gu_ulb/61-1PE.usfm

241 lines
37 KiB
Plaintext
Raw Normal View History

2019-03-08 17:42:12 +00:00
\id 1PE Gujarati Old Version Revision
2016-11-14 20:33:09 +00:00
\ide UTF-8
\rem Copyright Information: Creative Commons Attribution-ShareAlike 4.0 License
2019-03-08 17:42:12 +00:00
\h પિતરનો પહેલો પત્ર
2016-11-14 20:33:09 +00:00
\toc1 પિતરનો પહેલો પત્ર
2019-03-08 17:42:12 +00:00
\toc2 1 પિત.
2017-08-22 22:24:26 +00:00
\toc3 1pe
2016-11-14 20:33:09 +00:00
\mt1 પિતરનો પહેલો પત્ર
2019-03-08 17:42:12 +00:00
\is લેખક
\ip શરૂઆતની કલમ દર્શાવે છે કે લેખક ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર છે. તે પોતાને ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત કહે છે (1:1). ખ્રિસ્તનાં દુઃખસહન વિશે વારંવાર કરેલા ઉલ્લેખો (2:21-24; 3:18; 4:1; 5:1) બતાવે છે કે દુઃખસહન કરતા સેવકના ચિત્રની તેના મન પર ઊંડી છાપ પડી હતી. યુવાન માર્ક તથા તેના કુટુંબ માટેના પ્રેમને યાદ કરતાં (પ્રેરિતોનાં કૃત્યો 12:12) તે તેને પોતાનો “પુત્ર” કહે છે (5:13). આ તથ્યો આપણને સ્વાભાવિક રીતે એ અનુમાન તરફ દોરી જાય છે કે પિતર પ્રેરીતે આ પત્ર લખ્યો હતો.
\is લખાણનો સમય અને સ્થળ
\ip લખાણનો સમય અંદાજિત ઇ.સ. 60 થી 64 ની વચ્ચેનો છે.
\ip 5:13 માં લેખક બાબિલમાંની મંડળીથી અભિવાદન મોકલે છે.
\is વાંચકવર્ગ
\ip પિતરે આ પત્ર લઘુ-આસિયાના ઉત્તરીય પ્રદેશોમાં વિખેરાયેલા ખ્રિસ્તીઓના એક જૂથને લખ્યો હતો. તેણે લોકોના એવા જૂથને તે લખ્યો હતો જેમાં કદાચને યહૂદીઓ તથા બિનયહૂદીઓ બન્નેનો સમાવેશ થયેલો હતો.
\is હેતુ
\ip પિતરે પત્ર લખવાનું કારણ આપ્યું છે એટલે કે તેના વાંચકો કે જેઓ પોતાના વિશ્વાસ માટે સતાવણીનો સામનો કરી રહ્યા હતા તેઓને ઉત્તેજન આપવાનું હતું. તે ઇચ્છતો હતો કે તેઓ પૂરી રીતે ખાતરી પામે કે ઈશ્વરની કૃપા ખ્રિસ્તી વિશ્વાસમાં જ જોવા મળે છે અને તેથી તે વિશ્વાસનો ત્યાગ ન કરવો જોઈએ. 1 પિતર 5:12 માં દર્શાવ્યું છે તેમ, “મેં તમને બોધ આપતાં તથા જાહેર કરતાં ટૂંકમાં લખ્યું છે કે આ ઈશ્વરની ખરી કૃપા છે. તેમાં તમે સ્થિર ઊભા રહો”. દેખીતી રીતે આ સતાવણી તેના વાંચકોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળતી હતી. પિતરનો પહેલો પત્ર સમગ્ર ઉત્તરીય લઘુ-આસિયામાં પ્રવર્તમાન સતાવણી દર્શાવે છે.
