initial conversion

This commit is contained in:
Larry Versaw 2018-11-23 10:23:26 -07:00
parent b9bf99fafb
commit 723faff903
29 changed files with 13800 additions and 3 deletions

1857
41-MAT.usfm Normal file
View File

@ -0,0 +1,1857 @@
\id MAT - UDB Guj
\ide UTF-8
\h માથ્થી
\toc1 માથ્થી
\toc2 માથ્થી
\toc3 mat
\mt1 માથ્થી
\s5
\c 1
\p
\v 1 રાજા દાઉદના અને ઇબ્રાહિમના વંશજ ઈસુ મસીહના પૂર્વજોની વંશાવળીની આ નોંધ છે.
\v 2 ઇબ્રાહિમ ઇસહાકનો પિતા હતો. ઇસહાક યાકૂબનો પિતા હતો. યાકૂબ યહૂદા તથા તેના ભાઈઓનો પિતા હતો.
\v 3 યહૂદા પેરેસ તથા ઝેરાહનો પિતા હતો અને તેઓની માતા તામાર હતી. પેરેસ હેસ્રોનનો પિતા હતો. હેસ્રોન આરામનો પિતા હતો.
\s5
\v 4 આરામ અમિનાદાબનો પિતા હતો. અમિનાદાબ નાહશોનનો પિતા હતો. નાહશોન સલ્મોનનો પિતા હતો.
\v 5 સલ્મોન અને તેની પત્ની બિન-યહૂદી રાહાબ, બોઆઝના માતા-પિતા હતા. બોઆઝ ઓબેદનો પિતા હતો. ઓબેદની માતા રૂથ હતી. તે બિન-યહૂદી સ્ત્રી હતી. ઓબેદ યિશાઈનો પિતા હતો.
\v 6 યિશાઈ દાઉદ રાજાનો પિતા હતો. દાઉદ સુલેમાનનો પિતા હતો. સુલેમાનની માતા ઉરિયાની પત્ની હતી.
\s5
\v 7 સુલેમાન રહાબામનો પિતા હતો. રહાબામ અબિયાનો પિતા હતો. અબિયા આસાનો પિતા હતો.
\v 8 આસા યહોશાફાટનો પિતા હતો. યહોશાફાટ યોરામનો પિતા હતો. યોરામ ઉઝિયાનો પિતા હતો.
\s5
\v 9 ઉઝિયા યોથામનો પિતા હતો. યોથામ આહાઝનો પિતા હતો. આહાઝ હિઝકિયાનો પિતા હતો.
\v 10 હિઝકિયા મનાશ્શાનો પિતા હતો. મનાશ્શા આમોનનો પિતા હતો. આમોન યોશિયાનો પિતા હતો.
\v 11 યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓના પિતા હતો. જ્યારે બાબિલનું સૈન્ય ઇઝરાયલીઓને બંદી તરીકે બાબિલ દેશમાં લઇ ગયું તે અરસામાં તેઓ થઈ ગયા.
\p
\s5
\v 12 બાબિલના લોકો ઇઝરાયલીઓને બંદી તરીકે લઇ ગયા બાદ, યખોન્યા શાલ્તીએલનો પિતા હતો. શાલ્તીએલ ઝરુબ્બાબેલનો પિતા હતો.
\v 13 ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા હતો. અબીઉદ એલિયાકીમનો પિતા હતો.
\v 14 એલિયાકીમ આઝોરનો પિતા હતો. આઝોર સાદોકનો પિતા હતો. સાદોક આખીમનો પિતા હતો.
\s5
\v 15 આખીમ અલિયુદનો પિતા હતો. અલિયુદ એલાઝારનો પિતા હતો. એલાઝાર મથ્થાનનો પિતા હતો. મથ્થાન યાકૂબનો પિતા હતો.
\v 16 યાકૂબ યૂસફનો પિતા હતો. યૂસફ મરિયમનો પતિ હતો અને મરિયમ ઈસુની માતા હતી. ઈસુને ખ્રિસ્ત કહેવામાં આવે છે.
\p
\v 17 ઈસુના પૂર્વજોની સૂચિ આ પ્રમાણે છે: ઇબ્રાહિમના સમયથી દાઉદના સમય સુધીની બધી મળીને ચૌદ પેઢી. દાઉદના સમયથી ઇઝરાયલી લોકો બંદીવાસમાં ગયા ત્યાં સુધીની બીજી ચૌદ પેઢી, અને ખ્રિસ્ત જનમ્યા તે સમય સુધીની અન્ય ચૌદ પેઢી.
\p
\s5
\v 18 ઈસુ ખ્રિસ્તના જન્મ આગાઉ જે થયું હતું તેનો આ અહેવાલ છે: ઈસુની માતા મરિયમે, યૂસફને પરણવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ પતિ-પત્ની તરીકે સાથે રહે તે અગાઉ, તેઓએ જાણ્યું કે તે પવિત્ર આત્માના પરાક્રમ દ્વારા ગર્ભવતી થયેલી હતી.
\v 19 હવે થનાર પતિ યૂસફ તો ઈશ્વરની આજ્ઞા પાળનાર માણસ હતો, તેથી તેણે નિર્ણય કર્યો કે તે મરિયમની સાથે લગ્ન કરશે નહીં. તેની ઇચ્છા હતી કે અન્ય લોકોની ઉપસ્થિતિમાં તે શરમજનક સ્થિતિમાં મુકાય. તેથી તેણે તેની સાથે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો.
\s5
\v 20 આ વિષે તે ગંભીરતાથી વિચારતો હતો ત્યારે પ્રભુએ તેના સ્વપ્નમાં મોકલેલા દૂતથી તે નવાઈ પામ્યો. તે દૂતે કહ્યું, "યૂસફ, દાઉદ રાજાના વંશજ, મરિયમ સાથે લગ્ન કરવામાં ગભરાઇશ નહીં. કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે.
\v 21 તે પુત્રને જન્મ આપશે. પોતાના લોકને તેઓનાં પાપોથી બચાવનાર તેઓ જ હશે, માટે તું તેમનું નામ ઈસુ પાડજે.
\s5
\v 22 આ બધું એટલા માટે થયું કે પ્રભુએ યશાયા પ્રબોધકને ઘણા સમય અગાઉ લખવાનું કહ્યું હતું તે સાચું ઠરે. યશાયાએ લખ્યું હતું,
\v 23 "સાંભળો, કુંવારી યુવતી ગર્ભવતી થશે અને તે દીકરાને જન્મ આપશે.
\q તેઓ તેને ઇમ્માનુએલ કહેશે''- જેનો અર્થ ''ઈશ્વર આપણી સાથે.'' એવો થાય છે.
\p
\s5
\v 24 જ્યારે યૂસફ ઊંઘમાંથી ઊઠ્યો, ત્યારે દૂતે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. તે મરિયમ સાથે તેનો પતિ હોય તેવી રીતે રહેવા લાગ્યો.
\v 25 પરંતુ જ્યાં સુધી તેણે દીકરાને જન્મ આપ્યો નહીં ત્યાં સુધી તેણે તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો નહીં. અને જન્મ પછી યૂસફે તેમનું નામ ઈસુ પાડ્યું.
\s5
\c 2
\p
\v 1 ઈસુ યહૂદાહના પ્રાંતના બેથલેહેમ નગરમાં જનમ્યા હતા તે સમય દરમિયાન ત્યાં મહાન હેરોદ રાજા રાજ કરતો હતો. ઇસુનો જન્મ થયો તેના થોડા સમય પછી, કેટલાક માણસો ઘણે દૂરથી, પૂર્વથી યરુશાલેમ શહેરમાં આવ્યા, તેઓએ તારાઓનો અભ્યાસ કર્યો હતો.
\v 2 તેઓએ લોકોને પૂછ્યું, "યહૂદીઓના રાજા તરીકે જન્મનાર બાળક ક્યાં છે? તેમના જન્મ વિષે અમને બતાવતા એક તારાને અમે પૂર્વમાં જોયો છે, તેથી અમે તેની આરાધના કરવા આવ્યા છીએ."
\p
\v 3 આ માણસોની પૂછપરછ વિષે હેરોદ રાજાએ સાંભળ્યું ત્યારે તે ઘણો ચિંતિત થયો. યરુશાલેમના ઘણા લોકોને પણ ચિંતા થઈ.
\s5
\v 4 પછી હેરોદે તે સમયના બધા જ યાજકો અને યહૂદી નિયમોના શિક્ષકોને એકત્રિત કર્યા. તેણે તેઓને પૂછ્યું કે પ્રબોધકોની આગાહી મુજબ મસીહનો જન્મ ક્યાં થવો જોઈએ?
\v 5 તેઓએ તેને કહ્યું, "તેઓ અહીં યહૂદિયાના પ્રાંતમાં, બેથલેહેમ નગરમાં જન્મ લેશે, કારણ કે ઘણા સમય પહેલાં મીખાહ પ્રબોધકે લખ્યું હતું,
\v 6 'જેઓ યહૂદિયાના બેથલેહેમમાં રહો છો તેઓ, જાણો કે નિશ્ચે તમારું નગર ખૂબ મહત્વનું છે, કારણ કે તમારા નગરમાંનો એક માણસ શાસક બનશે. ઇઝરાયલમાં રહેતા મારા લોકોને તે શાસક દોરશે.'"
\p
\s5
\v 7 ત્યારબાદ હેરોદ રાજાએ છૂપી રીતે તારાઓના અભ્યાસી લોકોને બોલાવ્યા. તેણે તેઓને તે તારો સ્પષ્ટપણે પ્રથમ વાર ક્યારે દેખાયો તે વિષે પૂછ્યું.
\v 8 પછી તેણે તેઓને કહ્યું, "બેથલેહેમ જાઓ અને તે બાળક ક્યાં છે તે વિષે સંપૂર્ણ તપાસ કરો. જ્યારે તે તમને મળે, ત્યારે પાછા આવીને મને ખબર આપો કે જેથી હું, પોતે, પણ ત્યાં જઈને તેમની આરાધના કરી શકું."
\p
\s5
\v 9 ત્યારબાદ તેઓ બેથલેહેમ નગર તરફ ગયા. તેમને આશ્ચર્ય થયું કે, જ્યારે તેઓ પૂર્વના દેશમાં હતા ત્યારે તેમણે જોયેલો તારો ફરીથી તેમની આગળ ચાલતો હતો અને તે જે ઘરમાં બાળક હતું ત્યાં આવીને થોભ્યો.
\v 10 જ્યારે તેમણે તે તારો ફરીથી જોયો, ત્યારે તેઓ ઘણા આનંદિત થયા અને તેની પાછળ ચાલ્યા.
\s5
\v 11 તેમને તે ઘર મળ્યું, તેઓ તેની અંદર ગયા, અને તેઓએ તે બાળક તથા તેની માતા મરિયમને જોયાં. તેઓએ નમીને તેમની સ્તુતિ કરી. પછી તેઓએ તેમના ખજાનાની પેટી ખોલી અને તેને સોનું, કિંમતી લોબાન અને બોળનાં અર્પણ કર્યા.
\v 12 પછી ઈશ્વરે તેમને સ્વપ્નમાં ચેતવ્યા કે તેઓ હેરોદ રાજા પાસે પાછા ન જાય. તેથી તેઓ પોતાના દેશમાં જવા માટે નીકળ્યા, પરંતુ તે જ રસ્તે જવાના બદલે, તેઓ બીજે રસ્તે પાછા ગયા.
\p
\s5
\v 13 તારાઓનો અભ્યાસ કર્યો હતો તેવા માણસોએ બેથલેહેમ છોડ્યા પછી, ઈશ્વર તરફથી મોકલેલા દૂતે સ્વપ્નમાં યૂસફને દર્શન આપ્યું. તેણે કહ્યું, "ઊઠ, બાળક અને તેની માતાને લઇને ઈજિપ્ત દેશમાં નાસી જા. જ્યાં સુધી હું તને તે દેશ છોડવાનું ન કહું ત્યાં સુધી ત્યાં રહેજે, કારણ કે હેરોદ રાજા બાળકને શોધવા અને તેની હત્યા કરવા માટે સૈનિકો મોકલવાનો છે."
\v 14 તેથી તે જ રાત્રે યૂસફ ઊઠ્યો અને બાળક અને તેની માતાને લઇને ઈજિપ્ત જતો રહ્યો.
\v 15 હેરોદ રાજા મરણ પામ્યો ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યા, અને પછી તેઓએ ઈજિપ્ત છોડ્યું. આ રીતે, ઈશ્વરે હોશિયા પ્રબોધકને જે લખવાનું કહ્યું હતું તે સાચું ઠર્યું,
\q "મેં મારા દીકરાને ઈજિપ્તમાંથી બહાર બોલાવ્યો છે."
\m
\s5
\v 16 હેરોદ રાજા મરણ પામ્યો તે અગાઉ તેને ભાન થયું કે તે લોકોએ તેને છેતર્યો છે, અને તે કોપાયમાન થયો. તેણે એમ વિચાર્યું હતું કે ઈસુ હજી બેથલેહેમની નજીક હશે, તેથી હેરોદે સૈનિકોને મોકલ્યા કે તેઓ બે વર્ષ અને તેથી નાનાં સર્વ બાળકોને મારી નાંખે. તારાઓના અભ્યાસી વ્યક્તિઓએ તેને જે કહ્યું હતું કે તારો પ્રથમ ક્યારે દેખાયો તેના પ્રમાણે તે બાળકની ઉંમર કેટલી હશે તેની ગણતરી હેરોદે કરી.
\s5
\v 17 જ્યારે હેરોદે આ પ્રમાણે કર્યું, ત્યારે ઘણા સમય અગાઉ યર્મિયા પ્રબોધકે, રામાહ નજીકના બેથલેહેમ નગર માટે જે લખ્યું હતું તે સાચું ઠર્યું:
\q
\v 18 રામાહની સ્ત્રીઓ જોરથી આક્રંદ અને વિલાપ કરતી હતી.
\q રાહેલ, તે સ્ત્રીઓની પૂર્વજ, પોતાના મરણ પામેલાં બાળકો માટે રડતી હતી.
\q લોકોએ તેને દિલાસો આપવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ આપી ન શક્યા, કારણ કે તેના સર્વ બાળકો મરણ પામ્યાં હતાં.
\p
\s5
\v 19 હેરોદના મરણ પછી અને જ્યારે યૂસફ અને તેનો પરિવાર હજુ ઈજિપ્તમાં જ હતા, ત્યારે યૂસફના સ્વપ્નમાં જે દૂતને ઈશ્વરે મોકલ્યો હતો તે પ્રગટ થયો. તેણે યૂસફને કહ્યું,
\v 20 "ઊઠ, બાળકને અને તેની માતાને લઇને ઇઝરાયલ દેશમાં રહેવા માટે જા, કારણ કે જે લોકો બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા તેઓ મરણ પામ્યા છે."
\v 21 તેથી યૂસફ બાળકને અને તેની માતાને લઈને ઇઝરાયલ દેશમાં પાછો ગયો.
\p
\s5
\v 22 જ્યારે યૂસફે સાંભળ્યું કે હવે આર્ખિલાઉસ તેના પિતા મહાન હેરોદ રાજાની જગ્યાએ યહૂદિયાના પ્રાંતમાં રાજ કરે છે ત્યારે તે ત્યાં જતા બીધો. તેથી યૂસફ, મરિયમ અને તે બાળક ગાલીલ જીલ્લામાં ગયા.
\v 23 તેઓ નાસરેથ નગરમાં રહેવા માટે ગયા. તેનું પરિણામ એ આવ્યું કે પ્રબોધકોએ લાંબા સમય અગાઉ જે કહ્યું હતું તે સાચું ઠરે: "લોકો કહેશે કે તેઓ નાસરેથના છે."
\s5
\c 3
\p
\v 1 જ્યારે ઈસુ હજુ નાસરેથ નગરમાં હતા, ત્યારે યોહાન, જેને લોકો બાપ્તિસ્મી કહેતા હતા, તે યહૂદિયા પ્રાંતની ઉજ્જડ જગ્યાએ ગયો. જે લોકો તેની પાસે આવતા હતા તેમને તે ત્યાં ઉપદેશ આપતો હતો. તે કહેવા લાગ્યો,
\v 2 "તમારે પાપ કરવાનું બંધ કરવું જોઈએ, કારણ કે સ્વર્ગમાંથી આવનારું ઈશ્વરનું રાજ નજીક છે, અને જો તમે પાપ કરવાનું ચાલુ રાખશો તો તેઓ તમને નકારશે."
\v 3 જ્યારે યોહાન ઉપદેશ કરવા લાગ્યો, ત્યારે ઘણા સમય અગાઉ યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું ઠર્યું. તેણે કહ્યું હતું,
\pi "અરણ્યમાં આવનાર લોકો પોકાર સાંભળે છે કે,
\pi 'ઈશ્વરના આગમન સમયે તેમનો સ્વીકાર કરવા તૈયાર રહો!
\pi તેમના માટેની સર્વ તૈયારી કરો!'"
\p
\s5
\v 4 યોહાન ઊંટના રૂંવાંમાંથી બનેલાં ખરબચડાં કપડાં પહેરતો હતો. જેમ એલિયા પ્રબોધક ઘણાં સમય અગાઉ કરતો હતો, તેમ તે કમર પર ચામડાનો પટ્ટો પહેરતો હતો. તેનું ભોજન તો માત્ર અરણ્યમાં મળી આવતું તીડ અને મધ હતું.
\v 5 યરુશાલેમ શહેરમાં રહેતા, યહૂદિયાના જીલ્લાના અન્ય સ્થળોમાં રહેતા અને યર્દન નદીની નજીક રહેતા બીજા ઘણા લોકો યોહાનનો ઉપદેશ સાંભળવા આવતા હતા.
\v 6 તેને સાંભળ્યા પછી, તેઓ જાહેરમાં પોતાનાં પાપો કબૂલ કરતા, અને પછી તે તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપતો હતો.
\p
\s5
\v 7 પરંતુ યોહાને જોયું કે ઘણા ફરોશીઓ અને સદૂકીઓ પણ તેની પાસે બાપ્તિસ્મા પામવા આવતા હતા. તેણે તેઓને કહ્યું, "તમે લોકો ઝેરી સર્પોનાં બાળકો છો! જેઓ પાપ કરે છે તેઓ દરેકને એક દિવસ ઈશ્વર શિક્ષા કરશે તે વિષે કોઈએ તમને ચેતવ્યા નથી, શું ચેતવ્યા છે? એવું ના વિચારશો કે તમે તેઓથી બચી શકશો!
\v 8 જો તમે ખરેખર પાપ કરવાનું બંધ કરો છો, તો તે દર્શાવવા જે સાચું છે તે કરો.
\v 9 હું જાણું છું કે ઈશ્વરે ઇબ્રાહિમના વંશજોની સાથે રહેવાનું વચન આપ્યું. પરંતુ પોતાને એમ ના કહો, કે 'અમે ઇબ્રાહિમનાં સંતાન છીએ તેથી જો અમે પાપ કરીએ તો પણ ઈશ્વર અમને શિક્ષા નહિ કરે.' ના! હું તમને કહું છું કે તેઓ આ પથ્થરોને પણ ઇબ્રાહિમનાં સંતાનો બનાવી શકે છે!
\s5
\v 10 જેમ માણસ વૃક્ષને સારા ફળ ન આવે તો તેને મૂળ સહિત કાપી નાંખે છે, તેમ જ ઈશ્વર હમણાં તમને શિક્ષા કરવા તૈયાર છે. તેઓ એવા તમામ વૃક્ષોને કાપીને અગ્નિમાં નાંખી દેશે."
\p
\v 11 "મારા પોતાના વિષે કહું તો હું મહત્વનો નથી, કારણ કે હું માત્ર પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું. જ્યારે લોકો પાપ કરવા બદલ ખેદિત થાય છે ત્યારે હું તે કરું છું. પરંતુ બીજા કોઈક જલદી આવશે કે જેઓ મહાન પરાક્રમી કામો કરશે. તેઓ મારા કરતાં એટલા મહાન છે, કે હું તેમનાં ચંપલ ઉંચકવાને લાયક નથી.
\p તેઓ પવિત્ર આત્મામાં અને અગ્નિમાં તમારું બાપ્તિસ્મા કરશે.
\v 12 તેઓના હાથમાં સૂપડું છે, તેઓ સારા અનાજને નકામા ભુંસામાંથી છૂટું પાડવા તૈયાર છે. તેઓએ જ્યાં અનાજ ઝૂડ્યુ છે ત્યાંથી સર્વ નકામા ભૂસાને સાફ કરવા તેઓ તૈયાર છે. જેમ ખેડૂત તેના ઘઉંને તેની વખારોમાં ભરે છે, તેમ તેઓ ન્યાયી લોકોને ઘરે લઇ જશે; પરંતુ જેમ કોઈ ભુંસાને બાળે છે, તેમ તેઓ દુષ્ટ લોકોને કદી ન હોલવાતા અગ્નિમાં નાંખશે.
\p
\s5
\v 13 તે સમયે ઈસુ ગાલીલ જીલ્લામાંથી યર્દન નદીમાં યોહાન પાસે બાપ્તિસ્મા પામવા ગયા.
\v 14 જ્યારે ઈસુએ યોહાનને તેમને બાપ્તિસ્મા આપવા માટે કહ્યું, ત્યારે યોહાને ના પાડી; તેણે કહ્યું, "તમે મને બાપ્તિસ્મા આપો તેની મને જરૂર છે! પરંતુ તમે પાપી નથી, તો તમે મારી પાસે કેમ આવ્યા છો?"
\v 15 પરંતુ ઈસુએ તેને કહ્યું, "હમણાં મને બાપ્તિસ્મા આપ, કેમ કે આ જ રીતે આપણે બંને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરીશું." પછી યોહાન તેમને બાપ્તિસ્મા આપવા સંમત થયો.
\p
\s5
\v 16 ત્યારબાદ, તરત જ ઈસુ પાણીમાંથી બહાર આવ્યા. તે જ સમયે આકાશ ઊઘડી ગયું, અને ઈસુએ ઈશ્વરના આત્માને કબૂતરના રૂપમાં પોતા પર આવતાં અને વાસો કરતાં જોયો.
\v 17 પછી ઈશ્વર સ્વર્ગમાંથી બોલ્યા અને કહ્યું, "આ મારો દીકરો છે. હું તેને પ્રેમ કરું છું, અને હું તેનાથી ખૂબ પ્રસન્ન છું."
\s5
\c 4
\p
\v 1 પછી ઈશ્વરનો આત્મા તેમને ઉજ્જડ જગ્યાએ લઇ ગયો કે જેથી શેતાન તેમનું પરીક્ષણ કરે.
\v 2 તેમણે ચાળીસ દિવસ અને રાત સુધી કંઈ ખાધું ન હતું, તેથી તેઓ ભૂખ્યા હતા.
\v 3 લલચાવનાર, શેતાન, તેમની પાસે આવ્યો અને કહ્યું, "જો તું ખરેખર ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરોને કહે કે તેઓ તારે માટે રોટલી બની જાય!"
\v 4 પરંતુ ઈસુએ તેને કહ્યું, "ના! હું તે નહીં કરું, કારણ કે ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે, 'લોકો ખરેખર જીવે તે માટે, તેઓ પાસે ખોરાક કરતાં કંઇક વધારે હોવું જોઈએ; દરેક વચન જે ઈશ્વર બોલ્યા છે તે તેઓએ સાભળવું જોઈએ.'"
\s5
\v 5 પછી શેતાન ઈસુને ઈશ્વરના ખાસ શહેર યરુશાલેમમાં લઈ ગયો. તે તેમને મંદિરના સૌથી ઊંચા ભાગ ઉપર લઇ ગયો
\v 6 અને તેમને કહ્યું, "જો તું ખરેખર ઈશ્વરનો દીકરો હોય, તો જમીન પર કૂદ. તું ખરેખર ઇજા પામીશ નહિ, કારણ કે ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે,
\q 'ઈશ્વર તેમના દૂતોને આજ્ઞા આપશે કે તેઓ તારી રક્ષા કરે.
\q જ્યારે તું પડતો હોઈશ ત્યારે તેઓ તને પોતાના હાથમાં ઊંચકી લેશે,
\q અને તેઓ તારા પગને પથ્થર સાથે અથડાવા દેશે નહિ.'"
\p
\s5
\v 7 પરંતુ ઈસુએ કહ્યું, "ના! હું નીચે કૂદીશ નહિ, કારણ કે ઈશ્વરે શાસ્ત્રવચનમાં આ પણ કહ્યું છે, 'તમારા ઈશ્વરને તેઓ કોણ છે તે સાબિત કરવાનું કહેશો નહિ.'"
\v 8 પછી શેતાન તેમને પહાડની ઊંચી ટેકરી ઉપર લઇ ગયો. ત્યાં તેણે તેમને દુનિયાના સર્વ દેશ અને તે દેશોની ભવ્યતા બતાવી.
\v 9 પછી તેણે તેમને કહ્યું, "જો તું માથું નમાવીને મારી આરાધના કરે તો હું તને આ સર્વ દેશો પર રાજ કરવા દઈશ અને તેઓમાંની ભવ્ય બાબતો તને આપીશ."
\s5
\v 10 પરંતુ ઈસુએ તેને કહ્યું, "ના, હું તારી આરાધના નહીં કરું, શેતાન, તું જતો રહે! ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે, 'તારે માથું નમાવીને માત્ર તારા પ્રભુ ઈશ્વરનું જ ભજન કરવું અને તારે તેમની જ આરાધના કરવી!'"
\v 11 પછી શેતાન જતો રહ્યો, અને તે જ ક્ષણે, દૂતો આવ્યા અને તેમની સેવા કરી.
\p
\s5
\v 12 જ્યારે ઈસુ યહૂદિયાના પ્રાંતમાં હતા, ત્યારે યોહાન બાપ્તિસ્મીના શિષ્યો આવ્યા અને તેમને કહ્યું કે હેરોદ રાજાએ યોહાનને જેલમાં પૂર્યો છે. તેથી ઈસુ ગાલીલ જીલ્લાના નાસરેથ નગરમાં પાછા આવ્યા.
\v 13 પછી તેઓ નાસરેથ છોડી અને કપરનાહૂમ શહેરમાં ગયા કે જેથી તેઓ ત્યાં રહે. કપર-નાહૂમ ગાલીલ સમુદ્રની બાજુમાં જે પ્રદેશ અગાઉ ઝબુલોન અને નફતાલીના કુળની માલિકીનો હતો ત્યાં આવેલું છે.
\s5
\v 14 તેઓ ત્યાં ગયા કે જેથી યશાયા પ્રબોધક દ્વારા ઘણા સમય અગાઉ લખવામાં આવેલા આ શબ્દો સાચા ઠરે:
\q
\v 15 "ઝબુલોન અને નફતાલીના પ્રદેશો,
\q તે પ્રદેશો કે જેના રસ્તા દરિયાએ થઈને જાય છે, જે યર્દન નદીની પૂર્વ બાજુએ છે, જે ગાલીલના પ્રદેશો છે, જે ઘણા બિન-યહૂદીઓનું ઘર છે!
\q
\v 16 જાણે કે તેઓ અંધકારમાં હોય તેમ તે લોકો ઈશ્વરને જાણતા નથી,
\q પરંતુ જેમ કે એક તેજસ્વી પ્રકાશ તેમના ઉપર પ્રકાશ્યો હોય, તેમ તેઓ સત્યને જાણશે.
\q હા, તેઓ મરણ પામવાની બીકથી ઘણા જ ભયભીત થયા છે,
\q પણ એક તેજસ્વી પ્રકાશ તેમના ઉપર પ્રકાશ્યો છે!"
\p
\s5
\v 17 તે સમયે, જ્યારે ઈસુ કપર-નાહૂમ શહેરમાં હતા, ત્યારે તેઓએ લોકોને ઉપદેશ આપવાનું શરૂ કર્યું, "સ્વર્ગમાંથી ઈશ્વરનું રાજ નજીક છે, અને જ્યારે તેઓ રાજ કરશે ત્યારે તેઓ તમારો ન્યાય કરશે. માટે પાપ કરવાનું બંધ કરો!"
\p
\s5
\v 18 એક દિવસ જ્યારે ઈસુ ગાલીલના સમુદ્ર પાસે ચાલી રહ્યા હતા, ત્યારે તેમણે બે માણસોને જોયા, સિમોન, જે પાછળથી પિતર કહેવાયો તેને, અને તેના નાના ભાઈ આન્દ્રિયાને. તેઓ માછલી પકડવાની તેમની જાળો પાણીમાં નાખતા હતા કારણ કે તેઓ માછલી પકડતા અને વેચતા હતા.
\v 19 ઈસુએ તેઓને કહ્યું, "મારી પાસે આવો અને માણસોને કેવી રીતે મારા શિષ્યો બનાવવા તે હું તમને શીખવીશ. હું તમને માણસોને પકડનારા બનાવીશ."
\v 20 તેઓએ તરત જ જે કામ તેઓ કરતા હતા તે મૂકી દઈને તેમની સાથે ગયા.
\p
\s5
\v 21 જ્યારે તેઓ ત્રણ ત્યાંથી જઈ રહ્યા હતા, ત્યારે ઈસુએ અન્ય બે લોકોને એટલે યાકૂબ અને તેના નાના ભાઈ યોહાનને જોયા. તેઓ તેમના પિતા ઝબ્દીની સાથે તેઓની હોડીમાં જાળો સાંધતા હતા. ઈસુએ તેઓને કહ્યું કે તેઓએ તે કામ છોડીને તેમની સાથે જવું જોઈએ.
\v 22 તરત જ તેઓ તેમની હોડી અને તેમના પિતાને છોડીને ઈસુ સાથે ગયા.
\p
\s5
\v 23 ઈસુએ તે ચાર લોકોને ગાલીલના દરેક જીલ્લાઓમાં દોર્યા. તેઓ લોકોને સભાસ્થાનમાં શિક્ષણ આપતા હતા. ઈશ્વર કેવી રીતે રાજ કરે છે તે શુભ સમાચારનો તેઓ ઉપદેશ કરતા હતા. તેઓ સર્વ બીમાર લોકોને પણ સાજા કરતા હતા.
\v 24 જ્યારે સિરિયા જીલ્લાના બીજા ભાગમાં રહેનારાઓએ તેઓ જે કરતા હતા તે સાંભળ્યું, ત્યારે જેઓ બીમારીથી પીડાતા હતા, જેઓ ઘણા પ્રકારના રોગોથી પીડાતા હતા, જેઓ સખત પીડાથી દુ:ખિત હતા, જેઓ દુષ્ટાત્માઓના અંકુશમાં હતા, જેઓ વાઈના દર્દીઓ હતા અને જેઓ લકવાગ્રસ્ત હતા તે લોકોને તેઓ તેમની પાસે લાવ્યા અને ઈસુએ તેઓને સાજા કર્યા.
\v 25 પછી મોટો સમુદાય તેમની સાથે જવા લાગ્યો. તે લોકો ગાલીલથી, દસ નગરોમાંથી, યરુશાલેમ શહેરમાંથી, યહૂદિયાના બીજા પ્રાંતોમાંથી અને યર્દનના પૂર્વના પ્રદેશોમાંથી આવ્યા હતા.
\s5
\c 5
\p
\v 1 જ્યારે ઈસુએ ટોળાબંધ લોકોને જોયા, ત્યારે તેઓ પહાડ પર ચઢી ગયા. ત્યાં તેઓ બેસીને તેમના અનુયાયીઓને શીખવવા લાગ્યા. તેઓ તેમને સાંભળવા માટે તેમની પાસે આવ્યા.
\v 2 પછી તેઓએ તેમને શીખવવાનું શરૂ કરતાં કહ્યું,
\q
\v 3 "જે લોકો એવું સ્વીકારે છે કે તેઓને ઈશ્વરની જરૂર છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
\q તેઓ પર રાજ કરવા તેઓ સ્વર્ગમાંથી સંમત થશે.
\q
\v 4 જે લોકો આ પાપી દુનિયાને કારણે શોક કરે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
\q તેઓ તેમને ઉત્તેજન આપશે.
\q
\s5
\v 5 જે લોકો નમ્ર છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
\q ઈશ્વર જે નવી પૃથ્વી બનાવશે તેમાં તેઓ વતન પામશે.
\q
\v 6 જે લોકો, જેમ કોઈ કશું ખાવાની અને પીવાની ઇચ્છા રાખે તેમ ન્યાયી રીતે જીવવાની ઇચ્છા રાખે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
\q તેઓ તેમને ન્યાયી રીતે જીવવા શક્તિમાન કરશે.
\q
\v 7 જે લોકો બીજાઓ પ્રત્યે ભલાઈથી વર્તે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
\q ઈશ્વર તેમની સાથે ભલાઈથી વર્તશે.
\q
\v 8 ઈશ્વર એવા લોકો પર પ્રસન્ન છે જેઓ માત્ર એ જ કરે છે જે ઈશ્વરને પસંદ છે;
\q એક દિવસ તેઓ ઈશ્વરની સમક્ષતામાં હશે અને તેમને જોશે.
\q
\s5
\v 9 જે લોકો બીજા લોકોને શાંતિથી જીવવા સહાય કરે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
\q ઈશ્વર તેઓને તેમનાં પોતાનાં બાળકો જેવા ગણશે.
\q
\v 10 જે લોકો ન્યાયીપણાથી જીવે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે; જ્યારે તેઓના ન્યાયી જીવનના લીધે દુષ્ટ લોકો તેઓનું અપમાન કરે અને તેઓની સાથે ખરાબ રીતે વર્તે; ત્યારે ઈશ્વર માન પામે છે.
\q આ ન્યાયી લોકો પર ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરે છે.
\q
\s5
\v 11 જ્યારે લોકો તમારી નિંદા કરે ત્યારે ઈશ્વર તમારા પર પ્રસન્ન થાય છે અને જ્યારે તેઓ તમારી વિરુદ્ધ દુષ્ટ બાબતો કરે અને તમારા વિષે જુઠું બોલે ત્યારે ઈશ્વરને તમારાથી માન મળે છે.
\v 12 જ્યારે તે પ્રમાણે થાય, ત્યારે તમે આનંદ કરો અને હરખાઓ, કારણ કે ઈશ્વર તમને સ્વર્ગમાં મોટો બદલો આપશે. યાદ રાખો, તે જ રીતે તેઓએ ઘણા સમય અગાઉ થઇ ગયેલા પ્રબોધકોને સતાવ્યા હતા.
\p
\s5
\v 13 મીઠું ખોરાક માટે જે કાર્ય કરે છે, તે જ બાબત તમે જગત માટે કરશો. પરંતુ જો મીઠું તેનો સ્વાદ ગુમાવે, તો કોઈ તેને ફરી સ્વાદિષ્ટ કરી શકતું નથી. લોકો તેને નાખી દે છે અને તેના પર થઇને ચાલ્યા જાય છે.
\v 14 અંધકારમાં રહેલા લોકો માટે પ્રકાશ જે કાર્ય કરે છે તે જ બાબત તમે જગત માટે કરશો. જેવી રીતે સર્વ લોકો ટેકરી પર બાંધેલા નગરને જુએ છે, તેવી જ રીતે તેઓ તમને જોશે.
\s5
\v 15 દીવો સળગાવ્યા પછી, લોકો કદી તેને ટોપલા નીચે મૂકતા નથી. તેના બદલે, તેઓ તેને દીવી પર મૂકે છે કે જેથી ત્યાં જે સર્વ લોકો છે તેમને તે પ્રકાશ આપે.
\v 16 એ જ રીતે, તમારે જે યોગ્ય છે તે એવી રીતે કરવું જોઈએ કે બીજા લોકો જોઈ શકે કે તમે શું કરો છો. જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓ તમારા સ્વર્ગમાંના પિતાની સ્તુતિ કરશે."
\p
\s5
\v 17 "ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા અથવા પ્રબોધકોએ જે લખ્યું તેનો નાશ કરવા હું આવ્યો છું એમ ન માનો. તેના બદલે, તેમાં લખ્યા પ્રમાણે જે બાબતો થશે તેને પૂર્ણ કરવા હું આવ્યો છું.
\v 18 આ વાત સાચી છે: ઈશ્વર કદાચ આકાશ તથા પૃથ્વીને દૂર કરે, પરંતુ જ્યાં સુધી ઈશ્વરે નિયમમાં જે બનવા વિષે કહ્યું તે નહિ થાય ત્યાં સુધી ઈશ્વર તે નિયમોમાંથી કંઈપણ રદ કરશે નહીં, જે નાનામાં નાની વિગતો છે તેને અથવા વાક્યને અંતે મૂકવામાં આવેલા પૂર્ણવિરામ ચિહ્નને પણ ઈશ્વર દૂર નહીં કરે.
\s5
\v 19 કારણ કે આ સાચું છે, કે જ્યારે તે આજ્ઞાઓમાંની ઓછા મહત્વની કોઈ આજ્ઞાનું તમે ઉલ્લંઘન કરો છો, તો તમે સ્વર્ગમાંથી ઈશ્વરના રાજ્યમાં ઓછા મહત્વની વ્યક્તિ થશો. પરંતુ જો તમે તે સર્વ આજ્ઞાઓ પાળો અને જેમ તમે ઈશ્વરની આજ્ઞાઓને આધીન થાઓ છો તેમ કરવા જો બીજાઓને શીખવશો, તો સ્વર્ગમાંથી ઈશ્વરના રાજ્યમાં તમે ખૂબ મહત્વની વ્યક્તિ બનશો.
\v 20 હું તમને કહું છું કે નિયમના શિક્ષકો કરતાં વધારે સારી રીતે તમારે આ નિયમોનું પાલન કરવું પડશે અને તમારે તમારું હૃદય કહે તે પ્રમાણે યોગ્ય કરવું પડશે. તમારે ફરોશીઓ કરતાં સારું કરવું પડશે નહિ તો તમે આકાશમાંના ઈશ્વરના શાસન નીચે કદી નહીં આવો.
\p
\s5
\v 21 "ઈશ્વરે આપણા પૂર્વજોને જે કહ્યું હતું તે બીજાઓએ તમને જણાવ્યું છે કે, 'તમારે કોઈની હત્યા કરવી નહીં', અને, 'જો તમે કોઈની હત્યા કરો, તો ન્યાય કરનાર સભાના સભ્યો તમને મરણ દંડ આપે.'
\v 22 પરંતુ હું તમને કહું છું કે જો તમે કોઈના પર ગુસ્સે થાઓ, તો ઈશ્વર પોતે તમારો ન્યાય કરશે. જો તમે કોઈને કહો, 'તું નકામો છે', તો ન્યાયસભા તમારો ન્યાય કરશે. જો તમે કોઈને કહો, 'તું મૂર્ખ છે', તો ઈશ્વર તમને નર્કના અગ્નિમાં નાંખી દેશે.
\s5
\v 23 તેથી જ્યારે તમે ઈશ્વર માટે વેદી પર તમારી ભેટ લઇને જાઓ, ત્યારે જો તમને યાદ આવે કે તમે કોઈની સાથે ખોટું વર્તન કર્યું છે,
\v 24 તો તમારી ભેટ વેદી પાસે મૂકો અને પ્રથમ તો જે વ્યક્તિ સાથે તમે ખોટું વર્તન કર્યું છે તેની પાસે જાઓ. તે વ્યક્તિને કહો કે, "મેં જે કર્યું છે તેના માટે હું દિલગીર છું," અને તેને વિનંતી કરો કે તે તમને માફ કરે. પછી પાછા ફરો અને ઈશ્વરને તમારી ભેટ ચઢાવો.
\s5
\v 25 કંઇક ખોટું કરવાના લીધે જો તમારો સાથી નાગરિક તમને ન્યાયાલયમાં લઇ જાય કે તે તમારા પર આરોપ મૂકે, તો જ્યારે તમે ન્યાયાલયના રસ્તા પર તે વ્યક્તિ સાથે ચાલતા હો, ત્યારે જલદી તેની સાથે સમજૂતી કરી લો. હજુ જ્યાં સુધી તમારી પાસે સમય છે ત્યાં સુધી તેમ કરી લો કે જેથી તે તમને ન્યાયાલય ન લઇ જાય, કારણ કે કદાચ જો ન્યાયાધીશ કહે કે તમે અપરાધી છો અને તમને જેલના અધિકારીને સોંપી દે, અને તે જેલનો અધિકારી તમને જેલમાં પૂરી દે.
\v 26 આ બાબતનું ધ્યાન રાખો: જો તમે જેલમાં જાઓ, તો તમે કદી બહાર નહિ આવી શકો કારણ કે ન્યાયાધીશ તમને જે સર્વ કહેશે કે જેના તમે ઋણી છો તે તમે કદી ભરપાઈ નહિ કરી શકો. તેથી એ યાદ રાખો કે તમે તમારા ભાઈઓ સાથે શાંતિમાં રહો."
\p
\s5
\v 27 "ઈશ્વરે આપણા પૂર્વજોને જે કહ્યું તે તમે સાંભળ્યું છે કે, 'વ્યભિચાર કરશો નહિ.
\v 28 પરંતુ હું તમને જે કહું છું તે આ છે: જો કોઈ પુરુષ સ્ત્રીની સામે વાસનાભરી નજરે જુએ છે, તો ઈશ્વર ગણશે કે તેણે તે સ્ત્રી સાથે મનમાં વ્યભિચાર કર્યો છે.
\s5
\v 29 જો અમુક બાબતો તરફ જોવા દ્વારા તમને પાપ કરવાની ઇચ્છા થાય, તો તે તરફ જોવાનું બંધ કરો. જો કે તમારે તમારી બંને આંખોનો નાશ કરવો પડે, અને જો તેના દ્વારા તમે પાપ ટાળવા માટે સક્ષમ બનો તો તેમ કરો. તમે બંને આંખે જોઈ શકો છતાં ઈશ્વર તમને નર્કમાં નાંખે તે કરતાં અંધ થઈ અને પાપ કરતા અટકવું તે વધારે સારું છે.
\v 30 અને જો તમારો હાથ તમને પાપ કરવા દોરે તો, તમારા હાથનો ઉપયોગ કરવાનું બંધ કરો. જો તમારે તમારા હાથને કાપીને નાંખી દેવો પડે, અને જો તેના દ્વારા તમે પાપ ટાળવા માટે સક્ષમ બનો તો તેમ કરો. ઈશ્વર તમારું આખુ શરીર નર્કમાં નાંખે તેના કરતાં તમારા શરીરના કોઈ ભાગનો નાશ થાય તે સારું છે.
\p
\s5
\v 31 "ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે, 'જો કોઈ પુરુષ તેની પત્નીને છૂટાછેડા આપે, તો તે દસ્તાવેજ લખે કે જેમાં તે કહે કે તે તેને છૂટાછેડા આપે છે.'
\v 32 પરંતુ હવે હું તમને જે કહું છું તે સાંભળો: જો તેની પત્નીએ વ્યભિચાર કર્યો હોય તો તે માણસ તેની પત્નીને છૂટાછેડા આપે. જો પુરુષ તેની પત્નીને બીજા કોઈ કારણસર છૂટાછેડા આપે, અને જો તે બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કરે તો તે વ્યભિચાર કરે છે. અને જે પુરુષ તેની સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે."
\p
\s5
\v 33 "તમે એમ પણ સાંભળ્યું છે ઘણા સમય અગાઉ લોકોને કહેવામાં આવ્યું હતું કે, 'જૂઠા સોગંદ ખાઈને તમારે પ્રતિજ્ઞા લેવી નહીં' તેના બદલે, પ્રભુ પોતે તમારી આગળ ઊભા હોય તેવું સમજીને તમારે તમારું વચન આપવું.'
\v 34 પરંતુ હવે હું તમને કંઇક વધારે કહીશ: કોઈપણ કારણસર સોગંદ ખાશો નહીં! તમારા વચનની ખાતરી માટે સ્વર્ગ કે જ્યાં ઈશ્વર રહે છે, જે તેમના મહાન સામર્થ્યની જગ્યા છે અને જ્યાંથી તેઓ રાજ્ય કરે છે તેને વિશે કહેશો નહીં.
\v 35 અને કોઈ શપથની સોગંદ લેતાં એમ ન કહો કે પૃથ્વી તેની સાક્ષી આપશે. એમ ન કરો, કારણ કે પૃથ્વી તો ઈશ્વરનું પાયાસન છે. યરુશાલેમ શહેરના નામે પણ શપથ ન લો, કારણ કે યરુશાલેમ તો ઈશ્વર, આપણા મહાન રાજાનું શહેર છે.
\s5
\v 36 વળી, એવું વચન ન આપો કે તમે આમ કરશો અને પછી એમ કહો કે જો તમે તેમ ન કરી શકો તો તેઓ તમારું માથું કાપીને લઇ જાય. જ્યારે તમે તો તમારા માથાના એકે વાળનો રંગ બદલવા પણ શક્તિમાન નથી ત્યારે તમે કંઇક અગત્યની બાબત માટે કેવી રીતે વચન આપી શકો?
\v 37 જો કંઈ કરવા બાબતે તમે કહો, તો માત્ર એમ જ કહો કે 'હા, હું કરીશ', અથવા 'ના, હું નહીં કરું'. જો તે સિવાય તમે કંઈ વધારે કહો તો શેતાન, જે દુષ્ટ છે, તે તમને તે વાત કરવા સૂચવે છે."
\s5
\v 38 "તમે સાંભળ્યું છે કે આપણા પૂર્વજોને કહેવામાં આવ્યું હતું, 'જો કોઈ તમારી એક આંખને હાનિ પહોંચાડવા પ્રયત્ન કરે, તો તેઓએ તે વ્યક્તિની એક આંખને હાનિ પહોંચાડવી. અને જો કોઈ તમારા એક દાંતને હાનિ પહોંચાડે, તો તેઓએ તે વ્યક્તિના એક દાંતને હાનિ પહોંચાડવી.'
\v 39 પરંતુ હવે હું તમને જે કહું છું તે સાંભળો: જે કોઈ તમને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે તેની પાસે બદલો લેવાનો તો દૂર, તેને તેમ કરતાં રોકવાનો પણ પ્રયત્ન ના કરશો. તેના બદલે, જો કોઈ એક ગાલ પર તમાચો મારી તમારું અપમાન કરે, તો તેની સામે બીજો ગાલ ધરો કે તે તેના પર પણ તમને તમાચો મારી શકે.
\s5
\v 40 જો કોઈ તમારો ઝભ્ભો મેળવવા માટે તમને ન્યાયાલયમાં લઇ જાય, તો તે વ્યક્તિને તે ઝભ્ભો અને જે તમારા માટે વધારે કિંમતી હોય તે ઉપવસ્ત્ર બંને આપો.
\v 41 અને જો રોમન સૈનિક તને તેની સાથે એક માઈલ લઇ જવા ચાહે અને તેનો સામાન ઊંચકાવવા બળજબરી કરે, તો તેની સાથે બે માઈલ જાઓ.
\v 42 વળી, જો કોઈ તમારી પાસે કંઈ માંગે, તો તેને તે આપો. જો કોઈ તમારી પાસે ઉછીનું માંગે, તો જાઓ અને તેને તે ઉછીનું આપો."
\p
\s5
\v 43 "તમે સાંભળ્યું છે કે ઈશ્વરે આપણા પૂર્વજોને કહ્યું, 'તમારા સાથી ઇઝરાયલીઓને પ્રેમ કરો અને બિન-યહૂદીઓ, કે જેઓ તમારા શત્રુઓ છે તેમને ધિક્કારો.'
\v 44 પરંતુ હવે હું જે કહું છું તે સાંભળો: તમારા મિત્રોને તથા તમારા શત્રુઓને પણ પ્રેમ કરો, અને જેઓ તમને હેરાન કરે છે તેઓને માટે પ્રાર્થના કરો.
\v 45 આ પ્રમાણે કરો કે જેથી તમે તમારા પિતા કે જેઓ સ્વર્ગમાં છે તેઓના જેવા થાઓ. તેઓ સર્વ લોકો સાથે દયાળુપણે વર્તે છે. ઉદાહરણ તરીકે, તેઓ સૂર્યને સારા અને દુષ્ટ બંને પર સમાન રીતે પ્રકાશવા દે છે, અને જેઓ તેમના નિયમો પાળે છે અને જેઓ નથી પાળતા તેવા બંને લોકો પર તેઓ વરસાદ મોકલે છે.
\s5
\v 46 જો તમે માત્ર એવા જ લોકોને પ્રેમ કરો કે જેઓ તમને પ્રેમ કરે છે, તો ઈશ્વર તમને કોઈ બદલો આપશે તેવી જરા પણ અપેક્ષા ન રાખો! દાણીઓ જેવા લોકો કે જેઓ ભયંકર બાબતો કરે છે, તેઓ પણ જેઓ તેમને પ્રેમ કરે છે તેઓ પર પ્રેમ રાખે છે. તમારે તેમના કરતા સારી રીતે વર્તવું જોઈએ!
\v 47 હા, અને જો તમે માત્ર તમારા મિત્રોને જ સલામ કરો અને ઈશ્વર તેઓને આશીર્વાદ આપે એવી જો પ્રાર્થના કરો, તો તમે બીજા લોકો કરતાં સારી રીતે વર્તતા નથી. વળી બિન-યહૂદીઓ કે જેઓ ઈશ્વરનો નિયમ જાણતા નથી, તેઓ પણ એવું જ કરે છે!
\v 48 તેથી તમારે તમારા સ્વર્ગમાંના પિતા ઈશ્વર કે જેઓ તમને સંપૂર્ણપણે વિશ્વાસુ છે, તેવી જ રીતે તમારે તેમને સંપૂર્ણપણે વિશ્વાસુ રહેવું."
\s5
\c 6
\p
\v 1 "ખાતરી રાખો કે જ્યારે તમે સારા કાર્યો કરો ત્યારે લોકો તમને તે કરતા જુએ તે હેતુથી ન કરો. જો સારાં કાર્યો કરવા માટે તમારો હેતુ એવો હોય, તો ઈશ્વર, તમારા પિતા કે જેઓ સ્વર્ગમાં છે, તેઓ તમને કંઈ જ બદલો આપશે નહીં.
\v 2 તેથી જ્યારે તમે ગરીબને કંઈ આપો, ત્યારે તમે રણશિંગડું વગાડતા હો તેમ બીજા લોકોને જાણ ન કરો. ઢોંગી લોકો સભાસ્થાનોમાં અને મુખ્ય રસ્તાઓ પર આમ જ કરે છે કે જેથી લોકો તેમની પ્રશંસા કરે. ઢોંગીઓને માત્ર તે પ્રશંસાનો જ બદલો મળશે!
\s5
\v 3 તેઓ જે પ્રમાણે કરે છે તે પ્રમાણે કરવાના બદલે, જ્યારે તમે ગરીબને કંઈ આપો ત્યારે તમે શું કરો છો તે બીજાઓને જણાવશો નહીં.
\v 4 તે રીતે, તમે ગરીબોને ગુપ્તમાં આપશો. તેને પરિણામે ઈશ્વર, તમારા પિતા કે જેઓ તમને કોઈ જોતું ન હોય ત્યારે પણ જુએ છે, તેઓ તમને બદલો આપશે.
\p
\s5
\v 5 "વળી જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે ઢોંગીઓ જેમ કરે છે તેમ તમે ન કરો. તેઓને સભાસ્થાનોમાં અને મુખ્ય શેરીના ચાર રસ્તાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ગમે છે, કે જેથી બીજા લોકો તેમને જુએ અને તેમના વિષે અત્યંત સારું વિચારે. તેઓને માત્ર તે પ્રશંસાનો જ બદલો મળશે.
\v 6 પરંતુ જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે તમારા અંગત ઓરડામાં જાઓ અને દરવાજો બંધ કરો કે જેથી તમે ઈશ્વર તમારા પિતા કે જેમને કોઈ જોઈ શકતું નથી તેમને પ્રાર્થના કરો. તેઓ તમને જુએ છે અને તમને તેનો બદલો આપશે.
\v 7 જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે, ઈશ્વરને ન ઓળખતા લોકો પ્રાર્થના કરતાં જેમ ઘણા શબ્દો વારંવાર ફરીથી ઉચ્ચાર્યા કરે છે તેમ તમે ન કરો. તેઓ વિચારે છે કે જો તેઓ ઘણા શબ્દો બોલે, તો તેમના ઈશ્વર તેમનું સાંભળશે અને તેઓ જે માંગે છે તે તેઓને આપશે.
\s5
\v 8 તેઓ જેમ કરે છે તેમ શબ્દોને વારંવાર ન દોહરાવો, કારણ કે ઈશ્વર તમારા પિતા તમારા માગ્યા અગાઉ જાણે છે કે તમને શાની જરૂર છે.
\v 9 તેથી આ પ્રમાણે પ્રાર્થના કરો:
\q 'હે પિતા, આપ જેઓ સ્વર્ગમાં છો,
\q2 સર્વ આપનું સન્માન કરો.
\q2
\v 10 આપ સર્વ લોકો પર અને સર્વ બાબતો પર સંપૂર્ણપણે રાજ કરો.
\q2 જેમ સ્વર્ગમાં સર્વ બાબતો આપની ઈચ્છા પ્રમાણે થાય છે
\q3 તેમ પૃથ્વી પર પણ થાઓ.
\q2
\s5
\v 11 દરેક દિવસે જે ભોજન અમને જોઈએ તે અમને આપો.
\q2
\v 12 અમારી વિરુદ્ધ જે લોકોએ પાપ કર્યું છે તેઓને અમે જેવી રીતે માફ કર્યું છે તેવી જ રીતે આપ અમને અમારાં પાપોની ક્ષમા આપો.
\q2
\v 13 જ્યારે અમારું પરીક્ષણ થાય ત્યારે અમે કશું ખોટું ન કરીએ માટે અમને સહાય કરો,
\q2 અને જ્યારે શેતાન અમને નુકસાન કરવા પ્રયત્ન કરે ત્યારે અમને બચાવો.'
\p
\s5
\v 14 જે લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું હોય તેઓને માફ કરો, કારણ કે, જો તમે એવું કરશો, તો ઈશ્વર, તમારા સ્વર્ગમાંના પિતા, તમારાં પાપો માફ કરશે.
\v 15 પરંતુ જો તમે બીજાઓને માફ નહિ કરો, તો ઈશ્વર પણ તમારાં પાપો માફ નહિ કરે.
\p
\s5
\v 16 જ્યારે ઈશ્વરને પ્રસન્ન કરવા તમે ઉપવાસ કરો, ત્યારે જેમ ઢોંગીઓ ઉદાસ દેખાય છે તેવા તમે ન થાઓ. લોકો જોઈ શકે કે તેઓએ ભોજન લીધું નથી માટે તેઓ પોતાના ચહેરાને ઉદાસ દેખાડે છે. યાદ રાખો કે તે લોકોને માત્ર આ દેખાડો જ બદલારૂપે મળશે!
\v 17 તેના બદલે, તમારામાંના દરેક, જ્યારે તમે ઉપવાસ કરો, ત્યારે તમારે તમારા વાળ ઓળવા અને રોજની જેમ જ મોં ધોવું,
\v 18 કે જેથી બીજા લોકોને ખબર ન પડે કે તમે ઉપવાસ કર્યો છે. પરંતુ ઈશ્વર, તમારા પિતા, કે જેઓ અદ્રશ્ય છે, તેઓ જોશે કે તમે ભોજન લીધું નથી. ભલે બીજાઓ ન જુએ પણ તેઓ તમને જુએ છે અને તેઓ તમને બદલો આપશે.
\p
\s5
\v 19 આ પૃથ્વી પર સ્વાર્થી થઈને તમે પોતાના માટે ઘણાં બધાં નાણાં અને સામગ્રી ભેગી ન કરો, કારણ કે પૃથ્વી તો તે જગ્યા છે જ્યાં બધું જ નાશ પામે છે - જ્યાં ઊધઇ કપડાંનો નાશ કરે છે, કાટ ધાતુનો નાશ કરે છે, અને જે બીજાઓનું છે તેને ચોર ચોરી જાય છે.
\v 20 તેના બદલે, એવાં કાર્ય કરો કે જે ઈશ્વરને પ્રસન્ન કરે કે જેથી તમે સ્વર્ગમાં ખજાનાનો સંગ્રહ કરો. સ્વર્ગમાં કંઈ જ નાશ પામતું નથી. સ્વર્ગમાં ઉધઇ કપડાંનો નાશ કરતી નથી, ત્યાં કાટ લાગતો નથી, અને ત્યાં કોઈ ચોર નથી કે જે ચોરી શકે.
\v 21 યાદ રાખો કે તમારા માટે જે સૌથી અગત્યનું છે, તેના વિશે તમે વિચારતા રહેશો.
\p
\s5
\v 22 "તમારી આંખો તે તમારા શરીર માટે દીવા જેવી છે, કારણ કે તે તમને જોવા માટે શક્તિમાન કરે છે. માટે જેમ ઈશ્વર જુએ છે તેમ તમે જુઓ તો જાણે તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય તેમ થશે.
\v 23 પરંતુ જો તમારી આંખો ખરાબ હશે, તો તમે સર્વ બાબતો યોગ્ય રીતે જોઈ શકશો નહીં. તમે સંપૂર્ણ અંધકારમાં હશો. તમે કેટલા લોભી હશો!
\p
\v 24 "કોઈ વ્યક્તિ એક જ સમયે બે જુદા જુદા માલિકોની સેવા કરી શકે નહીં. જો તે તેમ કરવાનો પ્રયત્ન કરશે, તો તે તેમાંના એકનો દ્વેષ કરશે અને બીજાને પ્રેમ કરશે, અથવા તે તેમાંના એકને વફાદાર રહેશે અને બીજાને ધિક્કારશે. તેવી જ રીતે, તમે એક જ સમયે ઈશ્વર અને નાણાંની સેવા કરી શકો નહિ."
\p
\s5
\v 25 એટલા માટે હું તમને કહું છું કે જીવવા માટે તમારે જે બાબતોની જરૂર છે તેના માટે તમારે ચિંતા કરવી નહીં. તમારી પાસે જમવા માટે પૂરતો ખોરાક અને પીવા માટે પાણી, અથવા પહેરવા માટે પૂરતા કપડાં હશે કે નહિ તે સંબંધી ચિંતા ન કરો. તે બાબતો કરતાં તમે કેવી રીતે તમારું જીવન જીવો છો તે વધારે અગત્યનું છે.
\v 26 પક્ષીઓનો વિચાર કરો. તેઓ બીજ વાવતાં નથી અને તેઓ પાક લણતાં નથી અથવા તેને કોઠારોમાં ભરતાં નથી. તેઓ પાસે ખાવા માટે ખોરાક હોય છે કારણ કે ઈશ્વર, તમારા પિતા જે સ્વર્ગમાં છે, તે તેઓને ખોરાક પૂરો પાડે છે.
\s5
\v 27 ચિંતા કરવાથી તમારામાંનો એકપણ, તમારા જીવનમાં એકેય વર્ષ વધારી શકતો નથી. તમે તમારા જીવનમાં એક ક્ષણ માત્ર પણ વધારી શકતા નથી! તેથી જે બાબતોની તમને જરૂર છે તેના માટે તમારે ચિંતા ન કરવી.
\p
\v 28 તમારી પાસે પૂરતાં કપડાં હશે કે નહિ તે માટે પણ તમારે ચિંતા કરવી નહીં. ખેતરમાં ફૂલો કેવી રીતે વધે છે તે વિષે વિચાર કરો. તેઓ પૈસા કમાવા માટે કામ કરતાં નથી, અને તેઓ પોતાનાં વસ્ત્રો બનાવતાં નથી.
\v 29 પરંતુ હું તમને કહું છું કે સુલેમાન રાજા, જે ઘણા સમય અગાઉ થઈ ગયો, જે ખૂબ સુંદર વસ્ત્રો પહેરતો હતો, તેનાં વસ્ત્રો પણ તે ફૂલોમાંના એકના જેવાં સુંદર ન હતાં.
\s5
\v 30 જંગલી છોડ કે જે માત્ર થોડા સમય માટે ઊગે છે, તેને ઈશ્વરે ખૂબ સુંદર બનાવ્યા છે. એક દિવસ તે ઊગે છે, અને બીજા દિવસે લોકો તેને ભઠ્ઠીમાં બાળવા માટે નાંખે છે. પરંતુ તે બધા જંગલી છોડ કરતાં ઈશ્વર માટે તમે વધારે અગત્યના છો, અને તમે ઘણું લાંબું જીવો છો. તેથી તમે કે જેઓની પાસે ખૂબ ઓછો વિશ્વાસ છે, તેઓ ઈશ્વર પર વિશ્વાસ કરો!
\v 31 તેથી ચિંતા કરતાં એમ ન કહો, 'જમવા માટે અમારી પાસે શું કંઈ હશે?' અથવા 'અમારી પાસે પીવા માટે શું કંઈ હશે?' અથવા 'અમારી પાસે પહેરવા માટે કપડાં હશે શું?'
\s5
\v 32 જે લોકો ઈશ્વરને ઓળખતા નથી તેઓ હંમેશાં આ રીતે બધી બાબતોની ચિંતા કરે છે. પરંતુ ઈશ્વર, તમારા પિતા કે જેઓ સ્વર્ગમાં છે, તેઓ જાણે છે કે તમને તે સર્વ બાબતોની જરૂર છે.
\v 33 તેના બદલે, ઈશ્વર આખી પૃથ્વી પર રાજ કરે અને સર્વ લોકો તેમની ઇચ્છા પ્રમાણે કરે એ બાબતને ખૂબ મહત્વની ગણો. જો તમે તે કરો, તો તમને જે સર્વ બાબતોની જરૂર છે તે તેઓ તમને આપશે.
\v 34 તેથી આવતી કાલે તમારા વિશે શું બનશે તેની ચિંતા ન કરો, કારણ કે જ્યારે તે દિવસ આવશે, ત્યારે તેના વિષે ચિંતા કરવા માટે પૂરતું હશે. તેથી સમય અગાઉ ચિંતા કરશો નહીં."
\s5
\c 7
\p
\v 1 બીજાઓ કેવી પાપમય રીતે વર્ત્યા છે તે સંબંધી વાત ન કરો, કે જેથી ઈશ્વર એમ ન કહે કે તમે કેવી પાપમય રીતે વર્ત્યા છો.
\v 2 જો તમે બીજા લોકોને દોષિત ઠરાવશો, તો ઈશ્વર તમને દોષિત ઠરાવશે. જેટલી હદ સુધી તમે બીજાઓને દોષિત ઠરાવો છો, તેટલી હદ સુધી તમને દોષિત ઠરાવવામાં આવશે.
\s5
\v 3 તમારામાંના કોઈએ બીજાઓના નાના દોષ વિષે ચિંતા કરવી નહીં! આ તો એવું હશે કે જાણે તેની આંખમાંના નાના તણખલાની નોંધ લેવામાં આવે છે. પરંતુ તમારે તમારા પોતાના મોટા દોષો વિષે ચિંતા કરવી જોઈએ કારણ કે તમે તમારી આંખોમાં લાકડાના મોટા પાટિયાની નોંધ લેતા નથી.
\v 4 જ્યારે તમારી પોતાની જ આંખોમાં લાકડાનું પાટિયુ હોય ત્યારે, તમે બીજા લોકોને તેઓના નાના દોષ વિષે કહેશો નહિ કે, 'લાવ મને તારી આંખમાંનું તણખલું કાઢવા દે!'
\v 5 જો તમે તેમ કરો, તો તમે ઢોંગી છો! તમે બીજાની આંખમાંથી તણખલું કાઢો તે અગાઉ તમારે તમારી પોતાની જ આંખોમાંનું લાકડાનું પાટિયુ કાઢવાની જરૂર છે.
\p
\s5
\v 6 "જે ઈશ્વરનું છે તેને તમે કૂતરાને કે જેઓ તમારા ઉપર હુમલો કરે તેઓને આપતા નથી. અને તમે મૂલ્યવાન મોતી ડુક્કર આગળ નાખતા નથી, કારણ કે તેઓ તેના ઉપર ચાલશે. તેવી જ રીતે, ઈશ્વર વિષેની અદ્દભુત બાબતો એવા લોકોને ના કહેશો કે જેઓ બદલામાં તમારા માટે દુષ્ટ બાબતો કરે.
\p
\s5
\v 7 "તમારે જેની જરૂર છે તે ઈશ્વર પાસે માગતા રહો, અને આશા રાખો કે તેઓ તમને તે આપશે.
\v 8 કેમ કે જે લોકો ઈશ્વર પાસે કંઈ માગે છે, અને આશા રાખે છે કે તેઓ તેમને તે આપશે, તેઓ સર્વ તે પામશે.
\p
\v 9 જો તમારો દીકરો તમારી પાસે રોટલી માંગે, તો તમારામાંનો કોઈ તેને પથ્થર નહીં આપે, આપશે શું?
\v 10 જો તમારો દીકરો તમારી પાસે માછલી માગે, તો તમારામાંનો કોઈ તેને સાપ નહીં આપે, આપશે શું?
\s5
\v 11 તમે દુષ્ટ હોવા છતાં તમે જાણો છો કે તમારાં બાળકોને સારી વસ્તુઓ કેવી રીતે આપવી. તો ઈશ્વર, તમારા પિતા જેઓ સ્વર્ગમાં છે, તેઓ તો જેઓ તેમની પાસે માગે છે તેઓને વધુ ખાતરીપૂર્વક સારી બાબતો આપશે.
\v 12 તેથી જેવી રીતે તમે ઇચ્છો છો કે બીજાઓ તમારા પ્રત્યે વર્તે, તેવી જ રીતે તમારે તેમના પ્રત્યે વર્તવું જોઈએ, કારણ કે ઈશ્વરના નિયમનો અને પ્રબોધકોએ ઘણા સમય અગાઉ જે સર્વ બાબતો લખી તેનો અર્થ તે જ છે.
\p
\s5
\v 13-14 "ઈશ્વર સાથે સદાકાળ સ્વર્ગમાં રહેવું અઘરું છે; તે તો મુશ્કેલ માર્ગે જવા જેવું છે. સૌને ગમે તેવો એક રસ્તો છે. તે રસ્તો પહોળો છે; તેના પર ચાલીને તેઓ પહોળા દરવાજે પહોંચે છે, પણ તેમાં ચાલવા દ્વારા તેઓ મરણ પામે છે. તેથી હું તમને કહું છું કે સ્વર્ગમાં સદાકાળ ઈશ્વર સાથે રહેવા માટે અઘરો રસ્તો પસંદ કરો અને સાંકડા દરવાજામાંથી પ્રવેશ કરો."
\p
\s5
\v 15 એવા લોકોથી સાવધ રહો કે જેઓ તમારી પાસે આવીને ખોટી રીતે કહે કે તેઓ તમને જે જણાવે છે તે તો ઈશ્વરે તેમને કહ્યું છે. તેઓ વરુઓ જેવા છે કે જેઓએ પોતાને ઘેટાંની ચામડીથી ઢાંક્યા છે કે તેઓ નિર્દોષ દેખાય પરંતુ તેઓ તમારા પર હુમલો કરશે.
\v 16 છોડ દ્વારા ઉત્પન્ન થયેલા ફળને જોઇને તમે જાણો છો કે તે કયા પ્રકારનો છોડ છે. કાંટાળા વેલા દ્રાક્ષ ઉત્પન્ન કરી શકતા નથી અને કાંટાળા છોડ અંજીર ઉત્પન્ન કરી શકતા નથી, તેથી કોઈ કાંટાળા ઝાડ પરથી દ્રાક્ષને અથવા કાંટાળા વેલા પરથી અંજીરને તોડવાનું વિચારતું નથી.
\v 17 આ બીજું ઉદાહરણ છે: સર્વ સારાં ફળનાં વૃક્ષ સારાં ફળ ઉત્પન્ન કરે છે, પરંતુ સંપૂર્ણ સડેલું વૃક્ષ નકામાં ફળ ઉત્પન્ન કરે છે.
\s5
\v 18 સારું વૃક્ષ નકામું ફળ ઉત્પન્ન કરતું નથી, અને કોઈ સડેલું વૃક્ષ સારું ફળ ઉત્પન્ન કરતુ નથી.
\v 19 સર્વ વૃક્ષ કે જે સારાં ફળ નથી આપતાં તેઓને કામદારો કાપશે અને સળગાવી નાંખશે.
\v 20 છોડ શું ઉત્પન્ન કરે છે તે જોઇને, તમે જાણો છો કે તે કેવા પ્રકારના છોડ છે. તેવી જ રીતે, જ્યારે તમે જુઓ છો કે જે લોકો તમારી પાસે આવે છે તેઓ શું કરે છે, ત્યારે તમે જાણશો કે તેઓ ખરેખર સારું ઉત્પન્ન કરે છે કે ખરાબ.
\p
\s5
\v 21 જો કે ઘણા લોકો તેઓની ટેવ પ્રમાણે મને પ્રભુ કહે છે, તેઓ એવો ઢોંગ કરે છે કે તેઓ પાસે મારી સત્તા છે, તોપણ તેઓમાંના કેટલાક પર ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરવા સંમત થશે નહીં, કારણ કે જેની ઇચ્છા ઈશ્વર રાખે છે તે તેઓ કરતા નથી. જેઓ મારા પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે માત્ર તે લોકો પર તેઓ રાજ કરવા સંમત થશે.
\v 22 જે દિવસે ઈશ્વર સર્વનો ન્યાય કરશે, તે દિવસે ઘણાં લોકો મને કહેશે, 'પ્રભુ, તમારા પ્રતિનિધિ તરીકે અમે ઈશ્વરનું વચન બોલ્યા છીએ! તમારા પ્રતિનિધિ તરીકે અમે લોકોમાંથી દુષ્ટાત્માઓને કાઢ્યા છે! અને તમારા પ્રતિનિધિ તરીકે, ઘણી વખત અમે પરાક્રમી કૃત્યો કર્યાં છે!'
\v 23 પછી હું તેઓને જાહેરમાં કહીશ, 'મેં ક્યારેય કહ્યું નથી કે તમે મારા છો. તમે જેઓ દુષ્ટતા કરો છો, તેઓ મારાથી દૂર જાઓ!'"
\p
\s5
\v 24 માટે, હું જે કહું છું તે જે કોઈ સાંભળે અને હું જે આજ્ઞા આપું તે પ્રમાણે જે કોઈ કરે છે તે તો પથ્થર પર પોતાનું ઘર બાંધનાર ડાહ્યા માણસ જેવા થશે.
\v 25 વરસાદ પડ્યો, નદીમાં પૂર આવ્યું, પવન ફૂંકાયો અને ઘરની વિરુદ્ધ સપાટા વાગ્યા, છતાં પણ તે પડી ગયું નહીં કારણ કે તેને નક્કર ખડક પર બાંધવામાં આવ્યું હતું.
\s5
\v 26 બીજી તરફ, હું જે કહું છું તે જે સાંભળે છે પરંતુ મારી આજ્ઞા પાળતો નથી તે મૂર્ખ માણસ કે જે રેતી પર ઘર બાંધે છે તેના જેવો થશે.
\v 27 જ્યારે વરસાદ પડ્યો, નદીમાં પૂર આવ્યું, પવન ફૂંકાયો અને ઘરની વિરુદ્ધ સપાટા વાગ્યા ત્યારે, તે ધસી પડ્યું અને સંપૂર્ણપણે તૂટી ગયું કારણ કે તે રેતી પર બાંધવામાં આવ્યું હતું. તેથી મેં તમને જે કહ્યું છે તે તમારે પાળવું જોઈએ.
\p
\s5
\v 28 જ્યારે ઈસુ તે સર્વ બાબતો શીખવી રહ્યા, ત્યારે તેઓએ કેવી રીતે શીખવ્યું તે સાંભળનાર ટોળું તેનાથી આશ્ચર્ય પામ્યું.
\v 29 તેઓએ એક શિક્ષકની જેમ શીખવ્યું કે જેનો આધાર પોતે જે જાણે છે તેના પર છે. તેઓ યહૂદી નિયમોને શીખવનારની જેમ શીખવતા ન હતા, કે જેઓ બીજા માણસોએ શીખવેલી જુદી જુદી બાબતોનું રટણ કર્યા કરતા હતા.
\s5
\c 8
\p
\v 1 જ્યારે ઈસુ પહાડ પરથી ઊતર્યા, ત્યારે મોટો સમુદાય તેમની પાછળ ગયો.
\v 2 ઈસુએ સમુદાયને વિદાય આપી ત્યારબાદ, એક માણસ કે જેને ચામડીનો રોગ થયો હતો તે આવ્યો અને તેમની આગળ ઘૂંટણ પડ્યો. તેણે ઈસુને કહ્યું, "પ્રભુ, કૃપા કરીને મને સાજો કરો, કારણ કે હું જાણું છું કે જો તમે ઇચ્છો તો તમે મને સાજો કરવા સક્ષમ છો."
\v 3 પછી ઈસુએ પોતાનો હાથ લાંબો કર્યો અને તે માણસને સ્પર્શ કર્યો. તેમણે તેને કહ્યું, "હું તને સાજો કરવા ઈચ્છું છું, અને હમણાં જ હું તને સાજો કરું છું!"
\s5
\v 4 પછી ઈસુએ તેને કહ્યું, "હવે ધ્યાન રાખ કે મેં તને સાજો કર્યો, તે યાજક સિવાય કોઈને કહીશ નહીં. પછી યરુશાલેમના ભક્તિસ્થાને જા અને મૂસાના જણાવ્યા મુજબ અર્પણ ચઢાવ કે લોકો તે વિષે જાણે."
\p
\s5
\v 5 જ્યારે ઈસુ કપર-નાહૂમ શહેરમાં ગયા ત્યારે, એક રોમન અધિકારી જે સો સૈનિકોનો ઉપરી હતો તે તેમની પાસે આવ્યો. તેણે ઈસુ પાસે મદદ માંગી.
\v 6 તેણે તેમને કહ્યું, "પ્રભુ, મારો નોકર ઘરે ખાટલામાં લકવાગ્રસ્ત થઈને પડેલો છે, અને તેને સખત પીડા થાય છે."
\v 7 ઈસુએ તેને કહ્યું, "હું તારા ઘરે આવીને તેને સાજો કરીશ."
\s5
\v 8 પરંતુ તે અધિકારીએ તેમને કહ્યું, "તમે મારા ઘરે આવો તે માટે હું લાયક નથી. તેના બદલે, માત્ર એમ કહો કે મારો નોકર સાજો થયો છે, અને તે સાજો થશે.
\v 9 તેવું જ મારી સાથે પણ છે. હું સૈનિક છું; મારે મારા સેનાપતિને આધીન થવું પડે છે, અને મારી પાસે પણ સૈનિકો છે કે જેઓને હું આજ્ઞા આપું છું. જ્યારે હું તેઓમાંના એકને કહું છું 'જા!' તે જાય છે. જ્યારે હું બીજાને કહું છું 'આવ!' તે આવે છે. જ્યારે હું મારા નોકરને કહું, 'આ કર!' તે તે કરે છે."
\v 10 જ્યારે ઈસુએ આ સાંભળ્યું, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. જે ટોળું તેમની સાથે ચાલતું હતું તેઓને તેમણે કહ્યું, "આ સાંભળો: આ બિનયહૂદી માણસ મારા પર જેટલો વિશ્વાસ કરે છે તેટલો વિશ્વાસ મારા પર કરનાર કોઈ મને મળ્યું નથી. ઇઝરાયલ, કે જ્યાં હું આશા રાખું છું કે તે લોકો મારા પર વિશ્વાસ કરે ત્યાં પણ મને કોઈ મળ્યું નથી, શું મને કોઈ એવું મળ્યું કે જે મારા પર આટલો બધો વિશ્વાસ કરે!
\s5
\v 11 હું તમને ખરેખર કહું છું કે બીજા ઘણા બિનયહૂદીઓ પણ મારા પર વિશ્વાસ કરશે, અને તેઓ દૂર દેશોથી એટલે પૂર્વ અને પશ્ચિમ સહિતના દૂર દેશોથી આવશે, અને જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી સંપૂર્ણપણે સર્વસ્વ પર રાજ કરશે ત્યારે ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબની સાથે તેઓ જમવા બેસશે.
\v 12 પરંતુ જે યહૂદીઓ પર ઈશ્વરે રાજ કરવાનું ધાર્યું તેમને તો તેઓ ઘોર નર્કના અંધકારમાં નાંખશે. તેઓની વેદનાના કારણે તેઓ રડશે, અને તેઓની સખત પીડાના કારણે તેઓ દાંત પીસશે."
\v 13 પછી ઈસુએ તે અધિકારીને કહ્યું, "ઘરે જા. તેં જે વિશ્વાસ કર્યો છે તે પ્રમાણે થશે." પછી તે અધિકારી ઘરે ગયો અને તેણે જોયું કે તેનો નોકર ઈસુએ કહ્યું હતું કે તેઓ તેને સાજો કરશે તે જ સમયે સાજો થયો હતો.
\p
\s5
\v 14 જ્યારે ઈસુ અને તેમના કેટલાક શિષ્યો પિતરના ઘરે ગયા, ત્યારે ઈસુએ પિતરની સાસુને જોઈ. તેને તાવ આવ્યો હતો માટે તે ખાટલામાં સૂતી હતી.
\v 15 તેમણે તેનો હાથ પકડ્યો, અને તરત જ તેનો તાવ જતો રહ્યો. પછી તે ઊભી થઇ અને તેઓને ખોરાક આપી તેણે તેઓની સરભરા કરી.
\p
\s5
\v 16 તે સાંજે જ્યારે વિશ્રામવાર પૂરો થયો, ત્યારે લોકોએ જે લોકો દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતા તેઓને, અને બીજા જેઓ બીમાર હતા તેઓને તેમની પાસે લાવ્યા.
\v 17 જ્યારે તેમણે આ પ્રમાણે કર્યું, ત્યારે યશાયા પ્રબોધકે જે લખ્યું હતું તે સાચું ઠર્યું, 'તેમણે લોકોને માંદગીમાંથી મુક્ત કર્યા, અને તેમણે તેઓને સાજા કર્યા.'
\p
\s5
\v 18 જ્યારે ઈસુએ તેમની આસપાસના ટોળાને જોયું ત્યારે તેમણે શિષ્યોને કહ્યું કે તેઓ તેમને સરોવરની બીજી બાજુએ લઈ જાય.
\v 19 જે વખતે તેઓ હોડી તરફ જઈ રહ્યા હતા, ત્યારે એક માણસ કે જે યહૂદી નિયમો શીખવતો હતો તે તેમની પાસે આવ્યો અને કહ્યું, "ગુરુજી, તમે જ્યાં જશો ત્યાં હું તમારી સાથે આવીશ."
\v 20 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "શિયાળોને રહેવા માટે જમીનમાં દર હોય છે, અને પક્ષીઓને રહેવા માળા, પણ જો કે હું માણસનો દીકરો છું, તો પણ મારી પાસે ઘર નથી કે જ્યાં હું સૂઈ શકું."
\s5
\v 21 બીજો માણસ કે જે ઈસુનો શિષ્ય હતો તેણે તેમને કહ્યું, "પ્રભુ, મને ઘરે જવા મંજૂરી આપો. મારા પિતા મરણ પામે ત્યારે હું તેમનું દફન કરું, અને પછી હું તમારી સાથે આવીશ."
\v 22 પરંતુ ઈસુએ તેને કહ્યું, "હમણાં મારી સાથે આવ. જેઓ મરણ પામ્યા હોય તેવા લોકો છે તેઓને તેમના લોકોના મરણ પામવાની રાહ જોવા દે."
\p
\s5
\v 23 પછી ઈસુ હોડીમાં ચઢ્યા અને તેમના શિષ્યો તેમની પાછળ ગયા.
\v 24 અચાનક પાણી પર ભારે પવન ફૂંકાયો, અને ખૂબ ઊંચા મોજાં ઊછળ્યા અને હોડીને ભરવા લાગ્યાં. પરંતુ ઈસુ ઊંઘતાં હતા.
\v 25 તેઓ ઈસુની પાસે આવ્યા, તેમને ઉઠાડ્યા અને તેમને કહ્યું, "પ્રભુ, અમને બચાવો! અમે ડૂબી રહ્યા છીએ!"
\s5
\v 26 તેમણે તેઓને કહ્યું, "તમારે ગભરાવું ન જોઈએ! હું તમને બચાવી શકું તેવો તમે પૂરતો વિશ્વાસ કરતા નથી." પછી તેઓ ઊઠ્યા અને પવનને ધમકાવ્યો અને મોજાઓને શાંત રહેવા કહ્યું. તરત જ પવન ફૂંકાતો બંધ થયો અને પાણી શાંત થયું.
\v 27 તે માણસો આશ્ચર્યચકિત થયા, અને તેઓએ એકબીજાને કહ્યું, "આ માણસ નક્કી એક અદ્દભુત વ્યક્તિ છે! સઘળી બાબતો તેમના નિયંત્રણમાં છે! પવન અને મોજાઓ પણ તેમનું માને છે!"
\p
\s5
\v 28 જ્યારે તેઓ સરોવરની પૂર્વ બાજુએ આવ્યા, ત્યારે તેઓ જ્યાં ગાડરેનેસના લોકો રહેતા હતા ત્યાં આવી પહોચ્યાં. પછી બે માણસો કે જેઓ દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતા તેઓ જ્યાં રહેતા હતા તે દફનની ગુફાઓમાંથી બહાર આવ્યા. કોઈ તે રસ્તેથી મુસાફરી કરવાની હિંમત કરતું ન હતું, કારણ કે તેઓ ઘણા જ હિંસક હતા અને હુમલો કરતા હતા.
\v 29 એકાએક તેઓએ ઈસુને બૂમ પાડી, "તમે ઈશ્વરના પુત્ર છો! અમને એકલા છોડી દો, કારણ કે આપણી વચ્ચે શી તકરાર છે? જે સમય ઈશ્વરે અમને શિક્ષા કરવા માટે નક્કી કર્યો છે તે સમય અગાઉ તમે શું અમને ત્રાસ પમાડવા આવ્યા છો?"
\s5
\v 30 ત્યાં નજીકમાં જ ભૂંડોનું મોટું ટોળું ચરતું હતું.
\v 31 દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરીને કહ્યું, "તમે અમને આ માણસમાંથી બહાર કાઢવાના છો, તેથી અમને તે ભૂંડોમાં જવા દો!"
\v 32 ઈસુએ તેઓને કહ્યું, "જો તમે ત્યાં જવા ઇચ્છતા હો, તો જાઓ!" તેથી દુષ્ટાત્માઓ તે માણસને છોડીને ભૂંડોમાં ગયા. એકાએક તે આખું ટોળું કિનારેથી સમુદ્રમાં ધસી પડ્યું અને ડૂબી ગયું.
\s5
\v 33 જે લોકો ભૂંડોને સાચવતા હતા તેઓ ગભરાયા અને નગરમાં દોડી ગયા, અને તે બે માણસો કે જેઓ દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતા તેઓને જે થયું તે સહિત જે સર્વ બન્યું તે તેઓએ જણાવ્યું.
\v 34 પછી જાણે કે તે શહેરમાં રહેનારા સર્વ ઈસુને મળવા ગયા. જ્યારે તેઓએ તેમને અને તે બે વ્યક્તિ કે જેઓ દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતા તેઓને જોયા, ત્યારે તેઓએ ઈસુને વિનંતી કરી કે તેઓ તેમનો પ્રદેશ છોડીને જાય.
\s5
\c 9
\p
\v 1 ઈસુ અને તેમના શિષ્યો હોડીમાં ચઢ્યા. તેઓએ સરોવરમાં હોડી હંકારી અને જ્યાં તેમનો નિવાસ હતો તે કપર-નાહૂમ શહેરમાં ગયા.
\v 2 કેટલાંક લોકો તેમની પાસે લકવાગ્રસ્ત માણસને લાવ્યા કે જે બિછાના પર સૂતો હતો. જ્યારે ઈસુએ જોયું કે તેઓ વિશ્વાસ કરે છે કે તેઓ તે લકવાગ્રસ્ત માણસને સાજો કરી શકે છે, ત્યારે તેમણે તેને કહ્યું, "જુવાન માણસ, હિંમત રાખ! મેં તારાં પાપ માફ કર્યાં છે."
\s5
\v 3 લોકોમાંના ઘણા કે જેઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓએ પોતાના મનમાં કહ્યું, "આ માણસ વિચારે છે કે તે ઈશ્વર છે; તે પાપ માફ કરી શકે નહીં!"
\v 4 ઈસુએ જાણ્યું કે તેઓ શું વિચારતા હતા, તેથી તેમણે કહ્યું, "તમારે દુષ્ટ વિચારો કરવા ન જોઈએ!
\v 5 સહેલું શું છે, તેને એમ કહેવું કે તારાં પાપ માફ થયાં છે અથવા તેને એમ કહેવું કે ઊભો થા અને ચાલ?
\v 6 તેથી હું કંઇક એવું કરીશ કે જેથી તમે જાણો કે ઈશ્વરે મને, માણસના દીકરાને, પાપ માફ કરવાનો અધિકાર આપ્યો છે." પછી તેમણે લકવાગ્રસ્ત માણસને કહ્યું, "ઊભો થા, તારું બિછાનું ઊંચકીને, ઘરે જા!"
\s5
\v 7 તરત જ તે માણસ ઊભો થયો, પોતાનું બિછાનું ઉઠાવ્યું અને ઘરે ગયો!
\v 8 જ્યારે ટોળાએ આ જોયું, ત્યારે તેઓ ગભરાયા. માણસોને એવો અધિકાર આપવા માટે તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી.
\p
\v 9 ઈસુ ત્યાંથી જતા હતા, ત્યારે જ તેમણે માથ્થી નામે એક માણસને જોયો. જ્યાં તે રોમન સરકાર માટે કર ઉઘરાવતો હતો ત્યાં તે મેજ પર બેઠો હતો. ઈસુએ તેને કહ્યું, "મારી સાથે આવ અને મારો શિષ્ય બન!"
\s5
\v 10 ઈસુ અને તેમના શિષ્યો એક ઘરમાં જમવા માટે બેઠા. જ્યારે તેઓ જમતા હતા ત્યારે કર ઉઘરાવનારા ઘણા લોકો અને અન્ય લોકો આવ્યા અને તેઓની સાથે જમવા લાગ્યા.
\v 11 જ્યારે ફરોશીઓએ તે જોયું, ત્યારે તેઓ શિષ્યો પાસે ગયા અને કહ્યું, "એ ઘૃણાસ્પદ છે કે તમારા ગુરુ કર ઉઘરાવનારા અને તેમના જેવા બીજા લોકો સાથે સંબંધ રાખે છે અને જમે છે."
\s5
\v 12 તેઓ જે બોલતા હતા તે ઈસુએ સાંભળ્યું, તેથી તેઓએ તેમને આ ઉદાહરણ કહ્યું: "જે લોકો સાજા છે તેઓને વૈધની જરૂર નથી પરંતુ જે લોકો બીમાર છે તેઓને વૈધની જરૂર છે.
\v 13 તમારે શીખવાની જરૂર છે કે ઈશ્વરે આ જે શબ્દો કહ્યા તેનો અર્થ શો થાય છે: 'હું ઇચ્છું છું કે તમે માત્ર બલિદાન ન આપો પણ લોકો સાથે ભલાઈથી વર્તો.' આ યાદ રાખો કે હું તમારી પાસે એટલા માટે નથી આવ્યો કે લોકો, જેઓ પોતાને ન્યાયી માને છે અને એવું માને છે કે તેઓને પાપથી પાછા ફરવાની જરૂર નથી તેઓને મારી પાસે બોલાવું, પરંતુ જેઓ જાણે છે કે તેઓ પાપી છે તેઓને આમંત્રણ આપવા આવ્યો છું."
\p
\s5
\v 14 પછી યોહાન બાપ્તિસ્મીના શિષ્યો ઈસુની પાસે આવ્યા અને તેઓને પૂછ્યું, "અમે અને ફરોશીઓ ઘણી વખત ઉપવાસ કરીએ છીએ કારણ કે અમે ઈશ્વરને પ્રસન્ન કરવા ઇચ્છીએ છીએ, પરંતુ તમારા શિષ્યો તેમ કરતા નથી. શા માટે તેઓ તેમ કરતા નથી?"
\v 15 ઈસુએ જવાબ આપ્યો, "જ્યારે વરરાજા લગ્ન કરવાનો હોય છે ત્યારે તે તેના મિત્રો સાથે હોય છે, અને તેઓ શોક કરતા નથી, શું તેઓ કરે છે? ના, કારણ કે તેઓ તે સમયે ઉદાસ હોતા નથી. પરંતુ જ્યારે વરરાજાએ તેઓને છોડીને જવું પડશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે, કારણ કે તેઓ ઉદાસ હશે.
\p
\s5
\v 16 લોકો જૂના કાપડ પરના ફાટેલા ભાગને સાંધવા માટે જે સંકોચાયેલો ન હોય તેવો નવા કાપડના ટુકડો સીવતા નથી. જો તેઓ તેમ કરે, તો જ્યારે તેઓ તે કાપડને ધોશે, ત્યારે તે ટુકડો સંકોચાશે અને કાપડને ફાડી નાખશે, અને તે ફાટેલો ભાગ મોટો થશે.
\s5
\v 17 કોઈ વ્યક્તિ દ્રાક્ષોના તાજા રસને જૂની મશકોમાં સંગ્રહ કરતી નથી. જો કોઈ તેમ કરે, તો જ્યારે તે રસનો દ્રાક્ષાસવ બનશે ત્યારે તે મશકો ફાટી જશે. તે મશકો નાશ પામશે, અને દ્રાક્ષાસવ જમીન પર ઢોળાશે. તેના બદલે, લોકો નવા દ્રાક્ષારસને નવી મશકોમાં ભરશે, અને જ્યારે દ્રાક્ષારસને આથો આવશે ત્યારે મશકો ફૂલશે. આ રીતે, દ્રાક્ષાસવ અને મશકો બંને સુરક્ષિત રહેશે.
\p
\s5
\v 18 ઈસુ તે કહેતા હતા તેવામાં તે શહેરમાંથી એક આગેવાન આવ્યો અને તેમની આગળ નમ્યો. પછી તેણે કહ્યું, "મારી દીકરી હમણાં જ મરણ પામી છે! પરંતુ જો તમે આવો અને તમારો હાથ તેના પર મૂકો, તો તે જીવતી થશે!"
\v 19 તેથી ઈસુ ઊઠ્યા, અને તેઓ અને શિષ્યો તે વ્યક્તિ સાથે ગયા.
\s5
\v 20 ત્યારે બાર વર્ષથી જેને રક્તસ્રાવ હતો તે સ્ત્રી ઈસુની નજીક આવી. તે તેમની પાછળ ગઇ અને તેમના વસ્ત્રની કિનારીને અડકી.
\v 21 તે પોતાને કહેતી હતી, "જો હું તેમના વસ્ત્રની કિનારીને અડકું, તો હું સાજી થઇ જઈશ."
\v 22 પછી તેમને કોણ અડક્યું તે જોવા માટે ઈસુ પાછળ ફર્યા. અને જ્યારે તેમણે તે સ્ત્રીને જોઈ, ત્યારે તેમણે તેને કહ્યું, "દીકરી, હિંમત રાખ. મેં તને સાજી કરી છે કારણ કે તેં વિશ્વાસ કર્યો કે હું તને સાજી કરી શકું છું."
\p
\s5
\v 23 ઈસુ તે આગેવાનના ઘરે ગયા અને વાંસળી વગાડનારા જેઓ દફનનું સંગીત વગાડતા હતા તેઓને જોયા; ત્યાં ઘણા શોક કરનારા હતા કે જેઓ મોટેથી આક્રંદ કરતા હતા કારણ કે તે છોકરી મરણ પામી હતી.
\v 24 તેમણે તેઓને કહ્યું, "અહીંથી જાઓ અને આ દફનનું સંગીત અને આક્રંદ બંધ કરો, કારણ કે છોકરી મરણ નથી પામી! તે માત્ર ઊંઘે છે! લોકો તેમના પર હસ્યા કારણ કે તેઓ જાણતા હતા કે તે મરણ પામી છે.
\s5
\v 25 પરંતુ ઈસુએ તેઓને ઘરની બહાર નીકળવા કહ્યું. પછી તેઓ જ્યાં તે છોકરી હતી તે ઓરડામાં ગયા. તેમણે તેનો હાથ પકડ્યો અને તે જીવતી થઈ અને ઊઠી.
\v 26 અને તે પ્રદેશના સર્વ લોકોએ તે વિષે સાંભળ્યું.
\p
\s5
\v 27 જ્યારે ઈસુ ત્યાંથી ગયા, ત્યારે બે અંધ માણસો તેમની પાછળ ગયા અને બૂમ પાડી, "દાઉદ રાજાના વંશજ, અમારા પર દયા કરો અને અમને સાજા કરો!"
\v 28 ઈસુ ઘરમાં ગયા, અને પછી અંધ માણસો પણ અંદર ગયા. ઈસુએ તેઓને કહ્યું, "શું તમે વિશ્વાસ કરો છો કે હું તમને સાજા કરી શકું છું?" તેઓએ તેમને કહ્યું, "હા, પ્રભુ!"
\s5
\v 29 પછી તેઓ તેમની આંખોને સ્પર્શ્યા અને કહ્યું, "તમે વિશ્વાસ કરો છો કે હું તમારી આંખોને દેખતી કરી શકું છું, માટે હું તમને હમણાં જ સાજા કરું છું!"
\v 30 અને તેઓ દેખતા થયા! પછી ઈસુએ તેઓને કડકાઈથી કહ્યું, "ધ્યાન રાખો કે મેં તમારી માટે જે કર્યું છે તે તમે કોઈને ન કહો!"
\v 31 પરંતુ તેઓ બહાર ગયા અને આખા પ્રદેશમાં તે સમાચાર ફેલાવી દીધા.
\p
\s5
\v 32 જ્યારે તે બે માણસો બહાર આવતા હતા, ત્યારે જ એક માણસ કે જે બોલી શકતો ન હતો કારણ કે તે દુષ્ટાત્માના નિયંત્રણમાં હતો તેને કેટલાક લોકો ઈસુ પાસે લાવ્યા.
\v 33 ઈસુએ દુષ્ટાત્માને કાઢ્યો પછી તે માણસ બોલવા લાગ્યો! ટોળાએ આ જોયું અને તેઓ આશ્ચર્ય પામ્યા અને બોલ્યા, "અમે અગાઉ કદી ઇઝરાયલમાં આવી અદ્દભૂત બાબતો બનતા જોઈ નથી!"
\v 34 પરંતુ ફરોશીઓએ કહ્યું, "આ તો દુષ્ટાત્માઓનો રાજા શેતાન છે કે જે આ માણસને લોકોમાંથી દુષ્ટાત્માઓ ભગાવવા સમર્થ કરે છે."
\p
\s5
\v 35 પછી ઈસુ અને તેમના શિષ્યો ગાલીલ જીલ્લાના ઘણા શહેરો અને નગરોમાં થઈને ગયા. તેઓ સભાસ્થાનમાં શીખવતા અને ઈશ્વર કેવી રીતે સ્વર્ગમાંથી રાજ કરશે તે શુભ સંદેશ વિષે ઉપદેશ આપતા હતા. જેઓને અનેક રોગ અને માંદગી થયેલી હોય તેવા લોકોને પણ તેઓ સાજા કરતા હતા.
\v 36 જ્યારે તેઓએ લોકોનાં ટોળાને જોયાં, ત્યારે તેઓને તેમના પર દયા આવી કારણ કે લોકો ઉદાસ અને ચિંતિત હતા. તેઓ ઘેટાંપાળક વિનાનાં ઘેટા જેવાં હતા.
\s5
\v 37 પછી તેમણે શિષ્યોને કહ્યું: "જે લોકો મારો સંદેશ સ્વીકારવા તૈયાર છે, તેઓ એક ખેતર જેવા છે કે જે પાકની કાપણી માટે તૈયાર હોય. પરંતુ પાક એકત્ર કરી શકે તેટલા પૂરતા લોકો નથી.
\v 38 તેથી પ્રાર્થના કરો અને માગો કે પ્રભુ ઈશ્વર ઘણા વધુ લોકો મોકલે કે જેઓ તેમનો પાક એકઠો કરે."
\s5
\c 10
\p
\v 1 ઈસુએ તેમના બાર શિષ્યોને તેમની પાસે આવવા કહ્યું. પછી તેમણે તેઓને લોકોને નિયંત્રણ કરનારા દુષ્ટાત્માઓને કાઢવા માટે અઘિકાર આપ્યો. તેમણે તેઓને સર્વ પ્રકારની બીમારી અથવા જેઓ સર્વ રીતે માંદા હતા તેઓને સાજા કરવાને માટે સમર્થ કર્યા.
\s5
\v 2 ઈસુએ જે બાર શિષ્યોને પ્રેરિતો કહ્યા તેઓની સૂચિ આ પ્રમાણે છે. તેઓ સિમોન, કે જેને તેમણે નવું નામ પિતર આપ્યું; આન્દ્રિયા, પિતરનો નાનો ભાઈ; ઝબદીનો દીકરો યાકૂબ; યોહાન, યાકૂબનો નાનો ભાઈ;
\v 3 ફિલિપ; બર્થોલ્મી; થોમા; માથ્થી, જે દાણી હતો; અલ્ફીનો દીકરો યાકૂબ; થદી;
\v 4 સિમોન ઝલોતસ; અને યહૂદા ઇશ્કરિયોત, કે જે વિશ્વાસઘાત કરનાર હતો, અને જેણે તેમને અધિકારીઓને પરસ્વાધીન કરવા નિર્દેશ કર્યો હતો.
\p
\s5
\v 5 જ્યારે ઈસુ તેમના બાર પ્રેરિતોને સર્વ જગ્યાએ લોકોને શુભ સંદેશ કહેવા માટે મોકલવાના હતા, ત્યારે તેમણે તેઓને આ સૂચનો આપ્યાં: "જ્યાં બિન-યહૂદીઓ રહેતા હોય ત્યાં અથવા જ્યાં સમરૂનીઓ રહેતા હોય ત્યાં જશો નહીં.
\v 6 તેના બદલે, ઇઝરાયલના લોકો; કે જેઓ પાળક વિનાના ઘેટાં જેવા છે તેમની પાસે જાઓ.
\v 7 જ્યારે તમે તેમની પાસે જાઓ, ત્યારે તેઓને જાહેર કરો કે ટૂંક સમયમાં ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરશે.
\s5
\v 8 માંદાઓને સાજા કરો, મરણ પામેલાને જીવિત કરો, રક્તપિત્ત થયો હોય તેવા લોકોને સાજા કરો અને તેઓને સમાજમાં પાછા લાવો, અને જેઓને દુષ્ટાત્માએ તેમના નિયંત્રણમાં રાખ્યા હોય તેઓને મુક્ત કરો. લોકોને મદદ કરવા કોઈ નાણાં લેશો નહિ, કારણ કે ઈશ્વરે તમને મદદ કરવા કોઈ નાણાં લીધા નથી.
\v 9 તમારી સાથે નાણાં લેશો નહિ,
\v 10 અથવા કોઈ થેલી પણ રાખશો નહિ કે જેમાં તમારા નાણાં હોય. તમે જે વસ્ત્ર પહેરો છો તેના વગર કોઈ વધારાનું વસ્ત્ર ન લો, પગમાં પહેરવાના ચંપલ, કે લાકડી પણ ન લો. દરેક મજૂર જે લોકો માટે કામ કરે છે તે તેમની પાસેથી વેતન મેળવવા હક્કદાર છે, તેથી જે લોકો પાસે તમે જાઓ છો તેમની પાસેથી ભોજન મેળવવા તમે હક્કદાર છો.
\s5
\v 11 જ્યારે તમે કોઈ ગામ કે નગરમાં પ્રવેશો ત્યારે જે વ્યક્તિ તમને ઘરમાં રાખવા ઇચ્છતી હોય તેવી વ્યક્તિને શોધો.
\v 12 જ્યારે તમે તે ઘરમાં જાઓ, ત્યારે ઈશ્વરને વિનંતી કરો કે તેઓ જે લોકો તે ઘરમાં રહે છે તેઓનું ભલું કરે. જ્યાં સુધી તમે તે નગર કે ગામ ન છોડો ત્યાં સુધી તમે તે ઘરમાં રહો.
\v 13 જો તે ઘરના લોકો તમારો સારી રીતે સ્વીકાર કરશે, તો ઈશ્વર ખરેખર તેઓનું ભલું કરશે. પરંતુ જો તેઓ તમારો સારી રીતે આવકાર નહિ કરે, તો તમારી પ્રાર્થના તેઓનું ભલું નહિ કરે, અને ઈશ્વર પણ તેઓનું ભલું નહિ કરે.
\s5
\v 14 જો ઘર અથવા નગરમાં રહેતા કોઈ પણ લોકો તમને આવકારે નહિ, અને તમારો સંદેશ સાંભળે નહિ, તો તે સ્થળ છોડી દો. જ્યારે તમે તે જગ્યા છોડો, ત્યારે તમારા પગ પરની ધૂળ ખંખેરો. આ કરવા દ્વારા, તમે તેઓને ચેતવશો કે જેમ તેઓએ તમારો સંદેશ સ્વીકાર્યો નહિ તેમ ઈશ્વર પણ તેઓને સ્વીકારશે નહીં.
\v 15 આ બાબતની ધ્યાનપૂર્વક નોંધ લો: ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરશે તે સમયે તેઓ સદોમ અને ગમોરામાં રહેતા દુષ્ટ લોકોને શિક્ષા કરશે. પરંતુ જો કોઈ શહેરના લોકો તમારો સ્વીકાર નહિ કરે, તો તેઓને તો ઈશ્વર વધારે સખત શિક્ષા કરશે.
\p
\s5
\v 16 "ધ્યાન આપો: હું તમને મોકલું છું ત્યારે તમે વરુઓ જેવા જોખમી લોકો મધ્યે સામનો ન કરી શકે તેવા ઘેટાં જેવા છો. તેથી સર્પની જેમ સાવધ રહો અને કબૂતરના જેવાં સાલસ થાઓ.
\v 17 વળી, તેવા લોકોથી સાવધ રહો, કારણ કે તેઓ તમારી ધરપકડ કરશે અને તેઓ તમને ન્યાયસભાના સભ્યો સમક્ષ તપાસને માટે લઈ જશે. તેઓ તમને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે.
\v 18 અને તેઓ તમને રાજ્યપાલ અને રાજાઓ સમક્ષ તપાસ અને શિક્ષાને માટે લઈ જશે, કારણ કે તમે મારા છો. પરંતુ તે શાસકો અને અન્ય બિન-યહૂદીઓ સમક્ષ તમે મારા વિશે સાક્ષી આપશો.
\s5
\v 19 જ્યારે તે લોકો તમારી ધરપકડ કરે, ત્યારે તમારે તેઓને શું કહેવું તે માટે ચિંતા ન કરો, કારણ કે જે શબ્દો તમારે બોલવા જોઈએ તે તમને મળશે.
\v 20 તમે શું કહેશો તે તમારે નક્કી કરવાનું નથી. તેના બદલે, તમારા સ્વર્ગમાંના પિતાનો આત્મા તમને જે જણાવે તે જ તમે કહેશો.
\s5
\v 21 તમે મારા પર વિશ્વાસ કરો છો તે કારણે તેઓ તમને મારી નાખવા માટે અધિકારીઓ પાસે લઈ જશે. ઉદાહરણ તરીકે, લોકો આવું પોતાના ભાઈઓને, અને પિતાઓ આવું પોતાના બાળકો સાથે કરશે. બાળકો પોતાના માબાપ વિરુદ્ધ બળવો કરશે અને તેઓને મારી નંખાવશે.
\v 22 તમે મારા પર વિશ્વાસ કરો છો તે કારણે ઘણા લોકો તમને ધિક્કારશે. પરંતુ જે કોઈ મરણ સુધી મારા પર વિશ્વાસ રાખશે, તેવા લોકોને ઈશ્વર બચાવશે.
\v 23 જ્યારે એક શહેરના લોકો તમને સતાવે, ત્યારે બીજા શહેરમાં નાસી જાઓ. આની નોંધ લો: જ્યારે તમે એક ગામથી બીજા ગામ એમ કરીને ઇઝરાયલના સર્વ નગરોમાં જઈને મારા વિશે કહેવાનું પૂરું કરો તે અગાઉ હું, માણસનો દીકરો, ચોક્કસપણે પૃથ્વી પર પાછો આવીશ.
\p
\s5
\v 24 શિષ્યએ ગુરુ કરતાં મહાન બનવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં, અને નોકરો તેમના માલિક કરતા ચઢિયાતા નથી.
\v 25 તમે એવી અપેક્ષા ન રાખો કે લોકોએ ગુરુ સાથે કર્યો તે કરતાં સારો વ્યવહાર શિષ્યો સાથે કરશે, અથવા માલિક સાથે કર્યો તે કરતાં સારો વ્યવહાર તેઓ તેમના નોકર સાથે કરશે. તેવી જ રીતે, લોકોએ મારી સાથે જેવું અયોગ્ય વર્તન કર્યું, તેવું જ અયોગ્ય વર્તન તેઓ તમારી સાથે પણ કરશે તેવી તમે અપેક્ષા રાખી શકો છો, કારણ કે હું તમારો ગુરુ અને માલિક છું. હું ઘરના આગેવાન જેવો છું, કે જેને તેઓએ શેતાન કહ્યો છે. જો તેઓ મારી સાથે ખરાબ વર્તન કરે, તો તમે શું ધારો છો કે તેઓ તમારી સાથે કેવી રીતે વર્તશે?"
\p
\s5
\v 26 "તે લોકોથી બીશો નહિ. જે સર્વ બાબતો ઢંકાયેલી છે તેને ઉઘાડી કરવામાં આવશે, અને સર્વ ગુપ્ત વાતો જાહેર કરવામાં આવશે.
\v 27 માટે, ગભરાવાના બદલે, જેમ લોકો રાત્રે કરે છે તેમ, જે હું તમને ગુપ્ત રીતે કહું છું, તેને જેમ લોકો દિવસે કરે છે તેમ, જાહેરમાં કહો. જેમ લોકો તમને ધીમેથી ખાનગીમાં કહે છે તેમ જે હું તમને ગુપ્ત રીતે કહું છું, તેને લોકોમાં જાહેર કરો.
\s5
\v 28 જે લોકો તમારા શરીરનો નાશ કરી શકે છે પણ તમારા આત્માનો નાશ કરવા અસમર્થ છે તે લોકોથી ગભરાશો નહીં. તેના બદલે, ઈશ્વરનો ભય રાખો, કારણ કે તેઓ તમારા શરીર અને આત્મા બંનેનો નર્કમાં નાશ કરવા સમર્થ છે.
\v 29 ચકલીઓનો વિચાર કરો. તેઓની કિંમત એટલી ઓછી છે કે તમે એક નાના સિક્કાથી બે ચકલીઓને ખરીદી શકો છો. પરંતુ જ્યારે કોઈ ચકલી જમીન પર પડી મરણ પામે છે, ત્યારે ઈશ્વર, તમારા આકાશમાંના પિતા, તે જાણે છે, કારણ કે તેઓ સઘળું જાણે છે.
\v 30 તેઓ તમારા વિશે પણ, સઘળું જાણે છે. તેઓ એ પણ જાણે છે કે તમારા માથા પર કેટલા વાળ છે!
\v 31 ચકલીઓ કરતાં ઈશ્વર તમને ઘણા મૂલ્યવાન ગણે છે. તેથી, જે લોકો તમને મારી નાખવાની ધમકી આપે છે તેઓથી બીશો નહીં!
\s5
\v 32 જો લોકો બીજાઓને એવું કહેવા રાજી છે કે તેઓ મારા છે, તો હું પણ મારા પિતા કે જેઓ સ્વર્ગમાં છે તેઓની આગળ સ્વીકારીશ કે તેઓ મારા છે.
\v 33 પરંતુ જો તેઓ લોકોની આગળ એમ કહેતા ગભરાતા હોય કે તેઓ મારા છે, તો હું સ્વર્ગમાંના મારા પિતા આગળ કહીશ કે તેઓ મારા નથી."
\p
\s5
\v 34 "એમ ન વિચારશો કે લોકો પૃથ્વી પર શાંતિથી રહી શકે માટે હું આવ્યો છું. હું આવ્યો છું તે કારણે કેટલાક કે જેઓ મને અનુસરતા હશે તેઓ મરણ પામશે.
\v 35 હું આવ્યો છું તે કારણે જે લોકો મારા પર વિશ્વાસ કરતા નથી તેઓ, મારા પર વિશ્વાસ કરનારાઓની વિરુદ્ધ થશે. ઉદાહરણ તરીકે, કેટલાક દીકરાઓ તેમના પિતાઓની વિરુદ્ધ થશે, કેટલીક દીકરીઓ તેમની માતાઓની વિરુદ્ધ થશે, અને કેટલીક પુત્રવધૂઓ તેમની સાસુઓની વિરુદ્ધ થશે.
\v 36 એ બતાવે છે કે ઘણી વાર વ્યક્તિના દુશ્મન તેના પોતાના પરિવારના જ સભ્યો બનશે.
\s5
\v 37 જો લોકો પોતાના પિતા અથવા માતાને મારા કરતા વિશેષ પ્રેમ કરે છે તો તેઓ પણ મારા માટે લાયક નથી. અને જે લોકો તેમના દીકરા કે દીકરીઓને મારા કરતા વિશેષ પ્રેમ કરે છે તો તેઓ મારા માટે લાયક નથી.
\v 38 જો તમે મારા હોવાને લીધે મરણ પામવા તૈયાર નથી, તો તમે મારા માટે લાયક નથી.
\v 39 મરણથી બચવા માટે જેઓ મારા પર વિશ્વાસ કરવાનો નકાર કરશે તેઓ ઈશ્વર સાથે સદાકાળ જીવશે નહીં, પરંતુ જેઓ મારા પરના તેઓના વિશ્વાસને લઈને પોતાનો જીવ ગુમાવવા તૈયાર હશે તેઓ ઈશ્વર સાથે સદાકાળ જીવશે."
\p
\s5
\v 40 "જે સર્વ તમારો આવકાર કરે છે તેઓ મને આવકારે છે એવું ઈશ્વર માને છે, અને જેઓ મને આવકારે છે તેઓ જેમણે મને મોકલ્યો છે તેમને આવકારે છે.
\v 41 જેઓ જાણે છે કે કોઈ વ્યક્તિ પ્રબોધક છે અને તેથી તેને આવકારે છે તો ઈશ્વર તરફથી જે બદલો તે પ્રબોધકને મળવાનો છે તે જ બદલો આવકાર કરનારાઓને મળશે. તેવી જ રીતે, જેઓ જાણે છે કોઈ વ્યક્તિ ન્યાયી છે અને તેથી તેનો આવકાર કરે છે તો ઈશ્વર તરફથી જે બદલો તે ન્યાયી વ્યક્તિને મળવાનો છે તે જ બદલો આવકાર કરનારાઓને મળશે.
\s5
\v 42 જો કે તમે મહત્વની વ્યક્તિ નથી તો પણ ધારો કે લોકો તમને તરસ્યા જૂએ અને તમે મારા શિષ્ય છો એમ જાણીને તમને ઠંડા પાણીનો પ્યાલો આપે, તો પ્રભુ એમ કરનારને ચોક્કસ બદલો આપશે."
\s5
\c 11
\p
\v 1 જ્યારે ઈસુ તેમના બાર શિષ્યોને તેઓએ શું કરવું તે વિશે સૂચનો આપી રહ્યા, ત્યારે તેમણે તેમને ઇઝરાયલનાં અનેક ગામોમાં મોકલ્યા. પછી તેઓ શિક્ષણ અને ઉપદેશ આપવા ઇઝરાયલના બીજા નગરોમાં ગયા.
\p
\v 2 જ્યારે યોહાન બાપ્તિસ્મી જેલમાં હતો, ત્યારે મસીહ જે કરતા હતા તે વિષે તેણે સાંભળ્યું. તેથી તેણે પોતાના કેટલાક શિષ્યોને તેમની પાસે મોકલ્યા
\v 3 કે તેઓ તેમને પૂછે, "શું તમે તે જ મસીહ છો કે જેના વિશે પ્રબોધકોએ કહ્યું હતું કે તેઓ આવશે, અથવા શું તે બીજા કોઈ છે કે જેમના આવવાની રાહ અમે જોઈએ?"
\s5
\v 4 ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું, "પાછા જાઓ અને હું લોકોને જે કહું છું અને મને જે કામો કરતાં તમે જુઓ છો તેનો અહેવાલ યોહાનને આપો.
\v 5 હું અંધજનોને દેખતા કરું છું અને અપંગોને ચાલતા કરું છું. જે લોકોને રક્તપિત્ત હોય તેમને હું સાજા કરું છું. હું બહેરા લોકોને સાંભળતા કરું છું અને મરણ પામેલા લોકોને જીવતા કરું છું. હું ગરીબ લોકોને ઈશ્વરનો શુભ સંદેશ કહું છું.
\v 6 વળી યોહાનને કહો કે હું જે કરું છું તે નાપસંદ હોવા છતાં જેઓ મારા પર વિશ્વાસ કરતાં અટકાતા નથી તેઓ પર પ્રભુ પ્રસન્ન છે."
\p
\s5
\v 7 જ્યારે યોહાનના શિષ્યો જતા રહ્યા, ત્યારે ઈસુ લોકોના ટોળા સાથે યોહાન વિશે વાત કરવા લાગ્યા. તેમણે તેઓને કહ્યું, "જ્યારે તમે અરણ્યમાં યોહાનને જોવા ગયા, ત્યારે તમે શું જોવાની આશા સાથે ગયા હતા? તમે પવનથી ડોલતા ઊંચા ઘાસને જોવા ગયા ન હતા, શું તમે તે જોવા ગયા હતા?
\v 8 તેથી કેવા પ્રકારના માણસને જોવાની તમે અપેક્ષા રાખતા હતા? નિશ્ચે મોઘાં વસ્ત્રો પહેરેલા માણસને તો નહીં. ના! તમે સારી રીતે જાણો છો કે જે લોકો તેવાં વસ્ત્રો પહેરે છે તેઓ રાજાના મહેલમાં રહે છે અને અરણ્યમાં નહીં.
\s5
\v 9 તેથી ખરેખર, કયા પ્રકારના માણસને જોવાની તમે અપેક્ષા રાખી હતી? પ્રબોધકને? અરે, હા! પરંતુ મને આ કહેવા દો: યોહાન માત્ર સામાન્ય પ્રબોધક ન હતો.
\v 10 તે તો તે જ હતો કે જેના વિષે ઈશ્વરે ઉલ્લેખ કર્યો હતો, અને જેના વિશે કોઈએ શાસ્ત્રમાં લખ્યું અને કહ્યું હતું,
\q 'નોંધ લો! હું મારા સંદેશવાહકને તમારી અગાઉ મોકલું છું કે તે તમારા આવવા સંબંધી લોકોને તૈયાર કરે.'
\p
\s5
\v 11 આની નોંધ લો: જે લોકો અગાઉ જીવી ગયા છે તેઓમાં, ઈશ્વર કોઈને પણ યોહાન બાપ્તિસ્મી કરતા મોટો ગણતા નથી. જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરશે ત્યારે જે તેમના રાજ્યમાં ખૂબ ઓછા મહત્વનો છે તે પણ યોહાન કરતાં મોટો હશે.
\v 12 જ્યારથી યોહાન બાપ્તિસ્મી ઉપદેશ આપવા લાગ્યો ત્યારથી અત્યાર સુધી, કેટલાક લોકો પોતાની રીતે ઈશ્વરને સ્વર્ગમાંથી તેમની પોતાની રીતે રાજ કરાવવા પ્રયત્ન કરે છે, અને આ હેતુને માટે તેઓ ઘણું બળ વાપરે છે.
\s5
\v 13 હું યોહાન વિશે જે સર્વ કહું છું તે તો પ્રબોધકોએ જે લખ્યું છે તેમાં અને યોહાન બાપ્તિસ્મીના સમય સુધીના નિયમશાસ્ત્રમાં તમે વાંચી શકો છો.
\v 14 એટલું જ નહીં, પરંતુ જો તમે આ સમજવા માટે તૈયાર હશો, તો હું તમને કહીશ કે ખરેખર તો યોહાન ભવિષ્યમાં આવનાર પ્રબોધક, બીજો એલિયા છે.
\v 15 જો તમે આ સમજવા ઇચ્છતા હો, તો મેં હમણાં જે કહ્યું તે વિશે તમારે ધ્યાનથી વિચારવું જ જોઈએ.
\p
\s5
\v 16 પરંતુ તમે અને બીજા લોકો કે જેઓ હમણાં જીવિત છો, તેઓ તો મેદાનમાં રમતાં બાળકો જેવા છો. તેઓમાંના અમુક તેમના મિત્રોને બોલાવે છે,
\v 17 અને કહે છે, 'અમે તમારા માટે વાંસળી પર આનંદકારક સંગીત વગાડ્યું, પરંતુ તમે નાચવાની ના પાડી! પછી અમે તમારી માટે દફનનાં ગીતો ગાયાં, પરંતુ તમે રડવાની ના પાડી!'
\s5
\v 18 હું તમને આ કહું છું કારણ કે તમે યોહાનથી અને મારાથી એમ બંનેથી અસંતુષ્ટ છો! જ્યારે યોહાને આવીને તમને ઉપદેશ આપ્યો, ત્યારે જેમ આપણામાંના ઘણા કરે છે તેમ તેણે સારો ખોરાક ખાધો નહીં અને દ્રાક્ષારસ પીધો નહીં. પરંતુ તમે તેને એમ કહીને નકાર્યો કે, 'એક દુષ્ટાત્મા તેનું નિયંત્રણ કરે છે!'
\v 19 હું, માણસનો દીકરો, યોહાન જેવો નથી. હું જેમ બીજા લોકો ખોરાક ખાય છે અને દ્રાક્ષારસ પીવે છે તે પ્રમાણે ખોરાક ખાઉં છું અને દ્રાક્ષારસ પીઉં છું. પરંતુ તમે મારો પણ ઇન્કાર કર્યો અને કહ્યું, 'જુઓ! આ માણસ ઘણું ખાય છે અને ઘણો દ્રાક્ષારસ પીવે છે, અને તે કર ઉઘરાવનારનો અને બીજા પાપીઓનો મિત્ર છે!' પરંતુ જો કોઈ ખરેખર જ્ઞાની હોય તો તે તેનાં સારા કાર્યોથી પોતાને બતાવશે."
\p
\s5
\v 20 ઈસુએ તેમના મોટા ભાગના ચમત્કારો જે નગરોમાં કર્યા હતા, ત્યાંના લોકો હજુ પણ ઈશ્વર તરફ ફરવાની ના પાડતા હતા. તેથી તેઓએ તેમને આમ કહેતા ઠપકો આપ્યો,
\v 21 "તમે લોકો કે જેઓ ખોરાજીનમાં રહો છો અને તમે જેઓ બેથસાઈદામાં રહો છો તેઓ, તમે કેટલી ભયંકર રીતે સહન કરશો! મેં તમારા શહેરોમાં મહાન ચમત્કારો કર્યા, પરંતુ તમે પાપ કરવાનું બંધ ન કર્યું. જો ઘણા સમય અગાઉ મેં તે ચમત્કારો તૂર અને સિદોનમાં કર્યા હોત, તો ત્યાંના દુષ્ટ લોકોએ ચોક્કસપણે પાપ કરવાનું બંધ કર્યું હોત; તેઓ શોકનાં વસ્ત્રો પહેરીને અગ્નિની ઠરેલી રાખમાં બેસે, એવી રીતે પસ્તાવો કર્યો હોત.
\v 22 મને તમને આ કહેવા દો: ઈશ્વર તૂર અને સિદોનના દુષ્ટ લોકોને શિક્ષા કરશે, પરંતુ છેલ્લા દિવસે જ્યારે તેઓ સર્વ લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ તમને ઘણી જ ગંભીર રીતે શિક્ષા કરશે.
\s5
\v 23 તમે જેઓ કપર-નાહૂમમાં રહો છો તેઓ, તમને પણ મારે કંઇક કહેવાનું છે. શું તમે એવું વિચારો છો કે બીજાઓ તમારી એટલી પ્રશંસા કરશે કે તમે સીધા જ સ્વર્ગમાં જાઓ? તેવું નહીં બને. તેનાથી વિરુદ્ધ, તમે તો સીધા જ નીચે કે જ્યાં ઈશ્વરે મરણ બાદ લોકોને શિક્ષા કરી હોય તે લોકો જ્યાં હોય છે ત્યાં જશો! જો ઘણા સમય અગાઉ મેં તેવા જ ચમત્કાર સદોમમાં કર્યા હોત, તો તે દુષ્ટ લોકોએ નક્કી પાપ કરવાનું બંધ કર્યું હોત, અને તેમનું શહેર અત્યારે પણ અહીં જ હોત. પરંતુ તમે પાપ કરવાનું બંધ કર્યું નહીં.
\v 24 મારે તમને આ કહેવું છે: છેલ્લા દિવસે જ્યારે ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરશે ત્યારે સદોમમાં રહેનારા દુષ્ટ લોકોને શિક્ષા થશે, પરંતુ તેઓ તમને તેના કરતાં પણ વધારે સખત શિક્ષા કરશે."
\p
\s5
\v 25 તે સમયે ઈસુએ પ્રાર્થના કરી, "પિતા, તમે સ્વર્ગ અને પૃથ્વી પરની સર્વ બાબતો પર રાજ કરો છો. હું તમારો આભાર માનું છું કે જે લોકો પોતાને જ્ઞાની અને સુશિક્ષિત માને છે તેઓને આ વાતો જાણવાથી તમે અટકાવ્યા છે. તેના બદલે, જેવી રીતે મોટા જે કંઈ કહે તે નાનાં બાળકો સ્વીકારે છે, તેવા લોકોની આગળ તમે તે સત્ય પ્રગટ કર્યું છે.
\v 26 હા, પિતા, તમે તે કર્યું છે કારણ કે તેમ કરવું તે તમને સારું લાગ્યું."
\p
\v 27 પછી ઈસુએ લોકોને કહ્યું, "ઈશ્વર, મારા પિતાએ, મારું કાર્ય કરવા માટે મારે જે જાણવાની જરૂર હતી તે પ્રગટ કર્યું છે. હું ખરેખર કોણ છું તે માત્ર મારા પિતા જાણે છે. વધુમાં, માત્ર હું અને તે લોકો કે જેઓની આગળ હું ઈશ્વરને પ્રગટ કરવા ચાહું તેઓ જ તેમને જાણી શકે છે.
\s5
\v 28 તમે સર્વ કે જેઓ તમારા આગેવાનો જે નિયમો તમને પાળવા કહે છે તે પાળવાનો પ્રયત્ન કરીને થાકી ગયા છો તેઓ તમે, મારી પાસે આવો. તે સર્વથી હું તમને આરામ આપીશ.
\v 29 જેમ બળદ તેની ઝૂંસરીને આધીન થાય છે, તેમ તમે મને આધીન થાઓ, અને મારે તમને જે શીખવવું છે તે તમે શીખો. હું કોમળ અને નમ્ર છું, અને તમે ખરેખર આરામ પામશો.
\v 30 કારણ કે જે ઝૂંસરી હું આપું છું તે હલકી છે, અને તમે તે સહેલાઇથી ઉંચકી શકશો.
\s5
\c 12
\p
\v 1 એક સમયે વિશ્રામવારે, ઈસુ અને તેમના શિષ્યો અનાજના ખેતરોમાં થઈને જતા હતા. શિષ્યો ખૂબ ભૂખ્યા હતા, તેથી તેઓ કણસલાં તોડીને તેમાંના દાણા ખાવા લાગ્યા, જે માટે મૂસાના નિયમમાં મંજુરી આપવામાં આવેલી હતી.
\v 2 તેઓ તેમ કરતા હતા તેવું કેટલાક ફરોશીઓએ જોયું, તેથી તેઓએ ઈસુને કહ્યું, "જુઓ! વિશ્રામના દિવસે તમારા શિષ્યો કામ કરે છે. નિયમશાસ્ત્ર તેની મંજૂરી આપતું નથી!"
\s5
\v 3 પરંતુ ઈસુએ ઉતર આપ્યો, "તમારા પૂર્વજ દાઉદ અને તેના માણસો જ્યારે ભૂખ્યા હતા ત્યારે તેઓએ શું કર્યું તે શાસ્ત્રવચનમાં લખેલું છે.
\v 4 જે પવિત્ર તંબુમાં તેઓ ઈશ્વરનું ભજન કરતા હતા ત્યાં દાઉદ રાજા પ્રવેશ્યો અને ઈશ્વર સમક્ષ મૂકેલી રોટલી તેણે ખાધી. મૂસાના નિયમ પ્રમાણે, માત્ર યાજકોને જ તે ખાવાની પરવાનગી હતી, પરંતુ દાઉદ અને તેની સાથે જે માણસો હતા તેઓએ તે ખાધી.
\s5
\v 5 વળી, મૂસાએ જે લખ્યું છે તે તમે ચોક્કસ વાંચ્યું હશે, કે જ્યારે તેણે કહ્યું કે યાજકો, વિશ્રામવારના દિવસે આપણા ભક્તિસ્થાનમાં કામ કરવાથી, યહૂદીઓના વિશ્રામવારના નિયમ ન પાળવા છતાં દોષિત ઠરતા નથી.
\v 6 તેનો શું મતલબ છે તે મને કહેવા દો: હું તમારી પાસે આવ્યો છું, અને હું આ ભક્તિસ્થાન કરતાં વધારે મહત્વનો છું.
\s5
\v 7 શાસ્ત્રવચનમાં ઈશ્વરે જે વચનો કહ્યાં તે પર તમારે વિચાર કરવો જોઈએ: 'માત્ર બલિદાનો આપો એટલું જ નહીં, પરંતુ હું ઇચ્છું છું કે તમે લોકો સાથે ભલાઈપૂર્વક વર્તો.' તેનો શો અર્થ છે તે જો તમે સમજ્યા હોત, તો મારા શિષ્યો કે જેઓએ કંઈ જ ખોટું કર્યું નથી, તેઓને તમે દોષિત ઠરાવ્યા ન હોત.
\v 8 હું માણસનો દીકરો છું, અને મને વિશ્રામવારના દિવસે લોકોએ શું કરવું તે કહેવાનો અધિકાર છે."
\p
\s5
\v 9 તે દિવસે ઈસુ ત્યાંથી નીકળીને, સભાસ્થાનમાં ગયા.
\v 10 ત્યાં તેમણે સુકાઈ ગયેલા હાથવાળા માણસને જોયો. ફરોશીઓ એમ ઇચ્છતા હતા કે તેઓ ઈસુ સાથે વાદવિવાદ કરે, તેથી તેઓમાંના એકે તેમને પૂછ્યું, "શું ઈશ્વર આપણને વિશ્રામવારના દિવસે લોકોને સાજા કરવાની મંજૂરી આપે છે?" તેઓ એવી આશા રાખતા હતા કે કંઇક ખોટું બોલવા દ્વારા ઈસુ પાપ કરે.
\s5
\v 11 તેમણે તેઓને જવાબ આપ્યો, "ધારો કે તમારામાંના કોઈ પાસે માત્ર એક જ ઘેટું હોય, અને વિશ્રામવારના દિવસે તે ઊંડા ખાડામાં પડી જાય. તો શું તમે તેને ત્યાં જ છોડી દેશો? ચોક્કસ તમે તેને ત્યાં પડ્યું નહિ જ રહેવા દો! તમે તેને પકડીને બહાર કાઢશો!
\v 12 પરંતુ વ્યક્તિ તો ઘેટાં કરતાં પણ વધારે મૂલ્યવાન છે. તેથી કોઈપણ દિવસે અને વિશ્રામવારના દિવસે પણ, માણસને સાજો કરવો તે અવશ્ય સારું જ છે!"
\s5
\v 13 પછી તેમણે તે માણસને કહ્યું, "તારો હાથ લાંબો કર!" તે માણસે તેનો સુકાઈ ગયેલો હાથ લાંબો કર્યો, અને બીજા હાથની જેમ તે સારો થઈ ગયો.
\v 14 પછી ફરોશીઓ સભાસ્થાનમાંથી ચાલ્યા ગયા. તેઓ સાથે મળીને કાવતરું ઘડવા લાગ્યા કે તેઓ ઈસુને કેવી રીતે મારી નાખે.
\p
\s5
\v 15 પરંતુ ઈસુ જાણતા હતા કે ફરોશીઓ તેમને મારી નાંખવાની યોજના બનાવતા હતા, તેથી તેઓ શિષ્યોને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. મોટું ટોળું કે જેમાં માંદાઓ પણ હતાં, તેઓ ઈસુની પાછળ ગયા અને તેમણે તેઓ સર્વને સાજાં કર્યાં.
\v 16 પરંતુ તેમણે તેઓને દ્રઢતાથી કહ્યું કે તેઓ બીજા લોકોને તેમના વિષે કહે નહીં.
\v 17 આમ કરવા દ્વારા તેમણે યશાયા પ્રબોધકે લાંબા સમય અગાઉ જે લખ્યું હતું તે પૂરું કર્યું. તેમણે લખ્યું હતું,
\q
\s5
\v 18 "મેં જેને પસંદ કર્યો છે, જેને હું પ્રેમ કરું છું અને
\q જે મને પ્રસન્ન કરે છે તે મારો સેવક અહીં છે.
\q હું મારો આત્મા તેનામાં મૂકીશ,
\q અને તે બિન-યહૂદીઓ મધ્યે ન્યાય અને ઉદ્ધાર લાવશે."
\q
\s5
\v 19 તે લોકો સાથે ઝઘડો કરશે નહીં, કે બૂમો પાડશે નહીં.
\q અને તે શેરીઓમાં મોટે અવાજે બોલશો નહીં.
\q
\v 20 નબળા લોકો સાથે તે નમ્ર બનશે;
\q જો માણસ મુશ્કેલીથી જીવતો હશે, તો તે તેને મારી નાંખશે નહીં.
\q અને તે લોકોનો તટસ્થતાથી ન્યાય કરશે અને જાહેર કરશે કે તેઓ દોષિત નથી.
\q
\v 21 તેથી બિન યહૂદીઓ અવશ્ય તેમના પર વિશ્વાસ કરશે."
\p
\s5
\v 22 એક દિવસ લોકો ઈસુ પાસે એક માણસ કે જેને દુષ્ટાત્મા વળગેલો હતો અને તેના લીધે તે અંધ હતો અને બોલી શકતો ન હતો તેને લાવ્યા. ઈસુએ દુષ્ટાત્માને કાઢ્યો અને તેને સાજો કર્યો. પછી તે માણસ બોલવા લાગ્યો અને તે દેખતો થયો.
\v 23 જે ટોળાએ તે જોયું તેઓ આશ્ચર્ય પામ્યા. તેઓ એકબીજાને પૂછવા લાગ્યા, "શું આ માણસ મસીહ, દાઉદ રાજાનો વંશજ છે, કે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ?"
\s5
\v 24 જ્યારે ફરોશીઓએ આ ચમત્કાર વિષે સાંભળ્યું, ત્યારે તેઓએ કહ્યું, "તે તો ઈશ્વર નહીં પણ બાલઝબૂલ, જે દુષ્ટાત્માઓનો સરદાર છે, તે આ માણસને લોકોમાંથી દુષ્ટાત્મા કાઢવા સમર્થ કરે છે!"
\v 25 પરંતુ ઈસુએ ફરોશીઓ જે વિચારતા હતા તે જાણ્યું. તેથી તેમણે તેઓને કહ્યું, "જો એક દેશના લોકો એકબીજા સાથે લડાઈ કરે, તો તેઓ પોતાના દેશનો નાશ કરશે. એક જ શહેર કે ઘરમાં રહેતા લોકો એકબીજા સાથે લડે, તો નક્કી તેઓ એક જૂથ કે કુટુંબ તરીકે રહી શકે નહીં.
\s5
\v 26 તે જ રીતે, જો શેતાન તેના પોતાના દુષ્ટાત્માને કાઢે, તો તે પોતાની સામે જ લડશે. તે પોતાના ચાકરો પર રાજ કરવા સમર્થ રહેશે નહીં!
\v 27 વધુમાં, જો તે સાચું હોય કે શેતાન મને દુષ્ટાત્મા કાઢવા સમર્થ કરે છે, તો શું તે પણ સાચું છે કે તમારા શિષ્યો તેઓને શેતાનના સામર્થ્યથી કાઢે છે? ના! તેથી તેઓ તમારો ન્યાય કરશે કારણ કે તમે બોલ્યા છો કે તેમનાં કાર્યો પાછળ શેતાનનું સામર્થ્ય છે.
\s5
\v 28 પરંતુ તે તો ઈશ્વરનો આત્મા છે કે જે મને દુષ્ટાત્માઓ કાઢવા સમર્થ કરે છે, તેથી તે સાબિત થાય છે કે સ્વર્ગમાંથી ઈશ્વરનું રાજ્ય ક્યારનું અહીં હયાત છે.
\p
\v 29 હું તમને બતાવીશ કે હું દુષ્ટાત્માને કાઢવા કેમ સક્ષમ છું. જો કોઈ માણસ શેતાન જેવા બળવાન માણસના ઘરમાં જાય અને જો તે, તે બળવાન માણસને પહેલા બાંધે નહીં, તો તે તેની બધી મિલકત લઈ શકતો નથી. પરંતુ જો તે તેને બાંધે, તો પછી તે તેની મિલકત લેવા સક્ષમ બનશે.
\p
\v 30 કોઈ નિષ્પક્ષ રહી શકે નહિ. જેઓ સ્વીકારતા નથી કે પવિત્ર આત્મા મને દુષ્ટાત્મા કાઢવા સમર્થ કરે છે તેઓ મારો વિરોધ કરે છે, અને જેઓ મારા શિષ્યો બનાવવા લોકોને એકત્ર કરતા નથી તેઓ તે લોકોને મારાથી દૂર કરે છે.
\p
\s5
\v 31 તમે કહો છો કે મને દુષ્ટાત્માઓ કાઢવા શક્તિમાન કરનાર પવિત્ર આત્મા નથી. તેથી હું તમને આ કહીશ: જેઓ બીજાઓ પ્રતિ અપરાધ કરે છે અને કોઈક રીતે તેઓનું અપમાન કરે છે અને પછી તેઓ દિલગીર થાય છે અને ઈશ્વર પાસે માફી માગે છે, તો ઈશ્વર તેઓને માફ કરશે. પરંતુ જેઓ પવિત્ર આત્માનું અપમાન કરે છે તે લોકોને તેઓ માફ નહિ કરે.
\v 32 જે લોકો મારી, માણસના દીકરાની, ટીકા કરે છે તેઓને ઈશ્વર માફ કરવા તૈયાર છે. પરંતુ હું તમને ચેતવણી આપુ છું કે પવિત્ર આત્મા જે કરે છે તેના વિષે જેઓ દુષ્ટ બાબતો બોલશે તે લોકોને તેઓ માફ નહિ કરે. ઈશ્વર તેઓને હમણાં કે આવનાર દુનિયામાં પણ, માફ નહીં કરે."
\p
\s5
\v 33 "જ્યારે તમે ઝાડ પરનું ફળ જુઓ, ત્યારે તમે નક્કી કરો છો કે તે ફળ સારું છે કે ખરાબ. જો તે સારું હોય, તો તમે જાણો છો કે તેનું ઝાડ પણ સારું છે. જો હું સારી બાબતો કરું છું, તો તમારે જાણવું જોઈએ કે હું સારો છું કે નહીં.
\v 34 તમે ઝેરી સાપોના બચ્ચા જેવા છો! તમે દુષ્ટ છો તે કારણ તમે કઈ સારું બોલી શકતા નથી. માણસ જે બોલે છે તે બતાવે છે કે તેની અંદર શું છે.
\v 35 સારા લોકો સારી બાબતો બોલે છે. કારણ કે તેઓએ સુરક્ષિત જગ્યાએ સર્વ સારી બાબતોનો સંગ્રહ કરી રાખ્યો છે અને ગમે તે સમયે તેઓ તેને બહાર લાવી શકે છે. પરંતુ દુષ્ટ લોકો દુષ્ટ બાબતો બોલે છે. કારણ કે તેઓએ સુરક્ષિત જગ્યાએ સર્વ દુષ્ટ બાબતોનો સંગ્રહ કરી રાખ્યો છે અને ગમે તે સમયે તેઓએ જ્યાં તેનો સંગ્રહ કર્યો હોય ત્યાંથી બહાર લાવી શકે છે.
\s5
\v 36 હું તમને કહું છું કે તે દિવસે જ્યારે ઈશ્વર ન્યાય કરશે, ત્યારે તે લોકોને જે દરેક નકામા શબ્દો તેઓ બોલ્યા હશે તે યાદ કરાવશે, અને તેઓ જે બોલ્યા હશે તેના દ્વારા તેઓ લોકોનો ન્યાય કરશે.
\v 37 તમારા બોલેલા શબ્દોના આધારે ઈશ્વર તમને ન્યાયી જાહેર કરશે, અથવા તમારા બોલેલા શબ્દોના આધારે ઈશ્વર તમને દોષિત જાહેર કરશે."
\p
\s5
\v 38 પછી ફરોશીઓમાંના કેટલાક અને યહૂદી નિયમના શિક્ષકોએ ઈસુને જવાબ આપ્યો, "ગુરુજી, અમારે તમને ચમત્કાર કરતાં જોવા છે કે જેથી અમે માનીએ કે ઈશ્વરે તમને મોકલ્યા છે."
\v 39 પછી ઈસુએ તેઓને કહ્યું, "પહેલેથી જ તમે લોકોએ મને ચમત્કાર કરતાં જોયો છે, પરંતુ તમે દુષ્ટ છો અને તમે વિશ્વાસુપણે ઈશ્વરને ભજતા નથી! તમે ઇચ્છો છો કે હું સાબિત કરું કે ઈશ્વરે મને મોકલ્યો છે, પરંતુ ઈશ્વર તમને માત્ર એક જ ચમત્કાર બતાવશે. તે તો યૂના પ્રબોધક સાથે જે થયું તેના જેવું હશે.
\v 40 ઈશ્વર યૂનાને પાણીમાંથી બહાર લાવ્યા તે અગાઉ, તે ત્રણ દિવસ અને રાત મોટી માછલીના પેટમાં હતો. તેવી જ રીતે, ઈશ્વર જ્યારે મને, માણસના દીકરાને, જીવિત કરશે, તે અગાઉ હું ત્રણ દિવસ અને રાત પૃથ્વીના ઊંડાણમાં હોઈશ.
\s5
\v 41 જ્યારે ઈશ્વર સર્વનો ન્યાય કરશે, ત્યારે જે લોકો નિનવે નગરમાં જીવતા હતા તેઓ તમારી બાજુમાં તેમની સામે ઊભા રહેશે. પરંતુ જ્યારે યૂનાએ તેમને ચેતવ્યા ત્યારે તેઓએ પાપ કરવાનું બંધ કર્યું. હવે હું આવ્યો છું, અને હું યૂના હતો તેના કરતાં ઘણો જ મહત્વપૂર્ણ છું, પરંતુ તમે પાપ કરવાનું બંધ કર્યું નહીં. તેથી ઈશ્વર તમારો ન્યાય કરશે.
\s5
\v 42 ઘણા સમય અગાઉ, ઇઝરાયલની દક્ષિણથી શેબાની રાણી, સુલેમાન રાજાનું ડહાપણયુક્ત શિક્ષણ સાંભળવા ઘણા દૂરના પ્રદેશથી આવી હતી. હવે હું તમારી મધ્યે આવ્યો છું, અને હું સુલેમાન હતો તે કરતાં ઘણો જ મહત્વપૂર્ણ છું, પરંતુ તમે પાપ કરવાનું બંધ કર્યું નહીં. તેથી જ્યારે ઈશ્વર સર્વનો ન્યાય કરશે, ત્યારે શેબાની રાણી તેમની સામે તમારી બાજુમાં ઊભી હશે, અને તે તમને દોષિત ઠરાવશે."
\p
\s5
\v 43 "કેટલીક વખત જ્યારે દુષ્ટાત્મા વ્યક્તિમાંથી બહાર જાય છે, ત્યારે અન્ય કોઈમાં તે વિસામો લઇ શકે તેને શોધતો, તે ઉજ્જડ પ્રદેશમાં ભટકે છે. જો તેને કોઈ ન મળે,
\v 44 તો તે પોતાને કહે છે, 'જે વ્યક્તિની અંદર હું રહેતો હતો તેનામાં પાછો જઈશ.' તેથી તે પાછો જાય છે અને ખાતરી કરે છે કે ઈશ્વરનો આત્મા તે માણસના જીવનમાં નથી. તે વ્યક્તિનું જીવન તો તે ઘરના જેવું હશે, કે જે વાળીને ચોખ્ખું કરવામાં આવ્યું હોય અને સર્વ બાબતો યોગ્ય ક્રમમાં ગોઠવાયેલી હોય, પરંતુ તે ખાલી છે.
\v 45 પછી એ દુષ્ટાત્મા જાય છે અને બીજા સાત અતિ દુષ્ટ એવા દુષ્ટાત્માઓને લાવે છે, અને તેઓ સર્વ તે માણસમાં પ્રવેશે છે અને ત્યાં રહેવા લાગે છે. તેથી, અગાઉ તો તે વ્યક્તિની પરિસ્થિતિ ખરાબ હતી, પણ હવે તે વધારે ખરાબ થશે. તમે દુષ્ટ લોકો કે જેઓએ મને શીખવતા સાંભળ્યો છે તેઓ તમે એ જ અનુભવ કરશો."
\p
\s5
\v 46 હજુ તો ઈસુ ટોળા સાથે વાત કરતા હતા, તેટલામાં તેમના માતા અને નાના ભાઈઓ આવ્યા. તેઓ ઘરની બહાર ઊભા રહ્યાં, અને તેઓ તેમની સાથે વાત કરવા માગતાં હતાં.
\v 47 કોઈએ તેમને કહ્યું, "તમારાં માતા અને નાના ભાઈઓ ઘરની બહાર ઊભા છે, અને તેઓ તમારી સાથે વાત કરવા માગે છે."
\s5
\v 48 પછી ઈસુએ તે વ્યક્તિ કે જેણે તેમને તે કહ્યું હતું તેને કહ્યું, "હું તને કહીશ કે મારી માતા અને મારા ભાઈઓ ખરેખર કોણ છે."
\v 49 પછી તેમણે શિષ્યો તરફ દર્શાવતાં કહ્યું, "તે આ જ લોકો છે કે જેઓએ મારાં માતા અને ભાઈઓનું સ્થાન લીધું છે.
\v 50 જેઓ મારા સ્વર્ગમાંના પિતા જે ઇચ્છે છે તે કરે છે, તેઓ જ મારા ભાઈઓ, બહેનો અથવા મારી માતાનું સ્થાન લે છે.
\s5
\c 13
\p
\v 1 તે જ દિવસે, ઈસુ શિષ્યો સાથે જે ઘરમાં તેઓ શીખવતા હતા ત્યાંથી નીકળીને ગાલીલ સમુદ્રને કિનારે ગયા. તેઓ ત્યાં બેઠા,
\v 2 અને તેઓ જે શીખવતા હતા તે સાંભળવા અતિ ઘણું મોટું ટોળું તેમની આસપાસ ભેગું થયું. તેઓને થોડી જગ્યા મળે તેથી તેઓ હોડી પર ચઢ્યા અને તેઓને શીખવવા બેઠા. ટોળાએ કિનારે ઊભા રહીને તેમને સાંભળ્યા.
\s5
\v 3 તેમણે તેઓને ઘણાં ઉદાહરણો દ્વારા શીખવ્યું. તેમણે કહ્યું, "સાંભળો! એક માણસ તેના ખેતરમાં બીજ વાવવા ગયો.
\v 4 જ્યારે તે બીજને જમીન પર વાવતો હતો, ત્યારે કેટલાંક બીજ રસ્તા પર પડ્યાં. પરંતુ કેટલાંક પક્ષીઓ આવ્યાં અને તે બીજ ખાઈ ગયાં.
\v 5 બીજાં બીજ ખડક પર કે જ્યાં ઘણી માટી ન હતી ત્યાં પડ્યાં. સૂર્યએ જલદી તે જમીનને ગરમ કરી હતી, તેથી તે બીજ વહેલાં ઉગી નીકળ્યાં.
\v 6 પરંતુ જ્યારે નાના છોડ ઊગ્યા, ત્યારે સૂર્યની પ્રખર ગરમીને કારણે તેઓ સુકાઈ ગયાં કારણ કે તેઓનાં મૂળ ઊંડાં ન હતાં.
\s5
\v 7 બીજાં બીજ કાંટાના જાળાંવાળી જમીન પર પડ્યાં. તે કાંટાના જાળાં નાના છોડ સાથે વધ્યાં, અને તે નાના છોડને દાબી નાખ્યા.
\v 8 પરંતુ બીજા બીજ સારી જમીન પર પડ્યા, અને છોડ ઊગ્યા અને ઘણું અનાજ ઉત્પન્ન કર્યું. જે બીજ વાવ્યાં હતાં તેના સો ઘણાં બીજા કેટલાક છોડે ઉત્પન્ન કર્યા. કેટલાંક છોડે સાઠ ઘણાં ઉત્પન્ન કર્યા. કેટલાક છોડે ત્રીસ ઘણાં ઉત્પન્ન કર્યાં.
\v 9 જો તમે આ સમજવા શક્તિમાન છો, તો મેં જે હમણાં જ કહ્યું તેને તમારે કાળજીપૂર્વક સમજવું જોઈએ."
\p
\s5
\v 10 ત્યારબાદ શિષ્યો ઈસુની પાસે ગયા અને તેમને પૂછ્યું, "જ્યારે તમે ટોળા સાથે વાત કરો છો ત્યારે તમે ઉદાહરણનો ઉપયોગ કેમ કરો છો?"
\v 11 તેમણે જવાબ આપ્યો, "અગાઉ ઈશ્વરે જે પ્રગટ કર્યું ન હતું કે તેઓ સ્વર્ગમાંથી કેવી રીતે રાજ કરે છે તે તેઓ તમને પ્રગટ કરી રહ્યા છે. પરંતુ તેઓએ તે હજુ બીજા લોકોને પ્રગટ કર્યું નથી.
\v 12 મેં જે કહ્યું તેને જેઓ સમજવા અને તેના વિષે વિચાર કરવા શક્તિમાન છે, તેઓને ઈશ્વર વધારે સમજવા સમર્થ કરશે. પરંતુ મેં જે કહ્યું તે વિષે કાળજીપૂર્વક વિચાર કરવા જેઓ શક્તિમાન નથી તેઓને જે અગાઉથી ખબર છે તે પણ તેઓ ભૂલી જશે.
\s5
\v 13 તેના લીધે જ હું લોકો સાથે ઉદાહરણોમાં વાત કરું છું, કારણ કે હું જે કરું છું તે તેઓ જુએ છે, છતાં તેઓ તેનો અર્થ સમજતા નથી, અને હું જે કહું છું તે તેઓ સાંભળે છે, છતાં તેઓ તેનો અર્થ સમજતા નથી.
\v 14 આ લોકો જે કરે છે તેનાથી ઘણા સમય અગાઉ ઈશ્વરે યશાયા પ્રબોધકને જે બોલવા કહ્યું હતું તે તેઓ પરિપૂર્ણ કરે છે, કે હું જે કહું છું તે તમે સાંભળશો, પરંતુ તેનો અર્થ તમે સમજી શકશો નહીં. હું જે કરું છું તે તમે જોશો, પણ તમે તેનો અર્થ પામી શકશો નહીં.
\p
\s5
\v 15 ઈશ્વરે યશાયાને આ પણ કહ્યું હતું,
\q "હું જે કહું છું તે આ લોકો સાંભળે છે, પરંતુ તેઓ કદી તે સંદેશ સમજશે નહીં.
\q જોઈ શકે તેવી આંખો તેમની પાસે છે, પરંતુ તેઓ જે જુએ છે તે કદી સ્પષ્ટપણે જોઈ શકશે નહીં. તેમણે પોતાની આંખો બંધ કરી છે તેથી તેઓ નિહાળી શકશે નહીં.
\q તેઓ પોતાની આંખોથી જોઈ શકશે નહીં અને પોતાના કાનથી સાંભળી શકશે નહીં, અને તેઓ સમજી શકશે પણ નહીં.
\q ઈશ્વર કહે છે, "જો તેઓ જોઈ શકતા, સાંભળી શકતા અને સમજી શકતા હોત, તો તેઓ મારી પાસે પાછા ફરત, અને હું તેઓને સાજા કરત."
\p
\s5
\v 16 પરંતુ તમને તો, ઈશ્વરે સમર્થ કર્યા છે કારણ કે મેં જે કર્યું છે તે તમે સ્પષ્ટપણે જાણ્યું છે અને મેં જે કહ્યું તે તમે સમજ્યા છો.
\v 17 આની નોંધ લો: અગાઉ થઇ ગયેલા ઘણા પ્રબોધકો અને ધાર્મિક લોકો જે કરતાં તમે મને જુઓ છો તે જોવા રાહ જોતા હતા, પરંતુ તેઓ જોઈ શક્યા નહીં. તમે મને જે કહેતા સાંભળો છો તે તેઓ સાંભળવા ઇચ્છતા હતા, પરંતુ તેઓ તે સાંભળી શક્યા નહીં."
\p
\s5
\v 18 મેં જે ઉદાહરણ તમને કહ્યું તેનો અર્થ હું તમને કહું છું તે સાંભળો.
\v 19 ઈશ્વર કેવી રીતે રાજ કરે છે તે કેટલાક લોકો સાંભળે છે પરંતુ સમજતા નથી. તેઓ તો તે માર્ગ કે જ્યાં થોડાંક બીજ પડ્યાં હતાં તેના જેવા છે. શેતાન, જે દુષ્ટ છે તે, આવે છે અને આ લોકોએ જે સાંભળ્યું હોય તે ભુલાવી દે છે.
\s5
\v 20 કેટલાક લોકો ઈશ્વરનો સંદેશ સાંભળે છે અને આનંદથી તેને સ્વીકારે છે. તેઓ ખડકાળ જમીન પર પડેલાં બીજ જેવા છે.
\v 21 પરંતુ તે તેમના હૃદયમાં ઊંડાં ઊતર્યા નહિ, તેને કારણે તેઓએ થોડા સમય માટે તેના પર વિશ્વાસ કર્યો. તેઓ તો તે છોડ કે જેનાં મૂળ ઊંડાં નથી તેના જેવા છે. મેં જે કહ્યું છે તેના પર વિશ્વાસ કરવાને લીધે જ્યારે બીજાઓ તેમની સાથે ખરાબ રીતે વર્તે છે, ત્યારે તેઓ મારી કહેલી વાત પર હવે પછી વિશ્વાસ કરવાનો નકાર કરીને પાપ કરે છે.
\s5
\v 22 અમુક લોકો ઈશ્વરનો સંદેશ સાંભળે છે, પરંતુ તેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેથી તેઓ નાણાં માટે અને નાણાંથી જે ખરીદી શકાય તે વિષે જ ચિંતા કરે છે. તેના પરિણામે, તેઓ ઈશ્વરનો સંદેશ ભૂલી જાય છે અને ઈશ્વર જે બાબતો તેઓ દ્વારા કરાવવા ઇચ્છે છે, તે તેઓ કરતા નથી. તે લોકો તો એવા બીજ જેવા છે કે જે કાંટાના જાળાંવાળી જમીનમાં પડ્યા છે.
\v 23 પરંતુ કેટલાક લોકો મારો સંદેશ સાંભળે છે અને સમજે છે. તેઓમાંના કેટલાંક ઈશ્વરને પ્રસન્ન કરે એવી ઘણી બાબતો કરે છે, કેટલાક ઈશ્વરને પ્રસન્ન કરે એવી ઘણી બધી વધારે બાબતો કરે છે, અને કેટલાક ઈશ્વરને પ્રસન્ન કરે એવી અતિ ઘણી બાબતો કરે છે. તેઓ તો સારી જમીન કે જ્યાં બીજ પડ્યાં હતાં તેના જેવા છે."
\p
\s5
\v 24 ઈસુએ ટોળાને બીજું ઉદાહરણ પણ કહ્યું. તેમણે કહ્યું, "જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરશે, ત્યારે તે તો એક જમીનદાર કે જેણે તેની જમીનમાં તેના ચાકરોને સારાં બીજ વાવવા મોકલ્યા તેના જેવું છે.
\v 25 જ્યારે તે ચાકરો ઊંઘતા હતા અને જમીનની રખેવાળી કરતા ન હતા, ત્યારે તે જમીનના માલિકનો દુશ્મન આવ્યો અને ઘઉંના દાણા વચ્ચે નકામા ઘાસના બીજ વીખેરીને જતો રહ્યો.
\v 26 બીજને ફણગા ફૂટ્યા અને લીલા છોડ ઊગ્યા, ઉંબીઓ આવી. પરંતુ નકામું ઘાસ પણ ઊગ્યું.
\s5
\v 27 તેથી જમીનદારના ચાકરો આવ્યા અને તેને કહ્યું, 'સાહેબ, તમે અમને સારા દાણા આપ્યા અને તેને જ અમે તમારી જમીનમાં વાવ્યા હતા. તો આ ઘાસ ક્યાંથી આવ્યું?'
\v 28 જમીનદારે તેમને કહ્યું, 'મારા દુશ્મને આ કર્યું છે.' તેના નોકરોએ તેને કહ્યું, 'શું તમે એવું ઇચ્છો છો કે અમે ઘાસ ઉખેડી નાખીએ?'
\s5
\v 29 તેણે તેઓને કહ્યું, 'ના, તેમ કરશો નહીં, કારણ કે તેમ કરવામાં તમે કેટલાંક ઘઉં ઉખેડી નાંખશો.
\v 30 કાપણીનો સમય આવે ત્યાં સુધી ઘઉં અને ઘાસને સાથે વધવા દો. તે સમયે જે કાપનારાઓ હશે તેમને હું કહીશ, 'પહેલાં ઘાસ ભેગું કરો અને સળગાવવા માટે તેને ભારાઓમાં બાંધો. પછી ઘઉં ભેગા કરો અને તેને મારી વખારોમાં ભરો.'"
\p
\s5
\v 31 ઈસુએ આ ઉદાહરણ પણ કહ્યું: "જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરે, તે તો રાઈનો દાણો કે જેને માણસે પોતાની જમીનમાં વાવ્યો હોય અને ઊગે તેના જેવું છે.
\v 32 રાઈનો દાણો લોકો વાવે તે દાણાઓ કરતાં સૌથી નાનો ભલે હોય, પણ અહીં ઇઝરાયલમાં તે ખૂબ મોટો છોડ બને છે. જ્યારે છોડ સંપૂર્ણપણે વધે છે, ત્યારે તેઓ બગીચાના બીજા કોઈ પણ છોડ કરતાં મોટા હશે. તેઓ વૃક્ષો જેટલા મોટા છોડ થશે અને તેઓ એટલા મોટા થશે કે તેની ડાળીઓ પર પક્ષીઓ માળા બાંધે."
\p
\s5
\v 33 ઈસુએ તેમના શિષ્યોને આ ઉદાહરણ પણ કહ્યું: "ઈશ્વર જ્યારે સ્વર્ગમાંથી રાજ કરે, ત્યારે તે તો એક સ્ત્રી કે જે રોટલી બનાવે છે તેના જેવું છે. તેણે ચાળીસ કિલો લોટ લીધો અને તેમાં થોડું ખમીર ભેળવ્યું, અને રોટલી ફૂલી."
\p
\s5
\v 34 ઈસુએ ટોળાને આ સર્વ બાબતો શીખવવા માટે ઉદાહરણો કહ્યાં. જ્યારે તેઓ તેમની સાથે વાત કરતા ત્યારે તેઓ તેમને તેમની રીત મુજબ આ પ્રમાણેની વાર્તાઓ કહેતા.
\v 35 તે પ્રમાણે કરવા દ્વારા, ઈશ્વરે ઘણા સમય અગાઉ પ્રબોધકોમાંના એક પાસે જે લખાવ્યું હતું તે સત્ય ઠર્યું. હું ઉદાહરણોમાં વાત કરીશ; જગતને ઉત્પન્ન કર્યું ત્યારથી જે વાતો મેં ગુપ્ત રાખી છે તેને શીખવવા માટે હું ઉદાહરણો કહીશ.
\p
\s5
\v 36 ઈસુએ ટોળાને વિદાય કર્યું, ત્યારબાદ તેઓ ઘરમાં ગયા. પછી શિષ્યો તેમની પાસે ગયા અને કહ્યું, "જે ઘાસ ઘઉંની જમીનમાં ઊગ્યું હતું તે વિષે અમને સમજાવો."
\v 37 તેમણે જવાબ આપ્યો, "જેણે સારાં બીજ વાવ્યાં તે મને, માણસના દીકરાને દર્શાવે છે.
\v 38 ખેતર આ જગત, કે જ્યાં લોકો રહે છે તેને દર્શાવે છે. સારી રીતે જે બીજ ઊગ્યાં તે એવા લોકો કે જેમના પર ઈશ્વર રાજ કરે છે તે દર્શાવે છે. ઘાસ એવા લોકોને દર્શાવે છે કે જેઓ શેતાન, જે દુષ્ટ છે, તે જે કહે છે તે કરે છે.
\v 39 દુશ્મન કે જેણે ઘાસના દાણા વાવ્યા તે શેતાનને દર્શાવે છે. જે સમયે કાપનારાઓ અનાજની કાપણી કરે છે તે તો તે સમય દર્શાવે છે કે જ્યારે જગતનો અંત આવશે. કાપનારાઓ સ્વર્ગદૂતોને દર્શાવે છે.
\s5
\v 40 ઘાસને બાંધીને સળગાવવામાં આવે છે. તે તો ઈશ્વર જ્યારે સર્વ લોકોનો ન્યાય કરશે, જગતનો અંત આવશે ત્યારે શું થશે તે દર્શાવે છે. તે તો આના જેવું હશે:
\v 41 હું, માણસનો દીકરો, મારા સ્વર્ગદૂતોને મોકલીશ, અને જે સર્વ પર હું રાજ કરું છું તેઓમાંથી જે બાબતો લોકોને ઠોકર ખવડાવે છે અને જેઓ ઈશ્વરની ઇચ્છાનું ઉલ્લંઘન કરે છે તેઓને એકત્ર કરશે.
\v 42 સ્વર્ગદૂતો તે લોકોને નર્કના અગ્નિમાં નાખશે. ત્યાં તે લોકો જે ભયંકર પીડા ભોગવે છે તેને કારણે રડશે અને પોતાના દાંત પીસશે.
\v 43 તો પણ, જે લોકો ઈશ્વર જે રીતે ઇચ્છે છે તે રીતે જીવશે તેઓ જેમ સૂર્ય તેજસ્વી પ્રકાશથી પ્રકાશે છે તેમ પ્રકાશશે. તેઓ પ્રકાશશે કારણ કે ઈશ્વર, તેમના પિતા, તેમના પર રાજ કરશે. જો તમે આ સમજવા સક્ષમ હો, તો મેં હમણાં જે કહ્યું તે તમારે ધ્યાનપૂર્વક વિચારવું જોઈએ."
\p
\s5
\v 44 "ઈશ્વરનું સ્વર્ગમાંથી શાસન કરવું તે તો એક માણસ કે જેને બીજા માણસે સંતાડેલો ખજાનો મળે છે તેના જેવું કિંમતી છે. જ્યારે તે માણસ તેને ખોદે છે, ત્યારે તે ફરી તેને જમીનમાં દાટે છે જેથી બીજા કોઈને તે મળે નહીં. પછી તે ગયો અને તેની સર્વ સંપત્તિ વેચી નાંખી કે જેથી તેને નાણાં મળે કે તે તે જમીન ખરીદે. તે જાય છે અને તે જમીન ખરીદે છે, અને તેથી તે ખજાનો ખરીદવા સક્ષમ બને.
\p
\v 45 વળી, ઈશ્વરનું સ્વર્ગમાંથી શાસન કરવું તે તો એક વેપારી કે જે સારી ગુણવત્તાવાળા મોતીની તપાસમાં હોય તેના જેવું છે.
\v 46 જ્યારે તે વેચવા માટેનું એક મૂલ્યવાન મોતી જુએ છે, ત્યારે તે મોતી ખરીદવા પૂરતાં નાણાં મેળવવા તેણે તેની સર્વ સંપત્તિ વેચી નાંખી. પછી તે ગયો અને તે મોતી ખરીદ્યું.
\p
\s5
\v 47 જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી શાસન કરે છે ત્યારે તે તો જાણે અમુક માછીમારો જ્યારે મોટી જાળોમાં સર્વ પ્રકારની સારી અને ખરાબ માછલીઓ સરોવરમાંથી પકડે છે તેના જેવું છે.
\v 48 જ્યારે જાળો ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા. પછી તેઓ ત્યાં બેઠા અને સારી માછલીઓને તેમણે ટોપલીમાં ભરી, પરંતુ ખરાબ માછલીઓને નાંખી દીધી.
\s5
\v 49 આ તો તેના જેવું છે કે જ્યારે દુનિયાનો અંત આવશે ત્યારે લોકોનું આવું જ થશે. જ્યાં ઈશ્વર લોકોનો ન્યાય કરતા હશે ત્યાં સ્વર્ગદૂતો આવશે અને ન્યાયીઓને દુષ્ટોથી અલગ કરશે.
\v 50 તેઓ દુષ્ટ લોકોને નર્કના અગ્નિમાં ફેંકશે. અને તે દુષ્ટ લોકો તેમની અસહ્ય પીડા અને કષ્ટના લીધે રડશે અને પોતાના દાંત પીસશે."
\p
\s5
\v 51 પછી ઈસુએ શિષ્યોને પૂછ્યું, "આ સર્વ ઉદાહરણો કે જે મેં તમને કહ્યાં છે તે શું તમે સમજ્યા?" તેઓએ તેમને કહ્યું, "હા, અમે તે સમજ્યા.
\v 52 પછી તેમણે કહ્યું, "જે શિક્ષકો અને અર્થઘટન કરનારાઓ આ ઉદાહરણો સમજ્યા અને સ્વર્ગમાંથી ઈશ્વરના રાજમાં તેમણે તે પ્રમાણે વર્તન કર્યું તેઓ એ ઘર માલિક કે જે તેના ભંડારમાંથી જૂની અને નવી બંને વસ્તુઓને બહાર કાઢે છે તેના જેવા છે."
\p
\v 53 જ્યારે ઈસુ તે ઉદાહરણો કહી રહ્યા, ત્યારે શિષ્યોને લઇને તે પ્રદેશમાંથી ચાલ્યા ગયા.
\s5
\v 54 પછી તેઓ નાસરેથ નગર કે જે ઈસુનું વતન હતું તેમાં ગયા. વિશ્રામવારના દિવસે તેઓ લોકોને સભાસ્થાનમાં શીખવવા લાગ્યા. તેના પરિણામે, લોકો આશ્ચર્યચકિત થયા. પરંતુ કેટલાંકે કહ્યું, "આ માણસ આપણા જેવી સામાન્ય વ્યક્તિ છે! તેથી તે આટલું બધું જાણે અને સમજે તે કેવી રીતે શક્ય છે? અને કેવી રીતે તે આટલા બધા ચમત્કાર કરી શકે?
\v 55 તે તો માત્ર સુથારનો દીકરો છે, શું તે નથી? મરિયમ તેમની માતા, અને તેમના નાના ભાઈઓ યાકૂબ, યૂસફ, સિમોન અને યહૂદા છે!
\v 56 અને તેમની બહેનો પણ અહીં આપણા શહેરમાં રહે છે. તેથી કેવી રીતે તેઓ આવું શીખવી શકે અને આ સર્વ બાબતો કરી શકે?"
\s5
\v 57 ઈસુ પાસે તે અધિકાર છે તેવું તે લોકોએ સ્વીકારવાનો નકાર કર્યો. તેથી ઈસુએ તેઓને કહ્યું, "લોકો મને માન આપે છે અને બીજા પ્રબોધકો અન્યત્ર બધે માન પામે છે, પરંતુ આપણા પોતાના વતનમાં આપણે માન પામતા નથી, અને આપણું પોતાનું કુટુંબ પણ આપણને માન આપતું નથી!"
\v 58 ઈસુએ ત્યાં ઘણા ચમત્કારો કર્યા નહીં કેમ કે ઈસુ પાસે એવો અધિકાર છે તેવો વિશ્વાસ લોકોએ કર્યો નહિ.
\s5
\c 14
\p
\v 1 તે સમય દરમિયાન રાજા હેરોદ અંતિપાસે ઈસુ જે ચમત્કારો કરતા હતા તે વિષેનો અહેવાલ સાંભળ્યો.
\v 2 તેણે તેના ચાકરોને કહ્યું, "તે યોહાન બાપ્તિસ્મી હોવો જોઈએ. તે મરણમાંથી સજીવન થયો હોવો જોઈએ, અને તેથી તેની પાસે તે ચમત્કાર કરવાનું સામર્થ્ય છે."
\s5
\v 3-4 હેરોદનું આવું વિચારવાનું કારણ આ હતું. હેરોદે, તેના ભાઈ ફિલિપની હયાતીમાં જ, ફિલિપની પત્ની હેરોદિયા સાથે લગ્ન કર્યા. તેથી યોહાન તેને કહેતો રહ્યો કે, "તેં જે કર્યું છે તે ઈશ્વરના નિયમની વિરુદ્ધ છે!" હેરોદે પછી હેરોદિયાને ખુશ કરવા પોતાના સૈનિકોને યોહાનની ધરપકડ કરવા કહ્યું. તેઓએ તેને સાંકળથી બાંધ્યો અને જેલમાં પૂર્યો.
\v 5 હેરોદ ઇચ્છતો હતો કે તે તેના માણસોને કહીને યોહાનને મારી નંખાવે, પરંતુ તે જાહેર જનતાથી ડરતો હતો, કારણ કે તેઓ એવો વિશ્વાસ કરતા હતા કે યોહાન પ્રબોધક છે કે જે ઈશ્વર માટે બોલે છે.
\p
\s5
\v 6 એક દિવસ, હેરોદે તેની વર્ષગાંઠ ઉજવવા મિજબાની આપી, અને હેરોદિયાની દીકરીએ મહેમાનો માટે નૃત્ય કર્યું. તેના નૃત્યથી હેરોદ ખૂબ ખુશ થયો,
\v 7 તેથી તે જે કંઈ માંગે તે આપવા તેણે તેને વચન આપ્યું, અને તેણે તે વચન આપ્યું છે તેના સાક્ષી ઠરવા તેણે ઈશ્વરના સમ ખાધા.
\s5
\v 8 તેથી હેરોદિયાની દીકરી ગઈ અને શું માગવું તે વિષે પોતાની માતાને પૂછ્યું. તેણે શું કહેવું તે વિષે તેની માતાએ તેને કહ્યું. તેથી પછી તેની દીકરી ગઈ અને હેરોદને કહ્યું, "મારી ઇચ્છા છે કે યોહાન બાપ્તિસ્મીનું માથું કાપવામાં આવે અને તે ખરેખર મરણ પામ્યો છે તે દર્શાવવા અહીં થાળમાં લાવવામાં આવે!"
\v 9 રાજાને ઘણું દુઃખ થયું કારણ કે તેણે હેરોદિયાની દીકરીને કહ્યું હતું કે તે જે કંઈ માંગશે તે તેને આપશે.
\s5
\v 10 તેણે સૈનિકોને જેલમાં યોહાનનું માથું કાપવા માટે મોકલ્યા.
\v 11 તેઓએ તેમ કર્યું, અને તેઓએ યોહાનનું માથું થાળમાં મૂક્યું અને તે છોકરી પાસે લાવ્યા. પછી તે છોકરી તેને પોતાની માતા પાસે લઇ ગઈ.
\v 12 બાદમાં યોહાનના શિષ્યો જેલમાં ગયા, યોહાનનું શરીર લીધું અને તેને દફનાવ્યુ. ત્યાર બાદ તેઓ ગયા અને જે બન્યું હતું તે ઈસુને કહ્યું.
\s5
\v 13 ઈસુએ તે સમાચાર સાંભળ્યા પછી, તેઓ માત્ર પોતાના શિષ્યોને લઈને ગાલીલ સમુદ્રમાં હોડી દ્વારા એવા સ્થળે ગયા જ્યાં કોઈ રહેતું ન હતું.
\p જ્યારે ટોળાએ સાંભળ્યું કે તેઓ ક્યાં ગયા છે, ત્યારે તેઓ પોતાનાં નગરો છોડીને સમુદ્ર કિનારે તેમની પાછળ ગયા.
\v 14 જ્યારે ઈસુ કિનારે આવ્યા, ત્યારે તેમણે જોયું કે મોટું ટોળું તેમની રાહ જોઈ રહ્યું છે. તેમને તેઓ માટે દુઃખ થયું, અને તેઓમાં જેઓ માંદા હતા તેઓને તેમણે સાજા કર્યા.
\p
\s5
\v 15 લગભગ સાંજ પડવા આવી હતી, ત્યારે શિષ્યો ઈસુ પાસે આવ્યા અને કહ્યું, "આ એવી જગ્યા છે જ્યાં કોઈ રહેતું નથી, અને ઘણું મોડું થયું છે. માટે ટોળાના લોકોને કહો કે તેઓ જાય કે જેથી તેઓ નજીકના નગરોમાં જઈને ખોરાક ખરીદે."
\s5
\v 16 પરંતુ ઈસુએ શિષ્યોને કહ્યું, "ખોરાક મેળવવા માટે તેઓ જાય તેની જરૂર નથી. તેના બદલે, તમે પોતે તેમને કઇંક ખાવા માટે આપો!"
\v 17 શિષ્યોએ કહ્યું, "પરંતુ અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે શેકેલી માછલી છે!"
\v 18 તેમણે કહ્યું, "તેને મારી પાસે લાવો!"
\s5
\v 19 જે લોકોનું ટોળું ત્યાં એકત્ર થયું હતું તેમને ઈસુએ ઘાસ પર બેસવા કહ્યું. પછી તેમણે પાંચ રોટલી અને બે માછલી લીધી. તેમણે સ્વર્ગ તરફ જોયું, તેને માટે ઈશ્વરનો આભાર માન્યો, અને તેના ટુકડા કર્યા. પછી તે ટુકડા તેમણે પોતાના શિષ્યોને આપ્યા, અને તેઓએ તેને ટોળામાં પીરસ્યા.
\v 20 જ્યાં સુધી તેઓ ધરાયા નહિ ત્યાં સુધી સર્વ લોકોએ ખાધું. પછી કેટલાંક લોકોએ તે વધેલા ટુકડા ભેગા કર્યા અને તેનાથી બાર ટોપલીઓ ભરી.
\v 21 તે સમયે સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષો જમ્યા હતા!
\p
\s5
\v 22 ત્યારબાદ તરત, ઈસુએ શિષ્યોને હોડીમાં બેસવા કહ્યું અને તેમની અગાઉ ગાલીલ સમુદ્રની બીજી બાજુ જવા માટે કહ્યું. તે સમય દરમિયાન, તેઓ ટોળાને ઘરે મોકલતા હતા.
\v 23 ટોળાને મોકલી રહ્યા પછી, તેઓ પોતે પ્રાર્થના કરવા માટે પહાડ પર ગયા. જ્યારે સાંજ થઇ, ત્યારે તેઓ એકલા જ ત્યાં હતા.
\v 24 તે સમય દરમિયાન શિષ્યો કિનારેથી ઘણે દૂર હતા. જે દિશામાં શિષ્યો હંકારવા પ્રયત્ન કરતા હતા તેનાથી વિરુદ્ધ દિશામાં ભારે પવન ફૂંકાતો હતો; તે પવને મોટાં મોજાં ઉપજાવ્યાં હતાં. એ મોજાં હોડીને આગળ અને પાછળ ઉછાળતાં હતાં.
\s5
\v 25 પછી ઈસુ પહાડ પરથી ઉતરીને સમુદ્રએ આવ્યા. સવારના ત્રણથી છ વાગ્યાની આસપાસ ઈસુ પાણી પર ચાલીને હોડી તરફ ગયા.
\v 26 જ્યારે શિષ્યોએ તેમને પાણી પર ચાલતા જોયા ત્યારે, તેમણે વિચાર્યું કે તે ભૂત હશે. તેઓ ગભરાઈ ગયા, અને તેઓએ ભયથી બૂમો પાડી.
\v 27 તરત જ ઈસુએ તેઓને કહ્યું, "હિંમત રાખો! તે તો હું છું. ગભરાશો નહીં.
\s5
\v 28 પિતરે તેમને કહ્યું, "પ્રભુ, જો તે તમે છો તો મને તમારી પાસે પાણી પર આવવા કહો!"
\v 29 ઈસુએ કહ્યું, "આવ!" તેથી પિતર હોડીમાંથી બહાર આવ્યો. તે ઈસુ તરફ પાણી પર ચાલવા લાગ્યો.
\v 30 પરંતુ જ્યારે પિતરે ભારે પવન પર ધ્યાન આપ્યું, ત્યારે તે ગભરાઈ ગયો. તે પાણીમાં ડૂબવા લાગ્યો અને પોકારી ઊઠ્યો, "પ્રભુ, મને બચાવો!"
\s5
\v 31 તરત જ ઈસુએ હાથ લાંબો કર્યો અને પિતરને પકડ્યો. તેમણે તેને કહ્યું, "તેં મારા સામર્થ્યમાં થોડો જ વિશ્વાસ કર્યો છે! તેં કેમ શંકા કરી કે હું તને ડૂબતાં નહીં બચાવું?"
\v 32 પછી ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યા, અને તરત પવન ફૂંકાતો બંધ થયો.
\v 33 હોડીમાં જે સર્વ શિષ્યો હતા તેઓ ઈસુ આગળ નમ્યા અને કહ્યું, "તમે ખરેખર ઈશ્વરના દીકરા છો!"
\p
\s5
\v 34 જ્યારે તેઓ સરોવર તરફ આગળ વધ્યા ત્યારે, તેઓ ગન્નેસારેતના નગરમાં આવ્યા.
\v 35 તે પ્રદેશના લોકોએ ઈસુને ઓળખ્યા, તેથી તેઓએ લોકોને મોકલ્યા કે તેઓ તે પ્રદેશમાં રહેનારા સર્વને જાણ કરે કે ઈસુ આવ્યા છે. તેથી દરેક જેઓ બીમાર હતા તેઓ સર્વને ઈસુ પાસે લાવ્યા.
\v 36 બીમાર લોકો તેમને વિનંતી કરતા કે તેઓ તેમને સ્પર્શ કરવા દે અથવા માત્ર તેમના વસ્ત્રની કિનારીને અડકવા દે જેથી તેઓ સાજા થાય. જે બધા તેમને અથવા તેમના વસ્ત્રની કિનારીને અડક્યા તેઓ સાજા થયા.
\s5
\c 15
\p
\v 1 પછી કેટલાક ફરોશીઓ અને જેઓ યહૂદી નિયમના શીખવનાર હતા તેઓ યરુશાલેમથી ઈસુની સાથે વાત કરવા આવ્યા. તેઓએ કહ્યું,
\v 2 "અમે જોઈએ છીએ કે તમારા શિષ્યો આપણા પૂર્વજોની પરંપરાનું પાલન કરતા નથી! ધાર્મિક વિધિ પ્રમાણે તેઓ જમ્યા અગાઉ હાથ ધોતા નથી!"
\v 3 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "અને હું જોઉં છું કે તમારા પૂર્વજોએ તમને જે શીખવ્યું માત્ર તે પાળવા માટે તમે ઈશ્વરની આજ્ઞા પાળવાનો ઇન્કાર કરો છો!
\s5
\v 4 ઈશ્વરે આ બે નિયમો તમને આપ્યા: 'તમારાં માતા અને પિતાનું સન્માન કરો', અને 'જે લોકો તેમનાં માતા અથવા પિતા વિષે દુષ્ટ બાબતો બોલે તો તેઓને મારી નાંખવા.'
\v 5 પરંતુ તમે લોકોને કહો છો, 'તમે તમારા પિતા અથવા માતાને કહી શકો છો કે, "તમારી જરૂરિયાતોને માટે હું તમને જે મદદ આપવાનો હતો, તે મેં ઈશ્વરને આપવાનું વચન આપ્યું છે."'
\v 6 જ્યારે તમે તેમ કરો, ત્યારે તમને લાગે છે કે તમારે તમારાં માતાપિતાને બીજું કઈ આપવાનું રહેતું નથી. તે રીતે તમે ઈશ્વરની આજ્ઞાઓને અવગણો છો, જેથી તમે તમારા પૂર્વજોએ તમને જે શીખવ્યું તેનું પાલન કરી શકો!
\s5
\v 7 તમે માત્ર સારા હોવાનો દેખાવ કરો છો! જ્યારે યશાયાએ તમારા પૂર્વજો સંબંધી ઈશ્વરના વિચારો કહ્યા ત્યારે તેણે સત્ય જ કહ્યું હતું.
\v 8 'આ લોકો જાણે મને માન આપતા હોય તેમ તેઓ બોલે છે, પરંતુ તેઓને મારી દરકાર નથી,'
\v 9 મારું ભજન કરવું તે તેઓને માટે નકામું છે, કારણ કે જે બાબતોને લોકો તેમનું અધિકારયુક્ત શિક્ષણ માને છે તેને જ તેઓ શીખવે છે."
\p
\s5
\v 10 પછી ઈસુએ ફરી ટોળાને પોતાની પાસે બોલાવ્યું. તેમણે લોકોને કહ્યું, "હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો.
\v 11 માણસ ખાવા માટે પોતાના મુખમાં જે કંઈ મૂકે છે તે તેને ભ્રષ્ટ કરતું નથી. તેના બદલે, માણસ જે બોલે છે તે તેને ભ્રષ્ટ કરે છે - તેના મુખમાંથી નીકળનાર શબ્દો - તે માણસને હલકો પાડે છે."
\p
\s5
\v 12 પછી શિષ્યો ઈસુ પાસે ગયા અને કહ્યું, "શું તમે જાણો છો કે તમે જે કહ્યું તે ફરોશીઓએ સાંભળ્યું અને તેઓ તમારા પર ક્રોધિત થયા છે?"
\v 13 પછી ઈસુએ તેઓને આ ઉદાહરણ કહ્યું. "જેમ ખેડૂતે જે છોડ તેણે વાવ્યો નથી તેને તે મૂળમાંથી ઉખાડી નાખીને દૂર કરે છે, તેમ સ્વર્ગમાંના મારા પિતા પણ જે તેઓએ કહ્યું છે તેનાથી વિરુદ્ધનું શિક્ષણ આપનારા દરેકને દૂર કરશે.
\v 14 ફરોશીઓ પર ધ્યાન આપશો નહીં. જેમ અંધ લોકોને ક્યાં ચાલવું જોઈએ તે અંધ માર્ગદર્શકો દર્શાવી શકતા નથી તેમ તેઓ લોકોને ઈશ્વરની આજ્ઞાઓ સમજવા મદદ કરતા નથી. તેના બદલે, તેઓ બધા જ એક ખાડામાં પડે છે."
\p
\s5
\v 15 પિતરે ઈસુને કહ્યું, "માણસ શું ખાય છે તેના વિષેનું ઉદાહરણ અમને સમજાવો."
\v 16 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "હું શું શીખવું છું તે તમારે અવશ્ય સમજવું જોઈતું હતું, પરંતુ તમે સમજતા નથી તેથી હું નિરાશ છું.
\v 17 તમારે સમજવું જોઈએ કે જે કઈ ખોરાક લોકો ખાય છે તે તેમના પેટમાં જાય છે, અને પછી બાકીનું તેમના શરીરની બહાર નીકળી જાય છે.
\s5
\v 18 તેના બદલે, જે દુષ્ટ બાબતો મુખમાંથી નીકળે છે તેના લીધે ઈશ્વર વ્યક્તિને નકારે છે, કારણ કે જે દુષ્ટ બાબતો વ્યક્તિ પોતાના મનમાં વિચારે છે ત્યાંથી જ તે આવે છે.
\v 19 તે તો વ્યક્તિનું મન છે કે જે દુષ્ટ બાબતો જેવી કે ખૂન કરવું, વ્યભિચાર કરવો, અન્ય જાતીય પાપો કરવાં, ચોરી કરવી, જૂઠી સાક્ષી પૂરવી, અને બીજાઓ વિષે દુષ્ટ બાબતો બોલવી; તેના વિષે વિચારે છે.
\v 20 તે તો આ કાર્યો છે કે જેના લીધે ઈશ્વર લોકોને અસ્વીકાર્ય ગણે છે. પરંતુ ધોયા વગરના હાથથી ખાવું તેના લીધે ઈશ્વર લોકોને નકારતા નથી."
\p
\s5
\v 21 ઈસુ તેમના શિષ્યોને લઈને ગાલીલના જીલ્લામાંથી નીકળ્યા પછી, તેઓ સર્વ જ્યાં તૂર તથા સિદોનના શહેરી પ્રદેશો આવેલા છે તે તરફ ગયા.
\v 22 કનાનીઓ તરીકે ઓળખાતા જૂથની એક સ્ત્રી, જે તે પ્રદેશમાં રહેતી હતી, તે ઈસુ પાસે આવી. તે તેમને બૂમ પાડતી હતી, "પ્રભુ, તમે દાઉદ રાજાના વંશજ છો, તમે મસીહ છો! મારા પર અને મારી દીકરી પર દયા કરો! દુષ્ટાત્મા તેને નિયંત્રિત કરે છે તેથી તે ઘણું જ સહન કરે છે."
\v 23 પરંતુ ઈસુએ તેને કંઈ જ ઉત્તર આપ્યો નહીં. શિષ્યોએ તેમને કહ્યું, "તેને જતી રહેવા કહો કારણ કે જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તે બૂમો પાડીને આપણને હેરાન કરે છે."
\s5
\v 24 ઈસુએ તેને કહ્યું, "ઈશ્વરે મને માત્ર ઇઝરાયલના લોકો માટે જ મોકલ્યો છે કારણ કે તેઓ માર્ગેથી ખોવાયેલાં ઘેટાં જેવા છે."
\v 25 પરંતુ તે સ્ત્રી ઈસુ પાસે આવી અને તેમની સામે ઘૂંટણે પડી. તેણે વિનંતી કરી, "પ્રભુ, મને મદદ કરો!"
\v 26 પછી તેમણે તેને કહ્યું, "કોઈ પોતાનાં બાળકો માટે બનાવેલું ભોજન લઈને ઘરમાંના નાના કૂતરા આગળ નાખે તે સારું નથી."
\s5
\v 27 પરંતુ તે સ્ત્રીએ જવાબ આપ્યો, "પ્રભુ, તમે જે કહ્યું તે ખરું છે, પણ નાના કૂતરા તો જ્યારે માલિક પોતાની મેજ પર બેસીને ખાય છે ત્યારે ત્યાંથી જમીન પર પડેલા ટુકડા ખાય છે!"
\v 28 પછી ઈસુએ તેં સ્ત્રીને કહ્યું, "અરે સ્ત્રી, તે મારા પર દ્રઢતાપૂર્વક વિશ્વાસ કર્યો છે તેના કારણે, તું જેમ ઇચ્છે છે તેમ હું તારી દીકરીને સાજી કરીશ!" તે જ ક્ષણે દુષ્ટાત્માએ તે સ્ત્રીની દીકરીને મુક્ત કરી દીધી, અને તે સાજી થઈ.
\p
\s5
\v 29 ત્યાર બાદ ઈસુ અને તેમના શિષ્યો તે પ્રદેશમાંથી નીકળીને, ફરી ગાલીલના સમુદ્ર પાસે ગયા. ઈસુ નજીકની ટેકરી પર ચઢ્યા અને લોકોને શીખવવા માટે બેઠા.
\v 30 બીજા બે દિવસ સુધી લોકોનું મોટું ટોળું તેમની પાસે આવતું રહ્યું અને તેઓ તેમની પાસે લંગડા, અપંગ, અને અંધ લોકો, જેઓ બોલવા માટે અસમર્થ હતા તેવા લોકો, અને બીજા ઘણા જેઓને વિવિધ પ્રકારની બીમારી હતી તેઓને લાવ્યા. તેઓ તેમને ઈસુની આગળ લાવ્યા કે જેથી તેઓ તેમને સાજા કરે. અને ઈસુએ તેમને સાજાં કર્યાં.
\v 31 ટોળાએ જોયું કે તેઓ જે લોકો વાત કરી શકતા ન હતા તેમને, અપંગને, લંગડા લોકોને, અને અંધ લોકોને સાજા કરે છે ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. તેઓએ કહ્યું, "ઇઝરાયલમાં જે ઈશ્વર આપણા પર રાજ કરે છે તે ઈશ્વરની સ્તુતિ થાઓ!"
\p
\s5
\v 32 પછી ઈસુએ તેમના શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, "આ લોકોનું ટોળું મારી સાથે ત્રણ દિવસથી છે અને તેમની પાસે કશું ખાવાનું રહ્યું નથી. તેઓ માટે મને દુઃખ થાય છે. મારે તેમને ભૂખ્યાને ભૂખ્યા જવા દેવા નથી, કારણ કે જો હું તેમ કરું, તો તેઓ ઘરે જતા રસ્તામાં જ મૂર્છિત થઇ શકે છે."
\v 33 શિષ્યોએ તેમને કહ્યું, "આ જગ્યા એવી છે કે જ્યાં કોઈ નથી રહેતું, ત્યાં આટલા મોટા ટોળાને જમાડવા પૂરતો ખોરાક મળશે નહિ!"
\v 34 ઈસુએ તેઓને પૂછ્યું, "તમારી પાસે કેટલી રોટલી છે?" તેઓએ તેમને જવાબ આપ્યો, "નાની સાત રોટલી અને શેકેલી થોડી નાની માછલી."
\v 35 પછી ઈસુએ લોકોને જમીન પર બેસવા માટે કહ્યું.
\s5
\v 36 તેમણે સાત રોટલી અને શેકેલી માછલી લીધી. તેના માટે ઈશ્વરનો આભાર માન્યા પછી, તેમણે તેના ટુકડા કર્યા અને શિષ્યોને આપતા જ ગયા. પછી શિષ્યો તેને ટોળામાં વહેંચતા જ ગયા.
