gu_ulb/62-2PE.usfm

146 lines
24 KiB
Plaintext
Raw Permalink Normal View History

2019-03-08 17:42:12 +00:00
\id 2PE Gujarati Old Version Revision
2016-11-14 20:33:09 +00:00
\ide UTF-8
\rem Copyright Information: Creative Commons Attribution-ShareAlike 4.0 License
2019-03-08 17:42:12 +00:00
\h પિતરનો બીજો પત્ર
2016-11-14 20:33:09 +00:00
\toc1 પિતરનો બીજો પત્ર
2019-03-08 17:42:12 +00:00
\toc2 2 પિત.
2017-08-22 22:24:26 +00:00
\toc3 2pe
2016-11-14 20:33:09 +00:00
\mt1 પિતરનો બીજો પત્ર
2019-03-08 17:42:12 +00:00
\is લેખક
\ip 1:1 માં દર્શાવ્યા પ્રમાણે આ પત્રનો લેખક પ્રેરિત પિતર છે. 3:1 માં તે આ પત્ર લખવાનો દાવો કરે છે. આ પત્રનો લેખક ઈસુના રૂપાંતરનો સાક્ષી હોવાનો દાવો કરે છે (1:16-18) અને સામાન્ય સુવાર્તા પ્રમાણે પિતર, જેઓ ઈસુ સાથે પહાડ પર ગયા હતા તે ત્રણમાંનો એક શિષ્ય હતો (બીજા બે શિષ્યો યાકૂબ અને યોહાન હતા). આ પત્રનો લેખક એ તથ્યનો ઉલ્લેખ પણ કરે છે કે તે શહીદ તરીકેનું મૃત્યુ પામવાનો હતો (1:14); અને યોહાન 21:18-19 માં, ઈસુ ભવિષ્યવચન કહે છે કે પિતર બંદીવાસના કેટલાક સમય પછી શહીદ થશે.
\is લખાણનો સમય અને સ્થળ
\ip લખાણનો સમય અંદાજિત ઇ.સ. 65 થી 68 ની વચ્ચેનો છે.
\ip તે કદાચને રોમ શહેરમાંથી લખાયો હતો કે જ્યાં પ્રેરિતે તેના જીવનના અંતિમ વર્ષો ગુજાર્યા હતા. વાંચકવર્ગ આ પત્ર પણ પિતરના પહેલા પત્રના શ્રોતાઓની જેમ એટલે કે ઉત્તરીય લઘુ-આસિયાના લોકોને લખાયો હોય શકે છે.
\is હેતુ
\ip પિતરે આ પત્ર ખ્રિસ્તી વિશ્વાસનો પાયો યાદ કરાવવા (1:12-13,16-21) અને વિશ્વાસની પ્રેરિતોની પરંપરાનું સમર્થન કરતાં ભવિષ્યની પેઢીઓને વિશ્વાસમાં બોધ આપવા (1:15) લખ્યો હતો. તેને ખબર હતી કે તેનો મૃત્યુકાળ પાસે હતો અને ઈશ્વરના લોકો ઘણા જોખમોનો સામનો કરી રહ્યા હતા (1:13-14; 2:1-3). તેણે લોકોને આવનાર જૂઠા શિક્ષકો (2:1-22) વિષે ચેતવણી આપવા લખ્યું હતું કે જેઓ પ્રભુના થોડા જ સમયમાં થનારા પુનરાગમનનો નકાર કરતા હતા (3:3-4).
\is મુદ્રાલેખ
\ip જૂઠા શિક્ષકો વિરુદ્ધ ચેતવણી
\iot રૂપરેખા
\io1 1. અભિવાદન — 1:1, 2
\io1 2. ખ્રિસ્તી સદગુણોમાં વૃદ્ધિ — 1:3-11
\io1 3. પિતરના સંદેશનો હેતુ — 1:12-21
\io1 4. જૂઠા શિક્ષકો વિરુદ્ધ ચેતવણી — 2:1-22
\io1 5. ખ્રિસ્તનું પુનરાગમન — 3:1-16
\io1 6. સમાપન — 3:17, 18
2016-11-14 20:33:09 +00:00
\s5
\c 1
2019-03-08 17:42:12 +00:00
\s પ્રસ્તાવના
\p
\v 1 આપણા ઈશ્વર તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં ન્યાયીપણાથી અમારા વિશ્વાસ જેવો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓને ઈસુ ખ્રિસ્તનો દાસ તથા પ્રેરિત સિમોન પિતર લખે છે
\v 2 ઈશ્વરને તથા આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ હો.