\is મુદ્રાલેખ
\ip દુઃખસહન પ્રત્યેનો પ્રતિભાવ
\iot રૂપરેખા
\io1 1. અભિવાદન — 1:1, 2
\io1 2. ઈશ્વરની કૃપા માટે તેમની સ્તુતિ — 1:3-12
\io1 3. પવિત્ર જીવન માટે બોધ — 1:13-5:12
\io1 4. અંતિમ અભિવાદન — 5:13, 14
2016-11-14 20:33:09 +00:00
\s5
\c 1
2019-03-08 17:42:12 +00:00
\s પ્રસ્તાવના
\p
\v 1 ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર લખે છે કે, વેરવિખેર થઈને પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં પરદેશી તરીકે ઈશ્વરથી પસંદ કરેલાઓ;
\v 2 જેઓને ઈશ્વરપિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માનાં પવિત્રીકરણથી આજ્ઞાકારી થવા અને ઈસુ ખ્રિસ્તનાં રક્તથી છંટકાવ પામવા સારુ પસંદ કરેલા છે, તેવા તમ સર્વ પર પુષ્કળ કૃપા તથા શાંતિ હો.
\s જીવંત આશા
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતાની સ્તુતિ થાઓ; તેમણે પોતાની પુષ્કળ દયા પ્રમાણે મૂએલામાંથી ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા આપણને જીવંત આશાને સારુ,
\v 4 અવિનાશી, નિર્મળ તથા જર્જરિત ન થનારા વારસાને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વારસા તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલું છે.
\v 5 છેલ્લાં સમયમાં જે ઉદ્ધાર પ્રગટ થવાની તૈયારીમાં છે, તેને માટે ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળવામાં આવે છે.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 6 એમાં તમે બહુ આનંદ કરો છો, જોકે હમણાં થોડા સમય માટે વિવિધ પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુઃખી છો.
\v 7 એ માટે કે તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં વધુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 8 તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો, જોકે અત્યારે તમે તેમને જોતાં નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો અને તમે તેમનાંમાં અવર્ણનીય તથા મહિમા ભરેલા આનંદથી હરખાઓ છો.
\v 9 તમે પોતાના વિશ્વાસનું ફળ, એટલે આત્માઓનો ઉદ્ધાર પામો છો.
\v 10 જે પ્રબોધકોએ તમારા પરની કૃપા વિષે ભવિષ્યકથન કર્યું તેઓએ તે ઉદ્ધાર વિષે તપાસીને ખંતથી શોધ કરી.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2016-11-14 20:33:09 +00:00
\v 11 ખ્રિસ્તનો આત્મા જે તેઓમાં હતો તેણે ખ્રિસ્તનાં દુઃખ તથા તે પછીના મહિમા વિષે સાક્ષી આપી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો તેનું સંશોધન તેઓ કરતા હતા.
2019-03-08 17:42:12 +00:00
\v 12 જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ પોતાની નહિ, પણ તમારી સેવા કરી. સ્વર્ગમાંથી મોકલાયેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓ દ્વારા તે વાતો તમને હમણાં જણાવવાંમાં આવી; જે વાતોને જોવાની ઉત્કંઠા સ્વર્ગદૂતો પણ ધરાવે છે.
\s પવિત્ર જીવન જીવવા આમંત્રણ
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 13 એ માટે તમે પોતાના મનને નિયંત્રણ રાખો અને જે કૃપા ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ તમારા પર થશે તેની સંપૂર્ણ આશા રાખો.
\v 14 તમે આજ્ઞાકારી સંતાનો જેવા થાઓ, અને પોતાની અગાઉની અજ્ઞાન અવસ્થાની દુષ્ટ ઇચ્છાઓ પ્રમાણે ન ચાલો.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 15 પણ જેમણે તમને તેડ્યાં છે, તે જેવા પવિત્ર છે તેમના જેવા તમે પણ સર્વ વ્યવહારમાં પવિત્ર થાઓ.
\v 16 કેમ કે એમ લખ્યું છે કે, “હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.”
2016-11-14 20:33:09 +00:00
\v 17 અને જે પક્ષપાત વગર દરેકનાં કામ પ્રમાણે ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો સમય બીકમાં વિતાવો.