\v 37 ઈસુએ ચમત્કારિક રીતે તે ખોરાકમાં વધારો કર્યો તેના કારણે, સર્વ લોકોએ ખાધું અને તેમને સંતોષવા તે પૂરતું હતું. પછી શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કર્યા, અને તેનાથી તેઓએ સાત મોટી ટોપલીઓ ભરી.
\v 38 ત્યાં જેઓ જમ્યા તેમા ચાર હજાર પુરુષો હતા, પરંતુ સ્ત્રીઓ અને બાળકો પણ જમ્યા જેમની ગણતરી કોઈએ કરી ન હતી.
\p
\v 39 ઈસુએ ટોળાને મોકલી દીધા પછી, તેઓ અને તેમના શિષ્યો હોડીમાં ચઢ્યા અને સરોવરના કિનારે મગદાનના પ્રદેશની પાસે ફર્યા.
\s5
\c 16
\p
\v 1 કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુ પાસે આવ્યા અને તેમને કહ્યું, "અમને બતાવો કે ઈશ્વરે ખરેખર તમને અમારી પાસે મોકલ્યા છે! આકાશમાં ચમત્કાર કરો અને ઈશ્વરના સામર્થ્યનો ઉપયોગ કરીને અમને ખાતરી કરાવો!"
\v 2 તેમણે તેઓને પૂછ્યું, "આપણા દેશમાં, સાંજે જો આકાશ લાલ હોય, તો આપણે કહીએ છીએ, 'કાલે સારું વાતાવરણ હશે.'
\s5
\v 3 પરંતુ જો સવારે આકાશ લાલ હોય તો આપણે કહીએ છીએ, 'આજે વાતાવરણ તોફાની હશે.' આકાશ તરફ જોઇને, વાતાવરણ કેવું હશે તે તમે કહી શકો છો, પરંતુ તમારી આસપાસ જે બાબતો બની રહી છે તે જોઇને, તમે સમજતા નથી કે ઈશ્વર શું કરી રહ્યા છે.
\v 4 તમે દુષ્ટ લોકોએ મને ચમત્કાર કરતાં જોયો છે, પરંતુ તમે વિશ્વાસુપણે ઈશ્વરની ભક્તિ કરતા નથી. તેથી જે ચમત્કાર યૂના પ્રબોધક માટે થયો, જેણે ત્રણ દિવસ મોટી માછલીના પેટમાં પસાર કર્યા પરંતુ ફરી પાછો બહાર આવ્યો તે સિવાય હું તમારા માટે કોઈ ચમત્કાર કરવાનો નથી." પછી ઈસુ તેઓને છોડીને પોતાના શિષ્યો સાથે દૂર ગયા.
\p
\s5
\v 5 તેઓ ગાલીલ સમુદ્રની બીજી બાજુએ ગયા. પછી શિષ્યોને ખ્યાલ આવ્યો કે તેઓ ખોરાક લેવાનું ભૂલી ગયા છે.
\v 6 તે સમયે, ઈસુએ તેઓને કહ્યું, "ફરોશીઓ અને સદૂકીઓ જે ખમીર તમને આપવા માગે છે તે તમે ન લો તે માટે સાવધાન રહો."
\v 7 ઈસુએ તેમને જે કહ્યું તે સમજવા તેઓએ પ્રયત્ન કર્યો, અને તેઓએ એકબીજાને કહ્યું, "આપણે ખાવાને સારુ કશું લેવાનું ભૂલી ગયા છીએ તેથી તેઓએ આમ કહ્યું હશે!"
\v 8 પરંતુ તેઓ જે કહી રહ્યા હતા તે ઈસુએ જાણ્યું અને તેઓને જવાબ આપ્યો, "તમે એવું વિચારો છો કે તમે રોટલી લાવવાનું ભૂલી ગયા હોવાથી મેં ફરોશીઓ અને સાદૂકીઓના ખમીર વિષે તમને કહ્યું અને તેથી હું નિરાશ છું. હું તમારે માટે કંઇક કરી શકું છું એવો તમને તદ્દ્ન ઓછો વિશ્વાસ છે.
\s5
\v 9 શું તમે એવું વિચારો છો કે હું ખોરાક માટે ચિંતિત છું. શું તમે ખરેખર ભૂલી ગયા છો કે કેવી રીતે મેં પાંચ રોટલીથી પાંચ હજારને જમાડ્યા હતા, અને વધેલા ખોરાકની કેટલી ટોપલીઓ તમે ભેગી કરી હતી?
\v 10 અથવા સાત રોટલીને મેં જ્યારે આશીર્વાદિત કરી ત્યારે ચાર હજાર લોકોએ જે ખાધું તેનું શું? અને પછી વધેલા અન્નની કેટલી ટોપલીઓ તમે ભેગી કરી?
\s5
\v 11 તમારે સમજવું જોઈતું હતું કે હું ખરેખર રોટલી વિષે કહેતો ન હતો. ફરોશીઓ અને સાદૂકીઓનું ખમીર સ્વીકારશો નહીં."
\v 12 પછી શિષ્યોને સમજાયું કે ઈસુ રોટલીની અંદરના ખમીર વિષે વાત કરતા ન હતા. તેના બદલે, તેઓ તો ફરોશીઓ અને સાદૂકીઓના ખોટા શિક્ષણ વિષે વાત કરતા હતા.
\p
\s5
\v 13 ઈસુ અને તેમના શિષ્યો કૈસરિયા ફિલિપી શહેરના વિસ્તાર નજીક પ્રવેશ્યા ત્યારે, તેમણે તેઓને પૂછ્યું, "હું, માણસનો દીકરો, ખરેખર કોણ છું તે વિષે લોકો શું કહે છે?"
\v 14 તેઓએ ઉત્તર આપ્યો, "કેટલાંક લોકો કહે છે કે તમે યોહાન બાપ્તિસ્મી છો, જે ફરી જીવિત થયો છે. બીજાઓ કહે છે કે તમે એલિયા પ્રબોધક છો, કે જે ઈશ્વરના વચન મુજબ સ્વર્ગમાંથી પાછા આવ્યા છે. વળી બીજાઓ કહે છે કે તમે યર્મિયા પ્રબોધક અથવા બીજા પ્રબોધકોમાંના એક છો કે જે ઘણા સમય અગાઉ થઈ ગયો, પણ ફરી જીવિત થયો છે."
\v 15 ઈસુએ તેઓને કહ્યું, "તમારા વિષે શું? હું કોણ છું તે વિષે તમે શું કહો છો?"
\v 16 સિમોન પિતર તેમને કહે છે, "તમે મસીહા છો! તમે સર્વ શક્તિમાન ઈશ્વરના દીકરા છો."
\s5
\v 17 પછી ઈસુએ તેને કહ્યું, "સિમોન, યૂનાના દીકરા, ઈશ્વર તારાથી પ્રસન્ન છે. તેં હમણાં જે કહ્યું છે - તે તને કોઈ માણસે પ્રગટ કર્યું નથી. તેના બદલે, મારા પિતા કે જેઓ સ્વર્ગમાં રહે છે તેમણે તને આ પ્રગટ કર્યું છે.
\v 18 હું પણ તને આ કહીશ: તું પિતર છે, કે જેનો અર્થ 'પથ્થર' છે. જેમ મોટો પથ્થર વિશાળ ઇમારતનો આધાર બને છે તેમ, જેઓ મારા પર વિશ્વાસ કરે છે તે જૂથનો તું આધાર બનીશ. અને મરણનું પણ એટલું સામર્થ્ય નહીં હોય કે તે તેની વિરુદ્ધ ઊભું રહે."
\s5
\v 19 પછી તેમણે કહ્યું, "લોકોને સ્વર્ગમાંથી ઈશ્વરના શાસન હેઠળ આવવાનો માર્ગ ખોલવા કે બંધ કરવા હું તને સમર્થ કરીશ. પૃથ્વી પર જેના વિષે તું મંજૂરી આપશે, તેના વિષે ઈશ્વર સ્વર્ગમાં મંજૂરી આપશે. પૃથ્વી પર જેના પર તું પ્રતિબંધ મૂકશે, તેના પર ઈશ્વર સ્વર્ગમાં પ્રતિબંધ મૂકશે."
\v 20 પછી ઈસુએ શિષ્યોને તે સમયે કોઈને પણ ન કહેવા સખત રીતે ચેતવણી આપી કે તે ખ્રિસ્ત છે.
\p
\s5
\v 21 તે સમયથી ઈસુએ શિષ્યોને શીખવવાનું શરૂ કર્યું કે યરુશાલેમ શહેરમાં જવું તે તેમને માટે જરૂરનું છે. ત્યાં રાજ કરતાં વડીલો, મુખ્ય યાજકો, અને જે વ્યક્તિઓ યહૂદી નિયમ શીખવતા હતા તેઓ તેમને ત્રાસ સહન કરવા અને મરણ પામવા ફરજ પાડશે. પછી ત્રીજા દિવસે, તેઓ ફરીથી જીવિત થશે.
\v 22 પરંતુ પિતર ઈસુને એક બાજુ લઇ ગયો અને આ બાબતો કહેવાને લીધે તેમને ઠપકો આપવા લાગ્યો.
\v 23 પછી ઈસુ પિતર તરફ જોવા માટે ફર્યાં, અને તેમણે તેને કહ્યું, "મારી નજર સામેથી દૂર જા, કારણ કે તારા દ્વારા શેતાન બોલી રહ્યો છે. હું પાપ કરું તે માટે તું પ્રયત્ન કરી રહ્યો છે. ઈશ્વર જે વિચારે છે તે તું વિચારતો નથી, પરંતુ લોકો જે વિચારે છે તે તું વિચારે છે!"
\p
\s5
\v 24 પછી ઈસુએ તેમનાં શિષ્યોને કહ્યું, "જો તમારામાંનો કોઈ મારા પર વિશ્વાસ કરવા અને હું જ્યાં જાઉં છું ત્યાં જવા ઇચ્છે, તો તેણે તેની પોતાની ઇચ્છાઓ અને હેતુઓ મૂકી દેવા અને તેણે પોતાનો વધસ્તંભ ઊંચકીને હું જ્યાં જાઉં છું ત્યાં જવું.
\v 25 જે કોઈ પોતાનું જીવન બચાવવા ઇચ્છે છે, તેને ખબર પડશે કે તે પોતાનું જીવન બચાવવાને બદલે તેને ગુમાવશે. પરંતુ જે કોઈ મારા લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેનું જીવન બચાવશે.
\v 26 જો કોઈ વ્યક્તિ આ જગતમાંથી જે ઇચ્છે તે સર્વ મેળવે, પરંતુ પછી પોતાનું જીવન ગુમાવે તો તેને શો લાભ થાય? માણસ તેની સંપતિમાં એવું શું મેળવશે કે જે તેના માટે તેના જીવન જેટલું કિંમતી હોય?
\s5
\v 27 ધ્યાનથી સાંભળો. હું, માણસનો દીકરો, આ પૃથ્વીથી જઈશ, પરંતુ હું પાછો આવીશ, અને સ્વર્ગના દૂતો મારી સાથે આવશે. તે સમયે મારા પિતા પાસે જે મહિમાવંત પ્રકાશ છે તે મારી પાસે હશે, અને હું દરેકને જ્યારે તેઓ આ પૃથ્વી પર જીવતા હતા ત્યારે તેમણે જે કર્યું હશે તેના પ્રમાણે બદલો આપીશ.
\v 28 ધ્યાનથી સાંભળો! તમારામાંના કેટલાંક જેઓ હમણાં અહીં છે તેઓ મને, જે સ્વર્ગમાંથી આવ્યો છે તેને, જ્યારે હું રાજા તરીકે પાછો ફરીશ ત્યારે જોશે. તમે મરણ પામશો તે અગાઉ આ જોશો!"
\s5
\c 17
\p
\v 1 ઈસુએ તે કહ્યું તેના અઠવાડિયા પછી, તેઓ પિતર, યાકૂબ અને યોહાન, કે જે યાકૂબનો નાનો ભાઈ હતો તેમને લઈને ઊંચા પર્વત પર ગયા કે જ્યાં તેઓ બીજા લોકોથી દૂર હતા.
\v 2 જ્યારે તેઓ ત્યાં હતા, ત્યારે ત્રણ શિષ્યોએ ઈસુના સ્વરૂપનું પરિવર્તન થતું જોયું. તેમનો ચહેરો સૂર્યના જેવો પ્રકાશતો હતો, અને તેમનાં વસ્ત્રો ચમકતાં હતાં અને તેઓ પ્રકાશના જેવા તેજસ્વી બન્યા.
\s5
\v 3 અચાનક મૂસા અને એલિયા, કે જેઓ ઘણાં સમય અગાઉના મહત્વપૂર્ણ પ્રબોધકો હતા, તેઓ દેખાયા અને ઈસુની સાથે વાત કરવા લાગ્યા.
\v 4 પિતરે તેઓને જોયા અને ઈસુને કહ્યું, "પ્રભુ, આપણા માટે અહીં રહેવું ઉત્તમ છે! જો તમે ઇચ્છો, તો હું ત્રણ માંડવા બાંધીશ, એક તમારા માટે, એક મૂસા માટે, અને એક એલિયા માટે."
\s5
\v 5 જ્યારે પિતર બોલતો હતો, ત્યારે એક તેજસ્વી વાદળું તેઓના પર આવ્યું. તેઓએ વાદળામાંથી ઈશ્વર ઈસુ વિષે જે બોલતા હતા તે સાંભળ્યું. તેઓએ તેમને કહ્યું, "આ મારો દીકરો છે. હું તેને પ્રેમ કરું છું. તે મને ખૂબ પ્રસન્ન કરે છે. તેથી તમારે તેનું સાંભળવું જોઈએ!"
\v 6 જ્યારે ત્રણ શિષ્યોએ ઈશ્વરને બોલતા સાંભળ્યા, ત્યારે તેઓ બહુ બીધા. તેના પરિણામે, તેઓ ઊંધા મુખે જમીન પર પડ્યા.
\v 7 પરંતુ ઈસુ તેમની પાસે ગયા અને તેમને સ્પર્શ કર્યો અને તેઓને કહ્યું, "ઊભા થાઓ! હવે ડરશો નહિ!"
\v 8 અને જ્યારે તેઓએ ઊંચે જોયું, ત્યારે તેઓએ જોયું કે ઈસુ એકલા જ હજુ સુધી ત્યાં હતા.
\p
\s5
\v 9 જ્યારે તેઓ પર્વત પરથી નીચે ઊતરી રહ્યા હતા ત્યારે, ઈસુએ તેમને સૂચના આપી, "જ્યાં સુધી ઈશ્વર મને, માણસના દીકરાને, મારા મૃત્યુ પછી સજીવન ન કરે ત્યાં સુધી પર્વતની ટોચ પર તમે જે જોયું તે કોઈને પણ કહેશો નહિ."
\v 10 તે ત્રણ શિષ્યોએ ઈસુને પૂછ્યું, "જો તમે કહો છો તે સાચું હોય, તો જે માણસો યહૂદી નિયમો શીખવે છે તેઓ શા માટે કહે છે કે મસીહના આવ્યા અગાઉ એલિયાનું આવવું અનિવાર્ય છે?"
\s5
\v 11 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "ઈશ્વરે વચન આપ્યું હતું કે એલિયા મસીહના આગમન વિષે ઘણા લોકોને તૈયાર કરવા માટે આવશે તે સાચું છે.
\v 12 પરંતુ આ નોંધો: એલિયા તો આવી ચૂક્યો છે અને આપણા આગેવાનોએ તેને જોયો છે, પરંતુ તેઓએ તેને મસીહની અગાઉ આવનાર તરીકે ઓળખ્યો નહિ. તેના બદલે, તેમણે જેમ ઇચ્છ્યું તેમ જ, તેઓ તેની સાથે ખરાબ રીતે વર્ત્યા. અને તે જ શાસકો મારી સાથે એટલે કે જે સ્વર્ગમાંથી આવે છે તેની સાથે, પણ તેવી જ રીતે વર્તાવ કરશે."
\v 13 પછી તે ત્રણ શિષ્યો સમજ્યા કે જ્યારે તેઓ એલિયા વિષે વાત કરતા હતા, ત્યારે ઈસુ યોહાન બાપ્તિસ્મી વિષે કહી રહ્યા હતા.
\p
\s5
\v 14 જ્યારે ઈસુ અને ત્રણ શિષ્યો બીજા શિષ્યો અને જે ટોળું ત્યાં એકઠું થયું હતું તેમની પાસે પાછા આવ્યા ત્યારે, એક માણસ ઈસુની પાસે આવ્યો અને તેમની આગળ ઘૂંટણે પડ્યો.
\v 15 તેણે તેમને કહ્યું, "ગુરૂજી, મારા દીકરા પર દયા કરો અને તેને સાજો કરો! તેને વાઈની બીમારી છે અને ઘણું સહન કરે છે. આ બીમારીને કારણે, તે ઘણી વાર અગ્નિ અને પાણીમાં પડે છે.
\v 16 હું તેને તમારા શિષ્યો પાસે લાવ્યો કે જેથી તેઓ તેને સાજો કરે, પરંતુ તેઓ તેને સાજો કરવા સક્ષમ ન હતા."
\s5
\v 17 ઈસુએ જવાબ આપ્યો, "તમે આ સમયના લોકો, ઈશ્વરના સામર્થ્ય પર જરા પણ વિશ્વાસ કરતા નથી. તમે કેટલા ગૂંચવાયેલા છો! હું તમારી સાથે કેટલો સમય રહું કે જેથી હું જે કરું છું તે કરવા તમે સક્ષમ બનો? તે છોકરાને અહીં મારી પાસે લાવો!"
\v 18 જ્યારે તેઓ તે છોકરાને ઈસુ પાસે લાવ્યા ત્યારે, ઈસુએ તે દુષ્ટાત્મા કે જે વાઈ ઉત્પન્ન કરતો હતો તેને સખત રીતે ધમકાવ્યો કે તે તે છોકરામાંથી બહાર આવે, અને તે સમયથી જ તે છોકરો સાજો થયો.
\s5
\v 19 પછી, તેમના કેટલાક શિષ્યો ઈસુ પાસે આવ્યા અને જ્યારે તેઓ એકલા હતા ત્યારે તેમને પૂછ્યું, "કેમ અમે લોકો તે દુષ્ટાત્માને કાઢવા અસમર્થ હતા?"
\v 20-21 તેમણે તેઓને જવાબ આપ્યો, "કારણ કે તમે ઈશ્વરના સામર્થ્ય પર સંપૂર્ણ વિશ્વાસ કર્યો નહીં: આના વિષે વિચાર કરો: રાઈનો દાણો ખૂબ નાનો હોય છે, પરંતુ તે વધે છે અને મોટો છોડ બને છે. તેવી જ રીતે, જો તમે થોડો પણ વિશ્વાસ કરો કે તમે જે ઈશ્વર પાસે માંગો છો તે તેઓ કરશે, તો તમે કંઈ પણ કરવા સમર્થ થશો! તમે આ પર્વતને પણ કહી શકશો, 'અહીંથી ત્યાં જા!' અને તમે તેને જ્યાં જવાનું કહ્યું ત્યાં તે જશે."
\p
\s5
\v 22 જ્યારે ગાલીલના જીલ્લામાં શિષ્યો ભેગા થયા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું, "કોઈ એક બહુ જલદી મને, માણસના દીકરાને, અધિકારીઓના હાથમાં સોંપશે.
\v 23 તેઓ મને મારી નાખશે, પરંતુ મને મારી નાંખવામાં આવશે તેના પછી ત્રીજા દિવસે ઈશ્વર મને સજીવન કરશે." જ્યારે શિષ્યોએ તે સાંભળ્યું ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા.
\p
\s5
\v 24 જ્યારે ઈસુ અને તેમના શિષ્યો કપર-નાહૂમ શહેરમાં આવ્યા, ત્યારે જે વ્યક્તિ ભક્તિસ્થાન માટે કર ઉઘરાવતો હતો તે પિતર પાસે આવ્યો અને તેને કહ્યું, "તારા ઉપદેશક ભક્તિસ્થાનનો કર ભરે છે કે નહિ?"
\v 25 તેણે તેને જવાબ આપ્યો, "હા, તેઓ ભરે છે." જ્યારે શિષ્યો ઘરમાં આવ્યા, ત્યારે પિતર કશું કહે તે અગાઉ ઈસુએ તેને કહ્યું, "સિમોન, શાસકો કોની પાસેથી મહેસૂલ અથવા કર ઉઘરાવે છે? શું તેઓ પોતાના જ દેશના નાગરિક પાસેથી કર ઉઘરાવે છે, અથવા જે દેશ તેઓએ જીત્યો હોય તે દેશના નાગરિકો પાસેથી?"
\s5
\v 26 પિતરે તેમને ઉત્તર આપ્યો, "બીજા દેશના નાગરિકો પાસેથી." પછી ઈસુએ તેને કહ્યું, "તેથી તેમના પોતાના દેશના લોકોને કર ભરવાની જરૂર નથી.
\v 27 પરંતુ જા અને આપણા માટે કર ભર કે જેથી કર ઉઘરાવનારા આપણા પર ગુસ્સે થાય નહીં. તે ભરવા માટેનાં નાણાં પ્રાપ્ત કરવા, ગાલીલ સમુદ્રએ જા, ત્યાં માછલી પકડવાની દોરી અને કાંટો નાંખ, અને જે પ્રથમ માછલી તું પકડે તેને લે. જ્યારે તું તેનું મોં ખોલશે, ત્યારે તને ચાંદીનો સિક્કો મળશે જે તારા અને મારા માટે કર ભરવા માટે પૂરતો હશે. તે સિક્કો લે અને ભક્તિસ્થાનનો કર ઉઘરાવનારને આપ."
\s5
\c 18
\p
\v 1 બરાબર તે જ સમયે શિષ્યો ઈસુ પાસે ગયા અને તેમને પૂછ્યું, "જ્યારે ઈશ્વર તમને સ્વર્ગમાંથી રાજા બનાવશે ત્યારે અમારામાંથી કોણ સૌથી મહાન થશે?"
\v 2 ઈસુએ એક બાળકને બોલાવ્યું, અને તેમણે તે બાળકને તેઓની વચમાં ઊભું રાખ્યું.
\v 3 તેમણે કહ્યું, "હું તમને સત્ય કહું છું: જો તમે બદલાશો નહિ અને નાના બાળકોના જેવા નમ્ર બનશો નહિ, તો ચોક્કસ તમે સ્વર્ગીય ઈશ્વરના રાજ હેઠળ આવશો નહિ.
\s5
\v 4 જે લોકો આ બાળકના જેવા નમ્ર બનશે તેઓ જ ઈશ્વર જેઓ પર સ્વર્ગમાંથી રાજ કરશે તેઓમાં સૌથી મહત્વપૂર્ણ લોકો બનશે.
\v 5 વળી, જ્યારે પણ લોકો મારા પરના પ્રેમને લીધે આ બાળકના જેવાઓને આવકારશે, ત્યારે તેઓ મને આવકારી રહ્યા છે તેમ ઈશ્વર ગણશે."
\p
\v 6 "જો કોઈ વ્યક્તિ મારા પર વિશ્વાસ રાખનારને પાપ કરવા પ્રેરે, તો લોકો ભલે તેને આ બાળકના જેવો બિનમહત્વપૂર્ણ માનતા હોય, તો પણ ઈશ્વર તે વ્યક્તિને ગંભીર શિક્ષા કરશે. કોઈ વ્યક્તિને ગળે ભારે પથ્થર બાંધીને દરિયાના ઊંડા પાણીમાં નાખી દીધો હોય તેના કરતાં પણ ખરાબ શિક્ષા તેઓ તે વ્યક્તિને કરશે.
\s5
\v 7 જેઓ બીજાઓને પાપ કરવા પ્રેરે છે તેમના માટે તે કેટલું ભયંકર હશે. પાપ કરવા માટે હંમેશાં પરીક્ષણો આવશે, પરંતુ જે બીજાને પાપ કરવા માટે પ્રેરે છે તે કેટલું ભયંકર હશે.
\v 8 તેથી જો તમે તમારો એક હાથ કે પગ પાપ કરવા માટે વાપરવા ઇચ્છતા હો, તો તે હાથ કે પગનો ઉપયોગ કરવાનું બંધ કરો! તમે પાપ ન કરો માટે ભલે તમારે તેને કાપી નાખવો પડે! તમારી પાસે બન્ને હાથ અને બન્ને પગ હોય અને ઈશ્વર તમને તમારા પાપને કારણે નર્કમાં અનંત અગ્નિમાં ફેંકી દે તેના કરતાં, જો તમારી પાસે માત્ર એક જ હાથ કે પગ હોય અને તોપણ તમે સદાકાળ ઈશ્વર સાથે રહો, તે કેટલું વધારે સારું છે.
\s5
\v 9 હા, અને જો તમે જે જુઓ તે તમને પાપ કરવા પ્રેરતું હોય, તો તે બાબતો તરફ જોવાનું બંધ કરો! તમે પાપ કરતાં અટકો માટે ભલે તમારે તમારી એક આંખ કાઢીને ફેંકી દેવી પડે! તમારી પાસે બન્ને આંખો હોય અને ઈશ્વર તમને નર્કમાં અનંત અગ્નિમાં ફેંકી દે તેના કરતાં, તમારી પાસે માત્ર એક જ આંખ હોય અને તમે સદાકાળ ઈશ્વર સાથે રહો તે કેટલું વધારે સારું છે!"
\p
\s5
\v 10 "કાળજી રાખો કે આ બાળકોમાંના એકને પણ તમે નિમ્ન નજરથી ન જુઓ. હું તમને ખરેખર કહું છું કે જો તમે બાળકો સાથે દુર્વ્યવહાર કરશો તો તેમનું રક્ષણ કરનારા દૂતો હંમેશાં મારા પિતા પાસે જઈને તેમને તમારી વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે.
\v 11 અને માણસનો દીકરો જેઓ ખોવાયેલા છે તેમને બચાવવા માટે આવ્યો છે.
\s5
\v 12 તમે શું ધારો છો? જો તમારી પાસે સો ઘેટાં હોય અને તેમાંનું એક ખોવાઈ જાય, તો તમે ચોક્કસ તે નવ્વાણું ઘેટાંઓને ટેકરી પર રહેવા દઈને જે ખોવાયું છે તેને જઈને શોધશો, શું તમે તેમ નહીં કરો?
\v 13 જ્યારે તમને તે મળે ત્યારે, મને ખાતરી છે કે તમને ઘણો આનંદ થશે. તમે ખુશ થશો કે તે નવ્વાણું ઘેટાં ખોવાઈ ગયા નહીં, પરંતુ તમે વધારે આનંદિત થશો કારણ કે જે ઘેટું ખોવાયું હતું તે તમને મળ્યું છે.
\v 14 જેવી રીતે ઘેટાંપાળક તેનું એકપણ ઘેટું ન ખોવાય તેવું ઇચ્છે છે, તેવી જ રીતે ઈશ્વર, સ્વર્ગમાંના તમારા પિતા, આ બાળકોમાનું એકપણ નરકમાં ન જાય તેવું ઇચ્છે છે."
\p
\s5
\v 15 "જો કોઈ સાથી વિશ્વાસી તમારી વિરુદ્ધ પાપ કરે, તો જ્યારે તે એકાંતમાં હોય ત્યારે તેની પાસે જાઓ, અને તમારી વિરુદ્ધ પાપ કરવા બદલ તેને ઠપકો આપો. જો તે વ્યક્તિ તમારું સાંભળે અને દિલગીર થાય કે તેણે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, તો તે અને તમે ફરી એક વાર સારા ભાઈઓ બનશો.
\v 16 જો, તેમ છતાં પણ તે વ્યક્તિ તમારું સાંભળે નહિ, તો જઈને બીજા એક કે બે સાથી વિશ્વાસીઓને બોલાવો. તેમને તમારી સાથે આવવા કહો કે જેથી, નિયમ કહે છે તે પ્રમાણે, 'દરેક આરોપોની ખાતરી કરવા બે કે ત્રણ સાક્ષીઓ ત્યાં હોવા જ જોઈએ.'
\s5
\v 17 જેણે તમારા વિરુદ્ધ પાપ કર્યું છે તે જો તેમનું સાંભળે નહિ, તો સમગ્ર સભાજનોને તે બાબત કહો કે જેથી તેઓ તેને સુધારી શકે. અને જો તે વ્યક્તિ સભાનું ન સાંભળે, તો જે રીતે તમે મૂર્તિપૂજકો અને કર ઉઘરાવનારાઓને નિરાશાજનક પાપી તરીકે બાકાત કરો છો તેમ તેને તમારામાંથી બાકાત કરો.
\s5
\v 18 આ યાદ રાખો: તમારા સભાજનોમાંના સભ્યને શિક્ષા કરવી કે ન કરવી તે વિષે તમે પૃથ્વી પર જે કંઈ નક્કી કરો છો તે જ સ્વર્ગમાં ઈશ્વર દ્વારા નક્કી કરવામાં આવે છે.
\v 19 આ પણ નોંધો: જો તમે ઓછામાં ઓછા બે જણ કે જેઓ અહીં પૃથ્વી પર રહે છે તેઓ તમે જે કંઈ માગો તે વિષે સહમત થશો, તો મારા પિતા કે જેઓ સ્વર્ગમાં છે, તેઓ તમે જે માગ્યું છે તે આપશે.
\v 20 આ સાચું છે, કારણ કે જ્યાં કંઈ બે કે ત્રણ જણ મારા પર વિશ્વાસ કરવાને કારણે ભેગા મળે છે, ત્યાં હું તેઓની સાથે છું."
\p
\s5
\v 21 પછી પિતર ઈસુની પાસે ગયો અને તેમને કહ્યું, "મારે મારી વિરુદ્ધ પાપ કરતા સાથી વિશ્વાસીને કેટલી વાર માફ કરવો જોઈએ? જો તે મને તેને માફ કરવાનું કહ્યા કરે, તો શું મારે તેને સાત વાર માફ કરવો?"
\v 22 ઈસુએ તેને કહ્યું, "હું તને કહું છે કે કેટલી વાર તારે કોઈને માફ કરવાનો હોય છે તે સંખ્યા માત્ર સાત સુધી સીમિત નથી, પરંતુ તારે તેને સિત્તેર ગણી સાત વાર માફ કરવો.
\s5
\v 23 સ્વર્ગીય ઈશ્વરનું શાસન એક રાજા અને તેના અધિકારીઓ જેવું છે. તે ઇચ્છતો હતો કે તેના કર્મચારીઓ તેમનું જે કંઈ દેવું હોય તેને ભરપાઈ કરે.
\v 24 તેથી તે કર્મચારીઓ પોતાના ખાતાનો હિસાબ કરવા માટે રાજા પાસે આવ્યા. તેમાંનો એક કર્મચારી જેને રાજા પાસે લાવવામાં આવ્યો તેના દેવાની કિંમત ત્રણ મેટ્રિક ટન સોના કરતાં પણ વધારે હતી.
\v 25 પરંતુ તેની પાસે ચૂકવવા માટે પૂરતા નાણાં ન હોવાને કારણે, રાજાએ માગણી કરી કે તે, તેની પત્ની, તેનાં બાળકો અને તેના કબજામાં હોય તે સર્વ કોઈને વેચીને તેના જે નાણાં પ્રાપ્ત થાય તે બધાં નાણાં રાજાને ચૂકવવામાં આવે.
\s5
\v 26 પછી તે કર્મચારી, તેની પાસે તે મોટું દેવું ચૂકવવા નાણાં નથી તે જાણીને, રાજાની સામે તેના ઘૂંટણે પડ્યો અને તેણે તેને વિનવણી કરી, 'મારા પ્રત્યે ધીરજવાન બનો, અને છેવટે હું તમને તેમાંનું સર્વ ચૂકવી દઈશ.'
\v 27 તે કર્મચારી ક્યારેય પણ આટલું મોટું દેવું ચૂકવી શકશે નહિ તે જાણીને રાજાને તેના પર દયા આવી. તેણે તેનું દેવું રદ કરી તેને જતો કર્યો.
\s5
\v 28 પછી આ જ કર્મચારી રાજાના બીજા કોઈ કર્મચારી કે જે તેના એક વર્ષના વેતનની રકમ કરતાં થોડી ઓછી રકમનો દેવાદાર હતો તેની પાસે ગયો. તેણે તેનું ગળું પકડીને તેને ભીંસમાં લેતા, તેને કહ્યું, તારે મને જે કંઈ ચૂકવવાનું થાય છે તેની ચૂકવણી કર.
\v 29 તે કર્મચારી તેને પગે પડ્યો અને વિનવણી કરતાં કહ્યું, 'મારા પ્રત્યે ધીરજવાન બન, અને છેવટે હું તને તેમાંનું સર્વ ચૂકવી દઈશ.'
\s5
\v 30 પરંતુ તે પ્રથમ કર્મચારી તે નાનું દેવું કે જે તે માણસે તેને ચૂકવવાનું હતું તેને રદ કરવાની ના પાડતો રહ્યો. તેના બદલે, તેણે તે કર્મચારીને જ્યાં સુધી તે બાકીનું દેવું પાછું ન ચૂકવે ત્યાં સુધી જેલમાં પૂર્યો.
\v 31 જ્યારે રાજાના બીજા કર્મચારીઓએ આ જાણ્યું, ત્યારે તેઓ ખૂબ જ દુ:ખિત થયા. તેથી તેઓ રાજા પાસે ગયા અને જે બન્યું હતું તેનો વિગતવાર અહેવાલ આપ્યો.
\s5
\v 32 પછી રાજાએ તે અધિકારીને બોલાવ્યો જેણે તેને ત્રણ મેટ્રિક ટન સોના કરતાં પણ વધારે દેવું ચુકવવાનું હતું. તેણે તેને કહ્યું, 'દુષ્ટ ચાકર! મેં તારું ઘણું મોટું દેવું જે તારે મને ચૂકવવાનું હતું તે રદ કર્યું કારણ કે તેં મને તેમ કરવા વિનવણી કરી!
\v 33 જેમ હું તારા પ્રત્યે દયાળુ થયો અને તારું દેવું રદ કર્યું તેમ તારે દયાળુ થવું જોઈતું હતું અને તારા સાથી અધિકારીનું દેવું રદ કરવું જોઈતું હતું!'
\s5
\v 34 રાજા ખૂબ જ ગુસ્સે હતો. તેણે આ અધિકારીને કેટલાક જેલરોને સોંપ્યો કે જેઓ જ્યાં સુધી તે જે સર્વ દેવું તેણે ચૂકવવાનું છે તે ન ચૂકવે ત્યાં સુધી તેને ગંભીર ત્રાસ આપે."
\v 35 પછી ઈસુએ બોલવાનું જારી રાખતાં કહ્યું, "જો તમે દયાળુ નહિ બનો અને તમારી વિરુદ્ધ પાપ કરેલ તમારા સાથી વિશ્વાસીને અંત:કરણપૂર્વક માફ નહિ કરો, તો મારા સ્વર્ગમાંના પિતા તમારી સાથે આવું જ કરશે."
\s5
\c 19
\p
\v 1 તે કહ્યા પછી ઈસુ તેમના શિષ્યો સાથે ગાલીલના જીલ્લામાંથી વિદાય થયા. તેઓ યર્દન નદીની પૂર્વે આવેલા યહૂદિયાના જીલ્લામાં ગયા.
\v 2 ત્યાં મોટાં ટોળા તેમની પાછળ ગયાં, અને તેમણે તેઓમાંના માંદાઓને સાજા કર્યાં.
\p
\s5
\v 3 કેટલાક ફરોશીઓ તેમની પાસે ગયા અને તેમને કહ્યું, "શું આપણો યહૂદી નિયમ પુરૂષને ગમે તે કારણોસર તેની પત્નીને છૂટાછેડા આપવા મંજૂરી આપે છે?" તેઓ તેમની સાથે વાદવિવાદ કરી શકે તે હેતુસર તેમણે તે પૂછ્યું.
\v 4 ઈસુએ તેઓને કહ્યું, "તમે શાસ્ત્રવચન વાંચ્યું છે, તેથી તમે જાણતા હોવા જોઈએ કે જે સમયે ઈશ્વરે લોકોને ઉત્પન્ન કર્યા, ત્યારે 'તેમણે એક પુરુષ અને એક સ્ત્રીને બનાવ્યાં.'
\s5
\v 5 તે સમજાવે છે કે ઈશ્વરે આવું શા માટે કહ્યું કે, 'તેથી જ પુરુષ તેના માતા-પિતાને છોડે છે અને તેની પત્ની સાથે લગ્ન કરે છે. જાણે કે તેઓ એક જ વ્યક્તિ હોય તેમ તેઓ બન્ને સાથે રહે.'
\v 6 પરિણામે, જો કે અગાઉ તેઓ બે અલગ વ્યક્તિ તરીકે કામ કરતા હોય, તો પણ હવે તેઓ જાણે કે એક જ વ્યક્તિ હોય તેવાં બનશે. આ સાચું છે તે કારણે પુરુષે જેને ઈશ્વરે તેની સાથે જોડી છે તે તેની પત્નીથી ક્યારેય અલગ ન થવું."
\p
\s5
\v 7 પછી ફરોશીઓએ તેમને કહ્યું, "જો તે સાચું હોય, તો શા માટે મૂસાએ આદેશ આપ્યો કે જે પુરુષ તેની પત્નીને છૂટાછેડા આપવા માગતો હોય તેણે તેને જેમાં છૂટાછેડા આપવાનું કારણ લખ્યું હોય તે કાગળ આપવો અને પછી તેને મોકલી દેવી?"
\v 8 ઈસુએ તેઓને કહ્યું, "મૂસાએ તેમને તેઓની પત્નીઓને છૂટાછેડા આપવા મંજૂરી આપી કારણ કે તમારા પૂર્વજોએ હઠીલાઈથી પોતાની રીતો પ્રમાણે કરવા ઇચ્છ્યું, અને તમે તેમનાથી કંઈ અલગ નથી. પરંતુ પ્રથમ જ્યારે ઈશ્વરે પુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યા, ત્યારે તેમણે તેઓ એકબીજાથી જુદાં થાય તેવો ઇરાદો રાખ્યો ન હતો.
\v 9 હું તમને દ્રઢતાપૂર્વક કહું છું કે જો કોઈપણ પુરુષની પત્નીએ વ્યભિચાર કર્યો ન હોય, અને તે પુરુષ તેની પત્નીને છૂટાછેડા આપીને બીજી સ્ત્રીને પરણે છે, તે વ્યભિચાર કરે છે તેવું ઈશ્વર ગણશે."
\s5
\v 10 શિષ્યોએ તેમને કહ્યું, "જો તે સાચું હોય તો, પુરુષ ક્યારેય લગ્ન કરે નહિ તે સારું છે!"
\v 11 તેમણે કહ્યું, "દરેક માણસ તે શિક્ષણ સ્વીકારવા સક્ષમ નથી, પરતું જે માણસને ઈશ્વર તે સ્વીકારવા સમર્થ બનાવે તે જ સક્ષમ છે.
\v 12 એવા પુરુષો છે કે જેઓ લગ્ન કરતા નથી કારણ કે તેઓના ગુપ્ત ભાગો તેમના જન્મથી જ ખામીયુક્ત હોય છે. બીજા એવા પણ પુરુષો છે કે જેઓ લગ્ન કરતા નથી કારણ કે તેઓનું વંધ્યીકરણ કરવામાં આવેલું છે. પછી હજુ એવા પણ પુરુષો છે કે જેઓ સ્વર્ગમાંથી રાજ કરતા ઈશ્વરની વધુ સારી સેવા કરવા માટે લગ્ન ન કરવાનું નક્કી કરે છે. મેં જે લગ્ન વિષે કહ્યું તે તમે જેઓ સમજવા સક્ષમ છો તેમણે સ્વીકારવું અને પાળવું જોઈએ."
\p
\s5
\v 13 ત્યાર પછી કેટલાક નાના બાળકોને ઈસુ પાસે લાવવામાં આવ્યા કે જેથી તેઓ તેમના પર હાથ મૂકીને તેમના માટે પ્રાર્થના કરે. પરંતુ શિષ્યોએ લોકોને તેમ કરવા બદલ ધમકાવ્યા.
\v 14 પરંતુ ઈસુએ કહ્યું, "બાળકોને મારી પાસે આવવા દો અને તેમને રોકશો નહિ! જે લોકો તેમના જેવા નમ્ર અને વિશ્વાસુ છે તેઓ સ્વર્ગમાંના ઈશ્વરના રાજ્યના છે."
\v 15 ઈસુએ બાળકોને આશીર્વાદ આપવા પોતાના હાથ તેઓ પર મૂક્યા. ત્યાર પછી તેઓ તે સ્થળેથી ગયા.
\p
\s5
\v 16 જ્યારે ઈસુ ચાલી રહ્યા હતા, ત્યારે એક જુવાન માણસ તેમની પાસે આવ્યો અને તેમને કહ્યું, "ગુરુજી, ઈશ્વર સાથે સદાકાળ જીવવા માટે મારે કયાં સારાં કામો કરવાં જોઈએ?
\v 17 ઈસુએ તેને કહ્યું, "સારું શું છે તે વિષે તું મને શા માટે પૂછે છે? માત્ર એક જ વ્યક્તિ સારી છે તે વ્યક્તિ સારું શું છે તે ખરેખર જાણે છે. તે વ્યક્તિ તો ઈશ્વર છે. પરંતુ ઈશ્વર સાથે સદાકાળ જીવવા માટેની ઇચ્છા વિષેના તારા પ્રશ્નનો જવાબ આપવા માટે, હું તને ઈશ્વરે મૂસાને આપેલી આજ્ઞાઓ પાળવા માટે કહું છું."
\s5
\v 18 તે માણસે ઈસુને પૂછ્યું, "મારે કઈ આજ્ઞાઓ પાળવી જોઈએ?" ઈસુએ તેને જવાબ આપ્યો, "કોઈનું ખૂન ન કર, વ્યભિચાર ન કર, વસ્તુઓની ચોરી ન કર, ખોટી સાક્ષી ન આપ,
\v 19 તારા માતાપિતાને માન આપ, અને તું તારા પર જેટલો પ્રેમ કરે છે તેટલો પ્રેમ દરેકને કર."
\s5
\v 20 જુવાન માણસે ઈસુને કહ્યું, "તે બધી આજ્ઞાઓ મેં હંમેશાં પાળી છે. ઈશ્વર સાથે સદાકાળ જીવવા મારે બીજું શું કરવું જોઈએ?"
\v 21 ઈસુએ તેને કહ્યું, "જો તું ઈશ્વર ઇચ્છે છે બરાબર તેવો જ બનવા ઇચ્છતો હોય, તો તું ઘરે જા, તારી પાસે જે છે તે બધું વેચી દે, અને તે નાણાં ગરીબ લોકોને આપ. તેનું પરિણામ એ હશે કે તું સ્વર્ગમાં ધનવાન બનશે. પછી આવ, મને અનુસર અને મારો શિષ્ય બની જા!"
\v 22 જ્યારે જુવાન માણસે તે શબ્દો સાંભળ્યા, ત્યારે તે દુ:ખી થઈ ચાલ્યો ગયો, કારણ કે તે ખૂબ ધનવાન હતો અને જે સર્વ તેનું હતું તે આપી દેવા ઇચ્છતો ન હતો.
\p
\s5
\v 23 ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, "આ યાદ રાખો: ધનવાન લોકો માટે ઈશ્વરને તેમના જીવનો પર રાજ કરવા દેવું ઘણું મુશ્કેલ છે.
\v 24 આ પણ નોંધો: ઊંટને સોયના નાકામાંથી પસાર થવું અશક્ય છે. ધનવાન લોકો ઈશ્વરના રાજ હેઠળ આવે તે તો તેના કરતાં પણ વધારે મુશ્કેલ છે."
\s5
\v 25 જ્યારે શિષ્યોએ આ સાંભળ્યું, ત્યારે તેઓ ઘણાં વિસ્મિત થયા. તેઓ એવું વિચારતા હતા કે ધનવાન લોકો એવા લોકો છે કે જેને ઈશ્વર વધુ આશીર્વાદ આપે છે. તેથી તેઓએ ઈસુને કહ્યું, "જો એવું હોય, તો લાગે છે કે કોઈ બચી શકશે નહિ!"
\v 26 પછી ઈસુએ તેમની તરફ ઉત્સુકતાપૂર્વક જોઈને કહ્યું, "હા, લોકો માટે તેમને પોતાને બચાવવા અશક્ય છે. પરંતુ ઈશ્વર તેમને બચાવી શકે છે, કારણ કે ઈશ્વર કંઈ પણ કરવા સમર્થ છે!"
\v 27 પછી પિતરે તેઓને કહ્યું, "તમે જાણો છો કે અમે સર્વ તજી દીધું છે અને અમે તમારી પાછળ ચાલવા તમારા શિષ્યો બન્યા છીએ. તેથી તેમ કરવા બદલ અમને શો લાભ થશે?"
\s5
\v 28 ઈસુએ તેઓને કહ્યું, "આ ધ્યાનમાં રાખો: તમને ઘણા લાભ થશે. જ્યારે ઈશ્વર નવી પૃથ્વી બનાવશે અને જ્યારે હું, માણસનો દીકરો, મારા મહિમામાં મારા રાજ્યાસન પર બેસીશ ત્યારે, તમારાંમાંના જેઓ મારી સાથે છે તેઓ દરેક રાજ્યાસન પર બેસશે, અને તમે ઇઝરાયલનાં બાર કુળોના લોકોનો ન્યાય કરશો.
\s5
\v 29 જેઓએ મારા શિષ્યો હોવાને કારણે ઘર કે જમીનનો ટુકડો, પોતાના ભાઈઓ, પોતાની બહેનો, પોતાના પિતા, પોતાની માતા, પોતાનાં બાળકો, કે કુટુંબના કોઈપણ બીજા સભ્યને તજ્યા હશે તેઓને ઈશ્વર બદલો આપશે. ઈશ્વર તેઓને તેમણે જે તજ્યું હશે તેના કરતાં સો ઘણા વધારે લાભો આપશે અને તેઓ ઈશ્વર સાથે સદાકાળ માટે જીવશે.
\v 30 પરંતુ ઘણા લોકો જેઓ હમણાં આ જીવનમાં ઘણા મહત્વપૂર્ણ છે તેઓ ભવિષ્યના તે સમયમાં બિનમહત્વપૂર્ણ થશે, અને ઘણા લોકો જેઓ હમણાં બિનમહત્વપૂર્ણ છે તેઓ ભવિષ્યના તે સમયમાં મહત્વપૂર્ણ થશે."
\s5
\c 20
\p
\v 1 ઈશ્વર જેવી રીતે સ્વર્ગમાંથી શાસન કરે છે, તેને સંપત્તિના એક માલિકે શું કર્યું તેની સાથે સરખાવવામાં આવ્યું છે. વહેલી સવારમાં સંપત્તિનો માલિક બજારમાં ગયો, જ્યાં જે લોકોને કામ જોઈતું હતું તેઓ ભેગા થયેલા હતા. તે ત્યાં તેની દ્રાક્ષાવાડીમાં કામ કરવા માટે મજૂરો ભાડે રાખવા માટે ગયો હતો.
\v 2 તેણે જે માણસોને ભાડે રાખ્યા તેઓને વચન આપ્યું કે તે તેમને એક દિવસ કામ કરવા માટેના ધોરણ મુજબનું વેતન આપશે. પછી તેણે તેઓને તેની દ્રાક્ષાવાડીમાં મોકલ્યા.
\s5
\v 3 સવારના નવ વાગ્યે તે ફરીથી બજારમાં ગયો. ત્યાં તેણે જેમની પાસે કામ ન હોય તેવા વધારે માણસો જોયા.
\v 4 તેણે તેઓને કહ્યું, 'બીજા માણસોની જેમ તમે પણ મારી દ્રાક્ષાવાડીમાં જાઓ, અને ત્યાં કામ કરો. હું તમને જે કંઈ યોગ્ય હશે તે વેતન આપીશ.' તેથી તેઓ પણ તેની દ્રાક્ષાવાડીમાં ગયા અને કામ કરવાનું શરૂ કર્યું.
\s5
\v 5 બપોરે ત્રણ વાગ્યે ફરીથી તે બજારમાં ગયો અને તેને બીજા મજૂરો મળ્યા કે જેમને તેણે વાજબી વેતન આપવાનું વચન આપ્યું.
\v 6 પાંચ વાગ્યે તે ફરીથી બજારમાં ગયો અને ત્યાં કેટલાક માણસોને ઊભેલા જોયા કે જેઓની પાસે કામ ન હતું. તેણે તેઓને કહ્યું, 'તમે આખો દિવસ અહીં કેમ ઊભા છો અને કામ કરતા નથી?'
\v 7 તેઓએ તેને કહ્યું, 'કારણ કે કોઈએ અમને કામ કરવા રાખ્યા નહિ.' તેણે તેમને કહ્યું, "હું તમને મજૂરી કરવા રાખીશ. બીજા માણસોની જેમ મારી દ્રાક્ષાવાડીમાં જાઓ, અને ત્યાં કામ કરો.' તેથી તેઓ ગયા.
\p
\s5
\v 8 જ્યારે સાંજ પડી ત્યારે, દ્રાક્ષાવાડીના માલિકે તેના સંચાલકને કહ્યું, 'માણસોને બોલાવ કે જેથી તું તેઓને તેમનું વેતન આપે. પ્રથમ, જેઓએ છેલ્લે કામ કરવાનું શરૂ કર્યું છે તેઓને ચૂકવજે, અને જે લોકોએ પહેલાં કામ કરવાનું શરૂ કર્યું તેઓને છેલ્લે ચૂકવજે.'
\v 9 જે દરેકે બપોરના પાંચ વાગ્યા પછી કામ કરવાનું શરૂ કર્યું હતું તેમને સંચાલકે ધોરણ મુજબનું એક દિવસનું વેતન ચૂકવ્યું.
\v 10 જે લોકોએ વહેલી સવારથી કામ કરવાનું શરૂ કર્યું હતું તેઓ તેમનું વેતન લેવા ગયા, ત્યારે તેઓએ વિચાર્યું કે તેઓને ધોરણ મુજબનાં વેતન કરતા વધારે મળશે. પરંતુ તેઓને પણ ધોરણ મુજબનું જ વેતન મળ્યું.
\s5
\v 11 તેથી તેઓએ દ્રાક્ષાવાડીનાં માલિકને ફરિયાદ કરી કારણ કે તેઓને લાગ્યું કે તેમની ચૂકવણી ગેરવાજબી હતી.
\v 12 તેઓએ તેને કહ્યું, 'તમે ઉચિત રીતે વર્તી રહ્યા નથી! જે માણસોએ અમારા પછી કામ કરવાનું શરૂ કર્યું તેમણે માત્ર એક જ કલાક કામ કર્યું! તેં અમને જેટલું ચૂકવ્યું તેટલું જ વેતન તેઓને પણ ચૂકવ્યું! પરંતુ અમે આખો દિવસ સખત મહેનત કરી છે. અમે દિવસના સૌથી ગરમ સમયમાં પણ કામ કર્યું!'
\s5
\v 13 જેઓએ ફરિયાદ કરી તેઓમાંના એકને દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું, 'મિત્ર, મેં તારી સાથે ગેરવાજબી વર્તાવ કર્યો નથી. તું મારી સાથે એક દિવસના ધોરણ મુજબના વેતન પ્રમાણે આખો દિવસ કામ કરવા સંમત થયો હતો.
\v 14 મને ફરિયાદ કરવાનું બંધ કર! તારું વેતન લે અને જા! જે માણસોએ તમે બધાએ કામ કરવાનું શરૂ કર્યા પછી કામ કરવાનું શરૂ કર્યું તેમને હું તમને જેટલું વેતન આપ્યું તેટલું જ આપવા માગુ છું.
\s5
\v 15 મારાં નાણાંં મારી ઇચ્છા પ્રમાણે વાપરવાનો મને ચોક્કસપણે અધિકાર છે, શું મને અધિકાર નથી? મારી ઉદારતા વિષે તારે ઈર્ષા કરવાની હોય નહિ!'"
\v 16 "તેવી જ રીતે, હમણાં જેઓ બિનમહત્વપૂર્ણ લાગે છે તેવાં લોકોને ઈશ્વર સારો બદલો આપશે, અને જેઓ હમણાં મહત્વપૂર્ણ લાગે છે તેવા લોકોને ઈશ્વર સારો બદલો આપશે નહિ."
\p
\s5
\v 17 જ્યારે ઈસુ બાર શિષ્યો સાથે યરુશાલેમ જવાના રસ્તા પર ચાલી રહ્યા હતા, ત્યારે તેઓ તેમની સાથે એકાંતમાં વાત કરવા તેમને એક સ્થળે લઇ ગયા. પછી તેમણે તેઓને કહ્યું,
\v 18 "ધ્યાનથી સાંભળો! આપણે હમણાં યરુશાલેમ જઈએ છીએ. આપણે ત્યાં હોઈશું, ત્યારે મુખ્ય યાજકો અને જેઓ યહૂદી નિયમ શીખવે છે તે માણસો મને, માણસના દીકરાને, પકડે માટે કોઈક વ્યક્તિ તેઓને મદદ કરશે અને તેઓ મારા પર મુકદ્દમો ચલાવશે. તેઓ મારો તિરસ્કાર કરશે અને કહેશે કે મારે મરણ પામવું જોઈએ.
\v 19 પછી તેઓ મને બિન-યહૂદીઓના હાથમાં સોંપશે કે જેથી તેઓ મારી મજાક ઉડાવી શકે, કોરડા મારી શકે, અને વધસ્તંભે ખીલાએ જડીને મને મારી નાખી શકે. પરંતુ તે પછીના ત્રીજા દિવસે, ઈશ્વર મને સજીવન કરશે."
\p
\s5
\v 20 ત્યાર પછી ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાનની મા, તેના બે દીકરાઓને ઈસુ પાસે લાવી. તે ઈસુની આગળ નમી અને તેમને તેની તરફેણ કરવા કહ્યું.
\v 21 ઈસુએ તેને કહ્યું, "તું શું ઇચ્છે છે કે તે હું તારા માટે કરું?" તેણે તેમને કહ્યું, "જ્યારે તમે રાજા બનો ત્યારે મારા આ બે દીકરાઓને સૌથી આદરણીય જગ્યાએ બેસવા માટે પસંદ કરજો, એકને તમારે જમણે હાથે અને બીજાને તમારે ડાબે."
\s5
\v 22 ઈસુએ તેને અને તેના દીકરાઓને કહ્યું, "તમે શું માગી રહ્યા છો તે તમે સમજતાં નથી. જેમ હું સહન કરવાનો છું તેમ શું તમે સહન કરી શકશો?" યાકૂબ અને યોહાને તેમને જવાબ આપ્યો, "હા, અમે તેમ કરવા સક્ષમ છીએ."
\v 23 પછી ઈસુએ તેઓને કહ્યું, "હા, હું જેમ સહન કરીશ તેમ તમે પણ સહન કરશો. પરંતુ કોણ મારી બાજુમાં બેસશે અને કોણ મારી સાથે રાજ કરશે તે પસંદ કરનાર હું નથી. ઈશ્વર, મારા પિતા, જેઓને નીમશે તેઓને તે જગ્યાઓ આપશે."
\p
\v 24 યાકૂબ અને યોહાને જે વિનંતી કરી હતી તે જ્યારે બીજા દસ શિષ્યોએ સંભાળ્યું ત્યારે તેઓ તેમના પર ખૂબ ગુસ્સે થયા કારણ કે તેઓ પણ ઈસુ સાથે સૌથી આદરણીય સ્થાનો પરથી રાજ કરવા ઇચ્છતા હતા.
\s5
\v 25 તેથી ઈસુએ તે સર્વને બોલાવ્યા અને તેઓને કહ્યું, "તમે જાણો છો કે જેઓ બિન-યહૂદીઓ પર રાજ કરે છે તેઓ પોતે શક્તિશાળી છે તેવું તેમને બતાવવામાં આનંદ અનુભવે છે. તેઓના મુખ્ય શાસકો તેમની હેઠળના લોકો પર હુકમ ચલાવવામાં આનંદ અનુભવે છે.
\v 26 તમારે તેઓના જેવા થવું જોઈએ નહિ. તેનાથી વિરુદ્ધ, તમારામાંના દરેક જેઓ ઇચ્છે છે કે ઈશ્વર તેમને મહાન ગણે તેમણે બાકી બધાના ચાકર થવું જોઈએ.
\v 27 હા, અને તમારામાંના દરેક જેઓ ઇચ્છે છે કે ઈશ્વર તેમને સૌથી મહત્વનાં ગણે તેમણે બાકી બધાનાં સેવક થવું જોઈએ.
\v 28 તમારે મારું અનુસરણ કરવું જોઈએ. હું માણસનો દીકરો છું તેમ છતાં, હું બીજાઓ પાસે મારી સેવા કરાવવા આવ્યો નથી. તેનાથી વિરુદ્ધ, હું તેઓની સેવા કરવા માટે અને તેઓને મારી હત્યા કરવાની અનુમતિ આપવા માટે આવ્યો છું, કે જેથી મારું મરણ પામવું તે ઘણા લોકોને તેમના પાપની શિક્ષામાંથી બચાવવા માટેની ચૂકવણી જેવું થાય."
\p
\s5
\v 29 જ્યારે તેઓ યરીખો શહેરથી જઈ રહ્યા હતા, ત્યારે લોકોનું એક મોટું ટોળું તેમની પાછળ ગયું.
\v 30 જ્યારે તેઓ ચાલતા હતા, ત્યારે તેઓએ બે અંધ માણસોને રસ્તાની બાજુએ બેઠેલાં જોયા. જ્યારે લોકોએ સાંભળ્યું કે ઈસુ પસાર થઇ રહ્યા છે, ત્યારે તેઓએ તેમને બૂમ પાડી, "પ્રભુ, દાઉદ રાજાના વંશજ, તમે મસીહ છો! અમારા પર દયા કરો!"
\v 31 ટોળામાંના લોકોએ તેમને ધમકાવ્યા અને તેમને શાંત રહેવા કહ્યું. પરંતુ અંધજનોએ વધારે જોરથી બૂમ પાડી, "પ્રભુ, દાઉદ રાજાના વંશજ, તમે મસીહ છો! અમારા પર દયા કરો!"
\s5
\v 32 ઈસુ થોભ્યા અને તેઓને પોતાની પાસે આવવા માટે બોલાવ્યા. પછી તેઓએ તેમને કહ્યું, "તમે શું ઈચ્છો છો કે તે હું તમારા માટે કરું?"
\v 33 તેઓએ તેમને કહ્યું, "પ્રભુ, અમારી આંખો સાજી કરો કે જેથી અમે જોઈ શકીએ!"
\v 34 ઈસુ તેઓને માટે દિલગીર થયા અને તેઓની આંખોને સ્પર્શ્યા. તેઓ તરત જ દેખતા થયા અને ઈસુની પાછળ ગયા.
\s5
\c 21
\p
\v 1-2 ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમ નજીક પહોંચ્યા કે તેઓ જૈતૂનના પહાડ પાસેના, બેથફાગે ગામમાં ગયા. ઈસુએ તેમના શિષ્યોમાંના બે ને કહ્યું, "તમારી સામેના ગામમાં જાઓ. જેવા તમે તેમાં પ્રવેશશો, કે તમે એક ગધેડી અને તેના વછેરાને બાંધેલાં જોશો. તેમને છોડીને અહીં મારી પાસે લાવો.
\v 3 તમે જે કરો છો તે વિષે જો કોઈપણ તમને પૂછે, તો તેને કહેજો, 'પ્રભુને તેમની જરૂર છે.' પછી તે તમને તેને લઈ જવા દેશે."
\s5
\v 4-5 જ્યારે આ બધું બન્યું, ત્યારે એક પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું ઠર્યું. તે પ્રબોધકે લખ્યું હતું, "યરુશાલેમમાં રહેતા લોકોને કહો, 'જુઓ! તમારા રાજા તમારી પાસે આવે છે! તેઓ નમ્રતાથી આવશે. તેઓ બતાવશે કે તેઓ નમ્ર છે, કારણ કે તેઓ ગધેડાના બચ્ચા, વછેરા પર સવાર થઈને આવશે.'"
\p
\s5
\v 6 તેથી તે બે શિષ્યો ગયા અને પ્રભુએ તેમને જે કરવા કહ્યું હતું તે કર્યું.
\v 7 તેઓ ગધેડી અને તેના વછેરાને ઈસુની પાસે લાવ્યા. તેઓએ તેમના બેસવાનું આસન બનાવવા માટે પોતાના ઝભ્ભા તેના પર મૂક્યા. પછી ઈસુ તેના પર સવાર થયા.
\v 8 ત્યારપછી મોટાં ટોળાએ પોતાનાં ઉપવસ્ત્રો રસ્તા પર પાથર્યાં, અને બીજા લોકોએ ખજૂરીના વૃક્ષોની ડાળીઓ કાપી અને તેને રસ્તા પર પાથરી.
\s5
\v 9 ટોળામાં જેઓ તેમની આગળ પાછળ ચાલતા હતા તેઓ બૂમો પાડી રહ્યા હતા,
\q "દાઉદ રાજાના વંશજ, ખ્રિસ્તની સ્તુતિ થાઓ!"
\q "ઈશ્વરના પ્રતિનિધિ તરીકે અને ઈશ્વરના અધિકારથી આ જે આવે છે તેને પ્રભુ ઈશ્વર આશીર્વાદિત કરો."
\q "સર્વોચ્ચ સ્વર્ગમાંના ઈશ્વરની સ્તુતિ થાઓ!"
\m
\v 10 જ્યારે ઈસુ યરુશાલેમમાં પ્રવેશ્યા, ત્યારે આખા શહેરમાંથી પુષ્કળ લોકો ઉત્સાહિત થઈને કહેવા લાગ્યા, "શા માટે તેઓ આ માણસને આવું માન આપે છે?"
\v 11 જે ટોળું તેમને અનુસરી રહ્યું હતું તેણે જવાબ આપ્યો, "આ ઈસુ, ગાલીલમાંના નાસરેથના પ્રબોધક છે!"
\p
\s5
\v 12 પછી ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં ગયા અને ત્યાં જેઓ ખરીદતા કે વેચતા હતા તેઓ બધાંને બહાર કાઢી મૂક્યા. જેઓ ભક્તિસ્થાનના કરનાં નાણાં માટે રોમન સિક્કાઓ બદલતાં હતા તેઓની મેજ અને જેઓ બલિદાન માટે કબૂતરો વેચતા હતા તેઓનાં બાજઠો પણ તેમણે ઊંધા પાડ્યાં.
\v 13 ત્યારબાદ તેમણે તેઓને કહ્યું, "પ્રબોધકે શાસ્ત્રવચનમાં લખ્યું છે કે ઈશ્વરે કહ્યું, 'હું ઇચ્છું છું કે મારું ઘર એક એવું સ્થળ બને કે જ્યાં લોકો મને પ્રાર્થના કરે,' પરંતુ તમે લોકોએ તેને જ્યાં લૂંટારાઓ એકઠા થાય તેવું સ્થળ બનાવી દીધું છે!"
\p
\v 14 તે પછી, ઘણાં અંધ અને અપંગ લોકો ભક્તિસ્થાનમાં ઈસુની પાસે આવ્યા કે જેથી તેઓ તેમને સાજા કરે, અને ઈસુએ તેમ કર્યું.
\s5
\v 15 ઈસુએ જે અદ્દભુત કાર્યો કર્યા તે, પ્રમુખ યાજક અને જે માણસો લોકોને યહૂદી નિયમ શીખવતા હતા તેઓએ જોયાં. ભક્તિસ્થાનમાં તેમણે બાળકોને પણ, "અમે દાઉદ રાજાના વંશજ, મસીહની સ્તુતિ કરી છીએ!" તેમ બૂમો પાડતાં જોયાં. તેથી તેઓ ક્રોધે ભરાયા.
\v 16 તેઓએ તેમને પૂછ્યું, "તમે આ કેવી રીતે સહન કરી શકો છો? આ લોકો જે બૂમો પાડી રહ્યા છે તે શું તમે સાંભળો છો?" પછી ઈસુએ તેઓને કહ્યું, "હા, હું સાંભળું છું, પરંતુ મારી સ્તુતિ કરતાં બાળકો વિશે શાસ્ત્રોમાં જે તમે વાંચ્યું હતું તે જો તમને યાદ હોત, તો તમે એ જાણતા હોત કે ઈશ્વર તેઓનાથી પ્રસન્ન છે. ગીતકર્તાએ ઈશ્વરને કહેતાં, લખ્યું છે, 'તમે નવજાત અને અન્ય બાળકોને તમારી સ્તુતિ સંપૂર્ણપણે કરતાં શીખવ્યું છે.'"
\p
\v 17 પછી ઈસુ તે શહેર છોડીને ગયા. શિષ્યો તેમની સાથે બેથાનિયા ગામમાં ગયા, અને તે રાતે તેઓ ત્યાં રહ્યા.
\p
\s5
\v 18 બીજે દિવસે વહેલી સવારે જ્યારે તેઓ શહેરમાં પાછા જઈ રહ્યા હતા, ત્યારે ઈસુ ભૂખ્યા થયા.
\v 19 તેઓએ રસ્તાની નજીક એક અંજીરનું વૃક્ષ જોયું, તેથી ખાવા માટે કેટલાંક અંજીર તોડવા તેઓ તેની પાસે ગયા. પરંતુ જ્યારે તેઓ નજીક ગયા, ત્યારે તેમણે જોયું કે વૃક્ષ પર અંજીર ન હતાં, પરંતુ માત્ર પાંદડા જ હતાં. તેથી તેમણે અંજીરના વૃક્ષને કહ્યું, "તું ફરી કદી અંજીર ન ઉપજાવે!" તેના પરિણામે, તે અંજીરનું વૃક્ષ તરત જ સુકાઈ ગયું.
\s5
\v 20 બીજે દિવસે શિષ્યોએ જોયું કે તે અંજીરનું વૃક્ષ સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું. તેઓ આશ્ચર્ય પામ્યા અને ઈસુને કહ્યું, "અંજીરનું વૃક્ષ આટલું ઝડપથી કેવી રીતે સુકાઈ ગયું?"
\v 21 ઈસુએ તેઓને કહ્યું, "આ વિષે વિચાર કરો: જો તમે વિશ્વાસ કરો કે ઈશ્વર પાસે તમે જે માંગ્યું છે તે તેઓ કરશે અને તે વિષે શંકા ન કરો તો, મેં આ વૃક્ષને જે કર્યું છે તેના જેવી બાબતો કરવા તમે શક્તિમાન બનશો. તમે એવી અદ્દભુત બાબતો કરવા માટે પણ શક્તિમાન બનશો જેમ કે તમે પેલી ટેકરીને કહેશો, 'પોતાને જડમૂળથી ઉખાડીને સમુદ્રમાં ફેંકાઈ જા,' અને તેમ થશે!
\v 22 તેથી વધુ, જ્યારે પણ તમે ઈશ્વર પાસે કંઇક માગવા માટે પ્રાર્થના કરો, ત્યારે જો તમે એવો વિશ્વાસ કરો કે તેઓ તમને તે આપશે, તો તમે તે તેમની પાસેથી પામશો."
\p
\s5
\v 23 તે પછી, ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં ગયા. જ્યારે તેઓ લોકોને શીખવી રહ્યા હતા, ત્યારે મુખ્ય યાજકો અને લોકોના વડીલો તેમની પાસે ગયા. તેમણે પૂછ્યું, "તમે આ બધી બાબતો કયા અધિકારથી કરી રહ્યા છો? તમે ગઈકાલે અહીં જે કર્યું તે કરવાનો અધિકાર તમને કોણે આપ્યો?"
\v 24 ઈસુએ તેઓને કહ્યું, "હું પણ તમને એક પ્રશ્ન પૂછીશ, અને જો તમે મને તેનો જવાબ આપો, તો હું તમને કહીશ કે આ બધી બાબતો કરવાનો અધિકાર મને કોણે આપ્યો છે.
\s5
\v 25 યોહાન બાપ્તિસ્મીની પાસે જેઓ આવતા હતા તેમને બાપ્તિસ્મા આપવાનો અધિકાર તેને ક્યાંથી મળ્યો હતો? શું તેને તે ઈશ્વર તરફથી મળ્યો હતો કે લોકો તરફથી?' મુખ્ય યાજકો અને વડીલોએ શો જવાબ આપવો તે વિષે માંહોમાંહે એકબીજા સાથે ચર્ચા કરી. તેઓએ એકબીજાને કહ્યું, "જો આપણે કહીએ, 'તે ઈશ્વર તરફથી હતો,' તો તે આપણને કહેશે, 'તો પછી તમારે તેના સંદેશ પર વિશ્વાસ કરવો જોઈતો હતો!'
\v 26 પરંતુ જો આપણે કહીએ, 'તે લોકો તરફથી હતો,' તો કદાચ ટોળું આપણી વિરુદ્ધ હિંસક રીતે વર્તે, કારણ કે બધા જ લોકો માને છે કે યોહાન ઈશ્વર દ્વારા મોકલાવમાં આવેલો પ્રબોધક હતો."
\v 27 તેથી તેમણે ઈસુને જવાબ આપ્યો, "યોહાનને ક્યાંથી અધિકાર મળ્યો તે અમે જાણતા નથી." પછી ઈસુએ તેઓને કહ્યું, "કેમ કે તમે મારા પ્રશ્નનો જવાબ નથી આપ્યો, માટે મેં જે બાબતો અહીં ગઈકાલે કરી તે કરવા માટે મને કોણે અધિકાર આપ્યો તે હું તમને કહીશ નહિ."
\p
\s5
\v 28 "હું તમને જે કહેવાનો છું તે વિષે તમે શું વિચારો છો તે મને કહો. એક માણસ હતો જેને બે દીકરા હતા. તે તેના મોટા દીકરા પાસે ગયો અને કહ્યું, 'મારા દીકરા, જા અને આજે મારી દ્રાક્ષાવાડીમાં કામ કર!'
\v 29 પરંતુ દીકરાએ તેના પિતાને કહ્યું, 'હું જઈશ નહીં!' પરંતુ પછીથી તેણે પોતાનો વિચાર બદલ્યો, અને તે દ્રાક્ષાવાડીમાં ગયો અને કામ કર્યું.
\v 30 ત્યારપછી પિતા તેના નાના દીકરા પાસે ગયો અને મોટા દીકરાને જે કહ્યું હતું તે તેને કહ્યું. તે દીકરાએ કહ્યું, 'સાહેબ, હું જઈશ અને આજે દ્રાક્ષાવાડીમાં કામ કરીશ.' પરંતુ તે ત્યાં ગયો નહિ.
\s5
\v 31 તેથી તે માણસના બે દીકરામાંથી કોણે તેમના પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું?" તેઓએ જવાબ આપ્યો, "મોટા દીકરાએ." પછી ઈસુએ તેઓને કહ્યું, "તેથી આ વિષે વિચાર કરો: ઈશ્વર તમારા પર રાજ કરવા સંમત થાય તેના કરતા કર ઉઘરાવનારા અને ગણિકાઓ પર રાજ કરવા ઝડપથી સંમત થશે અને તે દ્વારા દયા દર્શાવશે. જો કે તમે એવા લોકોનો તિરસ્કાર કરો છો કારણ કે તેઓ મૂસાના નિયમને અવગણે છે તો પણ તે સાચું છે.
\v 32 હું તમને આ કહું છું કારણ કે, યોહાન બાપ્તિસ્મીએ તમને સમજાવ્યું કે કેવી રીતે સાચા માર્ગે જીવવું તે છતાં, તમે તેના સંદેશ પર વિશ્વાસ કર્યો નહિ. પરંતુ કર ઉઘરાવનારાએ અને ગણિકાઓએ તેના સંદેશ પર વિશ્વાસ કર્યો, અને તેઓ તેમના પાપી વર્તનથી પાછા ફર્યા. તેનાથી વિરુદ્ધ, તમે જોયું કે તેઓ બદલાયા છે તેમ છતાં, તમે પાપ કરવાનું બંધ કરવાનો ઇનકાર કર્યો, અને તમે યોહાનના સંદેશ પર વિશ્વાસ કર્યો નહિ."
\p
\s5
\v 33 "હું તમને જે બીજું ઉદાહરણ કહું તે સાંભળો. એક જમીનદાર હતો જેણે દ્રાક્ષાવાડી રોપી. તેણે તેની આસપાસ વાડ બાંધી. તેણે દ્રાક્ષમાંથી નીકળતા રસને એકઠો કરવા માટે એક જગ્યા તૈયાર કરી. તેણે એક બુરજ પણ બાંધ્યો કે જેમાં બેસીને કોઈ દ્રાક્ષાવાડીની ચોકી કરી શકે. તે દ્રાક્ષાવાડીની સંભાળ રાખી શકે તેવા અને બદલામાં તેને થોડી દ્રાક્ષ આપે તેવા માણસોને તેણે તે ભાડે આપી. પછી તે બીજા દેશમાં ગયો.
\v 34 જ્યારે દ્રાક્ષ ઉતારવાનો સમય આવ્યો, ત્યારે તેણે તેના કેટલાક ચાકરોને જે માણસો તેની દ્રાક્ષાવાડીની સંભાળ રાખતા હતા તેઓની પાસે દ્રાક્ષાવાડીએ ઉત્પન્ન કરેલી દ્રાક્ષમાંથી તેનો હિસ્સો લેવા માટે મોકલ્યા.
\s5
\v 35 પરંતું ભાડુઆતોએ ચાકરોને પકડી લીધા. તેઓમાંના એકને તેઓએ માર્યો, બીજાને તેઓએ મારી નાખ્યો, અને તેઓમાંના ત્રીજાને પથ્થરો મારીને મારી નાખ્યો.
\v 36 તેથી જમીનદારે અગાઉ મોકલ્યા હતા તેના કરતાં વધારે ચાકરો મોકલ્યા. ભાડુઆતોએ તે ચાકરો સાથે પણ અગાઉના ચાકરો સાથે કર્યો હતો તેવો જ વર્તાવ કર્યો.
\v 37 આ સાંભળ્યા પછી, જમીનદારે તેના પોતાના દીકરાને ભાડુઆતો પાસે પોતાની દ્રાક્ષનો હિસ્સો લેવા માટે મોકલ્યો. જ્યારે તેણે તેને મોકલ્યો, ત્યારે તેણે પોતાને કહ્યું, 'તેઓ મારા દીકરાને ચોક્કસ માન આપશે અને તેને મારી દ્રાક્ષનો હિસ્સો આપશે.'
\s5
\v 38 પરંતુ જ્યારે ભાડુઆતોએ તેના દીકરાને આવતો જોયો, ત્યારે તેઓએ એકબીજાને કહ્યું, 'આ માણસ તો દ્રાક્ષાવાડીનો વારસ બનશે! ચાલો આપણે ભેગા મળીને તેને મારી નાખીએ અને આપણી મધ્યે તે સંપત્તિના ભાગ કરી લઈએ.'
\v 39 તેથી તેઓએ તેને પકડ્યો, દ્રાક્ષાવાડીની બહાર ઢસડી ગયા, અને મારી નાખ્યો.
\s5
\v 40 હવે હું તમને પૂછું છું, જ્યારે જમીનદાર તેની દ્રાક્ષાવાડીમાં પાછો ફરશે, ત્યારે તે ભાડુઆતોનું જે કરશે તે વિષે તમે શું વિચારો છો?"
\v 41 લોકોએ જવાબ આપ્યો, "જમીનદાર તે દુષ્ટ માણસોનો સંપૂર્ણપણે નાશ કરશે! પછી તે દ્રાક્ષાવાડી બીજાઓને ભાડે આપશે કે જ્યારે દ્રાક્ષ પાકે ત્યારે તેઓ તેને તેનો હિસ્સો આપે."
\s5
\v 42 ઈસુએ તેઓને કહ્યું, "શાસ્ત્રવચનમાં તમે આ શબ્દો વાંચો છો તેના વિષે તમારે ધ્યાનથી વિચારવાની જરૂર છે:
\q 'જે માણસો એક મોટી ઇમારત બાંધતા હતા તેઓએ એક નિશ્ચિત પથ્થરને પડતો મૂક્યો. પરંતુ બીજાઓએ તે જ પથ્થરને તેના યોગ્ય સ્થાને મૂકયો, અને તે ઇમારતનો સૌથી મુખ્ય પથ્થર બન્યો. પ્રભુએ આ કર્યું છે, અને જ્યારે આપણે તેને જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય અનુભવીએ છીએ.'
\p
\s5
\v 43 તેથી હું તમને આ કહું છું: ઈશ્વર હવે પછીથી તમને પોતાના લોકો તરીકે રહેવા દેશે નહિ. તેના બદલે, ઈશ્વર જે કરાવવા ઇચ્છે તે બાબતો જે લોકો કરે છે તેઓને તેઓ પોતાના લોકો તરીકે લેશે.
\v 44 જે કોઈ આ પથ્થર પર પડશે તેના ટુકડા થઈ જશે, અને આ પથ્થર જે કોઈના પર પડશે તેને તે છૂંદી નાખશે."
\p
\s5
\v 45 જ્યારે મુખ્ય યાજકો અને વડીલો કે જેઓ ફરોશીઓ હતા તેમણે આ ઉદાહરણ સાંભળ્યું, ત્યારે તેઓને ભાન થયું કે તેઓ તેમના પર આરોપ મૂકી રહ્યા હતા કારણ કે તે મસીહ છે તેવો વિશ્વાસ તેઓ કરતા ન હતા.
\v 46 તેઓ તેમની ધરપકડ કરવા માગતા હતા, પરંતુ તેમણે તેમ કર્યું નહીં કારણ કે જો તેઓ તેમ કરે તો લોકોનું ટોળું શું કરી નાખે તેનાથી તેઓ ડરતા હતા, કારણ કે ટોળું માનતું હતું કે ઈસુ પ્રબોધક છે.
\s5
\c 22
\p
\v 1 પછી ઈસુએ યહૂદી આગેવાનોને બીજાં ઉદાહરણો કહ્યાં. તેમાંનું એક આ ઉદાહરણ છે.
\v 2 "સ્વર્ગમાંથી શાસન કરતા ઈશ્વર એક રાજા જેવા છે જેણે પોતાના ચાકરોને કહ્યું કે તેઓએ તેના દીકરાના લગ્નજમણની તૈયારી કરવી જોઈએ.
\v 3 જ્યારે જમણ તૈયાર થઇ ગયું, ત્યારે રાજાએ પોતે જેઓને આમંત્રણ આપ્યું હતું તેઓને એવું કહેવા તેના ચાકરોને મોકલ્યા કે તેમનો લગ્નજમણમાં આવવાનો સમય થઇ ગયો છે. ચાકરો બહાર ગયા અને લોકોને કહ્યું. પરંતુ જેઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા તેઓ આવવા ઇચ્છતા ન હતા.
\s5
\v 4 તેથી રાજાએ ફરીથી બીજા ચાકરોને મોકલ્યા કે તેઓ તેમને જમણમાં આવવા માટે કહે. તેણે તે ચાકરોને કહ્યું, 'જે લોકોને મેં જમણમાં આવવા માટે આમંત્રિત કર્યા છે તેઓને કહો, "રાજા તમને આ કહે છે, 'મેં જમણ તૈયાર કર્યું છે. માતેલાં પશુઓને કાપીને રાંધવામાં આવ્યા છે. બધું જ તૈયાર છે. હવે સમય છે કે તમે લગ્નજમણમાં આવો.'"'
\s5
\v 5 પરંતુ જ્યારે ચાકરોએ તેમને તેમ કહ્યું, ત્યારે તેઓએ ચાકરોએ જે કહ્યું તેની અવગણના કરી. તેમાંના કેટલાક પોતાના ખેતરોમાં ગયા. બીજા તેમના વેપારના સ્થળે ગયા.
\v 6 તેઓમાંના બાકીનાઓએ રાજાના ચાકરોને પકડ્યા, તેઓની સાથે ગેરવર્તાવ કર્યો, અને તેમને મારી નાખ્યા.
\v 7 જે બન્યું હતું તે જ્યારે રાજાએ સાંભળ્યું, ત્યારે તે કોપાયમાન થયો. તેણે તેના સૈનિકોને જઈને તે ખૂનીઓને મારી નાખીને તેઓના શહેરને સળગાવી દેવા માટે આદેશ આપ્યો.
\s5
\v 8 તેના સૈનિકોએ તેવું કર્યું પછી, રાજાએ તેના બીજા ચાકરોને કહ્યું, 'મેં લગ્ન જમણ તૈયાર કર્યું છે, પરંતુ જે લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા તેઓ તે માટે લાયક નથી.
\v 9 તેથી મુખ્ય રસ્તાઓનાં નાકા પર જાઓ. તમને જે કોઈ મળે તેમને કહો કે તેઓ લગ્ન જમણમાં આવે.'
\v 10 તેથી ચાકરો ત્યાં ગયા, અને જે મળે તે સર્વને તેઓએ ભેગા કર્યા. તેઓએ સારા અને ખરાબ બન્ને પ્રકારના લોકોને ભેગા કર્યા. તેઓ તેમને જ્યાં લગ્નજમણ શરૂ થવાનું હતું તે ખંડમાં લાવ્યા. ખંડ લોકોથી ભરેલો હતો.
\s5
\v 11 પરંતુ જ્યારે રાજા મહેમાનોને જોવા ખંડમાં ગયો, ત્યારે તેણે કોઈકને મહેમાનોને લગ્ન જમણમાં પહેરવા માટે આપેલાં વસ્ત્રો પહેરેલો જોયો નહિ.
\v 12 રાજાએ તેને કહ્યું, 'મિત્ર, તારે આ ખંડમાં ક્યારેય પ્રવેશવું જોઈતું ન હતું, કારણ કે લગ્નજમણમાં મહેમાનોએ જે વસ્ત્રો પહેરવાં જોઈએ તે તેં પહેર્યાં નથી!' તે માણસે કંઈ જ કહ્યું નહિ, કારણ કે શું કહેવું તે, તે જાણતો ન હતો.
\s5
\v 13 પછી રાજાએ તેના ચાકરોને કહ્યું, 'આ વ્યક્તિના હાથપગ બાંધી દો અને તેને બહાર જ્યાં સંપૂર્ણ અંધકાર છે, જ્યાં લોકો પીડાને કારણે રડે છે અને તેમના દાંત પીસે છે ત્યાં ફેંકી દો."
\v 14 ત્યારબાદ ઈસુએ કહ્યું, "આ ઉદાહરણનો મુદ્દો એ છે કે ઈશ્વરે તેમની પાસે આવવા માટે ઘણાને આમંત્રિત કર્યા છે, પરંતુ ખૂબ થોડા લોકો છે કે જેમને તેમણે ત્યાં રહેવા માટે પસંદ કર્યા છે.'
\p
\s5
\v 15 ઈસુએ તે કહ્યું પછી, ફરોશીઓ એવી યોજના બનાવવા માટે ભેગા મળ્યા કે તેઓ તેમને એવું કંઇક બોલવા માટે મજબૂર કરે કે જેથી તેઓ તેમના પર આરોપ મૂકી શકે.
\v 16 તેઓએ તેમની પાસે પોતાના કેટલાક શિષ્યોને અને જેઓ હેરોદના પક્ષના હતા તેઓને મોકલ્યા. તેઓએ ઈસુને કહ્યું, "ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સત્યવાદી છો અને ઈશ્વર અમારી પાસેથી શું કરાવવા ઇચ્છે છે તે વિષે તમે અમને સત્ય શીખવો છો. અમે એ પણ જાણીએ છીએ કે કોઈ તમારા વિષે કંઇક કહે તેને કારણે તમે તમારું શિક્ષણ બદલતા નથી, પછી ભલે તે ગમે તેટલી મોટી વ્યક્તિ હોય.
\v 17 તેથી અમને કહો કે આ બાબત વિષે તમે શું વિચારો છો: અમે રોમન સરકારને કર આપીએ છીએ તે શું યોગ્ય છે, કે નહીં?"
\s5
\v 18 પરંતુ ઈસુ જાણતા હતા કે તેઓ ખરેખર જે કરવા ઇચ્છે છે તે દુષ્ટતા છે. તેઓ ઇચ્છતા હતા કે ઈસુ એવું કંઈક કહે કે જે તેમને યહૂદી સત્તાવાળાઓ અથવા રોમન સત્તાવાળાઓ સાથે મુશ્કેલીમાં મૂકે. તેથી તેમણે તેઓને કહ્યું, "તમે ઢોંગીઓ છો; તમે ઇચ્છો છો કે હું એવું કંઈક કહું કે જેથી તમે મારા પર આરોપ મૂકી શકો.
\v 19 લોકો રોમન સરકારને જેનાથી કર ભરે છે તેમાંનો એક સિક્કો મને બતાવો." તેથી તેઓએ તેમને એક સિક્કો જે દીનાર કહેવાય છે તે બતાવ્યો.
\s5
\v 20 તેમણે તેઓને કહ્યું, "આ સિક્કા પર કોની છબી છે? અને તેના પર કોનું નામ છે?"
\v 21 તેઓએ જવાબ આપ્યો, "તેના પર રોમન સરકારના વડા, કાઈસારનું નામ અને છબી છે." પછી તેમણે તેઓને કહ્યું, "તો સરકારનું જે છે તે સરકારને આપો, અને ઈશ્વરનું જે છે તે ઈશ્વરને આપો."
\v 22 જ્યારે તે માણસોએ ઈસુને એવું કહેતા સાંભળ્યા, ત્યારે તેઓને આશ્ચર્ય થયું કે તેમના જવાબે કોઈને તેમના પર આરોપ મૂકવા સમર્થ કર્યા નહિ. પછી તેઓ ઈસુને મૂકીને ચાલ્યા ગયા.
\p
\s5
\v 23 તે જ દિવસ દરમિયાન, કેટલાક સાદુકીઓ ઈસુ પાસે આવ્યા. તેઓ એવા યહૂદી લોક છે જે મરણ પામ્યા પછી લોકો સજીવન થાય છે તેવો વિશ્વાસ કરતા નથી. તેઓએ ઈસુને પૂછ્યું,
\v 24 "ગુરુજી, મૂસાએ શાસ્ત્રોમાં લખ્યું, 'જો કોઈ પુરૂષ જેને બાળકો ન હોય તે મરણ પામે, તો તેના ભાઈએ મરણ પામનાર પુરુષની વિધવા સાથે લગ્ન કરવાં જ જોઈએ કે જેથી તે તેનાથી બાળક મેળવી શકે. તે બાળક જે પુરુષ મરણ પામ્યો તેનું વંશજ ગણાશે, અને તે રીતે મરણ પામેલા પુરુષને વંશજો થશે.'
\s5
\v 25 એક કુટુંબમાં સાત દીકરાઓ હતા. સૌથી મોટાએ કોઈ સ્ત્રી સાથે લગ્ન કર્યાં. તેને અને તેની પત્નીને કોઈ બાળકો ન હતાં, અને તે મરણ પામ્યો. તેથી બીજા ભાઈએ તે વિધવા સાથે લગ્ન કર્યાં. પરંતુ તે પણ બાળક મેળવ્યા વિના મરણ પામ્યો.
\v 26 તે જ બાબત ત્રીજા ભાઈ સાથે, અને બાકીના ચાર ભાઈઓ સાથે બની, કે જેઓએ એક પછી એક તે જ સ્ત્રી સાથે લગ્ન કર્યાં.
\v 27 છેવટે, તે સ્ત્રી પણ મરણ પામી.
\v 28 તેથી, તે સમયે કે જ્યારે ઈશ્વર લોકોને મૂએલાંમાંથી ઉઠાડશે, ત્યારે તમે શું વિચારો છો તે સાતમાનો કયો ભાઈ તેનો પતિ થશે? ધ્યાનમાં રાખો કે તેઓ બધાએ તેની સાથે લગ્ન કર્યા હતા."
\s5
\v 29 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "તમે જે વિચારો છો તેમાં તમે ચોક્કસ ખોટા છો. શાસ્ત્રોમાં શું લખેલું છે તે તમે જાણતા નથી. તમે એ પણ જાણતા નથી કે ઈશ્વર પાસે લોકોને સજીવન કરવાનું સામર્થ્ય છે.
\v 30 હકીકત એ છે કે તે સ્ત્રી તેઓમાંથી કોઈની પણ પત્ની નહિ હોય, કારણ કે ઈશ્વર બધા મરણ પામેલા લોકોને સજીવન કરશે તે પછી, કોઇપણ વ્યક્તિ લગ્ન કરેલી નહીં હોય. તેના બદલે, લોકો સ્વર્ગમાંના દૂતો જેવા હશે. તેઓ લગ્ન કરતા નથી.
\s5
\v 31 પરંતુ મરણ પામેલાના સજીવન થવા વિષે, ઈશ્વરે કંઈક કહ્યું છે. મને ખાતરી છે કે તમે તે વાંચ્યું હશે. ઇબ્રાહિમ, ઇસહાક, અને યાકૂબના મરણ પામ્યાના ઘણા સમય પછી, ઈશ્વરે મૂસાને કહ્યું,
\v 32 'ઇબ્રાહિમે જેની આરાધના કરી, ઇસહાકે જેની આરાધના કરી, અને યાકૂબે જેની આરાધના કરી તે ઈશ્વર હું છું.' મરણ પામેલા લોકો ઈશ્વરની આરાધના કરતા નથી. પરંતુ જીવતા લોકો ઈશ્વરની આરાધના કરે છે. તેથી આપણને ખાતરી છે કે તેમના આત્માઓ હજુ જીવિત છે!"
\p
\v 33 જ્યારે લોકોના ટોળાએ ઈસુને આવું શીખવતા સાંભળ્યા, ત્યારે તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યા.
\p
\s5
\v 34 પરંતુ જ્યારે ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુએ સદૂકીઓને એ રીતે જવાબ આપ્યો કે જેથી સદૂકીઓ તેમને શો પ્રત્યુત્તર આપવો તે વિચારી પણ ન શકે, ત્યારે ફરોશીઓ ઈસુને શું કહેવું તેની યોજના કરવા ભેગા થયા. પછી તેઓ ઈસુની પાસે ગયા.
\v 35 તેઓમાંનો એક એ માણસ હતો, કે જેણે ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા હતા તેનો સારો અભ્યાસ કર્યો હતો. તે ઈસુ સાથે વાદવિવાદ કરવા ઇચ્છતો હતો. તેણે તેમને પૂછ્યું,
\v 36 "ગુરુજી, ઈશ્વરે મૂસાને આપેલા નિયમોમાંથી કઈ આજ્ઞા સૌથી મહત્વની છે?"
\s5
\v 37 ઈસુએ શાસ્ત્રમાંથી ટાંકતા ઉત્તર આપ્યો, "તારે પ્રભુ તારા ઈશ્વરને તારા પૂરા મનથી પ્રેમ કરવો. તું જે બધું ઇચ્છે છે તેમાં, તું જે બધું અનુભવે છે તેમાં, અને તું જે બધું વિચારે છે તેમાં તું ઈશ્વરને પ્રેમ કરે છે તેમ દર્શાવવું.'
\v 38 ઈશ્વરે મૂસાને આપેલા નિયમોમાં તે સૌથી મહત્વની આજ્ઞા છે.
\s5
\v 39 બીજી સૌથી મહત્વની આજ્ઞા જે બધાએ ચોક્કસપણે પાળવી જ તે એ છે કે: 'તારે તારી આસપાસના લોકોને તું તારા પોતા પર જેટલો પ્રેમ કરે છે તેટલો પ્રેમ કરવો.'
\v 40 આ બે આજ્ઞાઓ મૂસાએ શાસ્ત્રવચનમાં જે સર્વ નિયમો લખ્યા અને પ્રબોધકોએ પણ જે સર્વ લખ્યું તેનો આધાર છે."
\p
\s5
\v 41 જ્યારે ફરોશીઓ હજુ પણ ઈસુની નજીક ભેગા થયેલા હતા, ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું,
\v 42 "મસીહ વિષે તમે શું વિચારો છો? તેઓ કોના વંશજ છે?" તેઓએ તેમને કહ્યું, "તે દાઉદ રાજાના વંશજ છે."
\s5
\v 43 ઈસુએ તેઓને કહ્યું, "જો મસીહ દાઉદ રાજાના વંશજ હોય, તો જ્યારે પવિત્ર આત્માએ દાઉદને જે કહેવા માટે કહ્યું તેમાં દાઉદ રાજાએ તેમને 'પ્રભુ' કહ્યા ન હોત.
\v 44 દાઉદે શાસ્ત્રોમાં મસીહ વિષે લખ્યું છે: 'ઈશ્વરે મારા પ્રભુને કહ્યું, "જ્યાં સુધી હું તારા શત્રુઓને તારા પગ નીચે ન મૂકું, ત્યાં સુધી અહીં મારી જમણી બાજુએ બેસ, કે જ્યાં હું તને ખૂબ માન આપીશ."
\s5
\v 45 તેથી, હવે જો દાઉદ રાજા મસીહને 'મારા પ્રભુ' કહે છે, તો મસીહ દાઉદના વંશજ ન હોય શકે! તેઓ તો દાઉદ કરતા ઘણા મહાન હોવા જોઈએ!"
\v 46 જેઓએ ઈસુને તેમ કહેતા સાંભળ્યા તેઓમાંથી કોઈ પણ તેમને જવાબમાં શું કહેવું તેનો એકપણ શબ્દ વિચારી શક્યા નહિ. તે પછી, કોઈએ ક્યારેય પણ તેમને ફસાવવા માટે બીજો કોઈ પ્રશ્ન પૂછવાની હિંમત કરી નહિ.
\s5
\c 23
\p
\v 1 પછી ઈસુએ ટોળાને અને તેમના શિષ્યોને કહ્યું,
\v 2 "ફરોશીઓ અને જે માણસો યહૂદી નિયમો શીખવે છે તેઓએ પોતાને જે નિયમો ઈશ્વરે મૂસાને ઇઝરાયલી લોકો માટે આપેલા છે તેનું અર્થઘટન કરનાર બનાવ્યા છે.
\v 3 એટલા માટે, તેઓ તમને જે કંઈ કરવાનું કહે તે તમારે કરવું જ જોઈએ. પરંતુ તેઓ જે કરે છે તે તમારે કરવું નહીં, કારણ કે તેઓ પોતે તે બાબતો કરતા નથી.
\s5
\v 4 તેઓ તમારી પાસે જે નિયમો પાળવા મુશ્કેલ છે તે પાળવાની માગણી કરે છે. પરંતુ તેઓ પોતે કોઈને પણ તે નિયમો પાળવા સહાય કરતા નથી. તે એવું છે જાણે કે તેઓ ઘણો જ ભારે બોજ બાંધીને તમારા ખભાઓ ઉપર તેને ઊંચકવા માટે મૂકતા હોય. પરંતુ તમને તે ઊંચકવા માટે સહાય કરવા તેઓ એક આંગળી પણ લગાડશે નહિ.
\v 5 તેઓ જે કંઈ કરે છે, તે એટલા માટે કરે છે કે જેથી બીજા લોકો તેમને જુએ અને તેમનાં વખાણ કરે. ઉદાહરણ તરીકે, તેઓ તેમના હાથ પર શાસ્ત્રભાગને સમાવતી જે નાની પટ્ટીઓ પહેરે છે તેને વધારે પડતી પહોળી બનાવે છે. તેઓ તેમના ઝભ્ભાની કોર વધારે છે કે જેથી બીજાઓ વિચારે કે તેઓ ઈશ્વરને માન આપે છે.
\s5
\v 6 તેઓ બીજા લોકો તેમને માન આપે તેવું ઇચ્છે છે. ઉદાહરણ તરીકે, જમણમાં તેઓ એ આસનો પર બેસે છે જ્યાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ બેસે. સભાસ્થાનોમાં પણ તેઓ તેવાં જ સ્થાનોમાં બેસવા ઇચ્છે છે.
\v 7 બજારોમાં લોકો તેમને ખૂબ માનભેર સલામ પાઠવે, અને તેમને 'શિક્ષક' કહીને બોલાવે તેવું તેમને ગમે છે.
\s5
\v 8 પરંતુ તમારે, મારા શિષ્યોએ, જેમ તેઓ બીજા યહૂદી શિક્ષકોને કરે છે તેમ, લોકોને તમને 'શિક્ષક' કહીને બોલાવવા દેવા ન જોઈએ. હું એક જ માત્ર તમારો ખરેખર શિક્ષક છું. તેનો અર્થ એ કે તમે બધા એકબીજા માટે, ભાઈઓ અને બહેનો જેવા છો.
\v 9 પૃથ્વી પર કોઈને પણ 'પિતા' તરીકે સંબોધીને માન આપશો નહીં, કારણ કે ઈશ્વર, સ્વર્ગમાંના તમારા પિતા, માત્ર તે જ તમારા સાચા પિતા છે.
\v 10 લોકો તમને 'શિક્ષક' કહીને બોલાવે તેવું થવા દેશો નહિ, કારણ કે માત્ર મસીહ જ તમારા શિક્ષક છે.
\s5
\v 11 તેના બદલે, તમારામાંના દરેક જે ઇચ્છતા હોય કે ઈશ્વર તેમને મહત્વપૂર્ણ ગણે, તેમણે જેમ ચાકરો કરે છે તેમ બધાની સેવા કરવી.
\v 12 જેઓ પોતાને મહત્વપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરશે તેમને ઈશ્વર નમ્ર બનાવશે. જેઓ પોતાને નમ્ર બનાવે છે, તેઓને ઈશ્વર ખરેખર મહત્વપૂર્ણ બનાવશે."
\p
\s5
\v 13-14 "તમે નિયમના શિક્ષકો અને તમે ફરોશીઓ, તમે સૌ ઢોંગીઓ છો! ઈશ્વર કેટલી ભયંકર રીતે તમને શિક્ષા કરશે, કારણ કે તમે સ્વર્ગના રાજ હેઠળ આવવાનું નકાર્યું અને બીજાઓને પણ બહાર રાખ્યા. તમે પોતે અંદર જવાનું ઇચ્છ્યું નહિ, અને બીજાઓને પણ પ્રવેશવાથી અટકાવ્યા."
\p
\v 15 "તમે નિયમના શિક્ષકો અને ફરોશીઓ, તમે ઢોંગીઓ છો! ઈશ્વર તમને કેટલી ભયંકર રીતે શિક્ષા કરશે! તમે જે શીખવો છે તે પર કોઈ એક માણસ પણ વિશ્વાસ કરે તેના માટે તમે સખત મહેનત કરો છો. તમે સમુદ્ર અને જમીન પરની દૂર જગ્યાઓ પર પણ એવું કરવા માટે જાઓ છો. અને તેના પરિણામે, જ્યારે કોઈ એક વ્યક્તિ તમે જે શીખવો છો તેના પર વિશ્વાસ કરે, ત્યારે તે માણસને તમે પોતે છો તેના કરતા નર્કમાં જવા વધારે લાયક બનાવો છો."
\p
\s5
\v 16 "તમે યહૂદી આગેવાનો, ઈશ્વર કેટલી ભયંકર રીતે તમને શિક્ષા કરશે! તમે અંધ લોકો જેવા છો જે બીજાને દોરવાનો પ્રયત્ન કરે છે. તમે કહો છો, 'જાણે કે ભક્તિસ્થાન કોઈ વ્યક્તિ હોય તેમ જો કોઈ કંઈક કરવા વિષે ભક્તિસ્થાનને સમર્થન આપવા માટે કહે, અને જો તેણે આપેલા વચન પ્રમાણે તે ન પણ કરે, તો તેનો કંઈ અર્થ નથી. પરંતુ જો તે ભક્તિસ્થાનમાંના સોનાને તેના કંઇક કરવા વિષે સમર્થન આપવા માટે કહે, તો પછી તેણે તે કરવું જ જોઈએ.'
\v 17 તમે મૂર્ખ છો, અને તમે અંધ લોકો જેવા છો! ભક્તિસ્થાનમાં જે સોનું છે તે મહત્વનું છે, પરંતુ તેના કરતા પણ વધારે ભક્તિસ્થાન મહત્વનું છે, કારણ કે એ તો ભક્તિસ્થાન છે કે જે સોનાને માત્ર ઈશ્વર માટેનું બનાવે છે.
\s5
\v 18 તમે તે પણ કહો છો, 'જાણે કે વેદી કોઈ વ્યક્તિ હોય તેમ જો કોઈ કંઈક કરવા વિષે વેદીને સમર્થન આપવા માટે કહે, અને જો તેણે આપેલા વચન પ્રમાણે તે ન કરે, તો તેનો કંઈ અર્થ નથી. પરંતુ જો તે વેદી પર તેણે મૂકેલી ભેટને તેના કંઇક કરવા વિષે સમર્થન આપવા માટે કહે, તો પછી તેણે તે કરવું જ જોઈએ.'
\v 19 તમે અંધ લોકો જેવા છો! વેદી પર જે ભેટ મૂકેલી છે તે મહત્વની છે, પરંતુ તેના કરતાં પણ વધારે મહત્વની વેદી છે, કારણ કે એ તો વેદી છે કે જે ભેટને માત્ર ઈશ્વર માટેની બનાવે છે.
\p
\s5
\v 20 તેથી જેઓ કંઈક કરવા માટેનું વચન આપે છે અને તેઓ તે કરશે તે માટે વેદીને સમર્થન આપવા કહે છે, તેઓ વેદી પર જે સર્વ છે તેને પણ તેમ જ કરવા માટે કહે છે.
\v 21 હા, અને જેઓ કંઇક કરવા માટેનું વચન આપે છે અને તેઓ તે કરશે તે માટે ભક્તિસ્થાનને સમર્થન આપવા કહે છે, તેઓ એમ પણ કહે છે કે ઈશ્વર, કે જેમનું આ ભક્તિસ્થાન છે, તેઓ પણ તે જ બાબતોને સમર્થન આપે.
\v 22 અને જેઓ કંઇક કરવા માટેનું વચન આપે છે અને તેઓ તે કરશે તે માટે સ્વર્ગને સમર્થન આપવા કહે છે, તેઓ ઈશ્વરના સિંહાસનને તેઓ તે કરશે તે માટે સમર્થન આપવા કહે છે, અને તેઓ ઈશ્વરને પણ, કે જે તે સિંહાસન પર બેસે છે, તેમને તે બાબતોને સમર્થન આપવા કહે છે."
\p
\s5
\v 23 'તમે નિયમોના શિક્ષકો અને ફરોશીઓને, ઈશ્વર કેટલી ભયંકર રીતે શિક્ષા કરશે! તમે ઢોંગીઓ છો કારણ કે, તમે ઈશ્વરને તમે ઉપજાવેલી ઔષધિઓ જેવી કે ફુદીનો, સવા અને જીરુનો દસમો ભાગ આપો છો તેમ છતાં, ઈશ્વરના જે નિયમો ખૂબ મહત્વના છે તેને પાળતા નથી. ઉદાહરણ તરીકે, તમે બીજાઓ પ્રત્યે ન્યાયપૂર્વક વર્તતા નથી, તમે બીજાઓ પ્રત્યે ભલાઈથી વર્તતા નથી, અને તમે બીજાઓ પાસેથી બળજબરીપૂર્વક વસ્તુઓ પડાવી લો છો. તમારી ઔષધિઓનો દસમો ભાગ ઈશ્વરને આપવો તે સારું છે, પરંતુ તમારે આ બીજા મહત્વના નિયમો પણ પાળવા જોઈએ.
\v 24 તમે આગેવાનો અંધ લોકો જેવા છો કે જેઓ બીજાને દોરવાનો પ્રયત્ન કરે છે. પાણી પીતી વખતે નાનામાં નાના જીવડાને પણ ગળી જવા દ્વારા તમે ઈશ્વરને નાખુશ ન કરો તેનું ધ્યાન રાખો છો, પરંતુ જાણે તમે ઊંટને ગળી જતા હોય તેવું ખરાબ વર્તન કરો છો!
\p
\s5
\v 25 "તમે નિયમના શિક્ષકો અને ફરોશીઓ, ઢોંગીઓ, ઈશ્વર તમને કેટલી ભયંકર રીતે શિક્ષા કરશે! તમે પોતે સારા લોકો છો તેવું બીજાઓને બતાવો છો. તમે પ્રયત્ન કરો છો કે લોકો વિચારે કે તમે ન્યાયી છો, પરંતુ હકીકતમાં તમારા લોભ દ્વારા તથા તમારા પોતાની ખુશી માટે બીજાઓની વસ્તુઓ લઇ લેવા દ્વારા તમે તેઓની વિરુદ્ધ પાપ કરો છો. તમે એવી થાળીઓ જેવા છો જે બહારથી ચોખ્ખી છે પરંતુ અંદરથી હજુ ગંદી છે.
\v 26 તમે અંધ ફરોશીઓ! તમારે સૌપ્રથમ બીજાઓની પાસેથી ચોરી કરવા જેવી દુષ્ટ બાબતો કરવાનું બંધ કરવું જોઈએ. પછી તમે જે ન્યાયી છે તે કરવા સક્ષમ બનશો અને થાળીઓ કે જે અંદર અને બહાર બન્ને બાજુથી ચોખ્ખી હોય તેના જેવા બનશો."
\p
\s5
\v 27 "તમે નિયમના શિક્ષકો, ફરોશીઓ અને ઢોંગીઓ, ઈશ્વર તમને કેટલી ભયંકર રીતે શિક્ષા કરશે! તમે લોકોની કબરોની આસપાસ ચણેલી ઇમારતો જેવા છો, ઇમારતો કે જેને સફેદ ધોળવામાં આવી હોય કે જેથી લોકો જોઈ શકે અને તેને અડવાનું ટાળી શકે. તે બહારની બાજુએ સુંદર, પરંતુ અંદર તો તેઓ મરણ પામેલા લોકોનાં હાડકાં અને ગંદકીથી ભરેલી હોય છે.
\v 28 તમે તે કબરો જેવા છો. જ્યારે લોકો તમને જુએ છે, ત્યારે તેઓ વિચારે છે કે તમે ન્યાયી છો, પરંતુ મનથી તમે ઢોંગીઓ છો, કારણ કે તમે ઈશ્વરની આજ્ઞાઓ પાળતા નથી."
\p
\s5
\v 29 "તમે જેઓ યહૂદી નિયમો શીખવો છો અને તમે ફરોશીઓ ઢોંગીઓ છો! ઈશ્વર તમને કેટલી ભયંકર રીતે શિક્ષા કરશે! બીજાઓએ જે પ્રબોધકોને ઘણા સમયો પહેલાં મારી નાખ્યા તેઓની કબરો તમે ફરીથી બાંધો છો. જે સ્મારકો ન્યાયી લોકોને માન આપે છે તેને તમે શણગારો છો.
\v 30 તમે કહો છો, 'જો અમે અમારા પૂર્વજો જીવતા હતા ત્યારે જીવતા હોત, તો જેઓએ પ્રબોધકોને મારી નાખ્યા તેમને અમે મદદ કરી ન હોત.'
\v 31 આ રીતે તમે કબૂલો છો કે તમે તે ખૂનીઓના વંશજો છો; તેથી, તમે તેમના જેવા છો!
\s5
\v 32 તમે પણ, જાઓ અને તમારા પૂર્વજોએ જે પાપ કરવાની શરૂઆત કરી તે પાપ કરવાનું પૂરું કરો.
\v 33 તમે લોકો ઘણા દુષ્ટ છો! તમે ઝેરી સાપો જેવા ખતરનાક છો. તમે મૂર્ખતાપૂર્વક વિચારો છો કે ઈશ્વર નરકમાં જે શિક્ષા કરશે તેમાંથી તમે બચી જશો!
\s5
\v 34 નોંધ લો કે આ કારણોસર હું પ્રબોધકો, સમજુ માણસો, અને શિક્ષકોને મોકલીશ. તમે તેમાના કેટલાંકને વધસ્તંભે ખીલા ઠોકી મારી નાખશો, અને કેટલાકને બીજી રીતોથી મારી નાખશો. તેમાંના કેટલાકને તમે ભક્તિ કરવાના સ્થળો પર કોરડા મારશો અને તમે તેઓને એક શહેરથી બીજા શહેરમાં કાઢી મૂકશો.
\v 35 તેથી ઈશ્વર તમને અને તમારા પૂર્વજોને પૃથ્વી પર જીવેલા બધા જ ન્યાયી લોકો, કે જેમાં આદમનો દીકરો હાબેલ, કે જે ન્યાયી માણસ હતો, અને બારાખ્યાનો દીકરો, ઝખાર્યા, કે જેને તમારા પૂર્વજોએ ભક્તિસ્થાન અને વેદીની વચ્ચેના પવિત્ર સ્થળ પર મારી નાખ્યો, તેમને મારી નાખવા માટે દોષિત ઠરાવશે. તે બે લોકોના સમય વચ્ચે થઇ ગયેલા સર્વ પ્રબોધકોને પણ તમે મારી નાખ્યા.
\v 36 આ વિષે વિચાર કરો: તમે લોકો કે જેઓએ મારી સેવાનું અવલોકન કર્યું છે, તેઓ તમે જ છો કે જેમને ઈશ્વર તે બધા પ્રબોધકોને મારી નાખવા માટે શિક્ષા કરશે!"
\p
\s5
\v 37 "ઓ યરુશાલેમના લોકો, તમે જેઓએ જે પ્રબોધકો ઘણા સમય પહેલાં જીવતા હતા તેઓને મારી નાંખ્યા, અને તમે કે જેઓએ ઈશ્વરે જેમને તમારી પાસે મોકલ્યા તેઓને પથ્થરે મારી નાખ્યા. જેમ મરઘી પોતાનાં નાનાં બચ્ચાને તેની પાંખો નીચે ભેગાં કરે છે તેમ ઘણી વખત મેં તમને એકસાથે ભેગા કરવાનું ઇચ્છ્યું કે જેથી હું તમારું રક્ષણ કરી શકું. પરંતુ હું તેમ કરું તેવું તમે ઇચ્છ્યું નહિ.
\v 38 તેથી આ સાંભળો: તમારું શહેર નિર્જન સ્થળ બની જશે.
\v 39 આ યાદ રાખો: જ્યારે હું પાછો ફરીશ, જ્યારે તમે મારા વિષે કહેશો કે, 'ઈશ્વર ખરેખર આ માણસથી પ્રસન્ન છે કે જે ઈશ્વરના અધિકાર સાથે આવે છે, ત્યારે જ તમે મને ફરીથી જોશો.'"
\s5
\c 24
\p
\v 1 ઈસુ ભક્તિસ્થાનના આંગણામાંથી ચાલ્યા ગયા. જ્યારે તેઓ ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા અને ભક્તિસ્થાનની ઇમારતો કેવી સુંદર હતી તે વિષે વાત કરવા લાગ્યા.
\v 2 તેમણે તેઓને કહ્યું, "આ જે ઇમારતો તમે જુઓ છો તેના વિષે હું તમને સત્ય કહું છું: સૈન્ય તેનો સંપૂર્ણપણે નાશ કરશે. એક પથ્થર પર બીજો પથ્થર પણ રહેશે નહિ."
\p
\s5
\v 3 પછી, ઈસુ જ્યારે જૈતૂન પર્વતના ઢોળાવ પર એકલાં બેઠા હતા ત્યારે, શિષ્યો તેમની પાસે ગયા અને તેમને પૂછ્યું, "ભક્તિસ્થાનની ઇમારતો સાથે આવું ક્યારે બનશે? અને તમે ફરીથી આવવાના છો, અને આ જગતનો અંત થવાનો છે તે દર્શાવવા શું બનશે?"
\p
\v 4 ઈસુએ ઉત્તર આપ્યો, "હું એટલું જ કહીશ કે, શું બનશે તેના વિષે ધ્યાન રાખો જેથી કોઈ તમને છેતરે નહિ!
\v 5 ઘણા લોકો આવશે અને કહેશે કે હું ઈસુ છું. હા, તેઓ ખરેખર કહેશે, 'હું મસીહ છું,' અને તેઓ ઘણા લોકોને છેતરશે.
\s5
\v 6 તમે નજીકમાં થતાં યુદ્ધો અને દૂર થતાં યુદ્ધો વિષે સાંભળશો, પરંતુ તેનાથી તમને તકલીફ ન થવા દો. ધ્યાન રાખો કે ઈશ્વરે કહ્યું છે કે તે બાબતો બનવી જ જોઈએ. પરંતુ જ્યારે તેઓ બનશે, તેનો અર્થ એ નહીં કે જગતનો અંત આવ્યો છે!
\v 7 લોકોનાં જૂથો એકબીજા પર હુમલા કરશે, અને રાજાઓ એકબીજાની વિરુદ્ધ સૈન્યોને દોરશે. ઘણી જગ્યાઓમાં દુકાળ અને ધરતીકંપો થશે.
\v 8 આ બાબતો પ્રથમ બનશે, પરંતુ તેઓ તો સ્ત્રી બાળકને જન્મ આપે તે અગાઉ જે પીડા સહન કરે છે તેના જેવી હશે.
\p
\s5
\v 9 વધુ ખરાબ બાબતો બનશે. જે લોકો તમારો વિરોધ કરે છે તેઓ તમને સહન કરવા અને મરણ પામવા લઈ જશે. બધા લોકજૂથોમાં રહેતા લોકો તમારો તિરસ્કાર કરશે.
\v 10 વળી, ઘણાં લોકો જે રીતે તેમને સહન કરવું પડશે તેને કારણે વિશ્વાસ કરવાનું બંધ કરશે. તેઓ તેમના પોતાના સાથી વિશ્વાસીઓ સાથે વિશ્વાસઘાત કરશે અને એકબીજાને ધિક્કારશે.
\v 11 ઘણા લોકો એમ કહેતા આવશે કે તેઓ પ્રબોધક છે, પરંતુ તેઓ જૂઠ્ઠું બોલશે, અને તેઓ ઘણા લોકોને છેતરશે.
\s5
\v 12 કેમ કે વધુ અને વધુ લોકો ઈશ્વરના નિયમોનો ભંગ કરશે, ઘણાં વિશ્વાસીઓ ત્યારપછી એકબીજાને પ્રેમ કરશે નહિ.
\v 13 પરંતુ જે બધા તેમના જીવનના અંત સુધી વિશ્વાસ કરતા રહેશે, તેઓને ઈશ્વર બચાવશે.
\v 14 વધુમાં, વિશ્વાસીઓ બધા લોકજૂથોને જાહેર કરવા માટે, કે ઈશ્વર કેવી રીતે જગતના દરેક ભાગમાં રાજ કરે છે તે વિશેના શુભ સમાચારનો ઉપદેશ કરશે. પછી જગતનો અંત આવશે."
\p
\s5
\v 15 "પરંતુ જગતનો અંત આવે તે અગાઉ, ઘૃણાસ્પદ વ્યક્તિ કે જે પવિત્ર ભક્તિસ્થાનને અપવિત્ર કરશે અને લોકોને તે સ્થાનને છોડી દેવા કહેશે તે ભક્તિસ્થાનમાં ઊભો રહેશે. દાનિયેલ પ્રબોધકે તેના વિષે ઘણા સમય અગાઉ કહ્યું હતું અને લખ્યું હતું. જે દરેક આ વાંચે તે તેના પર ધ્યાન આપે, એ માટે હું તમને ચેતવણી આપું છું.
\v 16 જ્યારે તમે ભક્તિસ્થાનમાં તે બાબત થતી જુઓ, ત્યારે તમે જેઓ યહૂદિયાના પ્રદેશોમાં હોય તેઓએ ઉંચી ટેકરીઓ પર નાસી જવું!
\v 17 જેઓ પોતાના ઘરની બહાર હોય તેમણે નાસવા અગાઉ પોતાના ઘરમાં કંઈ વસ્તુઓ લેવા ન જવું.
\v 18 જેઓ ખેતરમાં કામ કરતા હોય તેમણે નાસવા અગાઉ ઉપર પહેરવાનો ઝભ્ભો લેવા પાછા ન વળવું.
\s5
\v 19 ગર્ભવતી સ્ત્રીઓ, અને જે પોતાનાં બાળકોને સ્તનપાન કરાવતી હશે તે સ્ત્રીઓ માટે તે સમય કેટલો ભયંકર હશે, કારણ કે તેમના માટે નાસી જવું ઘણું મુશ્કેલ હશે!
\v 20 તમારું નાસવાનું શિયાળામાં કે જ્યારે મુસાફરી કરવી મુશ્કેલ છે ત્યારે અથવા વિશ્રામવારે, એટલે કે આરામના દિવસે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો;
\v 21 કારણ કે એ બાબતો બનશે ત્યારે લોકો ઘણી ગંભીર રીતે સહન કરશે. ઈશ્વરે દુનિયા બનાવી ત્યારથી અત્યાર સુધી લોકોએ એટલું ગંભીર રીતે સહન કર્યું નથી, અને કોઇપણ તે રીતે ફરીથી ક્યારેય સહન કરશે નહિ.
\v 22 જ્યારે લોકોને ખૂબ જ સહન કરવું પડશે તે સમય જો ઈશ્વરે ઓછો કરવાનું ન વિચાર્યું હોત, તો દરેક વ્યક્તિ નાશ પામી હોત. પરંતુ તેમણે તે ટૂંકો કરવાનું નક્કી કર્યું કારણ કે જે લોકોને તેમણે પસંદ કર્યા છે તેઓની તેમને ચિંતા છે."
\p
\s5
\v 23 "તે સમયે, જો કોઈ તમને કહે, 'જુઓ, મસીહ અહીં છે!' અથવા કોઈ કહે, 'મસીહ ત્યાં છે!' તો વિશ્વાસ કરશો નહિ!
\v 24 તેઓ લોકોને છેતરવા, ઘણાં બધા પ્રકારના ચમત્કારો અને અદ્દભુત કાર્યો કરશે.
\v 25 ભૂલતા નહીં કે મેં તમને આ બધું બને તે અગાઉ ચેતવ્યા છે.
\s5
\v 26 તેથી જો કોઈ તમને કહે, 'જુઓ, મસીહ અરણ્યમાં છે!' તો ત્યાં જશો નહિ. તેવી જ રીતે, જો કોઈ તમને કહે, 'જુઓ, તેઓ એક ગુપ્ત ઓરડામાં છે!' તો તે વ્યક્તિ પર વિશ્વાસ કરશો નહિ,
\v 27 કારણ કે જેવી રીતે પૂર્વથી પશ્ચિમમાં વીજળી ચમકે છે અને લોકો જુએ છે, તેવી જ રીતે, જ્યારે માણસનો દીકરો પાછો આવશે, ત્યારે દરેક તેમને જોશે.
\v 28 જ્યારે ગીધ એકઠાં થાય છે ત્યારે તમે જાણો છો કે ત્યાં કોઈ પ્રાણીનું શબ છે તેમ જ તે દરેકને માટે સ્પષ્ટ થશે."
\p
\s5
\v 29 "લોકો તે સમય દરમિયાન સહન કરશે તે પછી તરત જ, સૂર્ય અંધકારમય થઈ જશે. ચંદ્ર ચમકશે નહિ. તારાઓ આકાશમાંથી ખરવા લાગશે. અને ઈશ્વર આકાશમાંની સર્વ વસ્તુઓને તેમના પોતાના સ્થાન પરથી હલાવશે.
\s5
\v 30 તે પછી, દરેક જણ માણસના દીકરાને આકાશમાં જોશે. ત્યારબાદ આખી પૃથ્વી પરના લોકોનાં જૂથોમાંના અવિશ્વાસી લોકો આક્રંદ કરશે કારણ કે તેઓ ડરશે. તેઓ મને, માણસના દીકરાને, મહાન મહિમા સહિત વાદળો પર આવતો જોશે.
\v 31 તેઓ સ્વર્ગની સર્વ જગ્યાએથી પૃથ્વી પર દૂતોને મોકલશે. જ્યારે તેઓ રણશિંગડાંનો મોટો અવાજ સાંભળશે, ત્યારે તેઓ ઈશ્વરના જ લોકોને - કે જેઓને તેમણે આખી પૃથ્વી પરથી - પસંદ કર્યા છે તેઓને એકઠાં કરશે."
\p
\s5
\v 32 "હવે અંજીરનું વૃક્ષ કેવી રીતે વધે છે તેમાંથી કંઇક શીખવા માટે ધ્યાન આપો. જ્યારે અંજીરના વૃક્ષની ડાળીઓ નરમ થાય છે અને તેના પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે.
\v 33 તેવી જ રીતે, જ્યારે તમે આ બધી બાબતો બનતી જુઓ, ત્યારે તમે જાણશો કે તેમના પાછા આવવાનો સમય ઘણો નજીક છે.
\s5
\v 34 આ તમારા ધ્યાનમાં રાખો: જેઓએ આ બાબતોનું અવલોકન કર્યું હશે તે લોકો મરણ પામશે તે અગાઉ આ બધી ઘટનાઓ બનશે.
\v 35 આ બાબતો જે વિષે મેં તમને કહ્યું છે તે બનશે તે વિષે તમે ખાતરી રાખો. એક દિવસ આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પરંતુ હું જે કહીશ તે હંમેશાં સાચું હશે."
\p
\s5
\v 36 "આ બાબતો કયા દિવસે કે કઈ ઘડીએ બનશે તે વિષે બીજી કોઈ વ્યક્તિ, સ્વર્ગમાંનો કોઈ દૂત કે દીકરો પણ જાણતો નથી. માત્ર ઈશ્વર પિતા જાણે છે.
\s5
\v 37-39 જ્યારે નૂહ જીવતો હતો ત્યારે જે બન્યું તેના જેવું તે હશે. જ્યાં સુધી પૂર આવ્યું, ત્યાં સુધી લોકોને ખબર ન હતી કે તેમની સાથે કંઇક ખરાબ બનશે. તેઓ હંમેશની જેમ ખાતા-પીતા હતા. પુરુષો લગ્ન કરતા હતા, અને માતા-પિતાઓ તેમની દીકરીઓ પુરુષો સાથે લગ્ન કરવા માટે આપતાં હતાં. જ્યાં સુધી નૂહ અને તેનું કુટુંબ મોટા વહાણમાં પ્રવેશ્યું ત્યાં સુધી તેઓ આવું બધું કરતા હતા. અને પછી પૂર આવ્યું અને જેઓ વહાણમાં ન હતા તેઓ સર્વને ડુબાડી દીધા. તેવી જ રીતે, અવિશ્વાસી લોકો માણસનો દીકરો ક્યારે પાછો આવશે તે જાણશે નહિ.
\s5
\v 40 જ્યારે તે બનશે ત્યારે બધા જ લોકોને સ્વર્ગમાં ઉપર લઇ લેવાશે નહિ. ઉદાહરણ તરીકે, બે વ્યક્તિઓ ખેતરમાં હશે. તેમાંની એક સ્વર્ગમાં ઉપર લેવાશે અને બીજી વ્યક્તિ શિક્ષા કરવા પડતી મુકાશે.
\v 41 તેવી જ રીતે, બે સ્ત્રીઓ હાથઘંટીથી અનાજ દળતી હશે. તેમાંથી એક સ્વર્ગમાં ઉપર લેવાશે અને બીજી પડતી મૂકાશે.
\v 42 તેથી, પ્રભુ પૃથ્વી પર ક્યારે પાછા ફરશે તે તમે જાણતા નથી માટે, સર્વ સમયે તમારે તૈયાર રહેવાની જરૂર છે.
\s5
\v 43 તમે જાણો છો કે જો ઘરનો માલિક જાણતો હોય કે રાત્રે કયા સમયે ચોર આવશે, તો તે જાગતો રહેશે અને ચોરને ઘરમાં આવતો અટકાવશે. તેવી જ રીતે, જેમ ચોર આવે છે તેમ માણસનો દીકરો અચાનક આવશે.
\v 44 તેથી તમારે તૈયાર રહેવાની જરૂર છે કારણ કે માણસનો દીકરો પૃથ્વી પર એવા સમયે પાછો આવશે જ્યારે તમે તેમના આવવાની આશા રાખી નહિ હોય."
\p
\s5
\v 45 "દરેક વિશ્વાસુ અને સમજુ ચાકર કેવો હોય તે વિષે વિચાર કરો. ઘરનો માલિક એક ચાકરને બીજા ચાકરો પર દેખરેખ રાખવા નીમે છે. તે તેને તેઓને યોગ્ય સમયે જમવાનું આપવા માટે કહે છે. પછી તે લાંબી મુસાફરી માટે નીકળે છે.
\v 46 જ્યારે ઘરનો માલિક પાછો ફરે ત્યારે જો ચાકર તેનું કામ કરતો હોય, તો ઘરનો માલિક તેનાથી ખૂબ પ્રસન્ન થશે.
\v 47 આ વિષે વિચાર કરો: ઘરનો માલિક એક ચાકરને તેની સંપત્તિની દેખરેખ રાખવા માટે નીમશે.
\s5
\v 48 પરંતુ તે દુષ્ટ ચાકર કદાચ પોતાને કહે, 'માલિક ઘણાં સમયથી દૂર છે, તેથી કદાચ તે જલદી પાછો આવશે નહિ અને હું શું કરું છું તે શોધી શકશે નહિ.'
\v 49 તેથી તે બીજા ચાકરોને મારવાનું શરૂ કરશે અને જેઓ પીધેલાં છે તેઓની સાથે ખાશે અને પીશે.
\v 50 પછી ઘરનો માલિક જ્યારે ચાકરે આશા નહિ રાખી હોય તેવા સમયે પાછો આવશે.
\v 51 તે તે ચાકરને ગંભીર રીતે શિક્ષા કરશે અને તેને જ્યાં ઢોંગીઓને રાખ્યા છે ત્યાં રાખશે. તે જગ્યામાં લોકો રડે છે અને તેઓ ઘણું સહન કરે છે તેના કારણે તેઓ તેમના દાંત પીસે છે."
\s5
\c 25
\p
\v 1 સ્વર્ગમાંથી ઈશ્વરનું શાસન દસ કુમારિકાઓ જેઓ લગ્ન જમણમાં જવા માટે તૈયાર થઇ તેમની સાથે જે થયું તેના જેવું હશે. તેઓએ તેમના દીવા લઈને વરરાજાને આવવાની રાહ જોવાની હતી.
\v 2 હવે તેઓમાંની પાંચ કુમારિકાઓ મૂર્ખી હતી, અને પાંચ સમજુ હતી.
\v 3 મૂર્ખ કુમારિકાઓએ તેમના દીવા લીધા, પરંતુ તેઓએ તેમની માટે વધારાનું જૈતૂન તેલ લીધું નહિ.
\v 4 પરંતુ સમજુ કુમારિકાઓએ તેમની સાથે બાટલીમાં તેમ જ તેમના દીવામાં તેલ લીધું.
\s5
\v 5 વરરાજાને આવવામાં ઘણો સમય લાગી રહ્યો હતો, અને રાત્રે ઘણું મોડું થયું. તેથી બધી કુમારિકાઓને ઊંઘ આવવા લાગી અને તેઓ સૂઈ ગઈ.
\v 6 મધ્યરાત્રે કોઈએ તેમને બુમ પાડીને ઉઠાડી કે, 'તે અહીં છે! વરરાજા આવી રહ્યા છે! તેમને મળવાને માટે બહાર જાઓ!'
\s5
\v 7 તેથી બધી જ કુમારિકાઓ ઊઠી અને તેમના દીવા સળગાવ્યા.
\v 8 મૂર્ખ કુમારિકાઓએ સમજુઓને કહ્યું, 'તમારું થોડું તેલ અમને આપો, કારણ કે અમારા દીવા હોલવાઈ જાય છે!'
\v 9 સમજુ કુમારિકાઓએ ઉત્તર આપ્યો, 'ના, કારણ કે અમારા અને તમારા દીવાઓ માટે કદાચ પૂરતું તેલ નથી. વેચનારાઓ પાસે જાઓ અને તમારા માટે થોડું ખરીદી લો!'
\s5
\v 10 પરંતુ જ્યારે મૂર્ખ કુમારિકાઓ તેલ ખરીદવા ગઈ, ત્યારે વરરાજા આવી પહોંચ્યા. પછી સમજુ કુમારિકાઓ, કે જેઓ તૈયાર હતી, તેઓ તેમની સાથે લગ્નખંડમાં ગઈ, કે જ્યાં કન્યા રાહ જોતી હતી. પછી બારણું બંધ થઇ ગયું.
\v 11 પછી, બાકીની કુમારિકાઓ લગ્નખંડે આવી, અને તેઓએ વરરાજાને બોલાવ્યા, 'સાહેબ, અમારે માટે બારણું ખોલો!'
\v 12 પરંતુ તેમણે તેઓને કહ્યું, 'સત્ય એ છે કે હું તમને જાણતો નથી, તેથી હું તમારે માટે બારણું ખોલીશ નહિ!'"
\v 13 પછી ઈસુએ કહેવાનું ચાલુ રાખતાં કહ્યું, "તેથી, તમારી સાથે આવું ન બને તે માટે, તૈયાર રહો કારણ કે તે ક્યારે બનશે તે તમે જાણતા નથી."
\p
\s5
\v 14 જ્યારે માણસનો દીકરો સ્વર્ગમાંથી રાજા તરીકે પાછો ફરશે, ત્યારે તે એક માણસ જે લાંબી મુસાફરી પર જવાનો છે તેના જેવું હશે. તેણે તેના ચાકરોને એકઠા કર્યા અને તેમને દરેકને તેની સંપત્તિમાંથી થોડું રોકાણ કરવા અને તેના માટે વધુ નાણાં કમાવવા માટે આપ્યું.
\v 15 તેણે તેમને તેઓની વાપરવાની ક્ષમતા પ્રમાણે નાણાં આપ્યાં. ઉદાહરણ તરીકે, તેણે એક ચાકરને લગભગ એકસો પાંસઠ કિલો વજનની સોનાની પાંચ થેલીઓ, બીજાને લગભગ છાસઠ કિલો વજનની સોનાની બે થેલીઓ, અને ત્રીજાને લગભગ તેત્રીસ કિલો વજનની સોનાની એક થેલી આપી. પછી તે તેની મુસાફરી માટે રવાના થયો.
\v 16 જે ચાકરે પાંચ થેલી સોનું મેળવ્યું હતું તે તરત જ ગયો અને તે નાણાં બીજી પાંચ થેલી કમાવામાં વાપર્યા.
\s5
\v 17 તેવી જ રીતે, જે ચાકરે બે થેલી સોનું મેળવ્યું હતું તેણે કમાઈને બીજી બે થેલી મેળવી.
\v 18 પરંતુ જે ચાકરે એક થેલી સોનું મેળવ્યું હતું તે ગયો અને જમીનમાં ખાડો ખોદ્યો, અને તેને સાચવવા માટે તેણે તેને ત્યાં તે સોનું સંતાડી દીધું.
\p
\s5
\v 19 ઘણા સમય પછી તે ચાકરોનો માલિક પાછો ફર્યો. તેણે તેઓને તેમણે તેનાં નાણાંનું શું કર્યું તેનો હિસાબ લેવા માટે એકઠા કર્યા.
\v 20 જે ચાકરે પાંચ થેલી સોનું મેળવ્યું હતું તે તેની પાસે દસ થેલી લાવ્યો અને તેને કહ્યું, 'માલિક, તેં મને પાંચ થેલી સોનું સાચવવા આપ્યું હતું. જુઓ, મેં બીજી પાંચ મેળવી છે!'
\v 21 તેના માલિકે ઉત્તર આપ્યો, 'તું ઘણો સારો ચાકર છે! તું મને ઘણો વિશ્વાસુ રહ્યો છે. તેં થોડાં નાણાંનો ઘણો સારો વહીવટ કર્યો છે, તેથી હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ. આવ અને મારી સાથે ખુશ થા!'
\p
\s5
\v 22 જે ચાકરે બે થેલી સોનું મેળવ્યું હતુ તે પણ આવ્યો, અને તેણે કહ્યું, 'માલિક, તેં મને બે થેલી સોનું સાચવવા આપ્યું હતું. જુઓ, મેં બીજી બે મેળવી છે!'
\v 23 તેના માલિકે ઉત્તર આપ્યો, 'તું ઘણો સારો ચાકર છે! તું મને ઘણો વિશ્વાસુ રહ્યો છે. તેં થોડા નાણાંનો ઘણો સારો વહીવટ કર્યો છે, તેથી હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ. આવ અને મારી સાથે ખુશ થા!'
\p
\s5
\v 24 પછી જે ચાકરે એક થેલી સોનું મેળવ્યું હતું તે આવ્યો, અને તેણે કહ્યું, 'માલિક, હું તારાથી ડરતો હતો. હું જાણતો હતો કે જેમ ખેડૂત તેણે કંઈ પણ રોપ્યું ન હોવા છતાં ખેતરમાં લણણી કરવાનો પ્રયત્ન કરે છે, તેમ તું એવો માણસ છે કે જો તેં કંઈ પણ રોકાણ ન કર્યું હોય તોપણ ઘણાં નાણાં મેળવવાની આશા રાખે છે.
\v 25 હું ડરતો હતો કે જો તેં મને જે નાણાં રોકાણ કરવા આપ્યાં છે તે હું ખોઈ નાખીશ તો તું શું કરશે, તેથી મેં તેને જમીનમાં સંતાડ્યાં. તે હવે અહીં છે; મહેરબાની કરીને તે પાછા લે!'
\s5
\v 26 તેના માલિકે ઉત્તર આપ્યો, 'તું દુષ્ટ, આળસુ ચાકર! તું જાણતો હતો કે હું કંઈ પણ રોકાણ ન કર્યા છતાં નાણાં મેળવવાની આશા રાખું છું.
\v 27 તો પછી, તારે ઓછામાં ઓછુ મારા નાણાં પેઢીમાં થાપણ તરીકે મૂકવાં જોઈતાં હતાં, કે જેથી હું જ્યારે પાછો આવું ત્યારે તેને વ્યાજ સહિત પાછા મેળવી શક્યો હોત!'
\s5
\v 28 પછી તેના માલિકે તેના બીજા ચાકરોને કહ્યું, 'તેની પાસેથી સોનાંની થેલી લઇ લો અને જે ચાકર પાસે દસ થેલી છે તેને આપો!
\v 29 જેઓ તેમને જે મળ્યું છે તેનો સારો ઉપયોગ કરે છે, તેઓને ઈશ્વર વધારે આપશે, અને તેઓ પાસે પુષ્કળ હશે. પરંતુ જેઓ તેમણે જે મેળવ્યું છે તેનો સારો ઉપયોગ કરતા નથી તેઓ પાસેથી, તેમની પાસે જે છે તે પણ લઇ લેવાશે.
\v 30 વધુમાં, તે નકામા ચાકરને, કે જ્યાં જેઓ આક્રંદ કરે છે અને પીડામાં તેમના દાંત પીસે છે ત્યાં બહાર અંધકારમાં ફેંકી દો.'"
\p
\s5
\v 31 "જ્યારે માણસનો દીકરો પોતાના તેજસ્વી પ્રકાશમાં ફરીથી આવશે અને તેમના સર્વ દૂતોને લાવશે, ત્યારે તે તેમના સિંહાસન પર રાજા તરીકે સૌનો ન્યાય કરવા બેસશે.
\v 32 સર્વ લોકજૂથના દરેક તેમની આગળ એકઠાં થશે. પછી જેમ ઘેટાપાળક તેનાં ઘેટાંને તેનાં બકરાંથી અલગ પાડે છે, તેમ તેઓ લોકોને એકબીજાથી અલગ કરશે.
\v 33 તેઓ ઘેટાં અને બકરાંની જેમ જ, ન્યાયી લોકોને તેમની જમણી બાજુ અને અન્યાયીઓને તેમની ડાબી બાજુ રાખશે."
\p
\s5
\v 34 પછી જેઓ તેમની જમણી તરફ છે તેઓને કહેશે, 'તમને લોકોને મારા પિતા દ્વારા આશીર્વાદિત કરવામાં આવ્યા છો, આવો! આવો અને જે બધી સારી બાબતો તેઓ તમને આપશે તે મેળવો, કેમ કે તેઓ હવે તમને તેના શાસનના આશીર્વાદ આપશે.
\v 35 આ બાબતો તમારી છે, કારણ કે જ્યારે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખાવા માટે આપ્યું. જ્યારે હું તરસ્યો હતો ત્યારે તમે મને પીવા માટે આપ્યું. જ્યારે હું તમારા શહેરમાં અજાણ્યો હતો, ત્યારે તમે મને તમારા ઘરોમાં રહેવા માટે આમંત્રણ આપ્યું.
\v 36 જ્યારે મને કપડાંંની જરૂર હતી, ત્યારે મને કપડાંં આપ્યાં. જ્યારે હું બીમાર હતો, ત્યારે તમે મારી સંભાળ લીધી. જ્યારે હું જેલમાં હતો, ત્યારે તમે મારી મુલાકાતે આવ્યા.'
\p
\s5
\v 37 પછી જે લોકોને ઈશ્વરે સારા જાહેર કર્યા છે તેઓ કહેશે, 'પ્રભુ, તમે ક્યારે ભૂખ્યા હતા અને અમે ક્યારે તમને જોયા અને તમને ખાવા માટે આપ્યું? તમે ક્યારે તરસ્યા હતા અને તમને પીવા માટે આપ્યું?
\v 38 તમે ક્યારે અમારા શહેરમાં અજાણ્યા હતા અને અમે તમને અમારાં ઘરોમાં રાખ્યા? તમને ક્યારે કપડાંની જરૂર હતી અને અમે તમને વસ્ત્રો આપ્યાં?
\v 39 તમે ક્યારે બીમાર કે જેલમાં હતા અને અમે તમારી મુલાકાતે આવ્યા? તમારા માટે અમે આ કંઈ પણ કર્યું હોય તેવું અમને યાદ નથી.
\p
\v 40 રાજા ઉત્તર આપશે, 'સત્ય એ છે કે તમે તમારા સાથી વિશ્વાસીઓમાંના એક પણ માટે, સૌથી બિનમહત્વપૂર્ણ વ્યક્તિ માટે પણ, જે કંઈ કર્યું તે તમે સાચે જ મારે માટે કર્યું.'
\p
\s5
\v 41 પણ પછી જેઓ તેમની ડાબી તરફ હતા તેમને કહેશે, 'તમે લોકો જેઓને ઈશ્વરે શ્રાપ આપ્યો છે, મારાથી દૂર જાઓ! શેતાન અને તેના દૂતો માટે ઈશ્વરે જે અનંતકાલિક અગ્નિ તૈયાર કર્યો છે તેમાં જાઓ!
\v 42 તમારે માટે ત્યાં જવું યોગ્ય છે, કારણ કે જ્યારે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને કંઈ પણ ખાવા માટે આપ્યું નહિ. જ્યારે હું તરસ્યો હતો ત્યારે તમે મને કંઈ પણ પીવા માટે આપ્યું નહિ.
\v 43 જ્યારે હું તમારા શહેરમાં અજાણ્યો હતો, ત્યારે તમે મને તમારા ઘરોમાં રહેવા માટે આમંત્રણ આપ્યું નહિ. જ્યારે મને કપડાંંની જરૂર હતી, ત્યારે મને કોઈ કપડાંં આપ્યા નહિ. જ્યારે હું બીમાર કે જેલમાં હતો ત્યારે તમે મારી સંભાળ લીધી નહિ.'
\p
\s5
\v 44 તેઓ કહેશે, 'પ્રભુ, તમે ક્યારે ભૂખ્યા કે તરસ્યા કે અજાણ્યા કે કપડાંની જરૂરિયાતમાં કે બીમાર કે જેલમાં હતા, અને અમે તમને મદદ ન કરી?'
\p
\v 45 તેઓ ઉત્તર આપશે, 'સત્ય એ છે કે જ્યારે પણ તમે મારા લોકોમાંના એકને, સૌથી સામાન્ય વ્યક્તિને પણ, મદદ કરવા કંઈ પણ કર્યું નહિ, તો તે હું હતો કે જેમના માટે તમે તે ન કર્યું.'
\p
\v 46 પછી મારી ડાબી તરફના લોકો ઈશ્વર તેમને સદાકાળને માટે જ્યાં શિક્ષા કરશે ત્યાં જશે, પરંતુ ઈશ્વરની નજરમાં સારા લોકો જ્યાં તેઓ સદાકાળને માટે ઈશ્વર સાથે જીવશે ત્યાં જશે."
\s5
\c 26
\p
\v 1 ઈસુ તે બાબતો કહી રહ્યા ત્યારે તેમણે શિષ્યોને કહ્યું,
\v 2 "તમે જાણો છો કે બે દિવસ પછી આપણે પાસ્ખાપર્વનો તહેવાર ઉજવીશું. તે સમયે કોઈક વ્યક્તિ માણસના દીકરાને જેઓ તેમને વધસ્તંભે જડાવશે તેઓના હાથમાં સોંપી દેશે."
\p
\s5
\v 3 તે સમયે પ્રમુખ યાજક, જેનું નામ કાયાફા હતું તેના ઘરમાં મુખ્ય યાજકો અને યહૂદી વડીલો ભેગાં મળ્યાં.
\v 4 ત્યાં તેઓએ કપટથી ઈસુની ધરપકડ કેવી રીતે કરવી તેની યોજના બનાવી કે જેથી તેઓ તેમને મારી નંખાવી શકે.
\v 5 પરંતુ તેઓએ કહ્યું, "આપણે તે પાસ્ખાપર્વના તહેવાર દરમિયાન કરીશું નહિ, કારણ કે જો આપણે તે કરીશું તો, લોકો કદાચ હુલ્લડ કરે."
\p
\s5
\v 6 જ્યારે ઈસુ અને તેમના શિષ્યો બેથાનિયા ગામમાં હતા, ત્યારે તેઓ સિમોન, કે જેને ઈસુએ કુષ્ઠ રોગમાંથી સાજો કર્યો હતો તેના ઘરમાં જમ્યા.
\v 7 જમતી વખતે, એક સ્ત્રી ઘરમાં આવી. તેની પાસે અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી હતી. જ્યારે ઈસુ જમી રહ્યા હતા ત્યારે તે ઈસુ પાસે ગઈ અને તેમના માથા પર બધું જ અત્તર રેડી દીધું.
\v 8 જ્યારે શિષ્યોએ તે જોયું, ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયા. તેઓમાંના એકે કહ્યું, "આ અત્તરનો બગાડ થયો તે ભયંકર બાબત છે!
\v 9 આપણે તેને વેચીને તેનાથી ઘણાં નાણાં મેળવી શક્ય હોત! પછી તે નાણાં આપણે ગરીબ લોકોને આપી શક્યા હોત."
\s5
\v 10 ઈસુ જાણતા હતા કે તેઓ શું કહી રહ્યા હતા, તેથી તેમણે તેઓને કહ્યું, "તમારે આ સ્ત્રીને હેરાન ન કરવી જોઈએ! તેણે મારા માટે ઉત્તમ કાર્ય કર્યું છે.
\v 11 ધ્યાનમાં રાખો કે ગરીબ લોકો હંમેશાં તમારી મધ્યે હશે, તેથી જ્યારે પણ તમે ઇચ્છો ત્યારે તેમને મદદ કરી શકો છો. પરંતુ હું હંમેશાં તમારી સાથે હોઈશ નહિ!
\s5
\v 12 જ્યારે તેણે આ અત્તર મારા શરીર પર રેડ્યું, ત્યારે તે એવું હતું કે જાણે તે જાણતી હોય કે હું ટૂંક સમયમાં મરણ પામવાનો છું. અને તે એવું છે કે જાણે તેણે મારા શરીર પર દફનને માટે તેલ ચોળ્યું હોય.
\v 13 હું તમને કહું છું કે: આખા જગતમાં જ્યાં કહીં લોકો મારા વિષેના શુભ સમાચારનો ઉપદેશ કરશે, ત્યાં તેઓ આ સ્ત્રીએ મારા માટે જે કર્યું છે તે કહેશે, અને તેના પરિણામે, લોકો હંમેશા તેને યાદ રાખશે."
\p
\s5
\v 14 પછી યહૂદા ઇશ્કરિયોત, તે બાર શિષ્યોમાંનો હોવા છતાં, મુખ્ય યાજકો પાસે ગયો.
\v 15 તેણે તેઓને પૂછ્યું, "જો હું તમને ઈસુની ધરપકડ કરવા મદદ કરું, તો તમે મને કેટલા નાણાં આપવાની ઇચ્છા રાખો છો?" તેઓ તેને ત્રીસ ચાંદીના સિક્કા આપવા સંમત થયા. તેથી તેઓએ સિક્કાઓ ગણ્યા અને તેને આપ્યા.
\v 16 તે સમયથી યહૂદા તક શોધવા લાગ્યો કે ક્યારે તેઓ ઈસુની ધરપકડ કરી શકે.
\p
\s5
\v 17 બેખમીર રોટલીના એક અઠવાડિયા જેટલાં લાંબા પર્વને પહેલે દિવસે, શિષ્યો ઈસુ પાસે ગયા અને પૂછ્યું, "તમે અમારી પાસે પાસ્ખાપર્વની ઉજવણીનું જમણ ક્યાં તૈયાર કરાવવા ઇચ્છો છો કે જેથી અમે તમારી સાથે જમી શકીએ?"
\v 18 તેમણે શું કરવું તે વિષે ઈસુએ બે શિષ્યોને સૂચના આપી. તેમણે તેઓને કહ્યું, "શહેરમાં એક વ્યક્તિ પાસે જાઓ કે જેની પાસે મેં અગાઉથી જ આ વ્યવસ્થા કરી છે. તેને કહેજો કે હું, ગુરુજી, આ કહું છું: 'મેં જે સમય વિષે તને કહ્યું હતું તે નજીક છે. હું મારા શિષ્યો સાથે તારા ઘરે પાસ્ખાપર્વ ઉજવવાનો છું, અને મેં આ બંનેને જમણ તૈયાર કરવા મોકલ્યા છે.'"
\v 19 તેથી તે બે શિષ્યોએ ઈસુએ તેમને જેમ કહ્યું હતું તેમ કર્યું. તેઓ ગયા અને પાસ્ખાપર્વનું જમણ તે માણસના ઘરમાં તૈયાર કર્યું.
\p
\s5
\v 20 જ્યારે તે સાંજ પડવા આવી, ત્યારે ઈસુ તેમના બાર શિષ્યો સાથે જમણ જમી રહ્યા હતા.
\v 21 તેમણે તેઓને કહ્યું, "આને ધ્યાનપૂર્વક સાંભળો: મારા દુશ્મોનો મને પકડે માટે તમારામાંનો એક તેમને મદદ કરશે."
\v 22 શિષ્યો ખૂબ દુઃખી થયા. તેઓ તેમને, એક પછી એક કહેવા લાગ્યા, "પ્રભુ, અવશ્ય તે હું નથી!"
\s5
\v 23 તેમણે ઉત્તર આપ્યો, "જે મને મારા દુશ્મનોનાં હાથમાં પકડાવી દેશે તે તમારામાંનો એ છે જે મારી સાથે થાળીમાંના રસમાં રોટલી બોળી રહ્યો છે.
\v 24 એ ચોક્કસ છે કે હું, માણસનો દીકરો, મરણ પામીશ, કારણ કે શાસ્ત્ર મારા વિષે એમ જ કહે છે. પરંતુ જે માણસ મને મારા દુશ્મનોનાં હાથમાં પકડાવી દેશે તેને તો ભયંકર શિક્ષા થશે! જો તે માણસ જન્મ્યો જ ન હોત તો તે તેને માટે સારું થાત!"
\v 25 પછી યહૂદા, કે જે તેમનો વિશ્વાસઘાત કરવાનો હતો તેણે, કહ્યું, "ગુરુજી, સાચે જ હું તે નથી!" ઈસુએ ઉત્તર આપ્યો, "હા, તું તે કબૂલ કરે છે."
\s5
\v 26 જ્યારે તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લીધી અને તેના માટે ઈશ્વરનો આભાર માન્યો. તેમણે તેને ટુકડા કરીને ભાંગી, પોતાના શિષ્યોને આપી, અને કહ્યું, "આ રોટલી લો અને ખાઓ. તે મારું શરીર છે."
\s5
\v 27 પછી તેમણે દ્રાક્ષારસનો પ્યાલો લીધો અને તેને માટે ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે તેઓને આપ્યો અને કહ્યું, "તમે બધા, આ પ્યાલામાંથી પીઓ.
\v 28 આ પ્યાલામાંનો દ્રાક્ષારસ એ મારું લોહી છે. જે થોડા સમયમાં મારા શરીરમાંથી વહેવાનું છે. આ લોહી નવા કરારનું ચિહ્ન થશે કે જે ઈશ્વર ઘણા લોકોનાં પાપ માફ કરવા કરી રહ્યા છે.
\v 29 ધ્યાનપૂર્વક આની નોંધ લો: જ્યાં સુધી હું નવા અર્થમાં તમારી સાથે તે પીઉ તે સમય આવે ત્યાં સુધી હું ફરીથી આ રીતે દ્રાક્ષારસ નહિ પીઉં. જ્યારે મારા પિતા સંપૂર્ણપણે રાજ કરશે ત્યારે તે બનશે."
\s5
\v 30 ભજન ગાયા બાદ, તેઓએ જૈતૂન પર્વત તરફ જવાનું શરૂ કર્યું.
\v 31 રસ્તામાં, ઈસુએ તેમને કહ્યું, "મને જે થશે તેના કારણે આજે રાત્રે તમે બધા મને છોડી દેશો! આ ચોક્કસ બનશે કારણ કે ઈશ્વરે આ જે શબ્દો કહ્યા છે તે શાસ્ત્રમાં લખેલા છે:
\q 'હું માણસોને ઘેટાંપાળકને મારી નાખવા દઈશ,
\q અને તેઓ બધાં ઘેટાંને વિખેરી નાખશે.
\v 32 પરંતુ મારા મરણ પામ્યા અને સજીવન થયા પછી, હું તમારી આગળ ગાલીલમાં જઈશ અને તમને ત્યાં મળીશ."
\p
\s5
\v 33 પિતરે ઉત્તર આપ્યો, "જ્યારે તેઓ જુએ કે તમારી સાથે શું બની રહ્યું છે ત્યારે કદાચ બાકીના બધા જ શિષ્યો તમને છોડી દે, પરંતુ અવશ્ય હું તમને ક્યારેય છોડીશ નહિ!"
\v 34 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "સત્ય એ છે કે આજે રાત્રે, મરઘો બોલ્યા અગાઉ, તું ત્રણ વખત કહીશ કે તું મને જાણતો નથી!"
\v 35 પિતરે તેમને કહ્યું, "જ્યારે હું તમારો બચાવ કરું ત્યારે જો કે તેઓ મને મારી નાંખે, તો પણ હું ક્યારેય નહિ કહું કે હું તમને ઓળખતો નથી!" બાકીના બધા શિષ્યોએ પણ તે પ્રમાણે જ કહ્યું.
\p
\s5
\v 36 ત્યારબાદ ઈસુ શિષ્યો સાથે ગેથસેમાને કહેવાતા એક સ્થળે ગયા. ત્યાં તેમણે કહ્યું, "હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં રહો."
\v 37 તેમણે પિતર, યાકૂબ, અને યોહાનને તેમની સાથે લીધા. તેઓ અત્યંત દુઃખિત થયા.
\v 38 પછી તેમણે તેઓને કહ્યું, "હું ખૂબ જ દુઃખિત છું, એટલો બધો કે જાણે હું મરવાનો છું એવું અનુભવું છું! અહીં રહો અને મારી સાથે જાગતા રહો!"
\s5
\v 39 થોડે દૂર ગયા પછી, તેઓ જમીન પર ઉંધા મુખે પડ્યા. તેમણે પ્રાર્થના કરી, "મારા પિતા, મારે જે રીતે સહન કરવું પડશે તે હું જાણું છું, જો શક્ય હોય તો તેમ થવા દેશો નહીં. પરંતુ જેમ હું ઇચ્છું છું તેમ કરશો નહીં. તેના બદલે, તમે જે ઇચ્છો છો તેમ થાઓ!"
\v 40 પછી તેઓ ત્રણ શિષ્યોની પાસે પાછા ફર્યા અને જોયું કે તેઓ ઊંઘી રહ્યા હતા. તેમણે પિતરને જગાડ્યો અને તેને કહ્યું, "તમે લોકો ઊંઘી ગયા અને થોડા સમય માટે પણ મારી સાથે જાગવા સક્ષમ નથી તેથી હું નિરાશ છું!
\v 41 તમારે સાવધાન રહેવું જોઈએ અને પ્રાર્થના કરો કે જ્યારે કોઈ તમને પાપ કરવા પ્રેરે ત્યારે તમે સામનો કરી શકો. હું જે કહું છું તે તમે કરવા ઇચ્છો છો પરંતુ ખરેખર તે કરવા માટે તમે પૂરતા બળવાન નથી."
\p
\s5
\v 42 તેઓ બીજી વખત દૂર ગયા. તેમણે પ્રાર્થના કરી, "મારા પિતા, જો મારા માટે સહન કરવું અનિવાર્ય હોય, તો તમે જે ઇચ્છો છો તેમ થાઓ!"
\v 43 જ્યારે તેઓ ત્રણ શિષ્યો પાસે પાછા આવ્યા, ત્યારે તેમણે જોયું કે તેઓ ફરીથી ઊંઘતા હતા. તેઓ પોતાની આંખો ખુલ્લી રાખી શકતા ન હતા.
\v 44 તેથી તેઓ તેમને છોડીને ફરીથી દૂર ગયા. જે બાબતો અગાઉ પ્રાર્થના કરતાં જણાવી હતી તે કહેતાં તેમણે ત્રીજી વાર પ્રાર્થના કરી.
\s5
\v 45 ત્યારબાદ તેઓ બધા જ શિષ્યો પાસે પાછા આવ્યા. તેમણે તેઓને જગાડ્યા અને તેઓને કહ્યું, "તમે હજુ ઊંઘો છો અને આરામ કરો છો માટે હું નિરાશ છું! જુઓ! કોઈ વ્યક્તિ મને માણસના દીકરાને પાપી માણસો પકડે માટે મદદ કરવાની છે!
\v 46 ઊઠો! ચાલો આપણે તેમને મળવા જઈએ! જે મને તેઓના હાથમાં પકડાવી દેશે તે આવી રહ્યો છે!"
\s5
\v 47 જ્યારે ઈસુ હજુ બોલતા હતા, તેટલામાં યહૂદા આવ્યો. જો કે તે બાર શિષ્યમાંનો એક હતો, તેમ છતાં તે ઈસુના દુશ્મનોને તેમને પકડાવી દેવડાવવા માટે આવ્યો હતો. તરવારો અને લાકડીઓ લઈને એક મોટું ટોળું તેની સાથે આવી રહ્યું હતું. મુખ્ય યાજકો અને વડીલોએ તેમને મોકલ્યા હતા.
\v 48 યહૂદાએ અગાઉથી તેમને સંકેત આપવા માટે ગોઠવણ કરી હતી. તેણે તેમને કહ્યું હતું, "હું જે માણસને ચુંબન કરીશ તે તમે જેને પકડવા ઇચ્છો છો તે જ છે!"
\s5
\v 49 તે તરત જ ઈસુ પાસે ગયો અને કહ્યું, "ગુરુજી, સલામ!" પછી તેણે ઈસુને ચુંબન કર્યું.
\v 50 ઈસુએ ઉત્તર આપ્યો, "મિત્ર, તું જે કરવાનો છે, તે જલદી કર." પછી જે માણસો યહૂદા સાથે આવ્યા હતા તેઓ આગળ આવ્યા અને ઈસુને પકડી લીધા.
\s5
\v 51 અચાનક, ઈસુની સાથે હતા તેમાંના એક માણસે મ્યાનમાંથી તેની તરવાર કાઢી. તેણે પ્રમુખ યાજકના એક ચાકરને મારી નાખવા માટે તે તરવાર મારી, પરંતુ માત્ર તેનો કાન કપાયો.
\v 52 ઈસુએ તેને કહ્યું, "તરવાર પાછી તેના મ્યાનમાં નાખ. જે બધા બીજાઓને તરવારથી મારી નાંખવાનો પ્રયત્ન કરે છે તેઓને બીજું કોઈક તરવારથી મારી નાખશે!
\v 53 શું તું એવું વિચારે છે કે જો હું મારા પિતાને કહું, તો તેઓ તરત જ સ્વર્ગદૂતોના બાર સૈન્યો કરતાં વધારે મને મદદ કરવા નહિ મોકલે?
\v 54 પરંતુ જો મેં તેવું કર્યું હોત, તો પ્રબોધકોએ શાસ્ત્રમાં મસીહ સાથે શું બનશે તે વિષે જે લખ્યું છે તે પૂર્ણ ન થાત."
\s5
\v 55 તે સમયે ઈસુએ જે ટોળાએ તેમને પકડ્યા હતા તેઓને કહ્યું, "જાણે હું લૂંટારો હોઉં તેમ તમે અહીં તરવારો અને લાકડીઓ સાથે મને પકડવા આવ્યા છો! લોકોને શીખવવા હું દરરોજ ભક્તિસ્થાનના આંગણામાં બેસતો હતો. ત્યારે તમે મારી ધરપકડ કેમ ન કરી?
\v 56 પરંતુ આ બધું પ્રબોધકોએ મારા વિષે શાસ્ત્રમાં જે લખ્યું તે પૂર્ણ થાય માટે બની રહ્યું છે." પછી બધા જ શિષ્યો ઈસુને છોડીને નાસી ગયા.
\p
\s5
\v 57 જે માણસોએ ઈસુની ધરપકડ કરી હતી તેઓ તેમને જે ઘરમાં, પ્રમુખ યાજક કાયાફા, રહેતા હતા ત્યાં લઇ ગયા. જે માણસો યહૂદી નિયમો શીખવતા હતા તેઓ તથા યહૂદી વડીલો ત્યાં અગાઉથી જ એકઠા થયા હતા.
\v 58 પિતર ત્યાંથી થોડાંક અંતરે ઈસુની પાછળ જઈ રહ્યો હતો. તે પ્રમુખ યાજકના આંગણામાં આવ્યો. તે આંગણામાં પ્રવેશ્યો અને શું બનશે તે જોવા ચોકીદારો સાથે નીચે બેઠો.
\p
\s5
\v 59 મુખ્ય યાજકો અને બાકીની યહૂદી ન્યાયસભા એવા લોકોને શોધી રહ્યા હતા કે જેઓ ઇસુ વિષે જુઠ્ઠું બોલે જેથી તેઓ તેમને મારી નાખી શકે.
\v 60 પરંતુ ઘણા લોકો તેમના વિષે જુઠ્ઠું બોલ્યા હોવા છતાં, તેઓ એવી કોઈ પણ વ્યક્તિ શોધી શક્યા નહિ કે જેણે કંઈક કામનું કહ્યું હોય. છેવટે બે માણસો આગળ આવ્યા
\v 61 અને કહ્યું, "આ માણસે એવું કહ્યું કે, 'હું ઈશ્વરના ભક્તિસ્થાનનો નાશ કરીને તેને ત્રણ દિવસમાં બાંધવા માટે સમર્થ છું.'"
\s5
\v 62 પછી પ્રમુખ યાજક ઊભા થયા અને ઈસુને કહ્યું, "શું તમે ઉત્તર આપવાના નથી? તેઓ તમારા પર આરોપ મૂકવા જે કહી રહ્યા છે તે બાબતો વિષે તમે શું કહો છો?"
\v 63 પરંતુ ઈસુ મૌન રહ્યા. પછી પ્રમુખ યાજકે તેમને કહ્યું, "અમને સત્ય કહેવા માટે હું તમને આદેશ આપું છું; તમે જાણો છો કે સર્વ-શક્તિમાન ઈશ્વર તમને સાંભળી રહ્યા છે: શું તમે મસીહ, ઈશ્વરના દીકરા છે?"
\v 64 ઈસુએ ઉત્તર આપ્યો, "હા, તમે જે કહો છો તે પ્રમાણે છે. પરંતુ હું પણ તમને બધાને આ કહીશ: કોઈક દિવસે તમે માણસના દીકરાને સર્વ-શક્તિમાન ઈશ્વરની જમણી તરફ બેઠેલા અને રાજ કરતા જોશો. તમે તેમને સ્વર્ગમાંથી વાદળો પર આવતા પણ જોશો!"
\s5
\v 65 પ્રમુખ યાજક એટલો બધો ગુસ્સે થયો કે તેણે પોતાનો ઝભ્ભો ફાડ્યો. પછી તેણે કહ્યું, "આ માણસે ઈશ્વરનું અપમાન કર્યું છે! તે ઈશ્વરની સમાન હોવાનો દાવો કરે છે! નિશ્ચે આપણને આ માણસ વિરુદ્ધ બીજા કોઈની સાક્ષીની જરૂર નથી! તેમણે જે કહ્યું તે તમે સાંભળ્યું છે!
\v 66 તમે શું વિચારો છો?" યહૂદી આગેવાનોએ ઉત્તર આપ્યો, "અમારા નિયમો અનુસાર, તે દોષિત છે અને મારી નાખવાને લાયક છે!"
\s5
\v 67 પછી તેઓમાંના કેટલાંક તેમના મુખ પર થૂંક્યા. બીજાઓએ પોતાની મુઠ્ઠીઓ વડે તેમને મુક્કા માર્યા. બીજાઓએ તેમને તમાચા માર્યા
\v 68 અને કહ્યું, "જ્યારે તું મસીહ હોવાનો દાવો કરે છે, તો અમને કહે કે તને કોણે માર્યો!"
\s5
\v 69 પિતર બહાર આંગણામાં બેઠો હતો. ત્યાં એક દાસી તેની પાસે આવી અને તેની સામે જોયું. તેણે કહ્યું, "તું પણ ઈસુ, કે જે ગાલીલના જીલ્લાનો છે તેની સાથે હતો!"
\v 70 પરંતુ જ્યારે ત્યાં દરેક જણ સાંભળતા હતા, ત્યારે તેણે તે નકાર્યું. તેણે કહ્યું, "તું શાના વિષે વાત કરે છે તે હું જાણતો નથી!"
\s5
\v 71 પછી તે આંગણાના પ્રવેશદ્વારની બહાર ગયો. બીજી છોકરી કે જે ચાકર હતી તેણે તેને જોયો અને આસપાસ ઊભેલા લોકોને કહ્યું, "આ માણસ ઈસુ, કે જે નાસરેથનો છે તેની સાથે હતો."
\v 72 પરંતુ પિતરે ફરીથી નકાર કર્યો. તેણે કહ્યું, "જો હું જુઠ્ઠું બોલું તો ઈશ્વર મને શિક્ષા કરો! હું તમને કહું છું, હું તે માણસને જાણતો પણ નથી!"
\s5
\v 73 થોડા સમય પછી, જે લોકો ત્યાં ઊભા રહ્યા હતા તેઓ પિતરની પાસે આવ્યા અને તેને કહ્યું, "તે ચોક્કસ છે કે તું તેઓમાંનો એક છે કે જેઓ તે માણસની સાથે હતા. અમે તારી બોલી પરથી કહી શકીએ છીએ કે તું ગાલીલનો છે."
\v 74 પછી પિતર મોટેથી જાહેર કરવા લાગ્યો કે જો તે જુઠ્ઠું બોલતો હોય તો ઈશ્વર તેને શ્રાપ આપે. તેણે સ્વર્ગમાંના ઈશ્વરને સાક્ષી આપવા કહ્યું કે તે સત્ય બોલતો હતો અને કહ્યું, "હું તે માણસને જાણતો નથી!" તરત જ મરઘો બોલ્યો.
\v 75 પછી પિતરને ઈસુએ તેને જે શબ્દો કહ્યા હતા તે યાદ આવ્યાં, "મરઘો બોલ્યા અગાઉ, તું ત્રણ વખત કહીશ કે તું મને ઓળખતો નથી." અને પિતર ખૂબ જ રડતા રડતા આંગણાની બહાર ગયો કારણ કે તેણે જે કર્યું હતું તેથી તે ઘણો દુઃખી હતો.
\s5
\c 27
\p
\v 1 બીજે દિવસે વહેલી સવારે બધા જ મુખ્ય યાજકો અને યહૂદી વડીલોએ ઈસુને મારી નાખવા માટે રોમનોને કેવી રીતે મનાવવા તે નક્કી કર્યું.
\v 2 પછી તેઓએ તેમના હાથ બાંધ્યા અને તેમને પિલાત, જે રોમન રાજ્યપાલ હતો તેની પાસે લઇ ગયા.
\p
\s5
\v 3 પછી યહૂદા, કે જેણે ઈસુ સાથે વિશ્વાસઘાત કર્યો હતો, તેને ખ્યાલ આવ્યો કે તેઓએ નક્કી કર્યું હતું કે ઈસુએ મરણ પામવું જ જોઈએ. તેથી તેણે જે કર્યું હતું તે વિષે તે ખેદિત થયો. તે ત્રીસ સિક્કા તે મુખ્ય યાજકો અને વડીલો પાસે પાછો લઇ ગયો.
\v 4 તેણે કહ્યું, "મેં પાપ કર્યું છે. મેં જે માણસ નિર્દોષ છે તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે." તેઓએ ઉત્તર આપ્યો, "અમારે માટે તેનો કંઈ અર્થ નથી! તે તારો પ્રશ્ન છે!"
\v 5 તેથી યહૂદાએ તે નાણાં લીધા અને તેને ભક્તિસ્થાનના આંગણામાં નાખી દીધાં. પછી તે ગયો અને પોતાને લટકાવી દીધો.
\p
\s5
\v 6 પ્રમુખ યાજકે તે નાણાં લીધાં અને કહ્યું, "આ તે નાણાં છે કે અમે માણસને મારવા માટે ચૂકવ્યાં, અને અમારો નિયમ અમને તે નાણાં ભક્તિસ્થાનના ભંડારમાં મૂકવા મંજૂરી આપતો નથી."
\v 7 તેથી તેઓએ તે નાણાંનો ઉપયોગ એક ખેતર ખરીદવા માટે કર્યો કે જે કુંભારનું ખેતર કહેવાતું હતું. તે ખેતરને તેમણે એવું સ્થળ બનાવ્યુ કે જ્યાં તેઓ યરુશાલેમમાં જેઓ અજાણ્યા હોય તેમને દફનાવે.
\v 8 તેથી તે સ્થળ હજુ પણ "લોહીનું ખેતર" કહેવાય છે.
\s5
\v 9 તે ખેતર ખરીદવા દ્વારા, યર્મિયા પ્રબોધકે ઘણા સમય અગાઉ જે લખ્યું હતું તેને તેઓએ સત્ય ઠરાવ્યું: "તેમણે ચાંદીના ત્રીસ સિક્કા લીધા કે જે તેમને માટે ઇઝરાયલના આગેવાનોએ જે કિંમત નક્કી કરી તે એ હતી
\v 10 અને તે નાણાંથી તેમણે કુંભારનું ખેતર ખરીદ્યું. પ્રભુએ મને જે આદેશ આપ્યો હતો તે પ્રમાણે તેમણે કર્યું."
\p
\s5
\v 11 પછી ઈસુ રાજ્યપાલની સામે ઊભા રહ્યા. રાજ્યપાલે તેમને પૂછ્યું, "શું તું કહે છે કે તું યહૂદીઓનો રાજા છે?" ઈસુએ ઉત્તર આપ્યો, "હા, તેં જે પ્રમાણે કહ્યું તે તેમ જ છે."
\p
\v 12 પરંતુ જ્યારે મુખ્ય યાજકો અને વડીલોએ ઈસુ પર ઘણી ખોટી બાબતો કરવાનો આરોપ મૂક્યો, ત્યારે તેમણે ઉત્તર ન આપ્યો.
\v 13 તેથી પિલાતે તેમને કહ્યું, "તું સાંભળે છે કે તેઓ તારા પર કેટલી બધી બાબતો વિષે આરોપો મૂકે છે; શું તું ઉત્તર નહિ આપે?"
\v 14 પરંતુ ઈસુએ કંઈ પણ કહ્યું નહિ. તેમણે જે બાબતો કે જેના વિષે તેઓ તેમના પર આરોપો મૂકતા હતા તે વિષે કંઈ જ ઉત્તર આપ્યો નહિ. તેના પરિણામે, તે રાજ્યપાલ ઘણું જ આશ્ચય પામ્યો.
\p
\s5
\v 15 હવે રાજ્યપાલનો એવો રિવાજ હતો કે દર વર્ષે પાસ્ખાપર્વની ઉજવણી દરમિયાન એક વ્યક્તિ કે જે જેલમાં હોય તેને મુક્ત કરવો. લોકો ઇચ્છે તેવા કોઇપણ કેદીને તે મુક્ત કરતો.
\v 16 તે સમયે યરુશાલેમમાં એક પ્રખ્યાત કેદી હતો જેનું નામ બારાબાસ હતું.
\s5
\v 17 તેથી જ્યારે ટોળું એકઠું થયું, ત્યારે પિલાતે તેઓને પૂછ્યું, "તમારા માટે હું કયા કેદીને મુક્ત કરું: બારાબાસને કે ઈસુ, જેને તેઓ મસીહ કહે છે તેને?"
\v 18 તેણે તે પ્રશ્ન પૂછ્યો કારણ કે તેને ખ્યાલ આવ્યો કે મુખ્ય યાજકોને ઈસુની અદેખાઈ આવતી હતી માટે તેઓ ઈસુને તેની પાસે લાવ્યા હતા. અને પિલાતે વિચાર્યું કે ટોળું એવું પસંદ કરશે કે તે ઈસુને મુક્ત કરે.
\p
\v 19 જ્યારે પિલાત ન્યાયાધીશની બેઠક પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને આ સંદેશ મોકલ્યો: "આજે વહેલી સવારે તે વ્યક્તિના કારણે મને ખરાબ સ્વપ્ન આવ્યું હતું. તેથી તે ન્યાયી વ્યક્તિને દોષિત ઠરાવીશ નહિ!"
\p
\s5
\v 20 પરંતુ મુખ્ય યાજકો અને વડીલોએ ટોળાને સમજાવ્યું કે તેઓ પિલાતને બારાબાસને મુક્ત કરવા અને ઈસુને મારી નાખવાનો હુકમ આપવા માટે કહે.
\v 21 તેથી જ્યારે રાજ્યપાલે તેઓને પૂછ્યું, "બેમાંથી જે વ્યક્તિને હું તમારા માટે મુક્ત કરું તે વિષે તમે શું ઇચ્છો છો?" તેઓએ ઉત્તર આપ્યો, "બારાબાસને!"
\v 22 પિલાતે તેઓને પૂછ્યું, "તો ઈસુ કે જેઓને તમારામાંના કેટલાંક મસીહ કહે છે તેને હું શું કરું?" તે બધાએ જવાબ આપ્યો, "હુકમ આપ કે તારા સૈનિકો તેને વધસ્તંભે જડાવે!"
\s5
\v 23 પિલાતે ઉત્તર આપ્યો, "શા માટે? તેમણે શો ગુનો કર્યો છે?" પરંતુ તેઓએ હજુ મોટેથી બૂમો પાડી, "તેને વધસ્તંભે જડાવો!"
\p
\v 24 પિલાતને લાગ્યું કે તે કંઈ પણ ઉકેલ લાવી શકતો ન હતો. તેનાથી ઊલટું તેણે જોયું કે લોકો હુલ્લડ કરવાની શરૂઆત કરી રહ્યા હતા. તેથી તેણે પાણીની કથરોટ લીધી અને ટોળાની નજર સામે પોતાના હાથ ધોયા. તેણે કહ્યું, "મારા હાથ ધોવા દ્વારા હું દર્શાવી રહ્યો છું કે જો તે વ્યક્તિ મરણ પામે, તો તે તમારો વાંક છે, મારો નહિ!"
\s5
\v 25 અને બધા જ લોકોએ જવાબ આપ્યો, "તેના મરણ માટે અમે, અને અમારાં બાળકો પણ, અપરાધી ઠરો!"
\v 26 પછી તેણે તેના સૈનિકોને લોકો માટે બારાબાસને મુક્ત કરવા માટે હુકમ આપ્યો. પરંતુ તેણે હુકમ આપ્યો કે તેના સૈનિકો ઈસુને કોરડા મારે. અને પછી તેણે ઈસુને સૈનિકોને સોંપી દીધા કે જેથી તેઓ ઈસુને વધસ્તંભે જડે.
\p
\s5
\v 27 પછી રાજ્યપાલના સૈનિકો ઈસુને સૈનિક છાવણીમાં લઇ ગયા. આખુ સૈન્યદળ તેમની આસપાસ એકઠું થયું.
\v 28 તેઓએ તેમના વસ્ત્રો ખેંચી કાઢ્યા, અને તેઓ રાજા હોય તેવો ડોળ કર્યો, અને તેમને લાલ તેજસ્વી લાંબો ઝભ્ભો પહેરાવ્યો.
\v 29 તેઓએ કાંટા સહિત કેટલીક ડાળીઓ લીધી અને મુગટ બનાવવા માટે તેમને ગૂંથીને તેને તેમના માથા પર મૂકી. તેઓએ તેમના જમણા હાથમાં જેમ રાજા પોતાનો રાજદંડ પકડે છે તેવી લાકડી મૂકી. પછી તેઓ તેમની આગળ ઘૂંટણે નમ્યા અને તેમની મશ્કરી કરતા, કહ્યું, "યહૂદીઓના રાજાને સલામ!"
\s5
\v 30 તેઓ તેમના પર થૂંકતા રહ્યા. તેઓએ સોટી લીધી અને તેના વડે તેમના માથા પર મારતા રહ્યા.
\v 31 જ્યારે તેઓએ તેમની મશ્કરી કરવાનું પૂરું કર્યું, ત્યારે તેઓએ તેમનો લાંબો ઝભ્ભો ઉતારી લીધો અને તેમના પોતાના વસ્ત્રો પહેરાવ્યા. પછી તેઓ તેમને જે સ્થળે વધસ્તંભે જડવાના હતા ત્યાં લઇ ગયા.
\p
\s5
\v 32 ઈસુએ તેમનો વધસ્તંભ થોડા અંતર માટે ઊંચક્યા પછી, સૈનિકોએ સિમોન નામના માણસને જોયો, કે જે કુરેની શહેરનો હતો. તેઓએ તેને ઈસુ માટે વધસ્તંભ ઊંચકવા ફરજ પાડી.
\v 33 તેઓ ગલગથા નામની એક જગ્યા પાસે આવ્યા. તે નામનો અર્થ "ખોપરીની જગ્યા" એવો થાય છે.
\v 34 જ્યારે તેઓ ત્યાં ગયા, ત્યારે તેઓએ દ્રાક્ષારસ સાથે કંઇક જે ખૂબ કડવું લાગે તે ભેળવ્યું. તેઓએ ઈસુને તે પીવા માટે આપ્યું કે જેથી તેઓ જ્યારે તેમને વધસ્તંભે જડે ત્યારે તેઓ ખૂબ પીડા અનુભવે નહિ. પરંતુ જ્યારે તેમણે તે ચાખ્યું, ત્યારે તેમણે તે પીવાની ના પાડી. કેટલાક સૈનિકોએ તેમના વસ્ત્રો લઇ લીધા.
\s5
\v 35 પછી તેઓએ તેમને વધસ્તંભે જડી દીધા. ત્યારપછી, તેઓએ તેમના વસ્ત્રો પાસા વડે જુગાર રમીને અરસપરસ વહેંચી લીધા કે જેથી દરેકને એક ટુકડો મળે.
\v 36 પછી કોઈ વ્યક્તિ તેમને બચાવવાનો પ્રયત્ન કરે તો તેને રોકવા માટે સૈનિકો ત્યાં તેમની ચોકી કરવા બેઠા.
\v 37 તેઓએ વધસ્તંભ પર ઈસુના માથાની ઉપર એક નિશાની બાંધી કે જેના પર તેઓને શા માટે વધસ્તંભે જડવામાં આવ્યા હતા તે લખ્યું હતું. પરંતુ જે તેના પર લખ્યું હતું તે એવું જણાવતું હતું કે, 'આ યહૂદીઓના રાજા ઈસુ છે.'
\s5
\v 38 તેઓએ બે લુંટારાઓને પણ વધસ્તંભે જડ્યા. તેઓએ એક વધસ્તંભ ઈસુની જમણી બાજુ અને બીજો ડાબી બાજુ પર મૂક્યો.
\v 39 જાણે કે તેઓ દુષ્ટ માણસ હોય તેમ જે લોકો પસાર થતા હતા તેઓ પોતાના માથાં હલાવીને તેમનું અપમાન કરતા હતા.
\v 40 તે લોકોએ કહ્યું, "તેં કહ્યું કે તું ભક્તિસ્થાનનો નાશ કરીને ત્રણ દિવસમાં તેને ફરીથી બાંધીશ! જો તું તે કરી શકતો હોય, તો તું પોતાને બચાવવા સમર્થ હોવો જોઈએ! જો તું ઈશ્વરનો દીકરો હોય, તો વધસ્તંભ પરથી નીચે ઊતરી આવ!"
\p
\s5
\v 41 તેવી જ રીતે, મુખ્ય યાજકો, જે વ્યક્તિઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓ, અને વડીલોએ તેમની મશ્કરી કરી. તેઓએ ઘણી બાબતો કહી જેવી કે,
\v 42 "તેણે બીજાઓને તેમની બીમારીમાંથી બચાવ્યા, પરંતુ તે પોતાને સહાય કરી શકતો નથી!" "તે કહે છે કે તે ઇઝરાયલનો રાજા છે. તેથી તેણે વધસ્તંભ પરથી નીચે ઊતરી આવવું જોઈએ. પછી અમે તેના પર વિશ્વાસ કરીશું!"
\s5
\v 43 "તે કહે છે કે તે ઈશ્વર પર ભરોસો રાખે છે, અને તે એવી વ્યક્તિ છે કે જે ઈશ્વર પણ છે. તેથી જો ઈશ્વર તેનાથી પ્રસન્ન હોય, તો ઈશ્વરે તેને હમણાં જ બચાવવો જોઈએ!"
\v 44 અને બે લૂંટારાઓ કે જેઓ તેમની સાથે વધસ્તંભો પર હતા તેઓએ પણ તેવી જ બાબતો કહીને તેમનું અપમાન કર્યું.
\p
\s5
\v 45 બપોરે આખી ભૂમિ પર અંધારું થઇ ગયું. બપોરના ત્રણ વાગ્યા સુધી અંધારું જ રહ્યું.
\v 46 આશરે ત્રણ વાગ્યે ઈસુએ મોટેથી બૂમ પાડી, "એલી, એલી, લમા શબકથની?" તેનો અર્થ છે, "મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને શા માટે મૂકી દીધો છે?"
\v 47 જ્યારે ત્યાં ઊભેલા કેટલાક લોકોએ "એલી" શબ્દ સાંભળ્યો, ત્યારે તેઓએ વિચાર્યું કે તેઓ એલિયા પ્રબોધકને બોલાવી રહ્યા છે.
\s5
\v 48 તરત જ તેઓમાંનો એક દોડ્યો અને વાદળી લઇ આવ્યો. તે તેણે ખાટા દ્રાક્ષારસથી ભરી. પછી તેણે તે વાદળી એક લાકડીની ટોચ પર મૂકી અને ઊંચી કરી કે જેથી ઈસુ તેમાં જે દ્રાક્ષારસ હતો તે ચૂસી શકે.
\v 49 પરંતુ જે બીજા લોકો ત્યાં હતા તેઓએ કહ્યું, "થોભો! ચાલો આપણે જોઈએ કે એલિયા તેને બચાવવા આવે છે કે નહિ!"
\v 50 પછી ઈસુએ ફરીથી મોટેથી બૂમ પાડી અને ઈશ્વરને પોતાનો આત્મા સોંપીને તેઓ મરણ પામ્યા.
\s5
\v 51 તે સમયે ભારે જાડો પડદો જે ભક્તિસ્થાનના પરમપવિત્ર સ્થાનને ઢાંકતો હતો તે ઉપરથી નીચે સુધી બે ટુકડાઓમાં ચિરાઈ ગયો. પૃથ્વી હાલી, અને કેટલાક મોટા પથ્થરોના ચિરાઈને બે ભાગ થઇ ગયા.
\v 52 કબરો ખૂલી ગઈ, અને ઘણા લોકોનાં શરીરો કે જેઓએ ઈશ્વરને માન આપ્યું હતું તેઓ જીવિત થઇ ગયા.
\v 53 તેઓ કબરોની બહાર આવી ગયા, અને ઈસુના સજીવન થયા પછી, તેઓ યરુશાલેમમાં ગયા અને ત્યાં ઘણા લોકોને દેખાયા.
\p
\s5
\v 54 જે સૈનિકોએ ઈસુને વધસ્તંભે જડ્યા હતા તેઓની ઉપર નજર રાખતો એક અધિકારી નજીકમાં ઊભો હતો. તેના સૈનિકો કે જેઓ વધસ્તંભની ચોકી કરતા હતા તેઓ પણ ત્યાં જ હતા. જ્યારે તેમને ધરતીકંપ અનુભવ્યો અને બીજી બાબતો બનતી જોઈ, ત્યારે તેઓ ગભરાયા. તેઓએ કહ્યું, "ખરેખર તેઓ ઈશ્વરના દીકરા હતા!"
\p
\v 55 ત્યાં ઘણી સ્ત્રીઓ થોડા અંતરેથી જોઈ રહી હતી. તેઓ એ સ્ત્રીઓ હતી કે જેઓ ઈસુની જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવા માટે ગાલીલથી તેમની સાથે હતી.
\v 56 આ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબની તથા યોસેની મા મરિયમ અને યાકૂબ તથા યોહાનની મા હતી.
\p
\s5
\v 57 જ્યારે લગભગ સાંજ પડી, ત્યારે યૂસફ નામનો એક ધનવાન માણસ ત્યાં આવ્યો. તે અરિમથાઈ નગરનો હતો. તે પણ ઇસુનો શિષ્ય હતો.
\v 58 તે પિલાત પાસે ગયો અને પિલાતને ઈસુનું શરીર લઇને દફનાવવા માટે પરવાનગી માંગી. પિલાતે તેના સૈનિકોને તેને શરીર લઇ જવા માટે પરવાનગી આપવા હુકમ આપ્યો.
\s5
\v 59 તેથી યૂસફ અને બીજાઓએ શરીર લઇને તેને સ્વચ્છ સફેદ કપડાંમાં લપેટ્યુ.
\v 60 પછી તેઓએ તેને યૂસફની પોતાની નવી કબર કે જેને કામદારોએ પથ્થરના ખડકમાં ખોદી કાઢી હતી તેમાં મૂક્યું. તેઓએ કબરના પ્રવેશદ્વાર આગળ એક મોટો સપાટ ગોળાકાર પથ્થર ગબડાવી દીધો. પછી તેઓ ચાલ્યા ગયા.
\v 61 મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામેની બાજુએ બેસીને આ બધું જોઈ રહી હતી.
\p
\s5
\v 62 બીજો દિવસ શનિવાર એટલે કે યહૂદી વિશ્રામનો દિવસ હતો. મુખ્ય યાજકો અને કેટલાક ફરોશીઓ પિલાત પાસે ગયા.
\v 63 તેઓએ કહ્યું, "સાહેબ, અમને યાદ છે કે જ્યારે તે છેતરનાર જીવતો હતો, ત્યારે તેણે કહ્યું હતું, 'મારા મરણના ત્રણ દિવસ પછી હું સજીવન થઈશ.'
\v 64 તેથી અમે તમને સૈનિકોને ત્રણ દિવસ માટે કબરની ચોકી કરવાનો હુકમ આપવા માટે કહીએ છીએ. જો તમે તેમ નહિ કરો, તો તેના શિષ્યો કદાચ આવીને તેનું શરીર ચોરી જશે. પછી તેઓ લોકોને એમ કહી શકે કે ઈસુ સજીવન થયા છે. જો તેઓ આવું કહીને લોકોને છેતરે તો, તે તો તેઓ અગાઉ છેતરતા હતા તેના કરતાં પણ ખરાબ થશે."
\s5
\v 65 પિલાતે ઉત્તર આપ્યો, "તમે કેટલાક સૈનિકોને લઇ જઈ શકો છો. કબરે જાઓ અને તમને લાગે તેટલી રીતે તેને સુરક્ષિત બનાવો."
\v 66 તેથી તેઓ ગયા અને કબરના પ્રવેશદ્વાર આગળના પથ્થરને દોરડાથી ખડકની બંને બાજુએ બાંધીને બંધ કરીને કબરને સુરક્ષિત બનાવી. તેઓએ ત્યાં કેટલાક સૈનિકોને પણ કબરની ચોકી કરવા માટે રહેવા દીધા.
\s5
\c 28
\p
\v 1 વિશ્રામવાર પૂરો થયા પછી, રવિવારની સવારે પરોઢિયે, મગ્દલા નગરની મરિયમ તથા બીજી મરિયમ ઈસુની કબરને જોવા ગઈ.
\v 2 ત્યારે મોટો ધરતીકંપ થયો કારણ કે ઈશ્વરનો દૂત સ્વર્ગમાંથી નીચે આવ્યો. તે કબર પાસે ગયો અને પથ્થરને પ્રવેશદ્વારથી દૂર ગબડાવી દીધો. પછી તે પથ્થર પર બેઠો.
\s5
\v 3 તેનું શરીર વીજળી જેવું તેજસ્વી હતું અને તેના વસ્ત્રો બરફ જેવા સફેદ હતા.
\v 4 ચોકીદારો ધ્રુજી ગયા કારણ કે તેઓ ખૂબ ગભરાયા હતા, અને તેઓ મૃત માણસોની જેમ નીચે પડી ગયા.
\p
\s5
\v 5 દૂતે તે બે સ્ત્રીઓને કહ્યું, "તમારે ગભરાવું જોઈએ નહિ! હું જાણું છું કે જેમને વધસ્તંભે જડવામાં આવ્યા હતા તે ઈસુને તમે શોધો છો.
\v 6 તેઓ અહીં નથી! જેમ ઈસુએ તમને કહ્યું હતું કે ઈશ્વર કરશે તેમ જ ઈશ્વરે તેમને સજીવન કર્યા છે! અહીં આવો અને જ્યાં તેમનું શરીર મુકેલું હતું તે જગા જુઓ!