\s ઈશ્વરનું આમંત્રણ અને પસંદગી
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 3 તેમણે પોતાના મહિમા વડે તથા સાત્વિક્તાથી આપણને બોલાવ્યા, એમને ઓળખવાથી તેમના ઈશ્વરીય સામર્થે આપણને જીવન તથા ભક્તિભાવને લગતાં સઘળાં વાનાં આપ્યા છે.
\v 4 આના દ્વારા, તેમણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટાં આશાવચનો આપ્યાં છે, જેથી તેઓ ધ્વારા દુનિયામાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરીય સ્વભાવના ભાગીદાર તમે થાઓ.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2016-11-14 20:33:09 +00:00
\v 5 એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચરિત્ર, ચરિત્રની સાથે જ્ઞાન,
\v 6 જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે ધીરજ, ધીરજની સાથે ભક્તિભાવ,
\v 7 ભક્તિભાવની સાથે ભાતૃભાવ અને ભાતૃભાવ સાથે પ્રેમ જોડી દો.
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 8 કેમ કે જો એ સઘળાં તમારામાં હોય તથા વૃદ્ધિ પામે તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં જ્ઞાન વિષે તેઓ તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહિ.
2016-11-14 20:33:09 +00:00
\v 9 પણ જેની પાસે એ વાનાં નથી તે અંધ છે, તેની દૃષ્ટિ ટૂંકી છે અને તે પોતાનાં અગાઉનાં પાપોથી શુદ્ધ થયો હતો એ બાબત તે ભૂલી ગયો છે.
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 10 તેથી ભાઈઓ, તમારું તેડું તથા પસંદગી ચોક્કસ કરવા માટે વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું કરશો તો કદી ગફલતમાં પડશો નહિ.
\v 11 કારણ કે એમ કરવાથી આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં અનંતકાળના રાજ્યમાં તમે પૂરી રીતે પ્રવેશ પામશો.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 12 એ માટે જોકે તમે એ વાતો જાણો છો અને અત્યારે સત્યમાં દૃઢ થયા છો, તોપણ તમને તે નિત્ય યાદ કરાવવાનું હું ભૂલીશ નહિ.
\v 13 અને જ્યાં સુધી હું આ માંડવારૂપી શરીર માં છું, ત્યાં સુધી તમને યાદ કરાવીને સાવચેત કરવા એ મને યોગ્ય લાગે છે.
\v 14 કેમ કે મને ખબર છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં બતાવ્યા પ્રમાણે મારું આયુષ્ય જલદી પૂરું થવાનું છે.
2016-11-14 20:33:09 +00:00
\v 15 હું યત્ન કરીશ કે, મારા મરણ પછી તમને આ વાતો સતત યાદ રહે.
2019-03-08 17:42:12 +00:00
\s ખ્રિસ્તનાં મહિમાના સાક્ષીઓ
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 16 કેમ કે જયારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી વાર્તાઓ અનુસર્યા નહોતા; પણ તેમની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા.
\v 17 કેમ કે જયારે ગૌરવી મહિમા તરફથી તેઓને એવી વાણી થઈ કે, ‘એ મારો વહાલો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું, ત્યારે ઈશ્વરપિતાથી તેઓ માન તથા મહિમા પામ્યા.
\v 18 અમે તેમની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે પોતે તે સ્વર્ગવાણી સાંભળી.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 19 અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે પ્રબોધવાણી છે, તેને અંધારી જગ્યામાં પ્રકાશ કરનાર દીવાના જેવી જાણીને તેના પર જ્યાં સુધી પરોઢ થાય અને સવારનો તારો તમારાં અંતઃકરણોમાં ઊગે, ત્યાં સુધી ચિત્ત લગાડવાથી તમે સારું કરશો.
\v 20 પ્રથમ તમારે એ જાણવું કે, પવિત્રશાસ્ત્રમાંનું કોઈ પણ ભવિષ્યવાણી મનુષ્યપ્રેરિત નથી.
