gu_udb/42-MRK.usfm

1078 lines
266 KiB
Plaintext

\id MRK
\ide UTF-8
\h માર્ક
\toc1 માર્ક
\toc2 માર્ક
\toc3 mrk
\mt1 માર્ક
\s5
\c 1
\p
\v 1-2 ઈશ્વરના પુત્ર, ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેમના વિશેના આ શુભ સમાચાર છે. જ્યારે યશાયા પ્રબોધકે લખ્યું ત્યારે તેણે આ શુભ સમાચારનો ઉલ્લેખ કર્યો: "સાંભળો! હું મારા સંદેશવાહકને તમારી આગળ મોકલું છું. તે તમને આવકારવાને માટે લોકોને તૈયાર કરશે.
\v 3 અરણ્યમાં જે કોઈ તેમને સાંભળશે તેને તે પોકારશે, 'પ્રભુને આવકારવા માટે તમે પોતાને તૈયાર કરો.'"
\s5
\v 4 જે સંદેશવાહક વિષે યશાયાએ લખ્યું તે યોહાન હતો. લોકોએ તેને "બાપ્તિસ્મા આપનાર" કહ્યો. યોહાન અરણ્યમાં હતો; તે લોકોને બાપ્તિસ્મા આપતો હતો અને તેઓને કહેતો હતો, "તમે જે પાપ કર્યા છે તે સંબંધી પસ્તાવો કરો, અને તેને બંધ કરવાનું નક્કી કરો કે જેથી ઈશ્વર તમને માફી આપે."
\v 5 યહૂદિયાના જીલ્લામાંથી અને યરુશાલેમ શહેરમાંથી વિશાળ સંખ્યામાં લોકો યોહાનનું સાંભળવા માટે અરણ્યમાં ગયા. તેઓમાંના ઘણા જેમણે તે સાંભળ્યું તેઓ સહમત થયા કે તેઓએ પાપ કર્યું છે. પછી યોહાને તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.
\v 6 યોહાન ઊંટના રૂવાંમાંથી બનાવેલ બરછટ કપડાં પહેરતો અને કમરે ચામડાનો પટ્ટો બાંધતો હતો. અરણ્યના પ્રદેશમાં જોવા મળતાં તીડો અને મધ તેનો ખોરાક હતો.
\s5
\v 7 તેનો ઉપદેશ આ પ્રમાણે હતો, "બહુ જ થોડા સમયમાં એક જણ આવશે જે અતિ મહાન છે. તેમની સરખામણીમાં હું કંઈ જ નથી. હું નીચો નમીને તેમના ચંપલની દોરી છોડવાને પણ યોગ્ય નથી.
\v 8 મેં તમારું બાપ્તિસ્મા પાણીથી કર્યું, પણ તેઓ તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી કરશે."
\s5
\v 9 યોહાન ઉપદેશ કરતો હતો તે દરમ્યાન, ઈસુ ગાલીલ જીલ્લાના નાસરેથ નગરમાંથી આવ્યા. યોહાન જ્યાં ઉપદેશ કરતો હતો ત્યાં તેઓ આવ્યા અને યોહાને યર્દન નદીમાં તેમને બાપ્તિસ્મા આપ્યું.
\v 10 ઈસુ જેવા પાણીમાંથી બહાર આવ્યા કે, તરત તેમણે આકાશ ઊઘડેલું અને ઈશ્વરના આત્માને પોતા પર ઊતરતો જોયો. ઈશ્વરનો આત્મા કબૂતરના રૂપમાં આવ્યો.
\v 11 ઈશ્વર આકાશમાંથી બોલ્યા અને કહ્યું, "તું મારો પુત્ર છે જેને હું બહુ પ્રેમ કરું છું. હું તારાથી અતિ પ્રસન્ન છું."
\s5
\v 12 પછી ઈશ્વરના આત્માએ ઈસુને અરણ્યમાં મોકલ્યા.
\v 13 તેઓ ત્યાં ચાલીસ દિવસ સુધી રહ્યા હતા. તે સમય દરમ્યાન, શેતાન તેમનું પરીક્ષણ કરતો હતો. તે જગ્યામાં જંગલી પ્રાણીઓ હતાં, અને દૂતો તેમની સેવા કરતા હતા.
\s5
\v 14 પછીથી જ્યારે યોહાનને કેદખાનામાં નાખવામાં આવ્યો, ત્યારે ઈસુ ગાલીલમાં ગયા. ગાલીલમાં, તેઓ ઈશ્વરના શુભ સમાચાર પ્રગટ કરતા હતા.
\v 15 તેઓ કહેતા હતા, "આખરે સમય આવ્યો છે. ઈશ્વર જલદી એ બતાવશે કે તેઓ રાજા છે. તમે પાપ કર્યું છે માટે દિલગીર થાઓ, અને તે બંધ કરવાનો નિર્ણય કરો, કે જેથી ઈશ્વર તમને માફી આપે. શુભ સમાચાર પર વિશ્વાસ કરો."
\s5
\v 16 એક દિવસે જ્યારે ઈસુ ગાલીલના સમુદ્ર કિનારે ચાલતા હતા ત્યારે, તેમણે બે માણસો, સિમોન અને સિમોનના ભાઈ આન્દ્રિયાને જોયા. તેઓ પોતાની જાળો સમુદ્રમાં નાખી રહ્યા હતા. તેઓ માછલી પકડીને તથા વેચીને નાણાં કમાતા હતા.
\v 17 પછી ઈસુએ તેઓને કહ્યું, "મારી સાથે આવો અને જેમ તમે માછલીઓ પકડી રહ્યા છો તેમ હું તમને માણસોને કેવી રીતે પકડવા તે શીખવીશ."
\v 18 તેઓએ તરત જ તેમની જાળો પડતી મૂકી અને તેમની સાથે ગયા.
\s5
\v 19 તેઓ થોડે આગળ ગયા પછી, ઈસુએ બીજા બે માણસોને, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાનને જોયા. તેઓ ઝબદી નામે માણસના પુત્રો હતા. તેઓ બંને હોડીમાં માછલી પકડવાની જાળો સાંધતા હતા.
\v 20 જેવા ઈસુએ તેમને જોયા કે, તેમણે તેઓને તેમની પાછળ આવવા કહ્યું. તેથી તેઓ તેમના પિતા કે જેઓ ભાડૂતી નોકરો સાથે હોડીમાં હતા, તેમને છોડીને ઈસુની સાથે ગયા.
\s5
\v 21 ઈસુ અને તેમના શિષ્યો કપરનાહૂમ નામના પાસેના ગામમાં ગયા. પછીના સાબ્બાથવારે તેઓ સભાસ્થાનમાં ગયા અને જેઓ ત્યાં એકઠા મળ્યા હતા તેઓને શીખવવાનું શરૂ કર્યું.
\v 22 જે તે પોતે જાણે છે તેના પર આધાર રાખતા એક શિક્ષકની જેમ તેમને શીખવ્યું. યહૂદી નિયમના શિક્ષકો કે જેઓ બીજા માણસોએ જે વિવિધ બાબતો શીખવી હોય તેનું પુનરાવર્તન કરે છે, તેઓની માફક તેમણે શીખવ્યું નહિ.
\s5
\v 23 જ્યાં ઈસુ શીખવતા હતા તે સભાસ્થાનમાં, દુષ્ટાત્માના અંકુશ હેઠળનો એક માણસ હતો. દુષ્ટાત્મા વળગેલા માણસે બૂમો પાડવાની શરુઆત કરી,
\v 24 "ઓ! નાસરેથના ઈસુ! અમારે દુષ્ટાત્માઓને તારી સાથે કોઈ લેવા દેવા નથી! શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું જાણું છું કે તું કોણ છે. તું ઈશ્વર પાસેથી આવેલ પવિત્ર વ્યક્તિ છે!"
\v 25 ઈસુએ દુષ્ટ આત્માને ધમકાવતા કહ્યું, "છાનો રહે અને તેનામાંથી નીકળી જા!"
\v 26 દુષ્ટ આત્માએ તે માણસને હિંસક રીતે ધ્રુજાવી નાખ્યો. તેણે મોટેથી બૂમ પાડી, અને પછી તે માણસમાંથી જતો રહ્યો.
\s5
\v 27 ત્યાં જે બધા લોકો હતા તેઓ આશ્ચર્ય પામ્યા. તેના પરિણામે, તેઓએ માંહોમાંહે ચર્ચા કરતા કહ્યું, "આ અદભૂત છે! તેઓ માત્ર નવી રીતે અને અધિકારપૂર્વક શીખવે છે એટલું જ નહિ પણ, તેઓ દુષ્ટ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેમનું સાંભળે છે!"
\v 28 ઈસુએ જે કર્યું તેના વિષે લોકોએ તરત જ આખા ગાલીલ જીલ્લામાં બીજા ઘણાઓને કહ્યું.
\s5
\v 29 સભાસ્થાનમાંથી નીકળ્યા પછી, ઈસુ, સિમોન અને આન્દ્રિયા, યાકૂબ અને યોહાનની સાથે સીધા જ સિમોન અને આન્દ્રિયાના ઘરે ગયા.
\v 30 સિમોનની સાસુ પથારીમાં સૂઈ રહેલી હતી કારણ કે તેને ખૂબ તાવ હતો. તરત જ કોઈકે ઈસુને તેની માંદગી વિષે કહ્યું.
\v 31 ઈસુ તેની પાસે ગયા, તેનો હાથ પકડીને તેને ઊભી થવામાં મદદ કરી. તરત તે તેના તાવમાંથી સાજી થઈ અને તેઓની સેવા કરવા લાગી.
\s5
\v 32 તે સાંજે, સૂર્ય આથમ્યા પછી, કેટલાક લોકો બીજાઓ કે જેઓ બીમાર હતા અને દુષ્ટાત્માઓના કાબૂમાં હતા તેઓને ઈસુની પાસે લાવ્યા.
\v 33 તેથી એવું લાગતું હતું કે જાણે તે નગરમાં રહેનારા બધા જ લોકો સિમોનના ઘરના દરવાજા આગળ એકઠા થયા હોય.
\v 34 અલગ અલગ પ્રકારના રોગોથી પીડાતા ઘણા બીમાર લોકોને ઈસુએ સાજા કર્યા. તેમણે ઘણા દુષ્ટાત્માઓને પણ લોકોમાંથી નીકળી જવા માટે તાકીદ કરી. તેમણે દુષ્ટાત્માઓને તેમના વિષે લોકોને કંઈ જણાવવા ન દીધું, કારણ કે તેઓ જાણતા હતા કે તે ઈશ્વર પાસેથી મોકલવામાં આવેલા પવિત્ર માણસ છે.
\s5
\v 35 બીજી સવારે જ્યારે હજુ અંધારું હતું ત્યારે ઈસુ વહેલા ઊઠ્યા. તેઓ ઘરેથી નીકળીને નગરની બહાર જ્યાં કોઈ લોકો ન હોય તેવી જગ્યાએ દૂર ગયા. પછી તેમણે પ્રાર્થના કરી.
\v 36 સિમોન અને તેના સાથીદારોએ તેમની શોધ કરી.
\v 37 જ્યારે તેઓએ તેમને શોધી કાઢ્યા ત્યારે તેઓએ કહ્યું, "નગરમાં બધા લોકો તમને શોધે છે."
\s5
\v 38 તેમણે તેઓને કહ્યું, "આપણે પાસેના નગરોમાં જવું જોઈએ કે જેથી હું ત્યાં પણ ઉપદેશ કરી શકું. હું આ કારણથી જ અહીં આવ્યો છું."
\v 39 તેથી તેઓ આખા ગાલીલમાં ફર્યા. જ્યાં તેઓ ગયા ત્યાં, ઈસુ સભાસ્થાનોમાં ઉપદેશ કરતા હતા અને દુષ્ટાત્માઓને લોકોમાંથી બહાર જવા ફરજ પાડતા હતા.
\s5
\v 40 એક દિવસ એક માણસ કે જે ચામડીનો ખરાબ રોગ જેને કુષ્ઠરોગ કહેવાય છે તેનાથી પીડાતો હતો તે ઈસુની પાસે આવ્યો. તે ઈસુને પગે પડ્યો અને તેમને વિનંતી કરતા કહ્યું, "મહેરબાની કરીને મને સાજો કરો, કારણ કે જો તમે ચાહો તો તમે મને સાજો કરી શકો તેમ છો!"
\v 41 ઈસુને તેના પર દયા આવી. તેમણે તેમના હાથ લાંબા કરીને તે માણસને સ્પર્શ કર્યો. પછી તેમણે તેને કહ્યું, "હું તને સાજો કરવા ચાહું છું તેથી, તું સાજો થા!"
\v 42 તરત જ તે માણસ સાજો થયો! તે હવે કુષ્ઠરોગી રહ્યો ન હતો!
\s5
\v 43 તેને પાછો મોકલતાં પહેલાં ઈસુએ તેને સખત શબ્દોમાં તાકીદ કરી.
\v 44 ઈસુએ આ પ્રમાણે કહ્યું, "હમણાં જે બન્યું તેના વિષે કોઈને કશું કહેતો નહિ. તેના બદલે, યાજક પાસે જા, અને તારી જાતને તેને બતાવ કે જેથી તે તારી તપાસ કરે. પછી મૂસાએ લોકો માટે આપેલી આજ્ઞા પ્રમાણે કુષ્ઠરોગમાંથી સાજા થયેલાએ જે અર્પણ કરવું જોઈએ તે કર. લોકોને માટે તે સાક્ષીરૂપ થશે કે તને સાજાપણું મળ્યું છે."
\s5
\v 45 પરંતુ તે માણસે ઈસુએ આપેલી સૂચનાનો અમલ કર્યો નહિ. ઈસુએ તેને કેવી રીતે સાજો કર્યો તે વિષે તે લોકોને કહેવા લાગ્યો. તેના પરિણામે, ઈસુ તે નગરોમાં જાહેર રીતે પ્રવેશી શક્યા નહિ કારણ કે લોકોનાં ટોળા તેમને ઘેરી વળતાં હતાં. તેના બદલે, તેઓ નગરની બહારની જગ્યાઓ કે જ્યાં કોઈ રહેતું ન હતું ત્યાં રહ્યા. પરંતુ તે પ્રદેશના લોકોએ તેમની પાસે આવવાનું ચાલું રાખ્યું.
\s5
\c 2
\p
\v 1 થોડા દિવસો વીત્યા પછી, ઈસુ કફરનહૂમ પાછા આવ્યા. ઈસુ પાછા આવ્યા છે અને ઘરમાં છે તે સમાચાર લોકોએ ખૂબ ઝડપથી ફેલાવી દીધા.
\v 2 તરત જ ઈસુ જ્યાં રહેતા હતા તે ઘરમાં ઘણા લોકો એકઠા થવા લાગ્યા. સંખ્યા એટલી બધી હતી કે આખું ઘર ભરાઈ ગયું હતું. ત્યાં દરવાજા પાસે પણ, ઊભા રહેવાની જગ્યા ન હતી. ઈસુએ તેઓને ઈશ્વરનો સંદેશ કહ્યો.
\s5
\v 3 કેટલાક લોકો લકવા થયેલા એક માણસને ત્યાં ઈસુની પાસે ઘરમાં લાવ્યા. ચાર માણસો તેને બિછાનામાં ઊંચકીને લાવ્યા.
\v 4 તેઓ તેને ઈસુની પાસે લાવી શકે તેમ ન હતા કારણ કે ત્યાં ખૂબ ભીડ હતી. તેથી, તેઓ ઘરના છાપરા ઉપર ગયા અને ઈસુ જે જગ્યાએ હતા ત્યાં ઉપર છતને ખૂલ્લી કરીને જગ્યા કરી. તેઓએ તે લકવાગ્રસ્ત માણસને તેના બિછાના પર સુવાડીને તેમાં થઈને ઈસુની આગળ નીચે ઉતાર્યો.
\s5
\v 5 તે માણસોને વિશ્વાસ હતો કે તેઓ આ માણસને સાજો કરી શકે છે એવું પારખીને ઈસુએ તે લકવાગ્રસ્ત માણસને કહ્યું, "મારા દીકરા, મેં તારા પાપ માફ કર્યા છે!"
\v 6 કેટલાક માણસો જેઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓ ત્યાં બેઠા હતા. તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા,
\v 7 "આ માણસ પોતાને શું માને છે? આવું કહીને તે અભિમાન કરે છે અને ઈશ્વરનું અપમાન કરે છે! માત્ર ઈશ્વર જ આપણા પાપ માફ કરી શકે છે!"
\s5
\v 8 તેઓ જે વિચારી રહ્યા હતા તે વિષે ઈસુને તરત જ ખબર પડી ગઈ. તેમણે તેઓને કહ્યું, "તમે આ બાબતો શા માટે વિચારો છો?
\v 9 મારા માટે શું કહેવું સહેલું હશે, 'મેં તારા પાપ માફ કર્યા છે' કે 'ઊઠ! તારું બિછાનું ઊંચક અને ચાલ?'
\s5
\v 10 હું તમને બતાવીશ કે માણસના દીકરાને આ પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે." પછી તેમણે તે લકવાગ્રસ્ત માણસને કહ્યું,
\v 11 "ઊભો થા! તારુ બિછાનું ઊંચક! અને ઘરે જા!"
\v 12 તે માણસ તરત ઊભો થયો! જ્યારે ત્યાં રહેલા લોકો નિહાળી રહ્યા હતા, ત્યારે તેણે તેનું બિછાનું ઉઠાવ્યું, અને પછી તે ચાલ્યો ગયો. તેઓ બધા આશ્ચર્ય પામ્યા, અને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે, "હમણાં જે બન્યું છે તેવું અમે આ અગાઉ કદી જોયું નથી!"
\s5
\v 13 ઈસુ કપરનાહૂમથી નીકળીને ગાલીલ સમુદ્રના કિનારે ચાલ્યા ગયા. લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો અને તેમણે તેઓને શિક્ષણ આપ્યું.
\v 14 તેઓ ચાલતા હતા, ત્યારે એક માણસ કે જેનું નામ લેવી હતું અને તેના પિતાનું નામ અલ્ફી હતું તેને તેમણે જોયો. તે તેના કાર્યાલયમાં બેઠો હતો અને કર ઉઘરાવતો હતો. ઈસુએ તેને કહ્યું, "મારી સાથે આવ." તે ઊઠ્યો અને ઈસુની સાથે ગયો.
\s5
\v 15 બાદમાં, ઈસુ તે લેવીના ઘરે તેની સાથે ભોજન જમતા હતા. ઘણા પાપીઓ અને કર ઉઘરાવનારા લોકો પણ ઈસુ અને તેમના શિષ્યોની સાથે જમતા હતા.
\v 16 જે માણસો યહૂદી નિયમો શીખવતા હતા અને જેઓ ફરોશી સંપ્રદાયના સભ્યો હતા તેઓએ ઈસુને પાપીઓ અને કર ઉઘરાવનારાઓની સાથે જમતા જોયા. તેઓએ ઈસુના શિષ્યોને પૂછ્યું, "શા માટે તેઓ પાપીઓ અને કર ઉઘરાવનારાઓની સાથે જમે છે?"
\s5
\v 17 તેઓ જે પૂછી રહ્યા હતા તે સાંભળ્યા પછી, જે લોકો યહૂદી નિયમો શીખવતા હતા તેઓને ઈસુએ કહ્યું, "તંદુરસ્ત માણસોને વૈદની જરૂર નથી. તેની વિરુદ્ધ, જેઓ બીમાર છે તેઓને વૈદની જરૂર છે. જેઓ વિચારે છે કે મારી પાસે આવવા માટે તેઓ ન્યાયી છે તેઓને બોલાવવા માટે હું આવ્યો નથી, પણ જેઓ જાણે છે કે તેમણે પાપ કર્યા છે તેઓને માટે આવ્યો છું."
\s5
\v 18 હવે આ સમયે, યોહાન બાપ્તિસ્મીના શિષ્યો અને કેટલાક માણસો જેઓ ફરોશી સંપ્રદાયના છે તેઓ ઉપવાસ કરતા હતા, અને આવું તેઓ ઘણી વાર કરતા હતા. કેટલાક માણસો ઈસુની પાસે આવ્યા અને તેમને પૂછ્યું, "યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરે છે. તમારા શિષ્યો શા માટે ઉપવાસ કરતા નથી?"
\v 19 ઈસુએ તેઓને કહ્યું, "જ્યારે કોઈ માણસ કોઈ સ્ત્રીની સાથે લગ્ન કરે છે, ત્યારે તે હજુ જ્યાં સુધી તેઓની સાથે છે ત્યાં સુધી તેના મિત્રો ઉપવાસ કરશે નહિ. લગ્ન એ તો વરની સાથે જમણ અને ઉજવણી કરવાનો સમય છે. ખાસ કરીને જ્યારે વર તેઓની સાથે હોય, ત્યારે તે ઉપવાસ કરવાનો સમય નથી.
\s5
\v 20 પરંતુ કોઇક દિવસે, વરને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે. ત્યારે તે દિવસોમાં, તેઓ ઉપવાસ કરશે."
\v 21 ઈસુ તેઓને કહેતા ગયા, "લોકો ફાટેલા કપડાને સાંધવા માટે જૂના કપડા પર નવા કરચલી વગરના કાપડના ટુકડાને સીવતા નથી. જો તેઓ તેમ કરે તો, જ્યારે તેઓ તે કપડાને ધોશે, ત્યારે તે ટુકડો સંકોચાઈ જશે અને તે કપડાનો નવો ટુકડો જુના કપડાને વધારે ફાડશે. તેના પરિણામે, તે ફાટેલી જગ્યા વધારે મોટી બની જશે!
\s5
\v 22 તે જ રીતે, લોકો નવા દ્રાક્ષારસને ચામડાની જૂની કોથળીમાં સંગ્રહ કરતા નથી. જો તેઓ તેમ કરે, તો નવો દ્રાક્ષારસ ચામડાની કોથળીને ફાડી નાખશે કારણ કે જ્યારે દ્રાક્ષારસમાં આથો આવશે અને તે ફૂલશે ત્યારે તે પહોળી થઇ શકશે નહિ. તેના પરિણામે, દ્રાક્ષારસ અને કોથળી બંને ખરાબ થઈ જશે! તેની વિરુદ્ધ, લોકોએ નવો દ્રાક્ષારસ ચામડાની નવી કોથળીમાં ભરવો જોઈએ!"
\s5
\v 23 વિશ્રામવારના દિવસે, ઈસુ તેમના શિષ્યો સાથે અનાજનાં ખેતરોમાં થઈને જઈ રહ્યા હતા. જ્યારે તેઓ તે અનાજનાં ખેતરોમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે શિષ્યો અનાજના કેટલાક કણસલાં તોડી રહ્યા હતા.
\v 24 કેટલાક ફરોશીઓએ તેઓ જે કરી રહ્યા હતા તે જોયું અને ઈસુને કહ્યું, "જુઓ! તેઓ વિશ્રામવારને લગતા યહૂદી નિયમને તોડી રહ્યા છે. તેઓ આવું શા માટે કરે છે?"
\s5
\v 25 ઈસુએ તેઓને કહ્યું, "દાઉદ રાજા અને તેની સાથેના માણસો જ્યારે ભૂખ્યા હતા તે વિષે શું તમે શાસ્ત્રમાં કદી વાંચ્યું નથી?
\v 26 અબ્યાથાર પ્રમુખ યાજક હતો તે સમયે, દાઉદ ઈશ્વરના ઘરમાં પ્રવેશ્યો અને થોડી રોટલીની માંગણી કરી. પ્રમુખ યાજકે ઈશ્વરની સામે મૂકવામાં આવેલી રોટલીમાંથી થોડી તેને આપી. આપણા નિયમ પ્રમાણે, માત્ર યાજક જ આ રોટલી ખાઈ શકે! પણ દાઉદે તેમાંથી થોડી ખાધી. પછી તેની સાથે જે બીજા માણસો હતા તેઓને પણ તેણે તેમાંથી થોડી આપી."
\s5
\v 27 ઈસુએ આગળ તેઓને કહ્યું, "વિશ્રામવાર તો લોકોની જરૂરિયાતને માટે સ્થાપિત કરવામાં આવ્યો છે. લોકોને વિશ્રામવારની જરૂરિયાત પૂરી કરવા માટે બનાવવામાં આવ્યા નથી!
\v 28 જેથી, સ્પષ્ટપણે સમજો કે, માણસનો દીકરો, વિશ્રામવારનો પણ પ્રભુ છે!"
\s5
\c 3
\p
\v 1 બીજા વિશ્રામવારે ઈસુ ફરીથી સભાસ્થાનમાં ગયા. ત્યાં એક માણસ હતો જેનો હાથ સૂકાઈ ગયો હતો.
\v 2 ફરોશી સમુદાયના કેટલાક માણસો તેમને ધ્યાનપૂર્વક જોતા હતા કે તેઓ વિશ્રામવારે તે માણસને સાજો કરશે કે નહિ; તેમને કંઈ ખોટું કરતા જોઈને તેઓ તેમના પર દોષ મૂકવા માંગતા હતા.
\s5
\v 3 જે માણસનો હાથ સૂકાઈ ગયો હતો તેને ઈસુએ કહ્યું, "અહીં બધાની સામે ઊભો થા!" તેથી તે માણસ ઊભો થયો.
\v 4 પછી ઈસુએ લોકોને કહ્યું, "ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા તે લોકોને વિશ્રામવારે ભલું કરવાની પરવાનગી આપે છે કે ખોટું કરવાની? નિયમો આપણને વિશ્રામવારે વ્યક્તિનું જીવન બચાવવાની પરવાનગી આપે છે, કે વ્યક્તિને મદદ કરવાનો ઇનકાર કરીને તેને મરણ પામવા છોડી દેવાની?" પણ તેઓએ કોઈ પ્રત્યુત્તર આપ્યો નહિ.
\s5
\v 5 તેમણે તે સર્વની તરફ ગુસ્સાથી જોયું. તે ઘણા નિરાશ થયા કારણ કે તેઓ ખૂબ હઠીલા હતા અને તે માણસને મદદ કરવાની ઇચ્છા રાખતા ન હતા. તેથી તેમણે તે માણસને કહ્યું, "તારો હાથ લાંબો કર!" જ્યારે તે માણસે તેનો સુકાઈ ગયેલો હાથ લાંબો કર્યો ત્યારે, તે ફરીથી સાજો થઈ ગયો!
\v 6 ફરોશીઓ સભાસ્થાનમાંથી જતા રહ્યા. તેઓ તરત જઈને કેટલાક યહૂદીઓને મળ્યા જેઓ હેરોદ આંતીપાસ, કે જે ગાલીલ જીલ્લા પર વહીવટ કરતો હતો તેની તરફેણમાં હતા. ઈસુને કેવી રીતે મારી નાખી શકાય તે માટે તેઓએ સાથે મળીને યોજના બનાવી.
\p
\s5
\v 7 ઈસુ અને તેમના શિષ્યો તે નગર છોડીને ગાલીલ સમુદ્રના બીજા પ્રદેશ તરફ ગયા. લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો. જે લોકો તેમની પાછળ ગયા તેઓ ગાલીલ અને યહૂદિયા,
\v 8 યરુશાલેમ, યહૂદિયા જીલ્લાના નગરોમાંથી, અદુમ જીલ્લામાંથી, યર્દન નદીની પૂર્વ તરફના પ્રદેશમાંથી, તેમજ તૂર અને સિદોન શહેરોની આસપાસના પ્રદેશોમાંથી આવતા હતા. તેઓ બધા તેમની પાસે આવ્યા કારણ કે તેઓ જે કરતા હતા તે વિષે તેઓએ સાંભળ્યું હતું.
\s5
\v 9-10 તેમણે ઘણા લોકોને સાજા કર્યા હતા તેથી વિવિધ રોગોથી પીડાતા ઘણા લોકો તેમને સ્પર્શ કરવા માટે પડાપડી કરતા હતા. તેઓ એવું માનતા હતા કે તેઓ માત્ર તેમને સ્પર્શ કરશે તોપણ, તેઓ સાજા થશે. તેથી તેમણે તેમના શિષ્યોને એક નાની હોડી લાવવા માટે કહ્યું કે જેથી જ્યારે લોકો તેમને સ્પર્શ કરવા માટે આગળ વધે ત્યારે તેમને કચડી ન નાખે.
