\ip ક્લોસ્સીઓને પત્ર એ વાસ્તવિક રીતે પાઉલનો પત્ર છે (1:1). શરૂઆતની મંડળીમાં જેઓ પણ તેના લેખક વિષે બોલે છે તેઓ પાઉલને લેખક તરીકે સ્વીકારે છે. કલોસ્સીઓની મંડળી પાઉલ દ્વારા સ્થપાઈ નહોતી. પાઉલના એક સહકાર્યકર્તાએ, સંભવત એપાફ્રાસે, કલોસ્સમાં પ્રથમ સુવાર્તા આપી હતી (4:12, 13). જૂઠા શિક્ષકો કલોસ્સમાં વિચિત્ર નવા સિદ્ધાંત સાથે આવ્યા હતા. તેમણે ખ્રિસ્તી વિશ્વાસ સાથે અધાર્મિક ફિલસૂફી અને યહૂદી ધર્મનું મિશ્રણ કર્યું હતું. પાઉલે ખ્રિસ્ત બધી જ બાબતો કરતાં ઉપર છે તે બતાવીને આ જૂઠા શિક્ષણનો વિરોધ કર્યો. આ પત્રને નવા કરારનો સૌથી ખ્રિસ્ત કેન્દ્રિત પત્ર કહેવામાં આવ્યો છે. તે બતાવે છે કે ખ્રિસ્ત બધી જ બાબતો પર અધિકારી છે.
\is લખાણનો સમય અને સ્થળ
\ip લખાણનો સમય અંદાજિત ઇ.સ. 60 ની આસપાસનો છે.
\ip પાઉલે આ પત્ર તેના રોમમાંના પ્રથમ બંદીવાસ દરમ્યાન લખ્યો હોય શકે.
\is વાંચકવર્ગ
\ip જેમ લખવામાં આવ્યું છે “કલોસ્સમાંના ખ્રિસ્તમાં પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓને” તેમ, પાઉલે આ પત્ર કલોસ્સીઓની મંડળીને સંબોધિત કર્યો હતો (1:1-2). આ મંડળી એફેસસથી સો માઈલ દૂર જમીન વિસ્તારમાં લીકસ ખીણની બરાબર મધ્યમાં આવેલી હતી. પાઉલ પ્રેરિતે આ મંડળીની મુલાકાત કદાપિ લીધી નહોતી (1:4; 2:1).
\is હેતુ
\ip પાઉલે આ પત્ર કલોસ્સમાં ઊભા થયેલા આ જોખમકારક દુર્મત વિષે સલાહ આપવા, સમગ્ર સૃષ્ટિ પરની ખ્રિસ્તની સંપૂર્ણ, પ્રત્યક્ષ અને સતત સર્વોપરિતાની ખાતરી કરાવવા દ્વારા દુર્મતવાદી પ્રશ્નોનો જવાબ આપવા (1:15; 3:4), સમગ્ર સૃષ્ટિ પરની ખ્રિસ્તની સર્વોપરિતાના પ્રકાશમાં તેના વાંચકોને જીવન જીવવા ઉત્તેજન આપવા (3:5; 4:6) અને મંડળી તેમનું સુવ્યવસ્થિત જીવન જાળવે અને જૂઠા શિક્ષકોના જોખમ સામે તેમના વિશ્વાસની સ્થિરતા જાળવે તે માટે ઉત્તેજન આપવા લખ્યો હતો (2:2-5).
\is મુદ્રાલેખ
\ip ખ્રિસ્તની સર્વોપરિતા
\iot રૂપરેખા
\io1 1. પાઉલની પ્રાર્થના — 1:1-14
\io1 2. પાઉલનો ‘ખ્રિસ્તમાં એક વ્યક્તિ’ વિષેનો સિદ્ધાંત — 1:15-23
\io1 3. ઈશ્વરની યોજના તથા હેતુમાં પાઉલની ભૂમિકા — 1:24-2:5
\io1 4. જૂઠા શિક્ષણ વિરુદ્ધ ચેતવણી — 2:6-15
\io1 5. પાઉલનો જોખમકારક દુર્મતનો સામનો — 2:16-3:4
\io1 6. ખ્રિસ્તમાં નવા મનુષ્ય વિષેનું વર્ણન — 3:5-25
\v 6 તે સુવાર્તા તમારી પાસે આવી છે, જે આખા દુનિયામાં ફેલાઈને ફળ આપે છે તથા વધે છે તેમ; જે દિવસથી તમે સત્યમાં ઈશ્વરની કૃપા વિશે સાંભળ્યું તથા સમજ્યા તે દિવસથી તે તમારામાં પણ ફળ આપે છે તથા વધે છે.
\v 9 તમે સર્વ પ્રકારની આત્મિક સમજણમાં તથા બુદ્ધિ પ્રાપ્ત કરવામાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી.
\v 10 તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો અને સર્વ સારાં કામમાં તેનું ફળ ઉપજાવો અને ઈશ્વર વિશેના જ્ઞાનમાં વધતા જાઓ.
\v 15 તે અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે;
\v 16 કેમ કે તેમનાંથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં તથા પૃથ્વી પર છે, જે દૃશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યાસનો, રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયાં;
\v 17 તેઓ સર્વ બાબતોમાં પહેલાં છે; અને તેમનાંમાં સર્વ બાબતો વ્યવસ્થિત થઈને રહે છે.