2016-11-14 20:33:09 +00:00
\v 21 કેમ કે ભવિષ્યવાણી કદી માણસની ઇચ્છા પ્રમાણે આવી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.
\s5
\c 2
2019-03-08 17:42:12 +00:00
\rem TC Draft by Mukesh.
\s જૂઠા શિક્ષકો
2016-11-14 20:33:09 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 1 જેમ ઇઝરાયલી લોકોમાં જૂઠાં પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને જલદીથી પોતાનો જ વિનાશ કરશે.
\v 2 ઘણાં માણસો તેઓના અનિષ્ટ કામોમાં ચાલશે; અને તેઓને લીધે સત્યનાં માર્ગનો તિરસ્કાર થશે.
2016-11-14 20:33:09 +00:00
\v 3 તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમારું શોષણ કરશે; તેઓને માટે અગાઉથી ઠરાવેલી સજામાં વિલંબ કે તેઓના નાશમાં ઢીલ થશે નહિ.
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 4 કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચુકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા;
\v 5 તેમ જ ઈશ્વરે પુરાતન માનવજગતને છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત લોકોને બચાવ્યાં;
\v 6 અને અધર્મીઓને જે થનાર છે ઉદાહરણ આપવા સારુ સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2016-11-14 20:33:09 +00:00
\v 7 અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો,
2019-03-08 17:42:12 +00:00
\v 8 કેમ કે તે પ્રામાણિક માણસ જયારે તેઓની સાથે પ્રતિદિન રહેતો હતો ત્યારે તેઓનાં ખરાબ કામ જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય દુઃખ પામતો હતો.
\v 9 પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 10 અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વછંદી થઈને આકાશી જીવોની નિંદા કરતાં પણ ડરતા નથી.
\v 11 પરંતુ સ્વર્ગદૂતો વિશેષ બળવાન તથા પરાક્રમી હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 12 પણ આ માણસો, સ્વભાવે અબુધ પશુ કે જેઓ પકડાવા તથા નાશ પામવાને સૃજાયેલાં છે, તેઓની માફક તેઓ જે વિષે જાણતા નથી, તે વિષે નિંદા કરીને પોતાના દુરાચારમાં નાશ પામશે, અન્યાય કર્યાને લીધે અન્યાયનું ફળ ભોગવશે.
\v 13 ઉઘાડે છોગ સુખભોગ કરવાને આનંદ માને છે; તેઓ ડાઘ તથા કલંક છે; અને પોતાના પ્રેમભોજનમાં દુષ્કાર્યો ક કરવામાં આનંદ માણે છે.
\v 14 તેઓની આંખો વ્યભિચારિણીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરતાં બંધ થતી નથી; તેઓ અસ્થિર માણસોને લલચાવે છે; તેઓનાં હૃદયો દ્રવ્યલોભમાં કેળવાયેલાં છે, તેઓ શાપિત છે.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 15 ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ભટકેલા છે, અને બયોરનો દીકરો બલામ, જેણે અન્યાયનું ફળ ચાહ્યું તેને માર્ગે ચાલનારાં થયા.
2016-11-14 20:33:09 +00:00
\v 16 પણ તેને પોતાના અધર્મને લીધે ઠપકો આપવામાં આવ્યો; મૂંગા ગધેડાએ માણસની વાણીથી પ્રબોધકની ઘેલછાને અટકાવી.
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 17 તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી વાદળાં જેવા છે, તેઓને સારુ ઘોર અંધકાર રાખેલો છે.
\v 18 તેઓ વ્યર્થતાની બડાઈની વાતો કહે છે. તેઓમાંથી જેઓ બચી જવાની તૈયારીમાં છે તેઓને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી લલચાવે છે.
\v 19 તેઓને તેઓ સ્વતંત્રતાનું વચન આપે છે, પણ પોતે ભ્રષ્ટાચારના દાસ છે; કેમ કે માણસને જ કોઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ બનાવે છે.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 20 કેમ કે આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી જો તેઓ, જગતની ભ્રષ્ટતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલી કરતાં ખરાબ થઈ છે;
\v 21 કારણ કે ન્યાયીપણાનો માર્ગ જાણ્યાં પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી હતી તેમાંથી પાછા ફરવું, એ કરતાં આ તેઓ તે માર્ગ વિષે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત.