\v 7 તેથી જલદી જાઓ અને તેમના શિષ્યોને કહો, 'તેઓ મરણમાંથી ઉઠ્યા છે! તેઓ તમારી અગાઉ ગાલીલના જીલ્લામાં જશે. તમે તેમને ત્યાં જોશો.' મેં તમને જે કીધું છે તે ધ્યાનમાં રાખજો!"
\p
\s5
\v 8 તેથી સ્ત્રીઓ ઝડપથી કબરેથી ગઈ. તેઓ ગભરાયેલી હતી, પરંતુ તેઓ ઘણી આનંદીત પણ હતી. જે બન્યું હતું તે શિષ્યોને કહેવા તેઓ દોડી ગઈ.
\v 9 અચાનક, જ્યારે તેઓ દોડતા હતા, ત્યારે ઈસુ તેમને દેખાયા. તેઓએ કહ્યું, "તમને સલામ!" સ્ત્રીઓ તેમની નજીક આવી. તેઓ ઘૂંટણે પડી અને તેમના પગ પકડીને તેમની આરાધના કરી.
\v 10 પછી ઈસુએ તેઓને કહ્યું, "ગભરાશો નહિ! જાઓ અને મારા સર્વ શિષ્યોને કહો કે તેઓ ગાલીલમાં જાય. તેઓ મને ત્યાં જોશે."
\p
\s5
\v 11 જ્યારે સ્ત્રીઓ જઈ રહી હતી, ત્યારે કેટલાક સૈનિકો કે જેઓ કબરની ચોકી કરતા હતા તેઓ શહેરમાં ગયા. તેઓએ જે બધુ બન્યું હતું તેનો અહેવાલ મુખ્ય યાજકોને આપ્યો.
\v 12 તેથી મુખ્ય યાજકો અને યહૂદી વડીલો ભેગા મળ્યા. તેઓએ કબર કેમ ખાલી હતી તે સમજાવવાના રસ્તા વિષે વિચાર્યું. તેઓએ સૈનિકોને લાંચ તરીકે ઘણાં નાણાં આપ્યાં.
\v 13 તેઓએ કહ્યું, "લોકોને કહો, 'રાત્રિ દરમિયાન તેના શિષ્યો આવ્યા અને જ્યારે અમે ઊંઘતા હતા ત્યારે તેનું શરીર ચોરી ગયા.'
\s5
\v 14 જો રાજ્યપાલ આ વિષે સાંભળશે, તો અમે પોતે ખાતરી રાખીશું કે તે ગુસ્સે ન થાય અને તમને શિક્ષા ન કરે. તેથી તમારે ચિંતા કરવી નહિ."
\v 15 તેથી સૈનિકોએ નાણાં લીધાં અને તેમને જેમ કહેવામાં આવ્યું હતુ તેમ કર્યું. અને આજ દિવસ સુધી આ વાત યહૂદીઓ મધ્યે કહેવામાં આવે છે.
\p
\s5
\v 16 પછી અગિયાર શિષ્યો ગાલીલના જીલ્લામાં ગયા. જ્યાં ઈસુએ તેમને જવાનું કહ્યું હતું ત્યાં પર્વત પર તેઓ ગયા.
\v 17 તેઓએ તેમને ત્યાં જોયા અને તેમની આરાધના કરી. પરંતુ કેટલાકે શંકા કરી કે તેઓ ખરેખર ઈસુ હતા અને સજીવન થયા હતા.
\s5
\v 18 પછી ઈસુ તેઓની નજીક આવ્યા અને તેઓને કહ્યું, "મારા પિતાએ મને સ્વર્ગમાંની અને પૃથ્વી પરની દરેક બાબતો અને વ્યક્તિઓ પર સર્વ અધિકાર આપ્યો છે.
\v 19 તેથી જાઓ, અને સર્વ લોકજાતિઓના લોકોને મારો સંદેશ શીખવવા માટે મારા અધિકારનો ઉપયોગ કરો કે જેથી તેઓ મારા શિષ્યો બને. તેઓને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના અધિકાર હેઠળ રહેવા બાપ્તિસ્મા આપો.
\s5
\v 20 મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે સર્વ પાળવા માટે તેઓને શીખવો. અને યાદ રાખો કે આ યુગના અંત સુધી, હું હંમેશા તમારી સાથે છું."

1078
42-MRK.usfm Normal file
View File

@ -0,0 +1,1078 @@
\id MRK
\ide UTF-8
\h માર્ક
\toc1 માર્ક
\toc2 માર્ક
\toc3 mrk
\mt1 માર્ક
\s5
\c 1
\p
\v 1-2 ઈશ્વરના પુત્ર, ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેમના વિશેના આ શુભ સમાચાર છે. જ્યારે યશાયા પ્રબોધકે લખ્યું ત્યારે તેણે આ શુભ સમાચારનો ઉલ્લેખ કર્યો: "સાંભળો! હું મારા સંદેશવાહકને તમારી આગળ મોકલું છું. તે તમને આવકારવાને માટે લોકોને તૈયાર કરશે.
\v 3 અરણ્યમાં જે કોઈ તેમને સાંભળશે તેને તે પોકારશે, 'પ્રભુને આવકારવા માટે તમે પોતાને તૈયાર કરો.'"
\s5
\v 4 જે સંદેશવાહક વિષે યશાયાએ લખ્યું તે યોહાન હતો. લોકોએ તેને "બાપ્તિસ્મા આપનાર" કહ્યો. યોહાન અરણ્યમાં હતો; તે લોકોને બાપ્તિસ્મા આપતો હતો અને તેઓને કહેતો હતો, "તમે જે પાપ કર્યા છે તે સંબંધી પસ્તાવો કરો, અને તેને બંધ કરવાનું નક્કી કરો કે જેથી ઈશ્વર તમને માફી આપે."
\v 5 યહૂદિયાના જીલ્લામાંથી અને યરુશાલેમ શહેરમાંથી વિશાળ સંખ્યામાં લોકો યોહાનનું સાંભળવા માટે અરણ્યમાં ગયા. તેઓમાંના ઘણા જેમણે તે સાંભળ્યું તેઓ સહમત થયા કે તેઓએ પાપ કર્યું છે. પછી યોહાને તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.
\v 6 યોહાન ઊંટના રૂવાંમાંથી બનાવેલ બરછટ કપડાં પહેરતો અને કમરે ચામડાનો પટ્ટો બાંધતો હતો. અરણ્યના પ્રદેશમાં જોવા મળતાં તીડો અને મધ તેનો ખોરાક હતો.
\s5
\v 7 તેનો ઉપદેશ આ પ્રમાણે હતો, "બહુ જ થોડા સમયમાં એક જણ આવશે જે અતિ મહાન છે. તેમની સરખામણીમાં હું કંઈ જ નથી. હું નીચો નમીને તેમના ચંપલની દોરી છોડવાને પણ યોગ્ય નથી.
\v 8 મેં તમારું બાપ્તિસ્મા પાણીથી કર્યું, પણ તેઓ તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી કરશે."
\s5
\v 9 યોહાન ઉપદેશ કરતો હતો તે દરમ્યાન, ઈસુ ગાલીલ જીલ્લાના નાસરેથ નગરમાંથી આવ્યા. યોહાન જ્યાં ઉપદેશ કરતો હતો ત્યાં તેઓ આવ્યા અને યોહાને યર્દન નદીમાં તેમને બાપ્તિસ્મા આપ્યું.
\v 10 ઈસુ જેવા પાણીમાંથી બહાર આવ્યા કે, તરત તેમણે આકાશ ઊઘડેલું અને ઈશ્વરના આત્માને પોતા પર ઊતરતો જોયો. ઈશ્વરનો આત્મા કબૂતરના રૂપમાં આવ્યો.
\v 11 ઈશ્વર આકાશમાંથી બોલ્યા અને કહ્યું, "તું મારો પુત્ર છે જેને હું બહુ પ્રેમ કરું છું. હું તારાથી અતિ પ્રસન્ન છું."
\s5
\v 12 પછી ઈશ્વરના આત્માએ ઈસુને અરણ્યમાં મોકલ્યા.
\v 13 તેઓ ત્યાં ચાલીસ દિવસ સુધી રહ્યા હતા. તે સમય દરમ્યાન, શેતાન તેમનું પરીક્ષણ કરતો હતો. તે જગ્યામાં જંગલી પ્રાણીઓ હતાં, અને દૂતો તેમની સેવા કરતા હતા.
\s5
\v 14 પછીથી જ્યારે યોહાનને કેદખાનામાં નાખવામાં આવ્યો, ત્યારે ઈસુ ગાલીલમાં ગયા. ગાલીલમાં, તેઓ ઈશ્વરના શુભ સમાચાર પ્રગટ કરતા હતા.
\v 15 તેઓ કહેતા હતા, "આખરે સમય આવ્યો છે. ઈશ્વર જલદી એ બતાવશે કે તેઓ રાજા છે. તમે પાપ કર્યું છે માટે દિલગીર થાઓ, અને તે બંધ કરવાનો નિર્ણય કરો, કે જેથી ઈશ્વર તમને માફી આપે. શુભ સમાચાર પર વિશ્વાસ કરો."
\s5
\v 16 એક દિવસે જ્યારે ઈસુ ગાલીલના સમુદ્ર કિનારે ચાલતા હતા ત્યારે, તેમણે બે માણસો, સિમોન અને સિમોનના ભાઈ આન્દ્રિયાને જોયા. તેઓ પોતાની જાળો સમુદ્રમાં નાખી રહ્યા હતા. તેઓ માછલી પકડીને તથા વેચીને નાણાં કમાતા હતા.
\v 17 પછી ઈસુએ તેઓને કહ્યું, "મારી સાથે આવો અને જેમ તમે માછલીઓ પકડી રહ્યા છો તેમ હું તમને માણસોને કેવી રીતે પકડવા તે શીખવીશ."
\v 18 તેઓએ તરત જ તેમની જાળો પડતી મૂકી અને તેમની સાથે ગયા.
\s5
\v 19 તેઓ થોડે આગળ ગયા પછી, ઈસુએ બીજા બે માણસોને, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાનને જોયા. તેઓ ઝબદી નામે માણસના પુત્રો હતા. તેઓ બંને હોડીમાં માછલી પકડવાની જાળો સાંધતા હતા.
\v 20 જેવા ઈસુએ તેમને જોયા કે, તેમણે તેઓને તેમની પાછળ આવવા કહ્યું. તેથી તેઓ તેમના પિતા કે જેઓ ભાડૂતી નોકરો સાથે હોડીમાં હતા, તેમને છોડીને ઈસુની સાથે ગયા.
\s5
\v 21 ઈસુ અને તેમના શિષ્યો કપરનાહૂમ નામના પાસેના ગામમાં ગયા. પછીના સાબ્બાથવારે તેઓ સભાસ્થાનમાં ગયા અને જેઓ ત્યાં એકઠા મળ્યા હતા તેઓને શીખવવાનું શરૂ કર્યું.
\v 22 જે તે પોતે જાણે છે તેના પર આધાર રાખતા એક શિક્ષકની જેમ તેમને શીખવ્યું. યહૂદી નિયમના શિક્ષકો કે જેઓ બીજા માણસોએ જે વિવિધ બાબતો શીખવી હોય તેનું પુનરાવર્તન કરે છે, તેઓની માફક તેમણે શીખવ્યું નહિ.
\s5
\v 23 જ્યાં ઈસુ શીખવતા હતા તે સભાસ્થાનમાં, દુષ્ટાત્માના અંકુશ હેઠળનો એક માણસ હતો. દુષ્ટાત્મા વળગેલા માણસે બૂમો પાડવાની શરુઆત કરી,
\v 24 "ઓ! નાસરેથના ઈસુ! અમારે દુષ્ટાત્માઓને તારી સાથે કોઈ લેવા દેવા નથી! શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું જાણું છું કે તું કોણ છે. તું ઈશ્વર પાસેથી આવેલ પવિત્ર વ્યક્તિ છે!"
\v 25 ઈસુએ દુષ્ટ આત્માને ધમકાવતા કહ્યું, "છાનો રહે અને તેનામાંથી નીકળી જા!"
\v 26 દુષ્ટ આત્માએ તે માણસને હિંસક રીતે ધ્રુજાવી નાખ્યો. તેણે મોટેથી બૂમ પાડી, અને પછી તે માણસમાંથી જતો રહ્યો.
\s5
\v 27 ત્યાં જે બધા લોકો હતા તેઓ આશ્ચર્ય પામ્યા. તેના પરિણામે, તેઓએ માંહોમાંહે ચર્ચા કરતા કહ્યું, "આ અદભૂત છે! તેઓ માત્ર નવી રીતે અને અધિકારપૂર્વક શીખવે છે એટલું જ નહિ પણ, તેઓ દુષ્ટ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેમનું સાંભળે છે!"
\v 28 ઈસુએ જે કર્યું તેના વિષે લોકોએ તરત જ આખા ગાલીલ જીલ્લામાં બીજા ઘણાઓને કહ્યું.
\s5
\v 29 સભાસ્થાનમાંથી નીકળ્યા પછી, ઈસુ, સિમોન અને આન્દ્રિયા, યાકૂબ અને યોહાનની સાથે સીધા જ સિમોન અને આન્દ્રિયાના ઘરે ગયા.
\v 30 સિમોનની સાસુ પથારીમાં સૂઈ રહેલી હતી કારણ કે તેને ખૂબ તાવ હતો. તરત જ કોઈકે ઈસુને તેની માંદગી વિષે કહ્યું.
\v 31 ઈસુ તેની પાસે ગયા, તેનો હાથ પકડીને તેને ઊભી થવામાં મદદ કરી. તરત તે તેના તાવમાંથી સાજી થઈ અને તેઓની સેવા કરવા લાગી.
\s5
\v 32 તે સાંજે, સૂર્ય આથમ્યા પછી, કેટલાક લોકો બીજાઓ કે જેઓ બીમાર હતા અને દુષ્ટાત્માઓના કાબૂમાં હતા તેઓને ઈસુની પાસે લાવ્યા.
\v 33 તેથી એવું લાગતું હતું કે જાણે તે નગરમાં રહેનારા બધા જ લોકો સિમોનના ઘરના દરવાજા આગળ એકઠા થયા હોય.
\v 34 અલગ અલગ પ્રકારના રોગોથી પીડાતા ઘણા બીમાર લોકોને ઈસુએ સાજા કર્યા. તેમણે ઘણા દુષ્ટાત્માઓને પણ લોકોમાંથી નીકળી જવા માટે તાકીદ કરી. તેમણે દુષ્ટાત્માઓને તેમના વિષે લોકોને કંઈ જણાવવા ન દીધું, કારણ કે તેઓ જાણતા હતા કે તે ઈશ્વર પાસેથી મોકલવામાં આવેલા પવિત્ર માણસ છે.
\s5
\v 35 બીજી સવારે જ્યારે હજુ અંધારું હતું ત્યારે ઈસુ વહેલા ઊઠ્યા. તેઓ ઘરેથી નીકળીને નગરની બહાર જ્યાં કોઈ લોકો ન હોય તેવી જગ્યાએ દૂર ગયા. પછી તેમણે પ્રાર્થના કરી.
\v 36 સિમોન અને તેના સાથીદારોએ તેમની શોધ કરી.
\v 37 જ્યારે તેઓએ તેમને શોધી કાઢ્યા ત્યારે તેઓએ કહ્યું, "નગરમાં બધા લોકો તમને શોધે છે."
\s5
\v 38 તેમણે તેઓને કહ્યું, "આપણે પાસેના નગરોમાં જવું જોઈએ કે જેથી હું ત્યાં પણ ઉપદેશ કરી શકું. હું આ કારણથી જ અહીં આવ્યો છું."
\v 39 તેથી તેઓ આખા ગાલીલમાં ફર્યા. જ્યાં તેઓ ગયા ત્યાં, ઈસુ સભાસ્થાનોમાં ઉપદેશ કરતા હતા અને દુષ્ટાત્માઓને લોકોમાંથી બહાર જવા ફરજ પાડતા હતા.
\s5
\v 40 એક દિવસ એક માણસ કે જે ચામડીનો ખરાબ રોગ જેને કુષ્ઠરોગ કહેવાય છે તેનાથી પીડાતો હતો તે ઈસુની પાસે આવ્યો. તે ઈસુને પગે પડ્યો અને તેમને વિનંતી કરતા કહ્યું, "મહેરબાની કરીને મને સાજો કરો, કારણ કે જો તમે ચાહો તો તમે મને સાજો કરી શકો તેમ છો!"
\v 41 ઈસુને તેના પર દયા આવી. તેમણે તેમના હાથ લાંબા કરીને તે માણસને સ્પર્શ કર્યો. પછી તેમણે તેને કહ્યું, "હું તને સાજો કરવા ચાહું છું તેથી, તું સાજો થા!"
\v 42 તરત જ તે માણસ સાજો થયો! તે હવે કુષ્ઠરોગી રહ્યો ન હતો!
\s5
\v 43 તેને પાછો મોકલતાં પહેલાં ઈસુએ તેને સખત શબ્દોમાં તાકીદ કરી.
\v 44 ઈસુએ આ પ્રમાણે કહ્યું, "હમણાં જે બન્યું તેના વિષે કોઈને કશું કહેતો નહિ. તેના બદલે, યાજક પાસે જા, અને તારી જાતને તેને બતાવ કે જેથી તે તારી તપાસ કરે. પછી મૂસાએ લોકો માટે આપેલી આજ્ઞા પ્રમાણે કુષ્ઠરોગમાંથી સાજા થયેલાએ જે અર્પણ કરવું જોઈએ તે કર. લોકોને માટે તે સાક્ષીરૂપ થશે કે તને સાજાપણું મળ્યું છે."
\s5
\v 45 પરંતુ તે માણસે ઈસુએ આપેલી સૂચનાનો અમલ કર્યો નહિ. ઈસુએ તેને કેવી રીતે સાજો કર્યો તે વિષે તે લોકોને કહેવા લાગ્યો. તેના પરિણામે, ઈસુ તે નગરોમાં જાહેર રીતે પ્રવેશી શક્યા નહિ કારણ કે લોકોનાં ટોળા તેમને ઘેરી વળતાં હતાં. તેના બદલે, તેઓ નગરની બહારની જગ્યાઓ કે જ્યાં કોઈ રહેતું ન હતું ત્યાં રહ્યા. પરંતુ તે પ્રદેશના લોકોએ તેમની પાસે આવવાનું ચાલું રાખ્યું.
\s5
\c 2
\p
\v 1 થોડા દિવસો વીત્યા પછી, ઈસુ કફરનહૂમ પાછા આવ્યા. ઈસુ પાછા આવ્યા છે અને ઘરમાં છે તે સમાચાર લોકોએ ખૂબ ઝડપથી ફેલાવી દીધા.
\v 2 તરત જ ઈસુ જ્યાં રહેતા હતા તે ઘરમાં ઘણા લોકો એકઠા થવા લાગ્યા. સંખ્યા એટલી બધી હતી કે આખું ઘર ભરાઈ ગયું હતું. ત્યાં દરવાજા પાસે પણ, ઊભા રહેવાની જગ્યા ન હતી. ઈસુએ તેઓને ઈશ્વરનો સંદેશ કહ્યો.
\s5
\v 3 કેટલાક લોકો લકવા થયેલા એક માણસને ત્યાં ઈસુની પાસે ઘરમાં લાવ્યા. ચાર માણસો તેને બિછાનામાં ઊંચકીને લાવ્યા.
\v 4 તેઓ તેને ઈસુની પાસે લાવી શકે તેમ ન હતા કારણ કે ત્યાં ખૂબ ભીડ હતી. તેથી, તેઓ ઘરના છાપરા ઉપર ગયા અને ઈસુ જે જગ્યાએ હતા ત્યાં ઉપર છતને ખૂલ્લી કરીને જગ્યા કરી. તેઓએ તે લકવાગ્રસ્ત માણસને તેના બિછાના પર સુવાડીને તેમાં થઈને ઈસુની આગળ નીચે ઉતાર્યો.
\s5
\v 5 તે માણસોને વિશ્વાસ હતો કે તેઓ આ માણસને સાજો કરી શકે છે એવું પારખીને ઈસુએ તે લકવાગ્રસ્ત માણસને કહ્યું, "મારા દીકરા, મેં તારા પાપ માફ કર્યા છે!"
\v 6 કેટલાક માણસો જેઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓ ત્યાં બેઠા હતા. તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા,
\v 7 "આ માણસ પોતાને શું માને છે? આવું કહીને તે અભિમાન કરે છે અને ઈશ્વરનું અપમાન કરે છે! માત્ર ઈશ્વર જ આપણા પાપ માફ કરી શકે છે!"
\s5
\v 8 તેઓ જે વિચારી રહ્યા હતા તે વિષે ઈસુને તરત જ ખબર પડી ગઈ. તેમણે તેઓને કહ્યું, "તમે આ બાબતો શા માટે વિચારો છો?
\v 9 મારા માટે શું કહેવું સહેલું હશે, 'મેં તારા પાપ માફ કર્યા છે' કે 'ઊઠ! તારું બિછાનું ઊંચક અને ચાલ?'
\s5
\v 10 હું તમને બતાવીશ કે માણસના દીકરાને આ પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે." પછી તેમણે તે લકવાગ્રસ્ત માણસને કહ્યું,
\v 11 "ઊભો થા! તારુ બિછાનું ઊંચક! અને ઘરે જા!"
\v 12 તે માણસ તરત ઊભો થયો! જ્યારે ત્યાં રહેલા લોકો નિહાળી રહ્યા હતા, ત્યારે તેણે તેનું બિછાનું ઉઠાવ્યું, અને પછી તે ચાલ્યો ગયો. તેઓ બધા આશ્ચર્ય પામ્યા, અને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે, "હમણાં જે બન્યું છે તેવું અમે આ અગાઉ કદી જોયું નથી!"
\s5
\v 13 ઈસુ કપરનાહૂમથી નીકળીને ગાલીલ સમુદ્રના કિનારે ચાલ્યા ગયા. લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો અને તેમણે તેઓને શિક્ષણ આપ્યું.
\v 14 તેઓ ચાલતા હતા, ત્યારે એક માણસ કે જેનું નામ લેવી હતું અને તેના પિતાનું નામ અલ્ફી હતું તેને તેમણે જોયો. તે તેના કાર્યાલયમાં બેઠો હતો અને કર ઉઘરાવતો હતો. ઈસુએ તેને કહ્યું, "મારી સાથે આવ." તે ઊઠ્યો અને ઈસુની સાથે ગયો.
\s5
\v 15 બાદમાં, ઈસુ તે લેવીના ઘરે તેની સાથે ભોજન જમતા હતા. ઘણા પાપીઓ અને કર ઉઘરાવનારા લોકો પણ ઈસુ અને તેમના શિષ્યોની સાથે જમતા હતા.
\v 16 જે માણસો યહૂદી નિયમો શીખવતા હતા અને જેઓ ફરોશી સંપ્રદાયના સભ્યો હતા તેઓએ ઈસુને પાપીઓ અને કર ઉઘરાવનારાઓની સાથે જમતા જોયા. તેઓએ ઈસુના શિષ્યોને પૂછ્યું, "શા માટે તેઓ પાપીઓ અને કર ઉઘરાવનારાઓની સાથે જમે છે?"
\s5
\v 17 તેઓ જે પૂછી રહ્યા હતા તે સાંભળ્યા પછી, જે લોકો યહૂદી નિયમો શીખવતા હતા તેઓને ઈસુએ કહ્યું, "તંદુરસ્ત માણસોને વૈદની જરૂર નથી. તેની વિરુદ્ધ, જેઓ બીમાર છે તેઓને વૈદની જરૂર છે. જેઓ વિચારે છે કે મારી પાસે આવવા માટે તેઓ ન્યાયી છે તેઓને બોલાવવા માટે હું આવ્યો નથી, પણ જેઓ જાણે છે કે તેમણે પાપ કર્યા છે તેઓને માટે આવ્યો છું."
\s5
\v 18 હવે આ સમયે, યોહાન બાપ્તિસ્મીના શિષ્યો અને કેટલાક માણસો જેઓ ફરોશી સંપ્રદાયના છે તેઓ ઉપવાસ કરતા હતા, અને આવું તેઓ ઘણી વાર કરતા હતા. કેટલાક માણસો ઈસુની પાસે આવ્યા અને તેમને પૂછ્યું, "યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરે છે. તમારા શિષ્યો શા માટે ઉપવાસ કરતા નથી?"
\v 19 ઈસુએ તેઓને કહ્યું, "જ્યારે કોઈ માણસ કોઈ સ્ત્રીની સાથે લગ્ન કરે છે, ત્યારે તે હજુ જ્યાં સુધી તેઓની સાથે છે ત્યાં સુધી તેના મિત્રો ઉપવાસ કરશે નહિ. લગ્ન એ તો વરની સાથે જમણ અને ઉજવણી કરવાનો સમય છે. ખાસ કરીને જ્યારે વર તેઓની સાથે હોય, ત્યારે તે ઉપવાસ કરવાનો સમય નથી.
\s5
\v 20 પરંતુ કોઇક દિવસે, વરને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે. ત્યારે તે દિવસોમાં, તેઓ ઉપવાસ કરશે."
\v 21 ઈસુ તેઓને કહેતા ગયા, "લોકો ફાટેલા કપડાને સાંધવા માટે જૂના કપડા પર નવા કરચલી વગરના કાપડના ટુકડાને સીવતા નથી. જો તેઓ તેમ કરે તો, જ્યારે તેઓ તે કપડાને ધોશે, ત્યારે તે ટુકડો સંકોચાઈ જશે અને તે કપડાનો નવો ટુકડો જુના કપડાને વધારે ફાડશે. તેના પરિણામે, તે ફાટેલી જગ્યા વધારે મોટી બની જશે!
\s5
\v 22 તે જ રીતે, લોકો નવા દ્રાક્ષારસને ચામડાની જૂની કોથળીમાં સંગ્રહ કરતા નથી. જો તેઓ તેમ કરે, તો નવો દ્રાક્ષારસ ચામડાની કોથળીને ફાડી નાખશે કારણ કે જ્યારે દ્રાક્ષારસમાં આથો આવશે અને તે ફૂલશે ત્યારે તે પહોળી થઇ શકશે નહિ. તેના પરિણામે, દ્રાક્ષારસ અને કોથળી બંને ખરાબ થઈ જશે! તેની વિરુદ્ધ, લોકોએ નવો દ્રાક્ષારસ ચામડાની નવી કોથળીમાં ભરવો જોઈએ!"
\s5
\v 23 વિશ્રામવારના દિવસે, ઈસુ તેમના શિષ્યો સાથે અનાજનાં ખેતરોમાં થઈને જઈ રહ્યા હતા. જ્યારે તેઓ તે અનાજનાં ખેતરોમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે શિષ્યો અનાજના કેટલાક કણસલાં તોડી રહ્યા હતા.
\v 24 કેટલાક ફરોશીઓએ તેઓ જે કરી રહ્યા હતા તે જોયું અને ઈસુને કહ્યું, "જુઓ! તેઓ વિશ્રામવારને લગતા યહૂદી નિયમને તોડી રહ્યા છે. તેઓ આવું શા માટે કરે છે?"
\s5
\v 25 ઈસુએ તેઓને કહ્યું, "દાઉદ રાજા અને તેની સાથેના માણસો જ્યારે ભૂખ્યા હતા તે વિષે શું તમે શાસ્ત્રમાં કદી વાંચ્યું નથી?
\v 26 અબ્યાથાર પ્રમુખ યાજક હતો તે સમયે, દાઉદ ઈશ્વરના ઘરમાં પ્રવેશ્યો અને થોડી રોટલીની માંગણી કરી. પ્રમુખ યાજકે ઈશ્વરની સામે મૂકવામાં આવેલી રોટલીમાંથી થોડી તેને આપી. આપણા નિયમ પ્રમાણે, માત્ર યાજક જ આ રોટલી ખાઈ શકે! પણ દાઉદે તેમાંથી થોડી ખાધી. પછી તેની સાથે જે બીજા માણસો હતા તેઓને પણ તેણે તેમાંથી થોડી આપી."
\s5
\v 27 ઈસુએ આગળ તેઓને કહ્યું, "વિશ્રામવાર તો લોકોની જરૂરિયાતને માટે સ્થાપિત કરવામાં આવ્યો છે. લોકોને વિશ્રામવારની જરૂરિયાત પૂરી કરવા માટે બનાવવામાં આવ્યા નથી!
\v 28 જેથી, સ્પષ્ટપણે સમજો કે, માણસનો દીકરો, વિશ્રામવારનો પણ પ્રભુ છે!"
\s5
\c 3
\p
\v 1 બીજા વિશ્રામવારે ઈસુ ફરીથી સભાસ્થાનમાં ગયા. ત્યાં એક માણસ હતો જેનો હાથ સૂકાઈ ગયો હતો.
\v 2 ફરોશી સમુદાયના કેટલાક માણસો તેમને ધ્યાનપૂર્વક જોતા હતા કે તેઓ વિશ્રામવારે તે માણસને સાજો કરશે કે નહિ; તેમને કંઈ ખોટું કરતા જોઈને તેઓ તેમના પર દોષ મૂકવા માંગતા હતા.
\s5
\v 3 જે માણસનો હાથ સૂકાઈ ગયો હતો તેને ઈસુએ કહ્યું, "અહીં બધાની સામે ઊભો થા!" તેથી તે માણસ ઊભો થયો.
\v 4 પછી ઈસુએ લોકોને કહ્યું, "ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા તે લોકોને વિશ્રામવારે ભલું કરવાની પરવાનગી આપે છે કે ખોટું કરવાની? નિયમો આપણને વિશ્રામવારે વ્યક્તિનું જીવન બચાવવાની પરવાનગી આપે છે, કે વ્યક્તિને મદદ કરવાનો ઇનકાર કરીને તેને મરણ પામવા છોડી દેવાની?" પણ તેઓએ કોઈ પ્રત્યુત્તર આપ્યો નહિ.
\s5
\v 5 તેમણે તે સર્વની તરફ ગુસ્સાથી જોયું. તે ઘણા નિરાશ થયા કારણ કે તેઓ ખૂબ હઠીલા હતા અને તે માણસને મદદ કરવાની ઇચ્છા રાખતા ન હતા. તેથી તેમણે તે માણસને કહ્યું, "તારો હાથ લાંબો કર!" જ્યારે તે માણસે તેનો સુકાઈ ગયેલો હાથ લાંબો કર્યો ત્યારે, તે ફરીથી સાજો થઈ ગયો!
\v 6 ફરોશીઓ સભાસ્થાનમાંથી જતા રહ્યા. તેઓ તરત જઈને કેટલાક યહૂદીઓને મળ્યા જેઓ હેરોદ આંતીપાસ, કે જે ગાલીલ જીલ્લા પર વહીવટ કરતો હતો તેની તરફેણમાં હતા. ઈસુને કેવી રીતે મારી નાખી શકાય તે માટે તેઓએ સાથે મળીને યોજના બનાવી.
\p
\s5
\v 7 ઈસુ અને તેમના શિષ્યો તે નગર છોડીને ગાલીલ સમુદ્રના બીજા પ્રદેશ તરફ ગયા. લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો. જે લોકો તેમની પાછળ ગયા તેઓ ગાલીલ અને યહૂદિયા,
\v 8 યરુશાલેમ, યહૂદિયા જીલ્લાના નગરોમાંથી, અદુમ જીલ્લામાંથી, યર્દન નદીની પૂર્વ તરફના પ્રદેશમાંથી, તેમજ તૂર અને સિદોન શહેરોની આસપાસના પ્રદેશોમાંથી આવતા હતા. તેઓ બધા તેમની પાસે આવ્યા કારણ કે તેઓ જે કરતા હતા તે વિષે તેઓએ સાંભળ્યું હતું.
\s5
\v 9-10 તેમણે ઘણા લોકોને સાજા કર્યા હતા તેથી વિવિધ રોગોથી પીડાતા ઘણા લોકો તેમને સ્પર્શ કરવા માટે પડાપડી કરતા હતા. તેઓ એવું માનતા હતા કે તેઓ માત્ર તેમને સ્પર્શ કરશે તોપણ, તેઓ સાજા થશે. તેથી તેમણે તેમના શિષ્યોને એક નાની હોડી લાવવા માટે કહ્યું કે જેથી જ્યારે લોકો તેમને સ્પર્શ કરવા માટે આગળ વધે ત્યારે તેમને કચડી ન નાખે.
\s5
\v 11 જ્યારે પણ દુષ્ટાત્માઓ ઈસુને જોતા ત્યારે, તેઓ જે લોકો તેમના નિયંત્રણમાં હતા તેઓને ઈસુના પગ પાસે પાડી નાખતા અને તેમને બૂમ પાડતા, "તમે ઈશ્વરના પુત્ર છો!"
\v 12 ઈસુએ તે દુષ્ટાત્માઓને ભારપૂર્વક આજ્ઞા કરી કે ઈસુ કોણ છે તેના વિષે તેઓએ કોઈને કહેવું નહી.
\p
\s5
\v 13 ઈસુ પહાડ તરફ ગયા. જ્યારે તેઓ ત્યાં ગયા ત્યારે, જેઓને તેઓ સાથે લેવા માગતા હતા તેઓને તેમણે બોલાવ્યા અને તેઓ તેમની સાથે ગયા.
\v 14 તેમણે બાર માણસોને નિયુક્ત કર્યા કે જેઓ તેમની સાથે રહે અને તે તેઓને ઉપદેશ કરવા માટે મોકલે. તેમણે તેઓને પ્રેરિતો કહ્યા.
\v 15 દુષ્ટાત્માઓને લોકોમાંથી કાઢવા માટે તેઓ ફરજ પાડી શકે તે માટે તેમણે તેઓને સામર્થ્ય આપ્યું.
\v 16 તેમણે નિયુક્ત કરેલા બાર માણસો આ પ્રમાણે હતા: સિમોન, કે જેને ઈસુએ પિતર એવું નવું નામ આપ્યું;
\s5
\v 17 ઝબદીનો દીકરો યાકૂબ અને તેનો ભાઈ યોહાન, તેઓ બંનેને તેઓના જબરજસ્ત ઉત્સાહને કારણે તેમણે 'ગર્જનાના દીકરા' એવું નવું નામ આપ્યું;
\v 18 આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અને યાકૂબ કે જે આલ્ફીયસનો દીકરો હતો; થાદી; સિમોન ઝલોત;
\v 19 અને યહૂદા ઈશ્કરિઓત (કે જેણે પછીથી તેમનો વિશ્વાસઘાત કર્યો).
\p
\s5
\v 20 ઈસુ અને તેમના શિષ્યો ઘરમાં ગયા. જ્યાં તેઓ રહેતા હતા ત્યાં ટોળું ફરી એકઠું થયું. ઘણા લોકો તેમને ઘેરી વળ્યા. તેમને અને તેમના શિષ્યોને ખાવાનો પણ સમય મળતો ન હતો.
\v 21 જ્યારે તેમના સંબંધીઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓ તેમને તેમની સાથે ઘરે લઇ જવા આવ્યા કારણ કે કેટલાક લોકો એવું કહેતા હતા કે તે ઘેલો થઈ ગયો છે.
\p
\v 22 કેટલાક માણસો જેઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓ યરુશાલેમથી આવ્યા. તેઓએ સાંભળ્યું કે ઈસુ દુષ્ટાત્માઓને લોકોમાંથી બહાર જવા ફરજ પાડે છે. તેથી તેઓ લોકોને કહેવા લાગ્યા, "બાલઝબુલ, જે દુષ્ટાત્માઓ પર અધિકાર ધરાવે છે, તે ઈસુને નિયંત્રિત કરે છે. તે એ જ છે કે જે ઈસુને લોકોમાંના દુષ્ટાત્માઓને નીકળવા ફરજ પાડવાની શક્તિ આપે છે!"
\s5
\v 23 તેથી ઈસુએ તે માણસોને તેમની પાસે બોલાવ્યા. ઈસુએ તેઓની સાથે ઉદાહરણ દ્વારા વાત કરી અને કહ્યું, "શેતાન કેવી રીતે શેતાનને કાઢી શકે?
\v 24 જો કોઈ એક જ દેશના લોકો અંદરોઅંદર એકબીજા સાથે લડાઈ કરે તો, તેમના દેશની એકતા ભાંગી પડશે.
\v 25 અને જો એક જ ઘરમાં સાથે રહેતા લોકો એકબીજા સાથે લડાઈ કરે તો, તેઓ એક કુટુંબ તરીકે એકતાથી રહી શકે નહીં.
\s5
\v 26 તેવી જ રીતે, જો શેતાન અને તેના દુષ્ટાત્માઓ એકબીજા સાથે લડાઈ કરતા હોય તો, તેઓ બળવાન થવાને બદલે નિર્બળ થઈ જશે.
\v 27 કોઈ બળવાન માણસના ઘરમાં પેસીને તે બળવાન માણસને પહેલા બાંધ્યા સિવાય કોઈ તેની સંપત્તિ તેની પાસેથી પડાવી શકતો નથી. તે પછી જ તે માણસના ઘરમાં રહેલી વસ્તુઓને તે ચોરી શકશે."
\s5
\v 28 ઈસુએ એ પણ કહ્યું, "આ બાબતને કાળજીથી ધ્યાનમાં લો! લોકો ઘણી રીતે પાપ કરી શકે છે અને ઈશ્વર વિષે દુષ્ટ બાબતો બોલી શકે છે. તોપણ ઈશ્વર તેમને માફ કરી શકે છે,
\v 29 પણ જો કોઈ પવિત્ર આત્મા વિષે દુષ્ટ શબ્દો બોલે તો, ઈશ્વર તેમને કદી માફ નહી કરે. તે વ્યક્તિ પર અનંતકાળને માટે પાપનો દોષ રહે છે."
\p
\v 30 ઈસુએ આવું કહ્યું કારણ કે તેઓ કહી રહ્યા હતા કે, "દુષ્ટ આત્માએ તેમને નિયંત્રણમાં લીધા છે!"
\s5
\v 31 ઈસુની માતા અને નાના ભાઈઓ આવી પહોંચ્યા. જ્યારે તેઓ બહાર ઊભાં હતાં ત્યારે, તેમણે કોઈકને તેમને બહાર બોલાવવા માટે અંદર મોકલ્યો.
\v 32 ઈસુની આસપાસ ટોળું બેઠેલું હતું. તેઓમાંના કોઈકે કહ્યું, "તમારી માતા અને નાના ભાઈઓ બહાર આવ્યા છે. તેઓ તમને મળવા માંગે છે."
\s5
\v 33 ઈસુએ તેઓને પૂછ્યું, "મારી માતા કોણ છે? મારા ભાઈઓ કોણ છે?"
\v 34 તેમની સાથે જેઓ બેઠા હતા તેમની તરફ જોયા પછી તેમણે કહ્યું, "અહીં જુઓ! તમે મારી માતા અને મારા ભાઈઓ છો.
\v 35 જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે તે મારો ભાઈ, મારી બહેન, કે મારી માતા છે!"
\s5
\c 4
\p
\v 1 બીજા એક સમયે ઈસુ ગાલીલના સમુદ્ર કિનારે લોકોને શિક્ષણ આપતા હતા. તેઓ શીખવી રહ્યા હતા ત્યારે, ખૂબ મોટો સમુદાય તેમની આસપાસ એકઠો થયો. તેઓ હોડીમાં ચઢી ગયા અને તેને ઊંડા પાણી તરફ હંકારી. પછી તેઓ હોડીમાં બેઠા જેથી તેઓ વધારે સારી રીતે સમુદાયને ઉપદેશ કરી શકે. લોકો તે સમયે પાણીની પાસે કિનારા પર હતા.
\v 2 પછી તેમણે તેઓને ઘણાં ઉદાહરણો શીખવ્યાં. જ્યારે તે તેઓને શીખવી રહ્યા હતા ત્યારે તેમણે આ કહ્યું:
\s5
\v 3 "સાંભળો: એક માણસ તેના ખેતરમાં કેટલાક બીજ વાવવા માટે ગયો.
\v 4 જ્યારે તે તેઓને જમીન પર વેરી રહ્યો હતો ત્યારે, તેઓમાંના કેટલાંક બીજ માર્ગ પર પડ્યાં. પછી કેટલાક પક્ષીઓ આવ્યાં અને તે બીજ ખાઈ ગયાં.
\v 5 બીજાં બીજ એવી જમીન પર પડ્યાં કે જ્યાં ખડક પર વધારે માટી ન હતી. તે બીજમાં ઝડપથી ફણગા ફૂટ્યા કારણ કે સૂર્યના તાપે તે ભીની માટીને તપાવી જે વધારે ઊંડી ન હતી.
\s5
\v 6 પણ જ્યારે સૂર્યનો તાપ તે નાના છોડ પર પડ્યો ત્યારે તે બળી ગયાં. પછી તેઓ સુકાઈ ગયા કારણ કે તેમના મૂળ ઊંડાં ન હતાં.
\v 7 તે વાવતો હતો ત્યારે, બીજાં બીજ એવી જમીન પર પડ્યાં કે જ્યાં કાંટાળા અને મૂળિયાં ધરાવતા છોડ હતા. તે બીજ વૃદ્ધિ પામ્યા, પણ કાંટાળા છોડ પણ વૃદ્ધિ પામ્યા અને તે સારા છોડને દબાવી દીધા. તેથી છોડમાંથી કઈ પાક ઊપજ્યો નહી.
\s5
\v 8 પરંતુ જ્યારે તે વાવતો હતો ત્યારે, બીજાં બીજ સારી જમીન પર પડ્યાં. તેના પરિણામે, તે ઊગ્યાં, તેઓ સારી વૃદ્ધિ પામ્યાં, અને પછી તેમણે ઘણો પાક ઉપજાવ્યો. માણસે જે બીજ વાવેલાં તેના કરતાં કેટલાક છોડે ત્રીસ ગણી ઊપજ આપી. કેટલાકે સાઠ ગણી ઊપજ આપી. કેટલાકે સો ગણી ઊપજ આપી."
\v 9 પછી ઈસુએ કહ્યું, "જો તમારે આ સમજવું હોય તો, મેં હમણાં તમને જે કહ્યું તેના પર તમારે ધ્યાન આપવું જોઈએ."
\p
\s5
\v 10 તે પછી, જ્યારે ઈસુ અને તેમના બાર શિષ્યો અને અન્ય અંગત અનુયાયીઓ સાથે હતા ત્યારે, તેઓએ તેમને ઉદાહરણો વિષે પૂછ્યું.
\v 11 તેમણે તેઓને કહ્યું, "ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરે છે તે વિશેનો સંદેશ હું તમને સમજાવીશ, પણ બીજાઓની સાથે હું ઉદાહરણો દ્વારા વાત કરીશ.
\q
\v 12 હું જે કરું છું તે જ્યારે તેઓ જોશે ત્યારે, તેઓ શીખશે નહિ.
\q હું જે કહું છું તે જ્યારે તેઓ સાંભળશે ત્યારે, તેઓ સમજશે નહિ.
\q જો તેઓ શીખે અને સમજે તો,
\q તેઓએ જે પાપ કર્યા છે તેના માટે તેઓ દુઃખી થાત અને પાપ કરવાનું બંધ કરવાનો નિર્ણય કરત,
\q અને ઈશ્વર તેઓને માફ કરત."
\p
\s5
\v 13 તેમણે તેઓને એ પણ કહ્યું, "શું તમે આ ઉદાહરણને સમજતા નથી? તો પછી હું તમને બીજા ઉદાહરણો શીખવીશ તે તમે કેવી રીતે સમજશો?
\v 14 મેં તમને જે ઉદાહરણ કહ્યું તેમાં, જે માણસ બીજ વાવતો હતો તે જે ઈશ્વરનો સંદેશ બીજાઓને શીખવે છે તેવી વ્યક્તિને દર્શાવે છે.
\v 15 કેટલાક લોકો તે માર્ગ જેવા છે કે જ્યાં કેટલાંક બીજ પડ્યાં. જ્યારે તેઓ ઈશ્વરનો સંદેશ સાંભળે છે ત્યારે, શેતાન તરત આવે છે અને તેમણે જે સાંભળ્યું હતું તે ભુલાવી દે છે.
\s5
\v 16 કેટલાક લોકો એવી જમીન જેવા છે કે જ્યાં ખડક પરની માટી વધારે ઊંડી ન હતી. જ્યારે તેઓએ ઈશ્વરનો સંદેશ સાંભળ્યો ત્યારે, તેઓએ આનંદથી તરત જ તેને સ્વીકારી લીધો.
\v 17 પણ, તે સંદેશ વધારે વૃદ્ધિ પામ્યો નહીં, તેઓએ માત્ર થોડા સમય પૂરતો તેના પર વિશ્વાસ કર્યો. તેઓ એવા છોડના જેવા છે કે જેનાં મૂળ ઊંડા ઊતર્યા નથી. ઈશ્વરનો સંદેશ સ્વીકારવાને લીધે જ્યારે બીજાઓ તેમની સાથે ખરાબ વર્તન કરે કે તેમને પીડા આપે ત્યારે, તે લોકો જેઓ સહન કરી રહ્યા છે તેઓ તરત જ ઈશ્વરના સંદેશ પર વિશ્વાસ કરવાનું બંધ કરી દેશે.
\s5
\v 18 કેટલાક લોકો એવી જમીન જેવા છે કે જેમાં કાંટાળા ઝાંખરાં હોય.
\v 19 તે લોકો ઈશ્વરના સંદેશને સાંભળે છે પણ, તેઓને ખૂબ ધનવાન થવું છે અને બીજી ઘણી બાબતો પ્રાપ્ત કરવી છે. તેથી તેઓ તેમની પાસે જે છે માત્ર તેની જ ચિંતા કરે છે અને તેઓ ઈશ્વરનો સંદેશ ભૂલી જાય છે અને ઈશ્વર તેમની પાસે જે કરાવવા માગે છે તે બાબતો તેઓ કરતા નથી.
\v 20 પરંતુ કેટલાક લોકો સારી જમીન જેવા છે. તેઓ ઈશ્વરના સંદેશને સાંભળે છે, તેને સ્વીકારે છે અને તેઓ તેના પર વિશ્વાસ કરે છે, અને ઈશ્વર તેમની પાસેથી જે કરાવવા માંગે છે તે બાબતો તેઓ કરે છે. તેઓ એવા સારા છોડના જેવા છે કે જે ત્રીસ, સાઠ, કે સો ગણી ઊપજ આપે છે."
\p
\s5
\v 21 તેમણે તેઓને બીજું ઉદાહરણ કહ્યું: "લોકો મોટાભાગે તેલનો દીવો પ્રગટાવીને તેને કોઈ ચીજ વડે તેના પ્રકાશને ઢાંકવા ઘરમાં લાવતા નથી. તેના બદલે, તેઓ તેને દીવી પર મૂકે છે જેથી તે પ્રકાશ આપી શકે.
\v 22 તેવી જ રીતે, જે બાબતો છુપાયેલી છે - તેના વિષે એક દિવસ બધા લોકો જાણશે, અને જે બાબતો ગુપ્તમાં બનેલી છે - તેને એક દિવસ બધા લોકો ખુલ્લા પ્રકાશમાં જોશે.
\v 23 જો તમારે આ સમજવું હોય તો, મેં હમણાં તમને જે કહ્યું તેના પર તમારે ધ્યાન આપવું જોઈએ."
\p
\s5
\v 24 પછી તેમણે તેઓને કહ્યું, "તમે મને જે કહેતાં સાંભળો છો તેને કાળજીપૂર્વક ધ્યાનમાં લો, જેથી હું તમને જે રીતે તે કહું છું તે જ પ્રમાણે ઈશ્વર તમને તે સમજાવે. તેઓ તમને તેથી પણ વધારે સમજાવશે.
\v 25 હું જે કહું છે તેને જેઓ ધ્યાનમાં લેશે અને સમજશે, તેઓને ઈશ્વર વધારે સમજવા શક્તિમાન કરશે. પણ હું જે કહું છું તે જેઓ કાળજીપૂર્વક ધ્યાનમાં નહીં લે તો તેઓ જે અગાઉથી જાણતા હશે તે પણ ભૂલી જશે."
\p
\s5
\v 26 ઈસુએ એ પણ કહ્યું, "જ્યારે ઈશ્વરે પોતાને રાજા તરીકે દર્શાવવાનું શરુ કર્યું છે ત્યારે, તે એક માણસના જેવું છે જેણે જમીન પર બીજ નાખ્યા.
\v 27 તે પછી તે વાવેલા બીજની ચિંતા કર્યા વગર રોજ રાત્રે સૂતો અને રોજ ઊઠતો. તે દરમ્યાન તે બીજ ઊગ્યાં અને તેઓ એવી રીતે વૃદ્ધિ પામ્યાં કે જેને તે સમજી શક્યો નહીં.
\v 28 તે જમીને પોતે જ તેની ઊપજ પેદા કરી. પહેલાં ફણગા ફૂટ્યા. પછી ફોતરાંમાંથી આખા દાણા દેખાવા લાગ્યા.
\v 29 જેવી તે ફસલ પાકી કે તરત જ તેણે કાપણી કરનારા લોકો મોકલ્યા કારણ કે તે ફસલ લણવાનો સમય હતો."
\p
\s5
\v 30 ઈસુએ તેઓને બીજું ઉદાહરણ કહ્યું. તેમણે કહ્યું, "જ્યારે ઈશ્વરે પોતાને રાજા તરીકે દર્શાવવાનું શરુ કર્યું છે ત્યારે, તે શાના જેવું છે? તેનું વર્ણન કરવા માટે હું કયા ઉદાહરણનો ઉપયોગ કરું?
\v 31 તે રાઈના બીજ જેવું છે. તમે જાણો છો કે જ્યારે આપણે રાઈના બીજને વાવીએ છીએ ત્યારે તેનું શું થાય છે. રાઈનું બીજ બધા જ બીજમાં સૌથી નાનું હોવા છતાં, તે મોટો છોડ બને છે.
\v 32 તેમને રોપવામાં આવે તે પછી, તે વૃદ્ધિ પામે છે અને બાગમાંના બીજા છોડ કરતાં વધારે મોટું થાય છે. તેની મોટી ડાળીઓ નીકળે છે જેથી પક્ષીઓ તેમની છાયામાં માળા બાંધી શકે."
\p
\s5
\v 33 ઈસુ જ્યારે ઈશ્વરના સંદેશ વિષે લોકોને કહેતા હતા ત્યારે તેમણે ઘણા ઉદાહરણોનો ઉપયોગ કર્યો. જો તેઓ થોડું સમજી શકવા શક્તિમાન હતા તો તેઓ તેમને વધારે જણાવવા લાગ્યા.
\v 34 જ્યારે તેઓ તેમની સાથે વાત કરતા ત્યારે હંમેશાં ઉદાહરણોનો ઉપયોગ કરતા. પરંતુ જ્યારે તેમના શિષ્યો તેમની સાથે એકલા હોય ત્યારે તેઓ તેમને ઉદાહરણો સમજાવતા.
\p
\s5
\v 35 તે જ દિવસે, સૂર્યાસ્તના સમયે, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, "આપણે સરોવરને પેલે પાર જઈએ."
\v 36 ઈસુ તો હોડીમાં જ હતા, તેથી તેઓ લોકોના સમુદાયને રહેવા દઈને હોડી દ્વારા દૂર ગયા. બીજા લોકો પણ તેમની હોડીઓમાં બેસીને તેમની સાથે ગયા.
\v 37 ભારે પવન ફૂંકાવાનો શરુ થયો અને મોજાંઓ હોડીમાં આવવા લાગ્યાં! હોડી ઝડપથી પાણીથી ભરાવા લાગી!
\s5
\v 38 ઈસુ હોડીની પાછળના ભાગે હતા. તેઓ ઓશિકા પર માથું મૂકીને સૂઈ ગયા હતા. તેથી તેઓએ તેમને જગાડ્યા અને તેમને કહ્યું, "ગુરુજી! અમે મરી રહ્યા છે તેની શું તમને ચિંતા નથી?"
\v 39 તેથી ઈસુ ઊઠ્યા અને પવનને ધમકાવ્યો અને સમુદ્રને કહ્યું, "શાંત થા! સ્થિર થા!" પવન ફૂંકાતો બંધ થયો અને સમુદ્ર એકદમ શાંત થઈ ગયો.
\s5
\v 40 તેમણે શિષ્યોને કહ્યું, "તમે શા માટે ગભરાઈ ગયા? શું હજુ પણ તમને વિશ્વાસ નથી?"
\v 41 તેઓ ખૂબ ભયભીત થયા. તેમણે એકબીજાને કહ્યું, "આ માણસ કોણ છે? પવન અને મોજા પણ તેમનું માને છે!"
\s5
\c 5
\p
\v 1 ઈસુ અને તેમના શિષ્યો ગાલીલ સમુદ્રની પેલે પાર આવી પહોંચ્યા. તેઓ જ્યાં ઊતર્યા તેને લોકો ગેરાસાનીઓનો પ્રદેશ કહેતા હતા.
\v 2 જ્યારે ઈસુ હોડીમાંથી ઊતર્યા, ત્યારે એક માણસ કબ્રસ્તાનમાંથી બહાર નીકળી આવ્યો. દુષ્ટાત્માઓએ તે માણસનો કબજો લીધો હતો.
\s5
\v 3 તે માણસ કબ્રસ્તાનમાંથી બહાર નીકળી આવ્યો કારણ કે તે કબરોમાં રહેતો હતો. લોકો તેને જાણતા હતા અને કેટલીક વાર તેઓએ તેને બાંધવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તેઓ તેને સાંકળોથી પણ બાંધી શક્યા ન હતા.
\v 4 જ્યારે તેઓ તેને સાંકળો તથા બેડીઓ વડે બાંધતા હતા, ત્યારે તે તેઓને તોડી નાખતો હતો. તે એટલો શક્તિશાળી હતો કે કોઈ તેને વશ કરી શકતું ન હતું.
\s5
\v 5 તે દિવસ અને રાત કબ્રસ્તાનમાં પોતાનો સમય પસાર કરતો હતો. તે પહાડોમાં તથા કબરોમાં મોટેથી બૂમ પાડતો તથા ધારદાર પત્થરોથી પોતાને ઘાયલ કરતો હતો.
\v 6 જ્યારે તેણે દૂરથી ઈસુને હોડીમાંથી ઊતરીને આવતા જોયા, ત્યારે તે તેમની તરફ દોડી ગયો અને તેમને પગે પડ્યો.
\s5
\v 7-8 ઈસુ એ દુષ્ટાત્માને કહેતા હતા, "હે દુષ્ટાત્મા, તું આ માણસમાંથી નીકળ!" પરંતુ તે દુષ્ટાત્મા તરત નીકળી ગયો નહીં. તે મોટે ઘાંટે પોકારીને બોલ્યો, "હે ઈસુ, હું જાણું છું કે તમે ઈશ્વરના પુત્ર છો, તેથી આપણે એકબીજા સાથે કોઈ જ સંબંધ નથી. મને છોડી દો! ઈશ્વરના નામમાં હું તમને વિનંતી કરું છું. મને પીડા ન આપો!"
\s5
\v 9 ઈસુએ તેને પૂછ્યું, "તારું નામ શું છે?" તેણે ઉત્તર આપ્યો, "મારું નામ સેના છે કારણ કે આ માણસની અંદર અમે ઘણા દુષ્ટાત્માઓ છીએ."
\v 10 પછી તે દુષ્ટાત્માઓએ ઈસુને કહેવાનું ચાલુ રાખ્યું કે તેઓ તેમને તે પ્રદેશમાંથી બહાર ન મોકલે.
\s5
\v 11 તે જ સમયે, ત્યાં પહાડની નજીક ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું.
\v 12 તેથી દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી, "તે ભૂંડોમાં અમે પ્રવેશીએ માટે અમને તેઓમાં જવાની રજા આપો!"
\v 13 ઈસુએ તેઓને તે પ્રમાણે કરવાની રજા આપી. તેથી તે દુષ્ટાત્માઓ માણસમાંથી નીકળીને ભૂંડોમાં ગયા. તે ટોળું, જેની સંખ્યા આશરે બે હજાર હતી, તે ટેકરી પરથી નીચે સરોવરમાં ધસી ગયું, જ્યાં તે ડૂબી ગયું.
\p
\s5
\v 14 જે માણસો ભૂંડો ચરાવતા હતા તેઓએ દોડીને જે બન્યું હતું તેના વિષે નગરમાં અને ગામડાઓમાં ખબર આપી. ઘણા લોકો જે બન્યું હતું તે જાતે જ જોવા માટે ગયા.
\v 15 ઈસુ જ્યાં હતા તે જગ્યાએ તેઓ આવ્યા. પછી તેઓએ તે માણસને કે જે પહેલાં દુષ્ટાત્માઓના કબ્જામાં હતો તેને જોયો. તે ત્યાં કપડા પહેરેલો અને માનસિક રીતે શાંત બેઠેલો હતો. જ્યારે તેઓએ આ બધું જોયું ત્યારે તેઓને બીક લાગી.
\s5
\v 16 જે લોકોએ તે ઘટના જોઈ હતી કે તેઓએ જે માણસ પહેલા દુષ્ટાત્માઓના કબજામાં હતો તેની સાથે જે બન્યું હતું તેનું વર્ણન કર્યું. ભૂંડોની સાથે જે બન્યું તેનું પણ તેઓએ વર્ણન કર્યું.
\v 17 પછી લોકોએ ઈસુને વિનંતી કરી કે તેઓ તે પ્રદેશમાંથી જતા રહે.
\p
\s5
\v 18 જ્યારે ત્યાંથી જવા માટે ઈસુ હોડીમાં બેઠા ત્યારે, જે માણસને દુષ્ટાત્માઓએ અગાઉ પોતાના કબજામાં લીધો હતો તેણે ઈસુને વિનંતી કરી, "મહેરબાની કરીને મને તમારી સાથે આવવા દો!"
\v 19 પરંતુ ઈસુએ તેને પોતાની સાથે આવવા ન દીધો. તેના બદલે, તેમણે તેને કહ્યું, "તારા ઘરે તારા કુટુંબ પાસે જા અને ઈશ્વરે તારા માટે કેટલું બધું કર્યું છે, અને ઈશ્વરે તારા પ્રત્યે કેટલી દયા કરી છે તે તેઓને કહે."
\v 20 તેથી તે માણસ ગયો અને તે જીલ્લાના દસ નગરોમાં ફર્યો. ઈસુએ તેના માટે કેટલું બધું કર્યું તે વિષે તેણે લોકોને કહ્યું. જે બધાએ તે માણસે જે કહ્યું તે સાંભળ્યું ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા.
\p
\s5
\v 21 ઈસુ અને તેમના શિષ્યો હોડીમાં બેસીને જ્યાં તેઓ અગાઉ હતા ત્યાં ગાલીલ સમુદ્રને પેલે પાર ગયા. જ્યારે તેઓ કિનારે આવી પહોંચ્યા, ત્યારે એક મોટું ટોળું ઈસુની આસપાસ એકઠું થયું.
\v 22 એક માણસ જે સભાસ્થાનનો અધિકારી હતો, જેનું નામ યાઈરસ હતું, તે ત્યાં આવ્યો. જ્યારે તેણે ઈસુને જોયા, ત્યારે તે તેમને પગે પડી ગયો.
\v 23 પછી તેણે ઈસુને આતુરતાથી વિનંતી કરીને કહ્યું, "મારી દીકરી બીમાર છે અને મરણ પામી રહી છે! મહેરબાની કરીને મારા ઘરે આવો અને તમારા હાથ તેના પર મૂકો. તેને સાજી કરો અને તેને જિવાડો!"
\v 24 તેથી ઈસુ અને તેમના શિષ્યો તેની સાથે ગયા. મોટું ટોળું તેમની પાછળ ગયું અને ઘણા ઈસુની નજીક જવા પડાપડી કરવા લાગ્યા.
\s5
\v 25 તે ટોળામાં એક સ્ત્રી હતી જેને રક્તસ્રાવની બીમારી હતી. તેને બાર વર્ષથી રોજ લોહી વહ્યા કરતું હતું.
\v 26 વૈદોએ વર્ષો સુધી તેની સારવાર કરી તે દરમ્યાન તેણે ઘણું સહન કર્યું હતું. તેણે તેની પાસેનાં બધા જ નાણાંં વૈદોને ચૂકવી દીધા હતાં તેમ છતાં તેઓએ જે સારવાર કરી, તેનાથી તેને સારું થવાને બદલે વધારે ખરાબ થયું.
\v 27 જ્યારે તેણે સાંભળ્યું કે ઈસુ લોકોને સાજા કરે છે, ત્યારે તેઓ જ્યાં હતા ત્યાં તે આવી અને ટોળામાં ઈસુની પાછળ નજીક જવા આગળ વધી.
\s5
\v 28 તે વિચારતી હતી, "જો હું તેમને સ્પર્શું કે માત્ર તેમનાં કપડાંને પણ સ્પર્શું તો, તેનાથી હું સાજી થઈશ." તેથી તેણે ઈસુનાં કપડાંને સ્પર્શ કર્યો.
\v 29 તરત જ તેનો રક્તસ્રાવ બંધ થયો. તે જ સમયે, તેણે તેની પોતાની અંદર અનુભવ્યું કે તે તેની બીમારીમાંથી સાજી થઈ છે.
\s5
\v 30 ઈસુએ પણ તરત જ તેમનામાં અનુભવ્યું કે તેમના પરાક્રમથી કોઈક સાજું થયું છે. તેથી તેમણે પાછળ ફરીને ટોળામાં જોયું અને પછી પૂછ્યું, "કોણે મારાં કપડાંને સ્પર્શ કર્યો?"
\v 31 તેમના શિષ્યોએ જવાબ આપ્યો, "તમે જોઈ શકો છો કે ઘણા લોકો તમારી ઉપર પડાપડી કરે છે! કદાચ ઘણા લોકોએ તમને સ્પર્શ કર્યો હશે! તો તમે કેમ આવું પૂછો છો, 'કોણે મને સ્પર્શ કર્યો?'"
\v 32 પણ કોણે તે પ્રમાણે કર્યું તે જોવા માટે ઈસુ આસપાસ જોવા લાગ્યા.
\s5
\v 33 તે સ્ત્રી ઘણી ભયભીત થઈ અને ધ્રૂજવા લાગી. તે તેમને પગે પડી અને તેણે જે કર્યું હતું તે તેણે તેમને કહ્યું.
\v 34 તેમણે તેને કહ્યું, "દીકરી, હું તને સાજી કરી શકું છું એવો તેં વિશ્વાસ કર્યો તેના લીધે, મેં તને સાજી કરી છે. તારા હૃદયમાં શાંતિ સાથે તું તારા ઘરે જઈ શકે છે, કારણ કે હું તને વચન આપું છું કે તું ફરી આ રોગના કારણે હવે બીમાર થશે નહી."
\p
\s5
\v 35 જ્યારે ઈસુ હજુ તે સ્ત્રી સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે યાઈરસના ઘરેથી આવેલા કેટલાક લોકો ત્યાં આવી પહોંચ્યા. તેઓએ યાઈરસને કહ્યું, "તારી દીકરી હવે મરણ પામી છે. તેથી ગુરુને તારા ઘરે લાવીને, વધારે તકલીફ આપવાની જરૂર નથી!"
\s5
\v 36 પણ તે માણસોએ જે કહ્યું તે જ્યારે ઈસુએ સાંભળ્યું, ત્યારે તેમણે યાઇરસને કહ્યું, "પરીસ્થિતિ આશાવિહીન છે એવું વિચારીશ નહી! માત્ર એવો વિશ્વાસ કરવાનું ચાલુ રાખ કે તે જીવશે!"
\v 37-38 પછી તેમણે તેમના અંગત શિષ્યો પિતર, યાકૂબ અને યોહાનને યાઈરસના ઘરે આવવાની રજા આપી. તેમણે બીજા કોઈને તેમની સાથે આવવા ન દીધા. જ્યારે તેઓ ઘરની નજીક આવી પહોંચ્યા, ત્યારે ઈસુએ જોયું કે ત્યાં જે લોકો હતા તેઓ શોક કરી રહ્યા હતા. કેટલાક રડતા હતા અને બીજા વિલાપ કરતા હતા.
\s5
\v 39 તેઓ ઘરમાં પ્રવેશ્યા અને પછી તેઓને કહ્યું, "શા માટે તમે આટલા બધા દુઃખી છો અને રડો છો? બાળક મરણ પામ્યું નથી, પણ તે માત્ર ઊંઘી ગયું છે."
\v 40 લોકોએ તેમની હાંસી ઉડાવી, કારણ કે તેઓ જાણતા હતા કે તે મરણ પામી છે. તેમણે બીજા બધા જ લોકોને ઘરની બહાર મોકલી દીધા. પછી તેમણે બાળકના પિતા અને માતા અને ત્રણ શિષ્યો જે તેમની સાથે હતા તેઓને લીધા. તેઓ ઓરડીમાં જ્યાં બાળક સૂતું હતું ત્યાં ગયા.
\s5
\v 41 તેમણે બાળકનો હાથ તેમના હાથમાં લીધો અને તેની પોતાની ભાષામાં તેને કહ્યું, "ટલિથા કૂમ!" એટલે કે, "નાની છોકરી, ઊઠ!"
\v 42 તરત જ તે છોકરી ઊભી થઇ અને ચાલવા લાગી. (તે ચાલી શકે છે તેમાં કોઈ આશ્ચર્ય ન હતું, કારણ કે તે બાર વર્ષની હતી.) જ્યારે આ બન્યું, ત્યારે જેઓ ત્યાં હાજર હતા તેઓ ખૂબ અચરત થયા.
\v 43 ઈસુએ તેઓને તાકીદ કરી, "મેં જે કર્યું છે તેના વિષે કોઈને કશું કહેતા નહી!" પછી તેમણે તેઓને કહ્યું કે છોકરીને ખાવા માટે કંઈક આપો.
\s5
\c 6
\p
\v 1 ઈસુ કપરનાહૂમ છોડ્યા પછી તેમના પોતાના નગર, નાસરેથ ગયા. તેમના શિષ્યો તેમની સાથે ગયા.
\v 2 વિશ્રામવારે, તેઓ સભાસ્થાનમાં પ્રવેશ્યા અને લોકોને શિક્ષણ આપ્યું. ઘણા લોકો જેઓ તેમને સાંભળી રહ્યા હતા તેઓ આશ્ચર્ય પામ્યા. તેઓને નવાઈ લાગી કે આ બધું જ્ઞાન અને ચમત્કારો કરવાનું સામર્થ્ય તેમણે ક્યાંથી મેળવ્યું.
\v 3 તેઓએ કહ્યું, "તે એક સાધારણ સુથાર છે! અમે તેને અને તેના કુટુંબને ઓળખીએ છીએ! અમે તેની માતા મરિયમને ઓળખીએ છીએ! અમે તેના નાના ભાઈઓ યાકૂબ, યોસે, યહૂદા અને સિમોનને ઓળખીએ છીએ! અને તેની નાની બહેનો પણ અહીં અમારી સાથે રહે છે!" તેથી તેઓએ તેમના પ્રત્યે અણગમો બતાવ્યો.
\s5
\v 4 ઈસુએ તેઓને કહ્યું, "તે ખરેખર સાચું છે કે બીજે બધે લોકો મને અને બીજા પ્રબોધકોને માન આપે છે, પણ અમારા પોતાના વતનમાં નહી! અમારા સગાઓ અને જે લોકો અમારા પોતાના ઘરમાં રહે છે તેઓ પણ અમને માન આપતા નથી!"
\p
\v 5 તેથી, જો કે ત્યાં તેમણે કેટલાક બીમાર લોકોને સાજા કર્યા છતાં, તેઓ બીજા કોઈ ચમત્કાર ત્યાં કરી શક્યા નહી.
\v 6 લોકોના અવિશ્વાસને લીધે તેઓ આશ્ચર્ય પામ્યા, પરંતુ તેઓ તેમના ગામોમાં ફર્યા અને તેઓને શીખવ્યું.
\s5
\v 7 એક દિવસ તેમણે બાર શિષ્યોને સમૂહમાં બોલાવ્યા, અને પછી તેઓને કહ્યું કે તેઓ તેમને બે બે ની જોડીમાં લોકોને શિક્ષણ આપવા માટે વિવિધ નગરોમાં મોકલવાના છે. તેમણે તેમને લોકોમાંથી દુષ્ટાત્માઓને કાઢવાની શક્તિ આપી.
\v 8-9 તેમણે તેઓને ચંપલ પહેરવાની પણ સૂચના આપી અને જ્યારે તેઓ મુસાફરી કરતા હોય ત્યારે સાથે લાકડી લેવાનું કહ્યું. તેમણે તેઓને તેમની મુસાફરી માટે ખોરાક, અને જરૂરની વસ્તુઓથી ભરેલી થેલી, કે કોઈ નાણાંં સાથે લેવાની મનાઈ કરી. તેમણે તેઓને વધારાનો ઝભ્ભો પણ લેવા માટે પરવાનગી આપી નહીં.
\s5
\v 10 તેમણે તેઓને એ પણ સૂચના આપી, "તમે નગરમાં પ્રવેશ કરો તે પછી, જો કોઈ તમને પોતાના ઘરમાં રહેવા આમંત્રણ આપે, તો તેમના ઘરમાં જાઓ. તમે તે નગર છોડો ત્યાં સુધી તે જ ઘરમાં રહો, જમો અને સૂઓ.
\v 11 જ્યારે પણ લોકો તમારો આવકાર ન કરે અને જ્યારે પણ લોકો તમારું ન સાંભળે, ત્યારે તમે તે જગ્યા છોડતી વખતે તમારા પગમાંથી ધૂળ ખંખેરી નાખો. તેમ કરવાથી, તમે એ સાક્ષી આપો છો કે તેઓએ તમારો આવકાર કર્યો નહી."
\s5
\v 12 તેથી શિષ્યો વિવિધ નગરોમાં ગયા તે પછી, તેઓ લોકોને ઉપદેશ કરતા હતા કે તેમણે પાપ કર્યું છે તે માટે તેઓએ દુઃખી થઈને તે કરવાનું બંધ કરવાનો નિર્ણય કરવો જોઈએ, કે જેથી ઈશ્વર તેઓને માફ કરે.
\v 13 તેઓ ઘણા દુષ્ટાત્માઓને લોકોમાંથી નીકળવાનું દબાણ કરતા હતા, અને તેઓ ઘણા બીમાર લોકોને જૈતૂન તેલ વડે અભિષેક કરીને તેમને સાજા કરતા હતા.
\p
\s5
\v 14 હવે ઈસુ જે કરી રહ્યા હતા તે વિષે હેરોદ આંતીપાસે સાંભળ્યું, કારણ કે ઘણા લોકો તેના વિષે વાતો કરતા હતા. કેટલાક લોકો ઈસુ વિષે કહેતા હતા, "તે યોહાન બાપ્તિસ્મી હોવા જોઈએ! તે મરણમાંથી સજીવન થયા છે! એટલા માટે જ તેમની પાસે આ ચમત્કારો કરવા માટે ઈશ્વરનું સામર્થ્ય છે!"
\v 15 બીજા લોકો ઈસુ વિષે કહેતા હતા, "તેઓ પ્રાચીન એલિયા પ્રબોધક છે, જેને ફરી પાછા મોકલવાનું ઈશ્વરે વચન આપ્યું હતું." બીજાઓ ઈસુ વિષે કહેતા હતા, "ના, લાંબા સમય અગાઉ જે પ્રબોધકો થઇ ગયા, તેમના કરતા તેઓ અલગ પ્રબોધક છે."
\s5
\v 16 લોકો જે કહેતા હતા તે સાંભળીને, રાજા હેરોદ આંતીપાસે પોતે કહ્યું, "તે ચમત્કારો કરનાર માણસ યોહાન હોવો જોઈએ! મેં મારા સૈનિકોને તેનું માથું કાપી નાખવાની આજ્ઞા કરી હતી, પણ તે ફરીથી જીવતો થયો છે!"
\v 17 આ બન્યું તેના કેટલાક સમય અગાઉ, હેરોદે હેરોદિયા કે જે તેના ભાઈ ફિલિપની, પત્ની હતી, તેની સાથે લગ્ન કર્યાં હતાં.
\s5
\v 18 યોહાન હેરોદને કહેતો રહ્યો કે, "તારો ભાઈ જીવે છે ત્યાં સુધી તું તેની પત્ની સાથે લગ્ન કરે તે માટે ઈશ્વરના નિયમો પરવાનગી આપતા નથી." પછી, હેરોદિયાએ તેને આજીજી કરી કે તે યોહાનને જેલમાં પૂરે, હેરોદે જાતે જ તેના સૈનિકોને યોહાન પાસે મોકલ્યા. તેઓએ યોહાનની ધરપકડ કરી અને તેને જેલમાં પૂર્યો.
\v 19 પણ હેરોદિયા યોહાન પર હજુ વધારે બદલો વાળવા ઇચ્છતી હતી, તે ઇચ્છતી હતી કે કોઈ તેને મારી નાખે. પરંતુ તે તે પ્રમાણે કરી શકી નહી કારણ કે જ્યારે યોહાન જેલમાં હતો, ત્યારે હેરોદે યોહાનને તેણીથી સલામત રાખ્યો હતો.
\v 20 હેરોદે તે પ્રમાણે કર્યું કારણ કે તે યોહાનને માન આપતો હતો, કારણ કે તે જાણતો હતો કે તે ન્યાયી માણસ હતો કે જેણે પોતાની જાતને ઈશ્વર પ્રત્યે સમર્પિત કરી હતી. રાજા તેનાથી નાખુશ હતો અને તેની સાથે શું કરવું તે જાણતો ન હતો, પણ તેને સાંભળવાનું રાજાને ગમતું હતું.
\s5
\v 21 પરંતુ હેરોદિયાને કોઈક મળી ગયું કે જે યોહાનને મારી નાખી શકે. એક દિવસ જ્યારે હેરોદના જન્મદિવસે તેઓએ તેને માન આપ્યું ત્યારે, તેણે ખૂબ અગત્યના સરકારી આગેવાનોને, તેમજ સૈન્યના મહત્વના અધિકારીઓને, અને ગાલીલ જીલ્લાના મહત્વના માણસોને જમવા અને તેની સાથે ઉજવણી કરવા બોલાવ્યા હતા.
\v 22 જ્યારે તેઓ જમી રહ્યા હતા, ત્યારે હેરોદિયાની દીકરી ઓરડામાં આવી અને તેણે રાજા અને તેના મહેમાનો માટે નૃત્ય કર્યું. તેણે હેરોદ રાજાને તેમજ તેના મહેમાનોને એટલા ખુશ કર્યા કે તેણે તેને કહ્યું, "તારી જે પણ ઇચ્છા હોય તે તું મારી પાસે માગ અને હું તે તને આપીશ!"
\s5
\v 23 તેણે તેને એમ પણ કહ્યું, "તું જે માગીશ, તે હું તને આપીશ! જો તું માગશે તો, હું તને મારા રાજ્યનો અડધો ભાગ પણ આપી દઈશ.
\v 24 તે છોકરી તરત તે ઓરડામાંથી નીકળીને પોતાની માતા પાસે ગઈ. રાજાએ તેને જે કહ્યું હતું તે તેણે તેને જણાવ્યું, અને તેને પૂછ્યું, "મારે શું માંગવું જોઈએ? "તેની માતાએ ઉત્તર આપ્યો, "રાજા પાસે માંગ કે તે તને યોહાન બાપ્તિસ્મીનું માથું આપે!"
\v 25 તે છોકરી ઝડપથી ફરી તે રૂમમાં આવી. તે રાજા પાસે ગઈ અને તેણે કહ્યું, "હું ઇચ્છુ છું કે તમે કોઈને આદેશ કરો કે તે યોહાન બાપ્તિસ્મીનું માથું કાપીને મારી પાસે એક થાળમાં તરત જ લાવે!"
\s5
\v 26 તેણે જે માગ્યું તે સાંભળીને રાજા ખુબ નિરાશ થયો કારણ કે તે જાણતો હતો કે યોહાન ખૂબ ન્યાયી માણસ હતો. પરંતુ તેણે જે માંગ્યું તેને તે ના પાડી શક્યો નહીં કારણ કે તેણે તેને વચન આપ્યું હતું કે તે જે કઈ માંગશે તે તેને આપશે, અને તેના મહેમાનોએ પણ તેનું વચન સાંભળ્યું હતું.
\v 27 તેથી રાજાએ તરત આદેશ આપ્યો કે કોઈક જઈને યોહાનનું માથું કાપી લાવે અને તે છોકરીને આપે. તે માણસ જેલમાં ગયો અને યોહાનનું માથું કાપી લાવ્યો.
\v 28 તેણે તેને થાળમાં મૂક્યું, અને પછી લઇ આવ્યો, અને તે છોકરીને આપ્યું. છોકરીએ તે તેની માતાને આપ્યું.
\v 29 જે બન્યું હતું તેના વિષે જ્યારે યોહાનના શિષ્યોએ જાણ્યું, ત્યારે તેઓ જેલમાં ગયા અને યોહાનના શરીરને લઇ આવ્યા; પછી તેઓએ તેનું દફન કર્યું.
\p
\s5
\v 30 બાર શિષ્યો જે જગ્યાઓમાં ગયા હતા ત્યાંથી ઈસુની પાસે પાછા આવ્યા. તેમણે જે કર્યું હતું અને લોકોને શીખવ્યું હતું તેના વિષે તેમણે ઈસુને જણાવ્યું.
\v 31 તેમણે તેઓને કહ્યું, "જ્યાં લોકો રહેતા ન હોય તેવી જગ્યાએ મારી સાથે આવો, કે જેથી આપણને થોડું એકાંત મળે અને થોડીવાર આરામ મળે!" તેમણે આ પ્રમાણે કહ્યું કારણ કે ઘણા લોકો સતત તેમની પાસે આવતા જતા હતા, તેના પરિણામે ઈસુ અને તેમના શિષ્યોને ખાવાનો કે બીજું કંઈ પણ કરવાનો સમય મળતો ન હતો.
\v 32 તેથી તેઓ હોડીમાં બેસીને જ્યાં કોઈ રહેતું ન હોય તેવી જગ્યામાં ગયા.
\s5
\v 33 પરંતુ ઘણા લોકોએ તેમને જતા જોયા. તેઓએ તમને ઓળખ્યા કે તે ઈસુ અને તેમના શિષ્યો હતા, અને તેઓ ક્યાં જઈ રહ્યા હતા તે તેઓએ જોયું. તેથી તેઓ આસપાસના ગામોમાંથી જમીન માર્ગે દોડતા, જ્યાં ઈસુ અને તેમના શિષ્યો જઈ રહ્યા હતા ત્યાં તેમની આગળ પહોંચ્યા. તેઓ તો ખરેખર ઈસુ અને તેમના શિષ્યોની અગાઉ ત્યાં પહોંચી ગયા.
\v 34 ઈસુ અને તેમના શિષ્યો હોડીમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે મોટી ભીડ જોઈ. તેમને તેઓ પર કરુણા આવી કારણ કે તેઓ પાળક વગરના ઘેટા જેવા, ગૂંચવાઈ ગયેલા હતા. તેથી તેમણે તેમને ઘણી વાતો શીખવી.
\p
\s5
\v 35 બપોર પછી દિવસ નમતાં પહેલાં શિષ્યો તેમની પાસે આવ્યા અને તેમને કહ્યું, "આ એકાંત જગ્યા છે જ્યાં કોઈ રહેતું નથી અને ઘણું મોડું પણ થઈ ગયું છે.
\v 36 તેથી લોકોને વિદાય કરો કે જેથી આજુબાજુની જગ્યાઓમાં અને ગામોમાં જ્યાં લોકો રહે છે ત્યાં જઈને તેઓ કેટલોક ખોરાક વેચાતો લે!"
\s5
\v 37 પરંતુ તેમણે તેઓને પ્રત્યુત્તર આપ્યો, "ના, તમે તેઓને કંઈક ખાવાનું આપો!" તેઓએ તેમને જવાબ આપ્યો, "જો અમારી પાસે કોઈ માણસ ૨૦૦ દિવસ કામ કરીને કમાય તેટલા નાણાં હોય, તોપણ અમે આ ટોળાને ખવડાવવા માટે પૂરતી રોટલી ખરીદી શકીએ તેમ નથી!"
\v 38 પણ તેમણે તેઓને જવાબ આપતા કહ્યું, "તમારી પાસે કેટલી રોટલી છે? જઈને તેની તપાસ કરો!" તેઓએ જઈને તપાસ કરી અને તેમને કહ્યું, "અમારી પાસે કેવળ પાંચ રોટલી અને શેકેલી બે માછલીઓ છે!"
\s5
\v 39 તેમણે શિષ્યોને આજ્ઞા આપી કે તેઓ લોકોને લીલા ઘાસમાં બેસાડે.
\v 40 તેથી લોકો જૂથોમાં બેઠા. કેટલાક જૂથમાં તેઓ પચાસ-પચાસના સમૂહમાં હતા અને કેટલાક જૂથોમાં તેઓ સો-સોના સમૂહમાં હતા.
\v 41 ઈસુએ પાંચ રોટલી અને બે માછલીઓ લીધી. તેમણે આકાશ તરફ જોઈને તે માટે ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે રોટલી અને માછલીઓના ટુકડા કરીને શિષ્યોને આપવાનું શરુ કર્યું કે જેથી તેઓ લોકોને તે વહેંચે.
\s5
\v 42 તેઓ સર્વએ ધરાતાં સુધી તે ખોરાક ખાધો!
\v 43 શિષ્યોએ રોટલી અને માછલીમાંથી જે વધ્યું હતું તેની બાર ટોપલી ભરીને એકઠું કર્યું.
\v 44 જેઓએ રોટલી અને માછલી ખાધી તેઓ લગભગ પાંચ હજાર પુરુષો હતા. સ્ત્રીઓ અને બાળકોની તો તેમણે ગણતરી જ ન કરી.
\p
\s5
\v 45 તરત જ ઈસુએ તેમના શિષ્યોને હોડીમાં બેસીને તેમની અગાઉ બેથસાઈદા, જે ગાલીલ સમુદ્રની બીજી તરફ છે ત્યાં જવા જણાવ્યું. તેઓ ત્યાં રોકાયા અને જે લોકો ત્યાં એકઠા થયા હતા તેઓને વિદાય કર્યા.
\v 46 તેમણે લોકોને વિદાય કર્યા પછી, તેઓ પ્રાર્થના કરવા માટે પહાડ પર ગયા.
\v 47 જ્યારે સાંજ થઇ હતી, ત્યારે શિષ્યોની હોડી સમુદ્રની મધ્યમાં હતી, અને ઈસુ પોતે જમીન પર હતા.
\s5
\v 48 તેમણે જોયું કે જ્યારે તેઓ હંકારી રહ્યા હતા ત્યારે પવન તેમની વિરુદ્ધ દિશામાં ફૂંકાઈ રહ્યો હતો. તેના પરિણામે, તેમને ખૂબ તકલીફ પડી રહી હતી. ઈસુ વહેલી સવારે, જ્યારે હજુ થોડું અંધારું હતું, ત્યારે ઈસુ પાણી પર ચાલીને તેમની પાસે પહોંચ્યા. તેઓ ચાલીને તેમની પાસે જવા માગતા હતા.
\v 49 શિષ્યોએ તેમને પાણી પર ચાલતા જોયા, પરંતુ તેઓએ વિચાર્યું કે તે આભાસ છે. તેઓએ ચીસ પાડી
\v 50 કારણ કે તેમણે તેઓને જોયા ત્યારે તેઓ બધા ડરી ગયા. પરંતુ તેમણે તેઓની સાથે વાત કરી. તેમણે તેઓને કહ્યું, "શાંત થાઓ! બીશો નહી, કારણ કે તે હું છું!"
\s5
\v 51 તેઓ હોડીમાં ચઢીને તેઓની સાથે બેઠા અને પવન ફૂંકાતો બંધ થયો. તેમણે જે કર્યું હતું તે જોઈને તેઓ ખૂબ અચરત થયા.
\v 52 તેઓએ ઈસુને રોટલી અને માછલીની વૃદ્ધિ કરતા જોયા, તે છતાં તેઓ કેટલા સામર્થ્યવાન હતા તે તેઓ સમજ્યા નહી. તે તેઓએ સમજવું જોઈતું હતું.
\p
\s5
\v 53 પછી તેઓ હોડીમાં બેસીને ગાલીલ સમુદ્રની પેલે પાર ગયા, તેઓ ગેન્નેસારેતના કિનારે આવી પહોંચ્યા. પછી તેઓએ હોડીને ત્યાં થોભાવી.
\v 54 જેવા તેઓ હોડીમાંથી ઊતર્યા કે તરત જ, ત્યાંના લોકોએ ઈસુને ઓળખી કાઢ્યા.
\v 55 તેથી તેઓ આખા જીલ્લામાં ઈસુ ત્યાં આવ્યા છે તે બીજાઓને કહેવા માટે દોડી ગયા. પછી લોકોએ જેઓ બીમાર હતા તેઓને ઝોળીમાં સુવડાવીને જ્યાં ઈસુ હતા તે જગ્યાએ લાવ્યા.
\s5
\v 56 કોઈપણ ગામમાં, નગરમાં કે સીમાડાની જગ્યાઓમાં જ્યાં તેઓ ગયા, ત્યાં તેઓ બીમાર લોકોને જાહેર જગ્યાઓમાં લાવતા. પછી બીમાર લોકો તેમને સ્પર્શ કરવા કે તેમનાં કપડાં ની કોરને પણ અડકવા દેવા ઈસુને વિનંતી કરવા લાગ્યા જેથી ઈસુ તેમને સાજા કરે. જેઓએ તેમને સ્પર્શ કર્યો કે તેમના ઝભ્ભાને સ્પર્શ કર્યો તેઓ સાજા થયા.
\s5
\c 7
\p
\v 1 એક દિવસ કેટલાક ફરોશીઓ અને યરુશાલેમથી આવેલા કેટલાક યહૂદી નિયમશાસ્ત્રના શિક્ષકો ઈસુની આસપાસ એકઠા થયા.
\s5
\v 2 ફરોશીઓએ ઘણીવાર જોયું હતું કે શિષ્યો હાથ ધોયા વગર જમતા હતા.
\v 3-4 તેઓ અને બીજા યહૂદીઓ તેમના પૂર્વજોએ શીખવેલી પ્રણાલિકાઓને ચુસ્ત રીતે પાળતા હતા. ખાસ કરીને તેઓ તેમના પ્યાલા, ઘડા, કીટલીઓ, વાસણો અને પથારીઓ વિશેષ રીતે સાફ કરતા હતા કે જેથી એ વસ્તુઓના વપરાશથી ઈશ્વર તેમનો નકાર ન કરે. ઉદાહરણ તરીકે, તેઓ ખાસ વિધિ પ્રમાણે હાથ ધૂએ નહિ ત્યાં સુધી ખોરાક લેવાનો ઇનકાર કરતા, ખાસ કરીને બજારમાંથી વસ્તુઓની ખરીદી કરીને પાછા આવે ત્યારે આવું કરતા હતા. એવી બીજી ઘણી પ્રણાલિકાઓ હતી જે તેઓએ સ્વીકારી હતી અને તે પાળવાનો પ્રયત્ન કરતા હતા.
\p
\s5
\v 5 તે દિવસે, તે ફરોશીઓએ અને જેઓ યહૂદી નિયમ શીખવતા હતા તે માણસોએ જોયું કે તેમના કેટલાક શિષ્યો ખાસ વિધિ અનુસાર હાથ ધોયા વગર ખોરાક ખાતા હતા. તેથી તેઓએ ઈસુને પ્રશ્ન કરતા કહ્યું, "તમારા શિષ્યો આપણા પૂર્વજોની પ્રણાલિકાઓને આધીન થતા નથી! આપણી વિધિ અનુસાર હાથ ધોયા વગર તેઓ શા માટે ખોરાક ખાય છે!"
\s5
\v 6 ઈસુએ તેઓને કહ્યું, "યશાયાએ તમારા પૂર્વજોને ઠપકો આપ્યો હતો, અને તેના શબ્દો તમે જેઓ સારા હોવાનો કેવળ ઢોંગ કરો છો તેઓને બરાબર લાગુ પડે છે! તેણે આ શબ્દો લખ્યા જેમાં ઈશ્વરે કહ્યું:
\q 'આ લોકો જાણે મને માન આપતા હોય તેવી રીતે બોલે છે,
\q પરંતુ તેઓ મને માન આપવાનું ખરી રીતે વિચારતા જ નથી.
\q
\v 7 તેઓ મારું ભજન કરે છે તે વ્યર્થ છે,
\q કારણ કે તેઓ લોકો જે કહે છે,
\q તેને જાણે મેં તેઓને આજ્ઞા આપી હોય તે પ્રમાણે શીખવે છે.
\p
\s5
\v 8 તમે, તમારા પૂર્વજોની માફક ઈશ્વરે જે આજ્ઞા આપી છે તે અનુસાર કરવાનું નકારો છો. તેને બદલે, બીજોઓએ જે પ્રણાલિકાઓ શીખવી છે તેને અનુસરો છો."
\v 9 ઈસુએ તેઓને એ પણ કહ્યું, "તમારી પોતાની પ્રણાલિકાઓને તમે પાળી શકો માટે ઈશ્વરની આજ્ઞાઓનો નકાર કરવામાં તમે પોતાને હોશિયાર સમજો છો!
\v 10 દાખલા તરીકે, આપણા પૂર્વજ મૂસાએ ઈશ્વરની આજ્ઞાઓ લખી છે કે, 'તમારા માતાપિતાનું સન્માન કરો.' તેણે એ પણ લખ્યું, 'જે કોઈ પોતાના પિતા અથવા માતા વિષે ખરાબ બાબતો બોલે તો તે વ્યક્તિઓને અધિકારીઓએ શિક્ષા કરવી જોઈએ.'
\s5
\v 11-12 પરંતુ તમે લોકોને શીખવો છો કે જો લોકો તેમનાં માતાપિતાને મદદ ન કરે તો કંઈ નહી. તમે લોકોને શીખવો છો કે, જો તેઓ કહે કે, જે તેમનાં માતાપિતાને આપવાનું હતું તે તેઓએ ઈશ્વરને આપી દીધું છે, તો કઈ વાંધો નહી. તમે તેમને પોતાના માતાપિતાને એમ કહેવાની છૂટ આપો છો કે, તમારી જરૂરિયાત માટે જે હું આપવાનો હતો તે હવે હું તમને આપી શકીશ નહી! પરિણામે તમે ખરેખર લોકોને એમ કહો છો કે તેઓએ તેમના માતાપિતાને મદદ કરવાની જરૂર નથી!
\v 13 આ પ્રમાણે કરતાં તમે ઈશ્વરે જે આદેશ આપ્યો છે તેનો અનાદર કરો છો! તમે તમારી પોતાની વાતો બીજાઓને શીખવો છો અને કહો છો કે તેઓ તેને આધીન થાય! અને તમે એવી બીજી ઘણી બાબતો કરો છો."
\p
\s5
\v 14 પછી ઈસુએ ફરી ટોળાને નજીક આવવા કહ્યું. પછી તેમણે તેઓને કહ્યું, "તમે બધા લોકો મારું સાંભળો! હું તમને જે કહેવાનો છું તે સમજવાનો પ્રયત્ન કરો.
\v 15 લોકો જે ખાય છે તેને ઈશ્વર અશુદ્ધ થવાનું કારણ ગણતા નથી. તેથી વિપરીત, જે લોકોના મનમાંથી નીકળે છે તેને ઈશ્વર અશુદ્ધ થવાનું કારણ ગણે છે."
\v 16 જે કોઈ સાંભળી શકે છે તેઓ સાંભળે.
\p
\s5
\v 17 ટોળાથી છૂટા પડ્યા પછી, ઈસુ શિષ્યો સાથે એક ઘરમાં પ્રવેશ્યા. હમણા જે ઉદાહરણ તેમણે કહ્યું તે સંબંધી તેઓએ તેમને પ્રશ્ન કર્યો.
\v 18 તેમણે તેઓને પ્રત્યુત્તર આપતાં કહ્યું, "શું તમે તેનો અર્થ સમજ્યા નથી? તમારે સમજવું જોઈએ કે, કંઈપણ જે બહારથી અંદર પ્રવેશે છે તેને ઈશ્વર અશુદ્ધતાનું કારણ ગણતા નથી.
\v 19 પ્રવેશ કરીને આપણા મનોને બગાડવાને બદલે, તે આપણા પેટમાં જાય છે અને પછી અશુદ્ધિ આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે." આવું કહેવાથી, ઈસુ એવું પ્રગટ કરતા હતા કે ઈશ્વર દોષિત ગણશે એમ માન્યા વગર લોકો કોઈ પણ ખોરાક ખાઈ શકે.
\s5
\v 20 તેમણે એમ પણ કહ્યું, "એ તો વિચારો અને કૃત્યો છે, જેને ઈશ્વર અશુદ્ધ કરનારી બાબતો ગણે છે.
\v 21 ખાસ કરીને, લોકોનું અભ્યંતર કે જેમાં, તેઓ ખોટી બાબતો વિષે વિચારે છે; તેઓ અનૈતિક રીતે વર્તે છે, તેઓ ચોરી કરે છે, તેઓ હત્યા કરે છે.
\v 22 તેઓ વ્યભિચાર કરે છે, તેઓ લોભી હોય છે, તેઓ અશુદ્ધપણે વર્તે છે, તેઓ લોકોને છેતરે છે. તેઓ અયોગ્ય રીતે વર્તે છે, લોકોની ઈર્ષા કરે છે, બીજા વિષે ભૂંડું બોલે છે, તેઓ અભિમાની છે અને મૂર્ખતાપૂર્ણ રીતે વર્તે છે.
\v 23 લોકો એવા વિચારો કરે છે અને પછી એવાં ખરાબ કામો કરે છે, અને તે બાબતો ઈશ્વરની સમક્ષ તેઓને અશુદ્ધ ઠરાવે છે."
\p
\s5
\v 24 ઈસુ અને તેમના શિષ્યોએ ગાલીલ છોડ્યું પછી તેઓ તૂર અને સિદોનના શહેરોની આસપાસના પ્રદેશમાં આવ્યા. તેઓ કોઈએક ઘરમાં હતા ત્યારે તેમની ઇચ્છા હતી કે કોઈ તે ન જાણે, પરંતુ લોકોને જલદી ખબર પડી કે તેઓ ત્યાં હતા.
\v 25 કોઈ એક સ્ત્રી કે જેની દીકરીમાં દુષ્ટાત્મા હતો તેણે ઈસુ વિષે સાંભળ્યું. તે તરત જ તેમની પાસે આવી અને તેમના ચરણોમાં નમી.
\v 26 હવે આ સ્ત્રી તો યહૂદી ન હતી. તેના પૂર્વજો પણ યહૂદી ન હતા. તે સિરિયા જીલ્લાના ફિનીકિયા પ્રદેશની આસપાસના વિસ્તારમાં જન્મી હતી. તેણે ઈસુની પાસે આવીને તેમને વિનંતી કરી કે તેની દીકરીમાં રહેલા દુષ્ટાત્માને બહાર નીકળવા ફરજ પાડે.
\s5
\v 27 તેમણે સ્ત્રીને કહ્યું, "પહેલાં બાળકોને જેટલું ખાવું હોય તેટલું ખાવા દે, કારણ કે માતાએ બાળકો માટે જે ખોરાક તૈયાર કર્યો છે તે લઈને નાના કૂતરાઓ તરફ ફેંકવો તે યોગ્ય નથી."
\v 28 તે સ્ત્રીએ પ્રત્યુત્તર આપ્યો, "સાહેબ, તમે જે કહો છો તે સાચું છે, પરંતુ ઘરના કૂતરાઓ પણ મેજ નીચે બાળકોએ વેરેલા ટુકડાઓ ખાય છે."
\s5
\v 29 ઈસુએ તેને કહ્યું, તેં જે કહ્યું તેને લીધે, ઘરે જા. મેં તારી દીકરીમાંથી દુષ્ટાત્માને કાઢ્યો છે."
\v 30 સ્ત્રી ઘરે પાછી ફરી અને જોયું કે તેની દીકરી શાંતિથી પથારીમાં સૂતી હતી અને દુષ્ટાત્મા તેનામાંથી નીકળી ગયો હતો.
\s5
\v 31 ઈસુ અને તેમના શિષ્યો તૂરની આસપાસનો પ્રદેશ છોડીને ઉત્તરે સિદોનમાં થઈને, પછી પૂર્વ તરફ જઈને દસ નગરના વિસ્તારમાં, અને પછી ગાલીલ સમુદ્રની નજીકના દક્ષિણના નગરોમાં ગયા.
\v 32 ત્યાં, લોકો એક માણસને લાવ્યા કે જે બહેરો હતો અને બોલી શકતો ન હતો. તેઓએ ઈસુને તેમના હાથ તેના પર મૂકવા વિનંતી કરી કે જેથી તેઓ તેને સાજો કરે.
\s5
\v 33 તેથી ઈસુ તેને ટોળાથી દૂર લઈ ગયા કે જેથી તેઓ બંને એકલા હોય. પછી તેમણે તેમની આંગળીઓમાંની એકને તે માણસના બન્ને કાનમાં મૂકી. પછી તેઓ તેમની આંગળીઓ પર થુંક્યા, અને તેમની આંગળીઓ વડે તે માણસની જીભને સ્પર્શ્યા.
\v 34 પછી તેમણે સ્વર્ગ તરફ ઉપર જોયું, તેમણે નિસાસો નાખ્યો અને પછી તેમની પોતાની ભાષામાં તેમણે તે માણસના કાનમાં કહ્યું, "એફફાથા," જેનો અર્થ એ છે કે, "ઊઘડી જા!"
\v 35 તરત જ તે માણસ સારી રીતે સાંભળવા લાગ્યો. તે સ્પષ્ટ રીતે બોલવા પણ લાગ્યો કારણ કે જે તેને બોલવાથી અટકાવતું હતું તેનાથી તે સાજો થયો હતો.
\s5
\v 36 ઈસુએ લોકોને કહ્યું કે જે બન્યું હતું તેના વિષે તેઓ કોઈને જણાવે નહી. પરંતુ, તેમણે તેઓને અને બીજાઓને વારંવાર આજ્ઞા કરી હતી તે છતાં, તેઓ તેના વિષે વધારે વાત કરવા લાગ્યા.
\v 37 જે લોકોએ તે વિષે સાંભળ્યું તેઓ ખૂબ અચરત થયા અને કહેવા લાગ્યા, "તેમણે જે કર્યું તે બધું અદભુત છે! બીજી અદભુત બાબતો કરવાની સાથે, તેઓ બહેરા લોકોને સાંભળતા પણ કરે છે! અને જેઓ બોલી શકતા ન હોય તેઓને બોલતા કરે છે!"
\s5
\c 8
\p
\v 1 તે દિવસો દરમ્યાન, લોકોનો મોટો સમુદાય ફરીથી એકઠો થયો. તેઓ ત્યાં બે દિવસ રહ્યા તે પછી, તેમની પાસે ખાવા માટે કંઈ ન હતું. તેથી ઈસુએ શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા, અને પછી તેઓને કહ્યું,
\v 2 "આજે ત્રણ દિવસથી લોકો મારી સાથે છે, અને તેઓની પાસે કંઈ પણ ખાવાનું બચ્યું નથી, તેથી હવે મને તેમની કાળજી લેવાની ઇચ્છા થાય છે.
\v 3 તેઓ હજુ ભૂખ્યા છે અને જો હું તેઓને ઘરે પાછા મોકલીશ તો, તેઓમાંના કેટલાક ઘરે જતા સુધી બેહોશ થઈ જશે. કેમ કે કેટલાક તો ઘણે દૂરથી આવ્યા છે."
\v 4 શિષ્યો જાણતા હતા કે ઈસુ લોકોને કંઈક ખાવા માટે આપવાની સલાહ આપી રહ્યા હતા, તેથી તેઓમાંના એકે ઉત્તર આપ્યો કે, "કદાચ આપણે સમુદાયને માટે પૂરતો ખોરાક લાવી શકતા નથી કારણ કે આ સ્થળે કોઈ રહેતું નથી!
\s5
\v 5 ઈસુએ તેઓને પૂછ્યું, "તમારી પાસે કેટલી રોટલી છે?" તેઓએ ઉત્તર આપ્યો, "અમારી પાસે સાત રોટલી છે."
\v 6 ઈસુએ સમુદાયને આજ્ઞા આપી, "જમીન પર બેસી જાઓ!" તેઓ બેઠા પછી, તેમણે સાત રોટલી લીધી, તેને માટે ઈશ્વરનો આભાર માન્યો, તેના ટુકડા કર્યા, અને લોકોને વહેંચવા માટે શિષ્યોને આપી.
\s5
\v 7 તેઓને એ પણ જાણ થઈ કે તેમની પાસે થોડી નાની માછલીઓ પણ છે. તેથી તેમણે તેને માટે ઈશ્વરનો આભાર માન્યા પછી, તેમણે શિષ્યોને કહ્યું, "આને પણ વહેંચી દો." તેઓએ સમુદાયને માછલી વહેંચી દીધા પછી,
\v 8 લોકોએ તે ખોરાક ખાધો, અને તેમને સંતોષ મળે તેટલો ખોરાક તેઓની પાસે હતો. શિષ્યોએ ખોરાકના વધેલા ટુકડા ભેગા કર્યા અને સાત મોટી ટોપલીઓ ભરાઈ.
\v 9 શિષ્યોએ અંદાજ કાઢ્યો કે તે દિવસે આશરે ચાર હજાર લોકોએ ખાધું. પછી ઈસુએ ટોળાને વિદાય કર્યું.
\v 10 તે પછી તરત જ, તેઓ તેમના શિષ્યોની સાથે હોડીમાં બેઠા, અને તેઓ ગાલીલ સમુદ્રના કિનારે દલમાનુથા જીલ્લામાં ગયા.
\s5
\v 11 પછી કેટલાક ફરોશીઓ ઈસુની પાસે આવ્યા. તેઓ તેમની સાથે દલીલ કરવા લાગ્યા અને ઈશ્વરે તેમને મોકલ્યા છે તેવું સાબિત કરવા માટે તેઓ કોઈ ચમત્કાર કરે તેવો આગ્રહ કરવા લાગ્યા.
\v 12 ઈસુએ મનમાં ઊંડો નિસાસો નાખ્યો, અને પછી તેમણે કહ્યું, "તમે શા માટે મને ચમત્કાર કરવાનું કહો છો? હું તમારા માટે ચમત્કાર નહી કરું!''
\v 13 પછી ઈસુ તેમને છોડીને ગયા. તેઓ ફરી પાછા, તેમના શિષ્યોની સાથે હોડીમાં બેઠા, અને તેઓ ગાલીલ સમુદ્રના કિનારે આગળ ગયા.
\s5
\v 14 શિષ્યો તેમની સાથે પૂરતું ખાવાનું લેવાનું ભૂલી ગયા હતા. ખાસ કરીને તેમની પાસે હોડીમાં એક જ રોટલી હતી.
\v 15 જ્યારે તેઓ જતા હતા ત્યારે, ઈસુએ તેમને ચેતવ્યા અને કહ્યું, "સાવચેત રહેજો! ફરોશીઓના અને હેરોદના ખમીરથી સાવધાન રહેજો!"
\s5
\v 16 શિષ્યોએ તેમના વિષે ગેરસમજ કરી. તેથી તેઓએ એકબીજાને કહ્યું, "આપણી પાસે રોટલી નથી માટે તેમણે આ પ્રમાણે કહ્યું."
\v 17 તેઓ અંદરોઅંદર શું ચર્ચા કરી રહ્યા હતા તે ઈસુ જાણતા હતા. તેથી તેમણે તેઓને કહ્યું, "શા માટે પૂરતી રોટલી નથી તે વિષે તમે વાતો કરો છો? અત્યાર સુધી મેં જે કહ્યું તે તમારે સમજવું જોઈએ! તમે વિચારતા નથી!
\s5
\v 18 તમારી પાસે આંખો છે, પણ તમે જે જુઓ છો તે તમે સમજતા નથી! તમારી પાસે કાન છે, પણ હું જે કહું છું તે તમે સમજતા નથી!" પછી તેમણે પૂછ્યું,
\v 19 "જ્યારે મેં માત્ર પાંચ રોટલી ભાંગી અને પાંચ હજાર લોકોને જમાડ્યા ત્યારે શું બન્યું હતું તે તમને યાદ નથી? બધા સંતોષ પામ્યા એટલું જ નહી, પણ ખોરાક વધ્યો હતો! વધેલી રોટલીના ટુકડાઓની કેટલી ટોપલીઓ તમે એકઠી કરી હતી?" તેઓએ ઉત્તર આપ્યો, "અમે બાર ટોપલીઓ ભરી હતી."
\s5
\v 20 પછી તેમણે પૂછ્યું, "જ્યારે મેં ચાર હજાર લોકોને ખવડાવવાને માટે સાત રોટલી ભાંગી, ત્યારે ફરીથી બધાને માટે પૂરતું ખાવાનું હતું, તમે વધેલી રોટલીના ટુકડાઓની મોટી કેટલી ટોપલીઓ એકઠી કરી હતી?" તેઓએ ઉત્તર આપ્યો, "અમે સાત મોટી ટોપલીઓ ભરી હતી."
\v 21 પછી તેમણે તેઓને કહ્યું, "શું તમે સમજતા નથી?"
\p
\s5
\v 22 તેઓ હોડીમાં બેસીને બેથસાઈદા આવી પહોંચ્યા. લોકો ઈસુની પાસે એક અંધ માણસને લાવ્યા અને તેઓએ તેને સ્પર્શ કરવાની વિનંતી કરી કે જેથી તે સાજો થાય.
\v 23 ઈસુએ આંધળા માણસનો હાથ પકડ્યો અને તેને શહેરની બહાર દોરી ગયા. પછી તેઓ તેની આંખોમાં થૂંક્યા, તેમનો હાથ તે માણસ પર મૂક્યો અને પછી તેને પૂછ્યું, "તને કશું દેખાય છે?"
\s5
\v 24 તે માણસે ઊંચે જોયું અને પછી કહ્યું, "હા, હું લોકોને જોઉં છું! તેઓ ફરતા દેખાય છે, પણ હું તેઓને સ્પષ્ટ જોઈ શકતો નથી. તેઓ વૃક્ષોના જેવા દેખાય છે!"
\v 25 પછી ઈસુએ તેની આંખોને ફરીથી સ્પર્શ કર્યો. તેણે તાકીને જોયું, અને તે જ ક્ષણે તે સંપૂર્ણ સાજો થયો! તે બધું જ સ્પષ્ટ રીતે જોઈ શક્યો.
\v 26 ઈસુએ તેને કહ્યું, "શહેરમાં જઈશ નહીં!" પછી તેમણે તે માણસને તેના ઘરે મોકલ્યો.
\s5
\v 27 ઈસુ અને તેમના શિષ્યો બેથસાઈદા છોડીને કાઈસારિયા ફિલિપ્પીની પાસેના ગામોમાં ગયા. માર્ગે જતા તેમણે તેઓને પ્રશ્ન કર્યો, "હું કોણ છું તે વિષે લોકો શું કહે છે?"
\v 28 તેઓએ ઉત્તર આપ્યો, "કેટલાક લોકો કહે છે કે તમે યોહાન બાપ્તિસ્મી છો. કેટલાક કહે છે કે તમે એલિયા પ્રબોધક છો. અને બીજા કહે છે કે તમે અગાઉના પ્રબોધકોમાંના એક છો."
\s5
\v 29 તેમણે તેઓને પૂછ્યું, "તમારા સંબંધી શું? તમે શું કહો છો કે હું કોણ છું?" પિતરે તેમને ઉત્તર આપ્યો, "તમે મસીહ છો!"
\v 30 પછી ઈસુએ તેઓને ભારપૂર્વક તાકીદ કરી કે તેઓએ હજુ કોઈને કહેવું નહી કે તેઓ મસીહ છે.
\s5
\v 31 પછી ઈસુ તેઓને શીખવવા લાગ્યા કે, તેઓ એટલે કે માણસનો દીકરો, ખરેખર ઘણું સહન કરશે. તેમને આગેવાનો, મુખ્ય યાજકો, અને જેઓ યહૂદી નિયમો શીખવે છે તે માણસો દ્વારા નકારવામાં આવશે. તેમને મારી પણ નાખવામાં આવશે. પણ મરણ પામ્યા પછી ત્રીજા દિવસે, તેઓ ફરીથી સજીવન થશે.
\v 32 તેમણે તેઓને આ સ્પષ્ટપણે કહ્યું. પણ પિતર ઈસુને બાજુ પર લઇ જઈને તેઓએ આ રીતે કહ્યું તેના માટે ધમકાવવા લાગ્યો.
\s5
\v 33 ઈસુએ પાછા ફરીને તેમના શિષ્યો તરફ જોયું. પછી તેમણે પિતરને ધમકાવીને કહ્યું, "આવું વિચારવાનું બંધ કર! શેતાન તને આવું બોલવા પ્રેરે છે. ઈશ્વર મારી પાસેથી જે કરાવવા ઇચ્છે છે તે કરવાને બદલે, તું માત્ર લોકો મારી પાસે જે કરાવવા માગે છે તે કરવાનું કહે છે."
\v 34 પછી તેમણે ટોળાને તેમજ પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા જેથી તેઓ તેમને સાંભળી શકે. તેમણે તેઓને કહ્યું, "જો તમારામાંનો કોઈ મારો શિષ્ય થવા ચાહે, તો તમે સહેલું જીવન જીવી શકો માટે જે કરો તે પૂરતું નથી. ગુનેગારોને વધસ્તંભે જડવાના હોય તે સ્થળ સુધી તેમનો વધસ્થંભ ઊંચકીને જવાનું દબાણ કરવામાં આવે છે એવું દુઃખ સહન કરવાની તૈયારી તમારે રાખવી જોઈએ. જે મારો શિષ્ય થવા માગે તેણે તે પ્રમાણે કરવું જોઈએ.
\s5
\v 35 તમારે તે કરવું જોઈએ, કારણ કે જેઓ મારા છે તે બાબતનો નકાર કરીને પોતાના જીવન બચાવવા માગે છે તેઓ તેમના જીવન ગુમાવશે. તેઓ મારા શિષ્યો છે અને તેઓ બીજાઓને શુભ સંદેશ કહે છે તે કારણસર જેઓને મારી નાખવામાં આવ્યા છે તેઓ હંમેશાં મારી સાથે રહેશે.
\v 36 આ દુનિયામાં લોકો જે ઇચ્છે છે તે તેઓ કદાચ પામશે, પણ જો તેઓ અનંતજીવન ન મેળવે તો તેમણે ખરેખર કંઈ જ મેળવ્યું નથી!
\v 37 તે સત્ય સંબંધી કાળજીપૂર્વક વિચાર કરો કે અનંતજીવન મેળવવા માટે લોકો ઈશ્વરને આપી શકે તેવું ખરેખર કંઈ જ નથી!
\s5
\v 38 અને આ સંબંધી વિચારો: જેઓ મારા છે એવો નકાર કરે છે, અને આ દિવસોમાં જ્યારે ઘણા લોકો ઈશ્વરથી દૂર ગયા છે અને ખૂબ પાપી છે ત્યારે, હું જે કહું છું તેનો નકાર કરે છે, તો હું, માણસનો દીકરો, પણ જ્યારે પવિત્ર દૂતો સાથે મારા પિતા પાસે જે છે તે મહિમા સહિત હું પાછો આવીશ ત્યારે તેઓ મારા છે એવું કહેવાનું નકારીશ!"
\s5
\c 9
\p
\v 1 તેમણે તેમના શિષ્યોને પણ કહ્યું, "ધ્યાનથી સાંભળો! તમારામાંના કેટલાક જેઓ હાલ અહીં છો તેઓ ઈશ્વરને પોતાને પરાક્રમી રાજા તરીકે પ્રગટ કરતા જોશો. તમે મરણ પામો તે પહેલાં તમે તેમને આ પ્રમાણે કરતા જોશો!"
\p
\v 2 છ દિવસ પછી ઈસુ પિતર, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાનને લઈને પહાડ તરફ દોરી ગયા. જ્યારે તેઓ ત્યાં ઉપર એકલા હતા ત્યારે, તેઓ તેમને ખૂબ અલગ જ દેખાયા.
\v 3 તેમનાં વસ્ત્રો આંખો આંજી નાખે તેવાં સફેદ થઈ ગયાં. પૃથ્વી પર કોઈ તેમને ચમકાવીને ઊજળા ન કરી શકે તેવાં સફેદ હતાં.
\s5
\v 4 મૂસા અને એલિયા, બે પ્રબોધકો જેઓ ઘણા સમય અગાઉ થઇ ગયા, તે તેમની સામે પ્રગટ થયા. પછી તેઓ બંને ઈસુની સાથે વાત કરવા લાગ્યા.
\v 5 થોડા સમય પછી, પિતરે કહ્યું, "ગુરુજી, અહીં રહેવું કેટલું અદભુત છે! તેથી અમને અહીં ત્રણ તંબુ બાંધવા દો. એક તમારા માટે, એક મૂસાને માટે, અને એક એલિયાને માટે હશે!"
\v 6 તેણે આમ કહ્યું કારણ કે તે કંઈક કહેવા માંગતો હતો, પણ શું કહેવું તે તે જાણતો ન હતો. તે અને બીજા બે શિષ્યો ભયભીત થયા.
\s5
\v 7 પછી એક ચળકતું વાદળ દેખાયું તેણે તેઓને ઢાંકી દીધા. ઈશ્વરે વાદળામાંથી તેઓને કહ્યું, "આ મારો દીકરો છે. હું જેને પ્રેમ કરું છું તે એ જ છે. તેથી, તેનું સાંભળો!"
\v 8 જ્યારે ત્રણ શિષ્યોએ આસપાસ જોયું ત્યારે, અચાનક ઈસુ એકલા જ તેઓની સાથે હતા, અને ત્યાં બીજું કોઈ જ ન હતું.
\p
\s5
\v 9 જ્યારે તેઓ પહાડ પરથી નીચે ઊતરી રહ્યા હતા ત્યારે, ઈસુએ તેઓને કહ્યું કે હમણાં તેમની સાથે જે બન્યું તે તેઓએ હમણાં કોઈને કહેવું જોઈએ નહીં. તેમણે કહ્યું, "હું, માણસનો દીકરો, મરણ પામ્યા પછી પાછો ઊઠું પછી તમે તેઓને કહી શકશો."
\v 10 તેથી લાંબા સમય સુધી તેઓએ બીજા લોકોને તેના સંબંધી કહ્યું નહી. પણ તેમણે જે કહ્યું કે તેઓ મરણમાંથી પાછા ઊઠશે તેનો શો અર્થ થાય તેના વિષે તેઓએ માંહોમાંહે ચર્ચા કરી.
\p
\s5
\v 11 તેઓએ ઈસુને પૂછ્યું, "જે માણસો નિયમો શીખવે છે તેઓ શા માટે એવું કહે છે કે મસીહ પૃથ્વી પર પાછા આવે તે પહેલાં એલિયાએ પૃથ્વી પર પાછા આવવું જોઈએ?"
\v 12-13 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "તે સત્ય છે કે બધું વ્યવસ્થિત કરવા માટે ઈશ્વરે પહેલા એલિયાને મોકલવાનું વચન આપ્યું હતું. પણ એલિયા તો આવી ચૂક્યો છે અને ઘણા સમય અગાઉ થઈ ગયેલા પ્રબોધકોએ કહ્યું હતું તે પ્રમાણે, આપણા આગેવાનોએ તેની સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો હતો. પણ હું ઇચ્છું છું કે શાસ્ત્રમાં મારા એટલે માણસના દીકરા સંબંધી શું લખેલું છે તે પણ તમે ધ્યાનમાં લો. શાસ્ત્ર કહે છે કે હું ઘણું સહન કરીશ અને લોકો મારો નકાર કરશે."
\p
\s5
\v 14 પછી ઈસુ અને તે ત્રણ શિષ્યો જ્યાં બીજા શિષ્યો હતા ત્યાં આવી પહોંચ્યા. તેઓએ શિષ્યોની આસપાસ મોટું ટોળું જોયું અને કેટલાક માણસો કે જેઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓ તેમની સાથે દલીલ કરતા હતા.
\v 15 ઈસુને આવતા જોઈને ટોળાને ખૂબ આશ્ચર્ય થયું. તેથી તેઓ તેમની તરફ દોડી ગયા અને તેમને શુભેચ્છા પાઠવી.
\v 16 ઈસુએ તેઓને પૂછ્યું, "તમે શેના સંબંધી દલીલ કરો છો?"
\s5
\v 17 ટોળામાંના એક માણસે તેમને જવાબ આપ્યો, "ગુરુજી, હું મારા દીકરાને અહીં લાવ્યો છું કે તમે તેને સાજો કરો. તેનામાં દુષ્ટાત્મા છે કે જેણે તેને મૂંગો બનાવી દીધો છે.
\v 18 જ્યારે આત્મા તેનો કબજો લે છે ત્યારે, તે તેને નીચે પાડી દે છે. તેના મોઢે ફીણ આવે છે, તે તેના દાંત ભીડે છે, અને અક્કડ બની જાય છે. મેં તમારા શિષ્યોને તે આત્મા કાઢવા માટે કહ્યું, પણ તેઓ તે કરી શક્યા નહી."
\v 19 ઈસુએ તે લોકોને ઉત્તર આપ્યો કે, "ઓ અવિશ્વાસી લોકો! તમે મારી ધીરજની કસોટી કરો છો! છોકરાને મારી પાસે લાવો."
\s5
\v 20 તેથી તેઓ છોકરાને ઈસુની પાસે લાવ્યા. જેવા તે દુષ્ટાત્માએ ઈસુને જોયા, કે તરત જ તેણે તે છોકરાને સખત ધ્રૂજાવી નાખ્યો, અને છોકરો જમીન પર પડી ગયો. તે આળોટવા લાગ્યો અને તેના મોઢેથી ફીણ આવવા લાગ્યું.
\v 21 ઈસુએ છોકરાના પિતાને પૂછ્યું, "કેટલા સમયથી તે આવી હાલતમાં છે?" તેણે ઉત્તર આપ્યો, "તે બાળક હતો ત્યારથી આ શરુ થયું છે.
\v 22 આત્મા માત્ર આટલું જ કરતો નથી, પણ તે ઘણીવાર તેને મારી નાંખવાને માટે અગ્નિમાં કે પાણીમાં ફેંકી દે છે. જો તમે કરી શકો તો, અમારા પર દયા કરો અને અમારી મદદ કરો!"
\s5
\v 23 ઈસુએ આશ્ચર્યથી તેને કહ્યું, "સાચે જ હું કરી શકું છું! જે લોકો ઈશ્વરમાં વિશ્વાસ કરે છે તે લોકોને માટે તેઓ બધું જ કરી શકે છે!"
\v 24 તરત જ તે છોકરાના પિતાએ બૂમ પાડી, "હું વિશ્વાસ કરું છું કે તમે મને મદદ કરી શકો છો, પણ મારો વિશ્વાસ દ્રઢ નથી. મને દ્રઢ વિશ્વાસ રાખવા મદદ કરો!"
\v 25 ઈસુએ જોયું કે ટોળું વધતું જતું હતું. તેમણે દુષ્ટાત્માને ધમકાવ્યો: "હે દુષ્ટાત્મા, આ છોકરાને બહેરો અને મૂંગો બનાવનાર આત્મા! હું તને આજ્ઞા આપું છું કે તેનામાંથી નીકળી જા અને ફરી કદી તેનામાં પ્રવેશતો નહી!"
\s5
\v 26 દુષ્ટાત્માએ બૂમ પાડી અને ક્રૂરતાથી છોકરાને ધ્રૂજાવી નાંખ્યો; પછી તેણે છોકરાને છોડી દીધો. છોકરો હાલતો ન હતો. તે મૃત શરીર જેવો લાગતો હતો. તેથી મોટાભાગના લોકોએ કહ્યું, "તે મરણ પામ્યો છે!"
\v 27 જો કે, ઈસુએ તેનો હાથ પકડીને તેને ઊભો થવા મદદ કરી. પછી તે છોકરો ઊભો થયો.
\s5
\v 28 પછી, જ્યારે ઈસુ અને તેમના શિષ્યો ઘરમાં એકલા હતા ત્યારે, તેમને પૂછ્યું, "શા માટે અમે દુષ્ટાત્માને કાઢી ન શક્યા?"
\v 29 તેમણે તેઓને કહ્યું, "આ પ્રકારના દુષ્ટાત્માને તમે પ્રાર્થના વડે જ બહાર કાઢી શકો છો. બીજો કોઈ રસ્તો નથી."
\p
\s5
\v 30 ઈસુ અને તેમના શિષ્યો તે પ્રદેશમાંથી રવાના થયા પછી, ગાલીલમાં થઈને ગયા. તેઓ ક્યાં હતા તે બીજું કોઈ જાણે એવું ઈસુ ઇચ્છતા ન હતા.
\v 31 તેમને તેમના શિષ્યોને શીખવવા માટે સમય જોઈતો હતો. તેઓ તેમને કહેતા હતા, "કોઈક દિવસે મારા દુશ્મનો મારી, એટલે કે માણસના દીકરાની ધરપકડ કરશે, અને મને અન્ય માણસોના હાથમાં સોંપવામાં આવશે. તે માણસો મને મારી નાંખશે. પણ હું મરણ પામું તે પછી ત્રીજા દિવસે, ફરીથી સજીવન થઈશ!"
\v 32 ઈસુ તેઓને જે કહી રહ્યા હતા તે તેઓ સમજ્યા નહીં, અને તેમના કહેવાનો અર્થ શો હતો તેવું પૂછતાં તેઓ બીધા.
\p
\s5
\v 33 પછી ઈસુ અને તેમના શિષ્યો કફરનહૂમ પાછા આવ્યા. જ્યારે તેઓ ઘરમાં હતા ત્યારે તેમણે તેઓને પૂછ્યું, "જ્યારે આપણે માર્ગે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તમે શેના વિષે વાત કરી રહ્યા હતા?"
\v 34 પણ તેઓએ ઉત્તર આપ્યો નહીં. તેઓ એકબીજા સાથે એ વિષે દલીલ કરતા હતા કે તેઓમાંથી કોણ સૌથી મહત્વનો હતો.
\v 35 ઈસુ બેઠા અને તેમણે બાર શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને તેઓને કહ્યું, "જો કોઈ ઇચ્છે કે ઈશ્વર બીજા બધા કરતા તેને સૌથી મહત્વની વ્યક્તિ ગણે તો તેણે બધામાં પોતાને સૌથી ઓછો મહત્વનો ગણવો જોઈએ, અને તેણે બીજા દરેકની સેવા કરવી જોઈએ."
\s5
\v 36 પછી તેમણે એક બાળકને લીધું અને તેઓની વચમાં મૂક્યું. તેમણે બાળકને તેમના હાથમાં લીધું અને પછી તેઓને કહ્યું,
\v 37 "જેઓ મને પ્રેમ કરવાના લીધે કોઈ બાળકનો આ પ્રમાણે આવકાર કરશે, તો ઈશ્વર એવું ગણે છે કે તેઓ મને આવકારે છે. એ પણ સાચું છે કે તેઓ જે ઈશ્વરે મને મોકલ્યો છે તેમનો પણ સ્વીકાર કરે છે."
\p
\s5
\v 38 યોહાને ઈસુને કહ્યું, "ગુરુજી, અમે કોઈકને લોકોમાંથી દુષ્ટાત્માઓને બહાર કાઢતા જોયો. તે એવો દાવો કરે છે કે તેમ કરવાને માટે તેને તમારી પાસેથી અધિકાર મળેલો છે. તેથી અમે તેને તેમ કરવાનું બંધ કરવાનું કહ્યું કારણ કે તે શિષ્યોમાંનો એક ન હતો."
\v 39 ઈસુએ કહ્યું, "તેને તેમ કરવાનું બંધ કરવાનું ન કહો. કેમકે મારા અધિકારથી થયેલાં કોઈ ચમત્કારિક કાર્ય પછી તરત જ કોઈ મારા વિષે કંઈ ખરાબ બાબત કહેશે નહી.
\s5
\v 40 જેઓ આપણો વિરોધ કરતા નથી તેઓ આપણે જે ધ્યેય પ્રાપ્ત કરવા માગીએ છે તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
\v 41 તમે મને, મસીહને અનુસરવાને લીધે જેઓ કોઈપણ રીતે તમારી મદદ કરતા હોય તેઓને, અથવા તો તમને પીવા માટે માત્ર પાણીનો પ્યાલો આપે તો પણ, ઈશ્વર તેઓને ચોક્ક્સ બદલો આપશે!"
\p
\s5
\v 42 વળી ઈસુએ કહ્યું, "પણ જો મારામાં વિશ્વાસ કરનાર કોઈને તમે પાપ કરવા પ્રેરો, પછી ભલે તે વ્યક્તિ સામાજિક રીતે આ બાળકના જેવી બિનમહત્વની હોય તોપણ ઈશ્વર તમને સખત સજા કરશે. ઈશ્વર તમને તેમના પર વિશ્વાસ કરનારને પાપ કરવા પ્રેરવા બદલ શિક્ષા કરે તેના કરતાં જો કોઈ ભારે પત્થર તમારા ગળે બાંધે અને તમને સમુદ્રમાં ફેંકી દે, તો તે તમારા માટે વધારે સારું હશે.
\v 43 તેથી જો તમે તમારા એક હાથનો ઉપયોગ પાપ કરવા માટે કરવા ચાહો તો, તેનો ઉપયોગ ન કરશો! જો કે તમારે તમારો હાથ કાપી નાંખવો પડે અને પાપ કરવાથી બચવા તેને ફેંકી દેવો પડે તોપણ, તે કરો! જ્યારે તમે અહીં પૃથ્વી પર છો ત્યારે તમારી પાસે એક હાથ ના હોય તોપણ, તમે અનંતકાળ સુધી જીવો તે સારું છે. પણ તમે પાપ કરો અને તેના પરિણામે ઈશ્વર તમારા આખા શરીરને નર્કમાં નાંખે તે સારું નથી, કે
\v 44 'જ્યાં કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી હોલવાતો નથી.'
\s5
\v 45 જો તમે તમારા એક પગનો ઉપયોગ પાપ કરવા માટે કરવા ચાહો તો, તેનો ઉપયોગ ના કરશો! તમારે પાપ કરતા બચી જવા તમારો પગ કાપી નાંખવો પડે તોપણ, તે કરો! જ્યારે તમે અહીં પૃથ્વી પર છો ત્યારે તમારી પાસે એક પગ ના હોય તોપણ, તમે અનંતકાળ સુધી જીવો તે સારું છે. પણ તમે પાપ કરો અને તેના પરિણામે ઈશ્વર તમારા આખા શરીરને નર્કમાં નાંખે તે સારું નથી, કે
\v 46 'જ્યાં કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી હોલવાતો નથી.'
\s5
\v 47 જો તમે જે જુઓ છો તેના લીધે તમે પાપ કરવા લલચાઓ છો તો, તે બાબતો તરફ જોવાનું બંધ કરો! તમારે પાપ કરતાં બચી જવા તમારી આંખને ખેંચી કાઢવી પડે તોપણ, તે કરો! ઈશ્વર તમને બે આંખો સાથે નર્કમાં નાંખે તેના કરતા તમારી પાસે એક આંખ હોય, અને ઈશ્વર તમારા પર રાજ કરવા સંમત થાય તે સારું છે.
\v 48 તે જગ્યામાં કીડા સદાકાળને માટે લોકોને ખાય છે અને અગ્નિ કદી બુઝાતો નથી.
\p
\s5
\v 49 "માટે જેમ લોકો તેમના ખોરાકમાં મીઠું નાંખે છે તેમ, ઈશ્વર દરેકના પર અગ્નિ નાંખશે.
\v 50 મીઠું ખોરાકમાં નાંખવા માટે ઉપયોગી છે, પણ જો તે બેસ્વાદ થઈ જાય તો તમે તેને ફરીથી ખારું કરી શકતા નથી. જેમ મીઠું ખોરાકમાં સ્વાદ લાવે છે તેમ, એકબીજાનું ભલું કરો."
\s5
\c 10
\p
\v 1 ઈસુ તેમના શિષ્યો સાથે તે જગ્યા છોડીને ગયા, અને તેઓ યહૂદિયા જીલ્લામાં થઈને યર્દન નદીની પેલે પાર પૂર્વ તરફ ગયા. જ્યારે તેમની આસપાસ ફરીથી લોકોનો સમુદાય એકઠો થવા લાગ્યો, ત્યારે જેમ તેઓ કરતા હતા તેમ રીત પ્રમાણે તેમણે તેઓને ફરીથી શિક્ષણ આપ્યું.
\v 2 જ્યારે તેઓ તેમને શીખવતા હતા, ત્યારે કેટલાક ફરોશીઓ તેમની પાસે આવ્યા અને તેમને પૂછ્યું, "શું આપણો કાયદો માણસને તેની પત્નીને છૂટાછેડા આપવાની છૂટ આપે છે?" તેઓ "હા" કે "ના" માં જવાબ આપે તો તેના દ્વારા તેઓ તેમની ટીકા કરી શકે માટે તેઓએ તે પૂછ્યું.
\v 3 તેમણે તેઓને જવાબ આપ્યો, "તમારા પૂર્વજોને આ બાબત સંબંધી મૂસાએ શું આજ્ઞા આપી હતી?"
\v 4 તેઓમાંના એકે ઉત્તર આપ્યો, "મૂસાએ એવી છૂટ આપી હતી કે માણસ કાગળ પર તેની પત્નીને છૂટાછેડા આપવાનું કારણ લખે, તે કાગળ તેને આપે, અને તેને કાઢી મૂકે."
\s5
\v 5 ઈસુએ તેઓને કહ્યું, "તમારા પૂર્વજો હઠપૂર્વક તેમની પત્નીઓને દૂર કરવા માગતા હતા. એટલા માટે મૂસાએ તે નિયમ લખ્યો હતો.
\v 6 પણ જ્યારે ઈશ્વરે પ્રથમ માણસોને ઉત્પન્ન કર્યા ત્યારે, તેમણે તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં.
\s5
\v 7 તે જણાવે છે કે શા માટે ઈશ્વરે કહ્યું, "જ્યારે પુરુષ લગ્ન કરે, ત્યારે તેણે તેનાં માતાપિતાને છોડીને તેની પત્ની સાથે જોડાવું જોઈએ.
\v 8 તેઓએ એટલા ઘનિષ્ટ રીતે જોડાયેલા હોવું જોઈએ કે તેઓ એક જ વ્યક્તિ હોય તેવું લાગે.
\v 9 કેમકે એ સત્ય છે કે, પુરુષે તેની પત્નીથી છૂટા પડવું જોઈએ નહી. ઈશ્વરે તેમને સાથે જોડ્યા છે અને તેઓ ઈચ્છે છે કે તેઓ સાથે રહે!"
\p
\s5
\v 10 જ્યારે ઈસુ અને તેમના શિષ્યો ઘરમાં એકલા હતા ત્યારે, તેઓએ તેમને ફરીથી આ સંબંધી પૂછ્યું.
\v 11 તેમણે તેઓને કહ્યું, "કોઈ માણસ તેની પત્નીને છોડીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે તો ઈશ્વર તેને વ્યભિચાર ગણે છે.
\v 12 જે સ્ત્રી તેના પતિને છોડીને બીજા માણસ સાથે લગ્ન કરે તો ઈશ્વર તેને પણ વ્યભિચાર ગણે છે."
\p
\s5
\v 13 હવે લોકો બાળકોને ઈસુની પાસે લાવતા હતા કે તેઓ તેમને સ્પર્શ કરે અને તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ લોકોને ધમકાવ્યા.
\v 14 જ્યારે ઈસુએ તે જોયું ત્યારે, તેઓ ગુસ્સે થયા. તેમણે તેમના શિષ્યોને કહ્યું, "બાળકોને મારી પાસે આવવા દો! તેઓને રોકશો નહી! જેઓની પાસે બાળકોના જેવો સ્વભાવ છે તેવા લોકો પર રાજા થવાનું ઈશ્વરને પસંદ પડશે.
\s5
\v 15 આની નોંધ લો: બાળકોની જેમ જેઓ ઈશ્વરને તેમના રાજા તરીકે નહિ સ્વીકારે, તેઓના પર રાજ કરવાનું ઈશ્વર ચોક્કસપણે પસંદ કરશે નહીં."
\v 16 પછી તેમણે બાળકોને બાથમાં લીધા. તેમણે તેઓના પર પોતાના હાથ મૂકીને ઈશ્વરને તેમનું ભલું કરવા વિનંતી પણ કરી.
\p
\s5
\v 17 જ્યારે ઈસુએ તેમના શિષ્યો સાથે ફરીથી મુસાફરી શરુ કરી ત્યારે, એક માણસ તેમની તરફ દોડી આવ્યો. તે ઈસુની સામે પગે પડ્યો અને તેમને પૂછ્યું, "ઉત્તમ શિક્ષક, અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?"
\v 18 ઈસુએ તેને કહ્યું, "તું મને ઉત્તમ કેમ કહે છે? માત્ર ઈશ્વર જ ઉત્તમ છે!
\v 19 પણ તારા પ્રશ્નના જવાબમાં, મૂસાએ આપેલી આજ્ઞાઓ તું જાણે છે: 'કોઈનું ખૂન ન કર, વ્યભિચાર ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, કોઈની ઠગાઈ ન કર, અને તારા પિતા અને માતાને માન આપ'."
\s5
\v 20 તે માણસે તેમને કહ્યું, "શિક્ષક, એ સર્વ આજ્ઞાઓ તો હું નાનપણથી પાળતો આવ્યો છું."
\v 21 ઈસુએ તેના તરફ જોયું અને તેમને તેના પર પ્રેમ ઊપજ્યો. તેમણે તેને કહ્યું, "એક બાબત છે કે જે તેં હજુ સુધી કરી નથી. તારે ઘેર જા, તારી પાસે જે છે તે વેચી નાંખ અને પછી તે નાણાંં ગરીબ લોકોને આપી દે. તેના પરિણામ સ્વરૂપે, તને સ્વર્ગમાં ખજાનો મળશે. મેં તને જે કરવાનું કહ્યું તે કર્યા પછી, આવ અને મારી પાછળ ચાલ!"
\v 22 જ્યારે તેણે ઈસુએ આપેલી સૂચનાઓ સાંભળી ત્યારે તે માણસ ઉદાસ થઈ ગયો. તે દુઃખી થઈને ચાલ્યો ગયો, કારણ કે તે ખૂબ ધનવાન હતો.
\s5
\v 23 ઈસુએ આસપાસ લોકો તરફ જોયું. પછી તેમણે શિષ્યોને આશ્ચર્યથી કહ્યું, "જે લોકો ધનવાન છે તેઓના માટે ઈશ્વર તેમના પર રાજ કરે તે ઘણું અઘરું છે."
\v 24 તેમણે જે કહ્યું તેનાથી શિષ્યો ગૂંચવાઈ ગયા. ઈસુએ ફરી કહ્યું, "મારા વહાલા મિત્રો, ઈશ્વર તેઓના પર રાજ કરે તે માટે સંમત થવું દરેકને માટે અઘરું છે.
\v 25 ખરું જોતાં, ધનવાન લોકો ઈશ્વર તેઓના પર રાજ કરે તેવું સ્વીકારે તેના કરતાં, ઊંટ જેવા મોટા કદના પશુને માટે સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે."
\s5
\v 26 શિષ્યો ખૂબ અચરત થયા. તેથી તેઓએ એકબીજાને કહ્યું, "જો એ પ્રમાણે હોય તો, કોઈનો બચાવ ન થઈ શકે!"
\v 27 ઈસુએ તેઓ તરફ જોયું અને પછી તેમણે કહ્યું, "હા, લોકો જાતે જ પોતાને બચાવે તે અશક્ય છે! પણ ઈશ્વર તેમને ચોક્કસ બચાવી શકે છે, કારણ કે ઈશ્વર કંઈ પણ કરી શકે છે!"
\v 28 પિતરે કહ્યું, "જુઓ, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ."
\s5
\v 29 ઈસુએ ઉત્તર આપ્યો, "હું ઇચ્છું છું કે તું આ જાણે: જેઓએ મારા શિષ્ય થવા માટે તેમ જ શુભ સમાચાર પ્રગટ કરવા માટે તેમનાં ઘર, તેમના ભાઈઓ, તેમની બહેનો, તેમના પિતા, તેમની માતા, તેમનાં બાળકો, કે તેમની જમીન છોડ્યાં હશે,
\v 30 તેઓ તેમણે જે છોડી દીધું છે તેનો આ જીવનમાં સો ગણો બદલો પામશે. તેમાં તેમનાં ઘરો અને ભાઈઓ અને બહેનો, માતાઓ અને બાળકો જેવા વહાલા માણસો, અને જમીનનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, જો કે લોકો અહીં પૃથ્વી પર તેઓની સતાવણી કરશે કારણ કે તેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેમ છતાં આવનાર યુગમાં તેઓ અનંતજીવન પામશે.
\v 31 પણ હું તમને બધાને ચેતવણી આપું છું: જેઓ પોતાને અત્યારે મહત્વના ગણે છે તેઓ આવનાર યુગમાં બિન મહત્વના થશે, અને ઘણા જેઓ અત્યારે પોતાને બિન મહત્વના ગણે છે તેઓ આવનાર યુગમાં ઘણા મહત્વના થશે!"
\p
\s5
\v 32 કેટલાક દિવસો પછી તેઓએ મુસાફરીમાં આગળ વધતાં, ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમ તરફ જતા માર્ગે ચાલતા હતા. ઈસુ તેઓની આગળ ચાલતા હતા. શિષ્યો આશ્ચર્ય પામ્યા અને બીજા લોકો જેઓ તેઓની સાથે હતા તેઓ ભયભીત હતા. માર્ગમાં તેઓ ફક્ત શિષ્યોને જ એક જગ્યાએ દોરી ગયા. પછી તેમની સાથે જે બનવાનું હતું તેના વિષે તેઓ ફરીથી તેઓને કહેવા લાગ્યા; તેમણે કહ્યું,
\v 33 ધ્યાનથી સાંભળો! આપણે યરુશાલેમ તરફ જઈએ છીએ. ત્યાં મુખ્ય યાજકો અને જે માણસો નિયમ શીખવે છે તેઓ મારી, માણસના દીકરાની ધરપકડ કરશે. તેઓ એવું જાહેર કરશે કે મારે મરણ પામવું જોઈએ. પછી તેઓ મને રોમન અધિકારીઓ પાસે લઈ જશે.
\v 34 ત્યાં માણસો મારી મશ્કરી કરશે અને મારા પર થૂંકશે. તેઓ મને કોરડા મારશે, અને પછી તેઓ મને મારી નાખશે. પણ તે પછીના ત્રીજા દિવસે, હું ફરીથી સજીવન થઈશ!"
\p
\s5
\v 35 માર્ગમાં, યાકૂબ અને યોહાન, જેઓ બંને ઝબદીના દીકરા હતા તેઓએ, ઈસુની પાસે આવીને તેમને કહ્યું, "ગુરુજી, અમે ઇચ્છીએ છીએ કે તમે અમારા માટે કંઇક કરો!"
\v 36 તેમણે તેઓને કહ્યું, "તમારી શી ઈચ્છા છે કે હું તમારા માટે તે કરું?"
\v 37 તેઓએ તેમને કહ્યું, "જ્યારે તમે તમારા રાજ્યમાં રાજ કરો ત્યારે, અમારામાંના એકને તમારી જમણી બાજુ અને બીજાને તમારી ડાબી બાજુ બેસવા દેજો."
\s5
\v 38 પણ ઈસુએ તેઓને કહ્યું, "તમે જે માંગો છો તે તમે સમજતા નથી." પછી તેમણે તેઓને પૂછ્યું, "હું જે પીડા સહન કરવા જઈ રહ્યો છું તે શું તમે સહન કરી શકો છો? બીજાઓ જેમ મને મારી નાખવાના છે તેમ તેઓ તમને મારી નાખે તે શું તમે સહન કરી શકો છો?"
\v 39 તેઓએ તેમને કહ્યું, "હા, અમે તેમ કરી શકીએ છીએ! પછી ઈસુએ તેઓને કહ્યું, "તે સાચું છે કે હું જે સહન કરવાનો છું તે તમે સહન કરી શકશો, અને જેમ લોકો મને મારી નાંખવાના છે તેમ તેઓ તમને મારી નાંખે તે તમે સહન કરી શકશો.
\v 40 પણ મારી બાજુમાં કોણ બેસશે તેનો નિર્ણય કરનાર હું નથી. ઈશ્વરે જેમને અગાઉથી પસંદ કર્યા છે તેઓને તે જગ્યાઓ આપશે."
\p
\s5
\v 41 યાકૂબે અને યોહાને જે માગણી કરી તેના વિષે બીજા દશ શિષ્યોએ પાછળથી સાંભળ્યું. તેથી તેઓએ કહ્યું કે તેઓ આ બે શિષ્યોથી નાખુશ હતા.
\v 42 પછી ઈસુએ તેઓ બધાને સાથે બોલાવ્યા અને કહ્યું, "તમે જાણો છો કે રાજાઓ અને બીજા જેઓ લોકો પર રાજ કરે છે તેઓ પોતે પરાક્રમી છે એવું દર્શાવવામાં આનંદ અનુભવે છે. તમે એ પણ જાણો છો કે તેઓના અધિકારીઓ બીજાઓને આદેશ આપવામાં આનંદ અનુભવે છે.
\s5
\v 43 પણ તમે તેઓના જેવા ન થાઓ! તેને બદલે, તમારામાંના જેઓ બધા ઇચ્છે છે કે ઈશ્વર તેઓને મહાન ગણે તેઓએ બાકી બીજાઓના ચાકર જેવા થવું.
\v 44 એ ઉપરાંત, તમારામાંનો કોઈ ઈચ્છે કે ઈશ્વર તેને ખૂબ મહત્વનો ગણે, તો તેણે બીજાઓના ગુલામ તરીકે વર્તવું.
\v 45 હું-માણસનો દીકરો, સેવા કરાવવા માટે આવ્યો નથી. પણ તેને બદલે, હું બીજાઓની સેવા કરવા તેમજ મારું જીવન તેઓને માટે આપવા દ્વારા ઘણા લોકોને મુક્ત કરવા આવ્યો છું."
\p
\s5
\v 46 યરુશાલેમના રસ્તે જતા, ઈસુ અને તેમના શિષ્યો યરીખો આવ્યા. પછી, જ્યારે તેઓ મોટા સમુદાય સાથે યરીખોથી જઈ રહ્યા હતા, ત્યારે એક અંધ માણસ જે તેની ટેવ મુજબ ભીખ માગતો હતો તે રસ્તાની બાજુએ બેઠેલો હતો. તેનું નામ બાર્તિમાય હતું અને તેના પિતાનું નામ તિમાય હતું.
\v 47 જ્યારે તેણે લોકોને કહેતા સાંભળ્યા કે નાસરેથના ઈસુ ત્યાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે તેણે બૂમ પાડી, "ઈસુ! તમે મસીહ કે જે દાઉદ રાજાના વંશજ છો, મારા પર દયા કરો!"
\v 48 ઘણા લોકોએ તેને ધમકાવ્યો અને તેને કહ્યું કે તેણે શાંત રહેવું જોઈએ. પણ તેણે વધુ મોટેથી બૂમો પાડી, "તમે મસીહ કે જે દાઉદ રાજાના વંશજ છો, મારા પર દયા કરો!"
\s5
\v 49 ઈસુ ઊભા રહ્યા અને કહ્યું, "તેને અહીં બોલાવો!" તેઓએ તે અંધ માણસને "ઈસુ તને બોલાવે છે! તેથી ખુશ થા, ઊભો થા અને આવ!" એમ કહીને બોલાવ્યો.
\v 50 તે તેનો ઝભ્ભો બાજુ પર મૂકી દઈને કૂદીને ઊભો થયો અને ઈસુની પાસે આવ્યો.
\s5
\v 51 ઈસુએ તેને પૂછ્યું, "હું તારા માટે શું કરું, તારી શી ઇચ્છા છે?" અંધ માણસે તેમને કહ્યું, "ગુરુજી, હું ફરીથી દેખતો થવા માગું છું!"
\v 52 ઈસુએ તેને કહ્યું, "હું તને સાજો કરું છું કારણ કે તેં મારા પર વિશ્વાસ રાખ્યો છે. તેથી તું જઈ શકે છે!" તે તરત જ દેખતો થયો. અને તે માર્ગે ઈસુની સાથે ગયો.
\s5
\c 11
\p
\v 1 જ્યારે ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમની નજીક આવ્યા ત્યારે, તેઓ બેથફાગે અને બેથાનિયા જે જૈતૂન પહાડની પાસે છે ત્યાં આવ્યા. પછી ઈસુએ તેમના બે શિષ્યોને બોલાવ્યા
\v 2 અને તેઓને કહ્યું, "સામે જે ગામ છે ત્યાં જાઓ. તેમાં તમે પેસશો કે તરત જ, તમે એક ગધેડાના વછેરાને જેના પર કોઈ કદી બેઠું નથી તેને બાંધેલો જોશો. તેને છોડીને મારી પાસે લઈ આવો.
\v 3 જો કોઈ તમને કહે કે, 'તમે એમ શા માટે કરો છો?' તો કહેજો, 'પ્રભુ તેનો ઉપયોગ કરવા માગે છે. તેમને તેની જરૂર નહિ હોય ત્યારે તેઓ તરત જ કોઈકની સાથે તેને અહીં પાછો મોકલી આપશે.'"
\s5
\v 4 તેથી તે બે શિષ્યો ગયા અને તે ગધેડાના વછેરાને શોધી કાઢ્યો. તે શેરીની બાજુના એક ઘરના બારણા પાસે બાંધેલો હતો. તેઓએ તેને છોડ્યો.
\v 5 ત્યાં કેટલાક લોકો હતા તેઓએ તેમને પૂછ્યું, "તમે તે ગધેડાને શા માટે છોડો છો?"
\v 6 જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તેમ તેમણે તેઓને કહ્યું. તેથી લોકોએ તેમને ગધેડાને લઈ જવાની રજા આપી.
\s5
\v 7 બે શિષ્યો ગધેડાને ઈસુની પાસે લાવ્યા અને તેમના ઝભ્ભા તેના પર નાખીને ઈસુ બેસી શકે તેવું આસન બનાવ્યું.
\v 8 ઘણા લોકોએ તેમના ઝભ્ભા તેમની સામે માર્ગ પર પાથર્યા. બીજાઓએ નજીકના ખેતરમાંથી ખજૂરીના વૃક્ષની ડાળીઓ કાપીને તેમની સામે માર્ગ પર પાથરી.
\v 9 જે લોકો તેમની આગળ તેમ જ પાછળ જઈ રહ્યા હતા તેઓ એવી બૂમો પાડતા હતા કે, "પ્રભુની સ્તુતિ થાઓ!" "ઈશ્વરના અધિકાર સાથે જે આવે છે તેને ઈશ્વર આશીર્વાદ આપો."
\v 10 આપણા પૂર્વજ દાઉદ રાજાએ જેમ રાજ કર્યું તેમ તમે રાજ કરો ત્યારે તમે આશીર્વાદિત થાઓ!" પરમ ઊંચામાં જે ઈશ્વર છે તેઓની સ્તુતિ થાઓ!"
\p
\s5
\v 11 ઈસુએ તેઓની સાથે યરુશાલેમમાં પ્રવેશ કર્યો, અને પછી તેઓ ભક્તિસ્થાનના આંગણામાં ગયા. ત્યાં ચારેબાજુ બધું જોયા પછી, તેઓ શહેરમાંથી બહાર ગયા કારણ કે બપોર પછી ઘણું મોડું થઈ ગયું હતું. તેઓ તેમના બાર શિષ્યો સાથે બેથાનિયા પાછા ગયા.
\p
\v 12 બીજા દિવસે, જ્યારે ઈસુ અને તેમના શિષ્યો બેથાનિયાથી નીકળ્યા ત્યારે, તેમને ભૂખ લાગી.
\s5
\v 13 એક અંજીરી જેને પાંદડાં હતાં તેને તેમણે દૂરથી જોઈ, તેથી તેઓ તેની પાસે ગયા જેથી તેમને તેના પરથી કોઈ અંજીર મળે. પણ જ્યારે તેઓ તેની પાસે આવ્યા, ત્યારે તેમને તેના પર કોઈ ફળ મળ્યું નહીં, કારણ કે હજુ તે સમય અંજીર થવાની મોસમ ન હતી.
\v 14 તેમણે વૃક્ષને કહ્યું, "હવેથી કદી કોઈ તારા પરથી ફળ ખાશે નહીં." અને શિષ્યોએ તે સાંભળ્યું.
\p
\s5
\v 15 ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમમાં પાછા આવ્યા અને ભક્તિસ્થાનના આંગણામાં પ્રવેશ્યા. તેમણે જે લોકો બલિદાન માટે પશુઓ વેચતા અને ખરીદતા હતા તેઓને જોયા. તે લોકોને તેમણે ભક્તિસ્થાનના આંગણામાંથી કાઢી મૂક્યા. જેઓ રોમન ચલણના બદલામાં ભક્તિસ્થાનના કરના નાણાંં વેચતા હતા તેઓનાં બાજઠ પણ તેમણે ઊંધાં વાળ્યાં. તેમણે જેઓ બલિદાન માટેના કબૂતર વેચતા હતા તે માણસોનાં આસનો ઊંધાં પાડ્યાં.
\v 16 તેમણે કોઈને પણ વેચવાનો સામાન લઈને ભક્તિસ્થાનના વિસ્તારમાં આવવા દીધા નહી.
\s5
\v 17 પછી તેમણે તે લોકોને શીખવ્યું, તેમણે તેઓને કહ્યું, "શાસ્ત્રમાં એવું લખેલું છે કે, ઈશ્વરે કહ્યું, 'મારું ઘર એવું હોય કે જ્યાં બધા જ દેશોના લોકો આવીને પ્રાર્થના કરી શકે,' પણ તમે ડાકુઓએ તો તેને જ્યાં લૂંટારા સંતાઈ રહે છે તેના જેવું કોતર કર્યું છે."
\v 18 મુખ્ય યાજકો અને યહૂદી નિયમ શીખવતા હતા તે માણસોએ તેમણે જે કર્યું હતું તે વિષે બાદમાં જાણ્યું. તેઓ તેમને કેવી રીતે મારી નાખી શકે તે વિષે તેઓ યોજના કરતા હતા, પણ તેઓ તેમનાથી બીધા કારણ કે તેઓને ખબર હતી કે લોકો તેમના શિક્ષણથી નવાઈ પામતા હતા.
\v 19 દર સાંજે ઈસુ અને તેમના શિષ્યો શહેરની બહાર જતા.
\p
\s5
\v 20 બીજે દિવસે સવારે જ્યારે તેઓ યરુશાલેમ તરફના માર્ગે જઈ રહ્યા હતા ત્યારે, ઈસુએ જે અંજીરીને શ્રાપ આપ્યો હતો તેને પૂરેપૂરી સુકાઈ ગયેલી જોઈ.
\v 21 ઈસુએ અંજીરીને જે કહ્યું હતું તે પિતરને યાદ હતું, અને તેણે ઈસુને કહ્યું, "ગુરુજી, જુઓ! જે અંજીરીને તમે શ્રાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ છે!"
\s5
\v 22 ઈસુએ ઉત્તર આપ્યો, "ઈશ્વર પર વિશ્વાસ રાખો!
\v 23 આ પણ નોંધ લો: જો કોઈ આ પર્વતને કહે કે, 'ઊઠ અને સમુદ્રમાં નંખાઈ જા!' અને તે પ્રમાણે બનશે એવો સંદેહ ન રાખતાં, જો તે, વિશ્વાસ રાખે કે તેમ બનશે તો, ઈશ્વર તેના માટે તે કરશે.
\s5
\v 24 તેથી હું તમને કહું છું, જ્યારે પણ તમે પ્રાર્થનામાં ઈશ્વર પાસે કંઈ માંગો, ત્યારે તમે તે પામ્યા છો તેવો વિશ્વાસ રાખો, જો તમે તેમ કરશો તો, ઈશ્વર તમારે માટે તે કરશે.
\v 25 હવે, હું તમને આ પણ કહું છું: જ્યારે પણ તમે પ્રાર્થના કરો છો ત્યારે, જો તમને નુકસાન કરવાને લીધે લોકો વિરુદ્ધ રોષ હોય તો, તેઓને માફ કરો, જેથી સ્વર્ગમાંના તમારા પિતા પણ તેવી જ રીતે તમારા પાપ માફ કરે."
\v 26 પણ જો તમે માફી આપવાનો ઇનકાર કરશો તો, તમારા આકાશમાંના પિતા પણ તમારાં પાપ માફ નહિ કરે.
\p
\s5
\v 27 ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમમાં ભક્તિસ્થાનના આંગણામાં ફરીથી પાછા આવ્યા. જ્યારે ઈસુ ત્યાં ફરતા હતા ત્યારે, મુખ્ય યાજકો, યહૂદી નિયમ શીખવનારા કેટલાક માણસો, અને આગેવાનોનો એક સમૂહ તેમની પાસે આવ્યો.
\v 28 તેઓએ તેમને કહ્યું, "તમે કયા અધિકારથી આ બાબતો કરો છો? તમે ગઈકાલે જે બાબતો અહીં કરી તે કરવા માટેનો અધિકાર તમને કોણે આપ્યો?"
\s5
\v 29 ઈસુએ તેઓને કહ્યું, "હું તમને એક પ્રશ્ન પૂછીશ. જો તમે મને તેનો જવાબ આપો તો, હું તમને કહીશ કે આ બાબતો કરવાનો અધિકાર મને કોણે આપ્યો છે.
\v 30 યોહાનની પાસે જેઓ આવ્યા તેઓને બાપ્તિસ્મા આપવાનો અધિકાર તેને ઈશ્વરે આપ્યો હતો? કે પછી લોકોએ તેને અધિકાર આપ્યો હતો?"
\s5
\v 31 તેઓએ માંહોમાંહે ચર્ચા કરી કે તેઓએ શો ઉત્તર આપવો જોઇએ. તેઓએ એકબીજાને કહ્યું, "જો આપણે એવું કહીએ કે ઈશ્વરે તેને અધિકાર આપ્યો તો, તે આપણને કહેશે કે, "તો પછી યોહાને જે કહ્યું તે તમારે માનવું જોઈતું હતું!'
\v 32 બીજી તરફ, જો આપણે કહીએ કે યોહાનને લોકોએ અધિકાર આપ્યો હતો તો, આપણુ શું થશે?" તેઓ યોહાન વિષે એવું કહેતા બીધાં, કારણ કે તેઓ જાણતા હતા કે લોકો તેમના પર ગુસ્સે થશે. તેઓ જાણતા હતા કે બધા જ લોકો વિશ્વાસ કરતા હતા કે યોહાન ખરેખર ઈશ્વરે મોકલેલો પ્રબોધક હતો.
\v 33 તેથી તેઓએ ઈસુને જવાબ આપ્યો, "અમે જાણતા નથી કે યોહાને કોની પાસેથી અધિકાર મેળવ્યો." ત્યારે ઈસુએ તેઓને કહ્યું, "તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યો નહીં, તેથી મેં જે કંઈ કામો ગઈકાલે કર્યા તેને માટે મને કોણે અધિકાર આપ્યો તે હું તમને કહીશ નહીં."
\s5
\c 12
\p
\v 1 પછી ઈસુએ તેઓને ઉદાહરણ આપવાની શરૂઆત કરી. તેમણે કહ્યું, "કોઈએક માણસે દ્રાક્ષાવાડી રોપી. તેણે તેને ફરતી વાડ બનાવી. દ્રાક્ષનો રસ એકઠો કરવા માટે તેણે પત્થરનો કુંડ બનાવ્યો. તેણે દ્રાક્ષાવાડીનું રક્ષણ કરવા માટે કોઈ બેસી શકે તે માટે બુરજ બાંધ્યો. તેણે દ્રાક્ષાવાડીની ખેતી કરવા કેટલાક ખેડૂતોને તે ભાડે આપી, અને પછી તે બીજા દેશમાં ચાલ્યો ગયો.
\v 2 જ્યારે દ્રાક્ષની ફસલ લણવાનો સમય આવ્યો ત્યારે, તેણે જે માણસો દ્રાક્ષાવાડીની સંભાળ રાખતા હતા તેમની પાસે એક નોકરને મોકલ્યો કે જેથી દ્રાક્ષાવાડીમાં જે દ્રાક્ષ પેદા થઈ હોય તેનો ભાગ તેઓની પાસેથી લઈ આવે.
\v 3 પણ જ્યારે તે નોકર આવ્યો ત્યારે, તેઓએ તેને પકડ્યો અને તેને માર્યો, અને તેઓએ તેને ફળમાંથી કશું આપ્યું નહીં. પછી તેઓએ તેને કાઢી મૂક્યો.
\s5
\v 4 પછી તે માલિકે બીજા એક નોકરને તેઓની પાસે મોકલ્યો. પણ તેઓએ તેના માથામાં માર્યું અને તેનું અપમાન કર્યું.
\v 5 પછી માલિકે બીજા એક નોકરને મોકલ્યો. તેને પણ તે ખેડૂતના માણસોએ મારી નાખ્યો. બીજા જે નોકરોને તેણે મોકલ્યા તેઓની સાથે પણ તેમણે ખરાબ વ્યવહાર કર્યો. કેટલાંકને તેઓએ માર્યા અને કેટલાંકને તેઓએ મારી નાખ્યા.
\s5
\v 6 તે માલિકની પાસે હજુ બીજી એક વ્યક્તિ હતી, એટલે કે તેનો દીકરો, જેને તે ખૂબ પ્રેમ કરતો હતો. તેથી તેણે તેના દીકરાને તેઓની પાસે મોકલ્યો કેમ કે તેણે વિચાર્યું કે તેઓ તેને માન આપશે.
\v 7 પણ જ્યારે ખેડૂતોએ જોયું કે તેનો દીકરો આવી રહ્યો છે ત્યારે, તેઓએ એકબીજાને કહ્યું, 'જુઓ! માલિકનો દીકરો આવે છે, તે એક દિવસે દ્રાક્ષાવાડીનો વારસ થશે! તેથી ચાલો આપણે તેને મારી નાખીએ કે જેથી આ દ્રાક્ષાવાડી આપણી થઈ જાય!'
\s5
\v 8 તેઓએ માલિકના દીકરાને પકડ્યો અને તેને મારી નાખ્યો. પછી તેઓએ તેનું શબ દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધું.
\v 9 તો શું તમે જાણો છો કે દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે? તે આવીને જેઓ દ્રાક્ષાવાડીની સંભાળ રાખતા હતા તે દુષ્ટ માણસોને મારી નાખશે. પછી તેની સંભાળ લેવા માટે, બીજા માણસોને તે સોંપશે.
\s5
\v 10 હવે, આ શબ્દો જે શાસ્ત્રવચનોમાં તમે વાંચ્યા છે તે પ્રત્યે કાળજીપૂર્વક ધ્યાન આપો:
\p "જે માણસો ઇમારત બાંધતા હતા તેઓએ એક ખાસ પથ્થરને વાપરવાનો ઇનકાર કર્યો. પણ પ્રભુએ એ જ પથ્થરને તેની યોગ્ય જગ્યાએ મૂક્યો છે, અને તે ઇમારતનો અતિ મહત્વનો પથ્થર બન્યો છે!
\v 11 ઈશ્વરે આ કર્યું છે, અને આપણે તેને જોઇને આશ્ચર્ય પામીએ છીએ."
\p
\v 12 ત્યારે યહૂદી આગેવાનોને લાગ્યું કે, દુષ્ટ લોકોએ જે કર્યું તેના સંબંધી જ્યારે ઈસુએ આ વાર્તા કહી ત્યારે ઈસુ તેઓને જ દોષિત ઠરાવતા હતા. તેથી તેઓ તેમને પકડવા માગતા હતા. પણ જો તેઓ તેમ કરે તો લોકોનો સમૂહ શું કરશે તે વિચારે તેઓ ગભરાતા હતા. તેથી તેઓ તેમને છોડીને જતા રહ્યા.
\p
\s5
\v 13 યહૂદી આગેવાનોએ કેટલાક ફરોશીઓ અને હેરોદ આન્તીપાસને સમર્થન આપનાર જૂથના કેટલાક સભ્યોને ઈસુ પાસે મોકલ્યા. તેઓ ઈસુને ફસાવવા માંગતા હતા; તેઓ કંઇક ખોટું કહે એવું ઇચ્છતા હતા કે જેથી તેઓ લોકોને બતાવી શકે કે તેમણે ખોટી બાબતો શીખવી છે અને એમ તેઓ ઈસુની વિરુદ્ધ દોષ લગાવી શકે.
\v 14 તેઓએ આવીને તેમને કહ્યું, "ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સત્ય શીખવો છો. અમે એ પણ જાણીએ છીએ કે તમે જે કહો છો તે કોઈ મહત્વની વ્યક્તિને ન ગમે તોપણ લોકો તમારા વિષે શું કહે છે તે વિષે તમને પરવા નથી. તેના બદલે, ઈશ્વર અમારી પાસે જે કરાવવા માંગે છે તે તમે સત્યતાથી શીખવો છો. તેથી અમને કહો કે તમે આ સંબંધી શું વિચારો છો: અમે રોમન સરકારને કર આપીએ તે યોગ્ય છે કે નથી? શું અમારે કર આપવો જોઈએ કે ન આપવો જોઈએ?"
\v 15 ઈસુ જાણતા હતા કે તેઓ ખરેખર ઈશ્વર તેમની પાસે શું કરાવવા માંગે છે તે જાણવા માગતા ન હતા. તેથી તેમણે તેઓને કહ્યું, "હું જાણું છું કે તમે માત્ર એવો પ્રયત્ન કરો છો કે જેથી હું કંઈક ખોટું બોલું કે જેના માટે તમે મને દોષિત ઠરાવી શકો. તો પણ હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ. મારી પાસે એક સિક્કો લાવો જેથી હું તેને જોઈ શકું."
\s5
\v 16 તેઓ તેમની પાસે સિક્કો લાવ્યા તે પછી, તેમણે તેઓને પૂછ્યું, "આ સિક્કા પર કોની છબી છે? અને તેના પર કોનું નામ છે?" તેઓએ ઉત્તર આપ્યો, "તે કાઈસારની છબી અને નામ છે."
\v 17 ઈસુએ તેઓને કહ્યું, "તે સાચું છે, તેથી જે કાઈસારનું છે તે તેને આપો, અને જે ઈશ્વરનું છે તે તેમને આપો." તેમણે જે કહ્યું તેનાથી તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યા.
\p
\s5
\v 18 જે માણસો સદૂકી જૂથના હતા તેઓ બીજા યહૂદીઓ જે માનતા હતા તેનો ઇનકાર કરતા હતા, કે લોકો મરણ પામ્યા પછી ફરીથી સજીવન થશે. કેટલાક સદૂકીઓ ઈસુની પાસે આવ્યા અને તેમને પૂછ્યું,
\v 19 "ગુરુજી, મૂસાએ અમ યહૂદીઓને માટે લખ્યું હતું કે જો માણસને સંતાન ન હોય અને તે મરણ પામે, તો મરનારની વિધવા સાથે તેના ભાઈએ લગ્ન કરવું જોઈએ. અને તેઓ બંને બાળકો પેદા કરે તો બધા એમ ગણશે કે તે બાળકો મરનાર માણસના છે, અને એ રીતે મરનાર માણસનો વંશ ચાલુ રહેશે.
\s5
\v 20 તો અહીં એક ઉદાહરણ છે. એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. સૌથી મોટા ભાઈએ એક સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં, પણ તે અને તેની પત્ની નિઃસંતાન રહ્યા. પછી તે મરણ પામ્યો.
\v 21 બીજા ભાઈએ પણ તે સ્ત્રી સાથે લગ્ન કર્યું, પણ, તે પણ નિઃસંતાન રહ્યો. પછી તે મરણ પામ્યો. ત્રીજા ભાઈએ પણ તેના બીજા ભાઈઓની જેમ લગ્ન કર્યું. પરંતુ તે પણ નિઃસંતાન રહ્યો, અને પછી તે મરણ પામ્યો.
\v 22 છેવટે સાતેય ભાઈઓએ એક પછી એક તે સ્ત્રી સાથે લગ્ન કર્યાં, પરંતુ કોઈને પણ બાળકો થયા નહિ, અને એક પછી એક તેઓ મરણ પામ્યા. તે પછી સ્ત્રી પણ મરણ પામી.
\v 23 હવે જ્યારે લોકો મરણ પામ્યા પછી ફરીથી સજીવન થશે ત્યારે, તે સ્ત્રી કોની પત્ની થશે? એ ધ્યાન રાખજો કે તેણે સાતેય ભાઈઓની સાથે લગ્ન કર્યાં હતાં!"
\s5
\v 24 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "તમે ચોક્ક્સપણે ખોટા છો. શાસ્ત્ર આ વિષે શું શીખવે છે તે તમે જાણતા નથી. લોકોને ફરીથી સજીવન કરનાર ઈશ્વરના સામર્થ્યને પણ તમે સમજતા નથી.
\v 25 તે સ્ત્રી તેઓમાંના કોઈ પણ ભાઈની પત્ની થશે નહીં, કારણ કે જ્યારે લોકો ફરીથી સજીવન થશે ત્યારે, પુરુષોની પત્નીઓ હોવાને બદલે અને સ્ત્રીઓના પતિઓ હોવાને બદલે, સ્વર્ગમાં તેઓ દૂતો જેવા હશે. દૂતો લગ્ન કરતા નથી.
\s5
\v 26 પણ લોકોના મરણ પછી સજીવન થવા વિષે મને કહેવા દો. જે પુસ્તકમાં મૂસાએ લખ્યું તેમાં, જે લોકો મરણ પામ્યા છે તેઓના વિષે લખ્યું; મને ખાતરી છે કે તમે તે વાંચ્યું હશે. જ્યારે મૂસા તે બળતા ઝાડ તરફ જોઈ રહ્યો હતો ત્યારે, ઈશ્વરે તેને કહ્યું, 'હું ઈશ્વર છું કે જેનું ભજન ઇબ્રાહિમ, ઇસહાક, અને યાકૂબ કરે છે.
\v 27 હવે મરેલા લોકો ઈશ્વરનું ભજન કરતા નથી. જેઓ જીવતા છે તેઓ ઈશ્વરનું ભજન કરે છે. તેથી જ્યારે તમે કહો છો કે મરેલા લોકો ફરીથી સજીવન ન થઈ શકે, તો તમે તદ્દ્ન ખોટા છો."
\s5
\v 28 જે માણસ યહૂદી નિયમો શીખવતો હતો તેણે તેઓની ચર્ચા સાંભળી. તે જાણતો હતો કે ઈસુએ સદૂકીઓના પ્રશ્નોનો સારી રીતે જવાબ આપ્યો છે. તેથી તેણે આગળ આવીને ઈસુને પૂછ્યું, "કઈ આજ્ઞા સૌથી વધુ મહત્વની છે?"
\v 29 ઈસુએ જવાબ આપ્યો, "સૌથી મહત્વની આજ્ઞા આ છે: 'ઓ ઇઝરાયલ, સાંભળ! પ્રભુ આપણા ઈશ્વર તેઓ એકલા જ પ્રભુ છે.
\v 30 જે બધું જ તમે ઇચ્છો છો અને અનુભવો છો, જે વિચારો છો, અને જે કરો છો તે બધામાં તમારે પ્રભુ તમારા ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ!
\v 31 બીજી અગત્યની આજ્ઞા એ છે: 'તમારે તમારી આસપાસના લોકોને તમારી જાતના જેટલો પ્રેમ કરવો જોઈએ.' આ બે આજ્ઞાઓ જેવી મહત્વની બીજી કોઈ આજ્ઞા નથી!"
\s5
\v 32 તે માણસે ઈસુને કહ્યું, "ગુરુજી, તમે સારો જવાબ આપ્યો. તમે સાચું કહ્યું કે ઈશ્વર એ એકલા જ ઈશ્વર છે અને બીજો કોઈ ઈશ્વર નથી.
\v 33 તમે એ પણ સાચું કહ્યું કે આપણે જે બધું ઇચ્છીએ છીએ અને અનુભવીએ છીએ, જે બધું વિચારીએ છીએ, અને જે કરીએ છીએ તેમાં ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ. અને તમે એ સાચું કહ્યું કે જેઓ આપણા સંપર્કમાં આવે છે તેઓને આપણે પોતાના જેટલો પ્રેમ કરવો જોઈએ. અને તમે એ પણ સાચું કહ્યું કે તેમને પશુઓના બલિદાન ચઢાવવા કે બીજા દહન્યાર્પણો કરતાં આ બધી બાબતો ઈશ્વરને વધારે પ્રસન્ન કરે છે."
\v 34 ઈસુએ જોયું કે તે માણસે ડહાપણથી ઉત્તર આપ્યો છે. તેથી તેમણે તેને કહ્યું, "ઈશ્વર તારા પર રાજ કરવા સંમત થાય તે ઘડીથી તું દૂર નથી." તે પછી, યહૂદી આગેવાનો તેમને સપડાવવા બીજા કોઇ પણ પ્રશ્નો પૂછતાં બીધા.
\s5
\v 35 પછી, જ્યારે ઈસુ ભક્તિસ્થાનના વિસ્તારમાં શીખવી રહ્યા હતા ત્યારે, તેમણે લોકોને કહ્યું, "જેઓ નિયમો શીખવે છે તેઓ જ્યારે એવું કહે કે ખ્રિસ્ત કેવળ દાઉદ રાજાના માનવીય વંશજ છે, અને તેઓ સાચા છે, તો તે કેવી રીતે હોઇ શકે?
\v 36 પવિત્ર આત્માએ દાઉદને પોતે ખ્રિસ્ત વિષે કહેવા જણાવ્યું, 'ઈશ્વરે મારા પ્રભુને કહ્યું, "અહીં મારે જમણે હાથે, જ્યાં હું તમને બીજા બધા કરતા ઘણું માન આપીશ ત્યાં બેસો! હું તમારા બધા દુશ્મનોને હરાવું ત્યાં સુધી અહીં બેસો!"'
\v 37 તેથી, કેમકે દાઉદ પોતે ખ્રિસ્તને 'મારા પ્રભુ' કહે છે, તેથી ખ્રિસ્ત માત્ર દાઉદ રાજાના વંશજ હોઈ શકે નહિ! તેઓ દાઉદ કરતા ઘણા વધારે મહાન હોવા જોઈએ!" જ્યારે તેઓ તે વાતો શીખવતા હતા ત્યારે ઘણા લોકો આનંદથી તેમનું સાંભળતા હતા.
\s5
\v 38 ઈસુ જ્યારે લોકોને શીખવતા હતા ત્યારે, તેમણે લોકોને કહ્યું, "સાવધ રહો, જેઓ આપણને નિયમશાસ્ત્ર શીખવે છે તેઓની જેમ તમે ન વર્તો. લોકો તેમને માન આપે તે તેમને ગમે છે, તેથી તેઓ લાંબા ઝભ્ભા પહેરીને ફરે છે કે જેથી તેઓ કેવા મહત્વના છે તે લોકોને બતાવી શકે. લોકો જાહેર જગ્યાઓમાં તેમને માનભેર સલામ કરે તે પણ તેમને ગમે છે.
\v 39 સભાસ્થાનોમાં સૌથી મહત્વની બેઠકો પર બેસવાનું પણ તેમને ગમે છે. તહેવારોના સમયે, જ્યાં સૌથી માનવંત માણસો બેસે છે તેવી બેઠકોમાં બેસવાનું તેમને ગમે છે.
\v 40 તેઓ વિધવાઓને છેતરે છે અને તેમનાં ઘરો તથા મિલકત પચાવી પાડે છે. પછી જાહેરમાં લાંબી પ્રાર્થનાઓ કરીને પોતે સારા હોવાનો ઢોંગ કરે છે. ઈશ્વર જરુરથી તેમને ભારે શિક્ષા કરશે!"
\s5
\v 41 પછીથી, ઈસુ ભક્તિસ્થાનના વિસ્તારમાં જ્યાં લોકો અર્પણ નાખે છે તે પેટીઓની સામે બેઠા. તેઓ ત્યાં બેસીને લોકો પેટીઓમાં નાણાં નાખતા હતા તે જોતા હતા. ઘણા શ્રીમંત લોકો વધારે પ્રમાણમાં નાણાં નાખતા હતા.
\v 42 પછી એક ગરીબ વિધવા આવી અને તાંબાના બે નાના સિક્કા નાખ્યા જેનું મૂલ્ય ઘણું ઓછું હતું.
\s5
\v 43-44 ઈસુએ તેમના શિષ્યોને તેમની પાસે એકઠા કરીને કહ્યું, સત્ય એ છે કે પેલા બીજા લોકો પાસે પુષ્કળ નાણાંં છે, પણ તેઓએ તેમાંથી માત્ર થોડું જ આપ્યું છે. પણ આ સ્ત્રી, જે ઘણી ગરીબ છે, તેણે આજની તેની જરૂરિયાતોને માટે જે નાણાંં તેની પાસે હતાં તે બધાં નાણાંં તેણે નાખ્યા છે. તેથી આ ગરીબ વિધવાએ બીજા બધા કરતાં વધારે નાણાંં નાખ્યા છે!"
\s5
\c 13
\p
\v 1 જ્યારે ઈસુ ભક્તિસ્થાનનો વિસ્તાર છોડી જઈ રહ્યા હતા ત્યારે, તેમના શિષ્યોમાંના એકે તેમને કહ્યું, "ગુરુજી, જુઓ આ મોટા પથ્થરો કેટલા અદભુત છે અને આ ઇમારતો કેટલી સુંદર છે!"
\v 2 ઈસુએ તેને કહ્યું, "હા, આ ઇમારતો જેના તરફ તું જુએ છે તે સુંદર છે, પણ હું તને તેઓના વિષે બીજું કંઈક કહેવા માગું છું. તેઓનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવશે. અહીં ભક્તિસ્થાનના વિસ્તારમાં કોઈ પથ્થર બીજા પથ્થર ઉપર રહેવા પામશે નહિ."
\p
\s5
\v 3 ભક્તિસ્થાન તરફની ખીણ પસાર કરીને તેઓ જૈતુન પહાડ પર આવ્યા તે પછી, ઈસુ નીચે બેઠા. જ્યારે પિતર, યાકૂબ, યોહાન, અને આન્દ્રિયા તેમની સાથે એકલા હતા ત્યારે, તેઓએ તેમને પૂછ્યું,
\v 4 "અમને જણાવો કે આ બધી બાબતો ક્યારે બનશે? આ બધી બાબતો બનવા જઇ રહી છે તે દર્શાવવા માટે શું બનશે?"
\s5
\v 5 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "જે બનવાનું છે તેના વિષે કોઈ તમને ભરમાવે નહીં તે વિષે સાવધ રહો!
\v 6 ઘણા લોકો આવશે અને કહેશે કે મેં ઈસુએ તેઓને મોકલ્યા છે. તેઓ કહેશે, 'હું મસીહ છું!' તેઓ ઘણા લોકોને ભરમાવશે.
\s5
\v 7 જ્યારે તમે સૈનિકો યુદ્ધમાં લડતા હોય તેવો અવાજ સાંભળો, અથવા જ્યારે તમે યુધ્ધો થવાનાં છે તેવા સમાચાર સાંભળો, ત્યારે તમે મૂંઝાશો નહીં. આ બાબતો ખરેખર બનશે. પણ જ્યારે તેઓ બને ત્યારે, એવું વિચારશો નહીં કે ઈશ્વરે જે બધું યોજ્યું છે તે તેઓ તે સમયે પૂરું કરશે!
\v 8 જે જૂથો વિવિધ દેશોમાં રહે છે તેઓ એકબીજા સાથે યુદ્ધ કરશે અને અલગ અલગ રાજાઓ અને આગેવાનો એકબીજા સાથે યુદ્ધ કરશે. કેટલીક જગ્યાઓએ ભૂકંપ પણ થશે અને દુકાળ પડશે. છતાં, જ્યારે આ બાબતો બનશે ત્યારે, તે લોકોની મુશ્કેલીઓની શરૂઆત જ હશે. આ પ્રથમ બાબતો જે તેઓ સહન કરશે તે કોઈ સ્ત્રીને બાળક જણવાને સમયે થતા શરુઆતના દુઃખ જેવી હશે. તે પછી તેઓને આનાથી પણ વધારે સહન કરવું પડશે.
\p
\s5
\v 9 તે સમયે લોકો તમને શું કરશે તે સંબંધી તૈયાર રહો. તેઓ તમારી ધરપકડ કરશે અને આગેવાનોના જૂથોની આગળ તપાસ માટે ઊભા કરશે. વિવિધ સભાસ્થાનોમાં લોકો તમને મારશે. તેઓ ઉચ્ચ સરકારી અધિકારીઓની હાજરીમાં તમારી તપાસ કરશે. તેના પરિણામે, તમે તેઓને મારા સંબંધી કહી શકશો.
\v 10 ઈશ્વરે જે યોજના કરી છે તે બધું તેઓ પૂરું કરે તે પહેલાં મારા અનુયાયીઓએ બધા દેશોના લોકોને શુભ સમાચાર પ્રગટ કરવા જોઈએ.
\s5
\v 11 જ્યારે લોકો તમારી ધરપકડ કરે ત્યારે, તમે શું કહી શકશો તે વિષે ચિંતા ન કરશો. તેને બદલે, તે સમયે ઈશ્વર તમારા મનમાં જે મૂકે તે કહેજો. પછી જે બોલનાર હશે તે માત્ર તમે જ નહિ હો. પવિત્ર આત્મા તમારા દ્વારા બોલી રહ્યા હશે.
\v 12 કેટલાક ભાઈઓ અને બહેનો બીજા ભાઈઓ અને બહેનો સાથે વિશ્વાસઘાત કરશે. કેટલાક પિતાઓ તેમનાં બાળકો સાથે વિશ્વાસઘાત કરશે. કેટલાંક બાળકો તેમના માતાપિતા સાથે વિશ્વાસઘાત કરશે જેથી સરકારી અધિકારીઓ તેઓના માતાપિતાને મારી નાખશે.
\v 13 તમે મારા પર વિશ્વાસ કર્યો છે તેના કારણે ઘણા બધા લોકો તમારો ધિક્કાર કરશે. પણ તમે બધા જેઓ મરણ પામતાં સુધી મારા પરના વિશ્વાસમાં લાગુ રહેશો તેઓ બચી જશો.
\p
\s5
\v 14 તે સમય દરમ્યાન તમે ધિક્કારપાત્ર બાબતને ભક્તિસ્થાનમાં પ્રવેશતી જોશો. તે ભક્તિસ્થાનને ભ્રષ્ટ કરશે અને લોકોને ભક્તિસ્થાન ત્યાગવા દોરશે. જ્યારે તમે તેને ત્યાં જુઓ કે જ્યાં તે ન હોવી જોઈએ ત્યારે, તમારે ઝડપથી ભાગી જવું જોઈએ! (જેઓ બધા આ ચેતવણી વાંચી રહ્યા છે તેઓએ નિશ્ચે તેના તરફ ધ્યાન આપવું જોઈએ!) તે સમયે જે લોકો યહૂદિયા જીલ્લામાં હોય તેઓએ ઊંચી ટેકરીઓ પર નાસી જવું જોઈએ.
\v 15 જે લોકો તેમનાં ઘરોની બહાર હોય તેઓએ કંઈ પણ લેવા માટે તેમનાં ઘરોમાં જવું જોઈએ નહીં.
\v 16 જેઓ ખેતરમાં કામ કરી રહ્યા હોય તેઓએ વધારાના વસ્ત્રો લેવા તેમનાં ઘરોમાં પાછા જવું જોઈએ નહીં.
\s5
\v 17 તે દિવસોમાં જે સ્ત્રીઓ સગર્ભા હશે અને જેઓ પોતાના બાળકોને સ્તનપાન કરાવતી હશે તેઓના માટે હું ખૂબ દુઃખ અનુભવું છું, કારણ કે તેઓને માટે નાસી જવું તે ખૂબ મુશ્કેલીભર્યું હશે!
\v 18-19 તે દિવસોમાં લોકો ઘણું સહન કરશે. ઈશ્વરે દુનિયાને ઉત્પન્ન કરી ત્યારથી લઈને અત્યાર સુધી લોકોએ કદી આટલું સહન કર્યું નથી; અને લોકો ફરી કદી આ રીતે સહન કરશે નહીં. તેથી પ્રાર્થના કરો કે આ દુઃખથી ભરેલો સમય શિયાળામાં ન આવે, કેમ કે તે વખતે મુસાફરી કરવાનું મુશ્કેલ હશે.
\v 20 જો પ્રભુ ઈશ્વરે તે દિવસો કે જ્યારે લોકોને ખૂબ સહન કરવું પડશે તે ઓછા કરવાનું નક્કી કર્યું ન હોત તો, બધા જ મરણ પામત. પણ તેમણે તે સમયને ટૂંકો કરવાનું નક્કી કર્યું કારણ કે જે લોકોને તેમણે પસંદ કર્યા છે તેઓના વિષે ઈશ્વર કાળજી રાખે છે.
\s5
\v 21-22 તે સમયે લોકો જુઠ્ઠાણું ફેલાવશે કે તેઓ પોતે ખ્રિસ્ત છે. અને કેટલાક લોકો પોતે ઈશ્વર પાસેથી આવેલા પ્રબોધકો છે એવો પણ દાવો કરશે. પછી તેઓ ઘણા પ્રકારના ચમત્કારો કરશે. જેમને ઈશ્વરે પસંદ કર્યા છે તેમને પણ તેઓ ભરમાવવાનો પ્રયત્ન કરશે. તેથી તે સમયે જો કોઈ તમને કહે કે, 'જુઓ, ખ્રિસ્ત અહીં છે!' કે જો કોઈ કહે કે, 'જુઓ, ખ્રિસ્ત ત્યાં છે!' તો તે માનશો નહીં!
\v 23 સાવધ રહો! યાદ રાખો કે આ બાબતો બનશે તે વિષે મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે.
\p
\s5
\v 24 જ્યારે લોકો આવી રીતે સહન કરશે તે સમય પછી, સૂર્ય અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર પ્રકાશ નહીં આપે;
\v 25 તારાઓ આકાશમાંથી ખરી જશે, અને આકાશમાંની બધી પરાક્રમી બાબતોને તેમના સ્થાનેથી હલાવવામાં આવશે.
\v 26 પછી લોકો મને, માણસના દીકરાને, પરાક્રમ અને મહિમાસહિત વાદળોમાં આવતાં જોશે.
\v 27 પછી હું મારા દૂતોને મોકલીશ જેથી તેઓ તે બધા જ લોકોને એકઠા કરે જેઓને ઈશ્વરે પૃથ્વીના છેડા સુધીનાં બધાં સ્થળેથી પસંદ કર્યા છે.
\p
\s5
\v 28 હવે હું ઇચ્છું છું કે અંજીરીનાં વૃક્ષો કેવી રીતે વૃદ્ધિ પામે છે તે પરથી તમે કંઈક શીખો. જ્યારે તેની કુમળી ડાળીઓ વધે છે અને તેમને પાંદડાં ફૂટવા લાગે છે ત્યારે, તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે.
\v 29 તેવી જ રીતે, મેં તમને જે બધું બનવાનું છે તેનું વર્ણન કર્યું તે બધું થતાં જ્યારે તમે જુઓ ત્યારે તમે પોતે જાણશો કે મારા પાછા આવવાનો સમય ઘણો પાસે છે. તે એના જેવું હશે કે જાણે કે હું બારણા આગળ જ છું.
\s5
\v 30 આ બાબતનું ધ્યાન રાખો: આ બાબતો બનશે નહીં ત્યાં સુધી આ પેઢી મરશે નહીં.
\v 31 તમે એ ખાતરી રાખી શકશો કે આ બાબતો જેની મેં ભવિષ્યવાણી કરી છે તેઓ બનશે. પૃથ્વી અને આકાશમાં જે બધું છે તેઓ એક દિવસ નાશ પામશે, પણ આ બાબતો જે મેં તમને કહી છે તે ખચીત બનશે જ.
\v 32 પણ હું ક્યારે પાછો આવીશ તેનો ચોક્કસ સમય કોઈ જાણતું નથી. સ્વર્ગમાંના દૂતો પણ તે જાણતા નથી. હું, ઈશ્વરનો દીકરો પણ, તે જાણતો નથી. માત્ર મારા પિતા જાણે છે.
\s5
\v 33 તેથી તૈયાર રહો! નિત્ય સાવધ રહો, કારણ કે તમે જાણતા નથી કે ક્યારે તે સમય આવશે કે જ્યારે આ બધી ઘટનાઓ બનશે!
\v 34 જ્યારે કોઈ માણસ મુસાફરીને માટે તેનું ઘર છોડીને દૂર જવાનો હોય ત્યારે, તે તેના નોકરોને તેના ઘરનો કારભાર ચલાવવા જણાવે છે. દરેકે શું કરવું તે તેઓને જણાવે છે. પછી તે દરવાનને તેના પાછા ફરવા વિષે તૈયાર રહેવા જણાવે છે.
\s5
\v 35 તે માણસે હંમેશા તૈયાર રહેવું જોઈએ, કારણ કે તે જાણતો નથી કે તેનો માલિક સાંજે, મધ્યરાત્રિએ, મરઘો બોલતી વખતે કે સૂર્યોદય સમયે ક્યારે પાછો આવશે. તેવી જ રીતે, તમારે પણ તૈયાર રહેવું જોઈએ, કારણ કે હું ક્યારે પાછો આવીશ તે તમે જાણતા નથી.
\v 36 એવું ન થાય કે જ્યારે હું અચાનક આવું ત્યારે, હું તમને તૈયાર થએલા ન જોઉં!
\v 37 હું આ જે શબ્દો તમને શિષ્યોને કહું છું તે બધાને જણાવું છું: હંમેશાં તૈયાર રહો!"
