\ip પત્રનો લેખક યોહાન પ્રેરિત છે. 1:1 માં તે પોતાને વડીલ તરીકે વર્ણવે છે. પત્રનું શીર્ષક યોહાનનો બીજો પત્ર એવું છે. તે ત્રણ પત્રોની શ્રેણી કે જે યોહાનના નામે છે તેનો બીજો પત્ર છે. આ પત્રનું ધ્યાન જૂઠા શિક્ષકો પર કેન્દ્રિત છે કે જેઓ લોકોનું બદલાણ કરવા માંગતા હતા અને પોતાની મુરાદો પાર પાડવા ખ્રિસ્તી અથિતિ સત્કારનો ફાયદો ઉઠાવતા યોહાનના સભાગણોમાં મુસાફરી કરતાં હતા.
\is લખાણનો સમય અને સ્થળ
\ip લખાણનો સમય અંદાજિત ઇ.સ. 85 થી 95 ની વચ્ચેનો છે.
\ip લખાણનું સ્થળ સંભવિત રીતે એફેસસ હતું. વાંચકવર્ગ આ પત્ર એક મંડળીને સંબોધિત કરવામાં આવ્યો છે જેની ઓળખ પ્રિય બહેન તથા તેના બાળકો એવી રીતે આપવામાં આવી છે.
\is હેતુ
\ip યોહાને તેનો બીજો પત્ર આ “સ્ત્રી તથા તેના બાળકો” ના વિશ્વાસુપણાની પ્રસંશા કરવા માટે તથા તેને પ્રેમમાં વર્તવા અને પ્રભુની આજ્ઞાઓ પાળવાનું ઉત્તેજન આપવા લખ્યો હતો. તે તેને જૂઠા શિક્ષકો વિરુદ્ધ ચેતવણી આપે છે અને જણાવે છે કે તે તેઓની મુલાકાત બહુ જલદી લેવાનો હતો. યોહાન તે સ્ત્રીની “બહેન” નું પણ અભિવાદન કરે છે.
\v 2 જે સત્ય આપણામાં રહે છે, તે સર્વકાળ ટકવાનું છે તેને લીધે હું સત્યમાં તમારા પર પ્રેમ રાખું છું અને એકલો હું નહિ, પણ જે સઘળા સત્યને જાણે છે તેઓ પણ રાખે છે.
\v 12 મારે તમને લખવાનું તો ઘણું છે, તોપણ કાગળ તથા શાહીથી લખવું એવી મારી ઇચ્છા નથી, પણ તમારો આનંદ સંપૂર્ણ થાય માટે તમારી મુલાકાત લઈને રૂબરૂ વાત કરવાની હું આશા રાખું છું.