\v 22 પણ તેઓને માટે આ કહેવત સાચી ઠરી છે, ‘કૂતરું પોતે ઊલટી કરી હોય ત્યાં પાછું આવે છે અને નવડાવેલું ભૂંડ કાદવમાં આળોટવા માટે પાછું આવે છે.’”
2016-11-14 20:33:09 +00:00
\s5
\c 3
2019-03-08 17:42:12 +00:00
\s પ્રભુના આગમન સંબંધીનું વચન
\p
\v 1 પ્રિયો, હવે આ બીજો પત્ર હું તમારા ઉપર લખું છું; અને બન્ને પત્રોથી તમારાં શુદ્ધ મનોને ઉત્તેજીત આપવા કહું છું કે,
\v 2 પવિત્ર પ્રબોધકોથી જે વાતો અગાઉ કહેવાઈ હતી તેનું અને પ્રભુ તથા ઉદ્ધારકર્તાની તમારા પ્રેરિતોની મારફતે અપાયેલી આજ્ઞાનું તમે સ્મરણ કરો.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 3 પ્રથમ એમ જાણો કે છેલ્લાં દિવસોમાં મશ્કરીખોરો આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે.
\v 4 અને કહેશે કે, ‘તેમના ઈસુના આગમનનું આશાવચન ક્યાં છે? કેમ કે પૂર્વજો ઊંધી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહ્યું છે.’”
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 5 કેમ કે તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે કે ઈશ્વરની આજ્ઞાથી આકાશો અગાઉથી હતાં અને પૃથ્વી પાણીથી તથા પાણીમાંથી બાંધેલી હતી.
\v 6 તેથી તે સમયની દુનિયા પાણીમાં ડૂબીને નાશ પામી.
2016-11-14 20:33:09 +00:00
\v 7 પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 8 પણ પ્રિયો, આ એક વાત તમે ભૂલશો નહિ કે પ્રભુની દ્રષ્ટિએ એક દિવસ હજાર વર્ષોના જેવો અને હજાર વર્ષો એક દિવસના જેવા છે.
\v 9 વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના આશાવચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પસ્તાવો કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 17:42:12 +00:00
\p
2019-03-08 20:13:41 +00:00
\v 10 પણ જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે, તે વેળાએ આકાશો ભારે ગર્જનાસહિત જતા રહેશે અને તત્વો અગ્નિથી પીગળી જશે અને પૃથ્વી તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 11 તો એ સર્વ આ પ્રમાણે નાશ પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવાં થવું જોઈએ?
\v 12 ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને ભસ્મીભૂત થશે તથા તત્વો બળીને પીગળી જશે તેમના આગમનના એ દિવસની રાહ જોતાં તેમની અપેક્ષા રાખવી.
\v 13 તોપણ આપણે તેમના આશાવચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની રાહ જોઈએ છીએ.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 14 એ માટે, પ્રિયો, આમ બનવાની આપને રાહ જોઈ રહ્યા છીએ, તમે તેમની નજરમાં નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહો.
\v 15 અને ધ્યાનમાં રાખો કે આપણા પ્રભુનું ધૈર્ય ઉદ્ધાર છે; આપણા વહાલાં ભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ વિષે લખ્યું છે.
\v 16 તેમ તેના સર્વ પત્રોમાં પણ આ વાતો વિષે લખ્યું છે. તે પત્રોમાં કેટલીક વાત સમજવામાં અઘરી છે. જેમ બીજા શાસ્ત્રવચનોને તેમ એ વાતોને પણ અજ્ઞાની તથા અસ્થિર માણસો પોતાના નાશને સારુ બગાડે છે અને ઊંધો અર્થ આપે છે.
2016-11-14 20:33:09 +00:00
\s5
2019-03-08 20:13:41 +00:00
\p
2019-03-08 17:42:12 +00:00
\v 17 માટે, પ્રિયો, તમે અગાઉથી આ વાતો જાણતા હતા, માટે સાવધ થાઓ કે, અધર્મીઓની આકર્ષાઈને પોતાની સ્થિરતાથી ડગી જાઓ નહિ.
\v 18 પણ આપણા પ્રભુ તથા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તની કૃપામાં અને જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામો; તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન.