\ip પાઉલ આ પત્ર લખવાનો દાવો કરે છે (1:1) અને ભાષા તથા શૈલીના બધા જ આંતરિક લક્ષણો તથા ઐતિહાસિક તથ્યો તેનું સમર્થન કરે છે. શરૂઆતની મંડળી પણ પાઉલના લેખકત્વ તથા અધિકાર વિષે સુસંગત રીતે જણાવે છે. ફિલિપ્પીઓને પત્ર ખ્રિસ્તનું મન ઘોષિત કરે છે. (2:1-11). જો કે જ્યારે તેણે આ પત્ર ફિલિપ્પીઓને લખ્યો ત્યારે તે બંદીવાન હતો તો પણ તે આનંદથી ભરપૂર છે. આ પત્ર આપણને શીખવે છે કે આપણે મુશ્કેલીઓમાં અને દુઃખોમાં હોઈએ તો પણ ખ્રિસ્તીઓ તરીકે આપણે આનંદિત રહી શકીએ છીએ. ખ્રિસ્તમાં આપણને જે આશા છે તેને કારણે આપણે આનંદિત છીએ.
\is લખાણનો સમય અને સ્થળ
\ip લખાણનો સમય અંદાજિત ઇ.સ. 61 ની આસપાસનો છે.
\ip પાઉલે આ પત્ર તે રોમની જેલમાં હતો ત્યારે લખ્યો હતો (પ્રેરિતોનાં કૃત્યો 28:30). આ પત્ર એપાફ્રદિતસ કે જે પાઉલ પાસે રોમમાં ફિલિપ્પી શહેરની મંડળીની આર્થિક સહાયતા આપવા આવ્યો હતો તેના દ્વારા ફિલિપ્પીઓને પહોંચાડવાનો હતો. (2:25; 4:18). પણ તેના રોમમાંનાં સમય દરમ્યાન એપાફ્રદિતસ બીમાર પડ્યો હતો અને તેથી તેને ઘરે પાછા ફરવામાં વિલંબ થયો હતો અને પરિણામે પત્ર પહોંચવામાં પણ વિલંબ થયો હતો. (2:26-27).
\is વાંચકવર્ગ
\ip મકદોનિયા જિલ્લાના આગળ પડતાં શહેરોમાંના ફિલિપ્પી શહેરની ખ્રિસ્તી મંડળી.
\is હેતુ
\ip બંદીવાસમાં તેની હાલત કેવી હતી (1:12-26) અને જો તે મુક્ત થાય તો તેની શી યોજના હતી તે મંડળી જાણે (2:23-24) એવું પાઉલ ઇચ્છતો હતો. એવું લાગે છે કે મંડળીમાં કેટલાક મતભેદો તથા ભાગલા પડ્યા હતા અને તેથી પ્રેરિત એકતાને ધ્યાનમાં રાખતા પાઉલ નમ્રતા માટે ઉત્તેજન આપવા લખે છે (2:1-18; 4:2-3). પાઉલ એક પાળકીય ઈશ્વરવિદ્યાશાસ્ત્રી તરીકે, કેટલાક જૂઠા શિક્ષકોનું નકારાત્મક શિક્ષણ તથા તેના પરિણામોને રોકવા, (3:2-3), મંડળી સમક્ષ તિમોથીની પ્રસંશા કરવા તથા એપાફ્રદિતસની તંદુરસ્તી અને યોજનાનો અહેવાલ આપવા (2:19-30) તથા મંડળીની તેના માટેની કાળજી તથા તેમણે તેને આપેલી ભેટ માટે આભાર માનવા લખ્યું હતું (4:10-20).
\is મુદ્રાલેખ
\ip આનંદિત જીવન
\iot રૂપરેખા
\io1 1. અભિવાદન 1:1, 2
\io1 2. પાઉલની પરિસ્થિતી અને મંડળી માટે ઉત્તેજન — 1:3-2:30
\v 7 તમો સર્વ વિષે એ પ્રમાણે માનવું મને ઉચિત લાગે છે; કારણ કે મારાં બંધનોમાં અને સુવાર્તાની હિમાયત કરવામાં તથા તેને સાબિત કરવામાં, તમે બધા કૃપામાં મારા સહભાગી હોવાથી, હું તમને મારા હૃદયમાં રાખું છું.
\v 20 એ પ્રમાણે મને વિશ્વાસ, અપેક્ષા તથા આશા છે કે, હું કોઈ પણ બાબતમાં શરમાઈશ નહિ; પણ પૂરી હિંમતથી, હંમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે મૃત્યુથી, મારા શરીરદ્વારા ખ્રિસ્તનાં મહિમાની વૃદ્ધિ કરવામાં આવે.
\v 27 માત્ર ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરો, જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર રહું તોપણ તમારા વિષે સાંભળું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાનાં વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો.
\v 12 તેથી, મારા પ્રિય ભાઈઓ, તમે જેમ હંમેશા આધીન રહેતા હતા તેમ, કેવળ મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં પણ તમારો ઉદ્ધાર થાય માટે ભય તથા કંપારીસહિત પ્રયત્ન કરો.
\v 25 તોપણ મારો ભાઈ એપાફ્રોદિતસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમ જ તમારો સંદેશવાહક તથા મારી જરૂરિયાત પૂરી પાડનાર છે’ તેને તમારી પાસે મોકલવાની અગત્ય મને જણાઈ;
\v 8 વાસ્તવમાં, ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની ઉત્તમતાને લીધે, હું એ બધાને હાનિ જ ગણું છું; એને લીધે મેં બધાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો ગણું છું, કે જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું,
\v 9 અને તેમની સાથે મળી એકરૂપ થાઉં અને નિયમશાસ્ત્રથી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ ખ્રિસ્તનાં વિશ્વાસદ્વારા ઈશ્વરથી જે ન્યાયીપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે, તે મારું થાય;
\v 10 એ માટે કે હું તેમને તથા મૃત્યુમાંથી તેમના મરણોત્થાનના પરાક્રમને સમજું તથા તેમના દુઃખોમાં સહભાગી થાઉં; એટલે કે તેમના મૃત્યુને અનુરૂપ થાઉં,
\v 11 કે હું કોઈ પણ રીતે મૃત્યુ પામેલાંઓના મરણોત્થાનને પહોંચું.
\v 18 કેમ કે ઘણાં એવી રીતે વર્તનારા છે, કે જેઓ વિષે મેં તમને વારંવાર કહ્યું, અને હમણાં પણ રડતાં રડતાં કહું છું કે, ‘તેઓ ખ્રિસ્તનાં વધસ્તંભના શત્રુઓ છે.
\v 19 વિનાશ તેઓનો અંત, પેટ તેઓનો દેવ અને નિર્લજ્જતા તેઓનું ગૌરવ છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.
\v 20 પણ આપણા માટે તો, ‘આપણી નાગરિકતા સ્વર્ગમાં છે, ત્યાંથી પણ આપણે ઉદ્ધારકર્તા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ.
\v 21 તે, જે સામર્થ્યથી બધાને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી દીનાવસ્થામાંનાં શરીરને એવું રૂપાંતર કરશે, કે તે તેમના મહિમાવાન શરીરનાં જેવું થાય.’”
\v 3 વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બહેનોની મદદ કરજે, કારણ કે તેઓએ મારી સાથે તથા કલેમેન્ટની સાથે તથા બીજા મારા સહ કાર્યકર્તાઓ જેઓનાં નામ જીવનનાં પુસ્તકમાં છે તેઓની સાથે સુવાર્તા પ્રચારના કાર્યમાં પુષ્કળ મહેનત કરી છે.
\v 8 છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ઉચિત, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે તથા જો કોઈ સદગુણ, જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.
\v 10 મેં પ્રભુમાં પુષ્કળ આનંદ કર્યો, કારણ કે મારા વિષેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે; તે બાબતોમાં તમે ચિંતા તો કરતા હતા. પણ મને સહાય કરવાનો તમને પ્રસંગ મળ્યો નહિ.
\v 11 હું તંગીને લીધે બોલું છું એમ નહિ, કેમ કે જે અવસ્થામાં હું છું, તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું.
\v 12 ગરીબીમાં કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું તથા સમૃદ્ધિમાં પણ કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું; દરેકપ્રકારે તથા સર્વમાં તૃપ્તિમાં તથા ભૂખમાં, પુષ્કળતામાં અને તંગીમાં રહેવાને હું શીખ્યો છું.
\v 13 જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.
\v 18 મારી પાસે સર્વ ચીજવસ્તુઓ છે; અને તે પણ પુષ્કળ છે. તમારાં દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યા છે તેથી હું સમૃદ્ધ છું. તે તો સુગંધીદાર ધૂપ ઈશ્વરને પ્રિય માન્ય અર્પણ છે.