\s5
\v 11 જ્યારે પણ દુષ્ટાત્માઓ ઈસુને જોતા ત્યારે, તેઓ જે લોકો તેમના નિયંત્રણમાં હતા તેઓને ઈસુના પગ પાસે પાડી નાખતા અને તેમને બૂમ પાડતા, "તમે ઈશ્વરના પુત્ર છો!"
\v 12 ઈસુએ તે દુષ્ટાત્માઓને ભારપૂર્વક આજ્ઞા કરી કે ઈસુ કોણ છે તેના વિષે તેઓએ કોઈને કહેવું નહી.
\p
\s5
\v 13 ઈસુ પહાડ તરફ ગયા. જ્યારે તેઓ ત્યાં ગયા ત્યારે, જેઓને તેઓ સાથે લેવા માગતા હતા તેઓને તેમણે બોલાવ્યા અને તેઓ તેમની સાથે ગયા.
\v 14 તેમણે બાર માણસોને નિયુક્ત કર્યા કે જેઓ તેમની સાથે રહે અને તે તેઓને ઉપદેશ કરવા માટે મોકલે. તેમણે તેઓને પ્રેરિતો કહ્યા.
\v 15 દુષ્ટાત્માઓને લોકોમાંથી કાઢવા માટે તેઓ ફરજ પાડી શકે તે માટે તેમણે તેઓને સામર્થ્ય આપ્યું.
\v 16 તેમણે નિયુક્ત કરેલા બાર માણસો આ પ્રમાણે હતા: સિમોન, કે જેને ઈસુએ પિતર એવું નવું નામ આપ્યું;
\s5
\v 17 ઝબદીનો દીકરો યાકૂબ અને તેનો ભાઈ યોહાન, તેઓ બંનેને તેઓના જબરજસ્ત ઉત્સાહને કારણે તેમણે 'ગર્જનાના દીકરા' એવું નવું નામ આપ્યું;
\v 18 આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અને યાકૂબ કે જે આલ્ફીયસનો દીકરો હતો; થાદી; સિમોન ઝલોત;
\v 19 અને યહૂદા ઈશ્કરિઓત (કે જેણે પછીથી તેમનો વિશ્વાસઘાત કર્યો).
\p
\s5
\v 20 ઈસુ અને તેમના શિષ્યો ઘરમાં ગયા. જ્યાં તેઓ રહેતા હતા ત્યાં ટોળું ફરી એકઠું થયું. ઘણા લોકો તેમને ઘેરી વળ્યા. તેમને અને તેમના શિષ્યોને ખાવાનો પણ સમય મળતો ન હતો.
\v 21 જ્યારે તેમના સંબંધીઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓ તેમને તેમની સાથે ઘરે લઇ જવા આવ્યા કારણ કે કેટલાક લોકો એવું કહેતા હતા કે તે ઘેલો થઈ ગયો છે.
\p
\v 22 કેટલાક માણસો જેઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓ યરુશાલેમથી આવ્યા. તેઓએ સાંભળ્યું કે ઈસુ દુષ્ટાત્માઓને લોકોમાંથી બહાર જવા ફરજ પાડે છે. તેથી તેઓ લોકોને કહેવા લાગ્યા, "બાલઝબુલ, જે દુષ્ટાત્માઓ પર અધિકાર ધરાવે છે, તે ઈસુને નિયંત્રિત કરે છે. તે એ જ છે કે જે ઈસુને લોકોમાંના દુષ્ટાત્માઓને નીકળવા ફરજ પાડવાની શક્તિ આપે છે!"
\s5
\v 23 તેથી ઈસુએ તે માણસોને તેમની પાસે બોલાવ્યા. ઈસુએ તેઓની સાથે ઉદાહરણ દ્વારા વાત કરી અને કહ્યું, "શેતાન કેવી રીતે શેતાનને કાઢી શકે?
\v 24 જો કોઈ એક જ દેશના લોકો અંદરોઅંદર એકબીજા સાથે લડાઈ કરે તો, તેમના દેશની એકતા ભાંગી પડશે.
\v 25 અને જો એક જ ઘરમાં સાથે રહેતા લોકો એકબીજા સાથે લડાઈ કરે તો, તેઓ એક કુટુંબ તરીકે એકતાથી રહી શકે નહીં.
\s5
\v 26 તેવી જ રીતે, જો શેતાન અને તેના દુષ્ટાત્માઓ એકબીજા સાથે લડાઈ કરતા હોય તો, તેઓ બળવાન થવાને બદલે નિર્બળ થઈ જશે.
\v 27 કોઈ બળવાન માણસના ઘરમાં પેસીને તે બળવાન માણસને પહેલા બાંધ્યા સિવાય કોઈ તેની સંપત્તિ તેની પાસેથી પડાવી શકતો નથી. તે પછી જ તે માણસના ઘરમાં રહેલી વસ્તુઓને તે ચોરી શકશે."
\s5
\v 28 ઈસુએ એ પણ કહ્યું, "આ બાબતને કાળજીથી ધ્યાનમાં લો! લોકો ઘણી રીતે પાપ કરી શકે છે અને ઈશ્વર વિષે દુષ્ટ બાબતો બોલી શકે છે. તોપણ ઈશ્વર તેમને માફ કરી શકે છે,
\v 29 પણ જો કોઈ પવિત્ર આત્મા વિષે દુષ્ટ શબ્દો બોલે તો, ઈશ્વર તેમને કદી માફ નહી કરે. તે વ્યક્તિ પર અનંતકાળને માટે પાપનો દોષ રહે છે."
\p
\v 30 ઈસુએ આવું કહ્યું કારણ કે તેઓ કહી રહ્યા હતા કે, "દુષ્ટ આત્માએ તેમને નિયંત્રણમાં લીધા છે!"
\s5
\v 31 ઈસુની માતા અને નાના ભાઈઓ આવી પહોંચ્યા. જ્યારે તેઓ બહાર ઊભાં હતાં ત્યારે, તેમણે કોઈકને તેમને બહાર બોલાવવા માટે અંદર મોકલ્યો.
\v 32 ઈસુની આસપાસ ટોળું બેઠેલું હતું. તેઓમાંના કોઈકે કહ્યું, "તમારી માતા અને નાના ભાઈઓ બહાર આવ્યા છે. તેઓ તમને મળવા માંગે છે."
\s5
\v 33 ઈસુએ તેઓને પૂછ્યું, "મારી માતા કોણ છે? મારા ભાઈઓ કોણ છે?"
\v 34 તેમની સાથે જેઓ બેઠા હતા તેમની તરફ જોયા પછી તેમણે કહ્યું, "અહીં જુઓ! તમે મારી માતા અને મારા ભાઈઓ છો.
\v 35 જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે તે મારો ભાઈ, મારી બહેન, કે મારી માતા છે!"
\s5
\c 4
\p
\v 1 બીજા એક સમયે ઈસુ ગાલીલના સમુદ્ર કિનારે લોકોને શિક્ષણ આપતા હતા. તેઓ શીખવી રહ્યા હતા ત્યારે, ખૂબ મોટો સમુદાય તેમની આસપાસ એકઠો થયો. તેઓ હોડીમાં ચઢી ગયા અને તેને ઊંડા પાણી તરફ હંકારી. પછી તેઓ હોડીમાં બેઠા જેથી તેઓ વધારે સારી રીતે સમુદાયને ઉપદેશ કરી શકે. લોકો તે સમયે પાણીની પાસે કિનારા પર હતા.
\v 2 પછી તેમણે તેઓને ઘણાં ઉદાહરણો શીખવ્યાં. જ્યારે તે તેઓને શીખવી રહ્યા હતા ત્યારે તેમણે આ કહ્યું:
\s5
\v 3 "સાંભળો: એક માણસ તેના ખેતરમાં કેટલાક બીજ વાવવા માટે ગયો.
\v 4 જ્યારે તે તેઓને જમીન પર વેરી રહ્યો હતો ત્યારે, તેઓમાંના કેટલાંક બીજ માર્ગ પર પડ્યાં. પછી કેટલાક પક્ષીઓ આવ્યાં અને તે બીજ ખાઈ ગયાં.
\v 5 બીજાં બીજ એવી જમીન પર પડ્યાં કે જ્યાં ખડક પર વધારે માટી ન હતી. તે બીજમાં ઝડપથી ફણગા ફૂટ્યા કારણ કે સૂર્યના તાપે તે ભીની માટીને તપાવી જે વધારે ઊંડી ન હતી.
\s5
\v 6 પણ જ્યારે સૂર્યનો તાપ તે નાના છોડ પર પડ્યો ત્યારે તે બળી ગયાં. પછી તેઓ સુકાઈ ગયા કારણ કે તેમના મૂળ ઊંડાં ન હતાં.
\v 7 તે વાવતો હતો ત્યારે, બીજાં બીજ એવી જમીન પર પડ્યાં કે જ્યાં કાંટાળા અને મૂળિયાં ધરાવતા છોડ હતા. તે બીજ વૃદ્ધિ પામ્યા, પણ કાંટાળા છોડ પણ વૃદ્ધિ પામ્યા અને તે સારા છોડને દબાવી દીધા. તેથી છોડમાંથી કઈ પાક ઊપજ્યો નહી.
\s5
\v 8 પરંતુ જ્યારે તે વાવતો હતો ત્યારે, બીજાં બીજ સારી જમીન પર પડ્યાં. તેના પરિણામે, તે ઊગ્યાં, તેઓ સારી વૃદ્ધિ પામ્યાં, અને પછી તેમણે ઘણો પાક ઉપજાવ્યો. માણસે જે બીજ વાવેલાં તેના કરતાં કેટલાક છોડે ત્રીસ ગણી ઊપજ આપી. કેટલાકે સાઠ ગણી ઊપજ આપી. કેટલાકે સો ગણી ઊપજ આપી."
\v 9 પછી ઈસુએ કહ્યું, "જો તમારે આ સમજવું હોય તો, મેં હમણાં તમને જે કહ્યું તેના પર તમારે ધ્યાન આપવું જોઈએ."
\p
\s5
\v 10 તે પછી, જ્યારે ઈસુ અને તેમના બાર શિષ્યો અને અન્ય અંગત અનુયાયીઓ સાથે હતા ત્યારે, તેઓએ તેમને ઉદાહરણો વિષે પૂછ્યું.
\v 11 તેમણે તેઓને કહ્યું, "ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરે છે તે વિશેનો સંદેશ હું તમને સમજાવીશ, પણ બીજાઓની સાથે હું ઉદાહરણો દ્વારા વાત કરીશ.
\q
\v 12 હું જે કરું છું તે જ્યારે તેઓ જોશે ત્યારે, તેઓ શીખશે નહિ.
\q હું જે કહું છું તે જ્યારે તેઓ સાંભળશે ત્યારે, તેઓ સમજશે નહિ.
\q જો તેઓ શીખે અને સમજે તો,
\q તેઓએ જે પાપ કર્યા છે તેના માટે તેઓ દુઃખી થાત અને પાપ કરવાનું બંધ કરવાનો નિર્ણય કરત,
\q અને ઈશ્વર તેઓને માફ કરત."
\p
\s5
\v 13 તેમણે તેઓને એ પણ કહ્યું, "શું તમે આ ઉદાહરણને સમજતા નથી? તો પછી હું તમને બીજા ઉદાહરણો શીખવીશ તે તમે કેવી રીતે સમજશો?
\v 14 મેં તમને જે ઉદાહરણ કહ્યું તેમાં, જે માણસ બીજ વાવતો હતો તે જે ઈશ્વરનો સંદેશ બીજાઓને શીખવે છે તેવી વ્યક્તિને દર્શાવે છે.
\v 15 કેટલાક લોકો તે માર્ગ જેવા છે કે જ્યાં કેટલાંક બીજ પડ્યાં. જ્યારે તેઓ ઈશ્વરનો સંદેશ સાંભળે છે ત્યારે, શેતાન તરત આવે છે અને તેમણે જે સાંભળ્યું હતું તે ભુલાવી દે છે.
\s5
\v 16 કેટલાક લોકો એવી જમીન જેવા છે કે જ્યાં ખડક પરની માટી વધારે ઊંડી ન હતી. જ્યારે તેઓએ ઈશ્વરનો સંદેશ સાંભળ્યો ત્યારે, તેઓએ આનંદથી તરત જ તેને સ્વીકારી લીધો.
\v 17 પણ, તે સંદેશ વધારે વૃદ્ધિ પામ્યો નહીં, તેઓએ માત્ર થોડા સમય પૂરતો તેના પર વિશ્વાસ કર્યો. તેઓ એવા છોડના જેવા છે કે જેનાં મૂળ ઊંડા ઊતર્યા નથી. ઈશ્વરનો સંદેશ સ્વીકારવાને લીધે જ્યારે બીજાઓ તેમની સાથે ખરાબ વર્તન કરે કે તેમને પીડા આપે ત્યારે, તે લોકો જેઓ સહન કરી રહ્યા છે તેઓ તરત જ ઈશ્વરના સંદેશ પર વિશ્વાસ કરવાનું બંધ કરી દેશે.
\s5
\v 18 કેટલાક લોકો એવી જમીન જેવા છે કે જેમાં કાંટાળા ઝાંખરાં હોય.
\v 19 તે લોકો ઈશ્વરના સંદેશને સાંભળે છે પણ, તેઓને ખૂબ ધનવાન થવું છે અને બીજી ઘણી બાબતો પ્રાપ્ત કરવી છે. તેથી તેઓ તેમની પાસે જે છે માત્ર તેની જ ચિંતા કરે છે અને તેઓ ઈશ્વરનો સંદેશ ભૂલી જાય છે અને ઈશ્વર તેમની પાસે જે કરાવવા માગે છે તે બાબતો તેઓ કરતા નથી.
\v 20 પરંતુ કેટલાક લોકો સારી જમીન જેવા છે. તેઓ ઈશ્વરના સંદેશને સાંભળે છે, તેને સ્વીકારે છે અને તેઓ તેના પર વિશ્વાસ કરે છે, અને ઈશ્વર તેમની પાસેથી જે કરાવવા માંગે છે તે બાબતો તેઓ કરે છે. તેઓ એવા સારા છોડના જેવા છે કે જે ત્રીસ, સાઠ, કે સો ગણી ઊપજ આપે છે."
\p
\s5
\v 21 તેમણે તેઓને બીજું ઉદાહરણ કહ્યું: "લોકો મોટાભાગે તેલનો દીવો પ્રગટાવીને તેને કોઈ ચીજ વડે તેના પ્રકાશને ઢાંકવા ઘરમાં લાવતા નથી. તેના બદલે, તેઓ તેને દીવી પર મૂકે છે જેથી તે પ્રકાશ આપી શકે.
\v 22 તેવી જ રીતે, જે બાબતો છુપાયેલી છે - તેના વિષે એક દિવસ બધા લોકો જાણશે, અને જે બાબતો ગુપ્તમાં બનેલી છે - તેને એક દિવસ બધા લોકો ખુલ્લા પ્રકાશમાં જોશે.
\v 23 જો તમારે આ સમજવું હોય તો, મેં હમણાં તમને જે કહ્યું તેના પર તમારે ધ્યાન આપવું જોઈએ."
\p
\s5
\v 24 પછી તેમણે તેઓને કહ્યું, "તમે મને જે કહેતાં સાંભળો છો તેને કાળજીપૂર્વક ધ્યાનમાં લો, જેથી હું તમને જે રીતે તે કહું છું તે જ પ્રમાણે ઈશ્વર તમને તે સમજાવે. તેઓ તમને તેથી પણ વધારે સમજાવશે.
\v 25 હું જે કહું છે તેને જેઓ ધ્યાનમાં લેશે અને સમજશે, તેઓને ઈશ્વર વધારે સમજવા શક્તિમાન કરશે. પણ હું જે કહું છું તે જેઓ કાળજીપૂર્વક ધ્યાનમાં નહીં લે તો તેઓ જે અગાઉથી જાણતા હશે તે પણ ભૂલી જશે."
\p
\s5
\v 26 ઈસુએ એ પણ કહ્યું, "જ્યારે ઈશ્વરે પોતાને રાજા તરીકે દર્શાવવાનું શરુ કર્યું છે ત્યારે, તે એક માણસના જેવું છે જેણે જમીન પર બીજ નાખ્યા.
\v 27 તે પછી તે વાવેલા બીજની ચિંતા કર્યા વગર રોજ રાત્રે સૂતો અને રોજ ઊઠતો. તે દરમ્યાન તે બીજ ઊગ્યાં અને તેઓ એવી રીતે વૃદ્ધિ પામ્યાં કે જેને તે સમજી શક્યો નહીં.
\v 28 તે જમીને પોતે જ તેની ઊપજ પેદા કરી. પહેલાં ફણગા ફૂટ્યા. પછી ફોતરાંમાંથી આખા દાણા દેખાવા લાગ્યા.
\v 29 જેવી તે ફસલ પાકી કે તરત જ તેણે કાપણી કરનારા લોકો મોકલ્યા કારણ કે તે ફસલ લણવાનો સમય હતો."
\p
\s5
\v 30 ઈસુએ તેઓને બીજું ઉદાહરણ કહ્યું. તેમણે કહ્યું, "જ્યારે ઈશ્વરે પોતાને રાજા તરીકે દર્શાવવાનું શરુ કર્યું છે ત્યારે, તે શાના જેવું છે? તેનું વર્ણન કરવા માટે હું કયા ઉદાહરણનો ઉપયોગ કરું?
\v 31 તે રાઈના બીજ જેવું છે. તમે જાણો છો કે જ્યારે આપણે રાઈના બીજને વાવીએ છીએ ત્યારે તેનું શું થાય છે. રાઈનું બીજ બધા જ બીજમાં સૌથી નાનું હોવા છતાં, તે મોટો છોડ બને છે.
\v 32 તેમને રોપવામાં આવે તે પછી, તે વૃદ્ધિ પામે છે અને બાગમાંના બીજા છોડ કરતાં વધારે મોટું થાય છે. તેની મોટી ડાળીઓ નીકળે છે જેથી પક્ષીઓ તેમની છાયામાં માળા બાંધી શકે."
\p
\s5
\v 33 ઈસુ જ્યારે ઈશ્વરના સંદેશ વિષે લોકોને કહેતા હતા ત્યારે તેમણે ઘણા ઉદાહરણોનો ઉપયોગ કર્યો. જો તેઓ થોડું સમજી શકવા શક્તિમાન હતા તો તેઓ તેમને વધારે જણાવવા લાગ્યા.
\v 34 જ્યારે તેઓ તેમની સાથે વાત કરતા ત્યારે હંમેશાં ઉદાહરણોનો ઉપયોગ કરતા. પરંતુ જ્યારે તેમના શિષ્યો તેમની સાથે એકલા હોય ત્યારે તેઓ તેમને ઉદાહરણો સમજાવતા.
\p
\s5
\v 35 તે જ દિવસે, સૂર્યાસ્તના સમયે, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, "આપણે સરોવરને પેલે પાર જઈએ."
\v 36 ઈસુ તો હોડીમાં જ હતા, તેથી તેઓ લોકોના સમુદાયને રહેવા દઈને હોડી દ્વારા દૂર ગયા. બીજા લોકો પણ તેમની હોડીઓમાં બેસીને તેમની સાથે ગયા.
\v 37 ભારે પવન ફૂંકાવાનો શરુ થયો અને મોજાંઓ હોડીમાં આવવા લાગ્યાં! હોડી ઝડપથી પાણીથી ભરાવા લાગી!
\s5
\v 38 ઈસુ હોડીની પાછળના ભાગે હતા. તેઓ ઓશિકા પર માથું મૂકીને સૂઈ ગયા હતા. તેથી તેઓએ તેમને જગાડ્યા અને તેમને કહ્યું, "ગુરુજી! અમે મરી રહ્યા છે તેની શું તમને ચિંતા નથી?"
\v 39 તેથી ઈસુ ઊઠ્યા અને પવનને ધમકાવ્યો અને સમુદ્રને કહ્યું, "શાંત થા! સ્થિર થા!" પવન ફૂંકાતો બંધ થયો અને સમુદ્ર એકદમ શાંત થઈ ગયો.
\s5
\v 40 તેમણે શિષ્યોને કહ્યું, "તમે શા માટે ગભરાઈ ગયા? શું હજુ પણ તમને વિશ્વાસ નથી?"
\v 41 તેઓ ખૂબ ભયભીત થયા. તેમણે એકબીજાને કહ્યું, "આ માણસ કોણ છે? પવન અને મોજા પણ તેમનું માને છે!"
\s5
\c 5
\p
\v 1 ઈસુ અને તેમના શિષ્યો ગાલીલ સમુદ્રની પેલે પાર આવી પહોંચ્યા. તેઓ જ્યાં ઊતર્યા તેને લોકો ગેરાસાનીઓનો પ્રદેશ કહેતા હતા.
\v 2 જ્યારે ઈસુ હોડીમાંથી ઊતર્યા, ત્યારે એક માણસ કબ્રસ્તાનમાંથી બહાર નીકળી આવ્યો. દુષ્ટાત્માઓએ તે માણસનો કબજો લીધો હતો.
\s5
\v 3 તે માણસ કબ્રસ્તાનમાંથી બહાર નીકળી આવ્યો કારણ કે તે કબરોમાં રહેતો હતો. લોકો તેને જાણતા હતા અને કેટલીક વાર તેઓએ તેને બાંધવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તેઓ તેને સાંકળોથી પણ બાંધી શક્યા ન હતા.
\v 4 જ્યારે તેઓ તેને સાંકળો તથા બેડીઓ વડે બાંધતા હતા, ત્યારે તે તેઓને તોડી નાખતો હતો. તે એટલો શક્તિશાળી હતો કે કોઈ તેને વશ કરી શકતું ન હતું.
\s5
\v 5 તે દિવસ અને રાત કબ્રસ્તાનમાં પોતાનો સમય પસાર કરતો હતો. તે પહાડોમાં તથા કબરોમાં મોટેથી બૂમ પાડતો તથા ધારદાર પત્થરોથી પોતાને ઘાયલ કરતો હતો.
\v 6 જ્યારે તેણે દૂરથી ઈસુને હોડીમાંથી ઊતરીને આવતા જોયા, ત્યારે તે તેમની તરફ દોડી ગયો અને તેમને પગે પડ્યો.
\s5
\v 7-8 ઈસુ એ દુષ્ટાત્માને કહેતા હતા, "હે દુષ્ટાત્મા, તું આ માણસમાંથી નીકળ!" પરંતુ તે દુષ્ટાત્મા તરત નીકળી ગયો નહીં. તે મોટે ઘાંટે પોકારીને બોલ્યો, "હે ઈસુ, હું જાણું છું કે તમે ઈશ્વરના પુત્ર છો, તેથી આપણે એકબીજા સાથે કોઈ જ સંબંધ નથી. મને છોડી દો! ઈશ્વરના નામમાં હું તમને વિનંતી કરું છું. મને પીડા ન આપો!"
\s5
\v 9 ઈસુએ તેને પૂછ્યું, "તારું નામ શું છે?" તેણે ઉત્તર આપ્યો, "મારું નામ સેના છે કારણ કે આ માણસની અંદર અમે ઘણા દુષ્ટાત્માઓ છીએ."
\v 10 પછી તે દુષ્ટાત્માઓએ ઈસુને કહેવાનું ચાલુ રાખ્યું કે તેઓ તેમને તે પ્રદેશમાંથી બહાર ન મોકલે.
\s5
\v 11 તે જ સમયે, ત્યાં પહાડની નજીક ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું.
\v 12 તેથી દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી, "તે ભૂંડોમાં અમે પ્રવેશીએ માટે અમને તેઓમાં જવાની રજા આપો!"
\v 13 ઈસુએ તેઓને તે પ્રમાણે કરવાની રજા આપી. તેથી તે દુષ્ટાત્માઓ માણસમાંથી નીકળીને ભૂંડોમાં ગયા. તે ટોળું, જેની સંખ્યા આશરે બે હજાર હતી, તે ટેકરી પરથી નીચે સરોવરમાં ધસી ગયું, જ્યાં તે ડૂબી ગયું.
\p
\s5
\v 14 જે માણસો ભૂંડો ચરાવતા હતા તેઓએ દોડીને જે બન્યું હતું તેના વિષે નગરમાં અને ગામડાઓમાં ખબર આપી. ઘણા લોકો જે બન્યું હતું તે જાતે જ જોવા માટે ગયા.
\v 15 ઈસુ જ્યાં હતા તે જગ્યાએ તેઓ આવ્યા. પછી તેઓએ તે માણસને કે જે પહેલાં દુષ્ટાત્માઓના કબ્જામાં હતો તેને જોયો. તે ત્યાં કપડા પહેરેલો અને માનસિક રીતે શાંત બેઠેલો હતો. જ્યારે તેઓએ આ બધું જોયું ત્યારે તેઓને બીક લાગી.
\s5
\v 16 જે લોકોએ તે ઘટના જોઈ હતી કે તેઓએ જે માણસ પહેલા દુષ્ટાત્માઓના કબજામાં હતો તેની સાથે જે બન્યું હતું તેનું વર્ણન કર્યું. ભૂંડોની સાથે જે બન્યું તેનું પણ તેઓએ વર્ણન કર્યું.
\v 17 પછી લોકોએ ઈસુને વિનંતી કરી કે તેઓ તે પ્રદેશમાંથી જતા રહે.
\p
\s5
\v 18 જ્યારે ત્યાંથી જવા માટે ઈસુ હોડીમાં બેઠા ત્યારે, જે માણસને દુષ્ટાત્માઓએ અગાઉ પોતાના કબજામાં લીધો હતો તેણે ઈસુને વિનંતી કરી, "મહેરબાની કરીને મને તમારી સાથે આવવા દો!"
\v 19 પરંતુ ઈસુએ તેને પોતાની સાથે આવવા ન દીધો. તેના બદલે, તેમણે તેને કહ્યું, "તારા ઘરે તારા કુટુંબ પાસે જા અને ઈશ્વરે તારા માટે કેટલું બધું કર્યું છે, અને ઈશ્વરે તારા પ્રત્યે કેટલી દયા કરી છે તે તેઓને કહે."
\v 20 તેથી તે માણસ ગયો અને તે જીલ્લાના દસ નગરોમાં ફર્યો. ઈસુએ તેના માટે કેટલું બધું કર્યું તે વિષે તેણે લોકોને કહ્યું. જે બધાએ તે માણસે જે કહ્યું તે સાંભળ્યું ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા.
\p
\s5
\v 21 ઈસુ અને તેમના શિષ્યો હોડીમાં બેસીને જ્યાં તેઓ અગાઉ હતા ત્યાં ગાલીલ સમુદ્રને પેલે પાર ગયા. જ્યારે તેઓ કિનારે આવી પહોંચ્યા, ત્યારે એક મોટું ટોળું ઈસુની આસપાસ એકઠું થયું.
\v 22 એક માણસ જે સભાસ્થાનનો અધિકારી હતો, જેનું નામ યાઈરસ હતું, તે ત્યાં આવ્યો. જ્યારે તેણે ઈસુને જોયા, ત્યારે તે તેમને પગે પડી ગયો.
\v 23 પછી તેણે ઈસુને આતુરતાથી વિનંતી કરીને કહ્યું, "મારી દીકરી બીમાર છે અને મરણ પામી રહી છે! મહેરબાની કરીને મારા ઘરે આવો અને તમારા હાથ તેના પર મૂકો. તેને સાજી કરો અને તેને જિવાડો!"
\v 24 તેથી ઈસુ અને તેમના શિષ્યો તેની સાથે ગયા. મોટું ટોળું તેમની પાછળ ગયું અને ઘણા ઈસુની નજીક જવા પડાપડી કરવા લાગ્યા.
\s5
\v 25 તે ટોળામાં એક સ્ત્રી હતી જેને રક્તસ્રાવની બીમારી હતી. તેને બાર વર્ષથી રોજ લોહી વહ્યા કરતું હતું.
\v 26 વૈદોએ વર્ષો સુધી તેની સારવાર કરી તે દરમ્યાન તેણે ઘણું સહન કર્યું હતું. તેણે તેની પાસેનાં બધા જ નાણાંં વૈદોને ચૂકવી દીધા હતાં તેમ છતાં તેઓએ જે સારવાર કરી, તેનાથી તેને સારું થવાને બદલે વધારે ખરાબ થયું.
\v 27 જ્યારે તેણે સાંભળ્યું કે ઈસુ લોકોને સાજા કરે છે, ત્યારે તેઓ જ્યાં હતા ત્યાં તે આવી અને ટોળામાં ઈસુની પાછળ નજીક જવા આગળ વધી.
\s5
\v 28 તે વિચારતી હતી, "જો હું તેમને સ્પર્શું કે માત્ર તેમનાં કપડાંને પણ સ્પર્શું તો, તેનાથી હું સાજી થઈશ." તેથી તેણે ઈસુનાં કપડાંને સ્પર્શ કર્યો.
\v 29 તરત જ તેનો રક્તસ્રાવ બંધ થયો. તે જ સમયે, તેણે તેની પોતાની અંદર અનુભવ્યું કે તે તેની બીમારીમાંથી સાજી થઈ છે.
\s5
\v 30 ઈસુએ પણ તરત જ તેમનામાં અનુભવ્યું કે તેમના પરાક્રમથી કોઈક સાજું થયું છે. તેથી તેમણે પાછળ ફરીને ટોળામાં જોયું અને પછી પૂછ્યું, "કોણે મારાં કપડાંને સ્પર્શ કર્યો?"
\v 31 તેમના શિષ્યોએ જવાબ આપ્યો, "તમે જોઈ શકો છો કે ઘણા લોકો તમારી ઉપર પડાપડી કરે છે! કદાચ ઘણા લોકોએ તમને સ્પર્શ કર્યો હશે! તો તમે કેમ આવું પૂછો છો, 'કોણે મને સ્પર્શ કર્યો?'"
\v 32 પણ કોણે તે પ્રમાણે કર્યું તે જોવા માટે ઈસુ આસપાસ જોવા લાગ્યા.
\s5
\v 33 તે સ્ત્રી ઘણી ભયભીત થઈ અને ધ્રૂજવા લાગી. તે તેમને પગે પડી અને તેણે જે કર્યું હતું તે તેણે તેમને કહ્યું.
\v 34 તેમણે તેને કહ્યું, "દીકરી, હું તને સાજી કરી શકું છું એવો તેં વિશ્વાસ કર્યો તેના લીધે, મેં તને સાજી કરી છે. તારા હૃદયમાં શાંતિ સાથે તું તારા ઘરે જઈ શકે છે, કારણ કે હું તને વચન આપું છું કે તું ફરી આ રોગના કારણે હવે બીમાર થશે નહી."
\p
\s5
\v 35 જ્યારે ઈસુ હજુ તે સ્ત્રી સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે યાઈરસના ઘરેથી આવેલા કેટલાક લોકો ત્યાં આવી પહોંચ્યા. તેઓએ યાઈરસને કહ્યું, "તારી દીકરી હવે મરણ પામી છે. તેથી ગુરુને તારા ઘરે લાવીને, વધારે તકલીફ આપવાની જરૂર નથી!"
\s5
\v 36 પણ તે માણસોએ જે કહ્યું તે જ્યારે ઈસુએ સાંભળ્યું, ત્યારે તેમણે યાઇરસને કહ્યું, "પરીસ્થિતિ આશાવિહીન છે એવું વિચારીશ નહી! માત્ર એવો વિશ્વાસ કરવાનું ચાલુ રાખ કે તે જીવશે!"
\v 37-38 પછી તેમણે તેમના અંગત શિષ્યો પિતર, યાકૂબ અને યોહાનને યાઈરસના ઘરે આવવાની રજા આપી. તેમણે બીજા કોઈને તેમની સાથે આવવા ન દીધા. જ્યારે તેઓ ઘરની નજીક આવી પહોંચ્યા, ત્યારે ઈસુએ જોયું કે ત્યાં જે લોકો હતા તેઓ શોક કરી રહ્યા હતા. કેટલાક રડતા હતા અને બીજા વિલાપ કરતા હતા.
\s5
\v 39 તેઓ ઘરમાં પ્રવેશ્યા અને પછી તેઓને કહ્યું, "શા માટે તમે આટલા બધા દુઃખી છો અને રડો છો? બાળક મરણ પામ્યું નથી, પણ તે માત્ર ઊંઘી ગયું છે."
\v 40 લોકોએ તેમની હાંસી ઉડાવી, કારણ કે તેઓ જાણતા હતા કે તે મરણ પામી છે. તેમણે બીજા બધા જ લોકોને ઘરની બહાર મોકલી દીધા. પછી તેમણે બાળકના પિતા અને માતા અને ત્રણ શિષ્યો જે તેમની સાથે હતા તેઓને લીધા. તેઓ ઓરડીમાં જ્યાં બાળક સૂતું હતું ત્યાં ગયા.
\s5
\v 41 તેમણે બાળકનો હાથ તેમના હાથમાં લીધો અને તેની પોતાની ભાષામાં તેને કહ્યું, "ટલિથા કૂમ!" એટલે કે, "નાની છોકરી, ઊઠ!"
\v 42 તરત જ તે છોકરી ઊભી થઇ અને ચાલવા લાગી. (તે ચાલી શકે છે તેમાં કોઈ આશ્ચર્ય ન હતું, કારણ કે તે બાર વર્ષની હતી.) જ્યારે આ બન્યું, ત્યારે જેઓ ત્યાં હાજર હતા તેઓ ખૂબ અચરત થયા.
\v 43 ઈસુએ તેઓને તાકીદ કરી, "મેં જે કર્યું છે તેના વિષે કોઈને કશું કહેતા નહી!" પછી તેમણે તેઓને કહ્યું કે છોકરીને ખાવા માટે કંઈક આપો.
\s5
\c 6
\p
\v 1 ઈસુ કપરનાહૂમ છોડ્યા પછી તેમના પોતાના નગર, નાસરેથ ગયા. તેમના શિષ્યો તેમની સાથે ગયા.
\v 2 વિશ્રામવારે, તેઓ સભાસ્થાનમાં પ્રવેશ્યા અને લોકોને શિક્ષણ આપ્યું. ઘણા લોકો જેઓ તેમને સાંભળી રહ્યા હતા તેઓ આશ્ચર્ય પામ્યા. તેઓને નવાઈ લાગી કે આ બધું જ્ઞાન અને ચમત્કારો કરવાનું સામર્થ્ય તેમણે ક્યાંથી મેળવ્યું.
\v 3 તેઓએ કહ્યું, "તે એક સાધારણ સુથાર છે! અમે તેને અને તેના કુટુંબને ઓળખીએ છીએ! અમે તેની માતા મરિયમને ઓળખીએ છીએ! અમે તેના નાના ભાઈઓ યાકૂબ, યોસે, યહૂદા અને સિમોનને ઓળખીએ છીએ! અને તેની નાની બહેનો પણ અહીં અમારી સાથે રહે છે!" તેથી તેઓએ તેમના પ્રત્યે અણગમો બતાવ્યો.
\s5
\v 4 ઈસુએ તેઓને કહ્યું, "તે ખરેખર સાચું છે કે બીજે બધે લોકો મને અને બીજા પ્રબોધકોને માન આપે છે, પણ અમારા પોતાના વતનમાં નહી! અમારા સગાઓ અને જે લોકો અમારા પોતાના ઘરમાં રહે છે તેઓ પણ અમને માન આપતા નથી!"
\p
\v 5 તેથી, જો કે ત્યાં તેમણે કેટલાક બીમાર લોકોને સાજા કર્યા છતાં, તેઓ બીજા કોઈ ચમત્કાર ત્યાં કરી શક્યા નહી.
\v 6 લોકોના અવિશ્વાસને લીધે તેઓ આશ્ચર્ય પામ્યા, પરંતુ તેઓ તેમના ગામોમાં ફર્યા અને તેઓને શીખવ્યું.
\s5
\v 7 એક દિવસ તેમણે બાર શિષ્યોને સમૂહમાં બોલાવ્યા, અને પછી તેઓને કહ્યું કે તેઓ તેમને બે બે ની જોડીમાં લોકોને શિક્ષણ આપવા માટે વિવિધ નગરોમાં મોકલવાના છે. તેમણે તેમને લોકોમાંથી દુષ્ટાત્માઓને કાઢવાની શક્તિ આપી.
\v 8-9 તેમણે તેઓને ચંપલ પહેરવાની પણ સૂચના આપી અને જ્યારે તેઓ મુસાફરી કરતા હોય ત્યારે સાથે લાકડી લેવાનું કહ્યું. તેમણે તેઓને તેમની મુસાફરી માટે ખોરાક, અને જરૂરની વસ્તુઓથી ભરેલી થેલી, કે કોઈ નાણાંં સાથે લેવાની મનાઈ કરી. તેમણે તેઓને વધારાનો ઝભ્ભો પણ લેવા માટે પરવાનગી આપી નહીં.
\s5
\v 10 તેમણે તેઓને એ પણ સૂચના આપી, "તમે નગરમાં પ્રવેશ કરો તે પછી, જો કોઈ તમને પોતાના ઘરમાં રહેવા આમંત્રણ આપે, તો તેમના ઘરમાં જાઓ. તમે તે નગર છોડો ત્યાં સુધી તે જ ઘરમાં રહો, જમો અને સૂઓ.
\v 11 જ્યારે પણ લોકો તમારો આવકાર ન કરે અને જ્યારે પણ લોકો તમારું ન સાંભળે, ત્યારે તમે તે જગ્યા છોડતી વખતે તમારા પગમાંથી ધૂળ ખંખેરી નાખો. તેમ કરવાથી, તમે એ સાક્ષી આપો છો કે તેઓએ તમારો આવકાર કર્યો નહી."
\s5
\v 12 તેથી શિષ્યો વિવિધ નગરોમાં ગયા તે પછી, તેઓ લોકોને ઉપદેશ કરતા હતા કે તેમણે પાપ કર્યું છે તે માટે તેઓએ દુઃખી થઈને તે કરવાનું બંધ કરવાનો નિર્ણય કરવો જોઈએ, કે જેથી ઈશ્વર તેઓને માફ કરે.
\v 13 તેઓ ઘણા દુષ્ટાત્માઓને લોકોમાંથી નીકળવાનું દબાણ કરતા હતા, અને તેઓ ઘણા બીમાર લોકોને જૈતૂન તેલ વડે અભિષેક કરીને તેમને સાજા કરતા હતા.
\p
\s5
\v 14 હવે ઈસુ જે કરી રહ્યા હતા તે વિષે હેરોદ આંતીપાસે સાંભળ્યું, કારણ કે ઘણા લોકો તેના વિષે વાતો કરતા હતા. કેટલાક લોકો ઈસુ વિષે કહેતા હતા, "તે યોહાન બાપ્તિસ્મી હોવા જોઈએ! તે મરણમાંથી સજીવન થયા છે! એટલા માટે જ તેમની પાસે આ ચમત્કારો કરવા માટે ઈશ્વરનું સામર્થ્ય છે!"
\v 15 બીજા લોકો ઈસુ વિષે કહેતા હતા, "તેઓ પ્રાચીન એલિયા પ્રબોધક છે, જેને ફરી પાછા મોકલવાનું ઈશ્વરે વચન આપ્યું હતું." બીજાઓ ઈસુ વિષે કહેતા હતા, "ના, લાંબા સમય અગાઉ જે પ્રબોધકો થઇ ગયા, તેમના કરતા તેઓ અલગ પ્રબોધક છે."
\s5
\v 16 લોકો જે કહેતા હતા તે સાંભળીને, રાજા હેરોદ આંતીપાસે પોતે કહ્યું, "તે ચમત્કારો કરનાર માણસ યોહાન હોવો જોઈએ! મેં મારા સૈનિકોને તેનું માથું કાપી નાખવાની આજ્ઞા કરી હતી, પણ તે ફરીથી જીવતો થયો છે!"
\v 17 આ બન્યું તેના કેટલાક સમય અગાઉ, હેરોદે હેરોદિયા કે જે તેના ભાઈ ફિલિપની, પત્ની હતી, તેની સાથે લગ્ન કર્યાં હતાં.
\s5
\v 18 યોહાન હેરોદને કહેતો રહ્યો કે, "તારો ભાઈ જીવે છે ત્યાં સુધી તું તેની પત્ની સાથે લગ્ન કરે તે માટે ઈશ્વરના નિયમો પરવાનગી આપતા નથી." પછી, હેરોદિયાએ તેને આજીજી કરી કે તે યોહાનને જેલમાં પૂરે, હેરોદે જાતે જ તેના સૈનિકોને યોહાન પાસે મોકલ્યા. તેઓએ યોહાનની ધરપકડ કરી અને તેને જેલમાં પૂર્યો.
\v 19 પણ હેરોદિયા યોહાન પર હજુ વધારે બદલો વાળવા ઇચ્છતી હતી, તે ઇચ્છતી હતી કે કોઈ તેને મારી નાખે. પરંતુ તે તે પ્રમાણે કરી શકી નહી કારણ કે જ્યારે યોહાન જેલમાં હતો, ત્યારે હેરોદે યોહાનને તેણીથી સલામત રાખ્યો હતો.
\v 20 હેરોદે તે પ્રમાણે કર્યું કારણ કે તે યોહાનને માન આપતો હતો, કારણ કે તે જાણતો હતો કે તે ન્યાયી માણસ હતો કે જેણે પોતાની જાતને ઈશ્વર પ્રત્યે સમર્પિત કરી હતી. રાજા તેનાથી નાખુશ હતો અને તેની સાથે શું કરવું તે જાણતો ન હતો, પણ તેને સાંભળવાનું રાજાને ગમતું હતું.
\s5
\v 21 પરંતુ હેરોદિયાને કોઈક મળી ગયું કે જે યોહાનને મારી નાખી શકે. એક દિવસ જ્યારે હેરોદના જન્મદિવસે તેઓએ તેને માન આપ્યું ત્યારે, તેણે ખૂબ અગત્યના સરકારી આગેવાનોને, તેમજ સૈન્યના મહત્વના અધિકારીઓને, અને ગાલીલ જીલ્લાના મહત્વના માણસોને જમવા અને તેની સાથે ઉજવણી કરવા બોલાવ્યા હતા.
\v 22 જ્યારે તેઓ જમી રહ્યા હતા, ત્યારે હેરોદિયાની દીકરી ઓરડામાં આવી અને તેણે રાજા અને તેના મહેમાનો માટે નૃત્ય કર્યું. તેણે હેરોદ રાજાને તેમજ તેના મહેમાનોને એટલા ખુશ કર્યા કે તેણે તેને કહ્યું, "તારી જે પણ ઇચ્છા હોય તે તું મારી પાસે માગ અને હું તે તને આપીશ!"
\s5
\v 23 તેણે તેને એમ પણ કહ્યું, "તું જે માગીશ, તે હું તને આપીશ! જો તું માગશે તો, હું તને મારા રાજ્યનો અડધો ભાગ પણ આપી દઈશ.
\v 24 તે છોકરી તરત તે ઓરડામાંથી નીકળીને પોતાની માતા પાસે ગઈ. રાજાએ તેને જે કહ્યું હતું તે તેણે તેને જણાવ્યું, અને તેને પૂછ્યું, "મારે શું માંગવું જોઈએ? "તેની માતાએ ઉત્તર આપ્યો, "રાજા પાસે માંગ કે તે તને યોહાન બાપ્તિસ્મીનું માથું આપે!"
\v 25 તે છોકરી ઝડપથી ફરી તે રૂમમાં આવી. તે રાજા પાસે ગઈ અને તેણે કહ્યું, "હું ઇચ્છુ છું કે તમે કોઈને આદેશ કરો કે તે યોહાન બાપ્તિસ્મીનું માથું કાપીને મારી પાસે એક થાળમાં તરત જ લાવે!"
\s5
\v 26 તેણે જે માગ્યું તે સાંભળીને રાજા ખુબ નિરાશ થયો કારણ કે તે જાણતો હતો કે યોહાન ખૂબ ન્યાયી માણસ હતો. પરંતુ તેણે જે માંગ્યું તેને તે ના પાડી શક્યો નહીં કારણ કે તેણે તેને વચન આપ્યું હતું કે તે જે કઈ માંગશે તે તેને આપશે, અને તેના મહેમાનોએ પણ તેનું વચન સાંભળ્યું હતું.
\v 27 તેથી રાજાએ તરત આદેશ આપ્યો કે કોઈક જઈને યોહાનનું માથું કાપી લાવે અને તે છોકરીને આપે. તે માણસ જેલમાં ગયો અને યોહાનનું માથું કાપી લાવ્યો.
\v 28 તેણે તેને થાળમાં મૂક્યું, અને પછી લઇ આવ્યો, અને તે છોકરીને આપ્યું. છોકરીએ તે તેની માતાને આપ્યું.
\v 29 જે બન્યું હતું તેના વિષે જ્યારે યોહાનના શિષ્યોએ જાણ્યું, ત્યારે તેઓ જેલમાં ગયા અને યોહાનના શરીરને લઇ આવ્યા; પછી તેઓએ તેનું દફન કર્યું.
\p
\s5
\v 30 બાર શિષ્યો જે જગ્યાઓમાં ગયા હતા ત્યાંથી ઈસુની પાસે પાછા આવ્યા. તેમણે જે કર્યું હતું અને લોકોને શીખવ્યું હતું તેના વિષે તેમણે ઈસુને જણાવ્યું.
\v 31 તેમણે તેઓને કહ્યું, "જ્યાં લોકો રહેતા ન હોય તેવી જગ્યાએ મારી સાથે આવો, કે જેથી આપણને થોડું એકાંત મળે અને થોડીવાર આરામ મળે!" તેમણે આ પ્રમાણે કહ્યું કારણ કે ઘણા લોકો સતત તેમની પાસે આવતા જતા હતા, તેના પરિણામે ઈસુ અને તેમના શિષ્યોને ખાવાનો કે બીજું કંઈ પણ કરવાનો સમય મળતો ન હતો.
\v 32 તેથી તેઓ હોડીમાં બેસીને જ્યાં કોઈ રહેતું ન હોય તેવી જગ્યામાં ગયા.
\s5
\v 33 પરંતુ ઘણા લોકોએ તેમને જતા જોયા. તેઓએ તમને ઓળખ્યા કે તે ઈસુ અને તેમના શિષ્યો હતા, અને તેઓ ક્યાં જઈ રહ્યા હતા તે તેઓએ જોયું. તેથી તેઓ આસપાસના ગામોમાંથી જમીન માર્ગે દોડતા, જ્યાં ઈસુ અને તેમના શિષ્યો જઈ રહ્યા હતા ત્યાં તેમની આગળ પહોંચ્યા. તેઓ તો ખરેખર ઈસુ અને તેમના શિષ્યોની અગાઉ ત્યાં પહોંચી ગયા.
\v 34 ઈસુ અને તેમના શિષ્યો હોડીમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે મોટી ભીડ જોઈ. તેમને તેઓ પર કરુણા આવી કારણ કે તેઓ પાળક વગરના ઘેટા જેવા, ગૂંચવાઈ ગયેલા હતા. તેથી તેમણે તેમને ઘણી વાતો શીખવી.
\p
\s5
\v 35 બપોર પછી દિવસ નમતાં પહેલાં શિષ્યો તેમની પાસે આવ્યા અને તેમને કહ્યું, "આ એકાંત જગ્યા છે જ્યાં કોઈ રહેતું નથી અને ઘણું મોડું પણ થઈ ગયું છે.
\v 36 તેથી લોકોને વિદાય કરો કે જેથી આજુબાજુની જગ્યાઓમાં અને ગામોમાં જ્યાં લોકો રહે છે ત્યાં જઈને તેઓ કેટલોક ખોરાક વેચાતો લે!"
\s5
\v 37 પરંતુ તેમણે તેઓને પ્રત્યુત્તર આપ્યો, "ના, તમે તેઓને કંઈક ખાવાનું આપો!" તેઓએ તેમને જવાબ આપ્યો, "જો અમારી પાસે કોઈ માણસ ૨૦૦ દિવસ કામ કરીને કમાય તેટલા નાણાં હોય, તોપણ અમે આ ટોળાને ખવડાવવા માટે પૂરતી રોટલી ખરીદી શકીએ તેમ નથી!"
\v 38 પણ તેમણે તેઓને જવાબ આપતા કહ્યું, "તમારી પાસે કેટલી રોટલી છે? જઈને તેની તપાસ કરો!" તેઓએ જઈને તપાસ કરી અને તેમને કહ્યું, "અમારી પાસે કેવળ પાંચ રોટલી અને શેકેલી બે માછલીઓ છે!"
\s5
\v 39 તેમણે શિષ્યોને આજ્ઞા આપી કે તેઓ લોકોને લીલા ઘાસમાં બેસાડે.
\v 40 તેથી લોકો જૂથોમાં બેઠા. કેટલાક જૂથમાં તેઓ પચાસ-પચાસના સમૂહમાં હતા અને કેટલાક જૂથોમાં તેઓ સો-સોના સમૂહમાં હતા.
\v 41 ઈસુએ પાંચ રોટલી અને બે માછલીઓ લીધી. તેમણે આકાશ તરફ જોઈને તે માટે ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે રોટલી અને માછલીઓના ટુકડા કરીને શિષ્યોને આપવાનું શરુ કર્યું કે જેથી તેઓ લોકોને તે વહેંચે.
\s5
\v 42 તેઓ સર્વએ ધરાતાં સુધી તે ખોરાક ખાધો!
\v 43 શિષ્યોએ રોટલી અને માછલીમાંથી જે વધ્યું હતું તેની બાર ટોપલી ભરીને એકઠું કર્યું.
\v 44 જેઓએ રોટલી અને માછલી ખાધી તેઓ લગભગ પાંચ હજાર પુરુષો હતા. સ્ત્રીઓ અને બાળકોની તો તેમણે ગણતરી જ ન કરી.
\p
\s5
\v 45 તરત જ ઈસુએ તેમના શિષ્યોને હોડીમાં બેસીને તેમની અગાઉ બેથસાઈદા, જે ગાલીલ સમુદ્રની બીજી તરફ છે ત્યાં જવા જણાવ્યું. તેઓ ત્યાં રોકાયા અને જે લોકો ત્યાં એકઠા થયા હતા તેઓને વિદાય કર્યા.
\v 46 તેમણે લોકોને વિદાય કર્યા પછી, તેઓ પ્રાર્થના કરવા માટે પહાડ પર ગયા.
\v 47 જ્યારે સાંજ થઇ હતી, ત્યારે શિષ્યોની હોડી સમુદ્રની મધ્યમાં હતી, અને ઈસુ પોતે જમીન પર હતા.
\s5
\v 48 તેમણે જોયું કે જ્યારે તેઓ હંકારી રહ્યા હતા ત્યારે પવન તેમની વિરુદ્ધ દિશામાં ફૂંકાઈ રહ્યો હતો. તેના પરિણામે, તેમને ખૂબ તકલીફ પડી રહી હતી. ઈસુ વહેલી સવારે, જ્યારે હજુ થોડું અંધારું હતું, ત્યારે ઈસુ પાણી પર ચાલીને તેમની પાસે પહોંચ્યા. તેઓ ચાલીને તેમની પાસે જવા માગતા હતા.
\v 49 શિષ્યોએ તેમને પાણી પર ચાલતા જોયા, પરંતુ તેઓએ વિચાર્યું કે તે આભાસ છે. તેઓએ ચીસ પાડી
\v 50 કારણ કે તેમણે તેઓને જોયા ત્યારે તેઓ બધા ડરી ગયા. પરંતુ તેમણે તેઓની સાથે વાત કરી. તેમણે તેઓને કહ્યું, "શાંત થાઓ! બીશો નહી, કારણ કે તે હું છું!"
\s5
\v 51 તેઓ હોડીમાં ચઢીને તેઓની સાથે બેઠા અને પવન ફૂંકાતો બંધ થયો. તેમણે જે કર્યું હતું તે જોઈને તેઓ ખૂબ અચરત થયા.
\v 52 તેઓએ ઈસુને રોટલી અને માછલીની વૃદ્ધિ કરતા જોયા, તે છતાં તેઓ કેટલા સામર્થ્યવાન હતા તે તેઓ સમજ્યા નહી. તે તેઓએ સમજવું જોઈતું હતું.
\p
\s5
\v 53 પછી તેઓ હોડીમાં બેસીને ગાલીલ સમુદ્રની પેલે પાર ગયા, તેઓ ગેન્નેસારેતના કિનારે આવી પહોંચ્યા. પછી તેઓએ હોડીને ત્યાં થોભાવી.
\v 54 જેવા તેઓ હોડીમાંથી ઊતર્યા કે તરત જ, ત્યાંના લોકોએ ઈસુને ઓળખી કાઢ્યા.
\v 55 તેથી તેઓ આખા જીલ્લામાં ઈસુ ત્યાં આવ્યા છે તે બીજાઓને કહેવા માટે દોડી ગયા. પછી લોકોએ જેઓ બીમાર હતા તેઓને ઝોળીમાં સુવડાવીને જ્યાં ઈસુ હતા તે જગ્યાએ લાવ્યા.
\s5
\v 56 કોઈપણ ગામમાં, નગરમાં કે સીમાડાની જગ્યાઓમાં જ્યાં તેઓ ગયા, ત્યાં તેઓ બીમાર લોકોને જાહેર જગ્યાઓમાં લાવતા. પછી બીમાર લોકો તેમને સ્પર્શ કરવા કે તેમનાં કપડાં ની કોરને પણ અડકવા દેવા ઈસુને વિનંતી કરવા લાગ્યા જેથી ઈસુ તેમને સાજા કરે. જેઓએ તેમને સ્પર્શ કર્યો કે તેમના ઝભ્ભાને સ્પર્શ કર્યો તેઓ સાજા થયા.
\s5
\c 7
\p
\v 1 એક દિવસ કેટલાક ફરોશીઓ અને યરુશાલેમથી આવેલા કેટલાક યહૂદી નિયમશાસ્ત્રના શિક્ષકો ઈસુની આસપાસ એકઠા થયા.
\s5
\v 2 ફરોશીઓએ ઘણીવાર જોયું હતું કે શિષ્યો હાથ ધોયા વગર જમતા હતા.
\v 3-4 તેઓ અને બીજા યહૂદીઓ તેમના પૂર્વજોએ શીખવેલી પ્રણાલિકાઓને ચુસ્ત રીતે પાળતા હતા. ખાસ કરીને તેઓ તેમના પ્યાલા, ઘડા, કીટલીઓ, વાસણો અને પથારીઓ વિશેષ રીતે સાફ કરતા હતા કે જેથી એ વસ્તુઓના વપરાશથી ઈશ્વર તેમનો નકાર ન કરે. ઉદાહરણ તરીકે, તેઓ ખાસ વિધિ પ્રમાણે હાથ ધૂએ નહિ ત્યાં સુધી ખોરાક લેવાનો ઇનકાર કરતા, ખાસ કરીને બજારમાંથી વસ્તુઓની ખરીદી કરીને પાછા આવે ત્યારે આવું કરતા હતા. એવી બીજી ઘણી પ્રણાલિકાઓ હતી જે તેઓએ સ્વીકારી હતી અને તે પાળવાનો પ્રયત્ન કરતા હતા.
\p
\s5
\v 5 તે દિવસે, તે ફરોશીઓએ અને જેઓ યહૂદી નિયમ શીખવતા હતા તે માણસોએ જોયું કે તેમના કેટલાક શિષ્યો ખાસ વિધિ અનુસાર હાથ ધોયા વગર ખોરાક ખાતા હતા. તેથી તેઓએ ઈસુને પ્રશ્ન કરતા કહ્યું, "તમારા શિષ્યો આપણા પૂર્વજોની પ્રણાલિકાઓને આધીન થતા નથી! આપણી વિધિ અનુસાર હાથ ધોયા વગર તેઓ શા માટે ખોરાક ખાય છે!"
\s5
\v 6 ઈસુએ તેઓને કહ્યું, "યશાયાએ તમારા પૂર્વજોને ઠપકો આપ્યો હતો, અને તેના શબ્દો તમે જેઓ સારા હોવાનો કેવળ ઢોંગ કરો છો તેઓને બરાબર લાગુ પડે છે! તેણે આ શબ્દો લખ્યા જેમાં ઈશ્વરે કહ્યું:
\q 'આ લોકો જાણે મને માન આપતા હોય તેવી રીતે બોલે છે,
\q પરંતુ તેઓ મને માન આપવાનું ખરી રીતે વિચારતા જ નથી.
\q
\v 7 તેઓ મારું ભજન કરે છે તે વ્યર્થ છે,
\q કારણ કે તેઓ લોકો જે કહે છે,
\q તેને જાણે મેં તેઓને આજ્ઞા આપી હોય તે પ્રમાણે શીખવે છે.
\p
\s5
\v 8 તમે, તમારા પૂર્વજોની માફક ઈશ્વરે જે આજ્ઞા આપી છે તે અનુસાર કરવાનું નકારો છો. તેને બદલે, બીજોઓએ જે પ્રણાલિકાઓ શીખવી છે તેને અનુસરો છો."
\v 9 ઈસુએ તેઓને એ પણ કહ્યું, "તમારી પોતાની પ્રણાલિકાઓને તમે પાળી શકો માટે ઈશ્વરની આજ્ઞાઓનો નકાર કરવામાં તમે પોતાને હોશિયાર સમજો છો!
\v 10 દાખલા તરીકે, આપણા પૂર્વજ મૂસાએ ઈશ્વરની આજ્ઞાઓ લખી છે કે, 'તમારા માતાપિતાનું સન્માન કરો.' તેણે એ પણ લખ્યું, 'જે કોઈ પોતાના પિતા અથવા માતા વિષે ખરાબ બાબતો બોલે તો તે વ્યક્તિઓને અધિકારીઓએ શિક્ષા કરવી જોઈએ.'
\s5
\v 11-12 પરંતુ તમે લોકોને શીખવો છો કે જો લોકો તેમનાં માતાપિતાને મદદ ન કરે તો કંઈ નહી. તમે લોકોને શીખવો છો કે, જો તેઓ કહે કે, જે તેમનાં માતાપિતાને આપવાનું હતું તે તેઓએ ઈશ્વરને આપી દીધું છે, તો કઈ વાંધો નહી. તમે તેમને પોતાના માતાપિતાને એમ કહેવાની છૂટ આપો છો કે, તમારી જરૂરિયાત માટે જે હું આપવાનો હતો તે હવે હું તમને આપી શકીશ નહી! પરિણામે તમે ખરેખર લોકોને એમ કહો છો કે તેઓએ તેમના માતાપિતાને મદદ કરવાની જરૂર નથી!
\v 13 આ પ્રમાણે કરતાં તમે ઈશ્વરે જે આદેશ આપ્યો છે તેનો અનાદર કરો છો! તમે તમારી પોતાની વાતો બીજાઓને શીખવો છો અને કહો છો કે તેઓ તેને આધીન થાય! અને તમે એવી બીજી ઘણી બાબતો કરો છો."
\p
\s5
\v 14 પછી ઈસુએ ફરી ટોળાને નજીક આવવા કહ્યું. પછી તેમણે તેઓને કહ્યું, "તમે બધા લોકો મારું સાંભળો! હું તમને જે કહેવાનો છું તે સમજવાનો પ્રયત્ન કરો.
\v 15 લોકો જે ખાય છે તેને ઈશ્વર અશુદ્ધ થવાનું કારણ ગણતા નથી. તેથી વિપરીત, જે લોકોના મનમાંથી નીકળે છે તેને ઈશ્વર અશુદ્ધ થવાનું કારણ ગણે છે."
\v 16 જે કોઈ સાંભળી શકે છે તેઓ સાંભળે.
\p
\s5
\v 17 ટોળાથી છૂટા પડ્યા પછી, ઈસુ શિષ્યો સાથે એક ઘરમાં પ્રવેશ્યા. હમણા જે ઉદાહરણ તેમણે કહ્યું તે સંબંધી તેઓએ તેમને પ્રશ્ન કર્યો.
\v 18 તેમણે તેઓને પ્રત્યુત્તર આપતાં કહ્યું, "શું તમે તેનો અર્થ સમજ્યા નથી? તમારે સમજવું જોઈએ કે, કંઈપણ જે બહારથી અંદર પ્રવેશે છે તેને ઈશ્વર અશુદ્ધતાનું કારણ ગણતા નથી.
\v 19 પ્રવેશ કરીને આપણા મનોને બગાડવાને બદલે, તે આપણા પેટમાં જાય છે અને પછી અશુદ્ધિ આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે." આવું કહેવાથી, ઈસુ એવું પ્રગટ કરતા હતા કે ઈશ્વર દોષિત ગણશે એમ માન્યા વગર લોકો કોઈ પણ ખોરાક ખાઈ શકે.
\s5
\v 20 તેમણે એમ પણ કહ્યું, "એ તો વિચારો અને કૃત્યો છે, જેને ઈશ્વર અશુદ્ધ કરનારી બાબતો ગણે છે.
\v 21 ખાસ કરીને, લોકોનું અભ્યંતર કે જેમાં, તેઓ ખોટી બાબતો વિષે વિચારે છે; તેઓ અનૈતિક રીતે વર્તે છે, તેઓ ચોરી કરે છે, તેઓ હત્યા કરે છે.
\v 22 તેઓ વ્યભિચાર કરે છે, તેઓ લોભી હોય છે, તેઓ અશુદ્ધપણે વર્તે છે, તેઓ લોકોને છેતરે છે. તેઓ અયોગ્ય રીતે વર્તે છે, લોકોની ઈર્ષા કરે છે, બીજા વિષે ભૂંડું બોલે છે, તેઓ અભિમાની છે અને મૂર્ખતાપૂર્ણ રીતે વર્તે છે.
\v 23 લોકો એવા વિચારો કરે છે અને પછી એવાં ખરાબ કામો કરે છે, અને તે બાબતો ઈશ્વરની સમક્ષ તેઓને અશુદ્ધ ઠરાવે છે."
\p
\s5
\v 24 ઈસુ અને તેમના શિષ્યોએ ગાલીલ છોડ્યું પછી તેઓ તૂર અને સિદોનના શહેરોની આસપાસના પ્રદેશમાં આવ્યા. તેઓ કોઈએક ઘરમાં હતા ત્યારે તેમની ઇચ્છા હતી કે કોઈ તે ન જાણે, પરંતુ લોકોને જલદી ખબર પડી કે તેઓ ત્યાં હતા.
\v 25 કોઈ એક સ્ત્રી કે જેની દીકરીમાં દુષ્ટાત્મા હતો તેણે ઈસુ વિષે સાંભળ્યું. તે તરત જ તેમની પાસે આવી અને તેમના ચરણોમાં નમી.
\v 26 હવે આ સ્ત્રી તો યહૂદી ન હતી. તેના પૂર્વજો પણ યહૂદી ન હતા. તે સિરિયા જીલ્લાના ફિનીકિયા પ્રદેશની આસપાસના વિસ્તારમાં જન્મી હતી. તેણે ઈસુની પાસે આવીને તેમને વિનંતી કરી કે તેની દીકરીમાં રહેલા દુષ્ટાત્માને બહાર નીકળવા ફરજ પાડે.
\s5
\v 27 તેમણે સ્ત્રીને કહ્યું, "પહેલાં બાળકોને જેટલું ખાવું હોય તેટલું ખાવા દે, કારણ કે માતાએ બાળકો માટે જે ખોરાક તૈયાર કર્યો છે તે લઈને નાના કૂતરાઓ તરફ ફેંકવો તે યોગ્ય નથી."
\v 28 તે સ્ત્રીએ પ્રત્યુત્તર આપ્યો, "સાહેબ, તમે જે કહો છો તે સાચું છે, પરંતુ ઘરના કૂતરાઓ પણ મેજ નીચે બાળકોએ વેરેલા ટુકડાઓ ખાય છે."
\s5
\v 29 ઈસુએ તેને કહ્યું, તેં જે કહ્યું તેને લીધે, ઘરે જા. મેં તારી દીકરીમાંથી દુષ્ટાત્માને કાઢ્યો છે."
\v 30 સ્ત્રી ઘરે પાછી ફરી અને જોયું કે તેની દીકરી શાંતિથી પથારીમાં સૂતી હતી અને દુષ્ટાત્મા તેનામાંથી નીકળી ગયો હતો.
\s5
\v 31 ઈસુ અને તેમના શિષ્યો તૂરની આસપાસનો પ્રદેશ છોડીને ઉત્તરે સિદોનમાં થઈને, પછી પૂર્વ તરફ જઈને દસ નગરના વિસ્તારમાં, અને પછી ગાલીલ સમુદ્રની નજીકના દક્ષિણના નગરોમાં ગયા.
\v 32 ત્યાં, લોકો એક માણસને લાવ્યા કે જે બહેરો હતો અને બોલી શકતો ન હતો. તેઓએ ઈસુને તેમના હાથ તેના પર મૂકવા વિનંતી કરી કે જેથી તેઓ તેને સાજો કરે.
\s5
\v 33 તેથી ઈસુ તેને ટોળાથી દૂર લઈ ગયા કે જેથી તેઓ બંને એકલા હોય. પછી તેમણે તેમની આંગળીઓમાંની એકને તે માણસના બન્ને કાનમાં મૂકી. પછી તેઓ તેમની આંગળીઓ પર થુંક્યા, અને તેમની આંગળીઓ વડે તે માણસની જીભને સ્પર્શ્યા.
\v 34 પછી તેમણે સ્વર્ગ તરફ ઉપર જોયું, તેમણે નિસાસો નાખ્યો અને પછી તેમની પોતાની ભાષામાં તેમણે તે માણસના કાનમાં કહ્યું, "એફફાથા," જેનો અર્થ એ છે કે, "ઊઘડી જા!"
\v 35 તરત જ તે માણસ સારી રીતે સાંભળવા લાગ્યો. તે સ્પષ્ટ રીતે બોલવા પણ લાગ્યો કારણ કે જે તેને બોલવાથી અટકાવતું હતું તેનાથી તે સાજો થયો હતો.
\s5
\v 36 ઈસુએ લોકોને કહ્યું કે જે બન્યું હતું તેના વિષે તેઓ કોઈને જણાવે નહી. પરંતુ, તેમણે તેઓને અને બીજાઓને વારંવાર આજ્ઞા કરી હતી તે છતાં, તેઓ તેના વિષે વધારે વાત કરવા લાગ્યા.
\v 37 જે લોકોએ તે વિષે સાંભળ્યું તેઓ ખૂબ અચરત થયા અને કહેવા લાગ્યા, "તેમણે જે કર્યું તે બધું અદભુત છે! બીજી અદભુત બાબતો કરવાની સાથે, તેઓ બહેરા લોકોને સાંભળતા પણ કરે છે! અને જેઓ બોલી શકતા ન હોય તેઓને બોલતા કરે છે!"
\s5
\c 8
\p
\v 1 તે દિવસો દરમ્યાન, લોકોનો મોટો સમુદાય ફરીથી એકઠો થયો. તેઓ ત્યાં બે દિવસ રહ્યા તે પછી, તેમની પાસે ખાવા માટે કંઈ ન હતું. તેથી ઈસુએ શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા, અને પછી તેઓને કહ્યું,
\v 2 "આજે ત્રણ દિવસથી લોકો મારી સાથે છે, અને તેઓની પાસે કંઈ પણ ખાવાનું બચ્યું નથી, તેથી હવે મને તેમની કાળજી લેવાની ઇચ્છા થાય છે.
\v 3 તેઓ હજુ ભૂખ્યા છે અને જો હું તેઓને ઘરે પાછા મોકલીશ તો, તેઓમાંના કેટલાક ઘરે જતા સુધી બેહોશ થઈ જશે. કેમ કે કેટલાક તો ઘણે દૂરથી આવ્યા છે."
\v 4 શિષ્યો જાણતા હતા કે ઈસુ લોકોને કંઈક ખાવા માટે આપવાની સલાહ આપી રહ્યા હતા, તેથી તેઓમાંના એકે ઉત્તર આપ્યો કે, "કદાચ આપણે સમુદાયને માટે પૂરતો ખોરાક લાવી શકતા નથી કારણ કે આ સ્થળે કોઈ રહેતું નથી!
\s5
\v 5 ઈસુએ તેઓને પૂછ્યું, "તમારી પાસે કેટલી રોટલી છે?" તેઓએ ઉત્તર આપ્યો, "અમારી પાસે સાત રોટલી છે."
\v 6 ઈસુએ સમુદાયને આજ્ઞા આપી, "જમીન પર બેસી જાઓ!" તેઓ બેઠા પછી, તેમણે સાત રોટલી લીધી, તેને માટે ઈશ્વરનો આભાર માન્યો, તેના ટુકડા કર્યા, અને લોકોને વહેંચવા માટે શિષ્યોને આપી.
\s5
\v 7 તેઓને એ પણ જાણ થઈ કે તેમની પાસે થોડી નાની માછલીઓ પણ છે. તેથી તેમણે તેને માટે ઈશ્વરનો આભાર માન્યા પછી, તેમણે શિષ્યોને કહ્યું, "આને પણ વહેંચી દો." તેઓએ સમુદાયને માછલી વહેંચી દીધા પછી,
\v 8 લોકોએ તે ખોરાક ખાધો, અને તેમને સંતોષ મળે તેટલો ખોરાક તેઓની પાસે હતો. શિષ્યોએ ખોરાકના વધેલા ટુકડા ભેગા કર્યા અને સાત મોટી ટોપલીઓ ભરાઈ.
\v 9 શિષ્યોએ અંદાજ કાઢ્યો કે તે દિવસે આશરે ચાર હજાર લોકોએ ખાધું. પછી ઈસુએ ટોળાને વિદાય કર્યું.
\v 10 તે પછી તરત જ, તેઓ તેમના શિષ્યોની સાથે હોડીમાં બેઠા, અને તેઓ ગાલીલ સમુદ્રના કિનારે દલમાનુથા જીલ્લામાં ગયા.
\s5
\v 11 પછી કેટલાક ફરોશીઓ ઈસુની પાસે આવ્યા. તેઓ તેમની સાથે દલીલ કરવા લાગ્યા અને ઈશ્વરે તેમને મોકલ્યા છે તેવું સાબિત કરવા માટે તેઓ કોઈ ચમત્કાર કરે તેવો આગ્રહ કરવા લાગ્યા.
\v 12 ઈસુએ મનમાં ઊંડો નિસાસો નાખ્યો, અને પછી તેમણે કહ્યું, "તમે શા માટે મને ચમત્કાર કરવાનું કહો છો? હું તમારા માટે ચમત્કાર નહી કરું!''
\v 13 પછી ઈસુ તેમને છોડીને ગયા. તેઓ ફરી પાછા, તેમના શિષ્યોની સાથે હોડીમાં બેઠા, અને તેઓ ગાલીલ સમુદ્રના કિનારે આગળ ગયા.
\s5
\v 14 શિષ્યો તેમની સાથે પૂરતું ખાવાનું લેવાનું ભૂલી ગયા હતા. ખાસ કરીને તેમની પાસે હોડીમાં એક જ રોટલી હતી.
\v 15 જ્યારે તેઓ જતા હતા ત્યારે, ઈસુએ તેમને ચેતવ્યા અને કહ્યું, "સાવચેત રહેજો! ફરોશીઓના અને હેરોદના ખમીરથી સાવધાન રહેજો!"
\s5
\v 16 શિષ્યોએ તેમના વિષે ગેરસમજ કરી. તેથી તેઓએ એકબીજાને કહ્યું, "આપણી પાસે રોટલી નથી માટે તેમણે આ પ્રમાણે કહ્યું."
\v 17 તેઓ અંદરોઅંદર શું ચર્ચા કરી રહ્યા હતા તે ઈસુ જાણતા હતા. તેથી તેમણે તેઓને કહ્યું, "શા માટે પૂરતી રોટલી નથી તે વિષે તમે વાતો કરો છો? અત્યાર સુધી મેં જે કહ્યું તે તમારે સમજવું જોઈએ! તમે વિચારતા નથી!
\s5
\v 18 તમારી પાસે આંખો છે, પણ તમે જે જુઓ છો તે તમે સમજતા નથી! તમારી પાસે કાન છે, પણ હું જે કહું છું તે તમે સમજતા નથી!" પછી તેમણે પૂછ્યું,
\v 19 "જ્યારે મેં માત્ર પાંચ રોટલી ભાંગી અને પાંચ હજાર લોકોને જમાડ્યા ત્યારે શું બન્યું હતું તે તમને યાદ નથી? બધા સંતોષ પામ્યા એટલું જ નહી, પણ ખોરાક વધ્યો હતો! વધેલી રોટલીના ટુકડાઓની કેટલી ટોપલીઓ તમે એકઠી કરી હતી?" તેઓએ ઉત્તર આપ્યો, "અમે બાર ટોપલીઓ ભરી હતી."
\s5
\v 20 પછી તેમણે પૂછ્યું, "જ્યારે મેં ચાર હજાર લોકોને ખવડાવવાને માટે સાત રોટલી ભાંગી, ત્યારે ફરીથી બધાને માટે પૂરતું ખાવાનું હતું, તમે વધેલી રોટલીના ટુકડાઓની મોટી કેટલી ટોપલીઓ એકઠી કરી હતી?" તેઓએ ઉત્તર આપ્યો, "અમે સાત મોટી ટોપલીઓ ભરી હતી."
\v 21 પછી તેમણે તેઓને કહ્યું, "શું તમે સમજતા નથી?"
\p
\s5
\v 22 તેઓ હોડીમાં બેસીને બેથસાઈદા આવી પહોંચ્યા. લોકો ઈસુની પાસે એક અંધ માણસને લાવ્યા અને તેઓએ તેને સ્પર્શ કરવાની વિનંતી કરી કે જેથી તે સાજો થાય.
\v 23 ઈસુએ આંધળા માણસનો હાથ પકડ્યો અને તેને શહેરની બહાર દોરી ગયા. પછી તેઓ તેની આંખોમાં થૂંક્યા, તેમનો હાથ તે માણસ પર મૂક્યો અને પછી તેને પૂછ્યું, "તને કશું દેખાય છે?"
\s5
\v 24 તે માણસે ઊંચે જોયું અને પછી કહ્યું, "હા, હું લોકોને જોઉં છું! તેઓ ફરતા દેખાય છે, પણ હું તેઓને સ્પષ્ટ જોઈ શકતો નથી. તેઓ વૃક્ષોના જેવા દેખાય છે!"
\v 25 પછી ઈસુએ તેની આંખોને ફરીથી સ્પર્શ કર્યો. તેણે તાકીને જોયું, અને તે જ ક્ષણે તે સંપૂર્ણ સાજો થયો! તે બધું જ સ્પષ્ટ રીતે જોઈ શક્યો.
\v 26 ઈસુએ તેને કહ્યું, "શહેરમાં જઈશ નહીં!" પછી તેમણે તે માણસને તેના ઘરે મોકલ્યો.
\s5
\v 27 ઈસુ અને તેમના શિષ્યો બેથસાઈદા છોડીને કાઈસારિયા ફિલિપ્પીની પાસેના ગામોમાં ગયા. માર્ગે જતા તેમણે તેઓને પ્રશ્ન કર્યો, "હું કોણ છું તે વિષે લોકો શું કહે છે?"
\v 28 તેઓએ ઉત્તર આપ્યો, "કેટલાક લોકો કહે છે કે તમે યોહાન બાપ્તિસ્મી છો. કેટલાક કહે છે કે તમે એલિયા પ્રબોધક છો. અને બીજા કહે છે કે તમે અગાઉના પ્રબોધકોમાંના એક છો."
\s5
\v 29 તેમણે તેઓને પૂછ્યું, "તમારા સંબંધી શું? તમે શું કહો છો કે હું કોણ છું?" પિતરે તેમને ઉત્તર આપ્યો, "તમે મસીહ છો!"
\v 30 પછી ઈસુએ તેઓને ભારપૂર્વક તાકીદ કરી કે તેઓએ હજુ કોઈને કહેવું નહી કે તેઓ મસીહ છે.
\s5
\v 31 પછી ઈસુ તેઓને શીખવવા લાગ્યા કે, તેઓ એટલે કે માણસનો દીકરો, ખરેખર ઘણું સહન કરશે. તેમને આગેવાનો, મુખ્ય યાજકો, અને જેઓ યહૂદી નિયમો શીખવે છે તે માણસો દ્વારા નકારવામાં આવશે. તેમને મારી પણ નાખવામાં આવશે. પણ મરણ પામ્યા પછી ત્રીજા દિવસે, તેઓ ફરીથી સજીવન થશે.
\v 32 તેમણે તેઓને આ સ્પષ્ટપણે કહ્યું. પણ પિતર ઈસુને બાજુ પર લઇ જઈને તેઓએ આ રીતે કહ્યું તેના માટે ધમકાવવા લાગ્યો.
\s5
\v 33 ઈસુએ પાછા ફરીને તેમના શિષ્યો તરફ જોયું. પછી તેમણે પિતરને ધમકાવીને કહ્યું, "આવું વિચારવાનું બંધ કર! શેતાન તને આવું બોલવા પ્રેરે છે. ઈશ્વર મારી પાસેથી જે કરાવવા ઇચ્છે છે તે કરવાને બદલે, તું માત્ર લોકો મારી પાસે જે કરાવવા માગે છે તે કરવાનું કહે છે."
\v 34 પછી તેમણે ટોળાને તેમજ પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા જેથી તેઓ તેમને સાંભળી શકે. તેમણે તેઓને કહ્યું, "જો તમારામાંનો કોઈ મારો શિષ્ય થવા ચાહે, તો તમે સહેલું જીવન જીવી શકો માટે જે કરો તે પૂરતું નથી. ગુનેગારોને વધસ્તંભે જડવાના હોય તે સ્થળ સુધી તેમનો વધસ્થંભ ઊંચકીને જવાનું દબાણ કરવામાં આવે છે એવું દુઃખ સહન કરવાની તૈયારી તમારે રાખવી જોઈએ. જે મારો શિષ્ય થવા માગે તેણે તે પ્રમાણે કરવું જોઈએ.
\s5
\v 35 તમારે તે કરવું જોઈએ, કારણ કે જેઓ મારા છે તે બાબતનો નકાર કરીને પોતાના જીવન બચાવવા માગે છે તેઓ તેમના જીવન ગુમાવશે. તેઓ મારા શિષ્યો છે અને તેઓ બીજાઓને શુભ સંદેશ કહે છે તે કારણસર જેઓને મારી નાખવામાં આવ્યા છે તેઓ હંમેશાં મારી સાથે રહેશે.
\v 36 આ દુનિયામાં લોકો જે ઇચ્છે છે તે તેઓ કદાચ પામશે, પણ જો તેઓ અનંતજીવન ન મેળવે તો તેમણે ખરેખર કંઈ જ મેળવ્યું નથી!
\v 37 તે સત્ય સંબંધી કાળજીપૂર્વક વિચાર કરો કે અનંતજીવન મેળવવા માટે લોકો ઈશ્વરને આપી શકે તેવું ખરેખર કંઈ જ નથી!
\s5
\v 38 અને આ સંબંધી વિચારો: જેઓ મારા છે એવો નકાર કરે છે, અને આ દિવસોમાં જ્યારે ઘણા લોકો ઈશ્વરથી દૂર ગયા છે અને ખૂબ પાપી છે ત્યારે, હું જે કહું છું તેનો નકાર કરે છે, તો હું, માણસનો દીકરો, પણ જ્યારે પવિત્ર દૂતો સાથે મારા પિતા પાસે જે છે તે મહિમા સહિત હું પાછો આવીશ ત્યારે તેઓ મારા છે એવું કહેવાનું નકારીશ!"
\s5
\c 9
\p
\v 1 તેમણે તેમના શિષ્યોને પણ કહ્યું, "ધ્યાનથી સાંભળો! તમારામાંના કેટલાક જેઓ હાલ અહીં છો તેઓ ઈશ્વરને પોતાને પરાક્રમી રાજા તરીકે પ્રગટ કરતા જોશો. તમે મરણ પામો તે પહેલાં તમે તેમને આ પ્રમાણે કરતા જોશો!"
\p
\v 2 છ દિવસ પછી ઈસુ પિતર, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાનને લઈને પહાડ તરફ દોરી ગયા. જ્યારે તેઓ ત્યાં ઉપર એકલા હતા ત્યારે, તેઓ તેમને ખૂબ અલગ જ દેખાયા.
\v 3 તેમનાં વસ્ત્રો આંખો આંજી નાખે તેવાં સફેદ થઈ ગયાં. પૃથ્વી પર કોઈ તેમને ચમકાવીને ઊજળા ન કરી શકે તેવાં સફેદ હતાં.
\s5
\v 4 મૂસા અને એલિયા, બે પ્રબોધકો જેઓ ઘણા સમય અગાઉ થઇ ગયા, તે તેમની સામે પ્રગટ થયા. પછી તેઓ બંને ઈસુની સાથે વાત કરવા લાગ્યા.
\v 5 થોડા સમય પછી, પિતરે કહ્યું, "ગુરુજી, અહીં રહેવું કેટલું અદભુત છે! તેથી અમને અહીં ત્રણ તંબુ બાંધવા દો. એક તમારા માટે, એક મૂસાને માટે, અને એક એલિયાને માટે હશે!"
\v 6 તેણે આમ કહ્યું કારણ કે તે કંઈક કહેવા માંગતો હતો, પણ શું કહેવું તે તે જાણતો ન હતો. તે અને બીજા બે શિષ્યો ભયભીત થયા.
\s5
\v 7 પછી એક ચળકતું વાદળ દેખાયું તેણે તેઓને ઢાંકી દીધા. ઈશ્વરે વાદળામાંથી તેઓને કહ્યું, "આ મારો દીકરો છે. હું જેને પ્રેમ કરું છું તે એ જ છે. તેથી, તેનું સાંભળો!"
\v 8 જ્યારે ત્રણ શિષ્યોએ આસપાસ જોયું ત્યારે, અચાનક ઈસુ એકલા જ તેઓની સાથે હતા, અને ત્યાં બીજું કોઈ જ ન હતું.
\p
\s5
\v 9 જ્યારે તેઓ પહાડ પરથી નીચે ઊતરી રહ્યા હતા ત્યારે, ઈસુએ તેઓને કહ્યું કે હમણાં તેમની સાથે જે બન્યું તે તેઓએ હમણાં કોઈને કહેવું જોઈએ નહીં. તેમણે કહ્યું, "હું, માણસનો દીકરો, મરણ પામ્યા પછી પાછો ઊઠું પછી તમે તેઓને કહી શકશો."
\v 10 તેથી લાંબા સમય સુધી તેઓએ બીજા લોકોને તેના સંબંધી કહ્યું નહી. પણ તેમણે જે કહ્યું કે તેઓ મરણમાંથી પાછા ઊઠશે તેનો શો અર્થ થાય તેના વિષે તેઓએ માંહોમાંહે ચર્ચા કરી.
\p
\s5
\v 11 તેઓએ ઈસુને પૂછ્યું, "જે માણસો નિયમો શીખવે છે તેઓ શા માટે એવું કહે છે કે મસીહ પૃથ્વી પર પાછા આવે તે પહેલાં એલિયાએ પૃથ્વી પર પાછા આવવું જોઈએ?"
\v 12-13 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "તે સત્ય છે કે બધું વ્યવસ્થિત કરવા માટે ઈશ્વરે પહેલા એલિયાને મોકલવાનું વચન આપ્યું હતું. પણ એલિયા તો આવી ચૂક્યો છે અને ઘણા સમય અગાઉ થઈ ગયેલા પ્રબોધકોએ કહ્યું હતું તે પ્રમાણે, આપણા આગેવાનોએ તેની સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો હતો. પણ હું ઇચ્છું છું કે શાસ્ત્રમાં મારા એટલે માણસના દીકરા સંબંધી શું લખેલું છે તે પણ તમે ધ્યાનમાં લો. શાસ્ત્ર કહે છે કે હું ઘણું સહન કરીશ અને લોકો મારો નકાર કરશે."
\p
\s5
\v 14 પછી ઈસુ અને તે ત્રણ શિષ્યો જ્યાં બીજા શિષ્યો હતા ત્યાં આવી પહોંચ્યા. તેઓએ શિષ્યોની આસપાસ મોટું ટોળું જોયું અને કેટલાક માણસો કે જેઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓ તેમની સાથે દલીલ કરતા હતા.
\v 15 ઈસુને આવતા જોઈને ટોળાને ખૂબ આશ્ચર્ય થયું. તેથી તેઓ તેમની તરફ દોડી ગયા અને તેમને શુભેચ્છા પાઠવી.
\v 16 ઈસુએ તેઓને પૂછ્યું, "તમે શેના સંબંધી દલીલ કરો છો?"
\s5
\v 17 ટોળામાંના એક માણસે તેમને જવાબ આપ્યો, "ગુરુજી, હું મારા દીકરાને અહીં લાવ્યો છું કે તમે તેને સાજો કરો. તેનામાં દુષ્ટાત્મા છે કે જેણે તેને મૂંગો બનાવી દીધો છે.
\v 18 જ્યારે આત્મા તેનો કબજો લે છે ત્યારે, તે તેને નીચે પાડી દે છે. તેના મોઢે ફીણ આવે છે, તે તેના દાંત ભીડે છે, અને અક્કડ બની જાય છે. મેં તમારા શિષ્યોને તે આત્મા કાઢવા માટે કહ્યું, પણ તેઓ તે કરી શક્યા નહી."
\v 19 ઈસુએ તે લોકોને ઉત્તર આપ્યો કે, "ઓ અવિશ્વાસી લોકો! તમે મારી ધીરજની કસોટી કરો છો! છોકરાને મારી પાસે લાવો."
\s5
\v 20 તેથી તેઓ છોકરાને ઈસુની પાસે લાવ્યા. જેવા તે દુષ્ટાત્માએ ઈસુને જોયા, કે તરત જ તેણે તે છોકરાને સખત ધ્રૂજાવી નાખ્યો, અને છોકરો જમીન પર પડી ગયો. તે આળોટવા લાગ્યો અને તેના મોઢેથી ફીણ આવવા લાગ્યું.
\v 21 ઈસુએ છોકરાના પિતાને પૂછ્યું, "કેટલા સમયથી તે આવી હાલતમાં છે?" તેણે ઉત્તર આપ્યો, "તે બાળક હતો ત્યારથી આ શરુ થયું છે.
\v 22 આત્મા માત્ર આટલું જ કરતો નથી, પણ તે ઘણીવાર તેને મારી નાંખવાને માટે અગ્નિમાં કે પાણીમાં ફેંકી દે છે. જો તમે કરી શકો તો, અમારા પર દયા કરો અને અમારી મદદ કરો!"
\s5
\v 23 ઈસુએ આશ્ચર્યથી તેને કહ્યું, "સાચે જ હું કરી શકું છું! જે લોકો ઈશ્વરમાં વિશ્વાસ કરે છે તે લોકોને માટે તેઓ બધું જ કરી શકે છે!"
\v 24 તરત જ તે છોકરાના પિતાએ બૂમ પાડી, "હું વિશ્વાસ કરું છું કે તમે મને મદદ કરી શકો છો, પણ મારો વિશ્વાસ દ્રઢ નથી. મને દ્રઢ વિશ્વાસ રાખવા મદદ કરો!"
\v 25 ઈસુએ જોયું કે ટોળું વધતું જતું હતું. તેમણે દુષ્ટાત્માને ધમકાવ્યો: "હે દુષ્ટાત્મા, આ છોકરાને બહેરો અને મૂંગો બનાવનાર આત્મા! હું તને આજ્ઞા આપું છું કે તેનામાંથી નીકળી જા અને ફરી કદી તેનામાં પ્રવેશતો નહી!"
\s5
\v 26 દુષ્ટાત્માએ બૂમ પાડી અને ક્રૂરતાથી છોકરાને ધ્રૂજાવી નાંખ્યો; પછી તેણે છોકરાને છોડી દીધો. છોકરો હાલતો ન હતો. તે મૃત શરીર જેવો લાગતો હતો. તેથી મોટાભાગના લોકોએ કહ્યું, "તે મરણ પામ્યો છે!"
\v 27 જો કે, ઈસુએ તેનો હાથ પકડીને તેને ઊભો થવા મદદ કરી. પછી તે છોકરો ઊભો થયો.
\s5
\v 28 પછી, જ્યારે ઈસુ અને તેમના શિષ્યો ઘરમાં એકલા હતા ત્યારે, તેમને પૂછ્યું, "શા માટે અમે દુષ્ટાત્માને કાઢી ન શક્યા?"
\v 29 તેમણે તેઓને કહ્યું, "આ પ્રકારના દુષ્ટાત્માને તમે પ્રાર્થના વડે જ બહાર કાઢી શકો છો. બીજો કોઈ રસ્તો નથી."
\p
\s5
\v 30 ઈસુ અને તેમના શિષ્યો તે પ્રદેશમાંથી રવાના થયા પછી, ગાલીલમાં થઈને ગયા. તેઓ ક્યાં હતા તે બીજું કોઈ જાણે એવું ઈસુ ઇચ્છતા ન હતા.
\v 31 તેમને તેમના શિષ્યોને શીખવવા માટે સમય જોઈતો હતો. તેઓ તેમને કહેતા હતા, "કોઈક દિવસે મારા દુશ્મનો મારી, એટલે કે માણસના દીકરાની ધરપકડ કરશે, અને મને અન્ય માણસોના હાથમાં સોંપવામાં આવશે. તે માણસો મને મારી નાંખશે. પણ હું મરણ પામું તે પછી ત્રીજા દિવસે, ફરીથી સજીવન થઈશ!"
\v 32 ઈસુ તેઓને જે કહી રહ્યા હતા તે તેઓ સમજ્યા નહીં, અને તેમના કહેવાનો અર્થ શો હતો તેવું પૂછતાં તેઓ બીધા.
\p
\s5
\v 33 પછી ઈસુ અને તેમના શિષ્યો કફરનહૂમ પાછા આવ્યા. જ્યારે તેઓ ઘરમાં હતા ત્યારે તેમણે તેઓને પૂછ્યું, "જ્યારે આપણે માર્ગે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તમે શેના વિષે વાત કરી રહ્યા હતા?"
\v 34 પણ તેઓએ ઉત્તર આપ્યો નહીં. તેઓ એકબીજા સાથે એ વિષે દલીલ કરતા હતા કે તેઓમાંથી કોણ સૌથી મહત્વનો હતો.
\v 35 ઈસુ બેઠા અને તેમણે બાર શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને તેઓને કહ્યું, "જો કોઈ ઇચ્છે કે ઈશ્વર બીજા બધા કરતા તેને સૌથી મહત્વની વ્યક્તિ ગણે તો તેણે બધામાં પોતાને સૌથી ઓછો મહત્વનો ગણવો જોઈએ, અને તેણે બીજા દરેકની સેવા કરવી જોઈએ."
\s5
\v 36 પછી તેમણે એક બાળકને લીધું અને તેઓની વચમાં મૂક્યું. તેમણે બાળકને તેમના હાથમાં લીધું અને પછી તેઓને કહ્યું,
\v 37 "જેઓ મને પ્રેમ કરવાના લીધે કોઈ બાળકનો આ પ્રમાણે આવકાર કરશે, તો ઈશ્વર એવું ગણે છે કે તેઓ મને આવકારે છે. એ પણ સાચું છે કે તેઓ જે ઈશ્વરે મને મોકલ્યો છે તેમનો પણ સ્વીકાર કરે છે."
\p
\s5
\v 38 યોહાને ઈસુને કહ્યું, "ગુરુજી, અમે કોઈકને લોકોમાંથી દુષ્ટાત્માઓને બહાર કાઢતા જોયો. તે એવો દાવો કરે છે કે તેમ કરવાને માટે તેને તમારી પાસેથી અધિકાર મળેલો છે. તેથી અમે તેને તેમ કરવાનું બંધ કરવાનું કહ્યું કારણ કે તે શિષ્યોમાંનો એક ન હતો."
\v 39 ઈસુએ કહ્યું, "તેને તેમ કરવાનું બંધ કરવાનું ન કહો. કેમકે મારા અધિકારથી થયેલાં કોઈ ચમત્કારિક કાર્ય પછી તરત જ કોઈ મારા વિષે કંઈ ખરાબ બાબત કહેશે નહી.
\s5
\v 40 જેઓ આપણો વિરોધ કરતા નથી તેઓ આપણે જે ધ્યેય પ્રાપ્ત કરવા માગીએ છે તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
\v 41 તમે મને, મસીહને અનુસરવાને લીધે જેઓ કોઈપણ રીતે તમારી મદદ કરતા હોય તેઓને, અથવા તો તમને પીવા માટે માત્ર પાણીનો પ્યાલો આપે તો પણ, ઈશ્વર તેઓને ચોક્ક્સ બદલો આપશે!"
\p
\s5
\v 42 વળી ઈસુએ કહ્યું, "પણ જો મારામાં વિશ્વાસ કરનાર કોઈને તમે પાપ કરવા પ્રેરો, પછી ભલે તે વ્યક્તિ સામાજિક રીતે આ બાળકના જેવી બિનમહત્વની હોય તોપણ ઈશ્વર તમને સખત સજા કરશે. ઈશ્વર તમને તેમના પર વિશ્વાસ કરનારને પાપ કરવા પ્રેરવા બદલ શિક્ષા કરે તેના કરતાં જો કોઈ ભારે પત્થર તમારા ગળે બાંધે અને તમને સમુદ્રમાં ફેંકી દે, તો તે તમારા માટે વધારે સારું હશે.
\v 43 તેથી જો તમે તમારા એક હાથનો ઉપયોગ પાપ કરવા માટે કરવા ચાહો તો, તેનો ઉપયોગ ન કરશો! જો કે તમારે તમારો હાથ કાપી નાંખવો પડે અને પાપ કરવાથી બચવા તેને ફેંકી દેવો પડે તોપણ, તે કરો! જ્યારે તમે અહીં પૃથ્વી પર છો ત્યારે તમારી પાસે એક હાથ ના હોય તોપણ, તમે અનંતકાળ સુધી જીવો તે સારું છે. પણ તમે પાપ કરો અને તેના પરિણામે ઈશ્વર તમારા આખા શરીરને નર્કમાં નાંખે તે સારું નથી, કે
\v 44 'જ્યાં કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી હોલવાતો નથી.'
\s5
\v 45 જો તમે તમારા એક પગનો ઉપયોગ પાપ કરવા માટે કરવા ચાહો તો, તેનો ઉપયોગ ના કરશો! તમારે પાપ કરતા બચી જવા તમારો પગ કાપી નાંખવો પડે તોપણ, તે કરો! જ્યારે તમે અહીં પૃથ્વી પર છો ત્યારે તમારી પાસે એક પગ ના હોય તોપણ, તમે અનંતકાળ સુધી જીવો તે સારું છે. પણ તમે પાપ કરો અને તેના પરિણામે ઈશ્વર તમારા આખા શરીરને નર્કમાં નાંખે તે સારું નથી, કે
\v 46 'જ્યાં કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી હોલવાતો નથી.'
\s5
\v 47 જો તમે જે જુઓ છો તેના લીધે તમે પાપ કરવા લલચાઓ છો તો, તે બાબતો તરફ જોવાનું બંધ કરો! તમારે પાપ કરતાં બચી જવા તમારી આંખને ખેંચી કાઢવી પડે તોપણ, તે કરો! ઈશ્વર તમને બે આંખો સાથે નર્કમાં નાંખે તેના કરતા તમારી પાસે એક આંખ હોય, અને ઈશ્વર તમારા પર રાજ કરવા સંમત થાય તે સારું છે.
\v 48 તે જગ્યામાં કીડા સદાકાળને માટે લોકોને ખાય છે અને અગ્નિ કદી બુઝાતો નથી.
\p
\s5
\v 49 "માટે જેમ લોકો તેમના ખોરાકમાં મીઠું નાંખે છે તેમ, ઈશ્વર દરેકના પર અગ્નિ નાંખશે.
\v 50 મીઠું ખોરાકમાં નાંખવા માટે ઉપયોગી છે, પણ જો તે બેસ્વાદ થઈ જાય તો તમે તેને ફરીથી ખારું કરી શકતા નથી. જેમ મીઠું ખોરાકમાં સ્વાદ લાવે છે તેમ, એકબીજાનું ભલું કરો."
\s5
\c 10
\p
\v 1 ઈસુ તેમના શિષ્યો સાથે તે જગ્યા છોડીને ગયા, અને તેઓ યહૂદિયા જીલ્લામાં થઈને યર્દન નદીની પેલે પાર પૂર્વ તરફ ગયા. જ્યારે તેમની આસપાસ ફરીથી લોકોનો સમુદાય એકઠો થવા લાગ્યો, ત્યારે જેમ તેઓ કરતા હતા તેમ રીત પ્રમાણે તેમણે તેઓને ફરીથી શિક્ષણ આપ્યું.
\v 2 જ્યારે તેઓ તેમને શીખવતા હતા, ત્યારે કેટલાક ફરોશીઓ તેમની પાસે આવ્યા અને તેમને પૂછ્યું, "શું આપણો કાયદો માણસને તેની પત્નીને છૂટાછેડા આપવાની છૂટ આપે છે?" તેઓ "હા" કે "ના" માં જવાબ આપે તો તેના દ્વારા તેઓ તેમની ટીકા કરી શકે માટે તેઓએ તે પૂછ્યું.
\v 3 તેમણે તેઓને જવાબ આપ્યો, "તમારા પૂર્વજોને આ બાબત સંબંધી મૂસાએ શું આજ્ઞા આપી હતી?"
\v 4 તેઓમાંના એકે ઉત્તર આપ્યો, "મૂસાએ એવી છૂટ આપી હતી કે માણસ કાગળ પર તેની પત્નીને છૂટાછેડા આપવાનું કારણ લખે, તે કાગળ તેને આપે, અને તેને કાઢી મૂકે."
\s5
\v 5 ઈસુએ તેઓને કહ્યું, "તમારા પૂર્વજો હઠપૂર્વક તેમની પત્નીઓને દૂર કરવા માગતા હતા. એટલા માટે મૂસાએ તે નિયમ લખ્યો હતો.
\v 6 પણ જ્યારે ઈશ્વરે પ્રથમ માણસોને ઉત્પન્ન કર્યા ત્યારે, તેમણે તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં.
\s5
\v 7 તે જણાવે છે કે શા માટે ઈશ્વરે કહ્યું, "જ્યારે પુરુષ લગ્ન કરે, ત્યારે તેણે તેનાં માતાપિતાને છોડીને તેની પત્ની સાથે જોડાવું જોઈએ.
\v 8 તેઓએ એટલા ઘનિષ્ટ રીતે જોડાયેલા હોવું જોઈએ કે તેઓ એક જ વ્યક્તિ હોય તેવું લાગે.
\v 9 કેમકે એ સત્ય છે કે, પુરુષે તેની પત્નીથી છૂટા પડવું જોઈએ નહી. ઈશ્વરે તેમને સાથે જોડ્યા છે અને તેઓ ઈચ્છે છે કે તેઓ સાથે રહે!"
\p
\s5
\v 10 જ્યારે ઈસુ અને તેમના શિષ્યો ઘરમાં એકલા હતા ત્યારે, તેઓએ તેમને ફરીથી આ સંબંધી પૂછ્યું.
\v 11 તેમણે તેઓને કહ્યું, "કોઈ માણસ તેની પત્નીને છોડીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે તો ઈશ્વર તેને વ્યભિચાર ગણે છે.
\v 12 જે સ્ત્રી તેના પતિને છોડીને બીજા માણસ સાથે લગ્ન કરે તો ઈશ્વર તેને પણ વ્યભિચાર ગણે છે."
\p
\s5
\v 13 હવે લોકો બાળકોને ઈસુની પાસે લાવતા હતા કે તેઓ તેમને સ્પર્શ કરે અને તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ લોકોને ધમકાવ્યા.
\v 14 જ્યારે ઈસુએ તે જોયું ત્યારે, તેઓ ગુસ્સે થયા. તેમણે તેમના શિષ્યોને કહ્યું, "બાળકોને મારી પાસે આવવા દો! તેઓને રોકશો નહી! જેઓની પાસે બાળકોના જેવો સ્વભાવ છે તેવા લોકો પર રાજા થવાનું ઈશ્વરને પસંદ પડશે.
\s5
\v 15 આની નોંધ લો: બાળકોની જેમ જેઓ ઈશ્વરને તેમના રાજા તરીકે નહિ સ્વીકારે, તેઓના પર રાજ કરવાનું ઈશ્વર ચોક્કસપણે પસંદ કરશે નહીં."
\v 16 પછી તેમણે બાળકોને બાથમાં લીધા. તેમણે તેઓના પર પોતાના હાથ મૂકીને ઈશ્વરને તેમનું ભલું કરવા વિનંતી પણ કરી.
\p
\s5
\v 17 જ્યારે ઈસુએ તેમના શિષ્યો સાથે ફરીથી મુસાફરી શરુ કરી ત્યારે, એક માણસ તેમની તરફ દોડી આવ્યો. તે ઈસુની સામે પગે પડ્યો અને તેમને પૂછ્યું, "ઉત્તમ શિક્ષક, અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?"
\v 18 ઈસુએ તેને કહ્યું, "તું મને ઉત્તમ કેમ કહે છે? માત્ર ઈશ્વર જ ઉત્તમ છે!
\v 19 પણ તારા પ્રશ્નના જવાબમાં, મૂસાએ આપેલી આજ્ઞાઓ તું જાણે છે: 'કોઈનું ખૂન ન કર, વ્યભિચાર ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, કોઈની ઠગાઈ ન કર, અને તારા પિતા અને માતાને માન આપ'."
\s5
\v 20 તે માણસે તેમને કહ્યું, "શિક્ષક, એ સર્વ આજ્ઞાઓ તો હું નાનપણથી પાળતો આવ્યો છું."
\v 21 ઈસુએ તેના તરફ જોયું અને તેમને તેના પર પ્રેમ ઊપજ્યો. તેમણે તેને કહ્યું, "એક બાબત છે કે જે તેં હજુ સુધી કરી નથી. તારે ઘેર જા, તારી પાસે જે છે તે વેચી નાંખ અને પછી તે નાણાંં ગરીબ લોકોને આપી દે. તેના પરિણામ સ્વરૂપે, તને સ્વર્ગમાં ખજાનો મળશે. મેં તને જે કરવાનું કહ્યું તે કર્યા પછી, આવ અને મારી પાછળ ચાલ!"
\v 22 જ્યારે તેણે ઈસુએ આપેલી સૂચનાઓ સાંભળી ત્યારે તે માણસ ઉદાસ થઈ ગયો. તે દુઃખી થઈને ચાલ્યો ગયો, કારણ કે તે ખૂબ ધનવાન હતો.
\s5
\v 23 ઈસુએ આસપાસ લોકો તરફ જોયું. પછી તેમણે શિષ્યોને આશ્ચર્યથી કહ્યું, "જે લોકો ધનવાન છે તેઓના માટે ઈશ્વર તેમના પર રાજ કરે તે ઘણું અઘરું છે."
\v 24 તેમણે જે કહ્યું તેનાથી શિષ્યો ગૂંચવાઈ ગયા. ઈસુએ ફરી કહ્યું, "મારા વહાલા મિત્રો, ઈશ્વર તેઓના પર રાજ કરે તે માટે સંમત થવું દરેકને માટે અઘરું છે.
\v 25 ખરું જોતાં, ધનવાન લોકો ઈશ્વર તેઓના પર રાજ કરે તેવું સ્વીકારે તેના કરતાં, ઊંટ જેવા મોટા કદના પશુને માટે સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે."
\s5
\v 26 શિષ્યો ખૂબ અચરત થયા. તેથી તેઓએ એકબીજાને કહ્યું, "જો એ પ્રમાણે હોય તો, કોઈનો બચાવ ન થઈ શકે!"
\v 27 ઈસુએ તેઓ તરફ જોયું અને પછી તેમણે કહ્યું, "હા, લોકો જાતે જ પોતાને બચાવે તે અશક્ય છે! પણ ઈશ્વર તેમને ચોક્કસ બચાવી શકે છે, કારણ કે ઈશ્વર કંઈ પણ કરી શકે છે!"
\v 28 પિતરે કહ્યું, "જુઓ, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ."
\s5
\v 29 ઈસુએ ઉત્તર આપ્યો, "હું ઇચ્છું છું કે તું આ જાણે: જેઓએ મારા શિષ્ય થવા માટે તેમ જ શુભ સમાચાર પ્રગટ કરવા માટે તેમનાં ઘર, તેમના ભાઈઓ, તેમની બહેનો, તેમના પિતા, તેમની માતા, તેમનાં બાળકો, કે તેમની જમીન છોડ્યાં હશે,
\v 30 તેઓ તેમણે જે છોડી દીધું છે તેનો આ જીવનમાં સો ગણો બદલો પામશે. તેમાં તેમનાં ઘરો અને ભાઈઓ અને બહેનો, માતાઓ અને બાળકો જેવા વહાલા માણસો, અને જમીનનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, જો કે લોકો અહીં પૃથ્વી પર તેઓની સતાવણી કરશે કારણ કે તેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેમ છતાં આવનાર યુગમાં તેઓ અનંતજીવન પામશે.
\v 31 પણ હું તમને બધાને ચેતવણી આપું છું: જેઓ પોતાને અત્યારે મહત્વના ગણે છે તેઓ આવનાર યુગમાં બિન મહત્વના થશે, અને ઘણા જેઓ અત્યારે પોતાને બિન મહત્વના ગણે છે તેઓ આવનાર યુગમાં ઘણા મહત્વના થશે!"
\p
\s5
\v 32 કેટલાક દિવસો પછી તેઓએ મુસાફરીમાં આગળ વધતાં, ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમ તરફ જતા માર્ગે ચાલતા હતા. ઈસુ તેઓની આગળ ચાલતા હતા. શિષ્યો આશ્ચર્ય પામ્યા અને બીજા લોકો જેઓ તેઓની સાથે હતા તેઓ ભયભીત હતા. માર્ગમાં તેઓ ફક્ત શિષ્યોને જ એક જગ્યાએ દોરી ગયા. પછી તેમની સાથે જે બનવાનું હતું તેના વિષે તેઓ ફરીથી તેઓને કહેવા લાગ્યા; તેમણે કહ્યું,
\v 33 ધ્યાનથી સાંભળો! આપણે યરુશાલેમ તરફ જઈએ છીએ. ત્યાં મુખ્ય યાજકો અને જે માણસો નિયમ શીખવે છે તેઓ મારી, માણસના દીકરાની ધરપકડ કરશે. તેઓ એવું જાહેર કરશે કે મારે મરણ પામવું જોઈએ. પછી તેઓ મને રોમન અધિકારીઓ પાસે લઈ જશે.
\v 34 ત્યાં માણસો મારી મશ્કરી કરશે અને મારા પર થૂંકશે. તેઓ મને કોરડા મારશે, અને પછી તેઓ મને મારી નાખશે. પણ તે પછીના ત્રીજા દિવસે, હું ફરીથી સજીવન થઈશ!"
\p
\s5
\v 35 માર્ગમાં, યાકૂબ અને યોહાન, જેઓ બંને ઝબદીના દીકરા હતા તેઓએ, ઈસુની પાસે આવીને તેમને કહ્યું, "ગુરુજી, અમે ઇચ્છીએ છીએ કે તમે અમારા માટે કંઇક કરો!"
\v 36 તેમણે તેઓને કહ્યું, "તમારી શી ઈચ્છા છે કે હું તમારા માટે તે કરું?"
\v 37 તેઓએ તેમને કહ્યું, "જ્યારે તમે તમારા રાજ્યમાં રાજ કરો ત્યારે, અમારામાંના એકને તમારી જમણી બાજુ અને બીજાને તમારી ડાબી બાજુ બેસવા દેજો."
\s5
\v 38 પણ ઈસુએ તેઓને કહ્યું, "તમે જે માંગો છો તે તમે સમજતા નથી." પછી તેમણે તેઓને પૂછ્યું, "હું જે પીડા સહન કરવા જઈ રહ્યો છું તે શું તમે સહન કરી શકો છો? બીજાઓ જેમ મને મારી નાખવાના છે તેમ તેઓ તમને મારી નાખે તે શું તમે સહન કરી શકો છો?"
\v 39 તેઓએ તેમને કહ્યું, "હા, અમે તેમ કરી શકીએ છીએ! પછી ઈસુએ તેઓને કહ્યું, "તે સાચું છે કે હું જે સહન કરવાનો છું તે તમે સહન કરી શકશો, અને જેમ લોકો મને મારી નાંખવાના છે તેમ તેઓ તમને મારી નાંખે તે તમે સહન કરી શકશો.
\v 40 પણ મારી બાજુમાં કોણ બેસશે તેનો નિર્ણય કરનાર હું નથી. ઈશ્વરે જેમને અગાઉથી પસંદ કર્યા છે તેઓને તે જગ્યાઓ આપશે."
\p
\s5
\v 41 યાકૂબે અને યોહાને જે માગણી કરી તેના વિષે બીજા દશ શિષ્યોએ પાછળથી સાંભળ્યું. તેથી તેઓએ કહ્યું કે તેઓ આ બે શિષ્યોથી નાખુશ હતા.
\v 42 પછી ઈસુએ તેઓ બધાને સાથે બોલાવ્યા અને કહ્યું, "તમે જાણો છો કે રાજાઓ અને બીજા જેઓ લોકો પર રાજ કરે છે તેઓ પોતે પરાક્રમી છે એવું દર્શાવવામાં આનંદ અનુભવે છે. તમે એ પણ જાણો છો કે તેઓના અધિકારીઓ બીજાઓને આદેશ આપવામાં આનંદ અનુભવે છે.
\s5
\v 43 પણ તમે તેઓના જેવા ન થાઓ! તેને બદલે, તમારામાંના જેઓ બધા ઇચ્છે છે કે ઈશ્વર તેઓને મહાન ગણે તેઓએ બાકી બીજાઓના ચાકર જેવા થવું.
\v 44 એ ઉપરાંત, તમારામાંનો કોઈ ઈચ્છે કે ઈશ્વર તેને ખૂબ મહત્વનો ગણે, તો તેણે બીજાઓના ગુલામ તરીકે વર્તવું.
\v 45 હું-માણસનો દીકરો, સેવા કરાવવા માટે આવ્યો નથી. પણ તેને બદલે, હું બીજાઓની સેવા કરવા તેમજ મારું જીવન તેઓને માટે આપવા દ્વારા ઘણા લોકોને મુક્ત કરવા આવ્યો છું."
\p
\s5
\v 46 યરુશાલેમના રસ્તે જતા, ઈસુ અને તેમના શિષ્યો યરીખો આવ્યા. પછી, જ્યારે તેઓ મોટા સમુદાય સાથે યરીખોથી જઈ રહ્યા હતા, ત્યારે એક અંધ માણસ જે તેની ટેવ મુજબ ભીખ માગતો હતો તે રસ્તાની બાજુએ બેઠેલો હતો. તેનું નામ બાર્તિમાય હતું અને તેના પિતાનું નામ તિમાય હતું.
\v 47 જ્યારે તેણે લોકોને કહેતા સાંભળ્યા કે નાસરેથના ઈસુ ત્યાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે તેણે બૂમ પાડી, "ઈસુ! તમે મસીહ કે જે દાઉદ રાજાના વંશજ છો, મારા પર દયા કરો!"
\v 48 ઘણા લોકોએ તેને ધમકાવ્યો અને તેને કહ્યું કે તેણે શાંત રહેવું જોઈએ. પણ તેણે વધુ મોટેથી બૂમો પાડી, "તમે મસીહ કે જે દાઉદ રાજાના વંશજ છો, મારા પર દયા કરો!"
\s5
\v 49 ઈસુ ઊભા રહ્યા અને કહ્યું, "તેને અહીં બોલાવો!" તેઓએ તે અંધ માણસને "ઈસુ તને બોલાવે છે! તેથી ખુશ થા, ઊભો થા અને આવ!" એમ કહીને બોલાવ્યો.
\v 50 તે તેનો ઝભ્ભો બાજુ પર મૂકી દઈને કૂદીને ઊભો થયો અને ઈસુની પાસે આવ્યો.
\s5
\v 51 ઈસુએ તેને પૂછ્યું, "હું તારા માટે શું કરું, તારી શી ઇચ્છા છે?" અંધ માણસે તેમને કહ્યું, "ગુરુજી, હું ફરીથી દેખતો થવા માગું છું!"
\v 52 ઈસુએ તેને કહ્યું, "હું તને સાજો કરું છું કારણ કે તેં મારા પર વિશ્વાસ રાખ્યો છે. તેથી તું જઈ શકે છે!" તે તરત જ દેખતો થયો. અને તે માર્ગે ઈસુની સાથે ગયો.
\s5
\c 11
\p
\v 1 જ્યારે ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમની નજીક આવ્યા ત્યારે, તેઓ બેથફાગે અને બેથાનિયા જે જૈતૂન પહાડની પાસે છે ત્યાં આવ્યા. પછી ઈસુએ તેમના બે શિષ્યોને બોલાવ્યા
\v 2 અને તેઓને કહ્યું, "સામે જે ગામ છે ત્યાં જાઓ. તેમાં તમે પેસશો કે તરત જ, તમે એક ગધેડાના વછેરાને જેના પર કોઈ કદી બેઠું નથી તેને બાંધેલો જોશો. તેને છોડીને મારી પાસે લઈ આવો.
\v 3 જો કોઈ તમને કહે કે, 'તમે એમ શા માટે કરો છો?' તો કહેજો, 'પ્રભુ તેનો ઉપયોગ કરવા માગે છે. તેમને તેની જરૂર નહિ હોય ત્યારે તેઓ તરત જ કોઈકની સાથે તેને અહીં પાછો મોકલી આપશે.'"
\s5
\v 4 તેથી તે બે શિષ્યો ગયા અને તે ગધેડાના વછેરાને શોધી કાઢ્યો. તે શેરીની બાજુના એક ઘરના બારણા પાસે બાંધેલો હતો. તેઓએ તેને છોડ્યો.
\v 5 ત્યાં કેટલાક લોકો હતા તેઓએ તેમને પૂછ્યું, "તમે તે ગધેડાને શા માટે છોડો છો?"
\v 6 જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તેમ તેમણે તેઓને કહ્યું. તેથી લોકોએ તેમને ગધેડાને લઈ જવાની રજા આપી.
\s5
\v 7 બે શિષ્યો ગધેડાને ઈસુની પાસે લાવ્યા અને તેમના ઝભ્ભા તેના પર નાખીને ઈસુ બેસી શકે તેવું આસન બનાવ્યું.
\v 8 ઘણા લોકોએ તેમના ઝભ્ભા તેમની સામે માર્ગ પર પાથર્યા. બીજાઓએ નજીકના ખેતરમાંથી ખજૂરીના વૃક્ષની ડાળીઓ કાપીને તેમની સામે માર્ગ પર પાથરી.
\v 9 જે લોકો તેમની આગળ તેમ જ પાછળ જઈ રહ્યા હતા તેઓ એવી બૂમો પાડતા હતા કે, "પ્રભુની સ્તુતિ થાઓ!" "ઈશ્વરના અધિકાર સાથે જે આવે છે તેને ઈશ્વર આશીર્વાદ આપો."
\v 10 આપણા પૂર્વજ દાઉદ રાજાએ જેમ રાજ કર્યું તેમ તમે રાજ કરો ત્યારે તમે આશીર્વાદિત થાઓ!" પરમ ઊંચામાં જે ઈશ્વર છે તેઓની સ્તુતિ થાઓ!"
\p
\s5
\v 11 ઈસુએ તેઓની સાથે યરુશાલેમમાં પ્રવેશ કર્યો, અને પછી તેઓ ભક્તિસ્થાનના આંગણામાં ગયા. ત્યાં ચારેબાજુ બધું જોયા પછી, તેઓ શહેરમાંથી બહાર ગયા કારણ કે બપોર પછી ઘણું મોડું થઈ ગયું હતું. તેઓ તેમના બાર શિષ્યો સાથે બેથાનિયા પાછા ગયા.
\p
\v 12 બીજા દિવસે, જ્યારે ઈસુ અને તેમના શિષ્યો બેથાનિયાથી નીકળ્યા ત્યારે, તેમને ભૂખ લાગી.
\s5
\v 13 એક અંજીરી જેને પાંદડાં હતાં તેને તેમણે દૂરથી જોઈ, તેથી તેઓ તેની પાસે ગયા જેથી તેમને તેના પરથી કોઈ અંજીર મળે. પણ જ્યારે તેઓ તેની પાસે આવ્યા, ત્યારે તેમને તેના પર કોઈ ફળ મળ્યું નહીં, કારણ કે હજુ તે સમય અંજીર થવાની મોસમ ન હતી.
\v 14 તેમણે વૃક્ષને કહ્યું, "હવેથી કદી કોઈ તારા પરથી ફળ ખાશે નહીં." અને શિષ્યોએ તે સાંભળ્યું.
\p
\s5
\v 15 ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમમાં પાછા આવ્યા અને ભક્તિસ્થાનના આંગણામાં પ્રવેશ્યા. તેમણે જે લોકો બલિદાન માટે પશુઓ વેચતા અને ખરીદતા હતા તેઓને જોયા. તે લોકોને તેમણે ભક્તિસ્થાનના આંગણામાંથી કાઢી મૂક્યા. જેઓ રોમન ચલણના બદલામાં ભક્તિસ્થાનના કરના નાણાંં વેચતા હતા તેઓનાં બાજઠ પણ તેમણે ઊંધાં વાળ્યાં. તેમણે જેઓ બલિદાન માટેના કબૂતર વેચતા હતા તે માણસોનાં આસનો ઊંધાં પાડ્યાં.
\v 16 તેમણે કોઈને પણ વેચવાનો સામાન લઈને ભક્તિસ્થાનના વિસ્તારમાં આવવા દીધા નહી.
\s5
\v 17 પછી તેમણે તે લોકોને શીખવ્યું, તેમણે તેઓને કહ્યું, "શાસ્ત્રમાં એવું લખેલું છે કે, ઈશ્વરે કહ્યું, 'મારું ઘર એવું હોય કે જ્યાં બધા જ દેશોના લોકો આવીને પ્રાર્થના કરી શકે,' પણ તમે ડાકુઓએ તો તેને જ્યાં લૂંટારા સંતાઈ રહે છે તેના જેવું કોતર કર્યું છે."
\v 18 મુખ્ય યાજકો અને યહૂદી નિયમ શીખવતા હતા તે માણસોએ તેમણે જે કર્યું હતું તે વિષે બાદમાં જાણ્યું. તેઓ તેમને કેવી રીતે મારી નાખી શકે તે વિષે તેઓ યોજના કરતા હતા, પણ તેઓ તેમનાથી બીધા કારણ કે તેઓને ખબર હતી કે લોકો તેમના શિક્ષણથી નવાઈ પામતા હતા.
\v 19 દર સાંજે ઈસુ અને તેમના શિષ્યો શહેરની બહાર જતા.
\p
\s5
\v 20 બીજે દિવસે સવારે જ્યારે તેઓ યરુશાલેમ તરફના માર્ગે જઈ રહ્યા હતા ત્યારે, ઈસુએ જે અંજીરીને શ્રાપ આપ્યો હતો તેને પૂરેપૂરી સુકાઈ ગયેલી જોઈ.
\v 21 ઈસુએ અંજીરીને જે કહ્યું હતું તે પિતરને યાદ હતું, અને તેણે ઈસુને કહ્યું, "ગુરુજી, જુઓ! જે અંજીરીને તમે શ્રાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ છે!"
\s5
\v 22 ઈસુએ ઉત્તર આપ્યો, "ઈશ્વર પર વિશ્વાસ રાખો!
\v 23 આ પણ નોંધ લો: જો કોઈ આ પર્વતને કહે કે, 'ઊઠ અને સમુદ્રમાં નંખાઈ જા!' અને તે પ્રમાણે બનશે એવો સંદેહ ન રાખતાં, જો તે, વિશ્વાસ રાખે કે તેમ બનશે તો, ઈશ્વર તેના માટે તે કરશે.
\s5
\v 24 તેથી હું તમને કહું છું, જ્યારે પણ તમે પ્રાર્થનામાં ઈશ્વર પાસે કંઈ માંગો, ત્યારે તમે તે પામ્યા છો તેવો વિશ્વાસ રાખો, જો તમે તેમ કરશો તો, ઈશ્વર તમારે માટે તે કરશે.
\v 25 હવે, હું તમને આ પણ કહું છું: જ્યારે પણ તમે પ્રાર્થના કરો છો ત્યારે, જો તમને નુકસાન કરવાને લીધે લોકો વિરુદ્ધ રોષ હોય તો, તેઓને માફ કરો, જેથી સ્વર્ગમાંના તમારા પિતા પણ તેવી જ રીતે તમારા પાપ માફ કરે."
\v 26 પણ જો તમે માફી આપવાનો ઇનકાર કરશો તો, તમારા આકાશમાંના પિતા પણ તમારાં પાપ માફ નહિ કરે.
\p
\s5
\v 27 ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમમાં ભક્તિસ્થાનના આંગણામાં ફરીથી પાછા આવ્યા. જ્યારે ઈસુ ત્યાં ફરતા હતા ત્યારે, મુખ્ય યાજકો, યહૂદી નિયમ શીખવનારા કેટલાક માણસો, અને આગેવાનોનો એક સમૂહ તેમની પાસે આવ્યો.
\v 28 તેઓએ તેમને કહ્યું, "તમે કયા અધિકારથી આ બાબતો કરો છો? તમે ગઈકાલે જે બાબતો અહીં કરી તે કરવા માટેનો અધિકાર તમને કોણે આપ્યો?"
\s5
\v 29 ઈસુએ તેઓને કહ્યું, "હું તમને એક પ્રશ્ન પૂછીશ. જો તમે મને તેનો જવાબ આપો તો, હું તમને કહીશ કે આ બાબતો કરવાનો અધિકાર મને કોણે આપ્યો છે.
\v 30 યોહાનની પાસે જેઓ આવ્યા તેઓને બાપ્તિસ્મા આપવાનો અધિકાર તેને ઈશ્વરે આપ્યો હતો? કે પછી લોકોએ તેને અધિકાર આપ્યો હતો?"
\s5
\v 31 તેઓએ માંહોમાંહે ચર્ચા કરી કે તેઓએ શો ઉત્તર આપવો જોઇએ. તેઓએ એકબીજાને કહ્યું, "જો આપણે એવું કહીએ કે ઈશ્વરે તેને અધિકાર આપ્યો તો, તે આપણને કહેશે કે, "તો પછી યોહાને જે કહ્યું તે તમારે માનવું જોઈતું હતું!'
\v 32 બીજી તરફ, જો આપણે કહીએ કે યોહાનને લોકોએ અધિકાર આપ્યો હતો તો, આપણુ શું થશે?" તેઓ યોહાન વિષે એવું કહેતા બીધાં, કારણ કે તેઓ જાણતા હતા કે લોકો તેમના પર ગુસ્સે થશે. તેઓ જાણતા હતા કે બધા જ લોકો વિશ્વાસ કરતા હતા કે યોહાન ખરેખર ઈશ્વરે મોકલેલો પ્રબોધક હતો.
\v 33 તેથી તેઓએ ઈસુને જવાબ આપ્યો, "અમે જાણતા નથી કે યોહાને કોની પાસેથી અધિકાર મેળવ્યો." ત્યારે ઈસુએ તેઓને કહ્યું, "તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યો નહીં, તેથી મેં જે કંઈ કામો ગઈકાલે કર્યા તેને માટે મને કોણે અધિકાર આપ્યો તે હું તમને કહીશ નહીં."
\s5
\c 12
\p
\v 1 પછી ઈસુએ તેઓને ઉદાહરણ આપવાની શરૂઆત કરી. તેમણે કહ્યું, "કોઈએક માણસે દ્રાક્ષાવાડી રોપી. તેણે તેને ફરતી વાડ બનાવી. દ્રાક્ષનો રસ એકઠો કરવા માટે તેણે પત્થરનો કુંડ બનાવ્યો. તેણે દ્રાક્ષાવાડીનું રક્ષણ કરવા માટે કોઈ બેસી શકે તે માટે બુરજ બાંધ્યો. તેણે દ્રાક્ષાવાડીની ખેતી કરવા કેટલાક ખેડૂતોને તે ભાડે આપી, અને પછી તે બીજા દેશમાં ચાલ્યો ગયો.
\v 2 જ્યારે દ્રાક્ષની ફસલ લણવાનો સમય આવ્યો ત્યારે, તેણે જે માણસો દ્રાક્ષાવાડીની સંભાળ રાખતા હતા તેમની પાસે એક નોકરને મોકલ્યો કે જેથી દ્રાક્ષાવાડીમાં જે દ્રાક્ષ પેદા થઈ હોય તેનો ભાગ તેઓની પાસેથી લઈ આવે.
\v 3 પણ જ્યારે તે નોકર આવ્યો ત્યારે, તેઓએ તેને પકડ્યો અને તેને માર્યો, અને તેઓએ તેને ફળમાંથી કશું આપ્યું નહીં. પછી તેઓએ તેને કાઢી મૂક્યો.
\s5
\v 4 પછી તે માલિકે બીજા એક નોકરને તેઓની પાસે મોકલ્યો. પણ તેઓએ તેના માથામાં માર્યું અને તેનું અપમાન કર્યું.
\v 5 પછી માલિકે બીજા એક નોકરને મોકલ્યો. તેને પણ તે ખેડૂતના માણસોએ મારી નાખ્યો. બીજા જે નોકરોને તેણે મોકલ્યા તેઓની સાથે પણ તેમણે ખરાબ વ્યવહાર કર્યો. કેટલાંકને તેઓએ માર્યા અને કેટલાંકને તેઓએ મારી નાખ્યા.
\s5
\v 6 તે માલિકની પાસે હજુ બીજી એક વ્યક્તિ હતી, એટલે કે તેનો દીકરો, જેને તે ખૂબ પ્રેમ કરતો હતો. તેથી તેણે તેના દીકરાને તેઓની પાસે મોકલ્યો કેમ કે તેણે વિચાર્યું કે તેઓ તેને માન આપશે.
\v 7 પણ જ્યારે ખેડૂતોએ જોયું કે તેનો દીકરો આવી રહ્યો છે ત્યારે, તેઓએ એકબીજાને કહ્યું, 'જુઓ! માલિકનો દીકરો આવે છે, તે એક દિવસે દ્રાક્ષાવાડીનો વારસ થશે! તેથી ચાલો આપણે તેને મારી નાખીએ કે જેથી આ દ્રાક્ષાવાડી આપણી થઈ જાય!'
\s5
\v 8 તેઓએ માલિકના દીકરાને પકડ્યો અને તેને મારી નાખ્યો. પછી તેઓએ તેનું શબ દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધું.
\v 9 તો શું તમે જાણો છો કે દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે? તે આવીને જેઓ દ્રાક્ષાવાડીની સંભાળ રાખતા હતા તે દુષ્ટ માણસોને મારી નાખશે. પછી તેની સંભાળ લેવા માટે, બીજા માણસોને તે સોંપશે.
\s5
\v 10 હવે, આ શબ્દો જે શાસ્ત્રવચનોમાં તમે વાંચ્યા છે તે પ્રત્યે કાળજીપૂર્વક ધ્યાન આપો:
\p "જે માણસો ઇમારત બાંધતા હતા તેઓએ એક ખાસ પથ્થરને વાપરવાનો ઇનકાર કર્યો. પણ પ્રભુએ એ જ પથ્થરને તેની યોગ્ય જગ્યાએ મૂક્યો છે, અને તે ઇમારતનો અતિ મહત્વનો પથ્થર બન્યો છે!
\v 11 ઈશ્વરે આ કર્યું છે, અને આપણે તેને જોઇને આશ્ચર્ય પામીએ છીએ."
\p
\v 12 ત્યારે યહૂદી આગેવાનોને લાગ્યું કે, દુષ્ટ લોકોએ જે કર્યું તેના સંબંધી જ્યારે ઈસુએ આ વાર્તા કહી ત્યારે ઈસુ તેઓને જ દોષિત ઠરાવતા હતા. તેથી તેઓ તેમને પકડવા માગતા હતા. પણ જો તેઓ તેમ કરે તો લોકોનો સમૂહ શું કરશે તે વિચારે તેઓ ગભરાતા હતા. તેથી તેઓ તેમને છોડીને જતા રહ્યા.
\p
\s5
\v 13 યહૂદી આગેવાનોએ કેટલાક ફરોશીઓ અને હેરોદ આન્તીપાસને સમર્થન આપનાર જૂથના કેટલાક સભ્યોને ઈસુ પાસે મોકલ્યા. તેઓ ઈસુને ફસાવવા માંગતા હતા; તેઓ કંઇક ખોટું કહે એવું ઇચ્છતા હતા કે જેથી તેઓ લોકોને બતાવી શકે કે તેમણે ખોટી બાબતો શીખવી છે અને એમ તેઓ ઈસુની વિરુદ્ધ દોષ લગાવી શકે.
\v 14 તેઓએ આવીને તેમને કહ્યું, "ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સત્ય શીખવો છો. અમે એ પણ જાણીએ છીએ કે તમે જે કહો છો તે કોઈ મહત્વની વ્યક્તિને ન ગમે તોપણ લોકો તમારા વિષે શું કહે છે તે વિષે તમને પરવા નથી. તેના બદલે, ઈશ્વર અમારી પાસે જે કરાવવા માંગે છે તે તમે સત્યતાથી શીખવો છો. તેથી અમને કહો કે તમે આ સંબંધી શું વિચારો છો: અમે રોમન સરકારને કર આપીએ તે યોગ્ય છે કે નથી? શું અમારે કર આપવો જોઈએ કે ન આપવો જોઈએ?"
\v 15 ઈસુ જાણતા હતા કે તેઓ ખરેખર ઈશ્વર તેમની પાસે શું કરાવવા માંગે છે તે જાણવા માગતા ન હતા. તેથી તેમણે તેઓને કહ્યું, "હું જાણું છું કે તમે માત્ર એવો પ્રયત્ન કરો છો કે જેથી હું કંઈક ખોટું બોલું કે જેના માટે તમે મને દોષિત ઠરાવી શકો. તો પણ હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ. મારી પાસે એક સિક્કો લાવો જેથી હું તેને જોઈ શકું."
\s5
\v 16 તેઓ તેમની પાસે સિક્કો લાવ્યા તે પછી, તેમણે તેઓને પૂછ્યું, "આ સિક્કા પર કોની છબી છે? અને તેના પર કોનું નામ છે?" તેઓએ ઉત્તર આપ્યો, "તે કાઈસારની છબી અને નામ છે."
\v 17 ઈસુએ તેઓને કહ્યું, "તે સાચું છે, તેથી જે કાઈસારનું છે તે તેને આપો, અને જે ઈશ્વરનું છે તે તેમને આપો." તેમણે જે કહ્યું તેનાથી તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યા.
\p
\s5
\v 18 જે માણસો સદૂકી જૂથના હતા તેઓ બીજા યહૂદીઓ જે માનતા હતા તેનો ઇનકાર કરતા હતા, કે લોકો મરણ પામ્યા પછી ફરીથી સજીવન થશે. કેટલાક સદૂકીઓ ઈસુની પાસે આવ્યા અને તેમને પૂછ્યું,
\v 19 "ગુરુજી, મૂસાએ અમ યહૂદીઓને માટે લખ્યું હતું કે જો માણસને સંતાન ન હોય અને તે મરણ પામે, તો મરનારની વિધવા સાથે તેના ભાઈએ લગ્ન કરવું જોઈએ. અને તેઓ બંને બાળકો પેદા કરે તો બધા એમ ગણશે કે તે બાળકો મરનાર માણસના છે, અને એ રીતે મરનાર માણસનો વંશ ચાલુ રહેશે.
\s5
\v 20 તો અહીં એક ઉદાહરણ છે. એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. સૌથી મોટા ભાઈએ એક સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં, પણ તે અને તેની પત્ની નિઃસંતાન રહ્યા. પછી તે મરણ પામ્યો.
\v 21 બીજા ભાઈએ પણ તે સ્ત્રી સાથે લગ્ન કર્યું, પણ, તે પણ નિઃસંતાન રહ્યો. પછી તે મરણ પામ્યો. ત્રીજા ભાઈએ પણ તેના બીજા ભાઈઓની જેમ લગ્ન કર્યું. પરંતુ તે પણ નિઃસંતાન રહ્યો, અને પછી તે મરણ પામ્યો.
\v 22 છેવટે સાતેય ભાઈઓએ એક પછી એક તે સ્ત્રી સાથે લગ્ન કર્યાં, પરંતુ કોઈને પણ બાળકો થયા નહિ, અને એક પછી એક તેઓ મરણ પામ્યા. તે પછી સ્ત્રી પણ મરણ પામી.
\v 23 હવે જ્યારે લોકો મરણ પામ્યા પછી ફરીથી સજીવન થશે ત્યારે, તે સ્ત્રી કોની પત્ની થશે? એ ધ્યાન રાખજો કે તેણે સાતેય ભાઈઓની સાથે લગ્ન કર્યાં હતાં!"
\s5
\v 24 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "તમે ચોક્ક્સપણે ખોટા છો. શાસ્ત્ર આ વિષે શું શીખવે છે તે તમે જાણતા નથી. લોકોને ફરીથી સજીવન કરનાર ઈશ્વરના સામર્થ્યને પણ તમે સમજતા નથી.
\v 25 તે સ્ત્રી તેઓમાંના કોઈ પણ ભાઈની પત્ની થશે નહીં, કારણ કે જ્યારે લોકો ફરીથી સજીવન થશે ત્યારે, પુરુષોની પત્નીઓ હોવાને બદલે અને સ્ત્રીઓના પતિઓ હોવાને બદલે, સ્વર્ગમાં તેઓ દૂતો જેવા હશે. દૂતો લગ્ન કરતા નથી.
\s5
\v 26 પણ લોકોના મરણ પછી સજીવન થવા વિષે મને કહેવા દો. જે પુસ્તકમાં મૂસાએ લખ્યું તેમાં, જે લોકો મરણ પામ્યા છે તેઓના વિષે લખ્યું; મને ખાતરી છે કે તમે તે વાંચ્યું હશે. જ્યારે મૂસા તે બળતા ઝાડ તરફ જોઈ રહ્યો હતો ત્યારે, ઈશ્વરે તેને કહ્યું, 'હું ઈશ્વર છું કે જેનું ભજન ઇબ્રાહિમ, ઇસહાક, અને યાકૂબ કરે છે.
\v 27 હવે મરેલા લોકો ઈશ્વરનું ભજન કરતા નથી. જેઓ જીવતા છે તેઓ ઈશ્વરનું ભજન કરે છે. તેથી જ્યારે તમે કહો છો કે મરેલા લોકો ફરીથી સજીવન ન થઈ શકે, તો તમે તદ્દ્ન ખોટા છો."
\s5
\v 28 જે માણસ યહૂદી નિયમો શીખવતો હતો તેણે તેઓની ચર્ચા સાંભળી. તે જાણતો હતો કે ઈસુએ સદૂકીઓના પ્રશ્નોનો સારી રીતે જવાબ આપ્યો છે. તેથી તેણે આગળ આવીને ઈસુને પૂછ્યું, "કઈ આજ્ઞા સૌથી વધુ મહત્વની છે?"
\v 29 ઈસુએ જવાબ આપ્યો, "સૌથી મહત્વની આજ્ઞા આ છે: 'ઓ ઇઝરાયલ, સાંભળ! પ્રભુ આપણા ઈશ્વર તેઓ એકલા જ પ્રભુ છે.
\v 30 જે બધું જ તમે ઇચ્છો છો અને અનુભવો છો, જે વિચારો છો, અને જે કરો છો તે બધામાં તમારે પ્રભુ તમારા ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ!
\v 31 બીજી અગત્યની આજ્ઞા એ છે: 'તમારે તમારી આસપાસના લોકોને તમારી જાતના જેટલો પ્રેમ કરવો જોઈએ.' આ બે આજ્ઞાઓ જેવી મહત્વની બીજી કોઈ આજ્ઞા નથી!"
\s5
\v 32 તે માણસે ઈસુને કહ્યું, "ગુરુજી, તમે સારો જવાબ આપ્યો. તમે સાચું કહ્યું કે ઈશ્વર એ એકલા જ ઈશ્વર છે અને બીજો કોઈ ઈશ્વર નથી.
\v 33 તમે એ પણ સાચું કહ્યું કે આપણે જે બધું ઇચ્છીએ છીએ અને અનુભવીએ છીએ, જે બધું વિચારીએ છીએ, અને જે કરીએ છીએ તેમાં ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ. અને તમે એ સાચું કહ્યું કે જેઓ આપણા સંપર્કમાં આવે છે તેઓને આપણે પોતાના જેટલો પ્રેમ કરવો જોઈએ. અને તમે એ પણ સાચું કહ્યું કે તેમને પશુઓના બલિદાન ચઢાવવા કે બીજા દહન્યાર્પણો કરતાં આ બધી બાબતો ઈશ્વરને વધારે પ્રસન્ન કરે છે."
\v 34 ઈસુએ જોયું કે તે માણસે ડહાપણથી ઉત્તર આપ્યો છે. તેથી તેમણે તેને કહ્યું, "ઈશ્વર તારા પર રાજ કરવા સંમત થાય તે ઘડીથી તું દૂર નથી." તે પછી, યહૂદી આગેવાનો તેમને સપડાવવા બીજા કોઇ પણ પ્રશ્નો પૂછતાં બીધા.
\s5
\v 35 પછી, જ્યારે ઈસુ ભક્તિસ્થાનના વિસ્તારમાં શીખવી રહ્યા હતા ત્યારે, તેમણે લોકોને કહ્યું, "જેઓ નિયમો શીખવે છે તેઓ જ્યારે એવું કહે કે ખ્રિસ્ત કેવળ દાઉદ રાજાના માનવીય વંશજ છે, અને તેઓ સાચા છે, તો તે કેવી રીતે હોઇ શકે?
\v 36 પવિત્ર આત્માએ દાઉદને પોતે ખ્રિસ્ત વિષે કહેવા જણાવ્યું, 'ઈશ્વરે મારા પ્રભુને કહ્યું, "અહીં મારે જમણે હાથે, જ્યાં હું તમને બીજા બધા કરતા ઘણું માન આપીશ ત્યાં બેસો! હું તમારા બધા દુશ્મનોને હરાવું ત્યાં સુધી અહીં બેસો!"'
\v 37 તેથી, કેમકે દાઉદ પોતે ખ્રિસ્તને 'મારા પ્રભુ' કહે છે, તેથી ખ્રિસ્ત માત્ર દાઉદ રાજાના વંશજ હોઈ શકે નહિ! તેઓ દાઉદ કરતા ઘણા વધારે મહાન હોવા જોઈએ!" જ્યારે તેઓ તે વાતો શીખવતા હતા ત્યારે ઘણા લોકો આનંદથી તેમનું સાંભળતા હતા.
\s5
\v 38 ઈસુ જ્યારે લોકોને શીખવતા હતા ત્યારે, તેમણે લોકોને કહ્યું, "સાવધ રહો, જેઓ આપણને નિયમશાસ્ત્ર શીખવે છે તેઓની જેમ તમે ન વર્તો. લોકો તેમને માન આપે તે તેમને ગમે છે, તેથી તેઓ લાંબા ઝભ્ભા પહેરીને ફરે છે કે જેથી તેઓ કેવા મહત્વના છે તે લોકોને બતાવી શકે. લોકો જાહેર જગ્યાઓમાં તેમને માનભેર સલામ કરે તે પણ તેમને ગમે છે.
\v 39 સભાસ્થાનોમાં સૌથી મહત્વની બેઠકો પર બેસવાનું પણ તેમને ગમે છે. તહેવારોના સમયે, જ્યાં સૌથી માનવંત માણસો બેસે છે તેવી બેઠકોમાં બેસવાનું તેમને ગમે છે.
\v 40 તેઓ વિધવાઓને છેતરે છે અને તેમનાં ઘરો તથા મિલકત પચાવી પાડે છે. પછી જાહેરમાં લાંબી પ્રાર્થનાઓ કરીને પોતે સારા હોવાનો ઢોંગ કરે છે. ઈશ્વર જરુરથી તેમને ભારે શિક્ષા કરશે!"
\s5
\v 41 પછીથી, ઈસુ ભક્તિસ્થાનના વિસ્તારમાં જ્યાં લોકો અર્પણ નાખે છે તે પેટીઓની સામે બેઠા. તેઓ ત્યાં બેસીને લોકો પેટીઓમાં નાણાં નાખતા હતા તે જોતા હતા. ઘણા શ્રીમંત લોકો વધારે પ્રમાણમાં નાણાં નાખતા હતા.
\v 42 પછી એક ગરીબ વિધવા આવી અને તાંબાના બે નાના સિક્કા નાખ્યા જેનું મૂલ્ય ઘણું ઓછું હતું.
\s5
\v 43-44 ઈસુએ તેમના શિષ્યોને તેમની પાસે એકઠા કરીને કહ્યું, સત્ય એ છે કે પેલા બીજા લોકો પાસે પુષ્કળ નાણાંં છે, પણ તેઓએ તેમાંથી માત્ર થોડું જ આપ્યું છે. પણ આ સ્ત્રી, જે ઘણી ગરીબ છે, તેણે આજની તેની જરૂરિયાતોને માટે જે નાણાંં તેની પાસે હતાં તે બધાં નાણાંં તેણે નાખ્યા છે. તેથી આ ગરીબ વિધવાએ બીજા બધા કરતાં વધારે નાણાંં નાખ્યા છે!"
\s5
\c 13
\p
\v 1 જ્યારે ઈસુ ભક્તિસ્થાનનો વિસ્તાર છોડી જઈ રહ્યા હતા ત્યારે, તેમના શિષ્યોમાંના એકે તેમને કહ્યું, "ગુરુજી, જુઓ આ મોટા પથ્થરો કેટલા અદભુત છે અને આ ઇમારતો કેટલી સુંદર છે!"
\v 2 ઈસુએ તેને કહ્યું, "હા, આ ઇમારતો જેના તરફ તું જુએ છે તે સુંદર છે, પણ હું તને તેઓના વિષે બીજું કંઈક કહેવા માગું છું. તેઓનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવશે. અહીં ભક્તિસ્થાનના વિસ્તારમાં કોઈ પથ્થર બીજા પથ્થર ઉપર રહેવા પામશે નહિ."
\p
\s5
\v 3 ભક્તિસ્થાન તરફની ખીણ પસાર કરીને તેઓ જૈતુન પહાડ પર આવ્યા તે પછી, ઈસુ નીચે બેઠા. જ્યારે પિતર, યાકૂબ, યોહાન, અને આન્દ્રિયા તેમની સાથે એકલા હતા ત્યારે, તેઓએ તેમને પૂછ્યું,
\v 4 "અમને જણાવો કે આ બધી બાબતો ક્યારે બનશે? આ બધી બાબતો બનવા જઇ રહી છે તે દર્શાવવા માટે શું બનશે?"
\s5
\v 5 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "જે બનવાનું છે તેના વિષે કોઈ તમને ભરમાવે નહીં તે વિષે સાવધ રહો!
\v 6 ઘણા લોકો આવશે અને કહેશે કે મેં ઈસુએ તેઓને મોકલ્યા છે. તેઓ કહેશે, 'હું મસીહ છું!' તેઓ ઘણા લોકોને ભરમાવશે.
\s5
\v 7 જ્યારે તમે સૈનિકો યુદ્ધમાં લડતા હોય તેવો અવાજ સાંભળો, અથવા જ્યારે તમે યુધ્ધો થવાનાં છે તેવા સમાચાર સાંભળો, ત્યારે તમે મૂંઝાશો નહીં. આ બાબતો ખરેખર બનશે. પણ જ્યારે તેઓ બને ત્યારે, એવું વિચારશો નહીં કે ઈશ્વરે જે બધું યોજ્યું છે તે તેઓ તે સમયે પૂરું કરશે!
\v 8 જે જૂથો વિવિધ દેશોમાં રહે છે તેઓ એકબીજા સાથે યુદ્ધ કરશે અને અલગ અલગ રાજાઓ અને આગેવાનો એકબીજા સાથે યુદ્ધ કરશે. કેટલીક જગ્યાઓએ ભૂકંપ પણ થશે અને દુકાળ પડશે. છતાં, જ્યારે આ બાબતો બનશે ત્યારે, તે લોકોની મુશ્કેલીઓની શરૂઆત જ હશે. આ પ્રથમ બાબતો જે તેઓ સહન કરશે તે કોઈ સ્ત્રીને બાળક જણવાને સમયે થતા શરુઆતના દુઃખ જેવી હશે. તે પછી તેઓને આનાથી પણ વધારે સહન કરવું પડશે.
\p
\s5
\v 9 તે સમયે લોકો તમને શું કરશે તે સંબંધી તૈયાર રહો. તેઓ તમારી ધરપકડ કરશે અને આગેવાનોના જૂથોની આગળ તપાસ માટે ઊભા કરશે. વિવિધ સભાસ્થાનોમાં લોકો તમને મારશે. તેઓ ઉચ્ચ સરકારી અધિકારીઓની હાજરીમાં તમારી તપાસ કરશે. તેના પરિણામે, તમે તેઓને મારા સંબંધી કહી શકશો.
\v 10 ઈશ્વરે જે યોજના કરી છે તે બધું તેઓ પૂરું કરે તે પહેલાં મારા અનુયાયીઓએ બધા દેશોના લોકોને શુભ સમાચાર પ્રગટ કરવા જોઈએ.
\s5
\v 11 જ્યારે લોકો તમારી ધરપકડ કરે ત્યારે, તમે શું કહી શકશો તે વિષે ચિંતા ન કરશો. તેને બદલે, તે સમયે ઈશ્વર તમારા મનમાં જે મૂકે તે કહેજો. પછી જે બોલનાર હશે તે માત્ર તમે જ નહિ હો. પવિત્ર આત્મા તમારા દ્વારા બોલી રહ્યા હશે.
\v 12 કેટલાક ભાઈઓ અને બહેનો બીજા ભાઈઓ અને બહેનો સાથે વિશ્વાસઘાત કરશે. કેટલાક પિતાઓ તેમનાં બાળકો સાથે વિશ્વાસઘાત કરશે. કેટલાંક બાળકો તેમના માતાપિતા સાથે વિશ્વાસઘાત કરશે જેથી સરકારી અધિકારીઓ તેઓના માતાપિતાને મારી નાખશે.
\v 13 તમે મારા પર વિશ્વાસ કર્યો છે તેના કારણે ઘણા બધા લોકો તમારો ધિક્કાર કરશે. પણ તમે બધા જેઓ મરણ પામતાં સુધી મારા પરના વિશ્વાસમાં લાગુ રહેશો તેઓ બચી જશો.
\p
\s5
\v 14 તે સમય દરમ્યાન તમે ધિક્કારપાત્ર બાબતને ભક્તિસ્થાનમાં પ્રવેશતી જોશો. તે ભક્તિસ્થાનને ભ્રષ્ટ કરશે અને લોકોને ભક્તિસ્થાન ત્યાગવા દોરશે. જ્યારે તમે તેને ત્યાં જુઓ કે જ્યાં તે ન હોવી જોઈએ ત્યારે, તમારે ઝડપથી ભાગી જવું જોઈએ! (જેઓ બધા આ ચેતવણી વાંચી રહ્યા છે તેઓએ નિશ્ચે તેના તરફ ધ્યાન આપવું જોઈએ!) તે સમયે જે લોકો યહૂદિયા જીલ્લામાં હોય તેઓએ ઊંચી ટેકરીઓ પર નાસી જવું જોઈએ.
\v 15 જે લોકો તેમનાં ઘરોની બહાર હોય તેઓએ કંઈ પણ લેવા માટે તેમનાં ઘરોમાં જવું જોઈએ નહીં.
\v 16 જેઓ ખેતરમાં કામ કરી રહ્યા હોય તેઓએ વધારાના વસ્ત્રો લેવા તેમનાં ઘરોમાં પાછા જવું જોઈએ નહીં.
\s5
\v 17 તે દિવસોમાં જે સ્ત્રીઓ સગર્ભા હશે અને જેઓ પોતાના બાળકોને સ્તનપાન કરાવતી હશે તેઓના માટે હું ખૂબ દુઃખ અનુભવું છું, કારણ કે તેઓને માટે નાસી જવું તે ખૂબ મુશ્કેલીભર્યું હશે!
\v 18-19 તે દિવસોમાં લોકો ઘણું સહન કરશે. ઈશ્વરે દુનિયાને ઉત્પન્ન કરી ત્યારથી લઈને અત્યાર સુધી લોકોએ કદી આટલું સહન કર્યું નથી; અને લોકો ફરી કદી આ રીતે સહન કરશે નહીં. તેથી પ્રાર્થના કરો કે આ દુઃખથી ભરેલો સમય શિયાળામાં ન આવે, કેમ કે તે વખતે મુસાફરી કરવાનું મુશ્કેલ હશે.
\v 20 જો પ્રભુ ઈશ્વરે તે દિવસો કે જ્યારે લોકોને ખૂબ સહન કરવું પડશે તે ઓછા કરવાનું નક્કી કર્યું ન હોત તો, બધા જ મરણ પામત. પણ તેમણે તે સમયને ટૂંકો કરવાનું નક્કી કર્યું કારણ કે જે લોકોને તેમણે પસંદ કર્યા છે તેઓના વિષે ઈશ્વર કાળજી રાખે છે.
\s5
\v 21-22 તે સમયે લોકો જુઠ્ઠાણું ફેલાવશે કે તેઓ પોતે ખ્રિસ્ત છે. અને કેટલાક લોકો પોતે ઈશ્વર પાસેથી આવેલા પ્રબોધકો છે એવો પણ દાવો કરશે. પછી તેઓ ઘણા પ્રકારના ચમત્કારો કરશે. જેમને ઈશ્વરે પસંદ કર્યા છે તેમને પણ તેઓ ભરમાવવાનો પ્રયત્ન કરશે. તેથી તે સમયે જો કોઈ તમને કહે કે, 'જુઓ, ખ્રિસ્ત અહીં છે!' કે જો કોઈ કહે કે, 'જુઓ, ખ્રિસ્ત ત્યાં છે!' તો તે માનશો નહીં!
\v 23 સાવધ રહો! યાદ રાખો કે આ બાબતો બનશે તે વિષે મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે.
\p
\s5
\v 24 જ્યારે લોકો આવી રીતે સહન કરશે તે સમય પછી, સૂર્ય અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર પ્રકાશ નહીં આપે;
\v 25 તારાઓ આકાશમાંથી ખરી જશે, અને આકાશમાંની બધી પરાક્રમી બાબતોને તેમના સ્થાનેથી હલાવવામાં આવશે.
\v 26 પછી લોકો મને, માણસના દીકરાને, પરાક્રમ અને મહિમાસહિત વાદળોમાં આવતાં જોશે.
\v 27 પછી હું મારા દૂતોને મોકલીશ જેથી તેઓ તે બધા જ લોકોને એકઠા કરે જેઓને ઈશ્વરે પૃથ્વીના છેડા સુધીનાં બધાં સ્થળેથી પસંદ કર્યા છે.
\p
\s5
\v 28 હવે હું ઇચ્છું છું કે અંજીરીનાં વૃક્ષો કેવી રીતે વૃદ્ધિ પામે છે તે પરથી તમે કંઈક શીખો. જ્યારે તેની કુમળી ડાળીઓ વધે છે અને તેમને પાંદડાં ફૂટવા લાગે છે ત્યારે, તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે.
\v 29 તેવી જ રીતે, મેં તમને જે બધું બનવાનું છે તેનું વર્ણન કર્યું તે બધું થતાં જ્યારે તમે જુઓ ત્યારે તમે પોતે જાણશો કે મારા પાછા આવવાનો સમય ઘણો પાસે છે. તે એના જેવું હશે કે જાણે કે હું બારણા આગળ જ છું.
\s5
\v 30 આ બાબતનું ધ્યાન રાખો: આ બાબતો બનશે નહીં ત્યાં સુધી આ પેઢી મરશે નહીં.
\v 31 તમે એ ખાતરી રાખી શકશો કે આ બાબતો જેની મેં ભવિષ્યવાણી કરી છે તેઓ બનશે. પૃથ્વી અને આકાશમાં જે બધું છે તેઓ એક દિવસ નાશ પામશે, પણ આ બાબતો જે મેં તમને કહી છે તે ખચીત બનશે જ.
\v 32 પણ હું ક્યારે પાછો આવીશ તેનો ચોક્કસ સમય કોઈ જાણતું નથી. સ્વર્ગમાંના દૂતો પણ તે જાણતા નથી. હું, ઈશ્વરનો દીકરો પણ, તે જાણતો નથી. માત્ર મારા પિતા જાણે છે.
\s5
\v 33 તેથી તૈયાર રહો! નિત્ય સાવધ રહો, કારણ કે તમે જાણતા નથી કે ક્યારે તે સમય આવશે કે જ્યારે આ બધી ઘટનાઓ બનશે!
\v 34 જ્યારે કોઈ માણસ મુસાફરીને માટે તેનું ઘર છોડીને દૂર જવાનો હોય ત્યારે, તે તેના નોકરોને તેના ઘરનો કારભાર ચલાવવા જણાવે છે. દરેકે શું કરવું તે તેઓને જણાવે છે. પછી તે દરવાનને તેના પાછા ફરવા વિષે તૈયાર રહેવા જણાવે છે.
\s5
\v 35 તે માણસે હંમેશા તૈયાર રહેવું જોઈએ, કારણ કે તે જાણતો નથી કે તેનો માલિક સાંજે, મધ્યરાત્રિએ, મરઘો બોલતી વખતે કે સૂર્યોદય સમયે ક્યારે પાછો આવશે. તેવી જ રીતે, તમારે પણ તૈયાર રહેવું જોઈએ, કારણ કે હું ક્યારે પાછો આવીશ તે તમે જાણતા નથી.
\v 36 એવું ન થાય કે જ્યારે હું અચાનક આવું ત્યારે, હું તમને તૈયાર થએલા ન જોઉં!
\v 37 હું આ જે શબ્દો તમને શિષ્યોને કહું છું તે બધાને જણાવું છું: હંમેશાં તૈયાર રહો!"
\s5
\c 14
\p
\v 1 જેને તેઓ પાસ્ખાપર્વ કહેતા હતા તે એક અઠવાડિયાના તહેવારની ઉજવણી શરુ થવાને બે દિવસ બાકી હતા. તે દિવસો દરમ્યાન તેઓ ખમીર વગરની રોટલીનો તહેવાર પણ ઊજવતા હતા. મુખ્ય યાજકો અને જેઓ યહૂદી નિયમો શીખવતા હતા તે માણસો ઈસુને કેવી રીતે ગુપ્તપણે પકડી શકાય અને મારી નાંખી શકાય તે વિષે યોજના કરતા હતા.
\v 2 પણ તેઓ એકબીજાને કહેતા હતા કે, "આપણે પર્વના દિવસો દરમ્યાન તે કરીશું નહીં, કારણ કે જો આપણે તેમ કરીએ તો લોકો આપણા પ્રત્યે ખૂબ ગુસ્સે થશે અને હુલ્લડ થશે!"
\p
\s5
\v 3 ઈસુ બેથાનિયામાં સિમોન કે જે કૂષ્ઠ રોગી તરીકે ઓળખાતો હતો તેના ઘરમાં હતા. જ્યારે તેઓ જમતા હતા ત્યારે, એક સ્ત્રી તેમની પાસે આવી. તે જટામાંસીનું અતિ મૂલ્યવાન સુગંધીદાર અત્તર ભરેલી સંગેમરમરની શીશી લઈને આવી. તેણે તે શીશી ખોલી અને પછી તેમાંનું બધું અત્તર ઈસુના માથા પર રેડ્યું.
\v 4 ત્યાં હાજર રહેલા કેટલાક લોકો ગુસ્સે થયા અને મનમાં કહેવા લાગ્યા, "તેણે તે અત્તરનો બગાડ કર્યો તે બહુ ખરાબ કહેવાય!
\v 5 તે આશરે એક વર્ષના વેતન જેટલી કિંમતે વેચી શકાયું હોત, અને પછી તે નાણાંં ગરીબોને આપી શકાયાં હોત!" તેથી તેઓએ તેને ઠપકો આપ્યો.
\s5
\v 6 પણ ઈસુએ કહ્યું, "તેને ઠપકો આપવાનું બંધ કરો! તેણે મારા પ્રત્યે જે કર્યું છે તેને હું ખૂબ યોગ્ય ગણું છું. તેથી તમારે તેને સતાવવી ન જોઈએ!
\v 7 ગરીબ લોકો હંમેશા તમારી મધ્યે રહેશે. તેથી જ્યારે તમે ઇચ્છો ત્યારે તેઓની મદદ કરી શકશો. પણ હું અહીં તમારી સાથે વધારે સમય સુધી હોઈશ નહીં.
\v 8 તેનાથી જે થઇ શકે તે તેણે કર્યું તે યોગ્ય છે. તે જાણે કે જાણતી હતી કે હું જલદી મરણ પામવાનો છું, કારણ કે તેણે તે સમય અગાઉ મારા શરીરને દફનને સારુ તૈયાર કરવા અભિષિક્ત કર્યું છે.
\v 9 હું તમને કહું છું: જગતમાં જ્યાં કંઈ મારા અનુયાયીઓ શુભ સમાચાર પ્રગટ કરશે ત્યાં તે સ્ત્રીએ જે કર્યું છે તે પણ તેઓ જણાવશે, અને લોકો તે સ્ત્રીને યાદ કરશે."
\p
\s5
\v 10 પછી યહૂદા ઇશ્કરિયોત મુખ્ય યાજકોની પાસે ગયો કે જેથી તે ઈસુને પકડવા સંબંધી તેમની સાથે વાત કરે. તે બાર શિષ્યોમાંનો એક હોવા છતાં તેણે આવું કર્યું!
\v 11 તે તેઓને માટે જે કરવા તૈયાર હતો તે વિષે જ્યારે તેઓએ સાંભળ્યું, ત્યારે તેઓ ઘણા ખુશ થયા. તેઓએ તેને વચન આપ્યું કે તેના બદલામાં તેઓ તેને મોટા પ્રમાણમાં નાણાં આપશે. યહૂદા સંમત થયો અને ઈસુને તેઓને સ્વાધીન કરવાની તક શોધવા લાગ્યો.
\p
\s5
\v 12 ખમીર વગરની રોટલીના તહેવારના પ્રથમ દિવસે જ્યારે તેઓ પાસ્ખાનું હલવાન કાપે છે, ત્યારે ઈસુના શિષ્યોએ તેમને પૂછ્યું, "પાસ્ખાની ઉજવણી માટેનું ભોજન અમે ક્યાં તૈયાર કરીએ અને ખાઈએ, તે વિષે તમારી શી ઇચ્છા છે?"
\v 13 તેથી ઈસુએ તેમના શિષ્યોમાંના બેને બધી તૈયારી માટે પસંદ કર્યા. તેમણે તેઓને કહ્યું, "યરુશાલેમમાં જાઓ. પાણી ભરેલું માટલું લઈને જતો એક માણસ તમને મળશે. તેને અનુસરજો.
\v 14 જ્યારે તે ઘરમાં પ્રવેશે, ત્યારે તે ઘરના માલિકને કહેજો, 'અમારા ગુરુજીએ અમને પાસ્ખાની ઉજવણીનું ભોજન તૈયાર કરવાનું કહ્યું છે, કે જેથી તેઓ તેમના શિષ્યોની સાથે તે ખાઈ શકે. મહેરબાની કરીને અમને તે ઓરડો બતાવો.'
\s5
\v 15 તે તમને ઘરના ઉપલા માળે એક મોટો ઓરડો બતાવશે. તે એક સુસજ્જ અને તૈયાર કરેલો હશે કે જ્યાં આપણે ભોજન ખાઈ શકીએ. પછી ત્યાં તમે ભોજન તૈયાર કરજો,"
\v 16 તેથી તે બે શિષ્યો ગયા. તેઓ શહેરમાં ગયા અને જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તેવું જ તેમને મળ્યું. ત્યાં તેઓએ પાસ્ખાની ઉજવણીનું ભોજન તૈયાર કર્યું.
\s5
\v 17 સાંજ પડી ત્યારે ઈસુ બારે શિષ્યો સાથે ત્યાં આવ્યા.
\p
\v 18 જ્યારે તેઓ સર્વ બેસીને જમતા હતા ત્યારે, ઈસુએ કહ્યું, "તમે ધ્યાનપૂર્વક આ સાંભળો: તમારામાંનો એક મારા શત્રુઓને માટે મારી ધરપકડ કરવાનું શક્ય બનાવશે. તમારામાંનો એક જે હાલ મારી સાથે ભોજન કરે છે તે જ!
\v 19 શિષ્યો ઘણા દુઃખી થયા અને એક પછી એક કહેવા લાગ્યા કે "જરૂર હું તો તે નહીં જ હોઉં!"
\s5
\v 20 પછી તેમણે તેઓને કહ્યું, "તે તમારામાંનો એક છે, જે મારી સાથે થાળીમાં રોટલીનો કોળિયો બોળે છે.
\v 21 હું માણસનો દીકરો મરણ પામીશ તે નક્કી છે, કારણ કે મારા સંબંધી એ પ્રમાણે જ લખેલું છે. પણ જે માણસ મને પરસ્વાધીન કરાવે છે તેની શિક્ષા ઘણી ભારે હશે! ખરેખર તો તે માણસ જન્મ્યો જ ન હોત તો સારું થાત!"
\p
\s5
\v 22 જ્યારે તેઓ જમતા હતા ત્યારે, તેમણે રોટલી લીધી અને તેના માટે ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે તેના ટુકડા કર્યા અને તેઓને આપી અને તેમને કહ્યું, "આ રોટલી એ મારું શરીર છે. તેને લો અને ખાઓ."
\v 23 તે પછી, તેમણે દ્રાક્ષારસ ભરેલો પ્યાલો લીધો અને તેને માટે ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે તે તેઓને આપ્યો અને તેઓ બધાએ તે પીધો.
\v 24 તેમણે તેઓને કહ્યું, "આ દ્રાક્ષારસ એ મારું લોહી છે, કે જે જ્યારે મને મારી નાખવામાં આવશે ત્યારે તમારા માટે વહેવડાવવામાં આવશે. ઈશ્વરે ઘણા લોકોનાં પાપ માફ કરવા માટે જે કરાર કર્યો છે તેને આ લોહીથી હું પૂરો કરીશ.
\v 25 હું ઇચ્છું છું કે તમે આ જાણો: ઈશ્વર તેમને પોતાને રાજા તરીકે પ્રગટ કરે ત્યારે જ હું દ્રાક્ષારસ પીશ. તે પહેલાં હું પીવાનો નથી."
\s5
\v 26 ગીત ગાયા પછી તેઓ જૈતૂન પહાડ પર ગયા.
\p
\v 27 જ્યારે તેઓ જતા હતા ત્યારે, ઈસુએ તેઓને કહ્યું, "ઈશ્વરે મારા સંબંધી જે કહ્યું હતું તે તેઓએ શાસ્ત્રમાં લખ્યું, 'હું ઘેટાંપાળકને મારી નાખીશ અને તેનાં ઘેટાને વિખેરી નાખીશ.' તે શબ્દો સાચા ઠરશે. તમે મને તજી દેશો અને નાસી જશો.
\s5
\v 28 પણ ઈશ્વર મને ફરીથી સજીવન કરશે તે પછી, હું તમારી અગાઉ ગાલીલ જીલ્લામાં જઈશ અને તમને ત્યાં મળીશ."
\v 29 પછી પિતરે તેમને કહ્યું, "કદાચ બીજા બધા શિષ્યો તમને તજી દેશે, પણ હું નહીં! હું તમને તજી દઈશ નહીં!"
\s5
\v 30 ત્યારે ઈસુએ તેને કહ્યું, "સત્ય એ છે કે આજે રાત્રે જ, મરઘો બે વાર બોલ્યા અગાઉ તું પોતે જ ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી."
\v 31 પણ પિતરે વધારે દ્રઢતાથી ઉત્તર આપ્યો કે, "તેઓ મને મારી નાખે તોપણ, હું તમને એવું નહિ કહું કે હું તમને ઓળખતો નથી." અને બીજા બધા શિષ્યોએ પણ તે જ પ્રમાણે કહ્યું.
\p
\s5
\v 32 માર્ગે જતાં, ઈસુ અને તેમના શિષ્યો એક જગ્યાએ આવ્યા જેને લોકો ગેથસેમાને કહે છે. પછી તેમણે તેમના કેટલાક શિષ્યોને કહ્યું, "હું પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં રહો!"
\v 33 પછી તેમણે પિતર, યાકૂબ અને યોહાનને પોતાની સાથે લીધા. તેઓ ખૂબ ઉદાસ થઈ ગયા હતા.
\v 34 તેમણે તેઓને કહ્યું, "હું ખૂબ દુઃખી છું. એવો કે જાણે હું હવે મરણ પામવાનો છું. તમે લોકો અહીં રહો અને જાગતા રહો!"
\s5
\v 35 તેઓ થોડે આગળ ગયા અને જમીન પર પડી ગયા. પછી તેમણે પ્રાર્થના કરી કે જો શક્ય હોય તો, તેઓએ સહન કરવું ન પડે.
\v 36 તેમણે કહ્યું, "ઓ મારા પિતા, તમે બધું જ કરવા શક્તિમાન છો માટે, મને છોડાવો કે જેથી હાલ મારે સહન કરવું ન પડે! પણ હું જે ઇચ્છું છું તે ન કરશો. તેના બદલે, તમે જે ઇચ્છો છો તે કરો!"
\s5
\v 37 પછી તેઓ પાછા આવ્યા અને શિષ્યોને ઊંઘતા જોયા. તેમણે તેઓને જગાડ્યા અને કહ્યું, "સિમોન! શું તું ઊંઘે છે? તું શું થોડા સમય માટે પણ જાગતો રહી શકતો નથી?"
\v 38 અને તેમણે તેઓને કહ્યું, "હું જે કહું છું તે તમે કરવા માગો છો, પણ તમે નબળા છો. તેથી જાગતા રહો અને પ્રાર્થના કરો કે જ્યારે તમે પરીક્ષણમાં પડો ત્યારે તેનો સામનો કરી શકો!"
\v 39 પછી તેઓ પાછા ગયા અને અગાઉ તેમણે જે પ્રાર્થના કરી હતી તે ફરીથી કરી.
\s5
\v 40 જ્યારે તેઓ પાછા આવ્યા, ત્યારે તેમણે તેઓને ફરીથી ઊંઘતા જોયા; તેઓ એવી ઊંઘમાં હતા કે તેઓ તેમની આંખો પણ ખુલ્લી રાખી શકતા ન હતા. તેમણે તેઓને ઉઠાડ્યા ત્યારે ઈસુને શું કહેવું તે તેઓ જાણતા ન હતા, કારણ કે તેઓ શરમાતા હતા.
\v 41 પછી તેઓ ગયા અને ફરીથી પ્રાર્થના કરી. તેઓ ત્રીજી વાર પાછા આવ્યા અને તેઓને ફરીથી ઊંઘતા દીઠા. તેમણે તેઓને કહ્યું, "તમે હજુ પણ ઊંઘો છો? બસ થયું! મારો સહન કરવાનો સમય શરુ થઈ રહ્યો છે. જુઓ! કોઈક મને, માણસના દીકરાને પકડવા માટે પાપી માણસોના હાથમાં સોંપી દેશે.
\v 42 તેથી ઊઠો! આપણે જઈએ! જુઓ! મને જે પકડાવનાર છે તે આવી પહોંચ્યો છે!"
\p
\s5
\v 43 જ્યારે તેઓ હજુ બોલતા હતા, ત્યારે યહૂદા આવ્યો. તે ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો તોપણ, ઈસુના દુશ્મનો તેમને પકડી શકે માટે તે તેઓને લઈ આવ્યો. તે ટોળું તેમની સાથે તરવારો અને લાકડીઓ લાવ્યું હતું. યહૂદી ન્યાયસભાના આગેવાનોએ આ ટોળાના લોકોને મોકલ્યા હતા.
\v 44 યહૂદા, જે ઈસુને પકડાવવાનો હતો તેણે, અગાઉથી ટોળાને કહ્યું હતું કે, "જે માણસને હું ચુંબન કરીશ તે જ તે વ્યક્તિ છે જે તમને જોઈએ છે. જ્યારે હું તેમને ચુંબન કરું, ત્યારે તેમને પકડજો અને લઈ જજો."
\v 45 તેથી, જ્યારે યહૂદા આવ્યો, ત્યારે તે તરત ઈસુની પાસે ગયો અને કહ્યું, "મારા ગુરુજી!" પછી તેણે ઈસુને ચુંબન કર્યું.
\v 46 પછી તે ટોળાએ ઈસુને પકડી લીધા.
\s5
\v 47 પણ શિષ્યોમાંનો એક જે પાસે ઊભો રહ્યો હતો તેણે તેની તરવાર ઉગામી. પ્રમુખ યાજકના નોકરને તેના વડે માર્યું, પરંતુ તેનાથી માત્ર તેનો કાન કાપી નંખાયો.
\v 48-49 ઈસુએ તેઓને કહ્યું, "જાણે હું લૂંટારો હોઉં તેમ, તમે તરવારો અને લાકડીઓ લઈને મને પકડવા આવો તે વિચિત્ર છે! હું દરરોજ ભક્તિસ્થાનના આંગણામાં લોકોને શીખવતો હતો ત્યારે તમારી સાથે હતો! ત્યારે તમે મને શા માટે પકડ્યો નહીં? પણ પ્રબોધકોએ મારા વિષે શાસ્ત્રમાં જે લખ્યું છે તે સાચું ઠરે માટે આમ થાય છે."
