\ip પાઉલ, પોતાને ઈશ્વરનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત કહેતાં, પોતાને તિતસને પત્રના લેખક તરીકે ઓળખાવે છે (1:1). પાઉલના તિતસ સાથેના સંબંધની શરૂઆત અજ્ઞાત છે. તો પણ, આપણે માની શકીએ કે તે પાઉલની સેવા દ્વારા ખ્રિસ્તી શિષ્ય બન્યો હોય શકે કારણ કે પાઉલ તિતસને સામાન્ય વિશ્વાસમાં મારો ખરો પુત્ર એ રીતે સંબોધે છે (1:4). પાઉલ તિતસનો બીજા લોકો પ્રત્યેનો પ્રેમ, તત્પરતા અને દિલાસો આપવાની બાબતની પ્રશંસા કરતા તેને સ્પષ્ટ રીતે સુવાર્તા માટે એક મિત્ર તથા સાથી કાર્યકર તરીકે ખૂબ જ માન આપતો હતો.
\is લખાણનો સમય અને સ્થળ
\ip લખાણનો સમય અંદાજિત ઇ.સ. 63 થી 65 ની વચ્ચેનો છે.
\ip પાઉલે આ પત્ર તિતસને પોતાના રોમમાંના પ્રથમ જેલવાસથી મુક્ત થયા બાદ નિકોપોલીસ શહેરથી લખ્યો હતો. તિમોથીને એફેસસમાં સેવા કરવા છોડીને, પાઉલ તિતસ સાથે ક્રીત ટાપુ પર ગયો હતો.
\is વાંચકવર્ગ
\ip આ પત્ર તિતસ કે જે બીજો એક સાથી કાર્યકર અને વિશ્વાસમાં પુત્ર હતો અને ક્રીત ટાપુ પર સેવા કરતો હતો તેને લખાવમાં આવ્યો હતો.
\is હેતુ
\ip પત્રનો હેતુ ક્રીતની નવી મંડળીઓમાં જે ખામીઓ હતી એટલે કે વ્યવસ્થાનો અભાવ તથા સભાસદોનું અશિસ્તમય વર્તન, તેને સુધારવા તિતસને સલાહ આપવાનો, તેઓને નવા વડીલોની નિમણુંક કરવામાં મદદ કરવાનો તથા ક્રીતના અન્યધર્મી લોકો સમક્ષ વિશ્વાસની વધુ સારી સાક્ષી આપવા તૈયાર કરવાનો હતો (1:5).
\v 2 અનંત જીવનની આશાનું વચન, જે કદી જૂઠું બોલી ન શકનાર ઈશ્વરે આરંભથી આપ્યું, તેની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ દ્રઢ કરવા તથા ભક્તિભાવ મુજબના સત્યના ડહાપણને અર્થે, હું પ્રેરિત થયો છું.
\v 3 નિર્ધારિત સમયે ઈશ્વરે સુવાર્તા દ્વારા પોતાનો સંદેશ પ્રગટ કર્યો; આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તે સુવાર્તા પ્રગટ કરવાનું કામ મને સુપ્રત કરાયું છે.
\v 6 જો કોઈ માણસ નિર્દોષ હોય, એક સ્ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, જેમનાં ઉપર દુરાચારનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય અને જેઓ ઉદ્ધત ન હોય, તેવા માણસને અધ્યક્ષ ઠરાવવો.
\v 7 કેમ કે અધ્યક્ષે ઈશ્વરના પરિવારના કારભારી તરીકે નિર્દોષ હોવું જોઈએ; સ્વછંદી, ક્રોધી, અતિ મદ્યપાન કરનાર, હિંસક કે નીચ લાભ વિષે લોભી હોય એવા હોવું જોઈએ નહિ.
\v 8 પણ તેણે આગતા-સ્વાગતા કરનાર, સત્કર્મનો પ્રેમી, સ્પષ્ટ વિચારનાર, ન્યાયી, પવિત્ર, આત્મસંયમી
\v 9 અને ઉપદેશ પ્રમાણેના વિશ્વાસયોગ્ય સંદેશને દૃઢતાથી વળગી રહેનાર હોવું જોઈએ; એ માટે કે તે શુદ્ધ શિક્ષણ દ્વારા લોકોને ઉત્તેજન આપવાને તથા વિરોધીઓની દલીલોનું ખંડન કરવાને શક્તિમાન થાય.
\v 15 શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓનો મન કંઈ પણ શુદ્ધ હોતું નથી; તેઓનાં મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થયેલાં છે.
\v 16 અમે ઈશ્વરને જાણીએ છીએ એવો તેઓ દાવો કરે છે, પણ પોતાની કરણીઓથી તેમને નકારે છે; તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા અને કંઈ પણ સારું કામ કરવા માટે અયોગ્ય છે.
\v 3 એ જ રીતે વૃદ્ધ સ્ત્રીઓને કહેવું કે તેમણે આદરયુક્ત આચરણ કરનારી, કૂથલી નહિ કરનારી, વધારે પડતો દ્રાક્ષારસ નહિ પીનારી, પણ સારી શિખામણ આપનારી થવું જોઈએ;
\v 14 જેમણે આપણે સારુ સ્વાર્પણ કર્યું કે જેથી સર્વ અન્યાયથી તેઓ આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને સારુ ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક તરીકે તૈયાર કરે.
\v 3 કેમ કે આપણે પણ અગાઉ અજ્ઞાન, અનાજ્ઞાંકિત, કુમાર્ગે ભટકાવેલા, ઘણી વિષયવાસનાઓ તથા વિલાસના દાસો, દુરાચારી તથા અદેખાઈ રાખનારા, તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારાં હતા.
\v 8 આ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે તેઓ સારાં કામ કરવાને કાળજી રાખે માટે મારી ઇચ્છા છે કે તું આ વાતો પર ભાર મૂક્યા કર. આ વાતો સારી તથા માણસોને માટે હિતકારક છે.
\v 12 જયારે હું તારી પાસે આર્તિમાસ કે તુખિકસને મોકલું ત્યારે મારી પાસે નિકોપોલીસ આવવાને પ્રયત્ન કરજે; કેમ કે શિયાળામાં ત્યાં રહેવાનું મેં નક્કી કર્યું છે.