આવી.
\v 4 પછી બધા વિશ્વાસીઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને, જેમ આત્માએ તેમને શક્તિ આપી તેમ તેઓ વિવિધ ભાષાઓ બોલવા લાગ્યા.
\s5
\v 5 તે સમયે ઘણા યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા. તેઓ યહૂદીઓ હતા જેઓ હમેશા ઈશ્વરની આરાધના કરતા હતા.તેઓ ઘણા વિવિધ દેશોમાંથી આવેલા હતા.
\v 6 જયારે તેઓએ પવનના જેવો મોટો અવાજ સાંભળ્યો, ત્યારે લોકોનું ટોળું જ્યાં વિશ્વાસીઓ હતા ત્યાં ભેગું થયું.ટોળું આશ્ચર્ય પામ્યું કેમ કે તેઓમાંના દરેકે વિશ્વાસીઓને તેમની પોતાની ભાષામાં બોલતા સાંભળ્યા.
\v 7 તેઓએ ખુબ આશ્ચર્ય પામીને એકબીજાને કહ્યું કે,” આ બધા માણસો જેઓ બોલી રહ્યા છે તેઓ ગાલીલ ના છે, તો તેઓ આપણી ભાષાઓ કેવી રીતે જાણી શકે?
\s5
\v 8 પણ આપણે તેઓને આપણી પોતાની ભાષામાં બોલતા સાંભળીએ છીએ જે આપણે જન્મથી શીખેલા છીએ!
\v 9 આપણામાંના ઘણા પાર્થીયા અને મીડિયા અને એલામના, અને બીજાઓ મેસોપોટેમિયા, યહૂદિયા, કપાદોકિયા, પોન્તસ અને આસિયા પ્રદેશના છીએ.
\v 10 ત્યાં કેટલાક લોકો ફ્રુગિયા અને, પામ્ફૂલિયા, મિસર, અને કુરેની શહેર પાસેના લીબિયાના પ્રદેશના હતા.ત્યાં અમારામાંના કેટલાક રોમથી આવેલા જે યરુશાલેમમાં મુલાકાતીઓ હતા.
\v 11 તેઓમાં સ્થાનિક યહૂદીઓ તેમ જ બિનયહૂદીઓ જેઓ યહૂદીઓ થએલાં તેઓ પણ હતા. અને અમારામાંના બીજા કેટલાક ક્રીત ટાપુથી આવેલા અને આરબ પ્રદેશમાંથી આવેલા હતા.તો ઈશ્વરે જે મહાન કાર્યો કર્યા છે તે વિષે આ લોકો આપણી ભાષામાં કેવી રીતે બોલી શકે?”
\s5
\v 12 લોકો ખુબ આશ્ચર્યમાં હતા અને શું થઈ રહ્યું હતું તેને વિષે શું સમજવું તે તેઓ જાણતા ન હતા. તેથી તેઓએ એકબીજાને પૂછ્યું,” આનો શો અર્થ હોઈ શકે?”
\v 13 પણ તેઓમાંના કેટલાકે તેમણે જે જોયું તેના વિષે મશ્કરી કરી.તેમણે કહ્યું, “આ લોકો આવી રીતે બોલે છે કેમ કે તેમણે નવો દ્રાક્ષારસ ખૂબ પીધો છે.!”
\s પિતરનો સંદેશો
\s5
\p
\v 14 તેથી પિતરે બીજા અગિયાર પ્રેરિતો સાથે ઊભા થઈને મોટેથી ટોળાંમાંના લોકોને જણાવ્યું; તેણે કહ્યું, “ઓ યહૂદિયાના માણસો અને બીજા જેઓ યરુશાલેમમાં રહેનારા, તમે બધા, મારું સાંભળો, અને જે થઈ રહ્યું છે તે વિષે હું તમને સમજાવીશ!
\v 15 તમારામાંના કેટલાક એવું વિચારે છે કે આ લોકો પીધેલા છીએ, પણ તેઓ પીધેલા નથી. હજુ તો સવારના નવ જ વાગ્યા છે અને અહીંના લોકો દિવસના આ સમયે પીધેલા હોતા નથી!
\s5
\v 16 પણ તેના કરતા, અમારી સાથે જે બન્યું તે યોએલ પ્રબોધકે જે લાંબા સમય પહેલા લખ્યું હતું તે ચમત્કારિક બાબત છે.તેણે લખેલું: ઈશ્વર કહે છે,
\v 17 ‘અંતના દિવસોમાં, હું મારો પવિત્ર આત્મા સર્વ લોકોને આપીશ, અને તમારા દીકરા અને દીકરીઓ મારા સંદેશાઓ લોકોને જણાવશે, અને જુવાનો અને વૃદ્ધ માણસો સ્વપ્ન જોશે.
\s5
\v 18 એ દિવસોમાં હું મારા સેવકોને મારો પવિત્ર આત્મા આપીશ, જેથી તેઓ લોકોને મારા સંદેશાઓ આપી શકે.
\v 19 આકાશમાં હું અદ્ભુત બાબતો કરીશ, અને તેમ જ અદ્ભુત બાબતો પૃથ્વી પર બનશે તે બતાવવા માટે હું ચમત્કારો કરીશ.અહી પૃથ્વી પર સર્વત્ર લોહી, આગ અને ધૂમાડો હશે.
\s5
\v 20 લોકોને આકાશમાં સૂર્ય અંધકારમય અને ચંદ્ર તેમને લાલ દેખાશે.હું, પ્રભુ ઈશ્વર, સર્વનો ન્યાય કરવા આવીશ તે પહેલા એ બધી બાબતો બનશે.
\v 21 અને જેઓ મદદ માટે પ્રભુને પોકારશે તેમને હું બચાવીશ.”
\s5
\v 22 પિતરે બોલવાનું ચાલુ રાખ્યું,” મારા સાથી ઇઝરાયલીઓ, મારું સાંભળો! જયારે નાસરેથના ઈસુ તમારી મધ્યે જીવ્યા, ત્યારે ઈશ્વરે તેમને મોકલીને ઘણા પરાક્રમો, આશ્ચર્યો અને ચમત્કારો કરવાની શક્તિ આપીને તમને એ સાબિત કર્યું કે તેઓ ઈશ્વર પાસેથી આવેલા હતા.તમે પોતે એ જાણો છો કે તે સાચું છે.
\v 23 ઈશ્વરે તે વિશે ઠરાવેલું હતું કે, આ માણસ ઈસુને તેમના દુશ્મનોના હાથમાં સોંપવામાં આવશે. અને તમે દુષ્ટ માણસોની સહાયથી ઈસુને વધસ્તંભે જડાવ્યાં અને મારી નાખ્યાં.
\v 24 તે મરણ પામ્યા, પણ ઈશ્વરે તેમને પાછા ઉઠાડ્યાં, કેમ કે તેઓ મરણ પામેલા રહે તે શક્ય ન હતું.ઈશ્વરે ઈસુ ને ફરીથી સજીવન કર્યા.
\s5
\v 25 મસીહાએ જે કહ્યું તે સંબંધી દાઉદ રાજાએ લાંબા સમય અગાઉ લખ્યું હતું કે, તમે પ્રભુ ઈશ્વર, હમેશા મારું સંન્મુખ છો. તમે મારી જમણી બાજુએ છો, જેઓ મને નુકશાન કરવા માંગે છે તેમનાથી હું ગભરાઇશ નહિ.
\v 26 તેથી મારું હૃદય હર્ષ પામ્યું અને હું આનંદ પામ્યો, જો કે હું કોઈક દિવસ મરણ પામીશ તો પણ હું જાણું છું કે તમે મને હમેશા મદદ કરશો.
\s5
\v 27 જ્યાં મરણ પામેલાઓ છે તે જગ્યામાં તમે મને નહિ રાખો. તમે મારા શરીરનો નાશ પણ નહિ થવા દો, કેમ કે હું તમારો પ્રિય છું અને હમેશા તમારી આજ્ઞા પાળું છું.
\v 28 તમે મને બતાવ્યું છે કે ફરી જીવંત કેવી રીતે થવું. તમે મને આનંદિત કરશો કેમ કે તમે હમેશા મારી સાથે રહેશો.”
\s5
\v 29 પિતરે આગળ કહ્યું, “મારા સાથી યહૂદીઓ, મને ખાતરી છે કે આપણો પૂર્વજ, દાઉદ, મરણ પામ્યો, અને લોકોએ તેને દફ્નાવ્યો. અને જે જગ્યામાં તેઓએ તેને દફ્નાવ્યો તે જગ્યા આજે પણ અહી છે.
\v 30 દાઉદ રાજા એક પ્રબોધક હતો અને તેને જાણ્યું કે ઈશ્વરે તેને વચન આપ્યું હતું કે તેના વંશજોમાનો એક રાજા બનશે.
\v 31 લાંબા સમય અગાઉ દાઉદ જાણતો હતો કે ઈશ્વર શું કરવાના છે. તેણે કહ્યું કે ઈશ્વર ઈસુ ખ્રિસ્તને મરણ પામ્યા પછી સજીવન કરશે. ઈશ્વર તેમને કબરમાં રહેવા દેશે નહિ, અને તેમના શરીરનો નાશ થવા દેશે નહિ.”
\s5
\v 32 આ માણસ ઈસુને મરણ પામ્યા પછી ઈશ્વરે તેમને ફરીથી સજીવન કર્યા. આપણામાંના સર્વ, તેમના અનુયાયીઓ એ જાણીએ છીએ, કેમ કે આપણે તેમને જોયા છે.
\v 33 ઈસુને ઈશ્વર તેમના પિતાએ, તેમને જમણે હાથે બેસાડીને તેમની સાથે રાજ્ય કરવા દઈને મોટું માન આપ્યું છે.તેમણે આપણને પવિત્ર આત્મા આપ્યો છે, અને એ જ છે જે આજે તમે અહીં જોઈ અને સાંભળી રહ્યા છો.
\s5
\v 34 આપણે એ જાણીએ છીએ કે દાઉદ પોતાના વિષે કહેતો નથી કારણ કે, જેવી રીતે ઈસુ ઉપર સ્વર્ગમાં ગયા તેવી રીતે દાઉદ ગયો નહોતો.તે સાથે, દાઉદે પોતે ઈસુ મસીહ વિષે આ કહ્યું છે: પ્રભુ ઈશ્વરે મારા પ્રભુ મસીહને કહ્યું કે, અહીં મારા જમણા હાથે રાજ કરો,
\v 35 જ્યાં સુધી હું તારા દુશ્મનોને સંપૂર્ણ હરાવી દઉં ત્યાં સુધી.’”
\v 36 પિતરે એમ કહીને પૂરું કર્યું,” તેથી હું ઇચ્છું છું કે તમે અને બીજા ઇઝરાયલીઓ એ જાણો કે, આ જ ઈસુ જેને તમે વધસ્તંભે જડયા અને મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ અને ખ્રિસ્ત બંને બનાવ્યા છે.”
\s5
\v 37 પિતરે અને બીજા પ્રેરિતોએ જે કહ્યું તે લોકોએ સાંભળ્યું ત્યારે, તેઓએ જાણ્યું કે તેમણે ખોટું કર્યું છે. લોકોએ તેઓને કહ્યું,” અમારે શું કરવું જોઈએ?”
\v 38 પિતરે તેઓને જવાબ આપ્યો, “તમારામાંના દરેકે તમારા પાપી વર્તનથી પાછા ફરવું જોઈએ.જો તમે અત્યારે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશો તો અમે તમને બાપ્તિસ્મા આપીશું. ઈશ્વર તમારા પાપ માફ કરશે, અને તેઓ તમને તેમનો પવિત્ર આત્મા આપશે.
\v 39 ઈશ્વરે તમારા માટે અને તમારા બાળકોને માટે, અને બીજા જે બધા ઈસુમાં વિશ્વાસ કરે છે, તેઓ અહીંથી દૂર રહેતા હોય તેઓને માટે પણ આ કરવાનું વચન આપ્યું છે. આપણા પ્રભુ ઈશ્વર તેમનો પવિત્ર આત્મા આપણને જેઓને તેમણે તેમના લોકો થવા બોલાવ્યા છે તેઓને આપશે!”
\s5
\v 40 પિતર ઘણું બોલ્યો અને તેમને ભારપૂર્વક કહ્યું. તેણે તેઓને કહ્યું, “ઈશ્વર પાસે માંગો કે તેઓ તમને બચાવે જેથી જયારે ઈસુનો નકાર કરનારા આ દુષ્ટ લોકોને તેઓ શિક્ષા કરે ત્યારે તમને શિક્ષા ન કરે!”
\v 41 તેથી જે લોકોએ પિતરના સંદેશા પર વિશ્વાસ કર્યો તેઓ બાપ્તિસ્મા પામ્યા.તેઓમાંથી તે દિવસે વિશ્વાસીઓના સમૂહ માં આશરે ત્રણ હજાર જોડાયાં.
\v 42 પ્રેરિતો જે શીખવતા હતા તેને તેઓ સતત આધીન થતા હતા.તેઓ ઘણીવાર બીજા વિશ્વાસીઓને મળતા હતા અને તેઓ સાથે મળીને ખોરાક ખાતા તેમ જ રોજ સાથે પ્રાર્થના કરતા હતા.
\s વિશ્વાસ કરનારાઓનું જીવન
\s5
\p
\v 43 સર્વ લોકો જેઓ યરુશાલેમમાં હતા તેઓ ઈશ્વરને ઘણું માન આપતા હતા કારણ કે પ્રેરિતો ઘણી ચમત્કારિક બાબતો કરતા હતા.
\v 44 સર્વ જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો તેઓએ એ બાબતો પર પણ વિશ્વાસ કર્યો અને તેઓ નિયમિત રીતે એકઠા મળતા હતા. તેમની પાસે જે કઈ હતું તે તેઓ એકબીજાની સાથે વહેંચતા હતા.
\v 45 તેઓ સમય આવ્યે તેમની પોતાની જમીન અને બીજી વસ્તુઓ વેચી દેતા હતા, અને દરેકની જરૂરિયાત પ્રમાણે તે નાણા અન્ય લોકોને આપતા હતા.
\s5
\v 46 તેઓએ દરરોજ મંદિરના વિસ્તારમાં એકઠા મળવાનું ચાલુ રાખ્યું. તેઓ ઘરે સાથે મળીને ભોજન કરતા અને તેમ કરીને તેમની પાસે જે કઈ હતું તે એકબીજા સાથે વહેંચીને આનંદ પામતા.
\v 47 એમ કરીને તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા, અને યરુશાલેમના સર્વ લોકો તેમને માન આપતા હતા.આવી બાબતો બની રહી હતી ત્યારે જેઓને તેમના પાપોની શિક્ષામાંથી બચાવવામાં આવ્યા હતા તેઓને પ્રભુ ઈસુ દરરોજ ઉમેરતા હતા.
\s5
\c 3
\s લંગડો માણસ સાજો કરાયો
\p
\v 1 એક દિવસ પિતર અને યોહાન મંદિરમાં જતા હતા, બપોરના ત્રણ વાગ્યા હતા, તે સમયે લોકો ત્યાં પ્રાર્થના કરતા હતા.
\v 2 ત્યાં એક માણસ હતો કે જે જન્મ્યો ત્યારથી ચાલી શકતો ન હતો. તે મંદિરના પ્રવેશ દ્વારે સુંદર નામના દરવાજા આગળ બેસતો હતો. લોકો દરરોજ તેને ત્યાં લઈ જતા હતા કે જેથી જેઓ મંદિરમાં જતા તેઓની પાસે તે નાણા માગી શકે.
\v 3 પિતર અને યોહાન મંદિરમાં પ્રવેશતા હતા ત્યારે તે તેમની પાસે નાણાની માગણી કરવા લાગ્યો.
\s5
\v 4 પિતર અને યોહાન તેની તરફ જોઈ રહ્યા હતા ત્યારે, પિતરે તેને કહ્યું” અમારી તરફ જો!”
\v 5 તેથી તેણે નાણા મળવાની અપેક્ષાએ તેમની તરફ તાકીને જોયું.
\v 6 ત્યારે પિતરે તેને કહ્યું,” મારી પાસે સોનું કે રૂપું નથી, પણ હું તારા માટે જે કરી શકું છું તે હું કરીશ.ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં સાજો થા. ઊઠીને ચાલ!”
\s5
\v 7 પછી પિતરે તે માણસનો જમણો હાથ પકડીને તેને ઊભા થવા મદદ કરી. તે જ ક્ષણે તે માણસની ઘૂંટીઓમાં જોર આવ્યું.
\v 8 તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો! પછી તે ચાલતો અને કૂદતો, પ્રભુની સ્તુતિ કરતો પિતર અને યોહાનની સાથે મંદિરમાં પ્રવેશ્યો!
\s5
\v 9 સર્વ લોકોએ તેને મંદિરમાં ચાલતો અને ઈશ્વરની સ્તુતિ કરતો જોયો.
\v 10 તેઓએ જાણ્યું કે મંદિરના સુંદર દરવાજા આગળ બેસીને નાણા માંગતો હતો તે એ જ માણસ હતો! તેથી જે માણસો ત્યાં હતા તેઓ તેને જે થયું હતું તે જોઈને આશ્ચર્ય પામ્યા.
\s મંદિરમાં પિતરનો સંદેશો
\s5
\p
\v 11 તે માણસ પિતર અને યોહાનને વળગી રહ્યો હતો ત્યારે બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને શું વિચારવું તે તેમને સમજણ પડી નહિ! તેથી તેઓ મંદિરમાં સુલેમાનની કહેવાતી પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા.
\v 12 જયારે પિતરે લોકોને જોયા, ત્યારે તેને તેઓને કહ્યું, “ઇઝરાયલી માણસો, આ માણસને જે થયું તેથી તમારે આશ્ચર્ય પામવું ન જોઈએ! જાણે અમે અમારી શક્તિથી આ માણસને ચાલતો કર્યો હોય તેમ અમારી સામે કેમ જૂઓ છો?
\s5
\v 13 તેથી હું તમને જણાવીશ કે ખરેખર શું બની રહ્યું છે આપના પૂર્વજો, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ ઈશ્વરનું ભજન કરતા હતા.અને હવે ઈશ્વરે ઈસુને બહુ મહિમાવાન કર્યા છે. તમારા આગેવાનો ઈસુને રાજ્યપાલ પિલાત પાસે લાવ્યા કે જેથી તેના સૈનિકો તેમને શિક્ષા કરે. પિલાતે ઈસુને છોડી દેવાનો નિર્ણય કર્યો ત્યારે તમે જ ઈસુનો નકાર કર્યો હતો.
\v 14 ઈસુ, ઈશ્વર તરફના ઇઝરાયલના મસીહ અને ન્યાયી હતા તો પણ તમે તેને બદલે એક ખૂનીને મુક્ત કરવાની માંગણી કરી!
\s5
\v 15 ઈશ્વરે એ ધ્યાનમાં લીધું છે કે તમે ઈસુને જે લોકોને અનંતજીવન આપે છે તેમને મારી નાખ્યા છે. પણ ઈશ્વરે તેમને ફરી સજીવન કર્યા છે. તેમના જીવંત થયા પછી અમે ઘણી વખત જોયા છે.
\v 16 ઈસુ પરના વિશ્વાસને કારણે આ માણસ ફરીથી શક્તિમાન થઈને તમારી સમક્ષ ચાલતો થયો છે.”
\s5
\v 17 હવે મારા સાથી દેશવાસીઓ, તમે અને તમારા આગેવાનોએ ઈસુને મારી નાખ્યા, કારણ કે તમે જાણતા ન હતા કે તેઓ મસીહ હતા.
\v 18 તથાપિ, ઈશ્વરે અગાઉથી જણાવ્યું હતું કે લોકો ઈસુને મારી નાખશે. ઈશ્વરે પ્રબોધકો મારફતે કહાવ્યું હતું કે લોકો ખ્રિસ્ત સાથે કેવું વર્તન કરશે. તેઓએ લખ્યું કે મસીહ જેમને ઈશ્વર મોકલશે તે મરણ સહન કરશે.
\s5
\v 19 તેથી તમારા પાપી માર્ગથી પાછા ફરો અને ઈશ્વરને જે ગમે છે તે કરવા તેઓ તમને મદદ કરે તેમ જણાવો, કે જેથી તે તમારા સર્વ પાપોની માફી આપે કે જેથી તે તમને બળવાન કરે.
\v 20 જો તમે એમ કરશો તો, તમે જાણશો કે ઈશ્વર તમને મદદ કરી રહ્યા છે, અને કોઈક દિવસ તેઓ ફરી ખ્રિસ્તને પૃથ્વી પર મોકલશે, જે તેમની પાસેથી તમને મળ્યા છે અને તે તો ઈસુ છે.
\s5
\v 21 ઈશ્વરે જે સર્જન કર્યું છે તે નવું થાય ત્યાં સુધી ઈસુએ સ્વર્ગમાં રહેવું જોઈએ. ઘણા સમય અગાઉ ઈશ્વરે તેમ કરવાનું વચન આપ્યું હતું અને તમને જણાવવા પવિત્ર પ્રબોધકોને પસંદ કર્યા હતા.
\v 22 દાખલા તરીકે, મૂસા પ્રબોધકે મસીહ સંબંધી જણાવ્યું: પ્રભુ તમારા ઈશ્વર મારા જેવો પ્રબોધક તમારી મધ્યે મોકલશે.તે તમને જે કહે તે બધું તમારે સાંભળવું જ જોઈએ.
\v 23 જેઓ તે પ્રબોધકનું નહિ સાંભળે અને તેને આધીન નહિ થાય, તેઓ ઈશ્વરના લોક તરીકે લાંબા સમય સુધી અસ્તિત્વ નહિ ધરાવે, ઈશ્વર તેમનો નાશ કરશે.’”
\s5
\v 24 પિતરે ચાલુ રાખતા કહ્યું,” આ દિવસોમાં શું બનશે તે વિષે બધા પ્રબોધકો એ કહ્યું છે. શમુએલ સહિત તે બધા પ્રબોધકો એ તે ઘટનાઓ બને તે પહેલા તેના વિષે પછીથી કહ્યું છે.
\v 25 ઈશ્વરે આપણા પૂર્વજોને ભારપૂર્વક આશીર્વાદ આપવાનું જયારે વચન આપ્યું ત્યારે, ચોક્કસ તમને પણ આશીર્વાદ આપવાનું વચન આપ્યું. તેમણે ઇબ્રાહિમને મસીહ વિષે કહ્યું, ‘તમારા પૂર્વજો જે કરશે તેના પરિણામ રૂપે, હું પૃથ્વી પરની સર્વ દેશજાતિઓને આશીર્વાદ આપીશ.’”
\v 26 પિતરે અંતમાં કહ્યું,” તેથી જયારે ઈશ્વરે ઈસુને મસીહ તરીકે સેવા કરવા પૃથ્વી પર મોકલ્યા, ત્યારે પ્રથમ ઓ ઇઝરાયલીઓ, તેમણે તમારી પાસે તેમને મોકલ્યા કે તેઓ તમને આશિષ આપે કે જેથી જે ભૂંડું છે તે કરતા તમે અટકી જાઓ.
\s5
\c 4
\s પિતર અને યોહાન સાન્હેદ્રિન સભા આગળ
\p
\v 1 તે દરમ્યાન ત્યાં મંદિરના આંગણામાં કેટલાક યાજકો હતા. ત્યાં મંદિરના રક્ષકોનો અધિકારી અને સદૂકી જૂથ ના કેટલાક સભ્યો હતા. આ બધા લોકો પિતર અને યોહાનની પાસે આવ્યા ત્યારે તેઓ બંને લોકોની સાથે વાત કરતા હતા.
\v 2 આ માણસો બહુ ગુસ્સામાં હતા કારણ કે, બે પ્રેરિતો લોકોને ઈસુ સંબંધી શીખવતા હતા.તેઓ લોકોને જે કહી રહ્યા હતા તે એ કે, ઈસુને મારી નંખાયા પછી ઈશ્વરે તેમને સજીવન કર્યા.
\v 3 તેથી એ માણસોએ પિતર તથા યોહાનને પકડીને જેલમાં પૂર્યા.યહૂદી ન્યાયસભાને પિતર અને યોહાનની તપાસ કરવા માટે બીજા દિવસ સુધી રાહ જોવી પડી, કારણ કે, સાંજ પડી ગઈ હતી.
\v 4 તો પણ ઘણા લોકો જેઓએ પિતરને બોલતા સાંભળ્યો તેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો. જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો તેઓની સંખ્યા પાંચ હજાર સુધી વધી.
\s5
\v 5 બીજે દિવસે અધિકારીઓ, વડીલો, યહૂદી કાયદા જાણનાર શિક્ષકોને, અને યહૂદી ન્યાયસભાના અન્ય સભ્યોને બોલાવ્યા, અને તેઓને યરુશાલેમમાં એક જગ્યાએ ભેગા કર્યા.
\v 6 આન્નાસ, પૂર્વ મહા યાજક ત્યાં હતો. વળી નવો મુખ્ય યાજક કાયાફાસ, યોહાન અને આલેકસાંદર, અને મુખ્ય યાજકના બીજા સગાઓ પણ ત્યાં હતા.
\v 7 તેઓએ રક્ષકોને પિતર અને યોહાન ને ઓરડામાં લાવવા આદેશ કર્યો અને પછી તેઓએ પિતર અને યોહાનની પૂછપરછ કરતા કહ્યું,” આ માણસ કે જે ચાલી શકતો ન હતો તેને સાજો કરવાનો બળ તથા અધિકાર તમને કોણે આપ્યો છે?”
\s5
\v 8 જેમ પવિત્ર આત્માએ પિતરને શક્તિ આપી, તેમ પિતરે તેઓને જવાબ આપતા કહ્યું,” ઓ સાથી ઇઝરાયલીઓ, અને વડીલો, જેઓ અમારા પર અધિકાર ચલાવો છો, અને બીજા સર્વ આગેવાનો, મારું સાંભળો!
\v 9 આ માણસ જે ચાલી શકતો ન હતો તેના સંબંધમાં એક સારું કામ જે અમે કર્યું, તેના સંબંધી તમે અમને પૂછો છો કે તે કેવી રીતે સાજો થયો. તો તમને અને સર્વ ઇઝરાયલીઓને મારે આટલું કહેવાનું છે:
\v 10 નાસરેથના ઈસુ ખ્રિસ્તનાં નામે આ માણસ સાજો થયો છે, તેથી જ તે અત્યારે તમારી સમક્ષ ઊભો રહેવા સમર્થ થયો છે. તમે ઈસુને વધસ્તંભ ઉપર જડ્યાં અને મારી નાખ્યા છે, પણ ઈશ્વરે તેમને સજીવન કર્યા છે.
\s5
\v 11 નાસરેથના ઈસુ ખ્રિસ્તનાં સંબંધમાં શાસ્ત્ર આ પ્રમાણે કહે છે:” જે પથ્થરને બાંધનારાઓએ ફેંકી દીધો તે મકાનનો મુખ્ય પથ્થર બન્યો છે.”
\v 12 કેવળ ઈસુ જ આપણને બચાવી શકે છે, કારણ કે દુનિયામાં ઈશ્વરે બીજો કોઈ માણસ આપ્યો નથી કે જે આપણને પાપોના દોષથી બચાવી શકે!”
\s5
\v 13 યહૂદી આગેવાનોને ખાતરી થઈ કે પિતર અને યોહાન તેમનાથી ગભરાતા નહોતા.તેઓને એ પણ ખબર પડી કે આ બંને સાધારણ માણસો હતા જેઓ કોઈ શાળામાં શીખેલા નહોતા. તેથી આગેવાનો આશ્ચર્ય પામ્યા. તેઓએ જાણ્યું કે તેઓએ ઈસુની સાથે સમય ગાળ્યો હતો.
\v 14 તેઓએ એ પણ જોયું કે જે માણસને સાજો કરવામાં આવ્યો હતો તે પિતર અને યોહાનની સાથે ઊભો હતો, તેથી તેઓ તેમની વિરુદ્ધ કઈ બોલી શકે તેમ નહોતા.
\s5
\v 15 યહૂદી આગેવાનોએ રક્ષકોને પિતર, યોહાન, અને સાજા થએલાં માણસને બેઠક ખંડ જ્યાં તેઓ સભા માટે મળ્યા હતા ત્યાંથી બહાર લઈ જવા જણાવ્યું. તેઓએ એ પ્રમાણે કર્યા પછી આગેવાનોએ પિતર અને યોહાન સંબંધી એકબીજા સાથે વાત કરી.
\v 16 તેઓએ કહ્યું,” આ બંને માણસોને આપણે સજા કરી શકીએ એવી કોઈ બાબત નથી! યરુશાલેમમાં રહેનારા દરેક જણ જાણે છે કે તેઓએ અદ્ભુત ચમત્કાર કર્યો છે, તેથી એવું કઈ બન્યું નથી તેમ આપણાથી કહી શકાય તેમ નથી!
\v 17 તો પણ, તેઓ ઈસુ વિષે બીજા લોકોને જે શીખવે છે તે આપણે ચલાવી શકીએ નહિ. તેથી આપણે આ માણસોને કહેવું જોઈએ કે, જો તેઓ બીજાને આ માણસ કે જેના વિષે તેઓ જણાવે છે કે તેણે આ માણસને સાજો કરવાની શક્તિ આપી, તેના સંબંધી શીખવવાનું ચાલુ રાખશે તો અમે તેમને શિક્ષા કરીશું.”
\v 18 તેથી યહૂદી આગેવાનોએ રક્ષકોને તે બંને પ્રેરિતોને પાછા ખંડમાં લાવવા કહ્યું. રક્ષકોએ એમ કર્યા પછી, તેઓએ તે બન્નેને જણાવ્યું કે તેઓએ હવેથી કોઈને પણ ઈસુ વિષે કહેવું કે શીખવવું નહિ.
\s5
\v 19 પણ પિતર અને યોહાને કહ્યું,” શું ઈશ્વર એ યોગ્ય માનશે કે અમે તમારું માનીએ અને તેમનું નહિ? શું યોગ્ય છે તે અમે તમને જ નક્કી કરવા દઈએ.
\v 20 પણ અમે તો, તમારું માની શકીએ તેમ નથી. ઈસુએ જે કર્યું અને શીખવ્યું તે સંબંધી લોકોને કહેવાથી અમે અટકી શકતા નથી.”
\s5
\v 21 પછી યહૂદી આગેવાનોએ ફરીથી પિતર અને યોહાનને તેમની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવા જણાવ્યું, પણ તેઓએ તેમને શિક્ષા કરવી નહિ એવું નક્કી કર્યુ, કારણ કે યરુશાલેમના સર્વ લોકો અપંગ માણસના સંબંધમાં જે બન્યું તેને લીધે ઈશ્વરની સ્તુતિ કરતા હતા.
\v 22 તે ચાલીસ કરતા વધારે વર્ષનો હતો, અને તે જન્મ્યો ત્યારથી ચાલી શકતો ન હતો.
\s વિશ્વાસીઓ હિંમત માટે પ્રાર્થના કરે છે
\s5
\p
\v 23 ન્યાયસભામાંથી નીકળ્યા પછી, પિતર અને યોહાન અન્ય વિશ્વાસીઓની પાસે ગયા અને મુખ્ય યાજકો તેમ જ વડીલોએ જે તેમને કહ્યું હતું તે કહી સંભળાવ્યું.
\v 24 જયારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓએ એક મતે પ્રભુને પ્રાર્થના કરી કે,” ઓ પ્રભુ! તમે આકાશ, પૃથ્વી અને સમુદ્ર, તથા તેમાં જે છે તે દરેકના બનાવનાર છો.
\v 25 પવિત્ર આત્માએ અમારા પૂર્વજ દાઉદ, જે તમારો સેવક હતો, તેના દ્વારા આ શબ્દો લખાવ્યા: ‘શા માટે દુનિયાના લોકજૂથો ગુસ્સામાં છે, અને ઇઝરાયલી લોકો ઈશ્વર વિરુદ્ધ વ્યર્થ યોજનાઓ કરે છે?
\s5
\v 26 પૃથ્વીના રાજાઓ ઈશ્વરના અધિકારીની વિરુદ્ધ લડવા તૈયાર થયા છે, અને અધિકારીઓ તેમની સાથે જોડાયાં છે કે તેઓ પ્રભુ ઈશ્વર અને ખ્રિસ્ત જેમને તેઓએ અભિષેક કર્યા છે તેઓની વિરુદ્ધ ઉઠે.’”
\s5
\v 27 એ સાચું છે! હેરોદ અને પોંતિયસ પિલાત, બંને બિનયહૂદીઓ અને ઇઝરાયલીઓ સાથે મળીને, ઈસુ, જેમને તમે મસીહ તરીકે સેવા કરવા અભિષેક કર્યા તેમની વિરુદ્ધ આ શહેરમાં ઊઠ્યા છે.
\v 28 તમે તેઓને એમ કરવા દીધું કારણ કે, એ બન્યા અગાઉ લાંબા સમય પહેલા તમે નક્કી કર્યું હતું.”
\s5
\v 29 “તેથી હવે, હે પ્રભુ, અમને તેઓ કેવી રીતે શિક્ષા કરશે તેના સંબંધી તેઓ જે કહે છે તે તમે સાંભળો! દરેક ઈસુની વાત કહેવા દ્વારા તમારી સેવા કરવા અમારી મદદ કરો!
\v 30 તમારા પવિત્ર સેવક ઈસુના નામમાં સાજાપણાંના મોટા ચમત્કારો, ચિહ્નો, અને અદ્ભુત કાર્યો કરવા તમારું પરાક્રમ દેખાડો!”
\v 31 જયારે વિશ્વાસીઓએ પ્રાર્થના કરવાનું પૂરું કર્યું, ત્યારે જ્યાં તેઓ એકઠા થયા હતા તે જગ્યા ધ્રુજી. પવિત્ર આત્માએ જેમ તેમને શક્તિ આપી તેમ તેઓ હિંમતથી ઈશ્વરે તેમને કહેલા વચનો બોલવા લાગ્યા, અને આ પ્રમાણે તેઓએ કર્યું.
\s સામૂહિક જીવન અને સહિયારી મિલકત
\s5
\p
\v 32 વિશ્વાસ કરનારા લોકોનું જૂથ તેઓ જે વિચારતા હતા અને ઇચ્છતા હતા તે સંબંધી પૂરી સહમતી ધરાવતું હતું. તેઓમાંનો કોઈ એવું કહેતો ન હતો કે આ વસ્તુ મારા એકલાની જ છે, પણ તેને બદલે, તેમની પાસે જે કઈ હતું તે એકબીજા સાથે તેઓ વહેંચતા હતા.
\v 33 પ્રેરિતોએ સામર્થ્યથી બીજાને જણાવવાંનું ચાલુ રાખ્યું કે ઈશ્વરે ઈસુ પ્રભુને સજીવન કર્યા છે. અને ઈશ્વર સર્વ વિશ્વાસીઓને ખૂબ મદદ કરતા હતા.
\s5
\v 34 વિશ્વાસીઓમાના કેટલાક જેમની પાસે જમીન કે મકાનો હતા તેઓએ તેમની મિલ્કત વેચી નાખી. પછી તેમણે જે વેચ્યું હતું તેના નાણા પ્રેરિતોને આપ્યા.
\v 35 પછી પ્રેરિતો તે નાણામાંથી જરૂરિયાતવાળા વિશ્વાસીને આપતા હતા. તેથી જીવન જીવવા જે જરૂરી હતું તે બધા વિશ્વાસીઓને માટે ઉપલબ્ધ હતું.
\s5
\v 36 હવે ત્યાં યૂસફ નામે લેવી કુળનો માણસ હતો, અને તે સાયપ્રસ ટાપુ પરથી આવ્યો હતો. પ્રેરિતો તેને બાર્નાબાસ કહેતા હતા, યહૂદીઓની ભાષામાં તેના નામનો અર્થ, બીજાઓને ઉત્તેજન આપનાર માણસ એવો થાય છે.
\v 37 તેણે એક ખેતર વેચી દીધું અને તેના નાણા તે પ્રેરિતોની પાસે લાવ્યો કે જેથી બીજા વિશ્વાસીઓને આપી શકાય.
\s5
\c 5
\s અનાન્યા અને સાફીરા
\p
\v 1 હવે ત્યાં વિશ્વાસીઓમાનો એક વ્યક્તિ હતો જેનું નામ અનાન્યા હતું, અને તેની પત્નીનું નામ સાફીરા હતું.તેણે પણ કેટલીક જમીન વેચી હતી.
\v 2 જમીનના જે નાણા તેમને મળ્યા તેમાંથી તેણે થોડું પોતાના માટે પણ રાખ્યું, અને તેની પત્ની જાણતી હતી કે તેણે આ પ્રમાણે કર્યું છે. પછી તે બાકી બચેલા નાણા લાવ્યો અને પ્રેરિતોને આપ્યા.
\s5
\v 3 પછી પિતરે કહ્યું,” અનાન્યા, તેં શેતાનને તારો સંપૂર્ણ કાબૂ લેવા દીધો જેથી તે પવિત્ર આત્માને છેતરવાનો પ્રયત્ન કર્યો. તે આટલી ખરાબ બાબત કેમ કરી? જમીન વેચવાથી ઉપજેલા નાણામાંથી તે થોડા તારા પોતાને માટે રાખ્યા. તે તેમનું બધું અમને આપ્યું નથી.
\v 4 તે જમીન તે વેચી તે પહેલા તે તારી પોતાની જ હતી. અને તે વેચી તે પછી, તે નાણા પણ હજુ તારા જ હતા. તો આ દુષ્ટ કામ કરવાનો વિચાર તે કેમ કર્યો? તે માત્ર અમને જ છેતરવાનો પ્રયત્ન કર્યો એટલું જ નહિ! ના, તે ઈશ્વરને પોતાને પણ છેતરવાનો પ્રયત્ન કર્યો!”
\v 5 જયારે અનાન્યાએ આ શબ્દો સાંભળ્યા ત્યારે, તરત તે પડી ગયો અને મરણ પામ્યો. અને બધા જેઓએ અનાન્યા ના મરણ વિષે સાંભળ્યું તેઓ સર્વ ભયભીત થયા.
\v 6 કેટલાક જુવાનો આગળ આવ્યા, તેના શરીરને વસ્ત્રોમાં વીટાડયું, અને બહાર લઈ જઈને દફ્નાવ્યો.
\s5
\v 7 આશરે ત્રણ કલાક પછી, તેની પત્ની અંદર આવી, પણ જે થયું હતું તેના વિષે તેને કઈ ખબર નહોતી.
\v 8 પછી પિતરે અનાન્યા જે નાણા લાવ્યો હતો તે તેને દેખાડ્યા અને તેને પૂછ્યું,” મને કહે, તમે બન્નેએ જે જમીન વેચી તેના શું તમને આટલા નાણા મળ્યા?” તેને કહ્યું,” હા, અમને આટલું જ મળ્યું.”
\s5
\v 9 એટલે પિતરે તેને કહ્યું, “તમે બન્નેએ દુષ્ટ બાબત કરી છે! તમે બંને પ્રભુના આત્માને છેતરવાનો પ્રયત્ન કરવામાં સંમત થયા છો! સાંભળ! તારા પતિને દફનાવનારાઓના પગલા તને સંભળાય છે? તેઓ અહીં બારણાની બહાર જ છે, અને, તેઓ તને પણ લઈ જશે!”
\v 10 તરત જ સાફીરા પડી ગઈ અને પિતરના પગ પાસે જ મરણ પામી.પછી તે જુવાનો અંદર આવ્યા. જયારે તેઓએ તેને પણ, મરણ પામેલી જોઈ, તેઓએ તેના શરીરને બહાર લઈ જઈને તેના પતિની બાજુમાં દફ્નાવ્યું.
\v 11 ઈશ્વરે અનાન્યા અને સાફીરાને જે કર્યું હતું તેના લીધે યરુશાલેમના સર્વ વિશ્વાસીઓ ખૂબ ભયભીત થયા. અને બીજા જેઓએ તે વિષે સાંભળ્યું તેઓ પણ ખૂબ ભયભીત થયા.
\s ચમત્કારો અને અદ્ભૂત કાર્યો
\s5
\p
\v 12 ઈશ્વર પ્રેરિતોને ઘણા અદ્ભુત ચમત્કારો કરવા સમર્થ કરતા હતા જેના લીધે તેઓ જે સંદેશ પ્રગટ કરતા હતા તેનું સત્ય લોકો મધ્યે સાબિત થયું.મંદિરમાં સુલેમાનની પરસાળ તરીકે ઓળખાતી જગ્યાએ બધા વિશ્વાસીઓ નિયમિત રીતે ભેગા મળતા હતા.
\v 13 બીજા બધા લોકો જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા નહોતા તેઓ વિશ્વાસીઓની સાથે રહેવાથી બીતા હતા. જો કે, તેઓએ વિશ્વાસીઓને ખાસ રીતે માન આપવાનું ચાલુ રાખ્યું.
\s5
\v 14 ઘણા બધા પુરુષો અને સ્ત્રીઓએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવાનું શરુ કર્યું, અને તેઓ વિશ્વાસીઓના સમૂહમાં જોડાયાં.
\v 15 તેના પરિણામ રૂપે, લોકો જેઓ બિમાર હતા તેઓને સાદડી અને ઝોળીમાં સુવડાવીને શેરીઓમાં લાવતા, જેથી પિતર ત્યાં થઈને પસાર થાય ત્યારે તેનો પડછાયો તેઓમાંના કેટલાક પર પડે અને તેઓ સાજા થાય.
\v 16 યરુશાલેમની આસપાસના શહેરોમાંથી પણ લોકોનો મોટો સમુદાય પ્રેરિતોની પાસે આવતો હતો.તેઓ બિમાર અને જેઓને અશુદ્ધ આત્મા વળગેલા હોય તેઓને ત્યાં લાવતા હતા, અને ઈશ્વર તે બધાને સાજા કરતા હતા.
\s પ્રેરિતોની સતાવણી
\s5
\p
\v 17 પછી મુખ્ય યાજક અને બીજા જેઓ તેમની સાથે હતા તેઓ બધા સદૂકી જૂથના સભ્યો હતા તેઓને પ્રેરિતોની ખૂબ ઈર્ષ્યા આવી.
\v 18 તેથી તેઓએ મંદિરના રક્ષકોને પ્રેરિતોને પકડવા અને જેલમાં પૂરવા આદેશ આપ્યો.
\s5
\v 19 પણ રાત્રીના સમયે પ્રભુ ઈશ્વરનો દૂત જેલના દરવાજા ખોલીને પ્રેરિતોને બહાર લાવ્યો.પછી તે દૂતે
\v 20 પ્રેરિતોને કહ્યું,” મંદિરના આંગણામાં જાઓ, ત્યાં ઊભા રહો, અને અનંતજીવન વિષેનો આ સઘળો સંદેશ લોકોને જણાવો.”
\v 21 આ સાંભળ્યા પછી, પ્રેરિતોએ મંદિરના આંગણામાં નીચે તરફ જઈને લોકોને ફરીથી ઈસુ વિષે શીખવવાનું શરુ કર્યું.તે દરમ્યાન, મુખ્ય યાજક તેમ જ બીજા જેઓ તેની સાથે હતા તેઓને તેમ જ યહૂદી ન્યાયસભાના સભ્યોને ભેગા કર્યા.તેઓ બધા ઇઝરાયલના આગેવાનો હતા.તેઓ એકઠા મળ્યા પછી, તેઓએ રક્ષકોને પ્રેરિતોને લાવવા માટે જેલમાં મોકલ્યા.
\s5
\v 22 પણ જયારે રક્ષકો જેલમાં આવી પહોચ્યા, ત્યારે તેમણેે આવીને જોયું તો પ્રેરિતો ત્યાં ન હતા. તેથી તેઓ સભામાં પાછા ફર્યા અને જણાવ્યું,
\v 23 “અમે જોયું હતું કે જેલના દરવાજા બરાબર બંધ હતા, અને રક્ષકો દરવાજાની બહાર ઊભા રહેલા હતા, પણ અમે જયારે દરવાજા ખોલ્યા અને તે માણસોને લેવા અંદર ગયા, ત્યારે ત્યાં જેલમાં કોઈ હતું નહિ.”
\s5
\v 24 જયારે મંદિર રક્ષકોના આગેવાન તેમ જ મુખ્ય યાજકોએ તે સાંભળ્યું, ત્યારે તેઓ ખૂબ મૂંઝવણમાં પડી ગયા, અને આશ્ચર્ય પામ્યા કે આ બધી ઘટનાઓ કઈ તરફ લઈ જશે.
\v 25 પછી કોઈકે આવીને તેઓને કહ્યું કે, “આ સાંભળો! તમે જે માણસોને જેલમાં પૂર્યા હતા તેઓ તો અત્યારે મંદિરના આંગણામાં ઊભા છે, અને લોકોને શીખવી રહ્યા છે!”
\s5
\v 26 તેથી મંદિર રક્ષકોને આગેવાન અધિકારીઓની સાથે મંદિરના આંગણામાં ગયો, અને તેઓ પ્રેરિતોને સભાખંડમાં પાછા લાવ્યા.પણ તેઓએ તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો નહિ, કારણ કે તેઓ બીતા હતા કે લોકો તેમના તરફ પથ્થર ફેકીને મારી નાખશે.
\v 27 તે પછી મંદિરના રક્ષકોનો આગેવાન તથા અધિકારીઓ પ્રેરિતોને સભા ખંડમાં લાવ્યા, તેઓએ તેમને સભાના સભ્યોની સામે ઊભા રહેવાનો આદેશ આપ્યો, અને મુખ્ય યાજકે તેમને પૂછ્યું.
\v 28 તેણે તેઓને કહ્યું, “અમે તમને આદેશ આપ્યો હતો કે તમારે તે માણસ ઈસુ વિષે લોકોને શીખવવું નહિ! પણ તમે અમારી વાત માની નહિ, અને તમે આખા યરુશાલેમના લોકોને તેના સંબંધી શીખવ્યું છે! એ ઉપરાંત, તમે એવું સાબિત કરવા માંગો છો કે તે માણસના મરણ વિષે અમે દોષિત છીએ!”
\s5
\v 29 પણ પિતરે, પોતાના માટે અને બીજા પ્રેરિતોને માટે બોલતા, જવાબ આપ્યો, “ઈશ્વરે અમને જે કરવાની આજ્ઞા આપી છે તે અમારે પાળવી જોઈએ, તમે લોકો અમને જે કરવાનું કહો છો તે નહિ!
\v 30 તમે એમાંના જ છો જેમણે ઈસુને વધસ્તંભે જડી દીધા! પણ ઈશ્વર, જેમનું આપણા પૂર્વજો ભજન કરતા હતા, તેમણે ઈસુને તેમના મરણ પછી પાછા સજીવન કર્યા.
\v 31 ઈશ્વરે બીજા કોઈના પણ કરતા વધારે ઈસુને માન આપ્યું. તેમણે તેમને આપણને બચાવનાર અને આપણા પર રાજ કરનાર ઠરાવ્યા. તેમણે આપણને ઇઝરાયલીઓને પાપ કરતા અટકાવ્યા, જેથી તેઓ આપણા પાપની માફી આપે.
\v 32 ઈસુની સાથે જે બાબતો બની તે વિષે અમે લોકોને કહીએ છીએ. પવિત્ર આત્માને, ઈશ્વરે આપણી પાસે મોકલ્યા છે જેથી આપણે તેમનું માનીએ, તે પણ આપણને આ બાબતો સાચી છે એની ખાતરી કરાવે છે.”
\s5
\v 33 જયારે સભાના સભ્યોએ તે સાંભળ્યું, ત્યારે તેઓ પ્રેરિતો પર ખૂબ ગુસ્સે થયા, અને તેઓને મારી નાંખવાનું નક્કી કર્યું.
\v 34 પણ ત્યાં ગમાલીએલ નામનો સભાનો સભ્ય હતો. તે ફરોશીઓના જૂથનો હતો. તેણે લોકોને યહૂદી નિયમો શીખવ્યા હતા, અને બધા યહૂદી લોકો તેને ખૂબ માન આપતા હતા. તે સભામાં ઊભો થયો અને રક્ષકોને કહ્યું કે તેઓ થોડા સમય માટે પ્રેરિતોને તે ઓરડાની બહાર લઈ જાય.
\s5
\v 35 રક્ષકો પ્રેરિતોને બહાર લઈ ગયા તે પછી, તેણે સભાના બીજા સભ્યોને કહ્યું,” સાથી ઇઝરાયલીઓ, તમે આ લોકોને શું કરવા માંગો છો તે વિષે તમારે કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ.
\v 36 કેટલાક વર્ષો પહેલા થ્યુદા નામનો એક વ્યક્તિ હતો જેણે સરકાર સામે બળવો કર્યો હતો.તેણે લોકોને કહ્યું કે તે ખૂબ અગત્યની વ્યક્તિ છે, અને આશરે ચારસો માણસો તેની સાથે જોડાયાં.પણ તેને મારી નાખવામાં આવ્યો, અને જેઓ તેની સાથે જોડેલા હતા તેઓ વિખેરાઈ ગયા. એટલે તેઓએ જે યોજના બનાવી હતી તે પ્રમાણે તેઓ કરી શક્યાં નહિ.
\v 37 તે પછી, એ સમયે જયારે તેઓ લોકો પાસેથી કર લેવા માટે તેમના નામ નોંધતા હતા, ત્યારે ગાલીલ પ્રદેશના યહૂદા નામના માણસે બળવો કર્યો અને ઘણા લોકોને તેની તરફ ખેંચ્યા. પણ તેને મારી નાખવમાં આવ્યો, અને જેઓ તેની સાથે જોડાયેલા હતા તેઓ અલગ અલગ દિશાઓમાં વિખેરાઈ ગયા.
\s5
\v 38 તેથી હવે હું તમને આ કહું છું, આ માણસોને કઈ નુકશાન કરશો નહિ! તેમને છોડી દો! હું આ કહું છું કારણ કે જે બાબતો અત્યારે બની રહી છે તે માણસોની બનાવેલી યોજના છે, કોઈક તેને અટકાવશે. તેઓ નિષ્ફળ જશે.
\v 39 પણ જો ઈશ્વરે તેમને આ કરવાની આજ્ઞા આપી હશે તો, તમે તેઓને અટકાવી શકશો નહિ, કેમ કે તમે એ જોઈ શકશો કે તમે ઈશ્વરની વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છો!” ગમાલ્યેલે જે કહ્યું તે સભામાંના બીજા સભ્યોએ સ્વીકાર્યું.
\s5
\v 40 તેઓએ મંદિર ના રક્ષકોને કહ્યું કે પ્રેરિતોને અહીં લાવો અને તેમને મારો. તેથી તે રક્ષકો તેઓને સભાના ઓરડામાં લાવ્યા અને તેમને માર્યા. પછી સભાના સભ્યોએ તેમને આદેશ આપ્યો કે તેઓ લોકોને ઈસુ વિષે વધારે વાત કહે નહિ, અને તેઓએ તેમને છોડી મૂક્યા.
\v 41 તેથી પ્રેરિતો તે સભામાંથી બહાર ગયા. તેઓ આનંદ કરતા હતા કારણ કે તેઓ જાણતા હતા કે ઈસુની પાછળ ચાલવાને લીધે લોકોએ તેમનું જે રીતે અપમાન કર્યું તે દ્વારા તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો.
\v 42 તે પછી દરેક દિવસે, પ્રેરિતો મંદિરના વિસ્તારમાં અને લોકોના ઘરે જતા હતા, અને તેઓએ ઈસુ એ ખ્રિસ્ત છે તે વિશે શીખવવાનું અને તેઓને કહેવાનું સતત ચાલુ રાખ્યું.
\s5
\c 6
\s સાત સેવકોની પસંદગી
\p
\v 1 એ સમય દરમ્યાન, ઘણા બધા લોકો વિશ્વાસી બન્યા હતા.બિન વતની યહૂદીઓએ મૂળ ઇઝરાયલીઓ વિષે ફરિયાદ કરવાનું શરુ કર્યું, કારણ કે તેઓમાં જે વિધવાઓ હતી તેઓને તેમના રોજના ખોરાકનો પૂરતો ભાગ મળતો ન હતો.
\s5
\v 2 તેથી, તેઓ જે કહી રહ્યા હતા તે બાર પ્રેરિતોએ સાંભળ્યું ત્યારે, તેઓએ યરુશાલેમમાંના વિશ્વાસીઓને એકઠા મળવા કહ્યું. પછી પ્રેરિતોએ તેઓને કહ્યું, “લોકોને ખોરાકની વહેંચણી કરવા માટે અમે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવાનું પડતું મૂકીએ તે યોગ્ય નથી.
\v 3 તેથી, સાથી વિશ્વાસીઓ, તમે તમારામાંથી સાત માણસોને કાળજીપૂર્વક પસંદ કરો, જેઓને તમે જાણો છો કે તેમને ઈશ્વરનો આત્મા દોરવણી આપે છે અને જેઓ ઘણા જ્ઞાની હોય. પછી અમે તેઓને આ કામ માટે સુચના આપીશું.
\v 4 પણ અમને લાગે વળગે છે ત્યાં સુધી, અમે તો અમારો સમય પ્રાર્થના અને ઉપદેશ કરવામાં અને ઈસુના સંદેશ વિષે શીખવવામાં ગાળીશું.”
\s5
\v 5 પ્રેરિતોએ જે સૂચવ્યું તે બધા વિશ્વાસીઓને સારું લાગ્યું. તેથી તેઓએ સ્તેફનને પસંદ કર્યો કે જે, ઈશ્વરમાં ચુસ્ત માનનારો અને જેના પર પવિત્ર આત્માને સંપૂર્ણ અધિકાર હતો. તેઓએ ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પાર્મિનાસ અને નિકોલાસ જે અંત્યોખ શહેર નો હતો તેમને પણ પસંદ કર્યા.
\v 6 વિશ્વાસીઓ આ સાત માણસોને પ્રેરિતોની પાસે લાવ્યા. પછી પ્રેરિતોએ તેઓ માટે પ્રાર્થના કરી અને તેમના હાથ તેઓમાંના દરેકના માથા પર મૂક્યા કે જેથી તેઓ તે કાર્ય કરે.
\s5
\v 7 તેથી વિશ્વાસીઓએ ઘણા લોકોને ઈશ્વરનો સંદેશો કહેવાનું ચાલુ રાખ્યું. યરુશાલેમમાં જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા હતા તેવા લોકોની સંખ્યામાં ભારે વધારો થયો. ઘણા યહૂદી યાજકો પણ, ઈસુ પર કેવી રીતે વિશ્વાસ કરવો અને અનુસરણ કરવું તેમાં સામેલ થયા.
\s સ્તેફનની ધરપકડ
\s5
\p
\v 8 ઈશ્વર સ્તેફનને ઘણા આશ્ચર્યકારક ચમત્કારો કરવા શક્તિ આપી રહ્યા હતા.તેથી એ સાબિત થયું કે, ઈસુ વિષેનો સંદેશો સત્ય હતો.
\v 9 તોપણ, કેટલાક લોકોએ સ્તેફનનો વિરોધ કર્યો. તેઓ યહૂદીઓ હતા જેઓ મુક્ત કરાયેલા લોકોના સભાસ્થાન તરીકે ઓળખાતા સભાસ્થાનના જૂથમાં નિયમિત રીતે એકઠા મળતા હતા, વળી કુરેની, આલેકસાંદ્રિયા અને કિલીકિયા તથા આસિયાના પ્રાંતોના શહેરોના લોકો પણ તેમાં સામેલ હતા. તેઓ બધા સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા.
\s5
\v 10 પણ તેણે જે કહ્યું તે ખોટું હતું તેવું તેઓ સાબિત કરી શક્યા નહિ, કારણ કે ઈશ્વરના આત્માએ તેને ડહાપણથી બોલવાની પ્રેરણા આપી.
\v 11 તેથી તેઓએ ગુપ્ત રીતે કેટલાક માણસોને સ્તેફન પર ખોટો આરોપ મૂકવા તૈયાર કર્યા. તે માણસોએ કહ્યું,” અમે તેને મૂસા તથા ઈશ્વર વિષે ખોટું બોલતા સાંભળ્યો છે.”
\s5
\v 12 તેથી બીજા યહૂદીઓ, આગેવાનો અને નિયમશાસ્ત્રના શિક્ષકો સુદ્ધાં સ્તેફન પર ગુસ્સે થયા.પછી તેઓએ સ્તેફનને પકડ્યો અને યહૂદી ન્યાયસભા સમક્ષ લઈ ગયા.
\v 13 તેઓ કેટલાક માણસોને પૈસા આપીને અંદર લાવ્યા કે તેઓ જૂઠ્ઠી સાક્ષી પૂરે. તેઓએ કહ્યું, “આ માણસ, આ પવિત્ર મંદિર અને નિયમશાસ્ત્ર જે મૂસાને ઈશ્વર પાસેથી પ્રાપ્ત થયું તેના વિષે ભૂંડું બોલ્યા કરે છે.
\v 14 અમારું કહેવું છે કે, અમે તેને એમ કહેતા સાંભળ્યો છે કે, નાસરેથના ઈસુ આ મંદિરનો નાશ કરશે અને મૂસાએ આપણા પૂર્વજોને શિખવેલા રિવાજો કરતા અલગ રિવાજો પાળવાનું કહેશે.”
\v 15 સભામાં બેઠેલા સર્વ લોકો સ્તેફન તરફ તાકી રહ્યા અને તેમણે જોયું કે, તેનો ચહેરો ઈશ્વરના દૂત જેવો દેખાયો.
\s5
\c 7
\s સ્તેફનનું ભાષણ
\p
\v 1 પછી મુખ્ય યાજકે સ્તેફનને પૂછ્યું, “આ લોકો તારા વિષે જે બાબતો કહે છે તે સાચી છે?”
\v 2 સ્તેફને ઉત્તર આપ્યો,” સાથી યહૂદીઓ અને આગેવાનો, મહેરબાની કરીને મારું સાંભળો! આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાન શહેરમાં આવ્યો તે પહેલા, તે હજુ મેસોપોટેમીયાના પ્રદેશમાં રહેતો હતો ત્યારે મહિમાવાન ઈશ્વર જેમનું આપણે ભજન કરીએ છીએ તેમણે તેને દર્શન આપ્યું.
\v 3 ઈશ્વરે તેને કહ્યું, ‘તું અને તારા સગાઓ જે ભૂમિમાં રહો છો તે છોડી દે, અને હું તને જે ભૂમિ બતાવું ત્યાં જા.’”
\s5
\v 4 તેથી ઇબ્રાહીમ તે ભૂમિમાંથી નીકળી ગયો, જે ખાલદીઓનો દેશ પણ કહેવાતો હતો, અને હારાન માં આવી પહોંચ્યો અને ત્યાં રહ્યો.તેના પિતાના મરણ પછી, ઈશ્વરે તેને આ ભૂમિમાં આવવા કહ્યું જ્યાં તમે હાલ રહો છો.
\v 5 તે સમયે ઈશ્વરે ઇબ્રાહિમને કોઈ ભૂમિ વતન તરીકે આપી ન હતી, ભૂમિનો નાનો ટુકડો પણ નહિ. પણ ઈશ્વરે તેને વચન આપ્યું કે પછીથી તેઓ તેને અને તેના વંશજોને તે ભૂમિ આપશે, જે હમેશા તેમની રહેશે.જો કે, તે સમયે ઇબ્રાહિમને કોઈ સંતાન નહતા કે જેને આ વારસો મળે.
\s5
\v 6 પછીથી ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, તારા વંશજો વિદેશમાં જશે અને ત્યાં રહેશે.તેઓ ત્યાં ચારસો વર્ષ સુધી રહેશે, અને તે સમય દરમ્યાન ત્યાંના આગેવાનો તારા વંશજોની સાથે ખરાબ રીતે વર્તશે અને તેમને ગુલામો જેવું કામ કરવા દબાણ કરશે.
\v 7 ‘પણ તેમને ગુલામો બનાવનાર લોકોને હું શિક્ષા કરીશ.તે પછી, તારા પૂર્વજો તે ભૂમિને છોડી દેશે, અને તેઓ આ ભૂમિમાં પાછા આવશે અને મારું ભજન કરશે.’”
\v 8 પછી ઈશ્વરે આજ્ઞા આપી કે તેઓ ઈશ્વરના છે એવું દર્શાવવા માટે ઇબ્રાહિમના ઘરના બધા જ નર તેમ જ તેના વંશજોમાંના બધા જ નરને સુન્નત કરાવવી. ઇબ્રાહીમનો દીકરો, ઈસહાક, જન્મ્યો પછી, જયારે તે આઠ દિવસનો હતો ત્યારે તેણે તેની સુન્નત કરી.પછી ઇસહાકનો દીકરો યાકૂબ, જન્મ્યો.યાકૂબ તો બાર માણસો જેઓને યહૂદીઓ પૂર્વજો કે પિતૃઓ કહે છે, તેઓનો પિતા હતો.
\s5
\v 9 તમે જાણો છો કે યાકૂબના મોટા દીકરાઓએ તેમના નાના ભાઈ ની અદેખાઈ કરી કારણ કે તેઓના પિતાએ નાના દીકરા યૂસફને વધારે પસંદ કરતા હતા. તેઓએ તેને વેપારીઓને વેચી દીધો, જેઓ તેને મિસરમાં લઈ ગયા, જ્યાં તે ગુલામ બન્યો.પણ ઈશ્વરે યૂસફની મદદ કરી;
\v 10 જ્યારે પણ લોકોએ તેને તકલીફમાં મૂક્યો ત્યારે ઈશ્વરે તેનું રક્ષણ કર્યું.તેમણે યૂસફને ડહાપણ આપ્યું, અને ફારુન, મિસરના રાજાને, યૂસફના વિષે ભલું વિચારવા પ્રેરણા આપી. તેથી ફારુને તેને મિસર પર તેમ જ તેની સર્વ સંપત્તિ પર અધિકારી તરીકે નીમ્યો.
\s5
\v 11 જયારે યુસફ આ કાર્ય કરતો હતો, એવો સમય આવ્યો કે મિસરમાં અને કનાન માં ખુબ ઓછો ખોરાક બચ્યો હતો.લોકો સહન કરી રહ્યા હતા.તે સમયે કનાનમાં યાકૂબ અને તેના દીકરાઓને પણ ખાવા ને પૂરતો ખોરાક મળતો ન હતો.
\v 12 જયારે યાકૂબ લોકો પાસેથી સાંભળ્યું કે, મિસરમાં અનાજ છે કે જેને ખરીદી શકાય છે, એટલે તેણે યૂસફના મોટા ભાઈઓને તે અનાજ ખરીદવા ત્યાં મોકલ્યા.તેઓ ત્યાં ગયા અને યુસફ પાસેથી અનાજ વેચાતું લાવ્યા, પણ તેઓએ તેને ઓળખ્યો નહિ.પછી તેઓ ઘરે પાછા આવ્યા.
\v 13 જયારે યૂસફના ભાઈઓ ફરીથી મિસરમાં ગયા ત્યારે, તેઓએ ફરીથી યુસફ પાસેથી અનાજ વેચાતું લીધું.પણ આ વખતે તેણે તેઓને કહ્યું કે તે કોણ છે.અને તેથી ફારુન શીખ્યો કે યૂસફના લોકો હિબ્રૂઓ છે અને કનાનથી જે માણસો આવ્યા હતા તેઓ તેના ભાઈઓ હતા.
\s5
\v 14 તે પછી યૂસફે તેના ભાઈઓને ઘરે પાછા મોકલી દીધા, તેઓએ તેમના પિતા યાકૂબને કહ્યું કે યૂસફને તેમને મળવા માંગે છે અને તેમનું આખું કુટુંબ મિસર આવે તેવું ઇચ્છે છે.તે સમયે યાકૂબના કુટુંબમાં પંચોતેર વ્યક્તિઓ હતા.
\v 15 તેથી જયારે યાકૂબ તે સાંભળ્યું ત્યારે, તે અને તેનું કુટુંબ મિસરમાં રહેવા ગયા.તે પછી, યાકૂબ ત્યાં મરણ પામ્યો, અને આપણા બીજા પૂર્વજો, તેના દીકરાઓ, પણ ત્યાં મરણ પામ્યા.
\v 16 તેમના શરીરોને આપણી ભૂમિમાં પાછા લાવવામાં આવ્યા અને ઇબ્રાહિમે જે કબર હમોરના પુત્રો પાસેથી શેખેમ શહેરમાં વેચાતી લીધી હતી ત્યાં દફનાવ્યા.
\s5
\v 17 લાંબા સમય પહેલા ઈશ્વરે ઇબ્રાહિમને જે વચન આપ્યું હતું, તે મુજબ ઈશ્વર આપણા પૂર્વજોને મિસરમાંથી છોડાવે ત્યાં સુધીમાં તેમની સંખ્યા ઘણી વધી ગઈ હતી.
\v 18 બીજો એક રાજા મિસરમાં રાજ કરવા લાગ્યો.તેના સમય પહેલા, યૂસફે મિસરના લોકોને જે મોટી મદદ કરી હતી તે વિષે તે જાણતો ન હતો.
\v 19 તે રાજાએ ક્રુરતાપૂર્વક આપણા પૂર્વજોને ત્યાંથી કાઢી મૂકવાનો પ્રયત્ન કર્યો.તેણે તેઓને દુઃખ આપ્યું અને તેમને ખૂબ સહન કરવું પડ્યું.તેણે તેઓને તેમને નવા જન્મેલા બાળકોને મરણ પામે માટે ઘરની બહાર તજી દેવાની પણ આજ્ઞા કરી.
\s5
\v 20 તે સમય દરમ્યાન મૂસાનો જન્મ થયો, અને ઈશ્વરે જોયું કે તે ખૂબ સુંદર બાળક હતું.તેથી તેના માતા પિતાએ ત્રણ મહિના સુધી તેને ઘરમાં જ ઉછેર્યો.
\v 21 પછી તેઓએ તેને ઘરની બહાર તજી દેવો પડ્યો.પણ ફારુનની દિકરીએ તેને શોધી કાઢ્યો અને તે જાણે તેનો પોતાનો દીકરો હોય તે રીતે તેને ઉછેર્યો.
\s5
\v 22 મિસરના લોકો જે વિદ્યા જાણતા હતા તે બધું મૂસાને શીખવવામાં આવ્યું, અને જયારે તે મોટો થયો, ત્યારે તે બોલવામાં અને કાર્યો કરવામાં કુશળ બન્યો.
\v 23 એક સમયે જયારે મૂસા ચાલીસ વર્ષનો થયો ત્યારે, તેણે નક્કી કર્યું કે ઇઝરાયલીઓ, જેઓ તેના સગાઓ છે તેમને તે મળવા જશે.
\v 24 તેને જોયું કે એક મિસરી ઇઝરાયલીઓમાંના એકની સાથે ખરાબ વર્તન કરી રહ્યો હતો.તેથી તે ઇઝરાયલી માણસને મદદ કરવા ગયો, અને તેને તે મિસરીને મારી નાખીને તે ઇઝરાયલી માણસનો બદલો લીધો.
\v 25 મૂસાએ વિચાર્યું કે તેના સાથી ઇઝરાયલીઓ એ સમજી શકશે કે ઈશ્વરે તેમને ગુલામીમાંથી છોડાવવા માટે તેને મોકલ્યો છે.પણ તેઓ સમજી ન શક્યા.
\s5
\v 26 બીજા દિવસે, મૂસાએ બે ઇઝરાયલી માણસોને એકબીજા સાથે લડતા જોયા.તેણે તેઓને લડતા અટકાવીને તેમને કહ્યું, ‘માણસો, તમે બંને તો સાથી ઇઝરાયલીઓ છો! શા માટે તમે એકબીજાને નુકસાન કરો છો?
\v 27 પણ તે માણસ જે બીજાને મારી રહ્યો હતો તેણે મૂસાને ખેંચી પાડીને તેને કહ્યું, તને કોઈએ અમારા પર અધિકારી કે ન્યાયાધીશ ઠરાવ્યો નથી!
\v 28 ગઈકાલે જેમ તેં પેલા મિસરીને મારી નાખ્યો તેમ શું તું મને પણ મારી નાખવા માંગે છે?
\s5
\v 29 જયારે મૂસાએ તે સાંભળ્યું, ત્યારે તે મિસરથી મિદ્યાન નાસી ગયો.તે ત્યાં થોડા વર્ષો સુધી રહ્યો.તેણે ત્યાં લગ્ન કર્યું, અને તેને અને તેની પત્નીને બે બાળકો હતા.
\v 30 ચાલીસ વર્ષો પછી એક દિવસ, પ્રભુ ઈશ્વરે દૂતના સ્વરૂપમાં મૂસાને દર્શન આપ્યું.તેઓ રણમાં સિનાઈ પર્વત પાસે બળતા ઝાડવાની જ્વાળાઓમાં તેને દેખાયા.
\s5
\v 31 જયારે મૂસાએ તે જોયું, ત્યારે તેને આશ્ચર્ય થયું, કેમ કે તે ઝાડવું ભસ્મ થતું નહતું.જયારે તે વધારે નજીકથી જોવા ગયો, ત્યારે પ્રભુ ઈશ્વરે તેને કહ્યું,
\v 32 ‘હું ઈશ્વર છું જેનું તારા પૂર્વજો ભજન કરતા હતા. ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ જેનું ભજન કરતા હતા તે ઈશ્વર હું છું. મૂસા એટલો ગભરાઈ ગયો હતો કે તે ધ્રુજવા લાગ્યો.તે ઝાડવાં તરફ વધુ સમય જોવાથી ગભરાયો.
\s5
\v 33 પછી પ્રભુ ઈશ્વરે તેને કહ્યું, તું મને માન આપે છે તે દર્શાવવા માટે તારા પગમાંથી ચંપલ ઉતાર.કેમ કે, હું અહીં છું, જે ભૂમિ પર તું ઊભો છે તે પવિત્ર છે.
\v 34 મેં નિશ્ચે જોયું છે કે કેવી રીતે મિસરના લોકો મારા લોકોને સતત હેરાન કરે છે.મારા લોક જયારે તેના લીધે વેદનાથી કણસે છે તે મેં જોયું છે.તેથી હું તેઓને મિસરમાંથી છોડાવવા માટે નીચે ઊતર્યો છું.હવે તૈયાર થા, કેમ કે હું તને મિસરમાં પાછો મોકલવાનો છું.’”
\s5
\v 35 આ મૂસા એ હતો કે જેણે આપણા ઇઝરાયલી લોકોને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેઓએ તેને એવું કહીને નકાર્યો, તને કોઈએ અમારા પર અધિકારી કે ન્યાયાધીશ ઠરાવ્યો નથી! ‘મૂસા એ હતો જેને ઈશ્વરે જ તેમના પર અધિકારી તરીકે મોકલ્યો હતો જેથી તેઓ ગુલામીમાંથી મુક્ત થાય.તે એ જ હતો જેને ઝાડવામાંથી દૂતે એમ કરવાનો આદેશ આપ્યો હતો.
\v 36 મૂસા એ વ્યક્તિ હતો જે આપણા પૂર્વજોને મિસરમાંથી બહાર દોરી લાવ્યો.ઈશ્વર તેની સાથે છે તે દર્શાવવાને માટે તેણે મિસરમાં ઘણા ચમત્કારો કર્યા, લાલ સમુદ્ર પાસે, અને ચાલીસ વર્ષો સુધી જયારે ઇઝરાયલી લોકો અરણ્યમાં રહ્યા.
\v 37 આ મૂસા એ હતો કે જેણે ઇઝરાયલી લોકોને કહ્યું, ઈશ્વર તમારી મધ્યે મારા જેવો જ પ્રબોધક તમારા લોકોમાંથી જ તમને આપશે.’”
\s5
\v 38 આ એ માણસ મૂસા હતો કે જે તમો ઇઝરાયલીઓ મધ્યે અરણ્યમાં તમારી સાથે રહ્યો; સિનાઈ પર્વત પર જ દૂતે તેની સાથે વાત કરી તેની સાથે હતો.એ મૂસા હતો જેને ઈશ્વરે સિનાઈ પર્વત પર દૂત દ્વારા આપણા નિયમો આપ્યા, અને તે જ વ્યક્તિ હતો જેણે દૂતે કહેલી વાત આપણા પૂર્વજોને જણાવી.તેણે જ ઈશ્વર પાસેથી શબ્દો મેળવ્યા અને આપણે અનંતકાળ સુધી કેવી રીતે જીવવું તે જાણ્યું અને આપણને પણ કહ્યું.
\v 39 તે છતાં, આપણા પૂર્વજો મૂસાને આધીન થવા માંગતા નહોતા.તેને બદલે, તેઓએ તેને તેમના આગેવાન તરીકે નકાર્યો અને મિસરમાં પાછા જવાની ઇચ્છા રાખી.
\v 40 તેથી તેઓએ તેના મોટા ભાઈ હારુનને કહ્યું, અમારા માટે મૂર્તિઓ બનાવ જેઓ અમારા ઈશ્વર બને અને અમને દોરવણી આપે.કેમ કે મૂસા જે અમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો, તેનું શું થયું તે અમે જાણતા નથી!
\s5
\v 41 તેથી તેઓએ વાછરડા જેવી દેખાતી એક પ્રતિમા બનાવી.પછી તેઓએ તે મૂર્તિને માન આપવાને માટે બલિદાન ચઢાવ્યા, અને તેઓએ ગાયું અને નાચ્યા કેમ કે તેઓએ જાતે જ તેને બનાવી હતી.
\v 42 તેથી ઈશ્વરે તેમને સુધારવાનું છોડી દીધું.તેઓને તેમણે સૂર્ય, ચંદ્ર અને આકાશના તારાઓની પૂજા કરવા ત્યજી દીધા.એક પ્રબોધકે કહેલા શબ્દો સાથે આ ખુબ સુસંગત છે જેણે લખ્યું:ઈશ્વરે કહ્યું, તમે ઇઝરાયલી લોકો, ચાલીસ વર્ષો સુધી જયારે તમે અરણ્યમાં હતા ત્યારે, શું તમે વારંવાર પ્રાણીઓને મારી નાખ્યા અને તેમને બલિદાન તરીકે ચઢાવ્યા, ત્યારે શું તે મને અર્પણ કર્યા હતા?
\s5
\v 43 તેની વિરુદ્ધ, તમે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ તંબુમાં મૂર્તિ કે જે મોલેખ દેવને દર્શાવતી હતી જેનું તમે ભજન કરતા હતા તેને તમારી સાથે લઈને ચાલ્યા.તમે તમારી સાથે રેફાન કે જે તારા ની પ્રતિમા હતી તેને પણ સાથે લીધી.તે મૂર્તિઓ તમે બનાવી, અને તમે મારા સ્થાને તેઓનું ભજન કર્યું.તેથી હું તમને તમારા ઘરોમાંથી બાબિલ દેશના કરતા પણ દૂરના પ્રદેશોમાં હાંકી કાઢીશ.’”
\s5
\v 44 “જયારે આપણા પૂર્વજો અરણ્યમાં હતા ત્યારે, તેઓ ઈશ્વરનું એક સાક્ષ્યમંડપમાં ભજન કરતા હતા જે દર્શાવતો હતો કે તે તેમની સાથે છે.ઈશ્વરે મૂસાને જેમ આજ્ઞા આપી હતી તે પ્રમાણે આબેહૂબ તે બનાવેલો હતો.જયારે મૂસા પર્વત પર હતો ત્યારે તેણે જે જોયો હતો તેના જેવો જ તે હતો.
\v 45 પછી, જયારે યહોશુઆએ તેમને આ ભૂમિમાં દોર્યા ત્યારે આપણા જ બીજા પૂર્વજો તે તંબુને પોતાની સાથે ત્યાં લાવ્યા.આ તે સમય હતો જયારે ઈશ્વરે ત્યાં પહેલેથી રહેનારા લોકોને ત્યાંથી હાંકી કાઢ્યા ત્યારે તેઓએ તે ભૂમિને પોતાની કરી લીધી.તેથી ઈઝરાયલીઓ તે ભૂમિને પોતાની બનાવી શક્યા.તે તંબુ આ ભૂમિમાં રહ્યો અને દાઉદના શાસનમાં પણ તે હજુ અહીં હતો.
\v 46 દાઉદે ઈશ્વરને પ્રસન્ન કર્યા, અને તેણે ઈશ્વર પાસે માંગ્યું કે તેઓ તેને તેમનું મંદિર બનાવવા દે જ્યાં તે અને આપણા બધા ઇઝરાયલી લોકો તેમનું ભજન કરી શકે.
\s5
\v 47 પણ તેના કરતા, ઈશ્વરે દાઉદના દીકરા સુલેમાનને ઘર બાંધવાનું કહ્યું જ્યાં લોકો તેમનું ભજન કરી શકે.”
\v 48 “જો કે, આપણે જાણીએ છીએ કે ઈશ્વર બધી જ બાબતો કરતા મહાન છે, અને લોકોએ બનાવેલા ઘરમાં તેઓ રહેતા નથી.યશાયાહ પ્રબોધકે જેમ લખ્યું છે તે પ્રમાણે:
\v 49 ઈશ્વરે કહ્યું, “સ્વર્ગ મારું રાજ્યાસન છે અને પૃથ્વી મારું પાયાસન છે.તેથી તમે માનવજાત મારા રહેવા માટે પૂરતી થાય તેવી કોઈ જગ્યા બનાવી શકશો નહિ!
\v 50 સ્વર્ગમાં અને પૃથ્વી પર સઘળું મેં જ બનાવ્યું છે.
\s5
\v 51 તમે તેમના પ્રત્યે ખુબ હઠીલા લોકો છો! તમે આબેહુબ તમારા પૂર્વજો જેવા જ છો! તેઓએ જેમ કર્યું તેમ, તમે હમેશા પવિત્ર આત્માને અવરોધ્યા છે!