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 18 કેમ કે તમે એ જાણો છો કે તમારા પિતૃઓથી ચાલ્યા આવતાં વ્યર્થ આચરણથી તમે નાશવંત વસ્તુઓ, એટલે રૂપા અથવા સોના વડે નહિ,
\v 19 પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી તમે ખરીદી લેવાયેલા છો.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 20 તેઓ તો સૃષ્ટિના પ્રારંભ પૂર્વે નિયુક્ત કરાયેલા હતા ખરા, પણ તમારે માટે આ છેલ્લાં સમયમાં પ્રગટ થયા.
\v 21 તેમને મારફતે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, જેમણે તેમને મરણમાંથી ઉઠાડયા અને મહિમા આપ્યો, એ માટે કે તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર રહે.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 22 તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો.
2016-11-14 20:33:09 +00:00
\v 23 કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે.
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 24 કેમ કે, ‘સર્વ લોકો ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે,
\v 25 પણ પ્રભુનું વચન સદા રહે છે. જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે.
2016-11-14 20:33:09 +00:00
\s5
\c 2
2019-03-08 17:42:12 +00:00
\s જીવંત પથ્થર અને પવિત્ર પ્રજા
\p
\v 1 એ માટે તમામ દુષ્ટતા, કપટ, ઢોંગ, દ્વેષ તથા સર્વ પ્રકારની નિંદા દૂર કરીને,
\v 2 નવાં જન્મેલાં બાળકોની જેમ શુદ્ધ આત્મિક દૂધની ઇચ્છા રાખો,
\v 3 જેથી જો તમને એવો અનુભવ થયો હોય કે પ્રભુ દયાળુ છે તો તે વડે તમે ઉદ્ધાર પામતાં સુધી વધતાં રહો.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2016-11-14 20:33:09 +00:00
\v 4 જે જીવંત પથ્થર છે, મનુષ્યોથી નકારાયેલા ખરા, પણ ઈશ્વરથી પસંદ કરાયેલા તથા મૂલ્યવાન છે.
\v 5 તેમની પાસે આવીને તમે પણ આત્મિક ઘરના જીવંત પથ્થર બન્યા અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્તને ધ્વારા ઈશ્વરને પ્રસન્ન છે તેમનું અર્પણ કરવા પવિત્ર યાજકો થયા છો.
\s5
2019-03-08 17:42:12 +00:00
\p
2019-03-08 20:13:41 +00:00
\v 6 કારણ કે શાસ્ત્રવચનમાં લખેલું છે કે, ‘જુઓ, પસંદ કરેલો તથા મૂલ્યવાન, એવો ખૂણાનો મુખ્ય પથ્થર હું સિયોનમાં મૂકું છું અને જે તેના પર વિશ્વાસ કરે છે તે શરમાશે નહિ.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 7 માટે તમને વિશ્વાસ કરનારાઓને તે મૂલ્યવાન છે, પણ અવિશ્વાસીઓને સારુ તો જે પથ્થર બાંધનારાઓએ નાપસંદ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
\p
\v 8 વળી ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકર ખવડાવનાર ખડક થયો છે; તેઓ વચનને માનતાં નથી, તેથી ઠોકર ખાય છે, એટલા માટે પણ તેઓનું નિર્માણ થયેલું હતું.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 9 પણ તમે તો પસંદ કરેલું કુળ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર લોક તથા ઈશ્વરની ખાસ પ્રજા છો, જેથી જેમણે તમને અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક અજવાળામાં તેડ્યાં છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.
\v 10 તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હાલ ઈશ્વરની પ્રજા છો; કોઈ એક સમયે તમે દયા પામેલા નહોતા, પણ હાલ દયા પામ્યા છો.
\s ઈશ્વરના ગુલામ
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 11 પ્રિયજનો, તમે પરદેશી તથા પ્રવાસી છો, માટે હું તમને વિનંતી કરું છું કે, જે દુષ્ટ ઇચ્છાઓ આત્માની સામે લડે છે, તેઓથી તમે દૂર રહો.