\p
\v 50 બધા શિષ્યો તરત જ તેમને મૂકીને નાસી ગયા.
\s5
\v 51 તે સમયે, એક જુવાન માણસ ઈસુની પાછળ આવી રહ્યો હતો. તેણે માત્ર શણનું વસ્ત્ર તેના શરીર પર ઓઢેલું હતું. ટોળાએ તેને પકડ્યો,
\v 52 પરંતુ, જ્યારે તે ભાગવા ગયો, ત્યારે તેણે તેનું વસ્ત્ર તેઓના હાથમાં છોડી દીધું, અને પછી તે ઉઘાડા શરીરે જ નાસી ગયો.
\p
\s5
\v 53 જે માણસોએ ઈસુને પકડ્યા હતા તેઓ તેમને પ્રમુખ યાજકના ઘરે લઈ ગયા. આખી યહૂદી ન્યાયસભા ત્યાં એકઠી થઈ રહી હતી.
\v 54 પિતર અંતર રાખીને ઈસુની પાછળ ગયો. પ્રમુખ યાજક જ્યાં રહેતો હતો તે ઘરના આંગણામાં તે ગયો, અને પ્રમુખ યાજકના ઘરની ચોકી કરનારા લોકોની સાથે બેઠો. તે તાપણા પાસે બેસીને તાપતો હતો.
\s5
\v 55 પ્રમુખ યાજક અને યહૂદી ન્યાયસભા ઈસુના વિષે ખોટું બોલે તેવા લોકોની શોધમાં જ હતા જેથી તેઓ તેમને મારી નાખી શકે. પણ તેઓ સફળ થયા ન હતા,
\v 56 કારણ કે, બીજા ઘણા લોકો ઈસુના વિષે ખોટું બોલ્યા પણ તેઓના વિધાનો એકબીજાથી વિરોધાભાસી હતા.
\s5
\v 57 છેવટે, કેટલાક ઊઠ્યા અને ખોટું કહીને તેમને દોષિત ઠરાવ્યા કે
\v 58 "જ્યારે તેમણે કહ્યું કે, 'હું આ ભક્તિસ્થાન કે જે માણસો દ્વારા બનાવવામાં આવ્યું છે તેનો નાશ કરીશ અને ત્રણ દિવસમાં કોઈની પણ મદદ વગર બીજું ભક્તિસ્થાન બનાવીશ' ત્યારે અમે તે સાંભળ્યું હતું.'"
\v 59 પરંતુ આ કેટલાક માણસોએ જે કહ્યું તેની સાથે બીજા કેટલાક લોકો સંમત થયા નહી.
\p
\s5
\v 60 પછી પ્રમુખ યાજક જાતે તેઓની સામે ઊભો થયો અને ઈસુને કહ્યું, "શું તું કંઈ જવાબ નહિ આપે? તેઓ તને દોષિત ઠરાવવા માટે આ જે બાબતો કહે છે તેના વિષે તારું શું કહેવું છે?"
\v 61 પણ ઈસુ શાંત રહ્યા અને ઉત્તર આપ્યો નહીં. પછી પ્રમુખ યાજકે ફરીથી પ્રયત્ન કર્યો. તેણે તેમને પૂછ્યું, "શું તું ખ્રિસ્ત છે? શું તુ એવું કહે છે કે તું ઈશ્વરનો દીકરો છે?"
\v 62 ઈસુએ કહ્યું, "હું છું. તે ઉપરાંત તમે મને, માણસના દીકરાને, ઈશ્વર કે જે સર્વશક્તિમાન છે તેમની બાજુમાં બેસીને રાજ કરતા જોશો. તમે મને આકાશમાંથી વાદળોમાં નીચે આવતાં પણ જોશો!"
\s5
\v 63 ઈસુના શબ્દોના પ્રત્યુત્તરમાં, પ્રમુખ યાજક એટલો આશ્ચર્યચકિત થઈ ગયો કે તેણે પોતાના બાહ્ય વસ્ત્રો ફાડ્યાં. પછી તેણે કહ્યું, "હવે આપણને વધારે લોકોની ખરેખર જરૂર નથી કે જેઓ આ માણસની વિરુદ્ધ સાક્ષી આપે,
\v 64 કારણ કે તેણે ઈશ્વરની વિરુદ્ધ જે કહ્યું છે તે તમે સાંભળ્યું છે! તેણે ઈશ્વરની વિરુદ્ધ દુષ્ટ બાબતો કહી છે! તેથી, તમે શું નક્કી કરો છો?" તેઓએ બધાએ કહ્યું કે ઈસુ દોષિત છે અને મરણને યોગ્ય છે.
\v 65 પછી કેટલાક ઈસુ પર થૂંકવા લાગ્યા. તેઓએ તેમની આંખે પાટો બાંધ્યો, અને પછી તેઓ તેમને મારવા લાગ્યા અને તેમને કહ્યું, "જો તું પ્રબોધક છે તો, અમને કહે કે કોણે તને માર્યું!" અને જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓએ તેમને તેમના હાથો વડે તમાચા માર્યા.
\p
\s5
\v 66 જ્યારે પિતર પ્રમુખ યાજકના ઘરની બહારના આંગણામાં હતો, ત્યારે પ્રમુખ યાજકના ઘરમાં કામ કરતી છોકરીઓમાંની એક તેની પાસે આવી.
\v 67 જ્યારે તેણે પિતરને તાપણા પાસે તાપતો જોયો, ત્યારે તેણે તેની તરફ ધ્યાનથી જોયું. પછી તેણે કહ્યું, "તું પણ તે નાસરેથના માણસ ઈસુની સાથે હતો!"
\v 68 પણ તેણે એવું કહીને તે નકાર્યું કે, "તું શેના વિષે વાત કરે છે તે હું જાણતો નથી! હું તેમાનું કંઈ પણ સમજતો નથી!" પછી તે ત્યાંથી દૂર આંગણાના દરવાજે જતો રહ્યો.
\s5
\v 69 તે દાસીએ તેને ત્યાં જોયો અને જે લોકો ત્યાં પાસે ઊભા હતા તેઓને કહ્યું, "આ માણસ પણ જેને તેઓએ પકડ્યો છે તેની સાથે જેઓ હતા તેઓમાંનો એક છે."
\v 70 પણ તેણે ફરીથી નકાર કર્યો. થોડીવાર પછી, જેઓ ત્યાં ઊભા હતા તેઓએ પિતરને ફરીથી કહ્યું, "તું પણ ગાલીલનો છે. તેથી એ વાત ચોક્કસ છે કે જેઓ ઈસુની સાથે હતા તેઓમાનો એક તું પણ છે!"
\s5
\v 71 પણ તે ઈશ્વરના સમ ખાવા લાગ્યો; તેણે કહ્યું, "તમે જે માણસના વિષે વાત કરી રહ્યા છો તેને હું ઓળખતો નથી!"
\v 72 તરત જ મરઘો બીજીવાર બોલ્યો. પછી ઈસુએ તેને અગાઉ જે કહ્યું હતું તે પિતરને યાદ આવ્યું: "મરઘો બે વાર બોલ્યા અગાઉ, તું મને ઓળખે છે તેનો નકાર તું ત્રણ વાર કરીશ." જ્યારે તેને તે યાદ આવ્યું કે તેણે તેમનો ત્રણવાર નકાર કર્યો છે, ત્યારે તે રડી પડ્યો.
\s5
\c 15
\p
\v 1 વહેલી સવારે પ્રમુખ યાજક યહૂદી ન્યાયસભાના બાકીના સભ્યોને મળ્યો કે જેથી રોમન રાજ્યપાલ સામે ઈસુને કેવી રીતે દોષિત ઠરાવવા તે નક્કી કરી શકાય. તેઓના ચોકીદારોએ ઈસુના હાથ ફરીથી બાંધી દીધા. તેઓ તેમને પિલાત કે, જે રાજ્યપાલ હતો તેના રહેઠાણે લઈ ગયા.
\v 2 પિલાતે ઈસુને પૂછ્યું, "શું તું એવું કહે છે કે તું યહૂદીઓનો રાજા છે?" ઈસુએ તેને ઉત્તર આપ્યો, "તું જ કહે છે કે હું તે છું."
\v 3 પછી પ્રમુખ યાજકે ઈસુ પર આક્ષેપ મૂક્યો કે તેમણે ઘણાં ખોટાં કામ કર્યાં છે.
\s5
\v 4 તેથી પિલાતે તેમને ફરીથી પૂછ્યું, "શું તારી પાસે કોઈ જવાબ નથી? તેઓના કહેવા પ્રમાણે કેટલાં બધાં ખોટાં કામ કર્યાં છે તે સાંભળ!"
\v 5 પણ ઈસુએ વિશેષ ઉત્તર આપ્યો નહીં. તેનું પરિણામ એ આવ્યું કે પિલાતને ખૂબ આશ્ચર્ય થયું.
\p
\s5
\v 6 હવે તે રાજ્યપાલની પ્રથા હતી કે પાસ્ખાપર્વની ઉજવણી દરમ્યાન જેલમાં હોય એવા એક માણસને તેણે મુક્ત કરવાનો હતો. સામાન્ય રીતે તે લોકોની વિનંતી પ્રમાણે કોઈક કેદીને મુક્ત કરતો હતો.
\v 7 તે સમયે બારાબાસ કહેવાતો એક માણસ હતો જે બીજા કેટલાક માણસો સાથે જેલમાં હતો. જ્યારે રોમન સરકાર સામે તેઓએ બળવો કર્યો હતો ત્યારે તેઓએ ખૂન કર્યું હતું.
\v 8 ટોળું પિલાત પાસે ગયું અને ભૂતકાળની પ્રથા પ્રમાણે કોઈ એકને છોડી મૂકવા માટે તેને કહેવા લાગ્યું.
\s5
\v 9 પિલાતે તેઓને જવાબ આપ્યો, "શું તમે એવું ઇચ્છો છો કે તમે લોકો જેને યહૂદીઓનો રાજા કહો છો તેને હું તમારે માટે મુક્ત કરું?"
\v 10 તેણે આ પૂછ્યું કારણ કે તેને ખબર હતી કે મુખ્ય યાજકો શું કરવા માગતા હતા. તેઓ ઈસુ પર દોષ મૂકી રહ્યા હતા, તેઓ તેમની અદેખાઈ કરતા હતા કેમ કે ઘણા લોકો તેમના શિષ્યો બની રહ્યા હતા.
\v 11 પણ મુખ્ય યાજકોએ ટોળાને ઉશ્કેર્યું કે તેઓ પિલાતને તેઓના માટે ઈસુની જગ્યાએ બારાબાસને છોડી મૂકવાની વિનંતી કરે.
\s5
\v 12 પિલાતે તેઓને ફરીથી કહ્યું, "જો હું બારાબાસને મુક્ત કરું, તો તમારા રાજાનું હું શું કરું? તમે શું ઇચ્છો છો?"
\v 13 પછી તેઓએ ફરી બૂમ પાડી, "તેને વધસ્તંભે જડાવો!"
\s5
\v 14 પછી પિલાતે તેઓને કહ્યું, "શા માટે? તેણે શું ખોટું કર્યું છે?" પણ તેઓએ વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું, "તેને વધસ્તંભે જડાવો!"
\v 15 પિલાત ટોળાને ખુશ કરવા માગતો હતો તેથી, તેણે બારાબાસને તેઓના માટે મુક્ત કર્યો. પછી તેના સૈનિકોએ ઈસુને કોરડા માર્યા; તે પછી, પિલાતે તેઓને ઈસુને ત્યાંથી લઈ જવા અને વધસ્તંભે જડવા કહ્યું.
\p
\s5
\v 16 સૈનિકો ઈસુને તેમની કચેરીના આંગણામાં લઇ ગયા. પછી જેઓ ત્યાં ફરજ પર હતા તે બધાની આખી ટુકડીને તેઓએ એકઠી કરી.
\v 17 બધા સૈનિકો ત્યાં એકઠા થયા તે પછી, તેઓએ ઈસુને જાંબુડીયો ઝભ્ભો પહેરાવ્યો. પછી તેઓએ તેમના માથા પર મુગટ મૂક્યો જે કાંટાળી ડાળીઓ વડે બનાવેલો હતો.
\v 18 પછી તેમની મશ્કરી કરવા માટે, જેમ કોઈ રાજાને વંદન કરે તેમ તેઓએ તેમને વંદન કર્યું; તેઓએ કહ્યું, "યહૂદીઓના રાજા, સલામ!"
\s5
\v 19 તેઓએ તેમના માથા પર વારંવાર સોટીઓ મારી અને તેમના પર થૂંક્યા. તેઓ તેમને માન આપી રહ્યા છે એવું દર્શાવતા તેઓ તેમની આગળ નમ્યા.
\v 20 તેઓ તેમની મશ્કરી કરી રહ્યા તે પછી, તેઓએ તેમનો જાંબુડીયો ઝભ્ભો ખેંચી કાઢ્યો. તેઓએ તેમનાં પોતાનાં વસ્ત્રો તેમને પહેરાવ્યાં, અને પછી શહેરની બહાર તેમને વધસ્થંભે જડવાને માટે લઈ ગયા. -
\p
\v 21 હવે સિમોન નામનો એક માણસ જે કુરેનીનો હતો તે આવ્યો. તે આલેકસાંદર તથા રૂફસનો પિતા હતો. તે શહેરની બહારથી આવી રહ્યો હતો ત્યારે તે ત્યાંથી પસાર થયો. સૈનિકોએ સિમોનને ઈસુના માટે વધસ્તંભ ઊંચકવાની ફરજ પાડી.
\s5
\v 22 સૈનિકો તેઓ બંનેને ગલગથા કહેવાતી જગ્યાએ લઈ આવ્યા. તે નામનો અર્થ "ખોપરી આકારની જગ્યા" થાય છે.
\v 23 પછી તેઓએ ઈસુને બોળ મિશ્રિત દ્રાક્ષારસ પીવા માટે આપવાનો પ્રયત્ન કર્યો. પણ તેમણે તે પીવાની ના પાડી.
\v 24 કેટલાક સૈનિકોએ તેમનાં કપડાં ઉતારી લીધાં. પછી તેઓએ તેમને વધસ્તંભે જડ્યા. તે પછી, તેઓએ તેમનાં કપડાંને ચિઠ્ઠી નાંખીને અંદરોઅંદર વહેંચી લીધા.
\p
\s5
\v 25 જ્યારે તેઓએ તેમને વધસ્તંભે જડ્યા ત્યારે સવારના નવ વાગ્યા હતા.
\v 26 તેઓએ વધસ્તંભે ઈસુના માથા તરફ એક નિશાની મૂકી જેના પર એ કારણ લખેલું હતું કે શા માટે તેઓએ તેમને વધસ્તંભે જડ્યા. તે જણાવતું હતું કે, "યહૂદીઓનો રાજા."
\v 27 તેઓએ બીજા બે માણસો જેઓ લૂંટારા હતા તેઓને પણ વધસ્તંભે જડ્યા. તેઓએ એકને ઈસુની જમણી બાજુએ અને બીજાને ડાબી બાજુએ વધસ્તંભે જડ્યા.
\v 28 આમ "તેઓ બંડખોરોની સાથે ગણાયા" એ શાસ્ત્રવચન પૂર્ણ કરાયું.
\s5
\v 29 જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેઓએ તેમનાં માથાં હલાવતાં તેમનું અપમાન કર્યું. તેઓએ કહ્યું, "વાહ! તેં કહ્યું હતું કે તું ભક્તિસ્થાનને પાડી નાખીને પછી તેને ત્રણ દિવસમાં ફરીથી બાંધીશ.
\v 30 જો તું તે કરી શકે છે તો પછી, વધસ્તંભ પરથી નીચે ઊતરી આવીને પોતાને બચાવ!"
\s5
\v 31 મુખ્ય યાજકોએ, યહૂદી નિયમો શીખવનારા લોકોની સાથે મળીને, ઈસુની મશ્કરી કરવા ચાહ્યું. તેથી તેઓએ એકબીજાને કહ્યું, "તેણે બીજાઓને મુશ્કેલીમાંથી બચાવ્યા, પણ તે પોતાને બચાવી શકતો નથી!
\v 32 તેણે કહ્યું, 'હું ખ્રિસ્ત છું; ઇઝરાયલના લોકો પર જે રાજ કરે છે તે રાજા હું છું.' જો તેના શબ્દો સાચા હોય, તો તેણે અત્યારે વધસ્તંભ પરથી ઊતરી આવવું જોઈએ! તો પછી આપણે તેના પર વિશ્વાસ કરીશું!" બે માણસો જેઓને તેમની બાજુમાં વધસ્તંભે જડ્યા હતા તેઓએ પણ તેમની મશ્કરી કરી.
\p
\s5
\v 33 બપોરે આખી ભૂમિ પર અંધારું છવાઈ ગયું અને બપોરના ત્રણ વાગ્યા સુધી અંધકાર રહ્યો.
\v 34 ત્રણ વાગ્યે ઈસુએ મોટેથી બૂમ પાડી, "એલોઈ, એલોઈ, લમા શબકથની?" તેનો અર્થ એ કે, "મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ ત્યાગી દીધો છે?"
\v 35 જ્યારે કેટલાક લોકો જેઓ ત્યાં ઊભા હતા તેઓએ તે 'એલોઈ' શબ્દ સાંભળ્યો, ત્યારે તેઓએ તેની ગેરસમજ કરી અને કહ્યું, "સાંભળો! તે એલિયા પ્રબોધકને બોલાવે છે!"
\s5
\v 36 તેઓમાંનો એક દોડ્યો અને સરકામાં વાદળીને પલાળી. તેણે તેને લાકડીની ટોચ પર મૂકી, અને તેને પકડીને ઈસુને ચૂસવા માટે આપી. તેણે કહ્યું, "ઊભા રહો! ચાલો આપણે જોઈએ કે એલિયા તેને વધસ્તંભ પરથી ઉતારવા માટે આવે છે કે નહીં!"
\v 37 અને પછી ઈસુએ મોટેથી બૂમ પાડી, શ્વાસ લેવાનું બંધ કર્યું, અને મરણ પામ્યા.
\v 38 તે સમયે ભક્તિસ્થાનના પવિત્રસ્થાનનો પડદો ઉપરથી નીચે સુધી ચિરાઈને તેના બે ભાગ થઈ ગયા.
\s5
\v 39 જે અધિકારી ઈસુને વધસ્તંભે જડનાર સૈનિકોનો ઉપરી હતો તે ઈસુની સામે ઊભો હતો. ઈસુ કેવી રીતે મરણ પામ્યા તે જ્યારે તેણે જોયું, ત્યારે તેણે નિસાસો નાખ્યો, "ખરેખર, આ માણસ ઈશ્વરપુત્ર હતા!"
\v 40-41 ત્યાં કેટલીક સ્ત્રીઓ પણ હતી; તેઓ દૂરથી આ ઘટનાઓ જોઈ રહી હતી. ઈસુ જ્યારે ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની સાથે હતી, અને ઈસુને જે જરૂર હતી તે તેઓએ પૂરી પાડી હતી. તેઓ તેમની સાથે યરુશાલેમ આવી હતી. આ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ હતી. ત્યાં બીજી મરિયમ હતી, જે નાના યાકૂબ તથા યોસેની માતા હતી. ત્યાં શાલોમી પણ હતી.
\p
\s5
\v 42-43 જ્યારે સાંજ પડવા આવી ત્યારે, અરિમથાઈથી યૂસફ નામનો માણસ ત્યાં આવ્યો. તે યહૂદી ન્યાયસભાનો એક માનવંત સભ્ય હતો. ઈશ્વર જ્યારે પોતાને રાજા તરીકે પ્રગટ કરશે તેની રાહ જોનારાઓમાંનો તે પણ એક હતો. સાંજ પડવા આવી હતી. તે વિશ્રામવારની અગાઉનો દિવસ હતો, એ દિવસને યહૂદીઓ તૈયારીનો દિવસ કહેતા હતા. તેથી તે હિંમતથી પિલાતની પાસે ગયો અને ઈસુના શબને વધસ્તંભ પરથી ઉતારી લઈને તેને તરત દફનાવવાની પરવાનગી માગી.
\v 44 પિલાતે જ્યારે સાંભળ્યું કે ઈસુ મરણ પામ્યા છે ત્યારે તેને આશ્ચર્ય થયું. તેથી તેણે ઈસુને વધસ્તંભે જડ્યા ત્યારે જે અધિકારી સૈનિકોનું સંચાલન કરતો હતો તેને બોલાવ્યો, અને તેને પૂછ્યું કે ઈસુ ખરેખર મરણ પામ્યા છે.
\s5
\v 45 જ્યારે અધિકારીએ પિલાતને કહ્યું કે ઈસુ મરણ પામ્યા છે, ત્યારે પિલાતે યૂસફને તેમનું શબ લઈ જવાની પરવાનગી આપી.
\v 46 યૂસફ શણનું વસ્ત્ર લાવ્યો તે પછી, તે અને બીજાઓએ ઈસુના શબને વધસ્તંભ પરથી ઉતાર્યું. તેઓએ તેને શણના વસ્ત્રમાં લપેટ્યું અને ખડકમાં અગાઉથી ખોદેલી કબરમાં તેને મૂક્યું. પછી તેઓએ એક મોટો પત્થર કબરના મુખ પર ગબડાવ્યો.
\v 47 ઈસુના શબને ક્યાં મૂકવામાં આવ્યું તે મગ્દલાની મરિયમ અને યોસેની માતા મરિયમે જોયું.
\s5
\c 16
\p
\v 1 જ્યારે સાબ્બાથનો દિવસ પૂરો થયો ત્યારે, મગ્દલાની મરિયમ, નાના યાકૂબની માતા મરિયમ, અને શલોમીએ ઈસુના શરીરને દફન માટે અભિષિક્ત કરવા સુગંધી લેપ ખરીધ્યા.
\v 2 અઠવાડિયાને પહેલે દિવસે ખૂબ વહેલા, સૂર્ય ઊગ્યા પછી તરત જ, તેઓએ સુગંધી લેપ લીધા અને કબર તરફ જવા લાગ્યા.
\s5
\v 3 જ્યારે તેઓ ત્યાં જઈ રહ્યા હતા, ત્યારે તેઓએ એકબીજાને પૂછ્યું, "કબરના પ્રવેશદ્વારને બંધ કરતો પથ્થર આપણે સારુ કોણ ગબડાવશે?"
\v 4 તેઓ આવી પહોંચ્યા તે પછી, તેઓએ જોયું કે કોઈકે તે ખૂબ મોટો પથ્થર, ગબડાવીને દૂર કરેલો હતો.
\s5
\v 5 તેઓ કબરમાં પ્રવેશ્યા અને એક દૂત કે જે જુવાન માણસ જેવો દેખાતો હતો તેને જોયો. તે કબરની જમણી તરફ બેઠેલો હતો. તેણે સફેદ ઝભ્ભો પહેરેલો હતો. તેના લીધે, તેઓ ચોંકી ગયા.
\v 6 જુવાન માણસે તેઓને કહ્યું, "આશ્ચર્ય પામશો નહીં! હું જાણું છું કે તમે નાસરેથના માણસ ઈસુને, જેમને ખીલા ઠોકીને વધસ્તંભે જડી દીધા હતા, તેમને શોધો છો. પણ તેઓ સજીવન થયા છે! તેઓ અહીં નથી! જુઓ! આ તે જગ્યા છે જ્યાં તેઓએ તેમના શરીરને મૂક્યું હતું.
\v 7 જાઓ અને તેમના શિષ્યોને જણાવો. ખાસ તમે ધ્યાન રાખીને પિતરને કહેજો. તેમને કહો, 'ઈસુ તમારી અગાઉ ગાલીલ જઈ રહ્યા છે, અને જે પ્રમાણે તેમણે તમને અગાઉ કહ્યું હતું તેમ, તમે તેમને ત્યાં જોશો!"
\s5
\v 8 સ્ત્રીઓ બહાર ગઈ અને કબર પાસેથી દોડી ગઈ. તેઓ ધ્રૂજતી હતી કારણ કે તેઓ ભયભીત હતી, અને ડરી ગઈ હતી. તેઓ ભયભીત હતી તેના લીધે તેમણે કોઈને પણ આના વિષે કશું જ કહ્યું નહી.
\p
\s5
\v 9 અઠવાડિયાને પહેલે દિવસે જ્યારે ઈસુ ફરીથી સજીવન થયા, ત્યારે તેઓ સૌ પ્રથમ મગ્દલાની મરિયમને દેખાયા. તે એ સ્ત્રી હતી કે જેનામાંથી તેમણે સાત દુષ્ટાત્માઓ દૂર કર્યા હતા.
\v 10 જેઓ ઈસુની સાથે હતા તેઓ જ્યારે શોક અને રુદન કરતા હતા ત્યારે, તે તેઓની પાસે ગઈ. તેણે જે જોયું તેના વિષે તેણે તેઓને કહ્યું.
\v 11 પણ જ્યારે તેણે તેઓને કહ્યું કે ઈસુ સજીવન થયા છે અને તેણે તેમને જોયા છે ત્યારે, તેઓએ તેના પર વિશ્વાસ કર્યો નહી.
\s5
\v 12 ત્યારપછી તે દિવસે, ઈસુ તેમના બે શિષ્યો કે જેઓ યરુશાલેમથી પાસેના પ્રદેશમાં જઈ રહ્યા હતા તેઓની સામે અલગ સ્વરૂપમાં પ્રગટ થયા.
\v 13 તેઓએ તેમને ઓળખ્યા તે પછી, તેઓ બંને યરુશાલેમ પાછા આવ્યા. જે બન્યું તેના વિષે તેઓએ તેમના બીજા અનુયાયીઓને કહ્યું, પણ તેઓએ વિશ્વાસ કર્યો નહીં.
\s5
\v 14 પછી જ્યારે અગિયાર શિષ્યો જમી રહ્યા હતા ત્યારે ઈસુ તેમની સામે પ્રગટ થયા. તેમણે તેઓને ઠપકો આપ્યો કારણ કે તેમના સજીવન થયા પછી જેઓએ તેમને જોયા હતા તેઓએ જે અહેવાલ આપ્યો હતો તેને માનવાનો કઠોરતાથી નકાર કર્યો હતો.
\v 15 તેમણે તેઓને કહ્યું, "આખી દુનિયામાં જાઓ અને બધાને શુભ સમાચાર કહો!
\v 16 જેઓ તમારા સંદેશા પર વિશ્વાસ કરશે અને બાપ્તિસ્મા પામશે તેઓને ઈશ્વર બચાવશે. જેઓ વિશ્વાસ નહીં કરે તે બધાને તેઓ દોષિત ઠરાવશે.
\s5
\v 17 જેઓ શુભ સમાચાર પર વિશ્વાસ કરશે તેઓ હું તેમની સાથે છું એ દર્શાવવા માટે ચમત્કારો કરશે. મારા સામર્થ્ય વડે તેઓ આવા ચમત્કારો કરશે: તેઓ લોકોમાંથી દુષ્ટાત્માને નીકળી જવાની ફરજ પાડશે. જે ભાષાઓ તેઓ શીખ્યા નથી તે તેઓ બોલશે.
\v 18 જો તેઓ સાપને પકડશે કે તેઓ કોઈ ઝેરી પીણું પીશે, તો તેઓને કંઈ નુકસાન નહીં થાય. તેઓ જે બીમાર લોકો પર તેમના હાથો મૂકશે તેઓને ઈશ્વર સાજા કરશે."
\p
\s5
\v 19 પ્રભુ ઈસુએ તેમના શિષ્યોને આ કહ્યું તે પછી, ઈશ્વરે તેમને ઉપર સ્વર્ગમાં લઈ લીધા. તેઓ ઈશ્વરની સાથે રાજ કરવા માટે ઉચ્ચસ્થાનમાં તેમના જમણા હાથે રાજ્યાસન પર બેઠા.
\v 20 શિષ્યો યરુશાલેમથી બહાર ગયા, અને તેઓએ દરેક જગ્યાએ ઉપદેશ કર્યો. જ્યાં તેઓ ગયા ત્યાં, પ્રભુએ તેમને ચમત્કારો કરવા સક્ષમ કર્યા. તેમ કરીને, તેમણે લોકોને દર્શાવ્યું કે ઈશ્વરનો સંદેશો સાચો છે.