\v 52 તમારા પૂર્વજોએ બધા પ્રબોધકોને સહન કરવા તરફ દોર્યા.જેઓએ ઘણા સમય પહેલા એમ પ્રગટ કરેલું કે ખ્રિસ્ત આવશે, જેઓએ હમેશા ઇશ્વરને પ્રસન્ન કરે તેવું કર્યું તેઓને પણ તેમણે મારી નાખ્યા.અને ખ્રિસ્ત આવ્યા! તેઓ એ જ છે જેમને હાલમાં જ તમે તેના દુશ્મનોને સોપીને તેઓ તેમને મારી નાખે તેવી ફરજ પાડો છો!
\v 53 તમે એ લોકો છો જેઓ ઈશ્વરના નિયમો પામ્યા છો.તે એ નિયમો હતા જેઓને ઈશ્વરે તેમના દૂત દ્વારા આપણા પૂર્વજોને આપ્યા.જો કે, તમે તેઓને પાળ્યા નહિ.!”
\s સ્તેફનને પથ્થરે માર્યો
\s5
\p
\v 54 જયારે યહૂદી ન્યાયસભાના સભ્યો અને બીજાઓ જેઓએ સ્તેફનને આ કહેતા સાંભળ્યો, તેઓ સર્વ ખુબ ગુસ્સે થયા.તેઓ તેમના દાંત પીસતા હતા કારણ કે તેઓ તેના પર ખુબ ગુસ્સે હતા!
\v 55 પણ પવિત્ર આત્માએ સ્તેફનનો સંપૂર્ણ કબજો લીધો.તેણે સ્વર્ગ તરફ જોયું અને ઈશ્વર પાસેથી આવતો ભરપૂર પ્રકાશ જોયો, અને તેણે ઈસુને ઈશ્વરના જમણા હાથે બેઠેલા જોયા.
\v 56 “જુઓ, તેણે કહ્યું, “હું સ્વર્ગ ખુલ્લું થએલું જોઉં છું, અને હું માણસના દીકરાને ઈશ્વરની જમણી બાજુએ ઊભેલા જોઉં છું!”
\s5
\v 57 જયારે યહૂદી ન્યાયસભાના સભ્યો અને બીજાઓએ તે સાંભળ્યું ત્યારે, તેઓએ મોટો પોકાર કર્યો.તેઓએ તેમના કાનને હાથથી ઢાંકી દીધા કે તેઓ તેને સાંભળી ના શકે, અને તરત તેઓ તેની તરફ ધસી ગયા.
\v 58 તેઓ તેને યરુશાલેમ શહેરની બહાર ઢસડી ગયા અને ત્યાં તેને પથ્થર મારવાનું શરુ કર્યું.જે લોકો તેના પર આરોપ મૂકી રહ્યા હતા તેઓએ તેના વસ્ત્રો કાઢી લીધા જેથી તેઓ તેને સરળતાથી પથ્થર મારે, અને તેઓએ બાજુમાં ઊભા રહેલા એક જુવાન માણસ જેનું નામ શાઉલ હતું તેના પર તેના વસ્ત્રો નાખ્યા, કે તે તેને સાચવે.
\s5
\v 59 જયારે તેઓએ સતત સ્તેફન તરફ પથ્થર મારવાનું ચાલુ રાખ્યું, ત્યારે સ્તેફને પ્રાર્થના કરી, “પ્રભુ ઈસુ, મારા આત્માને સ્વીકારો!”
\v 60 પછી સ્તેફને ઘુટણે પડીને પોકાર્યું, “પ્રભુ, તેમના પાપ માટે તેઓને શિક્ષા કરશો નહિ!” આવું કહ્યા પછી, તે મરણ પામ્યો.
\s5
\c 8
\s શાઉલ અને મંડળીની સતાવણી
\p
\v 1 જયારે તેઓ સ્તેફનની હત્યા કરી રહ્યા હતા ત્યારે સ્તેફનને મારી નાખવો જોઈએ એવી સહમતી દર્શાવતા શાઉલ ત્યાં હાજર હતો.તેજ દિવસે લોકોએ યરુશાલેમમાં રહેતા વિશ્વાસીઓની ભારે સતાવણી કરવાની શરૂઆત કરી. તેથી મોટા ભાગના વિશ્વાસીઓ યહૂદિયા તથા સમરુનના બીજા પ્રદેશોમાં નાસી ગયા. પ્રેરિતો યરુશાલેમમાં રહ્યા.
\v 2 પછી ઈશ્વરનું ભય રાખનારા કેટલાક માણસોએ સ્તેફનના શરીરને કબરમાં દફ્નાવ્યું અને તેઓએ તેને માટે મોટે સાદે વિલાપ કરીને શોક કર્યો.
\v 3 પણ શાઉલે વિશ્વાસીઓના સમૂહનો નાશ કરવાનું શરુ કર્યું. તે એક પછી એક ઘરમાં પ્રવેશીને સ્ત્રીઓ અને પુરુષોને જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા હતા, અને પછી તેઓને ઘસડી લાવીને જેલમાં પૂરતો.
\s સમરુનમાં સુવાર્તાપ્રચાર
\s5
\p
\v 4 જે વિશ્વાસીઓએ યરુશાલેમ છોડ્યું તેઓ વિવિધ જગ્યાઓમાં ગયા જ્યાં તેઓએ ઈસુ વિષેનો ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું.
\v 5 વિશ્વાસીઓમાનો એક જેનું નામ ફિલિપ હતું તે યરુશાલેમથી સમરુન જીલ્લામાં ગયો.ત્યાં તે લોકોને પ્રગટ કરતો હતો કે ઈસુ તેજ ખ્રિસ્ત છે.
\s5
\v 6 ઘણા લોકોએ ફિલિપનું સાંભળ્યું અને તેણે કરેલા ચમત્કારિક કાર્યો જોયાં, તેથી તેઓએ તેના શબ્દો પર ખાસ ધ્યાન આપ્યું.
\v 7 ફિલિપે ઘણા લોકોમાંથી અશુદ્ધ આત્માઓને નીકળી જવાની આજ્ઞા આપી, અને તેઓ ચીસો પાડતા બહાર નીકળ્યા. વળી ઘણા જેઓને લકવો થયો હતો અને લંગડા હતા તેઓ સાજા થયા.
\v 8 તે શહેરના ઘણા બધા લોકો ભારે આનંદથી ભરપૂર થયા.
\s5
\v 9 તે શહેરમાં એક માણસ હતો તેનું નામ સિમોન હતું. તે લાંબા સમયથી જાદુક્રિયા કરતો હતો, અને તેના જાદુથી સમરુન જીલ્લાના લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તે દાવો કરતો હતો કે તે “સિમોન મહાન” છે.
\v 10 ત્યાં જે લોકો હતા, સાધારણ અને મહત્વના બધા જ, તેનું સાંભળતા હતા. તેઓ કહેતા હતા કે” આ માણસમાં ઈશ્વરની મહાન શક્તિ છે.”
\v 11 તેઓએ ધ્યાનપૂર્વક તેનું સાંભળવાનું ચાલુ રાખ્યું, કેમ કે લાંબા સમયથી તેની જાદુક્રિયાથી લોકોને ચકિત કરી દીધા હતા.
\s5
\v 12 પણ પછી તેઓએ શુભ સંદેશ વિષે અને ઈશ્વર જયારે પોતાને રાજા તરીકે પ્રગટ કરશે તે વિષે તેમ જ ઈસુ ખ્રિસ્ત વિષે ફિલિપનો સંદેશો સાંભળ્યો ત્યારે સ્ત્રીઓ અને પુરુષો જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો તેઓ બાપ્તિસ્મા પામ્યા.
\v 13 સિમોને પોતે ફિલીપના સંદેશ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યો. તે ફિલિપની સાથે રહેવા લાગ્યો, અને ફિલિપ દ્વારા થતા મોટા ચમત્કારો જોઈને આશ્ચર્ય પામ્યો, તેથી તે સમજી શક્યો કે ફિલિપ સત્ય બોલતો હતો.
\s5
\v 14 જયારે યરુશાલેમમાં પ્રેરિતોએ સાંભળ્યું કે સમરુન જીલ્લાના ઘણા લોકોએ ઈશ્વરના સંદેશા પર વિશ્વાસ કર્યો છે ત્યારે તેઓએ પિતરને અને યોહાનને ત્યાં મોકલ્યા.
\v 15 જયારે પિતર અને યોહાન સમરુનમાં આવ્યા ત્યારે, તે વિશ્વાસીઓ પવિત્ર આત્મા પામે માટે તેઓએ પ્રાર્થના કરી.
\v 16 કેમ કે એ સ્પષ્ટ હતું કે હજી સુધી તેઓમાંના કોઈ પર પવિત્ર આત્મા આવ્યા નહતા. તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા.
\v 17 પછી પિતર અને યોહાને તેમના પર હાથ મૂક્યા, એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા.
\s5
\v 18 સિમોને જોયું કે પ્રેરિતોના હાથ મૂકવાથી લોકોને પવિત્ર આત્મા મળે છે, તેથી તેણે પ્રેરિતોને પૈસા આપવાની વાત કરતા
\v 19 કહ્યું કે,” તમે જે કરો છો તેવું કરવાની મને પણ શક્તિ આપો કે જેથી હું જેના પર હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે.”
\s5
\v 20 પણ પિતરે તેને કહ્યું,” તું અને તારા પૈસા નાશ પામો, કેમ કે ઈશ્વરના દાનને તેં પૈસાથી ખરીદવા પ્રયત્ન કર્યો!
\v 21 અમારા કાર્યમાં તારે કોઈ લાગભાગ નથી, કેમ કે તારું હૃદય પ્રભુ પ્રત્યે યોગ્ય નથી!
\v 22 તેથી એવું દુષ્ટતાપૂર્ણ રીતે વિચારવાનું બંધ કર, અને પ્રભુને વિનંતી કર કે, તે જે દુષ્ટતા કરવાનું તારા હૃદયમાં વિચાર્યું છે તે તેમની ઇચ્છા હોય તો, તને માફ કરે!
\v 23 તારા દુષ્ટ માર્ગોથી પાછો ફર, કેમ કે તું અમારા પ્રત્યે કટ્ટર ઈર્ષ્યાળુ છે, અને ભૂંડું કરવાની તારી સતત ઇચ્છાનો તું ગુલામ છે!
\s5
\v 24 પછી સિમોને પ્રત્યુત્તર આપ્યો કે,” મારા માટે પ્રાર્થના કરો કે તમે હમણાં જે કહ્યું તેવું કઈ મને ના થાય!”
\s5
\v 25 પિતર અને યોહાને ત્યાંના લોકોને પ્રભુ ઈસુ વિષે વ્યક્તિગત રીતે તેઓ જે જાણતા હતા તે પ્રગટ કર્યું, અને તેમને પ્રભુનો સંદેશો પ્રગટ કર્યો. તેઓ બંને યરુશાલેમ પાછા આવ્યા. માર્ગમાં ચાલતાં સમરૂન જીલ્લામાં તેઓએ ઈસુ વિષેનો શુભ સંદેશ લોકોને જણાવ્યો.
\s ફિલિપ અને ઇથિયોપિયાનો અધિકારી
\s5
\p
\v 26 એક દિવસ પ્રભુએ મોકલેલા એક દૂતે ફિલિપને આજ્ઞા કરી કે,” ઊઠ દક્ષિણ તરફ યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ પર જા.” તે માર્ગ તો અરણ્ય તરફ જતો હતો.
\v 27 તેથી ફિલિપ તૈયાર થઈને તે માર્ગ તરફ ગયો. તે રસ્તે તેને ઇથિઓપિઆ દેશનો એક માણસ મળ્યો. તે એક મહત્વનો અધિકારી હતો જે ઇથિઓપિઆની રાણીની નાણાકીય બાબતો સંભાળતો હતો.તેની ભાષામાં લોકો તેમની રાણીને કાંડાકે કહેતા હતા.એ માણસ યરુશાલેમમાં ઈશ્વરનું ભજન કરવા ગયો હતો.
\v 28 અને જયારે તે તેના રથમાં બેસીને ઘર તરફ પાછો ફરી રહ્યો હતો.તે રથમાં બેઠો બેઠો યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો.
\s5
\v 29 ઈશ્વરના આત્માએ ફિલિપને કહ્યું, “તેના રથની સાથે થઈ જા અને તેની સાથે ચાલ!”
\v 30 તેથી ફિલિપ રથ પાસે દોડી ગયો અને અધિકારીને યશાયા પ્રબોધકે લખેલું પુસ્તક વાંચતો સાંભળ્યો.તેણે તે માણસને પૂછ્યું, “તું જે વાંચે છે તે શું તું સમજે છે?”
\v 31 તેણે ફિલિપને જવાબ આપ્યો, “ના! જો મને તેના વિષે કોઈ સમજાવે નહિ તો હું તે સમજી શકું નહિ!” પછી તે માણસે ફિલિપને કહ્યું, “મહેરબાની કરીને અહી ઉપર આવ અને મારી બાજુમાં બેસ.”
\s5
\v 32 તે અધિકારી શાસ્ત્રનો જે ભાગ વાંચી રહ્યો હતો તે આ હતો: “લોકો ઘેટાને મારી નાખવા લઈ જાય ત્યારે તે જેવું શાંત હોય તેવો તે શાંત હતો, અથવા તે ઘેટું શાંત રહે જયારે તેનું ઉન કાતરવામાં આવી રહ્યું હોય.
\v 33 તેમને અપમાનિત કરવામાં આવશે.તેમને ન્યાય મળશે નહિ.કોઈ તેમના વંશજોને તેમના વિશે કઈ કહી શકશે નહિ. તેથી તેમના કોઈ વંશજો નહોતા કેમ કે તેઓ આ પૃથ્વી પરનું તેમનું જીવન લઈ લેશે.”
\s5
\v 34 અધિકારી જે શબ્દો વાંચી રહ્યો હતો તેના સંબંધી તેણે ફિલિપને પૂછ્યું, “મને કહે, પ્રબોધક કોના વિષે કહી રહ્યો હતો? તે પોતાના વિષે લખી રહ્યો હતો કે કોઈ બીજાના વિષે?”
\v 35 તેથી ફિલિપે તેને ઉત્તર આપ્યો; તેણે શાસ્ત્રના તે ફકરા દ્વારા શરૂઆત કરી, અને તેણે તેને ઈસુ વિષેનો શુભ સંદેશ જણાવ્યો.
\s5
\v 36 જયારે તેઓ માર્ગે જઈ રહ્યા હતા, ત્યારે તેઓ એવી જગ્યાએ આવ્યા જ્યાં થોડું પાણી હતું.પછી તે અધિકારીએ ફિલિપને કહ્યું, “જો, ત્યાં થોડું પાણી છે! હું ઇચ્છું છું કે તું મને બાપ્તિસ્મા આપે, કારણ કે, મને બાપ્તિસ્મા લેતા અટકાવે એવી કોઈ બાબત નથી.”
\v 37
\f +
\fr 8:37
\ft આ ભાગ કેટલાક લખાણોમાં જોવા મળશે ફિલિપે કહ્યું, “જો તું તારા સંપૂર્ણ મનથી વિશ્વાસ કરીશ તો હું તને બાપ્તિસ્મા આપીશ.” “અધિકારીએ જવાબ આપ્યું, હું વિશ્વાસ કરું છું કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરો દીકરો છે.”
\f*
\v 38 તેથી તે અધિકારીએ તે રથના હાંકનારને રથ રોકવા માટે કહ્યું.પછી અધિકારી અને ફિલિપ બંને પાણીમાં ગયા, અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.
\s5
\v 39 પછી પ્રભુના આત્મા ફિલિપને ત્યાંથી દૂર લઈ ગયા. તે અધિકારી ફિલિપને ફરી જોયો નહિ. તે છતાં તે અધિકારી ખૂબ હરખાતો તેના રસ્તે ગયો.
\v 40 પછી ફિલિપ અઝોતસમાં દેખાયો. જયારે તે આ પ્રદેશમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે, તેણે અઝોતસ અને કાઈસારિયાનાં શહેરોમાં ઈસુ વિષેનો સંદેશ પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું. અને અંતે જયારે તે કાઈસારિયા આવ્યો ત્યારે પણ તેણે તે પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું.
\s5
\c 9
\s શાઉલનું બદલાણ
\r (પ્રે.કૃ. 22:6-16; 26:12-18)
\p
\v 1 તે દરમ્યાન, જેઓ પ્રભુને અનુસરતા હતા તેઓને શાઉલ ગુસ્સાથી ડરાવતો અને મારી નાખવાની ધમકી આપતો હતો.તે યરુશાલેમમાં મુખ્ય યાજક પાસે ગયો
\v 2 અને તેણે તેને વિનંતી કરી કે તે તેની ઓળખ આપતા પત્રો દમસ્કસના યહૂદી સભાસ્થાનના આગેવાનો પર લખે.તે પત્રોમાં એવી માંગણી હતી કે પુરુષ કે સ્ત્રી જે ઈસુએ જે માર્ગ શીખવ્યો તેના પર ચાલતા હોય તેઓની તે અટકાયત કરે, અને તેમને કેદી બનાવીને યરુશાલેમના આગેવાનો પાસે લઈ જાય જેથી તેઓ તેમનો ન્યાય કરે અને શિક્ષા કરે.
\s5
\v 3 જયારે શાઉલ અને તેની સાથે જેઓ હતા તેઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે, તેઓ દમસ્ક તરફ જઈ રહ્યા હતા.અચાનક સ્વર્ગમાંથી ખુબ પ્રકાશિત અજવાળું શાઉલની આસપાસ ફેલાઈ ગયું.
\v 4 તરત તે ભૂમિ પર પડી ગયો.પછી તેણે કોઈનો અવાજ તેને કહેતા સાંભળ્યો, “શાઉલ, શાઉલ, તું મને સતાવવાનો પ્રયત્ન કેમ કરે છે?”
\s5
\v 5 શાઉલે તેને પૂછ્યું, “પ્રભુ તમે કોણ છો?” તેમણે જવાબ આપ્યો, “હું ઈસુ છું, જેને તું સતાવે છે.
\v 6 હવે ઊભો થઈને શહેરમાં જા! ત્યાં એક જણ તને બતાવશે કે હું તારા દ્વારા શું કરાવવા માંગું છું.”
\v 7 જે માણસો શાઉલની સાથે મુસાફરી કરી રહ્યા હતા આશ્ચર્યના માર્યા કંઈ બોલી શક્યા નહિ.તેઓ ત્યાં ઊભા જ રહ્યા. તેઓએ ઈશ્વરને બોલતા સાંભળ્યા, પણ તેમણે કોઈને જોયા નહિ.
\s5
\v 8 શાઉલ ભૂમિ પરથી ઊઠ્યો, પણ જયારે તેણે તેની આંખો ખોલી ત્યારે તે કશું જોઈ ન શક્યો.તેથી તેની સાથેના માણસો તેને હાથ પકડીને દમસ્ક દોરી ગયા.
\v 9 પછીના ત્રણ દિવસ સુધી શાઉલ કંઈ જોઈ શક્યો નહિ, અને તેણે કંઈ ખાધું કે પીધું નહિ.
\s5
\v 10 દમસ્કમાં અનાન્યા નામનો ઈસુનો એક અનુયાયી હતો.પ્રભુ ઈસુએ તેને દર્શન આપ્યું અને કહ્યું, “અનાન્યા! તેણે ઉત્તર આપ્યો, “પ્રભુ, હું સાંભળું છું.”
\v 11 પ્રભુ ઈસુએ તેને કહ્યું, “ઊભી શેરીમાં યહૂદાનું જે ઘર છે ત્યાં જા.ત્યાં કોઈકને તાર્સસનાં શાઉલ સંબંધીએ પૂછ કે તું તેની સાથે વાત કરી શકે, કેમ કે આ સમયે તે મારી પ્રાર્થના કરી રહ્યો છે.
\v 12 શાઉલે દર્શનમાં જોયું કે અનાન્યા નામનો એક માણસ ઘરમાં પ્રવેશ્યો જ્યાં તે રહેતો હતો અને તેના માથા પર તેના હાથ મૂક્યા જેથી તે ફરીથી જોઈ શકે.”
\s5
\v 13 અનાન્યાએ જવાબ આપ્યો, “પણ પ્રભુ, ઘણા લોકોએ મને આ માણસ વિશે કહ્યું છે! યરુશાલેમમાંના જેઓ તમારા પર વિશ્વાસ કરે છે તેઓ પ્રત્યે તેણે ઘણી દુષ્ટ બાબતો કરી છે!
\v 14 અહીં દમસ્કમાંના જેઓ તમારામાં વિશ્વાસ કરે છે તેઓને કેદી બનાવવા માટે અહીં આવવાની મુખ્ય યાજકે તેને સત્તા આપેલી છે!”
\v 15 પણ પ્રભુ ઈસુએ અનાન્યાને કહ્યું કે, “શાઉલની પાસે જા! હું જે કહું છું તે કર, કેમ કે તે બિનયહૂદીઓને અને તેમના રાજાઓને અને ઇઝરાયલી લોકોને મારા વિશે કહી શકે તે રીતે મારી સેવા કરે માટે મેં તેને પસંદ કર્યો છે.
\v 16 હું જાતે જ તેને કહીશ કે તેણે લોકોને મારા વિશે કહેવા માટે ઘણી વાર સહન કરવું પડશે.”
\s5
\v 17 તેથી અનાન્યા ગયો, અને જ્યાં શાઉલ હતો તે ઘર શોધી કાઢ્યા પછી, તે તેમાં ગયો.પછી, જેવો તે શાઉલને મળ્યો, કે તરત જ તેણે તેના હાથ તેના પર મૂક્યા, અને તેણે કહ્યું, “ભાઈ શાઉલ, પ્રભુ ઈસુએ પોતે જ મને તારી પાસે આવવા આજ્ઞા આપી છે.જયારે તું દમસ્કસના માર્ગે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તને જે દેખાયા હતા તેઓ તે જ છે.તેમણે મને તારી પાસે મોકલ્યો છે કે તું ફરીથી દેખતો થાય અને પવિત્ર આત્માના સંપૂર્ણ નિયંત્રણમાં આવે.”
\v 18 તરત જ, માછલીના ભીંગડા જેવું કશુંક શાઉલની આંખમાંથી ખર્યું, અને તે ફરીથી જોઈ શક્યો.પછી તે ઊઠ્યો અને બાપ્તિસ્મા પામ્યો.
\v 19 શાઉલે થોડો ખોરાક લીધા પછી, તે ફરીથી મજબૂત થયો.શાઉલ દમસ્કસના બીજા વિશ્વાસીઓની સાથે થોડા દિવસ ત્યાં રહ્યો.
\s દમસ્કસમાં શાઉલનો પ્રચાર
\s5
\p
\v 20 તે સાથે જ તેણે યહૂદી સભાસ્થાનોમાં ઈસુ વિશે પ્રચાર કરવાનું ચાલુ કર્યું.તેણે તેઓને કહ્યું કે ઈસુ ઈશ્વરના દીકરા છે.
\v 21 બધા લોકો જેઓએ તેને પ્રચાર કરતા સાંભળ્યો તેઓ સર્વ આશ્ચર્ય પામ્યા.તેઓમાંના કેટલાક કહેતા હતા, “આપણે ભાગ્યે જ વિશ્વાસ કરી શકીએ કે આ એ જ માણસ છે જે યરુશાલેમમાંના યહૂદીઓને સતાવતો હતો અને જે તેમને કેદી બનાવીને યરુશાલેમમાં મુખ્ય યાજક પાસે લઈ જવાનો હતો!”
\v 22 પણ ઈશ્વરે શાઉલને શક્તિ આપી કે તે ઘણા લોકોને વધુ ખાતરીપૂર્વક રીતે પ્રચાર કરી શકે.તે શાસ્ત્રમાંથી સાબિત કરતો હતો કે ઈસુ એ ખ્રિસ્ત છે.તેથી તે જે કહે છે તે કેવી રીતે ખોટું ઠરાવવું તે દમસ્કમાંના યહૂદી આગેવાનો વિચારી શક્યા નહિ.
\s5
\v 23 થોડા સમય પછી, યહૂદી આગેવાનોએ તેને મારી નાખવાની યોજના ઘડી.
\v 24 દિવસ અને રાત દરમ્યાન યહૂદીઓ શહેરના દરવાજામાંથી પસાર થતા લોકોનું સતત ધ્યાન રાખતા હતા, જેથી જયારે તેઓ શાઉલને જુએ ત્યારે તેઓ તેને મારી નાખી શકે.જોકે, કોઈકે શાઉલને કહી દીધું હતું કે તેઓએ તેને મારી નાખવાની યોજના કરી છે.
\v 25 તેથી કેટલાક લોકો જેઓને તેણે ઈસુ પર વિશ્વાસ કરવા તરફ દોર્યા હતા તેઓ એક રાત્રે તેને શહેરને ઘેરતી ઊંચી પથ્થરની દીવાલ પાસે લઈ ગયા.દીવાલમાંના બાકોરામાંથી મોટી ટોપલીમાં તેઓએ તેને દોરડાની મદદથી તેને નીચે ઉતાર્યો.આ રીતે તે દમસ્કમાંથી નાસી ગયો.
\s શાઉલ યરુશાલેમમાં
\s5
\p
\v 26 જયારે શાઉલ યરુશાલેમમાં આવી પહોચ્યો, ત્યારે તેણે બીજા વિશ્વાસીઓને મળવાનો પ્રયત્ન કર્યો.જો કે, તેઓમાંના લગભગ બધાએ તેનાથી બીવાનું ચાલુ રાખ્યું, કેમ કે તેઓ વિશ્વાસ કરી શક્યા નહિ કે તે વિશ્વાસી બન્યો છે.
\v 27 પણ બાર્નાબાસ તેની પાસે આવ્યો અને તેને પ્રેરિતોની પાસે લઈ ગયો.તેણે પ્રેરિતોને જણાવ્યું કે, કેવી રીતે જયારે શાઉલ દમસ્કસના માર્ગે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે, તેણે પ્રભુ ઈસુને જોયા અને કેવી રીતે પ્રભુએ ત્યાં તેની સાથે વાત કરી.તેણે તેઓને એ પણ કહ્યું કે કેવી રીતે શાઉલે દમસ્કસના લોકોને હિંમતપૂર્વક ઈસુ વિશે પ્રચાર કર્યો.
\s5
\v 28 તેથી આખા યરુશાલેમમાં શાઉલે પ્રેરિતોને અને બીજા વિશ્વાસીઓને મળવાનું ચાલુ કર્યું, અને તે હિંમતથી લોકોને પ્રભુ ઈસુ વિશે કહેતો હતો.
\v 29 શાઉલ યહૂદીઓ કે જેઓ ગ્રીક ભાષા બોલતા હતા તેઓને પણ ઈસુ વિશે કહેતો હતો, અને તેમની સાથે ચર્ચા કરતો હતો.પણ તેઓ સતત એવું વિચારતા હતા કે તે તેઓ કઈ રીતે તેને મારી નાખે.
\v 30 જયારે બીજા વિશ્વાસીઓએ એ જાણ્યું કે તેઓ તેને મારી નાખવા યોજના કરતા હતા, ત્યારે કેટલાક શાઉલ ને કાઈસારિયા શહેર તરફ લઈ ગયા.ત્યાં તેઓએ તેને એક વહાણ જે તેના શહેર તાર્સસ તરફ જતું હતું, તેમાં બેસાડ્યો.
\s5
\v 31 તેથી વિશ્વાસીઓનો સમૂહ આખા યહૂદિયા, ગાલીલ અને સમરુનમાં શાંતિપૂર્વક રહેતો હતો કેમ કે હવે કોઈ તેમને સતાવણી કરનાર નહોતું.પવિત્ર આત્મા તેઓને શક્તિ આપતા હતા અને ઉત્તેજન આપતા હતા.તેઓ સતત પ્રભુ ઈસુને માન આપતા હતા, અને પવિત્ર આત્મા બીજા ઘણા લોકોને વિશ્વાસીઓ થવા માટે શક્તિમાન કરતા હતા.
\s પિતર લુદા અને જોપ્પામાં
\p
\v 32 જયારે પિતર તે બધા પ્રદેશોમાંથી પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે, એકવાર તે વિશ્વાસીઓ કે જેઓ સમુદ્ર કિનારાના પ્રદેશ લોદમાં રહેતા હતા તેમની મુલાકાત માટે ત્યાં ગયો.
\s5
\v 33 ત્યાં તે એક માણસ જેનું નામ એનિયસ હતું તેને મળ્યો.એનીયસ તેની પથારીમાંથી ઊભો થઈ શકતો ન હતો કેમ કે તે આઠ વર્ષથી લકવાગ્રસ્ત હતો.
\v 34 પિતરે તેને કહ્યું, “એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે! ઊભો થા અને તારું બિછાનું વાળી લે!” તરત જ એનીયસ ઊભો થયો.
\v 35 મોટા ભાગના લોકો જેઓ લોદમાં અને શારોનના મેદાનમાં રહેતા હતા તેઓએ પ્રભુએ એનીયસને સાજો કર્યો તે પછી જોયો, તેથી તેઓએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર્યો.
\s5
\v 36 જોપ્પા શહેરમાં એક વિશ્વાસી હતી જેનું નામ તબીથા હતું.ગ્રીક ભાષામાં તેનું નામ દરકાસ હતું.ગરીબ લોકોને તેમની જરૂરિયાતની બાબતો આપવા દ્વારા તે હમેશા સારાં કાર્યો કરતી હતી.
\v 37 જયારે પિતર લોદમાં હતો તે સમય દરમ્યાન, તે બીમાર પડી અને મરણ પામી.ત્યાંની કેટલીક સ્ત્રીઓએ યહૂદી રિવાજ પ્રમાણે તેના શરીરને નવડાવ્યું. પછી તેઓએ તેના શરીરને વસ્ત્રોમાં લપેટીને તેના ઘરની ઉપલી મેડીમાં મૂક્યું.
\s5
\v 38 લોદ એ જોપ્પા શહેરથી નજીક હતું, તેથી જયારે શિષ્યોએ સાંભળ્યું કે પિતર હજુ લોદમાં છે, ત્યારે તેમણે બે માણસોને પિતરની પાસે મોકલ્યા.પિતર જ્યાં હતો ત્યાં તેઓ આવી પહોચ્યા ત્યારે, તેઓએ તેને તાકીદ કરી, “મહેરબાની કરીને મારી સાથે જોપ્પા આવ!”
\v 39 પિતર તરત તૈયાર થયો અને તેમની સાથે ગયો. જયારે તે જોપ્પામાં તે ઘરમાં આવ્યો, ત્યારે તેઓ તેને ઉપલી મેડીમાં જ્યાં દરકાસનું શરીર રાખેલું હતું ત્યાં લઈ ગયા.બધી જ વિધવાઓ ત્યાં તેની આસપાસ હતી.તેઓ રડતી હતી અને જે ઝભ્ભા અને બીજા વસ્ત્રો દરકાસ હજુ જીવતી હતી ત્યારે લોકોને માટે બનાવતી હતી તે તેઓને દેખાડતી હતી.
\s5
\v 40 પણ પિતરે તે બધાને ઓરડામાંથી બહાર કાઢી મૂક્યા.પછી તેણે ઘૂંટણ પર પડીને પ્રાર્થના કરી.પછી, તેના શરીર તરફ ફરીને, તેણે કહ્યું, “તબીથા, ઊભી થા!” તરત તેણે તેની આંખો ખોલી અને, જયારે તેણે પિતરને જોયા, તે બેઠી થઈ.
\v 41 તેણે તેનો એક હાથ પકડ્યો અને તેને ઊભા થવામાં મદદ કરી.પછી તેણે વિશ્વાસીઓને તેમ જ જે વિધવાઓ ત્યાં હતી તેઓને ફરીથી અંદર બોલાવ્યા, તેણે તેઓને બતાવ્યું કે તે ફરીથી જીવતી થઈ છે.
\v 42 તરત જ જોપ્પામાં રહેનારા લોકોએ તે ચમત્કાર વિશે જાણ્યું, અને તેના પરિણામ રૂપે ઘણા લોકોએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર્યો.
\v 43 પિતર જોપ્પામાં સિમોન નામના માણસ કે જે પ્રાણીઓના ચામડીમાંથી ચામડું બનાવતો હતો તેના ત્યાં ઘણા દિવસ સુધી રહ્યો.
\s5
\c 10
\s પિતર અને કર્નેલ્યસ
\p
\v 1 એક માણસ જે કાઈસારિયા શહેરમાં રહેતો હતો તેનું નામ કર્નેલ્યસ હતું.તે અધિકારી હતો જે ઈટાલીના રોમન સૈનિકોના સો માણસોના મોટા સમુહને આદેશ કરતો હતો.
\v 2 તે હમેશા ઈશ્વરને જે પસંદ હોય તેવું કાર્ય કરતો હતો; તે અને તેના ઘરના બધા જ બિનયહૂદી હતા જેઓ ઈશ્વરનું ભજન કરવા ટેવાએલા હતા.તે ઘણી વાર ગરીબ યહૂદી લોકોને મદદ કરવા નાણા આપતો હતો, અને તે ઈશ્વરને નિયમિત પ્રાર્થના કરતો હતો.
\s5
\v 3 એક દિવસ બપોરે આશરે ત્રણ વાગે કર્નેલ્યસે એક દર્શન જોયું.તેણે સ્પષ્ટ રીતે એક દૂતને જોયો કે જેને ઈશ્વરે મોકલ્યો હતો.તેણે દૂતને તેના ઓરડામાં આવતો જોયો જે તેને કહેતો હતો, “કર્નેલ્યસ!”
\v 4 કર્નેલીયસ તે દૂતને તાકી રહ્યો અને ગભરાયો.પછી તેણે ભયભીત થઈને પૂછ્યું, “સાહેબ, તમારે શું જોઈએ છે?” ઈશ્વર પાસેથી મોકલાએલા તે દૂતે તેને જવાબ આપ્યો, “તે ઈશ્વરને પ્રસન્ન કર્યા છે કેમ કે તું નિયમિત રીતે તેમને પ્રાર્થના કરે છે અને તું ઘણી વાર ગરીબ લોકોને મદદ કરવા માટે નાણા આપે છે. તે બધી બાબતો ઈશ્વરને માટે યાદગીરીના અર્પણ જેવી છે.
\v 5 તેથી હવે કોઈ માણસને જોપ્પા જવાની આજ્ઞા આપ અને તેને કહે કે સિમોન નામનો માણસ કે જેનું બીજું નામ પિતર છે તેને પાછો લઈ આવે.
\v 6 તે જેની સાથે રહે છે, તેનું નામ પણ સિમોન છે, જે ચામડું બનાવે છે.તેનું ઘર સમુદ્રની પાસે છે.”
\s5
\v 7 જે દૂત કર્નેલીયસ સાથે વાત કરી રહ્યો હતો તે ગયો ત્યારે, તેણે તેના ઘરમાં કામ કરતા બે નોકરોને અને એક સૈનિક જે તેની સેવા કરતો હતો, તે પણ ઈશ્વરનું ભજન કરતો હતો તેઓને બોલાવ્યા.
\v 8 દૂતે તેને જે કહ્યું હતું તે બધું તેણે તેઓને સમજાવ્યું.પછી તેણે તેઓને કહ્યું કે જોપ્પા શહેરમાં જઈને પિતરને કાઈસારિયા આવવા કહે.
\s5
\v 9 બીજા દિવસે આશરે બપોરે પેલા ત્રણ માણસો માર્ગની મુસાફરી કરીને જોપ્પા પાસે આવી પહોચ્યા.તેઓ જોપ્પા પહોંચી રહ્યા હતા ત્યારે, પિતર ઘરની અગાશી પર પ્રાર્થના કરવા ગયો.
\v 10 તે ભૂખ્યો થયો અને તેને કઈ ખાવાની ઇચ્છા થઈ.જયારે કેટલાક લોકો ખોરાક તૈયાર કરી રહ્યા હતા ત્યારે, પિતરે એક દર્શન જોયું.
\v 11 તેણે આકાશ ખુલ્લું થએલું જોયું અને મોટી ચાદર જેવું કશુંક ભૂમિ પર નીચે ઉતર્યું, અને તેના ચાર ખૂણા ઉપરની તરફ ઊઠેલા હતા.
\v 12 તે ચાદરમાં બધા જ પ્રકારના સજીવો હતા.તેઓમાં મૂસાના નિયમ પ્રમાણે યહૂદીઓને જે મના કરવામાં આવેલા તેવા પ્રાણીઓ અને પક્ષીઓ સામેલ હતા.કેટલાકને ચાર પગ હતા, બીજા ભૂમિ પર ચાલનારા હતા, અને બીજા જંગલી પક્ષીઓ હતા.
\s5
\v 13 પછી તેણે ઈશ્વરને તેને કહેતા સાંભળ્યા, “પિતર, ઊભો થા, તેમાંના કેટલાકને મારી નાખ અને તેઓને ખા!”
\v 14 પણ પિતરે જવાબ આપ્યો, “પ્રભુ, ખરેખર તમે ન ઈચ્છો કે હું તે કરું કેમ કે આપણા યહૂદી નિયમ પ્રમાણે જે અસ્વીકાર્ય છે તે મેં કદી ખાધું નથી અથવા તે આપણે કદી ખાવું જ ન જોઈએ!”
\v 15 પછી પિતરે બીજી વાર ઈશ્વરને તેની સાથે વાત કરતા સાંભળ્યા. તેમણે કહ્યું,” હું ઈશ્વર છું, તેથી મેં જે બનાવ્યું છે તે ખાવા માટે સ્વીકૃત છે, તો એવું કહીશ નહિ કે તે ખાવા માટે અસ્વીકૃત છે!”
\v 16 આવું ત્રણ વાર બન્યું.તે પછી તરત જ, તે પ્રાણીઓ અને પક્ષીઓવાળી ચાદર આકાશમાં પછી ઉચકાઈ ગઈ.
\s5
\v 17 જયારે પિતર તે દર્શન શું હતું તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે, કર્નેલ્યસે જે માણસો મોકલ્યા હતા તે આવી પહોચ્યા. તેમણે લોકોને પૂછ્યું કે સિમોનના ઘરે કેવી રીતે પહોંચી શકાય.તેથી તેઓએ તેનું ઘર શોધી કાઢ્યું અને દરવાજાની બહાર ઊભા રહ્યા.
\v 18 તેઓએ બોલાવીને પૂછ્યું કે, સિમોન જેનું બીજું નામ પિતર હતું તે ત્યાં રહેતો હતો કે કેમ.
\s5
\v 19 જયારે પિતર હજુ તે દર્શન શું હતું તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે, ઈશ્વરના આત્માએ તેને કહ્યું, સાંભળ! અહી ત્રણ માણસો છે જેઓ તને મળવા માંગે છે.
\v 20 તેથી ઊભો થઈને નીચે જા અને તેમની સાથે જા! એવી વિચારીશ નહિ કે તારે તેઓની સાથે જવું જોઈએ નહિ, કારણ કે મેં તેઓને અહી મોકલ્યા છે!”
\v 21 તેથી પિતર તેઓની પાસે ત્યાં નીચે આવ્યો અને તેઓને કહ્યું, “સલામ! તમે જે માણસને શોધો છો તે હું જ છું.તમે શા માટે આવ્યા છો?”