\v 12 વિદેશીઓમાં તમે પોતાનો વ્યવહાર સારો રાખો, કે જેથી તેઓ તમને ખરાબ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તમારાં સારાં કામ જોઈને તેઓ તેમના પુનરાગમનના દિવસે ઈશ્વરનો મહિમા કરે.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2016-11-14 20:33:09 +00:00
\v 13 માણસોએ સ્થાપેલી પ્રત્યેક સત્તાને પ્રભુને લીધે તમે આધીન થાઓ; રાજાને સર્વોપરી સમજીને તેને આધીન રહો.
2019-03-08 17:42:12 +00:00
\v 14 વળી ખોટું કરનારાઓને દંડ આપવા અને સારું કરનારાઓની પ્રશંસા કરવાને તેણે નીમેલા અધિકારીઓને પણ તમે આધીન થાઓ
\v 15 કેમ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે સારાં કાર્યો કરીને મૂર્ખ માણસોની અજ્ઞાનપણાની વાતોને તમે બંધ કરો.
2016-11-14 20:33:09 +00:00
\v 16 તમે સ્વતંત્ર છો પણ એ સ્વતંત્રતા તમારી દુષ્ટતાને છુપાવવા માટે ન વાપરો; પણ તમે ઈશ્વરના સેવકો જેવા થાઓ.
\v 17 તમે સર્વને માન આપો, ભાઈઓ પર પ્રેમ રાખો, ઈશ્વરનો ભય રાખો, રાજાનું સન્માન કરો.
2019-03-08 17:42:12 +00:00
\s ઈશ્વરના દુઃખનો નમૂનો
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2016-11-14 20:33:09 +00:00
\v 18 દાસો, તમે પૂરા ભયથી તમારા માલિકોને આધીન થાઓ, જેઓ સારા તથા નમ્ર છે કેવળ તેઓને જ નહિ, વળી કઠોર માલિકને પણ આધીન થાઓ.
\v 19 કેમ કે જો કોઈ માણસ ઈશ્વર તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠતાં દુઃખ સહે છે તો તે ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર છે.
\v 20 કેમ કે જયારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો ત્યારે જો તમે સહન કરો છો, તો તેમાં શું પ્રશંસાપાત્ર છે? પણ જો સારું કરવાને લીધે દુઃખ ભોગવો છો, તે જો તમે સહન કરો છો એ ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર છે.
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2016-11-14 20:33:09 +00:00
\v 21 કારણ કે એને માટે તમે તેડાયેલા છો, કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું છે અને તમને નમૂનો આપ્યો છે, કે તમે તેમને પગલે ચાલો.
\v 22 તેમણે કંઈ પાપ કર્યું નહિ, ને તેમના મુખમાં કપટ માલૂમ પડ્યું નહિ.
2019-03-08 17:42:12 +00:00
\v 23 તેમણે નિંદા પામીને સામે નિંદા કરી નહિ, દુઃખો સહેતાં કોઈને ધમકાવ્યાં નહિ, પણ સાચો ન્યાય કરનારને પોતાને સોંપ્યો.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 24 લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ લીધાં, જેથી આપણે પાપ સંબંધી મૃત્યુ પામીએ અને ન્યાયીપણા માટે જીવીએ; તેમના જખમોથી તમે સાજાં થયા.
\v 25 કેમ કે તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા, પણ હમણાં તમારા આત્માનાં પાળક તથા રક્ષક ખ્રિસ્તની પાસે પાછા આવ્યા છો.
2016-11-14 20:33:09 +00:00
\s5
\c 3
2019-03-08 17:42:12 +00:00
\rem TC Draft by Mukesh
\s પતિ-પત્નીના સંબંધો
2016-11-14 20:33:09 +00:00
\p
\v 1 તે જ પ્રમાણે, પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, એ માટે કે જો કોઈ પતિ વચન માનનાર ન હોય તો તે પોતાની પત્નીના આચરણથી,
2019-03-08 17:42:12 +00:00
\v 2 એટલે તમારાં ઈશ્વર પ્રત્યે મર્યાદાયુક્ત શુદ્ધ વર્તન દ્વારા વચન વગર મેળવી લેવાય.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2016-11-14 20:33:09 +00:00
\v 3 તમારો શણગાર બાહ્ય, એટલે ગૂંથેલા વાળનો, સોનાનાં ઘરેણાંનો અથવા સારાં વસ્ત્ર પહેરવાનો ન હોય;
2019-03-08 17:42:12 +00:00
\v 4 પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે નમ્ર તથા શાંત આત્માનો, જે ઈશ્વરની નજરમાં ઘણો મૂલ્યવાન છે, તેના અવિનાશી આભૂષણોનો હોય.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 5 કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પર ભરોસો રાખતી હતી, તેઓ પોતપોતાનાં પતિને આધીન રહીને, તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી.
\v 6 જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને તેને આધીન રહેતી તેમ; જો તમે સારું કરો છો અને ભયભીત ન બનો, તો તમે તેની દીકરીઓ છો.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 7 તે જ પ્રમાણે પતિઓ, સ્ત્રી નબળી વ્યક્તિ છે તેમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, તમે તેની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ સમજીને, તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓમાં કંઈ અવરોધ આવે નહિ.
\s સારું કરતા સહન કરો
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 8 આખરે, તમે સર્વ એક મનના, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી, ભાઈઓ પર પ્રેમ રાખનારા, કરુણા કરનાર તથા નમ્ર થાઓ.
\v 9 દુષ્ટતાનો બદલો વાળવા દુષ્ટતા ન કરો અને નિંદાનો બદલો વાળવા નિંદા ન કરો, પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તેને સારુ તમને તેડવામાં આવ્યા છે કે જેથી તમે આશીર્વાદના વારસ થાઓ.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 17:42:12 +00:00
\v 10 કેમ કે, ‘જે માણસ જીવનને પ્રેમ કરવા ઇચ્છે છે અને સારા દિવસો જોવા ઇચ્છે છે, તેણે પોતાની જીભને દુષ્ટતાથી અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવા;
2016-11-14 20:33:09 +00:00
\v 11 તેણે દુષ્ટતાથી દૂર રહેવું, ભલું કરવું; શાંતિ શોધવી અને તેમાં પ્રવૃત્ત રહેવું.
2019-03-08 17:42:12 +00:00
\v 12 કેમ કે ન્યાયીઓ પર પ્રભુની નજર છે; અને તેઓની તેમની પ્રાર્થના પ્રત્યે તેમના કાન ખુલ્લાં છે; પણ પ્રભુ દુષ્ટતા કરનારાઓની વિરુદ્ધ છે.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 13 જે સારું છે તેને જો તમે અનુસરનારા થયા, તો તમારું નુકસાન કરનાર કોણ છે?
\v 14 પરંતુ જો તમે ન્યાયીપણાને માટે સહન કરો છો, તો તમે આશીર્વાદિત છો; તેઓની ધમકીથી ડરો નહિ’ અને ગભરાઓ પણ નહિ.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 15 પણ ખ્રિસ્તને પ્રભુ તરીકે તમારાં અંતઃકરણમાં પવિત્ર માનો; અને તમારી જે આશા છે તે વિષે જો કોઈ પૂછે તો તેને નમ્રતા તથા માન સાથે પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો.
2016-11-14 20:33:09 +00:00
\v 16 શુદ્ધ અંતઃકરણ રાખો કે જેથી, જે બાબત વિષે તમારું ખરાબ બોલાય છે તે વિષે જેઓ ખ્રિસ્તમાંના તમારા સારા વર્તનની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય.
\v 17 કેમ કે જો ઈશ્વરની ઇચ્છા એવી હોય, તો દુષ્ટતા કરવાને લીધે સહેવું તે કરતાં ભલું કરવાને લીધે સહેવું તે વધારે સારું છે.
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 18 કેમ કે ખ્રિસ્તે પણ એક વાર પાપોને સારુ, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે સહ્યું કે, જેથી તેઓ આપણને ઈશ્વર પાસે લાવે; તેમને દેહમાં મારી નંખાયા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.
2016-11-14 20:33:09 +00:00
\v 19 તે આત્મામાં પણ તેમણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો.