\s5
\c 14
\p
\v 1 જેને તેઓ પાસ્ખાપર્વ કહેતા હતા તે એક અઠવાડિયાના તહેવારની ઉજવણી શરુ થવાને બે દિવસ બાકી હતા. તે દિવસો દરમ્યાન તેઓ ખમીર વગરની રોટલીનો તહેવાર પણ ઊજવતા હતા. મુખ્ય યાજકો અને જેઓ યહૂદી નિયમો શીખવતા હતા તે માણસો ઈસુને કેવી રીતે ગુપ્તપણે પકડી શકાય અને મારી નાંખી શકાય તે વિષે યોજના કરતા હતા.
\v 2 પણ તેઓ એકબીજાને કહેતા હતા કે, "આપણે પર્વના દિવસો દરમ્યાન તે કરીશું નહીં, કારણ કે જો આપણે તેમ કરીએ તો લોકો આપણા પ્રત્યે ખૂબ ગુસ્સે થશે અને હુલ્લડ થશે!"
\p
\s5
\v 3 ઈસુ બેથાનિયામાં સિમોન કે જે કૂષ્ઠ રોગી તરીકે ઓળખાતો હતો તેના ઘરમાં હતા. જ્યારે તેઓ જમતા હતા ત્યારે, એક સ્ત્રી તેમની પાસે આવી. તે જટામાંસીનું અતિ મૂલ્યવાન સુગંધીદાર અત્તર ભરેલી સંગેમરમરની શીશી લઈને આવી. તેણે તે શીશી ખોલી અને પછી તેમાંનું બધું અત્તર ઈસુના માથા પર રેડ્યું.
\v 4 ત્યાં હાજર રહેલા કેટલાક લોકો ગુસ્સે થયા અને મનમાં કહેવા લાગ્યા, "તેણે તે અત્તરનો બગાડ કર્યો તે બહુ ખરાબ કહેવાય!
\v 5 તે આશરે એક વર્ષના વેતન જેટલી કિંમતે વેચી શકાયું હોત, અને પછી તે નાણાંં ગરીબોને આપી શકાયાં હોત!" તેથી તેઓએ તેને ઠપકો આપ્યો.
\s5
\v 6 પણ ઈસુએ કહ્યું, "તેને ઠપકો આપવાનું બંધ કરો! તેણે મારા પ્રત્યે જે કર્યું છે તેને હું ખૂબ યોગ્ય ગણું છું. તેથી તમારે તેને સતાવવી ન જોઈએ!
\v 7 ગરીબ લોકો હંમેશા તમારી મધ્યે રહેશે. તેથી જ્યારે તમે ઇચ્છો ત્યારે તેઓની મદદ કરી શકશો. પણ હું અહીં તમારી સાથે વધારે સમય સુધી હોઈશ નહીં.
\v 8 તેનાથી જે થઇ શકે તે તેણે કર્યું તે યોગ્ય છે. તે જાણે કે જાણતી હતી કે હું જલદી મરણ પામવાનો છું, કારણ કે તેણે તે સમય અગાઉ મારા શરીરને દફનને સારુ તૈયાર કરવા અભિષિક્ત કર્યું છે.
\v 9 હું તમને કહું છું: જગતમાં જ્યાં કંઈ મારા અનુયાયીઓ શુભ સમાચાર પ્રગટ કરશે ત્યાં તે સ્ત્રીએ જે કર્યું છે તે પણ તેઓ જણાવશે, અને લોકો તે સ્ત્રીને યાદ કરશે."
\p
\s5
\v 10 પછી યહૂદા ઇશ્કરિયોત મુખ્ય યાજકોની પાસે ગયો કે જેથી તે ઈસુને પકડવા સંબંધી તેમની સાથે વાત કરે. તે બાર શિષ્યોમાંનો એક હોવા છતાં તેણે આવું કર્યું!
\v 11 તે તેઓને માટે જે કરવા તૈયાર હતો તે વિષે જ્યારે તેઓએ સાંભળ્યું, ત્યારે તેઓ ઘણા ખુશ થયા. તેઓએ તેને વચન આપ્યું કે તેના બદલામાં તેઓ તેને મોટા પ્રમાણમાં નાણાં આપશે. યહૂદા સંમત થયો અને ઈસુને તેઓને સ્વાધીન કરવાની તક શોધવા લાગ્યો.
\p
\s5
\v 12 ખમીર વગરની રોટલીના તહેવારના પ્રથમ દિવસે જ્યારે તેઓ પાસ્ખાનું હલવાન કાપે છે, ત્યારે ઈસુના શિષ્યોએ તેમને પૂછ્યું, "પાસ્ખાની ઉજવણી માટેનું ભોજન અમે ક્યાં તૈયાર કરીએ અને ખાઈએ, તે વિષે તમારી શી ઇચ્છા છે?"
\v 13 તેથી ઈસુએ તેમના શિષ્યોમાંના બેને બધી તૈયારી માટે પસંદ કર્યા. તેમણે તેઓને કહ્યું, "યરુશાલેમમાં જાઓ. પાણી ભરેલું માટલું લઈને જતો એક માણસ તમને મળશે. તેને અનુસરજો.
\v 14 જ્યારે તે ઘરમાં પ્રવેશે, ત્યારે તે ઘરના માલિકને કહેજો, 'અમારા ગુરુજીએ અમને પાસ્ખાની ઉજવણીનું ભોજન તૈયાર કરવાનું કહ્યું છે, કે જેથી તેઓ તેમના શિષ્યોની સાથે તે ખાઈ શકે. મહેરબાની કરીને અમને તે ઓરડો બતાવો.'
\s5
\v 15 તે તમને ઘરના ઉપલા માળે એક મોટો ઓરડો બતાવશે. તે એક સુસજ્જ અને તૈયાર કરેલો હશે કે જ્યાં આપણે ભોજન ખાઈ શકીએ. પછી ત્યાં તમે ભોજન તૈયાર કરજો,"
\v 16 તેથી તે બે શિષ્યો ગયા. તેઓ શહેરમાં ગયા અને જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તેવું જ તેમને મળ્યું. ત્યાં તેઓએ પાસ્ખાની ઉજવણીનું ભોજન તૈયાર કર્યું.
\s5
\v 17 સાંજ પડી ત્યારે ઈસુ બારે શિષ્યો સાથે ત્યાં આવ્યા.
\p
\v 18 જ્યારે તેઓ સર્વ બેસીને જમતા હતા ત્યારે, ઈસુએ કહ્યું, "તમે ધ્યાનપૂર્વક આ સાંભળો: તમારામાંનો એક મારા શત્રુઓને માટે મારી ધરપકડ કરવાનું શક્ય બનાવશે. તમારામાંનો એક જે હાલ મારી સાથે ભોજન કરે છે તે જ!
\v 19 શિષ્યો ઘણા દુઃખી થયા અને એક પછી એક કહેવા લાગ્યા કે "જરૂર હું તો તે નહીં જ હોઉં!"
\s5
\v 20 પછી તેમણે તેઓને કહ્યું, "તે તમારામાંનો એક છે, જે મારી સાથે થાળીમાં રોટલીનો કોળિયો બોળે છે.
\v 21 હું માણસનો દીકરો મરણ પામીશ તે નક્કી છે, કારણ કે મારા સંબંધી એ પ્રમાણે જ લખેલું છે. પણ જે માણસ મને પરસ્વાધીન કરાવે છે તેની શિક્ષા ઘણી ભારે હશે! ખરેખર તો તે માણસ જન્મ્યો જ ન હોત તો સારું થાત!"
\p
\s5
\v 22 જ્યારે તેઓ જમતા હતા ત્યારે, તેમણે રોટલી લીધી અને તેના માટે ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે તેના ટુકડા કર્યા અને તેઓને આપી અને તેમને કહ્યું, "આ રોટલી એ મારું શરીર છે. તેને લો અને ખાઓ."
\v 23 તે પછી, તેમણે દ્રાક્ષારસ ભરેલો પ્યાલો લીધો અને તેને માટે ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે તે તેઓને આપ્યો અને તેઓ બધાએ તે પીધો.
\v 24 તેમણે તેઓને કહ્યું, "આ દ્રાક્ષારસ એ મારું લોહી છે, કે જે જ્યારે મને મારી નાખવામાં આવશે ત્યારે તમારા માટે વહેવડાવવામાં આવશે. ઈશ્વરે ઘણા લોકોનાં પાપ માફ કરવા માટે જે કરાર કર્યો છે તેને આ લોહીથી હું પૂરો કરીશ.
\v 25 હું ઇચ્છું છું કે તમે આ જાણો: ઈશ્વર તેમને પોતાને રાજા તરીકે પ્રગટ કરે ત્યારે જ હું દ્રાક્ષારસ પીશ. તે પહેલાં હું પીવાનો નથી."
\s5
\v 26 ગીત ગાયા પછી તેઓ જૈતૂન પહાડ પર ગયા.
\p
\v 27 જ્યારે તેઓ જતા હતા ત્યારે, ઈસુએ તેઓને કહ્યું, "ઈશ્વરે મારા સંબંધી જે કહ્યું હતું તે તેઓએ શાસ્ત્રમાં લખ્યું, 'હું ઘેટાંપાળકને મારી નાખીશ અને તેનાં ઘેટાને વિખેરી નાખીશ.' તે શબ્દો સાચા ઠરશે. તમે મને તજી દેશો અને નાસી જશો.
\s5
\v 28 પણ ઈશ્વર મને ફરીથી સજીવન કરશે તે પછી, હું તમારી અગાઉ ગાલીલ જીલ્લામાં જઈશ અને તમને ત્યાં મળીશ."
\v 29 પછી પિતરે તેમને કહ્યું, "કદાચ બીજા બધા શિષ્યો તમને તજી દેશે, પણ હું નહીં! હું તમને તજી દઈશ નહીં!"
\s5
\v 30 ત્યારે ઈસુએ તેને કહ્યું, "સત્ય એ છે કે આજે રાત્રે જ, મરઘો બે વાર બોલ્યા અગાઉ તું પોતે જ ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી."
\v 31 પણ પિતરે વધારે દ્રઢતાથી ઉત્તર આપ્યો કે, "તેઓ મને મારી નાખે તોપણ, હું તમને એવું નહિ કહું કે હું તમને ઓળખતો નથી." અને બીજા બધા શિષ્યોએ પણ તે જ પ્રમાણે કહ્યું.
\p
\s5
\v 32 માર્ગે જતાં, ઈસુ અને તેમના શિષ્યો એક જગ્યાએ આવ્યા જેને લોકો ગેથસેમાને કહે છે. પછી તેમણે તેમના કેટલાક શિષ્યોને કહ્યું, "હું પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં રહો!"
\v 33 પછી તેમણે પિતર, યાકૂબ અને યોહાનને પોતાની સાથે લીધા. તેઓ ખૂબ ઉદાસ થઈ ગયા હતા.
\v 34 તેમણે તેઓને કહ્યું, "હું ખૂબ દુઃખી છું. એવો કે જાણે હું હવે મરણ પામવાનો છું. તમે લોકો અહીં રહો અને જાગતા રહો!"
\s5
\v 35 તેઓ થોડે આગળ ગયા અને જમીન પર પડી ગયા. પછી તેમણે પ્રાર્થના કરી કે જો શક્ય હોય તો, તેઓએ સહન કરવું ન પડે.
\v 36 તેમણે કહ્યું, "ઓ મારા પિતા, તમે બધું જ કરવા શક્તિમાન છો માટે, મને છોડાવો કે જેથી હાલ મારે સહન કરવું ન પડે! પણ હું જે ઇચ્છું છું તે ન કરશો. તેના બદલે, તમે જે ઇચ્છો છો તે કરો!"
\s5
\v 37 પછી તેઓ પાછા આવ્યા અને શિષ્યોને ઊંઘતા જોયા. તેમણે તેઓને જગાડ્યા અને કહ્યું, "સિમોન! શું તું ઊંઘે છે? તું શું થોડા સમય માટે પણ જાગતો રહી શકતો નથી?"
\v 38 અને તેમણે તેઓને કહ્યું, "હું જે કહું છું તે તમે કરવા માગો છો, પણ તમે નબળા છો. તેથી જાગતા રહો અને પ્રાર્થના કરો કે જ્યારે તમે પરીક્ષણમાં પડો ત્યારે તેનો સામનો કરી શકો!"
\v 39 પછી તેઓ પાછા ગયા અને અગાઉ તેમણે જે પ્રાર્થના કરી હતી તે ફરીથી કરી.
\s5
\v 40 જ્યારે તેઓ પાછા આવ્યા, ત્યારે તેમણે તેઓને ફરીથી ઊંઘતા જોયા; તેઓ એવી ઊંઘમાં હતા કે તેઓ તેમની આંખો પણ ખુલ્લી રાખી શકતા ન હતા. તેમણે તેઓને ઉઠાડ્યા ત્યારે ઈસુને શું કહેવું તે તેઓ જાણતા ન હતા, કારણ કે તેઓ શરમાતા હતા.
\v 41 પછી તેઓ ગયા અને ફરીથી પ્રાર્થના કરી. તેઓ ત્રીજી વાર પાછા આવ્યા અને તેઓને ફરીથી ઊંઘતા દીઠા. તેમણે તેઓને કહ્યું, "તમે હજુ પણ ઊંઘો છો? બસ થયું! મારો સહન કરવાનો સમય શરુ થઈ રહ્યો છે. જુઓ! કોઈક મને, માણસના દીકરાને પકડવા માટે પાપી માણસોના હાથમાં સોંપી દેશે.
\v 42 તેથી ઊઠો! આપણે જઈએ! જુઓ! મને જે પકડાવનાર છે તે આવી પહોંચ્યો છે!"
\p
\s5
\v 43 જ્યારે તેઓ હજુ બોલતા હતા, ત્યારે યહૂદા આવ્યો. તે ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો તોપણ, ઈસુના દુશ્મનો તેમને પકડી શકે માટે તે તેઓને લઈ આવ્યો. તે ટોળું તેમની સાથે તરવારો અને લાકડીઓ લાવ્યું હતું. યહૂદી ન્યાયસભાના આગેવાનોએ આ ટોળાના લોકોને મોકલ્યા હતા.
\v 44 યહૂદા, જે ઈસુને પકડાવવાનો હતો તેણે, અગાઉથી ટોળાને કહ્યું હતું કે, "જે માણસને હું ચુંબન કરીશ તે જ તે વ્યક્તિ છે જે તમને જોઈએ છે. જ્યારે હું તેમને ચુંબન કરું, ત્યારે તેમને પકડજો અને લઈ જજો."
\v 45 તેથી, જ્યારે યહૂદા આવ્યો, ત્યારે તે તરત ઈસુની પાસે ગયો અને કહ્યું, "મારા ગુરુજી!" પછી તેણે ઈસુને ચુંબન કર્યું.
\v 46 પછી તે ટોળાએ ઈસુને પકડી લીધા.
\s5
\v 47 પણ શિષ્યોમાંનો એક જે પાસે ઊભો રહ્યો હતો તેણે તેની તરવાર ઉગામી. પ્રમુખ યાજકના નોકરને તેના વડે માર્યું, પરંતુ તેનાથી માત્ર તેનો કાન કાપી નંખાયો.
\v 48-49 ઈસુએ તેઓને કહ્યું, "જાણે હું લૂંટારો હોઉં તેમ, તમે તરવારો અને લાકડીઓ લઈને મને પકડવા આવો તે વિચિત્ર છે! હું દરરોજ ભક્તિસ્થાનના આંગણામાં લોકોને શીખવતો હતો ત્યારે તમારી સાથે હતો! ત્યારે તમે મને શા માટે પકડ્યો નહીં? પણ પ્રબોધકોએ મારા વિષે શાસ્ત્રમાં જે લખ્યું છે તે સાચું ઠરે માટે આમ થાય છે."
\p
\v 50 બધા શિષ્યો તરત જ તેમને મૂકીને નાસી ગયા.
\s5
\v 51 તે સમયે, એક જુવાન માણસ ઈસુની પાછળ આવી રહ્યો હતો. તેણે માત્ર શણનું વસ્ત્ર તેના શરીર પર ઓઢેલું હતું. ટોળાએ તેને પકડ્યો,
\v 52 પરંતુ, જ્યારે તે ભાગવા ગયો, ત્યારે તેણે તેનું વસ્ત્ર તેઓના હાથમાં છોડી દીધું, અને પછી તે ઉઘાડા શરીરે જ નાસી ગયો.
\p
\s5
\v 53 જે માણસોએ ઈસુને પકડ્યા હતા તેઓ તેમને પ્રમુખ યાજકના ઘરે લઈ ગયા. આખી યહૂદી ન્યાયસભા ત્યાં એકઠી થઈ રહી હતી.
\v 54 પિતર અંતર રાખીને ઈસુની પાછળ ગયો. પ્રમુખ યાજક જ્યાં રહેતો હતો તે ઘરના આંગણામાં તે ગયો, અને પ્રમુખ યાજકના ઘરની ચોકી કરનારા લોકોની સાથે બેઠો. તે તાપણા પાસે બેસીને તાપતો હતો.
\s5
\v 55 પ્રમુખ યાજક અને યહૂદી ન્યાયસભા ઈસુના વિષે ખોટું બોલે તેવા લોકોની શોધમાં જ હતા જેથી તેઓ તેમને મારી નાખી શકે. પણ તેઓ સફળ થયા ન હતા,
\v 56 કારણ કે, બીજા ઘણા લોકો ઈસુના વિષે ખોટું બોલ્યા પણ તેઓના વિધાનો એકબીજાથી વિરોધાભાસી હતા.
\s5
\v 57 છેવટે, કેટલાક ઊઠ્યા અને ખોટું કહીને તેમને દોષિત ઠરાવ્યા કે
\v 58 "જ્યારે તેમણે કહ્યું કે, 'હું આ ભક્તિસ્થાન કે જે માણસો દ્વારા બનાવવામાં આવ્યું છે તેનો નાશ કરીશ અને ત્રણ દિવસમાં કોઈની પણ મદદ વગર બીજું ભક્તિસ્થાન બનાવીશ' ત્યારે અમે તે સાંભળ્યું હતું.'"
\v 59 પરંતુ આ કેટલાક માણસોએ જે કહ્યું તેની સાથે બીજા કેટલાક લોકો સંમત થયા નહી.
\p
\s5
\v 60 પછી પ્રમુખ યાજક જાતે તેઓની સામે ઊભો થયો અને ઈસુને કહ્યું, "શું તું કંઈ જવાબ નહિ આપે? તેઓ તને દોષિત ઠરાવવા માટે આ જે બાબતો કહે છે તેના વિષે તારું શું કહેવું છે?"
\v 61 પણ ઈસુ શાંત રહ્યા અને ઉત્તર આપ્યો નહીં. પછી પ્રમુખ યાજકે ફરીથી પ્રયત્ન કર્યો. તેણે તેમને પૂછ્યું, "શું તું ખ્રિસ્ત છે? શું તુ એવું કહે છે કે તું ઈશ્વરનો દીકરો છે?"
\v 62 ઈસુએ કહ્યું, "હું છું. તે ઉપરાંત તમે મને, માણસના દીકરાને, ઈશ્વર કે જે સર્વશક્તિમાન છે તેમની બાજુમાં બેસીને રાજ કરતા જોશો. તમે મને આકાશમાંથી વાદળોમાં નીચે આવતાં પણ જોશો!"
\s5
\v 63 ઈસુના શબ્દોના પ્રત્યુત્તરમાં, પ્રમુખ યાજક એટલો આશ્ચર્યચકિત થઈ ગયો કે તેણે પોતાના બાહ્ય વસ્ત્રો ફાડ્યાં. પછી તેણે કહ્યું, "હવે આપણને વધારે લોકોની ખરેખર જરૂર નથી કે જેઓ આ માણસની વિરુદ્ધ સાક્ષી આપે,
\v 64 કારણ કે તેણે ઈશ્વરની વિરુદ્ધ જે કહ્યું છે તે તમે સાંભળ્યું છે! તેણે ઈશ્વરની વિરુદ્ધ દુષ્ટ બાબતો કહી છે! તેથી, તમે શું નક્કી કરો છો?" તેઓએ બધાએ કહ્યું કે ઈસુ દોષિત છે અને મરણને યોગ્ય છે.
\v 65 પછી કેટલાક ઈસુ પર થૂંકવા લાગ્યા. તેઓએ તેમની આંખે પાટો બાંધ્યો, અને પછી તેઓ તેમને મારવા લાગ્યા અને તેમને કહ્યું, "જો તું પ્રબોધક છે તો, અમને કહે કે કોણે તને માર્યું!" અને જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓએ તેમને તેમના હાથો વડે તમાચા માર્યા.
\p
\s5
\v 66 જ્યારે પિતર પ્રમુખ યાજકના ઘરની બહારના આંગણામાં હતો, ત્યારે પ્રમુખ યાજકના ઘરમાં કામ કરતી છોકરીઓમાંની એક તેની પાસે આવી.
\v 67 જ્યારે તેણે પિતરને તાપણા પાસે તાપતો જોયો, ત્યારે તેણે તેની તરફ ધ્યાનથી જોયું. પછી તેણે કહ્યું, "તું પણ તે નાસરેથના માણસ ઈસુની સાથે હતો!"
\v 68 પણ તેણે એવું કહીને તે નકાર્યું કે, "તું શેના વિષે વાત કરે છે તે હું જાણતો નથી! હું તેમાનું કંઈ પણ સમજતો નથી!" પછી તે ત્યાંથી દૂર આંગણાના દરવાજે જતો રહ્યો.
\s5
\v 69 તે દાસીએ તેને ત્યાં જોયો અને જે લોકો ત્યાં પાસે ઊભા હતા તેઓને કહ્યું, "આ માણસ પણ જેને તેઓએ પકડ્યો છે તેની સાથે જેઓ હતા તેઓમાંનો એક છે."
\v 70 પણ તેણે ફરીથી નકાર કર્યો. થોડીવાર પછી, જેઓ ત્યાં ઊભા હતા તેઓએ પિતરને ફરીથી કહ્યું, "તું પણ ગાલીલનો છે. તેથી એ વાત ચોક્કસ છે કે જેઓ ઈસુની સાથે હતા તેઓમાનો એક તું પણ છે!"
\s5
\v 71 પણ તે ઈશ્વરના સમ ખાવા લાગ્યો; તેણે કહ્યું, "તમે જે માણસના વિષે વાત કરી રહ્યા છો તેને હું ઓળખતો નથી!"
\v 72 તરત જ મરઘો બીજીવાર બોલ્યો. પછી ઈસુએ તેને અગાઉ જે કહ્યું હતું તે પિતરને યાદ આવ્યું: "મરઘો બે વાર બોલ્યા અગાઉ, તું મને ઓળખે છે તેનો નકાર તું ત્રણ વાર કરીશ." જ્યારે તેને તે યાદ આવ્યું કે તેણે તેમનો ત્રણવાર નકાર કર્યો છે, ત્યારે તે રડી પડ્યો.
\s5
\c 15
\p
\v 1 વહેલી સવારે પ્રમુખ યાજક યહૂદી ન્યાયસભાના બાકીના સભ્યોને મળ્યો કે જેથી રોમન રાજ્યપાલ સામે ઈસુને કેવી રીતે દોષિત ઠરાવવા તે નક્કી કરી શકાય. તેઓના ચોકીદારોએ ઈસુના હાથ ફરીથી બાંધી દીધા. તેઓ તેમને પિલાત કે, જે રાજ્યપાલ હતો તેના રહેઠાણે લઈ ગયા.
\v 2 પિલાતે ઈસુને પૂછ્યું, "શું તું એવું કહે છે કે તું યહૂદીઓનો રાજા છે?" ઈસુએ તેને ઉત્તર આપ્યો, "તું જ કહે છે કે હું તે છું."
\v 3 પછી પ્રમુખ યાજકે ઈસુ પર આક્ષેપ મૂક્યો કે તેમણે ઘણાં ખોટાં કામ કર્યાં છે.
\s5
\v 4 તેથી પિલાતે તેમને ફરીથી પૂછ્યું, "શું તારી પાસે કોઈ જવાબ નથી? તેઓના કહેવા પ્રમાણે કેટલાં બધાં ખોટાં કામ કર્યાં છે તે સાંભળ!"
\v 5 પણ ઈસુએ વિશેષ ઉત્તર આપ્યો નહીં. તેનું પરિણામ એ આવ્યું કે પિલાતને ખૂબ આશ્ચર્ય થયું.
\p
\s5
\v 6 હવે તે રાજ્યપાલની પ્રથા હતી કે પાસ્ખાપર્વની ઉજવણી દરમ્યાન જેલમાં હોય એવા એક માણસને તેણે મુક્ત કરવાનો હતો. સામાન્ય રીતે તે લોકોની વિનંતી પ્રમાણે કોઈક કેદીને મુક્ત કરતો હતો.
\v 7 તે સમયે બારાબાસ કહેવાતો એક માણસ હતો જે બીજા કેટલાક માણસો સાથે જેલમાં હતો. જ્યારે રોમન સરકાર સામે તેઓએ બળવો કર્યો હતો ત્યારે તેઓએ ખૂન કર્યું હતું.
\v 8 ટોળું પિલાત પાસે ગયું અને ભૂતકાળની પ્રથા પ્રમાણે કોઈ એકને છોડી મૂકવા માટે તેને કહેવા લાગ્યું.
\s5
\v 9 પિલાતે તેઓને જવાબ આપ્યો, "શું તમે એવું ઇચ્છો છો કે તમે લોકો જેને યહૂદીઓનો રાજા કહો છો તેને હું તમારે માટે મુક્ત કરું?"
\v 10 તેણે આ પૂછ્યું કારણ કે તેને ખબર હતી કે મુખ્ય યાજકો શું કરવા માગતા હતા. તેઓ ઈસુ પર દોષ મૂકી રહ્યા હતા, તેઓ તેમની અદેખાઈ કરતા હતા કેમ કે ઘણા લોકો તેમના શિષ્યો બની રહ્યા હતા.
\v 11 પણ મુખ્ય યાજકોએ ટોળાને ઉશ્કેર્યું કે તેઓ પિલાતને તેઓના માટે ઈસુની જગ્યાએ બારાબાસને છોડી મૂકવાની વિનંતી કરે.
\s5
\v 12 પિલાતે તેઓને ફરીથી કહ્યું, "જો હું બારાબાસને મુક્ત કરું, તો તમારા રાજાનું હું શું કરું? તમે શું ઇચ્છો છો?"
\v 13 પછી તેઓએ ફરી બૂમ પાડી, "તેને વધસ્તંભે જડાવો!"
\s5
\v 14 પછી પિલાતે તેઓને કહ્યું, "શા માટે? તેણે શું ખોટું કર્યું છે?" પણ તેઓએ વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું, "તેને વધસ્તંભે જડાવો!"
\v 15 પિલાત ટોળાને ખુશ કરવા માગતો હતો તેથી, તેણે બારાબાસને તેઓના માટે મુક્ત કર્યો. પછી તેના સૈનિકોએ ઈસુને કોરડા માર્યા; તે પછી, પિલાતે તેઓને ઈસુને ત્યાંથી લઈ જવા અને વધસ્તંભે જડવા કહ્યું.
\p
\s5
\v 16 સૈનિકો ઈસુને તેમની કચેરીના આંગણામાં લઇ ગયા. પછી જેઓ ત્યાં ફરજ પર હતા તે બધાની આખી ટુકડીને તેઓએ એકઠી કરી.
\v 17 બધા સૈનિકો ત્યાં એકઠા થયા તે પછી, તેઓએ ઈસુને જાંબુડીયો ઝભ્ભો પહેરાવ્યો. પછી તેઓએ તેમના માથા પર મુગટ મૂક્યો જે કાંટાળી ડાળીઓ વડે બનાવેલો હતો.
\v 18 પછી તેમની મશ્કરી કરવા માટે, જેમ કોઈ રાજાને વંદન કરે તેમ તેઓએ તેમને વંદન કર્યું; તેઓએ કહ્યું, "યહૂદીઓના રાજા, સલામ!"
\s5
\v 19 તેઓએ તેમના માથા પર વારંવાર સોટીઓ મારી અને તેમના પર થૂંક્યા. તેઓ તેમને માન આપી રહ્યા છે એવું દર્શાવતા તેઓ તેમની આગળ નમ્યા.
\v 20 તેઓ તેમની મશ્કરી કરી રહ્યા તે પછી, તેઓએ તેમનો જાંબુડીયો ઝભ્ભો ખેંચી કાઢ્યો. તેઓએ તેમનાં પોતાનાં વસ્ત્રો તેમને પહેરાવ્યાં, અને પછી શહેરની બહાર તેમને વધસ્થંભે જડવાને માટે લઈ ગયા. -
\p
\v 21 હવે સિમોન નામનો એક માણસ જે કુરેનીનો હતો તે આવ્યો. તે આલેકસાંદર તથા રૂફસનો પિતા હતો. તે શહેરની બહારથી આવી રહ્યો હતો ત્યારે તે ત્યાંથી પસાર થયો. સૈનિકોએ સિમોનને ઈસુના માટે વધસ્તંભ ઊંચકવાની ફરજ પાડી.
\s5
\v 22 સૈનિકો તેઓ બંનેને ગલગથા કહેવાતી જગ્યાએ લઈ આવ્યા. તે નામનો અર્થ "ખોપરી આકારની જગ્યા" થાય છે.
\v 23 પછી તેઓએ ઈસુને બોળ મિશ્રિત દ્રાક્ષારસ પીવા માટે આપવાનો પ્રયત્ન કર્યો. પણ તેમણે તે પીવાની ના પાડી.
\v 24 કેટલાક સૈનિકોએ તેમનાં કપડાં ઉતારી લીધાં. પછી તેઓએ તેમને વધસ્તંભે જડ્યા. તે પછી, તેઓએ તેમનાં કપડાંને ચિઠ્ઠી નાંખીને અંદરોઅંદર વહેંચી લીધા.
\p
\s5
\v 25 જ્યારે તેઓએ તેમને વધસ્તંભે જડ્યા ત્યારે સવારના નવ વાગ્યા હતા.
\v 26 તેઓએ વધસ્તંભે ઈસુના માથા તરફ એક નિશાની મૂકી જેના પર એ કારણ લખેલું હતું કે શા માટે તેઓએ તેમને વધસ્તંભે જડ્યા. તે જણાવતું હતું કે, "યહૂદીઓનો રાજા."
\v 27 તેઓએ બીજા બે માણસો જેઓ લૂંટારા હતા તેઓને પણ વધસ્તંભે જડ્યા. તેઓએ એકને ઈસુની જમણી બાજુએ અને બીજાને ડાબી બાજુએ વધસ્તંભે જડ્યા.
\v 28 આમ "તેઓ બંડખોરોની સાથે ગણાયા" એ શાસ્ત્રવચન પૂર્ણ કરાયું.
\s5
\v 29 જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેઓએ તેમનાં માથાં હલાવતાં તેમનું અપમાન કર્યું. તેઓએ કહ્યું, "વાહ! તેં કહ્યું હતું કે તું ભક્તિસ્થાનને પાડી નાખીને પછી તેને ત્રણ દિવસમાં ફરીથી બાંધીશ.
\v 30 જો તું તે કરી શકે છે તો પછી, વધસ્તંભ પરથી નીચે ઊતરી આવીને પોતાને બચાવ!"
\s5
\v 31 મુખ્ય યાજકોએ, યહૂદી નિયમો શીખવનારા લોકોની સાથે મળીને, ઈસુની મશ્કરી કરવા ચાહ્યું. તેથી તેઓએ એકબીજાને કહ્યું, "તેણે બીજાઓને મુશ્કેલીમાંથી બચાવ્યા, પણ તે પોતાને બચાવી શકતો નથી!
\v 32 તેણે કહ્યું, 'હું ખ્રિસ્ત છું; ઇઝરાયલના લોકો પર જે રાજ કરે છે તે રાજા હું છું.' જો તેના શબ્દો સાચા હોય, તો તેણે અત્યારે વધસ્તંભ પરથી ઊતરી આવવું જોઈએ! તો પછી આપણે તેના પર વિશ્વાસ કરીશું!" બે માણસો જેઓને તેમની બાજુમાં વધસ્તંભે જડ્યા હતા તેઓએ પણ તેમની મશ્કરી કરી.
\p
\s5
\v 33 બપોરે આખી ભૂમિ પર અંધારું છવાઈ ગયું અને બપોરના ત્રણ વાગ્યા સુધી અંધકાર રહ્યો.
\v 34 ત્રણ વાગ્યે ઈસુએ મોટેથી બૂમ પાડી, "એલોઈ, એલોઈ, લમા શબકથની?" તેનો અર્થ એ કે, "મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ ત્યાગી દીધો છે?"
\v 35 જ્યારે કેટલાક લોકો જેઓ ત્યાં ઊભા હતા તેઓએ તે 'એલોઈ' શબ્દ સાંભળ્યો, ત્યારે તેઓએ તેની ગેરસમજ કરી અને કહ્યું, "સાંભળો! તે એલિયા પ્રબોધકને બોલાવે છે!"
\s5
\v 36 તેઓમાંનો એક દોડ્યો અને સરકામાં વાદળીને પલાળી. તેણે તેને લાકડીની ટોચ પર મૂકી, અને તેને પકડીને ઈસુને ચૂસવા માટે આપી. તેણે કહ્યું, "ઊભા રહો! ચાલો આપણે જોઈએ કે એલિયા તેને વધસ્તંભ પરથી ઉતારવા માટે આવે છે કે નહીં!"
\v 37 અને પછી ઈસુએ મોટેથી બૂમ પાડી, શ્વાસ લેવાનું બંધ કર્યું, અને મરણ પામ્યા.
\v 38 તે સમયે ભક્તિસ્થાનના પવિત્રસ્થાનનો પડદો ઉપરથી નીચે સુધી ચિરાઈને તેના બે ભાગ થઈ ગયા.
\s5
\v 39 જે અધિકારી ઈસુને વધસ્તંભે જડનાર સૈનિકોનો ઉપરી હતો તે ઈસુની સામે ઊભો હતો. ઈસુ કેવી રીતે મરણ પામ્યા તે જ્યારે તેણે જોયું, ત્યારે તેણે નિસાસો નાખ્યો, "ખરેખર, આ માણસ ઈશ્વરપુત્ર હતા!"
\v 40-41 ત્યાં કેટલીક સ્ત્રીઓ પણ હતી; તેઓ દૂરથી આ ઘટનાઓ જોઈ રહી હતી. ઈસુ જ્યારે ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની સાથે હતી, અને ઈસુને જે જરૂર હતી તે તેઓએ પૂરી પાડી હતી. તેઓ તેમની સાથે યરુશાલેમ આવી હતી. આ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ હતી. ત્યાં બીજી મરિયમ હતી, જે નાના યાકૂબ તથા યોસેની માતા હતી. ત્યાં શાલોમી પણ હતી.
\p
\s5
\v 42-43 જ્યારે સાંજ પડવા આવી ત્યારે, અરિમથાઈથી યૂસફ નામનો માણસ ત્યાં આવ્યો. તે યહૂદી ન્યાયસભાનો એક માનવંત સભ્ય હતો. ઈશ્વર જ્યારે પોતાને રાજા તરીકે પ્રગટ કરશે તેની રાહ જોનારાઓમાંનો તે પણ એક હતો. સાંજ પડવા આવી હતી. તે વિશ્રામવારની અગાઉનો દિવસ હતો, એ દિવસને યહૂદીઓ તૈયારીનો દિવસ કહેતા હતા. તેથી તે હિંમતથી પિલાતની પાસે ગયો અને ઈસુના શબને વધસ્તંભ પરથી ઉતારી લઈને તેને તરત દફનાવવાની પરવાનગી માગી.
\v 44 પિલાતે જ્યારે સાંભળ્યું કે ઈસુ મરણ પામ્યા છે ત્યારે તેને આશ્ચર્ય થયું. તેથી તેણે ઈસુને વધસ્તંભે જડ્યા ત્યારે જે અધિકારી સૈનિકોનું સંચાલન કરતો હતો તેને બોલાવ્યો, અને તેને પૂછ્યું કે ઈસુ ખરેખર મરણ પામ્યા છે.
\s5
\v 45 જ્યારે અધિકારીએ પિલાતને કહ્યું કે ઈસુ મરણ પામ્યા છે, ત્યારે પિલાતે યૂસફને તેમનું શબ લઈ જવાની પરવાનગી આપી.
\v 46 યૂસફ શણનું વસ્ત્ર લાવ્યો તે પછી, તે અને બીજાઓએ ઈસુના શબને વધસ્તંભ પરથી ઉતાર્યું. તેઓએ તેને શણના વસ્ત્રમાં લપેટ્યું અને ખડકમાં અગાઉથી ખોદેલી કબરમાં તેને મૂક્યું. પછી તેઓએ એક મોટો પત્થર કબરના મુખ પર ગબડાવ્યો.
\v 47 ઈસુના શબને ક્યાં મૂકવામાં આવ્યું તે મગ્દલાની મરિયમ અને યોસેની માતા મરિયમે જોયું.
\s5
\c 16
\p
\v 1 જ્યારે સાબ્બાથનો દિવસ પૂરો થયો ત્યારે, મગ્દલાની મરિયમ, નાના યાકૂબની માતા મરિયમ, અને શલોમીએ ઈસુના શરીરને દફન માટે અભિષિક્ત કરવા સુગંધી લેપ ખરીધ્યા.
\v 2 અઠવાડિયાને પહેલે દિવસે ખૂબ વહેલા, સૂર્ય ઊગ્યા પછી તરત જ, તેઓએ સુગંધી લેપ લીધા અને કબર તરફ જવા લાગ્યા.
\s5
\v 3 જ્યારે તેઓ ત્યાં જઈ રહ્યા હતા, ત્યારે તેઓએ એકબીજાને પૂછ્યું, "કબરના પ્રવેશદ્વારને બંધ કરતો પથ્થર આપણે સારુ કોણ ગબડાવશે?"
\v 4 તેઓ આવી પહોંચ્યા તે પછી, તેઓએ જોયું કે કોઈકે તે ખૂબ મોટો પથ્થર, ગબડાવીને દૂર કરેલો હતો.
\s5
\v 5 તેઓ કબરમાં પ્રવેશ્યા અને એક દૂત કે જે જુવાન માણસ જેવો દેખાતો હતો તેને જોયો. તે કબરની જમણી તરફ બેઠેલો હતો. તેણે સફેદ ઝભ્ભો પહેરેલો હતો. તેના લીધે, તેઓ ચોંકી ગયા.
\v 6 જુવાન માણસે તેઓને કહ્યું, "આશ્ચર્ય પામશો નહીં! હું જાણું છું કે તમે નાસરેથના માણસ ઈસુને, જેમને ખીલા ઠોકીને વધસ્તંભે જડી દીધા હતા, તેમને શોધો છો. પણ તેઓ સજીવન થયા છે! તેઓ અહીં નથી! જુઓ! આ તે જગ્યા છે જ્યાં તેઓએ તેમના શરીરને મૂક્યું હતું.
\v 7 જાઓ અને તેમના શિષ્યોને જણાવો. ખાસ તમે ધ્યાન રાખીને પિતરને કહેજો. તેમને કહો, 'ઈસુ તમારી અગાઉ ગાલીલ જઈ રહ્યા છે, અને જે પ્રમાણે તેમણે તમને અગાઉ કહ્યું હતું તેમ, તમે તેમને ત્યાં જોશો!"
\s5
\v 8 સ્ત્રીઓ બહાર ગઈ અને કબર પાસેથી દોડી ગઈ. તેઓ ધ્રૂજતી હતી કારણ કે તેઓ ભયભીત હતી, અને ડરી ગઈ હતી. તેઓ ભયભીત હતી તેના લીધે તેમણે કોઈને પણ આના વિષે કશું જ કહ્યું નહી.
\p
\s5
\v 9 અઠવાડિયાને પહેલે દિવસે જ્યારે ઈસુ ફરીથી સજીવન થયા, ત્યારે તેઓ સૌ પ્રથમ મગ્દલાની મરિયમને દેખાયા. તે એ સ્ત્રી હતી કે જેનામાંથી તેમણે સાત દુષ્ટાત્માઓ દૂર કર્યા હતા.
\v 10 જેઓ ઈસુની સાથે હતા તેઓ જ્યારે શોક અને રુદન કરતા હતા ત્યારે, તે તેઓની પાસે ગઈ. તેણે જે જોયું તેના વિષે તેણે તેઓને કહ્યું.
\v 11 પણ જ્યારે તેણે તેઓને કહ્યું કે ઈસુ સજીવન થયા છે અને તેણે તેમને જોયા છે ત્યારે, તેઓએ તેના પર વિશ્વાસ કર્યો નહી.
\s5
\v 12 ત્યારપછી તે દિવસે, ઈસુ તેમના બે શિષ્યો કે જેઓ યરુશાલેમથી પાસેના પ્રદેશમાં જઈ રહ્યા હતા તેઓની સામે અલગ સ્વરૂપમાં પ્રગટ થયા.
\v 13 તેઓએ તેમને ઓળખ્યા તે પછી, તેઓ બંને યરુશાલેમ પાછા આવ્યા. જે બન્યું તેના વિષે તેઓએ તેમના બીજા અનુયાયીઓને કહ્યું, પણ તેઓએ વિશ્વાસ કર્યો નહીં.
\s5
\v 14 પછી જ્યારે અગિયાર શિષ્યો જમી રહ્યા હતા ત્યારે ઈસુ તેમની સામે પ્રગટ થયા. તેમણે તેઓને ઠપકો આપ્યો કારણ કે તેમના સજીવન થયા પછી જેઓએ તેમને જોયા હતા તેઓએ જે અહેવાલ આપ્યો હતો તેને માનવાનો કઠોરતાથી નકાર કર્યો હતો.
\v 15 તેમણે તેઓને કહ્યું, "આખી દુનિયામાં જાઓ અને બધાને શુભ સમાચાર કહો!
\v 16 જેઓ તમારા સંદેશા પર વિશ્વાસ કરશે અને બાપ્તિસ્મા પામશે તેઓને ઈશ્વર બચાવશે. જેઓ વિશ્વાસ નહીં કરે તે બધાને તેઓ દોષિત ઠરાવશે.
\s5
\v 17 જેઓ શુભ સમાચાર પર વિશ્વાસ કરશે તેઓ હું તેમની સાથે છું એ દર્શાવવા માટે ચમત્કારો કરશે. મારા સામર્થ્ય વડે તેઓ આવા ચમત્કારો કરશે: તેઓ લોકોમાંથી દુષ્ટાત્માને નીકળી જવાની ફરજ પાડશે. જે ભાષાઓ તેઓ શીખ્યા નથી તે તેઓ બોલશે.
\v 18 જો તેઓ સાપને પકડશે કે તેઓ કોઈ ઝેરી પીણું પીશે, તો તેઓને કંઈ નુકસાન નહીં થાય. તેઓ જે બીમાર લોકો પર તેમના હાથો મૂકશે તેઓને ઈશ્વર સાજા કરશે."
\p
\s5
\v 19 પ્રભુ ઈસુએ તેમના શિષ્યોને આ કહ્યું તે પછી, ઈશ્વરે તેમને ઉપર સ્વર્ગમાં લઈ લીધા. તેઓ ઈશ્વરની સાથે રાજ કરવા માટે ઉચ્ચસ્થાનમાં તેમના જમણા હાથે રાજ્યાસન પર બેઠા.
\v 20 શિષ્યો યરુશાલેમથી બહાર ગયા, અને તેઓએ દરેક જગ્યાએ ઉપદેશ કર્યો. જ્યાં તેઓ ગયા ત્યાં, પ્રભુએ તેમને ચમત્કારો કરવા સક્ષમ કર્યા. તેમ કરીને, તેમણે લોકોને દર્શાવ્યું કે ઈશ્વરનો સંદેશો સાચો છે.

1721
43-LUK.usfm Normal file
View File

@ -0,0 +1,1721 @@
\id LUK LUK- UDB Guj
\ide UTF-8
\h લૂક
\toc1 લૂક
\toc2 લૂક
\toc3 luk
\mt1 લૂક
\s5
\c 1
\p
\v 1 પ્રિય થિયોફિલ, ઘણા લોકોએ આપણી મધ્યે થયેલા અદ્દભુત બનાવો વિષે અહેવાલો લખ્યા છે.
\p
\v 2 અમે આ બાબતો વિષે ઘણા લોકો પાસેથી સાંભળ્યું છે, કે જેમણે તે બનાવો બન્યા તે શરૂઆતથી જોયા હતા. આ લોકોએ બીજાઓને ઈશ્વરના સંદેશ વિષે શીખવ્યું.
\v 3 તેઓએ જે લખ્યું અને શિખવ્યું છે તે વિષે મેં મારી જાતે દરેક બાબતોનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે. તેથી મેં નક્કી કર્યું કે નેક નામદાર થિયોફિલ, હું આ બાબતોની સચોટ માહિતી વિષે તને લખું તો તે સારું ગણાશે.
\v 4 હું આ એટલા માટે કરી રહ્યો છું કે તમે જાણો કે આ બાબતો વિષે તમને જે શીખવવામાં આવ્યું છે તે સાચું છે.
\s5
\v 5 હેરોદ રાજા યહૂદિયા પ્રાંત પર શાસન કરતો હતો ત્યારે, ઝખાર્યા નામે એક યહૂદી યાજક હતો. તે અબિયાના કુળ સાથે સંકળાયેલ યાજક હતો. તે અને તેની પત્ની એલિસાબેત બંને હારુનના કુળના હતા.
\v 6 ઈશ્વર તેમને ન્યાયી ગણતા હતા, કારણ કે તેઓ ઈશ્વરે આપેલી દરેક આજ્ઞાઓ ચોકસાઈથી પાળતાં હતા.
\v 7 પણ તેઓને સંતાન ન હતા, કારણ કે એલિસાબેત બાળકોને જન્મ આપવા અસમર્થ હતી. વળી તે અને તેનો પતિ ખૂબ જ વૃદ્ધ હતા.
\s5
\v 8 એક દિવસ ઝખાર્યા તેના કુળના વારા પ્રમાણે યરુશાલેમના ભક્તિસ્થાનમાં યાજક તરીકે સેવા આપતો હતો.
\v 9 તેમના રિવાજ પ્રમાણે, ઈશ્વરના ભક્તિસ્થાનમાં જવા અને ધૂપ બાળવા યાજકોએ ચિઠ્ઠી નાખીને તેની પસંદગી કરી હતી.
\v 10 જ્યારે ધૂપ બાળવાનો તેનો સમય આવ્યો, ત્યારે ઘણા લોકો ભક્તિસ્થાનની બહાર આંગણામાં પ્રાર્થના કરતા હતા.
\s5
\v 11 પછી પ્રભુએ જે દૂતને મોકલ્યો હતો તે તેની સામે પ્રગટ થયો. ઈશ્વરનો દૂત ધૂપવેદીની જમણી બાજુએ ઊભો હતો.
\v 12 જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો, ત્યારે તે ચમકી ગયો અને બહુ ગભરાઈ ગયો.
\v 13 પણ દૂતે તેને કહ્યું, "ઝખાર્યા, ગભરાઇશ નહિ; જ્યારે તેં પ્રાર્થના કરી, ત્યારે પ્રભુએ તારી વિનંતી સાંભળી. તેથી તારી પત્ની એલિસાબેત તારા માટે દીકરાને જન્મ આપશે. તારે તેનું નામ યોહાન પાડવું.
\s5
\v 14 તુ ખૂબ ખુશ થશે અને તેના જન્મના લીધે ઘણા લોકો પણ ખુશ થશે.
\v 15 ઈશ્વર તેને ખૂબ મહત્વનો ગણશે. તે ક્યારેય દ્રાક્ષારસ અથવા અન્ય કોઈ કેફી પીણું પીશે નહીં. તેના જન્મ અગાઉથી તે પવિત્ર આત્મા દ્વારા સામર્થ્ય પ્રાપ્ત કરશે.
\s5
\v 16 તે ઇઝરાયલના ઘણા વંશજોને પાપ કરવાથી દૂર રહેવા અને ફરીથી પ્રભુ તેમના ઈશ્વરની આજ્ઞા પાળવા સમજાવશે.
\v 17 તારો દીકરો પ્રભુની અગાઉ જશે અને તેમનો છડીદાર થશે અને પ્રબોધક એલિયાના જેવા આત્માથી બળવાન બનશે. તે માતા-પિતાઓને તેમનાં બાળકો પર ફરી પ્રેમ કરતાં કરશે. તે ઘણા લોકો જે ઈશ્વરની આજ્ઞા પાળતા નથી તેમને ડહાપણથી જીવવા અને ન્યાયી લોકોની માફક તેમની આજ્ઞા પાળવા સમજાવશે. પ્રભુ આવે ત્યારે ઘણા લોકો તૈયાર રહે માટે તે આમ કરશે."
\s5
\v 18 પછી ઝખાર્યાએ દૂતને કહ્યું, "હું ઘણો વૃદ્ધ છું, અને મારી પત્ની પણ ઘણી વૃદ્ધ છે. તો પછી હું કેવી રીતે માનું કે તું જે કહે છે તે ખરેખર બનશે?"
\v 19 પછી દૂતે તેને કહ્યું, "હું ગાબ્રિયેલ છું! હું ઈશ્વરની સમક્ષ ઊભો રહું છું! તારી સાથે જે બનવાનું છે તે વિષેના સારા સમાચાર તને આપવા માટે મને મોકલવામાં આવ્યો છે.
\v 20 મેં જે કહ્યું છે તે નિશ્ચે ઈશ્વરના નિયત કરેલા સમયે બનશે, પણ તેં મારા કહેલા શબ્દો પર વિશ્વાસ કર્યો નહિ. તેથી હવે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દીકરાના જન્મ સુધી તું બોલી શકશે નહીં!"
\s5
\v 21 જ્યારે ઝખાર્યા અને દૂત ભક્તિસ્થાનમાં વાત કરતા હતા, ત્યારે આંગણામાં લોકો ઝખાર્યા બહાર આવે તેની પ્રતિક્ષા કરતા હતા. તેમને આશ્ચર્ય થયું કે શા માટે તે આટલા લાંબા સમય સુધી ભક્તિસ્થાનમાં હતો.
\v 22 જ્યારે તે બહાર આવ્યો, ત્યારે તે તેમની સાથે બોલી શક્યો નહીં. તે વાત કરી શકતો નહોતો, તેથી જે બન્યું હતું તે જણાવવા તે તેના હાથથી ઇશારા કરી સમજાવી રહ્યો હતો. પછી તેમને ખબર પડી કે તે જ્યારે ભક્તિસ્થાનમાં હતો ત્યારે ઈશ્વર તરફથી તેને દર્શન થયું હતું.
\v 23 જ્યારે ભક્તિસ્થાનમાં યાજક તરીકે કામ કરવાનો ઝખાર્યાનો સમય પૂર્ણ થયો, ત્યારે તે યરુશાલેમ છોડીને પોતાના ઘરે ગયો.
\s5
\v 24 આ બાબત બન્યાના થોડા સમય પછી, તેની પત્ની એલિસાબેત ગર્ભવતી થઈ, પણ તે પાંચ મહિના સુધી બહાર જાહેરમાં ગઈ નહીં.
\v 25 તેણે પોતે પોતાને કહ્યું, "પ્રભુએ મને ગર્ભવતી બનવા સક્ષમ કરી છે." આ રીતે, તેમણે મારા પર કરુણા દર્શાવી છે અને લોકો મને જે હલકી દ્રષ્ટિથી જોતા હતા તે કારણને દૂર કર્યું છે!"
\s5
\v 26 જ્યારે એલિસાબેત ગર્ભવતી થયાને લગભગ છ મહિના થયા, ત્યારે ઈશ્વરે ગાબ્રિયેલને ગાલીલ જીલ્લાના નાસરેથ નગરમાં મોકલ્યો.
\v 27 તે ત્યાં મરિયમ નામની કુમારિકા સાથે વાત કરવા ગયો. યૂસફ નામે એક માણસ જે દાઉદ રાજાનો વંશજ હતો, તેની સાથે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું
\v 28 દૂતે તેને કહ્યું, "તને સલામ! પ્રભુ તારી સાથે છે અને તેમણે તારા પ્રત્યે ઘણી ભલાઈ દર્શાવી છે!"
\v 29 પણ મરિયમે જ્યારે તેની સલામ સાંભળી ત્યારે તે ઘણી ગભરાઈ ગઈ. તેને આશ્ચર્ય થયું કે દૂત દ્વારા કહેલા શબ્દોનો અર્થ શો હશે.
\s5
\v 30 પછી દૂતે તેને કહ્યું, "મરિયમ, ગભરાઇશ નહિ, કેમ કે ઈશ્વર તરફથી તને કૃપા પ્રાપ્ત થઈ છે!
\v 31 તું ગર્ભવતી થશે અને દીકરાને જન્મ આપશે, અને તારે તેનું નામ ઈસુ પાડવું.
\v 32 તેઓ મહાન થશે અને તેઓ પરાત્પર ઈશ્વરના દીકરા કહેવાશે. પ્રભુ ઈશ્વર તેમને તેમના પૂર્વજ દાઉદની જેમ તેના લોકો પર રાજા બનાવશે.
\v 33 તેઓ યાકૂબના વંશજો પર કાયમી શાસન કરશે. તેઓ સર્વકાળ રાજ કરશે!"
\s5
\v 34 પછી મરિયમે દૂતને પૂછયું, "તે કેવી રીતે શક્ય છે? હું તો કુમારિકા છું."
\v 35 દૂતે જવાબ આપ્યો, "પવિત્ર આત્મા તારી પાસે આવશે અને ઈશ્વરનું પરાક્રમ તને આચ્છાદિત કરશે." તેથી જે બાળકને તું જન્મ આપશે તે પવિત્ર હશે, અને તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.
\s5
\v 36 અને આ સાંભળ. તારી નિકટની સંબંધી એલિસાબેત વૃદ્ધ હોવા છતાં પણ, તેણે પુત્રનો ગર્ભ ધારણ કર્યો છે, અને જો કે લોકો માનતા હતા કે તે બાળકનો પ્રસવ કરી શકતી નથી, છતાં તે લગભગ છ મહિનાથી ગર્ભવતી છે.
\v 37 કારણ કે ઈશ્વરને કશું પણ અશક્ય નથી!"
\v 38 પછી મરિયમે કહ્યું, "ઠીક છે, હું પ્રભુની ચાકર છું, તેથી તમે મારા વિષે જે કહ્યું તે પ્રમાણે થાઓ!" પછી દૂત તેની પાસેથી ગયો.
\s5
\v 39 તે પછી તરત, મરિયમ તૈયાર થઈ અને યહૂદિયાના પહાડી પ્રદેશમાં, જ્યાં ઝખાર્યા રહેતો હતો ત્યાં ગઈ.
\v 40 તેણે તેના ઘરમાં પ્રવેશ કર્યો અને તેની પત્ની એલિસાબેતને સલામ પાઠવી.
\v 41 એલિસબેતે જેવી મરિયમની સલામ સાંભળી, તે સાથે જ એલિસાબેતના ઉદરમાં બાળક કૂદ્યું. તરત જ પવિત્ર આત્માએ એલિસાબેતને ઈશ્વરની સ્તુતિ કરવા દોરી.
\s5
\v 42 તેણે મોટા સ્વરે ઉત્સાહથી મરિયમને કહ્યું, "ઈશ્વરે તને બીજી સ્ત્રીઓ કરતાં વધુ આશીર્વાદિત કરી છે, અને જે બાળકનો ગર્ભ તેં ધારણ કર્યો છે તેને આશીર્વાદ આપ્યો છે!
\v 43 એ કેટલું અદ્દ્ભુત છે કે તું, મારા પ્રભુની માતા, મારી પાસે આવી છે!
\v 44 જેવી મેં તારી સલામ સાંભળી, કે મારા ગર્ભમાંનું બાળક કૂદ્યું કારણ કે તું આવી તેથી તે ઘણું ખુશ થયું!
\v 45 તું આશીર્વાદિત છે કારણ કે તેં વિશ્વાસ કર્યો કે ઈશ્વરે તને કહ્યું તે સાચુ ઠરશે."
\s5
\v 46 પછી મરિયમે ઈશ્વરની સ્તુતિ કરતાં કહ્યું: "ઓહ, હું કેવી રીતે ઈશ્વરની સ્તુતિ કરું!
\v 47 હું ઈશ્વર વિશે ખૂબ આનંદ અનુભવુ છું, તેઓ એક જ એવા છે કે જેઓ મને બચાવે છે.
\s5
\v 48 હું ફક્ત તેમની નમ્ર સેવિકા છું, પણ તેઓ મને ભૂલી ગયા નથી. તેથી હવે પછીના સમય ગાળામાં રહેતા લોકો કહેશે કે ઈશ્વરે મને આશીર્વાદ આપ્યો છે.
\v 49 તેઓ આ કહેશે કારણ કે, સામર્થ્યવાન ઈશ્વરે મારા માટે મોટાં કાર્યો કર્યા છે. તેમનું નામ પવિત્ર છે!
\s5
\v 50 જેઓ તેમને આદર આપે છે તેઓને તેઓ એક પેઢીથી બીજી પેઢી સુધી દયા દર્શાવે છે.
\v 51 તેઓ લોકોને દર્શાવે છે કે તેઓ ખૂબ સામર્થ્યવાન છે. જેઓ પોતાના અંતઃકરણમાં ગર્વિષ્ઠ રીતે વિચારે છે તેઓને તેઓ વિખેરી નાખે છે.
\s5
\v 52 તેઓએ રાજાઓને શાસનમાંથી દૂર કરી દીધા છે, અને જેઓ દબાયેલા છે તેમને તેમણે સન્માન આપ્યું છે.
\v 53 જેઓ ભૂખ્યા છે તેવા લોકોને તેમણે સારો ખોરાક પૂરો પાડ્યો છે, અને ધનવાન લોકોને કંઇ પણ આપ્યા વગર તેમણે પાછા કાઢ્યા છે.
\s5
\v 54-55 તેમની સેવા કરનાર ઇઝરાયલને તેમણે મદદ કરી છે. લાંબા સમય પહેલાં તેમણે આપણા પૂર્વજોને વચન આપ્યું હતું કે તેઓ તેમના પર દયા દર્શાવશે. તેમણે તે વચન પાળ્યું છે અને તેઓ ઇબ્રાહિમ સાથે અને તેના વંશજો સાથે દયાથી વર્ત્યા છે."
\s5
\v 56 મરિયમ લગભગ ત્રણ મહિના સુધી એલિસાબેત સાથે રહી. પછી તે તેના ઘરે પરત ફરી.
\v 57 જ્યારે એલિસાબેતને તેના બાળકને જન્મ આપવાનો સમય આવ્યો, ત્યારે તેને એક દીકરો જનમ્યો.
\v 58 તેના પડોશીઓ અને સગાંવહાલાંઓએ સાંભળ્યું કે કેવી રીતે પ્રભુએ તેના પર આટલી બધી દયા દર્શાવી છે, ત્યારે તેઓએ એલિસાબેતની સાથે આનંદ કર્યો.
\s5
\v 59 આ પછી આઠમે દિવસે, લોકો બાળકની સુન્નતની વિધિ કરવા માટે ભેગા થયા. તેના પિતાનું નામ ઝખાર્યા હોવાથી તેઓ બાળકને તે જ નામ આપવા માગતા હતા.
\v 60 પણ તેની માતાએ કહ્યું, "ના, તેનું નામ યોહાન હોવું જોઈએ!"
\v 61 તેથી તેઓએ તેને કહ્યું, "પણ તારા કોઈ સગાનું નામ યોહાન નથી!"
\s5
\v 62 પછી તેઓએ તેના પિતાને તેમના હાથથી ઇશારા કર્યા, કે તે તેના દીકરાને શું નામ આપવા માગે છે તે બતાવે.
\v 63 તેથી તેણે સંકેત કર્યો કે તેઓ તેને લખવા માટે પાટી આપે. જ્યારે તેમણે તેને પાટી આપી ત્યારે, તેણે તેના પર લખ્યું, "તેનું નામ યોહાન છે." જે લોકો ત્યાં હતા તેઓ આશ્ચર્ય પામ્યા!
\s5
\v 64 તરત જ ઝખાર્યા બોલી શકયો, અને તેણે ઈશ્વરની સ્તુતિ કરવાનું શરૂ કર્યું.
\v 65 ઈશ્વરે જે કર્યું હતું તે જોઇને દરેક વ્યક્તિ જે તેની નજીક રહેતી હતી તેઓને સંપૂર્ણપણે સાદર ભય લાગ્યો. તેઓએ જે બન્યું હતું તે વિષે બીજા ઘણા લોકોને જણાવ્યું અને આ સમાચાર યહૂદિયાના તમામ પહાડી વિસ્તારમાં પ્રસરી ગયા.
\v 66 જે દરેક વ્યક્તિએ તે સાંભળ્યું તેઓ તે વિષે વિચારવા લાગ્યા. તેઓ કહેતા હતા કે, "અમને આશ્ચર્ય થાય છે કે જ્યારે આ બાળક મોટો થશે ત્યારે તે કેવાં કાર્યો કરશે!" જે કંઈ બન્યું હતું તે કારણે, તેઓને ખાતરી હતી કે ઈશ્વર તેને સામર્થ્ય આપી મદદ કરશે.
\s5
\v 67 ઝખાર્યાના દીકરાનો જન્મ થયા પછી, ઝખાર્યા પવિત્ર આત્માથી ભરપૂર થયો અને તે ઈશ્વર તરફથી આ શબ્દો બોલ્યો:
\v 68 "જે ઈશ્વરની સ્તુતિ આપણે ઇઝરાયલી લોકો કરીએ છીએ, તે પ્રભુની સ્તુતિ થાઓ, કારણ કે તેઓ આપણને એટલે કે પોતાના લોકોને મુક્ત કરવા આવ્યા છે.
\s5
\v 69 તેઓ કોઈને આપણે માટે મોકલી રહ્યા છે, જે સામર્થ્યથી આપણને બચાવશે, જે તેમના સેવક, દાઉદ રાજાનો વંશજ હશે.
\v 70 ઘણા સમય પહેલાં ઈશ્વરે તેમના પ્રબોધકો દ્વારા કહાવ્યું હતું કે તેઓ એમ કરશે.
\v 71 આ સામર્થ્યવાન ઉદ્ધારક આપણને આપણા શત્રુઓથી છોડાવશે, અને જેઓ આપણને ધિક્કારતા હશે તેઓની સત્તાથી આપણને બચાવશે.
\s5
\v 72 તેમણે આ કર્યું છે કારણ કે તેઓ આપણા પૂર્વજો પર દયાળુ છે અને તેમના પવિત્ર કરારને યાદ રાખે છે,
\v 73 તેમણે આપણા પૂર્વજ ઇબ્રાહિમને વચન આપ્યું હતું અને તે માટે સમ ખાધા છે.
\v 74 ઈશ્વરે આપણને જે વચન આપ્યું કે તે આપણા શત્રુઓની સત્તાથી બચાવશે, અને કોઈ ભય વગર તેમની સેવા કરવા સક્ષમ બનાવશે,
\v 75 આપણા જીવનમાં પવિત્રાઈથી અને ન્યાયથી જીવવા દ્વારા.
\s5
\v 76 પછી ઝખાર્યાએ તેના દીકરાને કહ્યું, "મારા દીકરા, તું પરાત્પર ઈશ્વરનો પ્રબોધક કહેવાશે. તું પ્રભુની આગળ જશે જેથી તું લોકોને તેમના આગમનને માટે તૈયાર કરે.
\v 77 તું લોકોને કહેશે કે ઈશ્વર તેઓને માફ કરવા સમર્થ છે અને તેમને તેઓના પાપોની શિક્ષાથી બચાવી શકે છે.
\s5
\v 78 ઈશ્વર આપણને માફ કરશે કારણ કે તેઓ આપણા માટે કૃપાળુ અને દયાળુ છે. અને તેના કારણે, આ ઉદ્ધારક, જે ઊગતા સૂર્ય જેવા છે, તેઓ આપણને મદદ કરવા સ્વર્ગમાંથી આવશે.
\v 79 જેઓ આત્મિક રીતે અંધકારમાં છે અને મરણના ભયમાં છે તે લોકો પર તેમનો સંદેશ પ્રકાશ પાડશે. તે આપણને માર્ગદર્શન આપશે જેથી આપણે શાંતિપૂર્વક જીવીએ.
\s5
\v 80 સમય જતાં, ઝખાર્યા અને એલિસાબેતનો દીકરો મોટો થયો અને આત્મિક રીતે બળવાન થયો. ત્યાર પછી તે ઉજ્જડ પ્રદેશમાં રહ્યો અને જ્યારે તેણે ઈશ્વરના લોકો, ઇઝરાયલીઓને જાહેરમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યું ત્યાં સુધી તે ત્યાં રહ્યો.
\s5
\c 2
\p
\v 1 તે સમય દરમિયાન, કાઈસાર ઓગસ્તસે એક સત્તાવાર આદેશ બહાર પાડયો કે રોમન શાસન હેઠળ રહેતા હોય એવી દરેક વ્યક્તિએ જાહેર નોંધણી કરાવવી ફરજિયાત છે.
\v 2 કુરેનિયસ સિરિયા પ્રાંતનો રાજ્યપાલ હતો તે સમય દરમિયાન આ પ્રથમ વખત વસ્તી ગણતરી થઈ.
\v 3 તેથી દરેકે તેમના કુટુંબના વતનમાં નોંધણી કરાવવા જવાનું હતું.
\s5
\v 4-5 યૂસફ પણ મરિયમ કે જેની સાથે તેની સગાઈ થઈ હતી અને જે ગર્ભવતી હતી, તેની સાથે તેના કુટુંબના વતનમાં ગયો. યૂસફ દાઉદ રાજાનો વંશજ હતો તે કારણે તેઓ ગાલીલના પ્રદેશમાં નાસરેથ શહેરમાંથી રવાના થયાં અને યહૂદિયાના પ્રદેશ, બેથલહેમ નગર તરફ મુસાફરી કરી, જે દાઉદના શહેર તરીકે પણ જાણીતું હતું, યૂસફ અને મરિયમ જાહેર નોંધણી કરાવવા ત્યાં ગયાં.
\s5
\v 6-7 જ્યારે તેઓ બેથલેહેમ આવી પહોંચ્યાં, ત્યારે સામાન્ય રીતે પ્રવાસીઓ જ્યાં રોકાય છે ત્યાં તેઓ માટે રહેવાની કોઈ જગા ન હતી, તેથી તેમણે એવી જગાએ રોકાવાનું હતું કે જ્યાં તેઓ રાતવાસો કરી શકે. જ્યારે તેઓ ત્યાં હતાં ત્યારે મરિયમને પ્રસવનો સમય થયો અને તેણે તેના પ્રથમ બાળક, પુત્રને જન્મ આપ્યો. તેણે તેમને કપડાંમાં લપેટીને તેમને ગભાણમાં રાખ્યા.
\s5
\v 8 તે રાત્રે, બેથલેહેમની નજીકના ખેતરોમાં કેટલાક ભરવાડો તેમનાં ઘેટાંની સંભાળ રાખતા હતા.
\v 9 અચાનક પ્રભુ ઈશ્વરનો એક દૂત તેમને દેખાયો. એક તેજસ્વી પ્રકાશ કે જે પ્રભુનો મહિમા પ્રગટ કરતો હતો, તે તેઓની આસપાસ દેખાયો. તેથી તેઓ ખૂબ જ ભયભીત થયા.
\s5
\v 10 પણ દૂતે તેઓને કહ્યું, "ગભરાશો નહિ! હું તમને શુભ સંદેશ કહેવા આવ્યો છું, જે બધા લોકો માટે હિતકારક થશે અને તમને બધાને ખૂબ આનંદિત કરશે.!"
\v 11 આજે, દાઉદના શહેરમાં, એક બાળક જન્મ્યો છે તે તમને તમારાં પાપોમાંથી બચાવશે! તે તો મસીહ એટલે કે પ્રભુ છે!
\v 12 તમે આ રીતે તેમને ઓળખશો: બેથલહેમમાં તમે બાળકને ગભાણમાં કપડાંના મોટા ટુકડામાં લપેટેલો જોશો."
\s5
\v 13 અચાનક દૂતોનો મોટો સમૂહ સ્વર્ગમાંથી પ્રગટ થયો અને તે દૂત સાથે જોડાયો. તેઓ બધાએ ઈશ્વરની સ્તુતિ કરતાં કહ્યું,
\v 14 "અતિ ઊંચામાં સ્વર્ગના બધા દૂતો ઈશ્વરની સ્તુતિ કરો! અને પૃથ્વી પર રહેતા લોકો કે જેઓ પર ઈશ્વર પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ!"
\s5
\v 15 દૂતો તેમને છોડીને સ્વર્ગ પાછા ફર્યા પછી, ભરવાડોએ એકબીજાને કહ્યું, "આપણે હમણાં બેથલહેમમાં જઈને જે અદ્દ્ભુત બાબત બની છે, તે જોવી જોઈએ, તેના વિષે પ્રભુએ આપણને જણાવ્યું છે!"
\v 16 તેથી તેઓ ઝડપથી ગયા અને જ્યારે મરિયમ અને યૂસફ જ્યાં હતાં તે જગ્યાએ તેઓ આવ્યા ત્યારે તેઓએ બાળકને ગભાણમાં જોયો.
\s5
\v 17 તેમને જોયા પછી, તેમણે આ બાળક વિશે તેમને જે કંઈ કહેવામાં આવ્યું હતું તે દરેકને કહ્યું.
\v 18 ભરવાડોએ લોકોને જે કહ્યું તે સાંભળી બધા લોકો આશ્ચર્ય પામ્યા.
\v 19 પરંતુ મરિયમે જે બધી બાબતો સાંભળી તે વિષે વિચારવાનું ચાલુ રાખ્યું અને કાળજીપૂર્વક તેને યાદ રાખ્યું.
\v 20 ભરવાડો ખેતરોમાં જ્યાં તેમનાં ઘેટાંઓ હતાં ત્યાં પાછા ફર્યા. તેઓ ઈશ્વર કેવા મહાન છે તે વિશે વાત કરતા રહ્યા અને તેઓએ જે સાંભળ્યું અને જોયું તે માટે તેમની પ્રશંસા કરતાં રહ્યા, કારણ કે દૂતોએ તેમને જે કહ્યું હતું તે જ પ્રમાણે બધું બન્યું હતું.
\s5
\v 21 બાળકના જન્મ પછીના આઠમા દિવસે, તેની સુન્નત કરવામાં આવી અને તેઓએ તેનું નામ ઈસુ પાડ્યું. તેમના ગર્ભ ધારણ અગાઉ, દૂતોએ તેઓને જે નામ આપવા કહ્યું હતું તે એ જ હતું.
\s5
\v 22 જ્યારે મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેમના શુધ્ધીકરણના દિવસો પૂર્ણ થયા, ત્યારે મરિયમ અને યૂસફ પ્રભુને પોતાના દીકરાનું અર્પણ કરવા યરુશાલેમ ગયાં.
\v 23 પ્રભુના નિયમશાસ્ત્રમાં આમ લખેલું છે, "દરેક પ્રથમ જન્મેલ નર બાળક પ્રભુ માટે પવિત્ર ગણવામાં આવે."
\v 24 પ્રભુનો નિયમ એવું પણ કહે છે, નવા જન્મેલ નર બાળકના માતા-પિતાએ બલિદાન તરીકે "બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચા" અર્પણ કરવાં જોઈએ.
\s5
\v 25 તે સમયે યરુશાલેમમાં એક વૃદ્ધ માણસ હતો જેનું નામ શિમયોન હતું. તે ઈશ્વરને જે પસંદ હતું તે કરતો અને ઇશ્વરના નિયમોને આધીન હતો. ઇઝરાયલી લોકોને ઉત્તેજન આપવા ઈશ્વર મસીહને મોકલશે તેની રાહ તે આતુરતાથી જોઈ રહ્યો હતો અને પવિત્ર આત્મા તેનું માર્ગદર્શન કરી રહ્યા હતા.
\v 26 પવિત્ર આત્માએ અગાઉથી તેને જણાવ્યું હતું કે તે મરણ પામે તે પહેલાં તે પ્રભુના વચન પ્રમાણે મસીહને જોશે.
\s5
\v 27 જ્યારે ભક્તિસ્થાનમાં ધાર્મિક વિધિ જેના વિષે નિયમમાં ઈશ્વરે આજ્ઞા આપી છે તે પ્રમાણે કરવા, યૂસફ અને મરિયમ તેમના બાળક, ઈસુને લાવ્યા, ત્યારે આત્માએ શિમયોનને ભક્તિસ્થાનનાં આંગણામાં પ્રવેશવા દોર્યો.
\v 28 પછી તેણે ઈસુને તેના હાથમાં લીધા અને ઈશ્વરની સ્તુતિ કરતાંં, કહ્યું,
\v 29 પ્રભુ, તમે મને સંતુષ્ટ કર્યો છે અને હવે હું તમારા વચન પ્રમાણે શાંતિથી મરણ પામી શકું છું.
\s5
\v 30 લોકોને તેમનાં પાપોથી બચાવવા માટે જેને તમે મોકલ્યા છે, તેમને મેં જોયા છે
\v 31 જેમને તમે બધા લોકો મધ્યેથી તૈયાર કર્યા છે.
\v 32 તેઓ પ્રકાશ સમાન હશે જે બિનયહૂદીઓને તમારું સત્ય પ્રગટ કરશે, અને તેઓ ઇઝરાયલી લોકોને મહિમા અપાવશે.
\s5
\v 33 શિમયોને તેમના વિષે જે કહ્યું એનાથી ઈસુના પિતા અને માતા ખૂબ જ નવાઇ પામ્યાં. પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને ઈસુની માતા, મરિયમને કહ્યું,
\v 34 "હું જે કહું છું તે વિષે ધ્યાન આપ: ઈશ્વરે નક્કી કર્યુ છે કે આ બાળકને કારણે, ઘણા ઇઝરાયલી લોકો ઈશ્વરથી દૂર જશે અને ઘણા લોકો ઈશ્વર તરફ પાછા ફરશે. તે લોકોને ચેતવણી આપવા ચિહ્નરૂપ થશે, અને ઘણા લોકો તેમનો વિરોધ કરશે.
\v 35 જેના પરિણામે, ઘણા લોકોના વિચારો સ્પષ્ટ દેખાશે. તલવાર તારા પોતાના આત્માને પણ વીંધી નાખશે."
\s5
\v 36 ભક્તિસ્થાનના આંગણામાં હાન્ના નામની એક પ્રબોધિકા હતી. તે ખૂબ વૃદ્ધ હતી. તેના પિતા ફનુએલ આશેરના કુળના હતા. તેનું લગ્નજીવન સાત વર્ષનું રહ્યું હતું અને પછી તેના પતિનું મરણ થયું હતું.
\v 37 તે પછી, તે ચોર્યાસી વર્ષથી વિધવા તરીકે જીવતી હતી. તે હંમેશા ભક્તિસ્થાનના વિસ્તારમાં સેવા આપતી હતી અને રાત-દિવસ ઈશ્વરનું ભજન કરતી હતી. તે વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરતી.
\v 38 તે જ સમયે, હાન્ના તેમની પાસે આવી અને બાળક માટે ઈશ્વરનો આભાર માનવાનું શરુ કર્યું. પછી તેણે જેઓ ઈશ્વર પાસેથી યરુશાલેમને છોડાવવાની અપેક્ષા રાખતા હતા તેવા ઘણા લોકોને ઈસુ વિષે વાત કરી.
\s5
\v 39 યૂસફ અને મરિયમ ઈશ્વરના નિયમો પ્રમાણે તેમને જે જરૂરી હતું તે બધુ કરવાનું સમાપ્ત કર્યા પછી, તેઓ ગાલીલના જીલ્લામાં તેમના પોતાના શહેર નાસરેથ પરત આવ્યા.
\v 40 જેમ જેમ બાળક ઈસુ મોટા થતા ગયા, તેમ તેમ તેઓ બળવાન અને બુદ્ધિમાન બન્યા, અને ઈશ્વર તેમનાથી ખૂબ પ્રસન્ન હતા.
\s5
\v 41 દર વર્ષે ઈસુનાં માતા-પિતા પાસ્ખાપર્વ ઊજવવા યરુશાલેમ જતાં હતાં.
\v 42 જ્યારે ઈસુ બાર વર્ષના હતા, ત્યારે તેઓ હંમેશની જેમ પર્વમાં યરુશાલેમ ગયા.
\v 43 જ્યારે પર્વના બધા દિવસો પૂરા થયા, ત્યારે તેમનાં માતા-પિતા ઘરે જવા પાછા ફર્યા, પરંતુ ઈસુ યરુશાલેમમાં પાછળ રહ્યા. તેમનાં માતાપિતાને ખબર ન હતી કે તેઓ હજુ ત્યાં જ છે.
\v 44 તેઓ એમ માનતાં હતાં કે તેઓ તેમની સાથે મુસાફરી કરતા બીજા લોકોની સાથે છે. એક આખા દિવસની મુસાફરી જેટલું ચાલ્યા પછી, તેઓએ તેમના સંબંધીઓ અને મિત્રો વચ્ચે ઈસુની શોધ કરવાનું શરૂ કર્યું.
\s5
\v 45 જ્યારે તેઓ તેમને શોધી શક્યા નહિ, ત્યારે તેઓ તેમની શોધમાં યરુશાલેમ પાછાં આવ્યાં.
\v 46 ત્રણ દિવસ પછી, તેઓ તેમને ભક્તિસ્થાનના આંગણામાં, યહૂદી ધર્મગુરુઓની વચ્ચે બેઠેલા જોવા મળ્યા. તેઓ તેમનું શિક્ષણ સાંભળતા હતા, અને તેઓ તેમને પ્રશ્નો પૂછતા હતા.
\v 47 જે લોકોએ તેમનું કહેવું સાંભળ્યું તે બધા તેઓ કેટલું બધું સમજી શકતા હતા અને શિક્ષકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ તેમણે કેટલી સારી રીતે આપ્યા તે વિષે આશ્ચર્ય પામ્યા.
\s5
\v 48 જ્યારે તેમનાં માતા-પિતાએ તેમને જોયા, ત્યારે તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યાં. તેમની માતાએ તેમને કહ્યું, "મારા દીકરા, તમે અમારી સાથે આવું શા માટે કર્યું છે? તમારા પિતા અને હું ખૂબ જ ચિંતિત હતાં તેથી અમે તમને શોધતાં હતાં!"
\v 49 ઈસુએ તેમને કહ્યું, "તમે શા માટે મને શોધતાં હતાં? શું તમે જાણતાં ન હતાં કે મારે મારા પિતા જે કરે છે એમાં સામેલ થવાની જરૂર છે?"
\v 50 પરંતુ તેઓએ જે કહ્યું તેનો અર્થ તેઓ સમજી શક્યા નહીં.
\s5
\v 51 પછી તેઓ તેમની સાથે નાસરેથ પાછા આવ્યા અને તેઓ હંમેશા તેમને આધીન રહ્યા. તેમની માતા આ બધી બાબતો વિષે ઊંડાણપૂર્વક વિચારતી હતી.
\v 52 જેમ જેમ વર્ષો પસાર થતાં ગયા, તેમ તેમ ઈસુ જ્ઞાનમાં અને કદમાં વૃદ્ધિ પામતા રહ્યા. ઈશ્વર અને લોકો તેમને વિશેષ પ્રમાણમાં પસંદ કરતાં રહ્યા.
\s5
\c 3
\p
\v 1 તિબેરિયસ કાઈસાર જ્યારે રોમન સામ્રાજ્ય પર લગભગ પંદર વર્ષથી શાસન કરતો હતો, ત્યારે પોંતિયસ પિલાત યહૂદિયા પ્રાંતનો રાજ્યપાલ હતો. હેરોદ એન્તીપાસ ગાલીલ જિલ્લા પર શાસન કરતો હતો, તેનો ભાઇ ફિલિપ ઇતુરાઈ અને ત્રાખોનિતી પ્રાંત પર શાસન કરતો હતો, અને લિસાનિયસ આબીલેન વિસ્તાર પર શાસન કરતો હતો.
\v 2 તે સમય દરમિયાન, જ્યારે અન્નાસ અને કાયાફા યરુશાલેમના પ્રમુખ યાજકો હતા, ત્યારે ઈશ્વરે ઝખાર્યાના પુત્ર યોહાન જે રણમાં રહેતો હતો તેની સાથે વાત કરી.
\s5
\v 3 યોહાન યર્દન નદીની નજીકના વિસ્તારની આસપાસ મુસાફરી કરતો હતો. તે લોકોને કહેતો હતો, "જો તમે ઇચ્છો છો કે ઈશ્વર તમારાં પાપો માફ કરે, તો તમારે પસ્તાવો કરવો જોઈએ; પછી હું તમને બાપ્તિસ્મા આપીશ!"
\s5
\v 4 યશાયા પ્રબોધકે લાંબા સમય અગાઉ એક પુસ્તકમાં આ શબ્દો લખ્યા હતા: "રણમાં, કોઇક પોકારી રહ્યું છે: ઈશ્વરનો માર્ગ તૈયાર કરો, તેમના માટે માર્ગ સીધો કરો.
\s5
\v 5 દરેક ખીણ સપાટ કરાશે, અને દરેક પર્વત અને ટેકરીને સમતલ બનાવાશે; વાંકાચૂંકા રસ્તા સીધા કરવામાં આવશે, અને ખાડા-ટેકરાવાળા માર્ગ સપાટ બનાવાશે.
\v 6 પછી દરેક જણ લોકોને બચાવવાની ઈશ્વરની રીત જોશે."
\s5
\v 7 યોહાને લોકોનાં જે ટોળા તેના દ્વારા બાપ્તિસ્મા પામવા આવતાં હતાં તેઓને કહ્યું, "તમે લોકો ઝેરી સાપ જેવા દુષ્ટ છો! કોઈએ તમને ચેતવ્યા નથી કે કે જેઓ પાપ કરે છે તેઓને એક દિવસ ઈશ્વર શિક્ષા કરશે, શું કોઈએ ચેતવ્યા છે? તમે એમ ન વિચારશો કે તમે તેમનાથી છટકી શકશો!
\s5
\v 8 સારાં ફળ ઉત્પન્ન કરો કે જે દર્શાવે કે તમે ખરેખર તમારા પાપી વર્તનથી પાછા વળ્યા છો! અને પોતાને એમ ન કહો કે, 'અમે ઇબ્રાહિમના વંશજો છીએ!' કારણ કે હું તમને કહું છું કે ઈશ્વર આ પથ્થરોને પણ ઇબ્રાહિમના વંશજો બનાવી શકે છે!
\s5
\v 9 વૃક્ષોના મૂળમાં પહેલેથી જ કુહાડી મૂકવામાં આવેલી છે, જેથી દરેક વૃક્ષ જે સારા ફળ નહીં આપે તેને કાપી નાંખવામાં આવશે અને અગ્નિમાં ફેંકી દેવામાં આવશે."
\s5
\v 10 પછી ટોળામાંના કેટલાક લોકોએ તેને પૂછયું, "તો પછી, અમારે શું કરવું જોઈએ?"
\v 11 તેણે જવાબ આપ્યો, "જો તમારામાંના કોઈ પાસે બે ઝભ્ભા હોય, તો તેણે જેની પાસે એકપણ વસ્ત્ર ન હોય તેને તે આપે. જો તમારામાંના કોઈ પાસે વધારે ખોરાક હોય, તો તમારે જેની પાસે ખોરાક ન હોય તેને આપવો જોઈએ."
\s5
\v 12 કેટલાક કર ઉઘરાવનારાઓ પણ યોહાનથી બાપ્તિસ્મા પામવા આવ્યા. તેઓએ તેને પૂછ્યું, "ઉપદેશક, અમારે શું કરવું જોઈએ?"
\v 13 તેણે તેઓને કહ્યું, "રોમન સરકારે તમને જેટલો કર ઉઘરાવવાનું કહ્યું હોય તેથી વિશેષ કર ન ઉઘરાવો!"
\s5
\v 14 ઘણાં સૈનિકોએ તેને પૂછ્યું, "અને અમારે? અમારે શું કરવું જોઈએ?" તેમણે તેઓને કહ્યું, "લોકોને ડરાવીને તેઓ તમને નાણાંં આપે માટે દબાણ કરશો નહિ, અને કોઈએ કશું ખોટું કર્યું છે એવું માનીને ખોટી રીતે આરોપ મૂકશો નહીં! તમે જેટલી કમાણી કરો છો તેનાથી સંતુષ્ટ રહો."
\s5
\v 15 લોકો ઘણી આશા રાખતા હતા કે મસીહ ટૂંક સમયમાં આવશે, અને તેઓમાંના ઘણા એવું વિચારતા હતા કે યોહાન મસીહ હોઈ શકે છે.
\v 16 પરંતુ યોહાને તે સર્વને કહ્યું, "ના, હું તે નથી. મસીહ મારા કરતાંં ઘણા મહાન છે. તેઓ એટલા મહાન છે કે હું તેમનાં ચંપલની દોરી છોડવાને પણ લાયક નથી! જ્યારે મેં તમારું બાપ્તિસ્મા કર્યું, ત્યારે મેં ફક્ત પાણીનો ઉપયોગ કર્યો. પરંતુ જ્યારે મસીહ આવશે, ત્યારે તેઓ પવિત્ર આત્માથી અને અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે.
\s5
\v 17 સૂપડું તેમના હાથમાં છે, જે સારા દાણાને બિનઉપયોગી ફોતરાંથી અલગ કરવા તૈયાર છે. તેઓ અનાજને પોતાની વખારમાં સલામત રીતે સંગ્રહ કરશે પરંતુ તેઓ ફોતરાંને કદી ન હોલવનાર અગ્નિમાં બાળી નાખશે.
\s5
\v 18 આ પ્રમાણે ઘણી જુદી જુદી રીતે, યોહાને લોકોને પસ્તાવો કરવા અને ઈશ્વર તરફ પાછા ફરવા વિનંતી કરી, કેમ કે તે તેઓને ઈશ્વર તરફથી શુભ સંદેશો જણાવતો હતો.
\v 19 જ્યારે હેરોદ રાજાનો ભાઈ હજુ હયાત હતો તે સમયે તેણે તેના ભાઈની પત્ની સાથે લગ્ન કરી દીધાં હતાં. તે બદલ તથા અન્ય કૃત્યો તેણે કર્યા હતાં તે માટે યોહાને તેને ઠપકો આપ્યો હતો.
\v 20 પછી હેરોદે તેના સૈનિકો દ્વારા યોહાનને જેલમાં પૂર્યો, જે બીજી ખોટી બાબત હતી.
\s5
\v 21 પરંતુ યોહાનને જેલમાં પૂરવામાં આવ્યો હતો તે અગાઉ, જ્યારે ઘણા લોકો બાપ્તિસ્મા પામી રહ્યા હતા, ત્યારે ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યા. પછીથી, જ્યારે તેઓ પ્રાર્થના કરતા હતા ત્યારે આકાશ ઊઘડી ગયું.
\v 22 અને પવિત્ર આત્મા, કબૂતરરૂપે, નીચે આવ્યા અને ઈસુ પર ઊતર્યા. અને "તમે મારા દીકરા છો, તમને હું બહુ પ્રેમ કરું છું. હું તમારાથી ઘણો પ્રસન્ન છુ!" એવું કહીને ઈશ્વર સ્વર્ગમાંથી ઈસુ સાથે બોલ્યા.
\s5
\v 23 જ્યારે ઈસુએ ઈશ્વર માટે પોતાનું કાર્ય શરૂ કર્યું, ત્યારે તેઓ લગભગ ત્રીસ વર્ષના હતા. તેઓ યૂસફના દીકરા હતા (અથવા તો એવું માનવામાં આવતું હતું). યૂસફ એલીનો દીકરો હતો.
\v 24 એલી મથ્થાતનો દીકરો હતો. મથ્થાત લેવીનો દીકરો હતો. લેવી મલ્ખીનો દીકરો હતો. મેલ્ખી યન્નયનો દીકરો હતો. યન્નય યૂસફનો દીકરો હતો.
\s5
\v 25 યૂસફ મત્તિયાનો દીકરો હતો. મત્તિયા આમોસનો દીકરો હતો. આમોસ નાહૂમનો દીકરો હતો. નાહૂમ હેસ્લીનો દીકરો હતો. હેસ્લી નગ્ગયનો દીકરો હતો.
\v 26 નગ્ગય માહથનો દીકરો હતો.માહથ મત્તિયાનો દીકરો હતો. મત્તિયા શિમઈનો દીકરો હતો. શિમઈ યોસેખનો દીકરો હતો. યોસેખ યોદાનો દીકરો હતો.
\s5
\v 27 યોદા યોહાનાનનો દીકરો હતો. યોહાનાન રેસાનો દીકરો હતો. રેસા ઝરૂબ્બાબેલનો દીકરો હતો. ઝરૂબ્બાબેલ શઆલ્તીએલનો દીકરો હતો. શઆલ્તીએલ નેરીનો દીકરો હતો.
\v 28 નેરી મલ્ખીનો દીકરો હતો. મલ્ખી અદ્દીનો દીકરો હતો. અદ્દી કોસામનો દીકરો હતો. કોસામ અલ્માદામનો દીકરો હતો. અલ્માદામ એરનો દીકરો હતો.
\v 29 એર યેશુનો દીકરો હતો. યેશુ એલીએઝરનો દીકરો હતો. એલીએઝર યોરીમનો દીકરો હતો. યોરીમ મથ્થાતનો દીકરો હતો. મથ્થાત લેવીનો દીકરો હતો.
\s5
\v 30 લેવી શિમયોનનો દીકરો હતો. શિમયોન યહૂદાનો દીકરો હતો. યહૂદા યૂસફનો દીકરો હતો. યૂસફ યોનામનો દીકરો હતો. યોનામ એલ્યાકીમનો દીકરો હતો
\v 31 એલ્યાકીમ મલેયાનો દીકરો હતો. મલેયા મિન્નાનો દીકરો હતો. મિન્ના મત્તાથાનો દીકરો હતો. મત્તાથા નાથાનનો દીકરો હતો. નાથાન દાઉદનો દીકરો હતો
\v 32 દાઉદ યિશાઈનો દીકરો હતો. યિશાઈ ઓબેદનો દીકરો હતો. ઓબેદ બોઆઝનો દીકરો હતો. બોઆઝ સલ્મોનનો દીકરો હતો. સલ્મોન નાહશોનનો દીકરો હતો.
\s5
\v 33 નાહશોન અમિનાદાબનો દીકરો હતો. અમિનાદાબ અનીનનો દીકરો હતો. અનીન આર્નીનો દીકરો હતો. આર્ની હેસ્રોનનો દીકરો હતો. હેસ્રોન પેરેસનો દીકરો હતો. પેરેસ યહૂદાનો દીકરો હતો.
\v 34 યહૂદા યાકૂબનો દીકરો હતો. યાકૂબ ઇસહાકનો દીકરો હતો. ઇસહાક ઇબ્રાહિમનો દીકરો હતો ઇબ્રાહિમ તેરાહનો દીકરો હતો. તેરાહ નાહોરનો દીકરો હતો.
\v 35 નાહોર સરૂગનો દીકરો હતો. સરૂગ રયૂનો દીકરો હતો. રયૂ પેલેગનો દીકરો હતો. પેલેગ એબરનો દીકરો હતો. એબેર શેલાહનો દીકરો હતો
\s5
\v 36 શેલાહ કેનાનનો દીકરો હતો. કેનાન અર્ફાક્ષદનો દીકરો હતા. અર્ફક્ષદ શેમનો દીકરો હતો. શેમ નૂહ દીકરો હતો. નૂહ લામેખનો દીકરો હતો.
\v 37 લામેખ મથૂશેલાનો દીકરો હતો. મથૂશેલા હનોખનો દીકરો હતો. હનોખ યારેદનો દીકરો હતો. યારેદ મહાલાએલનો દીકરો હતો. મહાલાએલ કેનાનનો દીકરો હતો.
\v 38 કેનાન અનોશનો દીકરો હતો. અનોશ શેથનો દીકરો હતો. શેથ આદમનો દીકરો હતો. આદમ, ઈશ્વરસર્જિત માણસ, ઈશ્વરનો દીકરો હતો.
\s5
\c 4
\p
\v 1 પછી ઈસુ, પવિત્ર આત્માથી ભરપૂર થઈને, યર્દન નદીથી આગળ વધ્યા, અને પવિત્ર આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા.
\v 2 ત્યાં પવિત્ર આત્માએ તેમને ચાળીસ દિવસો સુધી અરણ્યમાં આમ તેમ દોર્યા. જ્યારે તેઓ ત્યાં હતા, ત્યારે શેતાન તેમનું પરીક્ષણ કરતો હતો. ઈસુ અરણ્યમાં હતા તે સમગ્ર સમય દરમિયાન તેમણે કંઈ પણ ખાધું નહિ, તેથી ચાળીસ દિવસ પૂરા થયા પછી, તેઓ ખૂબ ભૂખ્યા થયા.
\s5
\v 3 પછી શેતાને ઈસુને કહ્યું, "જો તમે ખરેખર ઈશ્વરના પુત્ર છો, તો આ પથ્થરોને આજ્ઞા કરો તે તમારા ખોરાકને માટે રોટલી થઈ જાય!"
\v 4 ઈસુએ કહ્યું, "ના, હું એમ નહિ કરું, કારણ કે શાસ્ત્રમાં લખેલું છે કે, "લોકોને જીવવા માટે ફક્ત ખોરાક કરતાં વિશેષ બાબતની જરૂર છે."
\s5
\v 5 ત્યાર પછી શેતાન ઈસુને ઊંચા પહાડની ટોચ પર લઈ ગયો અને તેણે પળભરમાં જગતના સર્વ દેશો તેમને બતાવ્યા.
\v 6 પછી તેણે ઈસુને કહ્યું, "હું તમને આ બધા દેશો પર શાસન કરવાનો અધિકાર આપીશ અને તે સર્વનો વૈભવ અને સંપત્તિ તમે ધરાવશો. ઈશ્વરે મને તે સર્વ પર નિયંત્રણ કરવાની પરવાનગી આપી છે, અને તેથી હું તેઓ સાથે જે કરવા ચાહું તે હું કરી શકું છું.
\v 7 જો તમે મારું ભજન કરશો, તો હું તમને તે બધા પર શાસન કરવા દઇશ!"
\s5
\v 8 પણ ઈસુએ જવાબ આપ્યો, "ના, હું તારું ભજન કરીશ નહિ, કારણ કે શાસ્ત્રમાં લખેલું છે કે, 'તારે ફક્ત પ્રભુ, તારા ઈશ્વરનું જ ભજન કરવું જોઈએ. તારે તેમની એકલાની જ સેવા કરવી જોઈએ!'"
\s5
\v 9 પછી શેતાન ઈસુને યરુશાલેમમાં લઈ ગયો. તેણે તેમને ભક્તિસ્થાનના સૌથી ઊંચા ભાગ પર બેસાડ્યા અને કહ્યું કે, "જો તમે ખરેખર ઈશ્વરના પુત્ર છો, તો તમે અહીંથી નીચે કૂદકો મારો.
\v 10 તમને નુકસાન થશે નહીં, કારણ કે શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે, 'ઈશ્વર તેમના દૂતોને તમારું રક્ષણ કરવાની આજ્ઞા આપશે.'
\v 11 અને તે એવુ પણ કહે છે, 'જ્યારે તમે નીચે પડી રહ્યા હશો ત્યારે તેઓ તમને તેમના હાથમાં ઊંચકી લેશે, જેથી તમને નુકસાન થશે નહીં. તમારો પગ પથ્થર પર પણ અથડાશે નહીં.'"
\s5
\v 12 પરંતુ ઈસુએ જવાબ આપ્યો, "ના, હું એ પ્રમાણે નહિ કરું, કારણ કે શાસ્ત્રમાં લખેલુ છે કે: 'તારે તારા પ્રભુ ઈશ્વરની પરીક્ષા કરવાનો પ્રયત્ન ન કરવો.'''
\v 13 પછી, શેતાને ઘણી રીતે ઈસુનું પરીક્ષણ કરવાનો પ્રયત્ન પૂરો કર્યા પછી, તેણે થોડા સમય સુધી તેમને છોડી દીધા.
\s5
\v 14 આ પછી, ઈસુ અરણ્ય છોડીને ગાલીલ જીલ્લામાં પરત ફર્યા. પવિત્ર આત્મા તેમને સામર્થ્ય આપી રહ્યા હતા. સમગ્ર પ્રદેશમાં, લોકોએ ઈસુ વિષે સાંભળ્યું અને બીજાઓને તેમના વિષે કહ્યું.
\v 15 તેમણે લોકોને તેમનાં સભાસ્થાનોમાં શીખવ્યું, અને તેમના ઉપદેશને કારણે બધા તેમના વિષે સારું બોલ્યા.
\s5
\v 16 પછી ઈસુ નાસરેથ ગયા, ત્યાં તેઓ મોટા થયા હતા. જેમ તેઓ સામાન્ય રીતે જતા હતા તેમ વિશ્રામવારે તેઓ સભાસ્થાનમાં ગયા. તેઓ શાસ્ત્રમાંથી કોઈ બાબત મોટેથી વાંચવા માટે ઊભા થયા.
\v 17 સભાસ્થાનના એક સેવકે તેમને પુસ્તક આપ્યું જે પ્રબોધક યશાયાએ લાંબા સમય અગાઉ લખેલુ હતુ. ઈસુએ પુસ્તક ઉઘાડ્યું અને એ લખાણ શોધી કાઢ્યું કે જ્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું હતું:
\s5
\v 18 "પ્રભુનો આત્મા મારામાં છે. જેઓ નમ્ર છે તેઓને ઈશ્વરનો શુભ સંદેશ જાહેર કરવા માટે તેઓએ મને નીમ્યો છે. તેમણે મને અહીં એ જાહેર કરવા મોકલ્યો છે કે બંદીવાનો મુક્ત થશે, અને જેઓ અંધ છે તેવા લોકોને એવું કહેવા માટે કે તેઓ ફરીથી જોશે. હું એવા લોકોને મુક્ત કરીશ જેઓ ભારથી લદાયેલા છે.
\v 19 તેમણે મને અહીં એ જાહેર કરવા મોકલ્યો છે કે હવે તે સમય છે જ્યારે પ્રભુ લોકોના હિતમાં કાર્ય કરશે.
\s5
\v 20 પછી તેમણે પુસ્તક બંધ કર્યું અને તે સેવકને પાછું આપ્યું, અને બેસી ગયા. સભાસ્થાનમાંની દરેક વ્યક્તિ તેમની તરફ જોઈ રહી હતી.
\v 21 તેમણે તેઓને કહ્યું, "આજે શાસ્ત્રનો આ ભાગ તમારા સાંભળતાં પૂર્ણ થયો છે."
\v 22 તેમણે જે કહ્યું તે દરેક વ્યક્તિએ સાંભળ્યું અને તેમનાથી અજાયબી પામ્યા, અને તેઓ કેટલી સારી રીતે બોલ્યા તે અંગે તેઓ આશ્ચર્ય પામ્યા. પણ તેઓમાંના કેટલાક લોકોએ કહ્યું, "આ માણસ માત્ર યૂસફનો દીકરો છે, નહિ?"
\s5
\v 23 તેમણે તેઓને કહ્યું, "ચોક્કસ તમે કેટલાક મને એ કહેવત કહેશો જે કહે છે, 'વૈદ, તમે પોતાને સાજા કરો!' તમે કહેશો કે, 'કપર-નાહૂમમાં તમે જે ચમત્કારો કર્યા તે તમે અહીં તમારા વતનમાં કરો!'"
\v 24 પછી તેમણે કહ્યું, "એ વાત ખરેખર સાચી છે કે પ્રબોધકના પોતાના વતનમાંના લોકો તેનો સંદેશ સ્વીકારતા નથી.
\s5
\v 25 પણ આ વિશે વિચારો: એલિયા પ્રબોધકના સમયમાં ઇઝરાયલમાં ઘણી વિધવાઓ હતી, જ્યારે સમગ્ર દેશમાં ભારે દુકાળ પડ્યો કેમ કે સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો ન હતો.
\v 26 પરંતુ ઈશ્વરે ઇઝરાયલી વિધવાઓમાંથી કોઇપણને મદદ કરવા માટે એલિયાને મોકલ્યો ન હતો. ઈશ્વરે તેને સિદોન શહેરની નજીક સારફત નગરમાં, બિન-ઇઝરાયલી વિધવાને મદદ કરવા મોકલ્યો.
\v 27 એલિશા પ્રબોધક જીવતો હતો તે સમય દરમિયાન ઇઝરાયલમાં ઘણાં કુષ્ઠરોગીઓ હતા. પરંતુ એલિશાએ તેઓમાંના અન્ય કોઈને પણ સાજા કર્યા નહિ. તેણે ફક્ત નામાન કે જે, સિરિયાનો એક બિન-યહૂદી હતો તેને સાજો કર્યો."
\s5
\v 28 જ્યારે સભાસ્થાનમાંના બધા લોકોએ તેમને આવું કહેતા સાંભળ્યા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.
\v 29 તેથી તેઓ બધા ઊભા થયા અને તેમને ધક્કા મારી શહેરની બહાર કાઢી મૂક્યા. તેઓ તેમને ખડક પરથી નીચે ફેંકી દેવા અને મારી નાખવા શહેરની બહાર ટેકરીની ટોચ પર લઈ ગયા.
\v 30 પરંતુ તેઓ તેમની વચ્ચેથી ચાલ્યા ગયા.
\s5
\v 31 એક દિવસ તેઓ પોતાના શિષ્યો સાથે ગાલીલ જીલ્લાના કપર-નાહૂમ શહેરમાં ગયા. પછીના વિશ્રામવારે, તેમણે સભાસ્થાનમાં લોકોને શીખવ્યું.
\v 32 તેઓ જે શીખવતા હતા તેનાથી તેઓ સતત આશ્ચર્ય પામતા હતા, કારણ કે તેઓ આત્મવિશ્વાસથી બોલતા હતા.
\s5
\v 33 તે દિવસે, સભાસ્થાનમાં એક માણસ હતો જે દુષ્ટાત્માના નિયંત્રણમાં હતો. તે માણસે ખૂબ મોટેથી બૂમ પાડી,
\v 34 "અરે! નાસરેથના ઈસુ! અમોને તમારી સાથે કોઈ સંબંધ નથી! શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? હું જાણું છું કે તમે કોણ છો. તમે ઈશ્વરના પવિત્ર છો!''
\s5
\v 35 ઈસુએ દુષ્ટાત્માને ધમકાવ્યો, અને કહ્યું, "શાંત રહે અને તેનામાંથી બહાર જતો રહે!" દુષ્ટાત્માએ લોકો મધ્યે તે માણસને જમીન પર પાડી દીધો અને તેને નુકસાન કર્યા વગર તેમાંથી બહાર નીકળી ગયો.
\v 36 સભાસ્થાનમાંના બધા લોકો ખૂબ જ આશ્ચર્ય પામ્યા. તેઓએ એકબીજાને કહ્યું, "તેઓ આત્મવિશ્વાસથી બોલે છે, અને તેમના શબ્દોમાં ખૂબ જ સામર્થ્ય છે! દુષ્ટાત્માઓ પણ તેમનું માને છે અને જ્યારે તેઓ આજ્ઞા આપે ત્યારે તેઓ લોકોમાંથી બહાર પણ આવે છે!"
\v 37 અને આસપાસના પ્રદેશોમાંના દરેક સ્થળે, ઈસુએ જે કર્યું હતું તે વિષે લોકો વાત કરતા હતા.
\s5
\v 38 પછી ઈસુ સભાસ્થાન છોડીને સિમોનના ઘરે ગયા. સિમોનની સાસુ બીમાર હતી અને તેને સખત તાવ આવતો હતો. કેટલાક લોકો જેઓ ત્યાં હતા તેઓએ ઈસુને તેને સાજી કરવા કહ્યું.
\v 39 તેથી તેઓ તેની તરફ ફર્યા અને તાવને આજ્ઞા કરી કે તે તેને છોડી દે. તરત જ તે સાજી થઈ! તે ઊભી થઈ અને તેણે તેઓને ખોરાક પીરસ્યો.
\s5
\v 40 તે દિવસે સૂર્ય આથમી રહ્યો હતો, ત્યારે ઘણા લોકો તેમના મિત્રો અથવા સંબંધીઓ જેઓ વિવિધ રોગોથી પિડાતા હતા તેઓને ઈસુ પાસે લાવ્યા. તેમણે તેમના પર હાથ મૂક્યા અને તે બધાને સાજા કર્યા.
\v 41 તેઓ દુષ્ટાત્માઓને પણ લોકોમાંથી બહાર આવવા દબાણ કરતા હતા. દુષ્ટાત્માઓ તે લોકોમાંથી નીકળતાની સાથે જ ઘાંટો પાડીને ઈસુને કહેતા, "તમે ઈશ્વરના દીકરા છો!" પણ તેમણે દુષ્ટાત્માઓને આજ્ઞા આપી કે તેઓ લોકોને તેમના વિશે જણાવે નહિ, કારણ કે તેઓ જાણતા હતા કે તેઓ મસીહ છે.
\s5
\v 42 વહેલી સવારે ઈસુ તે ઘર છોડીને એકાંત સ્થળે પ્રાર્થના કરવા માટે ગયા. લોકોનું ટોળું તેમને શોધતું હતું, અને જ્યારે તેઓ તેમને મળ્યા ત્યારે તેઓએ તેમને વિનંતી કરી કે તેઓ તેમને છોડીને ન જાય.
\v 43 પરંતુ તેમણે તેઓને કહ્યું, "મારે બીજા શહેરોમાં પણ લોકોને એ સંદેશ વિશે જણાવવું જોઈએ કે કેવી રીતે ઈશ્વર સર્વ પર શાસન કરશે, કારણ કે એ જ માટે મને મોકલવામાં આવ્યો છે."
\v 44 તેથી તેઓએ યહૂદિયા પ્રાંતના વિવિધ નગરોના સભાસ્થાનોમાં પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું.
\s5
\c 5
\p
\v 1 એક દિવસે, જ્યારે ઈસુ ગન્નેસરેત સરોવરના કિનારે ઊભા હતા, ત્યારે ઘણા લોકો તેમની ચારેબાજુ ટોળે વળ્યા હતા અને ઈસુ તેમને ઈશ્વરનો જે સંદેશો શીખવતા હતા તે સાંભળતા હતા.
\v 2 સરોવરના કિનારે તેમણે માછલાં પકડવાની બે હોડીઓ જોઈ. માછીમારો તે હોડીઓ છોડીને માછલાં પકડવાની તેમની જાળો ધોઈ રહ્યા હતા.
\v 3 ઈસુ તેમાંની એક હોડી પર ચઢ્યા; આ હોડી સિમોનની હતી. ઈસુએ સિમોનને હોડીને કિનારાથી થોડે દૂર લઈ જવા કહ્યું. ઈસુ હોડીમાં બેઠા અને ત્યાંથી ટોળાને શીખવવાનું ચાલુ રાખ્યું.
\s5
\v 4 તેઓને શીખવવાનું સમાપ્ત કર્યાં પછી, તેમણે સિમોનને કહ્યું, “હોડીને ઊંડા પાણીમાં લઈ જા અને માછલીઓ પકડવા જાળો પાણીમાં નાખ.”
\v 5 સિમોને પ્રત્યુત્તર આપ્યો, ''ગુરુજી, અમે આખી રાત ભારે મહેનત કરી છે, અને તો પણ અમારાથી એકેય માછલી પકડાઈ નથી. પરંતુ હવે તમે કહ્યું છે, માટે હું ફરી એકવાર જાળોને નાખીશ."
\v 6 તેથી સિમોન તથા તેના માણસોએ તેમની જાળો નાખી અને તેમાં એટલી બધી માછલીઓ પકડાઈ કે તેમની જાળો તૂટવા લાગી.
\v 7 તેઓએ બીજી હોડીઓમાંના તેમના સાથી માછીમારોને આવીને મદદ કરવા ઇશારો કર્યો. તેથી તેઓએ આવીને તે બે હોડીઓને માછલીઓથી એટલે સુધી ભરી કે તેઓ ડૂબવા લાગી.
\s5
\v 8 આ જોઇને, સિમોન પિતર ઈસુને પગે પડ્યો અને કહ્યું કે, “પ્રભુ, મારી પાસેથી દૂર જાઓ, કારણ કે હું એક પાપી મનુષ્ય છું.”
\v 9 તેણે આમ કહ્યું કારણ કે તેમણે પકડેલ માછલીઓની મોટી સંખ્યાથી તે આશ્ચર્યચકિત હતો. ઝબદીના પુત્રો યાકૂબ અને યોહાન કે જેઓ સિમોનના માછીમાર સાથીઓ હતા તેઓ સહિત તેની સાથે જે માણસો હતા તેઓ બધા પણ આશ્ચર્યચકિત થયા હતા.
\v 10 પણ ઈસુએ સિમોનને કહ્યું કે, “ડરીશ નહિ! અત્યાર સુધી તેં માછલાં પકડ્યાં છે, પણ હવે પછી મારા શિષ્યો બનવા તું મનુષ્યોને પકડશે.”
\v 11 તેથી માણસો હોડીઓને કિનારે લાવ્યા બાદ, તેઓએ માછલાં પકડવાનો ધંધો અને બીજું બધું છોડી દીધું અને ઈસુની સાથે ગયા.
\s5
\v 12 જ્યારે ઈસુ નજીકના એક નગરમાં હતા, ત્યારે ત્યાં રક્તપિત્ત તરીકે ઓળખાતા ચર્મરોગથી પીડિત એક માણસ હતો. જ્યારે તેણે ઈસુને જોયા, ત્યારે તે તેમની આગળ જમીન પર નમ્યો અને આજીજી કરી કે, “પ્રભુ, મહેરબાની કરીને મને સાજો કરો, કેમ કે જો તમે ઈચ્છો તો મને સાજો કરવા તમે શક્તિમાન છો!”
\v 13 પછી ઈસુ પોતાનો હાથ લાંબો કરીને તે માણસને અડક્યા. તેમણે કહ્યું કે, “હું તને સાજો કરવા ઈચ્છું છું, અને તને અત્યારે જ સાજો કરું છું!” તરત જ તે માણસ સાજો થયો. તેને હવે રક્તપિત્તનો રોગ રહ્યો ન હતો!
\s5
\v 14 પછી ઈસુએ તેને કહ્યું કે, “ધ્યાન રાખ કે તું તારા સાજાપણા વિષે લોકોને હમણાં ન જણાવીશ. પ્રથમ, યરુશાલેમમાં યાજક પાસે જા અને તેને તારું શરીર બતાવ કે જેથી તે તારી તપાસ કરી શકે અને જુએ કે તને રક્તપિત્ત નથી. વળી, તે યાજક પાસે મૂસાએ ફરમાવેલ એક અર્પણ લઈ જા કે જે રક્તપિત્તથી સાજા થયેલા લોકોએ ચડાવવું જોઈએ.”
\s5
\v 15 પરંતુ કેવી રીતે ઈસુએ તે માણસને સાજો કર્યો હતો તે વિષે ઘણા લોકોએ સાંભળ્યું. તેનું પરિણામ એ આવ્યું કે ઈસુનું શિક્ષણ સાંભળવા અને ઈસુ તેમને તેમના રોગોથી સાજા કરે તે માટે મોટા ટોળા ઈસુ પાસે આવ્યા.
\v 16 પરંતુ તેઓ ઘણીવાર તેમનાથી દૂર એકાંત સ્થળોએ જતા રહેતા અને પ્રાર્થના કરતા.
\s5
\v 17 એક દિવસે જ્યારે ઈસુ શીખવતા હતા, ત્યારે નજીકમાં ફરોશી સંપ્રદાયના કેટલાક માણસો બેઠેલા હતા. તેઓમાંના કેટલાક યહૂદીઓના નિયમોના નિષ્ણાત શિક્ષકો હતા. તેઓ ગાલીલ જીલ્લાના ઘણાં ગામોમાંથી, યરુશાલેમથી પણ તથા યહૂદિયા પ્રદેશના બીજા શહેરોમાંથી આવ્યા હતા. તે જ સમયે, લોકોને સાજા કરવા ઈશ્વર ઈસુને સામર્થ્ય આપતા હતા.
\s5
\v 18 જ્યારે ઈસુ ત્યાં હતા, ત્યારે કેટલાક લોકો તેમની પાસે પક્ષઘાતથી પિડાતા એક માણસને લાવ્યા. તેઓએ તે માણસને બિછાનામાં ઊંચક્યો હતો અને ઈસુની સામે મૂકવા તેઓએ તેને ઘરમાં લાવવા પ્રયાસ કર્યો.
\v 19 પરંતુ તેઓ તેને અંદર લાવી શકતા ન હતા કારણ કે ત્યાં લોકોની મોટી ભીડ જમા હતી, તેથી તેઓ બહારના પગથિયાં દ્વારા છત પર ગયા. પછી તેઓએ બાકોરું પાડવા છતનાં કેટલાંક નળિયાં ખસેડ્યાં. તે બાકોરામાંથી તેઓએ તે માણસને તેના બિછાના સાથે ટોળાની વચ્ચે ઉતાર્યો અને બરાબર ઈસુની સામે મૂક્યો.
\s5
\v 20 જ્યારે ઈસુએ જાણ્યું કે તે માણસોને વિશ્વાસ હતો કે તેઓ તે માણસને સાજો કરી શકાશે ત્યારે, તેમણે તેને કહ્યું કે, “મિત્ર, હું તારાં પાપ માફ કરું છું!”
\v 21 જે માણસો યહૂદી નિયમોના નિષ્ણાત શિક્ષકો હતા તેઓ અને બાકીના ફરોશીઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે, “આ માણસ અભિમાની છે અને આવું કહીને ઈશ્વરનું અપમાન કરે છે! આપણ બધાને ખબર છે કે ઈશ્વર સિવાય બીજું કોઈ પાપ માફ કરી શકતું નથી!”
\s5
\v 22 તેઓ જે વિચારતા હતા તેની ઈસુને ખબર પડી. તેથી તેમણે તેઓને કહ્યું કે, “મેં જે કહ્યું તે વિષે તમારે તમારા મનમાં પ્રશ્ન ઉઠાવવો ન જોઈએ! આ વિષે વિચાર કરો:
\v 23 ‘તારા પાપ માફ થયાં છે’ એમ કહેવું સહેલું છે, કારણ કે વ્યક્તિને ખરેખર માફી મળી છે કે નહિ તે કોઈ જોઈ શકતું નથી. પરંતુ ‘ઊભો થા અને ચાલ’ એમ કહેવું સહેલું નથી કારણ કે લોકો તરત જ જોઈ શકે છે કે તે સાજો થયો છે કે નહિ.
\v 24 તેથી હું આ માણસને સાજો કરીશ કે જેથી તમે જાણશો કે ઈશ્વરે મને, માણસના દીકરાને, પૃથ્વી પર લોકોને તેમનાં પાપ માફ કરવાનો પણ અધિકાર આપેલો છે.” પછી તેમણે તે પક્ષઘાતી માણસને કહ્યું, “હું તને કહું છું, 'ઊભો થા, તારું બિછાનું ઉઠાવ, અને તારા ઘરે જા!'”
\s5
\v 25 તરત જ તે માણસ સાજો થયો! તે તેઓ સૌની સમક્ષ ઊભો થયો. જે બિછાના પર તે સૂતો હતો તે તેણે ઉઠાવ્યું, અને ઈશ્વરની સ્તુતિ કરતો તે પોતાને ઘરે ગયો.
\v 26 ત્યાંના બધા જ લોકો અચંબિત થયા! તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી અને તેઓએ ઈસુને જે કરતાં જોયા તેનાથી તેઓ આશ્ચર્યચકિત થયા હતા. તેઓ કહેતા ફર્યા કે, “આજે અમે અદ્દ્ભુત બાબતો જોઈ છે!”
\s5
\v 27 પછી ઈસુ તે જગ્યાએથી ગયા અને લેવી નામના એક માણસને જોયો કે જે રોમન સરકાર માટે કર ઉઘરાવતો હતો. સરકાર જે કર માગતી હતી તે ચૂકવવા લોકો જ્યાં આવતા હતા તે કાર્યાલયે તે બેઠો હતો. ઈસુએ તેને કહ્યું કે, “મારી સાથે આવ અને મારો શિષ્ય થા!”
\v 28 તેથી લેવીએ પોતાનું કામ છોડી દીધું અને ઈસુ સાથે ગયો.
\s5
\v 29 ત્યાર બાદ, લેવીએ પોતાના ઘરમાં ઈસુ અને તેમના શિષ્યો માટે એક મોટી મિજબાનીની વ્યવસ્થા કરી. ત્યાં તેઓની સાથે કર ઉઘરાવનારાઓ અને બીજાઓનું એક મોટું જૂથ મિજબાની માણી રહ્યું હતું.
\v 30 કેટલાક લોકો કે જેઓ ફરોશી સંપ્રદાયના હતા, તેમની સાથે જેઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓએ ઈસુના શિષ્યોને એમ કહેતાં, ફરિયાદ કરી કે, “તમારે કર ઉઘારવનારાઓ અને બીજા ભયંકર પાપીઓ સાથે ભોજન ન કરવું જોઈએ.”
\v 31 પછી ઈસુએ તેમને કહ્યું કે, “જેઓ બીમાર છે તેઓને જ ખબર છે કે તેમને વૈદની જરૂર છે, જેઓ માને છે કે તેઓ તંદુરસ્ત છે તેઓને ખબર નથી.
\v 32 તે જ રીતે, જેઓ માને છે કે પોતે ન્યાયી છે તેઓને મારી પાસે આવવા આમંત્રણ આપવા હું સ્વર્ગમાંથી આવ્યો નથી. તેની વિરુદ્ધ, જેઓ જાણે છે કે તેઓ પાપી છે તેઓને પાપી વર્તનથી પાછા ફેરવવા અને મારી પાસે આવવા માટે આમંત્રણ આપવા હું આવ્યો છું.”
\s5
\v 33 તે યહૂદી આગવાનોએ ઈસુને કહ્યું કે, “યોહાન બાપ્તિસ્મા આપનારના શિષ્યો ઘણીવાર ઉપવાસ તથા પ્રાર્થના કરે છે, અને ફરોશીઓના શિષ્યો પણ તેમ જ કરે છે. પરંતુ તમારા શિષ્યો તો ખાતા અને પીતા જ રહે છે! તેઓ કેમ બીજાઓની જેમ ઉપવાસ કરતા નથી?”
\v 34 ઈસુએ પ્રત્યુત્તર આપ્યો કે, “જ્યાં સુધી વરરાજા તેઓની સાથે છે ત્યાં સુધી તમે જાનૈયાઓને ઉપવાસ કરવાનું કહેતા નથી, બરાબર? ના, કોઈ તેવું નહિ કરે!
\v 35 પરંતુ એક દિવસે વરરાજાને તેના મિત્રો પાસેથી લઈ લેવામાં આવશે. પછી તે સમયે તેઓ ઉપવાસ કરશે.”
\s5
\v 36 પછી ઈસુએ પોતાના કહેવાનો અર્થ શો હતો તે સમજાવવા બીજા ઉદાહરણો આપ્યાં: તેમણે કહ્યું કે, “જૂના વસ્ત્રને સાંધવા લોકો નવા વસ્ત્રને ફાડીને તેનો ટુકડો કદી લગાવતા નથી. જો તેઓ તેવું કરે તો નવા વસ્ત્રને ફાડીને તેઓ તેનો નાશ કરશે અને નવા કપડાના ટુકડાનો મેળ જૂના વસ્ત્ર સાથે નહિ ખાય.
\s5
\v 37 અને કોઈપણ વ્યક્તિ નવા બનાવેલા દ્રાક્ષારસનો સંગ્રહ જૂની મશકોમાં નહિ કરે. જો કોઈ તેવું કરે તો, મશકો ફાટી જશે કારણ કે જ્યારે નવા દ્રાક્ષારસને આથો ચડે અને તે ફૂલે ત્યારે તે મશકો મોટી નહિ થાય. ત્યારે તે મશકો નાશ પામશે, અને દ્રાક્ષારસ પણ ઢોળાઈ જઈને નાશ પામશે.
\v 38 તેની વિરુદ્ધ, નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ.
\v 39 વધુમાં, જેઓએ ફક્ત જૂનો દ્રાક્ષારસ પીધો છે તેઓ તેનાથી સંતુષ્ટ છે. તેઓ નવો દ્રાક્ષારસ પીવા માગતા નથી કારણ કે તેઓ કહે છે કે, 'જૂનો દ્રાક્ષારસ સારો છે!'”
\s5
\c 6
\p
\v 1 એક વિશ્રામવારે, જ્યારે ઈસુ અને તેમના શિષ્યો અનાજનાંં કેટલાંક ખેતરોમાં થઈને જતા હતા ત્યારે, શિષ્યો અનાજનાંં કણસલાં તોડતા હતા. દાણાને છોડાંથી અલગ કરવા તેઓ તેમને હાથમાં મસળતા અને દાણા ખાતા હતા.
\v 2 કેટલાક ફરોશીઓ કે જેઓ આ નિહાળતા હતા તેમણે તેઓને કહ્યું કે, “તમારે કામ કરવું જોઈએ નહિ. આપણા નિયમો આપણને વિશ્રામવારે કામ કરવાની મનાઈ ફરમાવે છે!”
\s5
\v 3 ઈસુએ ફરોશીઓને પ્રત્યુત્તર આપ્યો કે, “દાઉદે (તે રાજા બન્યો તે અગાઉ) જ્યારે તે અને તેની સાથેના માણસો ભૂખ્યા હતા ત્યારે જે કર્યું તે વિષે શાસ્ત્રવચનમાં જે લખ્યું છે તે તમે ચોક્કસ વાંચ્યું છે!
\v 4 જેમ તમે જાણો છો તેમ, દાઉદ મુલાકાતમંડપમાં પ્રવેશ્યો અને તેણે થોડો ખોરાક માગ્યો. યાજકે જે રોટલી ઈશ્વર આગળ અર્પણ તરીકે મૂકેલી હતી તે તેને આપી. મૂસાના એક નિયમમાં ઈશ્વરે કહ્યું હતું કે ફક્ત યાજકોને જ તે રોટલી ખાવાની અનુમતિ છે. જો કે દાઉદ અને તેના માણસો યાજકો ન હતા તો પણ, તેણે થોડી રોટલી ખાધી અને થોડીક પોતાની સાથેના માણસોને પણ આપી!”
\v 5 ઈસુએ તેઓને એમ પણ કહ્યું કે, “તે જ રીતે, માણસના દીકરા પાસે વિશ્રામવારે લોકોએ શું કરવું યોગ્ય છે તે નક્કી કરવાનો અધિકાર છે!”
\s5
\v 6 એક બીજા વિશ્રામવારે, ઈસુ યહૂદી સભાસ્થાનમાં લોકોને શીખવતા હતા અને ત્યાં એક માણસ હતો જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો.
\v 7 ત્યાં યહૂદી નિયમો શીખવનારા માણસો અને ફરોશીઓએ ઈસુ પર બારીકાઈથી ધ્યાન રાખતા હતા. તેઓને જોવું હતું કે ઈસુ તે માણસને સાજો કરશે કે કેમ અને પછી વિશ્રામવારે કામ ન કરવા વિશેના નિયમોનું આજ્ઞાપાલન ન કરવા માટે તેઓ ઈસુ પર દોષ લગાવે.
\v 8 પણ ઈસુને ખબર હતી કે તેઓ શું વિચારી રહ્યા હતા. તેથી તેમણે સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું કે, “અહીં આવ અને બધાની સામે ઊભો રહે!” તેથી તે માણસ ઊભો થયો અને ત્યાં આવીને ઊભો રહ્યો.
\s5
\v 9 પછી ઈસુએ તેઓને કહ્યું કે, “હું તમને આ પૂછું છું: જે નિયમો ઈશ્વરે મૂસાને આપ્યા છે તેઓ લોકોને વિશ્રામવારે સારું કરવા આજ્ઞા આપે છે કે નુકસાન કરવા? વિશ્રામવારે જીવન બચાવવા કહે છે કે જીવનનો નાશ કરવા?”
\v 10 કોઈએ તેમને જવાબ આપ્યો નહિ, તેથી તેમણે ચારે બાજુ તેઓ બધા તરફ જોયું અને પછી તે માણસને કહ્યું કે, “તારો સુકાઈ ગયેલો હાથ લાંબો કર!” તે માણસે તેમ કર્યું, અને તેનો હાથ ફરીથી સંપૂર્ણપણે સારો થઈ ગયો!
\v 11 પણ ધાર્મિક આગેવાનો બહુ ગુસ્સે થયા, અને ઈસુથી છુટકારો મેળવવા તેઓ શું કરી શકે તે વિષે તેઓએ એકબીજા સાથે ચર્ચા કરી.
\s5
\v 12 થોડા સમય પછી, એક દિવસ, ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા. તેમણે આખી રાત ઈશ્વરને પ્રાર્થના કરી.
\v 13 બીજા દિવસે તેમણે પોતાના બધા જ શિષ્યોને પાસે બોલાવ્યા. તેઓમાંથી તેમણે બારને પસંદ કર્યાં કે જેમને તેમણે પ્રેરિતો કહ્યા.
\s5
\v 14 તેઓ આ માણસો હતા: સિમોનને તેમણે પિતર એવું નવું નામ આપ્યું; પિતરનો નાનો ભાઈ આન્દ્રિયા; યાકૂબ અને તેનો નાનો ભાઈ યોહાન; ફિલિપ; બર્થોલ્મી;
\v 15 માથ્થી કે જેનું બીજું નામ લેવી હતું; થોમા; બીજો યાકૂબ કે જે અલ્ફીનો દીકરો હતો; સિમોન ઝેલોતસ,
\v 16 યહૂદા કે જે યાકૂબ નામ ધરાવતી બીજી એક વ્યક્તિનો દીકરો હતો; અને યહૂદા ઈશ્કરિયોત કે જેણે પાછળથી ઈસુનો વિશ્વાસઘાત કર્યો.
\s5
\v 17 ઈસુ પોતાના શિષ્યો સાથે પહાડ પરથી ઊતર્યા અને મેદાનમાં ઊભા રહ્યા. ત્યાં તેમના શિષ્યોનું મોટું ટોળું હતું. ત્યાં લોકોનું એક મોટું જૂથ પણ હતું કે જેઓ યરુશાલેમથી અને યહૂદિયા પ્રદેશની બીજી ઘણી જગાઓથી તથા તૂર અને સિદોન શહેરોની નજીકના દરિયાકિનારાના સ્થળોથી આવ્યા હતા.
\v 18 તેઓ ઈસુનું શિક્ષણ સાંભળવા અને પોતાના રોગોથી સાજા થવા આવ્યા. જેઓને દુષ્ટાત્માઓએ પરેશાન કર્યા હતા તેઓને પણ તેમણે સાજા કર્યાં.
\v 19 ટોળામાંના દરેકે તેમને સ્પર્શ કરવા પ્રયાસ કર્યો, કારણ કે તેઓ પોતાના સામર્થ્ય દ્વારા દરેકને સાજા કરતા હતા.
\s5
\v 20 પછી તેમણે પોતાના શિષ્યો તરફ જોયું અને કહ્યું કે, "તમે જેઓ નમ્ર છો તેમના માટે તે ઘણું સારું છે, કારણ કે ઈશ્વર તમારા પર રાજ કરે છે.
\v 21 તમે જેઓ હાલમાં ભૂખ્યા છો તેમના માટે તે ઘણું સારું છે, કારણ કે તમારે જે બધું જોઈએ છે તે ઈશ્વર તમને આપશે. તમે જેઓ હાલમાં દુઃખી થાઓ છો તેમના માટે તે ઘણું સારું છે, કારણ કે એક દિવસ ઈશ્વર તમને આનંદપૂર્વક હસાવશે.
\s5
\v 22 જ્યારે બીજા લોકો તમને ધિક્કારે, જ્યારે તેઓ તમારો નકાર કરે, જ્યારે તેઓ તમારું અપમાન કરે અને કહે કે તમે ખરાબ છો કારણ કે તમે મને, માણસના દીકરાને અનુસરો છો ત્યારે તે ઘણું સારું છે.
\v 23 જ્યારે આવું થાય ત્યારે આનંદ કરો! તમે ખૂબ જ ખુશ છો તે કારણે કૂદો! ઈશ્વર સ્વર્ગમાં તમને મોટો બદલો આપશે! તેમના પૂર્વજોએ લાંબા સમય અગાઉ ઈશ્વરના પ્રબોધકોને આવું જ કર્યું હતું તે ભૂલશો નહીં!
\s5
\v 24 પણ તમે જેઓ ધનવાન છો તેમના માટે કેટલા દુઃખની વાત છે; તમારી સંપત્તિએ તમને મળનાર બધું જ સુખ અગાઉથી આપી દીધું છે.
\v 25 તમે જેઓ વિચારો છો કે તમારે હાલમાં જેની જરૂર છે તે બધું જ તમારી પાસે છે તેમના માટે કેટલા દુઃખની વાત છે; તમને અનુભૂતિ થશે કે આ બાબતો તમને સંતોષ આપી શકશે નહિ. તમે જેઓ હાલમાં આનંદિત છો તેમના માટે કેટલા દુઃખની વાત છે; પછીથી તમે શોક કરશો અને ખૂબ જ દુઃખી થશો.
\s5
\v 26 જ્યારે દરેક વ્યક્તિ તમારા વિષે સારી બાબતો કહે છે ત્યારે કેટલા દુઃખની વાત છે; તેમના પૂર્વજો, તે જ રીતે, જેઓ જૂઠી રીતે ઈશ્વરના પ્રબોધકો હોવાનો દાવો કરતા હતા તેમના વિષે સારી બાબતો કહેતા હતા.
\s5
\v 27 “પણ મારું કહેવું સાંભળનાર દરેકને હું આ કહું છું કે: ફક્ત તમારા મિત્રોને જ નહિ પણ તમારા દુશ્મનોને પ્રેમ કરો! જેઓ તમારો ધિક્કાર કરે છે તેઓ માટે સારી બાબતો કરો!
\v 28 જેઓ તમને શાપ આપે છે તેઓને આશીર્વાદ આપવા ઈશ્વરને કહો! જેઓ તમારી સાથે દુર્વ્યવહાર કરે છે તેઓ માટે પ્રાર્થના કરો!
\s5
\v 29 જો કોઈ વ્યક્તિ તમારા એક ગાલ પર તમાચો મારીને તમારું અપમાન કરે તો, તમારો ચહેરો ફેરવો કે જેથી તે બીજા ગાલ પર પણ મારી શકે. જો કોઈ વ્યક્તિ તમારો કોટ લઈ લેવા ચાહે તો, તેને તમારું પહેરણ પણ લેવા દો.
\v 30 જે કોઈ તમારી પાસે માગે તેને કંઈક આપો. જો કોઈ તમારી પાસે તમારી વસ્તુઓ માગે તો, તેને પાછી આપવા ન કહો.
\s5
\v 31 જે કોઈ રીતે તમે ઈચ્છો છો કે બીજાઓ તમારી સાથે વર્તે, તે જ રીતે તમારે તેમની સાથે વર્તવું જોઈએ.
\v 32 જો તમે ફક્ત તેઓને જ પ્રેમ કરો છો કે જેઓ તમને પ્રેમ કરે છે તો, તેમ કરવા માટે ઈશ્વર તમારી પ્રશંસા કરે તેવી અપેક્ષા ન રાખો, કારણ કે પાપીઓ પણ જેઓ તેમને પ્રેમ કરે છે તેઓના પર પ્રેમ રાખે છે.
\v 33 જો તમે ફક્ત તેઓના પ્રત્યે જ સારી બાબતો કરો છો કે જેઓ તમારા માટે સારી બાબતો કરે છે તો, તેમ કરવા બદલ ઈશ્વર તમને બદલો આપે તેવી અપેક્ષા ન રાખો, કારણ કે પાપીઓ પણ તેમ જ કરે છે.
\v 34 જો તમે ફક્ત તેઓને જ નાણાં અથવા મિલકત આપો છો કે જેઓ તે તમને પાછી આપશે તો, તેમ કરવા બદલ ઈશ્વર તમને બદલો આપે તેવી અપેક્ષા ન રાખો! પાપીઓ પણ બીજા પાપીઓને આપે છે, કારણ કે તેઓ અપેક્ષા રાખે છે કે તેઓ બધું જ પાછું ચૂકવી આપશે.
\s5
\v 35 તેને બદલે, તમારા દુશ્મનો પ્રેમ કરો! તેઓ માટે સારી બાબતો કરો! તેઓને ઉછીનું આપો, અને તેઓ તમને કંઈપણ પાછું આપે તેવી અપેક્ષા ન રાખો! ત્યારે ઈશ્વર તમને મોટો બદલો આપશે. અને તમે સર્વોચ્ચ ઈશ્વરનાં બાળકો થશો, કારણ કે, જેઓ આભાર નથી માનતા અને ખરાબ છે એવા લોકો પ્રત્યે પણ ઈશ્વર ભલા છે.
\v 36 આ પ્રમાણે, જેમ તમારા સ્વર્ગમાંના પિતા લોકો પ્રત્યે દયાળુપણે વર્તે છે તેમ તમારે બીજા લોકો પ્રત્યે દયાળુપણે વર્તવું જોઈએ.
\s5
\v 37 કઠોરતાથી લોકોની ટીકા કરશો નહિ, અને ઈશ્વર પણ કઠોરતાથી તમારી ટીકા કરશે નહિ. બીજા લોકોનો તિરસ્કાર ન કરો, અને ઈશ્વર પણ તમારો તિરસ્કાર કરશે નહિ. બીજાઓએ જે ખોટાં કામ કર્યા છે તેના માટે તેમને માફ કરો, અને ઈશ્વર પણ તમને માફ કરશે.
\s5
\v 38 બીજાને સારી વસ્તુઓ આપો, અને ઈશ્વર તમને સારી વસ્તુઓ આપશે. તે જાણે કે એવું હશે કે ટોપલામાં દબાવીને ભરેલું અને પૂરેપૂરું ભરાયું છે તેની ખાતરી કરવા ટોપલાને હલાવીને ભરેલું, અને એટલે સુધી કે ચારેબાજુ ઉભરાતું એવું અનાજ તમને ઉદારતાપૂર્વક આપે છે! યાદ રાખો કે જે માપ તમે બીજાઓનો ન્યાય કરવા અથવા આશીર્વાદ આપવા વાપરો છો તે જ માપ ઈશ્વર તમારો ન્યાય કરવા અથવા આશીર્વાદ આપવા વાપરે છે.
\s5
\v 39 તેમણે પોતાના શિષ્યોને આ ઉદાહરણ પણ આપ્યું: "અંધ માણસે બીજા અંધ માણસને દોરવા પ્રયાસ ન કરવો જોઈએ. જો તે એમ કરે, તો તે બન્ને ખાડામાં પડશે!
\v 40 શિષ્ય તેના શિક્ષક કરતાં મોટો નથી. પરંતુ જ્યારે તે સંપૂર્ણપણે તાલીમ પામે છે, ત્યારે તે તેના શિક્ષક જેવો બનશે. તો તમારે મારા જેવા થવું જોઈએ.
\s5
\v 41 બીજાઓની નાની ભૂલો વિષે તમારામાંના કોઈએ ચિંતિત થવું જોઈએ નહિ. આ તો એના જેવું છે કે તમારી પોતાની આંખમાં લાકડાંનો ભારો ન જોતાં અન્ય વ્યક્તિની આંખમાં તણખલું જોવું.
\v 42 જો તમે એવું કરો છો તો, તમે ઢોંગી છો! બીજા કોઈની આંખમાંથી તણખલું કાઢવાનો પ્રયાસ કરતાં અગાઉ તમારે તમારી આંખમાંનો ભારો પ્રથમ દૂર કરવો જોઈએ. જ્યારે તમે પાપ કરવાનું બંધ કરશો ત્યારે જ તમારી પાસે બીજાઓને તેમનાં પાપથી છૂટવા મદદ કરવા આત્મિક સમજ પ્રાપ્ત કરશો.
\s5
\v 43 બધાને ખબર છે કે સારાં વૃક્ષો ખરાબ ફળ આપતાં નથી અને ખરાબ વૃક્ષો સારાં ફળ આપતા નથી.
\v 44 અને તેનાં ફળ કેવા પ્રકારનાં છે તે જોઇને કોઇપણ કહી શકે છે કે તે કયા પ્રકારનું વૃક્ષ છે. ઉદાહરણ તરીકે, કાંટાળુ ઝાડ અંજીર ઉપજાવતું નથી અને ઝાખરું દ્રાક્ષ ઉપજાવતું નથી. તે જ રીતે વ્યક્તિ જે કરે છે તે જોવાથી તે અંદર કેવી છે તે જાણવું સરળ છે.
\s5
\v 45 સારા લોકો સારી બાબતો કરે છે કે જે દર્શાવે છે કે તેઓ સારી બાબતો વિચારે છે, અને ખરાબ લોકો ખરાબ બાબતો કરે છે કે જે દર્શાવે છે કે તેઓ ખરાબ બાબતો વિચારે છે. લોકો તેમનાં મનોમાં જે વિચારે છે તે અનુસાર બોલશે અને વ્યવહાર કરશે.”
\s5
\v 46 ઈસુએ લોકોને કહ્યું કે, “જો તમે હું જે કહું છું તે પણ કરતા નથી તો તમે મને ‘પ્રભુ’ કેમ કહો છો?
\v 47 જેઓ મારી પાસે આવે છે, મારું શિક્ષણ સાંભળે છે અને તેનું પાલન કરે છે તે લોકો કેવા છે તે મને કહેવા દો.
\v 48 તેઓ એક માણસ જેવા છે કે જેણે ઘર બાંધવા જમીનમાં ઊંડું ખોદ્યું. તેણે ધ્યાન રાખ્યું કે ઘરનો પાયો નક્કર ખડક પર નાખવામાં આવે. ત્યાર બાદ એક વેળા પૂર આવ્યું અને પાણીના વહેણનો ઝપાટો તે ઘરને લાગવા લાગ્યો. પણ તે વહેણ તે ઘરને હલાવી પણ શક્યું નહિ, કારણ કે તે ઘર મજબૂત પાયા પર બંધાયેલું હતું.
\s5
\v 49 કેટલાક લોકો મારું શિક્ષણ સાંભળે છે પણ તેને પાળતા નથી. તેઓ એવા માણસ જેવા છે કે જેણે પાયો નાખ્યા વિના જ ઘર જમીન પર બાંધ્યું. જ્યારે નદીમાં પૂર આવ્યું ત્યારે તરત જ ઘર પડી ગયું અને તેનો સંપૂર્ણ નાશ થયો.”
\s5
\c 7
\p
\v 1 લોકો સાથે વાત પૂરી કર્યા બાદ ઈસુ કપરનાહૂમ નગરમાં ગયા.
\s5
\v 2 તે નગરમાં રોમન સૈન્યનો એક સૂબેદાર હતો કે જેનો એક ચાકર હતો કે જે તેને વહાલો હતો. તે ચાકર બીમાર હતો અને મરવાની અણી પર હતો.
\v 3 જ્યારે સૂબેદારે ઈસુ વિષે સાંભળ્યું ત્યારે, તેણે કેટલાક યહૂદી વડીલોને ઈસુ પાસે મોકલ્યા કે તે આવીને તેના ચાકરને સાજો કરે.
\v 4 જ્યારે તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે, તેમણે તેમને સૂબેદારના ચાકરને મદદ કરવા આગ્રહથી વિનંતી કરી. તેઓએ કહ્યું કે, “તમે તેના માટે આ કરો તે વાજબી છે,
\v 5 કારણ કે તે આપણા લોકોને પ્રેમ કરે છે અને તેણે આપણા માટે સભાસ્થાન બાંધ્યું છે.”
\s5
\v 6 તેથી ઈસુ તેઓની સાથે તે અધિકારીના ઘરે ગયા. જ્યારે તેઓ ઘરથી થોડા જ દૂર હતા ત્યારે અધિકારીએ પોતાના કેટલાક મિત્રોને ઈસુને આ સંદેશો આપવા મોકલ્યા: “પ્રભુ, તમે પોતાને વધારે તકલીફ આપશો નહિ, કારણ કે તમે મારા ઘરમાં આવો તેને માટે હું લાયક નથી.
\v 7 તેથી જ હું માનું છું કે હું પોતે તમારી પાસે આવું તેના માટે હું લાયક નથી. પણ તમે માત્ર એક શબ્દ જ કહીને મારા ચાકરને સાજો કરી શકો છો.
\v 8 હું જાણું છું કે તમે તે કરી શકો છો કારણ કે હું પણ એક મનુષ્ય છું કે જેને મારા ઉપરી અધિકારીઓના હુકમો માનવા પડે છે અને મારી નીચે પણ સૈનિકો છે જેમણે મારા હુકમો માનવા પડે છે. જ્યારે હું એક સૈનિકને કહું છું કે, ‘જા!, ત્યારે તે જાય છે, અને જ્યારે હું બીજાને કહું છું કે, ‘આવ!, અને તે આવે છે. જ્યારે હું મારા ચાકરને કહું છું કે, ‘આ કર!, ત્યારે તે તે કરે છે.”
\s5
\v 9 તે અધિકારીએ જે કહ્યું તે ઈસુએ જ્યારે સાંભળ્યું ત્યારે, તેમને આશ્ચર્ય થયું. પછી તેમણે જે ટોળું તેમની સાથે હતું તેમની તરફ ફરીને કહ્યું કે, “હું તમને કહું છું કે, જેટલો વિશ્વાસ આ બિનયહૂદી વ્યક્તિ મારા પર રાખે છે તેટલો ભરોસો રાખતો કોઈ ઇઝરાયલી મને મળ્યો નથી!”
\v 10 જે લોકો સૂબેદાર પાસેથી આવ્યા હતા તેઓ તેના ઘરે પાછા ગયા ત્યારે, તેઓને ખબર પડી કે તે ચાકર સાજો થઈ ગયો હતો.
\s5
\v 11 ત્યારબાદ તરત જ, ઈસુ નાઈન નગરમાં ગયા. તેમના શિષ્યો અને એક મોટું ટોળું તેમની સાથે ગયું.
\v 12 જ્યારે ઈસુ તે નગરના દરવાજા પાસે આવ્યા, ત્યારે તેમણે થોડા સમય અગાઉ મરણ પામેલા એક માણસને કે જેને લોકોનું ટોળું ઊંચકીને નગરમાંથી બહાર લાવતું હતું તે જોયું. હવે તેની માતા વિધવા હતી અને તે તેનો એકનો એક પુત્ર હતો. તે વિધવા પણ ટોળામાં હતી અને તેઓ તેના પુત્રને દફનાવવા જઈ રહ્યા હતા.
\v 13 જ્યારે પ્રભુએ તેને જોઈ ત્યારે, તેમને તેના પર કરુણા ઊપજી અને તેને કહ્યું કે, “રડીશ નહિ!”
\v 14 પછી તેઓ તેમની પાસે ગયા અને જે નનામી પર શબ મૂકેલું હતું તેને અડક્યા. નનામી લઈ જતા માણસો ઊભા રહ્યા. ઈસુએ કહ્યું કે, “જુવાન, હું કહું છું કે ઊભો થા!”
\v 15 તે જુવાન બેઠો થયો અને બોલવા લાગ્યો! પછી ઈસુ તેને તેની માતા પાસે લઈ ગયા.
\s5
\v 16 દરેક વ્યક્તિને ત્યાં ખૂબ જ ભય લાગ્યો. તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી અને એક બીજાને કહ્યું કે, “એક મહાન પ્રબોધક આપણી મધ્યે આવ્યા છે!” અને “ઈશ્વર પોતાના લોકોની કાળજી કરવા આવ્યા છે!”
\v 17 ત્યારે ઈસુએ જે કર્યું હતું તે વિશેના સમાચાર યહૂદિયાના આખા પ્રદેશમાં અને આસપાસના બધા વિસ્તારોમાં પ્રસરી ગયા.
\s5
\v 18-19 યોહાન બાપ્તિસ્મીના શિષ્યોએ તેને આ બધી બાબતો કહી. તેથી યોહાને તેના બે શિષ્યોને બોલાવ્યા અને તેમને પ્રભુ પાસે જવા અને આ પૂછવા કહ્યું: “શું તમે તે જ વ્યક્તિ છો કે જેના આવવા વિષે ઈશ્વરે વચન આપ્યું હતું, કે પછી અમારે બીજી કોઈ વ્યક્તિની અપેક્ષા રાખવી જોઈએ?”
\v 20 જ્યારે તે બે માણસો ઈસુ પાસે આવ્યા ત્યારે, તેમણે કહ્યું કે, “અમને યોહાન બાપ્તિસ્મીએ તમને પૂછવા મોકલ્યા છે કે, ‘શું તમે જ તે વ્યક્તિ છો કે જેના આવવા વિષે ઈશ્વરે વચન આપ્યું હતું, કે પછી અમારે બીજા કોઈ વ્યક્તિની રાહ જોવી જોઈએ?’”
\s5
\v 21 તે જ વખતે ઈસુ ઘણા લોકોને તેમની માંદગી અને ગંભીર રોગોથી તથા દુષ્ટાત્માઓથી સાજાપણું આપી રહ્યા હતા. તેઓએ ઘણા અંધજનોને સાજા કર્યાં તેથી તેઓ જોઈ શકવા લાગ્યા.
\v 22 તેથી તેમણે તે બે માણસોને જવાબ આપ્યો કે, ''પાછા જાઓ અને તમે જે જોયું છે અને સાંભળ્યું છે તેનો અહેવાલ યોહાનને આપો કે: જે લોકો અંધ હતા તેઓ હવે જુએ છે. જે લોકો અપંગ હતા તેઓ હવે ચાલે છે. જે લોકોને ચર્મરોગ હતા તેઓને સાજા કરાય છે. જે લોકો બહેરા હતા તેઓ હવે સાંભળી શકે છે. જે લોકો મરણ પામ્યા હતા તેઓને સજીવન કરવામાં આવે છે અને ગરીબોને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે.
\v 23 અને તેને આ પણ કહેજો, ''હું જે કરું છું તે જે કોઈ જુએ છે અને હું જે શીખવું છું તે સાંભળે છે અને મને અનુસરવાથી પાછો ફરતો નથી તેને ઈશ્વર આશીર્વાદ આપશે.''
\s5
\v 24 જ્યારે યોહાને મોકલેલા માણસો ગયા ત્યારે, ઈસુએ લોકોના ટોળા સાથે યોહાન વિષે વાત કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે, “તમે અરણ્યમાં શું જોવા ગયા હતા? પવનથી ધ્રૂજતા એક પાતળા છોડને?
\v 25 પરંતુ તમે ત્યાં શું જોવા ગયા હતા? આકર્ષક કપડાં પહેરેલા એક માણસને? જુઓ, જેઓ ભવ્ય કપડાં પહેરે છે અને જેમની પાસે સૌથી શ્રેષ્ઠ વસ્તુઓ છે તેઓ તો રાજાઓના મહેલોમાં રહે છે.
\v 26 તો પછી તમે ત્યાં શું જોવા ગયા હતા? એક પ્રબોધકને? હા! પણ હું તમને કહું છું કે યોહાન એક સામાન્ય પ્રબોધક કરતા વધારે અગત્યની વ્યક્તિ છે.
\s5
\v 27 તે એ જ છે કે જેના વિષે પ્રબોધકોએ લાંબા સમય અગાઉ લખ્યું હતું કે, ‘જુઓ, હું મારા સંદેશવાહકને તારી અગાઉ મોકલું છું. તે લોકોને તારા આગમન માટે તૈયાર કરશે.
\v 28 હું તમને કહું છું કે અત્યાર સુધી જેટલા લોકો જીવ્યા છે તેઓમાં યોહાન કરતાં વધારે મહાન કોઈ નથી. તો પણ, ઈશ્વર જ્યાં રહે છે ત્યાં તેમની સાથે રહેનાર સૌથી સામાન્ય વ્યક્તિ પણ યોહાન કરતાંં મહાન હશે.”
\s5
\v 29 જેઓ યોહાન દ્વારા બાપ્તિસ્મા પામ્યા હતા તે બધા લોકોએ અને કર ઉઘરાવનારાઓએ જ્યારે ઈસુએ જે કહ્યું તે સાંભળ્યું ત્યારે, તેઓ સંમત થયા કે ઈશ્વર ન્યાયી છે.
\v 30 પરંતુ ફરોશીઓ અને યહૂદી નિયમોમાં નિષ્ણાત લોકો યોહાન દ્વારા બાપ્તિસ્મા પામ્યા ન હતા અને તેમણે ઈશ્વરની તેમના માટેની ઇચ્છાને નકારી.
\s5
\v 31 પછી ઈસુએ આ પણ કહ્યું કે, "તમે લોકો કેવા પ્રકારના સમયમાં જીવી રહ્યા છો? હું તમને જણાવીશ:
\v 32 તમે ખુલ્લા મેદાનમાં રમત રમતા બાળકોના જેવા છો. તેઓ એકબીજાને આ પ્રમાણે કહે છે કે, 'અમે વાંસળી પર તમારા માટે આંનદદાયક સંગીત વગાડ્યું, પણ તમે નાચ્યા નહિ! પછી અમે તમારા માટે દફનવિધિનાં કરુણ ગીતો ગાયાં, પણ તમે રડ્યા નહિ!"
\s5
\v 33 આ જ પ્રમાણે, જ્યારે યોહાન તમારી પાસે આવ્યો અને તેણે સામાન્ય ખોરાક ખાધો નહિ અથવા તો દ્રાક્ષારસ પીધો નહિ ત્યારે, તમે તેનો નકાર કર્યો અને કહ્યું કે, 'એક દુષ્ટાત્મા તેનું નિયંત્રણ કરે છે!'
\v 34 પરંતુ જ્યારે માણસનો દીકરો તમારી પાસે આવ્યો અને તેણે સામાન્ય ખોરાક ખાધો અને બીજાઓની જેમ દ્રાક્ષારસ પીધો ત્યારે, તમે તેનો નકાર કર્યો અને કહ્યું કે, 'જુઓ! આ માણસ પુષ્કળ ખોરાક ખાય છે અને પુષ્કળ દ્રાક્ષારસ પીએ છે અને તે કર ઉઘરાવનારાઓ અને બીજા પાપીઓ સાથે સંબંધ રાખે છે!'
\v 35 પરંતુ ઈશ્વરનું ડહાપણ તો જેઓ તેને અનુસરે છે તેઓ દ્વારા સાચું ઠરે છે.
\s5
\v 36 એક દિવસે સિમોન નામના એક ફરોશીએ ઈસુને પોતાની સાથે ભોજન કરવા આમંત્રણ આપ્યું. તેથી ઈસુ તે માણસના ઘરે ગયા અને ભોજન કરવા મેજ આગળ બેઠા.
\v 37 તે શહેરમાં એક સ્ત્રી પણ હતી કે જેના વિષે લોકો જાણતા હતા કે તે એક વેશ્યા હતી. જ્યારે તેણે સાંભળ્યું કે ઈસુ ફરોશીના ઘરમાં ભોજન કરી રહ્યા છે, ત્યારે તે અત્તર ભરેલી એક પત્થરની શીશી લઈને ત્યાં ગઈ.
\v 38 જ્યારે ઈસુ જમવા માટે બેઠા હતા ત્યારે તે તેમના પગ પાસે પાછળ ઊભી રહી. તે રડી રહી હતી, અને તેનાં આંસુ ઈસુના પગ પર પડ્યાં. તેણે સતત તેમના પગ પોતાના વાળથી લૂછ્યા, અને તેમના પગોને સતત ચુંબનો કરતાં અત્તરથી અભિષેક કરતી રહી.
\s5
\v 39 જે ફરોશીએ ઈસુને જમવા માટે નિમંત્ર્યા હતા તેણે જ્યારે તે જે કરતી હતી તે જોયું, ત્યારે તેણે વિચાર્યું કે, “જો આ માણસ ખરેખર પ્રબોધક હોત, તો તેને અડકનાર આ સ્ત્રી કોણ છે અને કેવા પ્રકારની છે એટલે કે તે પાપી છે તેની તેને ખબર પડી હોત.”
\v 40 તેના જવાબમાં, ઈસુએ તેને કહ્યું કે, “સિમોન, હું તને કંઇક કહેવા માગું છું.” તેણે ઉત્તર આપ્યો કે, “ગુરુજી, તમે શું કહેવા માગો છો?”
\s5
\v 41 ઈસુએ તેને આ વાર્તા કહી: “બીજાઓને ઉધારે નાણાં ધીરવાનો ધંધો કરનાર એક માણસ પાસેથી બે લોકોએ નાણાંં ઉધાર લીધાં હતાં. એક વ્યક્તિનું દેવું ચાંદીના પાંચ હજાર સિક્કા હતુ અને બીજાનું દેવું ચાંદીના પચાસ સિક્કા હતુ.
\v 42 બેમાંથી એકેય તે દેવું ભરી શકે તેમ ન હતો, તેથી તે માણસે ખૂબ જ માયાળુપણે કહ્યું કે તેઓને કંઈપણ પાછું આપવાની જરૂર ન હતી. તો, તે બેમાંનો કયો માણસ તેને વધારે પ્રેમ કરશે?”
\v 43 સિમોને ઉત્તર આપ્યો કે, “મને લાગે છે કે જેને વધારે દેવું હતું તે માણસ તેને વધારે પ્રેમ કરશે.” ઈસુએ તેને કહ્યું કે, “તું સાચો છે.”
\s5
\v 44 પછી ઈસુએ તે સ્ત્રી તરફ ફરીને સિમોનને કહ્યું કે, “આ સ્ત્રીએ જે કર્યું છે તે વિષે વિચાર કર! જ્યારે હું તારા ઘરમાં પ્રવેશ્યો ત્યારે, યજમાનો તેમના અતિથિઓને આવકારવા માટે સામાન્ય રીતે જે કરે છે તે તેં કર્યું નહિ. તેં મારા પગ ધોવા પાણી આપ્યું નહિ, પણ આ સ્ત્રીએ પોતાના આંસુઓથી મારા પગ ધોયા છે અને પછી પોતાના વાળથી લૂછ્યા છે!
\v 45 તે ચુંબનથી મારું અભિવાદન કર્યું નહિ, પણ જે પળે હું આવ્યો ત્યારથી તેણે મારા પગોને ચુંબન કરવાનું બંધ કર્યું નથી!
\s5
\v 46 તેં જૈતૂન તેલથી મારે માથે અભિષેક કર્યો નહિ, પણ તેણે સુગંધીદાર અત્તરથી મારા પગોને અભિષિક્ત કર્યાં છે.
\v 47 તેથી હું તને કહું છું કે તેને તેનાં ઘણાં પાપોની માફી મળી છે અને તેથી જ તે મને ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ જે વ્યક્તિ વિચારે છે કે તેનાં પાપ તો થોડાં જ હતા અને તે માફ થયાં છે, તો તે મને ફક્ત થોડો જ પ્રેમ કરશે.”
\s5
\v 48 પછી તેમણે તે સ્ત્રીને કહ્યું કે, "તને તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે."
\v 49 પછી જેઓ તેમની સાથે ભોજન કરી રહ્યા હતા તેઓએ એકબીજાને કહ્યું કે, “આ માણસ કોણ છે કે જે કહે છે કે તે પાપો માફ કરી શકે છે?”
\v 50 પણ ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, “ઈશ્વરે તને બચાવી છે કારણ કે તેં મારા પર વિશ્વાસ કર્યો છે. જ્યારે તું જાય છે ત્યારે ઈશ્વર તને શાંતિ આપો!”
\s5
\c 8
\p
\v 1 તે પછી, ઈસુ અને તેમના બાર શિષ્યો જુદાંજુદાં ગામો અને નગરોમાં ફર્યા ત્યારે ઈસુએ લોકોને સુવાર્તા આપતાં કહ્યું કે, ઈશ્વર જલદી પોતાને રાજા તરીકે પ્રગટ કરશે.
\v 2 તેઓની સાથે કેટલીક સ્ત્રીઓ પણ મુસાફરી કરતી હતી કે તેઓને તેમણે દુષ્ટાત્માઓથી અને બીમારીઓથી સાજી કરી હતી. તેઓમાં મગ્દાલા ગામની મરિયમ કે જેનામાંથી તેઓએ સાત દુષ્ટાત્માઓ કાઢ્યા હતા તે,
\v 3 હેરોદ અન્તિપાસ રાજાના વ્યવસ્થાપક ખૂઝાની પત્ની જોઆના, સુસાન્ના અને બીજી ઘણી સ્ત્રીઓ હતી. ઈસુ અને તેમના શિષ્યોને સહાય કરવા તેઓ પોતાનાં નાણાંં પૂરાં પાડતી હતી.
\s5
\v 4 એક દિવસ એક મોટું ટોળું ભેગું થયું હતું કારણ કે લોકો ઈસુને જોવા જુદાજુદા નગરોમાંથી આવી રહ્યા હતા. પછી તેમણે તેમને આ વાર્તા કહી:
\v 5 “એક માણસ તેના ખેતરમાં અનાજનાંં બીજ વાવવા ગયો. જ્યારે તે બીજને જમીન પર વાવી રહ્યો હતો ત્યારે, કેટલાંક બીજ કઠણ રસ્તા પર પડ્યાં. પછી લોકો તે બીજ પર થઈને ચાલ્યા અને પક્ષીઓ તેમને ખાઈ ગયાં.
\v 6 કેટલાંક બીજ ખડકાળ જમીન પર પડ્યાં. ત્યાં બહુ થોડી માટી હતી. તેથી, જેવાં તે બીજ ઊગ્યાં કે છોડવાઓ સુકાઈ ગયા કારણ કે ત્યાં ભેજ હતો નહિ.
\s5
\v 7 કેટલાંક બીજ એવી જમીન પર પડ્યાં કે જ્યાં ઝાંખરાંનાં બીજ હતાં. તેથી અનાજનાં કોમળ છોડવાઓ સાથે ઝાંખરાં ઊગી નીકળ્યાં અને તેમને દબાવી નાખ્યાં તેથી તેઓ વૃદ્ધિ પામી શક્યાં નહિ.
\v 8 પણ કેટલાંક અનાજનાં બીજ ફળદ્રુપ જમીન પર પડ્યાં, અને એટલાં સરસ વધ્યાં કે તેમણે સો ગણો પાક પેદા કર્યો.” આ વાતો કહ્યા પછી, ઈસુએ તેઓને કહ્યું કે, “તમે મને જે કહેતા સાંભળ્યો છે તે વિષે તમારે બધાએ કાળજીપૂર્વક વિચારવું જોઈએ!”
\s5
\v 9 પછી ઈસુના શિષ્યોએ તેમને દ્રષ્ટાંતનો અર્થ જણાવવા કહ્યું.
\v 10 અને તેમણે કહ્યું કે, “ઈશ્વર કેવી રીતે રાજા તરીકે રાજ કરશે તે વિશેની ગુપ્ત બાબતો જાણવાનો અધિકાર તમને આપવામાં આવ્યો છે. પણ બીજા દરેક સાથે તો હું માત્ર દ્રષ્ટાંતોમાં બોલું છું, કે જેથી, ‘જો કે તેઓ જુએ, તો પણ તેઓ જાણે નહિ, અને જો કે તેઓ સાંભળે, તો પણ તેઓ સમજે નહિ.
\s5
\v 11 હવે વાર્તાનો અર્થ આ છે: બીજ ઈશ્વરનું વચન દર્શાવે છે.
\v 12 જ્યારે લોકો ઈશ્વરનું વચન સાંભળે છે પણ ત્યાર બાદ શેતાન આવે છે અને તે વચન તેમનાં મનોમાંથી અને હૃદયોમાંથી લઈ જાય છે ત્યારે શું થાય છે, તે રસ્તા પર પડેલા બીજ બતાવે છે. પરિણામે, તેઓ તે વચન માનતા નથી અને તેમનો બચાવ થતો નથી.
\v 13 જ્યારે લોકો ઈશ્વરનું વચન સાંભળે છે અને આંનદપૂર્વક તેનો સ્વીકાર કરે છે પણ તેના મૂળ ઊંડાં ઊતરતાં નથી ત્યારે શું થાય છે તે ખડકાળ જમીન પર પડેલા બીજ દર્શાવે છે. પરિણામે, તેઓ બહુ થોડા સમય માટે જ માને છે. જેવી તેમના પર મુશ્કેલીઓ આવે છે કે તરત જ તેઓ ઈશ્વરનું વચન માનવાનું બંધ કરે છે.
\s5
\v 14 જ્યારે લોકો ઈશ્વરનું વચન સાંભળે છે પણ પછી જીવન જીવતાં જીવતાં તેઓ ચિંતાઓ, સંપત્તિ અને જીવનના મોજશોખ જેવી બાબતોથી તેમનાં જીવનમાંના ઈશ્વરના વચનને દબાવી દે છે ત્યારે શું થાય છે, તે ઝાંખરાંમાં પડેલા બીજ દર્શાવે છે. પરિણામે, તેઓ આત્મિક રીતે પરિપક્વ બનતા નથી.
\v 15 પણ જ્યારે લોકો ઈશ્વરનું વચન સાંભળે છે અને તેને આદરયુક્ત અને પ્રામાણિક હૃદયથી સ્વીકારે છે ત્યારે શું થાય છે તે ફળદ્રુપ જમીન પર પડેલા બીજ દર્શાવે છે. વચનને માનવામાં અને પાળવામાં તેઓ દ્રઢ રહે છે અને તેથી તેઓ સારું આત્મિક ફળ આપે છે.
\s5
\v 16 દીવો સળગાવ્યા પછી લોકો તેને ટોપલી નીચે ઢાંકતા નથી અથવા તો બિછાના નીચે મૂકતા નથી. તેને બદલે, તેઓ તેને દીવી પર મૂકે છે, કે જેથી જે દરેક જણ તે ઓરડામાં પ્રવેશે તે તેના પ્રકાશ દ્વારા જોઈ શકે.
\v 17 આ બાબત સમજાવે છે કે જે દરેક બાબત હાલમાં છુપાયેલી છે તેને કોઈક દિવસે પ્રગટ કરવામાં આવશે. અને જે દરેક બાબત હાલમાં ગુપ્ત છે તેને કોઈક દિવસે જાહેર કરવામાં આવશે.
\v 18 તેથી હું જે કહું છું તેને કાળજીપૂર્વક સાંભળવા માટે ધ્યાન આપો, કારણ કે જેઓ ઈશ્વરનું સત્ય માને છે તેઓને ઈશ્વર વધારે સમજવા સક્ષમ કરશે. પણ જેઓ ઈશ્વરનું સત્ય માનતા નથી તેઓને ઈશ્વર જે થોડું તેઓ વિચારે છે કે તેઓ સમજ્યા છે તેને પણ સમજવા નહિ દે.”
\s5
\v 19 એક દિવસે ઈસુની માતા અને ભાઈઓ તેમને મળવા આવ્યાં, પણ તેઓ તેમની પાસે આવી શક્યાં નહિ કારણ કે જ્યાં તેઓ હતા તે ઘરમાં એક મોટી ભીડ જમા થઈ હતી.
\v 20 ત્યારે કોઈકે તેમને કહ્યું કે, ''તમારી માતા અને ભાઈઓ તમને મળવા માટે બહાર ઊભાં છે."
\v 21 પણ તેમણે તેઓને પ્રત્યુત્તર આપ્યો કે, “જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને તેને પાળે છે તેઓ મને મારી માતા અને ભાઈઓ જેટલાં વહાલાં છે.”
\s5
\v 22 બીજા એક દિવસે ઈસુ તેમના શિષ્યો સાથે હોડીમાં બેઠા. તેમણે તેઓને કહ્યું કે, “હું ઈચ્છું છું કે આપણે સરોવરની પેલી તરફ જઈએ.” તેથી તેઓએ સરોવરમાં હોડી હંકારી.
\v 23 પણ જ્યારે તેઓ હોડી હંકારતા હતા ત્યારે, ઈસુ ઊંઘી ગયા. ત્યાર પછી સરોવર પર પવનનું એક મોટું તોફાન થયું. હોડી તરત જ પાણીથી ભરાવા લાગી અને તેઓ જોખમમાં આવી પડ્યા.
\s5
\v 24 તેથી ઈસુના શિષ્યો તેમની પાસે આવ્યા અને તેમને જગાડ્યા. તેઓએ તેમને કહ્યું કે, “સ્વામી! સ્વામી! આપણે મરી જઈશું!” પછી તેઓ ઊઠ્યા અને પવનને તથા ભયંકર મોજાંઓને શાંત થવા આજ્ઞા આપી અને તેઓ શાંત થયાં. બધું જ શાંત પડી ગયું.
\v 25 પછી તેમણે તેઓને કહ્યું કે, “તમારો વિશ્વાસ કેમ આટલો નબળો છે?” શિષ્યો જે હમણાં જ બન્યું હતું તેને કારણે ભયભીત અને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેઓ એકબીજાને પૂછતાં રહ્યા કે, “આ કોણ છે, કે જે પવન અને પાણીને પણ આજ્ઞા આપવા શક્તિમાન છે, અને તેઓ તેનું માને છે?”
\s5
\v 26 ઈસુ અને તેમના શિષ્યો હોડી હંકારતા રહ્યા અને ગાલીલ જીલ્લા તરફથી સરોવરની સામેની બાજુએ ગેરસાની લોકો રહેતા હતા તે પ્રદેશમાં આવ્યા.
\v 27 ઈસુ હોડીમાંથી જમીન પર ઊતર્યા તે પછી, તે વિસ્તારના એક નગરમાંથી એક માણસ તેમને મળ્યો. તે માણસમાં દુષ્ટાત્માઓ હતા. બહુ લાંબા સમયથી તે માણસે વસ્ત્રો પહેર્યાં ન હતાં અને તે ઘરમાં વસતો ન હતો. તેને બદલે, તે કબરોની ગુફાઓમાં રહેતો હતો.
\s5
\v 28 જ્યારે તેણે ઈસુને જોયા ત્યારે, તેણે બૂમ પાડી, તેમની આગળ નીચે પડી ગયો, અને મોટે અવાજે કહ્યું કે, “ઈસુ, પરાત્પર ઈશ્વરના પુત્ર, તમે મને શું કરવા માગો છો? હું આજીજી કરું છું કે મને પીડા દેશો નહિ!”
\v 29 તે માણસે આ પ્રમાણે કહ્યું કારણ કે ઈસુએ દુષ્ટાત્માને તેનામાંથી બહાર નીકળવાની આજ્ઞા કરી હતી. જો કે તે માણસને હાથના કાંડામાં અને પગની ઘૂંટીઓમાં સાંકળોથી બાંધવામાં આવતો હતો અને લોકો તેની ચોકી કરતાં હતા તો પણ, ઘણીવાર દુષ્ટાત્મા અચાનક તેને બળજબરીથી જકડી લેતો હતો. પછી તે માણસ સાંકળો તોડી નાખતો અને દુષ્ટાત્મા તેને વેરાન જગાઓમાં લઈ જતો હતો.
\s5
\v 30 પછી ઈસુએ તેને પૂછ્યું કે, “તારું નામ શું છે?” તેણે પ્રત્યુત્તર આપ્યો કે, “મારું નામ હજારોની સેના છે.” તેણે તેવું કહ્યું કારણ કે તેનામાં ઘણાં દુષ્ટાત્માઓ પેઠા હતા.
\v 31 ઈસુ તેમને ઊંડી ખાઈમાં કે જ્યાં ઈશ્વર દુષ્ટાત્માઓને સજા કરે છે ત્યાં જવા હુકમ ન કરે માટે દુષ્ટાત્માઓ તેમને આજીજી કરતાં રહ્યા.
\s5
\v 32 ત્યાં નજીકમાં પહાડ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. દુષ્ટાત્માઓએ ઈસુને આજીજી કરી કે તેઓ તેમને તે ભૂંડોમાં પ્રવેશવા દે અને તેમણે તેઓને પ્રવેશવા દીધા.
\v 33 તેથી દુષ્ટાત્માઓ તે માણસમાંથી નીકળ્યા અને ભૂંડોમાં પેઠા, અને ભૂંડોનું ટોળું ઊંચા ઢોળાવ પરથી સરોવરમાં ધસી પડ્યું અને ડૂબી મર્યું.
\s5
\v 34 જ્યારે ભૂંડોને સાચવનારા માણસોએ જે બન્યું હતું તે જોયું ત્યારે, તેઓ ભાગી ગયા! તેઓએ જે જોયું હતું તેના વિષે તેઓએ નગરના અને ગામડાઓના લોકોને હેવાલ આપ્યો.
\v 35 પછી જે બન્યું હતું તે જોવા લોકો ત્યાં ગયા. જ્યારે તેઓ ઈસુ જ્યાં હતા ત્યાં આવ્યા ત્યારે, જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા હતા તેને ઈસુના પગ પાસે બેઠેલો અને તેમની વાતો સાંભળતો જોયો. તેમણે જોયું કે તેણે વસ્ત્રો પહેરેલા હતા, અને તેનું મગજ ફરીથી સ્વસ્થ થઈ ગયું હતું અને તેઓ ભયભીત થયા.
\s5
\v 36 જે બન્યું હતું તે જે લોકોએ જોયું હતું તેમણે આવેલા લોકોને કેવી રીતે ઈસુએ તે માણસને કે જે દુષ્ટાત્માઓના કબજામાં હતો તેને સાજો કર્યો હતો તે કહ્યું.
\v 37 ત્યારે ગેરસાની પ્રદેશની ચારેબાજુના ઘણા લોકોએ ઈસુને તેમના વિસ્તારમાંથી ચાલ્યા જવા કહ્યું કારણ કે તેઓ ખબૂ જ ભયભીત થયા હતા. તેથી ઈસુ અને તેમના શિષ્યો સરોવરની બીજી તરફ પાછા ફરવા હોડીમાં બેઠા.
\s5
\v 38 તેઓ ત્યાંથી નીકળ્યા તે અગાઉ, જેનામાંથી દુષ્ટાત્માઓ બહાર કાઢવામાં આવ્યા હતા તે માણસે ઈસુને આ કહેતાં આજીજી કરી કે, “મહેરબાની કરીને મને તમારી સાથે આવવા દો!” પણ તેને બદલે ઈસુએ તેને આ કહીને વિદાય કર્યો કે,
\v 39 “ના, તારા ઘરે પાછો જા અને ઈશ્વરે તારા માટે કેટલું બધું કર્યું છે તે લોકોને જણાવ!” તેથી તે માણસ પાછો ગયો અને ઈસુએ તેના માટે કેટલું બધુ કર્યું હતું તે આખા નગરમાં લોકોને જણાવ્યું.
\s5
\v 40 ત્યાર બાદ ઈસુ અને તેમના શિષ્યો સરોવરની પેલે પાર કપરનાહુમ પાછા ગયા. લોકોનું ટોળું ત્યાં તેમની રાહ જોતું હતું અને તેઓએ તેમને આવકાર્યા.
\v 41 તરત જ યાઈર નામનો એક માણસ, કે જે ત્યાંના યહૂદી સભાસ્થાનનો એક આગેવાન હતો, તે ઈસુની પાસે આવ્યો અને તેમની આગળ જમીન પર પડ્યો. તેણે ઈસુને તેના ઘરે આવવા કાલાવાલા કર્યાં
\v 42 કારણ કે તેની એકની એક દીકરી કે જે લગભગ બાર વર્ષની હતી, તે મરણ પામી રહી હતી અને તેની ઇચ્છા હતી કે ઈસુ તેને સાજી કરે. પણ જ્યારે ઈસુ ત્યાં જતા હતા ત્યારે ઘણાં લોકો તેમની આસપાસ પડાપડી કરતા હતા.
\s5
\v 43 હવે તે ભીડમાં એક સ્ત્રી હતી કે જે બાર વર્ષથી એક રોગથી પીડાતી હતી કે જેમાં તેને સતત રક્તસ્રાવ થતો હતો. તેણે તેનાં બધાં નાણાંં વૈદો પાછળ ખર્ચી નાખ્યાં હતા કે જેથી તેને સાજાપણુ મળે, પણ તેઓમાંનો કોઇ પણ તેને મદદ કરવા સક્ષમ ન હતો.
\v 44 તે ઈસુની પાછળ આવી અને તેમના ઝભ્ભાની કોરને અડકી. તે જ ઘડીએ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો.
\s5
\v 45 ઈસુએ પૂછ્યું કે, “મને કોણ અડક્યું?” જ્યારે ઈસુની આસપાસની દરેક વ્યક્તિ કહેતી હતી કે તે તેમને અડકી ન હતી ત્યારે, પિતરે કહ્યું કે, “ગુરુજી, તમારી આસપાસ ઘણા લોકો પડાપડી કરે છે અને તમને દબાવે છે, તો તેઓમાંનું કોઇ પણ તમને અડક્યું હશે!”
\v 46 પણ ઈસુએ કહ્યું કે, “મને ખબર છે કે કોઈક વ્યક્તિ મને ઇરાદાપૂર્વક અડકી છે, કારણ કે તે વ્યક્તિને સાજો કરવા મારામાંથી પરાક્રમ નીકળ્યું છે.”
\s5
\v 47 અને જ્યારે તે સ્ત્રીને લાગ્યું કે તે પોતાને છુપાવી શકશે નહિ ત્યારે, તે ધ્રૂજતી ધ્રૂજતી તેમની પાસે આવી અને તેમની આગળ જમીન પર પડી. બીજા લોકોના સાંભળતા તેણે ઈસુને જણાવ્યું કે તે શા માટે તેમને અડકી હતી અને તે કેવી રીતે તરત જ સાજી થઈ હતી.
\v 48 અને ઈસુએ તેને કહ્યું કે, “પ્રિય બહેન, તેં વિશ્વાસ કર્યો કે હું તને સાજી કરી શકું છું તે કારણે તું સાજી થઈ છે. હવે તારે ઘરે જા, અને ઈશ્વરની શાંતિ તારા પર હો.”
\s5
\v 49 જ્યારે તેઓ તેની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે, એક માણસ યાઈરના ઘરેથી આવ્યો અને તેણે યાઈરને કહ્યું કે, “તારી દીકરી મરી ગઈ છે. તો હવે ગુરુજીને તકલીફ આપીશ નહિ!”
\v 50 પણ જ્યારે ઈસુએ તે સાંભળ્યું ત્યારે, તેમણે યાઈરને કહ્યું કે, “ગભરાઇશ નહિ. મારામાં ફક્ત વિશ્વાસ કર અને તે ફરી જીવતી થશે.”
\s5
\v 51 જ્યારે તેઓ ઘરની બહાર આવ્યા ત્યારે, ઈસુએ પિતર, યોહાન અને યાકૂબ તથા છોકરીનાં માતાપિતા સિવાય પોતાની સાથે ઘરમાં કોઈને જવા દીધાં નહિ.
\v 52 છોકરી મરી ગઈ હતી તે કારણે તેઓ ખૂબ જ દુઃખી હતા તે દર્શાવવા બધા લોકો ત્યાં મોટેથી રડતા હતા. પણ ઈસુએ તેઓને કહ્યું કે, “રડવાનું બંધ કરો! તે મરી નથી ગઈ! તે માત્ર ઊંઘી ગઈ છે!”
\v 53 અને લોકોએ તેમને હસી કાઢ્યા કારણ કે તેઓને ખબર હતી કે છોકરી મરી ગઈ છે.
\s5
\v 54 પણ ઈસુએ તેનો હાથ પકડ્યો અને તેને એમ કહેતાં બોલાવી કે, “દીકરી, ઊઠ!”
\v 55 અને તરત જ તેનો આત્મા તેના શરીરમાં પાછો આવ્યો અને તે ઊઠી. ઈસુએ તેને કંઈક ખાવા આપવા તેઓને જણાવ્યું.
\v 56 અને તેનાં માતાપિતા આશ્ચર્ય પામ્યા, પણ ઈસુએ તેઓને તાકીદ કરી કે જે બન્યું હતું તે કોઈને પણ ના જણાવે.
\s5
\c 9
\p
\v 1 પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવ્યા અને તેઓને દરેક પ્રકારના દુષ્ટાત્માઓને બહાર કાઢવા અને લોકોને રોગથી સાજા કરવા માટે અધિકાર અને સામર્થ્ય આપ્યાં.
\v 2 તેમણે લોકોને સાજા કરવા અને ઈશ્વર પોતાને કઈ રીતે રાજા તરીકે બતાવવાના હતા તે વિષે શીખવવા તેઓને મોકલ્યા.
\s5
\v 3 તેઓ ગયા તે અગાઉ, તેમણે તેઓને કહ્યું, "તમારી મુસાફરી માટે તમારી સાથે કંઈપણ લેશો નહિ. ચાલવાની લાકડી અથવા મુસાફરીની થેલી અથવા ખોરાક અથવા નાણાં લેશો નહિ. વધારાના વસ્ત્ર પણ લેશો નહિ.
\v 4 જે કોઈ ઘરમાં તમે પ્રવેશો, તે ઘરમાં જ્યાં સુધી તમે તે વિસ્તાર છોડો નહિ ત્યાં સુધી રહો.
\s5
\v 5 જે કોઈ નગરમાં લોકો તમને આવકારે નહિ, ત્યાં તમારે વધુ સમય રહેવું ન જોઈએ. તમે તે નગર છોડો, ત્યારે તમારા પગની ધૂળને ખંખેરી નાખો. તમને નકારવા બદલ તેમની વિરુદ્ધ ચેતવણી તરીકે તે કરો."
\v 6 પછી ઈસુના શિષ્યો ગયા અને ઘણા ગામડાઓમાં થઈને મુસાફરી કરી. તેઓ જે બધાં સ્થળોએ ગયા, ત્યાં તેઓએ લોકોને ઈશ્વરના શુભ સંદેશ વિષે કહ્યું અને બીમાર લોકોને સાજા કર્યા.
\s5
\v 7 ગાલીલના જીલ્લાના શાસક હેરોદે, જે સર્વ બની રહ્યું હતું તે સાંભળ્યું. તે વ્યાકુળ હતો, કારણ કે કેટલાંક લોકો કહેતા હતા કે યોહાન બાપ્તિસ્મી ફરીથી જીવીત થયો હતો.
\v 8 બીજા લોકો કહેતા હતા કે એલિયા પ્રબોધક ફરીથીપ્રગટ થયો છે અને હજુ બીજા કહેતા હતા કે ઘણાં સમય પહેલાના પ્રબોધકોમાનો એક ફરીથી જીવીત થયો હતો.
\v 9 પરંતુ હેરોદે કહ્યું, "તે યોહાન હોઈ શકે નહિ કારણ કે મેં તેનું માથું કપાવી નાખ્યું હતું. તેથી આ વ્યક્તિ કોણ છે કે જેના વિષે હું આ બાબતો સાંભળી રહ્યો છું?" અને તે ઈસુને મળવા માટેનો માર્ગ શોધતો રહ્યો.
\s5
\v 10 જ્યારે પ્રેરિતો તેમની મુસાફરી પરથી પાછા ફર્યા ત્યારે, જે સર્વ તેઓએ કર્યું હતું તે ઈસુને કહ્યું. પછી તેઓ તેમને સાથે લઈ ગયા કે જેથી તેઓ પોતે તેમની સાથે બેથસૈદા નગરમાં જાય.
\v 11 પરંતુ, ઈસુ ક્યાં ગયા હતા તે વિષે ટોળાએ સાંભળ્યું, ત્યારે તેઓ તેમની પાછળ ગયા. તેમણે તેઓને આવકાર્યા અને ઈશ્વર ટૂંક સમયમાં પોતાને કઈ રીતે રાજા તરીકે પ્રગટ કરશે તે વિષે તેઓને કહ્યું, અને જેમને સાજા થવાની જરૂર હતી તેઓને તેમણે સાજા કર્યા.
\s5
\v 12 હવે દિવસ પૂરો થવા આવ્યો હતો, તેથી બાર શિષ્યો તેમની પાસે આવ્યા અને કહ્યું, "કૃપા કરીને લોકોના આ મોટા સમુદાયને મોકલી દો કે તેઓ આસપાસનાં ગામો અને ખેતરોમાં જઈને કંઈક ખોરાક અને રહેવા માટે સ્થળ શોધી શકે, કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ"
\v 13 પરંતુ તેમણે તેઓને કહ્યું, "તમારે જ તેમને ખાવા માટે કંઇક આપવું જોઈએ!" તેઓએ જવાબ આપ્યો, "અમારી પાસે જે કંઈ છે તે પાંચ નાની રોટલી અને બે નાની માછલી જ છે. અમે જઈને આ બધા લોકો માટે પુરતો ખોરાક ખરીદી શકતા નથી!"
\v 14 તેઓએ આમ કહ્યું કારણ કે ત્યાં લગભગ પાંચ હજાર પુરૂષો હતા. પછી ઈસુએ શિષ્યોને કહ્યું, "દરેક જૂથમાં આશરે પચાસ લોકો હોય તે રીતે, બધાં જ લોકોને જૂથમાં નીચે બેસવા કહો."
\s5
\v 15 તેથી શિષ્યોએ તે પ્રમાણે કર્યું અને બધાં જ લોકો બેસી ગયા.
\v 16 ત્યારપછી તેમણે પાંચ રોટલી અને બે માછલી લીધી. તેઓએ આકાશ તરફ જોયું અને તેના માટે ઈશ્વરની સ્તુતિ કરી. પછી તેમણે તેના ભાંગીને ટુકડા કરીને તેને લોકોમાં વહેંચવા માટે શિષ્યોને આપી.
\v 17 તેઓ સર્વએ ખાધું અને દરેકને ખાવા માટે પૂરતું મળ્યું. પછી શિષ્યોએ વધેલાં ખોરાકનાં ટૂકડા ભેગાં કર્યા, જેનાથી બાર ટોપલીઓ ભરાઈ.
\s5
\v 18 એક દિવસે જ્યારે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા અને તેમણે તેઓને પૂછ્યું, "હું કોણ છું તે વિષે લોકો શું કહે છે?
\v 19 તેઓએ જવાબ આપ્યો, "કેટલાક લોકો કહે છે કે તમે યોહાન બાપ્તિસ્મી છો, પરંતુ બીજા કહે છે કે તમે એલિયા પ્રબોધક છો, અને વળી બીજા કહે છે કે તમે ઘણા સમય પહેલાના પ્રબોધકોમાંના એક છો જે ફરીથી જીવીત થયા છે."
\s5
\v 20 તેમણે તેઓને પૂછ્યું, "તમારા વિષે શું? હું કોણ છું તે વિષે તમે શું કહો છો?" પિતરે જવાબ આપ્યો, "તમે ઈશ્વર પાસેથી આવેલા, ખ્રિસ્ત છો."
\v 21 પછી ઈસુએ તેઓને સખત ચેતવણી આપી કે તે વિષે હમણાં કોઈને કહેવું નહિ.
\v 22 પછી તેમણે કહ્યું, "મારે, માણસના દીકરાએ, ઘણું સહન કરવું જ પડશે: વડીલો, મુખ્ય યાજકો અને યહૂદી નિયમના શિક્ષકો દ્વારા મારો નકાર થશે અને મને મારી નાખવામાં આવશે. ત્યાર પછી, તેના ત્રીજા દિવસે, હું ફરીથી સજીવન થઈશ."
\s5
\v 23 પછી તેમણે તે સર્વને કહ્યું, "જો તમારામાંનો કોઈ મારા શિષ્ય તરીકે મને અનુસરવા માગે છે, તો તમારે માત્ર તમારી પોતાની ઇચ્છા પ્રમાણે જ ન કરવું, પણ તેથી વિશેષ, પોતાનું જીવન આપી દેવાની અણી સુધી, દરરોજ તમારે સહન કરવા તૈયાર રહેવું જોઈએ.
\v 24 તમારે તે કરવું જ જોઈએ, કારણ કે જેઓ પોતે પોતાનું જીવન બચાવવાનો પ્રયત્ન કરશે તેઓ અનંતકાળ માટે ગુમાવશે, પરંતુ જેઓ મારા શિષ્ય હોવાને લીધે તેમનું જીવન ગુમાવશે તેઓ અનંતકાળ માટે તેમના જીવનોને બચાવશે.
\v 25 જો તમે આ જગતમાં બધું જ મેળવો પરંતુ અંતમાં તે બધું ગુમાવવું પડે, અથવા તમારી પોતાની જાતને આપી દેવી પડે તો તેથી તમને શો ફાયદો?
\s5
\v 26 જ્યારે હું મારા મહિમામાં તથા પિતા તથા પવિત્ર દૂતોના મહિમામાં પાછો આવીશ ત્યારે જે લોકો મારા સંદેશનો નકાર કરે છે અને જેઓ મારા છે તેવું કહેવાનું નકારે છે તેઓનો, હું, માણસનો દીકરો પણ તેઓ મારા છે તેમ કહેવાનો નકાર કરીશ.
\v 27 પરંતુ હું તમને આ હકીકત કહું છું: તમારામાંના કેટલાક જેઓ હમણાં અહીં ઊભા છે તેઓ તમે જ્યાં સુધી ઈશ્વરને પોતે રાજા તરીકે જોશો નહિ ત્યાં સુધી મરશો નહિ!
\s5
\v 28 ઈસુએ તે વાતો કહ્યાના આઠ દિવસ પછી, તેમણે તેમની સાથે પિતર, યોહાન અને યાકૂબને લીધા, અને એક પર્વત ઉપર પ્રાર્થના કરવા માટે ગયા.
\v 29 જ્યારે તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે તેમના ચહેરાનો દેખાવ ખૂબ બદલાઈ ગયો અને તેમનાં કપડાં ચળકતાં સફેદ થયાં અને પ્રકાશની જેમ ચમકવા લાગ્યાં.
\s5
\v 30 અચાનક, ઘણા સમય પહેલાનાં બે પ્રબોધકો ત્યાં ઈસુની સાથે વાત કરવા લાગ્યા; તેઓ મૂસા અને એલિયા હતા.
\v 31 તેઓ મહિમાથી ઘેરાયેલાં દેખાયા, અને ઈસુની વિદાય, કે જે ટૂંક સમયમાં યરુશાલેમમાં પરિપૂર્ણ થવાની હતી તેના વિષે તેમની સાથે વાત કરી.
\s5
\v 32 પિતર અને બીજા શિષ્યો કે જેઓ તેમની સાથે હતા તેઓ ઘણા નિદ્રાવશ હતા. જ્યારે તેઓ જાગ્યા, ત્યારે તેઓએ ઈસુનો મહિમા જોયો; તેમણે બે વ્યક્તિઓને પણ તેમની સાથે ઊભી રહેલી જોઈ.
\v 33 જ્યારે મૂસા અને એલિયા ઈસુથી વિદાય લઇ રહ્યા હતા, ત્યારે પિતરે તેમને કહ્યું, "ગુરુજી, આપણે માટે અહીં રહેવું સારું છે! આપણે ત્રણ નિવાસસ્થાન બનાવવાં જોઈએ, એક તમારા માટે, એક મૂસા માટે, અને એક એલિયા માટે!" પરંતુ તે શું કહેતો હતો તેનો તેને ખરેખર ખ્યાલ ન હતો.
\s5
\v 34 જ્યારે તે આ બાબતો કહેતો હતો, ત્યારે એક વાદળું આવ્યું અને તેઓને ઢાંકી દીધા. વાદળાએ તેમને ઢાંકી દીધા તેથી શિષ્યો ગભરાયા.
\v 35 ઈશ્વરના અવાજે વાદળાંમાંથી તેમની સાથે વાત કરતાં કહ્યું, "આ મારો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે; તેનું સાંભળો!"
\v 36 જ્યારે વાણી પૂરી થઇ, ત્યારે ત્રણ શિષ્યોએ જોયું કે ત્યાં માત્ર ઈસુ જ હતા. તેઓ ચૂપ થઈ ગયા અને લાંબા સમય સુધી તેઓએ જે જોયું હતું તે કોઈને કહ્યું નહિ.
\s5
\v 37 બીજા દિવસે, જ્યારે તેઓ પર્વત પરથી નીચે ઊતર્યા, ત્યારે એક મોટું ટોળું ઈસુને મળ્યું.
\v 38 અચાનક ટોળામાંથી એક વ્યક્તિએ બૂમ પાડી, "ગુરુજી, હું તમને વિનંતી કરું છું, મારા દીકરાને સહાય કરવા માટે કંઇક કરો! તે મારું એકનું એક સંતાન છે.
\v 39 દુષ્ટાત્મા અચાનક તેને પકડે છે અને તેને ચીસો પડાવે છે. તે તેને હિંસક રીતે મરડી નાખે છે અને તેના મુખમાંથી ફીણ નીકળે છે. તે ભાગ્યે જ મારા બાળક પાસેથી દૂર જાય છે અને જ્યારે તે તેની પાસેથી જાય છે ત્યારે તે તેને ગંભીર રીતે ઈજા કરે છે.
\v 40 મેં તમારા શિષ્યોને તેનામાંથી તેને કાઢવા આદેશ આપવા વિનંતી કરી, પરંતુ તેઓ તેમ કરવા સમર્થ ન હતા!"
\s5
\v 41 તેના પ્રત્યુત્તરમાં, ઈસુએ કહ્યું, "આ પેઢીના લોકો વિશ્વાસ કરતા નથી અને તેથી તમારી વિચારસરણી ભ્રષ્ટ છે! તમે વિશ્વાસ કરો તે પહેલાં મારે કેટલો સમય તમારી સાથે રહેવું જોઈએ?" પછી તેમણે તે દીકરાના પિતાને કહ્યું, "તારા દીકરાને અહીં મારી પાસે લાવ!"
\v 42 જ્યારે તેઓ તે છોકરાને તેમની પાસે લાવી રહ્યા હતા ત્યારે, દુષ્ટ આત્માએ છોકરાને નીચે જમીન પર નાખી દીધો, અને તેને ગંભીર રીતે મરડી નાખ્યો. પરંતુ ઈસુએ દુષ્ટાત્માને ધમકાવ્યો અને છોકરાને સાજો કર્યો. પછી તેમણે તેને તેના પિતાને પાછો આપ્યો.
\s5
\v 43 ત્યારપછી જે સર્વ લોકો ત્યાં હતા તેઓ ઈશ્વરના મહાન પરાક્રમથી સંપૂર્ણ આશ્ચર્ય પામ્યા. જ્યારે તેઓ સર્વ હજુ ઈસુ જે ચમત્કારો કરી રહ્યા હતા તેના આશ્ચર્યમાં હતા ત્યારે, તેમણે તેમના શિષ્યોને કહ્યું,
\v 44 "હું જે કહેવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળો: હું, માણસનો દીકરો, ટૂંક સમયમાં મારા દુશ્મનોના હાથમાં સોંપાઈશ."
\v 45 પરંતુ તેઓ શું કહેવા માગતા હતા તે તેમના શિષ્યો સમજી શક્યા નહિ. ઈશ્વરે તેમને તે સમજતા રોક્યા, કે જેથી તેમનો કહેવાનો અર્થ શું હતો તે તેઓ હમણાં જાણે નહિ, અને તેમણે જે કહ્યું હતું તે વિષે તેઓ તેમને પૂછતાં ડરતા હતાં.
\s5
\v 46 થોડા સમય બાદ, શિષ્યો અંદરોઅંદર દલીલ કરવા લાગ્યા કે તેઓમાંનો કોણ સૌથી મહત્વનો હશે.
\v 47 પરંતુ ઈસુ જાણતા હતા કે તેઓ શું વિચારતા હતા, તેથી તેઓએ એક નાના બાળકને લાવીને તેમની વચ્ચે ઊભું રાખ્યું.
\v 48 તેમણે તેઓને કહ્યું, "જો કોઈ મારે લીધે આ નાના બાળકને આવકારે, તો તે મારો આવકાર કરવા બરાબર છે. અને જો કોઈ મારો આવકાર કરે છે, તો તે ઈશ્વરનો, જેમણે મને મોકલ્યો છે તેમનો આવકાર કર્યા બરાબર છે. યાદ રાખો કે તમારાંમાના જેઓ ખૂબ ઓછા મહત્વના દેખાય છે તેઓ તો એવા લોકો છે કે જેમને ઈશ્વર ખૂબ મહત્વના ગણે છે.
\s5
\v 49 યોહાને ઈસુને જવાબ આપ્યો, "ગુરુજી, અમે એક વ્યક્તિને જોઈ જે તમારું નામ લઈને લોકોમાંથી દુષ્ટાત્માઓને કાઢતી હતી. તેથી અમે તેને કહ્યું કે તે એમ કરવાનું બંધ કરે, કારણ કે તે માણસ આપણા જૂથના ભાગરૂપે તમને અનુસરતો નથી."
\v 50 પરંતુ ઈસુએ કહ્યું, "તેને તેમ કરતાં અટકાવશો નહીં! જો કોઈ તમને નુકસાન થાય તેવું કરતો નથી, તો તે જે કરે છે તે તમને મદદરૂપ છે!"
\s5
\v 51 જ્યારે ઈશ્વર તેમને સ્વર્ગમાં પાછા લઇ લેવાના હતા તે દિવસ નજીક આવવા લાગ્યો ત્યારે, ઈસુએ યરુશાલેમ જવાનો દ્રઢ નિશ્ચય કર્યો.
\v 52 તેમણે કેટલાક સંદેશાવાહકોને તેમના અગાઉ મોકલ્યા, અને તેઓ સમરૂન પ્રદેશમાંના ગામમાં પ્રવેશ્યા કે તેઓ તેના ત્યાં જવા સંબંધી તૈયારી કરે.
\v 53 પરંતુ સમરૂનીઓએ ઈસુને તેમના ગામમાં આવવા દીધા નહીં કારણ કે તેઓ યરુશાલેમ જવાના રસ્તા પર હતા.
\s5
\v 54 જ્યારે તેમના બે શિષ્યો, યાકૂબ અને યોહાને, તે સાંભળ્યું, ત્યારે તેઓએ કહ્યું, "પ્રભુ, શું તમે એવું ઈચ્છો છો કે અમે ઈશ્વર પાસે એવી માગણી કરીએ કે તેઓ સ્વર્ગમાંથી અગ્નિ મોકલે કે જેથી આ લોકોનો નાશ થાય?"
\v 55 પરંતુ ઈસુ તેમના તરફ ફર્યા અને કડકાઈથી તેઓને કહ્યું કે, એમ કહેવામાં તેઓ ખોટા હતા.
\v 56 તેથી તેઓ બીજા ગામમાં ગયા.
\s5
\v 57 જ્યારે ઈસુ અને તેમના શિષ્યો રસ્તા પર ચાલતા હતા ત્યારે, કોઈકે તેઓને કહ્યું, "તમે જ્યાં કઈ જશો ત્યાં હું તમારી સાથે આવીશ!"
\v 58 ઈસુએ જવાબ આપ્યો, "શિયાળોને જમીનમાં રહેવા માટે દર હોય છે, અને પક્ષીઓને માળા હોય છે, પરંતુ મને, માણસના દીકરાને, ઊંઘવા માટે ઘર નથી!"
\s5
\v 59 ઈસુએ બીજી વ્યક્તિને કહ્યું, "મારી પાછળ ચાલ!" પરંતુ તે વ્યક્તિએ કહ્યું, "પ્રભુ, પ્રથમ મને ઘરે જવા દો અને મારા પિતાના મરણ પછી તેમને દફનાવવા દો."
\v 60 પરંતુ ઈસુએ તેને કહ્યું, "જેઓ મૃત છે તેમને પોતાના મરેલાને દાટવા દે; પરંતુ તું જા અને બધે જઈને લોકોને કહે કે ઈશ્વર જલદી પોતાને રાજા તરીકે બતાવશે!"
\s5
\v 61 બીજા કોઈકે કહ્યું, "પ્રભુ, હું તમારી સાથે આવીશ અને તમારો શિષ્ય બનીશ, પરંતુ પ્રથમ મને ઘરે જવા દો કે મારા લોકોને વિદાયની સલામ કહું."
\v 62 ઈસુએ તેને કહ્યું, "જે કોઈ પોતાનું ખેતર ખેડવાનું શરુ કરે અને પછી તે પછવાડે જુએ તો તે ઈશ્વર જ્યારે દરેક બાબતો ઉપર રાજા તરીકે રાજ કરે ત્યારે તેમની સેવા કરવા સક્ષમ નથી."
\s5
\c 10
\p
\v 1 પછી, પ્રભુ ઈસુએ બીજા સિત્તેર શિષ્યોને ઉપદેશ કરવા જવા માટે નીમ્યા. જ્યાં તેઓ જવાની ઇચ્છા રાખતા હતા ત્યાં તેમણે તેઓને જોડીમાં બહાર મોકલવા માટે તૈયાર કર્યા કે તેઓ તેમની આગળ દરેક નગર અને ગામમાં જાય.
\v 2 તેમણે તેઓને કહ્યું, "ફસલ ખરેખર પુષ્કળ છે, પરંતુ કામદારો થોડા છે. તેથી ફસલના પ્રભુને પ્રાર્થના કરો અને ફસલની કાપણી માટે વધારે કામદારો મોકલવા માટે તેમને વિનંતી કરો.
\s5
\v 3 હવે જાઓ, પરંતુ યાદ રાખો કે હું તમને એવા લોકોની પાસે મારો સંદેશ કહેવા બહાર મોકલું છું કે જેઓ તમને ભગાડી મુકશે. તમે વરુઓ મધ્યે ઘેટાંના જેવા હશો.
\v 4 તમે સાથે નાણાં લેશો નહિ. મુસાફરીની થેલી લેશો નહિ. વધારાનાં પગરખાં લેશો નહિ. રસ્તામાં લોકોને સલામ કરવા રોકાશો નહિ.
\s5
\v 5 જ્યારે પણ તમે ઘરમાં પ્રવેશો ત્યારે, પ્રથમ તે લોકોને કહો, 'જેઓ આ ઘરમાં છે તેઓને ઈશ્વર શાંતિ આપો!'
\v 6 જો ત્યાં રહેનાર લોકો ઈશ્વરની શાંતિની ઇચ્છા રાખતા હશે તો, તમે જે શાંતિ તેઓને આપો છો તેનો તેઓ અનુભવ કરશે. જો ત્યાં રહેનાર લોકો ઈશ્વરની શાંતિની ઇચ્છા રાખતા નહિ હોય તો, જે શાંતિ તમે આપી છે તે તમારી પાસે પરત ફરશે.
\v 7 તમે તે ગામ છોડો ત્યાં સુધી તે જ ઘરમાં રહો. એક ઘરેથી બીજા ઘરે જશો નહિ. જે કંઈ તેઓ તમને પૂરું પાડે તે ખાઓ અને પીઓ, કારણ કે કામદાર પોતાના કામના બદલામાં મહેનતાણું મેળવવા માટે હક્કદાર છે.
\s5
\v 8 જ્યારે પણ તમે નગરમાં પ્રવેશો અને ત્યાંના લોકો તમને આવકારતાં જે કંઈ ખોરાક પૂરો પાડે તે ખાઓ.
\v 9 ત્યાં જેઓ માંદા હોય તેઓને સાજા કરો. તેઓને કહો, 'ઈશ્વર બહુ જલદી રાજા તરીકે સર્વત્ર રાજ કરશે.'
\s5
\v 10 પરંતુ જો તમે નગરમાં પ્રવેશો કે જેના લોકો તમને આવકારે નહિ, તો તમે તેના મુખ્ય રસ્તાઓ પર જાઓ અને કહો,
\v 11 'અમે તમારું નગર છોડી રહ્યા છીએ ત્યારે તમારી વિરુદ્ધ ચેતવણી તરીકે અમે અમારા પગ પર ચોંટેલી ધૂળ પણ ખંખેરી નાખીએ છીએ. તેમ છતાં આ નક્કી જાણજો કે; ઈશ્વર બહુ જલદી સર્વ બાબતો પર રાજા તરીકે રાજ કરશે.'
\v 12 હું તમને કહું છું કે અંતિમ દિવસે જ્યારે ઈશ્વર દરેકનો ન્યાય કરશે, ત્યારે લાંબા સમય અગાઉ સદોમ શહેરમાં રહેતા ખરાબ લોકો કરતાંં પણ વધુ ગંભીર સજા તે નગરના લોકોને કરવામાં આવશે!
\s5
\v 13 ખોરાજીન અને બેથસાઈદાનાં શહેરોમાં રહેતા લોકો માટે તે કેટલું ભયંકર હશે, કારણ કે તમે પસ્તાવો કરવાનું નકાર્યું! જે ચમત્કારો મેં તમારા માટે કર્યા તે જો પ્રાચીન શહેરો તૂર અને સિદોનમાં થયાં હોત, તો ત્યાં જે ખરાબ લોકો રહેતા હતા તેઓએ જમીન પર બેસીને શોક વસ્ત્રો પહેરીને તથા પોતાના માથા ઉપર રાખ લગાવીને બતાવ્યું હોત કે તેઓ તેમના પાપ માટે દિલગીર હતા.
\v 14 તેથી અંતિમ દિવસે જ્યારે ઈશ્વર સર્વનો ન્યાય કરશે, ત્યારે તેઓ તમને તૂર અને સિદોનમાં જે ખરાબ લોકો રહેતા હતા તેઓ કરતાં પણ વધુ ગંભીર સજા કરશે કારણ કે તમે પસ્તાવો કર્યો નહિ અને તમે મને ચમત્કારો કરતાં જોયો હોવા છતાં પણ મારામાં વિશ્વાસ કર્યો નહિ!
\v 15 કપર-નાહૂમ નગરમાં રહેતા લોકો મારે તમને પણ કંઇક કહેવું છે. શું તમને લાગે છે કે તમને ઉપર સ્વર્ગમાં માન મળશે? તેનાથી વિરુદ્ધ, તમને નીચે મરણ પામેલાંઓની જગ્યામાં ઉતારવામાં આવશે!"
\s5
\v 16 ઈસુએ શિષ્યોને પણ કહ્યું, "જે કોઈ તમારો સંદેશ સાંભળે છે તે મને સાંભળે છે, અને જે કોઈ તમારો સંદેશ નકારે છે તે મને નકારે છે. તથા જે કોઈ મને નકારે છે તે ઈશ્વરનો, કે જેમણે મને મોકલ્યો છે તેમનો પણ નકાર કરે છે."
\s5
\v 17 જે સિત્તેર શિષ્યો જેમને ઈસુએ નીમ્યા તેઓ ગયા અને જેમ તેમણે કહ્યું હતું તેમ કર્યું. જ્યારે તેઓ પાછા ફર્યા, ત્યારે તેઓ ખૂબ આનંદિત હતા. તેઓએ કહ્યું, "પ્રભુ, જ્યારે અમે તમારા અધિકારથી દુષ્ટાત્માઓને લોકોમાંથી નીકળી જવાનો આદેશ આપ્યો ત્યારે તેઓ પણ અમને આધીન થયા!"
\v 18 તેમણે જવાબ આપ્યો, "જ્યારે તમે તેમ કરતાં હતા, ત્યારે વીજળીની માફક મેં શેતાનને અચાનક અને ઝડપથી સ્વર્ગમાંથી પડતો જોયો!
\v 19 સાંભળો! મેં તમને દુષ્ટાત્માઓ પર હુમલો કરવાનો અધિકાર આપ્યો છે. તેઓ તમને હાનિ પહોંચાડશે નહિ. મેં તમને આપણા દુશ્મન, શેતાન કરતા બળવાન થવાનો અધિકાર આપ્યો છે. કંઈપણ વસ્તુ તમને ઈજા પહોંચાડશે નહિ.
\v 20 પરંતુ દુષ્ટાત્માઓ તમને આધીન થયા તેથી જેમ તમે આનંદ કરો છો, તેમ તમારા નામ સ્વર્ગમાં લખાયેલાં છે તે માટે તમારે વધુ આનંદ કરવો જોઈએ."
\s5
\v 21 તે જ સમયે ઈસુ પવિત્ર આત્માના મહાન આનંદથી ભરપૂર થયા. તેમણે કહ્યું, "પિતા, તમે સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ બાબતોના પ્રભુ છો. કેટલાક લોકો એવું વિચારે છે કે તેઓ સમજદાર છે કારણ કે તેઓ શિક્ષિત છે. પરંતુ હું તમારી સ્તુતિ કરું છું કે તમે તેઓને આ બાબતો જાણતા રોક્યા છે. તેના બદલે, બાળકોની માફક જેઓ તમારા સત્યને સહેલાઈથી સ્વીકારે છે તેઓને તમે તે વાતો પ્રગટ કરી છે. હા, પિતા, તમે તેમ કર્યું છે કારણ કે તમને તેમ કરવાનું પસંદ પડ્યું.
\s5
\v 22 ઈસુએ શિષ્યોને પણ કહ્યું, "ઈશ્વર, મારા પિતાએ, મને બધું જ આપ્યું છે. માત્ર મારા પિતા જ મને, એટલે કે તેમના દીકરાને જાણે છે. વધુમાં, માત્ર હું, દીકરો જ, ખરેખર જાણું છું કે પિતા કોણ છે- એટલે કે, માત્ર હું અને જેઓને હું તેમને પ્રગટ કરવા પસંદ કરું તે લોકો જ ખરેખર તેમને ઓળખે છે."
\s5
\v 23 પછી જ્યારે તેમના શિષ્યો તેમની સાથે એકલા હતા, ત્યારે તેઓએ તેમની તરફ ફરીને કહ્યું, "મેં જે કર્યું છે તે તમને બતાવીને ઈશ્વરે તમને મહાન ભેટ આપી છે!
\v 24 હું ઈચ્છું છું કે તમે જાણો કે અગાઉ થઈ ગયેલા ઘણા પ્રબોધકો અને રાજાઓ હું જે કરું છું તે જોવાની ઇચ્છા રાખતા હતા, પરંતુ તેઓ તે જોઈ શક્યા નહિ, કારણ કે તે સમયે એ બાબતો બની ન હતી. જે વાતો તમે મને બોલતા સાંભળી રહ્યા છો, તે બાબતો તેઓ સાંભળવાની ઇચ્છા રાખતા હતા, પરંતુ મેં તે સમયે તે બાબતો પ્રગટ કરી ન હતી."
\s5
\v 25 એક દિવસે જ્યારે ઈસુ લોકોને શીખવી રહ્યા હતા ત્યારે, યહૂદી નિયમશાસ્ત્રનો એક શિક્ષક ત્યાં હતો. તે મુશ્કેલ પ્રશ્ન પૂછીને ઈસુની કસોટી કરવાની ઇચ્છા રાખતો હતો. તેથી તે ઊભો થયો અને પૂછ્યું, "ગુરુજી, ઈશ્વર સાથે સદાકાળ જીવવા માટે મારે શું કરવું જોઈએ?"
\v 26 ઈસુએ તેને કહ્યું, "મૂસાએ ઈશ્વરે આપેલા નિયમોમાં જે લખ્યું છે તે તેં વાંચ્યું છે? તે નિયમો શું કહે છે?
\v 27 તે વ્યક્તિએ જવાબ આપ્યો, "પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા આત્માથી, તારા પૂરા સામર્થ્યથી અને તારા પૂરા મનથી પ્રેમ કર. અને તારા પાડોશી પર તું પોતા પર કરે છે તેટલો પ્રેમ કર."
\v 28 ઈસુએ જવાબ આપ્યો, "તેં યોગ્ય જવાબ આપ્યો. જો તે બધું તું કરે, તો તું ઈશ્વર સાથે સદાકાળ રહીશ."
\s5
\v 29 પરંતુ તે વ્યક્તિ જે રીતે તે બીજા સાથે વર્તન કરતો હતો તે વિષે પોતાને યોગ્ય ઠરાવવાનું કારણ શોધવા ઇચ્છતો હતો. તેથી ઈસુને તેણે કહ્યું, મારા પાડોશીઓ કોણ છે કે જેઓને મારે પ્રેમ કરવો જોઈએ?"
\v 30 ઈસુએ જવાબ આપ્યો, "એક દિવસ, એક યહૂદી યરુશાલેમથી યરીખો જવાના રસ્તા પર થઈને મુસાફરી કરી રહ્યો હતો. જ્યારે તે મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે કેટલાક લુંટારાઓએ તેના પર હુમલો કર્યો. તેઓ તે વ્યક્તિનાં કપડાં તથા તેની પાસે જે હતું તે બધું જ લઈ ગયા, અને તેને મરણતોલ માર માર્યો. પછી તેઓએ તેને છોડી દીધો.
\s5
\v 31 એવું થયું કે એક યહૂદી યાજક તે રસ્તા પર થઈને જતો હતો. જ્યારે તેણે તેને જોયો, ત્યારે તેને મદદ કરવાને બદલે, તે રસ્તાની બીજી તરફથી પસાર થઈ ગયો.
\v 32 તેવી જ રીતે, એક લેવી, જે ઈશ્વરના ભક્તિસ્થાનમાં કાર્ય કરતો હતો, તે સ્થળ પર આવ્યો અને તે વ્યક્તિને જોયો. પરંતુ તે પણ રસ્તાની બીજી તરફથી પસાર થઈ ગયો.
\s5
\v 33 ત્યારબાદ સમારિયા પ્રાંતનો એક માણસ જે રસ્તા પર આ મુસાફર પડ્યો હતો ત્યાં આવ્યો. જ્યારે તેણે તેને જોયો, ત્યારે તેને તેના પર દયા આવી.
\v 34 તે તેની નજીક ગયો અને તેના ઘા પર જૈતૂનનું થોડું તેલ અને દ્રાક્ષારસ લગાડ્યાં કે જેથી તેનાથી ઘા રુઝવામાં સહાય મળે. તેણે ઘાની આસપાસ કપડાની પટ્ટીઓ વીંટાળી. પછી તે તેને તેના પોતાના ગધેડા પર બેસાડીને ધર્મશાળામાં લઈ ગયો અને તેની સંભાળ લીધી.
\v 35 બીજી સવારે તેણે ધર્મશાળાના માલિકને ચાંદીનાં બે સિક્કા આપ્યા અને કહ્યું, 'આ વ્યક્તિની સંભાળ લેજે. જો તું તેની સંભાળમાં આના કરતાંં પણ વધારે ખર્ચે, તો હું પાછો ફરીશ ત્યારે હું તને તે ચૂકવીશ.'"
\s5
\v 36 પછી ઈસુએ કહ્યું, "જેના પર લુંટારાઓએ હુમલો કર્યો તેને ત્રણ વ્યક્તિઓએ જોયો. તેમાંની કઈ વ્યક્તિએ બતાવ્યું કે તે તે વ્યક્તિનો સાચો પાડોશી છે?"
\v 37 નિયમના શિક્ષકે જવાબ આપ્યો, "જે તે વ્યક્તિ પ્રત્યે ભલાઈપૂર્વક વર્ત્યો તે." ઈસુએ તેને કહ્યું, "હા, તેથી તારે હવે જવું જોઈએ અને જે દરેકને તું મદદ કરી શકે તેમના માટે તે પ્રમાણે કરવું જોઈએ!"
\s5
\v 38 ઈસુ અને તેમના શિષ્યોએ મુસાફરી ચાલુ રાખી, તેઓ યરુશાલેમની નજીકના ગામમાં પ્રવેશ્યા. એક સ્ત્રી જેનું નામ માર્થા હતું તેણે તેઓને તેના ઘરે આવવા આમંત્રણ આપ્યું.
\v 39 તેની નાની બહેન, જેનું નામ મરિયમ હતું, તે ઈસુના ચરણો નજીક બેઠી હતી. તે તેઓ જે શીખવી રહ્યા હતા તે, તે સાંભળતી હતી.
\s5
\v 40 પરંતુ માર્થા ભોજન તૈયાર કરવા વિષે ઘણી ચિંતાતુર હતી. તેણે જઈને ઈસુને કહ્યું, "પ્રભુ, શું તમને ચિંતા નથી કે મારી બહેને બધું તૈયાર કરવા મને એકલી છોડી દીધી છે? કૃપા કરીને તેને કહો કે તેણે મને મદદ કરવી જોઈએ!"
\v 41 પરંતુ પ્રભુએ જવાબ આપ્યો, "માર્થા, માર્થા, તું ઘણી બાબતો વિષે ખૂબ ચિંતા કરે છે.
\v 42 પરંતુ હું જે શીખવી રહ્યો છું તે સાંભળવું તે જ એક માત્ર ખરેખરી જરૂરી બાબત છે. મરિયમે શ્રેષ્ઠ પસંદગી કરી છે. તે કરવા દ્વારા તે જે આશીર્વાદ મેળવે છે તે તેની પાસેથી લઈ લેવામાં આવશે નહિ."
\s5
\c 11
\p
\v 1 એક દિવસે ઈસુ કોઈક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. જ્યારે તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે, તેઓના શિષ્યોમાંના એકે તેમને કહ્યું, "પ્રભુ, જેમ યોહાને તેના શિષ્યોને શીખવ્યું, તેમ જ્યારે અમે પ્રાર્થના કરીએ ત્યારે અમારે શું કહેવું તે અમને શીખવ!"
\s5
\v 2 તેમણે તેઓને કહ્યું, "જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આવું કહો: 'હે પિતા, સર્વ લોક તમારા નામને પવિત્ર માને. તમે જલદી જ સર્વ જગ્યાના સર્વ લોકો પર રાજ કરો.
\s5
\v 3 કૃપા કરીને દરરોજ અમને જે ખોરાકની જરૂર છે તે અમને આપો.
\v 4 જેવી રીતે અમે પોતે, જે લોકોએ અમારા પ્રત્યે ખોટા કાર્યો કર્યા છે તેઓને માફ કરીએ છીએ, તેવી રીતે જે ખોટી બાબતો અમે કરી છે તેના માટે અમને ક્ષમા કરો. જ્યારે અમારું પરીક્ષણ થાય ત્યારે અમે પાપ ન કરીએ માટે અમને મદદ કરો.'"
\s5
\v 5 પછી તેમણે તેઓને કહ્યું, "ધારો કે તમારામાંનો કોઈ મધરાતે તમારા મિત્રના ઘરે જાય. ધારો કે તમે બહાર ઊભા હો અને તેને બૂમ પાડો, 'મારા મિત્ર, કૃપા કરીને મને ત્રણ રોટલી ઉછીની આપ!
\v 6 મારો બીજો એક મિત્ર જે મુસાફરી કરે છે તે હમણાં જ મારા ઘરે આવ્યો છે, પણ મારી પાસે કોઈ ખોરાક તૈયાર નથી કે હું તેને આપું!'
\v 7 ધારો કે તે તમને ઘરની અંદરથી જવાબ આપે, 'મને હેરાન કરીશ નહીં! દરવાજો બંધ છે અને મારું કુટુંબ સૂઈ ગયું છે. તેથી હું ઊભો થઈ અને તને કઈ આપી નહિ શકુ!'
\v 8 હું તમને કહું છું, જો કે તું તેનો મિત્ર છે તો પણ તે ઊઠીને તને કોઈ ખોરાક આપવા માગતો ન હોય. તોપણ તું સતત તેની પાસે માગી રહ્યો છે, તેથી તે નક્કી ઊભો થશે અને તને જે કંઈ બાબતની જરૂર છે તે આપશે.
\s5
\v 9 તેથી હું તમને કહું છું: તમને જેની જરૂર છે તે ઈશ્વર પાસે માગતા રહો, અને તેઓ તમને તે આપશે. તેમની ઇચ્છાને શોધ્યા કરો અને તેઓ તમને જણાવશે. જેમ કોઈ વ્યક્તિ દરવાજો ખટખટાવે, તેમ તમે ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરો અને તેઓ તમે જે પ્રાર્થના કરો છો તે આપવા માટે દ્વાર ઉઘાડશે.
\v 10 યાદ રાખો કે જે કોઈ માગે છે તે પામે છે અને જે કોઈ શોધે છે તેને જડશે, અને જે કોઈ ખટખટાવે છે તેના પોતાના માટે દરવાજો ખૂલશે.
\s5
\v 11 જો તમારામાંના કોઈને દીકરો હોય અને તે ખાવા માટે માછલી માગે, તો તમે તેને, તેના બદલે ઝેરી સાપ નહીં જ આપો, શું તમે આપશો?
\v 12 અને જો તે તમારી પાસે ઈંડું માગે, તો તમે તેને, તેના બદલે વીંછી નહીં જ આપો, શું તમે આપશો?
\v 13 તમે લોકો પાપી હોવા છતાં પણ, તમે જાણો છો કે તમારા બાળકોને સારી વસ્તુઓ કેવી રીતે આપવી. તેથી એ વધારે ખાતરીપૂર્વક છે કે તમારા સ્વર્ગમાંના પિતા પાસે જો તમે પવિત્ર આત્મા માગશો તો તેઓ તમને પવિત્ર આત્મા આપશે."
\s5
\v 14 એક દિવસ ઈસુ પાસે એક માણસ આવ્યો કે જે બોલવા અસમર્થ હતો, કારણ કે એક દુષ્ટાત્મા તેને નિયંત્રણમાં રાખતો હતો. ઈસુએ તે દુષ્ટાત્માને બહાર કાઢ્યા પછી, તે માણસ વાતો કરવા લાગ્યો અને ત્યાંના મોટા ભાગના લોકો આશ્ચર્યચકિત થયા.
\v 15 પરંતુ તેઓમાંના કેટલાકે કહ્યું, "તે તો દુષ્ટાત્માઓનો સરદાર બાલઝબૂલ છે, જે આ માણસને દુષ્ટ આત્માઓને કાઢવા સમર્થ કરે છે.
\s5
\v 16 ત્યાંના બીજા લોકોએ તેને ચમત્કાર કરવા કહ્યું કે જેથી સાબિત થાય કે તેઓ ઈશ્વર તરફથી છે.
\v 17 પરંતુ તેઓ જાણતા હતા કે તે લોકો શું વિચારે છે. તેથી તેમણે તેઓને કહ્યું, "જો એક જ દેશના લોકો એકબીજા સાથે લડે, તો તેમનો દેશ નાશ પામશે. જો એક જ ઘરના લોકો એકબીજાનો વિરોધ કરે, તો તે કુટુંબ ભાગી પડશે.
\s5
\v 18 તેવી જ રીતે, જો શેતાન અને તેના દુષ્ટાત્માઓ એકબીજા સાથે લડે, તો તેઓ પર તેનું રાજ નક્કી કાયમ રહેશે નહિ! હું આ કહું છું કારણ કે તમે કહો છો કે હું દુષ્ટાત્માના શાસકની મદદથી તેઓને કાઢું છું!
\v 19 હવે, જો તે ખરેખર સાચું હોય કે શેતાન મને દુષ્ટાત્માઓ કાઢવા સમર્થ કરે છે, તો શું તે સાચું છે કે તમારા શિષ્યો જેઓ દુષ્ટાત્માઓને કાઢે છે તેઓ તે શેતાનના સામર્થ્યથી કરે છે? નિશ્ચે એવું નથી! તેથી તેઓ તે સાબિત કરે છે કે તમે ખોટા છો.
\v 20 પણ જો હું ખરેખર ઈશ્વરના સામર્થ્યથી તેઓને કાઢું છું, તો હું તમને બતાવું છું કે ઈશ્વરે તમારા પર રાજ કરવાનું શરુ કરી દીધું છે."
\s5
\v 21 ઈસુએ કહેવાનું ચાલુ રાખ્યું, "કોઈ બળવાન વ્યક્તિ કે જેની પાસે પોતાના ઘરના રક્ષણને સારું હથિયારો છે, તેથી કોઈ તેના ઘરમાંનું કંઈ ચોરી શકતો નથી.
\v 22 પરંતુ જ્યારે કોઈ તેનાથી વધારે બળવાન વ્યક્તિ તેના પર હુમલો કરે અને તેને જીતે, ત્યારે હથિયારો કે જેના પર તે વ્યક્તિ આધાર રાખતી હતી તેને લઇ જવા તે સમર્થ છે.
\v 23 કોઈપણ જે મારા સમર્થનમાં નથી તે મારો વિરોધ કરે છે, અને જે લોકોને મારી પાસે લાવતો નથી તે તેમને મારાથી દૂર જવા પ્રેરે છે."
\s5
\v 24 પછી ઈસુએ આ કહ્યું: "કેટલીક વાર જ્યારે દુષ્ટાત્મા કોઈને છોડીને જાય છે, ત્યારે તે ઉજ્જડ સ્થાનોમાં રાહત શોધતો ફરે છે. જો તેને તેવું કંઈપણ ન મળે તો તે પોતાને કહેશે, 'જેનામાં હું રહેતો હતો તેમાં હું પાછો જઈશ!'
\v 25 તેથી તે પાછો જશે અને તે વ્યક્તિને વાળેલા અને યોગ્ય રીતે ગોઠવાયેલા ઘરના જેવો જોશે કે જે હજી પણ ખાલી છે.
\v 26 પછી આ દુષ્ટાત્મા જાય છે અને બીજા સાત આત્મા કે જેઓ તેનાથી વધુ ખરાબ છે તેઓને લઇ આવે છે. તેઓ સઘળા તે વ્યક્તિમાં પેસે છે અને ત્યાં રહેવા લાગે છે. તેથી તે વ્યક્તિની હાલત પહેલાં કરતાં વધારે ખરાબ થશે."
\s5
\v 27 જ્યારે ઈસુએ આમ કહ્યું, ત્યારે એક સ્ત્રી જે આ સંભાળતી હતી તે જોરથી બૂમો પાડવા લાગી, "જેણે તમને જન્મ આપ્યો છે અને જેણે તમને પોતાનું સ્તનપાન કરાવ્યું છે તે સ્ત્રી કેટલી આશીર્વાદિત છે!"
\v 28 પછી તેમણે જવાબ આપ્યો, "જે તેમનો સંદેશ સાંભળે છે અને તેને અનુસરે છે તે ઈશ્વર દ્વારા વધારે આશીર્વાદિત છે!"
\s5
\v 29 જ્યારે વધારે અને વધારે લોકો ઈસુની પાસેના ટોળામાં આવતા હતા, ત્યારે તેમણે કહ્યું, "આ સમયે જે લોકો જીવે છે તે દુષ્ટ લોકો છે. તમારામાંના ઘણા ઇચ્છે છે કે હું ઈશ્વર પાસેથી આવ્યો છું તે સાબિત કરવા હું ચમત્કાર કરું. પરંતુ યૂના માટે જે ચમત્કાર તમે જોયો તે એક માત્ર સાબિતી તમે પ્રાપ્ત કરશો.
\v 30 જેમ ઘણા સમય અગાઉ ઈશ્વરે યૂના માટે જે ચમત્કાર કર્યો તે નિનવેના લોકો માટે સાક્ષીરૂપ હતો, તેમ ઈશ્વર પણ તેવો જ ચમત્કાર માણસના દીકરા માટે કરશે, કે જે હાલમાં જીવી રહેલા લોકો માટે સાક્ષીરૂપ હશે.
\s5
\v 31 ઘણા સમય અગાઉ શેબાની રાણી ઘણે દૂરથી મુસાફરી કરીને સુલેમાનની જ્ઞાની વાતો સાંભળવા આવી. અને હવે સુલેમાન કરતા ઘણો મોટો માણસ અહીં છે, પરંતુ મેં જે કહ્યું તે ખરેખર તમે સાંભળ્યું નથી. તેથી, જે સમયે ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરશે, ત્યારે તે રાણી ત્યાં ઊભી રહેશે અને આ સમયના લોકોને દોષિત ઠરાવશે.
\s5
\v 32 જ્યારે યૂનાએ ઉપદેશ કર્યો ત્યારે જે લોકો પ્રાચીન નિનવે નગરમાં રહેતા હતા તેઓ પોતાના પાપી માર્ગોમાંથી પાછા ફર્યા. અને હવે હું, જે યૂના કરતાં મોટો છું, તે આવ્યો છું અને તમને ઉપદેશ કર્યો છે, પરંતુ તમે તમારા પાપી માર્ગોમાંથી ફર્યા નહીં. તેથી, તે સમયે જ્યારે ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરશે ત્યારે, જે લોકો ઘણા સમય અગાઉ નિનવેમાં થઈ ગયા તેઓ ઊભા થશે અને અત્યારે જે લોકો જીવિત છે તેમને દોષિત ઠરાવશે.
\s5
\v 33 "લોકો જે દીવો સળગાવે છે તેને તેઓ છુપાવતા નથી, કે તેને ટોપલી નીચે મૂકતા નથી. તેના બદલે, તેઓ તેને દીવી પર મૂકશે કે જેથી જેઓ ઓરડામાં કે ઘરમાં પ્રવેશે તેમને પ્રકાશ મળે.
\v 34 તમારી આંખ તે તમારા શરીરનો દીવો છે. જો તમારી આંખ સ્વસ્થ હોય, તો તમારું આખું શરીર પ્રકાશે ભરેલું હશે. જો, તેની વિરુદ્ધ, તે અસ્વસ્થ હોય, તો તમારું આખું શરીર અંધકારથી ભરેલું હશે.
\v 35 તેથી, સાવચેત રહો કે તમારામાં જે પ્રકાશ છે તે અંધકાર ન હોય.
\v 36 જો તમારું આખું શરીર પ્રકાશે ભરેલું હોય અને તેનો કોઈ ભાગ અંધકારમય ન હોય, તો જેમ દીવાનો પ્રકાશ તમને સઘળું સ્પષ્ટ રીતે જોવા સમર્થ કરે છે તેમ તમારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે.
\s5
\v 37 ઈસુ તે બાબતો બોલી રહ્યા ત્યારબાદ, એક ફરોશીએ તેમને જમવા બોલાવ્યાં. તેથી ઈસુ તે ફરોશીને ઘરે ગયા અને મેજ પાસે ટેકો લઈને બેઠા.
\v 38 જ્યારે તે ફરોશીએ જોયું કે ઈસુએ ધાર્મિક ક્રિયા પ્રમાણે જમતા પહેલા હાથ ધોયા નથી ત્યારે તે આશ્ચર્ય પામ્યો.
\s5
\v 39 પ્રભુ ઈસુએ તેને કહ્યું, "તમે ફરોશીઓ જમતાં અગાઉ વાટકી અને થાળી જમ્યાં પહેલાં બહારથી ધુઓ છો, પરંતુ તમારી અંદર તો તમે ઘણા લોભી અને દુષ્ટ છો.
\v 40 અરે મૂર્ખ લોકો! નક્કી તમે જાણો કે ઈશ્વરે માત્ર બહારનું બનાવ્યું નથી, પરંતુ તેમણે અંદરનું પણ બનાવ્યું છે!
\v 41 થાળીઓ બહારથી ધાર્મિક ક્રિયા પ્રમાણે ચોખ્ખી છે કે નહિ તેની ચિંતા કરવાને બદલે, ભલા બનો અને જે થાળીની અંદર છે તે જેને તેની જરૂર છે તેને આપો, અને પછી તમારી અંદર અને બહાર બંને બાજુ ચોખ્ખી થશે.
\s5
\v 42 પરંતુ તે તમો ફરોશીઓ માટે કેટલું ભયંકર હશે! તમે ઘણી કાળજીપૂર્વક ઈશ્વરને તમારી સર્વ બાબતોનો, એટલે કે જે ઔષધિ તમારા બાગમાં ઊગે છે તેનો પણ દશમો ભાગ આપો છો. પરંતુ પછી તમે ઈશ્વરને પ્રેમ કરતા નથી અથવા બીજાઓ સાથે ન્યાયથી વર્તતા નથી. તમારે તેની ખાતરી કરવી જોઈએ કે તમે ઈશ્વરને અર્પણ કરવા ઉપરાંત તેમને પ્રેમ કરો અને તમે બીજા સાથે ન્યાયથી વર્તો.
\s5
\v 43 પરંતુ તે તમો ફરોશીઓ માટે કેટલું ભયંકર હશે, કારણ કે સભાસ્થાનમાં તમે અગત્યની જગ્યાઓએ બેસવાનું પસંદ કરો છો, અને બજારોમાં લોકો તમને ખાસ માનથી આવકારે તે તમને ગમે છે.
\v 44 પરંતુ તે તમારે માટે કેટલું ભયંકર હશે, કારણ કે તમે ચિહ્ન વિનાની કબરો જેવા છો જેને જોઈ શકાતી નથી, જેથી લોકો તેના ઉપરથી પસાર થાય છે અને વિધિવત રીતે અશુદ્ધ થાય છે."
\s5
\v 45 યહૂદી નિયમના શિક્ષકોમાંના એકે જવાબ આપ્યો, "શિક્ષક, આમ કહીને તમે અમારી પણ ટીકા કરો છો!"
\v 46 ઈસુએ કહ્યું, "તમે જે યહૂદી નિયમના શિક્ષકો છો તમારા માટે તે કેટલું ભયંકર હશે! તમે ઘણાં જ ભારે બોજાથી લોકોને દબાવો છો, છતાં તમે તે લોકો જેઓ તે બોજાને સહન કરે છે તેઓને માટે નાની બાબતોમાં મદદ પણ કરતા નથી.
\s5
\v 47 તમારા માટે તે કેટલું ભયંકર હશે, કારણ કે પ્રબોધકોની કબરો માટે ચિહ્ન સ્વરૂપે તમે ઇમારતો બનાવો છો, પરંતુ તે તમારા પૂર્વજો જ હતા જેઓએ તેમને મારી નાખ્યા.
\v 48 તેથી જ્યારે તમે આ ઇમારતો બાંધો છો, ત્યારે તમે જાહેર કરો છો કે તમારા પૂર્વજોએ જ્યારે તે પ્રબોધાકોને મારી નાખ્યા તે કાર્યમાં તમે સંમત છો.
\s5
\v 49 તેથી ઈશ્વરે, જે ઘણા જ જ્ઞાની છે, તેમણે કહ્યું, 'હું પ્રબોધકોને અને પ્રેરિતોને મોકલીશ કે તેઓ મારા લોકોને દોરે. પરંતુ તેઓને તેમનાથી ઘણું જ સહન કરવું પડશે અને તેઓમાંના ઘણાને તેઓ મારી પણ નાંખશે.'
\v 50 તેના પરિણામે, જે સમયથી પૃથ્વીનું સર્જન થયું તે સમયથી ઈશ્વરના સર્વ પ્રબોધાકોની હત્યાઓના દોષિત હમણાં જીવિત એવા ઘણા લોકોને ગણવામાં આવશે.
\v 51 જ્યારથી હાબેલની તેના ભાઈ દ્વારા હત્યા થઇ ત્યારથી ઝખાર્યા પ્રબોધક જે યજ્ઞવેદી તથા પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો તેના સુધી. હા, હમણાં જીવિત લોકોને તે સર્વ પ્રબોધકોની હત્યા માટે દોષિત ગણવામાં આવશે!
\s5
\v 52 તમે જેઓ યહૂદી નિયમ શીખવો છો તે માણસો માટે તે કેટલું ભયંકર હશે. તમારા કારણે લોકો ઈશ્વર તેઓ પર રાજ કરે તે માટે શું કરવું તે જાણી શકતા નથી! તમે ઈશ્વરને તમારા પર રાજ કરવા દેતા નથી, અને જે લોકો ઈશ્વર તેઓ પર રાજ કરે એવું ઈચ્છે છે તેઓના માર્ગમાં અંતરાય બનો છો."
\s5
\v 53 ઈસુ તે બાબતો બોલી રહ્યા પછી, તેઓ તે જગ્યાએથી જતા રહ્યા. પછી જેઓ યહૂદી નિયમના શિક્ષકો હતા તેઓ અને ફરોશીઓ તેમના પ્રત્યે દુશ્મનાવટથી વર્તવા લાગ્યા. તેઓ હેતુપૂર્વક તેમને ઘણી બાબતો વિષે પ્રશ્નો પૂછવા લાગ્યા.
\v 54 તેઓ કંઈક ખોટું બોલે તેની તેઓ રાહ જોતા રહ્યા કે જેને લીધે તેઓ તેમના પર દોષ મૂકે.
\s5
\c 12
\p
\v 1 તે દરમ્યાન, હજારોની સંખ્યામાં લોકો ઈસુની પાસે એકત્રિત થયા. તેઓ એટલા બધા હતા કે તેઓ એકબીજા પર પડાપડી કરવા લાગ્યા. પરંતુ પ્રથમ તેમણે તેમના શિષ્યોને કહ્યું, "ફરોશીઓ કે જેઓ લોકોના દેખતા ધાર્મિક કાર્યો કરે છે, પરંતુ ગુપ્તમાં ખરાબ કાર્યો કરે છે, તેમના જેવા તમે ન થાઓ માટે સાવધાન રહો. જેમ ગુંદેલા લોટને આથો ફુલાવે છે, તેમ તેમનાં ખરાબ કાર્યો બીજાઓને તેમના જેવા દંભી બનાવે છે.
\s5
\v 2 લોકો પોતાના પાપોને ઢાંકી શકશે નહિ. જે બધું લોકો હમણાં છુપાવવાનો પ્રયત્ન કરે છે તે કોઇક દિવસ ઈશ્વર સર્વના ધ્યાનમાં લાવશે.
\v 3 જે સર્વ બાબતો તમે અંધકારમાં બોલશો, તેને કોઈક દિવસ લોકો પ્રકાશમાં સાંભળશે. જે કંઈ તમે ઓરડામાં ધીમેથી કહેશો તે કોઈક દિવસ એવું જાહેર થશે કે જાણે તમે તેને છાપરા પર બૂમો પાડીને કહ્યું હોય."
\s5
\v 4 "મારા મિત્રો, ધ્યાનથી સાંભળો! લોકોથી ડરશો નહિ; તેઓ તમારી હત્યા કરી શકે છે, પરંતુ ત્યારબાદ તેઓ તમને કંઈ વધારે કરી શકશે નહિ!
\v 5 પરંતુ હું તમને તે એક જણ વિષે ચેતવું છું કે જેનાથી તમારે ખરેખર ડરવું જોઈએ. તમારે ઈશ્વરથી ડરવું જોઈએ, કારણ કે લોકોને મારી નાખવાનો તેમને અધિકાર છે એટલું જ નહિ, પરંતુ ત્યારબાદ તેમને નરકમાં નાખવાનો પણ તેમને અધિકાર છે! હા, ખરેખર તેઓ જ છે કે જેમનાથી તમારે ડરવું જોઈએ!
\s5
\v 6 ચકલીઓનો વિચાર કરો. તેઓનું મૂલ્ય એટલું ઓછું છે કે તમે તેમાંની પાંચને બે નાના સિક્કામાં ખરીદી શકો છો અને છતાં ઈશ્વર તેઓમાંની એકને પણ ભૂલતા નથી!
\v 7 ઈશ્વર તે પણ જાણે છે કે તમારા માથા પર કેટલા વાળ છે. બીશો નહિ, કારણ કે ઘણી ચકલીઓ કરતાં તમે ઈશ્વરને માટે અતિ મૂલ્યવાન છો.
\s5
\v 8 વળી, હું તમને એ પણ કહું છું, કે જો લોકો બીજાઓને કહે કે તેઓ મારા શિષ્યો છે, તો હું, માણસનો દીકરો, ઈશ્વરના દૂતો આગળ કહીશ કે તેઓ મારા શિષ્યો છે.
\v 9 પરંતુ જો તેઓ બીજાઓ આગળ કહેશે કે તેઓ મારા શિષ્યો નથી, તો હું ઈશ્વરના દૂતો આગળ કહીશ કે તેઓ મારા શિષ્યો નથી.
\v 10 હું તમને એ પણ કહું છું કે જો લોકો મારા, એટલે માણસના દીકરા, સંબંધી ખરાબ બાબતો કહે, તો ઈશ્વર તે તેઓને માફ કરશે. પરંતુ જો લોકો પવિત્ર આત્મા સંબંધી ખરાબ બાબતો કહે, તો ઈશ્વર તેઓને તેના માટે માફ કરશે નહિ.
\s5
\v 11 તેથી જ્યારે લોકો તમને સભાસ્થાનોમાં ધાર્મિક આગેવાનો અને બીજા કે જેઓ તે પ્રદેશના સત્તાધીશો છે તેઓની આગળ લઈ જાય, ત્યારે તેમને કેવી રીતે જવાબ આપશો અથવા તમે તેઓને શું કહેશો તે સંબંધમાં ચિંતા કરશો નહિ,
\v 12 કારણ કે તમારે શું કહેવું તે તે જ સમયે પવિત્ર આત્મા તમને કહેશે."
\s5
\v 13 પછી ટોળામાંના એકે ઈસુને પૂછ્યું, "ગુરુજી, મારા ભાઈને કહો કે તે મારા પિતાની સંપત્તિ મારી સાથે વહેંચે!"
\v 14 પરંતુ ઈસુએ તેને જવાબ આપ્યો, "અરે માણસ, સંપત્તિને લગતી દલીલોમાં નિર્ણય લેવા કોઈએ મને ન્યાયાધીશ ઠરાવ્યો નથી!"
\v 15 પછી તેમણે સમગ્ર ટોળાને કહ્યું, "સાવધ રહો કે કોઈ બાબતમાં તમે લોભી ન થાઓ! માણસના જીવનની કિંમત તેની પાસે પોતાની કેટલી વસ્તુઓ છે તેના પરથી નક્કી થતી નથી."
\s5
\v 16 પછી તેમણે તેઓને આ ઉદાહરણ કહ્યું: "એક ધનવાન માણસની જમીનમાં પુષ્કળ પાક ઊપજ્યો.
\v 17 તેથી તેણે પોતે વિચાર્યું, 'હું નથી જાણતો મારે શું કરવું, કારણ કે મારી પાસે મારી સર્વ ઉપજને સંઘરવા પૂરતી મોટી જગ્યા નથી!
\v 18 તેથી તેણે પોતે વિચાર્યું, 'હું જાણું છું કે હું શું કરીશ! હું મારા અનાજનાં કોઠાર તોડી નાખીશ અને મોટા બનાવીશ! પછી મારું સર્વ અનાજ અને બીજી સર્વ વસ્તુઓ આ નવા કોઠારમાં ભરીશ.
\v 19 પછી હું મારી જાતને કહીશ, "હવે મારી પાસે પૂરતી વસ્તુઓ સંઘરેલી છે કે જે ઘણાં વર્ષો સુધી ચાલે. તેથી હવે હું મારું જીવન આરામથી ગાળીશ. હું ખાઇ-પીને આનંદ કરીશ!"
\s5
\v 20 પરંતુ ઈશ્વરે તેને કહ્યું, 'હે મૂર્ખ માણસ! આજે રાત્રે તું મરણ પામશે! પછી બધી બાબતો જે તેં તારા માટે બચાવીને રાખી છે તે તારી નહિ પણ બીજાની થશે.
\v 21 પછી આ ઉદાહરણનું સમાપન કરતાં ઈસુએ કહ્યું, "જે બાબતોને ઈશ્વર મૂલ્યવાન ગણે છે તેને જે લોકો મૂલ્યવાન ગણતા નથી, પરંતુ પોતાના માટે બધું ભેગું કરે છે તેઓની સાથે આમ જ થશે."
\s5
\v 22 પછી ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, "તેથી હું તમને આ કહેવાની ઇચ્છા રાખું છું: જીવવા માટે જે બાબતોની જરૂર છે તે બાબતો માટે ચિંતા કરશો નહીં. જમવા માટે પૂરતો ખોરાક અથવા પહેરવા માટે પૂરતાં કપડાંં તમારી પાસે હશે કે નહિ તેની ચિંતા કરશો નહીં.
\v 23 તમારું જીવન એ તમારા ખોરાક કરતાંં ઘણું મૂલ્યવાન છે અને તમારું શરીર એ તમારાં કપડાં કરતાં ઘણું મૂલ્યવાન છે.
\s5
\v 24 પક્ષીઓનો વિચાર કરો: તેઓ બી વાવતાં નથી, તેઓ પાક લણતાં નથી. તેઓની પાસે અનાજ સંગ્રહ કરવાની જગ્યા કે ભંડારો નથી. પરંતુ ઈશ્વર તેમને ખોરાક પૂરો પાડે છે. તમે ખરેખર પક્ષીઓ કરતાં ઘણા જ મૂલ્યવાન છો.
\v 25 તમારામાંના કોઈપણ ચિંતા કરીને તેના જીવનમાં એક ક્ષણ પણ ઉમેરી શકતા નથી!
\v 26 તેથી જો તમે તે નાની બાબત પણ કરી શકતા ન હો, તો ચોક્કસપણે તમારે બીજી બાબતોની ચિંતા કરવી ન જોઈએ.
\s5
\v 27 ફૂલો કેવી રીતે ઊગે છે તેના વિષે વિચાર કરો. તેઓ નાણાંં કમાવા માટે કંઈપણ કામ કરતાં નથી અને તેઓ પોતાના કપડાં બનાવતાં નથી. પણ હું તમને કહું છું કે જો કે સુલેમાન રાજા કે જે ઘણા સમય અગાઉ થઈ ગયો તે ઘણા જ સુંદર કપડાં પહેરતો હતો તો પણ તે ક્યારેય તેમાંના એકપણ ફૂલની માફક સારી રીતે વસ્ત્રો પહેરેલો ન હતો.
\v 28 છોડ ટૂંક સમય માટે ઊગે છે તેમ છતાં ઈશ્વર તેઓને સુંદર બનાવે છે. પછી તેઓ કપાય અને આગમાં નંખાય છે. પરંતુ તમે તો ઈશ્વર માટે ઘણા જ મૂલ્યવાન છો, અને તેઓ છોડની કાળજી રાખે છે તે કરતાં વિશેષ તમારી કાળજી રાખશે. શા માટે તમે તેમના પર બહુ ઓછો વિશ્વાસ રાખો છો?
\s5
\v 29 તમે શું ખાશો કે શું પીશો તે વિષે વિચાર ન કરો, અને તે બધી બાબતો વિષે ચિંતા ન કરો.
\v 30 જે લોકો ઈશ્વરને ઓળખતા નથી તેઓ આવી બધી બાબતો વિષે હંમેશાં ચિંતા કરે છે. પણ આકાશમાંના તમારા પિતા તમારી જરૂરિયાતો જાણે છે.
\s5
\v 31 તેને બદલે, ઈશ્વર તમારા પર રાજ કરે તે બાબતને તમારા જીવનની સૌથી મહત્વની બાબત બનાવો. પછી તેઓ તમને જે સર્વ બાબતોની જરૂર છે તે આપશે.
\v 32 માટે નાની ટોળી, તમે બીશો નહિ. સ્વર્ગમાંના તમારા પિતા જ્યારે તેઓ સંપૂર્ણપણે રાજ કરશે ત્યારે તમને તે બધા જ લાભ જે તેમના આયોજનમાં છે તે આપવા માગે છે.
\s5
\v 33 તેથી હવે તમારી સર્વ વસ્તુઓ વેચી દો. જેઓની પાસે ખોરાક અને જરૂરિયાતનાં કપડાં કે રહેવા માટેની જગ્યા નથી તેઓને તે નાણાંં આપી દો. તમારા માટે નાશ ન પામે તેવું પાકીટ મેળવી લો અને સ્વર્ગમાં તમારે સારું દ્રવ્ય એકઠું કરો જ્યાં તે હંમેશાં સલામત રહે. જ્યાં, કોઈ ચોર તેની ચોરી કરવા નજીક ન આવી શકે, અને કોઈ જીવાત તમારાં કપડાંનો નાશ ન કરી શકે.
\v 34 જે કંઈ ધન તરીકે તમે સંઘર્યું હશે, તે વિશે જ તમે વિચારશો અને તમારો સમય ખર્ચશો.
\s5
\v 35 જે લોકોએ કામ કરવા માટેના પોશાક પહેરી લીધા છે અને પોતાના દીવા આખી રાત સળગતા રાખે છે, તેઓની જેમ ઈશ્વરનું કામ કરવા હંમેશાંં તૈયાર રહો.
\v 36 લગ્ન જમણમાંથી પાછા ફરતા માલિકની રાહ જોતા નોકરની જેમ, મારે માટે તૈયાર રહો. તેઓ માલિક આવીને દરવાજો ખટખટાવે કે તરત જ દરવાજો ખોલવાને રાહ જુએ છે.
\s5
\v 37 જ્યારે માલિક આવે ત્યારે જો તે નોકરો જાગતા હશે તો, તે તેમને ઇનામ આપશે. હું તમને આ કહીશ: તે સેવા કરવા તૈયાર થશે, તેઓને બેસવા માટે કહેશે અને તે તેઓને ભોજન પીરસશે.
\v 38 જો કે તે મધરાત અને વહેલી સવારની વચ્ચે આવે તોપણ, જો તે તેમના નોકરોને જાગતા અને તૈયાર થયેલા જોશે, તો તે તેમનાથી ઘણો જ ખુશ થશે.
\s5
\v 39 તમારે આ પણ યાદ રાખવું કે: જો ઘરનો માલિક જાણતો હોય કે ચોર ક્યારે આવશે તો તે જાગતો રહે અને ચોરને તેના ઘરમાં પ્રવેશવા દેશે નહિ.
\v 40 માટે તૈયાર રહો, કેમકે હું માણસનો દીકરો, જ્યારે તમે મારી અપેક્ષા રાખી નહિ હોય એવા સમયે આવીશ."
\s5
\v 41 પિતરે પૂછ્યું, "પ્રભુ, શું તમે આ ઉદાહરણ માત્ર અમારે માટે જ આપો છો કે બીજાઓ માટે પણ?"
\v 42 પ્રભુએ જવાબ આપ્યો, "હું આ દરેકને માટે કહું છું કે જે તેના માલિકના ઘરનો વ્યવસ્થાપક છે અને વિશ્વાસુ તથા સમજદાર નોકર જેવો છે. તેના માલિકે તેને બીજા નોકરોને યોગ્ય સમયે ખોરાક મળે તેની ખાતરી કરવાની જવાબદારી સોંપી છે.
\v 43 જો નોકર તેનો માલિક આવે ત્યારે તે કામ કરતો હોય તો, તે તેને ઇનામ આપશે.
\v 44 હું તમને આ કહું છું: માલિક તે નોકરને તેના સઘળા પર જવાબદારી સોપશે.
\s5
\v 45 પણ જો તે નોકર જે અધિકારી છે તે પોતાને કહે, 'મારો માલિક ઘણાં સમયથી ગયો છે,' પછી કદાચ તે બીજા સ્ત્રી અને પુરુષ નોકરોને મારવાનું શરુ કરી દે. તે કદાચ ઘણો ખોરાક ખાવાનું અને પીવાનું શરુ કરી દે.
\v 46 જો તે તેવું કરે, તો કદાચ જ્યારે નોકર તેની અપેક્ષા રાખતો નથી તે સમયે તેનો માલિક પાછો આવી શકે. પછી તેનો માલિક તેને સખત શિક્ષા કરશે અને જેઓ તેની સેવા વિશ્વાસુપણે કરતા નથી તેવા લોકો મધ્યે તેને સ્થાન આપશે.
\s5
\v 47 તે નોકર કે જે જાણતો હતો કે તેનો માલિક શું ઈચ્છે છે પણ તે તૈયાર થયો નહિ અને તેણે તે કર્યું પણ નહિ, તેને સખત સજા કરવામાં આવશે.
\v 48 પણ તે દરેક નોકર કે જે જાણતો નથી કે તેનો માલિક તેની પાસે શું કરાવવા ઈચ્છે છે, તેને માત્ર હળવી સજા થશે. જેઓને વધારે આપવામાં આવ્યું છે તેઓ પાસેથી વધારેની અપેક્ષા રાખવામાં આવે છે. જેઓને વધારે સોંપવામાં આવ્યું છે તેઓની પાસેથી પણ વધારેની અપેક્ષા રાખવામાં આવે છે."
\s5
\v 49 "હું પૃથ્વીને સળગાવવા આવ્યો છું. હું આશા રાખું છું કે તે સળગવાની શરૂઆત થઇ ગઈ હોય.
\v 50 ઘણો જલદી જ હું ભયંકર કષ્ટનું બાપ્તિસ્મા પામવા જઈ રહ્યો છું. જ્યાં સુધી મારું કષ્ટ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી હું દુઃખિત રહીશ.
\s5
\v 51 તમે શું વિચારો છો કે મારા આવવાનાં કારણે લોકો પૃથ્વી પર શાંતિપૂર્વક સાથે રહેશે? ના! તેના બદલે મારે તમને કહેવું જોઈએ કે, લોકોમાં ભાગલા પડશે.
\v 52 કેમકે એક જ ઘરના કેટલાક લોકો મારા પર વિશ્વાસ કરશે અને કેટલાક નહિ કરે, તેઓમાં ભાગલા પડશે. એક જ ઘરની ત્રણ વ્યક્તિ જેઓ મારા પર વિશ્વાસ કરતી નથી તેઓ બે વ્યક્તિ કે જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેમની સામા થશે.
\v 53 માણસ તેના દીકરાનો કે દીકરો તેના પિતાનો વિરોધ કરશે. માતા તેની દીકરીનો કે દીકરી તેની માતાનો વિરોધ કરશે. સાસુ તેની પુત્રવધૂનો કે પુત્રવધૂ તેની સાસુનો વિરોધ કરશે."
\s5
\v 54 તેણે ટોળાને એમ પણ કહ્યું, "જ્યારે તમે પશ્ચિમમાં ઘેરાં વાદળ બનતાં જુઓ, ત્યારે તમે તરત જ કહો છો કે, 'વરસાદ પડવાનો છે!' અને એવું જ થાય છે.
\v 55 જ્યારે દક્ષિણથી પવન ફૂંકાય છે, ત્યારે તમે કહો છો કે, 'આજનો દિવસ ખૂબ જ ગરમ રહેશે!' અને તમે સાચા છો.
\v 56 તમે ઢોંગીઓ છો! વાદળો અને પવનના અવલોકન દ્વારા, તમે હવામાનમાં શું થઇ રહ્યું છે તે પારખી શકો છો. શા માટે તમે આજના સમયે ઈશ્વર શું કરી રહ્યા છે તે પારખી શકતા નથી?
\s5
\v 57 જ્યારે તમારી પાસે હજુ પણ તે કરવા માટે સમય છે ત્યારે, તમારામાંના દરેકે નક્કી કરવું જ રહ્યું કે તમારે શું કરવું યોગ્ય છે!
\v 58 જ્યારે તમે હજી ન્યાયાલયના રસ્તા પર છો ત્યારે, જેણે તમારા ઉપર આરોપ મૂક્યો છે તેની સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કરો. જો તે તમને ન્યાયાધીશ પાસે જવા માટે દબાણ કરે, અને ન્યાયાધીશ નક્કી કરે કે તમે દોષિત છો અને તમને ન્યાયાલયના અધિકારીને સોંપી દે. તો પછી તે અધિકારી તમને જેલમાં પૂરશે.
\v 59 હું તમને કહું છું કે જો તમે જેલમાં જશો, તો તમે , જ્યાં સુધી ન્યાયાધીશ તમને જે કહે તે તમારા દેવાની દરેક રકમ ચૂકવવા માટે તમે સક્ષમ ન થાઓ ત્યાં સુધી બહાર આવી શકશો નહીં."
\s5
\c 13
\p
\v 1 તે સમયે, કેટલાક લોકોએ ગાલીલીઓ કે જેમને હમણાં જ યરુશાલેમમાં સૈનિકોએ મારી નાખ્યા તે વિશે ઈસુને કહ્યું. પિલાત, રોમન રાજ્યપાલે, સૈનિકોને જેઓ મંદિરમાં બલિદાનો ચઢાવતા હતા તેમને મારી નાખવાનો આદેશ આપ્યો હતો.
\v 2 ઈસુએ તેમને જવાબ આપ્યો, "શું તમે એવું વિચારો છો કે જે ગાલીલીના લોકો સાથે આ બન્યું તેનું કારણ એ હતું કે તેઓ બીજા બધા ગાલીલીઓ કરતાં વધુ પાપી હતા?
\v 3 હું તમને ખાતરી આપુ છું કે, તે કારણ નથી! પરંતુ તમારે યાદ રાખવું કે જો તમે તમારા પાપી વર્તનથી પાછા નહિ ફરો તો ઈશ્વર તમને તેવી જ રીતે શિક્ષા કરશે.
\s5
\v 4 અથવા યરુશાલેમની બહાર શિલોઆહમાં જે અઢાર માણસો પર બુરજ પડવાથી મૃત્યુ પામ્યા તેઓના વિશે શું? શું તમને એમ લાગે છે કે તેમને આમ થયું કારણ કે તેઓ યરુશાલેમના બીજા લોકો કરતાં વધારે પાપી હતા?
\v 5 હું તમને ખાતરી આપું છું, કે તે કારણ નથી! પણ તમારે સમજવું કે જો તમે તમારા પાપી વર્તનથી પાછા નહિ ફરો તો ઈશ્વર તમને તેવી જ રીતે શિક્ષા કરશે!"
\s5
\v 6 પછી ઈસુએ તેમને આ વાર્તા કહી: "એક માણસે તેના બાગમાં અંજીરી રોપી, દર વર્ષે તે અંજીર તોડવા આવતો હતો, પરંતુ તેના પરથી તેને તે ક્યારેય ન મળ્યાં.
\v 7 પછી તેણે માળીને કહ્યું, 'આ વૃક્ષને જુઓ! હું છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે તેના પર ફળ શોધી રહ્યો છું, પણ તેનાં પર એક પણ અંજીર મળ્યું નથી. તેને કાપી નાખો! તે નકામું જમીનમાંના પોષક તત્વોનો ઉપયોગ કરે છે!'
\s5
\v 8 પરંતુ માળીએ જવાબ આપ્યો, 'સાહેબ, તેને હજુ એક વર્ષ માટે અહીં રહેવા દો. હું તેની આસપાસ ખોદીને તેને ફળદ્રુપ કરીશ.
\v 9 જો આવતા વર્ષે તેના પર અંજીર લાગ્યા હોય, તો આપણે તેને અહીં વધતી રહેવા દઈશું! પરંતુ જો તે કંઈ ફળ ના આપે, તો તમે તેને કાપી શકો છો.'"
\s5
\v 10 યહૂદીઓના વિશ્રામવારે, ઈસુ લોકોને કોઈક એક સભાસ્થાનમાં શીખવતા હતા.
\v 11 ત્યાં એક સ્ત્રી હતી જેને અઢાર વર્ષથી દુષ્ટાત્માએ અપંગ બનાવી દીધી હતી. તે હંમેશાં વાંકી વળેલી જ રહેતી હતી, તે સીધી ઊભી રહી શકતી ન હતી.
\s5
\v 12 જ્યારે ઈસુએ તેને જોઈ ત્યારે, તેમણે તેને પોતાની પાસે બોલાવી. તેમણે તેને કહ્યું, "બહેન, મેં તને આ બીમારીમાંથી સાજી કરી છે!"
\v 13 તેમણે તેના પર હાથ મૂક્યો. તરત જ તે ઊભી થઈ અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગી!
\v 14 પરંતુ સભાસ્થાનનો આગેવાન ગુસ્સે થયો કારણ કે ઈસુએ તેને વિશ્રામવારના દિવસે સાજી કરી હતી. તેથી તેમણે લોકોને કહ્યું, "આપણો કાયદો લોકોને દર અઠવાડિયાના છ દિવસ કામ કરવાની મંજૂરી આપે છે. જો તમને સજા થવાની જરૂર હોય, તો સભાસ્થાનમાં આવવા અને સાજા થવાના એ દિવસો છે. આપણા વિશ્રામના દિવસે આવશો નહિ!"
\s5
\v 15 પછી પ્રભુએ તેને જવાબ આપ્યો, "તું અને તારા સાથી ધાર્મિક આગેવાનો ઢોંગી છો! તમે દરેક જણ વિશ્રામના દિવસે પણ કામ કરો છો! શું તમે તમારા બળદ કે ગધેડાને ખોરાકની ગમાણથી જ્યાં તે પાણી પી શકે ત્યાં લઈ જતા નથી?
\v 16 આ સ્ત્રી યહૂદી છે, ઇબ્રાહિમની વંશજ છે! પણ જાણે શેતાને તેને બાંધી રાખી હોય, તેમ તેણે તેને અઢાર વર્ષથી અપંગ રાખી હતી! જો કે તે હું વિશ્રામના દિવસે કરું, તો પણ ચોક્કસપણે તમે સંમત થશો કે તે સાચું છે કે મેં તેને શેતાનથી મુક્ત કરી છે.
\s5
\v 17 તેમના તેમ કહ્યા પછી, તેના વિરોધીઓ પોતે શરમાયા. પરંતુ બીજા બધા લોકો તે જે અદ્દભુત બાબતો કરી રહ્યા હતા તેનાથી ખુશ હતા.
\s5
\v 18 પછી તેમણેે કહ્યું, "ઈશ્વર જ્યારે રાજા તરીકે પોતાને પ્રગટ કરશે તે શું હશે તેને હું કેવી રીતે સમજાવું? હું તમને કહીશ કે તે શેના જેવું હશે.
\v 19 તે એક નાના રાઈના દાણા જેવું છે જે એક માણસ પોતાના ખેતરમાં વાવે છે. તે ઝાડ મોટું થાય, ત્યાં સુધી વધ્યું. તે એટલું મોટું થયું કે પક્ષીઓ તેની ડાળીઓમાં માળો બાંધે."
\s5
\v 20 પછી ફરીથી તેમણે કહ્યું, "હું તમને બીજી રીતે કહીશ કે તે શેના જેવું હશે કે જ્યારે પ્રભુ પોતે પોતાને રાજા તરીકે પ્રગટ કરશે.
\v 21 તે થોડાક ખમીર જેવું છે કે જે એક સ્ત્રી પચ્ચીસ કિલો લોટ સાથે ભેળવે છે. તે થોડુંક ખમીર આખા લોટને ફુલાવી દે છે."
\s5
\v 22 ઈસુએ યરુશાલેમ તરફ મુસાફરી કરવાનું ચાલુ રાખ્યું. રસ્તામાં તે બધાં નગરો અને ગામોમાં રોકાયા અને લોકોને શિક્ષણ આપ્યું.
\v 23 કોઈએ તેમને પૂછ્યું કે, "પ્રભુ, ઈશ્વર શું ફક્ત થોડા લોકોને જ બચાવશે?" ઈસુએ જવાબ આપ્યો,
\v 24 "તમારે સાંકડા રસ્તામાં પ્રવેશ કરવા માટે સખત પ્રયત્નો કરવાની જરૂર છે. હું તમને કહું છું કે ઘણા લોકો કોઈ અન્ય રસ્તો અજમાવશે પરંતુ તેઓ તેમાં પ્રવેશી શકશે નહિ.
\s5
\v 25 ઈશ્વર એક ઘરના માલિક સમાન છે. કોઈક દિવસ તેઓ દરવાજો બંધ કરશે. તમે બહાર ઊભા રહેશો અને દરવાજો ખખડાવશો અને તમે માલિકને વિનંતી કરીને કહેશો કે, 'પ્રભુ, અમારા માટે દરવાજો ખોલો!' પરંતુ તે જવાબ આપશે કે, 'ના, હું તે ખોલીશ નહિ, કારણ કે હું તમને ઓળખતો નથી, અને મને ખબર નથી કે તમે ક્યાંના છો!'
\v 26 પછી તમે કહેશો, 'તમે ભૂલી ગયા હશો કે અમે તમારી સાથે ભોજન લીધું છે, અને તમે અમને અમારા ગામની શેરીઓમાં શીખવ્યું છે!'
\v 27 પરંતુ તેઓ કહેશે, 'હું તમને ફરીથી કહું છું કે, હું તમને ઓળખતો નથી, અને મને ખબર નથી કે તમે ક્યાંના છો. તમે દુષ્ટ લોકો છો! અહીંથી નીકળી જાઓ!'"
\s5
\v 28 પછી ઈસુએ બોલવાનું ચાલુ રાખ્યું, "તમે દૂરથી ઇબ્રાહિમ અને ઇસહાક અને યાકૂબને જોશો. જ્યાં ઈશ્વર સર્વશક્તિમાન રાજા છે ત્યાં જે બધા પ્રબોધકો લાંબા સમય અગાઉ જીવી ગયા તેઓ પણ હશે, પરંતુ તમે પીડાથી તમારા દાંત પીસતા અને રડતા, બહાર રહેશો!
\v 29 વધુમાં, ઘણા બિન-યહૂદી લોકો અંદર હશે. ત્યાં ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમનાં પ્રદેશમાંથી આવેલા લોકો હશે. ઈશ્વર સર્વ પર રાજ કરે છે તેની તેઓ ઉજવણી કરતા હશે.
\v 30 આ વિષે વિચાર કરો: કેટલાક લોકો જેઓ હમણાં ઓછા મહત્વના લાગે છે તેઓ સૌથી વધુ મહત્વના થશે, અને બીજા જેઓ હમણાં મહત્વના લાગે છે તેઓ પછી ઓછા મહત્વના થશે.
\s5
\v 31 તે જ દિવસે, કેટલાક ફરોશીઓ ઈસુ પાસે આવ્યા અને તેમને કહ્યું, "આ વિસ્તાર છોડી દો, કેમકે શાસક હેરોદ આંતિપાસ તમને મારી નાખવા માગે છે!"
\v 32 તેમણે તેઓને જવાબ આપ્યો, "મારા તરફથી આ સંદેશો તે શિયાળવા હેરોદને કહો: 'સાંભળો! આજે હું દુષ્ટ દૂતોનો નિકાલ કરું છું અને ચમત્કારો કરું છું, અને થોડા સમય માટે હું આમ કરતો રહીશ. ત્યારબાદ, હું મારું કાર્ય પૂર્ણ કરીશ.
\v 33 પરંતુ આગામી દિવસોમાં હું યરુશાલેમ તરફનો મારો પ્રવાસ ચાલુ રાખીશ, યરુશાલેમ સિવાય બીજી કોઈ જગ્યાએ પ્રબોધકને મારી નાખવામાં આવે તે યોગ્ય નથી.
\s5
\v 34 ઓ યરુશાલેમના લોકો! તમે ઘણા સમય પહેલા થઇ ગયેલા પ્રબોધકોને, પથ્થરો મારીને મારી નાખ્યા, અને તમે બીજાઓને પણ મારી નાખ્યા, જેઓને ઈશ્વરે તમારી પાસે મોકલ્યા હતા. ઘણી વખત મેં તમને, જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પોતાની પાંખો નીચે એકઠાં કરે છે તેમ, એકઠા કરવાની ઇચ્છા રાખી.
\v 35 હવે જુઓ! યરુશાલેમના લોકો, ઈશ્વર હવેથી તમારી સુરક્ષા કરશે નહિ. હું તમને આ પણ કહીશ: હું ફક્ત એક જ વાર તમારા શહેરમાં પ્રવેશ કરીશ. તેના પછી, જ્યાં સુધી તમે એમ નહિ કહો કે, 'પ્રભુના અધિકાર સાથે આ જે માણસ આવે છે તે આશીર્વાદિત હો!' ત્યાં સુધી તમે મને ફરીથી જોવાના નથી."
\s5
\c 14
\p
\v 1 એક દિવસ, જે વિશ્રામનો દિવસ હતો, ત્યારે ઈસુ ફરોશીઓમાંના એક આગેવાનના ઘરે જમવા માટે ગયા, અને તેઓ તેમને ધ્યાનથી જોતા હતા.
\v 2 ઈસુની સામે ત્યાં એક માણસ હતો તેને એવો રોગ હતો કે જેનાથી તેના હાથે અને પગે ખૂબ જ સોજો રહેતો હતો.
\v 3 ઈસુએ યહૂદી નિયમશાસ્ત્રના આગેવાનોને અને જે ફરોશીઓ ત્યાં હાજર હતા તેઓને પૂછ્યું," શું વિશ્રામના દિવસે લોકોને સાજા કરવા નિયમની મંજૂરી છે, કે નહિ?"
\s5
\v 4 તેઓએ જવાબ આપ્યો નહિ. તેથી ઈસુએ તેમનો હાથ તે માણસ પર મૂકીને તેને સાજો કર્યો. પછી તેમણે તેને કહ્યું કે તે જઈ શકે છે.
\v 5 અને તેમણે ત્યાં બીજાઓને કહ્યું, "જો તારો દીકરો કે બળદ વિશ્રામના દિવસે કૂવામાં પડ્યો હોય તો શું તું તેને તરત જ બહાર ખેંચી નહિ કાઢે?"
\v 6 ફરીથી, તેઓ તેમને જવાબ આપવા માટે સક્ષમ ન હતા.
\s5
\v 7 ઈસુએ જોયું કે જે લોકોને ભોજન માટે આમંત્રણ અપાયું હતું તેઓ એવા સ્થળોએ બેસવાનું પસંદ કરે છે જ્યાં સામાન્ય રીતે મહત્વના લોકો બેસતા હોય. પછી તેમણે તેમને આ સલાહ આપી:
\v 8 "જ્યારે તમારામાંના એકને લગ્ન જમણમાં આમંત્રણ અપાયું હોય, ત્યારે તેણે તે જગ્યાએ બેસવું નહિ કે જ્યાં મહત્વના લોકો બેસતા હોય. એવું પણ બને કે તમારા કરતાં વધારે મહત્વના માણસને પણ તે જમણમાં આમંત્રણ અપાયું હોય.
\v 9 જ્યારે તે માણસ આવશે, કે જેણે તમને બંનેને આમંત્રિત કર્યા છે તે તમારી પાસે આવશે અને તમને કહેશે, 'આ માણસને તમારી બેઠક લેવા દો!' પછી તમારે ઓછી મહત્વની બેઠક લેવી પડશે, અને તમને શરમ લાગશે.
\s5
\v 10 તેના બદલે, જ્યારે તમને જમણમાં આમંત્રણ અપાયું હોય ત્યારે જાઓ અને ઓછા મહત્વની બેઠક પર બેસો. પછી જ્યારે દરેક વ્યક્તિને આમંત્રણ આપનાર માણસ આવે, ત્યારે તે તમને કહેશે, 'મિત્ર, આવો, આના કરતાં યોગ્ય બેઠક પર બેસો!' પછી જે લોકો તમારી સાથે ખાશે તેઓ જોશે કે તે તમને માન આપે છે.
\v 11 કારણ કે જેઓ પોતાની જાતને ઊંચા કરે છે તેઓને ઈશ્વર નમ્ર બનાવશે, અને જેઓ પોતાની જાતને નમ્ર કરે છે, તેઓને ઈશ્વર ઉંચા કરશે.
\s5
\v 12 ઈસુને જે ફરોશીએ જમણમાં બોલાવ્યા હતા તેને પણ તેમણે કહ્યું, "જ્યારે તમે બપોરના કે સાંજના ભોજનમાં લોકોને આમંત્રણ આપો, ત્યારે ફક્ત તમારા મિત્રો, સગાંઓ અથવા પૈસાદાર પાડોશીઓને જ આમંત્રિત ન કરો, કારણ કે તેઓ પણ તેના બદલારૂપ ભોજન માટે તમને આમંત્રણ આપશે.
\s5
\v 13 તેના બદલે, જ્યારે તમે જમણ રાખો ત્યારે, તમે ગરીબ લોકોને, અપંગ લોકોને, પાંગળા લોકોને કે અંધ લોકોને આમંત્રણ આપો.
\v 14 તેઓ તમને પાછું ચૂકવી શકશે નહિ. પરંતુ ઈશ્વર તમને આશીર્વાદ આપશે! તેઓ તમને ન્યાયીઓના પુનરુત્થાને તેનો બદલો આપશે.
\s5
\v 15 જેઓ તેમની સાથે જમી રહ્યા હતા તેઓમાંના એકે તેમને તેવું બોલતા સાંભળ્યા. તેણે ઈસુને કહ્યું, "ઈશ્વરે સર્વત્ર રાજ કરવાનું શરૂ કર્યું છે તેના કારણે જેઓ જમણમાં જમવા દ્વારા ઉજવણી કરશે, તે દરેકને ઈશ્વરે આશીર્વાદિત કર્યા છે!"
\v 16 ઈસુએ તેને જવાબ આપ્યો કે, "એક દિવસે એક માણસે મોટું જમણ રાખવાનું નક્કી કર્યું. તેણે ઘણાં માણસોને આમંત્રણ આપ્યું.
\v 17 જ્યારે તે જમણનો દિવસ આવ્યો ત્યારે, તેણે પોતાના નોકરને બોલાવ્યો કે જેથી જે લોકોને આમંત્રણ અપાયું હતું તેઓને તે કહે, 'આવો, કારણ કે હવે બધું જ તૈયાર છે!'
\s5
\v 18 પરંતુ જ્યારે નોકરે તે કર્યું, ત્યારે જે સર્વ લોકોને તેણે આમંત્રણ આપ્યું હતું તે બધાએ કહેવાનું શરૂ કહ્યું કે શા માટે તેઓ આવી શકશે નહિ. પ્રથમ વ્યક્તિ કે જેની પાસે નોકર ગયો તેણે કહ્યું, "મેં હમણાં જ ખેતર ખરીદ્યું છે, અને મારે ત્યાં જઈને તે જોવું જ પડશે. કૃપા કરીને તમારા માલિકને કહો કે ન આવવા માટે મને માફ કરે!'
\v 19 બીજા એક માણસે કહ્યું, 'મેં હમણાં જ પાંચ જોડ બળદ ખરીદ્યા છે અને મારે તેમને તપાસવા જવું જ પડશે. કૃપા કરીને તમારા માલિકને કહો કે ન આવવા માટે મને માફ કરે!'
\v 20 બીજા એક માણસે કહ્યું, 'મેં હમણાં જ લગ્ન કર્યાં છે તેથી હું નહિ આવી શકું'
\s5
\v 21 માટે તે નોકર પોતાના માલિક પાસે ગયો અને બધાએ જે કહ્યું તે જણાવ્યું. ઘરનો માલિક ગુસ્સે થયો અને પોતાના ચાકરને કહ્યું, 'શહેરની શેરીઓ અને ગલીઓમાં ઝડપથી જાઓ અને ગરીબ, ખામીયુક્ત અંગવાળા, અંધ તથા પગે અપંગ માણસોને શોધો, અને તેઓને અહીં મારા ઘરમાં લાવો!'
\v 22 પછી નોકર બહાર ગયો અને તે પ્રમાણે કર્યું, તેણે પાછા આવીને કહ્યું, 'માલિક, તમે મને જે કરવાનું કહ્યું હતું તે મેં કર્યું છે, પરંતુ વધારે લોકો માટે હજુ જગ્યા છે.'
\s5
\v 23 તેથી તેના માલિકે તેને કહ્યું, 'શહેરની બહાર જાઓ. રાજમાર્ગ પર જાઓ અને લોકોને શોધો. સાંકડા રસ્તાની કોરે જાઓ. આગ્રહથી વિનંતી કરીને તે લોકોને મારા ઘરે તેડી લાવો. મારે ઘરને લોકોથી ભરી દેવું છે.
\v 24 વધુમાં હું તમને આ કહું છું, જે લોકોને અગાઉ આમંત્રણ અપાયું હતું તેઓ આ જમણની મજા માણી શકશે નહિ કારણ કે તેઓએ આવવાનો નકાર કર્યો હતો.'"
\s5
\v 25 ઈસુ સાથે ઘણી મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેમણે લોકો તરફ ફરીને તેમને કહ્યું,
\v 26 "જે કોઈ મારી પાસે આવે અને જો તે તેના પિતા અને માતા તથા પત્ની અને બાળકો તથા ભાઈઓ અને બહેનોને મારા કરતાં વધારે પ્રેમ કરે છે, તો તે મારો શિષ્ય થઇ શકતો નથી. તેણે પોતાની જાત કરતાં પણ મારા પર વધારે પ્રેમ રાખવો!
\v 27 જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકતો નથી અને જે કોઈ મારી આજ્ઞા માનતો નથી તે મારો શિષ્ય થઇ શકતો નથી.
\s5
\v 28 જો તમારામાંનો કોઈ મોટી ઇમારત બાંધવા ઇચ્છે, તો સૌ પ્રથમ બેસી અને કેટલો ખર્ચ થશે તે નક્કી નહિ કરે? પછી તમે નક્કી કરી શકશો કે તે પૂર્ણ કરવા માટે તમારી પાસે પૂરતાં નાણાં છે, કે નહીં.
\v 29 નહિ તો, જો તમે પાયો નાખ્યો અને બાકીની ઇમારતને પૂરી ન કરી શકો, તો જે લોકો તેને જોશે તેઓ તમારી મજાક કરશે.
\v 30 તેઓ કહેશે, 'આ માણસે ઇમારત બાંધવાનું શરૂ કર્યું, પરંતુ તે પૂરું કરવા સક્ષમ ન હતો.
\s5
\v 31 અથવા, જો કોઈ રાજાએ બીજા રાજા સામે યુદ્ધ કરવા માટે પોતાના સૈન્યને મોકલવાનો નિર્ણય કર્યો હોય તો, તે ચોક્કસ સૌ પ્રથમ પોતાના સલાહકારો સાથે બેસશે. તેઓ નક્કી કરશે કે તેમનું સૈન્ય કે જેમાં માત્ર દસ હજાર સૈનિકો છે તે બીજા રાજાના સૈન્યને કે જેમાં વીસ હજાર સૈનિકો છે, હરાવી શકશે કે નહિ.
\v 32 જો તે નક્કી કરે કે તેનું સૈન્ય બીજા સૈન્યને હરાવી શકતું નથી, તો જ્યારે બીજું સૈન્ય હજુ પણ દૂર છે ત્યારે તે અન્ય રાજાને સંદેશ મોકલે છે. તે રાજાને કહેવા માટે સંદેશવાહકને તે કહેશે, 'તારી સાથે સુલેહ રાખવા મારે કઈ બાબત કરવી જોઈએ?'
\v 33 માટે, એ જ રીતે તમારામાનાં કોઈએ અગાઉ નક્કી ન કર્યું હોય કે તમારી પાસે જે કઈ છે તે છોડવા તમે તૈયાર છો, તો તમે મારા શિષ્ય થઈ શકતા નથી.
\s5
\v 34 ઈસુએ એ પણ કહ્યું, "તમે મીઠા સમાન છો, જે ખુબ જ ઉપયોગી છે. પણ જો મીઠું તેની ખારાશ ગુમાવે, તો શું તેને ફરી કદી ખારાશ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવી શકાશે?
\v 35 જો મીઠામાં ખારાશ ન રહે તો, તે ભૂમિ કે ખાતરના ઢગલા માટે પણ કોઈ કામનું નથી. લોકો તેને ફેંકી દે છે. તમ દરેકને હું જે કહું છું તે તમારે ધ્યાનથી સાંભળવું જોઈએ!"
\s5
\c 15
\p
\v 1 હવે, ઘણા કર ઉઘરાવનારા અને બીજા લોકો જેમને પાપીઓ માનવામાં આવતા હતા તેઓએ ઈસુની પાસે આવવાનું અને તેમની પાસેથી શીખવાનું ચાલુ રાખ્યું.
\v 2 જ્યારે ફરોશીઓ અને યહૂદી નિયમશાસ્ત્રના આગેવાનોએ તે જોયું ત્યારે, તેઓએ કચકચ કરીને કહ્યું, "આ માણસ પાપીઓને આવકારે છે અને તેઓની સાથે જમે છે." તેઓ એમ માનતા હતા કે આવું કરીને ઈસુ પોતાને અપવિત્ર કરી રહ્યા છે.
\s5
\v 3 તેથી ઈસુએ તેઓને આ ઉદાહરણ કહ્યું:
\v 4 "જો તમારામાંના એકની પાસે સો ઘેટાં હોય અને તમે તેમાંના એકને ગુમાવો છો તો નક્કી તમે બીજા નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને જ્યાં સુધી તમને તે ન મળે ત્યાં સુધી તે ખોવાયેલા ઘેટાંની શોધમાં જશો.
\v 5 જ્યારે તમને તે મળે, ત્યારે તમે આનંદથી તેને તમારા ખભા પર ઊંચકીને ઘરે લાવશો.
\s5
\v 6 પછી જ્યારે તમે ઘરે આવશો ત્યારે, તમે તમારા મિત્રો અને પાડોશીઓને બોલાવશો અને તેઓને કહેશો: 'મારી સાથે આનંદ કરો, કારણ કે જે ઘેટું ખોવાઈ ગયું હતું તે મને મળ્યું છે!'
\v 7 હું તમને કહું છું કે, તેવી જ રીતે, જે ઘણા લોકો કે જેઓ એવું વિચારે છે કે તેઓ ન્યાયી છે અને તેમને પસ્તાવો કરવાની જરૂર નથી તેમના કરતાં વધારે એક પાપી જ્યારે તેના પાપનો પસ્તાવો કરે છે તેના લીધે સ્વર્ગમાં વધુ આનંદ થશે.
\s5
\v 8 અથવા, ધારો કે એક સ્ત્રી પાસે ચાંદીનાં અતિ મૂલ્યવાન દસ સિક્કા છે અને પછી તેમાંના એકને તે ગુમાવે છે. ચોક્કસ તે દીવો સળગાવશે અને ઘર વાળીને, જ્યાં સુધી તેને તે ન મળે ત્યાં સુધી તે ધ્યાનથી શોધશે.
\v 9 જ્યારે તેને તે મળશે, ત્યારે તે તેના મિત્રો અને પાડોશીઓને બોલાવશે અને તેઓને કહેશે કે, "મારી સાથે ઘણો આનંદ કરો, કારણ કે મારો ખોવાયેલો સિક્કો મને પાછો મળ્યો છે!'
\v 10 હું તમને કહું છું, આવી જ રીતે, જ્યારે એક પાપી વ્યક્તિ તેના પાપોમાંથી પસ્તાવો કરે છે ત્યારે સ્વર્ગમાં ઈશ્વરના દૂતો મધ્યે વધુ આનંદ થશે."
\s5
\v 11 પછી ઈસુએ બોલવાનું ચાલુ રાખતા કહ્યું, "એક વખતે એક માણસ હતો જેને બે દીકરા હતા.
\v 12 એક દિવસ નાના દીકરાએ તેના પિતાને કહ્યું, 'પિતા, મને હવે તમારી મિલકતનો તે હિસ્સો આપો જે જ્યારે તમે મરણ પામશો ત્યારે મને મળનાર છે.' તેથી પિતાએ તેના બે પુત્રો વચ્ચે પોતાની સંપત્તિ વહેંચી આપી.
\s5
\v 13 માત્ર થોડા દિવસો પછી, નાના દીકરાએ પોતાની માલિકીની બધી જ સંપત્તિ એકત્ર કરી અને દૂર દેશમાં ચાલ્યો ગયો. તે દેશમાં તેણે તેનાં બધા જ નાણાં મૂર્ખતામાં નકામી રીતે, અનૈતિક રીતે ખર્ચી નાખ્યાં.
\v 14 તેણે તેના બધાં નાણાંં ખર્ચ્યા પછી, સમગ્ર દેશમાં ભયંકર દુકાળ પડયો. ટૂંક સમયમાં જ તેની પાસે ગુજારો કરવા માટે કઈ જ ન હતું.
\s5
\v 15 તેથી, તે દેશમાં રહેતા એક માણસ પાસે ગયો અને તેને નોકરી પર રાખવા કહ્યું. તેથી તે માણસે તેને તેના ખેતરમાં ભૂંડો ચરાવવા મોકલ્યો.
\v 16 થોડા સમય પછી તે એટલો ભૂખ્યો થયો કે તેને ભૂંડો જે શિંગો ખાય છે તે ખાવાની ખૂબ ઇચ્છા થઈ, પણ કોઈએ તેને કંઈ પણ આપ્યું નહિ.
\s5
\v 17 આખરે તેણે સ્પષ્ટપણે વિચાર્યું કે તેણે કેટલી મૂર્ખતા કરી છે અને તેણે પોતાની જાતને કહ્યું: 'મારા પિતાના ભાડૂતી નોકરોને ખાવા માટે પૂરતા ખોરાક કરતાં પણ વધારે ખોરાક મળે છે, પણ અહીં હું મરણ પામી રહ્યો છું કારણ કે મારી પાસે ખાવા માટે કશું નથી!
\v 18 તેથી હું આ જગ્યા છોડી દઈને મારા પિતા પાસે પાછો જઈશ. હું તેમને કહીશ, "પિતા, મેં ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.
\v 19 હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી; કૃપા કરીને મને તમારા નોકરોમાંના એક તરીકે કામ કરવા માટે નોકરી આપો."'
\s5
\v 20 તેથી તે ત્યાંથી નીકળી ગયો અને પોતાના પિતાના ઘરે પાછા જવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે તે હજુ તેના ઘરથી ઘણો દૂર હતો, ત્યારે તેના પિતાએ તેને જોયો અને તેમને તેના પ્રત્યે ખૂબ કરુણા આવી. તે પોતાના દીકરા પાસે દોડી ગયો અને તેને ભેટી પડયો અને તેને ગાલ પર ચુંબન કર્યું.
\v 21 તેના દીકરાએ તેને કહ્યું, 'પિતા, મેં ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. તેથી હવેથી હું તમારો દીકરો કહેવાવાને લાયક નથી.'
\s5
\v 22 પરંતુ તેના પિતાએ તેના સેવકોને કહ્યું; 'ઝડપથી જાઓ અને મારો શ્રેષ્ઠ ઝભ્ભો લાવો અને મારા દીકરાને પહેરાવો. વળી તેની આંગળીએ વીંટી પહેરાવો અને પગે ચંપલ પહેરાવો!
\v 23 અને આપણા ખાસ પ્રસંગ માટે પાળેલા વાછરડાને લાવો અને કાપો, કે આપણે તેને ખાઈએ અને ઉજાણી કરીએ!
\v 24 આપણે ઉજાણી કરવી જોઈએ કારણ કે આ મારો દીકરો જે મરેલા જેવો હતો, પણ તે હવે ફરી જીવતો થયો છે! તે ખોવાયેલો હતો, પણ હવે પાછો મળ્યો છે!' તેથી તેઓ બધા ઉજાણી કરવા લાગ્યા.
\s5
\v 25 જ્યારે આ બધું બન્યું, ત્યારે પિતાનો મોટો દીકરો ખેતરમાં કામ કરતો હતો. તેણે કામ પૂરું કર્યા બાદ તે ઘરની નજીક આવ્યો ત્યારે, તેણે લોકોને નાચતાં અને ગીતો ગાતાં અને વાજિંત્રો વગાડતા સાંભળ્યા.
\v 26 તેણે નોકરોમાંથી એકને બોલાવીને જે થઇ રહ્યું હતું તે વિષે પૂછ્યું.
\v 27 નોકરે તેને કહ્યું, 'તારો ભાઈ ઘરે પાછો આવ્યો છે. તારા પિતાએ અમને વાછરડાને કાપીને ઉજવણી કરવા કહ્યું છે, કારણ કે તારો ભાઈ સલામત અને તંદુરસ્ત પાછો આવ્યો છે.'
\s5
\v 28 પરંતુ મોટો ભાઈ ગુસ્સે થયો અને તે ઘરમાં જવા માંગતો ન હતો. તેથી તેના પિતા બહાર આવ્યા અને તેને તેમની સાથે અંદર આવવા વિનંતી કરી.
\v 29 પરંતુ તેણે તેના પિતાને કહ્યું, 'સાંભળો! આ બધાં વર્ષો મેં તમારા માટે એક ગુલામની માફક સખત મહેનત કરી છે. તમે જે બધું કરવાનું કહ્યું તેનું મેં હંમેશા પાલન કર્યું છે. પણ તમે મારે માટે એક નાનો બકરો પણ આપ્યો નહિ કે હું મારા મિત્રો સાથે ઉજવણી કરું.
\v 30 પરંતુ હવે તમારો તે દીકરો જેણે ગણિકાઓ પાછળ તમારી બધી મિલકત વાપરી નાખી છે, તે ઘરે પાછો આવ્યો છે, ત્યારે તમે તમારા ચાકરોને કહ્યું કે ઉજવણી કરવા ખાસ પ્રસંગ માટે પાળેલા વાછરડાને કાપો!
\s5
\v 31 પરંતુ તેના પિતાએ તેને કહ્યું, 'મારા દીકરા, તું હંમેશાં મારી સાથે રહે છે, અને મારી પાસે જે છે તે તારું જ છે.
\v 32 પરંતુ આપણા માટે આનંદ કરવો અને ઉજવણી કરવી એ યોગ્ય છે, કારણ કે તારો ભાઈ જાણે મરણ પામ્યો હતો અને ફરીથી જીવતો થયો છે! તે જાણે ખોવાઈ ગયો હતો અને હવે પાછો મળ્યો છે!'"
\s5
\c 16
\p
\v 1 ઈસુએ તેમના શિષ્યોને આ પણ કહ્યું, "એક શ્રીમંત માણસ હતો તેની પાસે ઘરનો કારભારી હતો. એક દિવસ કોઈએ તે શ્રીમંત માણસને કહ્યું કે તે કારભારી તેની સંપત્તિનો ખોટી રીતે વહીવટ કરી રહ્યો છે જેના કારણથી તે શ્રીમંત માણસને પોતાની સંપત્તિ ગુમાવવી પડી રહી છે.
\v 2 તેથી તેણે તે કારભારીને બોલાવ્યો અને તેને કહ્યું કે, 'તું જે કરે છે તે ખરાબ છે! તેં અત્યાર સુધી જે કારભાર કર્યો તેનો મને લેખિત અહેવાલ આપ, કારણ કે તું હવે પછી મારો કારભારી રહી શકીશ નહિ!'
\s5
\v 3 પછી તે કારભારીએ પોતે મનમાં કહ્યું, 'મારો માલિક મને તેના કારભારી તરીકે કાઢી મૂકવાનો છે, માટે મારે શું કરવું એ વિચારવું જોઈએ. હું ખાડા ખોદવાની મજૂરી માટે સક્ષમ નથી, અને મને નાણાં માટે ભીખ માગવાની શરમ આવે છે.
\v 4 મને ખબર છે હું શું કરીશ, જેથી જ્યારે મારો માલિક મને મારા કારભારીપણામાંથી કાઢી નાખે ત્યારે લોકો મને તેમના ઘરે લઇ જાય અને મને પૂરું પાડે!'
\s5
\v 5 તેથી જેમણે તેના માલિકના નાણાં લીધાં હતાં તેઓને તેણે એક પછી એક બોલાવ્યા. તેણે પહેલી વ્યક્તિને પૂછ્યું, 'તારી પાસે મારા માલિકનું કેટલું લેણું છે?'
\v 6 તે માણસે જવાબ આપ્યો, 'ત્રણ હજાર લીટર જૈતુન તેલ.' કારભારીએ તેને કહ્યું, 'આ તારો હિસાબ લઈને બેસ અને જલદીથી તેને પંદરસો લીટરમાં ફેરવી નાખ!'
\v 7 તેણે બીજી વ્યક્તિને કહ્યું, તારી પાસે કેટલું લેણું છે?' તે માણસે જવાબ આપ્યો, 'ઘઉંની હજાર ટોપલીઓ.' કારભારીએ તેને કહ્યું, 'આ તારો હિસાબ લે અને જલદીથી તેને આઠસો ટોપલીઓમાં ફેરવી નાખ!'
\s5
\v 8 જ્યારે કારભારીએ જે કર્યું હતું તે માલિકે જાણ્યું, ત્યારે તેણે તે અપ્રામાણિક કારભારીને હોશિયારીપૂર્વક વર્તવા બદલ વખાણ્યો. એ સત્ય છે કે પોતાની આસપાસના લોકો સાથે સંબંધ રાખવામાં આ દુનિયાના લોકો ઈશ્વરના લોકો કરતાં વધારે હોંશિયાર હોય છે.
\v 9 હું તમને કહું છું કે, આ જગતમાંના તમારા પૈસા તમારા માટે મિત્રો બનાવવા વાપરો. પછી જ્યારે તે પૈસા જતા રહેશે, ત્યારે તમારી પાસે એવા મિત્રો હશે કે જેઓ સનાતન ઘરમાં તમને આવકારશે.
\s5
\v 10 જે લોકો નાણાંની બાબતોમાં વિશ્વાસુ રીતે વહીવટ કરે છે તેઓ પર બીજી ઘણી બાબતો માટે પણ વિશ્વાસ કરવામાં આવશે. બિનમહત્વપૂર્ણ ફરજોમાં જેઓ અપ્રામાણિક છે તેવા લોકો મહત્વપૂર્ણ બાબતોમાં પણ અપ્રામાણિક હશે.
\v 11 તેથી ઈશ્વરે આ જગતમાંથી તમને આપેલાં નાણાંનો જો તમે પ્રામાણિકપણે વહીવટ કર્યો નહીં હોય, તો તેઓ તમને સ્વર્ગની સંપત્તિ આપશે નહિ.
\v 12 અને જો તમે બીજા લોકોની વસ્તુઓનો વિશ્વાસપૂર્વક વહીવટ કર્યો નહીં હોય, તો તમને વહીવટ કરવા માટે તમારી પોતાની વસ્તુઓ કોણ આપશે?
\s5
\v 13 કોઈ નોકર એક જ સમયે બે અલગ અલગ માલિકની સેવા કરી શકતો નથી. જો તે તેમ કરવા પ્રયત્ન કરે છે તો તે તેઓમાંના એકને ધિક્કારશે અને બીજાને પ્રેમ કરશે, અથવા તે તેઓમાંથી એકને વફાદાર રહેશે અને બીજાને ધિક્કારશે. જો તમે નાણાં અને અન્ય માલ મિલકત ખરીદવા માટે તમારું જીવન ફાળવી રહ્યા છો તો તમે તમારા જીવનને ઈશ્વરની સેવા માટે સમર્પિત કરી શકતા નથી."
\s5
\v 14 જ્યારે ફરોશીઓ કે જેઓ ત્યાં હતા તેઓએ ઈસુને તે પ્રમાણે બોલતા સાંભળ્યા, ત્યારે તેઓ તેમની મશ્કરી કરવા લાગ્યા કારણ કે તેઓને નાણાં કમાવાનું ગમતું હતું.
\v 15 પરંતુ ઈસુએ તેઓને કહ્યું, "તમે પ્રયત્ન કરો છો કે બીજા લોકો એવું વિચારે કે તમે ન્યાયી છો, પણ ઈશ્વર તમારા હૃદયોને જાણે છે. યાદ રાખો કે લોકો એવી બાબતોની પ્રશંસા કરે છે કે જે તેમને બહુ જ અગત્યની લાગે છે, પણ ઈશ્વર તેમને ધિક્કારપાત્ર ગણે છે.
\s5
\v 16 યોહાન બાપ્તિસ્મી આવ્યો ત્યાં સુધી, ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા અને પ્રબોધાકોએ જે લખ્યું તેને પ્રગટ કરવામાં આવ્યું. ત્યારથી હું પ્રચાર કરી રહ્યો છું કે ઈશ્વર ટુંક સમયમાં પોતાને રાજા તરીકે પ્રગટ કરશે. ઘણા લોકો તે સંદેશો સ્વીકારી રહ્યા છે અને ઘણી જ આતુરતાથી ઈશ્વરને તેમનાં જીવનો પર રાજ કરવા કહી રહ્યા છે.
\v 17 ઈશ્વરના બધા જ નિયમો, જેમાના કેટલાક જે મામૂલી લાગે છે, તેઓ સ્વર્ગ અને પૃથ્વી કરતાં વધુ કાયમી છે.
\s5
\v 18 જો કોઈ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તો તે વ્યભિચાર કરે છે, અને જે કોઈ માણસ તેના પતિથી છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તો તે પણ વ્યભિચાર કરે છે."
\s5
\v 19 ઈસુએ કહ્યું, "એક વખત એક ધનવાન માણસ હતો જે સુંદર જાંબલી રંગના અને શણનાં વસ્ત્રો પહેરતો હતો. અને દરરોજ મોંઘુ જમણ આપતો હતો.
\v 20 અને એક ગરીબ માણસ જેનું નામ લાજરસ હતું તે ધનવાન માણસના ઘરના દરવાજા પાસે દરરોજ પડયો રહેતો હતો. લાજરસનું આખું શરીર ફોલ્લાથી ઢંકાયેલું હતું.
\v 21 તે એટલો ભૂખ્યો હતો કે તે ધનવાન માણસની મેજ પરથી પડતા ખોરાકના ટુકડા ખાવાને ઇચ્છતો. વળી, આ ઓછું હોય તેમ, કૂતરાઓ આવતા અને તેના ફોલ્લા ચાટતા હતા.
\s5
\v 22 આખરે તે ગરીબ માણસ મરણ પામ્યો. પછી તેને દૂતો દ્વારા તેના પૂર્વજ ઇબ્રાહિમ પાસે લઇ જવામાં આવ્યો. ધનવાન માણસ પણ મરણ પામ્યો અને તેનું શરીર દફનાવવામાં આવ્યું.
\v 23 મરણ પામેલાઓની જગ્યામાં, ધનવાન માણસ ખૂબ દુઃખ સહન કરી રહ્યો હતો. તેણે ઉપર જોયું અને દૂરથી ઇબ્રાહિમને જોયો અને લાજરસને ઇબ્રાહિમની ખૂબ જ નજીક બેઠેલો જોયો.
\s5
\v 24 તેથી ધનવાન માણસે બૂમ પાડી, 'પિતા ઇબ્રાહિમ, હું આ અગ્નિમાં ખૂબ જ પીડા પામું છું! તેથી કૃપા કરીને મારા પર દયા કરો, અને લાજરસને અહીં મોકલી આપો કે જેથી તે પોતાની આંગળી પાણીમાં ડુબાડીને મારી જીભને ઠંડી કરે!'
\s5
\v 25 પરંતુ ઇબ્રાહિમે જવાબ આપ્યો, 'દીકરા, યાદ રાખ કે જ્યારે તું પૃથ્વી પર જીવતો હતો ત્યારે તેં ઘણી સારી વસ્તુઓનો આનંદ માણ્યો હતો. પરંતુ લાજરસ અતિ દુઃખી હતો. હવે તે અહીં ખુશ છે, અને તું પિડાય છે.
\v 26 તે ઉપરાંત, ઈશ્વરે તારી અને અમારી વચ્ચે એક વિશાળ ખીણ મૂકી છે. તેથી જે લોકો અહીંથી જ્યાં તું છે, ત્યાં આવી શકતા નથી. વળી, ત્યાંથી કોઈપણ અહી જ્યાં અમે છીએ ત્યાં પાર પણ કરી શકે નહિ.'
\s5
\v 27 પછી ધનવાન માણસે કહ્યું, 'જો એવું હશે તો, પિતા ઇબ્રાહિમ, હું તમને કહું છું કે લાજરસને મારા પિતાના ઘરે મોકલો.
\v 28 મારે પાંચ ભાઈઓ છે જેઓ ત્યાં રહે છે. તેમને ચેતવણી આપવા કહો કે જેથી તેઓ પણ આ સ્થળ પર ન આવે, જ્યાં મને ભારે પીડા થાય છે!'
\s5
\v 29 પરંતુ ઈબ્રાહિમે જવાબ આપ્યો, 'ના, હું એમ નહિ કરું, તારા ભાઈઓ પાસે મૂસા અને પ્રબોધકોએ જે લાંબા સમય પહેલા લખ્યું હતું તે છે. તેઓએ તે લખેલું પાળવું જોઈએ!'
\v 30 પરંતુ ધનવાન માણસે જવાબ આપ્યો, 'ના, પિતા ઇબ્રાહિમ, તે પૂરતું નહિ હોય! પરંતુ જો મરણ પામેલામાંથી કોઈ તેમની પાસે જાય અને તેમને ચેતવણી આપે તો તેઓ તેમના પાપી વર્તનથી ફરશે.'
\v 31 ઇબ્રાહિમે તેને કહ્યું, 'ના! જો તેઓ મૂસા અને પ્રબોધકોએ લખેલું સાંભળતા ન હોય, તો જો કોઈ મરણમાંથી પાછું ઊઠે અને તેમને ચેતવણી આપે તો પણ તેઓ હજુપણ ખાતરીપૂર્વક માનશે નહિ અને તેમના પાપી વર્તનથી ફરશે નહિ.'"
\s5
\c 17
\p
\v 1 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, "જે બાબતો લોકોને પાપ કરવા પરીક્ષણમાં પાડે છે તેમ ચોક્કસ થશે, પરંતુ જે કોઈ તેમ થવાનું કારણ બને છે તેના માટે તે કેટલું ભયંકર હશે!
\v 2 જો કોઈ વ્યક્તિ વિશ્વાસમાં નબળા માણસને પાપ કરવાનું કારણ બને, તો તે વ્યક્તિ માટે તેના ગળામાં એક મોટો પથ્થર બાંધીને તેને સમુદ્રમાં ફેંકી દીધો હોય તે વધુ સારું રહેશે.
\s5
\v 3 તમે કેવી રીતે વર્તો છો તે વિશે સાવચેત રહો. જો તમારા ભાઈઓમાંથી કોઈએ પાપ કર્યું હોય, તો તમારે તેને ઠપકો આપવો જોઈએ. જો તે કહે કે તે પાપ કરવાને લીધે દિલગીર છે અને તે તમને તેને માફી આપવા માટે કહે તો તમારે તેને માફ કરવો.
\v 4 જો તે એક જ દિવસમાં સાત વાર તમારી વિરુદ્ધ પાપ કરે, તોપણ જો તે દરેક વાર તમારી પાસે આવે અને કહે કે, 'મેં જે કર્યું તે માટે હું દિલગીર છું,' તો તમારે તેને માફ કરવાનું ચાલુ રાખવું જોઈએ."
\s5
\v 5 પછી પ્રેરિતોએ પ્રભુને કહ્યું, "અમને વધુ વિશ્વાસ આપો!"
\v 6 પ્રભુએ પણ જવાબ આપ્યો, "જો તમે આ રાઈના નાના દાણા જેટલો પણ વિશ્વાસ કર્યો હોત, તો તમે આ શેતુરના ઝાડને કહી શક્યા હોત, 'તારા મૂળ સાથે આ જમીનમાંથી ઊખડી જા અને પોતાને સમુદ્રમાં રોપ, અને તેણે તમારું માન્યુ હોત!"
\s5
\v 7 ઈસુએ આ પણ કહ્યું, "ધારો કે તમારામાંના કોઈને એક નોકર છે જે તમારા ખેતરોમાં વાવણી કરે છે કે તમારા ઘેટાની સંભાળ રાખે છે. તે ખેતરમાંથી ઘરમાં આવે ત્યારે, તમે એમ નહીં કહો કે, 'તરત જ નીચે બેસ અને ખા!'
\v 8 તેને બદલે, તમે તેને કહેશો, 'મારા માટે ભોજન તૈયાર કર! પછી તારા સેવા કરવાના કપડાં પહેર અને તે મને પીરસ કે જેથી હું ખાઉં અને પીઉં! પછીથી તું ખાઈ અને પી શકશે.'
\s5
\v 9 તમે જે કામ કરવાનું કહ્યું હતું તે કરવા માટે તમે તમારા નોકરનો આભાર નહિ માનો!
\v 10 તેવી જ રીતે, જ્યારે તમે ઈશ્વરે જેમ કરવાનું કહ્યું હતું તેમ કર્યું છે, ત્યારે તમારે કહેવું જોઈએ કે, 'અમે ફક્ત ઈશ્વરના સેવકો છીએ અને અમે લાયક નથી કે તેઓ અમારો આભાર માને. અમે ફક્ત તે જ કામ કર્યું છે જે તેમણે અમને કરવા માટે કહ્યું હતું.'"
\s5
\v 11 જ્યારે ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમ તરફના રસ્તા પર ચાલતા હતા, ત્યારે તેઓ સમરૂન અને ગાલીલના પ્રદેશો વચ્ચેના વિસ્તારમાંથી જઈ રહ્યા હતા.
\v 12 જેવા ઈસુ એક ગામમાં પ્રવેશ્યા કે, દસ કોઢી તેમની પાસે આવ્યા, પરંતુ તેઓ થોડે દૂર જ ઊભા હતા.
\v 13 તેઓએ કહ્યું, "ઈસુ, ગુરૂજી, કૃપા કરીને અમારા પર દયા કરો!"
\s5
\v 14 જ્યારે તેમણે તેઓને જોયા ત્યારે, તેમણે તેઓને કહ્યું કે, "જાઓ અને પોતાને યાજકોને બતાવો." તેથી તેઓ ગયા, અને તેઓ જતા હતા ત્યારે, તેઓ સાજા થઇ ગયા.
\v 15 પછી તેઓમાંથી એક, જ્યારે તેણે જોયું કે તે સાજો થયો હતો ત્યારે, તે મોટેથી ઈશ્વરની સ્તુતિ કરતો પાછો વળ્યો.
\v 16 તે ઈસુ પાસે આવ્યો અને જમીન પર નમીને ઈસુના પગે પડ્યો, અને તેમનો આભાર માન્યો. આ માણસ એક સમરૂની હતો.
\s5
\v 17 પછી ઈસુએ કહ્યું, "મેં દસ કોઢીયાઓને સાજા કર્યા! શા માટે બીજા નવ પાછા ન આવ્યા?
\v 18 આ વિદેશી માણસ એક જ એવો હતો જે ઈશ્વરનો આભાર માનવા પાછો આવ્યો; બીજામાંથી કોઈ પાછો આવ્યો નહી!"
\v 19 પછી તેણે તે માણસને કહ્યું, "ઊઠ અને તારા રસ્તે જા. ઈશ્વરે તને સાજો કર્યો છે કારણ કે તેં મારામાં વિશ્વાસ રાખ્યો છે."
\s5
\v 20 એક દિવસે કેટલાક ફરોશીઓએ ઈસુને પૂછ્યું "ઈશ્વર સર્વ પર રાજ કરવાનું ક્યારે શરૂ કરશે?" તેમણે જવાબ આપ્યો, "તે એવું નથી કે જે લોકો પોતાની આંખોથી જોઈ શકે.
\v 21 લોકો એવું કહી શકશે નહિ કે, 'જુઓ! તેઓ અહીં રાજ કરે છે! કે 'તેઓ ત્યાં રાજ કરે છે!' કારણ કે તમે જે વિચારો છો તેનાથી વિપરીત, ઈશ્વરે તમારામાં રાજ કરવાનું શરૂ કરી દીધું છે."
\s5
\v 22 ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, "એવો સમય આવશે કે જ્યારે તમે મને, માણસના દીકરાને, શક્તિપૂર્વક રાજ કરતાં જોવા ઇચ્છશો. પણ તમે તે જોઈ નહિ શકો.
\v 23 લોકો તમને કહેશે, 'જુઓ, મસીહ ત્યાં છે!' અથવા તેઓ કહેશે 'જુઓ, તે અહીં છે!' જ્યારે તેઓ તેમ કહે, ત્યારે તેમને અનુસરશો નહીં.
\v 24 કારણ કે જ્યારે વીજળી ઝબકે છે અને આકાશને એક બાજુથી બીજી બાજુ તરફ પ્રકાશિત કરે છે, ત્યારે દરેક તેને જોઈ શકે છે. એ જ રીતે જ્યારે હું, માણસનો દીકરો, ફરી પાછો આવીશ, ત્યારે બધા મને જોશે.
\s5
\v 25 પરંતુ આવું થાય તે અગાઉ, મારે ઘણી રીતે પીડાવું પડશે, અને લોકો દ્વારા મને નકારવામાં આવશે.
\v 26 પરંતુ જ્યારે હું, માણસનો દીકરો, ફરીથી આવીશ, ત્યારે લોકો નૂહના સમયમાં જે કરતા હતા તે જ પ્રમાણે કરતા હશે.
\v 27 તે સમયે નૂહ અને તેના કુટુંબીજનો મોટા વહાણમાં પ્રવેશ્યા તે દિવસ સુધી, લોકોએ હંમેશની જેમ ખાધું અને પીધું, અને તેઓએ હંમેશની જેમ લગ્ન કર્યા. પરંતુ પછી પૂર આવ્યું અને જેઓ વહાણમાં ન હતા તે બધા લોકોનો નાશ થયો.
\s5
\v 28 તેવી જ રીતે, જ્યારે લોત સદોમ શહેરમાં રહેતો હતો, ત્યારે ત્યાંના લોકો હંમેશની જેમ ખાતા અને પીતા હતા. તેઓ વસ્તુઓ ખરીદતા અને વસ્તુઓ વેચતા હતા. તેઓ હંમેશની જેમ પાક ઉગાડતા અને ઘરો બાંધતા હતા.
\v 29 પરંતુ લોતે સદોમ છોડ્યું તે દિવસે, આકાશમાંથી અગ્નિ અને બળતો ગંધક નીચે આવ્યા અને શહેરમાં રહેનારા બધાનો નાશ થયો.
\s5
\v 30 તેવી જ રીતે, જ્યારે હું, માણસનો દીકરો, પૃથ્વી પર પાછો આવીશ, ત્યારે લોકો તૈયાર નહિ હોય.
\v 31 તે દિવસે, જેઓ પોતાના ઘરોની બહાર હોય, અને તેમની બધી જ વસ્તુઓ જે ઘરોની અંદર હોય, તેઓએ અંદર જઈને પોતાની સાથે તે લેવા માટે સમય બગાડવો નહીં. એ જ રીતે, જે લોકો ખેતરમાં હોય તેઓએ કશું લેવા પાછા ન જવું; તેઓએ ઝડપથી નાસી જવું.
\s5
\v 32 યાદ રાખો કે લોતની પત્નીનું શું થયું!
\v 33 જે કોઈ પોતાની રીતે જીવવાનું ચાલુ રાખે છે તે મરશે જ. પરંતુ જે કોઈ મારા માટે પોતાનો જીવવાનો માર્ગ છોડશે તે હમેશાં જીવશે.
\s5
\v 34 હું તમને આ કહું છું: તે રાતે જ્યારે હું પાછો આવીશ, ત્યારે એક પલંગ પર બે વ્યક્તિઓ સૂતેલી હશે. તેમાંથી જે મારા પર વિશ્વાસ કરતી હશે તેને લઇ લેવામાં આવશે અને બીજીને પડતી મૂકાશે.
\v 35-36 બે સ્ત્રીઓ એકસાથે અનાજ દળતી હશે; તેમાંથી એક લેવાશે અને બીજી પડતી મુકાશે.
\v 37 તેમના શિષ્યોએ તેમને કહ્યું, "પ્રભુ, તે ક્યાં થશે?" તેમણે તેઓને ઉત્તર આપ્યો, "જ્યાં મૃત શરીર હોય, ત્યાં ગીધ ખાવા એકઠાં થશે."
\s5
\c 18
\p
\v 1 ઈસુએ તેમના શિષ્યોને બીજું ઉદાહરણ આપીને સમજાવ્યું કે તેઓએ સતત પ્રાર્થના કરવી જોઈએ અને જો ઈશ્વર તરત જ જવાબ ન આપે તો પણ નાહિંમત થવું નહિ.
\v 2 તેમણે કહ્યું, "કોઈ એક શહેરમાં એક ન્યાયાધીશ હતો તે ઈશ્વરનો આદર કરતો ન હતો અને માણસોની પરવા કરતો ન હતો.
\s5
\v 3 તે શહેરમાં એક વિધવા હતી તે પેલા ન્યાયાધીશ પાસે આવ્યા કરતી અને કહેતી, 'કૃપા કરીને ન્યાયાલયમાં જે વ્યક્તિ મારી વિરુદ્ધમાં છે તેનાથી મને ન્યાય અપાવ.
\v 4 લાંબા સમય સુધી તે ન્યાયાધીશ તેને મદદ કરવા રાજી ન હતો. પરંતુ પછી, તેણે મનમાં કહ્યું, 'હું ઈશ્વરનો આદર કરતો નથી અને માણસોની પરવા કરતો નથી,
\v 5 પરંતુ આ વિધવા મને હેરાન કરે છે! તેથી હું તેના મુકાદમાનો ન્યાય કરીશ અને ખાતરી કરીશ કે તેની સાથે યોગ્ય વ્યવહાર થાય, કારણ કે જો હું તે ન કરું, તો તે સતત મારી પાસે આવ્યા કરશે અને મને થકવી નાખશે!'"
\s5
\v 6 પછી ઈસુએ કહ્યું, "અન્યાયી ન્યાયાધીશે જે કહ્યું તેને ધ્યાનથી વિચારો.
\v 7 વધુમાં નિશ્ચે ઈશ્વર, જેઓ ન્યાયી છે, તેઓ તેમના પસંદ કરેલા લોકો, કે જે તેમને આગ્રહથી દિવસ અને રાત વિનંતી કરે છે તેમને ન્યાય આપશે! અને તેઓ હંમેશા તેમની માટે ધીરજ રાખે છે.
\v 8 હું તમને કહ્યું છું, ઈશ્વર જલદી તેમના પસંદ કરેલાનો ન્યાય કરશે! તેમ છતાં જ્યારે હું, માણસનો દીકરો, પૃથ્વી પર પાછો આવીશ, ત્યારે એવા ઘણા લોકો હશે જેઓ મારા પર વિશ્વાસ નહિ કરતાં હોય."
\s5
\v 9 પછી ઈસુએ અમુક લોકો જેઓ પોતાને ન્યાયી ગણતા અને બીજાઓનો તિરસ્કાર કરતા હતા તેઓને પણ આ વાત કહી.
\v 10 તેમણે કહ્યું, "બે માણસો યરુશાલેમના મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. તેમાંનો એક ફરોશી હતો. બીજો લોકો પાસેથી રોમન સરકાર માટે કર ઉઘરાવતો હતો તે હતો.
\s5
\v 11 પછી ફરોશીએ ઊભા રહીને પોતાના માટે આ પ્રમાણે પ્રાર્થના કરી, 'ઓ ઈશ્વર, હું તમારો આભાર માનું છું કે હું બીજા લોકોના જેવો નથી. કેટલાક બીજા પાસેથી પૈસા ચોરી લે છે, કેટલાક લોકો બીજાઓ સાથે અયોગ્ય રીતે વર્તે છે અને કેટલાક વ્યભિચાર કરે છે. હું તેમાંની એકપણ બાબત કરતો નથી. અને હું અવશ્ય આ કર ઉઘરાવનાર જેવો પાપી નથી તે તો લોકોને છેતરે છે!
\v 12 હું દર અઠવાડિયે બે દિવસ ઉપવાસ કરું છું અને હું જે કમાઉ છું તેના દસ ટકા ભક્તિસ્થાનમાં આપું છું!'
\s5
\v 13 પરંતુ કર ઉઘરાવનાર વ્યક્તિ બીજા લોકોથી અને ભક્તિસ્થાનની પરસાળથી દૂર ઊભો રહ્યો. તેણે સ્વર્ગ તરફ પણ ન જોયું. તેના બદલે, તેણે છાતી કુટીને કહ્યું, 'ઓ ઈશ્વર, મહેરબાની કરીને મારા પર દયા કરો અને મને માફ કરો, કારણ કે હું અતિશય પાપી છું!'"
\v 14 પછી ઈસુએ કહ્યું, "હું કહું છું કે જેવો તે ઘરે જવા નીકળ્યો તેવામાં જ તે કર ઉઘરાવનાર પાપની માફી પામ્યો, પરંતુ ફરોશી નહિ. કારણ કે જે દરેક પોતાને ઊંચો કરે છે તેને નમ્ર બનાવવામાં આવશે અને જે દરેક નમ્ર છે તેમને ઊંચાં કરવામાં આવશે."
\s5
\v 15 એક દિવસ લોકો પોતાના બાળકોને ઈસુ પાસે લાવતા હતા કે તેઓ પોતાનો હાથ તેમના પર મૂકે અને તેમને આશીર્વાદ આપે. જ્યારે શિષ્યોએ તે જોયું ત્યારે, તેઓએ તેમને તેવું ન કરવા કહ્યું.
\v 16 પરંતુ ઈસુએ બાળકોને પોતાની પાસે લાવવા કહ્યું. તેમણે કહ્યું, "નાનાં બાળકોને મારી પાસે આવવા દો! તેઓને રોકશો નહીં! આ બાળકોની જેમ જેઓ નમ્ર અને વિશ્વાસુ લોકો છે તેઓ પર ઈશ્વર રાજ કરવા સંમત થશે.
\v 17 હું તમને ખરેખર કહું છું કે જે કોઈ ઈશ્વરને પોતાના પર રાજ કરવા માટે બાળકના જેવી નમ્રતાથી સ્વીકારતું નથી, તેવા લોકોને ઈશ્વર કોઈપણ રીતે સ્વીકારશે નહીં."
\s5
\v 18 એક વખત યહૂદી આગેવાને ઈસુને પૂછ્યું, "ભલા ગુરુજી, અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?"
\v 19 ઈસુએ તેને કહ્યું, "તું મને સારો કેમ કહે છે? માત્ર ઈશ્વર જ ખરેખર સારા છે!
\v 20 તારા પ્રશ્નનાં જવાબમાં, તું અવશ્ય જાણે છે કે ઈશ્વરે મૂસાને જે આજ્ઞાઓ આપી તે આપણે પાળવી જોઈએ: 'વ્યભિચાર કરવો નહીં, કોઈનું ખૂન કરવું નહીં, ચોરી કરવી નહીં, ખોટી સાક્ષી આપવી નહીં, તારા માતા-પિતાનું સન્માન કરવું.'"
\v 21 તે માણસે કહ્યું, "તે બધી આજ્ઞાઓ તો હું મારા બાળપણથી પાળતો આવ્યો છું."
\s5
\v 22 જ્યારે ઈસુએ તેને તે કહેતા સાંભળ્યો ત્યારે, તેમણે તેને જવાબ આપ્યો, "તારે હજુ એક બાબત કરવાની જરૂર છે. તારું બધું વેચી નાખ. પછી તે નાણાંં એવા લોકોને આપી દે કે જેઓને જીવન ગુજારો કરવા માટે બહુ જ થોડી જોગવાઈઓ છે. તેનું પરિણામ એ આવશે કે તું સ્વર્ગમાં આત્મિક સંપતિ પામશે. પછી આવ અને મારો શિષ્ય બની જા!."
\v 23 તે માણસે તેવું સાંભળ્યું ત્યારે તે બહુ દુઃખી થયો, કારણ કે તે ઘણો ધનવાન હતો.
\s5
\v 24 જ્યારે ઈસુએ જોયું કે તે માણસ કેવો દુઃખી હતો ત્યારે, તેઓ પોતે પણ ઘણા દુઃખી થયા. તેમણે કહ્યું, "જેઓ ધનવાન છે તેઓ માટે ઈશ્વર તેઓનાં જીવન પર રાજ કરે તે બાબત સ્વીકારવી અઘરી છે."
\v 25 હકીકતમાં, ધનવાન માણસ જે ઈશ્વરને પોતાનાં જીવન પર રાજ કરવા દે તેના કરતાંં ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલું છે."
\s5
\v 26 જેઓએ ઈસુને એવું કહેતા સાંભળ્યા તેઓએ જવાબ આપ્યો, "તો પછી એવું જણાય છે કે કોઈ બચી શકે નહિ!"
\v 27 પરંતુ ઈસુએ કહ્યું, "જે બાબત લોકો માટે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે."
\s5
\v 28 પછી પિતરે કહ્યું, "જુઓ, તમારા શિષ્ય બનવા માટે અમે અમારી પાસે જે હતું તે બધું છોડ્યું છે.
\v 29 ઈસુએ તેમને કહ્યું, "હા, અને હું તમને તે પણ કહું છું કે જેઓએ પોતાના ઘરનો, પોતાની પત્નીનો, પોતાના ભાઈઓનો, પોતાના માતાપિતા, કે પોતાના બાળકોનો ત્યાગ ઈશ્વરની ઇચ્છાને આધીન થવા કર્યો છે
\v 30 તેઓએ આ જીવનમાં જે છોડ્યું છે તેના બદલામાં વધારે પાછું પ્રાપ્ત કરશે, અને આવનાર યુગમાં તેઓ અનંતજીવન પ્રાપ્ત કરશે."
\s5
\v 31 ઈસુ બાર શિષ્યોને પોતાની સાથે એક જગ્યાએ લઈ ગયા અને તેઓને કહ્યું, "ધ્યાનથી સાંભળો, હવે આપણે યરુશાલેમ જઈએ છીએ. જ્યારે આપણે ત્યાં હોઈશું, ત્યારે જે બાબતો પ્રબોધકો એ ઘણા સમય અગાઉ મારા વિષે એટલે કે, માણસના દીકરા વિષે, લખી છે તે પૂર્ણ થશે.
\v 32 મારા શત્રુઓ મને બિન-યહૂદીઓની સત્તાને હવાલે કરશે. તેઓ મારી મશ્કરી કરશે, મારી સાથે ધિક્કારપૂર્વક વર્તન કરશે અને મારા પર થૂંકશે.
\v 33 તેઓ મને કોરડા મારશે, અને પછી તેઓ મને મારી નાખશે. પરંતુ, તે પછી ત્રીજા દિવસે હું પાછો સજીવન થઈશ."
\s5
\v 34 પરંતુ શિષ્યોને તેમણે જે કહ્યું તે તેમના સમજવામાં આવ્યું નહિ. તેઓ જે કહી રહ્યા હતા તેનો અર્થ ઈશ્વરે તેમને સમજવા દીધો નહિ.
\s5
\v 35 જેવા ઈસુ અને તેમના શિષ્યો યરીખો શહેરની નજીક આવ્યા, ત્યારે ત્યાં એક અંધ માણસ રસ્તાની બાજુમાં બેઠેલો હતો. તે નાણાંં માટે ભીખ માગતો હતો.
\v 36 જ્યારે તેણે પસાર થતા લોકોની ભીડનો અવાજ સંભાળ્યો, ત્યારે તેણે કોઈકને પૂછ્યું, "આ શું થઈ રહ્યું છે?"
\v 37 તેઓએ તેને કહ્યું, "ઈસુ, જે નાસરેથના છે, તેઓ પસાર થઈ રહ્યા છે."
\s5
\v 38 તેણે બૂમ પાડી, "ઈસુ, તમે જેઓ દાઉદ રાજાના વંશજ છો, મારા પર દયા કરો!"
\v 39 જેઓ ટોળાની આગળ ચાલતા હતા તેઓએ તેને ધમકાવ્યો અને તેને શાંત રહેવા કહ્યું. પરંતુ તેણે વધુ મોટેથી બૂમ પાડતા કહ્યું, "તમે જેઓ દાઉદ રાજાના વંશજ છો, મારા પર દયા કરો!"
\s5
\v 40 ઈસુ ઊભા રહ્યા અને લોકોને આજ્ઞા કરી કે તે માણસને તેમની પાસે લાવે. જ્યારે તે અંધ માણસ નજીક આવ્યો ત્યારે, ઈસુએ તેને પૂછ્યું,
\v 41 "તું શું ઇચ્છે છે કે હું તારે માટે તે કરું?" તેણે કહ્યું, "પ્રભુ, હું ઇચ્છું છું કે તમે મને જોવા માટે સક્ષમ કરો!"
\s5
\v 42 ઈસુએ તેને કહ્યું, "તો દેખતો થા! કારણ કે તેં મારામાં વિશ્વાસ કર્યો છે, તેથી મેં તને સાજો કર્યો છે!"
\v 43 તરત જ તે જોવા માટે સક્ષમ થયો. અને તે પ્રભુની સ્તુતિ કરતો, ઈસુની સાથે ગયો. અને જ્યારે બધા લોકોએ આ જોયું ત્યારે, તેઓએ પણ પ્રભુની સ્તુતિ કરી.
\s5
\c 19
\p
\v 1 ઈસુ યરીખોમાં પ્રવેશ્યા અને શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા.
\v 2 ત્યાં જાખ્ખી નામે એક માણસ હતો. તે કર ઉઘરાવવાની જવાબદારી બજાવતો હતો અને તે ઘણો ધનવાન હતો.
\s5
\v 3 તે ઈસુને જોવા ઇચ્છતો હતો પરંતુ ભીડને લીધે જોઈ શકતો ન હતો. કેમ કે તે ખૂબ જ નીચા કદનો માણસ હતો અને ઈસુની આસપાસ ઘણા લોકો હતા.
\v 4 તેથી તે રસ્તામાં આગળ વધ્યો. અને ગુલ્લર ઝાડ પર ચઢ્યો કે જેથી જ્યારે ઈસુ નજીક આવે ત્યારે તે તેમને જોઈ શકે.
\s5
\v 5 જ્યારે ઈસુ ત્યાં આવ્યા ત્યારે, તેમણે ઉપર જોયું અને તેને કહ્યું, "જાખ્ખી, જલદી નીચે આવ, આજે રાત્રે મારે તારા ઘરે રહેવાનું છે!"
\v 6 તેથી તે ઝડપથી નીચે ઊતર્યો. તે ઈસુને પોતાના ઘરમાં આવકારવા માટે ખુશ હતો.
\v 7 પરંતુ જે લોકોએ ઈસુને ત્યાં જતા જોયા હતા તેઓએ કચકચ કરીને કહ્યું, "જુઓ, ઈસુ એક અતિશય પાપીના ઘરે મહેમાન બનવા ગયા છે!"
\s5
\v 8 પછી તેઓ જમતા હતા એટલામાં તરત જ જાખ્ખી ઊભો થયો અને ઈસુને કહ્યું, "પ્રભુ, હું ઈચ્છું છું કે તમે જાણો કે મારી પાસે જે સંપત્તિ છે તેનો અડધો ભાગ હું ગરીબ લોકોને આપવા જઈ રહ્યો છું. અને જે લોકોને મેં છેતર્યા છે, તેઓની પાસેથી મેળવેલી રકમની ચાર ગણી હું તેમને પાછી ચૂકવીશ.
\v 9 ઈસુએ તેને કહ્યું, "આજે ઈશ્વરે આ કુટુંબને બચાવ્યું છે, કારણ કે આ માણસે દર્શાવ્યું છે કે તે ખરેખર ઇબ્રાહિમનો વંશજ છે.
\v 10 આ યાદ રાખો કે: હું, માણસનો દીકરો, તારા જેવા લોકો કે જેઓ ઈશ્વરથી ભટકી ગયા છે તેઓને શોધવા અને બચાવવા આવ્યો છું."
\s5
\v 11 ઈસુએ જે સર્વ કહ્યું તે લોકો સાંભળી રહ્યા હતા. ઈસુ યરુશાલેમની નજીક આવ્યા, ત્યારે ઈસુએ તેઓને બીજી એક વાર્તા કહેવાનું નક્કી કર્યું. લોકો વિચારતા હતા કે જેવા ઈસુ યરુશાલેમમાં પ્રવેશ કરશે કે ટૂંક સમયમાં તેઓ ઈશ્વરના લોકો પર રાજા તરીકે રાજ કરવાનું ચાલુ કરશે, પણ ઈસુ આ વિચારને સુધારવા માગતા હતા.
\v 12 તેમણે કહ્યું, "એક રાજકુમાર દૂર દેશમાં જવા માટે તૈયાર થયો કે જેથી તે મહારાજા સાથે જઈને પોતે જે દેશમાં રહેતો હતો ત્યાં રાજા બનવાનો અધિકાર મેળવે. રાજા બનવાનો અધિકાર મેળવ્યા પછી, તે પોતાના લોકો પર રાજ કરવા પાછો આવશે.
\s5
\v 13 તેના ગયા અગાઉ, તેણે પોતાના ચાકરોમાંના દસને બોલાવ્યા. તેણે દરેકને સરખાં નાણા આપ્યાં. તેણે તેઓને કહ્યું, 'હું આવું ત્યાં સુધી આ નાણાંં વડે વ્યાપાર કરો!' પછી તે ચાલ્યો ગયો.
\v 14 પરંતુ તે દેશના ઘણા લોકો તેને ધિક્કારતા હતા. તેથી તેમણે કેટલાક સંદેશવાહકોને તેનો પીછો કરવા મોકલ્યા અને મહારાજાને કહેવડાવ્યું, 'અમને આ માણસ અમારા રાજા તરીકે જોઈતો નથી!'
\v 15 પરંતુ તેને કોઈક રીતે રાજા બનાવામાં આવ્યો. પછી તે નવા રાજા તરીકે પાછો આવ્યો. ત્યારબાદ તેણે જે ચાકરોને નાણાંં આપ્યાં હતાં તેઓને બોલાવ્યા. તેને જાણવું હતું કે તેઓ તેના આપેલા નાણાંંના વ્યાપારથી કેટલું કમાયા હતા.
\s5
\v 16 પહેલા માણસે તેની પાસે આવીને કહ્યું, 'સાહેબ, તારા નાણાંંથી હું દસ ગણું કમાયો છું!'
\v 17 તેણે તે માણસને કહ્યું, 'તું સારો ચાકર છે! તેં ખૂબ સરસ કામ કર્યું છે! કારણ કે તેં વિશ્વાસુપણે થોડા નાણાંંની કાળજી લીધી છે, હું તને દસ શહેરોનો રાજા બનાવીશ.'
\s5
\v 18 પછી બીજો ચાકર આવ્યો અને કહ્યું, 'સાહેબ, તમે મને જે નાણાંં આપ્યાં હતાં તેનું મૂલ્ય હવે પાંચ ગણું થયું છે!'
\v 19 તેણે તે ચાકરને પણ કહ્યું, 'શાબાશ! હું તને પાંચ શહેરો પર રાજા ઠરાવીશ.'
\s5
\v 20 પછી ત્રીજો ચાકર આવ્યો. તેણે કહ્યું, 'સાહેબ, આ રહ્યાં તમારાં નાણાંં. મેં તેને કપડાંમાં વીંટાળીને સંતાડી રાખ્યા હતાં કે જેથી તે સલામત રહે.
\v 21 હું ગભરાઈ ગયો હતો કે જો વ્યાપાર નિષ્ફળ થશે તો તમે મને શું કરશો. હું જાણું છું કે અન્ય લોકો પાસેથી જે ખરેખર પોતાનું નથી તે લેનાર એવા કઠોર માણસ તમે છો. તમે એવા ખેડૂતના જેવા છો કે જે બીજા કોઈનાં વાવેલાં અનાજની લણણી કરો.'
\s5
\v 22 તેણે તે ચાકરને કહ્યું, 'તું દુષ્ટ નોકર છે! તારા જ બોલેલા શબ્દોથી હું તને દોષિત ઠરાવીશ. તને ખબર હતી કે હું કઠોર માણસ છું, કારણ કે જે મારું નથી તે હું લઉં છું અને જે વાવ્યું નથી તેની હું લણણી કરું છું.
\v 23 તો ઓછામાં ઓછું તારે તે નાણાંં કોઈ ઉછીનાં આપનારને આપવા જોઈતાં હતાં! પછી જ્યારે હું પાછો આવત ત્યારે હું તે નાણાંં અને તેનું વ્યાજ કમાયો હોત!'
\s5
\v 24 પછી તે રાજાએ જે લોકો તેમની નજીક ઊભેલા હતા તેઓને કહ્યું, 'તેની પાસેથી નાણાંં લઈ લો અને જે નોકરે નાણાંંને દસ ઘણાં કર્યાં હતાં તેને આપી દો!'
\v 25 તેઓએ વિરોધ કર્યો, 'પણ સાહેબ, તેની પાસે પહેલેથી જ ઘણાં નાણાંં છે!'
\s5
\v 26 પણ રાજાએ કહ્યું, 'હું તમને આ કહું છું: એવા લોકો કે જેમણે જે મેળવ્યું છે તેનો યોગ્ય ઉપયોગ કર્યો છે, તેઓને હું વિશેષ આપીશ. પરંતુ એવા લોકો કે જેઓને જે મળ્યું છે તેનો યોગ્ય ઉપયોગ કર્યો નહિ હોય, તેમની પાસે જે હશે તે પણ હું તેમની પાસેથી લઈ લઈશ.
\v 27 હવે, મારા શત્રુઓ કે જેઓની એવી ઇચ્છા ન હતી કે હું તેઓ પર રાજ કરું, તેઓને લઈ આવો અને મારા દેખતા જ મારી નાખો!'"
\s5
\v 28 ઈસુએ તે બધી બાબતો કહ્યા પછી, તેમણે શિષ્યોની આગળ, યરુશાલેમના માર્ગે ચાલ્યા કર્યું.
\s5
\v 29 જ્યારે તેઓ જૈતૂન પહાડની નજીક, બેથફગે અને બેથાની ગામોની નજીક આવ્યા ત્યારે,
\v 30 તેમણે તેમના બે શિષ્યોને કહ્યું, "તમારી આગળ જે ગામ છે તેમાં પ્રવેશો. તમે તેમાં પ્રવેશશો કે તરત, તમે એક ગધેડાનું વછેરું જોશો જેના પર કોઈએ ક્યારેય સવારી કરી નથી. તેને છોડીને મારી પાસે લાવો.
\v 31 જો કોઈ તમને પૂછે, 'તમે ગધેડાને કેમ છોડો છો?' તો તેને કહેજો, 'પ્રભુને તેની જરૂર છે."
\s5
\v 32 તેથી બે શિષ્યો ગામમાં ગયા અને ઈસુએ જેમ કહ્યું હતું તે પ્રમાણે તેઓને ગધેડું મળ્યું.
\v 33 જ્યારે તેઓ તેને છોડતા હતા, ત્યારે તેના માલિકે તેઓને કહ્યું, "તમે અમારું ગધેડું કેમ છોડી રહ્યા છો?"
\v 34 તેઓએ જવાબ આપ્યો, "પ્રભુને તેની જરૂર છે."
\v 35 પછી શિષ્યો તે ગધેડુ ઈસુ પાસે લાવ્યા. તેઓએ પોતાના ઝભ્ભાઓ ગધેડાની પીઠ પર નાખ્યા કે જેથી ઈસુ તેના પર બેસે અને ઈસુને તેના પર ચઢવા માટે મદદ કરી.
\v 36 પછી જેવી તેમણે સવારી કરી કે, બીજાઓએ તેમને માન આપવા પોતાના ઝભ્ભા તેમની સામે રસ્તા પર પાથર્યા.
\s5
\v 37 પછી જ્યારે તેઓ જે રસ્તો જૈતૂન પહાડ તરફથી નીચે જતો હતો ત્યાં આવ્યા ત્યારે, તેમના શિષ્યોના આખા સમુદાયે આનંદથી મોટે અવાજે જે ચમત્કારો તેઓએ ઈસુને કરતાં જોયા હતા તેને માટે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા.
\v 38 તેઓ એવી બાબતો બોલતા હતા, "જે ઈશ્વરના અધિકારથી આવે છે તે આપણા રાજાને ઈશ્વર આશીર્વાદ આપો!" "સ્વર્ગમાંના ઈશ્વર અને અમારી એટલે કે તેમના લોકોની વચ્ચે શાંતિ થાઓ, અને દરેક વ્યક્તિ ઈશ્વરની સ્તુતિ કરો!"
\s5
\v 39 ટોળામાં કેટલાક ફરોશીઓ હતા તેઓએ તેમને કહ્યું, "ગુરુજી, તારા શિષ્યોને કહે કે તેઓ આ પ્રમાણે બોલવાનું બંધ કરે!"
\v 40 તેમણે જવાબ આપ્યો, "હું તમને આ કહું છું: જો આ લોકો શાંત રહેશે, તો પથ્થરો પોતે પોકારીને મારી સ્તુતિ કરશે!"
\s5
\v 41 જ્યારે ઈસુ યરુશાલેમની નજીક આવ્યા અને શહેરને જોયું ત્યારે, તેઓ ત્યાંના લોકો માટે રડ્યા.
\v 42 તેઓએ કહ્યું, "હું ઇચ્છું છું કે તમે લોકોએ જાણ્યું હોત કે કેવી રીતે ઈશ્વરની શાંતિ પામવી જોઈએ. પરંતુ હમણાં તે જાણવા તમે અસમર્થ છો.
\s5
\v 43 હું ઇચ્છું છું કે તમે આ જાણો: તમારા શત્રુઓ જલદીથી આવશે અને તમારા શહેરની આસપાસ કિલ્લેબંધી કરશે. તેઓ શહેરને ઘેરી લેશે અને બધી જ બાજુથી તેના પર હુમલો કરશે.
\v 44 તેઓ દીવાલો તોડી નાખશે અને સઘળાનો નાશ કરશે. તેઓ તમારો અને તમારાં બાળકોનો નાશ કરશે. જ્યારે તેઓ નાશ કરી નાખશે ત્યારે એક પથ્થર પર બીજો રહેવા દેશે નહિ. આ બધું થશે કારણ કે જ્યારે ઈશ્વર તમને બચાવવા આવ્યા તે સમયને તમે પારખી ન શક્યા!"
\s5
\v 45 ઈસુ યરુશાલેમમાં પ્રવેશ્યા અને ભક્તિસ્થાનના આંગણામાં ગયા. તેમણે તે જગ્યાએ જેઓ વસ્તુઓ વેચતા હતા તે લોકોને જોયા,
\v 46 અને તેઓ તેમને બહાર હાંકી કાઢવા લાગ્યા. તેઓએ તેમને કહ્યું, "શાસ્ત્રમાં લખેલું છે, 'હું ઇચ્છું છું કે મારું ઘર એવી જગ્યા હોય કે જ્યાં લોકો પ્રાર્થના કરે', પરંતુ તમે તેને ચોરોને માટે સંતાવાની જગ્યા બનાવી છે!"
\s5
\v 47 તે અઠવાડિયાના દરેક દિવસે ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં લોકોને શીખવતા હતા. મુખ્ય યાજક, ધાર્મિક નિયમોના શિક્ષકો, અને બીજા યહૂદી આગેવાનો તેમને મારી નાખવાનો માર્ગ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
\v 48 પરંતુ તેઓને તેમ કરવાનો કોઈ માર્ગ મળ્યો નહિ, કારણ કે બધા જ લોકો તેમને સાંભળવા આતુર હતા.
\s5
\c 20
\p
\v 1 તે અઠવાડિયા દરમ્યાન એક દિવસે ઈસુ લોકોને મંદિરની પરસાળમાં શિક્ષણ આપતા હતા અને ઈશ્વરનો શુભ સંદેશ કહેતા હતા. તેઓ એમ કરતાં હતા ત્યારે, મુખ્ય યાજકો, યહૂદી નિયમોના શિક્ષકો, અને બીજા આગેવાનો તેમની પાસે આવ્યા.
\v 2 તેઓએ તેમને કહ્યું, "અમને કહો, આ બધી બાબતો કરવાનો તમને શો અધિકાર છે? અને તમને આ અધિકાર કોણે આપ્યો?"
\s5
\v 3 તેમણે જવાબ આપ્યો, "હું પણ તમને એક પશ્ન પૂછીશ.
\v 4 યોહાન લોકોનું બાપ્તિસ્મા કરતો હતો તેના વિશે મને કહો: તેને બાપ્તિસ્મા આપવાનો હુકમ શું ઈશ્વરે આપ્યો હતો કે માણસોએ તેને હુકમ આપ્યો હતો?"
\s5
\v 5 તેઓએ અરસપરસ આ વિશે ચર્ચા કરી. તેઓએ કહ્યું, "જો આપણે જવાબ આપીએ કે, 'ઈશ્વરે તેને હુકમ આપ્યો હતો,' તો તેઓ કહેશે, 'તો તમે તેના પર વિશ્વાસ કેમ ન કર્યો?'"
\v 6 પરંતુ જો આપણે કહીએ, 'માત્ર માણસોએ તેને બાપ્તિસ્મા આપવા કહ્યું હતું,' તો માણસો આપણને પથ્થરોથી મારી નાખશે, કારણ કે તેઓ બધા વિશ્વાસ કરે છે કે યોહાન ઈશ્વર દ્વારા મોકલાયેલો પ્રબોધક છે."
\s5
\v 7 તેથી તેઓએ જવાબ આપ્યો કે, તેઓ જાણતા નહોતા કે યોહાનને બાપ્તિસ્મા આપવાનું કોણે કહ્યું.
\v 8 પછી ઈસુએ તેઓને કહ્યું, "હું પણ તમને નહિ કહું કે મને તે બાબતો કરવા કોણે મોકલ્યો છે."
\s5
\v 9 પછી ઈસુએ લોકોને આ ઉદાહરણ કહ્યું, "એક માણસે દ્રાક્ષાવાડી રોપી. તેણે કેટલાક માણસોને તેની સંભાળ રાખવા તે ભાડે આપી. પછી તે બીજા દેશમાં ગયો અને ત્યાં લાંબો સમય રહ્યો.
\v 10 જ્યારે દ્રાક્ષની કાપણીનો સમય આવ્યો, ત્યારે તેણે દ્રાક્ષાવાડીની સંભાળ રાખનાર માણસો પાસે એક નોકર મોકલ્યો, જેથી તેઓ દ્રાક્ષાવાડીમાં જે ઉત્પન્ન થયું હોય તે દ્રાક્ષનો ભાગ આપે. પરંતુ નોકરના ત્યાં પહોંચ્યા પછી, તેઓએ તેને માર્યો અને દ્રાક્ષનો કોઇપણ હિસ્સો આપ્યા વગર પાછો મોકલી દીધો.
\s5
\v 11 પછીથી, માલિકે બીજા નોકરને મોકલ્યો. પરંતુ તેને પણ તેઓએ માર્યો અને અપમાન પણ કર્યું. તેઓએ તેને દ્રાક્ષનો હિસ્સો આપ્યા વગર પાછો મોકલી દીધો.
\v 12 હજુ ફરીથી, માલિકે બીજા નોકરને મોકલ્યો. આ ત્રીજા નોકરને તેઓએ ઘાયલ કર્યો અને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો.
\s5
\v 13 તેથી દ્રાક્ષાવાડીના માલિકે પોતાને કહ્યું, 'હવે મારે શું કરવું જોઈએ? હું મારા દીકરાને મોકલીશ, કે જેને હું ખૂબ પ્રેમ કરું છું. કદાચ તેઓ તેને માન આપશે.'
\v 14 તેથી તેણે તેના દીકરાને મોકલ્યો, પરંતુ જ્યારે દ્રાક્ષાવાડીની સંભાળ રાખતા માણસોએ તેને આવતો જોયો, ત્યારે તેઓએ એકબીજાને કહ્યું, 'એક દિવસ જે દ્રાક્ષાવાડીનો વારસ થશે તે માણસ આવે છે! ચાલો આપણે તેને મારી નાખીએ કે જેથી કદાચ આ દ્રાક્ષાવાડી આપણી બની જાય!'
\s5
\v 15 તેથી તેઓ તેને દ્રાક્ષાવાડીની બહાર ઘસડી ગયા અને તેઓએ તેને મારી નાખ્યો. તેથી હું તમને કહીશ કે દ્રાક્ષાવાડીનો માલિક તેમની સાથે શું કરશે!
\v 16 તે આવશે અને જે માણસો દ્રાક્ષાવાડીની સંભાળ રાખતા હતા તેઓને મારી નાખશે. પછી તે તેની સંભાળ રાખવા બીજા લોકોની વ્યવસ્થા કરશે." ઈસુને સાંભળનારા લોકોએ જ્યારે આ સાંભળ્યું, ત્યારે તેઓએ કહ્યું, "આવી પરિસ્થિતિ ક્યારેય ન બને!"
\s5
\v 17 પરંતુ ઈસુએ તેમની તરફ સીધું જોતા કહ્યું, "તમે એમ કહી શકો, પરંતુ શાસ્ત્રવચનમાં જે લખવામાં આવ્યા છે તે શબ્દોના અર્થ વિશે વિચારો, 'જે પથ્થરને બાંધનારાઓએ નકાર્યો તે ઇમારતનો સૌથી અગત્યનો પથ્થર બન્યો.
\v 18 જે બધા આ પથ્થર પર પડશે તેના તૂટીને ટુકડા થઈ જશે, અને તે જેના પર પડશે તેને તે છૂદી નાખશે."
\s5
\v 19 મુખ્ય યાજકો અને યહૂદી નિયમના શિક્ષકોને ભાન થયું કે જ્યારે તેઓ દુષ્ટ માણસોની વાર્તા કહી રહ્યા હતા ત્યારે તેઓ તેમના પર આરોપ મૂકતા હતા. તેથી તેઓ તરત જ તેમની ધરપકડ માટેનો માર્ગ શોધવાનો પ્રયાસ કરવા લાગ્યા, પરંતુ તેઓએ તેમની ધરપકડ કરી નહિ, કારણ કે જો તેઓ તેમ કરે તો લોકો શું કરશે તે વિચારીને તેઓ ડરતા હતા.
\v 20 તેથી તેઓએ તેમના પર કાળજીપૂર્વક નજર રાખી. તેઓએ જાસૂસો પણ મોકલ્યા કે જેઓ ગંભીર હોવાનો ઢોંગ કરતા હતા. પરંતુ તેઓ ખરેખર એવી ઇચ્છા રાખતા હતા કે ઈસુ કંઈ ખોટું કહે કે જેથી તેઓ તેમના પર આરોપ મૂકી શકે. તેઓ તેમને પ્રાંતના રાજ્યપાલને સોંપી દેવા માગતા હતા.
\s5
\v 21 તેથી તેઓમાંના એક જાસૂસે તેમને પૂછ્યું, "શિક્ષક, અમે જાણીએ છીએ કે તમે જે સાચું છે તે બોલો છો અને શીખવો છો. જો કે અગત્યના લોકોને ન ગમે તોપણ તમે સત્ય જ કહો છો. ઈશ્વર આપણી પાસે શું કરાવવા ઇચ્છે છે તે સત્યતાથી તમે શીખવો છો.
\v 22 તેથી અમને જણાવો કે તમે આ બાબતે શું વિચારો છો: શું આપણે રોમન સરકારને કર ભરીએ છીએ એ યોગ્ય છે કે નહીં?"
\s5
\v 23 પરંતુ તેઓ જાણતા હતા કે તેઓ તેમને યહૂદીઓ સામે, કે જેઓને કર ભરવાનું પસંદ ન હતું, અથવા રોમન સરકાર સામે મુશ્કેલીમાં મૂકવા માટે છેતરવાનો પ્રયાસ કરતા હતા. તેથી તેમણે તેઓને કહ્યું,
\v 24 "મને રોમન સિક્કો બતાવો. પછી મને કહો કે તેના ઉપર કોનું ચિત્ર છે. અને મને કહો કે તેના ઉપર કોનું નામ છે." તેથી તેઓએ તેમને સિક્કો બતાવ્યો અને કહ્યું, "તેના ઉપર કાઈસાર, જે રોમન સરકારના વડા છે, તેમનું નામ અને ચિત્ર છે."
\s5
\v 25 તેમણે તેઓને કહ્યું, "તે અનુસંધાનમાં, જે સરકારનું છે તે સરકારને આપો, અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો."
\v 26 જાસૂસો તેમના જવાબથી એટલા બધા અચરજ થયા કે તેઓ તેમને જવાબ ન આપી શક્યા. ઈસુએ તેમની આસપાસના લોકો આગળ કહ્યું તેમાં એવું કંઈ જ ન હતું કે જેમાંથી જાસૂસો કંઈ ખોટું શોધી શકે.
\s5
\v 27 તે પછી, કેટલાંક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા. તેઓ યહૂદીઓનું એવું જૂથ છે કે જેઓ એમ કહે છે કે કોઈ મરણમાંથી પાછુ ઉઠશે નહિ.
\v 28 તેઓ પણ ઈસુને એક પ્રશ્ન પૂછવા ઇચ્છતા હતા. તેઓમાંના એકે તેમને કહ્યું, "ગુરુજી, મૂસાએ આપણા યહૂદીઓ માટે લખ્યું હતું કે જો કોઈ માણસ કે જેની પત્ની હોય પણ તેને કોઈ બાળકો ન હોય અને તે મરણ પામે, તો તેના ભાઈએ વિધવા સાથે લગ્ન કરવું જોઈએ કે જેથી તે સ્ત્રીને તેના દ્વારા બાળક થાય. આ રીતે, લોકો એવું માનશે કે તે બાળક મરણ પામેલા માણસનો વંશજ છે.
\s5
\v 29 હવે, એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. સૌથી મોટાએ એક સ્ત્રી સાથે લગ્ન કર્યાં, પરંતુ તેને અને તેની પત્નીને કોઈ બાળકો ન હતાં. પછીથી તે મરણ પામ્યો.
\v 30 બીજો ભાઈ આ નિયમને અનુસર્યો અને વિધવા સાથે લગ્ન કર્યાં, પરંતુ તેની સાથે પણ તેવું જ બન્યું.
\v 31 પછી ત્રીજા ભાઈએ તેની સાથે લગ્ન કર્યાં, પરંતુ તેની સાથે પણ ફરીથી તેવું જ બન્યું. સાતેય ભાઈઓએ, એક પછી એક, તે સ્ત્રી સાથે લગ્ન કર્યાં, પરંતુ તેઓને બાળકો થયા નહિ, અને એક પછી એક તેઓ મરણ પામ્યાં.
\v 32 ત્યારબાદ, તે સ્ત્રી પણ, મરણ પામી.
\v 33 તેથી, જો તે સાચું હોય કે એવો સમય આવશે કે મરણ પામેલ લોકો ફરીથી સજીવન થશે, ત્યારે તે સ્ત્રી કોની પત્ની બનશે? યાદ રાખો કે તેણે સાતેય ભાઈઓ સાથે લગ્ન કર્યાં હતાં!"
\s5
\v 34 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "આ જગતમાં, પુરુષો પત્નીઓ કરે છે, અને લોકો તેમની દીકરીઓ લગ્ન માટે પુરુષોને આપે છે.
\v 35 પરંતુ જે લોકોને ઈશ્વર મરણમાંથી સજીવન થયા પછી સ્વર્ગમાં રહેવાને યોગ્ય ગણે છે તેઓ લગ્ન કરશે નહીં.
\v 36 વળી, તેઓ હવે મરણ પામશે નહીં, કારણ કે તેઓ દૂતોનાં જેવા અમર રહેશે. હકીકત એ છે કે ઈશ્વર તેમને ફરીથી પાછા ઉઠાડશે તે બતાવશે કે તેઓ તેમના બાળકો છે.
\s5
\v 37 પરંતુ ઝાડવા સંબંધી, મૂસાએ પણ ઈશ્વર કેવી રીતે મરણ પામેલાઓને જીવતા કરશે તે વિષે લખ્યું છે. જ્યાં તેણે લખ્યું છે તે જગ્યાએ, તેણે પ્રભુ કે જે ઈશ્વરનું ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ ભજન કરતા હતા તેમનો ઉલ્લેખ કર્યો છે. મરણ પામેલા લોકો ઈશ્વરનું ભજન કરતા નથી, પરંતુ જીવતા લોકો તેમનું ભજન કરે છે.
\v 38 બધા લોકો જેઓના આત્માઓ મરણ પછી ફરીથી સજીવન થાય છે તેઓ તેમને માન આપવાનું ચાલુ રાખે છે!"
\p
\s5
\v 39 યહૂદી નિયમના કેટલાક શિક્ષકોએ તેમને જવાબ આપ્યો, "શિક્ષક, તમે ખૂબ જ સારી રીતે જવાબ આપ્યો!"
\v 40 તે પછી, કોઈએ પણ તેમને ફસાવવા માટે વધુ એકપણ પશ્ન પૂછવાની હિંમત કરી નહિ.
\p
\s5
\v 41 પછી ઈસુએ તેમને કહ્યું, "હું તમને બતાવીશ કે જ્યારે લોકો કહે કે મસીહા માત્ર દાઉદ રાજાના વંશજ છે, ત્યારે તેઓ ખોટા છે!
\v 42 દાઉદે પોતે ગીતશાસ્ત્રના પુસ્તકમાં મસીહા વિશે લખ્યું છે,
\q ઈશ્વરે મારા પ્રભુને કહ્યું,
\q 'મારી જમણી બાજુએ આવીને બેસ, જ્યાં હું તને ખૂબ માન આપીશ.
\q
\v 43 જ્યાં સુધી હું સંપૂર્ણ રીતે તારા દુશ્મનોને હરાવું નહી ત્યાં સુધી અહીં બેસ.'
\p
\v 44 દાઉદ રાજા મસીહને 'મારા પ્રભુ' કહે છે! તેથી મસીહ માત્ર દાઉદ રાજાના વંશજ હોઈ શકે નહિ! મેં જે હમણાં કહ્યું તે સાબિત કરે છે કે તેઓ દાઉદ કરતા ઘણા વધારે છે, ખરું ને?
\s5
\v 45 જ્યારે બાકીના બધા જ લોકો સાંભળી રહયા હતા ત્યારે, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું,
\v 46 "સાવચેત રહો કે તમે યહૂદી નિયમ શીખવનાર માણસો જેવું વર્તન ન કરો. તેઓને લાંબા ઝભ્ભા પહેરીને ફરવાનું ગમે છે કે જેથી લોકો વિચારે કે તેઓ ઘણા મહત્વના છે. લોકો તેમને બજારમાં આદરપૂર્વક સલામ પાઠવે તેવું પણ તેઓને ગમે છે. તેમને સભાસ્થાનોમાં અગત્યની જગ્યાઓએ બેસવાનું ગમે છે. રાત્રિ જમણમાં તેઓને એવી જગ્યાઓએ બેસવાનું ગમે છે જે જગ્યાઓએ સૌથી માનનીય લોકો બેસતા હોય.
\v 47 તેઓ વિધવાઓની બધી જ સંપત્તિ ચોરી લે છે. પછી તેઓ જાહેરમાં લાંબા સમય સુધી પ્રાર્થના કરે છે. ઈશ્વર ચોક્કસ તેઓને ગંભીર સજા કરશે."
\s5
\c 21
\p
\v 1 ઈસુ જ્યાં બેઠા હતા ત્યાંથી તેઓ જોતા હતા અને ધનવાન લોકો પોતાની ભેટો સભાસ્થાનની દાન પેટીમાં મૂકતા હતા તે પર ધ્યાન આપતા હતા.
\v 2 તેમણે જોયું કે એક ગરીબ વિધવાએ તદ્દન ઓછી કિંમતના બે સિક્કા મૂક્યા.
\v 3 અને તેઓએ તેમના શિષ્યોને કહ્યું, "સત્ય એ છે કે આ ગરીબ વિધવાએ દાન પેટીમાં બીજા ધનવાન લોકો કરતાં વધારે નાણાંં મૂક્યાં છે.
\v 4 કારણ કે તેઓ બધા પાસે ઘણાં નાણાંં છે, પરંતુ તેઓએ તેમાંનો નાનો ભાગ આપ્યો છે. પરંતુ આ વિધવા, જે ખૂબ ગરીબ છે, તેણે જે જરૂરનું છે તે ખરીદવા માટેનાં જેટલાં નાણાંં પોતાની પાસે હતાં તે બધાં આપી દીધાં.
\s5
\v 5 ઈસુના કેટલાક શિષ્યો આ બાબત વિશે વાત કરતાં હતા કે લોકો દ્વારા આપવામાં આવેલા સુંદર પથ્થરો અને સજાવટથી ભક્તિસ્થાનને કેવું શણગારવામાં આવ્યું હતું. પરંતુ ઈસુએ કહ્યું,
\v 6 "તમે આ જે જુઓ છો તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવશે. હા, એવો સમય આવે છે કે જ્યારે આ પથ્થરોમાંનો એકપણ બીજા પથ્થર પર રહેવા દેવામાં નહિ આવે."
\s5
\v 7 પછી તેઓએ તેમને પૂછ્યું, "શિક્ષક, આ બધું ક્યારે થશે? અને એવું તો શું થશે કે જે બતાવે કે આ બધું હવે થવાનું છે?"
\v 8 ઈસુએ જવાબ આપ્યો, "સાવધાન રહો કે કોઈ તમને છેતરે નહિ. કારણ કે ઘણા લોકો આવશે અને હું તે છું એમ હોવાનો દરેક દાવો કરશે. દરેક પોતા માટે કહેશે, 'હું મસીહ છું!' તેઓ એમ પણ કહેશે, 'સમય લગભગ આવી ચૂક્યો છે, જ્યારે ઈશ્વર રાજા તરીકે રાજ કરશે!' તેઓના શિષ્ય બનવા તેઓનું અનુકરણ કરશો નહિ!
\v 9 તે ઉપરાંત, જ્યારે તમે યુદ્ધ વિશે અને લોકો એકબીજા સાથે લડતા હોય તેવું સાંભળો, ત્યારે બીશો નહિ. કારણ કે આ બધું દુનિયાનો અંત આવે તે અગાઉ થવું જ જોઈએ
\s5
\v 10 "વિવિધ લોકોના જૂથો એક બીજા પર હુમલો કરશે, અને વિવિધ રાજાઓ એકબીજા સાથે યુદ્ધ કરશે.
\v 11 અને ઘણી જગ્યાએ મોટા ધરતીકંપ તેમ જ દુકાળ અને ભયંકર રોગો પણ થશે. ઘણી બાબતો બનશે કે જેનાથી લોકો ખૂબ જ ભયભીત થશે, અને લોકો આકાશમાં વિચિત્ર બાબતો જોશે કે જે બતાવશે કે કંઇક મહત્વનું બનવાનું છે.
\s5
\v 12 પરંતુ આ સઘળું બને તે અગાઉ, તેઓ તમારી ધરપકડ કરશે, તમારી સાથે ખરાબ વર્તન કરશે અને તમને સભાસ્થાનમાં તપાસ માટે સોંપશે અને તમને કેદખાનામાં નાંખશે. તેઓ તમને રાજાની હજૂરમાં અને ઉચ્ચ સરકારી અધિકારીઓની હજૂરમાં તપાસને માટે સોંપશે કારણ કે તમે મને અનુસરો છો.
\v 13 તે સમય તમારા માટે એવો સમય હશે કે તમે તેઓને મારા વિશે સત્ય કહો.
\s5
\v 14 માટે તમે સમય પહેલા ચિંતા ન કરવાનું નક્કી કરો કે અમે અમારા બચાવમાં શું કહીશું.
\v 15 કારણ કે હું તમને યોગ્ય શબ્દો અને ડહાપણ આપીશ જેથી તમે જાણો કે તમારે શું બોલવું જોઈએ. જેના પરિણામે, જેઓ તમારા પર આરોપ મૂકે છે તેઓ તમે ખોટા છો તેમ ન કહી શકે.
\s5
\v 16 તથા તમારા માતા-પિતા, ભાઈઓ, બીજા સંબંધીઓ અને મિત્રો પણ તમારો વિશ્વાસઘાત કરશે, અને તેઓ તમારામાંના ઘણાને મારી નાખશે.
\v 17 સામાન્ય રીતે, બધા તમારો ધિક્કાર કરશે કારણ કે તમે મારા પર વિશ્વાસ કરો છો.
\v 18 પરંતુ તમારા માથા પરના એક પણ વાળનો નાશ નહિ થાય.
\v 19 જો તમે અઘરા સમયોમાંથી પસાર થાઓ અને ઈશ્વર પરના તમારા વિશ્વાસને સાબિત કરો, તો તમે તમારી જાતને બચાવશો."
\s5
\v 20 "જ્યારે તમે સૈન્યને યરુશાલેમની આસપાસ જોશો, ત્યારે તમે જાણશો કે તેઓ જલ્દીથી યરુશાલેમ શહેરનો નાશ કરશે.
\v 21 તે સમયે તમારામાંના જેઓ યહૂદિયાના પ્રદેશોમાં હોય તેઓએ પહાડો પર નાસી જવું. અને તમારામાંના જે આ શહેરમાં હોય તેઓએ જતા રહેવું. તમારામાંના જે નજીકના ગામોમાં હોય તેઓએ શહેરમાં ન જવું.
\v 22 કારણ કે આ તે સમય હશે જ્યારે ઈશ્વર આ શહેરને શિક્ષા કરશે; જ્યારે તેઓ એ કરશે, ત્યારે શાસ્ત્રવચનમાં લખેલા શબ્દો સાચા પડશે.
\s5
\v 23 સગર્ભા મહિલાઓ માટે અને જેઓ પોતાના બાળકોને સ્તનપાન કરાવતી હશે તેઓ માટે તે કેટલું ભયંકર હશે, કારણ કે દેશમાં ભારે પીડા હશે, અને તેના લોકોને પુષ્કળ સહન કરવું પડશે કારણ કે ઈશ્વર તેઓથી ક્રોધિત હશે.
\v 24 તેઓમાંના ઘણા મરણ પામશે કારણ કે સૈનિકો તેમના પર હથિયારથી હુમલો કરશે. અન્ય લોકોને ગુલામ બનાવવામાં આવશે અને તેઓને દુનિયાનાં અનેક સ્થળોએ મોકલવામાં આવશે. જ્યાં સુધી ઈશ્વર મંજૂરી આપશે ત્યાં સુધી બિનયહૂદી સૈનિકો યરુશાલેમની શેરીઓમાં કૂચ કરવાનું ચાલુ રાખશે."
\s5
\v 25 "આ સમયે, સૂર્ય, ચંદ્ર અને તારાઓના સબંધમાં વિચિત્ર બિનાઓ બનશે. અને પૃથ્વી પર, લોકોનાં જૂથો ઘણાં જ ભયભીત થઇ જશે, અને ગર્જના કરતા સમુદ્ર અને તેના વિશાળ મોજાંઓના કારણથી તેઓ મૂંઝાશે.
\v 26 લોકો એટલા ગભરાશે કે તેઓ બેભાન થઈ જશે, કારણ કે તેઓ રાહ જોઈ રહ્યા હશે કે દુનિયામાં હવે પછી બીજું શું થશે. આકાશના તારાઓને તેમનુ અસલ સ્થાન છોડવું પડશે.
\s5
\v 27 પછી બધા લોકો મને, માણસના દીકરાને, વાદળોમાંથી પરાક્રમ અને પુષ્કળ પ્રકાશ સહિત આવતા જોશે.
\v 28 માટે જ્યારે તે ભયંકર બાબતો બનવાનું શરુ થાય, ત્યારે સાવચેત થાઓ અને ઉપર જુઓ, કારણ કે ઈશ્વર જલદી તમારો છૂટકો કરશે."
\s5
\v 29 પછી ઈસુએ તેઓને એક ઉદાહરણ કહ્યું: "અંજીરના ઝાડ વિશે, અને બધાં વૃક્ષો વિશે પણ વિચારો.
\v 30 જ્યારે તમે જુઓ કે તેઓનાં પાંદડા ફૂટી નીકળ્યાં છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે.
\v 31 તે જ રીતે, જ્યારે તમે આ બધી બાબતો જે મેં તમને હમણા જ વર્ણવી તે બનતી જુઓ, ત્યાર પછી તમે જાણશો કે ઈશ્વર જલદીથી જ પોતાને રાજા તરીકે પ્રગટ કરશે.
\s5
\v 32 હું તમને સત્ય કહું છું: મેં તમને જે વર્ણવ્યું તે બધું થાય તે અગાઉ લોકોની આ પેઢીનો અંત આવશે નહિ.
\v 33 આકાશ અને પૃથ્વીનો અંત આવશે, પરંતુ મેં તમને જે કહ્યું તેનો કદી અંત આવશે નહિ.
\s5
\v 34 "તમારી જાતને કાબૂમાં રાખવાનું ધ્યાન રાખો. એવી મિજબાની કે જ્યાં લોકો અનૈતિક રીતે વર્તતા હોય, કે દારૂના નશામાં હોય ત્યાં તમે ન જાઓ. અને આ જીવનની ચિંતા તમારી સાથેઊંચકીને ના ફરો. જો તમે આ રીતે જીવશો, અને મારા પાછા આવવાની રાહ જોતા નહિ હો, અને પછી, તે જ ક્ષણે, જ્યારે હું આવીશ ત્યારે હું તમને આશ્ચર્યમાં મૂકીશ. જાણે કોઈ પ્રાણી અચાનક ફાંદામાં ફસાઈ જાય તેવી જ રીતે અચાનક હું આવીશ.
\v 35 ખરેખર, હું ચેતવણી આપ્યા વગર પાછો આવીશ, અને તે દિવસ એવી રીતે આવશે કે જ્યારે તમે મને જોવા તૈયાર નહિ હો.
\s5
\v 36 તેથી મારા આવવા માટે તમારે હંમેશાં તૈયાર રહેવું. અને હંમેશા પ્રાર્થના કરો કે તમે આ બધી અઘરી બાબતોમાંથી સલામત રીતે પસાર થઇ શકો, અને હું, માણસનો દીકરો, જ્યારે આ પૃથ્વી પર ન્યાય કરવા આવું ત્યારે તમને નિર્દોષ જાહેર કરું.
\s5
\v 37 દરેક દિવસે ઈસુ લોકોને મંદિરમાં શિક્ષણ આપતા હતા. પરંતુ દરેક સાંજે તે શહેરની બહાર આવતા અને આખી રાત જૈતૂન પહાડ પર રહેતા.
\v 38 અને વહેલી સવારે બધા લોકો ભક્તિસ્થાનમાં તેમને સાંભળવા આવતા.
\s5
\c 22
\p
\v 1 તે લગભગ બેખમીર રોટલીની ઉજવણીનો સમય હતો, જેને લોકો પાસ્ખાપર્વ પણ કહે છે.
\v 2 હવે મુખ્ય યાજકો અને યહૂદી નિયમના શિક્ષકો ઈસુને મારી નાખવાનો માર્ગ શોધી રહ્યા હતા, કારણ કે તેઓ જે લોકો તેમને અનુસરતા હતા તેઓથી બીતા હતા.
\s5
\v 3 પછી યહૂદા, જે ઈશ્કરિયોત કહેવાતો હતો અને જે બાર શિષ્યોમાંનો એક હતો તેમાં શેતાન પ્રવેશ્યો.
\v 4 તે ગયો અને મુખ્ય યાજકો અને મંદિરના રક્ષકોના અધિકારીઓ સાથે તે ઈસુને કેવી રીતે તેઓને સોંપી શકે તે વિષે વાત કરવા લાગ્યો.
\s5
\v 5 તેઓ ખૂબ ખુશ થયા કે તે તેમ કરવા ઇચ્છતો હતો. તેઓએ આ કરવા માટે તેને નાણાં ચૂકવવાની રજૂઆત કરી.
\v 6 તેથી યહૂદા સહમત થયો, અને પછી જ્યારે ઈસુની આસપાસ કોઈ ટોળું ન હોય ત્યારે તે તેમની ધરપકડ કરીને તેઓની મદદ કરવા માટે માર્ગ શોધવા લાગ્યો.
\s5
\v 7 પછી બેખમીર રોટલીના પર્વનો દિવસ આવ્યો, તે દિવસે પાસ્ખાપર્વની ઉજવણી માટે ઘેટાંની કતલ કરાતી હતી.
\v 8 તેથી ઈસુએ પિતર અને યોહાનને કહ્યું, "જાઓ અને જઈને પાસ્ખાપર્વની ઉજવણીનું ભોજન તૈયાર કરો કે જેથી આપણે સાથે જમી શકીએ."
\v 9 તેઓએ તેમને જવાબ આપ્યો, "તમારા મતે અમે જમવા માટે તૈયારી ક્યાં કરીએ?
\s5
\v 10 તેમણે જવાબ આપ્યો, "ધ્યાનથી સાંભળો. તમે જ્યારે શહેરમાં જશો, ત્યારે પાણીનું એક મોટું વાસણ ઊંચકેલો માણસ તમને મળશે; તે જે ઘરમાં પ્રવેશે તેની પાછળ તમારે જવું.
\v 11 ઘરના માલિકને કહેજો, 'અમારા શિક્ષક કહે છે તેમ જ્યાં તે પાસ્ખાપર્વનું ભોજન અમારી, એટલે તેમના શિષ્યોની સાથે જમી શકે તે ઓરડો ક્યાં છે?'
\s5
\v 12 તે તમને એક મોટો ઓરડો બતાવશે કે જે ઘરના ઉપલા માળે છે. તે સંપૂર્ણ રીતે, મહેમાનો માટેની સર્વ તૈયારી સાથે ગોઠવાયેલો હશે. આપણા માટે ત્યાં ભોજન તૈયાર કરજો."
\v 13 તેથી બે શિષ્યો શહેરમાં ગયા. ત્યારે ઈસુએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે બધું તેઓને મળ્યું. તેથી તેઓએ ત્યાં પાસ્ખાપર્વની ઉજવણીનું ભોજન તૈયાર કર્યું.
\s5
\v 14 જ્યારે ભોજન કરવાનો સમય થયો ત્યારે, ઈસુ આવ્યા અને પ્રેરિતો સાથે બેઠા.
\v 15 તેમણે તેઓને કહ્યું, "હું દુઃખ સહન કરું અને મરણ પામું તે પહેલાં તમારી સાથે પાસ્ખાપર્વની ઉજવણીનું આ ભોજન કરવાની મારી ઘણી ઇચ્છા હતી.
\v 16 હું તમને કહું છું, જ્યારે ઈશ્વરે પાસ્ખાપર્વમાં જે કરવાનું શરૂ કર્યું છે તે પૂર્ણ કરશે, જ્યારે ઈશ્વર દરેક જણ અને દરેક જગ્યા પર રાજ કરશે ત્યાં સુધી હું તે ફરીથી ખાનાર નથી."
\s5
\v 17 પછી તેમણે દ્રાક્ષારસનો પ્યાલો લીધો અને તેના માટે ઈશ્વરનો આભાર માન્યો. તેમણે કહ્યું, "આ લો, અને માંહોમાંહે એકબીજા સાથે વહેંચો.
\v 18 માટે હું તમને કહું છું કે જ્યાં સુધી ઈશ્વર દરેક જણ અને દરેક જગ્યા પર રાજ કરશે ત્યાં સુધી હું તે ફરીથી પીનાર નથી."
\s5
\v 19 પછી તેમણે રોટલી લીધી અને તેના માટે ઈશ્વરનો આભાર માન્યો. તેમણે તેને તોડીને ટુકડાઓ કરી તેઓને ખાવા માટે આપી. જ્યારે તેમણે તે કર્યું ત્યારે, તેમણે કહ્યું, "આ રોટલી મારું શરીર છે, જેનું હું તમારે માટે બલિદાન આપવાનો છું. હવે પછી મારા માનમાં આ પ્રમાણે કરજો."
\v 20 આવી જ રીતે, તેઓએ ભોજન કરી લીધા પછી, તેમણે દ્રાક્ષારસનો પ્યાલો લીધો અને કહ્યું, "આ નવો કરાર છે જે હું મારા પોતાના લોહી દ્વારા કરું છું, જેને તમારા માટે રેડવામાં આવશે.
\s5
\v 21 પરંતુ, જુઓ! જે માણસ મને મારા દુશ્મનોને સોંપી દેશે તે અહીં મારી સાથે જમે છે.
\v 22 ચોક્કસ, હું, માણસનો દીકરો, મરણ પામીશ, કારણ કે તે ઈશ્વરની યોજના છે. પરતું તે માણસ માટે કેટલું ભયંકર હશે કે જે મને મારા દુશ્મનોને સોંપી દેશે!"
\v 23 પછી પ્રેરિતો એકબીજાને પૂછવા લાગ્યા, "આપણામાંનો કોણ આ બાબત કરવાની યોજના કરી રહ્યો છે?"
\s5
\v 24 તે પછી, પ્રેરિતો માંહોમાંહે એકબીજા સાથે દલીલ કરવા લાગ્યા; તેઓએ કહ્યું, જ્યારે ઈસુ રાજા બનશે ત્યારે આપણામાંનો કોણ સૌથી વધુ માન પામશે?"
\v 25 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "બિન યહૂદી રાષ્ટ્રોના રાજાઓને પોતે કેટલા સત્તાધારી છે તે બતાવવું ગમે છે. તેમ છતાં તેઓ પોતાની જાતને, 'લોકોને મદદ કરનાર વ્યક્તિ છે' એવું પ્રદર્શિત કરે છે.
\s5
\v 26 પરંતુ તમારે એવા શાસકો જેવા થવું નહિ! તેના બદલે, તમારામાંનો જે સૌથી વધુ માનવંત હોય તેણે તે જાણે સૌથી નાનો હોય તેમ વર્તવું, અને જે નેતાગીરી આપે તેણે સેવકની જેમ વર્તવું.
\v 27 માટે તમે જાણો કે મહત્વની વ્યક્તિ એ છે કે જે મેજ પર જમે છે, જે સેવક ખોરાક લાવે છે તે નહી. પરંતુ હું તમારો સેવક છું.
\s5
\v 28 તમે એ વ્યક્તિઓ છો જે સર્વ મુશ્કેલ બાબતો મેં સહન કરી તેમાં તમે મારી સાથે રહ્યા.
\v 29 તેથી હવે, જે રીતે મારા પિતાએ મને રાજા તરીકે રાજ કરવાને નિયુક્ત કર્યો, તે જ રીતે જ્યારે ઈશ્વર દરેક જણ પર રાજ કરશે ત્યારે હું તમને શક્તિશાળી અધિકારીઓ બનાવીશ.
\v 30 જ્યારે હું રાજા બનીશ ત્યારે તમે મારી સાથે બેસશો અને ખાશો અને પીશો. હકીકતમાં, તમે ઇઝરાયલના બાર કુળોના લોકોનો ન્યાય કરવા માટે સિંહાસન પર બેસશો."
\s5
\v 31 "સિમોન, સિમોન, સાંભળ! શેતાને જેમ કોઈ ચાળણીથી અનાજ ચાળે તેમ તારું પરીક્ષણ કરવા માટે ઈશ્વરને પૂછ્યું છે, અને ઈશ્વરે તેને તેમ કરવાની પરવાનગી આપી છે.
\v 32 પરંતુ સિમોન, મેં તારા માટે પ્રાર્થના કરી, કે જેથી તું સંપૂર્ણપણે મારા પર વિશ્વાસ કરવાનું પડતું ન મૂકે. જેથી જ્યારે તું મારી પાસે પાછો આવે ત્યારે, આ તારા ભાઈઓને, ફરીથી હિંમત આપે.
\s5
\v 33 પિતરે તેમને કહ્યું, "પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા પણ તૈયાર છું; અને હું તમારી સાથે મરવા પણ તૈયાર છું!"
\v 34 ઈસુએ જવાબ આપ્યો, "પિતર, હું તને જણાવવા માંગું છું કે આજે રાત્રે, મરઘો બોલ્યા પહેલાં, તું ત્રણ વાર કહીશ કે તું મને જાણતો નથી!"
\s5
\v 35 પછી ઈસુએ શિષ્યોને પૂછ્યું, "જ્યારે મેં તમને ગામોમાં મોકલ્યા, અને તમે કોઈ નાણાં, ખોરાક, કે ચંપલ વિના ગયા ત્યારે, શું તમારી કોઈ જરૂરિયાત હતી કે જે તમને ન મળી હોય?" તેઓએ જવાબ આપ્યો, "કંઈ જ નહીં!"
\v 36 અને તેમણે કહ્યું, "પરંતુ, હવે, જો તમારામાંના કોઈની પાસે થોડાં નાણાં હોય, તો તે તેની સાથે લઇ લે. વળી, જેની પાસે ખોરાક હોય તે તેને તેની સાથે લઇ લે, અને જેની પાસે તરવાર ન હોય તો તેણે તેનો ઝભ્ભો વેચીને તરવાર ખરીદવી!"
\s5
\v 37 હું તમને આ કહું છું કારણ કે શાસ્ત્રવચનોમાં પ્રબોધકોએ મારા વિષે જે લખ્યું છે તે પ્રમાણે થાય: 'તે લોકોએ તેને ગુનેગાર ગણ્યો.' મારા વિષે જે સર્વ શાસ્ત્રવચનોમાં લખાયું છે તે થઈ રહ્યું છે.
\v 38 શિષ્યોએ કહ્યું, "પ્રભુ, જુઓ! અમારી પાસે બે તલવારો છે!" તેમણે જવાબ આપ્યો કે, "બસ કરો, હવેથી આ પ્રમાણે વાત કરશો નહીં."
\s5
\v 39 જેમ તેઓ હંમેશાં કરતા હતા, તેમ ઈસુ શહેર છોડીને જૈતૂન પહાડ પર ગયા; તેમના શિષ્યો તેમની સાથે ગયા.
\v 40 જ્યાં તેઓ જવા માગતા હતા તે સ્થળ પાસે તેઓ આવ્યા ત્યારે, તેમણે તેઓને કહ્યું, "પ્રાર્થના કરો કે જેથી પાપ કરવા તમે પરીક્ષણમાં ન પડો, માટે ઈશ્વર તમને મદદ કરે."
\s5
\v 41 પછી તેઓ તેમનાથી લગભગ ત્રીસ મીટર દૂર ગયા, ઘૂંટણે પડ્યા અને પ્રાર્થના કરી. તેઓએ કહ્યું,
\v 42 "પિતા, હવે મારી સાથે ભયંકર બાબતો બનવાની છે: જો તમે તે ન બને તેમ ઇચ્છતા હો, તો તેમ કરો. તો પણ હું ઇચ્છું છું તેમ નહી, પરંતુ તમે ઈચ્છો છો તેમ કરજો.
\s5
\v 43 પછી સ્વર્ગમાંથી એક દૂત આવ્યો અને તેમને હિંમત આપી.
\v 44 તેઓ ઘણા પીડાતા હતા. તેથી તેમણે વધુ આગ્રહપૂર્વક પ્રાર્થના કરી. તેમનો પરસેવો જમીન પર લોહીના મોટા ટીપાની જેમ પડતો હતો.
\s5
\v 45 જ્યારે તેઓ પ્રાર્થનામાંથી ઊભા થયા, ત્યારે તેઓ તેમના શિષ્યો પાસે પાછા ફર્યા. તેમણે જોયું કે તેઓ તેમનાં દુઃખોને કારણે ખૂબ જ થાકી ગયા હતા, અને તેઓ ઊંઘતા હતા.
\v 46 તેમણે તેઓને ઉઠાડ્યા અને તેઓને કહ્યું, "તમારે ઊંઘવાનું નથી! ઊઠો! પ્રાર્થના કરો કે ઈશ્વર તમને મદદ કરે કે જેથી તમને કોઇપણ બાબત પાપ કરવા પ્રેરે નહિ."
\s5
\v 47 જ્યારે ઈસુ હજી બોલતા હતા, ત્યારે લોકોનું એક ટોળું તેમની પાસે આવ્યું. યહૂદા, બાર શિષ્યોમાંનો એક, તેમને દોરી રહ્યો હતો. તે ચૂંબન કરવા માટે ઈસુ પાસે આવ્યો.
\v 48 પરંતુ ઈસુએ તેને કહ્યું, "યહૂદા, શું તું મને, માણસના દીકરાને, મારા દુશ્મનોને સોંપી દેવા ખરેખર ચૂમીશ?"
\s5
\v 49 જ્યારે શિષ્યોને ખબર પડી કે શું બની રહ્યું છે, ત્યારે તેઓએ કહ્યું, "પ્રભુ, શું અમે અમારી તલવારથી તેમને મારીએ?"
\v 50 તેમાંના એકે મુખ્ય યાજકના નોકરને ઘા કર્યો, પરંતુ તેનો જમણો કાન જ કાપ્યો.
\v 51 પરંતુ ઈસુએ કહ્યું, "તેનાથી કંઈ વધારે કરીશ નહિ." પછી તેમણે નોકરના કાનને સ્પર્શ કર્યો અને તેને સાજો કર્યો.
\s5
\v 52-53 પછી ઈસુએ મુખ્ય યાજકો, ભક્તિસ્થાનના રક્ષકોના અધિકારીઓ, અને યહૂદી આગેવાનો જે તેમની ધરપકડ કરવા આવ્યા હતા તેમને કહ્યું, "જાણે હું લુંટારો હોઉં તેમ, તમે અહીં તલવારો અને લાકડીઓ સાથે મારી ધરપકડ કરવા આવ્યા છો તે આશ્ચર્યજનક છે. ઘણા દિવસો સુધી હું તમારી સાથે ભક્તિસ્થાનમાં હતો, પરંતુ તમે મારી ધરપકડ કરવાનો જરાય પ્રયત્ન ન કર્યો! પરંતુ આ સમય છે જેમાં તમે જે કરવા માગો છો તે કરી રહ્યા છો. આ એ પણ સમય છે જ્યારે શેતાન જે દુષ્ટ કામો કરવા ઇચ્છે છે તે કરી રહયો છે.
\s5
\v 54 તેઓએ ઈસુને પકડ્યા અને તેમને દૂર લઇ ગયા. તેઓ તેમને મુખ્ય યાજકના ઘરે લાવ્યા. પિતર દૂરથી તેમનો પીછો કરી રહ્યો હતો.
\v 55 લોકોએ આંગણાની મધ્યમાં આગ સળગાવી અને સાથે બેઠા. પિતર તેમની વચ્ચે બેઠો.
\s5
\v 56 જેવી આગ તેના પર પ્રકાશી એટલે એક દાસીએ પિતરને ત્યાં બેઠેલો જોયો. તેણે તેના તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, "આ માણસ પણ જેની તેઓએ ધરપકડ કરી છે તેની સાથે હતો!"
\v 57 પરંતુ તેણે તે નકારતા કહ્યું, "બાઈ, હું તેને ઓળખતો નથી!"
\v 58 થોડા સમય પછી બીજા કોઈએ પિતરને જોયો અને કહ્યું, "જેની તેઓએ ધરપકડ કરી છે તેની સાથે જેઓ હતા તેઓમાંનો તું પણ એક છે!" પરંતુ પિતરે કહ્યું, "ભાઈ, હું તેઓમાનો એક નથી!"
\s5
\v 59 આશરે એક કલાક પછી બીજા કોઈએ મોટેથી કહ્યું, "આ માણસ જેવી રીતે બોલે છે તે બતાવે છે કે તે ગાલીલ પ્રાંતનો છે. નિશ્ચે આ માણસ પણ જેની તેઓએ ધરપકડ કરી છે તેની સાથે હતો!"
\v 60 પરંતુ પિતરે કહ્યું, "ભાઈ, તું શેના વિષે વાત કરી રહ્યો છે તે હું જાણતો નથી!" તે બોલતો હતો તેટલામાં, તરત જ મરઘો બોલ્યો.
\s5
\v 61 પ્રભુ ઈસુ પાછળ ફર્યા અને પિતર સામે જોયું. ત્યારે પ્રભુએ તેને જે કહ્યું હતું તે પિતરને યાદ આવ્યું કે, "આ રાત્રે, મરઘો બોલ્યા પહેલા, તું ત્રણ વાર મારો ઇનકાર કરીશ કે તું મને ઓળખે છે."
\v 62 અને તે આંગણામાંથી બહાર ગયો અને ભારે ખેદ સાથે રડ્યો.
\s5
\v 63 જે માણસો ઈસુની ચોકી કરી રહ્યા હતા તેઓએ તેમની મશ્કરી કરી અને તેમને માર્યા.
\v 64 તેઓએ તેમની આંખે પાટો બાંધ્યો અને તેમને કહ્યું, "તું પ્રબોધક છે તો અમને બતાવ! અમને કહે કે તને કોણે માર્યો!"
\v 65 તેઓએ તેમનું અપમાન કરતાં તેમના વિષે ઘણી ખરાબ બાબતો કહી.
\s5
\v 66 બીજી સવારે પરોઢીએ, ઘણા યહૂદી આગેવાનો એકઠાં થયા. આ જૂથમાં મુખ્ય યાજકો અને જે માણસો યહૂદી નિયમ શીખવતા હતા તેઓ હતા. તેઓ ઈસુને યહૂદી સભાગૃહમાં લઈ ગયા. ત્યાં તેઓએ તેમને કહ્યું,
\v 67 "જો તું મસીહા હોય તો, અમને કહે!" પરંતુ તેમણે જવાબ આપ્યો, "જો હું કહું કે હું તે છું, તોપણ તમે મારો વિશ્વાસ નહિ કરો.
\v 68 જો હું તમને પૂછું કે તમે મસીહા વિષે શું વિચારો છો, તો તમે જવાબ નહિ આપો.
\s5
\v 69 પરંતુ હવેથી, હું, માણસનો દીકરો, સર્વશક્તિમાન ઈશ્વરની બાજુમાં બેસીને રાજ કરીશ!"
\v 70 પછી તે બધાએ પૂછ્યું, "જો એવું હોય તો, શું તું કહે છે કે તું ઈશ્વરનો દીકરો છે?" તેમણે જવાબ આપ્યો, "હા, તમે જે કહો છો તેમ જ છે."
\v 71 પછી તેઓએ એકબીજાને કહ્યું, "આપણને ચોક્કસપણે કોઈ વધારે લોકો તેના વિરુદ્ધ સાક્ષી આપે તેની જરૂર નથી! આપણે પોતે જ તેને કહેતો સાંભળ્યો છે કે તે ઈશ્વરની સમકક્ષ છે!"
\s5
\c 23
\p
\v 1 પછી આખુ જૂથ ઊભું થયું અને લોકો તેમને રોમન રાજ્યપાલ પિલાતપાસે લઇ ગયા.
\v 2 તેઓએ પિલાતની સામે તેમના પર આરોપ મૂક્યો: "અમે આ માણસને અમારા લોકોમાં જૂઠું બોલીને મુશ્કેલી ઊભી કરતાં જોયો છે. તે લોકોને એમ કહેતો હતો કે તમારે કાઈસાર, જે રોમન સમ્રાટ છે તેમને કર આપવો નહિ. વળી, તે કહેતો હતો કે તે પોતે એક રાજા એટલે કે મસીહા છે!"
\s5
\v 3 પછી પિલાતે તેને પૂછ્યું, "શું તું યહૂદીઓનો રાજા છે?" ઈસુએ જવાબ આપ્યો, "હા, તેં જે પૂછ્યું છે તે પ્રમાણે જ છે."
\v 4 પછી પિલાતે મુખ્ય યાજકો અને ટોળાને કહ્યું, "આ માણસ કોઈ ગુનાનો અપરાધી નથી."
\v 5 પરંતુ તેઓએ ઈસુ પર દોષ મૂકવાનું ચાલુ રાખ્યું; તેઓએ કહ્યું, "તે લોકોને હુલ્લડ કરવા પ્રેરે છે! તે યહૂદીયાના બધા પ્રદેશોમાં પોતાના વિચારો શીખવતો રહ્યો છે. તેણે ગાલીલના પ્રદેશોમાંથી તે કરવાનું ચાલુ કર્યું હતું અને હવે તે અહીં પણ, તે જ પ્રમાણે કરે છે!"
\s5
\v 6 જ્યારે પિલાતે તેમના શબ્દો સાંભળ્યા ત્યારે, તેણે પૂછ્યું, "શું આ માણસ ગાલીલના જીલ્લામાંથી આવે છે?"
\v 7 પિલાતે જાણ્યું કે ઈસુ ગાલીલના હતા, કે જ્યાં હેરોદ આંતિપાસ રાજ કરતો હતો, તે કારણે તેણે ઈસુને તેની પાસે મોકલ્યો, કારણ કે હેરોદ તે સમયે યરુશાલેમમાં હતો.
\s5
\v 8 જ્યારે હેરોદે ઈસુને જોયા ત્યારે, તે ખૂબ ખુશ થયો. તે ઘણા લાંબા સમયથી ઈસુને જોવા ઇચ્છતો હતો, કારણ કે તેણે તેમના વિષે ઘણી વાતો સાંભળી હતી અને તેઓ ચમત્કાર કરે તેવું તે જોવા ઈચ્છતો હતો.
\v 9 તેથી તેણે ઈસુને ઘણા પ્રશ્નો પૂછ્યા, પરંતુ ઈસુએ તેઓમાંના એકનો પણ જવાબ આપ્યો નહિ.
\v 10 અને મુખ્ય યાજકો અને કેટલાંક યહૂદી નિયમોના નિષ્ણાતો જેઓ તેમની નજીક ઊભા હતા, તેઓએ તેમના પર દરેક પ્રકારના ગુનાના આરોપ મૂક્યા.
\s5
\v 11 પછી હેરોદ અને તેના સૈનિકોએ ઈસુની મજાક ઉડાવી. ઈસુ રાજા હોય તેવું દેખાડવા તેઓએ તેમને કિંમતી કપડાં પહેરાવ્યા. પછી હેરોદે તેમને પિલાત પાસે પાછા મોકલ્યા.
\v 12 તે સમય સુધી, હેરોદ અને પિલાતને એકબીજા સાથે ખૂબ દુશ્મનાવટ હતી, પરંતુ તે જ દિવસે તેઓ મિત્રો બન્યા.
\s5
\v 13 પછી પિલાતે મુખ્ય યાજકોને અને બીજા યહૂદી આગેવાનોને અને જે ટોળું હજુ પણ ત્યાં હતું તેના લોકોને એકત્ર કર્યા.
\v 14 તેણે તેઓને કહ્યું, "તમે આ માણસને એવું કહીને મારી પાસે લાવ્યા છો કે, તે લોકોને બળવો કરવા દોરે છે. પરંતુ હું તમને એ જણાવવા માગું છું કે તમે સાંભળતા હતા તે સમયે તેની ઊલટ તપાસ કર્યા બાદ, હું નથી માનતો કે તમે મને જે કહ્યું તે કંઈપણ બાબતમાં તે અપરાધી હોય.
\s5
\v 15 હેરોદને પણ લાગતું નથી કે તે અપરાધી છે. હું આ જાણું છું, કારણ કે તેણે તેને શિક્ષા કર્યા વગર મારી પાસે પાછો મોકલ્યો છે. તેથી આ સ્પષ્ટ છે કે તે માણસ મરણને પાત્ર નથી.
\v 16 તેથી હું મારા સૈનિકોને કહીશ કે તેઓ તેને કોરડા મારે અને પછી તેને મુક્ત કરે."
\v 17 (પિલાતે આમ કહ્યું કેમ કે તેણે પાસ્ખાપર્વની ઉજવણીમાં એક કેદીને મુક્ત કરવો પડતો હતો).
\s5
\v 18 પરંતુ સમગ્ર ટોળાએ એક સાથે બૂમ પાડતાં કહ્યું, "આ માણસને મારી નાખો! અમારે માટે બરાબાસને મુક્ત કરો!"
\v 19 હવે બરાબાસ તો તે માણસ હતો જેણે શહેરના કેટલાક લોકોને રોમન સરકાર વિરુદ્ધ બળવામાં દોર્યા હતા. તે ખૂની પણ હતો. આ બધા ગુનાઓને લીધે તે જેલમાં હતો, અને તે રાહ જોતો હતો કે તેઓ તેને મરણની શિક્ષા કરે.
\s5
\v 20 પરંતુ પિલાતની ઘણી ઇચ્છા હતી કે તે ઈસુને મુક્ત કરે, તેથી તેણે ટોળા સાથે ફરીથી વાત કરવાનો પ્રયત્ન કર્યો.
\v 21 પરંતુ તેઓ બૂમો પાડતા એમ કહેતા રહ્યા, "તેને વધસ્તંભે જડાવો! તેને વધસ્તંભે જડાવો!"
\v 22 પિલાતે ત્રીજી વાર તેઓ સાથે વાત કરી અને તેઓને પૂછ્યું, "કેમ? તેણે શો ગુનો કર્યો છે? તેણે એવું કંઈ કર્યું નથી કે જેના લીધે તેને મૃત્યુદંડ મળે. તેથી મારા સૈનિકો તેને કોરડા મારશે અને પછી તેને મુક્ત કરશે.
\s5
\v 23 પરંતુ તેઓ આગ્રહપૂર્વક મોટા અવાજે કહેતા રહ્યા કે ઈસુને વધસ્તંભ પર મરવું જોઈએ. આખરે, તેઓએ જોરથી બૂમો પાડવાની ચાલુ રાખી, અને તેઓએ પિલાતને મનાવ્યો
\v 24 કે તેઓ જે કહે છે તે તે કરે.
\v 25 જે માણસ સરકારની સામે લડ્યો હતો અને લોકોનું ખૂન કર્યું હતું કે જેના કારણે તે જેલમાં હતો તેને તેણે મુક્ત કર્યો! પછી તેણે સૈનિકોને હુકમ આપ્યો કે તેઓ ઈસુને લઇ જાય અને ટોળું જે ઇચ્છતું હોય તેમ કરે.
\s5
\v 26 હવે સિમોન નામે એક માણસ હતો, જે આફ્રિકાના કુરેની શહેરનો હતો. તે ગામમાંથી યરુશાલેમ શહેરમાં આવી રહ્યો હતો. જ્યારે સૈનિકો ઈસુને દૂર લઇ જઈ રહ્યા હતા, ત્યારે તેઓએ સિમોનને પકડ્યો. તેઓએ જે વધસ્તંભ ઈસુને ઊંચકાવ્યો હતો તે લીધો, અને પછી તેઓએ તેને સિમોનના ખભા પર મૂક્યો. તેઓએ તેને તે ઊંચકીને ઈસુની પાછળ ચાલવા કહ્યું.
\s5
\v 27 હવે મોટું ટોળું ઈસુની પાછળ ચાલતું હતું. તેમાં ઘણી સ્ત્રીઓ હતી કે જેઓ ઈસુ માટે છાતી કૂટતી અને ખૂબ વિલાપ કરતી હતી.
\v 28 ઈસુ તેઓ તરફ ફર્યા અને કહ્યું, "યરુશાલેમની સ્ત્રીઓ, મારે માટે રડશો નહિ! તેના બદલે, તમારી સાથે અને તમારાં બાળકો સાથે જે થવાનું છે તેના માટે રડો!
\s5
\v 29 હું ઇચ્છું છું કે તમે જાણો કે એવો સમય આવે છે જ્યારે લોકો કહેશે, 'જે સ્ત્રીઓએ કદી બાળકોને જન્મ આપ્યો નથી અને બાળકોને સ્તનપાન કરાવ્યું નથી તે સ્ત્રીઓ કેવી આશીર્વાદિત છે!'
\v 30 પછી આ શહેરના લોકો કહેશે, 'અમે ઇચ્છીએ છીએ કે આ પર્વતો અમારા પર આવીને પડે અને આ ટેકરીઓ અમને ઢાંકી દે!'
\v 31 મારામાં કશું ખોટું નથી તો પણ, જો મારે મરવાનું હોય, તો જે લોકો મરણને લાયક છે તેઓ સાથે ચોક્કસપણે ભયંકર બાબતો બનશે.
\s5
\v 32 બીજા બે માણસો કે જેઓ ગુનેગાર હતા તેઓ પણ તે જગ્યા તરફ જતા હતા જ્યાં તેઓ ઈસુની સાથે મરવાના હતા.
\s5
\v 33 જ્યારે તેઓ 'ખોપરી' નામની જગ્યાએ આવ્યા ત્યારે, ત્યાં તેઓએ ઈસુને ખીલા મારી વધસ્તંભે જડ્યા. તેઓએ બે ગુનેગારોને તેવું જ કર્યું. તેઓએ એકને ઈસુને જમણે હાથે અને બીજાને ડાબે હાથે જડ્યા.
\v 34 પરંતુ ઈસુએ કહ્યું, "પિતા, જે લોકોએ આ કર્યું છે તેઓને માફ કરો, કારણ કે તેઓ ખરેખર જાણતા નથી કે તેઓ કોને આ કરી રહ્યા છે." પછી સૈનિકોએ પાસા વડે જુગાર રમીને તેના વસ્ત્ર વહેંચી લેવાનું નક્કી કર્યું, કે દરેકના ભાગે કયું વસ્ત્ર આવશે.
\s5
\v 35 ઘણા લોકો તે જોતા નજીક ઊભા હતા. યહૂદી આગેવાનો પણ ઈસુની મશ્કરી કરતા હતા: "તેણે બીજા લોકોને બચાવ્યા! ઈશ્વરે ખરેખર તેને મસીહા બનવા પસંદ કર્યો હોય, તો તે પોતાને બચાવે!"
\s5
\v 36 સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી. તેઓ તેમની પાસે આવ્યા અને તેમને સરકો ધર્યો.
\v 37 તેઓ તેમને કહેતા રહ્યા, "જો તું યહૂદીઓનો રાજા હોય, તો પોતાને બચાવ!"
\v 38 તેઓએ વધસ્તંભે તેમના માથા ઉપર 'આ યહૂદીઓનો રાજા છે' તેવું સૂચવતું ચિહ્ન મૂક્યું.
\s5
\v 39 તે ગુનેગારોમાંનો એક કે જે વધસ્તંભ પર લટકેલો હતો તેણે પણ ઈસુનું અપમાન કર્યું; તેણે કહ્યું, "તું મસીહ છે, કે નહિ? તો પોતાને તેમ જ અમને પણ બચાવ.
\v 40 પરંતુ બીજા ગુનેગારે તેને બોલતાં અટકાવ્યો; તેણે કહ્યું, "ઈશ્વર તને શિક્ષા કરે તેનાથી તારે ડરવું જોઈએ! તેઓ તેને અને આપણને સરખી રીતે શિક્ષા કરે છે.
\v 41 આપણે બંને મરણને લાયક છીએ. જે ભૂંડી બાબતો આપણે કરી તેને લીધે આપણે જેને લાયક છીએ તે જ શિક્ષા તેઓએ આપણને કરી છે. પરંતુ આ માણસે તો કંઈ જ ખોટું કર્યું નથી.
\s5
\v 42 પછી તેણે ઈસુને કહ્યું, "ઈસુ, જ્યારે તમે રાજા તરીકે રાજ કરવાનું શરૂ કરો ત્યારે મહેરબાની કરીને મારો બચાવ કરવાને યાદ રાખજો!"
\v 43 ઈસુએ જવાબ આપ્યો, "હું ઇચ્છું છું કે તું જાણે કે આજે તું મારી સાથે પારાદેસમાં હોઈશ!"
\s5
\v 44 પછી તે લગભગ બપોરનો સમય હતો. પરંતુ બપોરના ત્રણ વાગ્યા સુધી આખા દેશમાં સર્વત્ર અંધકાર થઇ ગયો.
\v 45 સૂર્યનો કોઈ પ્રકાશ ન હતો. અને ભક્તિસ્થાનના પરમપવિત્ર સ્થાનને ઢાંકતા જાડા પડદાના બે ભાગ થઇ ગયા.
\s5
\v 46 જ્યારે તે બન્યું ત્યારે, ઈસુએ મોટેથી બૂમ પડી, "પિતા, હું મારો આત્મા તમારી સંભાળમાં સોપું છું!" આમ બોલ્યા પછી, તેમણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મરણ પામ્યા.
\v 47 જ્યારે સૂબેદાર જે સૈનિકોનો ઉપરી હતો તેણે જે થયું તે જોયું, તેણે કહ્યું, "ખરેખર, આ માણસે કઈ ખોટું કર્યું નથી!" તે જે બોલ્યો તેના દ્વારા ઈશ્વરને માન મળ્યું.
\s5
\v 48 જ્યારે લોકોનું ટોળું જે આ માણસોને મરણ પામતા જોવા માટે આવ્યું હતું તેના લોકોએ ખરેખર જે બન્યું તે જોયું, તેઓ પોતાના ઘરે જતા છાતી કૂટતા હતા, એવું દર્શાવવા કે તેઓ આ બીનાઓથી દુઃખી છે.
\v 49 ઈસુના બધા ઓળખીતાઓ, ગાલીલના વિસ્તારથી તેમની સાથે આવેલી સ્ત્રીઓ સહિત, થોડેક દૂર ઊભાં રહ્યાં અને બધી જ બાબતો બનતા જોઈ.
\s5
\v 50-51 હવે અરિમથાઈ નામના યહૂદી નગરનો યૂસફ નામનો એક માણસ હતો. તે સારો અને ન્યાયી માણસ હતો, અને તે યહૂદી ન્યાયસભાનો સભ્ય હતો. તેણે તે બધું બનતાં જોયું, પરંતુ જ્યારે ન્યાયસભાના બીજા સભ્યોએ ઈસુને મારી નાખવા એમ નક્કી કર્યું અને તે પ્રમાણે કર્યું તેમાં તે તેઓની સાથે સહમત ન હતો. તે ઘણી જ આતુરતાપૂર્વક તે સમયની રાહ જોતો કે જ્યારે ઈશ્વર તેના રાજાને મોકલીને રાજ કરવાનું ચાલુ કરશે.
\s5
\v 52 યૂસફ પિલાત પાસે ગયો અને પિલાત પાસે ઈસુના શબને દફનાવવા માટે પરવાનગી માગી. પિલાતે તેને પરવાનગી આપી.
\v 53 તેથી તેણે ઈસુનું શબ વધસ્તંભ પરથી ઉતાર્યું. તેણે તેને શણના કપડાંમાં લપેટ્યુ. પછી તેણે તેમના શરીરને ખડકમાંથી કોરેલા દફનખંડમાં મૂક્યું. બીજા કોઈએ તેમાં એ અગાઉ ક્યારેય શબ મૂક્યું ન હતું.
\s5
\v 54 તે એ દિવસ હતો જ્યારે લોકો યહૂદી આરામનો દિવસ કે જે સાબ્બાથનો દિવસ કહેવાતો હતો તેને માટે તૈયાર થતા હતા. સૂર્યાસ્ત થવાનો સમય હતો, અને સાબ્બાથની શરૂઆત થવાની હતી.
\v 55 ગાલીલના જીલ્લામાંથી ઈસુ સાથે આવેલી સ્ત્રીઓ યૂસફ અને તેની સાથે જે પુરુષો હતા તેમની પાછળ ગઈ. તેઓએ કબર જોઈ અને કેવી રીતે તે માણસોએ ઈસુના શબને અંદર મૂક્યું તે જોયું.
\v 56 પછી તે સ્ત્રીઓ જ્યાં તેઓ રહેતી હતી ત્યાં ઈસુના શબ પર લગાવવા માટે સુગંધી અને અત્તર લેવા ગઈ. જો કે, તેઓએ જેમ યહૂદી નિયમ પ્રમણે જરૂરી હોય તેમ વિશ્રામના દિવસે કઈ કામ કર્યું નહિ.
\s5
\c 24
\p
\v 1 રવિવારની પરોઢ અગાઉ તે સ્ત્રીઓ કબરે ગઈ. તેઓએ પોતે બનાવેલાં સુગંધીદ્રવ્યો તેમની સાથે લીધાં કે તેઓ તે ઈસુના શબ પર લગાવે.
\v 2 જ્યારે તેઓ પહોંચ્યાં ત્યારે, તેઓએ એવું જોયું કે કોઈએ કબરના મુખ પરથી પથ્થર દૂર કર્યો છે.
\v 3 તેઓ કબરે પહોચ્યાં, પરંતુ પ્રભુ ઈસુનું શબ ત્યાં ન હતું!
\s5
\v 4 તે વિષે શું વિચારવું તે તેઓ જાણતાં ન હતાં. પછી એકાએક બે પુરુષો ઉજળા, ચળકતા કપડાં પહેરીને તેઓની બાજુમાં ઊભા રહ્યા!
\v 5 તે સ્ત્રીઓ ભયભીત થઇ. જ્યારે તે સ્ત્રીઓ જમીન સુધી નમી ત્યારે, તે બે પુરુષોએ તેઓને કહ્યું, "જે જીવંત છે તેને તમારે મરણ પામેલા લોકોને દફ્નાવવાની જગ્યામાં ન શોધવા જોઈએ!
\s5
\v 6 તેઓ અહીં નથી; તેમને સજીવન કરવામાં આવ્યા છે! યાદ રાખો કે જ્યારે તેઓ તમારી પાસે ગાલીલમાં હતા, ત્યારે તેઓએ તમને આ કહ્યું હતું,
\v 7 'તેઓએ મને, માણસના દીકરાને, પાપીઓના હાથમાં સોંપવો પડશે. વધસ્તંભ પર જડીને તેઓ મને મારી નાખશે. પરંતુ તે પછી ત્રીજે દિવસે, હું પાછો સજીવન થઈશ.'"
\s5
\v 8 ઈસુએ જે કહ્યું હતું તે સ્ત્રીઓને યાદ આવ્યું.
\v 9 તેથી તેઓ કબરથી નીકળી અને અગિયાર પ્રેરિતો અને તેમના બીજા શિષ્યો પાસે ગઈ અને જે બન્યું હતું તે તેઓને કહ્યું.
\v 10 મગ્દલા ગામની મરિયમ, યોહાન્ના, યાકૂબની મા મરિયમ, અને બીજી સ્ત્રીઓ જે તેઓની સાથે હતી તેઓએ પ્રેરિતોને તે બાબતો કહી.
\s5
\v 11 પરંતુ પ્રેરિતોએ તેઓની વાતોને અર્થહીન સમજી અવગણના કરી.
\v 12 તેમ છતાં, પિતર ઊઠયો અને કબર તરફ દોડ્યો. તેણે વાંકા વળીને અંદર જોયું. તેણે શણનું કાપડ કે જેને ઈસુના શબ પર વિટાળ્યું હતું તે જોયું, પરંતુ ઈસુ ત્યાં ન હતા. તેથી, શું થયું હશે તે આશ્ચર્ય સાથે, તે ઘરે ગયો.
\s5
\v 13 તે જ દિવસે ઈસુના શિષ્યોમાંના બે એમ્મોસ નામના એક ગામ તરફ જતા હતા. તે ગામ લગભગ યરુશાલેમથી દસ કિલોમીટર દૂર હતું.
\v 14 તેઓ એકબીજા સાથે ઈસુ સાથે જે થયું હતું તે વિષે વાતો કરતા હતા.
\s5
\v 15 જ્યારે તેઓ તે બાબતો વિષે વાતો અને ચર્ચા કરતા હતા, ત્યારે ઈસુ તેઓની પાસે ગયા અને તેઓની સાથે ચાલવા લાગ્યા.
\v 16 પરંતુ ઈશ્વરે તેઓને તેમને ઓળખવા દીધા નહિ.
\s5
\v 17 ઈસુએ તેઓને કહ્યું, "જ્યારે તમે બંને ચાલતા હતા ત્યારે કઈ બાબતો વિષે વાત કરતા હતા?" તેઓ ઊભા રહ્યા અને તેઓનાં મુખ ઘણાં જ ઉદાસ દેખાયાં.
\v 18 તેમાંનો એક, જેનું નામ કલીઓપાસ હતું, તેણે કહ્યું, "તું યરુશાલેમમાં આવનાર એકમાત્ર એવો વ્યક્તિ છે કે જેને હમણાંના દિવસોમાં જે બનાવો ત્યાં બન્યા તે ખબર નથી!"
\s5
\v 19 તેમણે તેમને પૂછ્યું, "કયા બનાવો?" તેઓએ જવાબ આપ્યો, "ઈસુ, નાસરેથના માણસ, જેઓ પ્રબોધક હતા તેમની સાથે જે બાબતો બની તે. ઈશ્વરે તેમને મહાન ચમત્કારો કરવા અને અદ્દભુત સંદેશાઓ શીખવવા સત્તા આપી હતી. લોકો માનતા હતા કે તેઓ અદ્દભુત વ્યક્તિ હતા."
\v 20 પરંતુ આપણા મુખ્ય યાજકો અને આગેવાનોએ તેમને રોમન અધિકારીઓને સોંપી દીધા. અધિકારીઓએ તેમને મરણની સજા આપી, અને તેઓએ તેમને વધસ્તંભ પર ખીલ્લાએ જડીને મારી નાખ્યા.
\s5
\v 21 અમે આશા રાખતા હતા કે તેઓ એ જ હતા કે જે અમો ઇઝરાયલીઓને અમારા શત્રુઓથી મુક્ત કરશે! પરંતુ હવે તે શક્ય લાગતું નથી, કારણ કે તેમને મારી નાખ્યા ત્યારબાદ ત્રણ દિવસો વીત્યા છે.
\s5
\v 22 તેમ છતાં, અમારા જૂથની કેટલીક સ્ત્રીઓએ અમને આશ્ચર્યમાં મૂક્યા. આજે વહેલી સવારે તેઓ કબરમાં ગયા,
\v 23 પરંતુ ઈસુનું શબ ત્યાં ન હતું! તેઓ પાછા આવ્યા અને કહ્યું કે તેઓએ દર્શનમાં અમુક દૂતોને જોયા. દૂતોએ કહ્યું કે તેઓ જીવિત છે!
\v 24 પછી અમારી સાથે જેઓ હતા તેઓ કબરમાં ગયા. તેઓએ જોયું કે સ્ત્રીઓએ કહ્યું તે જ પ્રમાણે સર્વ બાબતો હતી. પરંતુ તેઓએ ઈસુને જોયા નહિ."
\s5
\v 25 તેમણે તેઓને કહ્યું, "ઓ અણસમજુ માણસો! મસીહ વિષે પ્રબોધકોએ જે બધું લખ્યું હતું તે વાતો પર વિશ્વાસ કરવામાં તમે ધીમા છો!
\v 26 તમારે નક્કી જાણવું જોઈતું હતું કે મસીહે તે બધુ સહન કરવું અને મરણ પામવું તે અને પછી તેમના સ્વર્ગમાંના મહિમાવંત ઘરમાં પ્રવેશવું, તે જરૂરનું હતું!"
\v 27 પછી તેમણે તેઓને પોતાના સંબંધી પ્રબોધકોએ શાસ્ત્રવચનમાં લખેલી બધી વાતો સમજાવી. તેઓએ મૂસાએ જે લખ્યું છે ત્યાંથી શરૂ કરી અને પછી બીજા બધા પ્રબોધકોએ જે લખ્યું હતું તે તેમને સમજાવ્યું.
\s5
\v 28 જે ગામમાં તે બે શિષ્યો જતા હતા તેની નજીક તેઓ આવ્યા. તેમણે ઇશારો કર્યો કે તેઓ આગળ જશે,
\v 29 પણ તેમણે તેઓને તેમ ન કરવા આગ્રહ કર્યો. તેઓએ કહ્યું, "આજની રાત અમારી સાથે ગાળો કારણ કે સાંજ થઇ ગઈ છે અને હવે જલદી અંધકાર થશે." તેથી તેઓ તેમની સાથે રહેવા ઘરની અંદર ગયા.
\s5
\v 30 જ્યારે તેઓ જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લીધી અને તેને માટે ઈશ્વરનો આભાર માન્યો. તેમણે તે ભાંગી અને તેઓને આપી.
\v 31 અને ઈશ્વરે તેઓને તેમને ઓળખવા સહાય કરી. પરંતુ તરત જ તેઓ અદ્રશ્ય થઇ ગયા!
\v 32 તેઓએ એકબીજાને કહ્યું, "જ્યારે આપણે રસ્તે ચાલતા હતા અને તેમણે આપણી સાથે વાત કરી અને આપણને શાસ્ત્રવચન સમજવા સહાય કરી, ત્યારે આપણે વિચારવા લાગ્યા હતા કે કંઇક ખૂબ જ સરસ થવાનું છે, જોકે આપણે જાણતા ન હતા કે તે શું હશે. આપણે અહીં રહેવું ના જોઈએ; આપણે જઈને જે બન્યું તે બીજાઓને કહેવું જોઈએ!"
\s5
\v 33 પછી તરત જ તેઓ નીકળ્યા અને યરુશાલેમ પાછા ગયા. પછી ત્યાં તેઓ અગિયાર પ્રેરિતોને અને બીજા જેઓ તેમની સાથે ભેગા થયા હતા તેઓને મળ્યા.
\v 34 તેઓએ તે બે માણસોને કહ્યું, "તે સાચું છે કે પ્રભુ ફરીથી જીવિત થયા છે, અને તેઓ સિમોનને દેખાયા છે!"
\v 35 પછી તે બે માણસોએ બીજાઓને તેઓ રસ્તે ચાલતા હતા ત્યારે જે બન્યું હતું તે કહ્યું. તેઓએ એ પણ કહ્યું કે તેમણે રોટલી ભાંગી ત્યારે કેવી રીતે તેઓએ તેમને ઓળખ્યા.
\s5
\v 36 જ્યારે તેઓ તેમ કહેતા હતા ત્યારે, અચાનક ઈસુ પોતે તેઓની વચ્ચે દેખાયા. તેમણે તેઓને કહ્યું, "ઈશ્વર તમને શાંતિ આપો!"
\v 37 તેઓ આશ્ચર્ય પામ્યા અને ગભરાયા, કારણ કે તેઓએ વિચાર્યું કે તેઓ ભૂત જોઈ રહ્યા હતા!
\s5
\v 38 તેમણે તેઓને કહ્યું, તમેં ભયભીત ન થાઓ! અને હું જીવિત છું તે વિષે તમારે શંકા ન કરવી જોઈએ.
\v 39 મારા હાથ અને પગના ઘાને જુઓ! તમે મને સ્પર્શ કરી અને મારું શરીર જોઈ શકો છો. પછી તમે જોઈ શકો છો કે તે ખરેખર હું જ છું. તમે કહી શકો છો કે હું ખરેખર જીવિત છું કારણ કે જેમ તમે જુઓ છે કે મારી પાસે છે તેમ ભૂતો પાસે શરીર હોતું નથી!"
\v 40 તેમણે તે કહ્યા પછી, તેમણે તેઓને તેમના હાથ અને પગના ઘા બતાવ્યા.
\s5
\v 41 તેઓ આનંદિત અને વિસ્મિત હતા, પરંતુ ઈસુ ખરેખર જીવતા છે તે તેઓ માની જ ના શક્યા. તેથી તેમણે તેઓને કહ્યું, "શું તમારી પાસે અહીં કશું ખાવા માટે છે?"
\v 42 તેથી તેઓએ તેમને શેકેલી માછલીનો એક ટુકડો આપ્યો.
\v 43 તેઓ જોતા હતા તેટલામાં, તેમણે તે લીધી અને ખાધી.
\s5
\v 44 પછી તેમણે તેઓને કહ્યું, "જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મેં જે કહ્યું હતું તે હું ફરીથી કહું છું: મૂસા અને બીજા પ્રબોધકો દ્વારા અને ગીતશાસ્ત્રમાં મારા વિષે જે બધું લખવામાં આવ્યું હતું તે પૂર્ણ થવું જ જોઈએ!"
\s5
\v 45 પછી તેમણે તેઓને તેમના વિષે શાસ્ત્રવચનોમાં જે બાબતો લખવામાં આવી છે તે સમજવા સહાય કરી.
\v 46 તેમણે તેઓને કહ્યું, "આ તમે શાસ્ત્રવચનોમાં વાંચી શકશો: કે મસીહા દુઃખ સહન કરશે અને મરણ પામશે, પરંતુ તે પછી ત્રીજા દિવસે તેઓ ફરીથી સજીવન થશે.
\v 47 તેઓએ એમ પણ લખ્યું કે જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેઓએ સર્વત્ર ઉપદેશ કરવો કે લોકો પાપ કરવાથી ઈશ્વર પ્રતિ પાછા ફરે, જેથી તેઓ તેમના પાપ માફ કરે. મસીહના અનુયાયીઓએ તેવા સંદેશાનો ઉપદેશ કરવો કારણ કે ઈશ્વરે તેમને એમ કરવા માટે મોકલ્યા છે. તેઓએ લખ્યું કે તેઓએ યરુશાલેમમાં ઉપદેશ કરવાનું શરૂ કરવું જોઈએ અને પછી જઈને બધા લોકોના જૂથને ઉપદેશ કરવો.
\s5
\v 48 તમારે લોકોને કહેવું કે તમે જાણો છે કે જે બાબતો મારી સાથે બની તે સાચી છે.
\v 49 અને હું ઇચ્છું છું કે તમે જાણો કે જે પ્રમણે મારા પિતાએ કરવાનું વચન આપ્યું છે તેમ, હું તમારી પાસે પવિત્ર આત્મા મોકલીશ. પરંતુ ઈશ્વર તમને પવિત્ર આત્માના પરાક્રમથી ભરપૂર કરે ત્યાં સુધી તમારે શહેરમાં રહેવું જોઈએ."
\s5
\v 50 પછી ઈસુ તેમને શહેરની બહાર બેથાની ગામની નજીક દોરી ગયા. ત્યાં તેમણે પોતાના હાથ ઊંચા કર્યા અને તેમને આશીર્વાદ આપ્યો.
\v 51 જ્યારે તેઓ તેમ કરી રહ્યા હતા, ત્યારે તેઓ તેમનાથી છૂટા પડ્યા અને સ્વર્ગમાં ચઢી ગયા.
\s5
\v 52 તેમની સ્તુતિ કર્યા પછી, તેઓ આનંદથી યરુશાલેમ પાછા આવ્યા.
\v 53 દરરોજ તેઓ ભક્તિસ્થાનના આંગણામાં જતા, અને ઈશ્વરની સ્તુતિમાં ઘણો સમય વિતાવતા.

1487
44-JHN.usfm Normal file
View File

@ -0,0 +1,1487 @@
\id JHN - UDB Guj
\ide UTF-8
\h યોહાન
\toc1 યોહાન
\toc2 યોહાન
\toc3 jhn
\mt1 યોહાન
\s5
\c 1
\p
\v 1 આરંભમાં શબ્દ હતો. શબ્દ ઈશ્વરની સાથે હતો, અને શબ્દ ઈશ્વર હતો.
\v 2 તેમણે કંઈ પણ ઉત્પન્ન કરવાની શરૂઆત કરી તે અગાઉ તેઓ ઈશ્વરની સાથે હતા.
\v 3 સઘળું ઉત્પન્ન કરવાનો, હા, જે બનાવવામાં આવ્યું તે સર્વ ઉત્પન્ન કરવાનો ઈશ્વરનો આદેશ અમલમાં મૂકનાર તેઓ જ છે!
\s5
\v 4 સર્વ જીવન તે શબ્દમાં છે, તેથી તેઓ સર્વ બાબતો અને માણસોને જીવન આપી શક્યા. શબ્દ તે તો ઈશ્વરનું અજવાળું હતું કે જે સર્વત્ર સર્વ પર પ્રકાશ્યું.
\v 5 આ અજવાળું અંધકારમાં પ્રકાશ્યું, અને અંધકારે તેને હોલવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે કરી શક્યું નહિ.
\p
\s5
\v 6 ઈશ્વરે યોહાન નામના એક માણસને મોકલ્યો.
\v 7 તે લોકોને અજવાળા વિષે સાક્ષી આપવા આવ્યો. તેણે જે કહ્યું તે સાચું હતું, અને તેણે તે સંદેશ જાહેર કર્યો કે જેથી દરેક વ્યક્તિ વિશ્વાસ કરે.
\v 8 યોહાન પોતે અજવાળું ન હતો, પરંતુ તે લોકોને અજવાળા વિષે કહેવા આવ્યો હતો.
\s5
\v 9 આ ખરું અજવાળું હતું કે જે સર્વ પર પ્રકાશે છે, અને તે અજવાળું જગતમાં આવવાનું હતું.
\p
\s5
\v 10 શબ્દ જગતમાં હતો અને, તેમણે જગતને બનાવ્યું તેમ છતાં, જગતના લોકોમાંના કોઈએ પણ તેમને ઓળખ્યા નહિ કે તેઓ કોણ છે.
\v 11 જો કે તેઓ તેમના પોતાના જગતમાં તથા તેમના પોતાના લોકો પાસે એટલે યહૂદીઓ પાસે આવ્યા, તો પણ તેઓએ તેમને નકાર્યા.
\s5
\v 12 પરંતુ જેઓએ તેમને પોતાના જીવનોમાં ગ્રહણ કર્યા અને તેમના પર વિશ્વાસ કર્યો, તેઓને તેમણે ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપ્યો.
\v 13 આ બાળકો ઈશ્વરથી જન્મેલાં છે. તેઓ જે સામાન્ય રીતે બાળક જન્મ પામે તે રીતે નહિ અથવા દેહની ઇચ્છા કે પસંદગીથી નહિ અથવા પતિની પિતા બનવાની ઇચ્છાથી જન્મ પામ્યાં ન હતાં.
\p
\s5
\v 14 હવે શબ્દ વાસ્તવિક મનુષ્ય બન્યા અને જ્યાં આપણે રહીએ છીએ ત્યાં થોડા સમય માટે રહ્યા. અમે તેમને તેમની ભવ્યતા અને અદ્દભુત સ્વભાવ એટલે કે પિતાના એકમાત્ર દીકરાનો સ્વભાવ દર્શાવતા જોયો, કે જે દર્શાવે છે કે ઈશ્વર આપણને વિશ્વાસુપણે પ્રેમ કરે છે અને તેમના સત્ય વિષે શીખવે છે.
\p
\v 15 એક દિવસે યોહાન બાપ્તિસ્મી લોકોને શબ્દ વિષે કહેતો હતો, અને ઈસુ તેની પાસે આવ્યા. યોહાને તેની આસપાસના ટોળાને બૂમ પાડી, "મેં તમને કહ્યું હતું કે કોઈ વ્યક્તિ મારી પાછળ આવશે, કોઈ એવી વ્યક્તિ કે જે મારા કરતાં ઘણી મહત્વની છે. તેઓ મારા કરતાં ઘણા સમય અગાઉ અસ્તિત્વમાં હતા, એટલે કે હું જન્મ્યો તે અગાઉ સનાતન યુગોથી હતા. તે માણસ અહીં છે! આ એ જ માણસ છે કે જેમના વિષે હું વાત કરતો હતો!"
\s5
\v 16 તેમણે જે કર્યું છે તેમાંથી આપણને સર્વને ઘણો લાભ થયો છે. તેઓ આપણા પ્રત્યે વારંવાર દયાભાવથી વર્ત્યા છે.
\v 17 મૂસાએ યહૂદી લોકો સમક્ષ ઈશ્વરના નિયમો જાહેર કર્યા. ઈસુ મસીહ આપણી યોગ્યતાની હદ ઉપરાંત આપણા પ્રત્યે દયાળુ હતા અને તેમણે આપણને ઈશ્વર વિષે સત્ય બાબતો શીખવી.
\v 18 ઈશ્વરને કોઈએ ક્યારેય જોયા નથી. પરંતુ, ઈસુ મસીહ, કે જે પોતે ઈશ્વર છે, તેઓ હંમેશાં પિતાની નજીક છે, અને તેઓએ આપણને ઈશ્વરની ઓળખ આપી.
\p
\s5
\v 19 યોહાને તેની જે સાક્ષી આપી તે આ છે: યહૂદીઓએ યરુશાલેમથી યાજકો અને લેવીઓ મોકલ્યા; તેઓ યોહાનને પૂછવા આવ્યા કે, "તું કોણ છે?"
\v 20 તેથી યોહાને તેમને સાક્ષી આપીને કહ્યું, "હું મસીહ નથી!"
\v 21 પછી તેઓએ તેને પૂછ્યું, "તું તારા વિષે શું કહે છે? શું તું એલિયા છે? તેણે કહ્યું, "ના." તેઓએ ફરીથી પૂછ્યું, "જેમના વિષે પ્રબોધકોએ કહ્યું કે તે આવશે શું તું એ પ્રબોધક છે?" યોહાને જવાબ આપ્યો, "ના."
\s5
\v 22 તેથી તેઓએ ફરી એકવાર તેને પૂછ્યું, "તો તું કોણ હોવાનો દાવો કરે છે? અમને કહે કે જેથી અમે પાછા ફરીને જેઓએ અમને મોકલ્યા છે તેઓને અહેવાલ આપીએ. તું તારા વિષે શું કહે છે?"
\v 23 યશાયા પ્રબોધકે જેમ લખ્યું હતું તેમ તેણે જવાબ આપ્યો, "હું અરણ્યમાં પોકારનાર છું, 'પ્રભુ આપણી પાસે આવે તે માટે સારો માર્ગ તૈયાર કરો."'
\p
\s5
\v 24 યોહાન પાસે આવેલા લોકોમાંના કેટલાક ફરોશી તરફના હતા.
\v 25 તેઓએ તેને પૂછ્યું, "જો તું કહે છે કે તું મસીહ કે એલિયા કે પ્રબોધક નથી, તો પછી તું શા માટે બાપ્તિસ્મા આપે છે?"
\s5
\v 26 યોહાને ઉત્તર આપ્યો, "હું લોકોને પાણીથી બાપ્તિસ્મા આપું છું, પરંતુ હવે તમારી મધ્યે કોઈ એવી વ્યક્તિ છે કે જેને તમે જાણતા નથી.
\v 27 તે મારી પાછળ આવે છે, પરંતુ હું તેમના ચંપલની દોરી છોડવા માટે પણ યોગ્ય નથી."
\p
\v 28 આ બાબતો યર્દનની પૂર્વ બાજુના બેથાનિયા ગામમાં બની. તે એ જગ્યા હતી કે જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો.
\p
\s5
\v 29 બીજે દિવસે યોહાને ઈસુને તેની તરફ આવતા જોયા. તેણે લોકોને કહ્યું, "જુઓ! ઈશ્વરનું હલવાન, કે જે જગતનાં પાપ દૂર કરવા માટે બલિદાન તરીકે પોતાનું જીવન આપશે.
\v 30 તેઓ એ જ છે કે જેમના વિષે મેં કહ્યું હતું, 'મારી પાછળ કોઈક આવશે કે જે મારા કરતા વધારે મહત્વના છે, કારણ કે તેઓ મારી અગાઉ ઘણા સમય પહેલા, મારા જન્મ અગાઉ આદિકાળથી હતા.'
\v 31 પ્રથમ તો મેં તેમને ઓળખ્યા ન હતા, પરંતુ હવે હું જાણું છું કે તેઓ કોણ છે. મારું કામ તો અહીં આવીને જેઓ દિલગીર હતા અને પોતાનાં પાપોથી ફર્યા તેઓને પાણીથી બાપ્તિસ્મા આપવાનું હતું. હું ઇચ્છું છું કે તેઓ કોણ છે તે ઇઝરાયલના લોકો જાણે.
\s5
\v 32 યોહાનનું કામ, તેણે જે જોયું તે આપણને કહેવાનું હતું. તેણે આ પ્રમાણે કહ્યું: "મેં ઈશ્વરના આત્માને સ્વર્ગમાંથી કબૂતરના રૂપમાં ઊતરતાં જોયો. આત્મા નીચે આવ્યો અને ઈસુ પર રહ્યો.
\v 33 પ્રથમ તો, મેં પોતે તેમને ઓળખ્યા નહિ, પરંતુ ઈશ્વરે મને લોકો કે જેઓ એમ કહેતા હતા કે તેઓ પોતાના પાપી માર્ગોથી પાછા ફરવા ઇચ્છે છે, તેઓનું પાણીથી બાપ્તિસ્મા કરવા માટે મોકલ્યો છે. ઈશ્વરે મને કહ્યું, 'તું જે માણસ પર મારો આત્મા ઊતરતો અને રહેતો જુએ તેઓ એ જ હશે કે જે તમને સર્વને પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપશે.'
\v 34 મેં જોયું છે અને હું તમને સાક્ષી આપું છું કે તેઓ ઈશ્વરના દીકરા છે."
\p
\s5
\v 35 યોહાન બાપ્તિસ્મી બીજા દિવસે તેના બે શિષ્યો સાથે ફરીથી તે જ જગ્યાએ હતો.
\v 36 જ્યારે તેણે ઈસુને પસાર થતા જોયા, ત્યારે તેણે કહ્યું, "જુઓ! ઈશ્વરનું હલવાન, ઇઝરાયલના લોકો દ્વારા તેઓનાં પાપોની કિંમત ચૂકવવા જેમ ઘેટાને મારી નાખવામાં આવે છે તેમ, જેમને ઈશ્વરે તેમનું જીવન આપવા નીમ્યા છે તે માણસ!"
\s5
\v 37 જ્યારે યોહાનના બે શિષ્યોએ યોહાનને આ બોલતા સાંભળ્યો, ત્યારે તેઓ યોહાનને છોડીને ઈસુને અનુસર્યા.
\v 38 ઈસુ પાછળ ફર્યા અને તેઓને પોતાની પાછળ આવતા જોઈને, તેમણે તેઓને પૂછ્યું, "તમે શું શોધો છો?" તેઓએ તેમને જવાબ આપ્યો, "રાબ્બી (જેનો અર્થ 'ગુરુજી' થાય છે), તમે ક્યાં રહો છો તે અમને કહો."
\v 39 તેમણે ઉત્તર આપ્યો, "મારી સાથે આવો અને તમે જોશો!" તેથી તેઓ આવ્યા અને ઈસુ જ્યાં રહેતા હતા તે જોયું. તેઓ તે દિવસે તેમની સાથે રહ્યા કારણ કે ઘણું મોડું થયું હતું. (આશરે સાંજના ચાર વાગ્યા હતા.)
\p
\s5
\v 40 જેઓ ઈસુની પાછળ ગયા હતા તેમાંના એક શિષ્યનું નામ આન્દ્રિયા હતું; તે સિમોન પિતરનો ભાઈ હતો.
\v 41 આન્દ્રિયા પ્રથમ તેના ભાઈ સિમોનને શોધવા ગયો. જ્યારે તે તેની પાસે આવ્યો, ત્યારે તેણે કહ્યું, "અમને મસીહ જેનો અર્થ 'ખ્રિસ્ત' થાય છે તેઓ મળ્યા છે!"
\v 42 આન્દ્રિયા સિમોનને ઈસુ પાસે લાવ્યો. ઈસુએ પિતર તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, "તું સિમોન છે. તારા પિતાનું નામ યોના છે. તને કેફા નામ આપવામાં આવશે." કેફા એ અરામિક નામ છે કે જેનો અર્થ 'મજબૂત ખડક' થાય છે. (ગ્રીકમાં પિતરનો અર્થ પણ તે જ થાય છે.)
\p
\s5
\v 43 બીજા દિવસે ઈસુએ યર્દન નદીની ખીણ છોડીને જવાનું નક્કી કર્યું. તેઓ ગાલીલની આસપાસના પ્રદેશમાં ગયા અને તેમને ફિલિપ નામનો એક માણસ મળ્યો. ઈસુએ તેને કહ્યું, "મારી સાથે આવ."
\v 44 ફિલિપ, આન્દ્રિયા અને પિતર બધા જ ગાલીલના બેથસાઈદા નગરના હતા.
\v 45 પછી ફિલિપ તેના મિત્ર નથાનિયેલને શોધવા માટે ગયો. જ્યારે તે તેની પાસે આવ્યો, ત્યારે તેણે કહ્યું, "મસીહ, કે જેના વિષે મૂસાએ લખ્યું હતું તે અમને મળ્યા છે. પ્રબોધકોએ તે આવશે તેવી ભવિષ્યવાણી કરી હતી. તે મસીહ તો ઈસુ છે. તે નાસરેથ નગરના છે. તેમના પિતાનું નામ યૂસફ છે."
\s5
\v 46 નથાનિયેલે ઉત્તર આપ્યો, "નાસરેથના? શું નાસરેથમાંથી કંઈ સારું બહાર આવી શકે?" ફિલિપે ઉત્તર આપ્યો, "આવ અને તું જોઈશ!"
\v 47 જ્યારે ઈસુએ નથાનિયેલને આવતો જોયો, ત્યારે તેમણે તેના વિષે આ કહ્યું, "જુઓ! તે એક પ્રામાણિક અને સારો ઇઝરાયલી છે! તે ક્યારેય કોઈને છેતરતો નથી!"
\v 48 નથાનિયેલે તેમને પૂછ્યું, "હું કેવા પ્રકારનો માણસ છું તે તમે કેવી રીતે જાણો છો? તમે મને ઓળખતા નથી." ઈસુએ ઉત્તર આપ્યો, "ફિલિપે તને બોલાવ્યો તે અગાઉ જ્યારે તું અંજીરી નીચે એકલો બેઠો હતો ત્યારે મેં તને જોયો હતો."
\s5
\v 49 પછી નથાનિયેલે જાહેર કર્યું, "ગુરુજી, તમે ચોક્કસ ઈશ્વરના દીકરા હોવા જોઈએ! જેમની અમે રાહ જોઈ રહ્યા છીએ તે ઇઝરાયલના રાજા તમે છો!"
\v 50 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "મેં તને અંજીરી નીચે જોયો એવું મેં કહ્યું તે કારણે જ શું તું વિશ્વાસ કરે છે? તું મને તેનાથી ઘણા મહાન કાર્યો કરતાં જોશે!"
\v 51 પછી ઈસુએ તેને કહ્યું, "હું તને સત્ય કહું છું: ઘણા સમય અગાઉ તારા પૂર્વજ યાકૂબે જેમ દર્શન જોયું, તેમ કોઈક દિવસે તમે સ્વર્ગ ઊઘડેલું અને ઈશ્વરના સ્વર્ગદૂતોને માણસના દીકરા ઉપર ચઢતાં અને ઊતરતા જોશો."
\s5
\c 2
\p
\v 1 ત્રણ દિવસ પછી, ગાલીલના કાના ગામમાં એક લગ્ન હતું અને ઈસુની મા ત્યાં હતી.
\v 2 તેઓએ ઈસુ અને તેમના શિષ્યોને પણ લગ્નમાં આમંત્રિત કર્યા હતા.
\s5
\v 3 લગ્નમાં હાજરી આપનારાઓને તેઓએ દ્રાક્ષારસ પીરસ્યો અને તેઓની પાસે જે સર્વ દ્રાક્ષારસ હતો તે તેઓ પી ગયા. ઈસુની માએ તેમને કહ્યું, "તેઓની પાસે દ્રાક્ષારસ નથી."
\v 4 ઈસુએ તેને કહ્યું, "બાઈ, મારે તેની સાથે શું લેવાદેવા? હજુ સુધી મારું અગત્યનું કાર્ય શરુ કરવાનો પસંદ કરેલો સમય આવ્યો નથી."
\v 5 ઈસુની માએ વળીને ચાકરોને કહ્યું, "તેઓ જે કહે તે તમે કરો."
\s5
\v 6 ત્યાં પથ્થરની છ ખાલી કોઠીઓ હતી. તેઓમાં પાણી ભરેલું હતું કે જેથી મહેમાનો અને ચાકરો તેમના હાથપગ ધોઈ શકે અને જેથી શુદ્ધિકરણની અન્ય યહૂદી વિધિઓ થઈ શકે. દરેક કોઠી ૭૫ થી ૧૧૫ લીટર પાણી સમાવી શકે તેમ હતી.
\v 7 ઈસુએ ચાકરોને કહ્યું, "કોઠીઓને પાણીથી ભરો!" તેથી તેઓએ કોઠીઓને કાંઠા સુધી છલોછલ ભરી.
\v 8 પછી તેમણે તેઓને કહ્યું, "હવે, કોઠીમાંથી થોડું પાણી કાઢો અને તેને જમણના વ્યવસ્થાપક પાસે લઈ જાઓ." તેથી ચાકરોએ તેમ કર્યું.
\s5
\v 9 જમણના વ્યવસ્થાપકે પાણી ચાખ્યું, કે જે હવે દ્રાક્ષારસ બની ગયું હતું. દ્રાક્ષારસ ક્યાંથી આવ્યો હતો તે એ જાણતો ન હતો, પણ ચાકરો જાણતા હતા. તેથી તેણે વરને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું,
\v 10 "બધા લોકો પ્રથમ શ્રેષ્ઠ દ્રાક્ષારસ પીરસે છે અને જ્યારે મહેમાનોએ ઘણો પીધો હોય અને શ્રેષ્ઠ પૂરો થઈ ગયો હોય, ત્યાર પછી તેઓ સામાન્ય દ્રાક્ષારસ પીરસે છે. પરંતુ તેં તો હજુ સુધી શ્રેષ્ઠ દ્રાક્ષારસ મૂકી રાખ્યો છે."
\s5
\v 11 ઈસુએ કરેલો તે પ્રથમ ચમત્કાર હતો, જેણે ઈસુ વિષેના સત્યને જાહેર કર્યુ. તે ચમત્કાર તેમણે ગાલીલ પ્રદેશના કાના ગામમાં કર્યો હતો. ત્યાં તેમણે બતાવ્યું કે તેઓ અદ્દભુત બાબતો કરી શકે છે. તેથી શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો.
\p
\s5
\v 12 ત્યારબાદ ઈસુ અને તેમની માતા તથા ભાઈઓ, તેમના શિષ્યોની સાથે, કપરનાહૂમ શહેરમાં ગયા અને ત્યાં થોડા દિવસ રહ્યા.
\p
\s5
\v 13 હવે લગભગ તે યહૂદી પાસ્ખાપર્વની ઉજવણીનો સમય હતો. ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમ ગયા.
\v 14 ત્યાં ભક્તિસ્થાનના આંગણામાં તેમણે માણસોને ઘેટાંઉપરાંત પશુઓ,અને કબૂતરો વેચતા જોયા. જેઓ ભક્તિસ્થાનમાં બલિદાન ચઢાવતા હતા તેઓને પશુઓ વેચવામાં આવતા. તેમણે માણસોને મેજ પર બેસીને ભક્તિસ્થાનના નાણાં વેચતા પણ જોયા.
\s5
\v 15 તેથી ઈસુએ ચામડાની દોરીઓનો કોરડો બનાવ્યો અને તેનો ઉપયોગ તેમણે ઘેટાં અને પશુઓને ભક્તિસ્થાનમાંથી હાંકી કાઢવા માટે કર્યો. તેમણે નાણાની લેવડદેવડ કરનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં અને તેમના સિક્કાઓ જમીન પર વિખેરી નાખ્યા.
\v 16 જેઓ કબૂતરો વેચતા હતા તેઓને તેમણે હુકમ કર્યો, "આ કબૂતરો અહીંથી બહાર લઇ જાઓ! મારા પિતાના ઘરને બજાર ન બનાવો!"
\s5
\v 17 ઘણા સમય અગાઉ શાસ્ત્રમાં કોઈએ જે લખ્યું હતું તે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, "હે ઈશ્વર, તમારા ઘરને હું એટલો પ્રેમ કરું છું, કે તેના માટે હું મરણ પામીશ."
\p
\v 18 યહૂદી આગેવાનોએ તેમને પૂછ્યું, "તું જે કરે છે તે કરવા માટે તારી પાસે ઈશ્વર તરફથી પરવાનગી છે તે સાબિત કરવા તું અમારા માટે કયો ચમત્કાર કરી શકે છે?"
\v 19 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "આ ભક્તિસ્થાનનો નાશ કરો, અને ત્રણ દિવસમાં હું તેને ફરીથી બાંધીશ."
\s5
\v 20 તેઓએ તેમને પૂછ્યું "શું તું એમ કહે છે કે આ આખું ભક્તિસ્થાન તું માત્ર ત્રણ દિવસમાં ફરીથી બાંધીશ? આ ભક્તિસ્થાનને બાંધતા છેતાળીસ વર્ષ લાગ્યાં હતાં."
\v 21 જો કે, ઈસુ જે ભક્તિસ્થાન વિષે કહી રહ્યા હતા તે તો તેમનું પોતાનું શરીર હતું, ભક્તિસ્થાનનું ભવન નહિ.
\v 22 બાદમાં, ઈસુ મરણ પામ્યા અને ઈશ્વરે તેમને મૂએલામાંથી પાછા ઉઠાડ્યા પછી, તેમણે ભક્તિસ્થાન વિષે જે કહ્યું હતું તે તેમના શિષ્યોને યાદ આવ્યું. શાસ્ત્રએ જે કહ્યું હતું અને ઈસુએ પોતે જે કહ્યું તે બન્ને પર તેઓએ વિશ્વાસ કર્યો.
\p
\s5
\v 23 પાસ્ખાપર્વના તહેવાર દરમ્યાન જ્યારે ઈસુ યરુશાલેમમાં હતા, ત્યારે ઘણા લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો કારણ કે ઈસુ વિષેના સત્ય સૂચવતા ચમત્કારો તેઓએ જોયા હતા.
\v 24 તેમ છતાં, લોકો કેવા હતા તે ઈસુ જાણતા હતા, અને તેઓ તેમને ખૂબ જ સારી રીતે જાણતા હતા માટે, તેમણે તેઓનો વિશ્વાસ કર્યો નહિ.
\v 25 લોકો કેટલા દુષ્ટ હતા તે કોઈ તેમને કહે તેની તેમને જરૂર ન હતી. તેઓ લોકો વિષે બધું જ જાણતા હતા.
\s5
\c 3
\p
\v 1 નિકોદેમસ નામનો એક માણસ હતો. તે ફરોશીઓમાંનો એક સભ્ય હતો, કે જે તે સમયનું યહૂદી વિશ્વાસ ધરાવતું એક ચુસ્ત જૂથ હતું. તે એક મહત્વનો વ્યક્તિ હતો, તે ઉચ્ચ યહૂદી સંચાલક પરિષદનો સભ્ય હતો.
\v 2 તે ઈસુને રાત્રે મળવા ગયો. તેણે ઈસુને કહ્યું, "ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો. અમે આ જાણીએ છીએ કારણ કે તમે જે ચમત્કારો કરી રહ્યા છો તે ઈશ્વરની મદદ વગર કોઈ પણ કરી શકે નહિ."
\s5
\v 3 નિકોદેમસે જે કહ્યું તે વિષે ઈસુએ ઉત્તર આપતા કહ્યું, "હું તને સત્ય કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતો નથી."
\v 4 પછી નિકોદેમસે તેમને કહ્યું, "જો માણસ વૃદ્ધ હોય તો તે ફરીથી કેવી રીતે જન્મ લઈ શકે? કોઈ પણ તેના માતાના ગર્ભમાં પ્રવેશીને બીજી વાર જન્મ લઇ શકે નહિ!"
\s5
\v 5 ઈસુએ ઉત્તર આપ્યો, "હું ખાતરી આપું છું કે આ પણ સત્ય છે, જો કોઈ માણસ પાણી અને પવિત્ર આત્મા બંનેથી જન્મ પામ્યો ન હોય તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતો નથી.
\v 6 જો કોઈ મનુષ્યથી જન્મેલો હોય, તો તે માત્ર મનુષ્ય છે. પરંતુ જેઓ ઈશ્વરના આત્માના કાર્યથી જન્મેલા છે તેઓ પાસે નવો આત્મિક સ્વભાવ છે જે ઈશ્વર તેઓમાં ઉત્પન્ન કરે છે.
\s5
\v 7 જ્યારે હું તને કહું કે તારે નવો જન્મ પામવો જ જોઈએ ત્યારે આશ્ચર્ય પામતો નહિ.
\v 8 તે આના જેવું છે: પવન જ્યાં તે ઇચ્છે ત્યાં વાય છે. તમે તેનો અવાજ સાંભળો છો, પરંતુ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે જાણતા નથી. જેઓને પવિત્ર આત્મા દ્વારા જીવિત બનાવાય છે તેઓના માટે પણ તેવું જ છે: પવિત્ર આત્મા જેને પણ ઇચ્છે તેને નવો જન્મ આપે છે.
\s5
\v 9 નિકોદેમસે તેમને ઉત્તર આપ્યો, "આ કેવી રીતે સાચું હોઈ શકે?"
\v 10 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "તું ઇઝરાયલમાં એક મહત્વનો શિક્ષક છે, અને તેમ છતાં હું જે કહું છે તે તું સમજી શકતો નથી?
\v 11 હું તને સત્ય કહું છું, જે સાચી બાબતો અમે જાણીએ છીએ તે કહીએ છીએ, અને અમે જે જોયું છે તે કહીએ છીએ, તેમ છતાં જેઓને અમે આ બાબતો કહીએ છીએ તેઓમાંના તમે કોઈ પણ અમે જે કહીએ છીએ તેના પર વિશ્વાસ કરતા નથી.
\s5
\v 12 પૃથ્વી પરની બાબતો જે મેં તમને કહી તે પર જો તમે વિશ્વાસ ન કરો તો, જ્યારે સ્વર્ગ વિશેની વાતો હું તમને કહું તો તમે કેવી રીતે વિશ્વાસ કરશો?
\v 13 હું માણસનો દીકરો જ સ્વર્ગમાં ગયો છું અને અહીં પૃથ્વી પર ઊતરી આવનાર પણ હું જ છું.
\s5
\v 14 ઘણા સમય અગાઉ મૂસા, જ્યારે તે નિર્ગમન દરમ્યાન અરણ્યમાં હતો, ત્યારે તેણે થાંભલા પર ઝેરી સાપને ઊંચો કર્યો અને જે સર્વએ તેના તરફ જોયું તેઓને બચાવવામાં આવ્યા. તેવી જ રીતે, માણસના દીકરાને ઊંચો કરવામાં આવવો જોઈએ
\v 15 જેથી જે કોઈ જુએ અને તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે.
\p
\s5
\v 16 ઈશ્વરે જગતને આ રીતે પ્રેમ કર્યો: તેમણે પોતાનો એકનોએક દીકરો આપ્યો, કે જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે મરણ ન પામે, પરંતુ અનંતજીવન પામે.
\v 17 ઈશ્વરે તેમના દીકરાને જગત પર સજા ફરમાવવા નહિ, પરંતુ જગતને બચાવવા માટે મોકલ્યા.
\v 18 જેઓ દીકરા પર વિશ્વાસ કરે છે, તેઓને ઈશ્વર ક્યારેય દોષિત ઠરાવશે નહિ. પરંતુ જેઓ તેમના પર વિશ્વાસ કરતા નથી તેઓ સર્વને ઈશ્વર દોષિત ઠરાવી ચૂક્યા છે, કારણ કે તેઓએ ઈશ્વરના એકમાત્ર દીકરાના નામ પર વિશ્વાસ કર્યો નહિ.
\s5
\v 19 ઈશ્વરે તેમણે કરેલો પાપી લોકોનો ન્યાય સર્વ લોકો જુએ તે માટે સ્પષ્ટ કર્યો છે: તેમનું અજવાળું આ જગતમાં આવ્યું, પરંતુ આ જગતના લોકોએ અંધકારને પ્રેમ કર્યો અને તેઓ અજવાળાથી છુપાઈ ગયા. તેઓએ અંધકારને પ્રેમ કર્યો કારણ કે તેઓ જે કરતા હતા તે ગંદુ અને ખરાબ હતું.
\v 20 દરેક વ્યક્તિ જે ખરાબ કાર્યો કરે છે તે અજવાળાને ધિક્કારે છે અને તેઓ તેની પાસે ક્યારેય આવશે નહિ કારણ કે તેઓ જે કરે છે તેને અજવાળું ખુલ્લું પાડે છે અને દર્શાવે છે કે તેઓ કેટલા દુષ્ટ છે.
\v 21 પરંતુ જેઓ સારુ અને સાચું કરે છે તેઓ અજવાળાની પાસે આવે છે કે જેથી તેઓ જે કરે છે તે બધા જ જોઈ શકે અને જેથી સર્વ જાણી શકે કે તેઓએ આ બાબતો કરી ત્યારે તેઓ ઈશ્વરની આજ્ઞા પાળતા હતા.
\p
\s5
\v 22 તે બાબતો બન્યા પછી, ઈસુ અને તેમના શિષ્યો યહૂદિયાના પ્રદેશમાં ગયા. તેઓ તેમના શિષ્યો સાથે થોડો સમય રહ્યા અને તેમણે ઘણા લોકોને બાપ્તિસ્મા આપ્યું.
\p
\v 23 યોહાન બાપ્તિસ્મી પણ સમરૂનના પ્રદેશમાં સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા આપતો હતો. તે જગ્યાએ ઘણું પાણી હતું, અને તેથી ઘણા લોકોએ યોહાનની પાસે આવવાનું ચાલુ રાખ્યું.
\v 24 યોહાનના શત્રુઓએ તેને જેલમાં પૂર્યો તે સમય અગાઉ આ બન્યું.
\s5
\v 25 ઈશ્વરને સ્વીકાર્ય બનવા શુધ્ધીકરણની જરૂરિયાત સંબંધી યોહાનના શિષ્યોને એક ખાસ યહૂદી માણસ સાથે વાદવિવાદ થયો.
\v 26 જેઓ વાદવિવાદ કરતા હતા તેઓ યોહાનની પાસે આવ્યા અને કહ્યું, "ગુરુજી, જ્યારે તું યર્દન નદીને પેલે પાર લોકોને બાપ્તિસ્મા આપતો હતો ત્યારે તારી સાથે એક માણસ હતો. તેં અમને તે માણસ બતાવ્યો હતો અને તે કોણ હતો તે કહ્યું હતું. હવે તે આખા યહૂદિયામાં બાપ્તિસ્મા આપે છે અને ઘણા લોકો તેની પાસે જાય છે."
\s5
\v 27 યોહાને તેઓને ઉત્તર આપ્યો, "જ્યાં સુધી ઈશ્વર કોઈ માણસને કંઈ આપે નહીં ત્યાં સુધી તે કંઈ પણ પામી શકતો નથી.
\v 28 જ્યારે હું તમને કહેતો હતો કે, 'હું મસીહ નથી, પરંતુ તેમના આવવાની અગાઉ રસ્તો સારો કરવા માટે મને મોકલવામાં આવ્યો છે' ત્યારે હું તમને સત્ય કહેતો હતો તે તમે જાણો છો.
\s5
\v 29 હું વરના મિત્ર જેવો છું. હું ત્યાં ઊભો રહીને વરના આવવાની રાહ જોઈ રહ્યો છું. છેવટે જ્યારે વર આવે છે અને તેનો મિત્ર તેના આવવાનો અવાજ સાંભળે છે ત્યારે તે ઘણો ખુશ થાય છે. આ સઘળું બન્યું છે માટે, તથા તેઓ આવ્યા છે તેના લીધે મને ઘણો આનંદ થાય છે.
\v 30 સમય જતાં તેઓની પ્રતિષ્ઠા અને મહત્વ વધશે, અને મારું મહત્વ ઘટતું જશે.
\p
\s5
\v 31 ઈસુ સ્વર્ગમાંથી આવ્યા છે અને તેઓ બીજા કોઈ પણ કરતાં દરજ્જામાં ઘણા ઊંચા છે. આપણું ઘર પૃથ્વી પર છે અને આપણે માત્ર પૃથ્વી પરની બાબતો વિષે બોલી શકીએ છીએ. જે સ્વર્ગમાંથી આવે છે તે પૃથ્વી પરના સર્વ લોકો અને પૃથ્વી પર જે છે તે સર્વની ઉપર છે.
\v 32 હવે અહીં એક છે કે જેઓ તેમણે જે જોયું અને સાંભળ્યું છે તેના વિષે સાક્ષી આપે છે, પરંતુ તેઓ જે કહે છે તે સાચું છે તેવું કોઈ પણ સ્વીકારતું નથી કે વિશ્વાસ કરતું નથી.
\v 33 તેમ છતાં, તેઓએ જે કહ્યું તેના પર જેઓ વિશ્વાસ કરે છે, તેઓ સાક્ષી આપે છે કે ઈશ્વર સર્વ સત્યના સ્રોત છે, અને જે સાચું છે તેના માપ અને પ્રમાણભૂત ધોરણ માત્ર તેઓ જ છે.
\s5
\v 34 ઈશ્વરે તેમના પ્રવક્તા મોકલ્યા છે, અને તેઓએ જે કહ્યું છે તે સાચું છે, કેમ કે તેઓ ઈશ્વરના શબ્દો બોલે છે. અને તેઓ પોતાનો આત્મા માપીને આપતા નથી.
\v 35 પિતા દીકરા પર પ્રેમ કરે છે અને તેઓ સઘળું દીકરાના અધિકાર હેઠળ મૂકે છે.
\v 36 જે કોઈ પણ ઈશ્વરના દીકરા પર વિશ્વાસ કરે છે તેની પાસે અનંતજીવન છે. જે કોઈ ઈશ્વરના દીકરાની આજ્ઞા પાળતો નથી તે ક્યારેય અનંતજીવન મેળવી શકતો નથી, અને તે માણસે કરેલા દરેક પાપને લીધે ઈશ્વરનો ન્યાયી પ્રકોપ તેના પર સદાકાળ રહેશે."
\s5
\c 4
\p
\v 1 ઈસુને ફરોશીઓ વિષે જાણ થઈ. તેઓએ શોધી કાઢ્યું કે ઈસુ યોહાન બાપ્તિસ્મી કરતાં વધુ અનુયાયીઓ બનાવીને ઘણા લોકોને બાપ્તિસ્મા આપી રહ્યા હતા.
\v 2 પરંતુ ઈસુ પોતે બાપ્તિસ્મા આપવાનું કામ કરતા ન હતા; તેમના શિષ્યો તે કરતા હતા.
\v 3 તેથી ફરી એક વખત ઈસુ અને તેમના શિષ્યો યહૂદિયાના પ્રદેશમાંથી ગાલીલમાં ગયા.
\s5
\v 4 હવે તેઓને સમરૂનના પ્રદેશમાં થઈને જવું પડ્યું.
\v 5 તેથી તેઓ સમરૂનના પ્રદેશના સૂખાર નામના નગરમાં આવી પહોંચ્યા. સૂખાર ઘણા સમય અગાઉ યાકૂબે યૂસફને આપેલી જમીનના ભાગ નજીક આવેલું હતું.
\s5
\v 6 સૂખાર નગરની બહાર જ યાકૂબનો કૂવો હતો. ઈસુ તેમની લાંબી મુસાફરીને કારણે ઘણા થાકી ગયા હતા, અને તેઓ કૂવાની બાજુમાં આરામ કરવા માટે બેઠા. આશરે બપોરનો સમય હતો.
\v 7 સમરૂનમાંથી એક સ્ત્રી કૂવામાંથી પાણી ભરવા માટે બહાર આવી. ઈસુએ તેને કહ્યું, "મને પાણી આપ."
\v 8 હવે, તેમના શિષ્યો તેમને એકલા મૂકીને શહેરમાં ખોરાક ખરીદવા માટે ગયા હતા.
\s5
\v 9 સ્ત્રીએ તેમને કહ્યું, "મને આશ્ચર્ય થાય છે કે, તમે એક યહૂદી, મારી પાસે એટલે કે સમરૂની સ્ત્રી પાસે પાણી માગો છો."
\v 10 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "ઈશ્વર તને જે ભેટ આપવા માગે છે તે વિષે અને કોણ તારી પાસે પાણી માગે છે તે જો તું જાણતી હોત, તો તેં મારી પાસે પાણી માગ્યું હોત, અને હું તને જીવતું પાણી આપત."
\s5
\v 11 "ગુરુજી, તમારી પાસે દોરડું કે કૂવામાંથી પાણી કાઢવા માટે કંઈ સાધન નથી, અને આ કૂવો ઊંડો છે. તો તમે જીવતું પાણી ક્યાંથી લાવશો?
\v 12 તમે અમારા પિતા યાકૂબ કરતા મોટા ન હોઈ શકો. આજે અમે જે કૂવો વાપરીએ છીએ તે તેમણે ખોદ્યો હતો, અને તેમણે પોતે તેમ જ તેમના બાળકો અને પશુઓએ તેમાંથી પીધું હતું."
\s5
\v 13 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "જે કોઈ આ કૂવામાંથી પાણી પીવે છે તેને ફરીથી તરસ લાગશે,
\v 14 પણ જે પાણી હું તેમને આપીશ તે જેઓ પીએ તેઓને ફરી ક્યારેય તરસ લાગશે નહીં. હું જે પાણી આપીશ તે પાણીનો ઝરો બનશે કે જે તેમને ભરે છે અને તેમને માટે અનંતજીવન લાવે છે."
\s5
\v 15 સ્ત્રીએ તેમને કહ્યું, "ગુરુજી, મને આ પાણી આપો, કે જેથી મને ફરી કદી તરસ ન લાગે અને પાણી ભરવા માટે મારે ફરી અહીં આવવું ન પડે."
\p
\v 16 ઈસુ જાણતા હતા કે તેઓ જે કહી રહ્યા હતા તે, તે સ્ત્રી સમજી શકી નહિ, તેથી તેમણે તેને કહ્યું, "બહેન, જા અને તારા પતિને અહીં બોલાવી લાવ."
\s5
\v 17 સ્ત્રીએ તેમને જવાબ આપ્યો, "મારે પતિ નથી." ઈસુએ તેને કહ્યું, "તેં સાચું કહ્યું કે તારે પતિ નથી,
\v 18 કારણ કે તારે એક નહિ, પરંતુ પાંચ પતિઓ હતા, અને જે પુરુષ સાથે તું હમણાં રહે છે તે તારો પતિ નથી. તારે પતિ નથી તે વિષે તેં જે કહ્યું છે તે સાચું છે."
\p
\s5
\v 19 સ્ત્રીએ તેમને કહ્યું, "ગુરુજી, તમે પ્રબોધક છો એવું મને માલૂમ પડે છે.
\v 20 અમારા પૂર્વજો આ પર્વત પર ઈશ્વરની આરાધના કરતા હતા, પરંતુ તમે યહૂદીઓ કહો છો કે અમારે યરુશાલેમમાં જ ઈશ્વરની આરાધના કરવી જોઈએ. તો કોણ સાચું છે?"
\s5
\v 21 ઈસુએ તેને કહ્યું, "બહેન, મારો વિશ્વાસ કર. હું કહું છે કે એવો સમય આવી રહ્યો છે જ્યારે લોકો આ પર્વત પર, કે યરુશાલેમમાં પણ પિતાની આરાધના કરશે નહિ.
\v 22 તમે સમરૂનીઓ જેને જાણતા નથી તેની આરાધના કરો છો. અમે યહૂદી આરાધકો અમે જેને જાણીએ છીએ તેની આરાધના કરીએ છીએ કારણ કે ઉધ્ધાર યહૂદીઓમાંથી છે.
\s5
\v 23 સમય આવી રહ્યો છે અને હવે આવી ચૂકયો છે જ્યારે જેઓ ઈશ્વરની ખરી આરાધના કરે છે તેઓ આત્મિક રીતે અને સત્યતાથી પિતાની આરાધના કરશે. પિતા એવા લોકોને શોધે છે કે જેથી તેઓ તે રીતે તેમની આરાધના કરે.
\v 24 ઈશ્વર આત્મા છે, અને જેઓ તેમની આરાધના કરે છે તેમણે આત્માથી તેમની આરાધના કરવી, અને સત્ય તેઓને આરાધના કરવા માટે દોરશે."
\s5
\v 25 સ્ત્રીએ તેમને કહ્યું, "હું જાણું છું કે મસીહ (કે જે "ખ્રિસ્ત" કહેવાય છે તે) આવે છે. જ્યારે તેઓ આવશે, ત્યારે તેઓ આપણને જરૂરી બધું જ કહેશે."
\v 26 ઈસુએ તેને કહ્યું, "હું, જે હમણાં તારી સાથે વાત કરું છું, હું જ તે છું!"
\p
\s5
\v 27 તેટલામાં જ, શિષ્યો નગરમાંથી પાછા આવ્યા. તેઓ ઈસુને તેમના કુટુંબની ન હોય તેવી સ્ત્રી સાથે વાત કરતા જોઈ આશ્ચર્ય પામ્યા. (તે તો યહૂદી રિવાજની વિરુદ્ધ હતું.) તેમ છતાં, તેમને પૂછવા માટે કોઈએ હિંમત કરી નહિ કે, "તમે એક સ્ત્રી સાથે એકલા કેમ વાત કરતા હતા?" કે "તમે તેની સાથે શા માટે વાત કરો છો?"
\p
\s5
\v 28 સ્ત્રી તેનો પાણીનો ઘડો ત્યાં મૂકીને પાછી નગરમાં ગઈ. તેણે નગરના લોકોને કહ્યું,
\v 29 "આવો અને મેં જે કર્યું હતું તે બધું જ જેમણે મને કહ્યું તે માણસને જુઓ! તે મસીહ હોઈ શકે નહિ, શું હોઈ શકે?"
\v 30 ઘણા લોકો નગરની બહાર, જ્યાં ઈસુ હતા ત્યાં જવા લાગ્યા.
\p
\s5
\v 31 તેમના શિષ્યો, કે જે હમણાં જ ખોરાક લઈને પાછા આવ્યા હતા, તેઓએ તેમને વિનંતી કરી, "ગુરુજી, કંઇક ખાઓ."
\v 32 ઈસુએ તેઓને કહ્યું, "મારી પાસે ખાવા માટે ખોરાક છે જેનાં વિષે તમે કંઈ જાણતા નથી!"
\v 33 તેથી તેઓ એકબીજાને કહેવા લાગ્યા, "બીજું કોઈ પણ તેમની માટે કંઇ જમવાનું લાવ્યું નહીં હોય?, શું કોઈ લાવ્યું હશે?"
\s5
\v 34 ઈસુએ કહ્યું, "મને શાની સૌથી વધારે ભૂખ છે તે હું તમને કહીશ: તે તો મારા પિતા જેમણે મને મોકલ્યો છે તેઓ જે ઇચ્છે છે તે કરવું અને તેઓનું કાર્ય પૂર્ણ કરવું તે છે.
\v 35 વર્ષના આ સમયમાં તમે કહો છો, 'હવે ચાર મહિનાઓ બાકી છે, અને પછી અમે ફસલ લણીશું.' તેમ છતાં તમારી આસપાસ જુઓ! આ સમયે ખેતરો કાપણીને માટે તૈયાર છે. બિન-યહૂદીઓ હવે ઈશ્વર તેમના પર રાજ કરે તેમ ઈચ્છે છે; તે તો કાપણીને માટે તૈયાર ખેતરો જેવાં છે.
\v 36 જે આના પર વિશ્વાસ કરે છે અને આ પ્રકારની ફસલમાં કામ કરવા તૈયાર છે તે પોતાનું વેતન મેળવી રહ્યો છે અને અનંતજીવન માટે ઘણા ફળો એકઠા કરી રહ્યો છે. જેઓએ બીજ વાવ્યાં અને જેઓએ ફસલની કાપણી કરી તેઓ બંને એકસાથે ખુશ થશે.
\s5
\v 37 આ વાક્ય સાચું છે: એક વ્યક્તિ બીજ રોપે છે, અને બીજો વ્યક્તિ પાક લણે છે.
\v 38 તમે જે પાક વાવ્યો નથી તેની કાપણી કરવા માટે મેં તમને મોકલ્યા છે. બીજાઓએ સખત મહેનત કરી છે, પણ તમે હવે તેમના કામમાં જોડાયા છો."
\p
\s5
\v 39 ઘણા સમરૂનીઓ જેઓ સૂખાર નગરમાં રહેતા હતા તેઓએ સ્ત્રીએ તેમના વિષે તેઓને જે બધું કહ્યું હતું તે સાંભળીને ઈસુ પર વિશ્વાસ કર્યો. સ્ત્રીએ કહ્યું, "મેં જે કર્યું હતું તે બધું જ તેમણે મને કહ્યું."
\v 40 જ્યારે સમરૂનીઓ ઈસુ પાસે આવ્યા, ત્યારે તેમણે ઈસુને તેમની સાથે લાંબો સમય રહેવા માટે વિનંતી કરી. તેથી તેઓ ત્યાં બીજા બે દિવસ રહ્યા.
\s5
\v 41 તેમના પ્રચારથી તેઓમાંના ઘણાએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
\v 42 તેઓએ સ્ત્રીને કહ્યું, "તેમના વિષે તેં જે અમને કહ્યું છે માત્ર તેના લીધે જ નહિ પણ અમે પોતે તેમનો સંદેશ સાંભળ્યો છે માટે, હવે અમે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ. હવે અમે જાણીએ છીએ કે આ માણસ ખરેખર જગતના ઉદ્ધારક છે."
\p
\s5
\v 43 સમરૂનમાં બે દિવસ રહ્યા પછી, ઈસુ અને તેમના શિષ્યો ત્યાંથી ગાલીલના પ્રદેશમાં ગયા.
\v 44 (ઈસુએ પોતે સાક્ષી આપી કે પ્રબોધક ઘણી જગ્યાઓમાં માન મેળવે છે પરંતુ જ્યાં તેનો ઉછેર થયો ત્યાં ક્યારેય નહિ.)
\v 45 તેમ છતાં, જ્યારે તેઓ ગાલીલમાં આવ્યા, ત્યારે ત્યાંના ઘણા લોકોએ તેમનો આવકાર કર્યો. તેઓ જાણતા હતા કે તેઓ કોણ હતા કારણ કે હાલના પાસ્ખાપર્વના તહેવાર દરમ્યાન યરુશાલેમમાં તેમણે જે સર્વ કર્યું હતું તે તેઓએ જોયું હતું.
\s5
\v 46 ઈસુ ફરીથી ગાલીલના કાનામાં ગયા. (તે એ જગ્યા હતી કે જ્યાં તેમણે પાણીમાંથી દ્રાક્ષારસ બનાવ્યો હતો.) સત્તાવીસ કિલોમીટર દૂર કફરનહૂમમાં રાજાનો એક અધિકારી રહેતો હતો, અને તેનો દીકરો ઘણો બીમાર હતો.
\v 47 જ્યારે તે માણસે સાંભળ્યું કે ઈસુ યહૂદિયામાંથી ગાલીલમાં પાછા આવ્યા છે, ત્યારે તે કાનામાં ઈસુ પાસે ગયો અને તેમને વિનંતી કરી, "કફરનાહૂમ આવો અને મારા દીકરાને સાજો કરો. તે મરવાની અણી પર છે!"
\s5
\v 48 ઈસુએ તેને કહ્યું, "જ્યાં સુધી તું મને ચમત્કાર કે એવું કંઇક કરતો જોઇશ નહિ કે જે સાબિત કરે કે હું કોણ છું, ત્યાં સુધી તું મારા પર વિશ્વાસ કરવાનો નથી!"
\v 49 તેમ છતાં તે અધિકારીએ તેમને કહ્યું, "ગુરુજી, મહેરબાની કરીને મારો દીકરો મરણ પામે તે પહેલાં મારા ઘરે આવો!"
\v 50 ઈસુએ તેને કહ્યું, "જા, તારો દીકરો જીવતો રહેશે." ઈસુએ જે કહ્યું હતું તેના પર તે માણસે વિશ્વાસ કર્યો અને તે તેના ઘર તરફ જવા લાગ્યો.
\s5
\v 51 જ્યારે તે કફરનહૂમમાં તેના ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેના ચાકરો તેને રસ્તામાં મળ્યા. તેઓએ તેને કહ્યું, "તારો દીકરો જીવતો રહ્યો છે."
\v 52 તેણે તેઓને પૂછ્યું, "મારો દીકરો કયા સમયથી સાજો થવા લાગ્યો?" તેઓએ તેને કહ્યું, "ગઈકાલે બપોરના એક વાગ્યા પછી તેનો તાવ જતો રહ્યો."
\s5
\v 53 તેથી દીકરાના પિતાએ જાણ્યું કે તે એ જ સમય હતો જ્યારે ઈસુએ તેને કહ્યું હતું, "તારો દીકરો જીવતો રહેશે." તેથી તેણે તથા તેના ઘરમાં રહેતાં સર્વએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
\p
\v 54 પોતે કોણ હતા તે લોકોને સાબિત કરવા માટે ઈસુએ આ બીજી વખત કંઈક કર્યુ. જ્યારે તેઓ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા હતા, ત્યારે તેમણે તેમ કર્યું.
\s5
\c 5
\p
\v 1 ત્યાર બાદ બીજા યહૂદી તહેવારનો સમય આવ્યો, અને ઈસુ તેના માટે યરુશાલેમ ગયા.
\v 2 યરુશાલેમ શહેરમાં પ્રવેશવાના ઘણા દરવાજાઓમાં એક, ઘેટાંના દરવાજા તરીકે ઓળખાતો હતો. તે દરવાજા પાસે અરામિકમાં કહેવાય છે તે પ્રમાણે બેથઝાથા નામનો એક કુંડ હતો. કુંડ પાસે છતવાળી પાંચ પરસાળો કે સ્તંભમાળાઓ હતી.
\v 3-4 ત્યાં બીમાર, અંધ અને ચાલી ન શકતા હોય તેવાં ઘણા લોકો હતા. ઘણા લોકો જેઓ ચાલી શકતા ન હતા તેઓ ત્યાં પરસાળમાં પડી રહ્યા હતા.
\s5
\v 5 એક માણસ કે જે ચાલી શકતો ન હતો તે આડત્રીસ વરસથી ત્યાં હતો.
\v 6 ઈસુએ તેને ત્યાં પડી રહેલો જોઈને જાણ્યું કે ઘણા લાંબા સમયથી તે એ જ પરિસ્થિતિમાં હતો. તેમણે તે માણસને કહ્યું, "શું તું સાજો અને શક્તિમાન થવા ઇચ્છે છે?"
\s5
\v 7 તે માણસે તેમને ઉત્તર આપ્યો, "ગુરુજી, જ્યારે પાણી હલાવવામાં આવે છે ત્યારે મને કુંડમાં ઊતારવા માટે મારી મદદ કરવા અહીં મારી પાસે કોઈ હોતું નથી. જ્યારે હું કુંડ પાસે જવાનો પ્રયત્ન કરતો હોઉં છું, ત્યારે હંમેશાં બીજો કોઈ મારી અગાઉ ઊતરી પડે છે."
\v 8 ઈસુએ તેને કહ્યું, "ઊઠ! તારી પથારી ઊંચકીને ચાલ!"
\s5
\v 9 તે માણસ તરત જ સાજો થયો અને પોતાની પથારી ઊંચકીને ચાલવા લાગ્યો.
\p હવે તે તો સાબ્બાથ, એટલે વિશ્રામનો દિવસ હતો.
\s5
\v 10 તેથી જે માણસ સાજો થયો હતો તેને યહૂદી આગેવાનોએ કહ્યું, "આજે વિશ્રામવાર છે, અને તું જાણે છે કે વિશ્રામના દિવસે તારી પથારી ઊંચકવી તે આપણા નિયમની વિરુદ્ધ છે."
\v 11 જે માણસને સાજો કરવામાં આવ્યો હતો તેણે કહ્યું, "પરંતુ જેમણે મને સાજો કર્યો તેમણે મને કહ્યું, 'તારી પથારી ઊંચક અને ચાલ!'"
\s5
\v 12 તેઓએ તેને પૂછ્યું, "તે માણસ કોણ હતો?"
\v 13 હવે ઈસુએ તે માણસને સાજો કર્યો હોવા છતાં, તે માણસ તેમનું નામ જાણતો ન હતો. તેને સાજો કર્યા પછી, ઈસુ તે માણસને છોડીને ટોળામાં ચાલ્યા ગયા હતા.
\p
\s5
\v 14 પછીથી, ઈસુને તે માણસ ભક્તિસ્થાનમાં મળ્યો અને તેમણે તેને કહ્યું, "જો, હવે તું સાજો થયો છે. હવેથી પાપ કરતો નહિ, જેથી તારી સાથે કંઈ વિશેષ ખરાબ થાય નહિ."
\v 15 તે માણસ ચાલ્યો ગયો અને યહૂદી આગેવાનોને કહ્યું કે જે માણસે તેને સાજો કર્યો હતો તેઓ ઈસુ હતા.
\s5
\v 16 તેથી યહૂદીઓએ ઈસુને રોકવાના પ્રયત્નો શરૂ કર્યા કારણ કે તેઓ અત્યંત આશ્ચર્યજનક કામો કરીને પોતાનું પરાક્રમ બતાવતા હતા અને અવારનવાર તે કામો વિશ્રામવારે કરતા હતા.
\v 17 ઈસુએ તેમને આ જવાબ આપ્યો, "મારા પિતા અત્યારે પણ કામ કરી રહ્યા છે, અને હું પણ કરી રહ્યો છું."
\v 18 ઈસુ વિશ્રામવારનો નિયમ તોડતા હતા એટલે જ નહિ, પરંતુ તેઓ ઈશ્વરને પોતાના પિતા કહીને તેઓ ઈશ્વર સમાન હોવાનો દાવો કરતા હોવાના કારણોસર યહૂદીઓ ઈસુને મારી નાખવા માટે વિશેષ પ્રમાણમાં પ્રયત્ન કરતા હતા.
\p
\s5
\v 19 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "હું તમને સત્ય કહું છું: હું, માણસનો દીકરો, મારા પોતાના અધિકારથી કંઈ પણ કરી શકતો નથી. હું પિતાને જે કરતા જોઉં છું તે જ હું કરી શકું છું. પિતા જે કંઈ પણ કરે છે, તે જ હું, તેમનો દીકરો, કરું છું.
\v 20 પિતા મને, એટલે દીકરાને પ્રેમ કરે છે, અને તેઓ જે કરે છે તે સર્વ મને બતાવે છે. તેઓ આના કરતાં પણ વધારે મહાન કાર્યો મને બતાવશે, કે જેથી હું શું કરી શકું છું તે જોઇને તમે આશ્ચર્ય પામો.
\s5
\v 21 જેમ પિતા જેઓ મરણ પામ્યા છે તેઓને ઉઠાડે છે અને ફરીથી જીવન આપે છે, તેમ હું, તેમનો દીકરો, જેને ઇચ્છું તેને જીવન આપું છું.
\v 22 પિતા કોઈનો ન્યાય કરતા નથી, પરંતુ ન્યાય કરવાનું સઘળું કામ મને સોંપ્યું છે,
\v 23 કે જેથી સર્વ લોકો જે રીતે તેઓ પિતાને આપે છે તેમ મને, એટલે દીકરાને, માન આપે. જો કોઈ દીકરાને માન આપતો નથી તો તે પિતાને પણ માન આપતો નથી.
\s5
\v 24 હું તમને સત્ય કહું છું: જે કોઈ મારાં વચન સાંભળે છે અને ઈશ્વરે મને મોકલ્યો છે તેવો વિશ્વાસ કરે છે તેને અનંતજીવન છે અને તે ઈશ્વરના ન્યાય ચુકાદાથી બચી જશે. તેના બદલે, તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.
\p
\s5
\v 25 હું તમને સત્ય કહું છું: એવો સમય આવે છે કે જ્યારે જેઓ મરણ પામ્યા છે તેઓ મારો, એટલે કે ઈશ્વરના દીકરાનો, અવાજ સાંભળશે, અને જેઓ મને સાંભળશે તેઓ જીવશે.
\s5
\v 26 કેમ કે જેમ પિતા જીવન આપે છે, તેમ જ તેમણે મને, એટલે કે પોતાના દીકરાને પણ, જીવન આપવાનો અધિકાર આપ્યો છે.
\v 27 પિતાએ મને જે કંઈ પણ ન્યાયી છે તે કરવાનો અધિકાર આપ્યો છે, કારણ કે હું માણસનો દીકરો છું.
\s5
\v 28 તેથી તમે આશ્ચર્ય ન પામો કારણ કે એવો સમય આવશે કે બધા જ જેઓ મરણ પામ્યા છે તેઓ મને બોલતો સાંભળશે,
\v 29 અને તેઓ પોતાની કબરની બહાર આવશે. જેઓએ સારાં કામો કર્યાં છે તેઓને ઈશ્વર અનંતજીવન સારું ઉઠાડશે. પરંતુ જેઓએ ખરાબ કામો કર્યાં છે તેઓને ઈશ્વર, માત્ર દોષિત ઠરાવવા અને સદાકાળ માટે શિક્ષા કરવા માટે જ ઉઠાડશે.
\s5
\v 30 હું મારી પોતે કંઈ કરી શકતો નથી. હું પિતા પાસેથી જે કંઈ સાંભળું છું, તે પ્રમાણે ન્યાય કરું છું, હું યોગ્ય રીતે ન્યાય કરું છું. હું ન્યાયપૂર્ણ રીતે ન્યાય કરું છું કારણ કે હું જે ઇચ્છું છું તે મુજબ નહિ, પરંતુ પિતા, કે જેમણે મને અહીં મોકલ્યો છે, તેઓ જે ઇચ્છે છે તે મુજબ કરુ છું.
\p
\v 31 જો મારા વિષે સાક્ષી આપનાર હું એકલો જ હોત, તો કોઈ પણ મારી સાક્ષી સાચી અને વિશ્વાસપાત્ર છે તેવો વિશ્વાસ ન કરત.
\v 32 તેમ છતાં, એવું બીજું કોઈક પણ છે કે જે મારા વિષે સાક્ષી આપે છે, અને હું જાણું છું કે મારા વિશેની તેની સાક્ષી સાચી છે.
\s5
\v 33 તમે યોહાન બાપ્તિસ્મી પાસે સંદેશવાહકો મોકલ્યા અને તેણે તમને મારા વિષે સત્ય કહ્યું છે.
\v 34 મારા વિષે સાક્ષી આપવા માટે મને તેની કે બીજા કોઈની ખરેખર જરૂર નથી, પરંતુ ઈશ્વર તમને બચાવી શકે તે માટે હું આ કહું છું.
\v 35 યોહાન બાપ્તિસ્મી સળગતો તથા પ્રકાશતો દીવો હતો અને તેના પ્રકાશમાં તમે થોડો સમય આનંદ કરવા માટે રાજી હતા.
\s5
\v 36 તેમ છતાં, મારા વિષે હું જે સાક્ષી આપું છું તે તો યોહાને મારા વિષે આપેલી સાક્ષી કરતાં પણ વિશેષ છે. પિતાએ મને જે સર્વ બાબતો કરવાની મંજૂરી આપી છે એટલે જે બાબતો હું દરરોજ કરું છું અને તમે મને તે કરતા જુઓ છો તે બાબતો હું કોણ છું તે વિષે ઘણું જણાવે છે; તેઓ મારા અહીં આવવાનો હેતુ સમજાવે છે. પિતાએ મને મોકલ્યો છે તેની તેઓ સાબિતી છે.
\v 37 જે પિતાએ મને મોકલ્યો છે, તેઓ એ જ છે કે જેમણે મારા વિષે સાક્ષી આપી. તમે ક્યારેય તેમનો અવાજ સાંભળ્યો નથી અથવા ક્યારેય તેમને શારીરિક રીતે જોયા નથી.
\v 38 તમે મારા પર, એટલે કે જેને તેમણે મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરતા નથી તેની સાબિતી એ છે કે તેમના વચનો તમારામાં રહેલાં નથી.
\s5
\v 39 તમે કાળજીપૂર્વક શાસ્ત્રનો અભ્યાસ કરો છો કારણ કે તમે માનો છો કે તેના અભ્યાસ દ્વારા તમે અનંતજીવન મેળવશો અને તે શાસ્ત્ર તમને મારા વિષે કહે છે.
\v 40 તેમ હોવા છતાં પણ મારી પાસેથી અનંતજીવન પામવા માટે તમે મારી પાસે આવવાનો ઇનકાર કરો છો.
\p
\s5
\v 41 જો લોકો મારી પ્રશંસા કરે અથવા મને અભિનંદન આપે, તો હું તેઓ પર ધ્યાન આપતો નથી.
\v 42 હું તમારા વિષે જાણું છું કે, તમે ઈશ્વરને પ્રેમ કરતા નથી.
\s5
\v 43 હું મારા પિતાના અધિકાર સાથે આવ્યો છું, પરંતુ તેમ છતાં તમે મને આવકારતા નથી કે મારો વિશ્વાસ કરતા નથી. જો બીજો કોઈ તેના પોતાના અધિકારથી આવ્યો હોત, તો તમે તેનું સાંભળત.
\v 44 જો તમે તમારામાંના બીજાઓ પાસેથી માન મેળવવા માટે સખત મહેનત કરતા હો તો તમે શી રીતે મારા પર વિશ્વાસ કરી શકો? તેમ છતાં, એક માત્ર ઈશ્વર તરફથી જે માન મળે છે તે શોધવાનો તમે ઇન્કાર કરો છો.
\p
\s5
\v 45 એવું ન વિચારશો કે હું મારા પિતાની આગળ તમારા પર દોષ મૂકનાર છું. તમે વિચાર્યું કે મૂસા તમારું રક્ષણ કરશે, તેથી તમે તેના પર તમારો ભરોસો મૂક્યો. તેમ છતાં, તે તો મૂસા જ છે કે જે તમને દોષિત ઠરાવે છે.
\v 46 મૂસા જે કહે છે તેનો જો તમે સ્વીકાર કર્યો હોત, તો હું જે કહું છું તે તમે સત્ય તરીકે સ્વીકાર્યુ હોત.
\v 47 પરંતુ જો કે મૂસાએ જે લખ્યું તેના પર પણ તમે વિશ્વાસ ન કર્યો, તો મેં જે કહ્યું તેના પર તમે કેવી રીતે વિશ્વાસ કરી શકો!"
\s5
\c 6
\p
\v 1 ઈસુ સરોવરની સામેની બાજુએ ગયા. કેટલાક લોકો તે સરોવરને "ગાલીલનો સમુદ્ર" કહેતા હતા; બીજા લોકો તેને "તિબેરિયસનો સમુદ્ર" કહેતા હતા.
\v 2 લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો કારણ કે ઈસુએ જે બીમાર લોકોને સાજા કર્યા હતા તે અજાયબ કાર્યો તેઓએ જોયાં હતાં.
\v 3 ઈસુ સીધા ઢાળવાળી એક ટેકરી પર ચઢ્યા અને ત્યાં તેમના શિષ્યો સાથે બેઠા.
\s5
\v 4 હવે તે તો યહૂદીઓનો વર્ષની ખાસ ઉજવણીનો એટલે પાસ્ખાપર્વનો સમય હતો.
\v 5 ઈસુએ નજર ઊંચી કરીને જોયું કે લોકોનો એક મોટો સમુદાય તેમની તરફ આવી રહ્યો હતો. ઈસુએ ફિલિપને કહ્યું, "આ બધા લોકોના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી ખરીદીશું?"
\v 6 તેમણે ફિલિપની કસોટી કરવા માટે આ પ્રશ્ન પૂછ્યો હતો, કે તે શું જવાબ આપશે. જો કે, ઈસુ અગાઉથી જાણતા હતા કે તેઓ આ મુશ્કેલી સંબંધી શું કરવાના હતા.
\s5
\v 7 ફિલિપે તેમને ઉત્તર આપ્યો, "એક માણસ બસો દિવસ કામ કરવાથી જેટલા નાણાં કમાઈ શકે તે જો આપણી પાસે હોત, તો પણ આ મોટા સમુદાયના દરેક વ્યક્તિને જમવા માટે એક નાનો ટુકડો મળે તેટલી રોટલી ખવડાવવા પણ પૂરતાં ન હોત."
\v 8 તેમનો બીજો એક શિષ્ય, આન્દ્રિયા, કે જે સિમોન પિતરનો ભાઈ હતો, તેણે ઈસુને કહ્યું,
\v 9 "અહીં એક છોકરો છે કે જેની પાસે જવની પાંચ નાની રોટલી અને બે નાની માછલી છે. તેમ છતાં, આટલો થોડો ખોરાક આટલા બધા લોકો માટે કેવી રીતે પૂરતો થાય?"
\s5
\v 10 જે જગ્યાએ બધા લોકો એકઠા થયા હતા ત્યાં ઘણું ઘાસ હતું. તેથી ઈસુએ કહ્યું, "લોકોને નીચે બેસવાનું કહો." તેથી બધા લોકો નીચે પંગતમાં બેઠા, અને શિષ્યોએ ટોળાની ગણતરી કર્યા પછી, તેઓએ જાણ્યું કે ત્યાં આશરે પાંચ હજાર લોકો હતા.
\v 11 પછી ઈસુએ નાની રોટલીઓ અને માછલી લીધી, અને તેના માટે ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે રોટલી અને માછલી જમીન પર બેઠેલા લોકોને વહેંચી. લોકોએ તેમની જેટલી ઇચ્છા હતી તેટલા પ્રમાણમાં માછલી અને રોટલી ખાધી.
\v 12 જ્યારે બધાએ જમવાનું પૂર્ણ કર્યું, ત્યારે તેમણે શિષ્યોને કહ્યું, "લોકોએ ન ખાધી હોય તેવી જવની રોટલીના ટુકડા એકઠા કરો. કશાનો બગાડ થવા દેશો નહિ."
\s5
\v 13 તેથી તેઓએ પાંચ જવની રોટલીમાંથી ટુકડાઓ ભેગાં કર્યા અને જે વધ્યું હતું તેમાંથી તેઓએ મોટી બાર ટોપલીઓ ભરી.
\p
\v 14 લોકોએ તેમની આગળ ઈસુએ કરેલા ચમત્કારને જોયા પછી, તેઓએ કહ્યું, "ઈશ્વર જેને આ જગતમાં મોકલવાના છે તે પ્રબોધક નિશ્ચે આ જ છે!"
\v 15 લોકો શી યોજના કરતા હતા તે ઈસુ જાણતા હતા; તેઓ આવીને તેમને જબરદસ્તીથી રાજા બનાવવાના હતા. તેથી તેઓ તેમને મૂકીને એકલા પર્વત પર ચાલ્યા ગયા.
\p
\s5
\v 16 જ્યારે સાંજ પડી, ત્યારે તેમના શિષ્યો નીચે ગાલીલના સમુદ્ર પાસે ગયા,
\v 17 હોડીમાં બેઠા અને સમુદ્રની સામે બાજુના કફરનાહૂમ તરફ હોડી હંકારવા લાગ્યા. હવે તો અંધારું થયું હતું, અને ઈસુ તેમની સાથે ન હતા.
\v 18 ભારે પવન ફૂંકાવા લાગ્યો, અને સમુદ્રનાં મોજાં ઊછળવા લાગ્યાં.
\s5
\v 19 આશરે પાંચ કે છ કિલોમીટર સુધી તેઓએ હલેસાં માર્યા પછી, શિષ્યોએ જોયું કે ઈસુ પાણી પર ચાલીને હોડીની નજીક આવતા હતા. તેઓ ગભરાઈ ગયા!
\v 20 ઈસુએ તેઓને કહ્યું, "એ તો હું છું! બીશો નહિ!"
\v 21 તેઓ તેમને હોડીમાં લેવા ઘણા ખુશ હતા. જેવા તેઓ તેમની સાથે આવ્યા, તેઓ જ્યાં જવાના હતા ત્યાં તેઓની હોડી આવી પહોંચી.
\p
\s5
\v 22 બીજે દિવસે જે લોકો સરોવરની સામેની બાજુએ હતા તેઓએ જાણ્યું કે એક દિવસ પહેલાં ત્યાં એક જ હોડી હતી. તેઓ એ પણ જાણતા હતા કે ઈસુ તે હોડીમાં તેમના શિષ્યો સાથે ગયા ન હતા.
\v 23 કેટલાક માણસો તેમની બીજી હોડીઓમાં સરોવરની સામેની બાજુએ તિબેરિયસ શહેરમાં આવ્યા. લોકોએ જ્યાં રોટલી ખાધી હતી કે જેને માટે પ્રભુએ ઈશ્વરનો આભાર માન્યો હતો, તે જગ્યાની નજીક તેમણે પોતાની હોડીઓ મૂકી.
\s5
\v 24 જ્યારે ટોળાએ જાણ્યું કે ઈસુ અને તેમના શિષ્યો ત્યાં ન હતા, ત્યારે તેમાંના કેટલાક હોડીઓમાં બેઠા અને ઈસુને શોધવા કફરનાહૂમમાં ગયા.
\p
\v 25 ગાલીલના સમુદ્રની સામેની બાજુએ કફરનાહૂમમાં તેઓએ ઈસુને શોધ્યા અને તેઓ તેમને ત્યાં મળ્યા. તેઓએ તેમને પૂછ્યું, "ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?"
\s5
\v 26 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "હું તમને સત્ય કહું છું: તમે મને એટલા માટે નથી શોધતા કે, તમે મને ચમત્કારો કરતાં જોયો જે દર્શાવે કે છે હું કોણ છું. ના! પરંતુ તમે ધરાઈને રોટલી ખાધી માટે મને શોધી રહ્યા છો.
\v 27 જલદીથી બગડી જનાર ખોરાક માટે કામ કરવાનું બંધ કરો! તેના બદલે, જે ખોરાક તમને અનંતજીવન આપે છે તેના માટે કામ કરો! તે એ રોટલી છે કે જેને ઈશ્વરે પસંદ કર્યો છે તે એટલે હું માણસનો દીકરો તમને આપીશ. કારણ કે ઈશ્વર પિતાએ સર્વ રીતે મને માન્ય કર્યો છે."
\p
\s5
\v 28 પછી લોકોએ તેમને પૂછ્યું, "ઈશ્વરને પ્રસન્ન કરવા અમારે કેવાં કામ અને સેવા કરવી જોઈએ?"
\v 29 ઈસુએ ઉત્તર આપ્યો, "ઈશ્વર તમારી પાસે જે કરાવવા ઇચ્છે છે તે આ છે: મને, એટલે કે જેમને તેમણે મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરો."
\s5
\v 30 તેથી તેઓએ તેમને કહ્યું, "તો પછી તમે કોણ છો તે સાબિત કરવા બીજો ચમત્કાર કરો કે જેથી અમે જોઇને વિશ્વાસ કરી શકીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો. તમે અમારી માટે શું કરશો?
\v 31 અમારા પૂર્વજોએ માન્ના ખાધું, જેમ શાસ્ત્ર કહે છે તેમ: 'ઈશ્વરે તેઓને ખાવા સારુ સ્વર્ગમાંથી રોટલી આપી.'"
\p
\s5
\v 32 ઈસુએ તેઓને કહ્યું, "હું તમને સત્ય કહું છું: તે મૂસા નહોતો કે જેણે તમારા પૂર્વજોને સ્વર્ગમાંથી રોટલી આપી. ના, તે તો મારા પિતા હતા, એ જ કે જેઓ તમને સ્વર્ગમાંથી ખરી રોટલી આપે છે.
\v 33 ઈશ્વરની ખરી રોટલી તો હું છું, જે સ્વર્ગમાંથી ઉતરી આવ્યો છું કે જેથી હું જગતમાં સર્વને જીવન આપું."
\p
\v 34 તેઓએ તેમને કહ્યું, "ગુરુજી, આ રોટલી અમને હંમેશાં આપો."
\s5
\v 35 ઈસુએ તેઓને કહ્યું, "જેમ લોકોને જીવવા માટે ખોરાકની જરૂર છે, તેમ આત્મિક રીતે જીવવા માટે દરેકને મારી જરૂર છે. જેઓ સામાન્ય ખોરાક અને પાણી લે છે તેઓને ફરીથી ભૂખ અને તરસ લાગશે. પરંતુ જેઓ મારી પાસે માગે છે અને આત્મિક રીતે જીવન જીવવા મારા પર વિશ્વાસ કરે છે તેઓને માટે હું તેમ કરીશ.
\v 36 તેમ છતાં, મેં તમને કહ્યું છે કે, તમે મને જુઓ છો છતાં પણ, તમે મારા પર વિશ્વાસ કરતા નથી.
\v 37 જે સર્વ લોકો મારા પિતાએ મને આપ્યા છે તેઓ મારી પાસે આવશે, અને જેઓ મારી પાસે આવે છે તેઓને હું ક્યારેય કાઢી મૂકીશ નહિ.
\s5
\v 38 હું મારી ઇચ્છા પ્રમાણે કરવા માટે સ્વર્ગમાંથી નીચે આવ્યો નથી, પરંતુ જેઓએ મને મોકલ્યો છે તેમની ઇચ્છા પ્રમાણે કરવા માટે આવ્યો છું.
\v 39 મને જેમણે મોકલ્યો છે તેઓ એ ઇચ્છે છે, કે જેઓને તેમણે મને આપ્યા છે તેઓને હું ખોઉં નહિ, અને છેલ્લા દિવસે તે સર્વને હું પાછા ઉઠાડું.
\v 40 કેમ કે મારા પિતાની આ ઇચ્છા છે, કે જેઓ વિશ્વાસથી મારી એટલે કે દીકરા તરફ જુએ છે, અને મારા પર વિશ્વાસ કરે છે, તેઓ અનંતજીવન પામે. હું તેઓને છેલ્લા દિવસે પાછાં ઉઠાડીશ."
\p
\s5
\v 41 યહૂદી આગેવાનોએ ઈસુ વિષે બડબડાટ કરવાનું શરુ કર્યું કારણ કે તેમણે કહ્યું હતું, "સ્વર્ગમાંથી ઊતરી આવેલી રોટલી હું છું."
\v 42 તેઓએ કહ્યું, "શું આ તે ઈસુ નથી કે જેના પિતા યૂસફ છે? શું આપણે તેના માતા-પિતાને ઓળખતા નથી? 'હું સ્વર્ગમાંથી આવ્યો છું' એવું તેઓ સત્યતાથી કેવી રીતે કહી શકે?"
\s5
\v 43 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "અંદરોઅંદર બડબડાટ કરવાનું બંધ કરો.
\v 44 પિતા કે જેઓએ મને મોકલ્યો છે તેમના તેડ્યા વગર કોઈ મારી પાસે આવી શકતું નથી. જે મારી પાસે આવે છે, તેને હું છેલ્લા દિવસે પાછો ઉઠાડીશ.
\v 45 પ્રબોધકોના પુસ્તકોમાં લખવામાં આવ્યું છે, 'ઈશ્વર તેઓ સર્વને શીખવશે.' જે સર્વ પિતાનું સાંભળે છે અને તેમની પાસેથી શીખે છે તેઓ મારી પાસે આવે છે.
\s5
\v 46 હું પિતા પાસેથી આવ્યો છું, મારા સિવાય કોઈએ પિતાને જોયા નથી. માત્ર મેં એકલા એજ પિતાને જોયા છે.
\v 47 હું તમને સત્ય કહું છું: જે મારા પર વિશ્વાસ કરે છે તેને અનંતજીવન છે.
\s5
\v 48 હું રોટલી છું કે જે ખરું જીવન આપે છે.
\v 49 તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, પરંતુ તેઓ મરણ પામ્યા.
\s5
\v 50 તો પણ, જે રોટલી વિષે હું વાત કરું છે તે સ્વર્ગમાંથી ઊતરી છે, અને જે તેને ખાય છે તે ક્યારેય મરણ પામશે નહિ.
\v 51 હું સ્વર્ગમાંથી ઊતરેલી એ રોટલી છું કે જે લોકોને ખરું જીવન આપે છે. જો કોઈ આ રોટલી ખાય છે, તો તે સદાકાળ જીવશે. જગતના જીવન માટે હું જે રોટલી આપું છું તે તો મારા માનવીય શરીરનું મરણ છે."
\p
\s5
\v 52 જે યહૂદીઓ ઈસુને સાંભળતા હતા તે હવે અંદરોઅંદર ગુસ્સાથી વાદવિવાદ કરી રહ્યા હતા. તેઓ સમજી શકતા ન હતા કે કોઈ બીજાઓને પોતાનું શરીર ખાવાને માટે કેવી રીતે વચન આપી શકે.
\v 53 તેથી ઈસુએ અઘરા શબ્દો સાથે તેમનો સામનો કર્યો: "હું તમને સત્ય કહું છું: જ્યાં સુધી તમે મારું, માણસના દીકરાનું માંસ ખાશો નહિ અને મારું લોહી પીશો નહિ, ત્યાં સુધી તમે સદાકાળ જીવશો નહિ.
\s5
\v 54 જેઓ મારું માસ ખાય છે અને મારું રક્ત પીએ છે તેઓ સદાકાળ જીવશે, અને હું તેઓને છેલ્લા દિવસે ફરીથી જીવતા કરીશ
\v 55 કારણ કે મારું માંસ ખરો ખોરાક છે અને મારું લોહી ખરું પીણું છે.
\v 56 જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારી સાથે જોડાશે અને હું તેની સાથે જોડાઇશ.
\s5
\v 57 મારા પિતા, કે જેઓ સર્વને જીવન આપે છે, તેમણે મને મોકલ્યો છે અને હું જીવું છું કારણ કે મારા પિતાએ મને સમર્થ કર્યો છે. તેવી જ રીતે, જેઓ મને ખાય છે તેઓના માટે હું તેમ કરીશ માટે તેઓ સદાકાળ જીવશે.
\v 58 હું સ્વર્ગમાંથી ઉતરેલી ખરી રોટલી છું. જે કોઈ મને એટલે કે આ રોટલીને ખાય છે તે ક્યારેય મરશે નહિ, પણ સદાકાળ જીવશે! હું જે કરું છું તે તમારા પૂર્વજો સાથે બન્યું તેવું નથી કે જેઓએ માન્ના ખાધું અને પછી તેઓ મરણ પામ્યા."
\v 59 ઈસુ જ્યારે કફરનાહૂમ શહેરના સભાસ્થાનમાં હતા ત્યારે તેમણે આ બાબતો કહી.
\p
\s5
\v 60 તેમના ઘણા શિષ્યોએ કહ્યું, "તેઓ જે શીખવે છે તે સમજવું અઘરું છે. તેઓ જે કહી રહ્યા છે તે કોઈ કેવી રીતે સ્વીકારી શકે?"
\v 61 ઈસુ જાણતા હતા કે તેમના કેટલાક શિષ્યો ફરિયાદ કરી રહ્યા હતા, તેથી તેમણે તેઓને કહ્યું, "હું તમને જે શીખવું છું તેનાથી શું તમને આઘાત લાગે છે?
\s5
\v 62 જો તમે મને, માણસના દીકરાને, સ્વર્ગમાં પાછો જતો જુઓ ત્યારે તમે શું કહેશો?
\v 63 માત્ર પવિત્ર આત્મા જીવન આપે છે કે જેનાથી કોઈ પણ સદાકાળ જીવે છે. માનવીય સ્વભાવ આ સંદર્ભે મદદરૂપ નથી. મેં તમને જે બાબતો શીખવી છે તે તમને પવિત્ર આત્મા અને અનંતજીવન વિષે કહેશે.
\s5
\v 64 તેમ છતાં તમારામાંના કેટલાક એવા છે કે જેઓ હું જે શીખવું છું તેના પર વિશ્વાસ કરતા નથી." ઈસુએ તેમ કહ્યું કારણ કે તેમના કાર્યના આરંભથી તેઓ જાણતા હતા કે જે તેમના પર વિશ્વાસ કરતો ન હતો તે કોણ હતો અને તેઓ જાણતા હતા કે કઈ વ્યક્તિ તેમનો વિશ્વાસઘાત કરશે.
\p
\v 65 પછી તેમણે કહ્યું, "તેથી જ મેં તમને કહ્યું કે પિતા કોઈ વ્યક્તિને મારી પાસે આવવા માટે શક્તિમાન ન કરે ત્યાં સુધી કોઇ પણ મારી પાસે આવી શકતું નથી અને સદાકાળ જીવી શકતું નથી."
\p
\s5
\v 66 તે સમયથી, ઈસુના ઘણા શિષ્યોએ તેમને અનુસરવાનું બંધ કરી દીધું.
\v 67 તેથી તેમણે બાર શિષ્યોને કહ્યું, "તમે પણ મને છોડવા નથી ઇચ્છતા, શું તમે ઈચ્છો છો?"
\v 68 સિમોન પિતરે ઉત્તર આપ્યો, "પ્રભુ, અમે કોની પાસે જઈએ? અમને સદાકાળ માટે જીવન આપે એવો સંદેશ માત્ર તમારી પાસે જ છે!
\v 69 અમે તમારા પર વિશ્વાસ કરીએ છીએ અને અમે નિશ્ચે જાણીએ છીએ કે તમે જ પવિત્ર છો કે જેમને ઈશ્વરે મોકલ્યા છે!"
\s5
\v 70 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "શું મેં તમને બાર શિષ્યોને પસંદ કર્યા નથી? તેમ છતાં તમારામાંનો એક શેતાન છે!"
\v 71 તેઓ તો સિમોન ઇશ્કરિયોતના દીકરા, યહૂદા વિષે વાત કરતા હતા. યહૂદા બારમાંનો એક હોવા છતાં, તે જ પાછળથી ઈસુનો વિશ્વાસઘાત કરવાનો હતો.
\s5
\c 7
\p
\v 1 આ પછી, ઈસુ ગાલીલ પ્રદેશના બીજા વિસ્તારોમાં ગયા. તેમણે યહૂદિયામાં મુસાફરી કરવાનું ટાળ્યું કારણ કે યહૂદી સત્તાવાળાઓ તેમના પર કોઈ ગુનાનો આરોપ મૂકીને તેમને મારી નાખવાનો રસ્તો શોધી રહ્યા હતા.
\v 2 હવે તે યહૂદી માંડવાપર્વનો સમય હતો. જ્યારે ઘણા સમય અગાઉ યહૂદી લોકો નિર્ગમન દરમ્યાન તંબુઓમાં રહેતા હતા તે યાદ કરવાનો આ સમય હતો.
\s5
\v 3 તે પર્વ યહૂદિયામાં થવાનું હતું માટે, ઈસુના ભાઈઓએ તેમને કહ્યું, "અહીંથી યહૂદિયામાં જાઓ કે જેથી તમારા બીજા અનુયાયીઓ તમે જે સામર્થ્યવાન કાર્યો કરો છે તે જોઈ શકે.
\v 4 જો કોઈ લોકોને જણાવવા ઇચ્છે કે તે કેવા પ્રકારની વ્યક્તિ છે તો તે તેના કામો છુપાવતો નથી. તમે જગતની આગળ પોતાને પ્રગટ કરો!"
\s5
\v 5 કેમ કે તેમના પોતાના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો નહીં કે વિચાર્યું પણ નહિ કે તેઓ સાચું બોલે છે.
\v 6 તેથી ઈસુએ તેઓને કહ્યું, "મારાં કાર્યો પૂર્ણ કરવાનો સમય હજી આવ્યો નથી. તોપણ, તમે જે કંઈ પણ ઇચ્છો તે પરિપૂર્ણ કરવા માટે તમે કોઈ પણ સમય પસંદ કરી શકો છો.
\v 7 જે લોકો પોતાના માટે જીવે છે અને આ જગતની બાબતો પર પ્રેમ કરે છે તેઓ તમારો તિરસ્કાર કરી શકે નહિ, પરંતુ તેઓ મારો તિરસ્કાર કરે છે. તેઓ પોતાના જીવનમાં જે કરે છે તે ખરાબ છે તેમ કહેનાર હું જ છું.
\s5
\v 8 તમે પર્વમાં જાઓ. હું હમણાં જવાનો નથી; આ મારા માટે યોગ્ય સમય નથી."
\v 9 તેમણે તે કહ્યા પછી, ઈસુ થોડો વધુ સમય ગાલીલમાં રહ્યા.
\p
\s5
\v 10 તોપણ, તેમના ભાઈઓ પર્વમાં ગયા તેના થોડા દિવસો પછી, તેઓ પણ ગુપ્ત રીતે ત્યાં પર્વમાં ગયા.
\v 11 ઈસુના યહૂદી વિરોધીઓ તેમને શોધી રહ્યા હતા કે તેઓ તેમને પર્વમાં મળે. તેઓ લોકોને પૂછતા હતા, "ઈસુ ક્યાં છે? શું તે અહીં છે?"
\s5
\v 12 ટોળામાં, ઘણા લોકો ધીમેથી એકબીજા સાથે ઈસુ વિષે વાત કરી રહ્યા હતા. કેટલાક કહેતા હતા, "તે સારા માણસ છે!" તેનાથી ઊલટું બીજા કહેતા હતા, "ના! તે ટોળાને છેતરે છે અને ગેરમાર્ગે દોરે છે!"
\v 13 તેઓ ઈસુના યહૂદી દુશ્મનોથી બીતા હતા તેના કારણે કોઈએ પણ તેમના વિષે જાહેર સ્થળોમાં વાત કરી નહિ કે જેથી તેઓ શું કહી રહ્યા હતા તે બીજા લોકો સાંભળે નહિ.
\p
\s5
\v 14 જ્યારે અડધું માંડવાપર્વ પૂર્ણ થયું, ત્યારે ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં ગયા અને ત્યાં શીખવવાનું શરુ કર્યું.
\v 15 તેઓ જે કહેતા હતા તેના વિષે યહૂદીઓ આશ્ચર્ય પામ્યા. તેઓએ કહ્યું, "આ માણસ ક્યારેય માન્ય કરેલ પ્રશિક્ષક પાસેથી આપણા સિદ્ધાંતો શીખ્યા નથી; તે ક્યારેય આપણી શાળાઓમાં દાખલ થયા નથી! તો તે આટલું બધું કેવી રીતે જાણે છે?"
\v 16 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "હું જે શીખવું છું તે મારામાંથી આવતું નથી. તે તો જેમણે મને મોકલ્યો છે તેમના તરફથી આવે છે.
\s5
\v 17 જો કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાનું પસંદ કરે, તો તે જાણી શકશે કે હું જે શીખવું છે તે શું ઈશ્વર તરફથી આવે છે કે પછી હું ફક્ત મારા પોતાના અધિકારથી બોલું છું.
\v 18 જે કોઈ પણ તેના પોતાના અધિકારથી બોલે છે તે બીજાઓ તેને માન આપે માટે બોલે છે. તેમ છતાં, જો એક ચાકર તેના મોકલનારને પ્રસન્ન કરવા તથા તેને પ્રમાણિક માણસ તરીકે સારી નામના આપવા માટે સખત મહેનત કરે, તો તેવા પ્રકારના ચાકરમાં કોઈ ખામી નથી.
\s5
\v 19 શું મૂસાએ તમને નિયમ આપ્યો નહોતો? છતાં તમારામાંનો કોઈ પણ નિયમ પ્રમાણે વ્યવહાર કરતો નથી. તમે જ છો કે જેઓ મને હમણાં મારી નાખવા માટે યોજનાઓ બનાવી રહ્યા છો!
\p
\v 20 ટોળામાંથી કોઈ એકે જવાબ આપ્યો, "તમારામાં ભૂત છે! જે તમને મારી નાખવા માગે છે તેનું નામ કહો!"
\s5
\v 21 ઈસુએ ટોળાને ઉત્તર આપ્યો, "તમે જોઈ શકો તે માટે મેં પરાક્રમનું એક કાર્ય કર્યું અને તમે સર્વ તેનાથી આશ્ચર્ય પામ્યા.
\v 22 મૂસાએ તમને નિયમ આપ્યો, અને તે નિયમ કહે છે કે તમારે તમારા નર બાળકની સુન્નત કરવી જ જોઈએ અને તમારે તે બાળકના જન્મના ઠીક સાત દિવસ પછી જ સુન્નત કરવી જોઈએ. (સાચું કહીએ તો આ વિધિ તમારા પૂર્વજો, ઇબ્રાહિમ, ઈસહાક અને યાકૂબથી શરૂ થઈ હતી અને નહિ કે મૂસાથી, જેણે આ પ્રથા વિષે નિયમ લખ્યો.) નિયમની તે જરૂરિયાતને કારણે, કેટલીક વખત તમારે તમારા બાળકની સુન્નત વિશ્રામવારે કરવી પડે છે, અને તે સ્વીકાર્ય પણ છે!
\s5
\v 23 તમે કેટલીક વાર વિશ્રામવારે છોકરાઓની સુન્નત કરો છો કે જેથી તમે મૂસાના નિયમનો ભંગ કરો નહિ. તો તમે મારાથી શા માટે એવું કહીને ગુસ્સો કરો છો, કે જ્યારે મેં વિશ્રામવારે માણસને સાજો કર્યો ત્યારે મેં કામ કર્યું! બાળકની સુન્નત કરવા કરતાં કોઈને સાજા કરવું તે તો વધારે અદ્દભુત અને મહાન કાર્ય છે!
\v 24 ઈશ્વરના નિયમના ખોટા લાગુકરણ આધારે અને વળી કંઈ પણ વિચાર્યા વિના તે માણસને સાજો કરવો તે સાચું છે કે ખોટું તે નક્કી કરવાનું બંધ કરો! તેના બદલે, માણસ નહિ પણ ઈશ્વર જેને યોગ્ય અને ન્યાયી ગણે છે તે સિદ્ધાંત મુજબ માણસે શું કરવું અને તેનો કેવી રીતે ન્યાય થવો જોઈએ તે નક્કી કરો."
\p
\s5
\v 25 યરુશાલેમના કેટલાક લોકો કહેતા હતા, "શું આ તે માણસ નથી કે જેમને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે?
\v 26 તે આ બાબતો જાહેરમાં બોલે છે, પરંતુ અધિકારીઓ તેનો વિરોધ કરવા માટે કંઈ કહેતા નથી. શું એટલા માટે કે તે મસીહ છે તેમ તેઓ જાણે છે?
\v 27 પરંતુ તે મસીહ હોઈ શકે નહિ! આપણે જાણીએ છીએ કે આ માણસ ક્યાંથી આવ્યો છે, પણ જ્યારે મસીહ આવશે, ત્યારે તેઓ ક્યાંના છે તે વિષે કોઈને ખબર હશે નહિ."
\p
\s5
\v 28 એ માટે જ્યારે ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં શીખવતા હતા, ત્યારે તેમણે બૂમ પાડી, "હા, તમે કહો છો કે તમે મને જાણો છો, અને તમને લાગે છે કે હું ક્યાંનો છું તે પણ તમે જાણો છો. પરંતુ મેં પોતાને નીમ્યો છે તે માટે હું અહીં આવ્યો નથી. તેનાથી ઊલટું, જેમણે મને મોકલ્યો છે તેઓ સત્ય છે, અને તમે તેમને ઓળખતા નથી.
\v 29 હું તેમની પાસેથી આવું છું માટે હું તેમને જાણું છું. તેમણે મને મોકલ્યો છે."
\p
\s5
\v 30 પછી તેઓએ ઈસુને પકડવાના પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ તેમની ધરપકડ કરી શક્યું નહિ કારણ કે તેમનું કામ પૂર્ણ કરવાનો અને તેમના જીવનના અંતનો સમય હજુ સુધી આવ્યો ન હતો.
\v 31 તેમને સાંભળ્યા અને તેમનાં કાર્યો જોયા બાદ, ટોળામાંના ઘણાઓએ તેમના પર વિશ્વાસ કર્યો. તેમણે કહ્યું, "જ્યારે મસીહ આવશે, ત્યારે શું તેઓ આ માણસે કર્યા છે તેના કરતાં પણ વધુ ચમત્કારિક કાર્યો કરશે?"
\v 32 ફરોશીઓએ તેઓને ઈસુ વિષે આ બાબતો ધીમેથી કહેતા સાંભળ્યા. તેથી તેઓએ, એટલે કે મુખ્ય યાજકો અને ફરોશીઓએ તેમની ધરપકડ કરવા માટે કેટલાક અધિકારીઓને મોકલ્યા.
\p
\s5
\v 33 ત્યારબાદ ઈસુએ કહ્યું, "હું તમારી સાથે માત્ર થોડા સમય માટે જ છું. પછી હું જેમણે મને મોકલ્યો છે તેમની પાસે પાછો જવાનો છું.
\v 34 તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી."
\s5
\v 35 તેથી જે યહૂદી લોકો તેમના દુશ્મનો હતા તેઓએ પોતાને કહ્યું, "આ માણસ ક્યાં જઈ શકે કે જ્યાં આપણે તેને શોધી ન શકીએ? શું તે ત્યાં જવાની અપેક્ષા રાખે છે કે જ્યાં યહૂદીઓ આખા ગ્રીક જગતમાં ફેલાયેલા છે, અને શું તે ત્યાં લોકોને આ નવી બાબતો શીખવશે?
\v 36 જ્યારે તેણે એમ કહ્યું કે, 'તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ' અને 'હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી ન શકો' તેનો શો અર્થ થાય?"
\p
\s5
\v 37 તેથી પર્વના છેલ્લા અને મહાન દિવસે, ઈસુ ઊભા થયા અને મોટે અવાજે પોકારીને કહ્યું, "જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ."
\v 38 જેમ શાસ્ત્રમાં કહ્યું છે તેમ, જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, 'તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.'"
\s5
\v 39 જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેઓને પિતા જે પવિત્ર આત્મા આપવાના હતા તે પવિત્ર આત્મા વિષે તેમણે આ કહ્યું. જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેમનામાં રહેવા ઈશ્વરે હજુ સુધી પવિત્ર આત્મા મોકલ્યો ન હતો, કારણ કે ઈસુએ હજુ સુધી પોતાનું કાર્ય એટલે કે એ કાર્ય કે જે તેમના મરણ દ્વારા ઈશ્વરના લોકોને બચાવીને ઈશ્વર માટે ઘણું માન ઉપજાવશે તે પૂર્ણ કર્યું ન હતું.
\p
\s5
\v 40 જ્યારે ટોળામાંના કેટલાકે તે શબ્દો સાંભળ્યા, ત્યારે તેઓએ કહ્યું, "આપણે જેમની અપેક્ષા રાખતા હતા તે પ્રબોધક આ જ છે."
\v 41 બીજાઓએ કહ્યું, "મસીહ ગાલીલમાંથી આવી શકે નહિ.
\v 42 શું શાસ્ત્ર એમ કહેતું નથી કે મસીહ દાઉદના વંશજમાંથી જ હોવા જોઈએ તથા તેમનો જન્મ બેથલેહેમ, કે જે દાઉદનું ઘર હતું ત્યાં જ થવો જોઈએ?"
\s5
\v 43 તેથી ઈસુ વિશેના અભિપ્રાયમાં તેઓની વચ્ચે ભાગલા પડ્યા.
\v 44 કેટલાક લોકો તેમની ધરપકડ કરવા ઇચ્છતા હતા. તેમ છતાં કોઈએ તેમને પકડ્યા નહિ.
\p
\s5
\v 45 તેથી અધિકારીઓ મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસે પાછા ફર્યા. આ તે અધિકારીઓ હતા કે જેઓને શાસકોએ ઈસુની ધરપકડ કરવા માટે મોકલ્યા હતા. ફરોશીઓએ અધિકારીઓને કહ્યું, "તમે શા માટે તેને પકડીને અહીં લાવ્યા નહિ?"
\v 46 અધિકારીઓએ ઉત્તર આપ્યો, "કોઈ ક્યારેય આ માણસ જેવું બોલ્યું નથી."
\s5
\v 47 પછી ફરોશીઓએ ઉત્તર આપ્યો, "શું તમે પણ છેતરાયા છો?
\v 48 કોઈ પણ યહૂદી અધિકારીઓએ કે ફરોશીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો નથી.
\v 49 આ ટોળું કે જે આપણા નિયમોનું શિક્ષણ જાણતું નથી, તેને શાપિત થવા દો!"
\p
\s5
\v 50 ત્યારબાદ નિકોદેમસ બોલ્યો. (તે એ હતો કે જે ઈસુને મળવા તથા તેમની સાથે વાત કરવા માટે રાત્રે ગયો હતો, અને તે ફરોશીઓમાંનો એક હતો.) તેણે તેઓને કહ્યું,
\v 51 "આપણો યહૂદી નિયમ આપણે કોઈ માણસને સાંભળીએ તે અગાઉ તેને દોષિત ઠરાવવાની મંજૂરી આપતો નથી. પ્રથમ, આપણે તેમને સાંભળીએ, અને તેમણે જે કર્યું છે તે વિષે આપણે જાણવું જોઈએ."
\v 52 તેઓએ તેને ઉત્તર આપ્યો, "શું તું પણ ગાલીલનો છે? શાસ્ત્રમાં જે લખ્યું છે તે શોધ અને ધ્યાનપૂર્વક વાંચ! તને જાણવા મળશે કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી થવાનો નથી."
\p
\s5
\v 53 પછી તેઓ બધા પોતપોતાના ઘરે ગયા.
\s5
\c 8
\p
\v 1 ઈસુ તેમના શિષ્યો સાથે જૈતૂન પહાડ પર ગયા, અને તે રાત્રે તેઓ ત્યાં રહ્યા.
\v 2 બીજે દિવસે વહેલી સવારે, ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં આવ્યા. ઘણા લોકો તેમની આસપાસ એકત્ર થયા, અને તેઓ તેમને શીખવવા માટે બેઠા.
\v 3 પછી જે માણસો યહૂદી નિયમ શીખવતા હતા તેઓ તથા જેઓ ફરોશીઓ હતા તેઓ એક સ્ત્રીને તેમની પાસે લાવ્યા. તે વ્યભિચારમાં પકડાયેલી હતી એટલે કે તે એક પુરુષ સાથે જાતીય સંબંધ રાખતી હતી કે જે તેનો પતિ ન હતો. તેઓએ તેને આ ટોળાની વચમાં ઊભી રાખી કે જેથી તેઓ તેમને પ્રશ્નો પૂછી શકે.
\s5
\v 4 તેઓએ ઈસુને કહ્યું, "ગુરુજી, આ સ્ત્રી એક માણસ, કે જે તેનો પતિ નથી તેની સાથે વ્યભિચાર કરતાં પકડાઈ છે.
\v 5 હવે મૂસાએ તેના નિયમમાં આદેશ આપ્યો છે કે આપણે આવી સ્ત્રીને પથ્થરો મારીને મારી નાખવી જોઈએ. તેમ છતાં, અમારે શું કરવું જોઈએ તે વિષે તમે શું કહો છો?
\v 6 તેમણે આ પ્રશ્ન કસોટી તરીકે પૂછ્યો હતો કે જેથી તેઓ ઈસુ પર કંઇક ખોટું કહેવાનો આરોપ મૂકી શકે. જો તેઓ એમ કહે કે આપણે તેને મારી નાખવી ન જોઈએ, તો તેઓ કહી શકે કે ઈસુએ મૂસાના નિયમનો અનાદર કર્યો છે. વળી, જો ઈસુ એમ કહે કે આપણે તેને મારી નાખવી જોઈએ, તો તેઓ રોમન નિયમ તોડનાર ઠરશે, જેમાં લોકોને મૃત્યુદંડ આપવાની સત્તા ફક્ત રાજ્યપાલ પાસે હોય છે.
\p તો પણ, ઈસુ નીચા વળ્યા અને તેમની આંગળી વડે જમીન પર કંઇક લખ્યું.
\s5
\v 7 જ્યારે તેઓ તેમને સવાલ કરતા હતા, ત્યારે ઈસુ ઊભા થયા અને તેઓને કહ્યું, "તમારામાંના જેણે ક્યારેય પાપ ન કર્યું હોય, તેણે આ સ્ત્રીને સજા કરવા માટે બાકીના બધાને આગેવાની આપવી જોઈએ. તે જ પહેલો પથ્થર મારે!"
\v 8 ત્યારપછી ઈસુ નીચા નમ્યા અને જમીન પર કંઇક વધારે લખ્યું.
\s5
\v 9 તેમણે જે કહ્યું તે સાંભળ્યા પછી, જેઓ તેમને પ્રશ્ન પૂછતા હતા તેઓ એક પછી એક, સૌથી પહેલાં વૃધ્ધો અને પછી જુવાનો એમ ચાલ્યા ગયા. તેઓ જાણતા હતા કે તેઓ બધા જ પાપી હતા. છેવટે માત્ર ઈસુ જ તે સ્ત્રી સાથે ત્યાં હતા.
\v 10 ઈસુ ઊભા થયા અને તેને પૂછ્યું, "બાઈ, તારા પર જેઓ દોષ મૂકતા હતા તેઓ ક્યાં છે? તને સજા થવી જ જોઈએ તેમ શું કોઈએ તારા પર તહોમત ન મૂક્યું?"
\v 11 તેણે કહ્યું, "ના સાહેબ, કોઈએ પણ નહિ." પછી ઈસુએ કહ્યું, "હું પણ તને દોષિત ઠરાવતો નથી. હવે ઘરે જા, અને હવે પછીથી, આ પ્રમાણે ક્યારેય પાપ કરતી નહિ!"]
\p
\s5
\v 12 ઈસુએ ફરીથી લોકો સાથે વાત કરી. તેમણે કહ્યું, "હું જગતનું અજવાળું છું. જે કોઈ મને અનુસરે છે તે જીવન આપનાર અજવાળું પામશે, અને તે ફરીથી ક્યારેય અંધકારમાં ચાલશે નહિ.
\v 13 તેથી ફરોશીઓએ તેમને કહ્યું, "તમારા પોતાના વિષે વધુને વધુ બોલવા દ્વારા એવું લાગે છે કે જાણે તમે અમને તમારા પર વિશ્વાસ કરવા ખાતરી કરાવી રહ્યા હોય! તમે પોતાના વિષે જે કહો છે તે કંઈ પણ સાબિત થતું નથી!"
\s5
\v 14 ઈસુએ ઉત્તર આપ્યો, "મારા વિષે આ બાબતો કહેનાર જો એકમાત્ર હું હોત તો પણ, હું જે કહું છું તે સાચું છે કારણ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જાઉં છું તે હું જાણું છું. તેમ છતાં, હું ક્યાંથી આવું છું અને ક્યાં જાઉં છું તે તમે જાણતા નથી.
\v 15 તમે માનવીય ધોરણે અને માણસોના નિયમ મુજબ લોકોનો ન્યાય કરો છો. આ સમયે હું કોઈનો ન્યાય કરવા આવ્યો નથી.
\v 16 વળી જો હું ન્યાય કરું, તો તે યોગ્ય અને ન્યાયી હશે કારણ કે હું એકલો જ નથી કે જે ન્યાયચુકાદો લાવીશ. હું અને મારા પિતા કે જેઓએ મને મોકલ્યો છે, અમે બંને એકસાથે ન્યાયચુકાદો લાવીશું.
\s5
\v 17 તમારા નિયમમાં લખેલું છે કે કોઇપણ બાબતની પતાવટ ત્યારે જ થઇ શકે છે કે જ્યારે ત્યાં કેસમાં પુરાવો આપનાર ઓછામાં ઓછા બે સાક્ષી હોય.
\v 18 હું તમારી પાસે મારા વિષેનો પુરાવો લાવું છું, અને મારા પિતા કે જેમણે મને મોકલ્યો છે તેઓ પણ મારા વિશેનો પુરાવો લાવે છે. તેથી તમારે વિશ્વાસ કરવો જોઈએ કે અમે જે કહીએ છીએ તે સત્ય છે."
\p
\s5
\v 19 પછી તેઓએ તેમને પૂછ્યું, "તમારા પિતા ક્યાં છે?" ઈસુએ ઉત્તર આપ્યો, "તમે મને જાણતા નથી, અને મારા પિતાને પણ જાણતા નથી. જો તમે મને જાણતા હોત, તો તમે મારા પિતાને પણ જાણતા હોત."
\v 20 જ્યારે તેઓ ભક્તિસ્થાનના આંગણામાં આવેલા ભંડાર પાસે હતા, જ્યાં લોકો પોતાનાં અર્પણો લાવતા હતા ત્યારે તેમણે આ વાતો કહી. તેમ છતાં કોઈએ તેમની ધરપકડ કરી નહિ કારણ કે હજુ તેમના મરણનો સમય આવ્યો ન હતો.
\p
\s5
\v 21 ઈસુએ તેઓને એમ પણ કહ્યું, "હું દૂર જાઉં છું, અને તમે મને શોધશો, પરંતુ તે તો ચોક્કસ છે કે તમે તમારાં પાપમાં મરશો. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી."
\v 22 તેમના યહૂદી વિરોધીઓએ અંદરોઅંદર એકબીજાને કહ્યું, "કદાચ તે પોતાને મારી નાખવાનું વિચારી રહ્યો છે, અને જ્યારે તે એમ કહે છે કે, 'હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી' તેનો અર્થ એ જ છે.'"
\s5
\v 23 ઈસુએ તેમને કહેવાનું ચાલુ રાખ્યું, "તમે નીચેના એટલે આ પૃથ્વી પરના છો, પરંતુ હું ઉપર સ્વર્ગમાંથી છું. તમે આ જગતનાં છો. હું આ જગતનો નથી.
\v 24 મેં તમને કહ્યું કે તમે મરશો અને ઈશ્વર તમને તમારાં પાપ માટે દોષિત ઠરાવશે. જ્યાં સુધી, જેમ હું કહું છું તે પ્રમાણે હું ઈશ્વર છું તેવો તમે વિશ્વાસ નહિ કરો, ત્યાં સુધી નિશ્ચે આમ બનશે."
\p
\s5
\v 25 "તમે કોણ છો?" તેઓએ તેમને પૂછ્યું. ઈસુએ તેઓને કહ્યું, "શરૂઆતથી જ હું તમને કહેતો આવ્યો છું!
\v 26 હું તમારો ન્યાય કરી શકું છું અને કહી શકું છું કે તમે ઘણી બાબતોના અપરાધી છો. પણ તેનાથી ઊલટું, હું માત્ર આટલું જ કહીશ: જેમણે મને મોકલ્યો છે તેઓ મને સત્ય કહે છે, અને જે મેં તેમની પાસેથી સાંભળ્યું છે તેટલું જ હું જગતમાંના લોકોને કહું છું."
\p
\v 27 તેઓ સમજ્યા નહિ કે ઈસુ પિતા વિષે વાત કરી રહ્યા હતા.
\s5
\v 28 તેથી ઈસુએ કહ્યું, "જ્યારે તમે મને એટલે કે માણસના દીકરાને વધસ્તંભ પર મારી નાખવા માટે ઊંચો કરશો, ત્યારે તમે જાણશો કે હું ઈશ્વર છું, અને તમે જાણશો કે હું મારા પોતાના અધિકારથી કંઈ કરતો નથી. તેનાથી ઊલટું, હું એટલું જ કહું છું જેટલું મને મારા પિતાએ કહેવા માટે શીખવ્યું છે.
\v 29 જેમણે મને મોકલ્યો છે તેઓ મારી સાથે છે, અને તેમણે મને એકલો મૂકી દીધો નથી કારણ કે જેનાથી તેઓ પ્રસન્ન થાય એવી જ બાબતો હું કરું છું."
\v 30 જ્યારે ઈસુ આ બાબતો કહી રહ્યા ત્યારે બીજા ઘણા લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો.
\p
\s5
\v 31 પછી ઈસુએ એ યહૂદીઓને કે જેઓ હમણાં કહી રહ્યા હતા કે તેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેઓને કહ્યું, "હું જે બધું તમને શીખવું છું તે જો તમે સાંભળશો અને તમે જે કંઈ કરો તેમાં તે પ્રમાણે જીવશો, તો તમે ખરેખર મારા શિષ્યો છો.
\v 32 તમે સત્ય જાણશો, અને જે બધી બાબતોને તમને તેના ગુલામ બનાવ્યા છે તેનાથી સત્ય તમને મુક્ત કરશે."
\v 33 તેઓએ તેમને જવાબ આપ્યો, "અમે ઇબ્રાહિમના વંશજો છીએ, અને અમે ક્યારેય કોઈના ગુલામો ન હતા. તો તમે શા માટે એમ કહો છો કે અમારે મુક્ત થવાની જરૂર છે?
\s5
\v 34 ઈસુએ ઉત્તર આપ્યો, "હું તમને સત્ય કહું છું: જેમ ગુલામ તેના માલિકની આજ્ઞા પાળવા બંધાયેલો છે તેમ જેઓ પાપ કરે છે તેઓ તેમની પાપી ઇચ્છાઓથી બંધાયેલા છે.
\v 35 ગુલામો કુટુંબના સભ્ય તરીકે કાયમ રહેશે નહીં પરંતુ તેઓને વેચવામાં આવે અથવા ઘરે પાછા જવા દેવા માટે મુક્ત કરવામાં આવે. તો પણ, એક પુત્ર તો સદાકાળ માટે કુટુંબનો સભ્ય છે.
\v 36 તેથી જો દીકરો તમને મુક્ત કરે, તો તમે સંપૂર્ણપણે મુક્ત છો.
\s5
\v 37 હું જાણું છું કે તમે ઇબ્રાહિમના કુટુંબમાં છો; તમે તેના વંશજો છો. તેમ છતાં, તમારા લોકો મને મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું કંઈ પણ કહું છું તેનો તમે વિશ્વાસ નહિ કરો.
\v 38 મારા પિતાએ જે આશ્ચર્યકર્મો અને ડહાપણ મને બતાવ્યાં છે તે સર્વ વિષે હું તમને કહું છું, પરંતુ તમારા પિતાએ તમને જે કરવા માટે કહ્યું હતું તમે માત્ર તે જ કરો છો."
\p
\s5
\v 39 તેઓએ તેમને ઉત્તર આપ્યો, "ઇબ્રાહિમ અમારો પૂર્વજ છે." ઈસુએ તેઓને કહ્યું, "જો તમે ઇબ્રાહિમનાં વંશજો હોત, તો તેણે જે બાબતો કરી તે તમે કરતા હોત.
\v 40 ઈશ્વર પાસેથી મેં જે સત્ય સાંભળ્યું છે તે હું તમને કહેતો આવ્યો છું, પરંતુ તમે મને મારી નાખવાના પ્રયત્નો કરો છો. ઈબ્રાહિમે તે પ્રકારની બાબતો કરી નહતી.
\v 41 ના! તમારા ખરા પિતાએ જે બાબતો કરી તે તમે કરી રહ્યા છો." લોકોએ તેમને કહ્યું, "અમે તમારા વિષે જાણતા નથી, પરંતુ અમે તો વ્યભિચારથી જન્મેલાં બાળકો નથી. અમારા માત્ર એક જ પિતા છે, અને તે તો ઈશ્વર છે."
\s5
\v 42 ઈસુએ તેઓને કહ્યું, "જો ઈશ્વર તમારા પિતા હોત, તો તમે મને પ્રેમ કરતા હોત કારણ કે હું ઈશ્વર પાસેથી આવ્યો છું અને હવે હું આ જગતમાં આવ્યો છું. મેં પોતે આવવાનું નક્કી કર્યું માટે નહિ પરંતુ તેમણે મને મોકલ્યો છે માટે હું આવ્યો છું.
\v 43 હું જે કહું છું તે તમે શા માટે સમજી શકતા નથી તે હું તમને બતાવીશ. કારણ કે તમે મારો સંદેશ કે મારું શિક્ષણ સ્વીકારતા નથી તેથી તમે સમજી શકતા નથી.
\v 44 તમે તમારા પિતા શેતાનના છો, અને તે જે ઇચ્છે છે તે તમે કરવા ઇચ્છો છો. જે સમયે લોકોએ પ્રથમ વાર પાપ કર્યું ત્યારથી તે ખૂની હતો. તેણે ઈશ્વરના સત્યને ત્યજી દીધું છે; તે તેનામાં નથી. તે જ્યારે પણ જૂઠ્ઠું બોલે છે, ત્યારે તે પોતાના ચારિત્ર્ય પ્રમાણે બોલે છે કારણ કે તે જૂઠ્ઠો છે; જે કોઈ પણ જૂઠ્ઠું બોલે છે તે શેતાન તેને જેમ કરાવવા ઇચ્છે છે તેમ કરે છે.
\s5
\v 45 હું તમને સત્ય કહું છું, માટે તમે મારો વિશ્વાસ કરતા નથી!
\v 46 તમારામાંનો કોણ મને પાપને લીધે દોષિત ગણે છે? હું તમને સત્ય કહું છું તેને લીધે, મારા પર વિશ્વાસ ન કરવાનું તમે કયું કારણ આપો છો?
\v 47 જેઓ ઈશ્વરના છે તેઓ ઈશ્વર તેઓને જે કહે છે તે સાંભળે અને પાળે છે. તમે તેમનો સંદેશ સાંભળતા કે પાળતા નથી તેનું કારણ એ છે કે તમે ઈશ્વરના નથી."
\p
\s5
\v 48 તેમના યહૂદી દુશ્મનોએ તેમને ઉત્તર આપ્યો, "તમે સમરૂની છો એમ કહેવામાં અમે ચોક્કસ સાચા છીએ, તમે કોઈ પણ હિસાબે ખરેખર સાચા યહૂદી નથી! અને તમારામાં દુષ્ટાત્મા રહે છે!"
\v 49 ઈસુએ ઉત્તર આપ્યો, "મારામાં દુષ્ટાત્મા રહેતો નથી! હું મારા પિતાને માન આપું છું, અને તમે મને માન આપતા નથી!
\s5
\v 50 લોકો મારાં વખાણ કરે તે માટે હું લોકોને સમજાવતો નથી. મને જે મળવાપાત્ર છે તે આપવાની ઇચ્છા રાખનાર તો બીજું જ કોઈક છે અને હું જે બધું કહું છું અને કરું છું તેનો ન્યાય પણ તેઓ જ કરશે.
\v 51 હું તમને સત્ય કહું છું: જે કોઈ મારાં વચનને દૃઢતાથી વળગી રહે અને મેં જેમ આપ્યું છે તેમ વિશ્વાસ કરે, તે માણસ ક્યારેય મરશે નહિ!"
\p
\s5
\v 52 પછી તેમના યહૂદી દુશ્મનોએ તેમને કહ્યું, "હવે અમને ખાતરી છે કે તારામાં દુષ્ટાત્મા રહે છે! ઇબ્રાહિમ અને પ્રબોધકો ઘણા સમય અગાઉ મરણ પામ્યા! તેમ છતાં તમે કહો છો કે તમે જે શિક્ષણ આપો છો તેને જે કોઈ વળગી રહે તે ક્યારેય મરશે નહિ!
\v 53 તમે અમારા પિતા ઇબ્રાહિમ કરતા મોટા નથી. તે મરણ પામ્યો અને બધા જ પ્રબોધકો પણ મરણ પામ્યા. તો તમે પોતાના વિષે શું માનો છો?"
\s5
\v 54 ઈસુએ ઉત્તર આપ્યો, "જો લોકો મારી પ્રશંસા કરે એવો પ્રયાસ હું કરું, તો તે નકામું છે. એ તો મારા પિતા છે કે જેઓ મારી, મારા ચારિત્ર્ય અને મારા સારાપણાની પ્રશંસા કરે છે, અને તો પણ એ તો મારા પિતા જ છે કે જેમના વિષે તમે કહો છો કે, 'તે અમારા ઈશ્વર છે.'
\v 55 જો કે તમે તેમને જાણતા નથી તેમ છતાં, હું તેમને જાણું છું. જો મેં એમ કહ્યું હોત કે હું તેમને જાણતો નથી, તો હું તમારી જેમ જુઠ્ઠો હોત. હું તેમને જાણું છું અને તેઓ જે કહે છે તે હું હંમેશા પાળું છું.
\v 56 જ્યારે તેમણે પ્રબોધક તરીકે, ભવિષ્યમાં હું શું કરી શકુ છું તે જોયું ત્યારે તમારો પિતા ઇબ્રાહિમ આનંદિત હતો.
\p
\s5
\v 57 ત્યારબાદ યહૂદી આગેવાનોએ તેમને કહ્યું, "તમે તો હજી પચાસ વર્ષના પણ નથી! શું તમે ઇબ્રાહિમને જોયા છે?"
\v 58 ઈસુએ તેઓને કહ્યું, "હું તમને સત્ય કહું છું, ઇબ્રાહિમ હતો તે અગાઉથી, હું છું."
\v 59 તેથી તેઓએ તેમને મારી નાખવા માટે પથ્થર ઉઠાવ્યા. પણ, ઈસુ ગુપ્ત રીતે ભક્તિસ્થાન છોડીને, બીજે ક્યાંક ચાલ્યા ગયા.
\s5
\c 9
\p
\v 1 જ્યારે ઈસુ ચાલતા હતા, ત્યારે તેમણે એક માણસને જોયો કે જે, જન્મ્યો ત્યારથી જીવન પર્યંત અંધ હતો.
\v 2 શિષ્યોએ તેમને પૂછ્યું, "ગુરુજી, કોના પાપને લીધે આ માણસ અંધ જન્મ્યો? શું આ માણસે પોતે પાપ કર્યું છે, કે તેના માતાપિતાએ?"
\s5
\v 3 ઈસુએ ઉત્તર આપ્યો, "આ માણસે કે તેના માતાપિતાએ પાપ કર્યું તેના લીધે તેમ નથી. તે અંધ જન્મ્યો કે જેથી આજે ઈશ્વર તેનામાં જે પરાક્રમી કાર્ય કરશે તે લોકો જોઈ શકે.
\v 4 જ્યાં સુધી હજી દિવસ છે ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમનું કામ આપણે કરવું જોઈએ. રાત આવે છે અને જ્યારે તે આવશે, ત્યારે કોઈ પણ કામ કરી શકશે નહિ.
\v 5 જ્યાં સુધી હું જગતમાં છું, ત્યાં સુધી હું જગતનું અજવાળું છું."
\p
\s5
\v 6 જ્યારે તેમણે આ કહ્યું, ત્યારે તે જમીન પર થૂંક્યા. તેમના લાળથી તેમણે કાદવ બનાવ્યો, અને દવા તરીકે માણસની આંખો પર લગાવ્યો.
\v 7 પછી ઈસુએ તેને કહ્યું, "જા અને જઈને શિલોઆહના કુંડમાં ધોઈ આવ!" (તે કુંડના નામનો અર્થ 'મોકલેલો' થાય છે). તેથી તે માણસ ગયો અને કુંડમાં આંખો ધોઈ. જ્યારે તે પાછો આવ્યો, ત્યારે તે જોવા માટે શક્તિમાન હતો.
\s5
\v 8 તે માણસના પડોશીઓ અને બીજાઓ કે જેઓએ તેને ભીખ માગતો જોયો હતો તેઓએ કહ્યું, "શું આ તે માણસ નથી કે જે અહીં બેસીને ભીખ માગતો હતો?"
\v 9 કેટલાકે કહ્યું, "આ તે જ છે." બીજાઓએ કહ્યું, "ના, પણ તે એ માણસના જેવો જ દેખાય છે." જો કે, તે માણસે પોતે જ કહ્યું, "હા, હું તે જ માણસ છું!"
\s5
\v 10 તેથી તેઓએ તેને કહ્યું, "તો તું કેવી રીતે જોઈ શકે છે?"
\v 11 તેણે ઉત્તર આપ્યો, "ઈસુ નામના માણસે થોડો કાદવ બનાવ્યો અને દવાની જેમ વાપરીને મારી આંખો પર મૂક્યો. પછી તેમણે મને શિલોઆહના કુંડમાં જઈને ધોવા માટે કહ્યું. તેથી હું ત્યાં ગયો અને આંખો ધોઈ, અને તે પછી હું પ્રથમ વાર જોઈ શક્યો."
\v 12 તેઓએ તેને કહ્યું, "તે માણસ ક્યાં છે?" તેણે કહ્યું, "હું જાણતો નથી."
\p
\s5
\v 13 ત્યાંના કેટલાક લોકો તે માણસને ફરોશીઓની સભામાં લઇ ગયા.
\v 14 હવે જ્યારે ઈસુએ આ ચમત્કાર કર્યો હતો તે તો વિશ્રામવાર હતો.
\v 15 તેથી ફરોશીઓએ તે માણસને ફરીથી તે હવે કેવી રીતે જોઈ શકે છે તે વિષે પૂછ્યું. તેણે તેઓને કહ્યું, "તે માણસે મારી આંખો પર કાદવ મૂક્યો અને મેં આંખો ધોઈ, અને હવે હું જોઈ શકું છું."
\s5
\v 16 કેટલાક ફરોશીઓએ કહ્યું, "અમે જાણીએ છીએ કે આ માણસ ઈસુ, ઈશ્વર તરફથી નથી કારણ કે તે વિશ્રામવાર પાળતા નથી." તે જૂથમાંના બીજાઓએ પૂછ્યું, "જો તે પાપી હોત, તો બધા જોઈ શકે છે તેવા સામર્થ્યનાં કાર્યો કેવી રીતે કરી શકે છે?" તેથી ફરોશીઓમાં મતભેદ ઊભા થયા.
\v 17 તેઓએ તે અંધ માણસને ફરીથી પૂછ્યું, "હવે તે જે તારી દૃષ્ટિ પાછા લાવ્યા છે માટે, તું તેમના વિષે શું કહે છે?" તે માણસે કહ્યું, "તે પ્રબોધક છે."
\p
\v 18 હવે જે યહૂદીઓ ઈસુના વિરોધીઓ હતા તેઓએ વિશ્વાસ ન કર્યો કે તે માણસ અંધ હતો અને હવે દેખતો થયો છે. તેથી તેઓએ કોઈકને તે માણસના માતાપિતાને લાવવા માટે મોકલ્યો કે જેથી તેઓની પણ પૂછપરછ કરવામાં આવે.
\s5
\v 19 તેઓએ તેનાં માતાપિતાને પૂછ્યું, "શું આ તમારો દીકરો છે? શું તમે એમ કહો છો કે તે જન્મ્યો તે દિવસથી અંધ છે? તો પછી તે કેવી રીતે જોઈ શકે છે?"
\v 20 તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો, "અમે જાણીએ છીએ કે આ અમારો દીકરો છે. અમે જાણીએ છી કે તે જ્યારે જન્મ્યો ત્યારે તે અંધ હતો.
\v 21 તેમ છતાં, અમે જાણતા નથી કે હવે તે કેવી રીતે જોઈ શકે છે. તેની આંખો કોણે સાજી કરી તે અમે જાણતા નથી. તેને પૂછો, પોતાની જાતે બોલવા માટે તે પુખ્ત છે."
\s5
\v 22 જે યહૂદીઓ ઈસુની વિરુદ્ધ હતા તેઓએ અગાઉથી એકબીજા સાથે એવું નક્કી કર્યું હતું કે જે કોઈ ઈસુ મસીહ છે તેવું જાહેર કરશે તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં આવશે.
\v 23 તેથી જ તેનાં માતાપિતાએ કહ્યું, "તેને પૂછો, પોતાની જાતે બોલવા માટે તે પુખ્ત છે."
\p
\s5
\v 24 તેથી તેઓએ જે અંધ હતો તે માણસને બોલાવ્યો, અને બીજી વખત તેમની આગળ આવવા માટે તેને કહ્યું. જ્યારે તે ત્યાં ગયો, ત્યારે તેઓએ તેને કહ્યું, "ઈશ્વરના સમ ખા કે તું માત્ર સત્ય જ બોલીશ! અમે જાણીએ છીએ કે જે માણસે તને સાજો કર્યો છે તે પાપી છે અને મૂસાએ આપણને જે નિયમો આપ્યા છે તે એ પાળતા નથી."
\v 25 તેણે ઉત્તર આપ્યો, "તે પાપી છે કે નહિ, તે હું જાણતો નથી. એક બાબત હું જાણું છું કે હું અંધ હતો, પરંતુ હવે જોઈ શકું છું."
\s5
\v 26 તેથી તેઓએ તેને કહ્યું, "તેમણે તને શું કર્યું છે? તેમણે તને કેવી રીતે સાજો કર્યો છે કે તું હવે જોઈ શકે છે?"
\v 27 તેણે તેઓને જવાબ આપ્યો, "મેં તે તમને અગાઉથી જ કહી દીધું છે, પરંતુ તમે મારો વિશ્વાસ કરતા નથી. શા માટે તમે ઇચ્છો છો કે હું તે ફરીથી કહું? શું તમે પણ ખરેખર તેમના શિષ્યો થવા ઇચ્છો છો?"
\v 28 પછી તેઓ ગુસ્સે થયા અને તેનું અપમાન કર્યું: "તું તે માણસનો શિષ્ય છે, પરંતુ અમે તો મૂસાના શિષ્યો છીએ!
\v 29 અમે જાણીએ છીએ કે ઈશ્વરે મૂસા સાથે વાત કરી; પરંતુ આ માણસ વિષે, અમે એ પણ જાણતા નથી કે તે ક્યાંથી આવે છે."
\s5
\v 30 તે માણસે ઉત્તર આપ્યો, "તે તો ઘણું અદ્દ્ભુત છે! તમે જાણતા નથી કે તે ક્યાંથી આવે છે, પરંતુ તે જ વ્યક્તિ છે કે જેમણે મારી આંખો ખોલી કે જેથી હું જોઈ શકું!
\v 31 અમે જાણીએ છીએ કે ઈશ્વર પાપી લોકો, કે જેઓ તેમના નિયમોને અવગણે છે તેમની પ્રાર્થના સાંભળતા નથી, પરંતુ જેઓ તેમની આરાધના કરે છે તથા તેઓ જે ઇચ્છે તે પ્રમાણે કરે છે તેઓનું સાંભળે છે.
\s5
\v 32 જગતના આરંભથી એવું ક્યાંય પણ સાંભળવામાં આવ્યું નથી કે કોઈએ જન્મથી અંધ માણસની આંખો ખોલી હોય!
\v 33 જો આ માણસ ઈશ્વર પાસેથી આવ્યો નથી, તો તે તેવું કંઈ પણ કરી શકે નહિ!
\v 34 તેઓએ તેને ઉત્તર આપ્યો, "તું પાપમાં જન્મ પામ્યો હતો અને તારું આખું જીવન પાપમાં જીવ્યો છે! શું તું એવું માને છે કે અમને શિક્ષણ આપવા માટે તું લાયકાત ધરાવે છે?" પછી તેઓએ તેને સભાસ્થાનમાંથી કાઢી મૂક્યો.
\p
\s5
\v 35 ઈસુએ સાંભળ્યું કે ફરોશીઓએ તેમણે સાજા કરેલા માણસ સાથે શું કર્યું અને કેવી રીતે તેઓએ તેને સભાસ્થાનમાંથી કાઢી મૂક્યો. તેથી તેઓ તે માણસને શોધવા માટે ગયા. જયારે તે તેમને મળ્યો, ત્યારે તેમણે તેને કહ્યું, "શું તું મારા, એટલે કે માણસના દીકરા પર વિશ્વાસ કરે છે?"
\v 36 તે માણસે ઉત્તર આપ્યો. "સાહેબ, તે કોણ છે? મને કહો, કે જેથી હું તેમના પર વિશ્વાસ કરી શકું."
\v 37 ઈસુએ તેને કહ્યું, "તેં તેમને જોયા છે. તે એ જ છે કે જે તારી સાથે હમણાં વાત કરી રહ્યા છે."
\v 38 તે માણસે કહ્યું, "પ્રભુ, હું વિશ્વાસ કરું છું." પછી તે ઘૂંટણે પડ્યો અને તેમની આરાધના કરી.
\p
\s5
\v 39 ઈસુએ કહ્યું, "હું આ જગતમાં જગતનો ન્યાય કરવા માટે આવ્યો છું કે જેથી જેઓ જોઈ શકતા નથી તેઓ જોઈ શકે અને જેઓ જોઈ શકે છે તેઓ અંધ બને."
\v 40 કેટલાક ફરોશીઓ કે જેઓ તેમની સાથે હતા તેઓએ તેમને આવું કહેતા સાંભળ્યા, અને તેઓએ ઈસુને પૂછ્યું, "શું અમે પણ અંધ છીએ?"
\v 41 ઈસુએ તેઓને કહ્યું, "જો તમે અંધ હોત, તો, તમને કોઈ દોષ ન લાગત. તો પણ, હવે તમે પોતાનો બચાવ કરતા કહો છો કે 'અમે જોઈએ છીએ,' માટે તમારો દોષ તમારા પર રહે છે.
\s5
\c 10
\p
\v 1 "હું તમને સત્ય કહું છું: જે ઘેટાંના વાડામાં પ્રવેશે, તેણે બારણાંમાંથી જ પ્રવેશવું જોઈએ. જો તે બીજી કોઈ રીતે અંદર પ્રવેશે, તો તે ઘેટાંની કાળજી રાખનાર નહીં, પરંતુ ઘેટાંને ચોરી જનાર ચોર કે લૂંટારો છે.
\v 2 જે બારણાંમાંથી ઘેટાંના વાડામાં પ્રવેશે છે તે જ ખરો ઘેટાંપાળક છે, કારણ કે તે ઘેટાંની કાળજી રાખે છે.
\s5
\v 3 ઘેટાંપાળક દૂર હોય ત્યારે બારણાંની રક્ષા કરનાર ભાડુતી માણસ જ્યારે ઘેટાંપાળક આવે છે ત્યારે તેના માટે બારણું ખોલશે. વળી, જ્યારે ઘેટાંપાળક ઘેટાંને નામ લઈને બોલાવે છે ત્યારે ઘેટાં માત્ર તેનો જ અવાજ ઓળખે છે. ત્યારબાદ તે ઘેટાંને ચરાવવા અને પાણી પીવડાવવા વાડાની બહાર લઇ જાય છે.
\v 4 પોતાનાં બધાં ઘેટાંને વાડાની બહાર લાવ્યા પછી તે ઘેટાંઓની આગળ ચાલે છે. તેનાં ઘેટાં તેની પાછળ ચાલવા આતુર હોય છે કારણ કે તેઓ તેનો અવાજ ઓળખે છે.
\s5
\v 5 કોઈ અજાણ્યો જો ઘેટાંને બોલાવે તો તેઓ તેની પાછળ જશે નહીં. તેઓ તેની પાસેથી નાસી જશે કારણ કે અજાણ્યા માણસનો અવાજ તેઓ ઓળખતાં નથી."
\p
\v 6 ઘેટાંપાળકના કાર્યનું આ ઉદાહરણ ઈસુએ વાપર્યું. તો પણ, તેઓ તેમને શું કહે છે તે તેમના શિષ્યો સમજ્યા નહીં.
\s5
\v 7 તેથી ઈસુએ ફરી તેમની સાથે વાત કરી, "હું તમને સત્ય કહું છું: હું બારણું છું કે જેમાંથી સર્વ ઘેટાં વાડામાં પ્રવેશે છે.
\v 8 જે સર્વ મારી અગાઉ આવ્યા, તેઓ ઘેટાંને ચોરી જનાર ચોર અને લૂંટારા હતા; પરંતુ ઘેટાંઓએ તેઓનું સાંભળ્યું નહીં, અને તેઓ તેમની પાછળ ગયાં નહીં.
\s5
\v 9 હું પોતે તે બારણા સમાન છું. જો કોઈ બારણામાંથી પ્રવેશે અને જ્યાં ઘેટાં છે તે વાડામાં જાય, તો તે સુરક્ષિત રહેશે, અને તે બહાર જશે અને તેને ચરવાનું મળશે.
\v 10 ચોર માત્ર ચોરી કરવા, મારી નાખવા, અને નાશ કરવા માટે આવે છે. તેમને જીવન મળે માટે હું આવ્યો છું અને તે જીવન ભરપૂર અને ઊભરાતું જીવન હશે.
\p
\s5
\v 11 હું ઉત્તમ ઘેટાંપાળક સમાન છું. ઉત્તમ ઘેટાંપાળક પોતાના ઘેટાંના રક્ષણ અને બચાવ માટે મરણ પામશે.
\v 12 કોઈ વ્યક્તિ ઘેટાં ઉપર દેખરેખ રાખવા ભાડુતી માણસને નાણાં ચૂકવે છે. તે ઘેટાં પોતાનાં છે તેવી રીતે તે ઘેટાંની કાળજી રાખતો નથી; નોકરી કરનાર કર્મચારીની જેમ તે માટે કામ કરે છે. તેથી જ્યારે ઘેટાંઓને મારી નાખવા તે વરુને આવતું જુએ છે, ત્યારે તે પોતાના જીવને જોખમમાં નાખતો નથી. તે ઘેટાંને પડતાં મૂકીને નાસી જાય છે તેથી વરુ તે ઘેટાંઓ પર હુમલો કરી તેઓમાંના ઘણાંને લઇ જાય છે અને બીજાઓને વિખેરી નાખે છે.
\v 13 ભાડુતી માણસ નાસી જાય છે કારણ કે તે માત્ર નાણાં માટે કામ કરે છે. ઘેટાંનું શું થાય તેની તેને ચિંતા હોતી નથી.
\s5
\v 14 હું, પોતે, ઉત્તમ ઘેટાંપાળક છું. જેમ હું મારા પિતાને ઓળખું છું અને મારા પિતા મને ઓળખે છે તેમ
\v 15 હું મારાં પોતાનાં ઘેટાંને ઓળખું છું અને મારાં પોતાનાં ઘેટાં મને ઓળખે છે. તેના કારણે, હું મારાં ઘેટાં માટે મરણ પામવા માટે તૈયાર છું.
\v 16 મારાં બીજાં ઘેટાં પણ છે કે જેઓ, તમે જે ઘેટાંના ટોળામાં છો તેમાંનાં નથી. તેઓ પણ મને સાંભળે તેવું હું કરીશ. તેઓ મારું સાંભળશે, અને છેવટે મારી, એકમાત્ર ઘેટાંપાળકની હેઠળ ઘેટાંઓનું એક જ ટોળું હશે.
\s5
\v 17 મારા પિતા મને પ્રેમ કરે છે કારણ કે હું મારા જીવનું બલિદાન આપીશ. હું મારા જીવનો ત્યાગ કરીશ, અને ફરી જીવવા માટે હું તેને પાછો લઇશ.
\v 18 મારો જીવ આપવા માટે મને કોઈ દબાણ કરતું નથી. મારું બલિદાન આપવાનું મેં પોતે પસંદ કર્યું છે. મારો જીવ આપવાનો અને તેને પાછો મેળવવાનો અને સજીવન થવાનો મને અધિકાર છે. આ કાર્ય મારા પિતા તરફથી છે, અને તેમણે મને આ કાર્ય કરવા માટે આજ્ઞા આપી છે."
\p
\s5
\v 19 જ્યારે યહૂદીઓએ ઈસુ જે શબ્દો બોલ્યા તે સાંભળ્યું ત્યારે તેઓ મધ્યે ઈસુ વિષેનાં તેમનાં મંતવ્યના લીધે ભાગલા પડ્યા.
\v 20 તેઓમાંના ઘણા એ કહ્યું, "દુષ્ટાત્મા તેનું નિયંત્રણ કરે છે અને તેણે તેને ઘેલો કર્યો છે. તેને સાંભળવામાં સમય બગાડશો નહીં!"
\v 21 બીજાઓએ કહ્યું, "તેઓ જે કહે છે તે દુષ્ટાત્માથી પીડિત માણસ કદી કહી શકે નહીં. કોઈ દુષ્ટાત્મા અંધ માણસની આંખો ખોલી શકે નહિ!"
\p
\s5
\v 22 હવે શિયાળામાં આવતા પ્રતિષ્ઠાપર્વની ઉજવણીનો સમય પાસે હતો, એટલે કે જ્યારે યહૂદીઓ; તેઓના પૂર્વજોએ પોતાના ભક્તિસ્થાનને શુદ્ધ કરીને ફરીથી ઈશ્વરને અર્પણ કર્યું હતું તે યાદ કરતા હતા તે સમય.
\v 23 ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં સુલેમાનની પરસાળમાં ચાલતા હતા.
\v 24 જેઓ ઈસુના વિરોધી હતા તે યહૂદીઓ ઈસુની આસપાસ ભેગા થયા અને કહ્યું, "તમે કોણ છો તે સંબંધી તમે અમને કેટલો સમય શંકામાં રાખશો? જો તમે મસીહા છો તો અમને સ્પષ્ટપણે કહી દો, કે જેથી અમે જાણી શકીએ."
\s5
\v 25 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "મેં તમને કહ્યું છે, પરંતુ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાના નામ દ્વારા અને તેમના અધિકારથી હું જે ચમત્કારો અને બીજાં કાર્યો કરું છું તેના લીધે તમે જાણો છો કે હું કોણ છું. મારાં વિષે જે સર્વ તમારે જાણવું જોઈએ તે એ બાબતો તમને કહે છે.
\v 26 તમે મારા પર વિશ્વાસ કરતા નથી કેમ કે તમે મારા નથી. તમે બીજા ઘેટાપાળકનાં ઘેટાં છો.
\s5
\v 27 મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે. હું તેઓમાંના દરેકને નામથી ઓળખું છું; તેઓ મને અનુસરે છે અને મારી આજ્ઞા પાળે છે.
\v 28 હું તેમને અનંતજીવન આપુ છું. કોઈ કદી તેમનો નાશ કરી શકશે નહીં, અને કોઈ તેઓને મારી પાસેથી ચોરવા શક્તિમાન થશે નહીં.
\s5
\v 29 મારા પિતા સર્વ કરતાં મહાન છે, અને તેમણે તેઓને મને સોંપ્યાં છે; તેથી કોઈ તેઓને મારી પાસેથી ચોરવા શક્તિમાન થશે નહીં.
\v 30 હું અને પિતા એક જ છીએ."
\p
\v 31 ઈસુના દુશ્મનોએ ફરી પથ્થર લીધા કે તેઓ પથ્થર મારીને તેઓને મારી નાખે.
\s5
\v 32 ઈસુએ તેઓને કહ્યું, "જે કામો મારા પિતાએ મને કહ્યાં હતાં તે, ઘણાં સારાં કામ કરતાં તમે મને જોયો છે. તેઓમાંના કયા કામને લીધે તમે મને પથ્થર મારવા જઈ રહ્યા છો?"
\v 33 યહૂદી વિરોધીઓએ જવાબ આપ્યો, "તમારા સારા કામને કારણે નહીં, પરંતુ તમે, માત્ર માણસ થઈને, ઈશ્વરનું અપમાન કરો છો અને પોતાને ઈશ્વર ઠરાવો છો માટે અમે તમારો જીવ લેવા ઇચ્છીએ છીએ!"
\s5
\v 34 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "જે શાસકો ઈશ્વરે નીમ્યા તેઓને તેમણે જે કહ્યું તે શાસ્ત્રમાં લખેલું છે: 'મેં કહ્યું છે કે તમે (ઘણા માનવંત હોઈને તથા ઘણાઓ પર અધિકાર ધરાવતા હોઈને) દેવો જેવા છો.'
\v 35 જ્યારે ઈશ્વરે તે આગેવાનોને નીમ્યા ત્યારે તેઓએ આ પ્રમાણે કહ્યું. કોઈએ તેનો વિરોધ કર્યો નહીં, અને શાસ્ત્રમાં જે લખેલું છે તેને અસત્ય ઠરાવી શકાતું નથી.
\v 36 જેને મારા પિતાએ અહીં આ દુનિયામાં મોકલવા માટે પસંદ કર્યો છે તે હું જ છું. તેથી 'હું ઈશ્વરનો દીકરો છું' એમ કહીને જ્યારે હું કહું છું કે હું ઈશ્વર સમાન છું ત્યારે તમે મારાથી ગુસ્સે કેમ થાઓ છો?
\s5
\v 37 મારા પિતાએ જે કામ મને કરવાનું કહ્યું છે તે જો હું કરું નહીં, તો તમે મારા પર વિશ્વાસ કરો તેવી અપેક્ષા હું રાખું નહીં.
\v 38 તો પણ, કેમ કે હું આ કામો કરું છું, માટે ભલે તમે મારી વાતો પર વિશ્વાસ ન કરો પણ આ કામો તમને મારા વિષે જે કહે છે તેના પર વિશ્વાસ કરો. જો તમે તેમ કરો, તો તમે જાણશો અને સમજશો કે મારા પિતા મારામાં છે અને હું મારા પિતામાં છું."
\p
\v 39 તેઓએ તે સાંભળ્યું પછી, તેઓએ ફરી ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ફરીથી ઈસુ તેઓથી દૂર ચાલ્યા ગયા.
\p
\s5
\v 40 પછી ઈસુ યર્દન નદીની પૂર્વ બાજુ ગયા. યોહાન બાપ્તિસ્મી તેની સેવાની શરૂઆતના સમયમાં લોકોને જ્યાં બાપ્તિસ્મા આપતો હતો ત્યાં તેઓ ગયા. ઈસુ ઘણા દિવસો સુધી ત્યાં રહ્યા.
\v 41 ઘણા લોકો તેમની પાસે આવ્યા. તેઓ કહેતા હતા, "યોહાન બાપ્તિસ્મીએ કદી ચમત્કારો કર્યા નથી, પરંતુ આ માણસે ઘણા ચમત્કારો કર્યા છે! યોહાને આ માણસ માટે જે સર્વ કહ્યું હતું તે સાચું છે!"
\v 42 ઘણાં લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો; તેઓ કોણ હતા અને તેઓ તેમને માટે શું કરી શકે છે તેના પર તેઓએ વિશ્વાસ કર્યો.
\s5
\c 11
\p
\v 1 લાજરસ નામનો એક માણસ ઘણો જ બીમાર પડ્યો. તે બેથાનિયા ગામમાં જ્યાં મરિયમ અને માર્થા રહેતાં હતાં ત્યાં રહેતો હતો.
\v 2 આ તે જ મરિયમ હતી કે જેણે પાછળથી પ્રભુ પર પોતાનો પ્રેમ અને તેમના પ્રત્યે માન દર્શાવવા માટે તેમના પર અત્તર રેડ્યું હતું, અને તેમના પગ પોતાના વાળ વડે લૂછ્યા હતા. જે બીમાર હતો એ તેનો ભાઈ લાજરસ જ હતો.
\s5
\v 3 તેથી આ બંને બહેનોએ કોઈકને મોકલ્યો કે તે ઈસુને લાજરસ વિષે કહે; તેઓએ કહ્યું, "પ્રભુ, જેના પર તમે પ્રેમ કરો છો તે બીમાર છે."
\v 4 જ્યારે ઈસુએ લાજરસની બીમારી વિષે સાંભળ્યું, ત્યારે તેમણે કહ્યું, "આ બીમારીથી લાજરસનું મરણ નહીં થાય. આ બીમારીનો હેતુ એ છે કે જ્યારે ઈશ્વર આશ્ચર્યકારક બાબતો કરે ત્યારે લોકો જુએ અને જાણે કે ઈશ્વર કેટલા મહાન છે અને તેથી હું, ઈશ્વર પુત્ર, પણ તેમનું મહાન સામર્થ્ય દર્શાવું."
\s5
\v 5 હવે ઈસુ માર્થા, તેની બહેન મરિયમ તથા લાજરસ પર પ્રેમ રાખતા હતા.
\v 6 તેમ છતાં, જ્યારે ઈસુએ સાંભળ્યું કે લાજરસ બીમાર છે, ત્યારે તેમણે તેને મળવા જવામાં વિલંબ કર્યો. તેઓ જ્યાં હતા ત્યાં તેઓ બીજા બે દિવસ વધુ રોકાયા.
\p
\v 7 પછી તેમણે શિષ્યોને કહ્યું, "ચાલો ફરી યહૂદિયા જઈએ."
\s5
\v 8 શિષ્યોએ કહ્યું, "ગુરુજી, થોડા સમય અગાઉ જે યહૂદીઓ તમારો વિરોધ કરતા હતા તેઓ તમને પથ્થરે મારી નાખવા ઇચ્છતા હતા, અને હવે તમારે ફરી ત્યાં જવું છે!"
\v 9 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "તમે જાણો છો કે દિવસના બાર કલાક હોય છે, શું તે સત્ય નથી? જે દિવસે ચાલે છે તે સાચવીને ચાલશે કારણ કે રસ્તામાં શું છે તેને તે જોઈ શકે છે.
\s5
\v 10 તો પણ, જ્યારે માણસ રાત્રે ચાલે છે, ત્યારે તે સહેલાઇથી ઠોકર ખાય છે કારણ કે તે જોઈ શકતો નથી."
\p
\v 11 આ બાબતો કહ્યા પછી, તેમણે તેઓને કહ્યું, "આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે, પરંતુ હું તેને ઉઠાડવા ત્યાં જઈશ."
\s5
\v 12 શિષ્યોએ તેમને કહ્યું, "પ્રભુ, જો તે ઊંઘી ગયો છે, તો તેને સારું થઈ જશે."
\v 13 ઈસુ તો લાજરસના મરણ સંબંધી કહી રહ્યા હતા, પરંતુ શિષ્યોને લાગ્યું કે તેઓ ઊંઘ કે જેના વિષે આપણે જાણીએ છીએ કે તે આપણને આરામ આપે છે તેના વિષે કહી રહ્યા છે.
\v 14 પછી તેમણે તેઓને સ્પષ્ટપણે કહ્યું, "લાજરસ મરણ પામ્યો છે."
\s5
\v 15 ઈસુએ બોલવાનું જારી રાખતાં કહ્યું, "પરંતુ તમારા માટે, હું આનંદ અનુભવું છું કે જ્યારે તે મરણ પામ્યો ત્યારે હું ત્યાં ન હતો જેથી તમે મારા પર કયા કારણથી વિશ્વાસ કરી શકો છો તે તમે જાણો. હવે સમય છે; ચાલો આપણે તેની પાસે જઈએ."
\v 16 પછી થોમા, જે 'દીદીમસ (જોડિયો)' કહેવાય છે, તેણે બીજા શિષ્યોને કહ્યું, "ચાલો આપણે ઈસુ સાથે જઈએ કે જેથી આપણે પણ તેમની સાથે મરણ પામીએ."
\p
\s5
\v 17 જ્યારે ઈસુ બેથાનિયા આવ્યા, ત્યારે તેઓએ જોયું કે લાજરસ તો મરણ પામ્યો છે અને તેને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઇ ગયા છે.
\v 18 હવે યરુશાલેમ બેથાનિયાથી માત્ર ત્રણ કિલોમીટર દૂર હતું.
\v 19 ઘણા યહૂદીઓ લાજરસ અને તેના કુટુંબને ઓળખતા હતા, અને તેઓ યરુશાલેમથી માર્થા અને મરિયમને તેમના ભાઈના મરણ સંબંધી દિલાસો આપવા આવ્યા હતા.
\v 20 જ્યારે માર્થાએ કોઈને એમ બોલતા સાંભળ્યા કે ઈસુ નજીકમાં જ છે, ત્યારે તે તેમને મળવા રસ્તા પર બહાર ગઈ. મરિયમ ઊઠી નહિ પણ ઘરમાં જ રહી.
\s5
\v 21 જ્યારે માર્થાએ ઈસુને જોયા, ત્યારે તેણે તેમને કહ્યું, "પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત.
\v 22 તો પણ, હું જાણું છું કે તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો તે ઈશ્વર તમને આપશે."
\v 23 ઈસુએ તેને કહ્યું, "તારો ભાઈ ફરી જીવિત થશે."
\s5
\v 24 માર્થાએ તેમને કહ્યું, "હું જાણું છું કે જ્યારે છેલ્લા દિવસે ઈશ્વર સર્વ મરણ પામેલાને ઊઠાડશે ત્યારે તે ફરી જીવિત થશે."
\v 25 ઈસુએ તેને કહ્યું, "મરણ પામેલાઓને ઊઠાડનાર હું છું; તેઓને જીવન આપનાર હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તે જો કે મરણ પામે, તોપણ તે ફરી જીવિત થશે.
\v 26 જે સર્વ જીવન પામે છે તેઓ મારી સાથે જોડાય છે અને જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે કદી મરણ પામશે નહીં. શું તું આ બાબતો પર વિશ્વાસ કરે છે?"
\s5
\v 27 તેણે તેમને કહ્યું, "હા, પ્રભુ! તમે જે કહો છો તે પર હું વિશ્વાસ કરું છું અને હું વિશ્વાસ કરું છું કે, તમે ઈશ્વરના દીકરા, મસીહ છો, જેમના વિષે ઈશ્વરે વચન આપ્યું હતું કે તેઓ આ દુનિયામાં આવશે.
\p
\v 28 તેણે આ કહ્યું ત્યારબાદ, તે ઘરમાં ગઈ અને તેની બહેન મરિયમને એકબાજુએ લઈ જઈને તેણે તેને ખાનગીમાં કહ્યું, "ગુરુજી અહીં છે, અને તેઓ તને બોલાવે છે."
\v 29 જ્યારે મરિયમે આ સાંભળ્યું, ત્યારે તે જલદીથી ઊઠી અને તેમની પાસે બહાર ગઈ.
\s5
\v 30 ઈસુ હજુ સુધી ગામમાં પ્રવેશ્યા ન હતા; માર્થા તેમને જ્યાં મળી હતી ત્યાં જ તેઓ હતા.
\v 31 બહેનોને દિલાસો આપવા જે લોકો તે ઘરમાં આવ્યા હતા તેઓએ મરિયમને ઉતાવળે ઊઠીને બહાર જતાં જોઈ. તેથી તેઓ એમ વિચારતા તેની પાછળ ગયા, કે તે લાજરસને દફનાવ્યો છે ત્યાં તેની કબરે તેના ભાઈને માટે શોક કરવા જઈ રહી છે.
\p
\v 32 જ્યાં ઈસુ હતા તે જગ્યાએ મરિયમ આવી; જ્યારે તેણે તેમને જોયા, ત્યારે તે તેમના પગે પડી અને તેણે કહ્યું, "પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત."
\s5
\v 33 જ્યારે ઈસુએ તેને શોક અને રુદન કરતાં જોઈ, અને તેની સાથે આવેલા વિલાપ કરનારાઓને પણ વિલાપ કરતા જોયા, ત્યારે તેઓ પોતાના આત્મામાં ખૂબ દુઃખિત અને નારાજ થયા.
\v 34 તેમણે કહ્યું, "તમે તેના શબને ક્યાં મૂક્યું છે?" તેઓએ તેમને કહ્યું, "પ્રભુ, આવો અને જુઓ."
\v 35 ઈસુ રડ્યા.
\s5
\v 36 તેથી યહૂદીઓએ કહ્યું, "જુઓ તેઓ લાજરસ પર કેટલો પ્રેમ કરતા હતા!"
\v 37 તો પણ, બીજા કેટલાંકે કહ્યું, "શું તેઓએ અંધ માણસની આંખો ઉઘાડી ન હતી? શા માટે તેમણે આ માણસને મરણ પામતા બચાવ્યો નહીં?"
\p
\s5
\v 38 જ્યારે ઈસુ કબરે આવ્યા ત્યારે તેઓ શરીરથી ધ્રૂજી ઊઠ્યા અને તેઓ ભાવાત્મક રીતે અસ્વસ્થ થયા. તે તો ગુફા હતી અને તેના પ્રવેશ દ્વારે મોટો પથ્થર મૂકેલો હતો.
\v 39 જેઓ ત્યાં ઊભા હતા તેઓને ઈસુએ આજ્ઞા કરી, "પથ્થરને ખસેડો." તો પણ, માર્થાએ કહ્યું, "પ્રભુ, હવે તો તે દુર્ગંધ મારતો હશે, કેમ કે તે ચાર દિવસ અગાઉ મરણ પામ્યો છે."
\v 40 ઈસુએ તેને કહ્યું, "શું મેં તને સત્ય કહ્યું ન હતું કે જો તું મારા પર વિશ્વાસ કરે, તો ઈશ્વર કોણ છે તે તું જોશે અને તેઓ શું કરી શકે છે તે તું જાણશે?"
\p
\s5
\v 41 તેથી તેઓએ પથ્થર ખસેડ્યો. ઈસુએ સ્વર્ગ તરફ જોતાં કહ્યું, "પિતા, તમે મારું સાંભળ્યું છે માટે હું તમારો આભાર માનું છું.
\v 42 હું જાણું છું કે તમે હંમેશાં મારું સાંભળો છો. જે લોકો અહીં ઊભા છે તેઓની ખાતર હું આ કહું છું કે જેથી તેઓ તમારા પર વિશ્વાસ કરે અને ખાતરી પામે કે તમે મને મોકલ્યો છે."
\s5
\v 43 તેમણે તે કહ્યું પછી જોરથી બૂમ પાડી, "લાજરસ, બહાર આવ!"
\v 44 જે માણસ મરણ પામ્યો હતો તે બહાર આવ્યો! તેના હાથ હજુ કાપડથી વીંટાળેલા અને તેના પગ શણની પટ્ટીથી બાંધેલા હતા, અને તેનું મુખ પણ કાપડમાં વીંટાળેલું હતું. ઈસુએ તેઓને કહ્યું, "જે કાપડની પટ્ટીઓ દ્વારા તેને બાંધ્યો છે તે કાઢી નાખો અને તેને છોડો. તેને જવા દો."
\p
\s5
\v 45 તેના પરિણામે, જે ઘણા યહૂદીઓ મરિયમને મળવા આવ્યા હતા અને ઈસુએ જે કર્યું તે જેઓએ જોયું હતું, તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો.
\v 46 તેમ છતાં, કેટલાક ફરોશીઓ પાસે ગયા અને ઈસુએ જે કર્યું હતું તે તેઓને કહ્યું.
\s5
\v 47 તેથી મુખ્ય યાજકો અને ફરોશીઓએ યહૂદી ન્યાયસભાના સર્વ સભ્યોને ભેગા કર્યા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા, "આપણે શું કરીશું? આ માણસ તો ઘણા ચમત્કારો કરે છે.
\v 48 જો આપણે તેમને તે કરવા દઈએ, તો પ્રત્યેક જણ તેમના પર વિશ્વાસ કરશે અને રોમ વિરુદ્ધ બળવો કરશે. પછી રોમનું સૈન્ય આવીને આપણા ભક્તિસ્થાન અને રાષ્ટ્ર બંનેનો નાશ કરશે!"
\p
\s5
\v 49 કાયાફા સભાનો સભાસદ હતો કે જે તે વર્ષે પ્રમુખ યાજક હતો. તેણે તેઓને કહ્યું, "તમે સર્વ કંઈ જાણતા નથી!
\v 50 શું તમને નથી લાગતું કે આખા રાષ્ટ્રનો નાશ થાય તેના કરતાં આખા રાષ્ટ્ર માટે એક માણસ મરણ પામે તે વધારે સારું છે?"
\s5
\v 51 તેણે જે કહ્યું તે તેના પોતાના વિચારના લીધે કહ્યું ન હતું. પણ, તે વર્ષે તે પ્રમુખ યાજક હતો તેથી, તે પ્રબોધ કરતો હતો કે ઈસુએ આખા રાષ્ટ્ર માટે મરણ પામવું જોઈએ.
\v 52 પરંતુ તેણે તો તે પણ પ્રબોધ કર્યો કે માત્ર યહૂદી રાષ્ટ્ર માટે જ નહીં, પરંતુ ઈશ્વરનાં બાળકો, કે જેઓ અન્ય દેશોમાં રહે છે, તેઓને પણ એક રાષ્ટ્ર તરીકે ભેગાં કરવા ઈસુ મરણ પામશે.
\v 53 તેથી તે દિવસથી, ન્યાયસભા ઈસુની ધરપકડ કરવા અને મારી નાખવા માટે તક શોધવા લાગી.
\p
\s5
\v 54 તેના કારણે, ઈસુએ તેમના યહૂદી વિરોધીઓ સમક્ષ જાહેરમાં ફરવાનું ટાળ્યું. તેના બદલે, તેઓ યરુશાલેમમાંથી, તેમના શિષ્યો સાથે, ઉજ્જડ રણના વિસ્તાર પાસેના એફ્રાઇમ નામના નગરમાં ગયા. ત્યાં થોડા સમય માટે તેઓ તેમના શિષ્યો સાથે રહ્યા.
\p
\v 55 હવે તે લગભગ યહૂદી પાસ્ખાપર્વનો સમય હતો, અને દેશના ઘણા ભજનિકો યરુશાલેમ ગયા. તૈયારી સ્વરૂપે તેઓ પોતાને શુદ્ધ કરતા હતા, કે જેથી યહૂદી નિયમ પ્રમાણે તેઓ પોતાને શુદ્ધ કરે, જેથી તેઓ પાસ્ખાપર્વની ઉજવણી કરી શકે.
\s5
\v 56 જે ભજનિકો પાસ્ખાપર્વ માટે યરુશાલેમ આવ્યા હતા તેઓ સર્વ ઈસુને શોધતા હતા. જ્યારે તેઓ ભક્તિસ્થાનમાં આવ્યા, ત્યારે તેઓ એકબીજાને પૂછતા હતા, "તમને શું લાગે છે? તેઓ પાસ્ખાપર્વમાં નહીં આવે કે, શું તેઓ આવશે?"
\v 57 યહૂદી મુખ્ય યાજક અને ફરોશીઓએ હુકમ બહાર પાડ્યો હતો કે જો કોઈને તે ખબર પડે કે ઈસુ ક્યાં છે, તો તેણે તેઓને જણાવવું, જેથી તેઓ તેમની ધરપકડ કરી શકે.
\s5
\c 12
\p
\v 1 પાસ્ખાપર્વ શરૂ થયાના છ દિવસ અગાઉ ઈસુ બેથાનિયામાં આવ્યા. બેથાનિયામાં લાજરસ, જેને ઈસુએ તેના મરણ પછી સજીવન કર્યો હતો તે રહેતો હતો.
\v 2 ઈસુને માન આપવા તેઓએ બેથાનિયામાં રાતનું જમણ રાખ્યું હતું. માર્થાએ જમણ માટે તૈયારી કરી હતી, અને જેઓ તેમની સાથે બેસીને જમતા હતા તેઓમાં લાજરસ પણ હતો.
\v 3 પછી મરિયમે અતિ મૂલ્યવાન અત્તરની શીશી લીધી (જે જટામાંસી કહેવાય છે) અને, ઈસુનું સન્માન કરવા, તેણે તેને ઈસુના પગ પર રેડ્યું અને તેમના પગને પોતાના વાળથી લૂછવા લાગી. તે અત્તરની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ.
\p
\s5
\v 4 જો કે, તેમનો એક શિષ્ય, યહૂદા ઇશ્કરિયોત, (તે તો ઈસુનો વિશ્વાસઘાત કરનાર માણસ હતો, અને જલદી તે ઈસુને તેમના દુશ્મનો દ્વારા પકડાવી દેવાનો હતો) તેણે વિરોધ કરતા કહ્યું,
\v 5 "આપણે આ અત્તરને ત્રણસો દિવસના વેતન તરીકે વેચીને તેના નાણાં ગરીબોને આપી શક્યા હોત."
\v 6 તે ગરીબોની ચિંતા કરતો હતો, માટે તેણે આમ કહ્યું ન હતું, પરંતુ તે ચોર હતો. તે તેઓનાં નાણાંની થેલીનો હિસાબ રાખતો હતો, પરંતુ તેની જરૂરિયાત પ્રમાણે તે નાણાં તે પોતાના ઉપયોગ માટે વાપરતો હતો.
\s5
\v 7 પછી ઈસુએ કહ્યું, "તેને રહેવા દો! જે દિવસે હું મરણ પામીશ અને તેઓ મને દફનાવશે તે દિવસને માટે તે આ અત્તર લાવી છે."
\v 8 ગરીબો હમેશાં તમારી પાસે હશે, પરંતુ હું હમેશાં તમારી પાસે નહીં હોઉં."
\p
\s5
\v 9 યરુશાલેમમાંના યહૂદીઓના મોટા ટોળાએ સાંભળ્યું કે ઈસુ બેથાનિયામાં છે, તેથી તેઓ ત્યાં ગયા. ઈસુ ત્યાં હતા એટલા માટે જ તેઓ ત્યાં આવ્યા ન હતા, પરંતુ લાજરસ કે જેને ઈસુએ સજીવન કર્યો હતો તેને જોવા માટે પણ તેઓ ત્યાં આવ્યા.
\v 10 પછી મુખ્ય યાજકે નક્કી કર્યું કે લાજરસને પણ મારી નાખવો એ જરૂરનું હતું,
\v 11 કેમ કે તેના કારણે પણ ઘણા યહૂદીઓ મુખ્ય યાજકોના શિક્ષણ પર વિશ્વાસ કરતા ન હતા; તેના બદલે, તેઓ ઈસુ પર વિશ્વાસ કરતા હતા.
\p
\s5
\v 12 બીજા દિવસે પાસ્ખાપર્વ માટે જે મોટું ટોળું આવ્યું હતું તેઓએ સાંભળ્યું કે ઈસુ યરુશાલેમ આવી રહ્યા હતા.
\v 13 તેથી તેઓએ ખજૂરીની ડાળીઓ કાપી અને તેઓ શહેરમાં પ્રવેશ્યા ત્યારે તેઓએ તેમનું સ્વાગત કર્યું. તેઓ બૂમ પાડતા હતા, "હોસાન્ના! ઈશ્વરની સ્તુતિ થાઓ! પ્રભુના નામે જેઓ આવે છે તેઓને ઈશ્વર આશીર્વાદ આપે! ઇઝરાયલના રાજાનું સ્વાગત છે!"
\s5
\v 14 જ્યારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા, ત્યારે તેઓને ગધેડાનો વછેરો મળ્યો અને તેઓ તેના પર સવાર થઇને શહેરમાં ગયા. આ પ્રમાણે કરીને, શાસ્ત્રમાં જે લખ્યું છે તે તેઓએ પૂર્ણ કર્યું:
\q
\v 15 "તમે જેઓ યરુશાલેમમાં રહો છો, બીશો નહીં.
\q જુઓ! તમારો રાજા આવે છે.
\q તે ગધેડાના વછેરા પર બેસીને આવે છે!"
\p
\s5
\v 16 જ્યારે આ બન્યું, ત્યારે તેમના શિષ્યો સમજ્યા નહીં કે આ તો પ્રબોધવાણીની પરિપૂર્ણતા છે. તેમ છતાં, ઈસુએ પોતાનું કામ પૂર્ણ કર્યું અને ઈશ્વર તરીકેના પોતાના પૂર્ણ અધિકારો ફરી ધારણ કર્યા ત્યાર બાદ, પ્રબોધકોએ તેમના વિષે જે લખેલું હતું તે અને લોકોએ તેમની સાથે તે પ્રમાણે જ કર્યું હતું તે શિષ્યોને યાદ આવ્યું.
\p
\s5
\v 17 જે ટોળું ઈસુને અનુસરતું હતું તેઓએ જે જોયું તે બીજાઓને કહેતા રહ્યા કે ઈસુએ લાજરસને કબરમાંથી બોલાવ્યો અને ફરી જીવિત કર્યો.
\v 18 લોકોનું બીજું ટોળું, જે શહેરના દરવાજા બહાર ઈસુને મળવા ગયું, તેઓએ તેમ કર્યું કારણ કે તેઓએ સાંભળ્યું કે તેમણે પોતાનું સામર્થ્ય દર્શાવવા તે મહાન બાબતો કરી હતી.
\v 19 તેથી ફરોશીઓએ એકબીજાને કહ્યું, "જુઓ! આમાં આપણને કંઈ લાભ થતો નથી. જુઓ! આખું જગત તેમને અનુસરે છે!"
\p
\s5
\v 20 પાસ્ખાપર્વ વખતે જેઓ યરુશાલેમ ગયા હતા તેમાં કેટલાક ગ્રીક લોકો પણ હતા.
\v 21 તેઓ ફિલિપ પાસે આવ્યા, જે ગાલીલ જીલ્લાના બેથસાઈદાનો વતની હતો. તેઓને કંઈક પૂછવું હતું; તેઓએ કહ્યું, "સાહેબ, શું તમે ઈસુ સાથે અમારો પરિચય કરાવશો?"
\v 22 તેથી ફિલિપે આન્દ્રિયાને કહ્યું, અને તેઓ બંનેએ જઈને ઈસુને કહ્યું.
\s5
\v 23 ઈસુએ ફિલિપ અને આન્દ્રિયાને જવાબ આપ્યો, "આ સમય છે કે મેં, માણસના દીકરાએ જે કર્યું છે તે ઈશ્વર લોકોને દર્શાવે અને જે સર્વ મેં કહ્યું છે તે તેઓને કહે.
\v 24 હું તમને સત્ય કહું છું: જ્યાં સુધી ઘઉંનું બીજ જે જમીનમાં રોપાય છે તે મરણ ન પામે, ત્યાં સુધી તે માત્ર બીજ જ રહે છે; પરંતુ તેના જમીનમાં મરણ પામ્યા બાદ તે વૃદ્ધિ પામે છે અને ઘણાં બીજ ઉત્પન્ન કરે છે.
\s5
\v 25 જે કોઈ પોતાને પ્રસન્ન કરવા જીવે છે તે નિષ્ફળ જશે, પરંતુ જે પોતાને પ્રસન્ન કરવા જીવતો નથી તે હંમેશા જીવશે.
\v 26 જો કોઈ મારી સેવા કરવાની ઇચ્છા રાખે, તો તેણે મને અનુસરવું પણ જોઈએ કારણ કે હું જ્યાં છું ત્યાં મારા સેવકે હોવું જોઈએ. જે કોઈ મારી સેવા કરે છે તે સર્વને પિતા માન આપશે.
\p
\s5
\v 27 મારો જીવ ઘણી પીડા અનુભવે છે. શું મારે એમ કહેવું જોઈએ કે, 'પિતા, તે સમય કે જ્યારે મારે સહન કરવું અને મરણ પામવું પડશે તેથી મને બચાવો!'? ના, કેમ કે તે જ કારણથી હું આ જગતમાં આવ્યો છું.
\v 28 મારા પિતા, તમે જે કહ્યું છે, જે સર્વ કર્યું છે, અને તમે જે છો, તે સર્વમાં તમે કેટલા પરાક્રમી છો તે દર્શાવો!"
\p પછી ઈશ્વર સ્વર્ગમાંથી બોલ્યા, "મેં મારો સ્વભાવ, મારા શબ્દો, અને મારાં કાર્યો પ્રગટ કરી દીધાં છે; અને હું તે ફરીથી કરીશ!"
\v 29 જે ટોળું ત્યાં હતું તેના લોકોએ ઈશ્વરનો અવાજ સાંભળ્યો, પરંતુ કેટલાકે કહ્યું કે તે માત્ર ગર્જના જ હતી. બીજાઓએ કહ્યું કે સ્વર્ગદૂતે ઈસુ સાથે વાત કરી.
\s5
\v 30 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "જે અવાજને તમે બોલતા સાંભળ્યો તે ઈશ્વરનો અવાજ હતો. તો પણ, તેઓ મારે સારુ નહીં, પરંતુ તમારે સારુ બોલ્યા છે!
\v 31 આ સમય છે કે જ્યારે ઈશ્વર જગતનો ન્યાય કરે. હવે તેઓ શેતાન કે જે આ જગત પર રાજ કરે છે તેને નસાડી મૂકશે.
\s5
\v 32 વળી જ્યારે લોકો મને વધસ્તંભ પર ઊંચો કરશે, ત્યારે હું સર્વને મારી તરફ ખેંચીશ."
\v 33 તેઓ કેવી રીતે મરણ પામશે તે લોકો જાણે માટે તેમણે આ કહ્યું.
\p
\s5
\v 34 ટોળામાંના કોઈકે તેમને જવાબ આપ્યો, "શાસ્ત્રમાંથી અમે સમજીએ છીએ કે મસીહા હંમેશ માટે જીવશે. તેથી તમે શા માટે એમ કહો છો કે માણસનો દીકરો મરણ પામશે? આ 'માણસનો દીકરો' કોણ છે?"
\v 35 ઈસુએ જવાબ આપ્યો, "થોડા જ સમય માટે મારો પ્રકાશ તમારા પર પ્રકાશશે. જ્યાં સુધી મારો પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશમાં ચાલો, નહીં તો અંધકાર તમારો કબજો લેશે. જેઓ અંધકારમાં ચાલે છે તેઓ જોઈ શકતા નથી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે!
\v 36 જ્યાં સુધી તમારી પાસે તે પ્રકાશ છે ત્યાં સુધી જો તમે તે પ્રકાશ પર વિશ્વાસ કરશો; તો તમે પ્રકાશના થશો.
\p તેઓ તે બાબતો કહી રહ્યા બાદ, ઈસુ ચાલ્યા ગયા અને તેઓથી સંતાઈ રહ્યા.
\s5
\v 37 ઈસુએ ઘણા ચમત્કારો કર્યા હોવા છતાં, મોટા ભાગના લોકોએ ઈસુએ તેમને જે કહ્યું તેના પર વિશ્વાસ કર્યો નહીં.
\v 38 તે તો ઘણા સમય અગાઉ યશાયા પ્રબોધકે જે લખ્યું હતું તે પૂર્ણ થવા માટે હતું:
\q "પ્રભુ, અમારી પાસેથી તેઓએ જે સાંભળ્યું છે તેના પર કોણે વિશ્વાસ કર્યો છે?
\q પ્રભુએ અમને દર્શાવ્યું છે કે તેઓ કેવાં પરાક્રમ દ્વારા અમને બચાવી શકે છે!"
\s5
\v 39 છતાં, યશાયાએ જે લખ્યું હતું તેના કારણે તેઓ ઈસુ પર વિશ્વાસ કરી શક્યા નહીં:
\v 40 "પ્રભુએ એવું કર્યું છે કે જેથી તેઓ જોઈ શકે નહીં,
\q અને તેઓએ તેમને હઠીલા કર્યા;
\q તેઓ પોતાની આંખોથી જોઈ પણ શકતા નથી,
\q જો તેઓ જોઈ શક્યા હોત, તો તેઓ સમજ્યા હોત;
\q તેઓ પસ્તાવો કરીને મને પ્રાર્થના કરત કે હું તેઓને માફ કરું.
\q આ કારણથી, હું તેઓને સાજા કરી શકતો નથી!"
\p
\s5
\v 41 ઘણા સમય અગાઉ યશાયાએ આ શબ્દો લખ્યા હતા કારણ કે તે સમજ્યો હતો કે મસીહા પરાક્રમસહિત ઈશ્વરની સેવા કરશે.
\p
\v 42 એમ હોવા છતાં, યહૂદી લોકોના ઘણા આગેવાનોએ ઈસુ પર વિશ્વાસ કર્યો. તોપણ, તેઓ બીતા હતા કે ફરોશીઓ તેઓને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે, તેથી ઈસુ પરના વિશ્વાસ વિષે તેઓ કંઈ બોલ્યા નહીં.
\v 43 ઈશ્વર તેઓની પ્રશંસા કરે તેના કરતા બીજા લોકો તેઓની પ્રશંસા કરે અને તેમને માન આપે તે તેઓએ પસંદ કર્યું.
\p
\s5
\v 44 જે ટોળું ભેગું થયું હતું તેના લોકોએ ઘાંટો પાડતાં ઈસુએ કહ્યું, "જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓ માત્ર મારા પર જ નહીં પરંતુ મને મોકલનાર પિતા પર પણ વિશ્વાસ કરે છે.
\v 45 જ્યારે તમે મને જુઓ છો, ત્યારે મને મોકલનારને પણ તમે જુઓ છો.
\s5
\v 46 હું જગતના પ્રકાશ તરીકે આ જગતમાં આવ્યો છું; જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તે અંધકારમાં રહેશે નહીં.
\p
\v 47 જે લોકો મારી વાત સાંભળે છે તેઓનો ન્યાય હું કરતો નથી પરંતુ જેઓ મારું માનવાનો ઇનકાર કરે છે તેઓનો ન્યાય હું કરીશ. હું આ જગતને દોષિત ઠરાવવા આવ્યો નથી.
\s5
\v 48 છતાં, જેઓ મારો ઇન્કાર કરે છે અને મારા વચન પ્રમાણે કરતા નથી તેઓને મેં જે સંદેશ કહ્યો છે તેના દ્વારા દોષિત ઠરાવવામાં આવશે.
\v 49 જ્યારે મેં ઈશ્વર વિષે શીખવ્યુ, ત્યારે હું જે વિચારતો હતો તે જ માત્ર મેં કહ્યું ન હતું. પિતા, કે જેઓએ મને મોકલ્યો છે, તેઓએ મારે શું બોલવું જોઈએ અને કેવી રીતે બોલવું જોઈએ તે વિષે મને સ્પષ્ટ સૂચના આપી છે.
\v 50 હું જાણું છું કે પિતાની સૌથી અગત્યની સૂચનાઓ તો એ છે કે જે લોકોને સદાકાળના જીવન વિષે શીખવવું, અને મારા પિતાએ મને જે કહેવા કહ્યું હતું તે જ મેં કહ્યું છે."
\s5
\c 13
\p
\v 1 હવે તે તો પાસ્ખાપર્વની ઉજવણી શરૂ થવાનો આગલો દિવસ હતો. ઈસુ જાણતા હતા કે તેમને માટે આ સમય તો આ જગતને છોડીને પિતા પાસે પાછા ફરવાનો હતો. તેઓએ દર્શાવ્યું કે જેઓ તેમની સાથે અહીં આ જગતમાં હતા તેમને તેઓ કેટલો પ્રેમ કરતા હતા, અને તેમના પૃથ્વી પરના જીવનના અંત સુધી તેઓએ તેમના પર પ્રેમ રાખ્યો.
\v 2 ઈસુ અને તેમના શિષ્યો સાંજનું ભોજન લે તે અગાઉ, સિમોનના દીકરા, યહૂદા ઇશ્કરિયોતના મનમાં શેતાને વિચાર મૂક્યો હતો કે, તે ઈસુને તેમના દુશ્મનોના હાથમાં સોંપી દે.
\s5
\v 3 વળી ઈસુ જાણતા હતા કે તેમના પિતાએ તેમને સંપૂર્ણ સામર્થ્ય અને સર્વ પર અધિકાર આપ્યો છે. તેઓ એ પણ જાણતા હતા કે તેઓ પોતે ઈશ્વર પાસેથી આવ્યા છે અને જલદી ઈશ્વર પાસે પાછા ફરશે.
\v 4 ઈસુ રાત્રિ ભોજન પરથી ઊઠ્યા. તેમણે પોતાનું ઉપવસ્ત્ર ઉતાર્યું અને પોતાની કમરે રૂમાલ બાંધ્યો.
\v 5 તેમણે વાસણમાં પાણી રેડ્યું અને પોતાના શિષ્યોના પગ ધોવા લાગ્યા અને રૂમાલથી તેને લૂછવા લાગ્યા.
\p
\s5
\v 6 તેઓ સિમોન પિતર પાસે આવ્યા, કે જેણે તેમને પૂછ્યું, "પ્રભુ, શું તમે મારા પગ ધોશો?"
\v 7 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "હું તારે માટે જે કરું છું તે તું હમણાં સમજી શકતો નથી, પરંતુ પછી તું સમજશે."
\v 8 પિતરે કહ્યું, "તમે મારા પગ ધુઓ તેમ કદી ન બનો!" ઈસુએ તેને ઉત્તર આપ્યો, "જો હું તારા પગ ન ધોઉં, તો તારે મારી સાથે કંઈ જ લાગભાગ નથી."
\v 9 તેથી સિમોને તેઓને કહ્યું, "પ્રભુ, માત્ર મારા પગ જ ન ધુઓ! મારા હાથ અને મારું માથું પણ ધુઓ!"
\s5
\v 10 ઈસુએ તેને કહ્યું, "જે નાહેલો છે તેને માત્ર પગ ધોવાની જ જરૂર છે. પગ સિવાય તેનું બાકીનું આખું શરીર શુદ્ધ છે. તું શુદ્ધ છે, પરંતુ તમારામાંના સર્વ નહીં."
\v 11 તેઓ જાણતા હતા કે તેમને પરસ્વાધીન કરનાર કોણ છે. તે કારણે તેઓએ કહ્યું, "તમારામાંના સર્વ શુદ્ધ નથી."
\p
\s5
\v 12 તેઓ તેમના પગ ધોઈ રહ્યા બાદ, તેમણે ફરી પોતાનું ઉપવસ્ત્ર પહેર્યું. પછી ફરી તેઓ પોતાની જગ્યાએ બેઠા અને કહ્યું, "મેં તમારા માટે જે કર્યું તે શું તમે સમજો છો?"
\v 13 તમે મને "ગુરુ" અને "પ્રભુ" કહો છો. જ્યારે તમે તેમ કહો છો ત્યારે તમે ખરું કહો છો કારણ કે હું તે જ છું.
\v 14 જો મેં, તમારા ગુરુ અને પ્રભુએ, તમારા પગ ધોયા હોય, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.
\v 15 મારું અનુકરણ કરવા માટે મેં તમને ઉદાહરણ આપ્યું છે કે જેથી મેં જે કર્યું છે તે પ્રમાણે તમે કરો.
\s5
\v 16 હું તમને સત્ય કહું છું: સેવક તેના માલિક કરતાં મોટો નથી, અને સંદેશવાહક તેના મોકલનાર કરતાં મોટો નથી.
\v 17 જો તમે આ સર્વ બાબતો જાણો છો, અને જો તે પ્રમાણે તમે કરો છો તો તમે કેટલા ધન્ય છો.
\p
\v 18 આ હું તમ સર્વ માટે કહેતો નથી. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું. જો કે, શાસ્ત્રમાં જે લખ્યું છે તે સત્ય ઠરવું જોઈએ: 'જે મારા મિત્ર તરીકે મારી સાથે મારું ભોજન જમે છે, તે મારી વિરુદ્ધ થયો છે અને તેણે મને શત્રુ જેવો ગણ્યો છે.'
\p
\s5
\v 19 હું તમને આ બાબત હમણાં, તે મને પરસ્વાધીન કરે તે અગાઉ, તમને જણાવું છું, જેથી જ્યારે એ પ્રમાણે બને ત્યારે તમે વિશ્વાસ કરો કે હું ઈશ્વર છું.
\v 20 હું તમને સત્ય કહું છું: જેને હું તમારી પાસે મોકલું છું તેને જો તમે આવકારો છો, તો તમે મને પણ આવકારો છો; જે કોઈ મને આવકારે છે, તે મારા પિતા, કે જેઓએ મને મોકલ્યો છે તેઓને પણ આવકારે છે."
\p
\s5
\v 21 ઈસુએ આ કહ્યું ત્યારબાદ, તેઓ પોતે વ્યાકુળ થયા. તેઓએ ગંભીરતાપૂર્વક જાહેર કર્યું, "હું તમને સત્ય કહું છું: તમારામાંનો એક મને મારા દુશ્મનોને સોંપશે."
\v 22 શિષ્યોએ એકબીજા સામે જોયું. તેઓ કોના વિષે કહેતા હતા તે બાબતે શિષ્યો મૂંઝાયા.
\s5
\v 23 શિષ્યોમાંનો એક, યોહાન, કે જેને ઈસુ વિશેષ પ્રેમ કરતા હતા, તે મેજ પર ઈસુની બાજુમાં બેઠેલો હતો.
\v 24 સિમોન પિતરે યોહાનને ઇશારો કરતા કહ્યું કે તેણે ઈસુને પૂછવું જોઈએ કે તેઓ કોના વિષે વાત કરે છે.
\v 25 તેથી યોહાને ઈસુને અઢેલીને તેમને ધીમેથી પૂછ્યું, "પ્રભુ, તે કોણ છે?"
\s5
\v 26 ઈસુએ ઉત્તર આપ્યો, "વાટકામાં બોળ્યા પછી આ રોટલીનો ટુકડો હું જેને આપું તે જ તે વ્યક્તિ છે." પછી તેમણે રોટલી બોળીને સિમોન ઇશ્કરિયોતના દીકરા યહૂદાને આપી.
\v 27 યહૂદાએ રોટલીનો ટુકડો લીધો, કે તરત જ શેતાન તેનામાં પ્રવેશ્યો અને તેને અંકુશમાં લીધો. ઈસુએ તેને કહ્યું, "તારે જે કરવાની જરૂર છે, તે ઝડપથી કર."
\s5
\v 28 મેજ પરના કોઈને ખબર ન પડી કે ઈસુએ તેને એવું શા માટે કહ્યું.
\v 29 કેટલાકે વિચાર્યું કે યહૂદા પાસે નાણાંની થેલી છે, તેથી ઈસુ તેને પાસ્ખાપર્વ માટે જે જરૂરનું છે તે લાવવા માટે કહે છે. બીજાઓએ વિચાર્યું કે ગરીબોને કંઈક આપવા માટે ઈસુએ યહૂદાને આ પ્રમાણે કહ્યું.
\v 30 રોટલી લીધા પછી, તરત જ યહૂદા બહાર ગયો. ત્યારે રાત હતી.
\p
\s5
\v 31 યહૂદા ત્યાંથી નીકળ્યો પછી ઈસુએ કહ્યું, "હવે હું, માણસનો દીકરો જે કરું છું તે ઈશ્વર લોકોને જણાવશે. હું, માણસનો દીકરો પણ, ઈશ્વર જે કરી રહ્યા છે તે લોકોને જણાવીશ, અને તેના માટે લોકો તેમની સ્તુતિ કરશે.
\v 32 મેં, માણસના દીકરાએ, ઈશ્વરની ઓળખ લોકોને કરાવી અને હું ઈશ્વરને માન આપું છું તે કારણે તેઓ પણ મને માન આપશે. ઈશ્વર આ જલદી જ કરશે.
\p
\v 33 નાનાં બાળકો, હું થોડા જ સમય માટે તમારી સાથે છું. જેમ મેં યહૂદીઓને કહ્યું હતું તેમ તમને કહું છું કે તમે મને શોધશો, પરંતુ જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી.
\s5
\v 34 હું તમને નવી આજ્ઞા આપીશ: જેમ મેં તમને પ્રેમ કર્યો, તેમ તમારે એકબીજાને પ્રેમ કરવો.
\v 35 જો તમે એકબીજાને પ્રેમ કરો, તો સર્વ લોકો જાણશે કે તમે મારા શિષ્ય છો."
\p
\s5
\v 36 સિમોન પિતરે તેમને કહ્યું, "પ્રભુ, તમે ક્યાં જાઓ છો?" ઈસુએ ઉત્તર આપ્યો, "જ્યાં હું જાઉં છું, ત્યાં તું હમણાં આવી શકતો નથી; પરંતુ પછી તું આવીશ."
\v 37 પિતરે કહ્યું, "પ્રભુ, હું હમણાં તમારી સાથે કેમ નથી આવી શકતો? હું તમારે માટે મારો જીવ આપી દઈશ!"
\v 38 ઈસુએ જવાબ આપ્યો, "પિતર, શું તું ખરેખર મારા માટે જીવ આપીશ? હું તને સત્ય કહું છું: સવારમાં મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર એમ કહેશે કે તું મને ઓળખતો નથી!"
\s5
\c 14
\p
\v 1 "ઉદાસ થશો નહીં અથવા ચિંતા કરશો નહીં. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો; મારા પર પણ વિશ્વાસ રાખો.
\v 2 મારા પિતા જ્યાં રહે છે ત્યાં રહેવા માટે ઘણી જગ્યાઓ છે. જો તે સાચું ન હોત, તો હું તમને કહેત. હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું.
\v 3 જો હું ત્યાં તમારે માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું, તો હું પાછો આવીશ અને તમને મારી સાથે રહેવાને માટે લઈ જઈશ, જેથી હું જ્યાં છું, ત્યાં તમે પણ મારી સાથે હો.
\s5
\v 4 તમે જાણો છો કે હું ક્યાં જાઉં છું, અને તમને માર્ગ પણ ખબર છે."
\p
\v 5 થોમાએ તેમને કહ્યું, "પ્રભુ, અમને ખબર નથી કે તમે ક્યાં જાઓ છો. તો અમે માર્ગ કેમ કરીને જાણીએ?"
\v 6 ઈસુએ તેને કહ્યું, "માર્ગ, સત્ય તથા જીવન હું છું. મારી પાસે આવ્યા સિવાય કોઈ પિતા પાસે જઈ શકતું નથી કે તેમની સાથે રહી શકતું નથી.
\v 7 જો તમે મને ઓળખ્યો હોત, તો તમે મારા પિતાને પણ ઓળખ્યા હોત. હવેથી, તમે તેમને જોયા છે અને તમે તેમને ઓળખો છો."
\p
\s5
\v 8 ફિલિપે ઈસુને કહ્યું, "પ્રભુ, અમને પિતા બતાવો અને અમારે ફક્ત એટલું જ જોવું છે!"
\v 9 ઈસુએ તેને કહ્યું, "ફિલિપ, હું ઘણા સમયથી તારી સાથે છું, અને છતાં તું મને ઓળખતો નથી. જેઓએ મને જોયો છે, તેઓએ પિતાને જોયા છે. તેથી તું શા માટે કહે છે 'અમને પિતા બતાવ'?
\s5
\v 10 શું તું વિશ્વાસ કરતો નથી કે હું મારા પિતા સાથે જોડાયેલો છું અને મારા પિતા મારી સાથે જોડાયેલા છે? જે બાબતો મેં તમને કહી છે તે મારા તરફથી નથી; તેના બદલે, મારા પિતાએ મને તે સર્વ બાબતો તમને કહેવા માટે મોકલ્યો છે, કેમ કે પિતા મારી સાથે જોડાયેલા છે અને મારા દ્વારા કાર્ય કરે છે.
\v 11 મેં કહ્યું કે હું પિતા સાથે જોડાયેલો છું અને પિતા મારી સાથે જોડાયેલા છે તે કારણે મારા પર વિશ્વાસ કરો, અથવા જે સર્વ ચિહ્નો અને પરાક્રમી કાર્યો કરતાં તમે મને જોયો છે તેના કારણે મારા પર વિશ્વાસ કરો.
\s5
\v 12 હું તમને સત્ય કહું છું: હું જે કાર્યો કરું છું તે કાર્યો જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેઓ પણ કરશે. વળી તેઓ તો તેના કરતાં પણ મોટાં કાર્ય કરશે કારણ કે હું પિતા પાસે જાઉં છું.
\v 13 જે કંઈ તમે મારે નામે માગશો, તે હું કરીશ. હું એ કરીશ કે જેથી સર્વ લોકો પિતાને માન આપે અને હું, તેમનો દીકરો, જે કરું છું તેના કારણે તેઓ પિતાને જાણે.
\v 14 તમે મારા છો તેના લીધે જો તમે પિતા પાસે કંઈ માગશો, તો હું તે કરીશ.
\p
\s5
\v 15 જો તમે મને પ્રેમ કરો છો, તો મેં જે શીખવ્યું છે તે પ્રમાણે તમે જીવન જીવશો.
\v 16 પછી હું મારા પિતાને કહીશ કે તેઓ તમને બીજી ભેટ આપે, અને તેઓ તમારી પાસે બીજો સહાયક મોકલશે, કે જે હંમેશાં તમારી સાથે રહેવા માટે આવશે.
\v 17 તે તો પવિત્ર આત્મા છે કે જે તમને ઈશ્વર વિશેનું સત્ય કહેશે. આ જગતના અવિશ્વાસી લોકો કદી તેમનું સ્વાગત કરશે નહીં. જગત કદી તેમને જોઈ કે જાણી શકતું નથી. તમે તેમને જાણો છો કારણ કે તે તમારી સાથે રહે છે અને તે તમારી સાથે જોડાયેલા રહેશે.
\s5
\v 18 હું તમારો ત્યાગ કરીશ નહીં અને તમારી કાળજી કરનાર કોઈ ન હોય તેમ છોડી દઇશ નહીં; હું તમારી પાસે આવીશ.
\v 19 હવે પછી જગત મને જોશે નહીં, પરંતુ તમે મને જોશો. હું જીવું છું તે કારણે તમે પણ જીવશો.
\v 20 જ્યારે તમે મને ફરી જોશો, ત્યારે તમે જાણશો કે હું પિતા સાથે જોડાયેલો છું અને તમે મારી સાથે અને હું તમારી સાથે જોડાયેલો છું.
\s5
\v 21 જે સર્વએ મારી આજ્ઞાઓ સાંભળી છે અને તેને પાળે છે, તેઓ મને પ્રેમ કરે છે. અને જેઓ મને પ્રેમ કરે છે, તેઓને મારા પિતા પણ પ્રેમ કરશે; હું તેમને પ્રેમ કરીશ અને હું તેઓની આગળ પોતાને પ્રગટ કરીશ."
\p
\v 22 પછી યહૂદા (જે ઇશ્કરિયોત હતો તે નહીં, પરંતુ તે જ નામનો બીજો શિષ્ય)એ ઈસુ સાથે વાત કરી. તેણે કહ્યું, "પ્રભુ, કેવી રીતે તમે આખા જગત આગળ નહીં પણ માત્ર અમારી આગળ જ પોતાને પ્રગટ કરશો?"
\s5
\v 23 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "લોકો મને પ્રેમ કરે છે કે નહીં તે તમે આ રીતે જાણી શકશો એટલે કે મેં તમને જે કરવાનું કહ્યું છે તે તેઓ કરે છે કે નહીં તે પરથી જાણી શકશો. આ પ્રકારના લોકોને મારા પિતા પ્રેમ કરશે. મારા પિતા તથા હું તેમની પાસે આવીશું અને તેમની સાથે રહીશું.
\v 24 વળી જેઓ મને પ્રેમ કરતા નથી, તેઓને મેં જે કરવાનું કહ્યું છે તે તેઓ કરશે નહીં. મેં તમને જે બાબતો કહી છે તે કહેવાનો નિર્ણય મેં જાતે કર્યો નથી; પણ, તે બાબતો કહેવા માટે મારા પિતાએ મને મોકલ્યો છે.
\s5
\v 25 જ્યારે હજુ હું તમારી સાથે છું ત્યારે મેં તમને તે બાબતો કહી છે.
\v 26 સહાયક, કે જે તમારી સાથે રહેવા આવશે તેને મારા પિતા મારા નામમાં મોકલશે. તમારે જે જાણવાની જરૂર છે તે સર્વ તે તમને શીખવશે. મેં તમને જે કહ્યું છે તે સર્વ તે તમને યાદ કરાવશે.
\v 27 હું તમને શાંતિ આપીને જાઉં છું, તે તો મારી શાંતિ છે કે જે હું તમને આપું છું. હું તમને એવી શાંતિ આપું છું કે કોઈ વ્યક્તિ અથવા આ જગતની કોઈ પણ બાબત તમને તે આપી શકશે નહિ. તેથી ઉદાસ અથવા ચિંતાતુર થશો નહીં; અને ગભરાશો નહીં.
\p
\s5
\v 28 તમે મને એમ કહેતાં સાંભળ્યો કે હું જાઉં છું અને પછી હું તમારી પાસે પાછો આવીશ. જો તમે મને પ્રેમ કરતા હોત, તો તમે આનંદ પામત કે હું પિતા પાસે પાછો જાઉં છું કારણ કે મારા કરતાં પિતા મહાન છે.
\v 29 તે બાબતો થાય તે અગાઉ હમણાં મેં તમને તે કહ્યું છે કે જેથી, જ્યારે તે થાય, ત્યારે તમે મારા પર વિશ્વાસ રાખી શકો.
\v 30 હું ઘણો લાંબો સમય તમારી સાથે વાત કરી શકીશ નહીં કારણ કે આ જગતનો શાસક આવે છે. તો પણ, મારા પર તેની કોઈ સત્તા નથી,
\v 31 અને મારા પિતાએ મને જે આદેશ આપ્યો છે તે હું કરીશ. તે એટલા માટે હશે કે જગત હંમેશાં જાણે કે હું પિતાને પ્રેમ કરું છું. ચાલો, આપણે અહીંથી જઈએ."
\s5
\c 15
\p
\v 1 "હું ખરો દ્રાક્ષાવેલો છું, અને મારા પિતા માળી છે.
\v 2 મારામાંની દરેક ડાળી જેને ફળ આવતાં નથી તેને મારા પિતા કાપીને નાખી દે છે. જે દરેક ડાળી સારું ફળ આપે છે, તેની તેઓ કાટ-છાંટ કરે છે કે જેથી તેને હજુ વધારે ફળ આવે.
\s5
\v 3 મેં તમને જે સંદેશ કહ્યો છે તેના કારણે તમે શુદ્ધ થઈ ચૂક્યા છો.
\v 4 મારી સાથે જોડાયેલા રહો, અને હું તમારી સાથે જોડાયેલો રહીશ. જેમ ડાળી પોતાની જાતે ફળ ઉત્પન્ન કરતી નથી, તેવી જ રીતે તમે પણ મારી સાથે જોડાયેલા રહ્યા વગર અને સર્વ બાબતો માટે મારા પર આધાર રાખ્યા વગર ફળ આપી શકતા નથી.
\p
\s5
\v 5 હું દ્રાક્ષાવેલો છું; તમે ડાળીઓ છો. જો તમે મારી સાથે જોડાયેલા રહેશો અને હું તમારી સાથે જોડાયેલો રહીશ, તો તમે ઘણાં ફળ આપશો, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ જ કરી શકતા નથી.
\v 6 જે બધા લોકો મારી સાથે જોડાયેલા રહેતા નથી અને પોતાનું જીવન મારાથી દૂર જીવે છે તેઓને મરેલી ડાળીની માફક નાંખી દેવામાં આવશે. તેવી ડાળીઓને ભેગી કરીને તેઓને સળગાવી નાખવા અગ્નિમાં નંખાય છે.
\v 7 જો તમે મારી સાથે જોડાયેલા રહો અને મારા સંદેશ પ્રમાણે જીવો, તો તમે ઈશ્વર પાસે કંઈ પણ માગી શકો, અને તેઓ તે કરશે.
\s5
\v 8 જ્યારે તમે ઘણાં ફળ આપો છો, ત્યારે તેનાથી લોકો પિતાને મહિમા આપે છે. ત્યારે તમે મારા શિષ્યો છો.
\p
\v 9 જેમ પિતાએ મને પ્રેમ કર્યો, તેમ મેં તમને પ્રેમ કર્યો છે. તમને પ્રેમ કરવાનું મને જારી રાખવા દો.
\s5
\v 10 હું તમને જે કરવાનું કહું છું તે જો તમે કરો, તો તમે મને પ્રેમ કરવાનું જારી રાખવા દેશો. તમે આ રીતે મારા જેવા થશો: મારા પિતાએ હું કરું તે માટે જે ચાહ્યું તેને હું આધીન થયો, અને મારા આજ્ઞાપાલનના કારણે, હું તેમના પ્રેમમાં રહ્યો છું. તમારા સંબંધમાં પણ તે એટલું જ સાચું રહેશે.
\v 11 મેં તમને આ બાબતો કહી કે જેથી મારો આનંદ તમારામાં રહે, અને જેથી તમે પૂરેપૂરી રીતે આનંદ કરી શકો.
\s5
\v 12 મેં તમને જે કરવાની આજ્ઞા આપી તે આ છે: જેમ મેં તમને પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજાને પ્રેમ કરો.
\v 13 માણસ પોતાના મિત્રો માટે પોતાનો જીવ આપે તેનાથી મહાન પ્રેમ કોઈનો નથી.
\s5
\v 14 જો તમે મારી આજ્ઞાઓ માત્ર સાંભળો જ નહીં પણ તે પ્રમાણે જીવો તો તમે મારા મિત્રો છો.
\v 15 હવે પછી હું તમને મારા ચાકરો કહેતો નથી, કેમ કે માલિક શું કરે છે તે ચાકર સમજતો નથી. હવે હું તમને મિત્રો કહું છું, કેમ કે જે કંઈ મેં મારા પિતા પાસેથી સાંભળ્યું તે બધું મેં તમને કહ્યું છે કે જેથી તમે તે સમજી શકો.
\s5
\v 16 તમે મને પસંદ કર્યો નથી, પરંતુ મેં તમને ચોક્કસ ઉદેશ્ય માટે પસંદ કર્યા છે, જેથી તમે બહાર જાઓ અને ઘણાં ફળ આપો અને તમારાં ફળ હંમેશ માટે રહે. જેના પરિણામે, તમે પિતા પાસે મારા નામે જે કંઈ માગો તે, તેઓ તમને આપે.
\v 17 હું તમને જે કરવાની આજ્ઞા આપું છું તે તો આ છે: એકબીજાને પ્રેમ કરો.
\p
\s5
\v 18 જો જગત તમને ધિક્કારે, તો તમારે સ્પષ્ટપણે જાણવું કે પ્રથમ તેણે મને ધિક્કાર્યો છે.
\v 19 જો તમે આ જગતના અવિશ્વાસીઓમાંના હોત, તો જગત તમને પ્રેમ કરત, અને તેઓ જેને પ્રેમ કરે છે તેને તમે પ્રેમ કરત અને તેઓ જે કરે છે તે તમે કરત. પરંતુ તમે તેઓમાંના નથી; તેના બદલે, મેં તમને તેઓમાંથી અલગ કર્યા છે. તે કારણે આ જગતના અવિશ્વાસીઓ તમને ધિક્કારે છે.
\s5
\v 20 જ્યારે મેં તમને આ શીખવ્યું કે 'ચાકર તેના માલિક કરતાં મોટો નથી' તેને યાદ રાખો. જેમ તેઓએ મને સતાવ્યો છે, તેમ ખાતરી રાખો કે તેઓ તમને પણ સતાવશે. જો તેઓમાંના કોઈએ મારું શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય અને તે પાળતા હોય, તો તમે તેઓને જે શીખવશો તે પણ તેઓ પાળશે.
\v 21 આ જગતના અવિશ્વાસી લોકો તમારી સાથે ભયંકર બાબતો કરશે કારણ કે તમે મારું પ્રતિનિધિત્વ કરો છો અને તેઓ મારા પિતા કે જેમણે મને તમારી પાસે મોકલ્યો છે, તેમને ઓળખતા નથી.
\v 22 જો હું આવ્યો ન હોત અને ઈશ્વરનો સંદેશ તેઓને કહ્યો ન હોત, તો તેઓ મને અને મારા સંદેશને નકારવાના લીધે દોષિત થયા ન હોત. તો પણ, હવે મેં આવીને તેઓને ઈશ્વરનો સંદેશ કહ્યો છે, અને તેઓ પાસે તેઓના પાપ વિષે કંઈ બહાનું નથી.
\s5
\v 23 જેઓ મને ધિક્કારે છે તેઓ મારા પિતાને પણ ધિક્કારે છે.
\v 24 જો મેં તે બાબતો કે જેમાં મેં મારું પરાક્રમ દર્શાવ્યું અને એવી બાબતો જેને કોઈએ ક્યારેય કરી નથી તેઓને તેઓ મધ્યે કરી ન હોત, તો તેઓને પાપનો દોષ ન લાગત. હવે તો તેઓએ મને જોયો છે, છતાં તેઓ મને ધિક્કારે છે, અને તેઓ મારા પિતાને પણ ધિક્કારે છે.
\v 25 આ શબ્દો તેઓના નિયમમાં લખેલા હતા અને હવે તે સત્ય ઠર્યા છે: 'કોઈ કારણ વગર તેઓએ મને ધિક્કાર્યો.'
\p
\s5
\v 26 જ્યારે પિતા પાસેથી સહાયક આવશે ત્યારે તે તમને દિલાસો આપશે. તે તો આત્મા છે કે જે ઈશ્વર અને મારે વિષે તમને સત્ય કહેશે. હું કોણ છું તે વિષે તે બધાને જણાવશે, અને મેં જે સર્વ કર્યું છે તે તે બધાને કહેશે.
\v 27 તમે મારા વિષે જે જાણો છો તે તમારે બધાને કહેવું કારણ કે જ્યારથી મેં લોકોને શીખવવાનું અને ચમત્કારો કરવાનું શરૂ કર્યું તે પ્રથમ દિવસથી જ તમે મારી સાથે સર્વ સમયે હતા."
\s5
\c 16
\p
\v 1 જ્યારે તમારે મુશ્કેલીઓ સહન કરવી પડે ત્યારે તમે ઠોકર ન ખાઓ અથવા મારા પર વિશ્વાસ કરતાં અટકો નહિ માટે મેં તમને આ બાબતો કહી છે.
\v 2 મુશ્કેલ દિવસો આવનારા છે. તમારા દુશ્મનો તમને સભાસ્થાનમાં આરાધના કરતાં અટકાવશે. જો કે, તેના કરતાં પણ કંઇક વધારે ખરાબ બાબત બનશે. એવા દિવસો આવે છે જ્યારે લોકો તમને મારી નાખશે અને એમ વિચારશે કે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરે છે.
\s5
\v 3 તેઓ આ પ્રમાણે કરશે કારણ કે તેઓ મને અને પિતાને ઓળખતા નથી.
\v 4 મેં તમને આ બાબતો કહી છે કારણ કે જ્યારે આ મુશ્કેલીઓ આવે, ત્યારે તમે યાદ કરો કે મેં તમને ચેતવ્યા હતા. શરૂઆતમાં મેં તમને આ બાબતો કહી ન હતી કારણ કે ત્યારે હું તમારી સાથે હતો.
\p
\s5
\v 5 "હવે હું મારા પિતા પાસે પાછો જાઉં છું. તેઓ એ છે કે જેમણે મને મોકલ્યો હતો. છતાં પણ તમારામાંનો કોઈ મને પૂછવાની હિંમત કરતો નથી કે, 'તમે ક્યાં જાઓ છો?'
\v 6 મેં તમને આ વાતો કહી છે તેથી, હવે તમારાં હૃદય શોકથી ભરાઈ ગયાં છે.
\p
\v 7 હું તમને સત્ય કહું છું, હું જાઉં છું તે તમારા માટે સારું છે. જ્યાં સુધી હું નહીં જાઉં, ત્યાં સુધી સહાયક કે જે તમને દિલાસો આપે છે તે આવશે નહીં. જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલીશ.
\s5
\v 8 જ્યારે સહાયક આવશે, ત્યારે લોકોએ જે પાપ કર્યા છે તેના માટે તે તેમને દોષિત ઠરાવશે; તે તેઓને બતાવશે કે તેઓ ઈશ્વરની ભલાઈના ધોરણને પહોંચ્યા નથી; અને તે તેઓને વચન આપશે કે ઈશ્વર તેઓનો ન્યાય કરશે કારણ કે ઈશ્વરે જે ન કરવા માટે તેમને આદેશ આપ્યો હતો તે તેઓએ કર્યું છે.
\v 9 તેઓ મારા પર વિશ્વાસ કરી શક્યા નહિ તેના લીધે તેઓનાં પાપ વિષે તેઓ દોષની લાગણી અનુભવે છે.
\v 10 ઈશ્વરની ભલાઈના ધોરણને પહોંચવા તેઓ નિષ્ફળ ગયા છે તે નિશ્ચિત છે કારણ કે હું મારા પિતા પાસે પાછો જાઉં છું, અને હવે પછી તમે મને જોનાર નથી.
\v 11 જ્યારે ઈશ્વર તેઓનાં પાપ વિરુદ્ધ શિક્ષા લાવશે ત્યારે તેઓનો અંતિમ હિસાબ થશે. તે તો શેતાન, કે જે આ જગતનો રાજકુમાર છે, તે ઈશ્વરની વિરુદ્ધ લડ્યો તેના લીધે તેને શિક્ષા આપવા દ્વારા દર્શાવવામાં આવશે.
\p
\s5
\v 12 મારી પાસે એવી ઘણી બધી બાબતો છે કે જે હું તમને કહેવા ઇચ્છું છું. તેમ છતાં, જો હું તે હમણાં કહું, તો આ બધું જાણીને તમે સારી રીતે જીવી શકશો નહીં.
\v 13 જ્યારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્ય કે જે જાણવાની તમને જરૂર છે તેમાં દોરી જશે. તે પોતાના અધિકારથી બોલશે નહીં, પરંતુ તે જે કંઈ સાંભળશે તે તમને કહેશે, અને જે બાબતો થનાર છે તેના વિષે તે તમને સમય અગાઉ કહેશે.
\v 14 હું કોણ છું તે સંબંધમાં કહેવા અને મેં જે કર્યું છે તે દર્શાવીને આત્મા મને માન આપશે. તેમણે મારી પાસેથી જે બધું સાંભળ્યું હશે તે સર્વ તે તમને સમજાવશે.
\s5
\v 15 જે સર્વ મારા પિતાનું છે તે મારું છે. તે જ કારણે મેં તમને કહ્યું કે મારી પાસેથી સાંભળી હશે તે સર્વ બાબતો તે તમને સમજાવશે.
\p
\v 16 થોડા સમય બાદ, તમે મને જોશો નહીં. ત્યારબાદ થોડા સમય પછી, તમે મને ફરી જોશો."
\s5
\v 17 તેથી તેમના કેટલાક શિષ્યોએ એકબીજાને કહ્યું, "જ્યારે ઈસુ આપણને આ કહે છે, 'થોડા સમય બાદ, તમે મને જોશો નહીં', અને 'થોડા સમય પછી, તમે મને ફરી જોશો' ત્યારે તેના દ્વારા તેઓ શું કહેવા માગે છે, અને 'કારણ કે હું મારા પિતા પાસે પાછો જાઉં છું' તે કહેવાનો તેમનો શો અર્થ છે?"
\v 18 તેઓ પૂછતા રહ્યા કે, "ઈસુ કહે છે 'થોડા સમય બાદ' તો તેના દ્વારા તેઓ શું કહેવા માગે છે? તેઓ જે કહી રહ્યા છે તે આપણે સમજી શકતા નથી."
\p
\s5
\v 19 ઈસુએ જોયું કે તેઓ તેમને વધારે પ્રશ્નો પૂછવા માગે છે. તેથી તેમણે પોતાના શિષ્યોને કહ્યું, "હું શું કહેવા માગુ છું તે તમે એકબીજાને કેમ પૂછો છો? મેં કહ્યું કે થોડા સમય બાદ, તમે મને જોશો નહીં; અને પછી થોડા સમય બાદ, તમે મને ફરીથી જોશો.
\v 20 હું તમને સત્ય કહું છું: તમે રડશો અને વિલાપ કરશો, પરંતુ જેઓ આ જગતના છે તેઓ આનંદ કરશે. તમે નિરાશા અનુભવશો, પરંતુ તમારી નિરાશા આનંદમાં ફેરવાઈ જશે.
\v 21 આ તો એક સ્ત્રીના જેવું છે કે જે બાળકને જન્મ આપવાના સમયમાં દુઃખ સહન કરે છે. બાળકના જન્મ પછી, તેનું બાળક આ દુનિયામાં જન્મ્યું છે તે આનંદના કારણે તે એ દુઃખને ભૂલી જાય છે.
\s5
\v 22 તમે, તેની જેમ, હમણાં દુઃખી થાઓ છો, પરંતુ હું તમને ફરી મળીશ અને ઈશ્વર તમને મહાન આનંદ આપશે, એવો આનંદ કે જે તમારી પાસેથી કોઈ લઈ શકશે નહીં.
\v 23 તે દિવસે, મને પૂછવા માટે તમારી પાસે કોઈ પ્રશ્ન નહીં હોય. હું તમને સત્ય કહું છું: તમે મારી સાથે જોડાયેલા છો તે કારણે જ્યારે તમે પિતા પાસે જે કંઈ માગશો, ત્યારે તેઓ તમને તે આપશે.
\v 24 અત્યાર સુધી, તમે તેવું કંઈ માગ્યું નથી. માગો અને તમને મળશે, અને ઈશ્વર તમને એવો આનંદ આપશે કે જે સર્વ બાબતોને ભરપૂર કરશે.
\p
\s5
\v 25 ઉદાહરણ અને ઉખાણાંના રૂપમાં હું તમને આ બાબતો કહી રહ્યો હતો, પરંતુ થોડા જ સમય પછી હું તેવી રીતે વાત કરીશ નહીં. તેના બદલે, તમે સમજી શકો તેવી સ્પષ્ટ ભાષામાં હું તમને મારા પિતા વિષે સઘળું કહીશ.
\s5
\v 26 તે સમયે તમે મારા નામે ઈશ્વરને તેમની ઇચ્છા મુજબ તમારી વિનંતીઓ કરશો. મારે તમારી જરૂરિયાત પૂરી કરવા માટે પિતાને કહેવું નહીં પડે,
\v 27 કેમ કે પિતા પોતે તમને પ્રેમ કરે છે કારણ કે તમે મને પ્રેમ કર્યો છે અને મારા પર વિશ્વાસ કર્યો છે કારણ કે તમે જાણો છો કે હું ઈશ્વર પાસેથી આવ્યો છું.
\v 28 હું પિતા પાસેથી આવ્યો છું, અને આ જગતમાં પ્રવેશ્યો છું. હવે હું આ જગત છોડીને પિતા પાસે પાછો જાઉં છું."
\p
\s5
\v 29 પછી તેમના શિષ્યોએ કહ્યું, "આખરે, હવે તમે રૂપકાત્મક ભાષામાં નહીં પણ સ્પષ્ટ રીતે બોલો છો.
\v 30 હવે અમે સમજીએ છીએ કે તમે સઘળું જાણો છો. હવે તમને પ્રશ્ન પૂછવાની જરૂર નથી. આ કારણે જ અમે તમારા પર વિશ્વાસ કર્યો, અને અમે નક્કી જાણીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો."
\p
\v 31 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "શું આખરે હવે તમે મારા પર વિશ્વાસ કરો છો?
\s5
\v 32 જુઓ! એવો સમય આવે છે કે જ્યારે બીજાઓ તમને સર્વત્ર વિખેરી નાખશે! દરેક જણ પોતાના ઘરે જશે, અને તમે મને છોડી દેશો. તેમ છતાં, હું એકલો નહીં હોઉં કારણ કે પિતા હંમેશાં મારી સાથે છે.
\v 33 મેં તમને આ બાબતો કહી છે કે જેથી તમને મારામાં શાંતિ મળે. આ દુનિયામાં તમને સંકટ અને દુઃખ છે, પરંતુ હિંમતવાન બનો! મેં જગતને જીત્યું છે!"
\s5
\c 17
\p
\v 1 ઈસુએ આ બાબતો કહી ત્યારબાદ, તેમણે આકાશ તરફ દૃષ્ટિ કરી અને કહ્યું, "પિતા, હવે સમય આવ્યો છે કે તમે સર્વ સમક્ષ જાહેર કરો કે હું, તમારો દીકરો કોણ છું, અને મેં જે કર્યું છે તે સર્વ તમે તેઓને બતાવો. તે પ્રમાણે કરો કે જેથી હું, તમારો દીકરો, સર્વ સમક્ષ પ્રગટ કરું કે ખરેખર તમે મહાન રાજા છો જેઓ કંઈપણ કરી શકે છે.
\v 2 જેમ તમે મને, તમારા દીકરાને, સર્વ લોકો પર રાજ કરવા પરવાનગી આપી છે, તેમ તમે તે કરો. પિતા, તમે આ કર્યું છે કે જેથી જેઓને તમે મને આપ્યાં છે તેઓને હું સર્વકાળનું જીવન આપું.
\s5
\v 3 અનંતજીવન એ છે કે પિતા તમને એટલે કે જેઓ એકમાત્ર સાચા ઈશ્વર છો તેમને જાણવા, અને મને, ઈસુ જે મસીહ છે, જેને તમે આ જગતમાં મોકલ્યો છે, તેને જાણવો.
\v 4 સર્વ જાતિના લોકોને હું તમારી પાસે લાવ્યો છું જેથી હું તેઓને તમારા વિષે સઘળું બતાવી શકું. આમ કરીને જે કાર્ય તમે મને સોપ્યું હતું તે મેં પૂર્ણ કર્યું છે.
\v 5 પિતા, જેમ આપણે જગતના સર્જન અગાઉના સમયમાં હતા, તેમ મને તમારી સમક્ષતામાં લાવીને માન આપો.
\p
\s5
\v 6 આ જગતના સર્વ લોકોમાંથી તમે જેઓને મારા થવા પસંદ કર્યા છે તેઓને મેં શીખવ્યું છે કે તમે કોણ છો અને કેવા છો. તેઓ તમારાં છે અને તમે તેઓને મને આપ્યાં છે. તમે તેઓને જે કહ્યું હતું તેના પર તેઓ વિશ્વાસ કરે છે, અને તેઓએ તે પાળ્યું છે.
\v 7 હવે તેઓ જાણે છે કે તમે મને જે સર્વ આપ્યું છે તે તમારા તરફથી આવે છે.
\v 8 તમે મને જે સંદેશ આપ્યો તે મેં તેઓને આપ્યો છે. તેઓએ તે સ્વીકાર્યો, અને હવે તેઓ નિશ્ચે જાણે છે કે હું તમારી પાસેથી આવ્યો છું, અને તેઓએ વિશ્વાસ કર્યો કે તમે મને મોકલ્યો છે.
\s5
\v 9 હું તેઓ માટે પ્રાર્થના કરું છું. જેઓ આ જગતના છે અને જેઓ તમારો વિરોધ કરવાનું ચાલુ રાખે છે તેઓ માટે હું પ્રાર્થના કરતો નથી. જેઓને તમે મને આપ્યાં છે તેઓના માટે હું પ્રાર્થના કરું છું કારણ કે તેઓ તમારાં છે.
\v 10 મારું જે છે તે તમારું છે, અને તમારું જે છે તે મારું છે. તેઓ જાણે છે કે હું કોણ છું, અને હું કોણ છું તે સત્ય તેઓ નિષ્ઠાપૂર્વક કહે છે.
\v 11 હું આ જગતમાં લાંબો સમય રહેવાનો નથી. તો પણ, તેઓ તો આ જગતમાં છે. હું તમારી પાસે આવું છું. પવિત્ર પિતા, તેઓને સુરક્ષિત રાખો; જે સામર્થ્ય તમે મને આપ્યું તે સામર્થ્યથી તેઓને તમારા બનાવી રાખો કે જેથી, જેમ આપણે એક છીએ તેમ તેઓ એક થાય.
\s5
\v 12 જ્યારે હું તેઓ સાથે હતો ત્યારે, મેં તેઓને સુરક્ષિત રાખ્યા અને તમારા સામર્થ્યથી તેઓને સાચવ્યા. એક, કે જે નાશ માટે નિશ્ચિત હતો, અને જેના વિષે શાસ્ત્રમાં અગાઉ કહેવામાં આવ્યું છે, તેના સિવાય તેઓમાંનો એકપણ ખોવાયો નથી.
\p
\v 13 પિતા, હવે હું તમારી પાસે આવું છું. હું તેઓને સંપૂર્ણ આનંદ આપી શકું માટે હજુ જ્યારે હું આ જગતમાં છું ત્યારે જ મેં તેઓને આ વચનો કહ્યાં છે.
\v 14 તમારો સંદેશ મેં તેઓને કહ્યો છે, અને આ જગતે તેઓને ધિક્કાર્યા છે અને તમારો સંદેશ તેઓ સાંભળશે નહીં. જગતે તેઓને ધિક્કાર્યા છે કારણ કે, મારી જેમ, તેઓ આ જગતના નથી, પરંતુ તેઓ પાસે બીજું ઘર છે.
\s5
\v 15 તેઓને આ જગતમાંથી લઈ લો તેવી વિનંતી હું કરતો નથી, પરંતુ તેના બદલે હું વિનંતી કરું છું કે તમે શેતાન જે તેઓને સર્વ પ્રકારની હાનિ પહોંચાડી શકે તેનાથી તેઓનું રક્ષણ કરો.
\v 16 મારી જેમ જ તેઓ આ જગતના નથી.
\v 17 તમારા વિષેનું સત્ય શીખવીને તેઓને તમારે માટે અલગ કરો. તેઓએ જે જાણવાની જરૂર છે તે શીખવીને તેમને તમારા માટે અલગ કરો, કારણ કે તમારો સંદેશો તદ્દન સત્ય છે.
\s5
\v 18 જેમ તમે મને આ જગતમાં મોકલ્યો છે, તેમ હું તેઓને આ જગતમાં મોકલું છું.
\v 19 હું તેઓની ખાતર, પોતાને સંપૂર્ણપણે તમને સોંપુ છું કે જેથી તેઓ ખરેખર તમને સોંપાઈ શકે.
\p
\s5
\v 20 "હું માત્ર તેઓ માટે જ પ્રાર્થના કરતો નથી, પરંતુ જ્યારે મારો સંદેશ સાંભળીને જેઓ મારા પર વિશ્વાસ કરશે તેઓને માટે પણ પ્રાર્થના કરું છું
\v 21 હું પ્રાર્થના કરું છું કે જેમ તમે અને હું જોડાયેલા છીએ તેમ તેઓ સર્વ એકબીજા સાથે જોડાયેલા રહે. પિતા, તમે મારી સાથે અને હું તમારી સાથે જોડાયેલો છું તેમ તેઓ પણ આપણી સાથે જોડાય. તમે આ પ્રમાણે કરો કે જેથી જગત જાણે કે તમે મને મોકલ્યો છે.
\s5
\v 22 હું કોણ છું તે મેં તેઓને બતાવ્યું છે, અને મેં જે કર્યું છે તે તેઓએ જોયું છે. મેં તેઓને આ શીખવ્યું છે કે જેથી જેમ હું અને તમે જોડાયેલા છીએ તેમ તેઓ એકબીજા સાથે જોડાયેલા રહે.
\v 23 હું તેઓ સાથે જોડાયેલો છું અને તમે મારી સાથે જોડાયેલા છો. મેં આ કર્યું છે કે જેથી તેઓ સંપૂર્ણપણે એકબીજા સાથે જોડાયેલા રહે અને તે દ્વારા અવિશ્વાસીઓ જાણે કે તમે મને મોકલ્યો છે અને જેમ તમે મને પ્રેમ કરો છો તેમ તમે તેઓને પ્રેમ કરો છો.
\p
\s5
\v 24 "પિતા, હું ઇચ્છું છું કે આ લોકો કે જેઓને તમે મને આપ્યા છે તેઓ હું જ્યાં છું ત્યાં હમેશાં મારી સાથે રહે કે જેથી જ્યારે હું તમારી સાથે હોઉં ત્યારે જે વૈભવ અને મહિમા તમે મને આપવાના છો તે તેઓ જુએ. આપણે જગતને ઉત્પન્ન કર્યું તે સમય અગાઉથી તમે મને પ્રેમ કરો છો તે કારણે તમે તેવું કરો.
\p
\s5
\v 25 ઓ ન્યાયી પિતા, જગત તમને જાણતું નથી, પરંતુ હું તમને જાણું છું; અને આ જેઓ મારી સાથે અહીં છે તેઓ જાણે છે કે તમે મને તેઓ પાસે મોકલ્યો છે.
\v 26 તમે કોણ છો તે મેં તેઓને જણાવ્યું છે. જેમ તમે મને પ્રેમ કરો છો તેમ તમે તેઓને પ્રેમ કરો અને હું તેઓ સાથે જોડાયેલો રહું માટે હું આમ કરવાનું જારી રાખીશ."
\s5
\c 18
\p
\v 1 ઈસુએ તેમની પ્રાર્થના પૂરી કરી પછી, તેઓ તેમના શિષ્યો સાથે કિદ્રોન ખીણને પેલે પાર ગયા. ત્યાં બીજી બાજુ જૈતૂન વૃક્ષની એક વાડી હતી જેમાં તેઓ પ્રવેશ્યા.
\p
\v 2 યહૂદા, કે જે ઈસુને તેઓના દુશ્મનોના હાથમાં સોંપવાનો હતો, તે તે સ્થળ વિષે જાણતો હતો કારણ કે ઈસુ ઘણી વખત પોતાના શિષ્યો સાથે ત્યાં જતા હતા.
\v 3 હવે મુખ્ય યાજકો અને ફરોશીઓએ અમુક સૈનિકો અને અધિકારીઓને યહૂદા સાથે જવાનો આદેશ આપ્યો હતો. તેથી તેઓ ફાનસ, મશાલો અને હથિયારો સાથે વાડીમાં ગયા.
\s5
\v 4 ઈસુ જાણતા હતા કે તેમની સાથે શું બનવાનું હતું, તેથી તેઓ આગળ ગયા અને તેઓને પૂછ્યું, "તમે કોને શોધો છો?"
\v 5 તેઓએ તેમને ઉત્તર આપ્યો, "ઈસુ નાઝારીને." ઈસુએ તેઓને કહ્યું, "હું તે જ વ્યક્તિ છું." (હવે યહૂદા, જે ઈસુને તેઓના હાથમાં સોંપવાનો હતો, તે તેઓ સાથે ઊભો હતો.)
\s5
\v 6 જ્યારે ઈસુએ તેઓને કહ્યું, "હું તે જ વ્યક્તિ છું," ત્યારે તેઓ ઝડપથી પાછા ખસ્યા અને જમીન પર પડી ગયા.
\v 7 તેથી તેમણે તેઓને ફરી પૂછ્યું, "તમે કોને શોધી રહ્યા છો?" તેઓએ જવાબ આપ્યો, "ઈસુ નાઝારીને."
\s5
\v 8 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "મેં તમને કહ્યું કે હું જ તે વ્યક્તિ છું. તમે જેને શોધી રહ્યા છો તે હું જ છું, તેથી આ લોકોને જવા દો."
\v 9 જે શબ્દો તેમણે પિતાને પ્રાર્થના કરતા કહ્યા હતા કે, "તમે મને આપ્યાં તેઓમાંના એકને પણ મેં ગુમાવવ્યો નથી" તે પૂર્ણ થાય માટે આમ બન્યું.
\p
\s5
\v 10 પછી પિતરે તરવાર કાઢીને પ્રમુખ યાજકના ચાકર માલ્ખસનો જમણો કાન કાપી નાખ્યો.
\v 11 ઈસુએ પિતરને કહ્યું, "તારી તલવાર મ્યાનમાં મૂક! જેમ મારા પિતાએ મારા માટે યોજના બનાવી છે તે રીતે હું નિશ્ચિતપણે સહન કરીશ."
\p
\s5
\v 12 પછી સૈનિકોના જૂથે તથા તેઓના સરદારે અને ભક્તિસ્થાનના રખેવાળોએ ઈસુને પકડ્યા અને તેઓને બાંધ્યા કે જેથી તેઓ નાસી ના જાય.
\v 13 પછી તેઓ તેમને આન્નાસની પાસે લઈ ગયા, જે તે વર્ષના પ્રમુખ યાજક કાયાફાનો સસરો હતો.
\v 14 કાયાફાએ જ બીજા આગેવાનોને સલાહ આપી હતી કે સર્વ લોકો નાશ પામે તે કરતાં સર્વ લોકો માટે એક વ્યક્તિ મરણ પામે તે સારું છે.
\p
\s5
\v 15 સિમોન પિતર અને બીજો એક શિષ્ય ઈસુની પાછળ ગયા. પ્રમુખ યાજક બીજા શિષ્યને ઓળખતો હતો, તેથી જ્યારે સૈનિકો ઈસુને લઈ ગયા ત્યારે પ્રમુખ યાજકના આંગણામાં પ્રવેશવાની તેને મંજૂરી મળી.
\v 16 પિતરે દરવાજાની બહાર ઊભા રહેવું પડ્યું. તેથી તે બીજો શિષ્ય ફરી બહાર ગયો અને તેણે જે દાસી દરવાજાની રખેવાળી કરતી હતી તેની સાથે વાત કરી અને તેણે પિતરને અંદર આવવા દીધો.
\s5
\v 17 તે દાસીએ પિતરને કહ્યું, "તું તો જે માણસની તેઓએ ધરપકડ કરી છે તેમનો એક શિષ્ય છે, શું તું નથી?" તેણે કહ્યું, "ના, હું તે નથી."
\v 18 ત્યારે ઠંડી હતી, તેથી પ્રમુખ યાજકના ચાકરો અને ભક્તિસ્થાનના રખેવાળો કોલસાનો અગ્નિ સળગાવી અને તેની આજુબાજુ ઊભા રહીને તાપતા હતા. પિતર પણ ત્યાં તેમની સાથે હતો. તે ત્યાં ઊભો હતો અને તાપતો હતો.
\p
\s5
\v 19 પ્રમુખ યાજકે ઈસુને તેમના શિષ્યો સંબંધી અને તેઓ તેમને શું શીખવતા હતા તે વિષે પ્રશ્ન પૂછ્યા.
\v 20 ઈસુએ ઉત્તર આપ્યો, "હું સર્વની સાથે જાહેરમાં બોલ્યો છું. મેં હમેશાં સભાસ્થાનમાં અને ભક્તિસ્થાનમાં કે જ્યાં લોકો ભેગા થાય છે ત્યાં શીખવ્યું છે. મેં કંઈ જ ગુપ્ત રીતે કહ્યું નથી."
\v 21 તેથી તમે મને શા માટે આવા પ્રશ્નો પૂછો છો? જે લોકોએ મને શીખવતા સાંભળ્યો છે તેઓને પૂછો. હું શું બોલ્યો હતો તે તેઓ જાણે છે."
\s5
\v 22 જ્યારે ઈસુએ આ બાબતો કહી, ત્યારે ભક્તિસ્થાનનો એક ચોકીદાર જે તેમની બાજુમાં ઊભો હતો તેણે તેઓને હાથથી સખત રીતે માર્યું. તેણે કહ્યું, "પ્રમુખ યાજકને જવાબ આપવાની આ યોગ્ય રીત નથી."
\v 23 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો તે શું છે તે મને કહે. તો પણ, મેં જે કહ્યું, તે જો ખરું છે તો તારે મને તમાચો મારવો જોઈએ નહીં!"
\v 24 પછી આન્નાસે ઈસુ કે જેઓ હજુ બંધનમાં હતા તેઓને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યા.
\p
\s5
\v 25 સિમોન પિતર ઊભો રહીને તાપતો હતો. બીજી વ્યક્તિએ તેને કહ્યું, "તું તો જે માણસની તેઓએ ધરપકડ કરી છે તેમનો એક શિષ્ય છે, શું તું નથી?" તેણે કહ્યું, "ના, હું તે નથી."
\v 26 પ્રમુખ યાજકનો એક ચાકર એટલે પિતરે જે વ્યકિતનો કાન કાપ્યો હતો તેનો સબંધી તેને કહે છે, "નક્કી મેં તને જૈતૂન વૃક્ષની વાડીમાં તે લોકોએ જે વ્યક્તિની ધરપકડ કરી છે તેની સાથે જોયો હતો, શું મેં નહોતો જોયો?"
\v 27 પિતરે ફરી તેનો નકાર કર્યો અને તરત જ મરઘો બોલ્યો.
\p
\s5
\v 28 પછી શિષ્યો ઈસુને કાયાફાના ઘરેથી રોમન રાજ્યપાલ પિલાતના મુખ્ય મથકે લઈ ગયા. તે તો વહેલી સવાર હતી. પિલાત યહૂદી ન હતો, તેથી ઈસુ પર આરોપ મૂકનારાઓને લાગ્યું કે જો તેઓ તેના મુખ્ય મથકમાં પ્રવેશે, તો તેઓ પોતાને અશુદ્ધ કરશે અને પાસ્ખાપર્વમાં ઉજવણી નહીં કરી શકે. તેથી તેઓ અંદર ગયા નહીં.
\v 29 તેથી તેમની સાથે વાત કરવા પિલાત બહાર આવ્યો. તેણે કહ્યું, "તમે આ માણસ પર શો આરોપ મૂકો છો?"
\v 30 તેઓએ ઉત્તર આપ્યો, "જો આ માણસ ગુનેગાર ન હોત તો અમે તેને તમારી પાસે લાવતા નહીં!"
\s5
\v 31 પછી પિલાતે તેઓને કહ્યું, "તમે તેને લઈ જાઓ, અને તમારા પોતાના નિયમ પ્રમાણે તેનો ન્યાય કરો." પછી યહૂદી આગેવાનોએ કહ્યું, "અમે તેને મારી નાખવા માગીએ છીએ, પરંતુ તેમ કરવા તમારો રોમન કાયદો અમને અટકાવે છે."
\v 32 તેઓએ આમ કહ્યું કે જેથી ઈસુએ પોતે કેવા પ્રકારનું મરણ પામવાના છે તે વિષે જે કહ્યું હતું તે સત્ય ઠરે.
\p
\s5
\v 33 પિલાત પોતાના મુખ્ય મથકમાં પાછો ગયો. તેમણે ઈસુને બોલાવ્યા અને તેમને કહ્યું, "શું તું યહૂદીઓનો રાજા છે?"
\v 34 ઈસુએ ઉત્તર આપ્યો, "શું તું પોતે જાણવા માંગે છે માટે તું આ પૂછે છે, કે પછી મને આ પૂછવા બીજાઓએ તને કહ્યું છે?"
\v 35 પિલાતે ઉત્તર આપ્યો, "હું યહૂદી નથી! તારા પોતાના દેશ અને મુખ્ય યાજકે તને મને સોંપ્યો છે. તેં શું ખોટું કર્યું છે?"
\s5
\v 36 ઈસુએ ઉત્તર આપ્યો, "મારું રાજ્ય આ જગતનું નથી. જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મારા ચાકરો આ યહૂદી વિરોધીઓ મને ના પકડે માટે લડતા હોત, પરંતુ મારું રાજ્ય આ જગતનું નથી."
\v 37 પછી પિલાતે તેમને કહ્યું, "તો તું રાજા છે?" ઈસુએ ઉત્તર આપ્યો, "હા. પૃથ્વી પર જન્મ લઈને આવવાનું મારું કારણ તો લોકોને ઈશ્વર વિષેનું સત્ય કહેવાનું છે. જેઓ સત્યને પ્રેમ કરે છે તેઓ મને સાંભળે છે."
\s5
\v 38 પિલાતે તેમને પૂછ્યું, "સત્ય શું છે?"
\p પિલાતે તે પ્રશ્ન પૂછ્યો પછી, તે બહાર ગયો અને ફરી યહૂદીઓના આગેવાનો સાથે વાત કરી. તેણે તેઓને કહ્યું, "મારા જાણવામાં આવ્યું કે તેણે કોઈ નિયમ તોડ્યો નથી.
\v 39 તેમ છતાં, દરેક પાસ્ખાપર્વમાં તમારા યહૂદીઓનો એવો રિવાજ છે કે, તમે કેદમાં નાખેલા એક વ્યક્તિને મુક્ત કરવા મને વિનંતી કરો છો. તેથી શું તમે ઇચ્છા રાખો છો કે હું આ યહૂદીઓના રાજાને મુક્ત કરું?"
\v 40 તેઓએ ફરી બૂમ પાડી, "ના, આ માણસને મુક્ત કરશો નહીં, પરંતુ બરાબાસને મુક્ત કરો!" હવે બરાબાસ તો બળવાખોર હતો.
\s5
\c 19
\p
\v 1 પછી પિલાતે ઈસુને બોલાવ્યા. તેણે પોતાના સૈનિકો દ્વારા તેમને સખત રીતે કોરડા મરાવ્યા.
\v 2 સૈનિકોએ મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો. તેઓએ તેમને જાંબુડિયા રંગનો ઝભ્ભો પહેરાવ્યો.
\v 3 તેઓએ તેમની મશ્કરી કરી અને કહ્યું, "યહૂદીઓના રાજા, સલામ!" અને તેઓ વારંવાર તેમને મારતા રહ્યા.
\p
\s5
\v 4 પિલાતે ફરી બહાર આવીને લોકોને કહ્યું, "જુઓ, હું ફરી તેને બહાર લાવું છું કે જેથી તમે જાણો કે મને તેનામાં સજા કરવા લાયક કંઈ પણ ગુનો માલૂમ પડ્યો નથી."
\v 5 તેથી ઈસુ માથા પર કાંટાનો મુગટ અને જાંબુડિયા રંગનો ઝભ્ભો પહેરી બહાર આવ્યા. પિલાતે તેઓને કહ્યું, "જુઓ, આ માણસ!"
\v 6 મુખ્ય યાજક અને સૈનિકોએ તેમને જોયા ત્યારે તેઓએ બૂમ પાડી, "તેને વધસ્તંભે જડો! તેને વધસ્તંભે જડો!" પિલાતે તેઓને કહ્યું, "તમે પોતે તેને લઈ જાઓ અને વધસ્તંભે જડો! કેમ કે, મને તેને સજા કરવા લાયક કોઈ કારણ મળતું નથી."
\s5
\v 7 યહૂદી આગેવાનોએ પિલાતને ઉત્તર આપ્યો, "અમારા કેટલાક નિયમ છે જેના પ્રમાણે તેને મરણ દંડ મળવો જોઈએ કારણ કે તેણે એવો દાવો કર્યો છે કે તે ઈશ્વરનો દીકરો છે."
\v 8 જ્યારે પિલાતે આ સાંભળ્યું, ત્યારે તેને વધારે બીક લાગી.
\v 9 તે ફરી એકવાર તેના મુખ્ય મથકમાં ગયો અને પોતાના સૈનિકોને ઈસુને અંદર લાવવા કહ્યું. પછી તેણે ઈસુને કહ્યું, "તું ક્યાંથી આવે છે?" જો કે, ઈસુએ તેને કોઈ જવાબ આપ્યો નહીં.
\s5
\v 10 તેથી પિલાતે તેમને કહ્યું, "શું તું મારી સાથે વાત નહીં કરે? શું તને ખબર નથી કે તને છોડી મૂકવાનો અને તને વધસ્તંભે જડવાનો અધિકાર મારી પાસે છે?"
\v 11 ઈસુએ જવાબ આપ્યો, "જો ઈશ્વરે તરફથી તને અપાયો ન હોત તો તને મારા પર કંઈ પણ અધિકાર ન હોત. તેથી જેઓએ મને તારા હાથમાં સોંપ્યો છે તેઓ વધુ ખરાબ પાપ માટે દોષિત ઠરશે."
\p
\s5
\v 12 તે ક્ષણથી પિલાત ઈસુને મુક્ત કરવાનો પ્રયત્ન કરતો રહ્યો. તો પણ, યહૂદી આગેવાનોએ જોરથી બૂમ પાડી, "જો તું આ માણસને મુક્ત કરે, તો તું કાઈસારનો મિત્ર નથી! જે પોતાને રાજા બનાવે છે, તે કાઈસારની વિરુદ્ધમાં છે."
\v 13 જ્યારે પિલાતે તે સાંભળ્યું, ત્યારે તે ઈસુને બહાર લઈ આવ્યો. પછી પિલાત ઈસુની સામે ન્યાયાસન પર બેઠો કે જ્યાંથી તે મોટે ભાગે ચુકાદો જાહેર કરતો હતો. તેને તો "ફરસબંદી" કહેવામાં આવે છે, અને અરામીકમાં તેને "ગાબ્બાથા" કહેવામાં આવે છે.
\s5
\v 14 હવે તે તો પાસ્ખાપર્વનો આગલો દિવસ, એટલે પાસ્ખાપર્વની તૈયારીનો દિવસ હતો. તે તો લગભગ બપોરનો સમય હતો કે જ્યારે પિલાતે યહૂદીઓને કહ્યું, "જુઓ, આ રહ્યા તમારા રાજા!"
\v 15 તેઓએ બૂમો પાડી, "તેને દૂર કરો! તેને દૂર કરો! તેને વધસ્તંભે જડો!" પિલાતે તેઓને કહ્યું, "શું હું તમારા રાજાને વધસ્તંભે જડું?" મુખ્ય યાજકે ઉત્તર આપ્યો, "અમારે કાઈસાર સિવાય બીજો કોઈ રાજા નથી!"
\v 16 તેથી પિલાતે ઈસુને તેઓને સોંપ્યા અને તેઓ તેમને લઈ ગયા.
\p
\s5
\v 17 ઈસુ પોતાનો વધસ્તંભ જાતે ઊંચકીને "ખોપરીની જગ્યા," જે અરામીક ભાષામાં "ગલગથા" કહેવાય છે ત્યાં ગયા.
\v 18 ત્યાં તેઓએ તેમને વધસ્તંભે જડાવ્યા, અને તે જ સમયે તેઓએ બીજા બે ગુનેગારોને તેઓના વધસ્તંભે જડાવ્યા. વચમાં ઈસુને તથા બંને બાજુએ એક-એક ગુનેગારને જડાવ્યા.
\p
\s5
\v 19 પિલાતે કોઈને કહ્યું કે એક લેખ લખ અને તેને ઈસુના વધસ્તંભ પર મૂક. તે આમ લખ, 'નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા'
\v 20 ઘણા યહૂદીઓએ તે વાંચ્યું, કારણ કે જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા તે જગ્યા શહેરની નજીક હતી, અને તે લેખ: અરામીક, લેટિન અને ગ્રીક, એમ ત્રણ ભાષામાં લખવામાં આવ્યો હતો.
\s5
\v 21 મુખ્ય યાજક પિલાત પાસે પાછો ગયો અને કહ્યું, "તમારે 'યહૂદીઓનો રાજા' એમ લખવું ન જોઈએ, પરંતુ તેના બદલે, આ માણસે કહ્યું, 'હું યહૂદીઓનો રાજા છું.'"
\v 22 પિલાતે ઉત્તર આપ્યો, "મેં જે રીતે લખ્યું તે જ રીતે તમારે તે લેખ રહેવા દેવો."
\q
\s5
\v 23 સૈનિકોએ ઈસુને વધસ્તંભે જડ્યા પછી, તેઓએ તેમનાં વસ્ત્રો લીધાં અને તેને ચાર ભાગમાં દરેક સૈનિક માટે એક, એમ વહેચ્યાં. જો કે, તેમણે તેમનું ઉપવસ્ત્ર અલગ રાખ્યું. તેને ઉપરથી નીચે સુધી એક જ કાપડમાંથી બનાવવામાં આવ્યું હતું.
\v 24 તેથી તેઓએ એકબીજાને કહ્યું, "આપણે તેના ટુકડા કરીશું નહીં. તેના બદલે, ચિઠ્ઠીઓ નાંખીને નક્કી કરીએ કે તે આખું ઉપવસ્ત્ર કોને મળશે." આ પ્રમાણે થયું કે જેથી શાસ્ત્રોમાં કહેવામાં આવેલું સત્ય ઠરે,
\q "તેઓએ મારાં વસ્ત્રો પોતાની વચ્ચે વહેંચી લીધાં.
\q મારાં વસ્ત્રો માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી."
\p
\s5
\v 25 સૈનિકોએ તે બાબતો કરી.
\p ઈસુની માતા અને તેમની માસી, ક્લોપાસની પત્ની મરિયમ, અને મગ્દલાની મરિયમ ત્યાં ઊભા હતાં.
\v 26 જ્યારે ઈસુએ પોતાની માતા અને યોહાન કે જેને તેઓ ખાસ પ્રેમ કરતા હતા, તેઓને ત્યાં નજીકમાં ઊભેલા જોયા, ત્યારે તેમણે પોતાની માતાને કહ્યું, "આ માણસ તારા દીકરાની જેમ તારી કાળજી કરશે."
\v 27 અને તેમણે શિષ્યને કહ્યું, "આ તારી માતા છે!" તેથી તે જ સમયથી, તે શિષ્ય તેને પોતાના ઘરમાં રહેવા લઈ ગયો.
\p
\s5
\v 28 થોડા સમય પછી, જ્યારે ઈસુએ જાણ્યું કે જે સર્વ બાબત માટે ઈશ્વરે તેમને મોકલ્યા હતા તે પૂર્ણ થઈ છે, અને એક છેલ્લી બાબત કે જેને શાસ્ત્રોમાં અગાઉથી કહેવામાં આવી છે તે સત્ય ઠરે માટે તેમણે કહ્યું, "મને તરસ લાગી છે!"
\v 29 ખાટા દ્રાક્ષારસથી ભરેલો કુંડ ત્યાં હતો, તેથી તેઓએ સુગંધી છોડની એક નાની ડાળી લીધી અને તેના પર વાદળી મૂકી, અને તેઓએ તે ખાટા દ્રાક્ષારસમાં ડુબાડી તેમના મોં આગળ લાવ્યા.
\v 30 ઈસુએ ખાટો દ્રાક્ષારસ પીધો ત્યારબાદ, તેમણે કહ્યું, "સંપૂર્ણ થયું," પછી તેઓએ માથું નમાવ્યું અને મરણ પામ્યા.
\p
\s5
\v 31 આ તો પાસ્ખાપર્વની ઉજવણીની તૈયારીનો દિવસ હતો (અને બીજા દિવસે ખાસ વિશ્રામવાર હતો). વિશ્રામવારે શબને વધસ્તંભ પર રાખવું તે નિયમની વિરુદ્ધ હતું, તેથી તેઓ પિલાત પાસે ગયા અને તેને વિનંતી કરી કે તે ત્રણ માણસોના પગ ભાગે જેથી તેઓ જલદી મરણ પામે અને તેમના શરીરને ઉતારી શકાય.
\v 32 તેથી સૈનિકો આવ્યા, અને પછી તેઓએ ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા પ્રથમ, અને પછી દ્વિતીય એમ બંને વ્યક્તિના પગ ભાગ્યા.
\v 33 જ્યારે તેઓ ઈસુની પાસે આવ્યા, ત્યારે તેઓએ જોયું કે તેઓ તો મરણ પામી ચૂક્યા હતા. તેથી તેઓએ તેમના પગ ભાગ્યા નહીં.
\s5
\v 34 તેના બદલે, એક સૈનિકે ઈસુની એક બાજુએ ભાલો માર્યો, અને તરત તેમના શરીરમાંથી લોહી અને પાણી નીકળ્યાં.
\v 35 જેણે આ જોયું છે તે સાક્ષી આપે છે, તેની સાક્ષી સત્ય છે અને તે જાણે છે કે તે સત્ય કહી રહ્યો છે, કે જેથી તમે તમારો વિશ્વાસ ઈસુ પર મૂકી શકો.
\s5
\v 36 આ બાબતો થઈ કે જેથી શાસ્ત્રોમાં જે લખેલું હતું તે પૂર્ણ થાય: "કોઈ પણ વ્યક્તિ તેમનું એકે હાડકું ભાંગશે નહીં"
\p
\v 37 અને તેઓએ શાસ્ત્રમાં લખેલું બીજું વચન પૂર્ણ કર્યું: 'જેઓએ તેમને વીંધ્યા છે તેઓ તેમની તરફ જોશે.'
\p
\s5
\v 38 આ બાબતો બન્યા પછી, અરીમથાઈનો યૂસફ, જે ઈસુનો શિષ્ય હતો, પરંતુ તે યહૂદીઓથી બીતો હતો માટે તે ગુપ્ત શિષ્ય હતો, તે પિલાત પાસે ગયો અને તેની પાસે મંજૂરી માગી કે તે ઈસુનું શબ લઈ જાય. પિલાતે યૂસફને મંજૂરી આપી, તેથી તે આવ્યો અને ઈસુનું શબ લઈ ગયો.
\v 39 નિકોદેમસ કે જે એક વાર રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે પણ શબને દાટવા માટે તૈયાર કરવા પોતાની સાથે બોળનું મિશ્રણ અને અગરનું મિશ્રણ લઈને આવ્યો. તે દ્રવ્યોનું વજન ૩૩ કિલોગ્રામ હતું.
\s5
\v 40 તેઓએ ઈસુના શબને સર્વ સુગંધી દ્રવ્યો લગાવીને શણની પટ્ટીઓમાં લપેટ્યું.
\v 41 હવે જ્યાં ઈસુને વધસ્તંભે જડાવ્યા હતા તે બગીચો હતો, અને તે બગીચાના ખૂણામાં એક નવી કબર હતી જેમાં કોઈને કદી દફનાવામાં આવ્યું ન હતું.
\v 42 પાસ્ખાપર્વ તે સાંજે જ શરૂ થવાનું હતું, અને તેઓએ તે કબર પસંદ કરી કારણ કે તે નજીક હતી અને જેથી તેઓ ઈસુને ઝડપથી દફનાવી શકે. તેથી તેઓએ ઈસુને ત્યાં મૂક્યા.
\s5
\c 20
\p
\v 1 હવે અઠવાડિયાને પહેલે દિવસે, વહેલી સવારે, હજુ અંધારું હતું તેવામાં મગ્દલાની મરિયમ કબરે આવી. તેણે જોયું કે કોઈએ કબરે પરથી પથ્થર ખસેડ્યો છે.
\v 2 તેથી તે દોડીને યરુશાલેમ તરફ, જ્યાં સિમોન પિતર અને બીજો શિષ્ય કે જેને ઈસુ પ્રેમ કરતા હતા તેઓ જ્યાં રહેતા હતા ત્યાં ગઈ, અને તેઓને કહ્યું, "તેઓ પ્રભુને કબરમાંથી લઈ ગયા છે, અને તેમને ક્યાં મૂક્યા છે તે અમે જાણતા નથી!"
\s5
\v 3 જ્યારે તેઓએ આ સાંભળ્યું ત્યારે, પિતર અને બીજો શિષ્ય ઉતાવળે કબર તરફ જવા લાગ્યા.
\v 4 તેઓ બંને દોડતા હતા, પરંતુ બીજો શિષ્ય પિતર કરતાં વધારે ઝડપથી દોડતો હતો અને તે કબરે વહેલો પહોંચ્યો.
\v 5 તેણે નમીને કબરની અંદર જોયું; તેણે શણનાં વસ્ત્રોની પટ્ટીઓ ત્યાં પડેલી જોઈ, પરંતુ અંદર જતાં તે અચકાયો.
\s5
\v 6 પછી સિમોન પિતર કે જે તેની પાછળ દોડતો હતો, તે ત્યાં આવ્યો, તે કબરની અંદર ગયો. તેણે પણ શણનાં વસ્ત્રોની પટ્ટીઓ ત્યાં પડેલી જોઈ,
\v 7 પરંતુ તેણે તે પણ જોયું કે જે કાપડનું વસ્ત્ર ઈસુના માથા પર હતું, તેને શણનાં વસ્ત્રોની પટ્ટીઓથી અલગ વાળીને એક બાજુ મૂકવામાં આવ્યું હતું.
\s5
\v 8 પછી બીજો શિષ્ય પણ અંદર ગયો; તેણે આ બાબતો જોઈ અને તે વિશ્વાસ કરવા લાગ્યો કે ઈસુ મરણમાંથી ઊઠ્યા છે.
\v 9 તેઓ હજુ શાસ્ત્રમાં લખેલું સમજ્યા ન હતા કે ઈસુએ મરણમાંથી ઊઠવું જ જોઈએ.
\p
\v 10 તેથી શિષ્યો પોતાના ઘરે પાછા ગયા.
\s5
\v 11 મરિયમ કબરની બહાર ઊભી હતી, તે રડતી હતી.
\v 12 તેણે જે જગ્યાએ ઈસુનું શબ મૂક્યું હતું ત્યાં સફેદ ઝભ્ભો પહેરીને બે દૂતોને બેઠેલા જોયા, એક માથા તરફ અને બીજો પગ તરફ.
\v 13 તેઓએ તેને કહ્યું, "બાઈ, તું કેમ રડે છે?" તેણે તેઓને કહ્યું, "તેઓ મારા પ્રભુને લઈ ગયા છે, અને હું નથી જાણતી કે તેઓએ તેમને ક્યાં મૂક્યા છે!"
\s5
\v 14 તેણે આમ કહ્યું પછી, તે પાછળ વળી અને તેણે ઈસુને ત્યાં ઊભેલા જોયા, પરંતુ તેને ખ્યાલ ન આવ્યો કે તે ઈસુ હતા.
\v 15 તેમણે તેને કહ્યું, "બાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે?" તેણે વિચાર્યું કે જે તેની સાથે વાત કરે છે તે માળી છે, તેથી તેણે તેમને કહ્યું, "સાહેબ, જો તમે તેમને લઇ ગયા હો, તો મને કહો કે તમે તેમને ક્યાં મૂક્યા છે, અને હું તેમને લઇ જઈશ."
\s5
\v 16 ઈસુએ તેને કહ્યું, "મરિયમ." તે પાછી ફરી અને તેમને અરામિક ભાષામાં કહ્યું, "રાબ્બોની!" (જેનો અર્થ છે "ગુરુ").
\v 17 ઈસુએ તેને કહ્યું, "મને સ્પર્શ કરીશ નહીં, કેમ કે હું હજુ મારા પિતા પાસે સ્વર્ગમાં ગયો નથી. મારા શિષ્યો પાસે જા અને તેઓને કહે, 'હું મારા અને તમારા પિતા, કે જેઓ તમારા અને મારા ઈશ્વર છે તેઓ પાસે સ્વર્ગમાં જવાનો છું.'"
\v 18 મગ્દલાની મરિયમે જઈને શિષ્યોને જણાવ્યું, "મેં પ્રભુને જોયા છે" અને ઈસુએ તેને જે કહ્યું હતું તે તેણે તેઓને કહ્યું.
\p
\s5
\v 19 તે દિવસની સાંજે, અઠવાડિયાને પહેલે દિવસે, દરવાજા બંધ હતા અને શિષ્યો યહૂદીઓ તેઓની ધરપકડ કરશે તે બીકે ઘરની અંદર હતા. અચાનક ઈસુ આવીને તેઓના જૂથની મધ્યમાં ઊભા રહ્યા; તેમણે તેઓને કહ્યું, "ઈશ્વર તમને શાંતિ આપો."
\v 20 તેમણે આ કહ્યું ત્યારબાદ, તેમણે પોતાના હાથ અને કૂખ તેઓને બતાવી. જ્યારે તેઓએ પ્રભુને જોયા ત્યારે તેઓ ઘણો હર્ષ પામ્યા!
\s5
\v 21 ઈસુએ ફરી તેઓને કહ્યું, "ઈશ્વર તમને શાંતિ આપો. જેમ પિતાએ મને મોકલ્યો છે તેમ હવે હું તમને મોકલું છું."
\v 22 તેમણે આમ કહ્યું, ત્યારબાદ તેઓએ તેમના પર શ્વાસ નાખ્યો અને કહ્યું, "પવિત્ર આત્મા પ્રાપ્ત કરો.
\v 23 જો તમે કોઈનાં પાપ માફ કરો, તો ઈશ્વર તેઓને માફ કરશે. જો તમે કોઈનાં પાપ માફ નહીં કરો, તો તે તેઓ પર રહેશે."
\p
\s5
\v 24 હવે જ્યારે ઈસુ શિષ્યો પાસે આવ્યા ત્યારે બારમાંનો એક શિષ્ય થોમા જે "દીદીમસ (જોડિયો)" કહેવાતો હતો, તે ત્યાં ન હતો.
\v 25 બીજા શિષ્યોએ તેને કહ્યું, "અમે પ્રભુને જોયા છે." જો કે, તેણે તેઓને કહ્યું, "જ્યાં સુધી હું તેમના હાથમાં નિશાન નહિ જોઉં અને ખીલા દ્વારા બનેલા વેહમાં પોતાની આંગળી ન નાખું અને જ્યાં સુધી હું તેમની કૂખની જગ્યામાં હાથ ન નાખું, ત્યાં સુધી હું તેમનામાં કદાપિ વિશ્વાસ નહીં મૂકું."
\p
\s5
\v 26 આઠ દિવસ પછી, તેમના શિષ્યો ફરી ઘરની અંદર ભેગા થયા હતા, અને આ સમયે થોમા પણ તેઓની સાથે હતો. બારણાં બંધ હતાં તેમ છતાં, ઈસુ અંદર આવ્યા અને તેઓની મધ્યે ઊભા રહ્યા, તેમણે તે સર્વને કહ્યું, "ઈશ્વર તમને શાંતિ આપો."
\v 27 પછી તેમણે થોમાને કહ્યું, "તારી આંગળી મારા હાથમાં નાખ અને જો, અને તારો હાથ મારી કૂખમાં નાખ! તે હું છું કે નહીં તેના વિષે હવે શંકા કરીશ નહીં; તારો વિશ્વાસ મારા પર મૂક."
\s5
\v 28 થોમાએ બોલી ઊઠ્યો, "મારા પ્રભુ અને મારા ઈશ્વર!"
\v 29 ઈસુએ તેને કહ્યું, "તેં મને જોયો છે માટે તું વિશ્વાસ કરે છે કે હું ઊઠ્યો છું. પણ જેઓએ મને જોયો નથી છતાં મારા પર વિશ્વાસ કરે છે તેઓને ઈશ્વર મહાન આનંદ આપશે."
\p
\s5
\v 30 હવે ઈસુએ ઘણાં પરાક્રમી કાર્યો અને ચમત્કાર કર્યા જે સાબિતી આપે છે કે તેઓ કોણ છે. શિષ્યોએ તેઓ વિષે સાક્ષી આપી છે પરંતુ તે ચમત્કારો અગણિત હતા કે મેં તે સર્વને આ પુસ્તકમાં લખ્યા નથી.
\v 31 તેમ છતાં, મેં આ લખ્યું છે કે જેથી તમને સંપૂર્ણપણે ખાતરી થાય કે ઈસુ, ઈશ્વરના પુત્ર, એ જ મસીહ છે, અને તેમના પર વિશ્વાસ કરવા દ્વારા, તમે તેમના નામમાં અનંતજીવન પામી શકો.
\s5
\c 21
\p
\v 1 ત્યારબાદ, ઈસુ તિબેરિયસના સમુદ્રકિનારે (જે ગાલીલના સમુદ્ર તરીકે પણ ઓળખાય છે) ત્યાં પ્રગટ થયા. તેમણે પોતાને આ રીતે ઓળખાવ્યા:
\v 2 સિમોન પિતર, થોમા (જે દીદીમસ (જોડિયો) કહેવાતો હતો), ગાલીલના કાનાનો નાથાનાયેલ, ઝબદીના દીકરા (યાકૂબ અને યોહાન), અને બીજા બે શિષ્યો, સર્વ સાથે હતા.
\v 3 સિમોન પિતરે બીજાઓને કહ્યું, "હું માછલાં પકડવાં જાઉં છું." તેઓએ કહ્યું, "અમે પણ તારી સાથે આવીએ છીએ." તેઓ બહાર જઈ હોડીમાં ચઢ્યા, પરંતુ તે રાત્રે તેઓને કંઈ પ્રાપ્ત થયું નહીં.
\s5
\v 4 વહેલી સવારે, ઈસુ કિનારે ઊભા રહ્યા, પરંતુ શિષ્યો જાણતા ન હતા કે તેઓ ઈસુ છે.
\v 5 ઈસુએ તેઓને કહ્યું, "મારા મિત્રો, શું તમારા કોઈની પાસે માછલી છે?" તેઓએ કહ્યું, "ના."
\v 6 તેમણે તેઓને કહ્યું, "હોડીની જમણી તરફ તમારી જાળ નાખો અને તમને મળશે." જેમ તેમણે કહ્યું હતું તેમ તેઓએ જાળ નાખી, અને તેઓએ જાળમાં એટલી બધી માછલીઓ પકડી કે તેઓ તે જાળને હોડીમાં ખેંચી શક્યા નહીં!
\s5
\v 7 ઈસુનો શિષ્ય યોહાન, કે જેને તેઓ બહુ પ્રેમ કરતા હતા, તેણે પિતરને કહ્યું, "તેઓ તો પ્રભુ છે!" જ્યારે સિમોન પિતરે તેને આમ કહેતાં સાંભળ્યો, ત્યારે તેણે પોતાનું ઉપવસ્ત્ર શરીર પર લપેટ્યું (કેમ કે કામ કરતાં સમયે તેણે નાનું જ વસ્ત્ર પહેર્યું હતું), અને તે પાણીમાં કૂદી પડ્યો.
\v 8 તેઓ કિનારેથી બહુ દૂર નહીં પરંતુ ૯૦ મીટર દૂર હતા તેથી બીજા શિષ્યો હોડીમાં માછલીઓથી ભરેલી જાળ ખેંચતા કિનારે આવ્યા.
\v 9 જ્યારે તેઓ કિનારે આવ્યા, ત્યારે તેઓએ સળગતો દેવતા અને તેના પર માછલી શેકાતી જોઈ, અને ત્યાં થોડી રોટલીઓ પણ હતી.
\s5
\v 10 ઈસુએ તેઓને કહ્યું, "તમે હમણાં જે માછલીઓ પકડી તેમાંથી કેટલીક લાવો!"
\v 11 સિમોન પિતર હોડીમાં પાછો ચઢ્યો અને મોટી માછલીઓથી ભરેલી જાળને કિનારે લઈ આવ્યો. તેમાં કુલ ૧૫૩ માછલીઓ હતી. તો પણ જાળ ફાટી નહીં.
\s5
\v 12 ઈસુએ તેઓને કહ્યું, "આવો અને સવારનો નાસ્તો કરો!" શિષ્યોમાંના કોઈની પણ હિંમત ના ચાલી કે તેઓ તેમને પૂછે, "તમે કોણ છો?" તેઓ જાણતા હતા કે તે તો પ્રભુ હતા.
\v 13 ઈસુએ આવીને તેઓને રોટલી અને માછલી આપી.
\v 14 ઈશ્વરે તેઓને મરણમાંથી ઉઠાડ્યા પછી આ ત્રીજી વાર ઈસુએ શિષ્યોને દર્શન આપ્યું.
\p
\s5
\v 15 જ્યારે તેઓ નાસ્તો કરી રહ્યા, ત્યારે ઈસુએ સિમોન પિતરને પૂછ્યું, "યોહાનના દીકરા સિમોન, આ બીજાઓ મારા પર પ્રેમ કરે છે તેનાથી શું તું મારા પર વિશેષ પ્રેમ કરે છે?" પિતરે તેમને કહ્યું, "હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું." ઈસુએ કહ્યું, "મારાં ઘેટાંનું પોષણ કર."
\v 16 ઈસુએ તેને બીજીવાર કહ્યું, "યોહાનના પુત્ર સિમોન, શું તું મને પ્રેમ કરે છે?" તેણે કહ્યું, "હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું." ઈસુએ તેને કહ્યું, "મારા ઘેટાંનો પાળક થા."
\s5
\v 17 ઈસુએ તેને ત્રીજીવાર કહ્યું, "શું તું મને પ્રેમ કરે છે?" પિતરે કહ્યું, "પ્રભુ, તમે સઘળું જાણો છો. તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું." ઈસુએ કહ્યું, "મારા ઘેટાંનું પોષણ કર."
\v 18 હું તને સત્ય કહું છું: જ્યારે તું જુવાન હતો, ત્યારે તું તારા પોતાનાં વસ્ત્ર પહેરતો હતો અને જ્યાં તું ઇચ્છે છે ત્યાં તું જતો હતો. તો પણ, જ્યારે તું વૃદ્ધ થશે, ત્યારે અન્ય કોઈ વ્યક્તિ તને કપડાં પહેરાવશે અને જ્યાં તું નથી ઇચ્છતો ત્યાં તને લઈ જશે."
\s5
\v 19 પિતર કેવી રીતે ઈશ્વરને માન આપતાં મરણ પામશે તે દર્શાવવા ઈસુએ આ કહ્યું. પછી ઈસુએ તેને કહ્યું, "મારી પાછળ આવ."
\p
\s5
\v 20 પિતર પાછળ ફર્યો અને તેણે યોહાન, કે જેને ઈસુ વિશેષ પ્રેમ કરતા હતા, તેને તેઓની પાછળ આવતાં જોયો. તે તો તે જ હતો કે જેણે મેજ પર ઈસુની નજીક અઢેલીને કહ્યું હતું, "પ્રભુ, કોણ તમને તમારા શત્રુઓને સોંપશે?"
\v 21 જ્યારે પિતરે તેને જોયો ત્યારે, તેણે ઈસુને પૂછ્યું, "પ્રભુ, આ માણસનું શું થશે?"
\s5
\v 22 ઈસુએ તેને કહ્યું, "હું પાછો આવું ત્યાં સુધી તે જીવે તેવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે ચિંતા કરવાની જરૂર નથી! તું મારી પાછળ આવ."
\v 23 તેથી તે વાત ભાઈઓ-બહેનોમાં પ્રસરી ગઈ કે તે શિષ્ય મરણ પામવાનો નથી. છતાં ઈસુએ તેમ નહોતું કહ્યું કે તે મરણ નહીં પામે. તેમણે માત્ર એમ કહ્યું હતું કે, "જો હું ઇચ્છું કે હું પાછો આવું ત્યાં સુધી તે મરણ ન પામે તો તેમાં તારે ચિંતા કરવાની જરૂર નથી!"
\p
\s5
\v 24 હું, યોહાન, આ સર્વ બાબતોની સાક્ષી આપું છું, અને મેં તેમને લખી છે. અમે જાણીએ છીએ કે તેમની સાક્ષી સાચી છે.
\p
\v 25 ઈસુએ બીજી ઘણી બાબતો કરી, એટલી બધી કે જો તે સર્વ લખવામાં આવે, તો મને લાગે છે જગતમાં લખવા માટે પુસ્તકો ઓછા પડે.

1493
45-ACT.usfm Normal file
View File

@ -0,0 +1,1493 @@
\id ACT
\ide UTF-8
\h પ્રેરિતોનાં ક્રત્યો
\toc1 પ્રેરિતોનાં ક્રત્યો
\toc2 પ્રેરિતોનાં ક્રત્યો
\toc3 act
\mt1 પ્રેરિતોનાં ક્રત્યો
\s5
\c 1
\p
\v 1 પ્રિય થિયોફિલ, ઈશ્વરે, ઈસુને સ્વર્ગમાં લઈ લીધા તે દિવસ સુધી, તેમણે જે કર્યું તથા શીખવ્યું, તેમાંની ઘણી બાબતો વિષે મેં મારા પ્રથમ પુસ્તકમાં તને લખ્યું છે.
\v 2 તેઓ સ્વર્ગમાં ગયા તે અગાઉ પવિત્ર આત્માના પરાક્રમ દ્વારા જે વાતો તેઓ પ્રેરિતોને જણાવવા માંગતા હતા તે કહી.
\v 3 વધસ્તંભ પર દુઃખ સહન કરીને મરણ પામ્યા પછી, તેઓ સજીવન થયા. ચાળીસ દિવસો સુધી તેઓ દર્શન આપતા રહ્યા, પ્રેરિતોએ ઘણી વાર તેમને જોયા. તેઓ જીવંત થયા છે તે તેમણે અનેક રીતે તેમને સાબિત કરી બતાવ્યું. ઈશ્વર તેમના રાજ્ય દરમ્યાન લોકોના જીવનોમાં કેવી રીતે રાજ કરશે તે સંબંધી તેમને જણાવ્યું.
\s5
\v 4 એક વખત જ્યારે ઈસુ તેઓની સાથે હતા, ત્યારે તેમણે તેઓને જણાવ્યું હતું, "યરુશાલેમ છોડશો નહિ. પણ, જ્યાં સુધી મારા પિતા પોતે આપેલા વચન પ્રમાણે, તેમનો આત્મા તમારા પર મોકલે નહિ ત્યાં સુધી અહીં રાહ જુઓ. મેં તમને તે સંબંધી કહ્યું છે તે તમે સાંભળ્યું છે.
\v 5 યોહાને પાણીથી લોકોનું બાપ્તિસ્મા કર્યું, પણ થોડા દિવસ પછી ઈશ્વર પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે."
\s5
\v 6 એક દિવસે પ્રેરિતો જ્યારે ઈસુની સાથે બેઠા હતા, ત્યારે તેઓએ તેમને પૂછ્યું, "પ્રભુ, શું તમે હવે ઇઝરાયલના રાજા બનશો?"
\v 7 તેમણે તેઓને ઉત્તર આપ્યો, "એ બધું ક્યારે થશે તે સમય અને દિવસ વિષે તમારે જાણવાની જરૂર નથી. એ બધું ક્યારે બનશે તે માત્ર મારા પિતા એ જ નક્કી કર્યું છે.
\v 8 પણ જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તે તમને બળવાન કરશે. ત્યારે તમે યરુશાલેમમાં અને યહૂદીયાના પ્રદેશોમાં, સમરૂનમાં અને આખી દુનિયામાં મારા વિષે લોકોને જણાવશો."
\s5
\v 9 એવું કહ્યા પછી, તેઓ સ્વર્ગમાં ચઢી ગયા, અને વાદળે તેમને તેઓની દ્રષ્ટિથી ઢાંકી દીધા.
\v 10 જ્યારે પ્રેરિતો હજુ આકાશ તરફ તાકીને તેમને જતાં જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક સફેદ કપડા પહેરેલા બે પુરુષો તેમની સામે ઊભા રહ્યા. તેઓ દૂતો હતા.
\v 11 તેઓમાંના એકે કહ્યું, "ઓ ગાલીલના માણસો, તમારે અહીં ઊભા રહીને આકાશ તરફ જોઈ રહેવાની જરૂર નથી! એક દિવસ એ જ ઈસુ, કે જેમને ઈશ્વરે તમારી પાસેથી સ્વર્ગમાં લઈ લીધા છે, તેઓ પૃથ્વી પર પાછા આવશે. જેમ તમે તેમને સ્વર્ગમાં જતાં જોયા છે તેવી જ રીતે તેઓ પાછા આવશે."
\s5
\v 12 તે બે દૂતો ગયા ત્યાર પછી, પ્રેરિતો જૈતૂન પર્વત કે જે યરુશાલેમથી થોડા અંતરે આવેલો હતો ત્યાંથી યરુશાલેમ પાછા આવ્યા.
\v 13 શહેરમાં પ્રવેશ્યા પછી, ઉપલીમેડી કે જ્યાં તેઓ રહેતા હતા ત્યાં પાછા ગયા. જેઓ ત્યાં હતા તેઓમાં પિતર, યોહાન, યાકૂબ , આન્દ્રિયા, ફિલિપ, થોમા, બાર્થોલ્મી, માથ્થી, આલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝલોતસ અને યાકૂબ નામે અન્ય એક વ્યક્તિનો દીકરો યહૂદા હતા.
\v 14 આ બધા પ્રેરિતોએ સાથે મળીને સતત પ્રાર્થના કરવાનો પ્રારંભ કર્યો. તેમની સાથે બીજા જેઓ પ્રાર્થના કરતા હતા તેઓમાં જે સ્ત્રીઓ ઇસુની સાથે હતી, એટલે ઇસુની મા મરિયમ અને તેમના બીજા નાના ભાઈઓ હતા.
\s5
\v 15 તે દિવસોમાં પિતર સાથી વિશ્વાસીઓ મધ્યે ઊભો થયો. ત્યાં ઈસુના આશરે ૧૨૦ જેટલા અનુયાયીઓનું જૂથ હતું. તેણે કહ્યું,
\v 16 "મારા ભાઈઓ, યહૂદાના સંબંધમાં દાઉદ રાજાએ લાંબા સમય પહેલા લખ્યું હતું. તે શબ્દો સાચા પડે તે જરૂરી હતું, અને એમ જ થયું, કારણ કે પવિત્ર આત્માએ દાઉદને શું લખવું તે જણાવ્યું હતું.
\s5
\v 17 યહૂદા આપણા જેવો જ પ્રેરિત હતો છતાં, જેઓ ઈસુને પકડવા અને મારી નાખવા ઇચ્છા રાખતા હતા તેમને તેણે દોર્યા."
\v 18 આ માણસ આવી દુષ્ટતા કરવા દ્વારા નાણાં કમાયો. આ નાણાંથી તેણે એક ખેતર ખરીદ્યું. ત્યાં તે ભૂમિ પર પડી ગયો, તેનું શરીર ફાટી ગયું અને તેનાં બધાં આંતરડાં બહાર નીકળી ગયાં.
\v 19 બધા લોકો જેઓ યરુશાલેમમાં રહેતા હતા તેઓએ તે વિષે સાંભળ્યું, તેથી તેઓએ તે ખેતરનું નામ તેમની અરેમિક ભાષામાં, અકેલ્દામા પાડ્યું, તેનો અર્થ "લોહીનું ખેતર" થાય છે, કારણ કે તે એવી જગ્યા હતી જ્યાં કોઈક મરણ પામ્યું હતું.
\s5
\v 20 પિતરે પણ કહ્યું, "હું જોઉં છું કે યહુદાની સાથે જે બન્યું તે ગીતશાસ્ત્ર જે કહે છે તેના જેવું જ છે: 'તેનો વંશ નાબુદ થાય; તેમાં કોઈ એક પણ બાકી ના બચે.' અને એવું લાગે છે કે દાઉદે આ બીજા શબ્દો કહ્યા તે પણ યહૂદાના સંબંધમાં છે: 'બીજો કોઈ આગેવાન તરીકેનું તેનું કાર્ય સંભાળે.'"
\s5
\v 21 "તેથી આપણ પ્રેરિતો માટે એ પસંદ કરવું જરૂરી છે કે કોઈ માણસ યહૂદાનું સ્થાન લે. તે એવો માણસ હોય કે જે જ્યારે પ્રભુ ઇસુ આપણી સાથે હતા તે બધો સમય આપણી સાથે રહ્યો હોય.
\v 22 એટલે કે, યોહાન બાપ્તિસ્મી જેણે ઈસુનું બાપ્તિસ્મા કર્યું ત્યારથી માંડીને ઈસુ આપણાથી છૂટા પડ્યા અને સ્વર્ગે જવા પાછા ઊઠ્યા તે દિવસ સુધી. જે માણસને યહૂદાની જગ્યાએ મૂકવામાં આવે, તે લોકોને ઈસુ વિષે કહેવા અને કેવી રીતે તેઓ મરણ પામ્યા બાદ સજીવન થયા તે વિષે કહેવા આપણી સાથે જોડાવો જોઈએ. "
\v 23 તેથી પ્રેરિતોએ અને બીજા વિશ્વાસીઓએ બે માણસોના નામ સૂચવ્યાં. એકનું નામ યૂસફ બર્સબા, જેનું નામ યુસ્તસ પણ હતું. બીજો માણસ માથ્થિયાસ હતો.
\s5
\v 24-25 પછી તેઓએ પ્રાર્થના કરી: " હે પ્રભુ ઈસુ, યહૂદા પ્રેરિત તરીકે મટી ગયો. તેણે પાપ કર્યું અને જે જગ્યાને માટે તે યોગ્ય હતો ત્યાં તે ગયો. તમે જાણો છો કે દરેક માણસ તેના હૃદયમાં શું વિચારે છે, તેથી કૃપા કરી અમને બતાવો કે યહૂદાનું સ્થાન લેવા તમે આ બેમાંથી કોને પસંદ કર્યો છે."
\v 26 પછી તેઓએ બંને વચ્ચે પસંદગી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી, અને માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી, અને તે બીજા અગિયાર પ્રેરિતોની સાથે પ્રેરિત બન્યો.
\s5
\c 2
\p
\v 1 યહૂદીઓ જ્યારે પચાસમાંના પર્વની ઉજવણી કરી રહ્યા હતા તે દિવસે, બધા વિશ્વાસીઓ યરુશાલેમમાં એક જગ્યાએ ભેગા થયા હતા.
\v 2 અચાનક તેમણે આકાશમાંથી આવતો ઘૂઘવતા પવન જેવો અવાજ સાંભળ્યો. આખા ઘરમાં જ્યાં તેઓ બેઠેલા હતા તેઓ બધાએ તે અવાજ સાંભળ્યો.
\v 3 પછી તેમણે આગની જ્વાળાઓ જેવું કંઇક જોયું. આ જ્વાળાઓ એકબીજાથી અલગ થઈ અને તેઓમાંના દરેક વિશ્વાસીઓ પર ઊતરી આવી.
\v 4 ત્યારે બધા વિશ્વાસીઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને, આત્માએ જેમ તેમને શક્તિ આપી તેમ તેઓ વિવિધ ભાષાઓ બોલવા લાગ્યા.
\s5
\v 5 તે સમયે ઘણા યહૂદીઓ પચાસમાના પર્વની ઉજવણી માટે યરુશાલેમમાં આવ્યા હતા. તેઓ યહૂદીઓ હતા જેઓ અંતઃકરણપૂર્વક ઈશ્વરની આરાધના કરતા હતા. તેઓ ઘણા વિવિધ દેશોમાંથી આવેલા હતા.
\v 6 જ્યારે તેઓએ પવનના જેવો મોટો અવાજ સાંભળ્યો, ત્યારે લોકોનું ટોળું જ્યાં વિશ્વાસીઓ હતા ત્યાં ભેગું થયું. ટોળું આશ્ચર્ય પામ્યું કારણ કે તેઓમાંના દરેકે વિશ્વાસીઓને તેમની પોતાની ભાષામાં બોલતા સાંભળ્યા.
\v 7 તેઓએ ખૂબ આશ્ચર્ય પામીને એકબીજાને કહ્યું કે, "આ બધા માણસો જેઓ બોલી રહ્યા છે તેઓ ગાલીલના છે, તો તેઓ આપણી ભાષાઓ કેવી રીતે જાણી શકે?
\s5
\v 8 પણ આપણે તેઓને આપણી પોતાની ભાષામાં બોલતા સાંભળીએ છીએ જે આપણે જન્મથી શીખેલા છીએ!
\v 9 આપણામાંના ઘણા પાર્થીયા અને માદી અને એલામ પ્રદેશના, અને બીજાઓ મેસોપોટેમિયા, યહૂદિયા, કપ્પ્દોકિયા, પોન્તસ અને આસિયા પ્રદેશના છીએ.
\v 10 અહીં કેટલાક લોકો ફ્રુગિયા અને, પમ્ફૂલીયા, ઈજીપ્ત, અને કુરેની શહેર પાસેના લિબિયાના પ્રદેશના છે. અહીં આપણામાંના કેટલાક રોમથી આવેલા કે જે યરુશાલેમમાં મુલાકાતીઓ છે.
\v 11 તેઓમાં સ્થાનિક યહૂદીઓ તેમજ બિન યહૂદીઓ કે જેઓ આપણે યહૂદીઓ જે માનીએ છીએ તે પર વિશ્વાસ કરનારા છે. અને આપણામાંના બીજા કેટલાક ક્રીત ટાપુથી અને અરેબિયા પ્રદેશમાંથી આવેલા છે. તો ઈશ્વરે જે મહાન કાર્યો કર્યાં છે તે વિષે આ લોકો આપણી ભાષામાં કેવી રીતે બોલી શકે?"
\s5
\v 12 લોકો ખૂબ આશ્ચર્યમાં હતા અને શું થઈ રહ્યું હતું તેને વિષે શું સમજવું તે તેઓ જાણતા ન હતા. તેથી તેમણે એકબીજાને પૂછ્યું," આનો શો અર્થ હોઈ શકે?"
\v 13 પણ તેઓમાંના કેટલાકે તેમણે જે જોયું તેના વિષે મશ્કરી કરી. તેમણે કહ્યું, "આ લોકો આવી રીતે બોલે છે કારણ કે તેમણે વધારે પ્રમાણમાં નવો દ્રાક્ષારસ પીધો છે!"
\s5
\v 14 તેથી બીજા અગિયાર પ્રેરિતો સાથે પિતરે ઊભા થઈને ટોળામાંના લોકોને મોટેથી જણાવ્યું; તેણે કહ્યું, "ઓ યહૂદિયાના માણસો અને બીજા જેઓ યરુશાલેમમાં રહેનારા, તમે બધા,મારું સાંભળો, અને જે થઈ રહ્યું છે તે વિષે હું તમને સમજાવીશ!
\v 15 તમારામાંના કેટલાક એવું વિચારે છે કે અમે પીધેલા છીએ, પણ અમે પીધેલા નથી. હજુ તો સવારના નવ જ વાગ્યા છે અને અહીંના લોકો દિવસના આ સમયે પીધેલા હોતા નથી!
\s5
\v 16 પણ તેથી ઊલટું, અમારી સાથે જે બન્યું તે તો યોએલ પ્રબોધકે લાંબા સમય પહેલા લખ્યું હતું તે ચમત્કારિક બાબત છે. તેણે લખેલું: ઈશ્વર કહે છે,
\v 17 'અંતના દિવસોમાં, હું મારો પવિત્ર આત્મા સર્વ લોકોને આપીશ, પરિણામે તમારા દીકરા અને દીકરીઓ મારા સંદેશાઓ લોકોને જણાવશે, અને હું જુવાનોને દર્શન અને વૃદ્ધ માણસોને સ્વપ્ન આપીશ.
\s5
\v 18 એ દિવસોમાં હું મારા સેવકોને મારો પવિત્ર આત્મા આપીશ, જેથી તેઓ લોકોને મારા સંદેશાઓ આપી શકે.
\v 19 આકાશમાં હું અદભૂત બાબતો કરીશ, અને અગત્યની તેમજ અદભૂત બાબતો પૃથ્વી પર બનશે તે બતાવવા માટે હું ચમત્કારો કરીશ. અહીં પૃથ્વી પર સર્વત્ર લોહી, આગ અને ધુમાડો હશે.
\s5
\v 20 લોકોને આકાશમાં સૂર્ય અંધકારમય અને ચંદ્ર લાલ દેખાશે. હું, પ્રભુ ઈશ્વર, સર્વનો ન્યાય કરવા આવીશ તે પહેલા એ બધી બાબતો બનશે.
\v 21 અને જેઓ મદદ માટે મને બૂમ પાડશે તેમને હું બચાવીશ."
\s5
\v 22 પિતરે બોલવાનું જારી રાખ્યું," મારા સાથી ઇઝરાયલીઓ, મારું સાંભળો! જ્યારે નાસરેથના ઈસુ તમારી મધ્યે જીવ્યા, ત્યારે ઈશ્વરે તેમને મોકલીને ઘણા ચમત્કારો કરવાની શક્તિ આપીને તમને એ સાબિતી આપી કે તેઓ ઈશ્વર પાસેથી આવેલા હતા. તમે પોતે એ જાણો છો કે તે સાચું છે.
\v 23 આ બધું તમે જાણતા હોવા છતાં, તમે આ માણસ ઈસુને તેમના દુશ્મનોના હાથમાં સોંપ્યા. જો કે, તે વિષે ઈશ્વરે ઠરાવેલું હતું, અને તે સંબંધી તેઓ સઘળું જાણતા હતા. પછી તમે એવા માણસો કે જેઓ ઈશ્વરના નિયમને આધીન થતા નથી તેઓને ઈસુને મારી નાખવા વિનંતી કરી. તેઓએ તેમને વધસ્તંભે જડવા દ્વારા તે પ્રમાણે કર્યું.
\v 24 તે મરણ પામ્યા, પણ ઈશ્વરે તેમને પાછા ઉઠાડ્યા, કારણ કે તેઓ મરણ પામેલા રહે તે શક્ય ન હતું. ઈશ્વરે ઈસુને સજીવન કર્યા."
\s5
\v 25 "મસીહાએ જે કહ્યું તે સબંધી દાઉદ રાજાએ લાંબા સમય અગાઉ લખ્યું હતું કે, હે, પ્રભુ ઈશ્વર, તમે હંમેશા મારું સાંભળશો. તમે મારી જમણી બાજુએ છો, જેઓ મને નુકસાન કરવા માંગે છે તેમનાથી હું ગભરાઇશ નહિ.
\v 26 તેથી મારું હૃદય હર્ષ પામ્યું અને હું આનંદ પામ્યો, જો કે એક દિવસે હું મરણ પામીશ, તો પણ હું જાણું છું કે તમે મને હંમેશાં મદદ કરશો.
\s5
\v 27 જ્યાં મરણ પામેલાઓ છે તે જગ્યામાં તમે મને નહિ રહેવા દો. તમે મારા શરીરનો નાશ પણ નહિ થવા દો, કેમકે હું તમને સમર્પિત છું અને હંમેશાં તમારી આજ્ઞા પાળુ છું.
\v 28 તમે મને બતાવ્યું છે કે પુનર્જીવિત કેવી રીતે થવું. તમે મને આનંદિત કરશો કેમકે તમે સદા મારી સાથે રહેશો."
\s5
\v 29 પિતરે આગળ કહ્યું, "મારા સાથી યહૂદીઓ, મને ખાતરી છે કે આપણો પૂર્વજ, દાઉદ, મરણ પામ્યો, અને લોકોએ તેને દફ્નાવ્યો. અને જે જગ્યામાં તેઓએ તેને દફ્નાવ્યો તે જગ્યા આજે પણ અહીં છે.
\v 30 દાઉદ રાજા એક પ્રબોધક હતો અને તેણે જાણ્યું હતું કે ઈશ્વરે તેને વચન આપ્યું હતું કે તેના વંશજોમાંનો એક રાજા બનશે.
\v 31 લાંબા સમય અગાઉ દાઉદ જાણતો હતો કે ઈશ્વર શું કરવાના છે. તેણે કહ્યું કે ઈશ્વર ઈસુ મસીહને મરણ પામ્યા પછી સજીવન કરશે. ઈશ્વર તેમને કબરમાં રહેવા દેશે નહિ, અને તેમના શરીરનો નાશ થવા દેશે નહિ."
\s5
\v 32 "આ માણસ ઈસુ મરણ પામ્યા પછી ઈશ્વરે તેમને સજીવન કર્યા. આપણામાંના સર્વ, તેમના અનુયાયીઓએ જાણીએ છીએ, કેમ કે આપણે તેમને જોયા છે.
\v 33 ઈશ્વર તેમના પિતાએ, ઈસુને તેમને જમણે હાથે બેસાડીને તેમની સાથે રાજ્ય કરવા દઈને મોટું માન આપ્યું છે. તેમણે આપણને પવિત્ર આત્મા આપ્યો છે, અને આજે તમે અહીં જે જોઈ અને સાંભળી રહ્યા છો તે એ જ છે.
\s5
\v 34 આપણે એ જાણીએ છીએ કે દાઉદ પોતાના વિષે કહેતો નથી કારણ કે, જેવી રીતે ઈસુ સ્વર્ગમાં ઉપર ગયા તેવી રીતે દાઉદ ગયો નહોતો. તે સાથે, દાઉદે પોતે ઈસુ મસીહ વિષે આ કહ્યું છે: પ્રભુ ઈશ્વરે મારા પ્રભુ મસીહને કહ્યું કે, અહીં મારા જમણા હાથે રાજ કરો,
\v 35 જ્યાં સુધી હું તમારા દુશ્મનોને સંપૂર્ણ હરાવી દઉં ત્યાં સુધી."'
\v 36 પિતરે એમ કહીને પૂરું કર્યું, "તેથી હું ઈચ્છું છું કે તમે અને બીજા ઇઝરાયલીઓ એ જાણો કે, આ જ ઈસુ જેને તમે વધસ્તંભે જડયા અને મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ અને મસીહ બંને બનાવ્યા છે."
\s5
\v 37 પિતરે અને બીજા પ્રેરિતોએ જે કહ્યું તે લોકોએ સાંભળ્યું ત્યારે, તેઓએ જાણ્યું કે તેમણે ખોટું કર્યું છે. લોકોએ તેઓને કહ્યું," અમારે શું કરવું જોઈએ?"
\v 38 પિતરે તેઓને જવાબ આપ્યો, "તમારામાંના દરેકે તમારાં પાપી વર્તનથી પાછા ફરવું જોઈએ. જો તમે અત્યારે ઈસુ પર વિશ્વાસ કરશો તો અમે તમને બાપ્તિસ્મા આપીશું. ઈશ્વર તમારાં પાપ માફ કરશે, અને તેઓ તમને તેમનો પવિત્ર આત્મા આપશે.
\v 39 ઈશ્વરે તમારા માટે અને તમારાં બાળકોને માટે, અને બીજા જે બધા ઈસુમાં વિશ્વાસ કરે છે, તેઓ અહીંથી દૂર રહેતા હોય તેઓને માટે પણ આ કરવાનું વચન આપ્યું છે. આપણા પ્રભુ ઈશ્વર તેમનો પવિત્ર આત્મા આપણને જેઓને તેમણે તેમના લોકો થવા બોલાવ્યા છે તેઓને આપશે!"
\s5
\v 40 પિતર ઘણું બોલ્યો અને તેમને ભારપૂર્વક કહ્યું. તેણે તેઓને કહ્યું, "ઈશ્વર પાસે માગો કે તેઓ તમને બચાવે જેથી જ્યારે ઈસુનો નકાર કરનારા આ દુષ્ટ લોકોને તેઓ શિક્ષા કરે ત્યારે તમને શિક્ષા ન કરે!"
\v 41 તેથી જે લોકોએ પિતરના સંદેશા પર વિશ્વાસ કર્યો તેઓ બાપ્તિસ્મા પામ્યા. તેઓમાંથી તે દિવસે વિશ્વાસીઓના સમૂહમાં આશરે ત્રણ હજાર લોક સામેલ થયા.
\v 42 પ્રેરિતો જે શીખવતા હતા તેને તેઓ સતત આધીન થતા હતા. તેઓ ઘણીવાર બીજા વિશ્વાસીઓને મળતા હતા અને તેઓ સાથે મળીને જમતા હતા તેમજ સાથે મળીને દરરોજ પ્રાર્થના કરતા હતા.
\s5
\v 43 સર્વ લોકો જેઓ યરુશાલેમમાં હતા તેઓ ઈશ્વરને ઘણુ માન આપતા હતા કારણ કે પ્રેરિતો ઘણા ચમત્કારિક કૃત્યો કરતા હતા.
\v 44 જેઓ સર્વએ ઈસુ પર વિશ્વાસ કર્યો તેઓએ એ બાબતો પર પણ વિશ્વાસ કર્યો અને તેઓ નિયમિત રીતે એકઠા મળતા હતા. તેમની પાસે જે કઇ હતું તે તેઓ એકબીજાની સાથે વહેંચતા હતા.
\v 45 તેઓ સમય આવ્યે તેમની પોતાની જમીન અને બીજી વસ્તુઓ વેચી દેતા હતા, અને દરેકની જરૂરિયાત પ્રમાણે તે નાણા અન્ય લોકોને આપતા હતા.
\s5
\v 46 તેઓ દરરોજ ભક્તિસ્થાનના વિસ્તારમાં એકઠા મળતા અને પછી પોતાના ઘરોમાં સાથે ભોજન કરતા હતા. જ્યારે તેઓ સાથે જમતા ત્યારે તેઓ આનંદિત હતા અને તેઓ તેમની પાસે જે હતું તે એકબીજા સાથે વહેંચતા હતા.
\v 47 એમ કરીને તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા, અને યરુશાલેમના સર્વ લોકો તેમને માન આપતા હતા. આવી બાબતો બની રહી હતી ત્યારે જેઓને તેઓનાં પાપોની શિક્ષામાંથી બચાવવામાં આવ્યા હતા તેઓને પ્રભુ ઈસુ દરરોજ સંગતમાં ઉમેરતા હતા.
\s5
\c 3
\p
\v 1 એક દિવસ પિતર અને યોહાન ભક્તિસ્થાનના આંગણા તરફ જતા હતા, ત્યારે બપોરના ત્રણ વાગ્યા હતા, તે સમયે લોકો ત્યાં પ્રાર્થના કરતા હતા.
\v 2 ત્યાં એક માણસ હતો કે જે જન્મ્યો ત્યારથી ચાલી શકતો ન હતો. તે ભક્તિસ્થાનના પ્રવેશ દ્વારે સુંદર નામના દરવાજા આગળ બેસતો હતો. લોકો દરરોજ તેને ત્યાં લઇ જતા હતા કે જેથી જેઓ ભક્તિસ્થાનમાં જતા હતા તેઓની પાસે તે નાણાં માગી શકે.
\v 3 પિતર અને યોહાન મંદિરમાં પ્રવેશતા હતા ત્યારે તે તેઓની પાસે પૈસાની માગણી કરવા લાગ્યો.
\s5
\v 4 જ્યારે પિતરે અને યોહાને તેની તરફ જોયું ત્યારે પિતરે તેને કહ્યું "અમારી તરફ જો!"
\v 5 તેથી તેણે પૈસા મળવાની અપેક્ષાએ તેઓની તરફ તાકીને જોયું.
\v 6 ત્યારે પિતરે તેને કહ્યું, "મારી પાસે પૈસા નથી, પણ હું તારા માટે જે કરી શકું છું તે હું કરીશ. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં તું સાજો થયો છે. ઊઠીને ચાલ!"
\s5
\v 7 પછી પિતરે તે માણસનો જમણો હાથ પકડીને તેને ઊભા થવામાં મદદ કરી. તે જ ક્ષણે તે માણસના પગ અને ઘૂંટીઓમાં તાકાત આવી.
\v 8 તે કૂદીને ઉભો થયો અને ચાલવા લાગ્યો! પછી તે ચાલતો અને કૂદતો, ઈશ્વરની સ્તુતિ કરતો પિતર અને યોહાનની સાથે ભક્તિસ્થાનમાં પ્રવેશ્યો!
\s5
\v 9 સર્વ લોકોએ તેને ભક્તિસ્થાનમાં ચાલતો અને ઈશ્વરની સ્તુતિ કરતો જોયો.
\v 10 તેઓએ જાણ્યું કે ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ બેસીને જે પૈસા માંગતો હતો તે એ જ માણસ હતો! તેથી જે માણસો ત્યાં હતા તેઓ તેને જે થયું હતું તે જોઈને આશ્ચર્ય પામ્યા.
\s5
\v 11 તે માણસ પિતર અને યોહાનને વળગી રહ્યો હતો ત્યારે બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને શું વિચારવું તેની તેમને સમજણ પડી નહિ! તેથી તેઓ ભક્તિસ્થાનમાં સુલેમાનની કહેવાતી પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા.
\v 12 જ્યારે પિતરે લોકોને જોયા, ત્યારે તેણે તેઓને કહ્યું, "સાથી ઇઝરાયલીઓ, આ માણસને જે થયું તેથી તમારે આશ્ચર્ય પામવું ન જોઈએ! જાણે અમે અમારી શક્તિથી આ માણસને ચાલતો કર્યો હોય તેમ અમારી સામે કેમ જુઓ છો?
\s5
\v 13 તેથી હું તમને જણાવીશ કે ખરેખર શું બની રહ્યું છે. આપણા પૂર્વજો, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ ઈશ્વરનું ભજન કરતા હતા. અને હવે ઈશ્વરે ઈસુને બહુ મહિમાવાન કર્યા છે. તમારા આગેવાનો ઈસુને રાજ્યપાલ પિલાત પાસે લાવ્યા કે જેથી તેના સૈનિકો તેમને શિક્ષા કરે. પિલાતે ઈસુને છોડી દેવાનો નિર્ણય કર્યો ત્યારે તમે જ ઈસુનો નકાર કર્યો હતો.
\v 14 જો કે, ઈસુ, ઈશ્વર તરફથી ઇઝરાયલના મસીહ અને ન્યાયી હતા તોપણ તમે તેને બદલે એક ખૂનીને મુક્ત કરવાની માગણી કરી!
\s5
\v 15 ઈશ્વરે એ ધ્યાનમાં લીધું છે કે , જે લોકોને અનંતજીવન આપે છે તે ઈસુને તમે મારી નાખ્યા છે. પણ ઈશ્વરે તેમને સજીવન કર્યા છે. તેમના જીવંત થયા પછી અમે ઈસુને ઘણી વખત જોયા છે.
\v 16 અમે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ અને આ માણસ ઈસુ પર વિશ્વાસ કરે છે તેને કારણે તે ફરીથી શક્તિમાન થઈને તમારી સમક્ષ ચાલતો થયો છે."
\s5
\v 17 હવે મારા સાથી દેશવાસીઓ, તમે અને તમારા આગેવાનોએ ઈસુને મારી નાખ્યા, કારણ કે તમે જાણતા ન હતા કે તેઓ મસીહ હતા.
\v 18 તથાપિ, ઈશ્વરે અગાઉથી જણાવ્યું હતું કે લોકો ઈસુને મારી નાખશે. ઈશ્વરે સર્વ પ્રબોધકો મારફતે કહાવ્યું હતું કે લોકો મસીહ સાથે કેવું વર્તન કરશે. તેઓએ લખ્યું હતું કે મસીહ કે જેમને ઈશ્વર મોકલશે, તે સહન કરશે અને મરણ પામશે.
\s5
\v 19 તેથી તમારાં પાપી માર્ગથી પાછા ફરો અને ઈશ્વરને જે ગમે છે તે કરવા તેઓ તમને મદદ કરે તેમ જણાવો, કે જેથી તેઓ તમારા સર્વ પાપોની માફી આપે અને તમને બળવાન કરે.
\v 20 જો તમે એમ કરશો તો, એવા સમયો આવશે જ્યારે તમને ખબર પડશે કે ઈશ્વર તમને મદદ કરી રહ્યા છે અને ઈશ્વરે જે મસીહ તમને આપ્યા છે તેઓને ઈશ્વર કોઈક દિવસે ફરી પૃથ્વી પર મોકલશે તે વ્યક્તિ તો ઈસુ છે.
\s5
\v 21 ઈશ્વરે જે સર્જન કર્યું છે તે નવું થાય ત્યાં સુધી ઈસુ નિશ્ચે સ્વર્ગમાં રહેશે. ઘણા સમય અગાઉ ઈશ્વરે તેમ કરવાનું વચન આપ્યું હતું અને તમને તે જણાવવા પવિત્ર પ્રબોધકોને પસંદ કર્યા હતા.
\v 22 દાખલા તરીકે, મૂસા પ્રબોધકે મસીહ સંબંધી જણાવ્યું: 'પ્રભુ તમારા ઈશ્વર, મારા જેવો પ્રબોધક તમારી મધ્યે મોકલશે. તે તમને જે કહે તે બધું તમારે સાંભળવું જ જોઈશે .
\v 23 જેઓ તે પ્રબોધકનું નહિ સાંભળે અને તેને આધીન નહિ થાય, તેઓ ઈશ્વરના લોક તરીકે અસ્તિત્વ નહિ ધરાવે, ઈશ્વર તેમનો નાશ કરશે.'"
\s5
\v 24 પિતરે સંદેશ જારી રાખતાં કહ્યું," આ દિવસોમાં શું બનશે તે વિષે બધા પ્રબોધકો એ કહ્યું છે. શમુએલ સહિત તે બધા પ્રબોધકોએ તે ઘટનાઓ બને તે પહેલા તેના વિષે કહ્યું છે.
\v 25 ઈશ્વરે જ્યારે આપણા પૂર્વજોને ખાતરીપૂર્વક આશીર્વાદ આપવાનું વચન આપ્યું ત્યારે, તેમણે તમને પણ ચોક્કસપણે આશીર્વાદ આપવાનું વચન આપ્યું. તેમણે ઈબ્રાહિમને મસીહ વિષે કહ્યું, 'તમારા વંશજો જે કરશે તેના પરિણામરૂપે, હું પૃથ્વી પરની સર્વ દેશજાતિઓને આશીર્વાદ આપીશ.'"
\v 26 પિતરે અંતમાં કહ્યું," તેથી જ્યારે ઈશ્વરે ઈસુને મસીહ તરીકે સેવા કરવા પૃથ્વી પર મોકલ્યા, ત્યારે પ્રથમ ઓ ઇઝરાયલીઓ, તેમણે તેમને તમારી પાસે મોકલ્યા કે તેઓ તમને આશિષ આપે કે જેથી જે દુષ્ટતા છે તે કરતા તમે અટકી જાઓ.
\s5
\c 4
\p
\v 1 તે દરમ્યાન ત્યાં ભક્તિસ્થાનના આંગણામાં કેટલાક યાજકો હતા. ત્યાં ભક્તિસ્થાનના રક્ષકોનો અધિકારી અને સાદૂકી જૂથના કેટલાક સભ્યો પણ હતા. જ્યારે તેઓ બંને લોકોની સાથે વાત કરતા હતા ત્યારે આ બધા માણસો પિતર અને યોહાનની પાસે આવ્યા.
\v 2 આ માણસો બહુ ગુસ્સામાં હતા કારણ કે બે પ્રેરિતો લોકોને ઈસુ સંબંધી શીખવતા હતા. તેઓ લોકોને જે કહી રહ્યા હતા તે એ કે, ઈસુને મારી નંખાયા પછી ઈશ્વરે તેમને સજીવન કર્યા.
\v 3 તેથી એ માણસોએ પિતર તથા યોહાનને પકડીને જેલમાં પૂર્યા. યહૂદી ન્યાયસભાને પિતર અને યોહાનની તપાસ કરવા માટે બીજા દિવસ સુધી રાહ જોવી પડી, કારણ કે ત્યારે સાંજ પડી ગઈ હતી.
\v 4 તોપણ ઘણા લોકો કે જેઓએ પિતરને બોલતો સાંભળ્યો તેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો. જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો તેઓની સંખ્યા લગભગ પાંચ હજાર સુધી વૃદ્ધિ પામી.
\s5
\v 5 બીજે દિવસે મહાયાજકે બીજા મુખ્ય યાજકોને, યહૂદી કાયદા જાણનાર શિક્ષકોને, અને યહૂદી ન્યાયસભાના અન્ય સભ્યોને બોલાવ્યા, અને તેઓ યરુશાલેમમાં એક જગ્યાએ ભેગા થયા.
\v 6 અન્નાસ, પૂર્વ મહાયાજક ત્યાં હતો. વળી નવો મુખ્ય યાજક કાયાફાસ અને યોહાન અને એલેકઝાંડર, તથા મુખ્ય યાજકના બીજા સગાઓ પણ ત્યાં હતા.
\v 7 તેઓએ રક્ષકોને પિતર અને યોહાનને ઓરડામાં લાવવા આદેશ કર્યો અને પછી તેઓએ પિતર અને યોહાનની પૂછપરછ કરતાં કહ્યું, "આ માણસ કે જે ચાલી શકતો ન હતો તેને સાજો કરવાનો અધિકાર તમને કોણે આપ્યો?"
\s5
\v 8 જેમ પવિત્ર આત્માએ પિતરને શક્તિ આપી, તેમ પિતરે તેઓને જવાબ આપતાં કહ્યું," ઓ સાથી ઇઝરાયલીઓ જેઓ અમારા પર અધિકાર ચલાવો છો, અને બીજા સર્વ આગેવાનો, મારું સાંભળો!
\v 9 આ માણસ જે ચાલી શકતો ન હતો તેના સંબંધમાં જે એક સારું કામ અમે કર્યું, તેના સંબંધી તમે અમને પૂછો છો કે તે કેવી રીતે સાજો થયો. તો તમને અને સર્વ ઇઝરાયલીઓને હું જણાવું છું :
\v 10 નાસરેથના ઈસુ ખ્રિસ્તના નામે આ માણસને સાજો કરવામાં આવ્યો, તેથી જ તે અત્યારે તમારી સમક્ષ ઊભો રહેવા સમર્થ થયો છે. તમે ઈસુને વધસ્તંભે જડીને મારી નાખ્યા છે, પણ ઈશ્વરે તેમને સજીવન કર્યા છે.
\s5
\v 11 નાસરેથના ઈસુ ખ્રિસ્તના સંબંધમાં શાસ્ત્ર આ પ્રમાણે કહે છે: "જે પત્થરને બાંધનારાઓએ ફેંકી દીધો તે મકાનનો મુખ્ય પત્થર બન્યો છે."
\v 12 કેવળ ઈસુ જ આપણને બચાવી શકે છે, કારણ કે દુનિયામાં ઈશ્વરે બીજો કોઈ માણસ આપ્યો નથી કે જે આપણને પાપોના દોષથી બચાવી શકે!"
\s5
\v 13 યહૂદી આગેવાનોને ખાતરી થઇ કે પિતર અને યોહાન તેમનાથી ગભરાતા નહોતા. તેઓને એ પણ ખબર પડી કે આ બંને સાધારણ માણસો હતા જેઓ કોઈ શાળામાં શીખેલા નહોતા. તેથી આગેવાનો આશ્ચર્ય પામ્યા. તેઓને ખબર હતી કે તેઓ ઈસુની સાથે રહેતા હતા.
\v 14 તેઓએ એ પણ જોયુ કે જે માણસને સાજો કરવામાં આવ્યો હતો તે પિતર અને યોહાનની સાથે ઊભો હતો, તેથી તેઓ તેમની વિરુદ્ધ કંઈ બોલી શકે તેમ નહોતા.
\s5
\v 15 યહૂદી આગેવાનોએ રક્ષકોને પિતર, યોહાન, અને સાજા થયેલા માણસને બેઠક ખંડ જ્યાં તેઓ સભા માટે મળ્યા હતા ત્યાંથી બહાર લઈ જવા જણાવ્યું. તેઓએ એ પ્રમાણે કર્યા પછી આગેવાનોએ પિતર અને યોહાન સંબંધી એકબીજા સાથે વાત કરી.
\v 16 તેઓએ કહ્યું, "આ બંને માણસોને આપણે સજા કરી શકીએ એવી કોઈ બાબત નથી! યરુશાલેમમાં રહેનારા દરેક જણ જાણે છે કે તેઓએ અદભૂત ચમત્કાર કર્યો છે, તેથી એવું કઈ બન્યું નથી તેવું આપણાથી કહી શકાય તેમ નથી!
\v 17 તોપણ, તેઓ આ ઈસુ વિષે જે શીખવે છે તે બીજા લોકો સાંભળે એવું પણ આપણે થવા દેવું ન જોઈએ. તેથી આપણે આ માણસોને કહેવું જોઈએ કે, જો તેઓ બીજા લોકોને ઈસુ વિષે જણાવવાનું ચાલુ રાખશે કે જેમણે આ માણસને સાજો કરવાનું સામર્થ્ય તેમને આપ્યું, તો આપણે તેઓને શિક્ષા કરીશું."
\v 18 તેથી યહૂદી આગેવાનોએ રક્ષકોને તે બંને પ્રેરિતોને પાછા ઓરડામાં લાવવા કહ્યું. રક્ષકોએ એમ કર્યા પછી, તેઓએ તે બંનેને જણાવ્યું કે તેઓએ હવેથી કોઈને પણ ઈસુ વિષે કહેવું કે શીખવવું નહિ.
\s5
\v 19 પણ પિતરે અને યોહાને કહ્યું, "ઈશ્વર એ યોગ્ય માનશે કે અમે તમારું માનીએ અને તેમનું નહિ? શું યોગ્ય છે તે અમે તમને જ નક્કી કરવા દઈએ.
\v 20 પણ અમે તો, તમારું માની શકીએ તેમ નથી. ઈસુએ જે કર્યું અને શીખવ્યું તે સંબંધી લોકોને કહેવાથી અમે અટકી શકતા નથી."
\s5
\v 21 પછી યહૂદી આગેવાનોએ ફરીથી પિતર અને યોહાનને તેમની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવા જણાવ્યું, પણ તેઓએ તેમને શિક્ષા કરવી નહિ એવું નક્કી કર્યુ, કારણ કે યરુશાલેમના સર્વ લોકો અપંગ માણસના સંબંધમાં જે બન્યું તેને લીધે ઈશ્વરની સ્તુતિ કરતા હતા.
\v 22 તે ચાલીસ કરતાં વધારે વર્ષનો હતો, અને તે જન્મ્યો ત્યારથી ચાલી શકતો ન હતો.
\s5
\v 23 ન્યાયસભામાંથી નીકળ્યા પછી, પિતર અને યોહાન અન્ય વિશ્વાસીઓની પાસે ગયા અને મુખ્ય યાજકો તેમજ યહૂદી આગેવાનોએ તેમને જે કહ્યું હતું તે કહી સંભળાવ્યું.
\v 24 જ્યારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓએ એક મતે પ્રભુને પ્રાર્થના કરી કે, "ઓ પ્રભુ! તમે આકાશ, પૃથ્વી અને સમુદ્ર, તથા તેમાં જે છે તે દરેકના સર્જનહાર છો.
\v 25 પવિત્ર આત્માએ અમારા પૂર્વજ દાઉદ, જે તમારો સેવક હતો, તેના દ્વારા આ શબ્દો લખાવ્યા: 'શા માટે દુનિયાનાં લોકજૂથો ગુસ્સામાં છે, અને ઇઝરાયલી લોકો ઈશ્વર વિરુદ્ધ વ્યર્થ યોજનાઓ કરે છે?
\s5
\v 26 પૃથ્વીના રાજાઓ ઈશ્વરના અધિકારીની વિરુદ્ધ લડવા તૈયાર થયા છે, અને અધિકારીઓ તેમની સાથે જોડાયા છે કે તેઓ પ્રભુ ઈશ્વર અને મસીહ જેમને તેઓએ પસંદ કર્યા છે તેઓની વિરુદ્ધ ઊઠે.'
\s5
\v 27 એ સાચું છે! હેરોદ અને પોન્તિયસ પિલાત, બિન યહૂદીઓ અને ઇઝરાયલીઓ બન્ને સાથે મળીને, આ શહેરમાં ઈસુ, જેમને તમે મસીહ તરીકે સેવા કરવા પસંદ કર્યા તેમની વિરુદ્ધ ઊઠ્યા.
\v 28 તમે તેઓને એમ કરવા દીધું કારણ કે, એ બન્યા અગાઉ લાંબા સમય પહેલા તમે તે નક્કી કર્યું હતું."
\s5
\v 29 "તેથી હવે, હે પ્રભુ, અમને તેઓ કેવી રીતે શિક્ષા કરશે તેના સંબંધી તેઓ જે કહે છે તે તમે સાંભળો! અમે જેઓ ઈસુ વિશેની વાત બધાને કરવા દ્વારા તમારી સેવા કરીએ છીએ તેઓની મદદ કરો!
\v 30 તમારા પવિત્ર સેવક ઈસુના નામમાં સાજાપણાના મોટા ચમત્કારો, ચિહ્નો, અને અદભૂત કાર્યો કરવા તમારું પરાક્રમ દેખાડો!"
\v 31 જ્યારે વિશ્વાસીઓએ પ્રાર્થના કરવાનું પૂરું કર્યું, ત્યારે જ્યાં તેઓ એકઠા થયા હતા તે જગ્યા ધ્રૂજી. પવિત્ર આત્માએ જેમ તેમને શક્તિ આપી તેમ તેઓ હિંમતથી ઈશ્વરે તેમને કહેલાં વચનો બોલવા લાગ્યા, અને એ પ્રમાણે તેઓએ કર્યું.
\s5
\v 32 વિશ્વાસ કરનારા લોકોનું જૂથ તેઓ જે વિચારતા હતા અને ઇચ્છતા હતા તે સંબંધી પૂરી સહમતિ ધરાવતું હતું. તેઓમાંનો કોઈ એવું કહેતો ન હતો કે આ વસ્તુ મારા એકલાની જ છે, પણ તેને બદલે, તેમની પાસે જે કઈ હતું તે એકબીજા સાથે તેઓ વહેંચતા હતા.
\v 33 પ્રેરિતોએ હિંમતથી બીજાને જણાવવાનું ચાલુ રાખ્યું કે ઈશ્વરે ઈસુ પ્રભુને સજીવન કર્યા છે. અને ઈશ્વર સર્વ વિશ્વાસીઓને ખૂબ મદદ કરતા હતા.
\s5
\v 34 વિશ્વાસીઓમાંના કેટલાક જેમની પાસે જમીન કે મકાનો હતા તેઓએ તેમની મિલકત વેચી નાખી. પછી તેમણે જે વેચ્યું હતું તેનાં નાણાં તેઓ પ્રેરિતો પાસે લાવતા.
\v 35 અને પછી તેઓ તે પ્રેરિતોને આપતા. પછી પ્રેરિતો તે નાણાંમાંથી જરૂરિયાતવાળા વિશ્વાસીને આપતા હતા.
\s5
\v 36 હવે ત્યાં યૂસફ નામે લેવી કુળનો માણસ હતો, અને તે સાયપ્રસ ટાપુ પરથી આવ્યો હતો. પ્રેરિતો તેને બાર્નાબાસ કહેતા હતા, યહૂદીઓની ભાષામાં તેના નામનો અર્થ, બીજાઓને હંમેશાં ઉત્તેજન આપનાર માણસ એવો થાય છે.
\v 37 તેણે એક ખેતર વેચી દીધું અને તેનાં નાણા તે પ્રેરિતોની પાસે લાવ્યો કે જેથી બીજા વિશ્વાસીઓને આપી શકાય.
\s5
\c 5
\p
\v 1 હવે ત્યાં વિશ્વાસીઓમાંનો એક માણસ હતો જેનું નામ અનાન્યા હતું, અને તેની પત્નીનું નામ સાફીરા હતું. તેણે પણ કેટલીક જમીન વેચી.
\v 2 જમીનનાં જે નાણા તેને મળ્યાં તેમાંથી તેણે થોડા પોતાને માટે પણ રાખ્યાં, તેની પત્ની જાણતી હતી કે તેણે આ પ્રમાણે કર્યું છે. પછી તેણે તે બચેલાં નાણા લાવીને પ્રેરિતોને આપ્યાં.
\s5
\v 3 ત્યારે પિતરે કહ્યું, "અનાન્યા, તેં શેતાનને તારો સંપૂર્ણ કાબૂ લેવા દીધો જેથી તેં પવિત્ર આત્માને છેતરવાનો પ્રયત્ન કર્યો. તેં આટલી ભયંકર બાબત કેમ કરી? જમીન વેચવાથી ઉપજેલાં નાણામાંથી તેં થોડાં તારા પોતાને માટે રાખ્યાં છે. તે તેમાંનું બધું અમને આપ્યું નથી.
\v 4 તે જમીન તેં વેચી તે પહેલાં તે ખરેખર તારી પોતાની જ હતી. અને તે વેચી તે પછી, તે નાણાં પણ હજું તારાં જ હતાં. તો આ દુષ્ટ કામ કરવાનો વિચાર તેં કેમ કર્યો? તું માત્ર અમને જ છેતરવાનો પ્રયત્ન કરતો હતો એમ નહિ! ના, તેં ઈશ્વરને પોતાને પણ છેતરવાનો પ્રયત્ન કર્યો!"
\v 5 જ્યારે અનાન્યાએ આ શબ્દો સાંભળ્યા ત્યારે, તરત તે પડી ગયો અને મરણ પામ્યો. અને બધા જેઓએ અનાન્યાના મરણ વિષે સાંભળ્યું તેઓ સર્વ ભયભીત થયા.
\v 6 કેટલાક જુવાનો આગળ આવ્યા, તેના શરીરને કપડામાં લપેટ્યું, અને બહાર લઇ જઈને દફ્નાવ્યો.
\s5
\v 7 આશરે ત્રણ કલાક પછી, તેની પત્ની અંદર આવી, પણ જે થયું હતું તેના વિષે તે કંઈ જાણતી નહોતી.
\v 8 પછી પિતરે અનાન્યા જે નાણા લાવ્યો હતો તે તેને બતાવ્યાં અને તેને પૂછ્યું, "મને કહે, તમે બંનેએ જે જમીન વેચી તેનાં શું તમને આટલાં જ નાણા મળ્યાં?" તેણે કહ્યું, "હા, અમને આટલું જ મળ્યું."
\s5
\v 9 તેથી પિતરે તેને કહ્યું, "તમે બંનેએ ભયંકર બાબત કરી છે! તમે બંને પ્રભુના આત્માને છેતરવાનો પ્રયત્ન કરવામાં સંમત થયા છો! સાંભળ! તારા પતિને દફનાવનારાઓનાં પગલાં તને સંભળાય છે? તેઓ અહીં બારણાની બહાર જ છે, અને, તેઓ તને પણ લઇ જશે!"
\v 10 તરત જ સાફીરા પડી ગઈ અને પિતરના પગ પાસે જ મરણ પામી. પછી તે જુવાનો અંદર આવ્યા. જ્યારે તેઓએ તેને પણ મરણ પામેલી જોઈ, ત્યારે તેઓએ તેના શરીરને બહાર લઇ જઈને તેના પતિની બાજુમાં દફનાવ્યું.
\v 11 ઈશ્વરે અનાન્યા અને સાફીરાને જે કર્યું હતું તેના લીધે યરુશાલેમના સર્વ વિશ્વાસીઓ ખૂબ ભયભીત થયા. અને બીજા જેઓએ તે વિષે સાંભળ્યું તેઓ પણ ખૂબ ભયભીત થયા.
\s5
\v 12 ઈશ્વર પ્રેરિતોને ઘણા અદભૂત ચમત્કારો કરવા સમર્થ કરતા હતા જેના લીધે તેઓ જે સંદેશ પ્રગટ કરતા હતા તેનું સત્ય લોકો મધ્યે સાબિત થયું. બધા વિશ્વાસીઓ ભક્તિસ્થાનના આંગણામાં સુલેમાનની પરસાળ તરીકે ઓળખાતી જગ્યાએ નિયમિત રીતે ભેગા મળતા હતા.
\v 13 બીજા બધા લોકો જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા ન હતા તેઓ વિશ્વાસીઓની સાથે રહેવાથી બીતા હતા. જો કે, તેઓએ વિશ્વાસીઓને ખાસ રીતે માન આપવાનું ચાલુ રાખ્યું.
\s5
\v 14 ઘણા બધા પુરુષો અને સ્ત્રીઓએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવાનું શરૂ કર્યું, અને તેઓ વિશ્વાસીઓના સમૂહમાં જોડાયા.
\v 15 તેના પરિણામ રૂપે, જેઓ માંદા હતા તેઓને લોકો સાદડી અને ઝોળીમાં સુવડાવીને શેરીઓમાં લાવતા, જેથી પિતર ત્યાં થઈને પસાર થાય ત્યારે તેનો પડછાયો તેઓમાંના કેટલાક પર પડે અને તેઓ સાજા થાય.
\v 16 યરુશાલેમની આસપાસના શહેરોમાંથી પણ લોકોનો મોટો સમુદાય પ્રેરિતોની પાસે આવતો હતો. તેઓ બીમાર અને અશુદ્ધ આત્મા વળગેલા હોય તેઓને ત્યાં લાવતા હતા, અને ઈશ્વર તે બધાને સાજા કરતા હતા.
\s5
\v 17 પછી મુખ્ય યાજક અને બીજા જેઓ તેની સાથે હતા - તેઓ બધા સદૂકી જૂથના સભ્યો હતા - તેઓને પ્રેરિતોની ખૂબ ઈર્ષા આવી.
\v 18 તેથી તેઓએ ભક્તિસ્થાનના રક્ષકોને પ્રેરિતોને પકડવા અને જેલમાં પૂરવા આદેશ આપ્યો.
\s5
\v 19 પણ રાત્રીના સમયે પ્રભુ ઈશ્વરનો દૂત જેલના દરવાજા ખોલીને પ્રેરિતોને બહાર લાવ્યો! પછી તે દૂતે
\v 20 પ્રેરિતોને કહ્યું," ભક્તિસ્થાનના આંગણામાં જાઓ, ત્યાં ઊભા રહો, અને અનંત જીવન વિષેનો આ સઘળો સંદેશ લોકોને જણાવો."
\v 21 આ સાંભળ્યા પછી, પ્રેરિતોએ પરોઢે ભક્તિસ્થાનના આંગણામાં જઈને લોકોને ફરીથી ઈસુ વિષે શીખવવાનું શરૂ કર્યું. તે દરમ્યાન, મુખ્ય યાજક તેમજ બીજા જેઓ તેની સાથે હતા તેઓએ યહૂદી ન્યાયસભાના બીજા સભ્યોને ભેગા કર્યા. તેઓ બધા ઇઝરાયલના આગેવાનો હતા. એકઠા મળ્યા પછી, તેઓએ રક્ષકોને પ્રેરિતોને લાવવા માટે જેલમાં મોકલ્યા.
\s5
\v 22 પણ જ્યારે રક્ષકો જેલમાં આવી પહોંચ્યા, ત્યારે તેમણેે આવીને જોયું તો પ્રેરિતો ત્યાં ન હતા. તેથી તેઓ સભામાં પાછા ફર્યા અને જણાવ્યું,
\v 23 "અમે જોયું હતું કે જેલના દરવાજા બરાબર બંધ હતા, અને રક્ષકો દરવાજાની બહાર ઊભા રહેલા હતા, પણ અમે જ્યારે દરવાજા ખોલ્યા અને તે માણસોને લેવા અંદર ગયા, ત્યારે ત્યાં જેલમાં કોઈ હતું નહિ."
\s5
\v 24 જ્યારે ભક્તિસ્થાનના રક્ષકોના આગેવાન તેમજ મુખ્ય યાજકોએ તે સાંભળ્યું, ત્યારે તેઓ ખૂબ મૂંઝવણમાં પડી ગયા, અને આશ્ચર્ય પામ્યા કે આ બધી ઘટનાઓનું શું પરિણામ આવશે.
\v 25 પછી કોઈકે આવીને તેઓને કહ્યું કે, "આ સાંભળો! તમે જે માણસોને જેલમાં પૂર્યા હતા તેઓ તો અત્યારે ભક્તિસ્થાનના આંગણામાં ઊભા છે, અને લોકોને શીખવી રહ્યા છે!"
\s5
\v 26 તેથી ભક્તિસ્થાનના રક્ષકોનો આગેવાન અધિકારીઓની સાથે ભક્તિસ્થાનના આંગણામાં ગયો, અને તેઓ પ્રેરિતોને સભાખંડમાં પાછા લાવ્યા. પણ તેઓએ તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો નહિ, કારણ કે તેઓ બીતા હતા કે લોકો તેમના તરફ પત્થર ફેંકીને મારી નાખશે.
\v 27 ભક્તિસ્થાનના રક્ષકોનો આગેવાન તથા અધિકારીઓ પ્રેરિતોને સભાખંડમાં લાવ્યા પછી, તેઓએ તેમને સભાના સભ્યોની સામે ઊભા રહેવાનો આદેશ આપ્યો, અને મુખ્ય યાજકે તેમની પૂછપરછ કરી.
\v 28 તેણે તેઓને કહ્યું, "અમે તમને આદેશ આપ્યો હતો કે તમારે તે માણસ ઈસુ વિષે લોકોને શીખવવું નહિ! પણ તમે અમારી વાત માની નહિ, અને તમે આખા યરુશાલેમના લોકોને તેના સંબંધી શીખવ્યું છે! એ ઉપરાંત, તમે એવું સાબિત કરવા માગો છો કે તે માણસના મરણ વિષે અમે દોષિત છીએ!"
\s5
\v 29 પણ પિતરે, પોતાના તરફથી અને બીજા પ્રેરિતો વતી જવાબ આપ્યો, "ઈશ્વરે અમને જે કરવાની આજ્ઞા આપી છે તે અમારે પાળવી જોઈએ, તમે લોકો અમને જે કરવાનું કહો છો તે નહિ!
\v 30 તમે એમાંના જ છો જેમણે ઈસુને વધસ્તંભે જડી દીધા! પણ ઈશ્વર, જેમનું આપણા પૂર્વજો ભજન કરતા હતા, તેમણે ઈસુને તેમના મરણ પછી પાછા સજીવન કર્યા.
\v 31 ઈશ્વરે ઈસુને બીજા બધા કરતાં વધારે માન આપ્યું. તેમણે ઈસુને આપણા બચાવનાર અને આપણા પર રાજ કરનાર ઠરાવ્યા. તેમણે આપણને ઇઝરાયલીઓને પશ્ચાતાપ કરી પાપ કરતા અટકાવ્યા, કે જેથી તેઓ આપણા પાપોની માફી આપે.
\v 32 ઈસુની સાથે જે બાબતો બની તે વિષે અમે લોકોને કહીએ છીએ. પવિત્ર આત્મા જેમને ઈશ્વરે અમારા માટે એટલે કે જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે તેમના માટે મોકલ્યો છે તે પણ આ બાબતો સાચી છે એની ખાતરી કરાવે છે."
\s5
\v 33 જ્યારે સભાના સભ્યોએ તે સાંભળ્યું, ત્યારે તેઓ પ્રેરિતો પર ખૂબ ગુસ્સે થયા, અને તેઓ તેમને મારી નાખવા માગતા હતા.
\v 34 પણ ત્યાં ગમાલિયેલ નામે ન્યાયસભાનો એક સભ્ય હતો. તે ફરોશીઓના જૂથનો હતો. તે લોકોને યહૂદી નિયમો શીખવતો હતો, અને બધા યહૂદી લોકો તેને ખૂબ માન આપતા હતા. તે સભામાં ઊભો થયો અને રક્ષકોને કહ્યું કે તેઓ થોડા સમય માટે પ્રેરિતોને ઓરડાની બહાર લઇ જાય.
\s5
\v 35 રક્ષકો પ્રેરિતોને બહાર લઇ ગયા તે પછી, તેણે સભાના બીજા સભ્યોને કહ્યું, "સાથી ઇઝરાયલીઓ, તમે આ લોકોને શું કરવા માગો છો તે વિષે તમારે કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ.
\v 36 કેટલાંક વર્ષો પહેલા થ્યુદા નામનો એક જણ હતો કે જેણે સરકાર સામે બળવો કર્યો હતો. તેણે લોકોને કહ્યું કે તે ખૂબ અગત્યની વ્યક્તિ છે, અને આશરે ચારસો માણસો તેની સાથે જોડાયા. પણ તેને મારી નાખવામાં આવ્યો, અને જેઓ તેની સાથે જોડાયેલા હતા તેઓ વિખેરાઈ ગયા. તેથી તેઓએ જે યોજના બનાવી હતી તે પ્રમાણે તેઓ કરી શક્યા નહિ.
\v 37 તે પછી, એ સમયે જ્યારે તેઓ લોકો પાસેથી કર લેવા માટે તેમના નામ નોંધતા હતા, ત્યારે ગાલીલ પ્રદેશના યહૂદા નામના માણસે બળવો કર્યો અને ઘણા લોકોને પોતાની તરફ ખેંચ્યા. પણ તેને મારી નાખવામાં આવ્યો, અને જેઓ તેની સાથે જોડાયેલા હતા તેઓ અલગ અલગ દિશાઓમાં વિખેરાઈ ગયા.
\s5
\v 38 તેથી હવે હું તમને આ કહું છું: આ માણસોને કંઈ નુકસાન કરશો નહિ! તેમને છોડી દો! હું આ કહું છું કારણ કે જે બાબતો અત્યારે બની રહી છે તે જો માણસોની બનાવેલી યોજના છે તો, કોઈક તેને અટકાવશે. અને તેઓ નિષ્ફળ જશે.
\v 39 પણ જો ઈશ્વરે તેમને આ કરવાની આજ્ઞા આપી હશે તો, તમે તેઓને અટકાવી શકશો નહિ, કારણ કે તમે એ જોઈ શકશો કે તમે ઈશ્વરની વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છો!" ગમાલિયેલે જે કહ્યું તે સભામાંના બીજા સભ્યોએ સ્વીકાર્યું.
\s5
\v 40 તેઓએ ભક્તિસ્થાનના રક્ષકોને કહ્યું કે પ્રેરિતોને અહીં લાવો અને તેમને મારો. તેથી રક્ષકો તેઓને સભાના ઓરડામાં લાવ્યા અને તેમને માર્યા. પછી સભાના સભ્યોએ તેમને આદેશ આપ્યો કે તેઓ લોકોને હવે પછી ઈસુ વિષેની વાત કહે નહિ, અને તેઓએ પ્રેરિતોને છોડી મૂક્યા.
\v 41 તેથી પ્રેરિતો તે સભામાંથી બહાર ગયા. તેઓ આનંદ કરતા હતા કારણ કે તેઓ જાણતા હતા કે ઈસુની પાછળ ચાલવાને લીધે લોકોએ તેમનું જે રીતે અપમાન કર્યું તે દ્વારા ઈશ્વરે તેઓએ માન આપ્યું હતું.
\v 42 તે પછી દરરોજ, પ્રેરિતો ભક્તિસ્થાનના વિસ્તારમાં અને લોકોના ઘરે જતા હતા, અને તેઓએ ઈસુ એ ખ્રિસ્ત છે તે વિશે શીખવવાનું અને તેઓને કહેવાનું સતત જારી રાખ્યું.
\s5
\c 6
\p
\v 1 એ સમય દરમ્યાન, ઘણા બધા લોકો વિશ્વાસી બની રહ્યા હતા. બિન નિવાસી યહૂદીઓએ મૂળ નિવાસી ઇઝરાયલીઓ વિષે ફરિયાદ કરવાનું શરૂ કર્યું, કારણ કે તેઓમાં જે વિધવાઓ હતી તેઓને તેમના રોજના ખોરાકનો ઉચિત ભાગ મળતો ન હતો.
\s5
\v 2 તેથી, તેઓ જે કહી રહ્યા હતા તે બાર પ્રેરિતોએ સાંભળ્યું ત્યારે, તેઓએ યરુશાલેમમાંના વિશ્વાસીઓને એકઠા મળવા કહ્યું. પછી પ્રેરિતોએ તેઓને કહ્યું, "લોકોને ખોરાકની વહેંચણી કરવા માટે અમે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવાનું તથા શીખવવાનું પડતું મૂકીએ તે યોગ્ય નથી.
\v 3 તેથી, સાથી વિશ્વાસીઓ, તમે તમારામાંથી સાત એવા માણસોને કાળજીપૂર્વક પસંદ કરો, કે જેઓને તમે ઓળખો છો કે તેઓને ઈશ્વરનો આત્મા દોરવણી આપે છે અને જેઓ ઘણા જ્ઞાની છે. પછી અમે તેઓને આ કામ માટે સૂચના આપીશું.
\v 4 પણ અમને લાગે વળગે છે ત્યાં સુધી, અમે તો અમારો સમય પ્રાર્થના અને ઉપદેશ કરવામાં અને ઈસુના સંદેશ વિષે શીખવવામાં ગાળીશું."
\s5
\v 5 પ્રેરિતોએ જે સૂચવ્યું તે બધા વિશ્વાસીઓને સારું લાગ્યું. તેથી તેઓએ સ્તેફનને પસંદ કર્યો કે જે, ઈશ્વરમાં દ્રઢ વિશ્વાસ કરનારો હતો અને જેના પર પવિત્ર આત્માને સંપૂર્ણ અધિકાર હતો. તેઓએ ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પાર્મેનાઉસ અને નિકોલાસ જે અંત્યોખ શહેરનો હતો તેમને પણ પસંદ કર્યા. ઈસુ પર વિશ્વાસ કર્યો તે અગાઉ નિકોલાસે યહૂદી ધર્મ અપનાવ્યો હતો.
\v 6 વિશ્વાસીઓ આ સાત માણસોને પ્રેરિતોની પાસે લાવ્યા. પછી પ્રેરિતોએ તેઓ માટે પ્રાર્થના કરી અને તેમના હાથ તેઓમાંના દરેકના માથા પર મૂક્યા કે જેથી તેઓ તે કાર્ય કરે.
\s5
\v 7 તેથી વિશ્વાસીઓએ ઘણા લોકોને ઈશ્વરનો સંદેશો કહેવાનું ચાલુ રાખ્યું. યરુશાલેમમાં જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા હતા તેવા લોકોની સંખ્યામાં ભારે વધારો થયો. ઘણા યહૂદી યાજકો પણ, ઈસુ પર કેવી રીતે વિશ્વાસ કરવો તે સંદેશનું અનુસરણ કરવામાં સામેલ હતા.
\s5
\v 8 ઈશ્વર સ્તેફનને ઘણા આશ્ચર્યકારક ચમત્કારો કરવા શક્તિ આપી રહ્યા હતા. તેથી એ સાબિત થયું કે, ઈસુ વિષેનો સંદેશો સત્ય હતો.
\v 9 તોપણ, કેટલાક લોકોએ સ્તેફનનો વિરોધ કર્યો. તેઓ યહૂદીઓ હતા જેઓ 'મુક્ત કરાયેલા લોકોના સભાસ્થાન' તરીકે ઓળખાતા સભાસ્થાનના જૂથમાં નિયમિત રીતે એકઠા મળતા હતા, વળી કુરેની, એલેકઝાન્દ્રિયા અને કિલિકીયા તથા આસિયાના પ્રાંતોના શહેરોના લોકો પણ તેમાં સામેલ હતા. તેઓ બધા સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા.
\s5
\v 10 પણ તેણે જે કહ્યું તે ખોટું હતું તેવું તેઓ સાબિત કરી શક્યા નહિ, કારણ કે ઈશ્વરના આત્માએ તેને ડહાપણથી બોલવાની પ્રેરણા આપી.
\v 11 તેથી તેઓએ ગુપ્ત રીતે કેટલાક માણસોને સ્તેફન પર ખોટો આરોપ મૂકવા તૈયાર કર્યા. તે માણસોએ કહ્યું," અમે તેને મૂસા તથા ઈશ્વર વિષે ખોટું બોલતા સાંભળ્યો છે."
\s5
\v 12 તેથી બીજા યહૂદીઓ, આગેવાનો અને નિયમશાસ્ત્રના શિક્ષકો સુદ્ધાં સ્તેફન પર ગુસ્સે થયા. પછી તેઓએ સ્તેફનને પકડ્યો અને યહૂદી ન્યાયસભા સમક્ષ લઇ ગયા.
\v 13 તેઓ કેટલાક માણસોને અંદર લાવ્યા અને તેઓને પૈસા ચુકવ્યા કે તેઓ જુઠ્ઠી સાક્ષી પૂરે. તેઓએ કહ્યું, "આ માણસ, આ પવિત્ર ભક્તિસ્થાન અને નિયમશાસ્ત્ર જે મૂસાને ઈશ્વર પાસેથી પ્રાપ્ત થયું તેના વિષે નિંદાત્મક બોલ્યા કરે છે.
\v 14 અમારું કહેવું છે કે, અમે તેને એમ કહેતા સાંભળ્યો છે કે, નાસરેથના ઈસુ આ ભક્તિસ્થાન નો નાશ કરશે અને મૂસાએ આપણા પૂર્વજોને શીખવેલા વિધિઓ કરતા અલગ વિધિઓ પાળવાનું આપણને કહેશે."
\v 15 સભામાં બેઠેલા સર્વ લોકો સ્તેફન તરફ તાકી રહ્યા અને તેમણે જોયું કે, તેનો ચહેરો ઈશ્વરના દૂત સમાન દેખાતો હતો.
\s5
\c 7
\p
\v 1 પછી મુખ્ય યાજકે સ્તેફનને પૂછ્યું, "આ લોકો તારા વિષે જે બાબતો કહે છે તે સાચી છે?"
\v 2 સ્તેફને ઉત્તર આપ્યો, "સાથી યહૂદીઓ અને માનવંત આગેવાનો, મહેરબાની કરીને મારું સાંભળો! આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાન શહેરમાં આવ્યો તે પહેલા, તે હજુ મેસોપોટેમિયાના પ્રદેશમાં રહેતો હતો ત્યારે મહિમાવાન ઈશ્વર જેમનું આપણે ભજન કરીએ છીએ તેમણે તેને દર્શન આપ્યું.
\v 3 ઈશ્વરે તેને કહ્યું, 'તું અને તારા સગાઓ જે ભૂમિમાં રહો છો તે છોડી દે, અને હું તને જે ભૂમિ બતાવું ત્યાં જા.'
\s5
\v 4 તેથી ઇબ્રાહિમ તે દેશ કે જે, ખાલદીઓનો દેશ પણ કહેવાતો હતો, ત્યાંથી નીકળી ગયો અને હારાનમાં આવી પહોંચ્યો અને ત્યાં રહ્યો. તેના પિતાના મરણ પછી, ઈશ્વરે તેને આ ભૂમિમાં આવવા કહ્યું જ્યાં તમે અને હું હાલમાં રહીએ છીએ.
\v 5 તે સમયે ઈશ્વરે ઇબ્રાહિમને કોઈ ભૂમિ વતન તરીકે આપી ન હતી, એ ભૂમિનો નાનો ટુકડો પણ નહિ. પણ ઈશ્વરે તેને વચન આપ્યું કે પછીથી તેઓ તેને અને તેના વંશજોને તે ભૂમિ આપશે, જે હમેશા તેમની રહેશે. જો કે, તે સમયે ઇબ્રાહિમને કોઈ સંતાન ન હતું કે જેને આ વારસો મળે.