\s5
\v 22 તેઓએ જવાબ આપ્યો, “કર્નેલ્યસ, જે રોમન અધિકારી છે, તેણે અમને અહી મોકલ્યા છે.તે સારો માણસ છે જે ઈશ્વરનું ભજન કરે છે, અને બધા જ યહૂદીઓ જેઓ તેને જાણે છે તેઓ તેના વિષે કહે છે કે તે સારો માણસ છે.એક દૂતે તેને કહ્યું, કોઈ માણસોને કહે કે જોપ્પા જઈને સિમોન પિતરને મળે અને તેને અહી લઈ આવે, તેથી તે તને જણાવી શકે કે તેને શું કહેવું છે.”
\v 23 તેથી પિતરે તેઓને ઘરમાં બોલાવ્યા અને તેમને કહ્યું કે તેમણે રાત્રે ત્યાં રોકાવું જોઈએ.બીજા દિવસે પિતર તૈયાર થયો અને તે માણસોની સાથે ગયો.જોપ્પામાંથી કેટલાક વિશ્વાસીઓ પણ તેની સાથે ગયા.
\s5
\v 24 તે પછીના દિવસે, તેઓ કાઈસારિયા શહેરમાં આવી પહોચ્યા.કર્નેલ્યસ તેઓની રાહ જોઈ રહ્યો હતો.તેણે તેના સગાંઓને અને નજીકના મિત્રોને પણ ત્યાં બોલાવ્યા હતા, જેથી તેઓ પણ ત્યાં તેના ઘરમાં હતા.
\s5
\v 25 જયારે પિતર તે ઘરમાં આવ્યો ત્યારે, કર્નેલ્યસ તેને મળ્યો અને તેની સામે નીચા નમીને તેનું ભજન કર્યું.
\v 26 પણ પિતરે કર્નેલીયસને હાથ પકડીને તેના પગ પર ઊભો કર્યો.તેણે કહ્યું, “ઊભો થા! મારી સામે નમીને મારું ભજન કરીશ નહિ! હું પોતે પણ તારી જેમ, માણસ જ છું!”
\s5
\v 27 પિતર જયારે કર્નેલીયસની સાથે વાત કરતો હતો ત્યારે, તેણે અને તેની સાથેના બીજાઓ ઘરમાં પ્રવેશ્યા ત્યારે તેમણે જોયું કે ઘણા બધા લોકો ત્યાં એકઠા થયા હતા.
\v 28 પછી પિતરે તેઓને કહ્યું, “તમે બધા જાણો છો કે આપણામાંનો કોઈ યહૂદી જેઓ બિનયહૂદી માતા પિતાના વંશજો હોય તેઓની સાથે સંબંધ રાખે અથવા તેમના ઘરની પણ મુલાકાત કરે તો આપણે યહૂદી નિયમોને આધીન થતા નથી તેવું વિચારે. જો કે, ઈશ્વરે મને દર્શનમાં બતાવ્યું છે કે મારે કોઈને અશુદ્ધ કે ભ્રષ્ટ કહેવું જોઈએ નહિ કારણ કે ઈશ્વર તેને સ્વીકારતા નથી.
\v 29 તેથી જયારે તમે કેટલાક માણસોને મને તેડી લાવવા મોકલ્યા ત્યારે, હું કઈ પણ આનાકાની કાર્ય વગર સીધો અહી આવ્યો.એટલે, મહેરબાની કરીને મને કહો, તમે મને અહી આવવાનું શા માટે કહ્યું?”
\s5
\v 30 કર્નેલ્યસે જવાબ આપ્યો,” ત્રણ દિવસ પહેલા આશરે આ સમયે જેમ હું બપોર પછી ત્રણ વાગે કરું નિયમિત કરું છું તેમ, મારા ઘરમાં ઈશ્વરની પ્રાર્થના કરતો હતો. અચાનક એક માણસ કે જેણે ઉજળા સફેદ વસ્ત્ર પહેરેલા હતા તેની સામે આવીને ઊભો રહ્યો અને કહ્યું,
\v 31 કર્નેલ્યસ, ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે.તેમણે એ પણ ધ્યાનમાં લીધું છે કે તું ઘણીવાર ગરીબ લોકોને નાણા આપીને મદદ કરે છે, અને તેઓ તેનાથી પ્રસન્ન છે.
\v 32 તેથી હવે, સિમોન કે જેનું બીજું નામ પિતર છે તેને અહી બોલાવી લાવવા માટે જોપ્પા શહેરમાં સંદેશવાહકો મોકલ.તે સિમોન કે જે ચામડું બનાવે છે, તેના સમુદ્ર પાસેના ઘરમાં રહે છે.’”
\v 33 તેથી મેં તરત જ કેટલાક માણસોને તને બોલાવવા માટે મોકલ્યા, અને તું આવ્યો માટે હું તારો ખરેખર આભાર માનું છું.હવે, આપણે જાણીએ છીએ કે ઈશ્વર આપણી સાથે છે, ઈશ્વરે તને જે આજ્ઞા આપી છે તે બાબતો સાંભળવા માટે આપણે બધા અહી ભેગા થયા છીએ.તેથી હવે મહેરબાની કરીને અમારી સાથે વાત કર.”
\s પિતરનો સંદેશ
\s5
\p
\v 34 તેથી પિતરે તેઓની સાથે વાત કરવાનું શરુ કર્યું. તેણે કહ્યું, “હવે હું સમજ્યો છું કે એ સાચું છે કે ઈશ્વર કોઈ ચોક્કસ પ્રકારના લોકોના સમૂહની તરફેણ કરતા નથી.
\v 35 તેના બદલે, દરેક લોક સમૂહમાંથી જેઓ તેમને માન આપે છે અને તેમને પસંદ પડે તેવું કરે છે તે બધાને તેઓ સ્વીકારે છે.
\s5
\v 36 ઇઝરાયલીઓ ઈશ્વરે આપણને જે સંદેશો મોકલ્યો છે તે તમે જાણો છો.ઈસુ ખ્રિસ્તે જે કર્યું છે તે શુભ સમાચારના લીધે લોકોને તેમનામાં શાંતિ પ્રાપ્ત થશે તે તેમણે આપણને પ્રગટ કર્યું છે. આ ઈસુ એ માત્ર ઇઝરાયલીઓના જ ઈશ્વર નથી.તેઓ પ્રભુ છે કે જેઓ બધા લોકોની ઉપર રાજ કરે છે.
\v 37 ગાલીલથી શરુ કરીને, યહૂદિયાની ભૂમિ સુધી તેમણે જે કર્યું તે તમે જાણો છો.યોહાને લોકોને બાપ્તિસ્મા આપતા પહેલા તેમના પાપી વર્તનથી પાછા ફરવા સંબંધી પ્રગટ કર્યું તે પછી તેમણે આ બાબતો કરવાનું શરુ કર્યું.
\v 38 તમે જાણો છો કે ઈશ્વરે ઈસુને કે જેઓ નાસરેથ નગરના હતા તેમને તેમનો પવિત્ર આત્માથી અભિષેક કર્યો, અને તેમને ચમત્કારો કરવાની શક્તિ આપી.તમે જાણો છો કે કેવી રીતે ઈસુ ઘણી જગ્યાએ જતા, હમેશા ભલા કાર્યો કરતા અને લોકોને સાજા કરતા હતા.શેતાનથી જેઓ પીડાતા હતા તેવા બધા લોકોને તેઓ સાજા કરતા હતા. ઈસુ આ બધી બાબતો કરી શક્યા કેમ કે ઈશ્વર હમેશા તેમને મદદ કરતા હતા.”
\s5
\v 39 “યરુશાલેમમાં ઇઝરાયલ જ્યાં તેઓ રહ્યા તે દરેક ભાગમાં ઈસુએ જે કર્યું તે આપણે બધાએ જોયું છે.તેમના દુશ્મનોએ તમને લાકડાના વધસ્તંભ ઉપર ખીલા ઠોકીને મારી નાખ્યા.
\v 40 તેઓ મરણ પામ્યા પછી ઈશ્વરે તેમને ત્રીજા દિવસે ફરીથી સજીવન કર્યા, અને તેમણે એ ખાતરી રાખી કે તેઓ સજીવન થાય પછી ઘણા લોકો તેમને જુએ.લોકોને ખાતરી હતી કે તેઓ મરણ પામ્યા છે, અને હવે તેમણે તેમની આંખોએ જોયું છે, અને તેઓ ખાતરીથી માને છે કે તેઓ ફરીથી જીવતા થયા છે.
\v 41 ઈશ્વરે તેમને ફરી સજીવન કર્યા તે પછીના શરુઆતના દિવસોમાં જેઓએ તેમની સાથે સમય ગાળ્યો હતો અને તેમની સાથે ભોજન લીધું હતું માત્ર તે લોકો સિવાય ઈશ્વરે બધાને તેમનું દર્શન થવા દીધું નહિ.
\s5
\v 42 ઈશ્વરે આપણને આદેશ આપ્યો છે કે આપણે લોકોને ઉપદેશ આપીએ અને તેમણે આપણને તેઓને કહેવા માટે કહ્યું છે કે, તેમણે ઈસુને એક દિવસ બધાના ન્યાયાધીશ તરીકે નીમ્યા છે, તે દિવસ નિશ્ચે આવશે.જેઓ હજુ જીવે છે અને બીજા જેઓ તે સમય પહેલા મરણ પામ્યા છે તે બધાનો ન્યાય કરશે.
\v 43 બધા જ પ્રબોધકો જેઓએ લાંબા સમય પહેલા લોકોને તેમના વિષે લખેલું છે.તેમણે લખ્યું છે કે જેઓએ તેમનામાં વિશ્વાસ કર્યો છે, તેઓએ પાપ કર્યા હશે તે ઈશ્વર માફ કરશે, કેમ કે આ માણસ, ઈસુએ, તેમને માટે એ કર્યું છે.”
\s વિદેશીઓ પવિત્ર આત્મા પામ્યા
\s5
\p
\v 44 જયારે પિતર હજુ તે શબ્દો બોલી રહ્યો હતો ત્યારે, એકાએક બધા લોકો જેઓ અન્ય દેશોના હતા અને આ સંદેશ સાંભળી રહ્યા હતા તેઓના પર પવિત્ર આત્મા ઉતરી આવ્યા.
\v 45 ઈશ્વરે પવિત્ર આત્મા જે ઉદારતાથી અન્ય દેશોના લોકોને પણ આપ્યા તે જોઈને, જે યહૂદી વિશ્વાસીઓ જોપ્પાથી પિતરની સાથે આવ્યા હતા તેઓ આશ્ચર્ય પામ્યા.
\s5
\v 46 યહૂદી વિશ્વાસીઓએ જાણ્યું કે આ ઈશ્વરે કર્યું છે કેમ કે તેમણે તે લોકોને અન્ય ભાષામાં જે તેઓ શીખ્યા ન હતા તેમાં બોલતા અને ઈશ્વર કેટલા મહાન છે તેવું કહેતા સાંભળ્યા.
\v 47 પછી ત્યાં જે બીજા યહૂદી વિશ્વાસીઓ હતા તેઓને પિતરે કહ્યું, “ઈશ્વરે આપણ યહૂદી વિશ્વાસીઓની જેમ જ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યા છે, તેથી તમે બધા નિશ્ચે સંમત થશો કે આપણે આ લોકોને બાપ્તિસ્મા આપવું જોઈએ!”
\v 48 પછી પિતરે તે બિનયહૂદી લોકોને કહ્યું કે તમારે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારા તરીકે બાપ્તિસ્મા પામવું જોઈએ.તેથી તેઓએ તે બધાને બાપ્તિસ્મા આપ્યું.બાપ્તિસ્મા પામ્યા પછી, તેઓએ પિતરને વિનંતી કરી કે તે તેઓની સાથે થોડા દિવસ રહે.તેથી પિતર અને બીજા યહૂદી વિશ્વાસીઓએ તે પ્રમાણે કર્યું.
\s5
\c 11
\s યરુશાલેમની મંડળી આગળ અહેવાલ
\p
\v 1 પ્રેરિતો તેમ જ બીજા વિશ્વાસીઓ જેઓ યહૂદિયા પ્રાંતના અલગ અલગ નગરોમાં રહેતા હતા તેઓએ લોકોને કહેતા સાંભળ્યા કે કેટલાક બિનયહૂદી લોકોએ પણ ઈશ્વરના ઈસુ વિશેના સંદેશ પર વિશ્વાસ કર્યો છે.
\v 2 પણ પિતર કાઈસારિયાથી યરુશાલેમ પાછો આવ્યો ત્યારે, ત્યાં યરુશાલેમમાં કેટલાક યહૂદી વિશ્વાસીઓ તેને મળ્યા અને તેની ટીકા કરી.તેઓ ઈચ્છતા હતા કે ઈસુના બધા અનુયાયીઓની સુન્નત કરવામાં આવે.
\v 3 તેઓએ તેને કહ્યું, “તું બેસુન્નત બિનયહૂદીઓના ઘરે જાય છે એટલું જ નહિ પણ, તું તેઓની સાથે જમે પણ છે!”
\s5
\v 4 તેથી પિતરે ખરેખર જે બન્યું હતું તે તેઓને કહેવાનું શરુ કર્યું.
\v 5 તેણે કહ્યું,” હું જોપ્પા શહેરમાં મારી રીતે પ્રાર્થના કરી રહ્યો હતો, અને ત્યારે મને એક દર્શન થયું.મેં જોયું કે એક વિશાળ ચાદર ચાર ખૂણેથી લટકાવેલી આકાશમાંથી ઉતરી આવી, અને હું જ્યાં હતો ત્યાં નીચે તે આવી.
\v 6 હું જયારે ધ્યાનથી તેમાં જોઈ રહ્યો હતો ત્યારે, મેં કેટલાક પાલતુ પ્રાણીઓ અને કેટલાક જંગલી પ્રાણીઓ, સર્પ, અને જંગલી પક્ષીઓ પણ જોયા.
\s5
\v 7 પછી મેં ઈશ્વરને મને આદેશ આપતા સાંભળ્યા, ‘પિતર, ઊભો થા, મારીને તેઓને ખા!
\v 8 પણ મેં ઉત્તર આપ્યો, પ્રભુ, તમે સાચે જ એવું ઈચ્છો નહિ કે હું તે પ્રમાણે કરું, કેમ કે આપણો નિયમમાં જે ખાવાની મના કરી છે તે મેં કદી ખાધું નથી!
\v 9 ઈશ્વરે આકાશમાંથી બીજી વાર મને તે કહ્યું, ‘હું ઈશ્વર છું, તેથી મેં જે બનાવ્યું છે તે ખાવા માટે સ્વીકૃત છે, તો એવું કહીશ નહિ કે તે ખાવા માટે અસ્વીકૃત છે.’”
\v 10 આ જ બાબત બીજી બે વાર બની, અને પછી તે બધા પ્રાણીઓ અને પક્ષીઓવાળી તે ચાદર આકાશમાં પાછી ઉચકાઈ ગઈ.
\s5
\v 11 તે જ ક્ષણે, હું જ્યાં રહેતો હતો ત્યાં કાઈસારિયાથી મોકલેલા ત્રણ માણસો આવી પહોચ્યા.
\v 12 ઈશ્વરના આત્માએ મને કહ્યું કે તેઓ બિનયહૂદી છે છતાં મારે તેઓની સાથે જવામાં ખચકાવું જોઈએ નહિ.મારી સાથે છ યહૂદી વિશ્વાસીઓ પણ કાઈસારિયા આવ્યા, અને પછી અમે તે બિનયહૂદી માણસના ઘરે ગયા.
\v 13 તેણે અમને કહ્યું કે તેણે એક દૂતને તેના ઘરમાં ઊભેલો જોયો. દૂતે તેને કહ્યું, કેટલાક માણસોને કહે કે તેઓ જોપ્પા જાય અને ત્યાંથી સિમોન કે જેનું બીજું નામ પિતર છે તેને અહી તેડી લાવે.
\v 14 તે તને કહેશે કે કેવી રીતે તું અને તારા ઘરના બીજા બધા બચી શકો.’”
\s5
\v 15 મેં બોલવાનું શરુ કર્યું ત્યારે, જેવી રીતે પચાસમાના પર્વ દરમ્યાન પવિત્ર આત્મા આપણા ઉપર ઉતરી આવ્યા હતા તેવી જ રીતે તે અચાનક તેઓ ઉપર આવ્યા.
\v 16 પ્રભુએ જે કહ્યું હતું તે પછી મને યાદ આવ્યું: ‘યોહાને પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું, પણ ઈશ્વર તમારું પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે.’”
\s5
\v 17 આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તે પછી તેમણે આપણને પવિત્ર આત્મા આપ્યા તેઓને ઈશ્વરે તે બિનયહૂદીઓને પણ આપ્યા. તેથી હું ઈશ્વરને એવું કહી શકું નહિ કે તેમણે જયારે પવિત્ર આત્મા તેઓને આપ્યા ત્યારે તેમણે કઈ ખોટું કર્યું!”
\v 18 પિતરે જે કહ્યું તે યહૂદી વિશ્વાસીઓએ સાંભળ્યું તે પછી, તેઓએ તેની ટીકા કરવાનું બંધ કર્યું. તેના બદલે, તેમણે, ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું, “તો પછી એ સ્પષ્ટ છે કે બિનયહૂદીઓને પણ તેઓ પાપી વ્યવહારથી પાછા ફરે તો, અનંતજીવન પ્રાપ્ત કરે માટે તેઓને સ્વીકાર્યાં છે.”
\s અંત્યોખમાં શિષ્યો ખ્રિસ્તી કહેવાયા
\s5
\p
\v 19 સ્તેફનના મરણ પછી, ઘણા વિશ્વાસીઓએ યરુશાલેમ છોડી દીધું અને અન્ય જગ્યાઓમાં ગયા કેમ કે તેઓ યરુશાલેમમાં સહન કરી રહ્યા હતા.તેઓમાંના કેટલાક ફિનીકિયા ગયા, કેટલાક સાયપ્રસ ટાપુ પર ગયા, અને બીજા અંત્યોખ કે જે સિરિયાનું શહેર હતું ત્યાં ગયા.તે સ્થળોએ તેઓ લોકોને ઈસુ વિષેનો સંદેશ સતત કહેતા હતા, પણ તેઓએ માત્ર બીજા યહૂદીઓને જ તે વિષે કહ્યું.
\v 20 કેટલાક વિશ્વાસીઓ સાયપ્રસ ટાપુના અને ઉત્તર આફ્રિકાના કુરેની શહેરના માણસો હતા.તેઓ અંત્યોખ ગયા અને બિનયહૂદી લોકોને પણ પ્રભુ ઈસુ વિષે જણાવ્યું.
\v 21 તે વિશ્વાસીઓ અસરકારક પ્રચાર કરી શકે તે માટે પ્રભુ ઈશ્વર તેમને સામર્થ્ય આપતા હતા.તેના પરિણામે, બીજા ઘણા બિનયહૂદી લોકોએ તેમના સંદેશ પર અને પ્રભુ પર વિશ્વાસ કર્યો.
\s5
\v 22 યરુશાલેમમાંના વિશ્વાસીઓના સમુહે લોકોને કહેતા સાંભળ્યા કે અંત્યોખમાં ઘણા લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો છે. તેથી યરુશાલેમમાંના વિશ્વાસીઓના આગેવાનોએ બાર્નાબાસને અંત્યોખ મોકલ્યો.
\v 23 તે ત્યાં પહોચ્યો ત્યારે, તેણે અનુભવ કર્યો કે ઈશ્વર વિશ્વાસીઓ પ્રત્યે ભલાઈથી વર્ત્યા છે.તેથી તે ઘણો ખુશ થયો, અને વિશ્વાસીઓને પ્રભુ ઈસુ પર સતત સંપૂર્ણ વિશ્વાસ કરવા તેણે ઉત્તેજન આપ્યું.
\v 24 બાર્નાબાસ ભલો માણસ હતો જે પવિત્ર આત્માના નિયંત્રણમાં હતો, તે ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ રાખતો હતો.બાર્નાબાસે જે કર્યું તેના લીધે, ત્યાંના ઘણા લોકોએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો.
\s5
\v 25 પછી બાર્નાબાસ શાઉલને શોધવા માટે કીલીકિયાના તાર્સસ શહેરમાં ગયો.
\v 26 તેને શોધી કાઢ્યા પછી, બાર્નાબાસ તેને લઈને વિશ્વાસીઓને શીખવવામાં મદદ કરવા અંત્યોખ પાછો આવ્યો.તેથી આખા એક વર્ષ સુધી બાર્નાબાસ અને શાઉલ નિયમિત રીતે ત્યાંની મંડળીને મળ્યા અને મોટી સંખ્યામાં લોકોને ઈસુ વિશેનું શિક્ષણ આપ્યું. શિષ્યોને સૌ પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવામાં આવ્યા.
\s5
\v 27 બાર્નાબાસ અને શાઉલ અંત્યોખમાં હતા તે સમય દરમ્યાન, કેટલાક વિશ્વાસીઓ કે જેઓ પ્રબોધકો હતા તેઓ યરુશાલેમ થી ત્યાં આવ્યા.
\v 28 તેઓમાંથી, આગાબસ નામે, એક જણ બોલવા માટે ઊભો થયો.ઈશ્વરના આત્માએ તેને પ્રબોધ કરવાની શક્તિ આપી કે નજીકના સમયમાં ઘણા દેશોમાં દુકાળ પડશે. (ક્લોડિયસ જયારે રોમન શાસક હતો ત્યારે આ દુકાળ પડ્યો.)
\s5
\v 29 આગાબસે જે કહ્યું તે જયારે ત્યાંના વિશ્વાસીઓએ સાંભળ્યું ત્યારે, તેઓએ નક્કી કર્યું કે જે વિશ્વાસીઓ યહૂદિયામાં રહે છે તેઓની મદદ કરવા માટે તેઓ નાણા મોકલશે.તેઓમાંના બધાએ નક્કી કર્યું કે તેઓ જેટલા આપી શકે તેટલા વધારે નાણા આપશે.
\v 30 તેઓએ યરુશાલેમના વિશ્વાસીઓના આગેવાનો પાસે લઈ જવા માટે બાર્નાબાસ તથા શાઉલને તે નાણા આપ્યા.
\s5
\c 12
\s વધુ સતાવણી
\p
\v 1 તે સમયમાં હેરોદ આગ્રીપા રાજાએ યરુશાલેમમાંના વિશ્વાસી સમૂહના કેટલાક આગેવાનોને પકડવા સૈનિકોને મોકલ્યા.સૈનિકોએ તેમને જેલમાં નાખ્યા.તે વિશ્વાસીઓની સતાવણી કરવા માંગતો હતો માટે તેણે આ પ્રમાણે કર્યું.
\v 2 તેણે પ્રેરિત યોહાનના મોટા ભાઈ, પ્રેરિત યાકૂબનું માથું કાપી નાખવાનો એક સૈનિકને હુકમ કર્યો.તેથી તે સૈનિકે તે પ્રમાણે કર્યું.
\s5
\v 3 જયારે હેરોદને લાગ્યું કે તેણે યહૂદી લોકોના આગેવાનોને ખુશ કર્યા છે ત્યારે, તેણે સૈનિકોને પિતરને પણ પકડવાનો હુકમ કર્યો.આ તે પર્વ દરમ્યાન બન્યું જયારે યહૂદી લોકો ખમીર વગરની રોટલી ખાતા હતા.
\v 4 તેઓએ પિતરને પકડ્યા પછી, તેને કેદખાનામાં નાખ્યો.તેઓએ સૈનિકોના ચાર સમુહને તેના પર પહેરો રાખવા હુકમ કર્યો.દરેક સમૂહમાં ચાર સૈનિકો હતા.પાસ્ખાપર્વ પૂરું થયા પછી પિતરને કેદખાનાની બહાર લાવીને યહૂદીઓની સામે તેનો ન્યાય કરવાની હેરોદ ઇચ્છા રાખતો હતો.પછી તેણે પિતરનો વધ કરવાની યોજના કરી.
\s5
\v 5 તેથી કેટલાક દિવસો સુધી પિતર કેદખાનામાં રહ્યો.પણ યરુશાલેમમાંના વિશ્વાસીઓનો સમૂહ પિતરને માટે આગ્રહ થી ઈશ્વરને પ્રાર્થના કરતો હતો કે તેઓ તેની મદદ કરે.
\s પિતરનો બંદીખાનામાંથી છુટકારો
\p
\v 6 હેરોદે પિતરને કેદખાનામાંથી બહાર લાવીને જાહેરમાં મારી નાખવાની યોજના કરી હતી તે પહેલાની રાત્રે, પિતર બે સાંકળોથી બંધાએલો, બે સૈનિકોની વચમાં સૂતો હતો.બીજા બે સૈનિકો કેદખાનાના દરવાજાની ચોકી કરી રહ્યા હતા.
\s5
\v 7 અચાનક પ્રભુ ઈશ્વર પાસેથી આવેલો દૂત પિતરની બાજુમાં આવીને ઊભો રહ્યો, અને તેટલો ભાગ પ્રકાશિત થઈ ગયો.દૂતે પિતરને ઢંઢોળીને ઉઠાડ્યો અને કહ્યું, “જલ્દી ઊભો થા!” જયારે પિતર ઊઠી રહ્યો હતો ત્યારે, તેના કાંડા પરથી સાંકળો નીકળી પડી.જોકે, જે થઈ રહ્યું હતું તે વિષે સૈનિકો વાકેફ ન હતા.
\v 8 પછી દૂતે તેને કહ્યું, “ઝડપથી તારો પટ્ટો બાંધ અને તારા ચંપલ પહેર!” તેથી પિતરે તે પ્રમાણે કર્યું. પછી તે દૂતે તેને કહ્યું, “તારો કોટ તારી ફરતે વીટાળ અને મારી પાછળ આવ!”
\s5
\v 9 તેથી પિતરે તેનો કોટ અને ચંપલ પહેર્યા અને કેદખાનાના તે ભાગમાંથી તે દૂત ની પાછળ ગયો, પણ તે જાણતો ન હતો કે આ ખરેખર બની રહ્યું હતું.તેણે વિચાર્યું કે તે સ્વપ્ન જોઈ રહ્યો છે.
\v 10 પિતર અને દૂત બે દરવાજાની ચોકી કરતા સૈનિકો પાસે આવ્યા, પણ તે સૈનિકોએ તેઓને જોયા નહિ.પછી તેઓ લોખંડના દરવાજા પાસે આવ્યા જે શહેર તરફ જતો હતો.દરવાજો તેની જાતે જ ઉઘડી ગયો, અને પિતર અને દૂત કેદખાનાની બહાર નીકળી ગયા.જયારે તેઓ એક શેરી જેટલા દુર ગયા ત્યારે, તે દૂત અચાનક અદ્રશ્ય થઈ ગયો.
\s5
\v 11 ત્યારે પિતરને લાગ્યું કે તેની સાથે જે બન્યું તે સ્વપ્ન ન હતું, પણ તે ખરેખર બન્યું હતું.તેથી તેણે વિચાર્યું, “હવે હું ખરેખર જાણું છું કે પ્રભુ ઈશ્વરે તેમના દૂતને મારી મદદ માટે મોકલ્યો છે.હેરોદે મારા માટે જે યોજના કરી હતી તેમાંથી અને યહૂદી આગેવાનો જે બાબતો બને તેવું ચાહતા હતા તે બધાથી પણ તેમણે મને છોડાવ્યો છે.”
\v 12 જયારે પિતરને લાગ્યું કે ઈશ્વરે તેને છોડાવ્યો છે ત્યારે, તે મરિયમના ઘરે ગયો.તે યોહાન કે જેનું બીજું નામ માર્ક હતું તેની મા હતી.ઘણા વિશ્વાસીઓ ત્યાં ભેગા થયા હતા, અને પ્રાર્થના કરતા હતા કે ઈશ્વર કોઈક રીતે પિતરને છોડાવે.
\s5
\v 13 જયારે પિતરે બહારનો દરવાજો ખખડાવ્યો ત્યારે, દરવાજાની બહાર કોણ છે તે જોવા માટે રોદા નામની ગુલામ છોકરી બહાર આવી.
\v 14 જયારે પિતરે તેને બોલાવી ત્યારે, તેણે પિતરનો અવાજ ઓળખ્યો, પણ તે એટલી ખુશ અને ઉત્તેજિત હતી કે તેને દરવાજો પણ ખોલ્યો નહિ! તેના બદલે, તે ઘરમાં પાછી દોડી ગઈ. તેણે બીજા વિશ્વાસીઓને જાહેર કર્યું કે પિતર દરવાજાની બહાર ઊભો છે.
\v 15 પણ તેઓમાંના કોઈકે તેને કહ્યું કે, “તું ઘેલી છે!” પણ તેણે એવું કહ્યા જ કર્યું કે તે ખરેખર સાચું છે. તેઓ કહેતા રહ્યા કે,” ના, તે પિતર ન હોઈ શકે.તે કદાચ કોઈ દૂત હશે.”
\s5
\v 16 પણ પિતરે દરવાજો ખખડાવવાનું ચાલુ રાખ્યું.તેથી જયારે કોઈકે દરવાજો ખોલ્યો, તેઓએ જોયું કે તે પિતર છે, ત્યારે તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યા!
\v 17 પિતરે તેના હાથ વડે ઇશારો કરીને તેઓને શાંત રહેવા કહ્યું.પછી તેણે પ્રભુ ઈશ્વર કેવી રીતે તેને કેદખાનામાંથી બહાર લાવ્યા તે વિષે વિગતવાર કહ્યું.તેણે એ પણ કહ્યું, “યાકૂબ જે આપણા જૂથનો આગેવાન છે, તેને અને આપણા બીજા સાથી વિશ્વાસીઓને પણ જે બન્યું છે તે વિષે કહેજો.” પછી પિતર ત્યાંથી નીકળીને બીજી જગ્યાએ ગયો.
\s5
\v 18 બીજે દિવસે સવારે જે સૈનિકો પિતરની ચોકી કરતા હતા તેઓ ખૂબ ચિંતિત થઈ ગયા, કેમ કે તેનું શું થયું હતું તે તેઓ જાણતા ન હતા.
\v 19 પછી હેરોદે તે વિષે સાંભળ્યું.તેથી તેણે સૈનિકોને આજ્ઞા કરી કે તેઓ પિતરને શોધી કાઢે, પણ તેઓને તે મળ્યો નહી.પછી જે સૈનિકો પિતરની ચોકી કરી રહ્યા હતા તેઓની તેણે પૂછપરછ કરી, અને તેઓને મારી નાખવાનો આદેશ આપ્યો.તે પછી, હેરોદ યહૂદિયાના પ્રાંતમાંથી કાઈસારિયા શહેર તરફ ગયો, જ્યાં તે થોડો સમય રહ્યો.
\s હેરોદનું મૃત્યુ
\s5
\p
\v 20 હેરોદ રાજા જેઓ તૂર અને સિદોનમાં રહેતા હતા તે લોકો પર ખૂબ ગુસ્સે થયો હતો.પછી એક દિવસે તેઓનું પ્રતિનિધિત્વ કરતા કેટલાક લોકો હેરોદને મળવા કાઈસારિયા શહેર આવ્યા. તેઓ બ્લાસ્તસને, કે જે હેરોદના મહત્વના અધિકારીઓમાંનો એક હતો તેને મળ્યા, જેથી તે હેરોદને જણાવે કે તેના શહેરમાં રહેનારા લોકો એની સાથે સમાધાન કરવા માંગે છે.હેરોદ જ્યાં રાજ્ય કરતો હતો ત્યાંના લોકોની સાથે તેઓ વેપાર કરવા માંગતા હતા, કેમ કે તેઓને તે પ્રદેશોમાંથી અનાજ ખરીદવું હતું.
\v 21 જે દિવસે હેરોદે તેઓને મળવાની યોજના કરી હતી ત્યારે, તેણે તે રાજા છે એવું દર્શાવવા ઘણા કિંમતી વસ્ત્રો પહેર્યા.પછી તે તેની ગાદી પર બેઠો અને તેણે સામાન્ય રીતે જ ત્યાં એકઠા થએલાં લોકોને સંબોધન કર્યું.
\s5
\v 22 જેઓ તેને સાંભળી રહ્યા હતા તેઓ વારંવાર બૂમો પાડતા હતા, “આ જે માણસ બોલે છે તે દેવ છે, માણસ નથી!”
\v 23 તેથી, ઈશ્વરને મહિમા આપવાને બદલે હેરોદે લોકોને તેને મહિમા આપવા દીધો તે કારણે, અચાનક પ્રભુ ઈશ્વરના એક દૂતે હેરોદને ગંભીર બીમાર પાડ્યો.ઘણા કૃમીઓએ તેના આંતરડાને કોરી ખાધા, અને તરત તે ખૂબ દુઃખ સાથે મરણ પામ્યો.
\s5
\v 24 વિશ્વાસીઓ સતત ઈશ્વરના સંદેશને ઘણી જગ્યાએ લોકોને કહેતા રહ્યા, અને જેઓ ઈસુમાં વિશ્વાસ કરતા હતા તેઓની સંખ્યા સતત વધતી ગઈ.
\v 25 બાર્નાબાસ અને શાઉલ યહૂદિયા પ્રાંતના યહૂદી વિશ્વાસીઓને નાણા વહેંચવાનું પૂરું કરી રહ્યા તે પછી, તેઓ યરુશાલેમ છોડીને અંત્યોખ શહેરમાં જે સિરિયા પ્રાંતમાં છે ત્યાં પાછા આવ્યા.તેમણે યોહાન, કે જેનું બીજું નામ માર્ક હતું, તેને સાથે લીધો.
\s5
\c 13
\s બાર્નાબાસ અને શાઉલ અલગ કરાયા
\p
\v 1 સિરિયા પ્રાંતના અંત્યોખમાં વિશ્વાસીઓના સમૂહમાં પ્રબોધકો અને લોકોને ઈસુ વિશેની વાત શીખવનારા હતા. તેઓમાં બાર્નાબાસ; સિમોન જે નીગેર કહેવતો હતો; લુકિયસ જે કુરેનીનો હતો, મનાએન જે હેરોદ આંતીપાસ રાજાની સાથે ઉછેર્યો હતો; તે અને શાઉલ હતા.
\v 2 જયારે તેઓ પ્રભુનું ભજન અને ઉપવાસ કરતા હતા ત્યારે, પવિત્ર આત્માએ તેમને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલને પસંદ કરો કે તેઓ મારી સેવા કરે અને જઈને જે કામ કરવા મેં તેઓને પસંદ કર્યા છે તે કરે!”
\v 3 તેથી તેઓએ ઉપવાસ અને પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું. પછી તેઓએ બાર્નાબાસ અને શાઉલ પર તેમના હાથ મૂક્યા અને પ્રાર્થના કરી કે, ઈશ્વર તેઓની સહાય કરે. ત્યારપછી તેઓએ તેમને વિદાય કર્યા કે પવિત્ર આત્માના આદેશ પ્રમાણે તેઓ કરે.
\s બાર્નાબાસ અને શાઉલ સાયપ્રસમાં
\s5
\p
\v 4 પવિત્ર આત્માએ બાર્નાબાસ અને શાઉલને ક્યાં જવું તે માટે દોરવણી આપી. તેથી તેઓ અંત્યોખથી સલૂકિયા શહેર જે સમુદ્ર પાસે છે તે તરફ ગયા. ત્યાંથી વહાણ મારફતે સાયપ્રસ ટાપુ પર સાલામિસ શહેરમાં ગયા.
\v 5 જયારે તેઓ સાલામિસમાં હતા ત્યારે, તેઓ યહૂદીઓના મેળાપના સ્થાનોમાં ગયા. ત્યાં તેઓએ ઈશ્વર તરફથી ઈસુ વિષેનો સંદેશો પ્રગટ કર્યો. યોહાન માર્ક તેમની સાથે ગયો અને તેઓની મદદ કરતો હતો.
\s5
\v 6 તેઓમાંના ત્રણ આખો બેટ ઓળંગીને પાફોસ શહેરમાં ગયા. ત્યાં તેઓને એક જાદુગર મળ્યો જેનું નામ બાર-ઈસુ હતું. તે એક યહૂદી હતો પણ પ્રબોધક હોવાનો જૂઠો દાવો કરતો હતો.
\v 7 તે ટાપુના રાજ્યપાલ સર્જિયસ પાઉલ, જે એક બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે હતો. રાજ્યપાલે બાર્નાબાસ અને શાઉલને પોતાની પાસે બોલાવવા કોઈકને કહ્યું, કેમ કે તે ઈશ્વરનું વચન સાંભળવા ઇચ્છતો હતો.
\v 8 તો પણ, જાદુગર, જેના નામનો અર્થ ગ્રીક ભાષામાં એલિમાસ થાય છે, તેણે તેમને અટકાવવા પ્રયત્ન કર્યો. તેણે વારંવાર રાજ્યપાલને ઈસુ પર વિશ્વાસ કરતા રોકવાની કોશિશ કરી.
\s5
\v 9 પછી શાઉલ, જે હવે પોતાને પાઉલ તરીકે ઓળખાવતો હતો, તેણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને, તેણે તાકીને જાદુગરને કહ્યું,
\v 10 “તું શેતાનનું કામ કરે છે, અને જે સારું છે તેને અટકાવવાનો પ્રયત્ન કરે છે! તું હમેશા લોકોને જુઠ્ઠું જણાવે છે અને તેઓનું ભૂંડું કરે છે. પ્રભુ ઈશ્વર સંબંધીનું જે સત્ય છે તેને જુઠ્ઠું ઠરાવવાનું તારે બંધ કરવું જોઈએ!
\s5
\v 11 ઈશ્વર અત્યારે જ તને શિક્ષા કરશે! તું આંધળો થઈ જશે અને થોડા સમય માટે સૂર્યને જોઈ શકશે નહિ.” તરત જ તે આંધળો થઈ ગયો, જાણે તે ઘોર અંધકારમાં હોય, અને કોઈ તેનો હાથ પકડીને દોરે તેવાની તેણે શોધ કરવા માંડી.
\v 12 જયારે રાજ્યપાલે એલીમાસને જે થયું તે જોયું ત્યારે, તેણે ઈસુ પર વિશ્વાસ કર્યો. પ્રભુ ઈસુ વિષે પાઉલ અને બાર્નાબાસ જે શીખવતા હતા તેનાથી તે આશ્ચર્ય પામ્યો.
\s પીસીદિયાના અંત્યોખમાં
\s5
\p
\v 13 ત્યાર પછી, પાઉલ અને તેની સાથેના માણસો વહાણ મારફતે પાફોસથી પામ્ફૂલિયા પ્રાંતના પેર્ગા શહેરમાં ગયા. પેર્ગાથી યોહાન માર્ક તેમને છોડીને યરુશાલેમમાં તેના ઘરે ગયો.
\v 14 પછી પાઉલ અને બાર્નાબાસ જમીનમાર્ગે મુસાફરી કરીને ગલાતિયા પ્રાંતના પીસીદિયા જીલ્લાના અંત્યોખ શહેરમાં આવ્યા. સાબ્બાથે તેઓ સભાસ્થાનમાં જઈને બેઠા.
