\ip થેસ્સાલોનિકીઓને પ્રથમ પત્રની જેમ જ આ પત્ર પાઉલ, સિલાસ અને તિમોથી તરફથી હતો. આ પત્રના લેખકે થેસ્સાલોનિકીઓને પ્રથમ પત્ર તથા પાઉલે લખેલા બીજા પત્રોના જેવી જ શૈલી વાપરી છે. આ દર્શાવે છે કે મુખ્ય લેખક પાઉલ હતો. અભિવાદનમાં સિલાસ તથા તિમોથીનો સમાવેશ કરાયો છે (1:1). ઘણી કલમોમાં “અમે લખીએ છીએ” શબ્દો બતાવે છે કે તેઓ ત્રણેય સંમત હતા. પાઉલે ફક્ત અંતિમ અભિવાદન અને પ્રાર્થના લખ્યાં હતા તે કારણે બાકીનું લખાણ તેના હાથે લખાયું ન હતું (3:17). એવું લાગે છે કે પાઉલે કદાચને તિમોથી કે સિલાસ પાસે પત્ર લખાવ્યો હશે.
\is લખાણનો સમય અને સ્થળ
\ip લખાણનો સમય અંદાજિત ઇ.સ. 51 થી 52 વચ્ચેનો છે.
\ip પાઉલે થેસ્સાલોનિકીઓને બીજો પત્ર કરિંથ શહેરથી લખ્યો કે જ્યાંથી તેણે થેસ્સાલોનિકીઓને પ્રથમ પત્ર પણ લખ્યો હતો.
\is વાંચકવર્ગ
\ip થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 1:1 આ પત્રના ઇચ્છિત વાંચકો તરીકે “થેસ્સલોનિકીઓની મંડળી” નાં સભ્યોને ઓળખાવે છે.
\is હેતુ
\ip પત્રનો હેતુ પ્રભુના દિવસ વિષેની સૈદ્ધાંતિક ભૂલને સુધારવાનો, વિશ્વાસીઓની પ્રસંશા કરવાનો અને તેમના વિશ્વાસમાં દ્રઢતાથી ધીરજ રાખવા તેમને ઉત્તેજન આપવાનો અને એવા લોકો કે જેઓ ભવિષ્યની ઘટનાઓ વિશે છેતરાયા હોવાથી એવું માનતા હતા કે પ્રભુનો દિવસ પાસે આવ્યો હોવાથી પ્રભુનું પુનરાગમન ઝડપથી થશે અને પોતાના સ્વાર્થ માટે આ સિદ્ધાંતનો દુરુપયોગ કરતાં હતા તેઓને ઠપકો આપવાનો હતો.
\v 11 તેથી અમે તમારા માટે નિરંતર પ્રાર્થીએ છીએ કે, આપણા ઈશ્વર તમને આ તેડાને યોગ્ય ગણે, અને ભલાઈ કરવાની તમારી સઘળી ઇચ્છા અને વિશ્વાસના કામને સામર્થ્યથી સંપૂર્ણ કરે;
\v 12 જેથી આપણા ઈશ્વર તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા પ્રમાણે, આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં ગૌરવવાન થાય અને તમે તેઓમાં મહિમાવાન થાવ.
\v 3 કોઈ માણસ કોઈ પ્રકારે તમને છેતરે નહિ. કેમ કે જ્યાં સુધી વિશ્વાસત્યાગ થાય અને પાપનો માણસ, વિનાશનો દીકરો પ્રગટ ન થાય; તે પહેલાં તેમ થશે નહિ.
\v 4 જે ઈશ્વર અને આરાધ્ય ગણાય છે તે સઘળાંનો વિરોધ કરી પોતાને મોટો મનાવનાર આ છે કે જેથી તે ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઈશ્વર તરીકે બેસે અને સ્વને ઈશ્વર તરીકે રજૂ કરે.
\v 13 પણ પ્રભુને પ્રિય ભાઈઓ, તમારે વિષે અમારે હંમેશા ઈશ્વરની સ્તુતિ કરવી રહી, કેમ કે ઈશ્વરે તમને ઉદ્ધારના પ્રથમ ફળો તરીકે આત્માનાં પવિત્રીકરણ અને સત્યમાં વિશ્વાસથી પસંદ કરેલા છે,
\v 14 જેમાં ઈશ્વરે તમને અમારી સુવાર્તાદ્વારા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પામવાને અર્થે બોલાવ્યા છે.
\v 15 માટે, ભાઈઓ, અડગ રહો, અને જે શિક્ષણ તમને વચન દ્વારા કે અમારા પત્રદ્વારા મળ્યું છે તે પ્રમાણે ચાલો.
\v 6 હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે દરેક ભાઈ આળસથી વર્તે છે, અને અમારાથી પામેલા શિક્ષણ પ્રમાણે વર્તતો નથી, તેનાથી તમે અલગ થાઓ.
\v 7 કેમ કે અમને કઈ રીતે અનુસરવા જોઈએ એ તમે પોતે સમજો છો. અમે તમારી સાથે અયોગ્ય રીતે વર્ત્યા ન હતા.