\v 19 કેમ કે તેમનાંમાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે; એવું પિતાને પસંદ પડયું;
\v 20 અને ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભના રક્તથી શાંતિ કરાવીને તેમની મારફતે તેઓ પોતાની સાથે સઘળી બાબતોનું સમાધાન કરાવે છે; પછી તે પૃથ્વી પરની હોય કે આકાશમાંની હોય.
\v 21 તમે અગાઉ ઘણે દૂર, તથા દુષ્ટ કર્મોથી તમારા મનમાં તેમના વૈરીઓ હતા, પણ તેમણે હવે પોતાના દૈહિક શરીરમાં મરણ વડે તમારું સમાધાન કરાવ્યું છે,
\v 22 જેથી ખ્રિસ્ત તમને પવિત્ર, નિર્દોષ તથા નિષ્કલંક પોતાની આગળ રજૂ કરે;
\v 23 એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દૃઢ રહો અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી જો તમે ડગી જાઓ નહિ, તો; એ સુવાર્તા આકાશની નીચેના સર્વ મનુષ્યોને પ્રગટ કરાઈ છે; અને તે સુવાર્તાનો હું પાઉલ સેવક થયો છું.
\v 24 હવે તમારે માટે મારાં પર જે દુઃખો પડે છે તેમાં હું આનંદ પામું છું અને ખ્રિસ્તનાં સંકટો વિશે જે કઈ ખૂટતું હોય તેને હું, તેમનું શરીર જે વિશ્વાસી સમુદાય છે તેની ખાતર, મારા શરીરમાં પૂરું કરું છું;
\v 28 આ ખ્રિસ્તને અમે પ્રગટ કરીએ છીએ અને દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ પ્રકારના જ્ઞાનથી શીખવીએ છીએ.
\v 1 હું ચાહું છું કે તમે એ જાણો કે, તમારા વિષે તથા જેઓ લાઓદિકિયામાં છે તેઓ વિષે તથા જેટલાંએ મને રૂબરૂ જોયો નથી તેઓને વિષે હું કેટલો બધો યત્ન કરું છું કે,
\v 8 સાવધાન રહો, કે, છેતરનાર ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના રીતિરિવાજ પ્રમાણે અને જગતના સિદ્ધાંતો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે નહીં.
\v 9 કેમ કે ઈશ્વરત્વની સર્વ સંપૂર્ણતા ખ્રિસ્તનાં શરીરમાં વસે છે.
\v 10 તમે તેમનાંમાં સંપૂર્ણ થયા છો; તેઓ સર્વ શાસન તથા અધિકારનાં ઉપરી છે;
\v 11 જે સુન્નત હાથે કરેલી નથી તેથી તમે તેમનાંમાં સુન્નતી થયા, એટલે ખ્રિસ્ત દ્વારા કરવામાં આવેલી સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સાથે ઉતારી મૂક્યો.
\v 12 તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દફનાવાયા, અને તેમાં પણ ઈશ્વર જેમણે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડ્યાં.
\v 18 નમ્રતા તથા સ્વર્ગદૂતોની સેવા પર ભાવ રાખવા કોઈ તમને ન ફસાવે અને તમારું ઇનામ છીનવી ન લે. તેને જે દર્શનો થયા છે તે પર આધાર રાખીને તે પોતાના દૈહિક મનથી ફુલાઈ જાય છે.
\v 19 તે શિરને વળગી રહેતો નથી, એ શિર થી આખું શરીર, સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઈશ્વરથી વૃદ્ધિ પામે છે.
\v 22 દાસો, તમે માણસોને ખુશ કરનારાઓની રીતે નહિ અને દેખરેખ હોય ત્યારે જ નહિ, પણ પ્રામાણિક હૃદયથી તથા પ્રભુથી ડરીને, તમામ બાબતોમાં પૃથ્વી પરના તમારા માલિકોની આજ્ઞાઓ પાળો.
\v 10 મારો સાથી બંદીવાન આરિસ્તાર્ખસ તથા બાર્નાબાસનો પિત્રાઈ ભાઈ માર્ક જેને વિષે તમને આજ્ઞા મળી છે કે, ‘તે જો તમારી પાસે આવે તો તેનો સ્વીકાર કરજો,’
\v 11 અને ઈસુ જે યુસ્તસ કહેવાય છે, તેઓ તમને સલામ કહે છે. આ બધાં એકલા જ સુન્નતીઓમાંના યહૂદી વિશ્વાસીઓમાંના છે, જે ઈશ્વરના રાજ્યને માટે મારી સાથે કામ કરનારા છે; તેઓ મને દિલાસારૂપ થયા છે.
\v 12 એપાફ્રાસ જે તમારામાંનો એક છે અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને સલામ પાઠવે છે, તે તમારે માટે હંમેશા આગ્રહથી પ્રાર્થના કરે છે, કે તમે ઈશ્વરની સર્વ ઇચ્છામાં સંપૂર્ણ થઈને પૂરેપૂરી ખાતરી સાથે દૃઢ રહો.