\v 15 કોઈકે મૂસાના નિયમના પુસ્તકમાંથી મોટેથી વાંચ્યું. ત્યારપછી કોઈકે પ્રબોધકોએ જે લખ્યું હતું તેમાંથી વાંચ્યું. પછી યહૂદી સભાસ્થાનના અધિકારીઓએ પાઉલ અને બાર્નાબાસને કહેવડાવ્યું: “સાથી યહૂદીઓ, તમારામાંથી કોઈક લોકોને ઉત્તેજન આપવા કંઈક કહેવા માંગતા હો તો કૃપા કરીને હમણાં જણાવો.”
\s5
\v 16 તેથી પાઉલે હાથથી ઇશારો કર્યો કે જેથી લોકો તેને સાંભળે, પછી તેણે કહ્યું, “સાથી ઇઝરાયલીઓ અને બિનયહૂદીઓ જેઓ પણ ઈશ્વરનું ભજન કરો છો, તેઓ મહેરબાની કરીને મારું સાંભળો!
\v 17 ઈશ્વર, જેઓનું આપણે ઇઝરાયલીઓ ભજન કરીએ છીએ તેઓએ, આપણા પૂર્વજોને તેમના લોકો બનવા પસંદ કર્યા, અને જયારે તેઓ મિસરમાં પરદેશી તરીકે રહેતા હતા ત્યારે સંખ્યામાં ઘણા વધાર્યા. પછી ગુલામીમાંથી તેમને બહાર કાઢવા માટે ઈશ્વરે પરાક્રમી બાબતો કરી.
\v 18 જો કે તેઓએ વારંવાર તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તોપણ, તેમણે અરણ્યમાં ચાલીસ વરસો સુધી તેમના વર્તનને સહન કર્યું.
\s5
\v 19 કનાન પ્રદેશમાં તે સમયે વસતા સાત લોક જૂથ પર તેમણે તેઓને વિજય અપાવ્યો, અને તેમણે તેમનો દેશ સદાને માટે ઇઝરાયલીઓને આપ્યો.
\v 20 તેમના પૂર્વજો મિસર ગયા તે અગાઉ 450 વર્ષો પહેલા આ બધું બન્યું.” “ત્યારપછી, ઈશ્વરે લોકોને ન્યાયાધીશો તરીકે સેવા કરવા અને આગેવાનો તરીકે ઇઝરાયલીઓ પર રાજ કરવા પસંદ કર્યા. તે લોકોએ આપણા લોકો પર સતત રાજ કર્યું, અને શમુએલ તેમના પર રાજ કરનાર છેલ્લો પ્રબોધક હતો.
\s5
\v 21 પછી, જયારે શમુએલ હજી તેમનો આગેવાન હતો ત્યારે, લોકોએ તેમના પર રાજ કરવા રાજાની પસંદગી કરવા માંગણી કરી. તેથી ઈશ્વરે, બિન્યામીનના કુળમાંથી, કિશના પુત્ર શાઉલને, તેમનો રાજા બનવા પસંદ કર્યો. તેણે તેમના પર ચાલીસ વરસ રાજ કર્યું.
\v 22 ઈશ્વરે શાઉલને રાજા તરીકે નકાર્યો, પછી તેમણે દાઉદને તેમનો રાજા થવા પસંદ કર્યો. ઈશ્વરે તેના સંબંધી કહ્યું, ‘મેં ચોક્કસપણે જોયું છે કે, યિશાઈનો દીકરો, દાઉદ, હું ઇચ્છતો હતો તેવા જ પ્રકારનો માણસ છે. મારી ઇચ્છા પ્રમાણે તે બધું જ કરશે.’”
\s5
\v 23 “જેમ તેમણે દાઉદ અને આપણા બીજા પૂર્વજોને વચન આપ્યું હતું તેમ, આપણ ઇઝરાયલીઓને બચાવવા માટે ઈશ્વર દાઉદના વંશજોમાંથી એકને એટલે, ઈસુને, લાવ્યા છે.
\v 24 ઈસુએ તેમનું કાર્ય શરુ કર્યું તે પહેલા, યોહાન બાપ્તિસ્મીએ જે ઇઝરાયલીઓ તેની પાસે આવ્યા તે સર્વને ઉપદેશ કર્યો. તેણે તેઓને કહ્યું કે તેઓ તેમના પાપી વ્યવહારથી પાછા ફરે અને પ્રભુ પાસે માફી માંગે. ત્યારપછી તેઓ તેમને બાપ્તિસ્મા આપશે.
\v 25 જયારે યોહાન ઈશ્વરે તેને આપેલું કામ પૂરું કરવાનો હતો ત્યારે, તે કહી રહ્યો હતો, ‘શું તમે એવું વિચારો છો કે ઈશ્વરે જે મસીહને મોકલવાનું વચન આપ્યું હતું તે હું છું? ના, હું તે નથી.પણ સાંભળો! મસીહ જલ્દી આવશે. તેઓ મારા કરતા વધારે મહાન છે કે હું તેમના પગમાંથી ચંપલ ઉતારવા પણ યોગ્ય નથી.’”
\s5
\v 26 “વ્હાલા ભાઈઓ, અને તમે સર્વ જેઓ ઇબ્રાહિમના વંશજો છો, અને તમે બિનયહૂદીઓ જેઓ ઈશ્વરનું ભજન કરો છો, તેઓ કૃપા કરીને સાંભળો! આપણ સર્વની પાસે એ સંદેશો મોકલ્યો છે કે ઈશ્વર લોકોને કેવી રીતે બચાવવા માંગે છે.
\v 27 યરુશાલેમના લોકો અને તેમના અધિકારીઓએ ઈસુને ઓળખ્યો નહી. દરેક સાબ્બાથે પ્રબોધકોના પુસ્તકોને મોટેથી વાંચવામાં આવે છે છતાં પણ તેઓ તેમના પ્રબોધકોના સંદેશાને સમજ્યા નહિ, અને પછી જયારે તેમણે ઈસુને મરણને માટે દોષિત ઠરાવ્યો ત્યારે પ્રબોધકોએ ભાખ્યું હતું તે પૂરું થયું.
\s5
\v 28 ઘણા લોકોએ ઈસુને દુષ્ટ કામો કરવા સંબંધીએ દોષિત ઠરાવ્યો, પણ મરણ પામવા યોગ્ય કોઈ બાબત તેમણે કરી છે તેવું તેઓ સાબિત કરી શક્યા નહિ ત્યારે, તેઓએ રાજ્યપાલ પિલાતને ઈસુને મારી નાખવાની વિનંતી કરી.
\v 29 તેઓએ ઈસુની સાથે એ સર્વ વ્યવહાર કર્યો જેના સંબંધી પ્રબોધકોએ લાંબા સમય પહેલા લખ્યું હતું કે તેઓ આ પ્રમાણે કરશે. તેઓએ ઈસુને વધસ્તંભે જડીને મારી નાખ્યા. પછી તેઓએ તેમના શરીરને વધસ્તંભ પરથી ઉતારીને કબરમાં મૂક્યું.
\s5
\v 30 તેમ છતાં, ઈશ્વરે તેમને મરણમાંથી પાછા ઉઠાડ્યાં.
\v 31 ગાલીલથી યરુશાલેમ સુધી તેમની સાથે આવેલા તેમના અનુયાયીઓને ઘણા દિવસ સુધી તેઓ વારંવાર દેખાયા. જેઓએ તેમને જોયા તેઓ હવે લોકોને જણાવી રહ્યા છે.”
\s5
\v 32 “અત્યારે અમે તેમના શુભ સમાચાર તમને પ્રગટ કરીએ છીએ. અમે તમને જણાવવા માંગીએ છીએ કે ઈશ્વરે આપણા યહૂદી પૂર્વજોને જે વચન આપ્યું હતું તે તેમણે પરિપૂર્ણ કર્યું છે!
\v 33 ઈસુને ફરીથી સજીવન કરીને હવે આપણે જેઓ તેમના વંશજો છીએ, અને તમે જેઓ યહૂદીઓ નથી તેઓને માટે પણ, તેમણે આ કર્યું છે. દાઉદે જેમ બીજા ગીતમાં લખ્યું તે, જયારે ઈશ્વર તેમના પુત્રને મોકલવાનું કહેતા હતા, ‘તું મારો પુત્ર છે, હું આજે તમારો પિતા થયો છું.’”
\v 34 ઈશ્વરે મસીહને મરણમાંથી પાછા ઉઠાડ્યાં છે અને તેઓ ફરી કદી મરણ પામશે નહિ. ઈશ્વરે આપણા યહૂદી પૂર્વજોને કહ્યું હતું, ‘હું ચોક્કસ તમને મદદ કરીશ, જેમ મેં દાઉદને વચન આપ્યું હતું તે પ્રમાણે હું કરીશ.’”
\s5
\v 35 દાઉદના અન્ય એક ગીતમાં, તે મસીહ સંબંધી એવું પણ કહે છે: ‘તમે તેમના તમારા પવિત્રના શરીરને કોહવાણ જોવા દેશો નહિ.’”
\v 36 દાઉદ જયારે જીવતો હતો ત્યારે, તેણે ઈશ્વરની ઇચ્છા મુજબ કર્યું. અને જયારે તે મૃત્યુ પામ્યો ત્યારે, તેનું શરીર તેના પૂર્વજોના શરીરોને દાટવામાં આવ્યા તેમ જ દાટવામાં આવ્યું, અને તેનું શરીર કોહવાણ પામ્યું. તેથી આ ગીતમાં તે પોતા સંબંધીએ બોલતો નથી.
\v 37 પણ ઈસુ જેમને ઈશ્વરે મરણમાંથી ઉઠાડ્યાં, અને તેમના શરીરને કોહવાણ લાગ્યું નહિ.”
\s5
\v 38 “તેથી, મારા સાથી ઈઝરાયલીઓ અને બીજા મિત્રો, તમારે માટે એ જાણવું જરૂરી છે કે ઈસુએ જે કર્યું છે તેના લીધે ઈશ્વર તમારા પાપની માફી આપી શકે છે. મૂસાએ લખેલા નિયમ દ્વારા જે પાપની માફી ન મળી શકે તે બાબતો માટે પણ તે તમને માફ કરશે.
\v 39 બધા લોકો જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓએ ઈશ્વરને નાખુશ કરનારી જે બાબતો કરી છે તે વિષે હવે તેઓ દોષિત ઠરતા નથી.
\s5
\v 40 તેથી હવે કાળજી રાખો કે જેમ પ્રબોધકોએ કહ્યું છે, કે ઈશ્વર તે પ્રમાણે કરશે તેમ ઈશ્વર તમારો ન્યાય ન કરે!
\v 41 ઈશ્વરે જે કહ્યું તેમ પ્રબોધકોએ લખ્યું: ‘તમે જેઓ મારી હાંસી ઉડાવો છો, હું જે કરું છું તે તમે જાણશો ત્યારે તમે ચોક્કસ આશ્ચર્ય પામશો, અને પછી તમારો નાશ થશે. તમારા જીવનકાળ દરમ્યાન હું કંઈક ભયંકર કામ કરીશ જેનાથી તમે આશ્ચર્ય પામશો. હું તે પ્રમાણે કરીશ તેના વિષે કોઈ તમને કહેશે તો પણ તમે તે માનશો નહિ!
\s5
\v 42 પછી પાઉલ બોલવાનું પૂરું કરીને ત્યાંથી જઈ રહ્યો હતો ગયો ત્યારે, ઘણા લોકોએ તેઓને બીજા સાબ્બાથે ફરી પાછા આવીને આ બાબતો તેમને ફરીથી જણાવવા કહ્યું.
\v 43 જયારે સભા પૂરી થઈ તે પછી, ઘણા લોકોએ પાઉલ અને બાર્નાબાસની પાછળ ચાલવાનું શરુ કર્યું. આ લોકો યહૂદીઓ તેમ જ બિનયહૂદીઓ હતા જેઓ ઈશ્વરનું ભજન કરતા હતા. પાઉલ અને બાર્નાબાસે તેઓની સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું, અને ઈસુએ જે કર્યું તેના લીધે ઈશ્વર તેમની દયાથી લોકોના પાપ માફ કરે છે તેના પર વિશ્વાસ રાખવાનું ઉત્તેજન આપતા રહ્યા.
\s5
\v 44 ત્યાર પછીના સાબ્બાથ દિવસે, પાઉલ અને બાર્નાબાસ ઈસુ વિષે જે વાત કહે છે તે સાંભળવા માટે અંત્યોખમાંથી મોટા ભાગના બધા જ લોકો યહૂદીઓની એકઠા મળવાની જગ્યાએ આવ્યા.
\v 45 પણ પાઉલ અને બાર્નાબાસને સાંભળવા આવેલા લોકોના મોટા ટોળાને જયારે યહૂદીઓના આગેવાનોએ જોયા ત્યારે તેમને ખૂબ જ ઈર્ષ્યા આવી. તેથી તેઓએ પાઉલ જે કહેતો હતો તેની વિરુદ્ધ દલીલો કરવા લાગ્યા અને તેનું અપમાન પણ કર્યું.
\s5
\v 46 પછી, ઘણી હિંમતથી બોલતા, પાઉલ અને બાર્નાબાસે યહૂદીઓના તે આગેવાનોને કહ્યું, “ઈસુ વિષેનો સંદેશ જે ઈશ્વર તરફથી આવેલો છે તેના વિષે અમારે બિનયહૂદીઓના કરતા પહેલા તમને યહૂદીઓને પ્રગટ કરવો જરૂરી હતું, કેમ કે ઈશ્વરે અમને તેમ કરવાની આજ્ઞા આપી છે. પણ તમે ઈશ્વરના સંદેશને નકારી રહ્યા છો. તેમ કરીને, તમે એવું બતાવ્યું છે કે તમે અનંતજીવનને માટે લાયક નથી. તેથી, અમે તમને પડતા મૂકીને, હવે બિનયહૂદી લોકોને ઈશ્વર તરફથી આવેલો સંદેશ કહેવા માટે જઈશું.
\v 47 અમે આ એટલા માટે પણ કરી રહ્યા છે કેમ કે પ્રભુ ઈશ્વરે અમને તેમ કરવાની આજ્ઞા આપી છે. તેમણે શાસ્ત્રમાં કહ્યું છે, ‘મેં તને બિનયહૂદીઓને મારા વિશેની બાબતો પ્રગટ કરવા પસંદ કર્યો છે કે જેથી તે તેઓ માટે અજવાળારૂપ બને. મેં તને પસંદ કર્યો છે કે જેથી તું દુનિયાના દરેક જગ્યાના લોકોને એ સંદેશ આપે કે હું તેઓને બચાવવા માંગું છું.’”
\s5
\v 48 જયારે બિનયહૂદી લોકોએ તે શબ્દો સાંભળ્યા ત્યારે, તેઓ આનંદ કરવા લાગ્યા, અને ઈસુ વિશેના સંદેશને માટે તેમણે ઈશ્વરની સ્તુતિ કરી. બધા જ બિનયહૂદી લોકો જેઓને ઈશ્વરે અનંતજીવન માટે પસંદ કર્યા હતા તેઓએ પ્રભુ ઈસુ વિશેના સંદેશ પર વિશ્વાસ કર્યો.
\v 49 તે સમયે, ઘણા વિશ્વાસીઓ જ્યાં ગયા ત્યાં પ્રભુ ઈસુ વિષેનો સંદેશ ફેલાવતા, તે આખા પ્રદેશમાં ફર્યા.
\s5
\v 50 જોકે, કેટલાક યહૂદી આગેવાનોએ કેટલીક મહત્વની સ્ત્રીઓ જે તેમની સાથે ભજન કરતી હતી તેઓની સાથે, તેમ જ શહેરના ખૂબ મહત્વના માણસો સાથે વાત કરી. તેઓએ તેમને પાઉલ અને બાર્નાબાસને અટકાવવા માટે ઉશ્કેર્યા. તેથી તે બિનયહૂદી લોકોએ ઘણા લોકોને પાઉલ અને બાર્નાબાસની વિરુદ્ધ દોર્યા, અને તેઓએ તેમને તે પ્રદેશમાંથી બહાર હાંકી કાઢ્યા.
\v 51 જયારે બંને પ્રેરિતો ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે, તેઓએ આગેવાનોને ઈશ્વરે તેઓને નકાર્યા છે અને તેઓને શિક્ષા કરશે તે બતાવવા માટે તેમના પગની ધૂળ ખંખેરી નાખી. પછી તેઓએ અંત્યોખ શહેર છોડી દીધું અને ઇકોનિયા શહેરમાં ગયા.
\v 52 તે દરમ્યાન વિશ્વાસીઓ આનંદથી અને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થતા રહ્યા.
\s5
\c 14
\s ઈકોનિયમમાં
\p
\v 1 ઇકોનિયામાં પાઉલ અને બાર્નાબાસ યહૂદીઓની એકઠા મળવાની જગ્યાએ ગયા અને પૂરા પરાક્રમથી પ્રભુ ઈસુ વિષે બોલ્યા. તેના પરિણામ રૂપે, ઘણા યહૂદી અને બિનયહૂદીઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
\v 2 પણ કેટલાક યહૂદીઓએ તે સંદેશા પર વિશ્વાસ કરવાનો નકાર કર્યો. તેઓએ બિનયહૂદીઓને કહ્યું કે તેઓ તેના પર વિશ્વાસ ન કરે; તેઓએ કેટલાક બિનયહૂદીઓને ત્યાંના વિશ્વાસીઓ પ્રત્યે ઉશ્કેર્યા.
\s5
\v 3 તેથી પાઉલ અને બાર્નાબાસે પ્રભુ વિષે હિંમતથી બોલવામાં ઘણો સમય ગાળ્યો, અને પ્રભુ ઈસુએ તેઓને ઘણા ચમત્કારો કરવાની શક્તિ આપી. આ રીતે તેમણે લોકોને તે સંદેશનું સત્ય દર્શાવ્યું કે, આપણે લાયક ન હોઈએ તો પણ, પ્રભુ આપણને બચાવે છે.
\v 4 ઈકોનિયામાં જે લોકો રહેતા હતા તેઓની પાસે બે અલગ અભિપ્રાય હતા. કેટલાક યહૂદીઓ સાથે સંમત થયા. બીજાઓ પ્રેરિતો સાથે સંમત થયા.
\s5
\v 5 પછી બિનયહૂદીઓ અને યહૂદીઓ જેઓ પાઉલ અને બાર્નાબાસનો વિરોધ કરતા હતા તેઓ પાઉલ અને બાર્નાબાસની સાથે કેવી રીતે ગેરવર્તન કરે તે વિષે માંહોમાંહે વાતચીત કરી. તે શહેરના કેટલાક મહત્વના લોકો તેઓને મદદ કરવા સંમત થયા. સાથે મળીને, તેઓએ નક્કી કર્યું કે પાઉલ અને બાર્નાબાસને તેઓ પથ્થર મારીને મારી નાખશે.
\v 6 પણ પાઉલ અને બાર્નાબાસે તેઓની યોજના વિષે સાંભળ્યું, તેથી તેઓ ઝડપથી ત્યાંથી દૂર લૂકાની જીલ્લામાં જતા રહ્યા. તેઓ તે જીલ્લાના લુસ્ત્રા અને દેર્બે શહેરોમાં તથા આસપાસના વિસ્તારોમાં ગયા.
\v 7 જયારે તેઓ તે વિસ્તારમાં હતા ત્યારે, તેઓએ સતત લોકોને પ્રભુ ઈસુ વિષેનો સંદેશ કહ્યો.
\s લુસ્ત્રા અને દર્બેમાં
\s5
\p
\v 8 લુસ્ત્રામાં, એક માણસ જે તેના પગોથી અપંગ હતો તે ત્યાં બેઠેલો હતો. જયારે તેની મા એ તેને જન્મ આપ્યો ત્યારે, તે તેના પગોથી અપંગ હતો, તેથી તે કદી ચાલી શકતો ન હતો.
\v 9 પાઉલ જયારે પ્રભુ ઈસુ વિષે કહી રહ્યો હતો તે તેણે સાંભળ્યું. પાઉલે સીધા જ તેની તરફ જોયું અને તે તેના ચહેરા પર જોઈ શક્યો કે તેને વિશ્વાસ હતો કે પ્રભુ ઈસુ તેને સાજો કરી શકે છે.
\v 10 તેથી મોટા અવાજે, પાઉલે તેને બોલાવ્યો,” ઊભો થા!” જયારે માણસે તે સાંભળ્યું ત્યારે, તે તરત કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.
\s5
\v 11 પાઉલે જે કર્યું તે જયારે ટોળાએ જોયું ત્યારે, તેઓએ વિચાર્યું કે પાઉલ અને બાર્નાબાસ દેવો છે કે જેમની તેઓ પૂજા કરતા હતા. તેથી તેઓએ ઉત્તેજિત થઈને તેમની પોતાની લૂકાની ભાષામાં પોકાર્યું,” જુઓ! દેવોએ પોતાને લોકોના સ્વરૂપ જેવા દેખાડ્યા છે અને આપણને મદદ કરવા સારું તેઓ આકાશમાંથી ઊતર્યા છે!”
\v 12 તેઓ એવું કહેવા લાગ્યા કે બાર્નાબાસ તે તેમનો મુખ્ય દેવ હોઈ શકે, જેનું નામ ઝિયૂસ હતું.અને એવું કહેવા લાગ્યા કે પાઉલ હેર્મેસ હતો, જે અન્ય દેવોનો સંદેશવાહક હતો. તેઓએ એવું એટલા માટે વિચાર્યું કેમ કે તે પાઉલ હતો જે બોલી રહ્યો હતો.
\v 13 શહેરના દરવાજાની બહાર જ મંદિર હતું જ્યાં લોકો ઝિયૂસની પૂજા કરતા હતા. પાઉલ તથા બાર્નાબાસે જે કર્યું તે જે પૂજારી ત્યાં હતો તેણે સાંભળ્યું, તેથી તે શહેરના દરવાજે આવ્યો, જ્યાં ઘણા લોકો પહેલેથી એકઠા થએલાં હતા. તે ગળામાં ફૂલોના હાર ભરાવેલા બે બળદોને લાવ્યો.પાઉલ તથા બાર્નાબાસની પૂજાની વિધિના ભાગરૂપે તે પૂજારી અને લોકોનું ટોળું તે બળદોને મારી નાખવા માંગતું હતું.
\s5
\v 14 પણ જયારે પ્રેરિતોએ, બાર્નાબાસ અને પાઉલે, તે વિષે સાંભળ્યું ત્યારે, તેઓ ખૂબ નિરાશ થયા, તેથી તેઓએ તેમના પોતાના વસ્ત્ર ફાડ્યા. તેઓ મોટેથી બૂમો પાડતા, લોકો મધ્યે દોડી ગયા,
\v 15 “માણસો, તમારે અમારી પૂજા કરવા માટે તે બળદોને મારી નાખવા ન જોઈએ! અમે દેવો નથી! અમે તમારા જેવી જ લાગણી ધરાવતા માત્ર માણસો છીએ! અમે તમને કોઈ શુભ સમાચાર કહેવા આવ્યા છીએ. ઈશ્વર જે સર્વશક્તિમાન છે તેમના વિષે તમને કહેવા માટે અમે આવ્યા છીએ. તેઓ ઇચ્છે છે કે તમે અન્ય દેવોનું ભજન કરવાનું બંધ કરો, કેમ કે તેઓ તમારી સહાય કરી શકશે નહિ. આ સાચા ઈશ્વરે આકાશો, પૃથ્વી, સમુદ્ર, અને તેમાંનું બધું જ બનાવ્યું છે.
\v 16 ભૂતકાળમાં, તમે બધા બિનયહૂદી લોકોએ તમે જે ઈચ્છતા હતા તે દેવોની પૂજા કરી. ઈશ્વરે તમને તેઓની પૂજા કરવા દીધી, કેમ કે તમે તેમને ઓળખતા ન હતા.
\s5
\v 17 પણ તેમણે અમને દર્શાવ્યું છે કે તેઓ અમારી સાથે ભલાઈથી વર્ત્યા છે. તે એ જ છે જે વરસાદ થવા દે છે અને પેદાશ ઉપજાવે છે. તે તમને ભરપૂર ખોરાક આપે છે અને તમારા હૃદયોને આનંદથી ભરી દે છે.”
\v 18 પાઉલે જે કહ્યું તે લોકોએ સાંભળ્યું, પણ તેઓ હજુ એવું જ વિચારતા હતા કે તેમણે પાઉલ તથા બાર્નાબાસની પૂજા કરવા માટે પેલા બળદોનું અર્પણ કરવું જોઈએ. પણ અંતે, લોકોએ એવું ન કરવાનું નક્કી કર્યું.
\s5
\v 19 જોકે, કેટલાક યહૂદીઓ જે અંત્યોખ અને ઇકોનિયાથી આવેલા તેઓએ લુસ્ત્રાના લોકોને એવું કહીને ઉશ્કેર્યા કે પાઉલ જે સંદેશ તેઓને કહે છે તે સત્ય નથી. તે યહૂદીઓએ જે કહ્યું તેના પર જે લોકોએ વિશ્વાસ કર્યો તેઓ પાઉલ ઉપર ખૂબ ગુસ્સે થયા. તે નીચે પડીને બેભાન થઈ ગયો ત્યાં સુધી, તેમણે યહૂદીઓને તેને પથ્થર મારવા દીધા. તેઓ બધાએ વિચાર્યું કે તે મરણ પામ્યો છે, તેથી તેઓ તેને ઘસડીને શહેરની બહાર લઈ ગયા અને ત્યાં સૂતેલો છોડી દીધો.
\v 20 પણ લુસ્ત્રામાંના કેટલાક વિશ્વાસીઓ જ્યાં તે ભૂમિ પર પડેલો હતો, ત્યાં આવ્યા અને પાઉલની આસપાસ ઊભા રહ્યા.અને પાઉલ ભાનમાં આવ્યો! તે ઊભો થયો અને વિશ્વાસીઓની સાથે પાછો શહેરમાં ગયો. બીજે દિવસે, પાઉલ અને બાર્નાબાસ લુસ્ત્રા શહેર છોડીને દેર્બે શહેર તરફ ગયા.
\s સિરિયાનાં અંત્યોખમાં બંને પાછા આવ્યા
\s5
\p
\v 21 તેઓ ત્યાં કેટલાક દિવસ રહ્યા, અને તેઓ લોકોને ઈસુ વિષેનો શુભ સંદેશ કહેતા રહ્યા. ઘણા લોકો વિશ્વાસી બન્યા. તે પછી, પાઉલ અને બાર્નાબાસ તેમના માર્ગે પાછા આવવા લાગ્યા. તેઓ ફરીથી લુસ્ત્રા ગયા. પછી ત્યાંથી તેઓ ઇકોનિયા ગયા, અને પછી પીસીદિયા પ્રાંતના અંત્યોખ શહેરમાં પાછા આવ્યા.
\v 22 દરેક સ્થળે, તેઓ વિશ્વાસીઓને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખવાની પ્રેરણા આપતા હતા. તેમણે વિશ્વાસીઓને કહ્યું, “ઈશ્વર હંમેશને માટે આપણા પર રાજ કરે તે પહેલા આપણે સંકટોમાંથી પસાર થવું જોઈએ.”
\s5
\v 23 પાઉલ અને બાર્નાબાસે દરેક મંડળી માટે આગેવાનોને પસંદ કર્યા. દરેક સ્થળ છોડતા પહેલા, પાઉલ અને બાર્નાબાસે વિશ્વાસીઓને એકઠા કર્યા અને પ્રાર્થના અને ઉપવાસમાં થોડો સમય ગાળ્યો. પછી પાઉલ અને બાર્નાબાસે આગેવાનોને તેમ જ બીજા વિશ્વાસીઓને પ્રભુ ઈસુ, જેમના પર તેઓએ વિશ્વાસ મૂક્યો, તેઓ તેમની સંભાળ લેશે એવા વિશ્વાસમાં સોંપ્યા.
\v 24 જયારે પાઉલ અને બાર્નાબાસ પીસીદિયા જીલ્લામાંથી મુસાફરી કરી રહ્યા હતા ત્યારે, તેઓ દક્ષિણે પામ્ફૂલિયા જીલ્લામાં ગયા.
\v 25 તે જીલ્લામાં, તેઓ પેર્ગા નગરમાં આવી પહોચ્યા અને ઈશ્વરનો પ્રભુ ઈસુ વિષેનો સંદેશ ત્યાંના લોકોને પ્રગટ કર્યો. પછી તેઓ નીચેની તરફ દરિયાકિનારે અત્તાલિયા નગરે ગયા.
\v 26 ત્યાં તેઓ વહાણમાં બેઠા અને સિરિયા પ્રાંતના અંત્યોખ શહેરમાં પાછા આવ્યા.આ તે સ્થળ હતું જ્યાં પાઉલ અને બાર્નાબાસને અન્ય સ્થળોમાં જઈને પ્રચાર કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા, અને જ્યાં વિશ્વાસીઓએ તેમને માટે ઈશ્વર પાસે માંગ્યું હતું કે જે કાર્ય તેઓએ હાલ પૂરું કર્યું છે તે કરવાને માટે તેમને મદદ કરે.
\s5
\v 27 જયારે તેઓ અંત્યોખ શહેરમાં આવી પહોચ્યા ત્યારે, તેમણે વિશ્વાસીઓને એકઠા કર્યા. પછી પાઉલ અને બાર્નાબાસે તેઓ બધાને કહ્યું કે ઈશ્વરે આ કરવામાં તેમની મદદ કરી છે. ખાસ કરીને, તેમણે તેઓને કહ્યું કે કેવી રીતે ઈશ્વરે બિનયહૂદી લોકોને ઈસુમાં વિશ્વાસ કરવા શક્તિ આપી.
\v 28 પછી પાઉલ અને બાર્નાબાસ ઘણા સમય સુધી બીજા વિશ્વાસીઓની સાથે અંત્યોખમાં રહ્યા.
\s5
\c 15
\s યરુશાલેમમાં મંડળીની પ્રથમ સભા
\p
\v 1 પછી કેટલાક યહૂદી વિશ્વાસીઓ યહૂદિયા પ્રાંતમાંથી અંત્યોખ તરફ ગયા. તેઓએ બિનયહૂદીઓને એવું શીખવવા લાગ્યા, કે, “તમે ઈશ્વરના છો એવું દર્શાવવા માટે, મૂસાએ જે નિયમ ઈશ્વર પાસેથી મેળવ્યો તેમાં તેણે જે આજ્ઞા કરી તે મુજબ તમારે સુન્નત કરાવવી જોઈએ. જો તમે તેવું ન કરો તો, તમારો બચાવ થએલો નથી.”
\v 2 પાઉલ અને બાર્નાબાસ આ યહૂદીઓ સાથે ખુબ જ અસંમત હતા અને તેઓ તેમની સાથે ચર્ચા કરવા લાગ્યા. તેથી અંત્યોખમાંના વિશ્વાસીઓએ પાઉલ અને બાર્નાબાસને તેમ જ બીજા વિશ્વાસીઓને યરુશાલેમ જવા માટે નિયુક્ત કર્યા, જેથી તેઓ આ બાબત વિષે પ્રેરિતો અને બીજા આગેવાનો સાથે ચર્ચા કરી શકે.
\s5
\v 3 પાઉલ, બાર્નાબાસ, અને અન્યો જેઓને અંત્યોખના વિશ્વાસીઓ દ્વારા મોકલવામાં આવ્યા પછી, તેઓ ફિનીકિયા અને સમરુનના પ્રાંતોમાં થઈને ગયા. જયારે તેઓ માર્ગે જતા અલગ અલગ સ્થળોએ રોકાતા ત્યારે, તેઓએ વિશ્વાસીઓને જણાવ્યું કે ઘણા બિનયહૂદીઓ વિશ્વાસીઓ બન્યા છે. તેના પરિણામે, તે સ્થળોના બધા વિશ્વાસીઓ ઘણા આનંદિત થયા.
\v 4 જયારે પાઉલ, બાર્નાબાસ, અને અન્યો યરુશાલેમ આવ્યા ત્યારે, પ્રેરિતો, બીજા આગેવાનો અને ત્યાંના સમૂહના અન્ય વિશ્વાસીઓ દ્વારા તેમનો આવકાર કરવામાં આવ્યો. પછી ઈશ્વરે જે બાબતો બિનયહૂદી લોકો મધ્યે કરવા માટે તેઓને સક્ષમ કર્યા હતા તે પાઉલ અને બાર્નાબાસે તેઓને જણાવ્યું.
\s5
\v 5 પણ કેટલાક યહૂદી વિશ્વાસીઓ કે જેઓ ફરોશી સંપ્રદાયમાંથી આવતા હતા તેઓએ બીજા વિશ્વાસીઓની મધ્યે ઊભા થઈને તેઓને કહ્યું, “બિનયહૂદીઓ જેઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો છે તેઓની સુન્નત થવી જોઈએ, અને તેઓને ઈશ્વરે મૂસાને આપેલા નિયમો પાળવાનું કહેવું જોઈએ.”
\v 6 પછી આ બાબત વિષે વાત કરવા માટે પ્રેરિતો અને આગેવાનો એકઠા મળ્યા.
\s5
\v 7 લાંબો સમય તેના વિષે ચર્ચા કર્યા પછી, પિતરે ઊભા થઈને તેઓને કહ્યું. તેણે કહ્યું, “સાથી વિશ્વાસીઓ, તમે સહુ જાણો છો કે લાંબા સમય પહેલા ઈશ્વરે મને તમો બીજા પ્રેરિતોની મધ્યે પસંદ કર્યો, જેથી હું બિનયહૂદી લોકોને પણ ઈશ્વરના પ્રેમ વિષે કહું, જેથી તેઓ તેમનામાં વિશ્વાસ કરે.
\v 8 ઈશ્વર સર્વ લોકોના હૃદયોને જાણે છે. તેમણે મને અને બીજાઓને બિનયહૂદીઓને આપણી જેમ જ પવિત્ર આત્મા આપીને, દર્શાવ્યું કે તેમણે તેઓને પણ તેમના લોકો તરીકે સ્વીકાર કર્યા છે.
\v 9 ઈશ્વરે આપણી અને તેમની વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો નથી, કેમ કે પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવાના લીધે તેઓને તેમણે અંદરથી શુદ્ધ કર્યા છે. આવી જ રીતે તેમણે આપણને પણ માફ કર્યા છે.
\s5
\v 10 તું શા માટે બિનયહૂદીઓને યહૂદી રીત રિવાજ અને નિયમો પાળવા માટે દબાણ કરે છે? આમ કરવાથી તેમના પર મોટો બોજો પડે છે, કારણ કે તે નિયમો પાળવા માટે તેમને દબાણ કરે છે જે આપણે યહૂદીઓએ અથવા આપણા પૂર્વજો આજે પણ તે પાળવા માટે સક્ષમ નથી! તેથી, આમ કરવા દ્વારા ઈશ્વરને ગુસ્સે કરવાનું બંધ કરો!
\v 11 આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુએ આપણે સારું જે કર્યું હતું તેના કારણે ઈશ્વર આપણ યહૂદીઓને પાપથી બચાવે છે. ઈશ્વર જેવી રીતે આપણને બચાવે છે તેવી જ રીતે તેઓ બિનયહૂદીઓ જેઓએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર્યો છે તેઓને બચાવે છે.”
\s5
\v 12 પિતર બોલ્યો તે પછી બધા લોકો શાંત થઈ ગયા. પછી તેઓ બધાએ પાઉલ અને બાર્નાબાસનું સાંભળ્યું. જયારે તેઓ બન્નેએ તેઓને ઈશ્વરે તેમના દ્વારા બિનયહૂદીઓ મધ્યે જે મોટા ચમત્કારો કરાવ્યા, એ ચમત્કારો દ્વારા ઈશ્વરે બતાવ્યું કે તેમણે બિનયહૂદીઓનો સ્વીકાર કર્યો છે.
\s5
\v 13 જયારે પાઉલ અને બાર્નાબાસે બોલવાનું પૂરું કર્યું ત્યારે, યાકૂબ, કે જે યરુશાલેમમાંના વિશ્વાસીઓનો આગેવાન હતો, તેણે તેઓની સાથે વાત કરી. તેણે કહ્યું, “સાથી વિશ્વાસીઓ, મારું સાંભળો.
\v 14 સિમોન પિતરે તમને પહેલા જણાવ્યું છે કે કેવી રીતે ઈશ્વરે બિનયહૂદીઓને આશીર્વાદ આપ્યો છે. જેઓ તેમના પોતાના લોકો છે તેઓને તેમાંથી પસંદ કરીને ઈશ્વરે તે પ્રમાણે કર્યું.
\s5
\v 15 જે શબ્દો ઈશ્વરે ઘણા સમય પહેલા કહ્યા હતા, એક પ્રબોધક દ્વારા લખેલા શબ્દો, આ સંમત થાય છે:
\v 16 ત્યારપછી હું પાછો આવીશ અને દાઉદના વંશમાંના એક રાજાને પસંદ કરીશ. તે એના જેવું હશે કે કોઈક ઘરને પાડી નંખાએલા ઘરને ફરીથી બાંધશે.
\v 17 હું તે પ્રમાણે કરીશ જેથી બીજા બધા લોકો મને, પ્રભુ ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરે. તેઓમાં બિનયહૂદીઓ પણ સામેલ હશે જેઓને મેં મારા બનવાને માટે તેડ્યાં છે. તમે ચોક્કસ ખાતરી પામશો કે આ બધું થશે જ કેમ કે મેં પ્રભુ ઈશ્વરે આ શબ્દો કહ્યા છે.
\v 18 મેં આ બાબતો કરી છે, અને મારા લોકો તે વિષે જાણે તેવું મેં ઘણા સમય અગાઉ કર્યું છે.”
\s5
\v 19 યાકૂબ બોલવાનું ચાલુ રાખ્યું. તેણે કહ્યું, “એટલા માટે હું વિચારું છું કે આપણે બિનયહૂદીઓ જેઓ તેમના પાપથી ફરીને પ્રભુ તરફ વળે છે તેઓને હેરાન કરવાનું બંધ કરવું જોઈએ. તે એ કે, તેઓ આપણા નિયમો અને વિધિઓ પાળે એવી માંગણી કરવાનું બંધ કરવું જોઈએ.
\v 20 તેના બદલે, આપણે તેઓને પત્ર લખીને, ચાર બાબતોની માંગણી કરવી જોઈએ લોકોએ મૂર્તિઓને ધરાવેલું હોય તેવું માંસ તેઓએ ખાવું જોઈએ નહિ, જેમની સાથે તેઓ પરણ્યા ન હોય તેમની સાથે સુવું જોઈએ નહિ, શ્વાસ રૂંધાવીને મારી નાખેલા પ્રાણીનું માંસ તેઓએ ખાવું જોઈએ નહિ, અને તેઓએ પ્રાણીઓનું રક્ત ખાવું જોઈએ નહિ.
\v 21 ઘણા શહેરોમાં, આ બાબતો કરતા અટકાવતાં નિયમો, જે મૂસાએ લખ્યા તે ઘણા સમય સુધી લોકો પ્રગટ કરતા રહ્યા. અને તે નિયમો યહૂદીઓના એકઠા મળવાના સ્થળે દરેક સાબ્બાથે વાંચવામાં આવતા હતા. તેથી જો કોઈ બિનયહૂદી તે નિયમો વિષે જાણવા માંગે તો, તેઓ જે ઘરોમાં સભા મળતી ત્યાંથી જાણી શકે.”
\s વિદેશી વિશ્વાસીઓને પત્ર
\s5
\p
\v 22 યાકૂબ જે કહ્યું તે, પ્રેરિતો અને બીજા આગેવાનોએ, તેમ જ યરુશાલેમમાંના બીજા વિશ્વાસીઓએ, સ્વીકાર્યું. પછી તેઓએ નક્કી કર્યું કે તેઓએ તેમનાંમાંથી કેટલાક માણસોને પસંદ કરીને, પાઉલ અને બાર્નાબાસની સાથે, અંત્યોખ, મોકલવા જોઈએ જેથી ત્યાંના વિશ્વાસીઓ જાણે કે યરુશાલેમના આગેવાનોએ શું નક્કી કર્યું છે. તેથી તેઓએ યહૂદાને, કે જે બર્સબાસ પણ કહેવાતો હતો, અને સિલાસને પસંદ કર્યા. તેઓ બંને યરુશાલેમમાં વિશ્વાસીઓ મધ્યે આગેવાનો હતા.
\v 23 પછી તેઓએ યહૂદા અને સિલાસને નીચે જણાવેલ પત્ર લખી આપ્યો કે તેઓ તે અંત્યોખમાંના વિશ્વાસીઓ પાસે લઈ જાય. “અમે પ્રેરિતો અને આગેવાનો જેઓ તમારા સાથી વિશ્વાસીઓ છે તેઓ તમને બિનયહૂદી વિશ્વાસીઓને કે જેઓ અંત્યોખમાં અને સિરિયા અને કિલીકિયાના પ્રાંતોમાં બીજી જગ્યાઓમાં રહો છો તેઓને શુભેચ્છા પાઠવીએ છીએ.
\s5
\v 24 જેઓને અમે મોકલ્યા ન હતા તેવા અમારામાંના કેટલાક લોકો તમારી પાસે આવ્યા, તે કેટલાક લોકોએ અમને જણાવ્યું છે. તમારી વિચારસરણીને ગૂંચવણમાં નાખે તેવી વાતો તમને જણાવીને તેઓએ તમને તકલીફમાં મૂકી દીધા.
\v 25 તેથી અહી એકઠા મળ્યા પછી, અમે નક્કી કર્યું કે કેટલાક લોકોને અમે પસંદ કરીએ કે તેઓ પાઉલ અને બાર્નાબાસની સાથે, તમારી પાસે આવે, જેઓને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ.
\v 26 તેઓ બન્નેએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરવા માટે તેમના જીવનો જોખમમાં નાખ્યા છે.
\s5
\v 27 અમે યહૂદા અને સિલાસને પણ તમારી પાસે મોકલ્યા છે. અમે જે લખી રહ્યા છે તે જ બાબતો તેઓ પણ તમને જણાવશે.
\v 28 પવિત્ર આત્માને અને અમને પણ એ યોગ્ય લાગ્યું કે ઘણા બધા બોજા જેવા યહૂદી નિયમો તમારે પાળવાની જરૂર નથી. તેના કરતા, તમારે માત્ર નીચે મુજબના આદેશો પાળવા જોઈએ,
\v 29 લોકોએ મૂર્તિઓને ધરાવેલું હોય તેવું માંસ તમારે ખાવું જોઈએ નહિ, તમારે પ્રાણીઓનું રક્ત ખાવું જોઈએ નહિ, અને શ્વાસ રૂંધાવીને મારી નાખેલા પ્રાણીનું માંસ તમારે ખાવું જોઈએ નહિ. તેમ જ, જેમની સાથે તમે પરણ્યા નથી તેમની સાથે સુવું જોઈએ નહિ. જો તમે આ બાબતો કરવાનું ટાળશો, તો જે યોગ્ય છે તે કરનારા તમે થશો. વિદાયની સલામ.”
\s5
\v 30 તેઓએ પસંદ કરેલા ચાર માણસો યરુશાલેમથી અંત્યોખ તરફ આવ્યા. જયારે ત્યાંના બધા વિશ્વાસીઓ એકઠા મળ્યા ત્યારે, તેઓએ તે પત્ર તેમને આપ્યો.
\v 31 જયારે ત્યાંના વિશ્વાસીઓએ તે પત્ર વાંચ્યો ત્યારે, તેઓ ઘણા ખુશ થયા, કેમ કે તે સંદેશે તેઓને ઉત્તેજન આપ્યું.
\v 32 પ્રબોધકો તરીકે, યહૂદા અને સિલાસે ઘણી વાતો કહીને ત્યાંના વિશ્વાસીઓને ઉત્તેજન આપ્યું, અને તેઓ પ્રભુ ઈસુ પરના વિશ્વાસમાં મજબૂત થાય માટે મદદ કરી.
\s5
\v 33 પછી યહૂદા અને સિલાસ ત્યાં થોડો સમય રહ્યા પછી યરુશાલેમ પાછા જવા નીકળ્યા ત્યારે, અંત્યોખમાંના વિશ્વાસીઓએ તેમને શુભેચ્છા આપી, અને પછી તેઓ ત્યાંથી નીકળ્યા.
\v 34 સિલાસને એ સારું લાગ્યું કે તે થોડો સમય યરુશાલેમમાં રહે.
\v 35 પણ, પાઉલ અને બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા. જયારે તેઓ ત્યાં હતા ત્યારે, તેઓ, અને બીજા ઘણાઓ, લોકોને શીખવતા હતા અને પ્રભુ ઈસુ વિશેના સંદેશનો તેઓ પ્રચાર કરતા હતા.
\s બાર્નાબાસ અને પાઉલ અલગ થયા
\s5
\p
\v 36 થોડા સમય પછી પાઉલે બાર્નાબાસને કહ્યું, “ચાલો આપણે પહેલા જ્યાં પ્રભુ ઈસુનો સંદેશ પ્રગટ કર્યો છે તે દરેક શહેરોમાં પાછા જઈને સાથી વિશ્વાસીઓની મુલાકાત કરીએ. આ રીતે, આપણે જાણી શકીશું કે કેવી રીતે તેઓ પ્રભુ ઈસુ પરના વિશ્વાસમાં વૃદ્ધિ પામી રહ્યા છે.”
\v 37 બાર્નાબાસ પાઉલ સાથે સંમત થયો, અને કહ્યું કે તે યોહાનને, જેનું બીજું નામ માર્ક હતું તેને, ફરીથી સાથે લઈ જવા માંગે છે.
\v 38 જોકે, પાઉલે બાર્નાબાસને કહ્યું કે તે એવું વિચારે છે કે માર્કને તેમની સાથે લેવો તે યોગ્ય નથી, કેમ કે પહેલા જયારે તેઓ પામ્ફૂલિયા પ્રદેશમાં હતા ત્યારે તે તેઓને છોડીને જતો રહ્યો હતો, અને તેઓની સાથે કામ કરવાનું તેણે ચાલુ રાખ્યું ન હતું.
\s5
\v 39 પાઉલ અને બાર્નાબાસ આ બાબતના કારણે એક બીજા સાથે ખૂબ જ અસંમત હતા, તેથી તેઓ એકબીજાથી છુટા પડ્યા. બાર્નાબાસે માર્કને તેની સાથે લીધો. તેઓ વહાણમાં બેસીને સાયપ્રસ ટાપુ પર ગયા.
\v 40 પાઉલે સિલાસને પસંદ કર્યો, જે અંત્યોખથી, તેની સાથે કામ કરવા માટે પાછો આવ્યો હતો. પ્રભુ ઈશ્વર પાઉલ અને સિલાસને ઉદારતાથી મદદ કરે, તે માટે ત્યાંના વિશ્વાસીઓએ પ્રાર્થના કરી. પછી તેઓ બંને અંત્યોખથી વિદાય થયા.
\v 41 પાઉલ સિલાસની સાથે મળીને સિરિયા અને કિલીકિયાના પ્રાંતોમાં મુસાફરી કરતો ગયો. તે જગ્યાઓમાં તેઓ વિશ્વાસીઓના સમુહને પ્રભુ ઈસુમાં દ્રઢ વિશ્વાસ કરવામાં મદદ કરતા હતા.
\s5
\c 16
\s પાઉલ અને સિલાસની સાથે તિમોથી
\p
\v 1 પાઉલ અને સિલાસ દેર્બે અને લુસ્ત્રા શહેરમાં ગયા અને ત્યાંના વિશ્વાસીઓની મુલાકાત કરી. એક વિશ્વાસી જેનું નામ તિમોથી હતું તે લુસ્ત્રામાં રહેતો હતો. તેની માતા યહૂદી વિશ્વાસી હતી, પણ તેના પિતા ગ્રીક હતા.
\v 2 લુસ્ત્રા અને ઇકોનિયાના વિશ્વાસીઓ તિમોથી વિષે સારી બાબતો કહેતા હતા,
\v 3 અને પાઉલ જયારે અન્ય જગ્યાઓમાં જતો હતો ત્યારે, તે તિમોથીને તેની સાથે લઈ જવા માંગતો હતો, તેથી તેણે તિમોથીની સુન્નત કરી. તેણે એ પ્રમાણે કર્યું કે જેથી જે યહૂદીઓ તે જગ્યાઓમાં રહેતા હતા તેઓ તિમોથીનો સ્વીકાર કરે, કેમ કે તેઓ જાણતા હતા કે તેના બિનયહૂદી પિતાએ તેની સુન્નત કરી ન હોય.
\s5
\v 4 તેથી તિમોથી પાઉલ અને સિલાસની સાથે ગયો, અને તેઓ બીજા ઘણા નગરોમાં ફર્યા. દરેક નગરમાં તેઓ યરુશાલેમમાંના પ્રેરિતો અને આગેવાનોએ નક્કી કરેલા નિયમો વિશ્વાસીઓને જણાવ્યા.
\v 5 તેઓ તે નગરોના વિશ્વાસીઓને પ્રભુ ઈસુમાં દ્રઢ વિશ્વાસ કરવા મદદ કરી, અને રોજ ઘણા લોકો વિશ્વાસીઓ બનવા લાગ્યા.
\s ત્રોઆસમાં પાઉલને સંદર્શન
\s5
\p
\v 6 પવિત્ર આત્માએ પાઉલ અને તેના સાથીઓને આસિયામાં વચન કહેતા અટકાવ્યા, તેથી તેઓ ફ્રુગિયા અને ગલાતિયા પ્રદેશોમાં થઈને ગયા.
\v 7 તેઓ મુસિયા પ્રાંતની સરહદે આવી પહોચ્યા, અને તેઓને ઉત્તરે બિથુનિયા પ્રાંતમાં જવું હતું, પણ ફરીથી ઈસુના આત્માએ તેઓને ત્યાં જતા અટકાવ્યા.
\v 8 તેથી તેઓ મુસિયા પ્રાંતમાં થઈને ત્રોઆસ, જે સમુદ્ર કાંઠે આવેલું શહેર છે ત્યાં ગયા.
\s5
\v 9 તે રાત્રે ઈશ્વરે પાઉલને એક દર્શન આપ્યું જેમાં તેણે મકદોનિયા પ્રાંતના એક માણસને જોયો. તે એવું કહેતો હતો કે, પાઉલ, “મકદોનિયા આવ અને અમને સહાય કર!”
\v 10 તે દર્શન જોયા પછી, અમે મકદોનિયા જવા નીકળ્યા, કેમ કે અમે માનતા હતા કે ઈશ્વરે અમને ત્યાંના લોકોને શુભ સંદેશ આપવા માટે બોલાવ્યા છે.
\s ફિલિપ્પીમાં લુદિયાનું બદલાણ
\s5
\p
\v 11 અમે હોડીમાં બેઠા અને ત્રોઆસથી સામોથ્રાકી ગયા, અને બીજા દિવસે નિયાપુલિસ શહેર ગયા.
\v 12 પછી અમે નિયાપુલિસ છોડ્યું અને ફિલિપ્પી ગયા. તે મકદોનિયાનું ઘણું અગત્યનું શહેર હતું, જ્યાં ઘણા રોમન નાગરિકો રહેતા હતા. અમે ફિલિપ્પીમાં ઘણા દિવસ રહ્યા.
\v 13 સાબ્બાથ દિવસે અમે શહેરના દરવાજાની બહાર નદી તરફ ગયા. અમે કોઈકની પાસેથી એવું સાંભળ્યું હતું કે યહૂદી લોકો પ્રાર્થના માટે ત્યાં ભેગા મળે છે. જયારે અમે ત્યાં આવ્યા ત્યારે, અમે કેટલીક સ્ત્રીઓને ત્યાં પ્રાર્થના માટે એકઠી થએલી જોઈ, તેથી અમે ત્યાં બેઠા અને તેઓને ઈસુ વિશેની વાત કહેવા લાગ્યા.
\s5
\v 14 જે સ્ત્રીઓ પાઉલને સાંભળી રહી હતી તેઓમાંની એક સ્ત્રીનું નામ લુદિયા હતું. તે થૂઆતૈરા શહેરની હતી, જાંબુડિયા વસ્ત્રો વેચતી હતી, અને ઈશ્વરનું ભજન કરતી હતી. પાઉલ જે સંદેશ આપી રહ્યો હતો તેના પર ધ્યાન આપવા માટે પ્રભુ ઈશ્વરે તેની મદદ કરી, અને તેણે તેના પર વિશ્વાસ કર્યો.
\v 15 પાઉલ અને સિલાસે લુદિયા અને તેના ઘરમાં જેઓ રહેતા હતા તેઓને બાપ્તિસ્મા આપ્યા પછી, તેણે તેઓને આજીજી કરી, “જો તમે માનો છો કે હું પ્રભુ પ્રત્યે વિશ્વાસુ છું તો, મારા ઘરમાં આવીને ત્યાં રહો.” તેણે આવું કહ્યું તે પછી, અમે તેના ઘરે રહ્યા.
\s ફિલિપ્પીમાં બંદીખાનામાં
\s5
\p
\v 16 બીજા દિવસે, જયારે અમે જ્યાં લોકો પ્રાર્થના માટે એકઠા મળતા હતા ત્યાં ગયા ત્યારે, અમે એક જુવાન સ્ત્રીને મળ્યા જે ગુલામ હતી. દુષ્ટ આત્મા તેને લોકોના ભવિષ્ય વિષે કહેવાની શક્તિ આપતો હતો. જે માણસો તેના માલિકો હતા તેઓને લોકો નાણા ચૂકવતાં હતા, અને બદલામાં તેમની સાથે શું બનશે તેના વિષે તે જણાવતી હતી.
\v 17 તે જુવાન સ્ત્રી પાઉલ અને અમે બીજા જેઓ હતા તેમની પાછળ, બૂમો પાડતી આવી,” આ માણસો જે ઈશ્વરની સેવા કરે છે તેઓ બધા દેવોમાં સૌથી મહાન છે! ઈશ્વર કેવી રીતે તમને બચાવી શકે તેના વિષે તેઓ કહી રહ્યા છે.”
\v 18 ઘણા દિવસો સુધી તેણે આવું કરવાનું ચાલુ રાખ્યું. અંતે, પાઉલ ગુસ્સે થયો, તેથી તેણે તે જુવાન સ્ત્રી તરફ ફરીને દુષ્ટ આત્મા જે તેનામાં હતો તેને કહ્યું. તેણે કહ્યું, “ઈસુ ખ્રિસ્તનાં નામમાં, તેનામાંથી બહાર આવ!” તરત જ તે આત્મા તેનામાંથી નીકળી ગયો.
\s5
\v 19 અને પછી તેના માલિકોને લાગ્યું કે તે હવે તેઓના માટે વધુ નાણા કમાઈ શકશે નહિ કેમ કે લોકોની સાથે શું બનશે તે વિષે હવે તે કહી શકશે નહિ, તેથી તેઓ ગુસ્સે થયા. તેઓએ પાઉલ અને સિલાસને પકડ્યા અને તેઓને બજારમાં જ્યાં શહેરના રાજ્યકર્તાઓ હતા ત્યાં લઈ ગયા.
\v 20 તે જુવાન સ્ત્રીના માલિકો તેઓને શહેરના રાજ્યકર્તાઓ પાસે લાવ્યા અને તેઓને કહ્યું, “આ યહૂદી માણસો છે, અને તેઓ આપણા શહેરના લોકોને ખૂબ હેરાન કરી રહ્યા છે.
\v 21 રોમનો જે રીત રિવાજો પાળી શકે નહિ તેવા નિયમો પાળવાનું તેઓ શિક્ષણ આપે છે!”
\s5
\v 22 જેઓ પાઉલ અને સિલાસ પર દોષ મૂકી રહ્યા હતા તેઓની સાથે બીજા ઘણા જોડાયાં, અને તેઓને તેમને મારવાનું શરુ કર્યું. પછી રોમન અધિકારીઓએ સૈનિકોને પાઉલ અને સિલાસના વસ્ત્રો કાઢીને તેમને કોરડાથી ફટકારવાનું કહ્યું.
\v 23 તેથી સૈનિકોએ પાઉલ અને સિલાસને ક્રુરતાથી કોરડા માર્યા. તે પછી, તેઓએ તેમને લઈ જઈને જેલમાં પૂર્યા. તેઓ નાસી ન જાય તેનું ધ્યાન રાખવાનું તેઓએ જેલરને જણાવ્યું.
\v 24 તે અધિકારીએ તેને તે પ્રમાણે કરવાનું કહ્યું હતું, તેથી જેલરે પાઉલ અને સિલાસને જેલના સૌથી અંદરના ઓરડામાં રાખ્યા. ત્યાં, તેણે તેઓને નીચે જમીન પર બેસાડીને તેમના પગ લાંબા કરવા કહ્યું. પછી તેને તેમની એડીઓને લાકડાના બે ટુકડાંઓની વચ્ચેના કાણામાં નાખી, જેથી પાઉલ અને સિલાસ તેમના પગને હલાવી ન શકે.
\s5
\v 25 આશરે મધ્ય રાત્રીએ, પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા અને ઈશ્વરની સ્તુતિ કરતા ગીતો ગાતા હતા. બીજા કેદીઓ તેઓને સાંભળી રહ્યા હતા.
\v 26 એકાએક ખુબ મોટા ધરતીકંપે આખી જેલ ધ્રુજાવી નાખી. ધરતીકંપના લીધે જેલના બધા દરવાજા ઉઘડી ગયા અને બધા કેદીઓની સાંકળો નીકળી પડી.
\s5
\v 27 જેલર જાગ્યો અને જોયું કે જેલના દરવાજા ધરતીકંપથી ઉઘડી ગયા છે.તેણે વિચાર્યું કે કેદીઓ જેલમાંથી ભાગી ગયા છે, તેથી તેણે પોતાને મારી નાખવા માટે તેની તલવાર કાઢી, કેમ કે તે જાણતો હતો કે જો કેદીઓ મુક્ત થઈ જશે તો શહેરના અધિકારીઓ તેને મારી નાખશે.
\v 28 પાઉલે જેલરને જોયો અને તેને બૂમ પડી,” તારી જાતને મારી નાખતો નહિ! અમે બધા કેદીઓ અહી જ છીએ!”
\s5
\v 29 ત્યારે તે દીવો મંગાવીને અંદર કૂદી આવ્યો, અને ધ્રૂજતો ધ્રૂજતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો.
\v 30 તેઓને બહાર લાવીને તેણે કહ્યું કે, હે સાહેબો, ઉદ્ધાર પામવા સારુ મારે શું કરવું જોઈએ?
\v 31 ત્યારે તેઓએ કહ્યું કે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ ઉદ્ધાર પામશો.
\s5
\v 32 ત્યારે તેઓએ [પાઉલ અને સિલાસે] જેલરને તથા જે તેનાં ઘરમાં હતાં તે સર્વને પ્રભુનાં વચનો કહી સંભળાવ્યા.
\v 33 પછી રાતના તે જ સમયે તેણે [જેલરે] તેઓને [પાઉલ તથા સિલાસને] લઈને તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેનાં ઘરનાં બધા માણસો બાપ્તિસ્મા પામ્યાં.
\v 34 જેલરે તેઓને પોતાને ઘરે લાવીને તેઓની આગળ ભોજન પીરસ્યું, અને તેના ઘરનાં સર્વએ ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો.
\s5
\v 35 દિવસ ઊગતાં અધિકારીઓએ સુરક્ષા કર્મચારીઓને મોકલીને કહેવડાવ્યું કે, તે માણસોને છોડી દે.
\v 36 પછી જેલરે પાઉલને એ વાતની ખબર આપી કે, અધિકારીઓએ તમને છોડી દેવાનું કહેવડાવ્યું છે, માટે હવે તમે નીકળીને શાંતિએ ચાલ્યા જાઓ.
\s5
\v 37 પણ પાઉલે તેઓને કહ્યું કે, અમને ગુનેગાર ઠરાવ્યા વગર તેઓએ અમો રોમનોને જાહેર રીતે માર મારીને જેલમાં નાખ્યા છે, અને હવે શું તેઓ અમને છાની રીતે બહાર કાઢી મૂકે છે? ના, એમ તો નહિ, પણ તેઓ પોતે આવીને અમને બહાર કાઢે.
\v 38 ત્યારે સુરક્ષા કર્મચારીઓએ અધિકારીઓને એ વાતની ખબર આપી. ત્યારે તેઓ રોમન છે, એ સાંભળીને તેઓ ગભરાઈ ગયા.
\v 39 પછી તેઓએ [અધિકારીઓએ] આવીને તેઓને [પાઉલ અને સિલાસને] કાલાવાલા કર્યા, અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાને વિનંતી કરી.
\s5
\v 40 પછી તેઓ જેલમાંથી નીકળીને લુદિયાને ત્યાં આવ્યા; અને ભાઈઓને મળીને તેઓને દિલાસો આપ્યો, પછી ત્યાંથી વિદાય થયા.
\s5
\c 17
\s થેસ્સાલોનિકામાં
\p
\v 1 તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયા થઈને થેસ્સાલોનિકામાં આવ્યા; ત્યાં યહૂદીઓનું ભક્તિસ્થાન હતું;
\v 2 પાઉલ પોતાની રીત પ્રમાણે તેઓની [સભામાં] ગયો, ત્રણ વિશ્રામવારે તેણે ધર્મશાસ્ત્રને આધારે તેઓની સાથે વાદવિવાદ કર્યો,
\s5
\v 3 પાઉલે તેઓને ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, મરણ પામેલાઓમાંથી પાછા ઊઠવું એ જરૂરનું હતું, [અને એવું પણ કહ્યું કે] જે ઈસુને હું તમારી આગળ પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે.
\v 4 ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોકો, તથા ઘણી પ્રતિષ્ઠિત સ્ત્રીઓ એ વાત સ્વીકારી પાઉલ તથા સિલાસની સંગતમાં જોડાયાં.
\s5
\v 5 પણ યહૂદીઓએ અદેખાઈ રાખીને ચોકમાંના કેટલાક દુષ્કર્મીઓને સાથે લીધા, ભીડ જમાવીને આખા શહેરને ખળભળાવી મૂક્યું, યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકો આગળ બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો.
\v 6 પણ [પાઉલ અને સિલાસ] તેઓને મળ્યા નહિ ત્યારે યાસોનને તથા કેટલાક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ખેંચી જઈને તેઓએ બૂમ પાડી કે, ‘આ લોક કે જેઓએ જગતને ઉથલપાથલ કર્યું છે તેઓ અહી પણ આવ્યા છે.
\v 7 યાસોને પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં રાખ્યા છે; અને તેઓ સર્વ કાઈસારની આજ્ઞાની વિરુદ્ધ થઈને કહે છે કે, ઈસુ [નામે] બીજો એક રાજા છે.’”
\s5
\v 8 તેઓની એ વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા.
\v 9 ત્યારે તેઓએ યાસોનને તથા બીજાઓને જામીન પર છોડી દીધા.
\s બેરિયામાં
\s5
\p
\v 10 પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બૈરિયામાં મોકલી દીધા; અને તેઓ ત્યાં પહોંચીને યહૂદીઓના ભક્તિસ્થાનમાં ગયા.
\v 11 થેસ્સાલોનિકાના લોક કરતા તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ મનની પૂરી આતુરતાથી વચનોનો અંગીકાર કરીને, એ વચનો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્ર તપાસતા હતા.
\v 12 તેઓમાંના ઘણાંઓએ વિશ્વાસ કર્યો, આબરૂદાર ગ્રીક સ્ત્રીઓ તથા પુરુષોમાંના પણ ઘણાએ [વિશ્વાસ કર્યો].
\s5
\v 13 પણ જયારે થેસ્સાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલ ઈશ્વરની વાત બૈરિયામાં પણ જાહેર કરે છે ત્યારે ત્યાં પણ આવીને તેઓએ લોકોને ઉશ્કેરી મૂક્યા.
\v 14 ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્ર સુધી મોકલી દીધો, પણ સિલાસ તથા તિમોથી ત્યાં જ રહ્યા.
\v 15 પણ પાઉલને મૂકવા જનારાંઓએ તેને આથેન્સ સુધી પહોંચાડ્યો. પછી સિલાસ તથા તિમોથી તેની પાસે વહેલી તકે આવે, એવી આજ્ઞા એમને સારુ લઈને તેઓ વિદાય થયા.
\s5
\v 16 અને પાઉલ આથેન્સમાં તેઓની રાહ જોતો હતો એટલામાં તે શહેરમાં ઠેરઠેર મૂર્તિઓને જોઈને તેનો અંતરાત્મા ઊકળી ઊઠ્યો.
\v 17 તે માટે તે ભક્તિસ્થાનમાં યહૂદીઓ તથા ધાર્મિક પુરુષો સાથે, ચોકમાં જેઓ તેને મળતા તેઓની સાથે નિત્ય વાદવિવાદ કરતો હતો.
\s5
\v 18 ત્યારે એપીકયુરી તથા સ્ટોઈક [મત માનનારા] પંડિતોમાંના કેટલાક તેની સામા થયા, તેઓમાંના કેટલાકે કહ્યું કે, આ ગુપ્ત વાત પ્રગટ કરનાર શું કહેવા માગે છે? બીજા કેટલાકે કહ્યું કે, પારકા ઈશ્વરને પ્રગટ કરનારો દેખાય છે; કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિષે [નું વચન] પ્રગટ કરતો હતો.
\s5
\v 19 તેઓ તેને એરિયોપગસમાં લઈ ગયા, અને કહ્યું કે, જે નવો ઉપદેશ તું કરે છે તે અમારાથી સમજાય એમ છે?
\v 20 કેમ કે તુ અમોને કેટલીક નવીન વાતો સંભળાવે છે; માટે તેનો અર્થ અમે જાણવા ઇચ્છીએ છીએ.
\v 21 (હવે, આથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ, કંઈ નવા વચન કહેવા અથવા સાંભળવા તે સિવાય બીજા કશામાં પોતાનો સમય ગાળતા ન હતા.)
\s5
\v 22 પાઉલે એરિયોપગસની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, ‘આથેન્સના સદ્દગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો.
\v 23 કેમ કે જે [દેવ દેવીઓને] તમે ભજો છો તેઓને હું માર્ગોમાં ચાલતા ચાલતા જોતો હતો, ત્યારે મેં એક વેદી પણ જોઈ, જેના પર એવો લેખ કોતરેલો હતો કે, “અજાણ્યા દેવના માનમાં;” માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું.
\s5
\v 24 જે ઈશ્વરે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતાં નથી.
\v 25 અને જાણે તેમને કશાની ગરજ હોય એમ માણસોના હાથની સેવા તેમને જોઈએ છે એવું નહિ, કેમ કે જીવન, શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુ તે પોતે સર્વને આપે છે.
\s5
\v 26 તેમણે માણસોની સર્વ દેશજાતિઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારુ એકમાંથી ઉત્પન્ન કરી, તેણે તેઓને સારુ નીમેલા સમય તથા તેઓના નિવાસની સીમાઓ ઠરાવી આપી.
\v 27 એ માટે કે તેઓ ઈશ્વરને શોધે, કે કદાપિ તેઓ તેમને માટે શોધીને તેમને પામે; પરંતુ ઈશ્વર આપણામાંના કોઈથી દુર નથી.
\s5
\v 28 કેમ કે આપણે તેમનામાં જીવીએ છીએ, હાલીએ છીએ, હોઈએ છીએ, જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાકે કહ્યું છે કે, ‘આપણે પણ તેમના વંશજો છીએ.’”
\v 29 હવે આપણે ઈશ્વરના વંશજો છીએ માટે આપણે એમ ન ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના કે રૂપા કે પથ્થરના જેવા છે.
\s5
\v 30 એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે ઈશ્વરે ઉપેક્ષા કરી ખરી; પણ હવે સર્વ સ્થળે સઘળાં માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે.
\v 31 કેમ કે તેણે એક દિવસ નિયત કર્યો છે કે જે દિવસે તે પોતાના ઠરાવેલા માણસ દ્વારા જગતનો અદલ ન્યાય કરશે; જે વિષે તેમણે તેમને મરણ પામેલાઓમાંથી સજીવન કરીને સર્વને ખાતરી કરી આપી છે.
\s5
\v 32 હવે તેઓએ મરણ પામેલાઓના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાકે મશ્કરી કરી. પણ બીજાઓએ કહ્યું કે, અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું.’”
\v 33 એવી રીતે પાઉલ તેઓની મધ્યેથી ચાલ્યો ગયો.
\v 34 પણ કેટલાક માણસોએ પાઉલની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો; તેઓમાં અરિયોપાગસનો સભ્ય દિઓનુસીઅસ, તથા દામરિસ નામની એક સ્ત્રી, તેઓના ઉપરાંત બીજા પણ હતા.
\s5
\c 18
\s કરિંથમાં
\p
\v 1 પછી [પાઉલ] આથેન્સથી નીકળીને કરિંથમાં આવ્યો.
\v 2 પોન્તસનો વતની, આકુલા નામે એક યહૂદી, જે થોડા સમય માટે ઇટાલીથી આવેલો હતો, તે તથા તેની પત્ની પ્રિસ્કીલા તેને મળ્યાં, કેમ કે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની ક્લોડિયસે [કાઈસાર] આજ્ઞા આપી હતી; પાઉલ તેઓને ત્યાં ગયો;
\v 3 પાઉલ તેઓના જેવો જ વ્યવસાય કરતો હતો, માટે તે તેઓને ઘરે રહ્યો, અને તેઓ સાથે કામ કરતા હતા; કેમ કે તેઓનો વ્યવસાય પણ તંબુ બનાવવાનો [તંબુ ના વસ્ત્રો વણવાનો] હતો.
\s5
\v 4 દરેક વિશ્રામવારે પાઉલ ભક્તિસ્થાનમાં વાતચીત કરતો, યહૂદીઓને તથા ગ્રીકોને [વચનમાંથી] સમજાવતો હતો.
\v 5 પણ જયારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા, ત્યારે પાઉલે ઉત્સાહથી [ઈસુની] વાત પ્રગટ કરતા યહૂદીઓને સાક્ષી આપી કે, ‘ઈસુ તે જ ખ્રિસ્ત છે.’”
\v 6 પણ યહૂદીઓ તેની વિરુદ્ધ થઈને દુર્ભાષણ કરવા લાગ્યા ત્યારે પાઉલે પોતાના વસ્ત્ર ખંખેરીને તેઓને કહ્યું કે, તમારું લોહી તમારે માથે; હું તો નિર્દોષ છું, હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ.
\s5
\v 7 પછી ત્યાંથી જઈને તે તિતસ યુસ્તસ નામે એક ઈશ્વરભક્ત હતો તેને ઘરે ગયો; તેનું ઘર ભક્તિસ્થાનની તદ્દન પાસે હતું.
\v 8 અને સભાસ્થાનના અધિકારી ક્રિસ્પસે અને તેના ઘરના માણસોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો; અને ઘણા કરિંથીઓએ પણ વચન સાંભળીને વિશ્વાસ કર્યો, અને તેઓ બાપ્તિસ્મા પામ્યા.
\s5
\v 9 પ્રભુએ રાત્રે પાઉલને દર્શનમાં કહ્યું કે, તું બીશ નહીં, પણ બોલજે, શાંત ન રહેતો;
\v 10 કેમ કે હું તારી સાથે છું, અને તને ઈજા થાય એવો હુમલો કોઈ તારા પર કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોક છે.
\v 11 તે [પાઉલ] તેઓને ઈશ્વરના વચનોનો બોધ કરતો રહીને દોઢ વરસ સુધી [ત્યાં] રહ્યો.
\s5
\v 12 પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો, ત્યારે યહૂદીઓ [સંપ કરીને] પાઉલની સામે ઊભા થયા, અને તેઓએ તેને [પાઉલને] ન્યાયાસન આગળ લાવીને કહ્યું કે,
\v 13 આ માણસ ઈશ્વરનું ભજન નિયમશાસ્ત્રથી વિપરીત રીતે કરવાનું લોકોને સમજાવે છે.
\s5
\v 14 પાઉલ બોલવા જતો હતો, એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું કે, ‘ઓ યહૂદીઓ. જો અન્યાયની અથવા દુરાચારણની વાત હોત, તો તમારું સાંભળવું વાજબી ગણાત;
\v 15 પણ જો શબ્દો, નામો, અથવા તમારા પોતાના નિયમશાસ્ત્ર વિષેની એ તકરાર હોય તો, તમે પોતે તે વિષે ન્યાય કરો, કેમ કે એવી વાતોનો ન્યાય ચૂકવવા હું ઇચ્છતો નથી.’”
\s5
\v 16 એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.
\v 17 ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનના અધિકારી સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ તે વાત વિષે કંઈ પરવા કરી નહિ.
\s અંત્યોખમાં પાછા ફરવું
\s5
\p
\v 18 ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓથી વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા જવા ઊપડ્યો; [તે પહેલાં] તેણે કેંખ્રિયામાં પોતાના વાળ ઉતારી નાખ્યાં, કેમ કે પાઉલે શપથ લીધી હતી.
\v 19 તેઓ એફેસસમાં પહોંચ્યાં ત્યારે તેણે [પાઉલે] તેઓને ત્યાં મૂક્યાં, ને પોતે ભક્તિસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો.
\s5
\v 20 પોતાની સાથે વધારે સમય રહેવાની તેઓએ તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહિ.
\v 21 પણ ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ, એમ કહીને તેણે તેઓથી વિદાય લીધી, અને એફેસસથી જવા સારુ વહાણમાં બેઠો.
\s5
\v 22 કાઈસારિયા પહોંચ્યા પછી, તેણે યરુશાલેમ જઈને મંડળીના માણસો સાથે મુલાકાત કરી, અને પછી અંત્યોખમાં ગયો.
\v 23 થોડા સમય સુધી ત્યાં રહ્યા પછી તે નીકળ્યો, અને સર્વ શિષ્યોને દૃઢ કરતો કરતો ગલાતિયા પ્રાંત તથા ફ્રુગિયામાં ફર્યો.
\s આપોલસ એફેસસ અને કરિંથમાં
\s5
\p
\v 24 આપોલસ નામનો એક વિદ્વાન યહૂદી જે ધર્મલેખોમાં પ્રવીણ હતો, અને આલેકસાંદ્રિયાનો વતની હતો, તે એફેસસ આવ્યો.
\v 25 એ માણસ પ્રભુના માર્ગ વિષેનું શિક્ષણ પામેલો હતો, અને પવિત્ર આત્મામાં ઘણો આતુર હોવાથી તે કાળજીથી ઈસુ વિષેની વાતો પ્રગટ કરતો તથા શીખવતો હતો, પણ તે એકલું યોહાનનું બાપ્તિસ્મા જાણતો હતો;
\v 26 તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો, પણ પ્રિસ્કીલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી ત્યારે તેઓએ તેને પોતાને ઘરે લઈ જઈને ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.
\s5
\v 27 પછી તે અખાયા જવાને ઇચ્છતો હતો, ત્યારે ભાઈઓએ તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો [આપોલસનો] આવકાર કરે; તે ત્યાં આવ્યો ત્યારે જેઓએ [પ્રભુની] કૃપાથી વિશ્વાસ કર્યો હતો, તેઓને તેણે ઘણી સહાય કરી;
\v 28 કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, એવું ધર્મશાસ્ત્ર દ્વારા પુરવાર કરીને તેણે જાહેર [વાદવિવાદ] માં યહૂદીઓને સંપૂર્ણ રીતે હરાવ્યા.
\s5
\c 19
\s પાઉલ એફેસસમાં
\p
\v 1 એમ થયું કે જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસમાં આવ્યો, અને કેટલાક શિષ્યો તેને મળ્યા.
\v 2 તેણે તેઓને પૂછ્યું કે, ‘તમે વિશ્વાસ કર્યો ત્યારે શું પવિત્ર આત્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે, ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી.’”
\s5
\v 3 પાઉલે પૂછ્યું કે, ‘ત્યારે તમે કોનું બાપ્તિસ્મા પામ્યા? અને તેઓએ કહ્યું કે, ‘યોહાનનું બાપ્તિસ્મા.’”
\v 4 ત્યારે પાઉલે કહ્યું કે, યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, ‘મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો.’”
\s5
\v 5 તેઓએ એ સાંભળીને પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું.
\v 6 જયારે પાઉલે તેઓ પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવ્યો; તેઓ [અન્ય] ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા.
\v 7 તેઓ બધા મળીને બાર પુરુષ હતા.
\s5
\v 8 પછી ભક્તિસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી ઈસુના વચનો કહ્યા, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી.
\v 9 પણ કેટલાકે મનમાં કઠણ થઈને, તથા પ્રભુની વાતનો અનાદર કરીને, લોકોની આગળ એ માર્ગની નિંદા કરી, ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા અને તે તુરાનસના સભાગૃહમાં રોજ ઉપદેશ આપતો રહ્યો.
\v 10 બે વર્ષ સુધી એવું ચાલતું રહ્યું; તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ, તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત સાંભળી.
\s સ્કેવાના સાત દીકરા
\s5
\p
\v 11 ઈશ્વરે પાઉલના હાથથી એવા અદ્દભુત ચમત્કારો કર્યા કે,
\v 12 તેના વપરાયેલા રૂમાલો તથા વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લાવીને સ્પર્શ કરાવતાં, એટલે તેઓના રોગ દૂર થતા, અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા હતા.
\s5
\v 13 પણ કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ અશુદ્ધ આત્મા વળગેલાઓ પર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા કે, જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેમને નામે અમે હુકમ કરીએ છીએ કે ‘નીકળી જાઓ.’”
\v 14 સ્કેવા નામે એક યહૂદી મુખ્ય યાજકના સાત દીકરા એ પ્રમાણે કરતા હતા.
\s5
\v 15 પણ અશુદ્ધ આત્માએ ઉત્તર દેતાં કહ્યું કે, ‘ઈસુ વિષે હું જાણું છું, પાઉલને પણ હું ઓળખું છું, પણ તમે કોણ છો?
\v 16 જે માણસમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓમાંના બે જન પર કૂદી પડ્યો, બન્નેને હરાવીને તેઓ પર એવો જય પામ્યા કે તેઓ વસ્ત્રો વગરના ઉઘાડા તથા ઘાયલ થઈને તે ઘરમાંથી જતા રહ્યા.
\v 17 એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાત માલૂમ પડી, તે સર્વ ભય પામ્યા, અને પ્રભુ ઈસુનું નામ મહિમાવંત મનાયું.
\s5
\v 18 વિશ્વાસી થયેલાઓમાંના ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને કહી બતાવ્યાં.
\v 19 ઘણા જાદુગરોએ પોતાના પુસ્તકો ભેગાં કરીને સર્વના દેખતાં બાળી નાખ્યાં; તેઓની કિંમત ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા જેટલી થઈ.
\v 20 એ રીતે પ્રભુની વાત પરાક્રમથી ફેલાઈ અને પ્રબળ થઈ.
\s એફેસસમાં હુલ્લડ
\s5
\p
\v 21 એ બનાવ પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને મનમાં યરુશાલેમ જવાનો નિશ્ચય કરીને કહ્યું કે, ‘ત્યાં ગયા પછી રોમમાં પણ મારે જવું જોઈએ.’”
\v 22 તેણે પોતાને સહાય કરનારાઓમાંનાં બેને એટલે તિમોથી તથા એરાસ્તસને મકદોનિયામાં મોકલ્યા, અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો.
\s5
\v 23 તે અરસામાં એ માર્ગ વિષે ઘણી ચળવળ ઊભી થઈ.
\v 24 દેમેત્રિયસ નામે એક સોની હતો, જે આર્તેમિસના રૂપાના દેવસ્થાનો બનાવીને કારીગરોને ઘણું કામ અપાવતો હતો,
\v 25 તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકઠા કરીને કહ્યું કે, ‘ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને ઘણી કમાણી થાય છે.
\s5
\v 26 અને તમે જુઓ છો અને સાંભળો છો તેમ, એકલા એફેસસમાં નહિ, પણ લગભગ આખા આસિયામાં, કે જે હાથથી બનાવેલા છે તે દેવો નથી, એવું સમજાવીને પાઉલે બહુ લોકોના મન ફેરવી નાખ્યા છે;
\v 27 તેથી આપણો આ વ્યવસાય વખોડવામાં આવે એવો ભય છે, એટલું જ નહિ, પણ આર્તેમિસ મહાદેવી જેને આખો આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણાવાનો અને તેનો મહિમા નષ્ટ થવાનો સંભવ છે.
\s5
\v 28 એ સાંભળીને તેઓ ક્રોધે ભરાયા, અને બૂમ પાડીને કહેવા લાગ્યા કે, ‘એફેસીઓની આર્તેમિસની જય!
\v 29 આખા શહેરમાં એ ગડબડાટ પ્રસરી ગયો. ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા આરિસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથીઓ હતા, તેઓને પકડીને બધા ભેગા મળીને શલ્યખંડમાં દોડી ગયા.
\s5
\v 30 જયારે પાઉલે લોકોની ભીડની અંદર જવા ઇચ્છા કરી, ત્યારે શિષ્યોએ તેને જવા દીધો નહિ.
\v 31 આસિયાના મુખ્ય અધિકારીઓમાંના કેટલાક તેના મિત્ર હતા, તેઓએ પણ તેને કહેવડાવ્યું ‘તારે શલ્યખંડમાં જવાનું સાહસ કરવું નહિ.
\v 32 તે વેળાએ કેટલાક આમ બૂમ પાડતા, અને બીજા કેટલાક તેમ બૂમ પાડતા હતા, કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી, અને પોતે શા માટે ભેગા થયા છે, એ તેઓમાંના કેટલાક જાણતા પણ ન હતા.
\s5
\v 33 તેઓ [યહૂદીઓ] આલેકસાંદરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ ધકેલતા હતા ત્યારે આલેકસાંદર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ચાહતો હતો.
\v 34 પણ તે યહૂદી છે, એ તેઓએ જાણ્યું, ત્યારે તેઓ સર્વએ આશરે બે કલાક સુધી એકસામટા અવાજે બૂમ પાડી કે, ‘એફેસીઓની આર્તેમિસની જય!
\s5
\v 35 ત્યારે શહેરના નગરશેઠે લોકોને શાંત કરીને કહ્યું કે, ‘ઓ એફેસસના લોકો, કોણ નથી જાણતું કે એફેસીઓનું શહેર આર્તેમિસ મહાદેવીને તથા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે?
\v 36 એ વાતોની વિરુદ્ધ કોઈથી બોલી શકાય એમ નથી, માટે તમારે શાંત રહેવું જોઈએ, અને કંઈ અયોગ્ય કૃત્ય કરવું નહિ.
\v 37 કેમ કે તમે આ માણસોને અહીં લાવ્યા છો, તેઓ મંદિરોને લૂંટનારા નથી, આપણા દેવીની નિંદા કરનારા પણ નથી.
\s5
\v 38 માટે જો દેમેત્રિયસને તથા તેના સાથેના સાથી કારીગરોને કોઈના પર કશી ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે, અને અધિકારીઓ પણ છે, માટે તેઓ એકબીજાની સામે ફરિયાદ કરી શકે.
\v 39 પણ જો કોઈ બીજી બાબતો વિષે તમે ન્યાય માંગતા હો, તો કાયદેસર નીમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે.
\v 40 કેમ કે આજે કારણ વિના હંગામો થયો તે વિષે આપણી સામે ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે; અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણે આપી શકવાના નથી.
\v 41 તેણે એ વાતો કહીને સભાને સમાપ્ત કરી.
\s5
\c 20
\s પાઉલ મકદોનિયામાં અને અખાયામાં
\p
\v 1 હંગામો બંધ થયા પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેઓને બોધ કર્યો, અને તેમની વિદાય લઈને મકદોનિયા જવા સારુ નીકળ્યો.
\v 2 તે પ્રાંતોમાં ફરીને, લોકોને ઘણો ઉપદેશ આપ્યા પછી તે ગ્રીસ દેશમાં આવ્યો.
\v 3 તે ત્યાં ત્રણ મહિના રહયો, પછી સિરિયા જવા સારુ જળમાર્ગે ઊપડવાની તૈયારીમાં હતો, ત્યારે યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું, માટે તેણે મકદોનિયામાં થઈને પાછા જવાનો નિર્ણય કર્યો.
\s5
\v 4 પૂર્હસનો [દીકરો] બેરિયાનો સોપાતર; થેસ્સાલોનિકીઓમાંનાં આરિસ્તાર્ખસ; સેકુંદસ; દેર્બેનો ગાયસ, તિમોથી; આસિયાના તુખિકસ તથા ત્રોફિમસ; તેઓ તેની સાથે આસિયા સુધી ગયા.
\v 5 તેઓ આગળ જઈને ત્રોઆસમાં અમારી રાહ જોતા હતા.
\v 6 બેખમીર રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પીથી નીકળ્યા, અને પાંચ દિવસમાં તેઓની પાસે ત્રોઆસ પહોંચ્યા, અને સાત દિવસ ત્યાં રહ્યા.
\s ત્રોઆસમાં પાઉલની છેલ્લી મુલાકાત
\s5
\p
\v 7 અઠવાડિયાને પહેલે દિવસે અમે પ્રભુ ભોજન માટે એકઠા થયા હતા, ત્યારે પાઉલે, પોતે બીજે દિવસે અહીંથી જવાનો હોવાથી, [શિષ્યોને] ઉપદેશ આપ્યો, મધરાત સુધી પોતાનો ઉપદેશ ચાલુ રાખ્યો.
\v 8 જે મેડી પર અમે એકઠા થયા હતા ત્યાં ઘણા દીવા [પ્રકાશતા] હતા.
\s5
\v 9 બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભરઊંઘમાં ઘેરાઈ ગયો હતો, પાઉલ વધારે વાર સુધી ઉપદેશ કરતો હતો માટે ઊંઘમાં ગરકાવ થયેલો હોવાથી તે [યુતુખસ] ત્રીજા માળેથી નીચે પડ્યો, અને મરણ પામ્યો.
\v 10 ત્યારે પાઉલે નીચે ઊતરીને તેને બાથમાં લઈને કહ્યું કે, ‘ગભરાઓ નહિ, કેમ કે તે જીવતો છે.’”
\s5
\v 11 અને તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી અને પ્રભુ ભોજન લીધું અને તેઓની સાથે ઘણા સમય સુધી, એટલે છેક સવાર થતાં સુધી, સંદેશો આપ્યો, ત્યાર પછી પાઉલ વિદાય થયો.
\v 12 તેઓ તે જુવાનને જીવતો લાવ્યા, તેથી ઘણો આનંદ પામ્યા.
\s ત્રોઆસથી મિલેતસમાં
\s5
\p
\v 13 પણ અમે આગળ જઈને વહાણમાં બેસીને આસોસ જવાને ઊપડી ગયા, ત્યાંથી પાઉલને વહાણમાં લેવાનો અમારો ઇરાદો હતો, કેમ કે ત્યાંથી પગરસ્તે આવવા ધારીને તેણે એ વ્યવસ્થા કરી હતી.
\v 14 આસોસમાં તે અમને મળ્યો, ત્યારે અમે તેને વહાણમાં લઈને મિતુલેનેમાં આવ્યા.
\s5
\v 15 ત્યાંથી હંકારીને બીજે દિવસે ખીઓસ પાસે પહોંચ્યા, અને બીજે દિવસે સામોસ પહોંચ્યા, પછીના દિવસે, [ત્રોગુલિયામાં થોડુંક થોભ્યા પછી] અમે મિલેતસમાં આવ્યા.
\v 16 કેમ કે આસિયામાં વખત પસાર કરવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું નક્કી કર્યું હતું, કેમ કે તે એ માટે ઉતાવળ કરતો હતો કે જો બની શકે તો પચાસમાના પર્વને દિવસે પોતે યરુશાલેમમાં હાજર થાય.
\s એફેસસના આગેવાનોને પાઉલનો વિદાય સંદેશ
\s5
\p
\v 17 પછી તેણે મિલેતસથી એફેસસમાં [સંદેશો] મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા.
\v 18 તેઓ તેની પાસે આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું કે, આસિયામાં મેં પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યો છું.
\v 19 મનની પૂરી નમ્રતાથી, તથા આંસુઓ સહિત, જે સંતાપ યહૂદીઓના કાવતરાથી મારા પર આવી પડયા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો; એ તમારી જાણ બહાર નથી.
\v 20 જે કોઈ વચન લાભકારક હોય તે તમને જણાવવામાં હું અચકાયો નથી, પણ જાહેરમાં તથા ઘરેઘરે તમને ઉપદેશ કર્યો;
\v 21 ઈશ્વર સમક્ષ પસ્તાવો કરવો, તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો, એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી.
\s5
\v 22 હવે જુઓ, હું પવિત્ર આત્માના બંધનમાં યરુશાલેમ જાઉં છું, ત્યાં મારા પર શું શું વીતશે એ હું જાણતો નથી;
\v 23 માત્ર એટલું જ હું [જાણું છું] કે, દરેક શહેરમાં પવિત્ર આત્મા મને ખાસ જણાવે છે કે તારે માટે બંધનો તથા સંકટો રાહ જુએ છે.
\v 24 પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ તરફથી મને મળી છે તે હું પૂરી કરું.
\s5
\v 25 હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓ [માંનો કોઈ પણ] મારું મુખ ફરી જોશે નહિ.
\v 26 તે સારુ આજે હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું.
\v 27 કેમ કે ઈશ્વરની પૂરી ઇચ્છા તમને જણાવવાંને મેં ઢીલ કરી નથી.
\s5
\v 28 તમે પોતા સંબંધી તથા જે ટોળાં ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો ઠરાવ્યા છે તે સર્વ સંબંધી સાવધ રહો, એટલે કે ઈશ્વરનો જે વિશ્વાસી સમુદાય જે તેમણે પોતાના લોહીથી ખરીદ્યો છે, તેનું તમે પાલન કરો.
\v 29 હું જાણું છું કે, મારા ગયા પછી ટોળાં પર દયા નહિ કરે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે;
\v 30 તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે. અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે વિપરીત વાતો કહેશે.
\s5
\v 31 માટે જાગતા રહો, અને યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને ઉપદેશ આપવાનું હું ચૂક્યો નથી.
\v 32 હવે હું તમને ઈશ્વરને તથા ઈશ્વરની કૃપાની વાત જે તમને સંસ્થાપન કરવાને તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે, તેને સોંપું છું.
\s5
\v 33 મેં કોઈના રૂપાનો સોનાનો કે વસ્ત્રનો લોભ કર્યો નથી.
\v 34 તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે જોઈતું હતું તે મેં આ હાથોએ પૂરું પાડ્યું છે.
\v 35 મેં બધી બાબતો તમને કરી બતાવી છે કે, કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, અને પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું, તેને યાદ રાખવું કે, “પામવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”
\s5
\v 36 એ પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણે પડીને તે સર્વની સાથે પ્રાર્થના કરી.
\v 37 તેઓ સર્વ બહુ રડ્યા, અને પાઉલને ભેટીને તેઓએ તેને ચુંબન કર્યું.
\v 38 તમે મારું મુખ ફરી જોશો નહિ એ જે વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા. તેથી તેઓ પાઉલને વિદાય આપવાને વહાણ સુધી ગયા.
\s5
\c 21
\s પાઉલ યરુશાલેમ જાય છે
\p
\v 1 એમ થયું કે, અમે તેઓનાથી જુદા થયા પછી વહાણ હંકારીને સીધે રસ્તે કોસ આવ્યા, અને બીજે દિવસે રોડેસ પછી ત્યાંથી પાતરા આવ્યા.
\v 2 ફિનીકિયા જનાર એક વહાણ મળ્યું તેથી અમે તેમાં બેસીને રવાના થયા.
\s5
\v 3 પછી સાયપ્રસ [ટાપુ] નજરે પડ્યો, એટલે તેને ડાબી તરફ મૂકીને અમે સિરિયા ગયા, અને તૂર ઊતર્યા; કેમ કે ત્યાં વહાણનો માલ ઉતારવાનો હતો.
\v 4 અમને શિષ્યો મળી આવ્યા. તેથી અમે સાત દિવસ ત્યાં રહ્યા; તેઓએ પવિત્ર આત્મા [ની પ્રેરણા] થી પાઉલને કહ્યું કે, ‘તારે યરુશાલેમમાં પગ મૂકવો નહિ.’”
\s5
\v 5 તે દિવસો પૂરા થયા પછી એમ થયું કે અમે નીકળીને આગળ ચાલ્યા, ત્યારે તેઓ સર્વ, સ્ત્રી છોકરાં સહિત, શહેરની બહાર સુધી અમને વિદાય આપવાને આવ્યા; અમે સમુદ્રકાંઠે ઘૂંટણે પાડીને પ્રાર્થના કરી,
\v 6 એકબીજાને ભેટીને અમે વહાણમાં બેઠા, અને તેઓ પાછા ઘરે ગયાં.
\s5
\v 7 પછી અમે તૂરથી સફર પૂરી કરીને ટાલેમાઈસ આવી પહોંચ્યા; ભાઈઓને ભેટીને એક દિવસ તેઓની સાથે રહ્યા.
\v 8 બીજે દિવસે અમે [ત્યાંથી] નીકળીને કાઈસારિયામાં આવ્યા, સુવાર્તિક ફિલિપ જે સાત [સેવકો] માંનો એક હતો તેને ઘરે જઈને તેની સાથે રહ્યા.
\v 9 આ માણસને ચાર કુંવારી દીકરીઓ હતી, તેઓ પ્રબોધિકાઓ હતી.
\s5
\v 10 અમે ત્યાં ઘણા દિવસ રહ્યા, એટલામાં આગાબસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો.
\v 11 તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો, અને પોતાના હાથ પગ બાંધીને કહ્યું કે, ‘પવિત્ર આત્મા એમ કહે છે કે, ‘જે માણસનો આ કમરબંધ છે તેને યરુશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને બિનયહૂદીઓના હાથમાં સોંપશે.’”
\s5
\v 12 અમે એ સાંભળ્યું, ત્યારે અમે તથા ત્યાંના લોકોએ પણ તેને યરુશાલેમ ન જવાની વિનંતી કરી.
\v 13 ત્યારે પાઉલે ઉત્તર દીધો કે, તમે શા માટે રડો છો, અને મારું દિલ દુ:ખવો છો? હું તો એકલો બંધાવાને નહિ, પણ પ્રભુ ઈસુના નામને સારુ યરુશાલેમમાં મરવાને પણ તૈયાર છું.
\v 14 જયારે તેણે માન્યું નહિ, ત્યારે ‘પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ, એવું કહીને અમે શાંત રહ્યા.
\s5
\v 15 તે દિવસો પછી અમે અમારો સામાન લઈને યરુશાલેમ ગયા.
\v 16 શિષ્યોમાંના કેટલાક કાઈસારિયામાંથી અમારી સાથે આવ્યા, અને સાયપ્રસના મનાસોન નામના એક જૂના શિષ્યના ઘરે, જ્યાં અમારે રોકવાનું હતું, તેને ત્યાં તેઓએ અમને પહોંચાડ્યા.
\s પાઉલ અને યાકૂબની મુલાકાત
\s5
\p
\v 17 અમે યરુશાલેમ આવ્યા ત્યારે ભાઈઓએ આનંદથી અમારો આવકાર કર્યો.
\v 18 બીજે દિવસે પાઉલ અમારી સાથે યાકૂબને ઘરે ગયો, અને સઘળા વડીલો ત્યાં હાજર હતા.
\v 19 તેણે તેઓને ભેટીને ઈશ્વરે તેની સેવા વડે બિનયહૂદીઓમાં જે કામ કરાવ્યા હતા તે વિષે વિગતવાર કહી સંભળાવ્યું.
\s5
\v 20 તેઓએ તે સાંભળીને ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું કે, ભાઈ, યહૂદીઓમાંના હજારો વિશ્વાસીઓ થયા છે, એ તુ જુએ છે; અને તેઓ સર્વ ચુસ્ત રીતે નિયમશાસ્ત્રને પાળે છે.
\v 21 તેઓએ તારા વિષે સાંભળ્યું છે કે, તું મૂસાના નિયમશાસ્ત્રનો તથા યહૂદી રીતરિવાજોનો વિરોધી છે. બિનયહૂદીઓમાં વસતા યહૂદી વિશ્વાસીઓના છોકરાંનીઓની સુન્નત કરાવવી નહિ, પૂર્વજોના રીતરિવાજ પ્રમાણે ચાલવું નહિ, એવું તું શીખવે છે.
\s5
\v 22 તો હવે શું કરવું? તું આવ્યો છે એ વિષે લોકોને ચોક્કસ ખબર પડશે જ.
\v 23 માટે અમે તને કહીએ તેમ કર; અમારામાંના ચાર માણસોએ શપથ લીધેલ છે;
\v 24 તેઓને લઈને તેઓની સાથે તું પણ પોતાને શુદ્ધ કર, અને તેઓને સારુ ખર્ચ કર, કે તેઓ પોતાના માથાં મૂંડાવે; એટલે સઘળા જાણશે કે, તારા વિષે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સાચું નથી, પરંતુ તું પોતે પણ નિયમશાસ્ત્ર પાળીને તે પ્રમાણે ચાલે છે.
\s5
\v 25 પણ બિનયહૂદી વિશ્વાસીઓ સંબંધી અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે, તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાથી, તથા વ્યભિચારથી દૂર રહે.’”
\v 26 ત્યારે પાઉલ બીજે દિવસે તે માણસોને લઈને તેઓની સાથે શુદ્ધ થઈને ભક્તિસ્થાનમાં ગયો. અને એવું જાહેર કર્યું કે તેઓમાંના દરેકને સારુ અર્પણ ચઢાવવામાં આવશે ત્યારે જ શુધ્ધીકરણના દિવસો પૂરા થશે.
\s મંદિરમાં પાઉલની ધરપકડ
\s5
\p
\v 27 તે સાત દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને ભક્તિસ્થાનમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને તેને પકડી લીધો;
\v 28 તેઓએ બૂમ પાડી કે, ‘હે ઇઝરાયલી માણસો, સહાય કરો: જે માણસ સર્વ જગ્યાએ લોકોની તથા નિયમશાસ્ત્રની તથા આ જગ્યાની વિરુદ્ધ સર્વને શીખવે છે તે આ છે; વળી તેણે ગ્રીકોને પણ ભક્તિસ્થાનમાં લાવીને આ પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.
\v 29 [કેમ કે તેઓએ એફેસસના ત્રોફીમસને તેની સાથે શહેરમાં પહેલાં જોયો હતો, પાઉલ તેને ભક્તિસ્થાનમાં લાવ્યો હશે એવું તેઓએ માન્યું.]
\s5
\v 30 ત્યારે આખા શહેરમાં ધમાલ મચી ગઈ, લોકો દોડીને એકઠા થઈ ગયા, અને તેઓએ પાઉલને પકડીને ભક્તિસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો, અને તરત બારણાં બંધ કરવામાં આવ્યાં.
\v 31 તેઓ તેને મારી નાખવાની તૈયારીમાં હતા એટલામાં પલટણના આગેવાનને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે.
\s5
\v 32 ત્યારે સિપાઈઓને તથા શતપતિઓને સાથે લઈને તે તેઓ પાસે દોડી આવ્યો, અને તેઓએ સરદારને તથા સિપાઈઓને જોયા ત્યારે પાઉલને મારવાનું બંધ કર્યું.
\v 33 ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને બે સાંકળથી બાંધવાની આજ્ઞા આપી; અને પૂછ્યું કે, ‘એ કોણ છે, અને એણે શું કર્યું છે?
\s5
\v 34 ત્યારે લોકોમાંના કેટલાકે એક વાત કરી અને કેટલાકે બીજી વાત કરી, તેથી ગડબડના કારણથી તે ચોક્કસ જાણી શક્યો નહિ, ત્યારે તેણે તેને કિલ્લામાં લઈ જવાની આજ્ઞા આપી.
\v 35 પાઉલ પગથિયાં પર ચઢયો ત્યારે એમ થયું કે, લોકોના ધસારાને લીધે સિપાઈઓને તેને ઊંચકી લઈ જવો પડ્યો;
\v 36 કેમ કે લોકોની ભીડ તેઓની પાછળ ને પાછળ ચાલીને બૂમ પાડતી હતી કે, ‘તેને મારી નાખો.’”
\s પાઉલ પોતાનો બચાવ કરે છે
\s5
\p
\v 37 તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા, એટલામાં તેણે સરદારને કહ્યું કે, ‘મને તારી સાથે બોલવાની રજા છે? ત્યારે તેણે કહ્યું કે, શું તું ગ્રીક ભાષા જાણે છે?
\v 38 મિસરીએ કેટલાક સમય ઉપર ચાર હજાર ખૂનીઓને ઉશ્કેરીને બળવો કરાવ્યો અને તેઓનો [આગેવાન થઈને] તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો તે શું તું નથી?
\s5
\v 39 પણ પાઉલે કહ્યું કે, ‘હું કિલીકિયાના તાર્સસનો યહૂદી છું, હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી; હું તને વિનંતી કરું છું કે, લોકોની આગળ મને બોલવાની રજા આપ.’”
\v 40 તેણે તેને રજા આપી, ત્યારે પાઉલે પગથિયાં પર ઊભા રહીને લોકોને હાથે ઇશારો કર્યો, તેઓ બધા એકદમ શાંત થઈ ગયા, ત્યારે તેણે હિબ્રૂ ભાષામાં બોલતાં કહ્યું કે.
\s5
\c 22
\p
\v 1 ‘ભાઈઓ તથા વડીલો, હવે હું મારા બચાવમાં જે પ્રત્યુત્તર તમને આપું છે તે સાંભળો.’”
\v 2 તેને હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળીને તેઓએ વધારે શાંતિ જાળવી; ત્યારે પાઉલે કહ્યું કે,
\s5
\v 3 ‘હું યહૂદી માણસ છું, કિલીકિયાના તાર્સસમાં જન્મેલો, પણ આ શહેરના ગમાલીએલના ચરણમાં ઊછરેલો, આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે ચુસ્ત રીતે શીખેલો, અને અત્યારે તમે સર્વ જેવા ઈશ્વર વિષે ઝનૂની છો તેવો હું પણ હતો.
\v 4 વળી હું આ માર્ગના પુરુષોને તેમ જ સ્ત્રીઓને બાંધીને જેલમાં નાખીને તેઓને મરણ પામતા સુધી સતાવતો હતો.
\v 5 પ્રમુખ યાજક તથા આખો વડીલ વર્ગ [એ વિષે] મારા સાક્ષી છે; વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્ર લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતા તેઓને પણ બાંધીને શિક્ષા કરવા સારુ યરુશાલેમમાં લાવું.
\s પોતાના બદલાણ વિષે પાઉલની સાક્ષી
\r (પ્રે.કૃ. 9:1-19; 26:12-18)
\s5
\p
\v 6 હું ચાલતાં ચાલતાં દમસ્કસ પાસે પહોંચ્યો, ત્યારે એમ થયું કે લગભગ મધ્યાહને મારી આસપાસ આકાશથી એકાએક મોટો પ્રકાશ ચમક્યો.
\v 7 ત્યારે હું જમીન પર પડી ગયો, અને મારી સાથે બોલતી હોય એવી એક વાણી મેં સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?
\v 8 ત્યારે મેં ઉત્તર આપ્યો કે, પ્રભુ, તમે કોણ છો? તેમણે મને કહ્યું કે, ‘હું ઈસુ નાઝારી છું, જેને તું સતાવે છે.’”
\s5
\v 9 મારી સાથે જે હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓએ સાંભળી નહી.
\v 10 ત્યારે મેં કહ્યું કે, પ્રભુ હું શું કરું? ‘પ્રભુએ મને કહ્યું કે, ઊઠીને દમસ્કસમાં જા, જે સઘળું તારે કરવાનું નિયત કરાયેલું છે તે વિષે ત્યાં તને કહેવામાં આવશે.
\v 11 તે પ્રકાશના તેજના કારણથી હું જોઈ શક્યો નહિ, માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કસમાં આવ્યો.
\s5
\v 12 અનાન્યા નામે એક માણસ નિયમશાસ્ત્રને આધારે ચાલનારો ઈશ્વરભક્ત હતો, જેના વિષે ત્યાં રહેનારા સઘળા યહૂદીઓ સારું બોલતા હતા.
\v 13 તે મારી પાસે આવ્યો, તેણે મારી બાજુમાં ઊભા રહીને મને કહ્યું કે, ‘ભાઈ શાઉલ, તું દેખતો થા. અને તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો.
\s5
\v 14 પછી તેણે કહ્યું કે, ‘આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની સેવા માટે તને પસંદ કર્યો છે કે, તું તેમની ઇચ્છા જાણે, તે ન્યાયીને જુએ અને તેમના મુખની વાણી સાંભળે.
\v 15 કેમ કે જે તેં જોયું છે, અને સાંભળ્યું છે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે.
\v 16 હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, તારાં પાપોની ક્ષમા પામ.
\s વિદેશીઓમાં સુવાર્તાપ્રચાર માટે પાઉલના તેડા વિષે
\s5
\p
\v 17 પછી એમ થયું કે હું યરુશાલેમમાં પાછો આવ્યો અને ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરતો હતો, એવામાં મૂર્છાગત થઈ ગયો,
\v 18 [પ્રભુએ] મને દર્શન દઈને કહ્યું કે, ‘ઉતાવળ કર, અને યરુશાલેમથી વહેલો નીકળ, કેમ કે મારા વિષે તારી સાક્ષી તેઓ માનશે નહિ.’”
\s5
\v 19 ત્યારે મેં કહ્યું કે, ‘પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તારા પર વિશ્વાસ કરનારાઓને હું જેલમાં નાખતો હતો, દરેક ભક્તિસ્થાનમાં તેઓને મારતો હતો;
\v 20 તમારા સાક્ષી સ્તેફનનું લોહી વહેવડાવવામાં આવ્યું ત્યારે હું પણ પાસે ઊભો હતો, અને તે કામમાં રાજી હતો, તેને મારી નાખનારાઓના વસ્ત્રો હું સાચવતો હતો.’”
\v 21 ત્યારે તેમણે મને કહ્યું કે, ‘તું ચાલ્યો જા, કેમ કે હું તને અહીંથી દૂર બિનયહૂદીઓની પાસે મોકલી દઈશ.’”
\s5
\v 22 તેઓએ તેની વાત સાંભળી, પછી બૂમ પાડીને કહ્યું કે, ‘એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવા યોગ્ય નથી.
\v 23 તેઓ બૂમ પાડતા, તથા પોતાના ઝભ્ભા ઉછાળતા, તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા;
\v 24 ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી, તેઓએ કયા કારણ માટે તેની સામે એવી બૂમ પાડી, તે જાણવા સારુ તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું.
\s5
\v 25 તેઓએ તેને ચામડાના દોરડાથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું કે, ‘જે માણસ રોમન છે, તથા ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા શું કાયદેસર છે?
\v 26 સૂબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે, ‘તું શું કરવા માગે છે? એ માણસ તો રોમન છે.’”
\s5
\v 27 ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે, ‘મને કહે, તું શું રોમન છે? પાઉલે કહ્યું, ‘હા.’”
\v 28 ત્યારે સરદારે ઉત્તર દીધો કે, ‘મોટી રકમ ચૂકવીને આ નાગરિકતાનો હક મેં ખરીદ્યો છે. પણ પાઉલે કહ્યું કે, ‘હું તો જન્મથી જ [નાગરિક] છું.’”
\v 29 ત્યારે જેઓ તેની તપાસ કરવાને તૈયાર હતા, તેઓ તરત તેને મૂકીને ચાલ્યા ગયા; અને તે રોમન છે, એ જાણ્યાંથી તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ ડરી ગયો.
\s ન્યાયસભા સમક્ષ પાઉલ
\s5
\p
\v 30 યહૂદીઓ શા કારણથી તેના પર દોષ મૂકે છે એ નિશ્ચે જાણવા ચાહીને તેણે બીજે દિવસે તેનાં બંધનો છોડ્યાં; મુખ્ય યાજકોને તથા તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી, પછી તેણે પાઉલને લાવીને તેઓની આગળ ઊભો રાખ્યો.
\s5
\c 23
\p
\v 1 ત્યારે પાઉલે ન્યાયસભાની સામે એક નજરે જોઈ રહીને કહ્યું કે, ભાઈઓ, ‘હું આજ સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંતઃકરણથી વર્ત્યો છું.’”
\v 2 ત્યારે અનાન્યા પ્રમુખ યાજકે તેની પાસે ઊભા રહેનારાઓને તેના મુખ ઉપર [તમાચો] મારવાની આજ્ઞા કરી.
\v 3 ત્યારે પાઉલે તેને કહ્યું કે, ‘ઓ ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે; તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છતાં નિયમશાસ્ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે શું?
\s5
\v 4 પાસે ઊભા રહેનારાઓએ કહ્યું કે, ‘શું તું ઈશ્વરના પ્રમુખ યાજકની નિંદા કરે છે?
\v 5 ત્યારે પાઉલે કહ્યું કે, ભાઈઓ, એ પ્રમુખ યાજક છે, તે હું જાણતો ન હતો, કેમ કે એમ લખ્યું છે કે, તારા લોકોના અધિકારીનું તારે ખોટું બોલવું નહિ.
\s5
\v 6 પછી પાઉલે જોયું કે એક ભાગ સદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં બૂમ પાડી કે, ‘ઓ ભાઈઓ, હું ફરોશી છું ને મારા પૂર્વજો ફરોશી હતા, મરણ પામેલાઓના પુનરુત્થાન સંબંધી આશા બાબત વિષે મારો ન્યાય કરવામાં આવે છે.’”
\v 7 તેણે એવું કહ્યું, ત્યારે ફરોશીઓ તથા સદૂકીઓની વચ્ચે તકરાર ઊભી થઈ, અને સભામાં પક્ષ પડયા.
\v 8 કેમ કે સદૂકીઓ કહે છે કે, ‘પુનરુત્થાન નથી, દૂત કે આત્મા પણ નથી; પણ ફરોશીઓ એ બન્ને વાત માન્ય કરે છે.
\s5
\v 9 ત્યારે મોટી ગડબડ ઊભી થઈ; ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊઠ્યા, અને રકઝક કરતાં કહેવા લાગ્યા કે, ‘આ માણસમાં અમે કોઈ પણ અપરાધ જોતા નથી; કદાચને [પવિત્ર] આત્માએ અથવા [પ્રભુના] દૂતે તેને કંઈ કહ્યું હોય પણ તેથી શું?
\v 10 તકરાર વધી પડી, ત્યારે તેઓ પાઉલના કત્લેઆમ કરશે, એવો ભય લાગ્યાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કરી કે, ‘જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવીને કિલ્લામાં લાવો.’”
\s5
\v 11 તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું કે, ‘હિંમત રાખ; કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ રોમમાં પણ તારે સાક્ષી આપવી પડશે.’”
\s પાઉલને મારી નાખવાનું કાવતરું
\s5
\p
\v 12 દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સોગનથી પ્રતિજ્ઞા કરી કે, ‘પાઉલને મારી નાખીએ ત્યાં સુધી આપણે અન્નજળ લેવું નહિ.’”
\v 13 આ સંપ કરનારા ચાલીસથી વધારે હતા.
\s5
\v 14 તેઓએ મુખ્ય યાજક તથા વડીલોની પાસે જઈને કહ્યું કે, ‘અમે ગંભીર સોગનથી બંધાયા છીએ કે, પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે મુખમાં કશું પણ મૂકીશું નહિ.
\v 15 માટે જાણે કે તેની બાબતે તમારે વધારે ઝીણવટથી તપાસ કરવી હોય [એવા બહાને] સભા સુદ્ધાં તમે સરદારને એવી સૂચના આપો કે, તે તેને તમારી પાસે રજૂ કરે, તે પહોંચે ત્યાર પહેલાં અમે તેને મારી નાખવાને તૈયાર છીએ.’”
\s5
\v 16 પણ પાઉલના ભાણેજે તેઓના સંતાઈ રહેવા વિષે સાંભળ્યું, ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી.
\v 17 ત્યારે પાઉલે સૂબેદારોમાંના એકને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘આ જુવાનને સરદારની પાસે લઈ જા; કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’”
\s5
\v 18 ત્યારે તેણે સરદારની પાસે તેને લઈ જઈને કહ્યું કે, ‘પાઉલ બંદીવાને મને પોતાની પાસે બોલાવીને વિનંતી કરી કે, આ જુવાનને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’”
\v 19 ત્યારે સરદાર તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઈ ગયો, અને ખાનગી રીતે પૂછ્યું કે, ‘તારે મને શું કહેવાનું છે?
\s5
\v 20 તેણે કહ્યું કે, ‘યહૂદીઓએ તારી પાસે વિનંતી કરવાનો સંપ કર્યો છે કે, જાણે કે તું પાઉલ સંબંધી વધારે ઝીણવટથી તપાસ કરવા માગતો હોય એ હેતુથી તું આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવે.
\v 21 એ માટે તું તેઓનું કહેવું માનીશ નહિ, કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તારે સારુ સંતાઈ રહ્યા છે, તેઓ એવા સોગનથી બંધાયા છે કે, તને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે અન્નજળ લઈશું નહિ; હમણાં તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જુએ છે.
\s5
\v 22 ત્યારે સરદારે તે જુવાનને એવી તાકીદ આપીને વિદાય કર્યો કે, તેં આ વાતની ખબર મને આપ્યા વિષે કોઈને કહીશ નહિ.
\s હાકેમ ફેલીક્સની સમક્ષ
\p
\v 23 પછી તેણે સૂબેદારોમાંના બેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘બસો સિપાઈઓને, તથા સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાને, રાત્રે નવ વાગે કાઈસારિયા સુધી જવાને તૈયાર રાખો;
\v 24 અને પાઉલને માટે જાનવર તૈયાર રાખો કે તેને તે પર બેસાડીને હાકેમ ફેલીક્સ પાસે સહીસલામત પહોંચાડવામાં આવે.’”
\s5
\v 25 તેણે નીચે પ્રમાણે પત્ર લખ્યો કે,
\v 26 ‘નેક નામદાર ફેલીક્સ રાજ્યપાલને ક્લોડિયસ લુકિયસની સલામ.
\v 27 આ માણસને યહૂદીઓએ પકડ્યો હતો ને તેઓ એને મારી નાખવાના હતા, ત્યારે એ રોમન છે એમ સાંભળીને હું સિપાઈઓ સાથે લઈને ત્યાં ગયો અને તેને છોડાવી લાવ્યો.
\s5
\v 28 તેઓ તેના પર શા કારણથી દોષ મૂકે છે એ જાણવા સારુ હું તેઓની ન્યાયસભામાં તેને લઈ ગયો.
\v 29 ત્યારે મને માલૂમ પડ્યું કે, તેઓના નિયમશાસ્ત્રની બાબતો સંબંધી તેઓ તેના પર દોષ મૂકે છે, પણ મોતની અથવા કેદની સજા થાય એવો દોષ તેઓ તેના પર મૂકતા નથી.
\v 30 જયારે મને ખબર મળી કે એ માણસની વિરુદ્ધ કાવતરું રચાવાનું છે, તેજ વેળાએ મેં તેને તરત તમારી પાસે મોકલ્યો, અને ફરિયાદીઓને પણ આજ્ઞા કરી કે, તેની વિરુદ્ધ તેઓને [જે કહેવું હોય તે] તેઓ તમારી આગળ કહે.’”
\s5
\v 31 ત્યારે સિપાઈઓ તેમને મળેલી આજ્ઞા પ્રમાણે પાઉલને લઈને રાતોરાત આંતિપાત્રસમાં આવ્યા.
\v 32 પણ બીજે દિવસે સવારોને તેની સાથે જવા સારુ મૂકીને તેઓ કિલ્લામાં પાછા આવ્યા.
\v 33 તેઓ કાઈસારિયા પહોંચ્યા પછી રાજ્યપાલને પત્ર આપ્યો, પાઉલને પણ તેની સમક્ષ ઊભો કર્યો.
\s5
\v 34 તેણે તે પત્ર વાંચીને પૂછ્યું કે, ‘એ કયા પ્રાંતનો છે? જયારે તેને માલુમ પડ્યું કે, તે કિલીકિયાનો છે,
\v 35 ત્યારે તેણે કહ્યું કે ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ; પછી તેણે એવી આજ્ઞા આપી કે, તેને હેરોદના દરબારમાં ચોકી પહેરામાં રાખવામાં આવે.’”