2019-03-08 17:42:12 +00:00
\v 20 આ આત્માઓ, નૂહના સમયમાં અનાજ્ઞાંકિત હતા, જયારે વહાણ તૈયાર થતું હતું અને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા, અને જયારે વહાણમાં થોડા લોકો, એટલે આઠ મનુષ્યો પાણીથી બચી ગયા.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 21 તે દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનાં પાણીથી શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા ઈશ્વર પાસે શુદ્ધ અંતઃકરણની માગણીથી હમણાં તમને બચાવે છે.
\v 22 ઈસુ તો સ્વર્ગદૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને આધીન કરીને સ્વર્ગમાં ગયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે.
2016-11-14 20:33:09 +00:00
\s5
\c 4
2019-03-08 17:42:12 +00:00
\s બદલાયેલાં જીવનો
\p
\v 1 હવે ખ્રિસ્તે આપણે માટે મનુષ્યદેહમાં દુ:ખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને સજ્જ થાઓ; કેમ કે જેણે મનુષ્યદેહમાં દુ:ખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે,
\v 2 કે જેથી તે બાકીનું જીવન માણસોની વિષયવાસનાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિતાવે.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 3 કેમ કે જેમ વિદેશીઓ જેમાં આનંદ માને છે તે પ્રમાણે કરવામાં તમે તમારા જીવનનો ઘણો સમય વિતાવ્યો છે, તે બસ તે છે. તે સમયે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં, તથા તિરસ્કૃત મૂર્તિપૂજામાં મગ્ન હતા.
2016-11-14 20:33:09 +00:00
\v 4 એ બાબતોમાં તમે તેઓની સાથે જે દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામે છે અને તમારી નિંદા કરે છે.
\v 5 જીવતાંઓનો તથા મૃત્યુ પામેલાંઓનો ન્યાય કરવાને જે તૈયાર છે તેમને તેઓ હિસાબ આપશે;
2019-03-08 17:42:12 +00:00
\v 6 કેમ કે મૃત્યુ પામેલાંઓને પણ સુવાર્તા પ્રગટ કરાઈ હતી કે જેથી શરીરમાં તેઓનો ન્યાય થાય, પણ આત્મા વિષે તેઓ ઈશ્વરમાં જીવે.
\s ઈશ્વરનાં દાનોના સારા કારભારીઓ
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 7 બધી બાબતોનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ અને સાવચેત રહો જેથી તમે પ્રાર્થના કરી શકો.
2016-11-14 20:33:09 +00:00
\v 8 વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.
2019-03-08 17:42:12 +00:00
\v 9 કઈ પણ ફરિયાદ વગર તમે એકબીજાની સત્કાર કરો.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2016-11-14 20:33:09 +00:00
\v 10 દરેકને જે કૃપાદાન મળ્યું છે તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓની તરીકે વાપરવું.
2019-03-08 17:42:12 +00:00
\v 11 જો કોઈ ઉપદેશ આપે છે, તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે ઉપદેશ આપવો; જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી; કે જેથી સર્વ બાબતોમાં ઈસુ ખ્રિસ્ત ધ્વારા ઈશ્વર મહિમાવાન થાય; તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા હો! આમીન.
\s ખ્રિસ્તને માટે દુઃખો સહન કરવાં
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 12 વહાલાઓ, તમારી કસોટી કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે, તેમાં તમને કંઈ વિચિત્ર થયું હોય તેમ સમજીને આશ્ચર્ય ન પામો.
\v 13 પણ ખ્રિસ્તનાં દુઃખોમાં તમે ભાગીદાર થાઓ છો, તેને લીધે આનંદ કરો; કે જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે પણ તમે બહુ ઉલ્લાસથી આનંદ કરો.
\v 14 જો ખ્રિસ્તનાં નામને કારણે તમારી નિંદા થતી હોય, તો તમે આશીર્વાદિત છો, કેમ કે મહિમાનો તથા ઈશ્વરનો આત્મા તમારા પર રહે છે.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2016-11-14 20:33:09 +00:00
\v 15 પણ ખૂની, ચોર, દુરાચારી અથવા બીજાના કામમાં દખલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય.
2019-03-08 17:42:12 +00:00
\v 16 પણ ખ્રિસ્તી હોવાને કારણે જો કોઈને સહેવું પડે છે, તો તેથી શરમાય નહિ પણ તે નામમાં તે ઈશ્વરનો મહિમા કરે.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 17 કેમ કે ન્યાયચુકાદાનો આરંભ ઈશ્વરના પરિવારમાં થવાનો સમય આવ્યો છે અને જો તેનો પ્રારંભ આપણામાં થાય, તો ઈશ્વરની સુવાર્તા જેઓ નથી માનતા તેઓના હાલ કેવાં થશે?
\v 18 ‘જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે, તો અધર્મી તથા પાપી માણસનું શું થશે?
\v 19 માટે જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુઃખ સહન કરે છે તેઓ ભલું કાર્ય કરવાનું ચાલુ રાખતાં પોતાના પ્રાણોને વિશ્વાસુ સૃજનહારને સોંપે.
2016-11-14 20:33:09 +00:00
\s5
\c 5
2019-03-08 17:42:12 +00:00
\s ઈશ્વરના ટોળાનું પાલન
2016-11-14 20:33:09 +00:00
\p
\v 1 તમારામાં જે વડીલો છે, તેઓનો હું સાથી વડીલ અને ખ્રિસ્તનાં દુઃખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાના ભાગીદાર છું, તેથી તેઓને વિનંતી કરું છું કે,
2019-03-08 17:42:12 +00:00
\v 2 ઈશ્વરના લોકોનું જે ટોળું તમારી સંભાળમાં છે તેનું પ્રતિપાલન કરો અધ્યક્ષનું કામ ફરજ પડવાથી નહિ પણ સ્વેચ્છાએ કરો; લોભને સારું નહિ, પણ આતુરતાથી કરો.
\v 3 વળી તમારી જવાબદારીવાળાં સમુદાય પર માલિક તરીકે નહિ, પણ તેમને આદર્શરૂપ થાઓ,
\v 4 જયારે મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે કદી પણ કરમાઈ ન જનાર મહિમાનો મુગટ તમે પામશો.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 5 એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ; અને તમે સઘળા એકબીજાને આધીન થઈને નમ્રતા ધારણ કરો, કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ નમ્ર માણસોને કૃપા આપે છે.
\v 6 એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમ્ર કરો તે તમને યોગ્ય સમયે ઉચ્ચસ્થાને બેસાડે.
2016-11-14 20:33:09 +00:00
\v 7 તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2016-11-14 20:33:09 +00:00
\v 8 સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.
2019-03-08 17:42:12 +00:00
\v 9 તમે વિશ્વાસમાં દ્રઢ થઈને તેની સામે થાઓ, કેમ કે તમે જાણો છો કે, દુનિયામાંનાં તમારા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુઃખો પડે છે.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 10 સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના અનંતકાળના મહિમાને સારુ બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.
2016-11-14 20:33:09 +00:00
\v 11 તેમને સદાસર્વકાળ સત્તા હોજો, આમીન.
2019-03-08 17:42:12 +00:00
\s છેલ્લી સલામ
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 12 સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ માનું છું, તેની હસ્તક મેં ટૂંકમાં તમારા ઉપર લખ્યું છે, અને વિનંતી કરીને સાક્ષી આપી છે કે જે કૃપામાં તમે સ્થિર ઊભા રહો છો, તે ઈશ્વરની ખરી કૃપા છે.
\v 13 બાબિલમાંની મંડળી જેને તમારી સાથે પસંદ કરેલી છે તે તથા મારો દીકરો માર્ક તમને સલામ કહે છે.
\v 14 તમે પ્રેમના ચુંબનથી એકબીજાને સલામ કરજો.
\p ઈસુ ખ્રિસ્તમાં તમ સર્વને શાંતિ થાઓ. આમીન.