\s5
\c 24
\s પાઉલ સામે યહૂદીઓનો આરોપ
\p
\v 1 પાંચ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક, કેટલાક વડીલોને તથા તર્તુલસ નામે એક વકીલને સાથે લઈને આવ્યો, તેઓએ રાજ્યપાલની સમક્ષ પાઉલની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરી.
\v 2 પાઉલને બોલાવવામાં આવ્યો ત્યારે તર્તુલસ નીચે દર્શાવ્યા પ્રમાણે બોલીને તેના વિરુદ્ધ આરોપ મૂકવાનું શરૂ કરતા કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેલીક્સ, આપનાથી અમે બહુ સુખશાંતિ પામીએ છીએ, આપની સમજદારીથી આ પ્રજાના લાભમાં અનર્થો દૂર કરવામાં આવે છે,
\v 3 તેથી અમે સર્વ પ્રકારે આપના ખૂબ આભારી છીએ.
\s5
\v 4 પણ હું આપને વધારે તસ્દી ન આપું માટે હું વિનંતી કરું છું કે, કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો.
\v 5 કે આ માણસ પીડાકારક તથા આખા જગતના સર્વ યહૂદીઓમાં હંગામો પેદા કરનાર તથા ઈસુ નાઝારી પંથનો આગેવાન હોવાનું અમને માલૂમ પડયું છે.
\v 6 તેણે ભક્તિસ્થાનને પણ અશુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે અમે તેની ધરપકડ કરી; [[અને અમે અમારા શાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરવા માગતા હતા.
\s5
\v 7 પણ લુકિયસ સરદાર આવીને બહુ બળજબરી કરીને અમારા હાથમાંથી તેને છોડાવી લઈ ગયા.
\v 8 તેના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી. એની તપાસ આપ પોતે કરશો, જે સઘળા વિશે અમે એના પર દોષ મૂકીએ છીએ તે સર્વથી આપ વાકેફ થશો.
\v 9 યહૂદીઓએ પણ ફરિયાદમાં સામેલ થઈને કહ્યું કે, એ વાતો એ પ્રમાણે જ છે.
\s ફેલીક્સ સમક્ષ પાઉલે કરેલો પોતાનો બચાવ
\s5
\p
\v 10 પછી રાજ્યપાલે પાઉલને બોલવાનો ઇશારો કર્યો, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, ‘ઘણાં વર્ષોથી તમે આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપું છું.
\v 11 કેમ કે [તપાસ કરવાથી] આપને માલૂમ પડશે કે ભજન કરવા સારુ યરુશાલેમમાં જવાને મને બાર કરતાં વધારે દિવસ થયા નથી.
\v 12 સભાસ્થાનોમાં કે શહેરમાં કોઈની સાથે વાદવિવાદ કરતો, અથવા લોકોમાં હંગામો ઉઠાવતો તેઓએ મને જોયો નથી.
\v 13 મારા પર જે આરોપો તેઓ હમણાં મૂકે છે તેની સાબિતી તેઓ આપની આગળ કરી શકતા નથી.
\s5
\v 14 પણ આપની આગળ હું આટલું કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ દુર્મતે કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું, જે વચનો નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકમાં લખેલી છે તે સર્વ હું માનું છું.
\v 15 હું ઈશ્વર વિષે એવી આશા રાખું છું, જેમ તેઓ પોતે પણ રાખે છે, કે ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.
\v 16 વળી હું એવો પ્રયત્ન કરું છું કે, ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હું સદા નિર્દોષ અંતઃકરણ રાખું.
\s5
\v 17 હવે ઘણા વર્ષ પછી હું પોતાના લોકને દાન આપવાને અને અર્પણ કરવાને આવ્યો.
\v 18 તે દરમ્યાન તેઓએ મને ભક્તિસ્થાનમાં શુદ્ધ થયેલો જોયો, ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું; પણ આસિયાના કેટલાક યહૂદીઓ [ત્યાં હતા],
\v 19 જો મારી વિરુદ્ધમાં તેઓને કંઈ કહેવાનું હોત, તો તેઓ અહીં આપની પાસે આવીને આરોપો મૂકવા જોઈતા હતા.
\s5
\v 20 હવે આ માણસો પોતે કહી બતાવે કે, હું ન્યાયસભાની આગળ ઊભો હતો ત્યારે મારામાં તેઓને કયો ગુનો માલૂમ પડ્યો હતો?
\v 21 એટલું તો ખરું કે, તેઓની મધ્યે ઊભા રહીને મેં આ એક વચન કહ્યું કે, મૂએલાઓના પુનરુત્થાન વિષે તમારી રૂબરૂ આજે મારો ન્યાય કરવામાં આવે છે.’”
\s5
\v 22 પણ ફેલીક્સને તે માર્ગ વિષે વધારે ચોક્કસ જ્ઞાન હતું, માટે તેણે મુકાદમાને મુલતવી રાખીને તેઓને કહ્યું કે લુકિયસ સરદાર આવશે ત્યારે હું તમારા કામનો નિર્ણય કરીશ.
\v 23 તેણે સૂબેદારને આજ્ઞા કરી કે, તેને જાપતામાં રાખવો પણ તેને છૂટ આપવી, અને તેના મિત્રોમાંના કોઈને તેની સેવા કરવાની મના કરવી નહિ.
\s ફેલીક્સ અને દ્રુસિલા સમક્ષ પાઉલ
\s5
\p
\v 24 પણ કેટલાક દિવસ પછી ફેલીક્સ પોતાની પત્ની દ્રુસિલા, કે જે યહૂદી હતી, તેની સાથે આવ્યો, અને તેણે પાઉલને બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ વિષે વચન સાંભળ્યું.
\v 25 પાઉલ સદાચાર, સંયમ તથા આવનાર ન્યાયકાળ વિષે સમજાવતો હતો, ત્યારે ફેલીક્સે ભયભીત થઈને ઉત્તર આપ્યો કે, ‘હમણાં તો તું જા, મને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે હું તને મારી પાસે બોલાવીશ.’”
\s5
\v 26 તે એવી પણ આશા રાખતો હતો કે, પાઉલ મને પૈસા [લાંચ] આપશે; એ સારુ તે તેને ઘણી વાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો.
\v 27 પણ બે વર્ષ પછી ફેલીક્સની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ આવ્યો, યહૂદીઓને પ્રસન્ન કરવાની ઇચ્છાથી ફેલીક્સ પાઉલને બંધનમાં મૂકી ગયો.
\s5
\c 25
\s રોમન સમ્રાટને પાઉલની અપીલ
\p
\v 1 ફેસ્તસ પોતાના પ્રાંતમાં આવીને ત્રણ દિવસ પછી કાઈસારિયાથી યરુશાલેમ ગયો.
\v 2 ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓમાંના મુખ્ય માણસોએ પાઉલની વિરુદ્ધ ફરિયાદ કરી.
\v 3 તેઓએ પાઉલની વિરુદ્ધમાં તેને એવી વિનંતિ કરી કે, ‘તેને યરુશાલેમ તેડાવી મંગાવ, [એવા હેતુથી] કે તેઓ માણસોને સંતાડી રાખી માર્ગમાં તેને મારી નંખાવે.
\s5
\v 4 પણ ફેસ્તસે ઉત્તર આપ્યો કે, ‘પાઉલને કાઈસારિયામાં જ પહેરામાં રાખેલો છે, અને હું પોતે ત્યાં થોડા દિવસોમાં જવાનો છું.
\v 5 માટે તમારામાંના જેની પાસે દોષ મૂકવાનું કારણ હોય તેઓ મારી સાથે આવીને એ માણસનો જો કંઈ દોષ હોય તો તેના પર આરોપ મૂકે એમ તેણે કહ્યું.
\s5
\v 6 તેઓ સાથે આઠ દસ દિવસથી વધારે ન રહેતાં તે કાઈસારિયા ગયો, બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તેણે પાઉલને પોતાની સમક્ષ લાવવાની આજ્ઞા કરી.
\v 7 તે હાજર થયો ત્યારે યરુશાલેમથી આવેલા યહૂદીઓ તેની આસપાસ ઊભા રહીને તેના પર ઘણા ભારે આરોપ મૂકવા લાગ્યા, પણ તેઓ તે સાબિત કરી શક્યા નહિ.
\v 8 ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું કે, ‘યહૂદીઓના નિયમશાસ્ત્ર અથવા ભક્તિસ્થાનમાં અથવા કાઈસારની વિરુદ્ધ મેં કોઈ વિરોદ્ધ કર્યો નથી.
\s5
\v 9 પણ ફેસ્તસે યહૂદીઓને ખુશ કરવાની ઇચ્છાથી પાઉલને ઉત્તર આપ્યો કે, ‘શું તું યરુશાલેમમાં જઈને ત્યાં એ બાબતો વિષે મારી આગળ પોતાનો ન્યાય કરાવવાને રાજી છે?
\v 10 પણ પાઉલે કહ્યું કે, કાઈસારિયાનાં ન્યાયાસન આગળ હું ઊભો છું, ત્યાં મારો ન્યાય થવો જોઈએ; મેં યહૂદીઓનું કંઈ ખરાબ કર્યું નથી, તે આપ પણ સારી રીતે જાણો છો.
\s5
\v 11 જો હું ગુનેગાર હોઉં, અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મરવાને ના નથી પાડતો, પણ જે વિષે તેઓ મારા પર આરોપ મૂકે છે તેમાંની જો એકે વાત સાચી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસારની પાસે દાદ માંગુ છું.’”
\v 12 ત્યારે ફેસ્તસે ન્યાયસભાની સલાહ લઈને ઉત્તર આપ્યો કે, ‘તેં કાઈસાર પાસે દાદ માગી છે; તો તારે કાઈસારની પાસે જવું પડશે.
\s આગ્રીપા અને બેરનીકે સમક્ષ
\s5
\p
\v 13 કેટલાક દિવસ પસાર થયા પછી આગ્રીપા રાજા તથા બેરનીકે કાઈસારિયા આવ્યાં. અને ફેસ્તસની મુલાકાત લીધી.
\v 14 તેઓ ઘણા દિવસ ત્યાં રહ્યા પછી ફેસ્તસે પાઉલ સંબંધીની વાત રાજાને જાહેર કરતાં કહ્યું કે, ફેલીક્સ એક બંદીવાન માણસને મૂકી ગયો છે;
\v 15 જયારે હું યરુશાલેમમાં હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓના વડીલોએ તેના પર ફરિયાદ કરીને તેની વિરુદ્ધ તેને ગુનેગાર ઠરાવવાંની માગણી કરી.
\v 16 મેં તેઓને ઉત્તર આપ્યો કે, કોઈ પણ તહોમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહોમત વિષે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને [મારી નાખવાને] સોંપી દેવો એ રોમનોની રીત નથી.
\s5
\v 17 તે માટે તેઓ અહીં એકઠા થયા, ત્યારે વિલંબ કર્યા વિના બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તે માણસને મારી રૂબરૂ લાવવાનો હુકમ મેં આપ્યો.
\v 18 ફરિયાદીઓએ ઊભા થઈને, હું ધારતો હતો તેવા કોઈ પણ દુષ્કૃત્યો વિષે તેના પર આરોપ મૂક્યા નહિ.
\v 19 પણ તેઓના પોતાના ધર્મ વિષે, તથા ઈસુ નામે કોઈ માણસ જે મરણ પામ્યા છે પણ જેના વિષે પાઉલ કહે છે કે તે જીવતા છે, તે વિષે તેની વિરુદ્ધ તેઓએ કેટલાક સવાલ ઉઠાવ્યાં.
\v 20 એ બાબત વિષે કેવી રીતે તપાસ કરવી તેની સૂઝ મને ન પડવાથી મેં પૂછ્યું કે, શું તું યરુશાલેમમાં જઈને ત્યાં આ બાબતો સંબંધી પોતાનો ન્યાય કરાવવા ઇચ્છે છે?
\s5
\v 21 પણ પાઉલે તેના મુકાદમા અંગે કાઈસાર પાસે દાદ માગી છે. તેથી મેં હુકમ કર્યો કે ‘કાઈસારની પાસે હું તેને મોકલું ત્યાં સુધી તેને જેલમાં રાખવો.’”
\v 22 ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘એ માણસનું સાંભળવાની મારી પણ ઇચ્છા છે. ત્યારે તેણે કહ્યું કે, કાલે આપ તેને સાંભળી શકશો.’”
\s5
\v 23 માટે બીજે દિવસે આગ્રીપા તથા બેરનીકે મોટા દબદબા સાથે દરબારમાં આવ્યાં, સરદારો તથા શહેરના મુખ્ય માણસો પણ દરબારમાં હાજર થયા, ફેસ્તસની આજ્ઞાથી તેઓએ પાઉલને ત્યાં રજૂ કર્યો.
\v 24 ત્યારે ફેસ્તસે કહ્યું કે, ‘ઓ આગ્રીપા રાજા તથા હાજર થયેલા સર્વ ગૃહસ્થો, જે માણસ વિષે યહૂદીઓના આખા સમુદાયે યરુશાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી, અને બૂમ પાડી કે, તેને જીવતો રહેવા દેવો [યોગ્ય] નથી, તેને તમે જુઓ છો.
\s5
\v 25 પણ મને એવું માલૂમ પડ્યું કે તેણે મરણની શિક્ષાને યોગ્ય કંઈ નથી કર્યું, તેણે પોતે કાઈસાર પાસે દાદ માગી, તેથી મેં તેને [રોમ] મોકલી આપવાનો નિશ્ચય કર્યો છે.
\v 26 તેના વિષે એવી કંઈ ચોક્કસ વાત મારી પાસે નથી કે જે હું મારા અધિકારી પર લખું, માટે મેં તમારી આગળ, અને, ઓ આગ્રીપા રાજા, વિશેષે કરીને આપની આગળ, તેને રજૂ કર્યો છે, એ માટે કે તપાસ થયા પછી મને કંઈ લખી જણાવવાંનું મળી આવે.
\v 27 કેમ કે કેદીને મોકલવો, અને તેના પરના આરોપ ન દર્શાવવાં એ મને અયોગ્ય લાગે છે.’”
\s5
\c 26
\s આગ્રીપા આગળ પોતાનો બચાવ
\p
\v 1 આગ્રીપાએ પાઉલને કહ્યું કે, તને તારી હકીકત જણાવવાની રજા છે; ત્યારે પાઉલે હાથ લંબાવીને પ્રત્યુત્તર આપ્યો કે
\v 2 ઓ આગ્રીપા રાજા, યહૂદીઓ જે સંબંધી મારા પર આરોપ મૂકે છે, તે બધી બાબતો વિષે મારે આજે આપની આગળ પ્રત્યુત્તર આપવાનો છે તેથી હું પોતાને આશીર્વાદિત ગણું છું;
\v 3 વિશેષે કરીને જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે તમે પરિચિત છો, માટે હું આપને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળો.
\s5
\v 4 બાળપણથી લઈને જે વર્તન મારા પોતાના લોકમાં તથા યરુશાલેમમાં હું કરતો આવ્યો છું, તે બધા યહૂદીઓ જાણે છે.
\v 5 જો તેઓ સાક્ષી આપવા માગે, તો તેઓ મારે વિષે પહેલાંથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું ફરોશી હતો.
\s5
\v 6 હવે ઈશ્વરે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે [વચન] ની આશાને લીધે હું મારો ન્યાય કરાવવાને અહીં ઊભો છું;
\v 7 અમારાં બારે કુળો પણ [ઈશ્વરની] સેવા આતુરતાથી રાત દિવસ કરતાં તે [વચન] ની પૂર્ણતાની આશા રાખે છે; અને હે રાજા, એ જ આશાને લઈને યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે!
\v 8 ઈશ્વર મરણ પામેલાઓને પાછાં ઉઠાડે, એ આપને કેમ અશક્ય લાગે છે?
\s5
\v 9 હું તો [પ્રથમ] મારા મનમાં એવું વિચારતો હતો કે, ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ.
\v 10 મેં યરુશાલેમમાં પણ તેમ જ કર્યું; મુખ્ય યાજકોથી અધિકાર પ્રાપ્ત કરીને સંતોમાંના ઘણાને મેં જેલમાં પુરાવ્યા, અને તેઓને મારી નખાતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધ મત આપ્યો.
\v 11 સર્વ સભાસ્થાનોમાં મેં ઘણી વાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવા પ્રયત્ન કર્યા; તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરદેશી શહેરોમાં જઈને પણ તેઓને સતાવ્યા.
\s પાઉલ પોતાના બદલાણ વિષે જણાવે છે
\r (પ્રે.કૃ. 9:1-19; 22:6-16)
\s5
\p
\v 12 એ કામ માટે મુખ્ય યાજકો પાસેથી અધિકાર તથા પરવાનો મેળવીને હું દમસ્કસ જતો હતો.
\v 13 ત્યારે, હે રાજા, બપોરના સમયે માર્ગમાં સૂર્યના તેજ કરતા વધારે પ્રકાશિત એવો પ્રકાશ આકાશથી મારી તથા મારી સાથે ચાલનારાંઓની આસપાસ ચમકતો મેં જોયો.
\v 14 ત્યારે અમે બધા જમીન પર પડી ગયા, પછી એક વાણી મેં સાંભળી, તેણે હિબ્રૂ ભાષામાં મને કહ્યું કે, ‘શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? આરને લાત મારવી તને કઠણ છે.
\s5
\v 15 ત્યારે મેં કહ્યું કે, ‘પ્રભુ, તમે કોણ છો? અને પ્રભુએ કહ્યું કે, હું ઈસુ છું, જેને તું સતાવે છે.’”
\v 16 પણ ઊઠ, ઊભો થા, કેમ કે હું તને મારો સેવક ઠરાવું, અને મારા વિષે જે જે તે જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને આપીશ, તે વિષે તને સાક્ષી ઠરાવું, એ હેતુથી મેં તને દર્શન આપ્યું છે.
\v 17 આ લોકો તથા બિનયહૂદીઓ કે જેઓની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ,
\v 18 કે તું તેઓની આંખો ખોલે, તેઓને અંધકારમાંથી અજવાળામાં તથા શેતાનના અધિકાર નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, એ સારું કે તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.’”
\s પાઉલ પોતાના સેવાકાર્ય વિષે કહે છે
\s5
\p
\v 19 તે માટે, ઓ આગ્રીપા રાજા, એ આકાશી દર્શનને હું આધીન થયો.
\v 20 પણ પહેલાં દમસ્કસના, યરુશાલેમના, તથા યહૂદિયાના બધા પ્રાંતોના લોકોને તથા બિનયહૂદીઓને પણ ઉપદેશ આપ્યો કે તમે પસ્તાવો કરીને તથા ઈશ્વરની તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવાં સુકૃત્યો કરો.
\v 21 એ કારણ માટે યહૂદીઓએ ભક્તિસ્થાનમાં મને પકડીને મારી નાખવાની કોશિશ કરી.
\s5
\v 22 પરંતુ ઈશ્વરના સામર્થ્યથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાના મોટાને સાક્ષી આપું છું, પ્રબોધકો તથા મૂસા જે જે બનવાની બીનાઓ વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી;
\v 23 એટલે કે ખ્રિસ્ત [મરણની] વેદના સહે અને તે પ્રથમ મરણમાંથી પાછા ઊઠ્યાંથી લોકોને તથા બિનયહૂદીઓને પ્રકાશ આપે.
\s5
\v 24 પાઉલ આ પ્રમાણે પ્રત્યુત્તર આપતો હતો, ત્યારે ફેસ્તસે મોટે અવાજે કહ્યું કે, ‘પાઉલ તું પાગલ છે, પુષ્કળ ડહાપણને કારણે તુ પાગલ થઈ ગયો છે.’”
\v 25 પણ પાઉલે કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેસ્તસ, હું પાગલ નથી, પણ સત્યની તથા જ્ઞાનની વાતો કહું છું.
\v 26 કેમ કે આ રાજા કે જેમની આગળ પણ હું મુક્ત રીતે બોલું છું તે એ વિષે જાણે છે, કેમ કે મને ખાતરી છે કે તેઓમાંની કોઈ વાત તેમનાથી ગુપ્ત નથી; કારણ કે એમાંનું કશું ખૂણામાં બન્યું નથી.
\s5
\v 27 હે આગ્રીપા રાજા, ‘શું આપ પ્રબોધકો [ની વાતો] પર વિશ્વાસ કરો છો? હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો.’”
\v 28 ત્યારે આગ્રીપાએ પાઉલને કહ્યું કે, ‘તું તો થોડા જ પ્રયાસથી તું મને ખ્રિસ્તી બનાવવા માગે છે.’”
\v 29 પાઉલે કહ્યું કે, ‘ઈશ્વર કરે કે ગમે તો થોડા પ્રયાસથી કે વધારેથી, એકલા આપ જ નહિ પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય, મારા જેવો થાય.’”
\s5
\v 30 પછી રાજા, રાજ્યપાલ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઊઠ્યાં;
\v 31 તેઓએ એકાંતમાં જઈને પરસ્પર વાત કરી કે, ‘એ માણસે મરણની શિક્ષા અથવા કેદની સજાને યોગ્ય કંઈ જ ગુનો કર્યો નથી.’”
\v 32 ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘જો એ માણસે કાઈસારની પાસે દાદ માગી ન હોત તો એને છોડી દેવામાં આવત.’”
\s5
\c 27
\s રોમ તરફ સફર
\p
\v 1 અમોને જળમાર્ગે ઇટાલી લઈ જવામાં આવે એવું નક્કી કરાયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાક કેદીઓને બાદશાહી પલટણના જુલિયસ નામના સૂબેદારને સોંપ્યા.
\v 2 અદ્રમુત્તિયાનું એક વહાણ જે આસિયાના કિનારા પરના બંદરોએ જવાનું હતું તેમાં બેસીને અમે સફર શરુ કરી; મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો.
\s5
\v 3 બીજે દિવસે અમે સિદોનના બંદરે પહોંચ્યા, અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોને ઘરે જઈને આરામ કરવાની પરવાનગી આપી.
\v 4 ત્યાંથી નીકળ્યા પછી પવન સામો હોવાને લીધે અમે સાયપ્રસની બાજુએ રહીને હંકારી ગયા;
\v 5 અને કિલીકિયા તથા પામ્ફૂલિયાની પાસેનો સમુદ્ર વટાવીને અમે લૂકિયોના મૂરા [બંદરે] પહોંચ્યા.
\v 6 ત્યાં સૂબેદારને ઇટાલી તરફ જનારું આલેકસાંદ્રિયાનું એક વહાણ મળ્યું; તેમાં તેણે અમને બેસાડ્યા.
\s5
\v 7 પણ અમે ઘણા દિવસ સુધી ધીમે ધીમે વહાણ હંકારીને કનિદસની સામા મુશ્કેલીથી પહોંચ્યા, ત્યાર પછી પવનને લીધે આગળ જવાયું નહિ, માટે અમે સલ્મોનની આગળ ક્રીતની બાજુએ રહીને હંકાર્યું.
\v 8 મુશ્કેલીથી તેને કિનારે કિનારે હંકારીને સુંદર બંદર નામની જગ્યાએ આવ્યા; તેની પાસે લાસીયા શહેર છે.
\s5
\v 9 સમય ઘણો થઈ ગયો હોવાથી, હવે સફર કરવી એ જોખમી હતું. ઉપવાસ [નો દિવસ] વીતી ગયો હતો, ત્યારે પાઉલે તેઓને સાવધ કરતા કહ્યું કે,
\v 10 ‘ઓ ભાઈઓ, મને માલૂમ પડે છે કે, આ સફરમાં એકલા સામાનને તથા વહાણને જ નહિ, પણ આપણા જીવનું પણ જોખમ છે; અને ઘણું નુકસાન થઈ શકે તેમ છે.
\v 11 પણ પાઉલે જે કહ્યું, તે કરતા કપ્તાન તથા વહાણના માલિકના કહેવા પર સૂબેદારે વધારે ભરોસો રાખ્યો.
\s5
\v 12 વળી શિયાળો પસાર કરવા સારુ તે બંદર સગવડ ભરેલું નહોતું, માટે ઘણાને એ સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, કોઈ પણ રીતે ફેનિક્સ પહોંચીને ત્યાં શિયાળો ગાળીએ; ત્યાં ક્રીતનું બંદર છે, ઈશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે.
\s દરિયામાં તોફાન
\p
\v 13 દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને ક્રીતને કિનારે કિનારે હંકાર્યું.
\s5
\v 14 પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન નામનો તોફાની પવન ફુંકાયો.
\v 15 વહાણ તેમાં એવું સપડાયું કે પવનની સામે ટકી શક્યું નહિ, ત્યારે અમે તેને ઘસડાવા દીધું.
\v 16 કૌદા નામના એક નાના બંદરની બાજુમાં થઈને અમે પસાર થયા, ત્યારે મછવાને [જીવનરક્ષક હોડીઓ] માં બચાવી લેવામાં ઘણી મુસીબત પડી;
\s5
\v 17 તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બચાવના બંધ બાંધ્યા, અને સીર્તસ આગળ અથડાઈ પડવાની બીકથી સઢ છોડી નાખ્યાં, અને વહાણ સાથે અમે તણાવા લાગ્યા.
\v 18 અમને બહુ તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ બહાર નાખવા માંડ્યો;
\s5
\v 19 ત્રીજે દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો.
\v 20 ઘણા દિવસ સુધી સૂર્ય તથા તારાઓ દેખાયા નહિ, તોફાન સતત ચાલતું રહ્યું, તેથી અમારા બચવાની કોઈ આશા રહી નહિ.
\s5
\v 21 કેટલાક દિવસ સુધી ખોરાક પાણી વિના ચલાવ્યા પછી પાઉલે તેઓની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, ‘ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું, ક્રીતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર ન હતી.
\v 22 પણ હવે હું તમને વિનંતી કરું છું કે, હિંમત રાખો, કેમ કે તમારામાંથી કોઈના પણ જીવને નુકશાન નહિ થશે, એકલા વહાણને થશે.
\s5
\v 23 કેમ કે જે ઈશ્વરનો હું છું, અને જેમની સેવા હું કરું છું તેમના દૂતે ગઈ રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે,
\v 24 ‘પાઉલ, ડરીશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે, જો તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.
\v 25 એ માટે, ભાઈઓ, હિંમત રાખો, કેમ કે ઈશ્વર પર મારો ભરોસો છે કે, જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે.
\v 26 તોપણ આપણને એક બેટ પર અથડાવું પડશે.
\s5
\v 27 ચૌદમી રાત આવી ત્યારે અમે આદ્રિયા સમુદ્રમાં આમતેમ ઘસડાતા હતા, અને આશરે મધરાતે ખલાસીઓને લાગ્યું કે અમે કોઈ એક દેશની નજદીક આવી પહોંચ્યા છીએ.
\v 28 તેઓએ પાણી માપવાની દોરી નાખી, ત્યારે વીસ મીટર [પાણી માલૂમ પડ્યું અને થોડે આગળ ગયા પછી તેઓએ ફરીથી દોરી નાખી. ત્યારે પંદર મીટર પાણી માલૂમ પડ્યું.
\v 29 રખેને કદાચ અમે ખડક સાથે અથડાઈએ, એવી બીકથી તેઓ ડબૂસા પાછળના ભાગ પરથી ચાર લંગર નાખ્યાં, અને દિવસ ઊગવાની રાહ જોતા બેઠા રહ્યા.
\s5
\v 30 ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતા હતા, અને વહાણના અગલા ભાગ પરથી લંગર નાખવાનો ડોળ કરીને તેઓએ સમુદ્રમાં મછવા [જીવનરક્ષક હોડીઓ] ઉતાર્યા.
\v 31 ત્યારે પાઉલે સૂબેદારોને તથા સિપાઈઓને કહ્યું કે, જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.
\v 32 તેથી સિપાઈઓએ મછવાના દોરડાં કાપી નાખીને તેઓને જવા દીધા.
\s5
\v 33 દિવસ ઊગવાનો હતો એટલામાં પાઉલે સર્વને અન્ન ખાવાને વિનંતી કરીને કહ્યું કે, ‘આજ ચૌદ દિવસ થયા રાહ જોતાં જોતાં તમે છેલ્લા ઘણા દિવસથી કંઈ ખાધું નથી.
\v 34 એ માટે હું તમને વિનંતી કરું છું કે, કંઈક ખોરાક લો, કેમ કે એ તમારા રક્ષણને માટે છે; કારણ કે તમારામાંના કોઈના માથાનો એક પણ વાળ ખરવાનો નથી.’”
\v 35 પાઉલે એવું કહીને રોટલી લીધી, અને તે સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તેને ભાંગીને ખાવા લાગ્યો.
\s5
\v 36 ત્યારે તેઓ સર્વને હિંમત આવી, અને તેઓએ પણ ભોજન કર્યું.
\v 37 વહાણમાં અમે સર્વ મળીને બસ્સો છોતેર માણસો હતા.
\v 38 બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું.
\s વહાણ ભંગ
\s5
\p
\v 39 દિવસ ઊગ્યો ત્યારે તેઓએ તે પ્રદેશ ઓળખ્યો નહિ, પણ [રેતીના] કાંઠાવાળી એક ખાડી દીઠી, અને વહાણને હંકારીને તે [કિનારા] પર પહોંચી શકાશે કે નહિ એ બાબતે તેઓ વિચારવા લાગ્યા.
\v 40 લંગરો છૂટાં કરીને સમુદ્રમાં રહેવા દીધાં, ને તેજ વખતે સુકાનના બંધ છોડીને આગલો સઢ પવન તરફ ચઢાવીને કિનારા તરફ જવા લાગ્યા.
\v 41 વહાણ સમુદ્રમાં રેતીના ઢગલા સાથે અથડાવાથી રેતીમાં ખૂંપી ગયું, અને વહાણનો આગળનો ભાગ રેતીમાં સજ્જડ ભરાઈ ગયો. અને ડબૂસો મોજાના મારથી ભાંગી જવા લાગ્યો.
\s5
\v 42 ત્યારે સિપાઈઓએ એવી સલાહ આપી કે તેઓ બંદીવાનોને મારી નાખે કે રખેને તેઓમાંથી કોઈ તરીને નાસી જાય.
\v 43 પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેઓને એ સલાહને અમલમાં મૂકતા અટકાવ્યા, અને આજ્ઞા આપી કે, જેઓને તરતા આવડતું હોય તેઓએ દરિયામાં ઝંપલાવીને પહેલાં કિનારે જવું;
\v 44 અને બાકીનામાંથી કેટલાકે પાટિયા પર તથા કેટલાકે વહાણના કંઈ બીજા સામાન પર ટેકીને કિનારે જવું. તેથી એમ થયું કે તેઓ સઘળા સહીસલામત કિનારા પર પહોંચ્યા.
\s5
\c 28
\s માલ્ટા ટાપુમાં
\p
\v 1 આ રીતે અમારો બચાવ થયા પછી અમે જાણ્યું કે તે ટાપુનું નામ માલ્ટા હતું.
\v 2 ત્યાંના વતનીઓએ અમારા પર ખૂબ પ્રેમ દર્શાવ્યો. કેમ કે તે વખતે વરસાદ વરસતો હતો અને ઠંડી પડતી હતી તેથી અગ્નિ સળગાવીને તેઓએ અમારા સર્વનો આવકાર કર્યો.
\s5
\v 3 પાઉલે થોડાંક લાકડાં એકઠાં કરીને અગ્નિમાં નાખ્યાં, ત્યારે ગરમીને લીધે એક સર્પ તેમાંથી નીકળીને તેને હાથે વીંટળાઈ ગયો.
\v 4 ત્યાંના વતનીઓએ તે પ્રાણીને તેના હાથ પર લટકતો જોઈને એક બીજાને કહ્યું કે, નિશ્ચે આ માણસ ખૂની છે, જો કે સમુદ્રમાંથી એ બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી.
\s5
\v 5 પણ તેણે તે પ્રાણીને અગ્નિમાં ઝાટકી નાખ્યો, અને તેને કંઈ ઈજા થઈ નહિ.
\v 6 પણ તેઓ ધારતા હતા કે, તેનો હાથ હમણાં સૂજી જશે, અથવા તે એકાએક પડીને મરી જશે, પણ ઘણી વાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કશું નુકસાન થયું નથી, ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું કે, તે કોઈ દેવ છે.
\s5
\v 7 હવે તે ટાપુના પબ્લિયુસ નામના મુખ્ય માણસની જમીન તે જગ્યાની નજદીક હતી, તેણે અમારો ઉમળકાભેર આવકાર કરીને ત્રણ દિવસ સુધી મિત્રભાવથી અમારી પરોણાગત કરી.
\v 8 તે વેળાએ પબ્લિયુસના પિતાને તાવ આવ્યો હતો. અને મરડો થયો હતો, પાઉલ તેની પાસે અંદર ગયો, પછી પાઉલે પ્રાર્થના કરી, તેના પર પોતાના હાથ મૂકીને તેને સાજો કર્યો.
\v 9 આ બનાવ પછી ટાપુમાંનાં અન્ય રોગીઓ પણ આવ્યા અને તેઓને સાજા કરાયા.
\v 10 વળી તેઓએ અમને ઘણું માન આપ્યું, અમે પ્રવાસ શરુ કર્યો ત્યારે અમારે માટે જરૂરી સામગ્રી તેઓએ વહાણમાં મૂકી.
\s માલ્ટાથી રોમ.
\s5
\p
\v 11 ત્રણ મહિના પછી આલેકસાંદ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેની નિશાની દિયોસ્કુરી હતી, તેમાં બેસીને અમે રવાના થયા.
\v 12 અમે સિરાકુસ બંદરે ત્રણ દિવસ સુધી રહ્યા.
\s5
\v 13 ત્યાંથી અમે વળાંક વળીને રેગિયમ આવ્યા, અને એક દિવસ પછી દક્ષિણનો પવન ફૂંકાવા લાગ્યો, જેથી અમે બીજે દિવસે પુતૌલી આવી પહોંચ્યા.
\v 14 ત્યાં અમને [વિશ્વાસી] ભાઈઓ મળ્યા, તેઓની સાથે સાત સુધી દિવસ રહેવાને તેઓએ અમને વિનંતી કરી; ત્યાર બાદ અમે રોમમાં આવ્યા.
\v 15 રોમમાંના [વિશ્વાસી] ભાઈઓ અમારાં આગમન વિષે સાંભળીને ત્યાંથી આપ્પિયસ બજાર તથા ‘ત્રણ ધર્મશાળા’ નામના સ્થળો સુધી અમને સામેથી મળવા આવ્યા; પાઉલે તેઓને જોઈને ઈશ્વરની સ્તુતિ કરી અને હિંમત રાખી.
\s રોમમાં
\s5
\p
\v 16 અમે રોમમાં આવ્યા ત્યારે [સૂબેદારે બંદીવાનોને ચોકી કરનારા સરદારને સ્વાધીન કર્યા, પણ] પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે સ્વતંત્રતાથી રહેવાની પરવાનગી મળી.
\v 17 ત્રણ દિવસ પછી એમ થયું કે, [પાઉલે] યહૂદીઓના મુખ્ય [આગેવાનોને] બોલાવીને એકત્ર કર્યા અને તેઓને કહ્યું કે, “ભાઈઓ, મેં કોઈનું અહિત કે કોઈની વિરુદ્ધ કશું કર્યું નથી, અને આપણા પૂર્વજોના નીતિનિયમોનો ભંગ પણ કર્યો નથી. તોપણ યરુશાલેમથી રોમન સરકારના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવેલો છે.
\v 18 મારી તપાસ કર્યા પછી તેઓ મને છોડી દેવા ઇચ્છતા હતા, કેમ કે મને મોતની શિક્ષા થાય એવું કોઈ કારણ ન હતું.
\s5
\v 19 પણ યહૂદીઓએ વિરોધ કર્યો, ત્યારે કાઈસાર પાસે દાદ માગવાની મને ફરજ પડી; એમાં મારે પોતાના સ્વદેશીઓ ભાઈઓ પર કંઈ દોષ મૂકવાનો હતો એવું ન હતું.
\v 20 એ જ કારણ માટે મને મળીને મારી સાથે વાત કરવાની મેં આપને વિનંતી કરી, કેમ કે ઇઝરાયલની આશા એટલે કે ખ્રિસ્તને લીધે મને આ સાંકળથી બાંધવામાં આવ્યો છે.
\s5
\v 21 ત્યારે તેઓએ તેને કહ્યું કે, યહૂદિયામાંથી અમને તારા વિષે કોઈ પત્રો મળ્યા નથી, તેમ જ [અમારા] ભાઈઓમાંથી પણ કોઈએ અહીં આવીને તારા વિષે કંઈ ખરાબ જાહેર કર્યું અથવા કહ્યું નથી.
\v 22 પણ તું શું માને છે, તે તારી પાસેથી અમે સાંભળવા ચાહીએ છીએ, કેમ કે લોકો સર્વ જગ્યાએ આ પંથના વિશ્વાસીઓ વિરુદ્ધ બોલે છે તે અમે જાણીએ છીએ.
\s5
\v 23 તેઓએ તેને સારુ એક દિવસ નિયત કર્યો તે દિવસે ઘણા લોકો તેની પાસે તેના ઉતારામાં આવ્યા; તેઓને પાઉલે સાબિતીઓ સાથે ઈશ્વરના રાજ્ય વિષેની સાક્ષી આપી, અને મૂસાના નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો ઉપરથી ઈસુ વિષેની વાત સવારથી સાંજ સુધી તેઓને કહી અને સમજાવી.
\v 24 જે વાતો કહેવામાં આવી તે કેટલાકે માની, અને બાકીનાઓએ માની નહિ.
\s5
\v 25 તેઓ પરસ્પર એક મતના ન થયાથી ચાલ્યા ગયા, પણ તે પહેલાં તેઓને પાઉલે કહ્યું કે, પવિત્ર આત્માએ યશાયા પ્રબોધક મારફતે તમારા પૂર્વજોને સાચું જ કહ્યું હતું કે;
\v 26 તું એ લોકની પાસે જઈને કહે કે, તમે સાંભળ્યા કરશો પણ સમજશો નહિ, અને જોયા કરશો પણ તમને સૂઝશે નહિ.
\s5
\v 27 કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ કરેલી છે, કદાપિ તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે અને ફરે અને હું તેઓને સાજા કરું.
\s5
\v 28 તેથી જાણજો કે, ઈશ્વરે બક્ષેલા આ ઉદ્ધાર બિનયહૂદીઓની પાસે મોકલવામાં આવ્યો છે, અને તેઓ તો તે સ્વીકારશે જ.’”
\v 29 [પાઉલે એ વાતો કહી રહ્યા પછી યહૂદીઓ પરસ્પર ઉગ્ર વિવાદ કરતા ચાલ્યા ગયા.]
\s5
\v 30 [પાઉલ] પોતાના ભાડાના ઘરમાં બે વર્ષ સુધી રહ્યો, જેઓ તેને ત્યાં આવતા તે સર્વનો તે આવકાર કરતો હતો.
\v 31 તે પૂરી હિંમતથી તથા અટકાવ સિવાય ઈશ્વરના રાજ્ય વિષે તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેનાં વચનોનો ઉપદેશ કરતો હતો.