\s5
\v 6 પછીથી ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, 'તારા વંશજો વિદેશમાં જશે અને ત્યાં રહેશે. તેઓ ત્યાં ચારસો વર્ષ સુધી રહેશે, અને તે સમય દરમ્યાન ત્યાંના આગેવાનો તારા વંશજોની સાથે ખરાબ રીતે વર્તશે અને તેમને ગુલામો જેવું કામ કરવા દબાણ કરશે.
\v 7 'પણ તેમને ગુલામો બનાવનાર લોકોને હું શિક્ષા કરીશ. તે પછી, તારા પૂર્વજો તે ભૂમિને છોડી દેશે, અને તેઓ આ ભૂમિમાં પાછા આવશે અને મારું ભજન કરશે.'
\v 8 પછી ઈશ્વરે આજ્ઞા આપી કે તેઓ ઈશ્વરના છે એવું દર્શાવવા માટે ઇબ્રાહિમના ઘરના બધા જ પુરુષ તેમજ તેના વંશજોમાંના બધા જ પુરુષે સુન્નત કરાવવી. ત્યાર પછી ઇબ્રાહિમનો દીકરો, ઇસહાક, જન્મ્યો, અને જ્યારે તે આઠ દિવસનો હતો ત્યારે તેણે તેની સુન્નત કરાવી. પછી ઇસહાકનો દીકરો યાકૂબ જન્મ્યો. યાકૂબ તો બાર માણસો જેઓને આપણે યહૂદીઓના પૂર્વજો કે પિતૃઓ કહીએ છીએ, તેઓનો પિતા હતો.
\s5
\v 9 તમે જાણો છો કે યાકૂબના મોટા દીકરાઓએ તેમના નાના ભાઈની અદેખાઈ કરી કારણ કે તેઓનો પિતા નાના દીકરા યૂસફને વધારે પસંદ કરતો હતો. તેઓએ તેને વેપારીઓને વેચી દીધો, જેઓ તેને મિસરમાં લઇ ગયા, જ્યાં તે ગુલામ બન્યો. પણ ઈશ્વરે યૂસફની મદદ કરી;
\v 10 જ્યારે પણ લોકોએ તેને તકલીફમાં મૂક્યો ત્યારે ઈશ્વરે તેનું રક્ષણ કર્યું. તેમણે યૂસફને ડહાપણ આપ્યું, અને મિસરના રાજા ફારુનને યૂસફ વિષે ભલું વિચારવા પ્રેરણા આપી. તેથી ફારુને તેને મિસર પર તેમજ તેની સર્વ સંપતિ પર અધિકારી તરીકે નીમ્યો.
\s5
\v 11 જ્યારે યૂસફ આ કાર્ય કરતો હતો, ત્યારે એવો સમય આવ્યો કે મિસરમાં અને કનાનમાં ખૂબ ઓછો ખોરાક બચ્યો હતો. લોકોને દુઃખ પડી રહ્યું હતું. તે સમયે કનાનમાં યાકૂબ અને તેના દીકરાઓને પણ ખાવાને પૂરતો ખોરાક મળતો ન હતો.
\v 12 જ્યારે યાકૂબે લોકો પાસેથી સાંભળ્યું કે, મિસરમાં અનાજ છે કે જેને ખરીદી શકાય છે, એટલે તેણે યૂસફના મોટા ભાઈઓને તે અનાજ ખરીદવા ત્યાં મોકલ્યા. તેઓ ત્યાં ગયા અને યૂસફ પાસેથી અનાજ વેચાતું લાવ્યા, પણ તેઓએ તેને ઓળખ્યો નહિ. પછી તેઓ ઘરે પાછા આવ્યા.
\v 13 જ્યારે યૂસફના ભાઈઓ ફરીથી મિસરમાં ગયા ત્યારે, તેઓએ ફરીથી યૂસફ પાસેથી અનાજ વેચાતું લીધું. પણ આ વખતે તેણે તેઓને કહ્યું કે તે કોણ છે. અને તેથી ફારુને જાણ્યું કે યૂસફના માણસો હિબ્રૂઓ છે અને કનાનથી જે માણસો આવ્યા હતા તેઓ તેના ભાઈઓ છે.
\s5
\v 14 તે પછી યૂસફે તેના ભાઈઓને ઘરે પાછા મોકલ્યા, તેઓએ તેમના પિતા યાકૂબને કહ્યું કે યૂસફ તેમને મળવા માગે છે અને તેમનું આખું કુટુંબ મિસરમાં આવે તેવું ઈચ્છે છે. તે સમયે યાકૂબના કુટુંબમાં પંચોતેર વ્યક્તિઓ હતી.
\v 15 તેથી જ્યારે યાકૂબે તે સાંભળ્યું ત્યારે, તે અને તેનું કુટુંબ મિસરમાં રહેવા ગયા. તે પછી, યાકૂબ ત્યાં મરણ પામ્યો, અને આપણા બીજા પૂર્વજો, તેના દીકરાઓ, પણ ત્યાં મરણ પામ્યા.
\v 16 તેમના મૃત શરીરોને આપણી ભૂમિમાં પાછા લાવવામાં આવ્યા અને ઇબ્રાહિમે જે કબર હમોરના પુત્રો પાસેથી શખેમ શહેરમાં વેચાતી લીધી હતી ત્યાં દફનાવ્યા.
\s5
\v 17 લાંબા સમય પહેલા ઈશ્વરે ઈબ્રાહિમને જે વચન આપ્યું હતું, તે મુજબ ઈશ્વર આપણા પૂર્વજોને મિસરમાંથી છોડાવે ત્યાં સુધીમાં તેમની સંખ્યા ઘણી વધી ગઈ હતી.
\v 18 બીજો એક રાજા મિસરમાં રાજ કરવા લાગ્યો. તેના સમય પહેલા, યૂસફે મિસરના લોકોને જે મોટી મદદ કરી હતી તે વિષે તે જાણતો ન હતો.
\v 19 તે રાજાએ આપણા પૂર્વજોને ભગાડવા માટે ક્રૂરતાપૂર્વક પ્રયત્ન કર્યો. તેણે તેઓને દુઃખ આપ્યું અને તેમને ખૂબ સહન કરવું પડ્યું. તેણે તેઓને તેમના નવા જન્મેલા બાળકોને, મરણ પામે માટે ઘરની બહાર નાંખી દેવાની પણ આજ્ઞા કરી.
\s5
\v 20 તે સમય દરમ્યાન મૂસાનો જન્મ થયો, અને ઈશ્વરે જોયું કે તે ખૂબ સુંદર બાળક હતો. તેથી તેના માતા પિતાએ ત્રણ મહિના સુધી તેને ઘરમાં જ ગુપ્ત રીતે ઉછેર્યો.
\v 21 પછી તેઓએ તેને ઘરની બહાર તજી દેવો પડ્યો. પણ ફારુનની દીકરીને તે મળ્યો અને જાણે તે તેનો પોતાનો દીકરો હોય તે રીતે તેને ઉછેર્યો.
\s5
\v 22 મિસરના લોકો જે શિક્ષણ જાણતા હતા તે બધું મૂસાને શીખવવામાં આવ્યું, અને જ્યારે તે મોટો થયો, ત્યારે તે બોલવામાં અને કાર્યો કરવામાં કુશળ બન્યો.
\v 23 એક દિવસે જ્યારે મૂસા ચાળીસ વર્ષનો થયો ત્યારે, તેણે નક્કી કર્યું કે ઇઝરાયલીઓ, જેઓ તેના સગાઓ છે તેમને તે મળવા જશે.
\v 24 તેણે જોયું કે એક મિસરી ઇઝરાયલીઓમાંના એકની સાથે ખરાબ વર્તન કરી રહ્યો હતો. તેથી તે ઇઝરાયલી માણસને મદદ કરવા ગયો, અને તેણે તે મિસરીને મારી નાખીને તે ઇઝરાયલી માણસ સાથેના વર્તનનો બદલો લીધો.
\v 25 મૂસાએ વિચાર્યું કે તેના સાથી ઇઝરાયલીઓ એ સમજી શકશે કે ઈશ્વરે તેમને ગુલામીમાંથી છોડાવવા માટે તેને મોકલ્યો છે. પણ તેઓ સમજી ન શક્યા.
\s5
\v 26 બીજા દિવસે, મૂસાએ બે ઇઝરાયલી માણસોને એકબીજા સાથે લડતા જોયા. તેણે તેઓને લડતા અટકાવીને તેમને કહ્યું, 'ભાઈઓ, તમે બંને તો સાથી ઇઝરાયલીઓ છો! તમે શા માટે એકબીજાને નુકસાન કરો છો?'
\v 27 પણ તે માણસ કે જે બીજાને મારી રહ્યો હતો તેણે મૂસાને ધક્કો મારીને કહ્યું, 'તને કોઈએ અમારા પર અધિકારી કે ન્યાયાધીશ ઠરાવ્યો નથી!
\v 28 ગઈકાલે જેમ તેં પેલા મિસરીને મારી નાખ્યો તેમ શું તું મને પણ મારી નાખવા માગે છે?
\s5
\v 29 જ્યારે મૂસાએ તે સાંભળ્યું, ત્યારે તે મિસરથી મિદ્યાન નાસી ગયો. તે ત્યાં થોડા વર્ષો સુધી રહ્યો. તેણે ત્યાં લગ્ન કર્યું, અને તેને અને તેની પત્નીને બે દીકરાઓ થયાં.
\v 30 ચાલીસ વર્ષો પછી એક દિવસ, પ્રભુ ઈશ્વરે દૂતના સ્વરૂપમાં મૂસાને દર્શન આપ્યું. તેઓ રણમાં સિનાઈ પર્વત પાસે બળતા ઝાડવાની જ્વાળાઓમાં તેને દેખાયા.
\s5
\v 31 જ્યારે મૂસાએ તે જોયું, ત્યારે તેને આશ્ચર્ય થયું, કારણ કે તે ઝાડવું ભસ્મ થતું ન હતું. જ્યારે તે વધારે નજીકથી જોવા ગયો, ત્યારે પ્રભુ ઈશ્વરે તેને કહ્યું,
\v 32 'હું ઈશ્વર છું જેનું તારા પૂર્વજો ભજન કરતા હતા. ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ જેનું ભજન કરતા હતા તે ઈશ્વર હું છું.' મૂસા એટલો ગભરાઈ ગયો હતો કે તે ધ્રૂજવા લાગ્યો. તે ઝાડવા તરફ વધુ સમય જોતાં બીધો.
\s5
\v 33 પછી પ્રભુ ઈશ્વરે તેને કહ્યું, 'તું મને માન આપે છે તે દર્શાવવા માટે તારા પગમાંથી ચંપલ ઉતાર. કારણ કે, હું અહીં છું, જે ભૂમિ પર તું ઊભો છે તે વિશેષ રીતે મારી છે.
\v 34 મેં નિશ્ચે જોયું છે કે કેવી રીતે મિસરના લોકો મારા લોકોને સતત હેરાન કરે છે. મારા લોક જ્યારે તેના લીધે વેદનાથી કણસે છે તે મેં જોયું છે. તેથી હું તેઓને મિસરમાંથી છોડાવવા માટે નીચે ઊતર્યો છું. હવે તૈયાર થા, કારણ કે હું તને મિસરમાં પાછો મોકલવાનો છું.'
\s5
\v 35 આ એ મૂસા હતો કે જેણે આપણા ઇઝરાયલી લોકોને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેઓએ તેને એવું કહીને નકાર્યો કે, ''તને કોઈએ અમારા પર અધિકારી કે ન્યાયાધીશ ઠરાવ્યો નથી!' આ એ મૂસા હતો કે જેને ઈશ્વરે જ તેમના પર અધિકારી તરીકે મોકલ્યો હતો જેથી તેઓ ગુલામીમાંથી મુક્ત થાય. તે એ જ હતો જેને ઝાડવામાંથી દૂતે એમ કરવાનો આદેશ આપ્યો હતો.
\v 36 જે આપણા પૂર્વજોને મિસરમાંથી બહાર દોરી લાવ્યો તે માણસ મૂસા હતો. ઈશ્વર તેની સાથે છે તે દર્શાવવાને માટે તેણે મિસરમાં ઘણા ચમત્કારો કર્યા, લાલ સમુદ્ર પાસે, અને ચાલીસ વર્ષો સુધી ઇઝરાયલી લોકો અરણ્યમાં રહ્યા.
\v 37 આ એ મૂસા હતો કે જેણે ઇઝરાયલી લોકોને કહ્યું હતું, 'ઈશ્વર તમારી મધ્યે મારા જેવો જ પ્રબોધક તમારા લોકોમાંથી જ તમને આપશે.'
\s5
\v 38 આ મૂસા એ માણસ હતો કે જે તમો ઇઝરાયલીઓ મધ્યે અરણ્યમાં તમારી સાથે રહ્યો; સિનાઈ પર્વત પર જે દૂતે તેની સાથે વાત કરી તેની સાથે હતો. એ મૂસા છે કે જેને ઈશ્વરે સિનાઈ પર્વત પર દૂત દ્વારા આપણા નિયમો આપ્યા, અને એ તે જ માણસ હતો કે જેણે દૂતે કહેલી વાત આપણા પૂર્વજોને જણાવી. તેણે જ ઈશ્વર પાસેથી વચનો મેળવ્યા અને આપણે અનંતકાળ સુધી કેવી રીતે જીવવું તે જાણ્યું અને આપણને પણ કહ્યું.
\v 39 તે છતાં, આપણા પૂર્વજો મૂસાને આધીન થવા માગતા ન હતા. તેને બદલે, તેઓએ તેને પોતાના આગેવાન તરીકે નકાર્યો અને મિસરમાં પાછા જવાની ઇચ્છા રાખી.
\v 40 તેથી તેઓએ તેના મોટા ભાઈ હારુનને કહ્યું, 'અમારા માટે મૂર્તિઓ બનાવ કે જેઓ અમારા ઈશ્વર બને અને અમને દોરવણી આપે. કારણ કે મૂસા જે અમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો, તેનું શું થયું તે અમે જાણતા નથી!'
\s5
\v 41 તેથી તેઓએ વાછરડા જેવી દેખાતી એક પ્રતિમા બનાવી. પછી તેઓએ તે મૂર્તિને માન આપવાને માટે બલિદાન ચઢાવ્યાં, અને તેઓએ ગાયું અને નાચ્યા કારણ કે તેઓએ જાતે જ તેને બનાવી હતી.
\v 42 તેથી ઈશ્વરે તેમને સુધારવાનું છોડી દીધું. તેઓને તેમણે સૂર્ય, ચંદ્ર અને આકાશના તારાઓની પૂજા કરવા ત્યજી દીધા. પ્રબોધકોમાંના એકે કહેલા શબ્દો સાથે આ ખૂબ સુસંગત છે કે જેણે લખ્યું: ઈશ્વરે કહ્યું, 'તમે ઇઝરાયલી લોકો, ચાલીસ વર્ષો સુધી જ્યારે તમે અરણ્યમાં હતા ત્યારે, તમે વારંવાર પશુઓને મારી નાખ્યાં અને તેમને બલિદાન તરીકે ચઢાવ્યાં, ત્યારે શું તે મને અર્પણ કર્યાં હતાં?
\s5
\v 43 તેથી વિરુદ્ધ, તમે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ તંબુમાં મૂર્તિ કે જે મોલેખ દેવને દર્શાવતી હતી જેનું તમે ભજન કરતા હતા તેને તમારી સાથે લઈને ચાલ્યા. તમે તમારી સાથે રંફા કે જે તારાની પ્રતિમા હતી તેને પણ સાથે લીધી. તે મૂર્તિઓ તમે બનાવી, અને તમે મારા સ્થાને તેઓનું ભજન કર્યું. તેથી હું તમને તમારા ઘરોમાંથી બાબિલ દેશના કરતા પણ દૂરના પ્રદેશોમાં હાંકી કાઢીશ.'
\s5
\v 44 "જ્યારે આપણા પૂર્વજો અરણ્યમાં હતા ત્યારે, તેઓ ઈશ્વરનું ભજન એક પવિત્ર તંબુમાં કરતા હતા જે દર્શાવતો હતો કે તેઓ તેમની સાથે છે. ઈશ્વરે મૂસાને જેમ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તે આબેહૂબ બનાવેલો હતો. જ્યારે મૂસા પર્વત પર હતો ત્યારે તેણે જે જોયો હતો તેના જેવો જ તે હતો.
\v 45 પછી, જ્યારે યહોશુઆએ તેમને આ ભૂમિમાં દોર્યા ત્યારે આપણા જ બીજા પૂર્વજો તે તંબુને પોતાની સાથે ત્યાં લાવ્યા. આ તે સમય હતો જ્યારે ઈશ્વરે ત્યાં પહેલેથી રહેનારા લોકોને ત્યાંથી હાંકી કાઢ્યા ત્યારે તેઓએ તે ભૂમિને પોતાની કરી લીધી. તેથી ઇઝરાયલીઓ તે ભૂમિને પોતાની બનાવી શક્યા. તે તંબુ આ ભૂમિમાં રહ્યો અને દાઉદના શાસનમાં પણ તે હજુ અહીં હતો.
\v 46 દાઉદે ઈશ્વરને પ્રસન્ન કર્યા, અને તેણે ઈશ્વર પાસે માગ્યું કે તેઓ તેને તેમનું ઘર એટલે ભક્તિસ્થાન બનાવવા દે કે જ્યાં તે અને આપણા બધા ઇઝરાયલી લોકો તેમનું ભજન કરી શકે.
\s5
\v 47 પણ તેના કરતા, ઈશ્વરે દાઉદના દીકરા સુલેમાનને પ્રભુનું ઘર બાંધવાનું કહ્યું જ્યાં લોકો તેમનું ભજન કરી શકે."
\v 48 "જો કે, આપણે જાણીએ છીએ કે ઈશ્વર બધી જ બાબતો કરતા મહાન છે, અને લોકોએ બનાવેલા ઘરમાં તેઓ રહેતા નથી. યશાયા પ્રબોધકે જેમ લખ્યું છે તે પ્રમાણે:
\v 49-50 ઈશ્વરે કહ્યું, "સ્વર્ગ મારું રાજ્યાસન અને પૃથ્વી મારું પાયાસન છે. સ્વર્ગમાં અને પૃથ્વી પર સઘળું મેં જ બનાવ્યું છે. તેથી તમે માણસજાત મારા રહેવા માટે પૂરતી થાય તેવી કોઈ જગ્યા બનાવી શકો નહિ!"
\s5
\v 51 તમે તેમના પ્રત્યે ખૂબ હઠીલા લોકો છો! તમે આબેહૂબ તમારા પૂર્વજો જેવા જ છો! તેઓએ જેમ કર્યું તેમ, તમે હંમેશાં પવિત્ર આત્માની સામા થયા છો!
\v 52 તમારા પૂર્વજોએ બધા પ્રબોધકોને દુઃખ આપ્યું. જેઓએ ઘણા સમય પહેલાં એમ પ્રગટ કરેલું કે ખ્રિસ્ત આવશે, જેઓએ હંમેશાં ઈશ્વરને પ્રસન્ન કરે તેવું કર્યું તેઓને પણ તેમણે મારી નાખ્યા. અને ખ્રિસ્ત આવ્યા! તેઓ એ જ છે જેમને હાલમાં જ તમે તેમના દુશ્મનોને સોંપીને તેઓ તેમને મારી નાંખે તેવી ફરજ પાડો છો!
\v 53 તમે એ લોકો છો જેઓ ઈશ્વરના નિયમો પામ્યા છો. તે એ નિયમો હતા જેને ઈશ્વરે તેમના દૂત દ્વારા આપણા પૂર્વજોને આપ્યા. જો કે, તમે તે પાળ્યા નહિ!"
\s5
\v 54 જ્યારે યહૂદી ન્યાયસભાના સભ્યો અને બીજાઓ જેઓએ સ્તેફ્નને આ કહેતાં સાંભળ્યો ત્યારે, તેઓ સર્વ ખૂબ ગુસ્સે થયા. તેઓ તેમના દાંત પીસતા હતા કારણ કે તેઓ તેના પર ખૂબ ક્રોધે ભરાયા!
\v 55 પણ પવિત્ર આત્માએ સ્તેફનનો સંપૂર્ણ કાબૂ લીધો. સ્તેફને સ્વર્ગ તરફ જોયું અને ઈશ્વર પાસેથી આવતો ભરપૂર પ્રકાશ જોયો, અને તેણે ઈસુને ઈશ્વરના જમણા હાથે ઊભેલાં જોયા.
\v 56 "જુઓ," તેણે કહ્યું, "હું સ્વર્ગ ખુલ્લું થયેલું જોઉં છું, અને હું માણસના દીકરા ઈસુને ઈશ્વરની જમણી બાજુએ ઊભેલા જોઉં છું!"
\s5
\v 57 જ્યારે યહૂદી ન્યાયસભાના સભ્યો અને બીજાઓએ તે સાંભળ્યું ત્યારે, તેઓએ મોટો પોકાર કર્યો. તેઓએ તેમના કાનને હાથથી ઢાંકી દીધા કે તેઓ તેને સાંભળી ના શકે, અને તરત તેઓ તેની તરફ ધસી ગયા.
\v 58 તેઓ તેને યરુશાલેમ શહેરની બહાર ઘસડી ગયા અને ત્યાં તેને પત્થર મારવાનું શરૂ કર્યું. જે લોકો તેના પર આરોપ મૂકી રહ્યા હતા તેઓએ તેનાં બાહ્ય કપડાં કાઢી લીધા કે જેથી તેઓ તેને ખુલ્લા દેહ પર પત્થર મારે, અને તેઓએ બાજુમાં ઊભા રહેલા એક જુવાન માણસ જેનું નામ શાઉલ હતું તેના પર તેનાં કપડાં નાખ્યાં, કે તે તેને સાચવે.
\s5
\v 59 જ્યારે તેઓએ સતત સ્તેફન તરફ પત્થર મારવાનું ચાલું રાખ્યું, ત્યારે સ્તેફને પ્રાર્થના કરી, " હે પ્રભુ ઈસુ, મારા આત્માને સ્વીકારો!"
\v 60 પછી સ્તેફને ઘૂંટણે પડીને પોકાર્યું, "પ્રભુ, તેમના પાપ માટે તેઓને શિક્ષા કરશો નહિ!" આવું કહ્યા પછી, તે મરણ પામ્યો.
\s5
\c 8
\p
\v 1-2 પછી ઈશ્વરનો ભય રાખનારા કેટલાક માણસોએ સ્તેફનના શરીરને કબરમાં દફ્નાવ્યું અને તેઓએ તેને માટે મોટે સાદે વિલાપ કરીને શોક કર્યો.
\p તે જ દિવસે લોકોએ યરુશાલેમમાં રહેતા વિશ્વાસીઓની ભારે સતાવણી કરવાની શરૂઆત કરી. તેથી મોટા ભાગના વિશ્વાસીઓ યહૂદિયા તથા સમરૂનના બીજા પ્રદેશોમાં નાસી ગયા. પ્રેરિતો એકલા જ એવા વિશ્વાસીઓ હતા કે જે યરુશાલેમમાં રહ્યા.
\v 3 જ્યારે તેઓ સ્તેફનની હત્યા કરી રહ્યા હતા ત્યારે સ્તેફનને મારી નાખવો જોઈએ એવી સહમતી દર્શાવતાં શાઉલ ત્યાં હાજર હતો. તેથી શાઉલે પણ વિશ્વાસીઓના સમૂહનો નાશ કરવાનું શરૂ કર્યું. તે એક પછી એક ઘરમાં પ્રવેશીને જે સ્ત્રીઓ અને પુરુષો ઈસુ પર વિશ્વાસ કરતા હતા, તેઓને ઘસડી લાવીને જેલમાં પૂરતો હતો.
\s5
\v 4 જે વિશ્વાસીઓએ યરુશાલેમ છોડયું તેઓ વિવિધ જગ્યાઓમાં ગયા જ્યાં તેઓએ ઈસુ વિષેનો ઉપદેશ આપવાનું જારી રાખ્યું.
\v 5 વિશ્વાસીઓમાંનો એક જેનું નામ ફિલિપ હતું તે યરુશાલેમથી સમરૂન જીલ્લાના એક શહેરમાં ગયો. ત્યાં તે લોકોને પ્રગટ કરતો હતો કે ઈસુ તે જ ખ્રિસ્ત છે.
\s5
\v 6 ઘણા લોકોએ ફિલિપનું સાંભળ્યું અને તેણે કરેલા ચમત્કારિક કાર્યો જોયા, તેથી તેઓએ તેના શબ્દો પર ખાસ ધ્યાન આપ્યું.
\v 7 ઉદાહરણ તરીકે, ફિલિપે ઘણા લોકોમાંથી અશુદ્ધ આત્માઓને નીકળી જવાની આજ્ઞા આપી, અને તેઓ ચીસો પાડતા બહાર નીકળ્યા. વળી ઘણા જેઓને લકવો થયો હતો અને પગે અપંગ હતા તેઓ સાજા થયા.
\v 8 તે શહેરના ઘણા બધા લોકો ભારે આનંદથી ભરપૂર થયા.
\s5
\v 9 તે શહેરમાં એક માણસ હતો જેનું નામ સિમોન હતું. તે લાંબા સમયથી જાદુક્રિયા કરતો હતો, અને તેના જાદુથી સમરૂન જીલ્લાના લોકોને તેણે આશ્ચર્યચકિત કરી દીધા હતા. તે દાવો કરતો હતો કે તે "મહાન સિમોન" છે.
\v 10 ત્યાં જે લોકો હતા એટલે સામાન્ય અને મહત્વના બધા જ લોકો, તેનું સાંભળતા હતા. તેઓ કહેતા હતા કે "આ માણસમાં ઈશ્વરની મહાન શક્તિ છે".
\v 11 તેઓએ ધ્યાનપૂર્વક તેનું સાંભળવાનું જારી રાખ્યું, કારણ કે લાંબા સમયથી તેની જાદુક્રિયાથી તેણે લોકોને ચકિત કરી દીધા હતા.
\s5
\v 12 પણ પછી તેઓએ શુભસંદેશ વિષે અને ઈશ્વર જ્યારે પોતાને રાજા તરીકે પ્રગટ કરશે તે વિષે તેમજ ઈસુ ખ્રિસ્ત વિષે ફિલિપનો સંદેશો સાંભળ્યો ત્યારે સ્ત્રીઓ અને પુરુષો જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો તેઓ બાપ્તિસ્મા પામ્યા.
\v 13 સિમોને પોતે ફિલીપના સંદેશ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યો. તે ફિલિપની સાથે રહેવા લાગ્યો, અને ફિલિપ દ્વારા થતા મોટા ચમત્કારો જોઈને આશ્ચર્ય પામ્યો, તેથી તે સમજી શક્યો કે ફિલિપ સત્ય બોલતો હતો.
\s5
\v 14 જ્યારે યરુશાલેમમાં પ્રેરિતોએ સાંભળ્યું કે સમરૂન જીલ્લાના ઘણા લોકોએ ઈશ્વરના સંદેશા પર વિશ્વાસ કર્યો છે ત્યારે તેઓએ પિતરને અને યોહાનને ત્યાં મોકલ્યા.
\v 15 જ્યારે પિતર અને યોહાન સમરૂનમાં આવ્યા ત્યારે, નવા વિશ્વાસીઓ પવિત્ર આત્મા પામે માટે તેઓએ પ્રાર્થના કરી.
\v 16 કારણ કે એ સ્પષ્ટ હતું કે હજી સુધી તેઓમાંના કોઈ પર પવિત્ર આત્મા આવ્યા ન હતા. તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા.
\v 17 પછી પિતર અને યોહાને તેમના પર હાથ મૂક્યા, એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા.
\s5
\v 18 સિમોને જોયું કે પ્રેરિતોના હાથ મૂકવાથી લોકોને પવિત્ર આત્મા મળે છે, તેથી તેણે પ્રેરિતોને પૈસા આપવાની કોશિશ કરી,
\v 19 અને કહ્યું કે, "તમે જે કરો છો તેવું કરવાની મને પણ શક્તિ આપો કે જેથી હું જેના પર હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે."
\s5
\v 20 પણ પિતરે તેને કહ્યું, "તું અને તારા પૈસા નાશ પામો, કારણ કે ઈશ્વરના દાનને તેં પૈસાથી ખરીદવા પ્રયત્ન કર્યો!
\v 21 અમારા કાર્યમાં તારે કોઈ લાગભાગ નથી, કારણ કે તારું હૃદય પ્રભુ પ્રત્યે યોગ્ય નથી!
\v 22 તેથી એવું દુષ્ટતાપૂર્ણ રીતે વિચારવાનું બંધ કર, અને પ્રભુને વિનંતી કર કે, તેં જે દુષ્ટતા કરવાનું તારા હૃદયમાં વિચાર્યું છે તે તેમની ઇચ્છા હોય તો, તને માફ કરે!
\v 23 તારા દુષ્ટ માર્ગોથી પાછો ફર, કારણ કે તું અમારા પ્રત્યે અત્યંત અદેખો છે, અને દુરાચાર કરવાની તારી સતત ઇચ્છાનો તું ગુલામ છે!
\s5
\v 24 પછી સિમોને પ્રત્યુતર આપ્યો કે, "મારા માટે પ્રાર્થના કરો કે તમે હમણાં જે કહ્યું તેવું કંઈ મને ના થાય!"
\s5
\v 25 પિતર અને યોહાને ત્યાંના લોકોને પ્રભુ ઈસુ વિષે વ્યક્તિગત રીતે તેઓ જે જાણતા હતા તે પ્રગટ કર્યું અને તેમને પ્રભુનો સંદેશો પ્રગટ કર્યો, પછી તેઓ બંને યરુશાલેમ પાછા આવ્યા. માર્ગમાં ચાલતાં સમરૂન જીલ્લામાં તેઓએ ઈસુ વિશેનો શુભસંદેશ લોકોને જણાવ્યો.
\s5
\v 26 એક દિવસ પ્રભુએ મોકલેલા એક દૂતે ફિલિપને આજ્ઞા કરી કે,"ઊઠ તૈયાર થા અને દક્ષિણ તરફ યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ પર જા." તે માર્ગ તો અરણ્ય તરફ જતો હતો.
\v 27 તેથી ફિલિપ તૈયાર થઈને તે માર્ગ તરફ ગયો. તે રસ્તે તેને ઇથિયોપિયા દેશનો એક માણસ મળ્યો. તે એક મહત્વનો અધિકારી હતો જે ઇથિયોપિયાની મહારાણીની નાણાકીય બાબતો સંભાળતો હતો. તેની ભાષામાં લોકો તેમની મહારાણીને કંદિકા કહેતા હતા. એ માણસ યરુશાલેમમાં ઈશ્વરનું ભજન કરવા ગયો હતો,
\v 28 અને તે તેના રથમાં બેસીને ઘર તરફ પાછો ફરી રહ્યો હતો. તે રથમાં સવારી કરતી વખતે યશાયા પ્રબોધકનું પુસ્તક મોટેથી વાંચતો હતો.
\s5
\v 29 ઈશ્વરના આત્માએ ફિલિપને કહ્યું, "તેના રથની સાથે થઇ જા અને તેની સાથે ચાલ!"
\v 30 તેથી ફિલિપ રથ પાસે દોડી ગયો અને અધિકારીને યશાયા પ્રબોધકે લખેલું પુસ્તક વાંચતો સાંભળ્યો. તેણે તે માણસને પૂછ્યું, "તું જે વાંચે છે તે શું તું સમજે છે?"
\v 31 તેણે ફિલિપને જવાબ આપ્યો, "ના! જો મને કોઈ તેના વિષે સમજાવે નહિ તો હું તે સામાન્ય રીતે સમજી શકું નહિ!" પછી તે માણસે ફિલિપને કહ્યું, "મહેરબાની કરીને અહીં ઉપર રથમાં આવ અને મારી બાજુમાં બેસ."
\s5
\v 32 તે અધિકારી શાસ્ત્રનો જે ભાગ વાંચી રહ્યો હતો તે આ હતો: "લોકો હલવાનને મારી નાખવા લઇ જાય ત્યારે તે જેવું શાંત હોય છે તેવો તે શાંત હતો, જેમ હલવાનનું ઉન કાતરવામાં આવી રહ્યું હોય ત્યારે તે શાંત રહે છે તેમ.
\v 33 તેને અપમાનિત કરવામાં આવશે. તેને ન્યાય મળશે નહિ. કોઈ તેના વંશજો વિશે કહી શકશે નહિ કારણ કે તેને કોઈ જ વંશજો નહીં હોય કારણ કે તેઓ આ પૃથ્વી પર તેનો જીવ લેશે."
\s5
\v 34 અધિકારી જે શબ્દો વાંચી રહ્યો હતો તેના સંબંધી તેણે ફિલિપને પૂછ્યું, "મને કહે, પ્રબોધક કોના વિષે લખી રહ્યો હતો? તે પોતાના વિષે લખી રહ્યો હતો કે કોઈ બીજાના વિષે?"
\v 35 તેથી ફિલિપે તેને ઉત્તર આપ્યો; તેણે શાસ્ત્રના તે ફકરા દ્વારા શરૂઆત કરી, અને તેણે તેને ઈસુ વિશેનો શુભ સંદેશ જણાવ્યો.
\s5
\v 36-37 જ્યારે તેઓ માર્ગે જઈ રહ્યા હતા, ત્યારે તેઓ એવી જગ્યાએ આવ્યા કે જ્યાં થોડું પાણી હતું. પછી તે અધિકારીએ ફિલિપને કહ્યું, "જો, ત્યાં થોડું પાણી છે! હું ઈચ્છું છું કે તું મને બાપ્તિસ્મા આપે, કારણ કે, મને બાપ્તિસ્મા લેતા અટકાવે એવી કોઈ બાબત નથી."
\v 38 તેથી તે અધિકારીએ તે રથના હાંકનારને રથ રોકવા માટે કહ્યું. પછી અધિકારી અને ફિલિપ બંને ઊતરીને પાણીમાં ગયા, અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.
\s5
\v 39 જ્યારે તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે, એકાએક ઈશ્વરના આત્મા ફિલિપને ત્યાંથી દૂર લઈ ગયા. તે અધિકારીએ ફિલિપને ફરી જોયો નહી. તેણે ફિલિપને ફરી ન જોયો તે છતાં, તે અધિકારી ખૂબ હરખાતો, તેના રસ્તે ગયો.
\v 40 પછી ફિલિપને લાગ્યું કે આત્મા તેને ચમત્કારિક રીતે અઝોતસ નગરમાં દોરી ગયા. જ્યારે તે આ પ્રદેશમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે, તેણે અઝોતસ અને કાઈસારિયાના શહેરોમાં ઈસુ વિશેનો સંદેશ પ્રગટ કરવાનું જારી રાખ્યું. અને અંતે જ્યારે તે કાઈસારિયા આવ્યો ત્યારે પણ તેણે તે પ્રગટ કરવાનું જારી રાખ્યું.
\s5
\c 9
\p
\v 1 તે દરમ્યાન, જેઓ પ્રભુને અનુસરતા હતા તેઓને શાઉલ ગુસ્સાથી ડરાવતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. તે યરુશાલેમમાં મુખ્ય યાજક પાસે ગયો
\v 2 અને તેણે તેને વિનંતી કરી કે તે તેની ઓળખ આપતા પત્રો દમસ્કસના યહૂદી સભાસ્થાનના આગેવાનો પર લખે. તે પત્રોમાં એવી માગણી હતી કે જે પુરુષ કે સ્ત્રી ઈસુએ જે માર્ગ શીખવ્યો તેના પર ચાલતા હોય તેઓની તે અટકાયત કરે, અને તેમને કેદી બનાવીને યરુશાલેમના આગેવાનો પાસે લઈ જાય કે જેથી તેઓ તેમનો ન્યાય કરે અને શિક્ષા કરે.
\s5
\v 3 જ્યારે શાઉલ અને તેની સાથે જેઓ હતા તેઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે, તેઓ દમસ્કસની નજીક હતા. અચાનક સ્વર્ગમાંથી ખૂબ પ્રકાશિત અજવાળું શાઉલની આસપાસ ફેલાઈ ગયું.
\v 4 તરત તે ભૂમિ પર પડી ગયો. પછી તેણે કોઈનો અવાજ તેને એવું કહેતા સાંભળ્યો, "શાઉલ, શાઉલ, તું મને સતાવવાનો પ્રયત્ન કેમ કરે છે?"
\s5
\v 5 શાઉલે તેને પૂછ્યું, "પ્રભુ તમે કોણ છો?" તેમણે જવાબ આપ્યો, "હું ઈસુ છું, જેને તું સતાવે છે.
\v 6 હવે ઊભો થઈને શહેરમાં જા! ત્યાં એક જણ તને બતાવશે કે હું તારા દ્વારા શું કરાવવા માગું છું."
\v 7 જે માણસો શાઉલની સાથે મુસાફરી કરી રહ્યા હતા તેઓ આશ્ચર્યના માર્યા કંઈ બોલી શક્યા નહિ. તેઓ ત્યાં ઊભા જ રહ્યા. તેઓએ ઈશ્વરને બોલતાં સાંભળ્યા, પણ તેમણે કોઈને જોયા નહિ.
\s5
\v 8 શાઉલ ભૂમિ પરથી ઊઠ્યો, પણ જ્યારે તેણે તેની આંખો ખોલી ત્યારે તે કશું જોઈ ન શક્યો. તેથી તેની સાથેના માણસો તેને હાથ પકડીને દમસ્કસ દોરી ગયા.
\v 9 પછીના ત્રણ દિવસ સુધી શાઉલ કંઈ જોઈ શક્યો નહિ, અને તેણે કંઈ ખાધું કે પીધું નહિ.
\s5
\v 10 દમસ્કસમાં અનાન્યા નામનો ઈસુનો એક અનુયાયી હતો. પ્રભુ ઈસુએ તેને દર્શન આપ્યું અને કહ્યું, "અનાન્યા!" તેણે ઉત્તર આપ્યો, "પ્રભુ, હું સાંભળું છું."
\v 11 પ્રભુ ઈસુએ તેને કહ્યું, "ઊભી શેરીમાં યહૂદાનું જે ઘર છે ત્યાં જા. ત્યાં કોઈકને તાર્સસના શાઉલ સંબધી પૂછ કે તું તેની સાથે વાત કરી શકે, કારણ કે આ સમયે તે મારી પ્રાર્થના કરી રહ્યો છે.
\v 12 શાઉલે દર્શનમાં જોયું કે જ્યાં તે રહેતો હતો તે ઘરમાં અનાન્યા નામનો એક માણસ પ્રવેશ્યો અને તેના માથા પર તેના હાથ મૂક્યા કે જેથી તે ફરીથી જોઈ શકે."
\s5
\v 13 અનાન્યાએ જવાબ આપ્યો, "પણ પ્રભુ, ઘણા લોકોએ મને આ માણસ વિશે કહ્યું છે! યરુશાલેમમાંના જેઓ તમારા પર વિશ્વાસ કરે છે તેઓ પ્રત્યે તેણે ઘણા દુરાચારો કર્યા છે!
\v 14 અહીં દમસ્કસમાંના જેઓ તમારામાં વિશ્વાસ કરે છે તેઓને કેદી બનાવવા માટે અહીં આવવાની મુખ્ય યાજકે તેને સત્તા આપેલી છે!"
\v 15 પણ પ્રભુ ઈસુએ અનાન્યાને કહ્યું કે, "શાઉલની પાસે જા! હું જે કહું છું તે કર, કારણ કે તે બિન યહૂદીઓને અને તેમના રાજાઓને અને ઇઝરાયલી લોકોને મારા વિશે કહી શકે તે રીતે મારી સેવા કરે માટે મેં તેને પસંદ કર્યો છે.
\v 16 હું જાતે જ તેને કહીશ કે તેણે લોકોને મારા વિશે કહેવા માટે ઘણી વાર સહન કરવું પડશે."
\s5
\v 17 તેથી અનાન્યા ગયો, અને જ્યાં શાઉલ હતો તે ઘર શોધી કાઢ્યા પછી, તે તેમાં ગયો. પછી, જેવો તે શાઉલને મળ્યો, કે તરત જ તેણે તેના હાથ તેના પર મૂક્યા, અને તેણે કહ્યું, "ભાઈ શાઉલ, પ્રભુ ઈસુએ પોતે જ મને તારી પાસે આવવા આજ્ઞા આપી છે. જ્યારે તું દમસ્કસના માર્ગે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તને જે દેખાયા હતા તેઓ તે જ છે. તેમણે મને તારી પાસે મોકલ્યો છે કે તું ફરીથી દેખતો થાય અને પવિત્ર આત્માના સંપૂર્ણ નિયંત્રણમાં આવે."
\v 18 તરત જ, માછલીના ભીંગડા જેવું કશુંક શાઉલની આંખમાંથી ખરી પડ્યું, અને તે ફરીથી દેખતો થયો.પછી તે ઊઠ્યો અને બાપ્તિસ્મા પામ્યો.
\v 19 શાઉલે થોડો ખોરાક લીધા પછી, ફરીથી તેનામાં શક્તિ આવી. શાઉલ દમસ્કસના બીજા વિશ્વાસીઓની સાથે થોડા દિવસ ત્યાં રહ્યો.
\s5
\v 20 તે સાથે જ તેણે યહૂદી સભાસ્થાનોમાં ઈસુ વિશે પ્રચાર કરવાનું શરૂ કર્યું. તેણે તેઓને કહ્યું કે ઈસુ ઈશ્વરના દીકરા છે.
\v 21 બધા લોકો જેઓએ તેને પ્રચાર કરતા સાંભળ્યો તેઓ સર્વ આશ્ચર્ય પામ્યા. તેઓમાંના કેટલાક કહેતા હતા, "આપણે ભાગ્યે જ વિશ્વાસ કરી શકીએ કે આ એ જ માણસ છે કે જે યરુશાલેમમાંના યહૂદીઓને સતાવતો હતો અને જે તેમને કેદી બનાવીને યરુશાલેમમાં મુખ્ય યાજક પાસે લઇ જવાનો હતો!"
\v 22 પણ ઈશ્વરે શાઉલને શક્તિ આપી કે તે ઘણા લોકોને વધુ ખાતરીપૂર્વક પ્રચાર કરી શકે. તે શાસ્ત્રમાંથી સાબિત કરતો હતો કે ઈસુ એ ખ્રિસ્ત છે. તેથી તે જે કહે છે તે કેવી રીતે ખોટું ઠરાવવું તે દમસ્કસમાંના યહૂદી આગેવાનો વિચારી શક્યા નહિ.
\s5
\v 23 થોડા સમય પછી, યહૂદી આગેવાનોએ તેને મારી નાખવાની યોજના ઘડી.
\v 24 દિવસ અને રાત દરમ્યાન યહૂદીઓ શહેરના દરવાજામાંથી પસાર થતા લોકોનું સતત ધ્યાન રાખતા હતા, જેથી જ્યારે તેઓ શાઉલને જુએ ત્યારે તેઓ તેને મારી નાખી શકે. જો કે, કોઈકે શાઉલને કહી દીધું હતું કે તેઓએ તેને મારી નાખવાની યોજના કરી છે.
\v 25 તેથી કેટલાક લોકો જેઓને તેણે ઈસુ પર વિશ્વાસ કરવા તરફ દોર્યા હતા તેઓ એક રાત્રે તેને શહેરને ફરતી પત્થરની ઊંચી દીવાલ પાસે લઇ ગયા. દીવાલમાંના બાકોરામાંથી મોટી ટોપલીમાં તેઓએ તેને દોરડાની મદદથી તેને નીચે ઉતાર્યો. આ રીતે તે દમસ્કસમાંથી જતો રહી શક્યો.
\s5
\v 26 જ્યારે શાઉલ યરુશાલેમમાં આવી પહોંચ્યો, ત્યારે તેણે બીજા વિશ્વાસીઓને મળવાનો પ્રયત્ન કર્યો. જો કે, તેઓમાંના લગભગ બધાએ તેનાથી બીવાનું ચાલુ રાખ્યું, કારણ કે તેઓ વિશ્વાસ કરતાં ન હતા કે તે વિશ્વાસી બન્યો છે.
\v 27 પણ બાર્નાબાસ તેની પાસે આવ્યો અને તેને પ્રેરિતોની પાસે લઇ ગયો. તેણે પ્રેરિતોને જણાવ્યું કે, જ્યારે શાઉલ દમસ્કસના માર્ગે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે, કેવી રીતે તેણે પ્રભુ ઈસુને જોયા અને કેવી રીતે પ્રભુએ ત્યાં તેની સાથે વાત કરી. તેણે તેઓને એ પણ કહ્યું કે કેવી રીતે શાઉલે દમસ્કસના લોકોને હિંમતપૂર્વક ઈસુ વિશે પ્રચાર કર્યો.
\s5
\v 28 તેથી આખા યરુશાલેમમાં શાઉલે પ્રેરિતોને અને બીજા વિશ્વાસીઓને મળવાનું ચાલુ કર્યું, અને તે હિંમતથી લોકોને પ્રભુ ઈસુ વિશે કહેતો હતો.
\v 29 શાઉલ યહૂદીઓ કે જેઓ ગ્રીક ભાષા બોલતા હતા તેઓને પણ ઈસુ વિશે કહેતો હતો, અને તેમની સાથે ચર્ચા કરતો હતો. પણ તેઓ સતત એવું વિચારતા હતા કે તેઓ કઈ રીતે તેને મારી નાખે.
\v 30 જ્યારે બીજા વિશ્વાસીઓએ એ જાણ્યું કે તેઓ તેને મારી નાખવા યોજના કરતા હતા, ત્યારે કેટલાક શાઉલને કાઇસારિયા શહેર તરફ લઈ ગયા. ત્યાં એક વહાણ જે તેના તાર્સસ શહેર તરફ જતું હતું, તેમાં તેઓએ તેને બેસાડ્યો.
\s5
\v 31 તેથી વિશ્વાસીઓનો સમૂહ આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનમાં શાંતિપૂર્વક રહેતો હતો, કારણ કે હવે કોઈ તેમની સતાવણી કરનાર નહોતું. પવિત્ર આત્મા તેઓને સામર્થ્ય આપતો હતો અને ઉત્તેજન આપતો હતો. તેઓ સતત પ્રભુ ઈસુને માન આપતા હતા, અને પવિત્ર આત્મા બીજા ઘણા લોકોને વિશ્વાસીઓ થવા માટે શક્તિમાન કરતા હતા.
\v 32 જ્યારે પિતર તે બધા પ્રદેશોમાંથી પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે, એકવાર તે વિશ્વાસીઓ કે જેઓ સમુદ્ર કિનારાના પ્રદેશ લુદામાં રહેતા હતા તેમની મુલાકાત માટે ત્યાં ગયો.
\s5
\v 33 ત્યાં તે એક માણસ જેનું નામ એનિયસ હતું તેને મળ્યો. એનિયસ તેની પથારીમાંથી ઊભો થઇ શકતો ન હતો કારણ કે તે આઠ વર્ષથી લકવાગ્રસ્ત હતો.
\v 34 પિતરે તેને કહ્યું, "એનિયસ, ઈસુ પ્રભુ તને સાજો કરે છે! ઊભો થા અને તારું બિછાનું વાળી લે!" તરત જ એનિયસ ઊભો થયો.
\v 35 મોટા ભાગના લોકો જેઓ લુદામાં અને શારોનના મેદાનમાં રહેતા હતા તેઓએ પ્રભુએ એનિયસને સાજો કર્યો તે જોયો, તેથી તેઓએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર્યો.
\s5
\v 36 જોપ્પા શહેરમાં એક વિશ્વાસી સ્ત્રી હતી જેનું નામ તાબીથા હતું. ગ્રીક ભાષામાં તેનું નામ દરકાસ હતું. ગરીબ લોકોને તેમની જરૂરિયાતની બાબતો આપવા દ્વારા તે હમેશા સારા કાર્યો કરતી હતી.
\v 37 જ્યારે પિતર લુદામાં હતો તે સમય દરમ્યાન, તે બીમાર પડી અને મરણ પામી. ત્યાંની કેટલીક સ્ત્રીઓએ યહૂદી રિવાજ પ્રમાણે તેના શબને નવડાવ્યું. પછી તેઓએ તેના શરીરને કપડામાં લપેટીને તેના ઘરની ઉપલી મેડીમાં મૂક્યું.
\s5
\v 38 લુદા એ જોપ્પા શહેરથી નજીક હતું, તેથી જ્યારે શિષ્યોએ સાંભળ્યું કે પિતર હજુ લુદામાં છે, ત્યારે તેમણે બે માણસોને પિતરની પાસે મોકલ્યા. પિતર જ્યાં હતો ત્યાં તેઓ આવી પહોંચ્યા ત્યારે, તેઓએ તેને આગ્રહ કર્યો, "મહેરબાની કરીને અમારી સાથે જોપ્પા આવ!"
\v 39 પિતર તરત તૈયાર થયો અને તેમની સાથે ગયો. જ્યારે તે જોપ્પામાં તે ઘરમાં આવ્યો, ત્યારે તેઓ તેને ઉપલી મેડીમાં જ્યાં દરકાસનું શરીર રાખેલું હતું ત્યાં લઇ ગયા. બધી જ વિધવાઓ ત્યાં તેની આસપાસ હતી. તેઓ રડતી હતી અને જે ઝભ્ભા અને બીજાં વસ્ત્રો દરકાસ જ્યારે જીવતી હતી ત્યારે લોકોને માટે બનાવતી હતી તે તેઓને દેખાડતી હતી.
\s5
\v 40 પણ પિતરે તે સર્વને ઓરડામાંથી બહાર કાઢી મૂક્યાં. પછી તેણે ઘૂંટણ પર પડીને પ્રાર્થના કરી. પછી, તેના શરીર તરફ ફરીને, તેણે કહ્યું, "તાબીથા, ઊભી થા!" તરત તેણે તેની આંખો ખોલી અને જ્યારે તેણે પિતરને જોયો ત્યારે તે બેઠી થઈ.
\v 41 તેણે તેનો એક હાથ પકડ્યો અને તેને ઊભા થવામાં મદદ કરી. પછી તેણે વિશ્વાસીઓને તેમ જ જે વિધવાઓ ત્યાં હતી તેઓને ફરીથી અંદર બોલાવ્યા, તેણે તેઓને બતાવ્યું કે તે ફરીથી જીવતી થઇ છે.
\v 42 તરત જ જોપ્પામાં રહેનારા લોકોએ તે ચમત્કાર વિશે જાણ્યું, અને તેના પરિણામ રૂપે ઘણા લોકોએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર્યો.
\v 43 પિતર જોપ્પામાં સિમોન નામના માણસને ઘેર ઘણા દિવસ સુધી રહ્યો. તે ચર્મકારનો ધંધો કરતો હતો.
\s5
\c 10
\p
\v 1 એક માણસ કાઈસારિયા શહેરમાં રહેતો હતો તેનું નામ કર્નેલ્યસ હતું. તે અધિકારી હતો અને ઈટાલીના રોમન સૈનિકોના સો માણસોના મોટા સમૂહને આદેશ કરતો હતો.
\v 2 તે હમેશા ઈશ્વરને જે પસંદ હોય તેવું કાર્ય કરવાનો પ્રયત્ન કરતો હતો; તે અને તેના ઘરનાં બધા જ બિનયહૂદી હતાં જેઓ ઈશ્વરનું ભજન કરવા ટેવાએલાં હતા. તે ઘણી વાર ગરીબ યહૂદી લોકોને મદદ કરવા નાણાં આપતો હતો, અને તે ઈશ્વરને નિયમિત પ્રાર્થના કરતો હતો.
\s5
\v 3 એક દિવસ બપોરે આશરે ત્રણ વાગે કર્નેલ્યસે એક દર્શન જોયું. તેણે સ્પષ્ટ રીતે એક દૂતને જોયો કે જેને ઈશ્વરે મોકલ્યો હતો. તેણે દૂતને તેના ઓરડામાં આવતો જોયો જે તેને કહેતો હતો, "કર્નેલ્યસ !"
\v 4 કર્નેલ્યસ તે દૂતને જોઈ રહ્યો અને બીધો. પછી તેણે ભયભીત થઈને પૂછ્યું, "મહાશય, તમારે શું જોઈએ છે?" ઈશ્વર પાસેથી મોકલાયેલા તે દૂતે તેને જવાબ આપ્યો, "તેં ઈશ્વરને પ્રસન્ન કર્યા છે કારણ કે તું નિયમિત રીતે તેમને પ્રાર્થના કરે છે અને તું ઘણી વાર ગરીબ લોકોને મદદ કરવા માટે નાણાં આપે છે. તે બધી બાબતો ઈશ્વરને માટે યાદગીરીના અર્પણ જેવી છે.
\v 5 તેથી હવે કોઈ માણસને જોપ્પા જવાની આજ્ઞા આપ અને તેને કહે કે સિમોન નામનો માણસ કે જેનું બીજું નામ પિતર છે તેને પાછો લઇ આવે.
\v 6 તે જેની સાથે રહે છે, તેનું નામ પણ સિમોન છે, તે ચર્મકાર છે. તેનું ઘર સમુદ્રની પાસે છે."
\s5
\v 7 જે દૂત કર્નેલ્યસ સાથે વાત કરી રહ્યો હતો તે ગયો ત્યારે, તેણે તેના ઘરમાં કામ કરતા બે નોકરોને અને એક સૈનિક કે જે તેની સેવા કરતો હતો અને ઈશ્વરનું ભજન પણ કરતો હતો તેઓને બોલાવ્યા.
\v 8 દૂતે તેને જે કહ્યું હતું તે બધું તેણે તેઓને સમજાવ્યું. પછી તેણે તેઓને કહ્યું કે જોપ્પા શહેરમાં જઈને પિતરને કાઈસારિયા આવવા કહો.
\s5
\v 9 બીજા દિવસે આશરે બપોરે પેલા ત્રણ માણસો માર્ગની મુસાફરી કરીને જોપ્પા પાસે આવી પહોંચ્યા. તેઓ જોપ્પા પહોંચી રહ્યા હતા ત્યારે, પિતર ઘરની અગાસી પર પ્રાર્થના કરવા ગયો.
\v 10 તે ભૂખ્યો થયો અને તેને કંઈ ખાવાની ઇચ્છા થઈ. જ્યારે કેટલાક લોકો ખોરાક તૈયાર કરી રહ્યા હતા ત્યારે, પિતરે એક દર્શન જોયું.
\v 11 તેણે આકાશ ખુલ્લું થયેલું જોયું અને મોટી ચાદર જેવું કશુંક ભૂમિ પર નીચે ઉતર્યું, અને તેના ચાર ખૂણા ઉપરની તરફ ઊઠેલા હતા.
\v 12 તે ચાદરમાં બધા જ પ્રકારનાં સજીવો હતાં. તેઓમાં મૂસાના નિયમ પ્રમાણે યહૂદીઓને જે મના કરવામાં આવેલાં તેવાં પશુઓ અને પક્ષીઓ સામેલ હતાં. કેટલાકને ચાર પગ હતાં, બીજા ભૂમિ પર ચાલનારાં હતાં, અને બીજા જંગલી પક્ષીઓ હતાં.
\s5
\v 13 પછી તેણે ઈશ્વરને તેને કહેતા સાંભળ્યા, "પિતર, ઊભો થા, તેમાંના કેટલાકને મારી નાખ અને તેઓને ખા!"
\v 14 પણ પિતરે જવાબ આપ્યો, "પ્રભુ, તમે ખરેખર નથી ઈચ્છતા કે હું તે કરું કારણ કે આપણા યહૂદી નિયમ પ્રમાણે જે અસ્વીકાર્ય છે તે મેં કદી ખાધું નથી અથવા તે આપણે કદી ખાવું જ ન જોઈએ!"
\v 15 પછી પિતરે બીજી વાર ઈશ્વરને તેની સાથે વાત કરતા સાંભળ્યા. તેમણે કહ્યું, "હું ઈશ્વર છુ, તેથી મેં જે બનાવ્યું છે તે જો ખાવા માટે માન્ય છે, તો એવું કહીશ નહિ કે તે ખાવા માટે માન્ય નથી!"
\v 16 આવું ત્રણ વાર બન્યું. તે પછી તરત જ, તે પશુઓ અને પક્ષીઓવાળી ચાદર આકાશમાં ઊંચકાઈ ગઈ.
\s5
\v 17 જ્યારે પિતર તે દર્શન શું હતું તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે, કર્નેલ્યસે જે માણસો મોકલ્યા હતા તેઓ આવી પહોંચ્યા. તેમણે લોકોને પૂછ્યું કે સિમોનના ઘરે કેવી રીતે પહોંચી શકાય. તેથી તેઓએ તેનું ઘર શોધી કાઢ્યું અને દરવાજાની બહાર ઊભા રહ્યા.
\v 18 તેઓએ પૂછીને તપાસ કરી કે, સિમોન જેનું બીજું નામ પિતર હતું તે ત્યાં રહેતો હતો કે કેમ.
\s5
\v 19 જ્યારે પિતર હજુ તે દર્શન શું હતું તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે, ઈશ્વરના આત્માએ તેને કહ્યું, "સાંભળ! અહીં ત્રણ માણસો છે જેઓ તને મળવા માગે છે.
\v 20 તેથી ઊભો થઈને નીચે જા અને તેમની સાથે જા! એવું વિચારીશ નહિ કે તારે તેઓની સાથે જવું જોઈએ નહિ, કારણ કે મેં તેઓને અહીં મોકલ્યા છે!"
\v 21 તેથી પિતર તેઓની પાસે ત્યાં નીચે આવ્યો અને તેઓને કહ્યું, "સલામ! તમે જે માણસને શોધો છો તે હું જ છુ. તમે શા માટે આવ્યા છો?"
\s5
\v 22 તેઓએ જવાબ આપ્યો, "કર્નેલ્યસ , જે રોમન અધિકારી છે, તેણે અમને અહીં મોકલ્યા છે. તે સારો માણસ છે જે ઈશ્વરનું ભજન કરે છે, અને બધા જ યહૂદીઓ જેઓ તેને જાણે છે તેઓ તેના વિષે કહે છે કે તે સારો માણસ છે. એક દૂતે તેને કહ્યું, 'કોઈ માણસોને કહે કે જોપ્પા જઈને સિમોન પિતરને મળે અને તેને અહીં લઈ આવે, તેથી તે તને જણાવી શકે કે તેને શું કહેવું છે."
\v 23 તેથી પિતરે તેઓને ઘરમાં બોલાવ્યા અને તેમને કહ્યું કે તેમણે રાત્રે ત્યાં રોકાવું જોઈએ. બીજા દિવસે પિતર તૈયાર થયો અને તે માણસોની સાથે ગયો. જોપ્પામાંથી કેટલાક વિશ્વાસીઓ પણ તેની સાથે ગયા.
\s5
\v 24 તે પછીના દિવસે, તેઓ કાઈસારિયા શહેરમાં આવી પહોંચ્યા. કર્નેલ્યસ તેઓની રાહ જોઈ રહ્યો હતો. તેણે તેના સગાંઓને અને નજીકના મિત્રોને પણ ત્યાં બોલાવ્યા હતા, જેથી તેઓ પણ ત્યાં તેના ઘરમાં હતા.
\s5
\v 25 જ્યારે પિતર તે ઘરમાં આવ્યો ત્યારે, કર્નેલ્યસ તેને મળ્યો અને તેની સામે નીચા નમીને તેનું ભજન કર્યું.
\v 26 પણ પિતરે કર્નેલ્યસને હાથ પકડીને તેના પગ પર ઉભો કર્યો. તેણે કહ્યું, "ઉભો થા! મારી સામે નમીને મારું ભજન કરીશ નહિ! હું પોતે પણ તારી જેમ માણસ જ છું!"
\s5
\v 27 પિતર જ્યારે કર્નેલ્યસની સાથે વાત કરતો હતો ત્યારે, તે અને તેની સાથેના બીજાઓ ઘરમાં પ્રવેશ્યા અને તેમણે જોયું કે ઘણા બધા લોકો ત્યાં એકઠા થયા હતા.
\v 28 પછી પિતરે તેઓને કહ્યું, "જો અમારામાંનો કોઈ યહૂદી એક બિનયહૂદી સાથે સંબંધ રાખે અથવા તેના ઘરની મુલાકાત પણ કરે તો તમે બધા જાણો છો કે અમને એવું લાગે છે કે અમે અમારા યહૂદી નિયમોને આધીન થતા નથી. તો પણ, ઈશ્વરે મને દર્શનમાં બતાવ્યું છે કે મારે કહેવું જોઈએ નહિ કે કોઈ એટલું શુદ્ધ કે ભ્રષ્ટ છે કે ઈશ્વર તેને સ્વીકારશે નહિ.
\v 29 તેથી જ્યારે તમે કેટલાક માણસોને મને તેડી લાવવા મોકલ્યા ત્યારે, હું કઈ પણ આનાકાની કર્યા વગર સીધો અહીં આવ્યો. એટલે, મહેરબાની કરીને મને કહો, તમે મને અહીં આવવાનું શા માટે કહ્યું?"
\s5
\v 30 કર્નેલ્યસે જવાબ આપ્યો, "ત્રણ દિવસ પહેલાં આશરે આ સમયે જેમ હું બપોર પછી ત્રણ વાગે નિયમિત કરું છું તેમ, મારા ઘરમાં ઈશ્વરની પ્રાર્થના કરતો હતો. અચાનક એક માણસ કે જેણે ઊજળા સફેદ વસ્ત્ર પહેરેલા હતા તે મારી સામે આવીને ઊભો રહ્યો અને કહ્યું,
\v 31 'કર્નેલ્યસ , ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે. તેમણે એ પણ ધ્યાનમાં લીધું છે કે તું ઘણીવાર ગરીબ લોકોને નાણા આપીને મદદ કરે છે, અને તેઓ તેનાથી પ્રસન્ન છે.
\v 32 તેથી હવે, સિમોન કે જેનું બીજું નામ પિતર છે તેને અહીં બોલાવી લાવવા માટે જોપ્પા શહેરમાં સંદેશવાહકો મોકલ. તે સિમોન કે જે ચર્મકાર છે, તેના સમુદ્ર પાસેના ઘરમાં રહે છે.'
\v 33 તેથી મેં તરત જ કેટલાક માણસોને તને બોલાવવા માટે મોકલ્યા, અને તું આવ્યો માટે હું તારો ખરેખર આભાર માનું છુ. હવે, આપણે જાણીએ છીએ કે ઈશ્વર આપણી સાથે છે, ઈશ્વરે તને જે આજ્ઞા આપી છે તે બાબતો સાંભળવા માટે અમે બધા અહીં ભેગા થયા છીએ. તેથી હવે મહેરબાની કરીને અમારી સાથે વાત કર."
\s5
\v 34 તેથી પિતરે તેઓની સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, "હવે હું સમજ્યો છું કે એ સાચું છે કે ઈશ્વર કોઈ ચોક્કસ પ્રકારના લોકોના સમૂહની તરફેણ કરતા નથી.
\v 35 તેના બદલે, દરેક લોકસમૂહમાંથી જેઓ તેમને માન આપે છે અને તેમને પસંદ પડે તેવું કરે છે તે બધાને તેઓ સ્વીકારે છે.
\s5
\v 36 અમને ઇઝરાયલીઓને ઈશ્વરે જે સંદેશો મોકલ્યો છે તે તમે જાણો છો. ઈસુ ખ્રિસ્તે જે કર્યું છે તે શુભ સમાચારના લીધે લોકોને તેમનામાં શાંતિ પ્રાપ્ત થશે તે તેમણે અમને પ્રગટ કર્યું છે. આ ઈસુ એ માત્ર ઇઝરાયલીઓના જ ઈશ્વર નથી. તેઓ પ્રભુ છે કે જેઓ બધા લોકોની ઉપર રાજ કરે છે.
\v 37 ગાલીલથી શરૂ કરીને, યહૂદિયાની ભૂમિ સુધી તેમણે જે કર્યું તે તમે જાણો છો. યોહાને લોકોને બાપ્તિસ્મા આપતાં પહેલાં તેમના પાપી વર્તનથી પાછા ફરવા સંબંધી પ્રગટ કર્યું તે પછી તેમણે આ બાબતો કરવાનું શરૂ કર્યું.
\v 38 તમે જાણો છો કે ઈશ્વરે ઈસુને કે જેઓ નાસરેથ નગરના હતા તેમને તેમનો પવિત્ર આત્મા આપ્યો, અને તેમને ચમત્કારો કરવાની શક્તિ આપી. તમે જાણો છો કે કેવી રીતે ઈસુ ઘણી જગ્યાએ જતા, હંમેશાં ભલાં કાર્યો કરતા અને લોકોને સાજા કરતા હતા. શેતાનથી જેઓ પીડાતા હતા તેવા બધા લોકોને તેઓ સાજા કરતા હતા. ઈસુ આ બધી બાબતો કરી શક્યા કારણ કે ઈશ્વર હમેશા તેમને મદદ કરતા હતા."
\s5
\v 39 "યરુશાલેમમાં અને ઇઝરાયલ દેશમાં જ્યાં કંઇ ઈસુ રહ્યા ત્યાં તેમણે જે કર્યું તે અમે જોયું છે. તેમના શત્રુઓએ તેમને લાકડાના વધસ્તંભ ઉપર ખીલા ઠોકીને મારી નાખ્યા.
\v 40 તેઓ મરણ પામ્યા પછી ઈશ્વરે તેમને ત્રીજા દિવસે સજીવન કર્યા, અને ઈશ્વરે એવું કર્યું કે તેઓને સજીવન કર્યા બાદ ઘણા લોકો તેમને જીવંત રૂપમાં જૂએ. લોકોને ખાતરી થઈ હતી કે જે મરણ પામ્યા હતા તે તેઓ જ હતા અને હવે તેમણે પોતાની આંખોથી જોયું અને પૂરી ખાતરી પામ્યા કે ઈસુ સજીવન થયા છે.
\v 41 તે સમયે ઈશ્વરે બધાને તેમનું દર્શન થવા દીધું નહિ. તેના બદલે, ઈશ્વરે તેમને સજીવન કર્યા પછીના શરૂઆતના દિવસોમાં ઈસુએ પોતાની સાથે રહેવા અને ભોજન કરવા પસંદ કર્યા હતા ફક્ત તેઓને જ દર્શન થવા દીધું.
\s5
\v 42 ઈશ્વરે અમને આદેશ આપ્યો છે કે અમે લોકોને ઉપદેશ આપીએ અને કહીએ કે, એક દિવસે બધાનો ન્યાય કરવા તેમણે ઈસુને નીમ્યા છે. જેઓ તે સમયે હજુ જીવતા હશે અને બીજા જેઓ તે સમય અગાઉ મરણ પામ્યા હશે તે બધાનો ન્યાય ઈસુ કરશે.
\v 43 બધા જ પ્રબોધકો જેઓએ ઘણા સમય અગાઉ તેમના વિષે લખ્યું તેમણે લોકોને તેમના વિષે કહ્યું. તેમણે લખ્યું છે કે જેઓએ તેમનામાં વિશ્વાસ કર્યો છે, તેઓએ પાપ કર્યાં હશે તે ઈશ્વર માફ કરશે, કારણ કે આ માણસ, ઈસુએ, તેમને માટે એ કર્યું છે."
\s5
\v 44 જ્યારે પિતર હજુ તે શબ્દો બોલી રહ્યો હતો ત્યારે, એકાએક બધા લોકો જેઓ બિન યહૂદીઓ હતા અને આ સંદેશ સાંભળી રહ્યા હતા તેઓના પર પવિત્ર આત્મા ઊતરી આવ્યા.
\v 45 ઈશ્વરે પવિત્ર આત્મા જે ઉદારતાથી બિનયહૂદી લોકોને પણ આપ્યા તે જોઇને, જે યહૂદી વિશ્વાસીઓ જોપ્પાથી પિતરની સાથે આવ્યા હતા તેઓ આશ્ચર્ય પામ્યા.
\s5
\v 46 યહૂદી વિશ્વાસીઓએ જાણ્યું કે આ ઈશ્વરે કર્યું છે, કારણ કે તેમણે તે લોકોને જે અન્ય ભાષાઓ તેઓ શીખ્યા ન હતા તેમાં બોલતા અને ઈશ્વર કેટલા મહાન છે તેવું કહેતા સાંભળ્યા. પછી પિતરે
\v 47 જે બીજા યહૂદી વિશ્વાસીઓ જેઓ ત્યાં હતા તેમને કહ્યું કે, "ઈશ્વરે આપણ યહૂદી વિશ્વાસીઓની જેમ જ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યો છે, તેથી તમે બધા નિશ્ચે સહમત થશો કે આપણે આ લોકોને બાપ્તિસ્મા આપવું જોઈએ!"
\v 48 પછી પિતરે તે બિનયહૂદી લોકોને કહ્યું કે તમારે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારા તરીકે બાપ્તિસ્મા પામવું જોઈએ. તેથી તેઓએ તે બધાને બાપ્તિસ્મા આપ્યું. બાપ્તિસ્મા પામ્યા પછી, તેઓએ પિતરને વિનંતી કરી કે તે તેઓની સાથે થોડા દિવસ રહે. તેથી પિતર અને બીજા યહૂદી વિશ્વાસીઓએ તે પ્રમાણે કર્યું.
\s5
\c 11
\p
\v 1 પ્રેરિતો તેમજ બીજા વિશ્વાસીઓ જેઓ યહૂદિયા પ્રાંતના અલગ અલગ નગરોમાં રહેતા હતા તેઓએ લોકોને કહેતા સાંભળ્યા કે કેટલાક બિનયહૂદી લોકોએ પણ ઈશ્વરના ઈસુ વિશેના સંદેશ પર વિશ્વાસ કર્યો છે.
\v 2 પણ પિતર કાઇસારિયાથી યરુશાલેમ પાછો આવ્યો ત્યારે, ત્યાં યરુશાલેમમાં કેટલાક યહૂદી વિશ્વાસીઓ તેને મળ્યા અને તેની ટીકા કરી. તેઓ ઇચ્છતા હતા કે ઈસુના બધા અનુયાયીઓની સુન્નત કરવામાં આવે.
\v 3 તેઓએ તેને કહ્યું, "તું માત્ર સુન્નત વગરના બિનયહૂદીઓના ઘરે જાય છે તે ખોટું છે એટલું જ નહિ પણ, તું તેઓની સાથે જમે પણ છે!"
\s5
\v 4 તેથી પિતરે ખરેખર જે બન્યું હતું તે તેઓને કહેવાનું શરૂ કર્યું.
\v 5 તેણે કહ્યું, "હું જોપ્પા શહેરમાં મારી રીતે પ્રાર્થના કરી રહ્યો હતો, અને ત્યારે મને એક દર્શન થયું. મેં જોયું કે ચાર ખૂણેથી લટકાવેલી એક વિશાળ ચાદર આકાશમાંથી ઊતરી આવી, અને હું જ્યાં હતો ત્યાં નીચે તે આવી.
\v 6 હું જ્યારે ધ્યાનથી તેમાં જોઈ રહ્યો હતો ત્યારે, મેં કેટલાક પાલતુ પશુઓ અને કેટલાક જંગલી પશુઓ, પેટે ચાલનારા જીવ અને જંગલી પક્ષીઓ પણ જોયા.
\s5
\v 7 પછી મેં ઈશ્વરને મને આદેશ આપતા સાંભળ્યા, 'પિતર, ઊભો થા, તેઓને મારીને ખા!'
\v 8 પણ મેં ઉત્તર આપ્યો, 'પ્રભુ, તમે સાચે જ એવું ઈચ્છો નહિ કે હું તે પ્રમાણે કરું, કારણ કે આપણા નિયમમાં જે ખાવાની મના કરી છે તે મેં કદી ખાધું નથી!'
\v 9 ઈશ્વરે આકાશમાંથી બીજી વાર મને તે કહ્યું, 'હું ઈશ્વર છુ, તેથી મેં જે બનાવ્યું છે તે ખાવા માટે માન્ય છે, તો એવું કહીશ નહિ કે તે ખાવા માટે અમાન્ય છે.'
\v 10 આ જ બાબત બીજી બે વાર બની, અને પછી તે બધા પશુઓ અને પક્ષીઓવાળી તે ચાદર આકાશમાં પાછી ઊંચકાઈ ગઈ.
\s5
\v 11 તે જ ક્ષણે, હું જ્યાં રહેતો હતો ત્યાં કાઈસારીયાથી મોકલેલા ત્રણ માણસો આવી પહોંચ્યા.
\v 12 ઈશ્વરના આત્માએ મને કહ્યું કે તેઓ બિનયહૂદી છે છતાં મારે તેઓની સાથે જવામાં ખચકાવું જોઈએ નહિ. મારી સાથે છ યહૂદી વિશ્વાસીઓ પણ કાઈસારીયા આવ્યા, અને પછી અમે તે બિનયહૂદી માણસના ઘરે ગયા.
\v 13 તેણે અમને કહ્યું કે તેણે એક દૂતને તેના ઘરમાં ઊભેલો જોયો. દૂતે તેને કહ્યું, 'કેટલાક માણસોને કહે કે તેઓ જોપ્પા જાય અને ત્યાંથી સિમોન કે જેનું બીજું નામ પિતર છે તેને અહીં તેડી લાવે.
\v 14 તે તને કહેશે કે કેવી રીતે તું અને તારા ઘરના બીજા બધા બચી શકો.'
\s5
\v 15 મેં બોલવાનું શરૂ કર્યું ત્યારે, જેવી રીતે પચાસમાના પર્વ દરમ્યાન પવિત્ર આત્મા આપણા ઉપર ઊતરી આવ્યો હતો તેવી જ રીતે તેઓ અચાનક તેઓ ઉપર ઊતરી આવ્યો.
\v 16 પ્રભુએ જે કહ્યું હતું તે પછી મને યાદ આવ્યું: 'યોહાને પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું, પણ ઈશ્વર પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.'
\s5
\v 17 આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો તે પછી તેમણે આપણને જેમ પવિત્ર આત્મા આપ્યો તેમ બિનયહૂદીઓને પણ ઈશ્વરે પવિત્ર આત્મા આપ્યો. તેથી હું ઈશ્વરને એવું કહી શકું નહિ કે તેમણે જ્યારે તેઓને પવિત્ર આત્મા આપ્યો ત્યારે તેમણે કંઈ ખોટું કર્યું!"
\v 18 પિતરે જે કહ્યું તે યહૂદી વિશ્વાસીઓએ સાંભળ્યું તે પછી, તેઓએ તેની ટીકા કરવાનું બંધ કર્યું. તેના બદલે, તેમણે, ઈશ્વરની સ્તુતિ કરતાં કહ્યું, "હવે તે આપણને સ્પષ્ટ છે કે જો બિનયહૂદીઓ તેમના પાપી સ્વભાવથી પાછા ફરે તો ઈશ્વર તેઓને પણ સ્વીકારે છે કે જેથી તેઓ અનંતજીવન પામે."
\s5
\v 19 સ્તેફનના મરણ પછી, ઘણા વિશ્વાસીઓએ યરુશાલેમ છોડી દીધું અને અન્ય જગ્યાઓમાં ગયા કારણ કે તેઓ યરુશાલેમમાં સહન કરી રહ્યા હતા. તેઓમાંના કેટલાક ફિનીકિયા ગયા, કેટલાક સાયપ્રસ ટાપુ પર ગયા, અને બીજા અંત્યોખ કે જે સિરિયાનું શહેર હતું ત્યાં ગયા. તે સ્થળોમાં તેઓ લોકોને ઈસુ વિશેનો સંદેશ સતત કહેતા હતા, પણ તેઓએ માત્ર બીજા યહૂદીઓને જ તે વિષે કહ્યું.
\v 20 કેટલાક વિશ્વાસીઓ સાયપ્રસ ટાપુના અને ઉત્તર આફ્રિકાના કુરેની શહેરના માણસો હતા. તેઓ અંત્યોખ ગયા અને બિનયહૂદી લોકોને પણ પ્રભુ ઈસુ વિષે જણાવ્યું.
\v 21 તે વિશ્વાસીઓ અસરકારક પ્રચાર કરી શકે તે માટે પ્રભુ ઈશ્વર તેમને સામર્થ્ય આપતા હતા. તેના પરિણામે, બીજા ઘણા બિનયહૂદી લોકોએ તેમના સંદેશ પર અને પ્રભુ પર વિશ્વાસ કર્યો.
\s5
\v 22 યરુશાલેમમાંના વિશ્વાસીઓના સમૂહે લોકોને કહેતા સાંભળ્યા કે અંત્યોખમાં ઘણા લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો છે. તેથી યરુશાલેમમાંના વિશ્વાસીઓના આગેવાનોએ બાર્નાબાસને અંત્યોખ મોકલ્યો.
\v 23 તે ત્યાં પહોંચ્યો ત્યારે, તેણે અનુભવ કર્યો કે ઈશ્વર વિશ્વાસીઓ પ્રત્યે ભલાઈથી વર્ત્યાં છે. તેથી તે ઘણો ખુશ થયો, અને વિશ્વાસીઓને પ્રભુ ઈસુ પર સતત સંપૂર્ણ વિશ્વાસ કરવા તેણે ઉત્તેજન આપ્યું.
\v 24 બાર્નાબાસ ભલો માણસ હતો કે જે પવિત્ર આત્માના નિયંત્રણમાં હતો, તે ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ રાખતો હતો. બાર્નાબાસે જે કર્યું તેના લીધે, ત્યાંના ઘણા લોકોએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો.
\s5
\v 25 પછી બાર્નાબાસ શાઉલને શોધવા માટે કિલીકિયાના તાર્સસ શહેરમાં ગયો.
\v 26 તેને શોધી કાઢ્યા પછી, બાર્નાબાસ તેને લઈને વિશ્વાસીઓને શીખવવામાં મદદ કરવા અંત્યોખ પાછો આવ્યો. તેથી આખા એક વર્ષ સુધી બાર્નાબાસ અને શાઉલ નિયમિત રીતે ત્યાંની મંડળીને મળ્યા અને મોટી સંખ્યામાં લોકોને ઈસુ વિશેનું શિક્ષણ આપ્યું. શિષ્યોને સૌ પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવામાં આવ્યા.
\s5
\v 27 બાર્નાબાસ અને શાઉલ અંત્યોખમાં હતા તે સમય દરમ્યાન, કેટલાક વિશ્વાસીઓ કે જેઓ પ્રબોધકો હતા તેઓ યરુશાલેમથી ત્યાં આવ્યા.
\v 28 તેઓમાંથી, આગાબસ નામે, એક જણ બોલવા માટે ઊભો થયો. ઈશ્વરના આત્માએ તેને પ્રબોધ કરવાની શક્તિ આપી કે થોડા જ સમયમાં ઘણા દેશોમાં દુકાળ પડશે. (કલોડિયસ જ્યારે રોમન શાસક હતો ત્યારે આ દુકાળ પડ્યો.)
\s5
\v 29 આગાબસે જે કહ્યું તે જ્યારે ત્યાંના વિશ્વાસીઓએ સાંભળ્યું ત્યારે, તેઓએ નક્કી કર્યું કે જે વિશ્વાસીઓ યહૂદિયામાં રહે છે તેઓની મદદ કરવા માટે તેઓ નાણાં મોકલશે. તેઓમાંના બધાએ નક્કી કર્યું કે તેઓ જેટલા આપી શકે તેટલાં વધારે નાણાં આપશે.
\v 30 તેઓએ યરુશાલેમના વિશ્વાસીઓના આગેવાનો પાસે લઇ જવા માટે બાર્નાબાસ તથા શાઉલને તે નાણાં આપ્યાં.
\s5
\c 12
\p
\v 1 તે સમયમાં હેરોદ આગ્રીપા રાજાએ યરુશાલેમમાંના વિશ્વાસી સમૂહના કેટલાક આગેવાનોને પકડવા સૈનિકોને મોકલ્યા. સૈનિકોએ તેમને જેલમાં નાખ્યા. તે વિશ્વાસીઓની સતાવણી કરવા માગતો હતો માટે તેણે આ પ્રમાણે કર્યું.
\v 2 તેણે યોહાન પ્રેરિતના મોટા ભાઈ, યાકૂબ પ્રેરિતનું માથું કાપી નાખવાનો હુકમ એક સૈનિકને કર્યો. તેથી તે સૈનિકે તે પ્રમાણે કર્યું.
\s5
\v 3 જ્યારે હેરોદને લાગ્યું કે તેણે યહૂદી લોકોના આગેવાનોને ખુશ કર્યા છે ત્યારે, તેણે સૈનિકોને પિતરને પણ પકડવાનો હુકમ કર્યો. આ તે પર્વ દરમ્યાન બન્યું જ્યારે યહૂદી લોકો ખમીર વગરની રોટલી ખાતા હતા.
\v 4 તેઓએ પિતરને પકડ્યા પછી, તેને કેદખાનામાં નાખ્યો. તેઓએ સૈનિકોના ચાર સમૂહને તેના પર પહેરો રાખવા હુકમ કર્યો. દરેક સમૂહમાં ચાર સૈનિકો હતા. હેરોદે પાસ્ખાપર્વ પૂરું થયા પછી પિતરને કેદખાનાની બહાર લાવીને યહૂદીઓની સામે તેનો ન્યાય કરવાની ઇચ્છા રાખતો હતો. પછી તેણે પિતરનો વધ કરવાની યોજના કરી.
\s5
\v 5 તેથી કેટલાક દિવસો સુધી પિતર કેદખાનામાં રહ્યો. પણ યરુશાલેમમાંના વિશ્વાસીઓનો સમૂહ પિતરને માટે આગ્રહથી ઈશ્વરને પ્રાર્થના કરતો હતો કે તેઓ તેની મદદ કરે.
\v 6 હેરોદે પિતરને કેદખાનામાંથી બહાર લાવીને જાહેરમાં મારી નાખવાની યોજના કરી હતી તે પહેલાની રાત્રે, પિતર બે સાંકળોથી બંધાયેલો, બે સૈનિકોની વચમાં સૂતો હતો. બીજા બે સૈનિકો કેદખાનાના દરવાજા પાસે ચોકી કરી રહ્યા હતા.
\s5
\v 7 અચાનક પ્રભુ ઈશ્વર પાસેથી આવેલો દૂત પિતરની બાજુમાં આવીને ઊભો રહ્યો, અને તેના ઓરડામાં તેજસ્વી પ્રકાશ ચમક્યો. દૂતે પિતરને ઢંઢોળીને ઊઠાડ્યો અને કહ્યું, "જલ્દી ઊભો થા!" જ્યારે પિતર ઉઠી રહ્યો હતો ત્યારે, તેના કાંડા પરથી સાંકળો સરી પડી. જો કે, જે થઈ રહ્યું હતું તે વિષે સૈનિકો વાકેફ ન હતા.
\v 8 પછી દૂતે તેને કહ્યું, "ઝડપથી કમરે તારો પટ્ટો બાંધ અને તારાં ચંપલ પહેર!" તેથી પિતરે તે પ્રમાણે કર્યું. પછી તે દૂતે તેને કહ્યું, "તારો કોટ પહેરી લે અને મારી પાછળ આવ!"
\s5
\v 9 તેથી પિતરે તેનો કોટ અને ચંપલ પહેર્યાં અને કેદખાનાના તે ઓરડામાંથી તે દૂતની પાછળ ગયો, પણ તે જાણતો ન હતો કે આ ખરેખર શું બની રહ્યું હતું. તેણે વિચાર્યું કે તે સ્વપ્ન જોઈ રહ્યો છે.
\v 10 પિતર અને દૂત એ બંને બે દરવાજાની ચોકી કરતા સૈનિકો પાસે આવ્યા, પણ તે સૈનિકોએ તેઓને જોયા નહિ. પછી તેઓ લોખંડના દરવાજા પાસે આવ્યા જે શહેર તરફ જતો હતો. દરવાજો તેની મેળે જ ઊઘડી ગયો, અને પિતર અને દૂત કેદખાનાની બહાર નીકળી ગયા. જ્યારે તેઓ એક શેરી જેટલા દૂર ગયા ત્યારે, તે દૂત અચાનક અદ્રશ્ય થઇ ગયો.
\s5
\v 11 ત્યારે પિતરને લાગ્યું કે તેની સાથે જે બન્યું તે સ્વપ્ન ન હતું, પણ તે ખરેખર બન્યું હતું. તેથી તેણે વિચાર્યું, "હવે હું ખરેખર જાણું છું કે પ્રભુ ઈશ્વરે તેમના દૂતને મારી મદદ માટે મોકલ્યો છે. હેરોદે મારા માટે જે યોજના કરી હતી તેમાંથી અને યહૂદી આગેવાનો જે બાબતો બને તેવું ચાહતા હતા તે બધાથી પણ તેમણે મને છોડાવ્યો છે."
\v 12 જ્યારે પિતરને લાગ્યું કે ઈશ્વરે તેને છોડાવ્યો છે ત્યારે, તે મરિયમના ઘરે ગયો. તે યોહાન કે જેનું બીજું નામ માર્ક હતું તેની મા હતી. ઘણા વિશ્વાસીઓ ત્યાં ભેગા થયા હતા, અને પ્રાર્થના કરતા હતા કે ઈશ્વર કોઈક રીતે પિતરને છોડાવે.
\s5
\v 13 જ્યારે પિતરે બહારનો દરવાજો ખખડાવ્યો ત્યારે, દરવાજાની બહાર કોણ છે તે જોવા માટે રોદા નામની ગુલામ છોકરી બહાર આવી.
\v 14 જ્યારે પિતરે તેને બોલાવી ત્યારે, તેણે પિતરનો અવાજ ઓળખ્યો, પણ તે એટલી ખુશ અને ઉત્તેજિત થઈ કે તેણે દરવાજો પણ ખોલ્યો નહિ! તેના બદલે, તે ઘરમાં પાછી દોડી ગઈ. તેણે બીજા વિશ્વાસીઓને જાહેર કર્યું કે પિતર દરવાજાની બહાર ઊભો છે.
\v 15 પણ તેઓમાંના કોઈકે તેને કહ્યું કે, "તું ઘેલી છે!" પણ તેણે એવું કહ્યા જ કર્યું કે તે ખરેખર સાચું છે. તેઓ કહેતા રહ્યા કે," ના, તે પિતર ન હોઈ શકે. તે કદાચ કોઈ દૂત હશે."
\s5
\v 16 પણ પિતરે દરવાજો ખખડાવવાનું ચાલુ રાખ્યું. તેથી જ્યારે કોઈકે દરવાજો ખોલ્યો, ત્યારે તેઓએ જોયુ કે તે પિતર છે, અને તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યા!
\v 17 પિતરે તેના હાથ વડે ઈશારો કરીને તેઓને શાંત રહેવા કહ્યું. પછી તેણે પ્રભુ ઈશ્વર કેવી રીતે તેને કેદખાનામાંથી બહાર લાવ્યા તે વિષે વિગતવાર કહ્યું. તેણે એ પણ કહ્યું, "યાકૂબ જે આપણા જૂથનો આગેવાન છે, તેને અને આપણા બીજા સાથી વિશ્વાસીઓને પણ જે બન્યું છે તે વિષે કહેજો." પછી પિતર ત્યાંથી નીકળીને બીજી જગ્યાએ ગયો.
\s5
\v 18 બીજે દિવસે સવારે જે સૈનિકો પિતરની ચોકી કરતા હતા તેઓ ખૂબ ચિંતિત થઇ ગયા, કારણ કે તેનું શું થયું હતું તે તેઓ જાણતા ન હતા.
\v 19 પછી હેરોદે તે વિષે સાંભળ્યું. તેથી તેણે સૈનિકોને આજ્ઞા કરી કે તેઓ પિતરને શોધી કાઢે, પણ તેઓને તે મળ્યો નહી. પછી જે સૈનિકો પિતરની ચોકી કરી રહ્યા હતા તેઓની તેણે પૂછપરછ કરી, અને તેઓને મારી નાખવાનો આદેશ આપ્યો. તે પછી, હેરોદ યહૂદિયાના પ્રાંતમાંથી કાઇસરિયા શહેર તરફ ગયો, જ્યાં તે થોડો સમય રહ્યો.
\s5
\v 20 હેરોદ રાજા જેઓ તૂર અને સિદોનમાં રહેતા હતા તે લોકો પર ખૂબ ગુસ્સે થયો હતો. પછી એક દિવસે તેઓનું પ્રતિનિધિત્વ કરતા કેટલાક લોકો હેરોદને મળવા કાઇસરિયા શહેર આવ્યા. તેઓ બ્લાસ્તસને, કે જે હેરોદના મહત્વના અધિકારીઓમાંનો એક હતો તેને મળ્યા, જેથી તે હેરોદને જણાવે કે તેના શહેરમાં રહેનારા લોકો એની સાથે સમાધાન કરવા માગે છે. હેરોદ જ્યાં રાજ્ય કરતો હતો ત્યાંના લોકોની સાથે તેઓ વેપાર કરવા માગતા હતા, કારણ કે તેઓને તે પ્રદેશોમાંથી અનાજ ખરીદવું હતું.
\v 21 હેરોદે તેઓને મળવાની યોજના કરી હતી તે દિવસે, તેણે તે રાજા છે એવું દર્શાવવા ઘણાં કીંમતી વસ્ત્રો પહેર્યાં. પછી તે તેની ગાદી પર બેઠો અને તેણે સામાન્ય રીતે જ ત્યાં એકઠા થયેલા લોકોને સંબોધન કર્યું.
\s5
\v 22 જેઓ તેને સાંભળી રહ્યા હતા તેઓ વારંવાર બૂમો પાડતા હતા, "આ જે માણસ બોલે છે તે દેવ છે, માણસ નથી!"
\v 23 તેથી, હેરોદે લોકોને ઈશ્વરને મહિમા આપવાને બદલે તેને પોતાને મહિમા આપવા દીધો તે કારણે, અચાનક પ્રભુ ઈશ્વરના એક દૂતે હેરોદને ગંભીર બીમાર પાડ્યો. ઘણા કૃમીઓએ તેનાં આંતરડાને કોરી ખાધા, અને તરત તે ખૂબ દુઃખ સાથે મરણ પામ્યો.
\s5
\v 24 વિશ્વાસીઓ સતત ઈશ્વરના સંદેશને ઘણી જગ્યાએ લોકોને કહેતા રહ્યા, અને જેઓ ઈસુમાં વિશ્વાસ કરતા હતા તેઓની સંખ્યા સતત વધતી ગઈ.
\v 25 બાર્નાબાસ અને શાઉલ યહૂદિયા પ્રાંતના યહૂદી વિશ્વાસીઓને નાણાં વહેંચવાનું પૂરું કરી રહ્યા તે પછી, તેઓ યરુશાલેમ છોડીને અંત્યોખ શહેરમાં જે સિરિયા પ્રાંતમાં છે ત્યાં પાછા આવ્યા. તેમણે યોહાન, કે જેનું બીજુ નામ માર્ક હતું, તેને સાથે લીધો.
\s5
\c 13
\p
\v 1 સિરિયા પ્રાંતના અંત્યોખમાં વિશ્વાસીઓના સમૂહમાં કેટલાક પ્રબોધકો અને ઈસુ વિશે લોકોને શીખવનારા હતા. તેઓમાં બાર્નાબાસ; સિમોન જે નિગેર કહેવાતો હતો; લુસિયસ જે કુરેનીનો હતો, મનાએન જે રાજા હેરોદ આંતીપાસની સાથે ઊછર્યો હતો, અને શાઉલ હતા.
\v 2 જ્યારે તેઓ પ્રભુનું ભજન અને ઉપવાસ કરતા હતા ત્યારે, પવિત્ર આત્માએ તેમને કહ્યું, "બાર્નાબાસ અને શાઉલને પસંદ કરો કે તેઓ મારી સેવા કરે અને જઈને જે કામ કરવા મેં તેઓને પસંદ કર્યા છે તે કરે!"
\v 3 તેથી તેઓએ ઉપવાસ અને પ્રાર્થના કરવાનું જારી રાખ્યું. પછી તેઓએ બાર્નાબાસ અને શાઉલ પર તેમના હાથ મૂક્યા અને પ્રાર્થના કરી કે, ઈશ્વર તેઓની સહાય કરે. ત્યાર પછી તેઓએ તેમને વિદાય કર્યા કે પવિત્ર આત્માના આદેશ પ્રમાણે તેઓ કરે.
\s5
\v 4 પવિત્ર આત્માએ બાર્નાબાસ અને શાઉલને ક્યાં જવું તે માટે દોરવણી આપી. તેથી તેઓ અંત્યોખથી સલૂકિયા શહેર જે સમુદ્ર પાસે છે તે તરફ ગયા. ત્યાંથી વહાણ મારફતે સાયપ્રસ ટાપુ પર સાલામિસ શહેરમાં ગયા.
\v 5 જ્યારે તેઓ સાલામિસમાં હતા ત્યારે, તેઓ યહૂદીઓના સભાસ્થાનોમાં ગયા. ત્યાં તેઓએ ઈશ્વર તરફથી ઈસુ વિશેનો સંદેશો પ્રગટ કર્યો. યોહાન માર્ક તેમની સાથે ગયો અને તેઓને મદદ કરતો હતો.
\s5
\v 6 તેઓમાંના ત્રણ આખો બેટ ઓળંગીને પાફોસ શહેરમાં ગયા. ત્યાં તેઓને એક જાદુગર મળ્યો જેનું નામ બાર-ઈસુ હતું. તે એક યહૂદી હતો પણ પ્રબોધક હોવાનો જૂઠો દાવો કરતો હતો.
\v 7 તે ટાપુના રાજ્યપાલ સર્જિયસ પાઉલ, જે એક બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે હતો. રાજ્યપાલે બાર્નાબાસ અને શાઉલને પોતાની પાસે બોલાવવા કોઈકને કહ્યું, કારણ કે તે ઈશ્વરનું વચન સાંભળવા ઇચ્છતો હતો.
\v 8 તોપણ, જાદુગર, જેના નામનો અર્થ ગ્રીક ભાષામાં એલિમાસ થાય છે, તેણે તેમને અટકાવવા પ્રયત્ન કર્યો. તેણે વારંવાર રાજ્યપાલને ઈસુ પર વિશ્વાસ કરતા રોકવાની કોશિશ કરી.
\s5
\v 9 પછી શાઉલ, જે હવે પોતાને પાઉલ તરીકે ઓળખાવતો હતો, તેણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને, તે જાદુગરની સામે જોઈને કહ્યું,
\v 10 "તું શેતાનનું કામ કરે છે, અને જે સારું છે તેને અટકાવવાનો પ્રયત્ન કરે છે! તું હમેશા લોકોને જૂઠ્ઠું જણાવે છે અને તેઓનું ભૂંડું કરે છે. પ્રભુ ઈશ્વર સંબંધીનું જે સત્ય છે તેને જૂઠ્ઠું ઠરાવવાનું તારે બંધ કરવું જોઈએ!
\s5
\v 11 ઈશ્વર અત્યારે જ તને શિક્ષા કરશે! તું દ્રષ્ટિહીન થઇ જશે અને થોડા સમય માટે સૂર્યને જોઈ શકશે નહિ." તરત જ તે અંધ થઇ ગયો, જાણે તે ઘોર અંધકારમાં હોય, અને કોઈ તેનો હાથ પકડીને દોરે તેવાની તેણે શોધ કરવા માંડી.
\v 12 જ્યારે રાજ્યપાલે એલિમાસને જે થયું તે જોયું ત્યારે, તેણે ઈસુ પર વિશ્વાસ કર્યો. પાઉલ અને બાર્નાબાસ પ્રભુ ઈસુ વિષે જે શીખવતા હતા તેનાથી તે આશ્ચર્ય પામ્યો.
\s5
\v 13 ત્યાર પછી, પાઉલ અને તેની સાથેના માણસો વહાણ મારફતે પાફોસથી પામ્ફૂલ્યા પ્રાંતના પેર્ગા શહેરમાં ગયા. પેર્ગાથી યોહાન માર્ક તેમને છોડીને યરુશાલેમમાં તેના ઘરે પાછો ગયો.
\v 14 પછી પાઉલ અને બાર્નાબાસ જમીનમાર્ગે મુસાફરી કરીને ગલાતિયા પ્રાંતના પીસીદિયા જીલ્લાના અંત્યોખ શહેરમાં આવ્યા. સાબ્બાથે તેઓ સભાસ્થાનમાં જઈને બેઠા.
\v 15 કોઈકે મૂસાના નિયમના પુસ્તકમાંથી મોટેથી વાંચ્યું. ત્યારપછી કોઈકે પ્રબોધકોએ જે લખ્યું હતું તેમાંથી વાંચ્યું. પછી યહૂદી સભાસ્થાનના આગેવાનોએ પાઉલ અને બાર્નાબાસને કહેવડાવ્યું: "સાથી યહૂદીઓ, તમારામાંથી કોઈક લોકોને ઉત્તેજન આપવા કઇંક કહેવા માગતા હો તો કૃપા કરીને હવે જણાવો."
\s5
\v 16 તેથી પાઉલે હાથથી ઈશારો કર્યો કે જેથી લોકો તેને સાંભળે, પછી તેણે કહ્યું, "સાથી ઇઝરાયલીઓ અને તમે બિનયહૂદીઓ કે જેઓ પણ ઈશ્વરનું ભજન કરો છો, તેઓ મહેરબાની કરીને મારું સાંભળો!
\v 17 ઈશ્વર, કે જેઓનું આપણે ઇઝરાયલીઓ ભજન કરીએ છીએ તેઓએ, આપણા પૂર્વજોને તેમના લોકો બનવા પસંદ કર્યા, અને જ્યારે તેઓ મિસરમાં પરદેશી તરીકે રહેતા હતા ત્યારે સંખ્યામાં ઘણી વૃદ્ધિ કરી. પછી ગુલામીમાંથી તેમને બહાર કાઢવા માટે ઈશ્વરે પરાક્રમી બાબતો કરી.
\v 18 જો કે તેઓએ વારંવાર તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તોપણ, તેમણે અરણ્યમાં ચાલીસ વરસો સુધી તેમના વર્તનને સહન કર્યું.
\s5
\v 19 તે સમયે કનાન પ્રદેશમાં વસતાં સાત લોકજૂથ પર તેમણે તેઓને વિજય અપાવ્યો, અને તેમણે તેમનો દેશ સદાને માટે ઇઝરાયલીઓને આપ્યો.
\v 20 તેમના પૂર્વજો મિસર ગયા તે પછીના લગભગ ૪૫૦ વર્ષો દરમ્યાન આ બધું બન્યું." "ત્યારપછી, ઈશ્વરે લોકોને ન્યાયાધીશો તરીકે સેવા કરવા અને આગેવાનો તરીકે ઇઝરાયલીઓ પર રાજ કરવા પસંદ કર્યા. તે લોકોએ આપણા લોકો પર સતત રાજ કર્યું, અને શમુએલ તેમના પર રાજ કરનાર છેલ્લો પ્રબોધક હતો.
\s5
\v 21 પછી, જ્યારે શમુએલ હજી તેમનો આગેવાન હતો ત્યારે, લોકોએ પોતાના પર રાજ કરવા રાજાની પસંદગી કરવા માગણી કરી. તેથી ઈશ્વરે, બિન્યામીનના કુળમાંથી, કિશના પુત્ર શાઉલને, તેમનો રાજા બનવા પસંદ કર્યો. તેણે તેમના પર ચાળીસ વરસ રાજ કર્યું.
\v 22 ઈશ્વરે શાઉલને રાજા તરીકે નકાર્યો, પછી તેમણે દાઉદને તેમનો રાજા થવા પસંદ કર્યો. ઈશ્વરે તેના સંબંધી કહ્યું, 'મેં નિશ્ચે જોયું છે કે, યિશાઈનો દીકરો, દાઉદ, હું ઇચ્છતો હતો તેવા જ પ્રકારનો માણસ છે. મારી ઇચ્છા પ્રમાણે તે બધું જ કરશે."'
\s5
\v 23 "જેમ તેમણે દાઉદ અને આપણા બીજા પૂર્વજોને વચન આપ્યું હતું તેમ, આપણ ઇઝરાયલીઓને બચાવવા માટે ઈશ્વર દાઉદના વંશજોમાંથી એકને એટલે, ઈસુને, લાવ્યા.
\v 24 ઈસુએ તેમનું કાર્ય શરૂ કર્યું તે પહેલા, યોહાન બાપ્તિસ્મીએ જે ઇઝરાયલીઓ તેની પાસે આવ્યા તે સર્વને ઉપદેશ કર્યો. તેણે તેઓને કહ્યું કે તેઓ તેમના પાપી વ્યવહારથી પાછા ફરે અને પ્રભુ પાસે માફી માગે. ત્યાર પછી તેઓ તેમને બાપ્તિસ્મા આપશે.
\v 25 જ્યારે યોહાન ઈશ્વરે તેને આપેલું કામ પૂરું કરવાનો હતો ત્યારે, તે કહી રહ્યો હતો, 'શું તમે એવું વિચારો છો કે ઈશ્વરે જે મસીહને મોકલવાનું વચન આપ્યું હતું તે હું છું? ના, હું તે નથી. પણ સાંભળો! મસીહ જલદી આવશે. તેઓ મારા કરતાં વધારે મહાન છે કે હું તેમના પગમાંથી ચંપલ ઉતારવા પણ યોગ્ય નથી."'
\s5
\v 26 "વ્હાલા ભાઈઓ, અને તમે સર્વ જેઓ ઇબ્રાહિમના વંશજો છો, અને તમે બિનયહૂદીઓ જેઓ ઈશ્વરનું ભજન કરો છો, તેઓ કૃપા કરીને સાંભળો! આપણ સર્વની પાસે ઈશ્વરે એ સંદેશો મોકલ્યો છે કે તેઓ લોકોને કેવી રીતે બચાવે છે.
\v 27 યરુશાલેમના લોકો અને તેમના અધિકારીઓએ ઈસુને ઓળખ્યા નહી. દરેક સાબ્બાથે પ્રબોધકોના પુસ્તકોને મોટેથી વાંચવામાં આવે છે છતાં પણ તેઓ તેમના પ્રબોધકોના સંદેશાને સમજ્યા નહિ, અને પછી જ્યારે તેમણે ઈસુને મરણને માટે દોષિત ઠરાવ્યા ત્યારે પ્રબોધકોએ જે કહ્યું હતું તે પૂરું થયું.
\s5
\v 28 ઘણા લોકોએ ઈસુને દુષ્ટ કામો કરવા સંબધી દોષિત ઠરાવ્યો, પણ મરણ પામવા યોગ્ય કોઈ બાબત તેમણે કરી છે તેવું તેઓ સાબિત કરી શક્યા નહિ ત્યારે, તેઓએ રાજ્યપાલ પિલાતને ઈસુને મારી નાખવાની વિનંતી કરી.
\v 29 તેઓએ ઈસુની સાથે એ સર્વ વ્યવહાર કર્યો જેના સંબંધી પ્રબોધકોએ લાંબા સમય અગાઉ લખ્યું હતું કે તેઓ આ પ્રમાણે કરશે. તેઓએ ઈસુને વધસ્તંભે જડીને મારી નાખ્યા. પછી તેઓએ તેમના શરીરને વધસ્તંભ પરથી ઉતારીને કબરમાં મૂક્યું.
\s5
\v 30 તેમ છતાં, ઈશ્વરે તેમને મરણમાંથી પાછા ઉઠાડ્યા.
\v 31 ગાલીલથી યરુશાલેમ સુધી તેમની સાથે આવેલા તેમના અનુયાયીઓને ઘણા દિવસ સુધી તેઓ વારંવાર દેખાયા. જેઓએ તેમને જોયા તેઓ હવે લોકોને જણાવી રહ્યા છે."
\s5
\v 32 "અત્યારે અમે તેમના શુભ સમાચાર તમને પ્રગટ કરીએ છીએ. અમે તમને જણાવવા માંગીએ છીએ કે ઈશ્વરે આપણા યહૂદી પૂર્વજોને જે વચન આપ્યું હતું તે તેમણે પરિપૂર્ણ કર્યું છે!
\v 33 ઈસુને ફરીથી સજીવન કરીને હવે આપણે જેઓ તેમના વંશજો છીએ, અને તમે જેઓ યહૂદીઓ નથી તેઓને માટે પણ, તેમણે આ કર્યું છે. દાઉદે જેમ ગીતશાસ્ત્ર બે માં લખ્યું છે તે પ્રમાણે, જ્યારે ઈશ્વર તેમના પુત્રને મોકલવાનું કહેતા હતા, 'તું મારો પુત્ર છે, હું આજે તમારો પિતા થયો છું.'
\v 34 ઈશ્વરે મસીહને મરણમાંથી પાછા ઉઠાડ્યા છે અને તેઓ ફરી કદી મરણ પામશે નહિ. ઈશ્વરે આપણા યહૂદી પૂર્વજોને કહ્યું હતું, 'હું ચોક્કસ તમને મદદ કરીશ, જેમ મેં દાઉદને વચન આપ્યું હતું તે પ્રમાણે હું કરીશ.'
\s5
\v 35 દાઉદના અન્ય એક ગીતમાં, તેઓ મસીહ સંબંધી એવું પણ કહે છે: 'તમે તમારા પવિત્ર વ્યક્તિના શરીરને કોહવાણ થવા દેશો નહિ.'
\v 36 દાઉદ જ્યારે જીવતો હતો ત્યારે, તેણે ઈશ્વરની ઇચ્છા મુજબ કર્યું. અને જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે, તેનું શરીર તેના પૂર્વજોના શરીરોને દાટવામાં આવ્યાં તે પ્રમાણે જ દાટવામાં આવ્યું, અને તેનું શરીર કોહવાણ પામ્યું. તેથી આ ગીતમાં તે પોતાના સંબધી બોલતો નથી.
\v 37 પણ તે ઈસુ હતા જેમને ઈશ્વરે મરણમાંથી ઉઠાડ્યા, અને તેમના શરીરને કોહવાણ લાગ્યું નહિ."
\s5
\v 38 "તેથી, મારા સાથી ઇઝરાયલીઓ અને બીજા મિત્રો, તમારે માટે એ જાણવું જરૂરી છે કે ઈસુએ જે કર્યું છે તેના લીધે ઈશ્વર તમારા પાપની માફી આપી શકે છે. મૂસાએ લખેલા નિયમ દ્વારા જે પાપની માફી ન મળી શકે તે બાબતો માટે પણ તે તમને માફ કરશે.
\v 39 બધા લોકો જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓએ ઈશ્વરને નાખુશ કરનારી જે બાબતો કરી છે તે વિષે હવે તેઓ દોષિત ઠરતા નથી.
\s5
\v 40 તેથી હવે કાળજી રાખો કે જેમ પ્રબોધકોએ કહ્યું છે, કે ઈશ્વર કરશે તે પ્રમાણે ઈશ્વર તમારો ન્યાય ન કરે!
\v 41 ઈશ્વરે જે કહ્યું તેમ પ્રબોધકોએ લખ્યું: 'તમે જેઓ મારી હાંસી ઉડાવો છો, તેઓ હું જે કરું છું તે તમે જોશો ત્યારે તમે ચોક્કસ આશ્ચર્ય પામશો, અને પછી તમારો નાશ થશે. તમારા જીવનકાળ દરમ્યાન હું કંઈક ભયંકર કામ કરીશ જેનાથી તમે આશ્ચર્ય પામશો. હું તે પ્રમાણે કરીશ તેના વિષે કોઈ તમને કહેશે તો પણ તમે તે માનશો નહિ!'''
\s5
\v 42 પછી પાઉલ બોલવાનું પૂરું કરીને ત્યાંથી જઈ રહ્યો હતો ત્યારે, ઘણા લોકોએ તેઓને બીજા સાબ્બાથે ફરી પાછા આવીને આ બાબતો તેમને ફરીથી જણાવવા કહ્યું.
\v 43 જ્યારે સભા પૂરી થઈ તે પછી, ઘણા લોકોએ પાઉલ અને બાર્નાબાસને અનુસરવાનું શરૂ કર્યું. આ લોકો યહૂદીઓ તેમજ બિનયહૂદીઓ હતા જેઓ ઈશ્વરનું ભજન કરતા હતા. પાઉલ અને બાર્નાબાસે તેઓની સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું, અને ઈસુએ જે કર્યું તેના લીધે ઈશ્વર તેમની દયાથી લોકોના પાપ માફ કરે છે તેના પર વિશ્વાસ રાખવાનું ઉત્તેજન આપતા રહ્યા.
\s5
\v 44 ત્યાર પછીના સાબ્બાથ દિવસે, પાઉલ અને બાર્નાબાસ ઈસુ વિષે જે વાત કહે તે સાંભળવા માટે અંત્યોખમાંથી મોટા ભાગના બધા જ લોકો યહૂદીઓના સભાસ્થાને આવ્યા.
\v 45 પણ પાઉલ અને બાર્નાબાસને સાંભળવા આવેલા લોકોના મોટા ટોળાને જ્યારે યહૂદીઓના આગેવાનોએ જોયા ત્યારે તેમને ખૂબ જ ઈર્ષા આવી. તેથી તેઓ પાઉલ જે કહેતો હતો તેની વિરુદ્ધ દલીલો કરવા લાગ્યા અને તેઓએ તેનું અપમાન પણ કર્યું.
\s5
\v 46 પછી, ઘણી હિંમતથી બોલતા, પાઉલ અને બાર્નાબાસે યહૂદીઓના તે આગેવાનોને કહ્યું, "ઈસુ વિશેનો સંદેશ જે ઈશ્વર તરફથી આવેલો છે તેના વિષે અમારે બિન યહૂદીઓને કહેતાં પહેલાં તમને યહૂદીઓને પ્રગટ કરવો જરૂરી હતો, કારણ કે ઈશ્વરે અમને તેમ કરવાની આજ્ઞા આપી છે. પણ તમે ઈશ્વરના સંદેશને નકારી રહ્યા છો. તેમ કરીને, તમે એવું બતાવ્યું છે કે તમે અનંતજીવનને માટે લાયક નથી. તેથી, અમે તમને પડતા મૂકીને, હવે બિનયહૂદી લોકોને ઈશ્વર તરફથી આવેલો સંદેશ કહેવા માટે જઈશું.
\v 47 અમે આ એટલા માટે પણ કરી રહ્યા છીએ કારણ કે પ્રભુ ઈશ્વરે અમને તેમ કરવાની આજ્ઞા આપી છે. તેમણે અમને કહ્યું છે, 'મેં તને બિનયહૂદીઓને મારા વિશેની બાબતો પ્રગટ કરવા પસંદ કર્યો છે કે જેથી તું તેઓ માટે અજવાળારૂપ બને. મેં તને પસંદ કર્યો છે કે જેથી તું દુનિયાના દરેક જગ્યાના લોકોને એ સંદેશ આપે કે હું તેઓને બચાવવા માંગું છું.'''
\s5
\v 48 જ્યારે બિનયહૂદી લોકોએ તે શબ્દો સાંભળ્યા ત્યારે, તેઓ આનંદ કરવા લાગ્યા, અને ઈસુ વિશેના સંદેશને માટે તેમણે ઈશ્વરની સ્તુતિ કરી. બધા જ બિનયહૂદી લોકો જેઓને ઈશ્વરે અનંતજીવન માટે પસંદ કર્યા હતા તેઓએ પ્રભુ ઈસુ વિશેના સંદેશ પર વિશ્વાસ કર્યો.
\v 49 તે સમયે, ઘણા વિશ્વાસીઓ આખા પ્રદેશમાં ફર્યા અને તેઓ જ્યાં પણ ગયા ત્યાં પ્રભુ ઈસુ વિષેનો સંદેશ ફેલાવતા ગયા.
\s5
\v 50 જો કે, કેટલાક યહૂદી આગેવાનોએ કેટલીક મહત્વની સ્ત્રીઓ જે તેમની સાથે ભજન કરતી હતી તેઓની સાથે, તેમજ શહેરના ખૂબ મહત્વના માણસો સાથે વાત કરી. તેઓએ તેમને પાઉલ અને બાર્નાબાસને અટકાવવા માટે ઉશ્કેર્યા. તેથી તે બિનયહૂદી લોકોએ ઘણા લોકોને પાઉલ અને બાર્નાબાસની વિરુદ્ધ દોર્યા, અને તેઓએ તેમને તે પ્રદેશમાંથી બહાર હાંકી કાઢ્યા.
\v 51 જ્યારે બંને પ્રેરિતો ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે, તેઓએ આગેવાનોને ઈશ્વરે તેઓને નકાર્યા છે અને શિક્ષા કરશે તે બતાવવા માટે તેમના પગની ધૂળ ખંખેરી નાખી. પછી તેઓએ અંત્યોખ શહેર છોડી દીધું અને ઇકોનિયમ શહેરમાં ગયા.
\v 52 તે દરમ્યાન વિશ્વાસીઓ આનંદથી અને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થતા રહ્યા.
\s5
\c 14
\p
\v 1 ઇકોનિયમમાં પાઉલ અને બાર્નાબાસ યહૂદીઓની એકઠા મળવાની જગ્યાએ ગયા અને પૂરા પરાક્રમથી પ્રભુ ઈસુ વિષે બોલ્યા. તેના પરિણામ રૂપે, ઘણા યહૂદી અને બિનયહૂદીઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
\v 2 પણ કેટલાક યહૂદીઓએ તે સંદેશા પર વિશ્વાસ કરવાનો નકાર કર્યો. તેઓએ બિનયહૂદીઓને કહ્યું કે તેઓ તેના પર વિશ્વાસ ન કરે; તેઓએ કેટલાક બિનયહૂદીઓને ત્યાંના વિશ્વાસીઓ પ્રત્યે ઉશ્કેર્યા.
\s5
\v 3 તેથી પાઉલ અને બાર્નાબાસે પ્રભુ વિષે હિંમતથી બોલવામાં ઘણો સમય ગાળ્યો, અને પ્રભુ ઈસુએ તેઓને ઘણા ચમત્કારો કરવાની શક્તિ આપી. તેમણે લોકોને તે સંદેશનું સત્ય આ રીતે દર્શાવ્યું કે, આપણે લાયક ન હોઈએ તો પણ, પ્રભુ આપણને બચાવે છે.
\v 4 ઇકોનિયમમાં જે લોકો રહેતા હતા તેઓની પાસે બે અલગ અભિપ્રાય હતા. કેટલાક યહૂદીઓ સાથે સંમત થયા. બીજાઓ પ્રેરિતો સાથે સંમત થયા.
\s5
\v 5 પછી બિનયહૂદીઓ અને યહૂદીઓ જેઓ પાઉલ અને બાર્નાબાસનો વિરોધ કરતા હતા તેઓ પાઉલ અને બાર્નાબાસની સાથે કેવી રીતે ગેરવર્તન કરે તે વિષે માંહોમાંહે વાતચીત કરી. તે શહેરના કેટલાક મહત્વના લોકો તેઓને મદદ કરવા સંમત થયા. સાથે મળીને, તેઓએ નક્કી કર્યું કે પાઉલ અને બાર્નાબાસને તેઓ પથ્થરો મારીને મારી નાખશે.
\v 6 પણ પાઉલ અને બાર્નાબાસે તેઓની યોજના વિષે સાંભળ્યું, તેથી તેઓ ઝડપથી ત્યાંથી દૂર લુકાનિયા જીલ્લામાં જતા રહ્યા. તેઓ તે જીલ્લાના લુસ્ત્રા અને દેર્બે શહેરોમાં તથા આસપાસના વિસ્તારોમાં ગયા.
\v 7 જ્યારે તેઓ તે વિસ્તારમાં હતા ત્યારે, તેઓએ સતત લોકોને પ્રભુ ઈસુ વિષેનો સંદેશ કહ્યો.
\s5
\v 8 લુસ્ત્રામાં, એક માણસ જે તેના પગોથી અપંગ હતો તે ત્યાં બેઠેલો હતો. જ્યારે તેની માએ તેને જન્મ આપ્યો ત્યારથી, તે તેના પગોથી અપંગ હતો, તેથી તે કદી ચાલી શકતો ન હતો.
\v 9 પાઉલ જ્યારે પ્રભુ ઈસુ વિષે કહી રહ્યો હતો તે તેણે સાંભળ્યું. પાઉલે સીધા જ તેની તરફ જોયું અને તે તેના ચહેરાથી પારખી શક્યો કે તેને વિશ્વાસ હતો કે પ્રભુ ઈસુ તેને સાજો કરી શકે છે.
\v 10 તેથી મોટા અવાજે, પાઉલે તેને બોલાવ્યો, "ઊભો થા!" જ્યારે માણસે તે સાંભળ્યું ત્યારે, તે તરત કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.
\s5
\v 11 પાઉલે જે કર્યું તે જ્યારે ટોળાએ જોયું ત્યારે, તેઓએ વિચાર્યું કે પાઉલ અને બાર્નાબાસ જેમની તેઓ પૂજા કરતા હતા તે દેવો છે. તેથી તેઓએ ઉત્તેજિત થઈને તેમની પોતાની લુકાનિયાની ભાષામાં પોકાર્યું, "જુઓ! દેવોએ પોતાને લોકોના સ્વરૂપ જેવા દેખાડ્યા છે અને આપણને મદદ કરવા સારુ તેઓ આકાશમાંથી ઊતર્યા છે!"
\v 12 તેઓ એવું કહેવા લાગ્યા કે બાર્નાબાસ તે તેમનો મુખ્ય દેવ હોઈ શકે, જેનું નામ ઝૂસ હતું. અને એવું કહેવા લાગ્યા કે પાઉલ હેર્મેસ હતો, જે અન્ય દેવોનો સંદેશવાહક હતો. તેઓએ એવું એટલા માટે વિચાર્યું કારણ કે જે બોલી રહ્યો હતો તે તો પાઉલ હતો.
\v 13 શહેરના દરવાજાની બહાર જ મંદિર હતું જ્યાં લોકો ઝૂસની પૂજા કરતા હતા. પાઉલ તથા બાર્નાબાસે જે કર્યું તે જે યાજક ત્યાં હતો તેણે સાંભળ્યું, તેથી તે શહેરના દરવાજે આવ્યો, જ્યાં ઘણા લોકો પહેલેથી એકઠા થએલા હતા. તે ગળામાં ફૂલોના હાર ભરાવેલા બે બળદોને લાવ્યો. પાઉલ તથા બાર્નાબાસની પૂજાની વિધિના ભાગરૂપે તે પુજારી અને લોકોનું ટોળું તે બળદોને મારી નાખવા માંગતું હતું.
\s5
\v 14 પણ જ્યારે પ્રેરિતોએ, બાર્નાબાસ અને પાઉલે, તે વિષે સાંભળ્યું ત્યારે, તેઓ ખૂબ નિરાશ થયા, તેથી તેઓએ તેમનાં પોતાનાં વસ્ત્ર ફાડ્યાં. તેઓ મોટેથી બૂમો પાડતા, લોકો મધ્યે દોડી ગયા,
\v 15 "માણસો, તમારે અમારી પૂજા કરવા માટે બળદોનો વધ ન કરવો જોઈએ! અમે દેવો નથી! અમે તમારા જેવી જ લાગણી ધરાવતા માત્ર માણસો છીએ! અમે તમને એક શુભ સમાચાર કહેવા આવ્યા છીએ. જે ઈશ્વર સર્વશક્તિમાન છે તેમના વિષે તમને કહેવા માટે અમે આવ્યા છીએ. તેઓ ઇચ્છે છે કે તમે અન્ય દેવોનું ભજન કરવાનું બંધ કરો, કારણ કે તેઓ તમારી સહાય કરી શકશે નહિ. આ સાચા ઈશ્વરે આકાશો, પૃથ્વી, સમુદ્ર, અને તેમાંનું બધું જ બનાવ્યું છે.
\v 16 ભૂતકાળમાં, તમે બધા બિનયહૂદી લોકોએ તમે જે ઇચ્છતા હતા તે દેવોની પૂજા કરી. ઈશ્વરે તમને તેઓની પૂજા કરવા દીધી, કારણ કે તમે તેમને ઓળખતા ન હતા.
\s5
\v 17 પણ તેમણે આપણને દર્શાવ્યું છે કે તેઓ આપણી સાથે ભલાઈથી વર્ત્યાં છે. તેઓ એજ છે જે વરસાદ થવા દે છે અને પાક ઉપજાવે છે. તેઓ તમને ભરપૂર ખોરાક આપે છે અને તમારા હૃદયોને આનંદથી ભરી દે છે."
\v 18 પાઉલે જે કહ્યું તે લોકોએ સાંભળ્યું, પણ તેઓ હજુ એવુ જ વિચારતા હતા કે તેમણે પાઉલ તથા બાર્નાબાસની પૂજા કરવા માટે પેલા બળદોનું અર્પણ કરવું જોઈએ. પણ અંતે, લોકોએ એવું ન કરવાનું નક્કી કર્યું.
\s5
\v 19 જોકે, કેટલાક યહૂદીઓ જે અંત્યોખ અને ઇકોનિયમથી આવેલા હતા તેઓએ લુસ્ત્રાના લોકોને એવું કહીને ઉશ્કેર્યા કે પાઉલ જે સંદેશ તેઓને કહે છે તે સત્ય નથી. તે યહૂદીઓએ જે કહ્યું તેના પર જે લોકોએ વિશ્વાસ કર્યો તેઓ પાઉલ ઉપર ખૂબ ગુસ્સે થયા. તે નીચે પડીને બેભાન થઇ ગયો ત્યાં સુધી, તેમણે યહૂદીઓને તેને પથ્થર મારવા દીધા. તેઓ બધાએ વિચાર્યું કે તે મરણ પામ્યો છે, તેથી તેઓ તેને ઘસડીને શહેરની બહાર લઇ ગયા અને ત્યાં પડેલો છોડી દીધો.
\v 20 પણ લુસ્ત્રામાંના કેટલાક વિશ્વાસીઓ જ્યાં તે ભૂમિ પર પડેલો હતો, ત્યાં આવ્યા અને પાઉલની આસપાસ ઊભા રહ્યા. અને પાઉલ ભાનમાં આવ્યો! તે ઊભો થયો અને વિશ્વાસીઓની સાથે પાછો શહેરમાં ગયો. બીજે દિવસે, પાઉલ અને બાર્નાબાસ લુસ્ત્રા શહેર છોડીને દેર્બે શહેરમાં ગયા.
\s5
\v 21 તેઓ ત્યાં કેટલાક દિવસ રહ્યા, અને તેઓ લોકોને ઈસુ વિશેનો શુભ સંદેશ કહેતા રહ્યા. ઘણા લોકો વિશ્વાસી બન્યા. તે પછી, પાઉલ અને બાર્નાબાસ તેમના માર્ગે પાછા વળ્યા. તેઓ ફરીથી લુસ્ત્રા ગયા. પછી ત્યાંથી તેઓ ઇકોનિયમ ગયા, અને પછી પીસીદિયા પ્રાંતના અંત્યોખ શહેરમાં પાછા આવ્યા.
\v 22 દરેક સ્થળે, તેઓ વિશ્વાસીઓને પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખવાની પ્રેરણા આપતા હતા. તેમણે વિશ્વાસીઓને કહ્યું, "ઈશ્વર હંમેશને માટે આપણા પર રાજ કરે તે પહેલાં આપણે સંકટોમાંથી પસાર થવું જ જોઈએ."
\s5
\v 23 પાઉલ અને બાર્નાબાસે દરેક મંડળી માટે આગેવાનોને પસંદ કર્યા. દરેક સ્થળ છોડતાં પહેલાં, પાઉલ અને બાર્નાબાસે વિશ્વાસીઓને એકઠા કર્યા અને પ્રાર્થના અને ઉપવાસમાં થોડો સમય ગાળ્યો. પછી પાઉલ અને બાર્નાબાસે આગેવાનોને તેમજ બીજા વિશ્વાસીઓને પ્રભુ ઈસુ, જેમના પર તેઓએ વિશ્વાસ મૂક્યો, તેઓ તેમની સંભાળ લેશે એવા વિશ્વાસમાં સોંપ્યા.
\v 24 જ્યારે પાઉલ અને બાર્નાબાસ પીસીદિયા જીલ્લામાંથી મુસાફરી કરી રહ્યા હતા ત્યારે, તેઓ દક્ષિણે પમ્ફૂલીયા જીલ્લામાં ગયા.
\v 25 તે જીલ્લામાં, તેઓ પેર્ગા નગરમાં આવી પહોંચ્યા અને પ્રભુ ઈસુ વિશેનો ઈશ્વરનો સંદેશ ત્યાંના લોકોને પ્રગટ કર્યો. પછી તેઓ નીચેની તરફ દરિયાકિનારે અત્તાલિયા નગરે ગયા.
\v 26 ત્યાં તેઓ વહાણમાં બેઠા અને સિરિયા પ્રાંતના અંત્યોખ શહેરમાં પાછા આવ્યા. આ તે સ્થળ હતું જ્યાં પાઉલ અને બાર્નાબાસને અન્ય સ્થળોમાં જઈને પ્રચાર કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા, અને જ્યાં વિશ્વાસીઓએ તેમને માટે ઈશ્વર પાસે માંગ્યું હતું કે જે કાર્ય તેઓએ હાલ પૂરું કર્યું છે તે કરવાને માટે તેમને મદદ કરે.
\s5
\v 27 જ્યારે તેઓ અંત્યોખ શહેરમાં આવી પહોંચ્યા ત્યારે, તેમણે વિશ્વાસીઓને એકઠા કર્યા. પછી પાઉલ અને બાર્નાબાસે તેઓ બધાને કહ્યું કે ઈશ્વરે આ કરવામાં તેમની મદદ કરી છે. ખાસ કરીને, તેમણે તેઓને કહ્યું કે કેવી રીતે ઈશ્વરે બિનયહૂદી લોકોને ઈસુમાં વિશ્વાસ કરવા શક્તિ આપી.
\v 28 પછી પાઉલ અને બાર્નાબાસ ઘણા સમય સુધી બીજા વિશ્વાસીઓની સાથે અંત્યોખમાં રહ્યા.
\s5
\c 15
\p
\v 1 પછી કેટલાક યહૂદી વિશ્વાસીઓ યહૂદિયા પ્રાંતમાંથી અંત્યોખ તરફ ગયા. તેઓ બિનયહૂદીઓને એવું શીખવવા લાગ્યા કે, "તમે ઈશ્વરના છો એવું દર્શાવવા માટે, મૂસાએ જે નિયમ ઈશ્વર પાસેથી મેળવ્યો તેમાં તેણે જે આજ્ઞા કરી તે મુજબ તમારે સુન્નત કરાવવી જોઈએ. જો તમે તેવું ન કરો તો, તમારો બચાવ થએલો નથી."
\v 2 પાઉલ અને બાર્નાબાસે આ યહૂદીઓ સાથે ભારે અસંમતિ દર્શાવી અને તેઓ તેમની સાથે દલીલો કરવા લાગ્યા. તેથી અંત્યોખમાંના વિશ્વાસીઓએ પાઉલ અને બાર્નાબાસને તેમજ બીજા વિશ્વાસીઓને યરુશાલેમ જવા માટે પસંદ કર્યા, જેથી તેઓ આ બાબત વિષે પ્રેરિતો અને બીજા આગેવાનો સાથે ચર્ચા કરી શકે.
\s5
\v 3 પાઉલ, બાર્નાબાસ, અને બીજાઓ જેઓને અંત્યોખના વિશ્વાસીઓ દ્વારા મોકલવામાં આવ્યા પછી, તેઓ ફિનીકિયા અને સમરૂનના પ્રાંતોમાં થઈને ગયા. જ્યારે તેઓ માર્ગે જતાં અલગ અલગ સ્થળોએ રોકાતા ત્યારે, તેઓએ વિશ્વાસીઓને જણાવ્યું કે ઘણા બિનયહૂદીઓ વિશ્વાસીઓ બન્યા છે. તેના પરિણામે, તે સ્થળોના બધા વિશ્વાસીઓ ઘણા આનંદિત થયા.
\v 4 જ્યારે પાઉલ, બાર્નાબાસ, અને બીજાઓ યરુશાલેમ આવ્યા ત્યારે, પ્રેરિતો, બીજા વડીલો અને ત્યાંના સમૂહના અન્ય વિશ્વાસીઓ દ્વારા તેમનો આવકાર કરવામાં આવ્યો. પછી ઈશ્વરે જે બાબતો બિનયહૂદી લોકો મધ્યે કરવા માટે તેઓને સક્ષમ કર્યા હતા તે પાઉલ અને બાર્નાબાસે તેઓને જણાવ્યું.
\s5
\v 5 પણ કેટલાક યહૂદી વિશ્વાસીઓ કે જેઓ ફરોશી સંપ્રદાયમાંથી આવતા હતા તેઓએ બીજા વિશ્વાસીઓની મધ્યે ઊભા થઈને તેઓને કહ્યું, "બિનયહૂદીઓ જેઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો છે તેઓની સુન્નત થવી જોઈએ, અને તેઓને ઈશ્વરે મૂસાને આપેલા નિયમો પાળવાનું કહેવું જોઈએ."
\v 6 પછી આ બાબત વિષે વાત કરવા માટે પ્રેરિતો અને વડીલો એકઠા મળ્યા.
\s5
\v 7 તેના વિષે લાંબો સમય ચર્ચા કર્યા પછી, પિતરે ઊભા થઈને તેઓને સંબોધ્યા. તેણે કહ્યું, "સાથી વિશ્વાસીઓ, તમે સહુ જાણો છો કે લાંબા સમય પહેલા ઈશ્વરે મને તમો બીજા પ્રેરિતોની સાથે પસંદ કર્યો, જેથી હું બિનયહૂદી લોકોને પણ ઈશ્વરના પ્રેમ વિષે કહું, જેથી તેઓ તેમનામાં વિશ્વાસ કરે.
\v 8 ઈશ્વર સર્વ લોકોના હૃદયોને જાણે છે. જેમ આપણને પવિત્ર આત્મા આપ્યો હતો તેમ જ તેમણે બિનયહૂદીઓને પવિત્ર આત્મા આપીને તેમણે મને અને બીજાઓને દર્શાવ્યું કે તેમણે બિનયહૂદીઓને પોતાના લોકો તરીકે સ્વીકાર્યા છે.
\v 9 ઈશ્વરે આપણી અને તેમની વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો નથી, કારણ કે પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવાના લીધે તેઓને તેમણે આંતરિક રીતે શુદ્ધ કર્યા છે. આવી જ રીતે તેમણે આપણને પણ માફ કર્યા છે.
\s5
\v 10 તમે શા માટે બિનયહૂદીઓને યહૂદી રીતરિવાજો અને નિયમો પાળવા માટે દબાણ કરો છો? આવું કરવું તે તેમના પર મોટો બોજો મૂકવા જેવું છે, કારણ કે જે નિયમો આપણા પૂર્વજોએ તોડ્યા અને જેને આપણે યહૂદીઓ આજે પણ પાળવા માટે સક્ષમ નથી તે પાળવા તેમના પર દબાણ લાવે છે! તેથી, આમ કરવા દ્વારા ઈશ્વરને ગુસ્સે કરવાનું બંધ કરો!
\v 11 આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુએ આપણે સારું જે કર્યું તેના કારણે ઈશ્વર આપણ યહૂદીઓને પાપથી બચાવે છે. ઈશ્વર જેવી રીતે આપણને બચાવે છે તેવી જ રીતે તેઓ બિનયહૂદીઓ કે જેઓએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર્યો છે તેઓને બચાવે છે."
\s5
\v 12 પિતર બોલ્યો તે પછી બધા લોકો શાંત થઈ ગયા. જ્યારે પાઉલ અને બાર્નાબાસે તેઓને ઘણા મોટા ચમત્કારો એટલે કે ઈશ્વરે બિનયહૂદીઓનો સ્વીકાર કર્યો હતો તે દર્શાવતા ચમત્કારો વિષે જણાવ્યું કે જેને બિનયહૂદીઓ મધ્યે કરવા ઈશ્વરે તેઓને સક્ષમ કર્યા હતા ત્યારે તેઓ બધાએ પાઉલ અને બાર્નાબાસનું સાંભળ્યું.
\s5
\v 13 જ્યારે પાઉલ અને બાર્નાબાસે બોલવાનું પૂરું કર્યું ત્યારે, યાકૂબ, કે જે યરુશાલેમમાંના વિશ્વાસીઓનો આગેવાન હતો, તેણે તેઓની સાથે વાત કરી. તેણે કહ્યું, "સાથી વિશ્વાસીઓ, મારું સાંભળો.
\v 14 સિમોન પિતરે તમને પહેલા જણાવ્યું છે કે કેવી રીતે ઈશ્વરે બિનયહૂદીઓને આશીર્વાદ આપ્યો. જેઓ તેમના પોતાના લોકો છે તેઓને તેમાંથી પસંદ કરીને ઈશ્વરે તે પ્રમાણે કર્યું.
\s5
\v 15 જે શબ્દો ઈશ્વરે ઘણા સમય પહેલા કહ્યા હતા એટલે કે એક પ્રબોધક દ્વારા લખાએલા શબ્દો, આ સાથે સંમત થાય છે:
\v 16 ત્યાર પછી હું પાછો આવીશ અને દાઉદના વંશમાંના એક રાજાને પસંદ કરીશ. એક ઘર જેને પાડી નંખાયું છે અને તે બાંધનારના જેવું હશે.
\v 17 હું તે પ્રમાણે કરીશ જેથી બીજા બધા લોકો મને, પ્રભુ ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરે. તેઓમાં બિનઇઝરાયલીઓ પણ સામેલ હશે જેઓને મેં મારા થવાને માટે તેડ્યા છે. તમે ચોક્કસ ખાતરી પામશો કે આ બધું થશે જ કારણ કે મેં પ્રભુ ઈશ્વરે આ શબ્દો કહ્યા છે.
\v 18 મેં આ બાબતો કરી છે, અને મારા લોકોને તેઓ વિષે મેં ઘણા સમય અગાઉથી જણાવ્યું છે."
\s5
\v 19 યાકૂબે બોલવાનું ચાલુ રાખ્યું. તેણે કહ્યું, "એટલા માટે હું વિચારું છું કે આપણે બિનયહૂદીઓ કે જેઓ તેમના પાપથી ફરીને ઈશ્વર તરફ વળે છે તેઓને હેરાન કરવાનું બંધ કરવું જોઈએ. એટલે કે, તેઓ આપણા નિયમો અને વિધિઓ પાળે એવી માગણી કરવાનું બંધ કરવું જોઈએ.
\v 20 તેના બદલે, આપણે તેઓને પત્ર લખીને, ચાર બાબતોની માંગણી કરવી જોઈએ: લોકોએ મૂર્તિઓને ધરાવેલો ખોરાક તેઓએ ખાવો જોઈએ નહિ, જેમની સાથે તેઓએ લગ્ન કર્યા ન હોય તેમની સાથે જાતીય સંબંધ કરવો જોઈએ નહિ, શ્વાસ રૂંધાવીને મારી નાખેલા પશુનું માંસ તેઓએ ખાવું જોઈએ નહિ, અને તેઓએ પશુઓનું રક્ત ખાવું જોઈએ નહિ.
\v 21 આ બાબતો કરતા અટકાવતા નિયમો, જે મૂસાએ લખ્યા તે ઘણા સમય સુધી લોકો ઘણા શહેરોમાં પ્રગટ કરી રહ્યા છે. અને તે નિયમો યહૂદીઓના એકઠા મળવાના સ્થળે દરેક સાબ્બાથે વાંચવામાં આવે છે. તેથી જો બિનયહૂદીઓ તે નિયમો વિષે વધારે જાણવા માંગે તો, તેઓ આપણા ઘરોમાં મળતી સભામાં જાણી શકે છે."
\s5
\v 22 યાકૂબે જે કહ્યું તે, પ્રેરિતો અને બીજા વડીલોએ તેમજ યરુશાલેમમાંના બીજા વિશ્વાસીઓએ, સ્વીકાર્યું. પછી તેઓએ નક્કી કર્યું કે તેઓએ તેમનામાંથી કેટલાક માણસોને પસંદ કરીને, પાઉલ અને બાર્નાબાસની સાથે, અંત્યોખ, મોકલવા જોઈએ કે જેથી ત્યાંના વિશ્વાસીઓ જાણે કે યરુશાલેમના વડીલોએ શું નક્કી કર્યું છે. તેથી તેઓએ યહૂદાને, કે જે બાર્નાબાસ પણ કહેવાતો હતો, તેને અને સિલાસને પસંદ કર્યા. તેઓ બંને યરુશાલેમમાં વિશ્વાસીઓ મધ્યે આગેવાનો હતા.
\v 23 પછી તેઓએ યહૂદા અને સિલાસને નીચે જણાવેલ પત્ર લખી આપ્યો કે તેઓ તે અંત્યોખમાંના વિશ્વાસીઓ પાસે લઇ જાય: "અમે પ્રેરિતો અને વડીલો જેઓ તમારા સાથી વિશ્વાસીઓ છે તેઓ તમને બિનયહૂદી વિશ્વાસીઓને કે જેઓ અંત્યોખમાં અને સીરીયા અને કિલીકિયાના પ્રાંતોમાં બીજી જગ્યાઓમાં રહો છો તેઓને શુભેચ્છા પાઠવીએ છીએ.
\s5
\v 24 કેટલાક લોકોએ અમને જણાવ્યું છે કે જેઓને અમે મોકલ્યા ન હતા તેવા અમારામાંના કેટલાક લોકો તમારી પાસે આવ્યા. તમારી વિચારસરણીને ગુંચવણમાં નાખે તેવી વાતો તમને જણાવીને તેઓએ તમને તકલીફમાં મૂકી દીધા.
\v 25 તેથી અહીં એકઠા મળ્યા પછી, અમે નક્કી કર્યું કે કેટલાક લોકોને અમે પસંદ કરીએ કે તેઓ પાઉલ અને બાર્નાબાસ કે જેઓને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ તેઓની સાથે તમારી પાસે આવે.
\v 26 તેઓ બંનેએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરવા માટે તેમના જીવનો જોખમમાં નાખ્યા છે.
\s5
\v 27 અમે યહુદા અને સિલાસને પણ તમારી પાસે મોકલ્યા છે. અમે જે લખી રહ્યા છે તે જ બાબતો તેઓ પણ તમને જણાવશે.
\v 28 પવિત્ર આત્માને અને અમને પણ એ યોગ્ય લાગ્યું કે ઘણા બધા બોજારૂપ યહૂદી નિયમો તમારે પાળવાની જરૂર નથી. તેના કરતા, તમારે માત્ર નીચે મુજબના આદેશો પાળવા જોઈએ,
\v 29 લોકોએ મૂર્તિઓને ધરાવેલો હોય તેવો ખોરાક તમારે ખાવો જોઈએ નહિ, તમારે પશુઓનું રક્ત ખાવું જોઈએ નહિ, અને શ્વાસ રૂંધાવીને મારી નાખેલા પશુનું માંસ તમારે ખાવું જોઈએ નહિ. તેમજ, જેમની સાથે તમે લગ્ન કર્યાં નથી તેમની સાથે જાતીય સંબંધ કરવો જોઈએ નહિ. જો તમે આ બાબતો કરવાનું ટાળશો, તો જે યોગ્ય છે તે કરનારા તમે થશો. તમને વિદાયની સલામ."
\s5
\v 30 તેઓએ પસંદ કરેલા ચાર માણસો યરુશાલેમથી અંત્યોખ આવ્યા. જ્યારે ત્યાંના બધા વિશ્વાસીઓ એકઠા મળ્યા ત્યારે, તેઓએ તે પત્ર તેમને આપ્યો.
\v 31 જ્યારે ત્યાંના વિશ્વાસીઓએ તે પત્ર વાંચ્યો ત્યારે, તેઓ ઘણા ખુશ થયા, કારણ કે તે સંદેશે તેઓને ઉત્તેજન આપ્યું.
\v 32 પ્રબોધકો તરીકે, યહુદા અને સિલાસે ઘણી વાતો કહીને ત્યાંના વિશ્વાસીઓને ઉત્તેજન આપ્યું, અને તેઓ પ્રભુ ઈસુ પરના વિશ્વાસમાં મજબૂત થાય માટે મદદ કરી.
\s5
\v 33-34 યહુદા અને સિલાસ ત્યાં થોડો સમય રહ્યા પછી યરુશાલેમ પાછા જવા નીકળ્યા ત્યારે, અંત્યોખમાંના વિશ્વાસીઓએ તેમને શુભેચ્છા આપી, અને પછી તેઓ ત્યાંથી નીકળ્યા.
\v 35 જો કે, પાઉલ અને બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા. જ્યારે તેઓ ત્યાં હતા ત્યારે, તેઓ, અને બીજા ઘણાઓ, લોકોને શીખવતા હતા અને પ્રભુ ઈસુ વિશેના સંદેશનો તેઓ પ્રચાર કરતા હતા.
\s5
\v 36 થોડા સમય પછી પાઉલે બાર્નાબાસને કહ્યું, "ચાલો આપણે અગાઉ જ્યાં પ્રભુ ઈસુનો સંદેશ પ્રગટ કર્યો છે તે દરેક શહેરોમાં પાછા જઈને સાથી વિશ્વાસીઓની મુલાકાત કરીએ. આ રીતે, આપણે જાણી શકીશું કે તેઓ પ્રભુ ઈસુ પરના વિશ્વાસમાં કેવી રીતે વૃદ્ધિ પામી રહ્યા છે."
\v 37 બાર્નાબાસ પાઉલ સાથે સંમત થયો, અને કહ્યું કે તે યોહાનને, જેનું બીજું નામ માર્ક હતું તેને પણ, ફરીથી સાથે લઇ જવા માગે છે.
\v 38 જો કે, પાઉલે બાર્નાબાસને કહ્યું કે તે એવું વિચારે છે તે પ્રમાણે માર્કને તેમની સાથે લેવો તે યોગ્ય નથી, કારણ કે અગાઉ જ્યારે તેઓ પામ્ફૂલિયા પ્રદેશમાં હતા ત્યારે તે તેઓને છોડીને જતો રહ્યો હતો, અને તેઓની સાથે કામ કરવાનું તેણે જારી રાખ્યું ન હતું.
\s5
\v 39 પાઉલ અને બાર્નાબાસ આ બાબતના કારણે એક બીજા સાથે અસંમત જ થયા, તેથી તેઓ એકબીજાથી અલગ થયા. બાર્નાબાસે માર્કને તેની સાથે લીધો. તેઓ વહાણમાં બેસીને સાયપ્રસ ટાપુ પર ગયા.
\v 40 પાઉલે તેની સાથે કામ કરવા માટે સિલાસને પસંદ કર્યો જે અંત્યોખ પાછો આવ્યો હતો. પ્રભુ ઈશ્વર પાઉલ અને સિલાસને કૃપાસહિત મદદ કરે, તે માટે ત્યાંના વિશ્વાસીઓએ પ્રાર્થના કરી. પછી તેઓ બંને અંત્યોખથી વિદાય થયા.
\v 41 પાઉલ સિલાસની સાથે મળીને સિરિયા અને કિલીકિયાના પ્રાંતોમાં મુસાફરી કરતો ગયો. તે જગ્યાઓમાં તેઓ વિશ્વાસીઓના સમૂહને પ્રભુ ઈસુમાં દ્રઢ વિશ્વાસ કરવામાં મદદ કરતા હતા.
\s5
\c 16
\p
\v 1 પાઉલ અને સિલાસ દેર્બે અને લુસ્ત્રા શહેરમાં ગયા અને ત્યાંના વિશ્વાસીઓની મુલાકાત કરી. એક વિશ્વાસી જેનું નામ તિમોથી હતું તે લુસ્ત્રામાં રહેતો હતો. તેની માતા યહૂદી વિશ્વાસી હતી, પણ તેના પિતા ગ્રીક હતા.
\v 2 લુસ્ત્રા અને ઇકોનિયમના વિશ્વાસીઓ તિમોથી વિષે સારી બાબતો કહેતા હતા,
\v 3 અને પાઉલ જ્યારે અન્ય જગ્યાઓમાં જતો હતો ત્યારે, તે તિમોથીને તેની સાથે લઈ જવા માગતો હતો, તેથી તેણે તિમોથીની સુન્નત કરાવી. તેણે એ પ્રમાણે કર્યું કે જેથી જે યહૂદીઓ તે જગ્યાઓમાં રહેતા હતા તેઓ તિમોથીનો સ્વીકાર કરે, કારણ કે તેઓ જાણતા હતા કે તેના બિનયહૂદી પિતાએ તેની સુન્નત કરી ન હતી.
\s5
\v 4 તેથી તિમોથી પાઉલ અને સિલાસની સાથે ગયો, અને તેઓ બીજાં ઘણાં નગરોમાં ફર્યા. દરેક નગરમાં તેઓ યરુશાલેમમાંના પ્રેરિતો અને વડીલોએ નક્કી કરેલા નિયમો વિશ્વાસીઓને જણાવ્યા.
\v 5 તેઓએ તે નગરોના વિશ્વાસીઓને પ્રભુ ઈસુમાં દ્રઢ વિશ્વાસ કરવા મદદ કરી, અને રોજ ઘણા લોકો વિશ્વાસીઓ બનવા લાગ્યા.
\s5
\v 6 પવિત્ર આત્માએ પાઉલ અને તેના સાથીઓને આસિયામાં વચન કહેતા અટકાવ્યા, તેથી તેઓ ફ્રુગિયા અને ગલાતિયાના પ્રદેશોમાં થઈને ગયા.
\v 7 તેઓ મૂસિયા પ્રાંતની સરહદે આવી પહોંચ્યા, અને તેઓને ઉત્તરે બિથુનિયા પ્રાંતમાં જવું હતું, પણ ફરીથી ઈસુના આત્માએ તેઓને ત્યાં જતા અટકાવ્યા.
\v 8 તેથી તેઓ મૂસિયા પ્રાંતમાં થઈને ત્રોઆસ, જે સમુદ્ર કાંઠે આવેલું શહેર છે ત્યાં ગયા.
\s5
\v 9 તે રાત્રે ઈશ્વરે પાઉલને એક દર્શન આપ્યું જેમાં તેણે મકદોનિયા પ્રાંતના એક માણસને જોયો. તે પાઉલને એવું કહેતો હતો કે, "મકદોનિયા આવ અને અમને સહાય કર!"
\v 10 તે દર્શન જોયા પછી, અમે મકદોનિયા જવા નીકળ્યા, કારણ કે અમે માનતા હતા કે ઈશ્વરે અમને ત્યાંના લોકોને શુભ સંદેશ આપવા માટે બોલાવ્યા છે.
\s5
\v 11 અમે હોડીમાં બેઠા અને ત્રોઆસથી સમોથ્રાકી ગયા, અને બીજા દિવસે નિયાપોલિસ શહેર ગયા.
\v 12 પછી અમે નિયાપોલિસ છોડ્યું અને ફિલિપ્પી ગયા. તે મકદોનિયાનું ઘણું અગત્યનું શહેર હતું, જ્યાં ઘણા રોમન નાગરિકો રહેતા હતા. અમે ફિલિપ્પીમાં ઘણા દિવસ રહ્યા.
\v 13 સાબ્બાથ દિવસે અમે શહેરના દરવાજાની બહાર નદી તરફ ગયા. અમે કોઈકની પાસેથી એવું સાંભળ્યું હતું કે ત્યાં યહૂદી લોકો પ્રાર્થના માટે ભેગા મળે છે. જ્યારે અમે ત્યાં આવ્યા ત્યારે, અમે ત્યાં કેટલીક સ્ત્રીઓને પ્રાર્થના માટે એકઠી થએલી જોઈ, તેથી અમે ત્યાં બેઠા અને તેઓને ઈસુ વિશેની વાત કહેવા લાગ્યા.
\s5
\v 14 જે સ્ત્રીઓ પાઉલને સાંભળી રહી હતી તેઓમાંની એક સ્ત્રીનું નામ લુદિયા હતું. તે થુવાતિરા શહેરની હતી, જાંબુડિયા વસ્ત્રો વેચતી હતી, અને ઈશ્વરનું ભજન કરતી હતી. પાઉલ જે સંદેશ આપી રહ્યો હતો તેના પર ધ્યાન આપવા માટે પ્રભુ ઈશ્વરે તેની મદદ કરી, અને તેણે તેના પર વિશ્વાસ કર્યો.
\v 15 પાઉલ અને સિલાસે લુદિયા અને તેના ઘરમાં જેઓ રહેતા હતા તેઓને બાપ્તિસ્મા આપ્યાં પછી, તેણે તેઓને કહ્યું, "જો તમે માનો છો કે હું પ્રભુ પ્રત્યે વિશ્વાસુ છું તો, મારા ઘરમાં આવીને ત્યાં રહો." તેણે આવું કહ્યું તે પછી, અમે તેના ઘરે રહ્યા.
\s5
\v 16 બીજા દિવસે, જ્યારે અમે જ્યાં લોકો પ્રાર્થના માટે એકઠા મળતા હતા ત્યાં ગયા ત્યારે, અમે એક જુવાન સ્ત્રીને મળ્યા જે ગુલામ હતી. એક દુષ્ટ આત્મા તેને લોકોના ભવિષ્ય વિષે કહેવાની શક્તિ આપતો હતો. જે માણસો તેના માલિકો હતા તેઓને લોકો નાણાં ચૂકવતા હતા, અને બદલામાં તેમની સાથે શું બનશે તેના વિષે તે જણાવતી હતી.
\v 17 પાઉલ અને બીજા અમે જેઓ હતા તેમની પાછળ, તે જુવાન સ્ત્રી બૂમો પાડતી આવી, "આ માણસો જે ઈશ્વરની સેવા કરે છે તે સર્વમાં સૌથી મહાન ઈશ્વર છે! ઈશ્વર કેવી રીતે તમને બચાવી શકે તેના વિષે તેઓ કહી રહ્યા છે."
\v 18 ઘણા દિવસો સુધી તેણે આવું કરવાનું ચાલુ રાખ્યું. અંતે, પાઉલ ગુસ્સે થયો, તેથી તેણે તે જુવાન સ્ત્રી તરફ ફરીને દુષ્ટ આત્મા કે જે તેનામાં હતો તેને કહ્યું. તેણે કહ્યું, "ઈસુ ખ્રિસ્તના નામમાં, તેનામાંથી બહાર આવ!" તરત જ તે આત્મા તેનામાંથી નીકળી ગયો.
\s5
\v 19 અને પછી તેના માલિકોને લાગ્યું કે તે હવે તેઓના માટે વધુ નાણાં કમાઈ શકશે નહિ કારણ કે લોકોની સાથે શું બનશે તે વિષે હવે તે કહી શકશે નહિ, તેથી તેઓ ગુસ્સે થયા. તેઓએ પાઉલ અને સિલાસને પકડ્યા અને તેઓને બજારમાં જ્યાં શહેરના રાજ્યકર્તાઓ હતા ત્યાં લઇ ગયા.
\v 20 તે જુવાન સ્ત્રીના માલિકો તેઓને શહેરના રાજ્યકર્તાઓ પાસે લાવ્યા અને તેઓને કહ્યું, "આ યહૂદી માણસો છે, અને તેઓ આપણા શહેરના લોકોને ખૂબ હેરાન કરી રહ્યા છે.
\v 21 રોમનો જે રીતરિવાજો પાળી શકે નહિ તેવા નિયમો પાળવાનું તેઓ શિક્ષણ આપે છે!"
\s5
\v 22 જેઓ પાઉલ અને સિલાસ પર દોષ મૂકી રહ્યા હતા તેઓની સાથે બીજા ઘણા જોડાયા, અને તેઓને તેમણે મારવાનું શરૂ કર્યું. પછી રોમન અધિકારીઓએ સૈનિકોને પાઉલ અને સિલાસના કપડાં કાઢી નાંખાવીને તેમને કોરડાથી ફટકારવાનું કહ્યું.
\v 23 તેથી સૈનિકોએ પાઉલ અને સિલાસને ક્રૂરતાથી કોરડા માર્યા. તે પછી, તેઓએ તેમને લઇ જઈને જેલમાં પૂર્યા. તેઓ નાસી ન જાય તેનું ધ્યાન રાખવાનું તેઓએ જેલરને જણાવ્યું.
\v 24 તે અધિકારીઓએ તેને તે પ્રમાણે કરવાનું કહ્યું હતું, તેથી જેલરે પાઉલ અને સિલાસને જેલના સૌથી અંદરના ઓરડામાં રાખ્યા. ત્યાં, તેણે તેઓને નીચે જમીન પર બેસાડીને તેમના પગ લાંબા કરવા કહ્યું. પછી તેણે તેમની એડીઓને લાકડાના બે ટુકડાઓની વચ્ચેના કાણામાં નાખી, જેથી પાઉલ અને સિલાસ તેમના પગને હલાવી ન શકે.
\s5
\v 25 લગભગ મધ્ય રાત્રીએ, પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા અને ઈશ્વરની સ્તુતિ કરતાં ગીતો ગાતા હતા. બીજા કેદીઓ તેઓને સાંભળી રહ્યા હતા.
\v 26 એકાએક ખૂબ મોટા ધરતીકંપે આખી જેલ ધ્રૂજાવી નાખી. ધરતીકંપના લીધે જેલના બધા દરવાજા ઊઘડી ગયા અને બધા કેદીઓની સાંકળો નીકળી પડી.
\s5
\v 27 જેલર જાગ્યો અને જોયું કે જેલના દરવાજા ધરતીકંપથી ઊઘડી ગયા છે. તેણે વિચાર્યું કે કેદીઓ જેલમાંથી ભાગી ગયા છે, તેથી તેણે પોતાને મારી નાખવા માટે તેની તલવાર કાઢી, કારણ કે તે જાણતો હતો કે જો કેદીઓ મુક્ત થઇ જશે તો શહેરના અધિકારીઓ તેને મારી નાખશે.
\v 28 પાઉલે જેલરને જોયો અને તેણે તેને બૂમ પાડી," તારી જાતને મારી નાખતો નહિ! અમે બધા કેદીઓ અહીં જ છીએ!"
\s5
\v 29 જેલરે કોઈને બૂમ પાડી કે ફાનસ લાવવામાં આવે કે જેથી એ જોઈ શકે કે હજુ જેલમાં કોણ છે. ગભરાઇને થથરી જઈને, તે પાઉલ અને સિલાસના પગે પડ્યો.
\v 30 ત્યારબાદ તે પાઉલ અને સિલાસને જેલમાંથી બહાર લાવ્યો અને પૂછ્યું: "સાહેબો, તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ?"
\v 31 તેઓએ જવાબ આપ્યો, "ઈસુ પર વિશ્વાસ કર, જેથી તું અને તારા ઘરનાં તારણ પામશો."
\s5
\v 32 ત્યારબાદ પાઉલ અને સિલાસે તેને અને તેના પરિવારજનોને પ્રભુ ઈસુ વિશે જણાવ્યું.
\v 33 પછી જેલરે મધ્યરાત્રીએ, તે જ સમયે, તેઓના જખમો ધોયા. ત્યારબાદ પાઉલ અને સિલાસે તેને અને તેના પરિવારના દરેક સભ્યોને બાપ્તિસ્મા આપ્યું.
\v 34 ત્યાર બાદ જેલર પાઉલ અને સિલાસને તેના ઘરે લઈ ગયો અને તેમને જમવા માટે ભોજન આપ્યું. તે અને તેના ઘરનાં બધા ઘણાં ખુશ થયાં કારણ કે તેઓએ ઈશ્વરમાં વિશ્વાસ કર્યો હતો.
\s5
\v 35 બીજી સવારે, શહેરના અધિકારીઓએ જેલર પાસે કેટલાક સૈનિકોને જેલમાં એવું કહીને મોકલ્યા કે, ''હવે તે બે કેદીઓને જવા દો."
\v 36 જેલરે જ્યારે આ સાંભળ્યું ત્યારે, તે પાઉલ પાસે ગયો અને કહ્યું, "શહેરના અધિકારીઓએ તમને જવા દેવા માટે મને કહ્યું છે. તેથી તમે બન્ને અત્યારે જેલમાંથી જઈ શકો છો અને શાંતિએ જાઓ."
\s5
\v 37 પણ પાઉલે જેલરને કહ્યું કે, "અમે રોમન નાગરિક હોવા છતાં, શહેરના અધિકારીઓએ માણસોને જણાવ્યું કે ટોળાની સામે અમને મારે અને અમને જેલમાં પૂરે. અને હવે કોઇને જણાવ્યા વગર તેઓ અમને જતા રહેવાનું કહે છે! અમે તે સ્વીકારીશું નહિ! શહેરના અધિકારીઓ જાતે જ આવે અને અમને જેલમાંથી મુક્ત કરે."
\v 38 તેથી સૈનિકો ગયા અને શહેરના અધિકારીઓને જે પાઉલે કહ્યું હતું તે જણાવ્યું. જ્યારે શહેરના અધિકારીઓએ સાંભળ્યું કે, પાઉલ અને સિલાસ રોમન નાગરિકો છે, ત્યારે તેઓ ગભરાયા કારણ કે તેઓએ ખોટું કાર્ય કર્યું હતું.
\v 39 તેથી શહેરના અધિકારીઓ આવ્યા અને તેમણે જે કર્યું હતું તે માટે પાઉલ અને સિલાસની માફી માગી. શહેરના અધિકારીઓ તેમને જેલમાંથી બહાર લાવ્યા અને તેઓને શહેર છોડી દેવા જણાવ્યું.
\s5
\v 40 પાઉલ અને સિલાસે જેલ છોડ્યા બાદ, તેઓ લુદિયાના ઘરે ગયા. ત્યાં તેઓ તેને અને બીજા વિશ્વાસીઓને મળ્યા. તેઓએ વિશ્વાસીઓને પ્રભુ ઈસુમાં વિશ્વાસ રાખવાનુ ઉત્તેજન આપ્યું. અને ત્યાર પછી બન્ને પ્રેરિતોએ ફિલિપી શહેરમાંથી વિદાય લીધી.
\s5
\c 17
\p
\v 1 તેઓએ આમ્ફીપોલીસ અને આપલોનિયા શહેરોમાં મુસાફરી કરી અને થેસ્સાલોનિકા શહેરમાં આવ્યાં. ત્યાં યહૂદી સભાસ્થાન હતું.
\v 2 સાબ્બાથે હર વખતની જેમ પાઉલ સભાસ્થાનમાં ગયો. ત્રણ અઠવાડીયા સુધી દરેક સાબ્બાથે તે ત્યાં ગયો. શાસ્ત્ર કેવી રીતે જણાવે છે કે ઈસુ તે જ ખ્રિસ્ત છે એ વિષે તેણે લોકો સાથે વાત કરી.
\s5
\v 3 તેણે શાસ્ત્રમાંથી દર્શાવ્યું કે પ્રબોધકોએ જે લખ્યું છે તેમ મસીહને મરવું પડશે અને ફરીથી સજીવન થવુ પડશે. તેણે કહ્યું, "આ માણસ ઈસુ એ જ ખ્રિસ્ત છે. જેમ પ્રબોધકોએ કહ્યું હતું તેમ તે મૃત્યુ પામ્યા અને ફરીથી સજીવન થયા."
\v 4 ત્યારે પાઉલે જે કહ્યું હતું તે પર કેટલાક યહૂદીઓએ વિશ્વાસ કર્યો, અને પાઉલ અને સિલાસને મળવાનું શરૂ કર્યું. ત્યાં ઘણા બિનયહૂદી લોકો અને ઈશ્વરનું ભજન કરતી પ્રતિષ્ઠિત સ્ત્રીઓ હતી જેમણે પણ ઈસુના સંદેશા પર વિશ્વાસ કર્યો અને તેઓએ પણ પાઉલ અને સિલાસને મળવાનું શરૂ કર્યું.
\s5
\v 5 પણ કેટલાક યહૂદી આગેવાનો ગુસ્સે થયા કારણ કે પાઉલે જે શીખવ્યું, તે પર ઘણાંએ વિશ્વાસ કર્યો હતો. તેથી તેઓ શહેરના ચોકમાં ગયા અને દુષ્ટ માણસોને તેમની પાછળ પડવા ઉશ્કેર્યા. આ રીતે, યહૂદી આગેવાનોએ ટોળું ભેગું કર્યું અને તેઓએ મોટો ઘોંઘાટ ઉભો કર્યો. તે યહૂદીઓ અને બીજાઓ યાસોન નામે માણસના ઘરે દોડી ગયા જ્યાં પાઉલ અને સિલાસ રહેતા હતા. તેઓ પાઉલ અને સિલાસને બહાર લોકોનું ટોળું હતું ત્યાં લાવવા માગતા હતા.
\v 6 તેઓએ શોધી કાઢ્યું કે પાઉલ અને સિલાસ તે ઘરમાં ન હતા, પણ યાસોન તેઓને મળ્યો અને તેઓએ તેને પકડ્યો. તેઓ તેને અને બીજા ઘણા વિશ્વાસીઓ જેઓ તેની સાથે હતા તેઓને ઘસડીને જ્યાં શહેરના અધિકારીઓ હતા ત્યાં લઈ ગયાં. તેઓએ કહ્યું, "જે માણસોએ દુનિયામાં બધે જ તકલીફ ઊભી કરી છે તેઓ અહીં પણ આવ્યા છે,
\v 7 અને આ માણસ યાસોને તેઓને પોતાના ઘરે રહેવાનું કહ્યું છે. તેઓ સમ્રાટની વિરુદ્ધ કાર્યો કરે છે. તેઓ જણાવે છે કે જે ઈસુ નામનો બીજો માણસ છે, તે સાચો રાજા છે!"
\s5
\v 8 જ્યારે ભેગા થયેલા લોકોના ટોળાએ અને શહેરના અધિકારીઓએ તે સાભળ્યું ત્યારે તેઓ ઘણાં ગુસ્સે થયા અને ઉશ્કેરાયા.
\v 9 શહેરના અધિકારીઓએ યાસોન અને બીજા વિશ્વાસીઓને દંડ ભરાવ્યો અને તેમને કહ્યું કે જો પાઉલ અને સિલાસ કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં કરે તો તેઓ તેમને નાણાં પરત કરશે. ત્યાર બાદ શહેરના અધિકારીઓએ યાસોન અને અન્ય વિશ્વાસીઓને જવા દીધા.
\s5
\v 10 તેથી વિશ્વાસીઓએ તે જ રાત્રે, પાઉલ અને સિલાસને થેસ્સાલોનિકામાંથી બેરિયા નગરમાં મોકલી દીધા. જ્યારે પાઉલ અને સિલાસ ત્યાં આવી પહોચ્યાં, ત્યારે તેઓ યહૂદીઓના સભાસ્થાનમાં ગયાં.
\v 11 થેસ્સાલોનીકીના મોટાભાગના યહૂદીઓ ઈશ્વરનો સંદેશો સાંભળવા રાજી ન હતા, પરંતુ જે યહૂદીઓ બેરિયામાં રહેતાં હતાં તેઓ સાંભળવા માટે ઘણાં આતુર હતાં, તેથી તેઓએ ઈસુનો સંદેશો ધ્યાનથી સાંભળ્યો. તેઓ પોતે દરરોજ શાસ્ત્રમાંથી વાંચતા કે જેથી તેઓ શોધી શકે કે પાઉલ ઈસુ વિષે જે કહે છે તે સાચું છે.
\v 12 પાઉલના શિક્ષણના કારણે, યહૂદીઓમાંના ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો, અને કેટલીક પ્રતિષ્ઠિત બિનયહૂદી સ્ત્રીઓ અને બિનયહૂદી પુરુષોએ તેનામાં વિશ્વાસ કર્યો.
\s5
\v 13 પરંતુ તે પછી થેસ્સલોનિકાના યહૂદીઓએ સાંભળ્યું કે પાઉલ બેરિયામાં ઈશ્વર તરફથી ઈસુનો સંદેશો પ્રચાર કરી રહ્યો છે. તેથી તેઓ બેરિયા ગયાં અને ત્યાં લોકોની સાથે વાત કરી જેનાથી તેઓ પાઉલ પ્રત્યે ઘણાં ગુસ્સે થયા.
\v 14 કેટલાક વિશ્વાસીઓ પાઉલને બેરિયાના સમુદ્ર કિનારે મૂકવા ગયા જેથી તે બીજા શહેરમાં જઈ શકે. પરંતુ સિલાસ અને તિમોથી બેરિયામાં રહ્યા.
\v 15 જ્યારે પાઉલ અને બીજા માણસો સમુદ્ર કાંઠે આવ્યાં, ત્યારે તેઓ હોડીમાં બેસીને એથેન્સ શહેર ગયા. ત્યારે જે માણસો પાઉલ સાથે આવ્યા હતા તેઓને પાઉલે કહ્યું કે, "સિલાસ અને તિમોથીને કહો કે તેઓ મારી પાસે અહીં આથેન્સમાં બની શકે તેટલા ઝડપથી આવે." ત્યારબાદ તે માણસો એથેન્સ છોડી બેરિયા પાછા ફર્યા.
\s5
\v 16 એથેન્સમાં, પાઉલ સિલાસ અને તિમોથીની આવવાની રાહ જોઈ રહ્યો હતો. એ દરમ્યાન તે શહેરમાં આમતેમ ફર્યો. તે ઘણો વ્યાકુળ થયો કારણ કે તે શહેરમાં ઘણી મૂર્તિઓ હતી.
\v 17 તેથી તે યહૂદીઓના સભાસ્થાનમાં ગયો અને યહૂદીઓને, અને જે ગ્રીકોએ યહૂદી વિશ્વાસ અપનાવ્યો હતો તેઓને પણ ઈસુ વિષે કહ્યું. તે દરરોજ શહેરના ચોકમાં જતો અને જે લોકો મળતા તેઓની સાથે વાત કરતો.
\s5
\v 18 પાઉલ એવા શિક્ષકોને મળ્યો કે જેઓને લોકો શું માને છે તે સંબંધી વાત કરવાનું ગમતું હતું. લોકો તેઓમાંના કેટલાકને એપીક્યુરીઓ અને કેટલાકને સ્ટોઇક મત માનનારા તરીકે ઓળખતા હતા. તેઓએ પાઉલને પોતાના વિશ્વાસ વિષે કહ્યું, અને તેઓએ પાઉલના વિશ્વાસ વિશે પૂછ્યું. તેઓમાંના કેટલાક એકબીજાને કહેવા લાગ્યા કે, "તે વિચિત્ર દેવો વિષે વાત કરી રહ્યો છે." તેઓએ આમ કહ્યું કારણ કે પાઉલ તેમને કહી રહ્યો હતો કે ઈસુ મૃત્યુ પામ્યા અને પછી તેઓ સજીવન થયા.
\s5
\v 19 તેથી તેઓ તેને જ્યાં શહેરના આગેવાનો મળે છે તે જગ્યાએ લઈ ગયા. જ્યારે તેઓ ત્યાં આવ્યા ત્યારે તેઓએ પાઉલને કહ્યું, "મહેરબાની કરીને અમને જણાવ, કે તું કયો નવો સંદેશો લોકોને શીખવે છે?
\v 20 તું જે નવી બાબતો શીખવે છે તે અમે સમજી શક્તા નથી, તેથી અમે જાણવા માગીએ છીએ કે તેનો અર્થ શો છે."
\v 21 એથેન્સના લોકો અને અન્ય પ્રાંતોના લોકો જેઓ ત્યાં રહેતા હતા તેઓ, તેમના નવા લાગતા વિચાર વિષે વાત કરવામાં આનંદ માનતા હતા.
\s5
\v 22 ત્યાર બાદ પાઉલ લોકોની સમક્ષ ઊભો થયો અને કહ્યું, "એથેન્સના લોકો હું જોઉં છું કે તમે ઘણા ધાર્મિક છો.
\v 23 હું એમ કહું છું કારણ કે, જ્યારે હું શહેરમાં ફરી રહ્યો હતો ત્યારે તમે જેનું ભજન કરો છો તે બાબતોને મેં જોઈ, મેં એ વેદી પણ જોઈ જેની ઉપર કોઇકે આ શબ્દો કોતર્યાં હતા: 'જેને અમે ઓળખતા નથી તે દેવને આ માન આપે છે.' તેથી હવે એ ઈશ્વર વિશે કહીશ જેને તમે ભજો છો પરંતુ તેમને તમે ઓળખતા નથી.
\s5
\v 24 આ એજ ઈશ્વર છે જેમણે આ પૃથ્વી અને તેમાંનું સર્વ બનાવ્યું. તેઓ સ્વર્ગ અને પૃથ્વીના દરેક જીવ પર અમલ ચલાવે છે, અને તેઓ માણસોએ બનાવેલા મંદિરોમાં રહેતા નથી.
\v 25 માણસોએ તેમના માટે બનાવેલ કઈપણ વસ્તુની તેમને જરૂર નથી કારણ કે તેઓ માણસોને જીવન અને શ્વાસ આપે છે, અને તેઓ તેમને બધી જરૂરિયાતો પૂરી પાડે છે.
\s5
\v 26 આરંભમાં, ઈશ્વરે એક દંપતી બનાવ્યું, અને તેમનાથી ઈશ્વરે આ સર્વ લોકજૂથો જેઓ અત્યારે પૃથ્વી ઉપર રહે છે તેમને ઉત્પન કર્યાં. તેમણે દરેક લોક સમૂહ ને નિશ્ચિત સમય માટે જે તે સ્થાને મૂક્યા છે.
\v 27 તેઓ ઇચ્છતા હતા કે લોકો એ સમજે કે તેમને તેમની જરૂર છે. કદાચ તેથી તેઓ તેમને શોધે અને પ્રાપ્ત કરે, જો કે તેઓ આપણી નજીક છે છતાંપણ, ઈશ્વર ચાહે છે કે આપણે તેમની શોધ કરીએ.
\s5
\v 28 ઈશ્વરના કારણે આપણે જીવીએ છીએ, હલનચલન કરીએ છીએ અને અસ્તિત્વ ધરાવીએ છીએ, જેમ તમારામાંના એકે કહ્યું છે કે, "આપણે તેમનાં બાળકો છીએ."
\v 29 તેથી, ઈશ્વરના બાળકો હોવાના કારણે, આપણે એવું ન વિચારવું જોઈએ કે ઈશ્વર, માણસોએ બનાવેલી વસ્તુઓ જેવી કે સોનુ, ચાંદી, અથવા પત્થરના જેવા છે.
\s5
\v 30 જ્યારે લોકો જાણતા ન હતા કે ઈશ્વર શું ચાહે છે, તે સમય દરમ્યાન તેઓ જે કરતા તે માટે તેમને તેમણે શિક્ષા કરી નહિ. પરંતુ હવે ઈશ્વર સર્વ જગાઓના સર્વ લોકોને આજ્ઞા આપે છે કે તેઓ પોતાનાં દુષ્ટ કાર્યોથી પાછા ફરે.
\v 31 તે આપણને જણાવે છે કે તેમણે નક્કી કરેલા ચોક્કસ દિવસે તેમણે પસંદ કરેલા માણસ દ્વારા તેઓ આપણો ન્યાય કરશે, આ માણસને સજીવન કરવા દ્વારા તેમણે આપણને તેની ખાતરી કરાવી છે.
\s5
\v 32 જ્યારે માણસોએ સાંભળ્યું કે પાઉલ કહે છે કે એક માણસ મૃત્યુમાંથી સજીવન થયો છે ત્યારે કેટલાક માણસો હસવા લાગ્યા. પરંતુ બીજા માણસો તેને કહેવા લાગ્યાં કે તે ફરીથી બીજા દિવસે આવીને તેના વિષે તેમને કહે.
\v 33 તેઓના એમ કહ્યા પછી, પાઉલ ત્યાંથી ચાલ્યો ગયો.
\v 34 તથાપિ, લોકોમાંના કેટલાક પાઉલ સાથે ગયા અને તેના ઈસુ વિષેના સંદેશા પર વિશ્વાસ કર્યો. જેઓએ વિશ્વાસ કર્યો તેઓમાંનો એક દીઓનુસીઅસ હતો. જે શહેર સમિતિનો સભ્ય હતો. તે ઉપરાંત દામરિસ નામની એક સ્ત્રી હતી અને તેમની સાથેના જે કેટલાક લોકો હતા તેમણે વિશ્વાસ કર્યો.
\s5
\c 18
\p
\v 1 તે પછી, પાઉલ એથેન્સ શહેર છોડીને કરીંથ શહેરમાં ગયો.
\v 2 ત્યાં તે એક યહૂદી જેનું નામ આકુલા હતું તેને મળ્યો, તે પોન્તસ વિસ્તારનો વતની હતો. આકુલા અને તેની પત્ની પ્રિસ્કીલા થોડા સમય અગાઉ ઇટાલીના રોમ શહેરથી આવ્યાં હતા. તેમણે રોમ છોડવું પડ્યું કારણ કે રોમન રાજા કલોડીયસે, આજ્ઞા આપી હતી કે યહૂદીઓ રોમ છોડીને ચાલ્યા જાય.
\v 3 આકુલા અને પ્રિસ્કીલા આજીવિકા માટે તંબુ બનાવતાં હતાં. પાઉલ પણ તંબુ બનાવતો હતો, તેથી તે તેમની સાથે રહ્યો, અને તેઓ સાથે કાર્ય કરતાં હતાં.
\s5
\v 4 દરેક વિશ્રામવારે પાઉલ યહૂદીઓના સભાસ્થાનમાં જતો, જ્યાં તે યહૂદી અને બિનયહૂદીઓ સાથે વાત કરતો હતો. તે તેમને ઈસુ વિશે શીખવતો હતો.
\v 5 જ્યારે સિલાસ અને તિમોથી મકદોનિયા પ્રદેશમાંથી આવ્યા ત્યારે ઈસુ તે જ ખ્રિસ્ત છે તે યહૂદીઓને કહેવા પાઉલ પવિત્ર આત્માથી જબરજસ્ત રીતે પ્રેરણા પામ્યો.
\v 6 પરંતુ યહૂદીઓએ પાઉલનો વિરોધ કર્યો અને તેના વિશે ખરાબ વાતો કહેવા લાગ્યા, તેથી તેણે પોતાના વસ્ત્રોમાંથી ધૂળ ખંખેરી અને તેમને કહ્યું, "જો ઈશ્વર તમને શિક્ષા કરે, તો તેને માટે તમે જવાબદાર હશો, હું નહિ! હવે પછી હું જેઓ યહૂદી નથી તેઓની સાથે વાત કરીશ!"
\s5
\v 7 તેથી પાઉલ યહૂદી સભાસ્થાન છોડીને નજીકના એક ઘરમાં ગયો, અને ત્યાં પ્રચાર કર્યો. તે ઘરનો માલિક તિતસ યુસ્તસ હતો, જે બિનયહૂદી માણસ હતો અને ઈશ્વરની આરાધના કરતો હતો.
\v 8 તે પછી, યહૂદી સભાસ્થાનના અધિકારીએ, જેનું નામ ક્રિસ્પસ હતું, તેણે અને તેના પરિવારની દરેક વ્યક્તિએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો. કરિંથના બીજાં ઘણાં લોકોએ ક્રિસ્પસ અને તેના પરિવાર વિષે સાંભળ્યુ અને તેઓએ પણ ઈસુમાં વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યાં.
\s5
\v 9 એક રાત્રે પાઉલને દર્શન થયું જેમાં પ્રભુ ઈસુએ તેને કહ્યું, "તારા વિરોધી લોકોથી ગભરાઈશ નહિ, પણ મારા વિશે વાત કરવાનું ચાલુ રાખજે,
\v 10 કારણ કે હું તને મદદ કરીશ અને અહીં તને કોઈ નુકસાન કરી શકશે નહી. તેઓને મારા વિશે કહેવાનું ચાલુ રાખજે, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોકો છે."
\v 11 તેથી પાઉલે કરિંથમાં દોઢ વરસ સુધી રહીને, લોકોને ઈસુના સંબંધમાં ઈશ્વરનાં વચનોનું શિક્ષણ આપ્યું.
\s5
\v 12 જ્યારે ગાલિયો આખાયા પ્રાંતનો રોમન રાજ્યપાલ બન્યો, ત્યારે યહૂદી આગેવાનો ભેગા થયા અને પાઉલને પકડ્યો. તેઓએ તેને રાજ્યપાલ સમક્ષ રજૂ કર્યો અને તેના પર એવો આરોપ મૂક્યો,
\v 13 કે, "આ માણસ લોકોને ઈશ્વરનું ભજન એ રીતે કરવાનું શીખવે છે જે અમારા યહૂદી નિયમોની વિરુદ્ધ છે."
\s5
\v 14 જ્યારે પાઉલ બોલવા જતો જ હતો ત્યારે ગાલિયોએ યહૂદીઓને કહ્યું, "જો આ માણસે રોમન નિયમો તોડ્યા હોત તો, તમારી યહૂદીઓની ફરિયાદ મેં સાંભળી હોત.
\v 15 તેમ છતાં, તમે તમારા યહૂદી નિયમો અને નામો અને શબ્દો વિશે કહો છો, તેથી તમારે પોતે જ તેની સાથે આ વિશે વાત કરવી જોઈએ. હું આ વિશે ન્યાય કરતો નથી!"
\s5
\v 16 ગાલિયોએ આ વાત કહી ત્યાર પછી, તેણે કેટલાક સૈનિકોને યહૂદી આગેવાનોને ન્યાયાલયની બહાર લઈ જવા કહ્યું.
\v 17 ત્યારબાદ લોકોએ યહૂદીઓના આગેવાન, સોસ્થેનેસને પકડ્યો. તેઓએ ન્યાયાલયની સામે જ તેને માર્યો. પરંતુ ગાલિયોએ તે વાત પર ધ્યાન આપ્યું નહિ.
\s5
\v 18 પાઉલ બીજા ઘણા દિવસ સુધી વિશ્વાસીઓની સાથે કરિન્થમાં રહ્યો. ત્યારબાદ તે પ્રિસ્કીલા અને આકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા પ્રાંતમાં ગયો. કેંખ્રિયામાં તેણે માથું મુંડાવ્યું કારણ કે તેણે પ્રતિજ્ઞા લીધી હતી.
\v 19 તેઓ એફેસસ શહેરમાં આવ્યાં, અને પ્રિસ્કીલા અને આકુલા ત્યાં રહ્યાં. પાઉલ પોતે યહૂદી સભાસ્થાનમાં ગયો અને યહૂદીઓને ઈસુ વિશે કહ્યું.
\s5
\v 20 તેઓએ તેને વધારે રોકાવા જણાવ્યું, પણ તેણે ના પાડી.
\v 21 પણ જ્યારે તે જતો હતો ત્યારે, તેણે તેઓને કહ્યું, "જો ઈશ્વર ઇચ્છતા હશે તો હું પાછો આવીશ.'' ત્યારબાદ તે વહાણમાં બેસીને એફેસસથી નીકળી ગયો.
\s5
\v 22 જ્યારે વહાણ કાઈસારિયા શહેર પહોચ્યું, ત્યારે પાઉલ તેમાંથી ઊતર્યો. તે યરુશાલેમ ગયો અને ત્યાંના વિશ્વાસીઓને સલામ પાઠવી. ત્યારબાદ તે સિરિયા પ્રાંતના અંત્યોખ શહેરમાં ગયો.
\v 23 પાઉલે ત્યાં વિશ્વાસીઓની સાથે થોડો સમય વિતાવ્યો. ત્યાર બાદ તે અંત્યોખ છોડી અને ગલાતિયા અને ફ્રુગિયા પ્રાંતનાં શહેરોમાં ફર્યો. તેણે વિશ્વાસીઓને ઈશ્વરથી મળેલા ઈસુ વિશેના સંદેશમાં વધારે અને વધારે વિશ્વાસ કરવા કહ્યું.
\s5
\v 24 જ્યારે પાઉલ ફ્રુગિયા અને ગલાતિયાથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આપોલસ નામે એક યહૂદી માણસ એફેસસમાં આવ્યો. તે આલેક્સાન્દ્રિયા શહેરનો રહેવાસી હતો અને તે ઈશ્વરનાં વચનો વિષે ઘણું સારું બોલતો હતો.
\v 25 લોકોએ કઈ રીતે જીવવું તે વિષે ઈસુ શું શીખવે છે, તે બીજા વિશ્વાસીઓએ આપોલસને શિખવ્યું હતું, અને તે લોકોને ઉત્સાહપૂર્વક તે બાબતો શીખવતો. તેમ છતાં, તે પ્રભુ ઈસુ વિશે બધી બાબતો શીખવતો ન હતો, કારણ કે તે ફક્ત યોહાનના બાપ્તિસ્મા વિશે જાણતો હતો.
\v 26 આપોલસ યહૂદી સભાસ્થાનમાં ગયો, અને જે બાબતો તે શિખ્યો હતો તે હિંમતથી લોકોને કહેવા લાગ્યો. તે જે શીખવતો હતો તે જ્યારે પ્રિસ્કીલા અને આકુલાએ સાંભળ્યું ત્યારે તેમણે તેને ઘરે આવવા આમંત્રણ આપ્યું જ્યાં તેમણે તેને ઈસુ વિશે વધુ શીખવ્યું.
\s5
\v 27 જ્યારે આપોલોસે નક્કી કર્યું કે તે અખાયા પ્રાંતમાં જવા ઇચ્છે છે, ત્યારે એફેસસના વિશ્વાસીઓએ તેને ઉત્તેજન આપ્યું કે તેમ કરવું તેને માટે સારું છે. તેથી તેઓએ અખાયાના વિશ્વાસીઓને પત્ર લખ્યો કે તેઓ આપોલસનો આવકાર કરે. ત્યાં પહોચ્યાં પછી, તેણે ઈશ્વરના સામર્થ્યથી જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા હતા, તેઓને સહાય કરી.
\v 28 આપોલોસ ઘણી હિંમતથી ઘણા લોકોના સાંભળતાં યહૂદી આગેવાનો સાથે વાત કરતો હતો. શાસ્ત્રોમાંથી વાંચીને, તે લોકોને ઈસુ એ જ મસીહા હતા તે બતાવવા સમર્થ હતો.
\s5
\c 19
\p
\v 1 જ્યારે આપોલોસ કરિન્થમાં હતો, ત્યારે પાઉલે ફ્રુગિયા અને ગલાતિયા છોડીને આસિયામાં થઈને એફેસસ પાછો આવ્યો. તે કેટલાક લોકોને મળ્યો જેઓ કહેતા હતા કે તેઓ વિશ્વાસીઓ છે.
\v 2 તેણે તેઓને પૂછ્યું, "જ્યારે તમે ઈશ્વરના સંદેશા પર વિશ્વાસ કર્યો ત્યારે શું તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો?" તેઓએ જવાબ આપ્યો, "ના અમને પ્રાપ્ત થયો નથી, અમે તો પવિત્ર આત્મા વિષે સાંભળ્યું પણ નથી."
\s5
\v 3 તેથી પાઉલે પૂછ્યું, "તો તમે જ્યારે બાપ્તિસ્મા પામ્યા, ત્યારે તમે શું સમજ્યા?" તેમણે જવાબ આપ્યો, "યોહાન બાપ્તિસ્તે જે શિક્ષણ આપ્યું તેના પર અમે વિશ્વાસ કર્યો."
\v 4 પાઉલે કહ્યું, "યોહાનનું બાપ્તિસ્મા લોકો પોતાના દુષ્ટ વિચારોથી તથા કાર્યોથી ઈશ્વર પ્રતિ પાછા ફરતા હતા તેની નિશાની હતું. તેણે એવું પણ કહ્યું હતું કે એક વ્યક્તિ, જે તેના આવ્યા પછી આવશે તેના પર લોકોએ વિશ્વાસ કરવો, અને તે માણસ તો ઈસુ હતા."
\s5
\v 5 તેથી જ્યારે તે માણસોએ સાંભળ્યું, ત્યારે તેઓએ પ્રભુ ઈસુના નામમાં બાપ્તિસ્મા લીધુ.
\v 6 ત્યારપછી પાઉલે, એક પછી એક દરેકનાં માથે હાથ મૂક્યા અને તેઓમાંના દરેક ઉપર પવિત્ર આત્માનું સામર્થ્ય આવ્યું. પવિત્ર આત્માએ જે ભાષાઓ તેઓ શીખ્યા ન હતાં તે બોલવા તેમને સામર્થ્ય આપ્યું અને તેઓ પવિત્ર આત્માએ જે કહ્યું તે પ્રમાણે તેઓ સંદેશ બોલ્યા.
\v 7 ત્યાં આશરે બાર પુરુષો હતા જેઓનું પાઉલે બાપ્તિસ્મા કર્યું અને તેઓ પવિત્ર આત્મા પામ્યાં.
\s5
\v 8 ત્યાર પછી ત્રણ મહિના સુધી, પાઉલે એફેસસનાં સભાસ્થાનમાં દર સાબ્બાથે જઈને લોકોને ઈસુ વિષે શીખવ્યું અને સમજાવ્યું કે કઈ રીતે ઈશ્વર પોતાને રાજા તરીકે દર્શાવશે.
\v 9 પરંતુ કેટલાક યહૂદીઓ તેના સંદેશા પર વિશ્વાસ કરવા તૈયાર ન હતા અને તે વિષે તેઓ વધારે સાંભળવા માંગતા ન હતા. તેઓએ પાઉલના શિક્ષણ વિષે ઘણી દુષ્ટ વાતો કરી તેથી પાઉલ તેઓને છોડીને વિશ્વાસીઓને લઈને તુરાનસના સભાસ્થાનમાં ગયો, જેથી તેઓ ત્યાં મળી શકે.
\v 10 પાઉલે બે વર્ષ સુધી ત્યાં લોકોને શિક્ષણ આપ્યું. આ રીતે, લગભગ બધાં, યહૂદી અને બિનયહૂદી જેઓ આસિયા પ્રાંતમાં રહેતા હતા તેઓએ પ્રભુ ઈસુનો સંદેશો સાંભળ્યો.
\s5
\v 11 વળી ઈશ્વરે પાઉલને ચમત્કારો કરવાનું સામર્થ્ય આપ્યું.
\v 12 જે કોઇ બીમાર હતા અને પાઉલ પાસે આવી શકે તેમ ન હતા, તેઓ પાસે પાઉલે સ્પર્શ કરેલા કાપડના ટુકડાઓ લઈ જવામાં આવતા અને બીમાર લોકો પર તે મુકવામાં આવતા. જેના પરિણામે બીમાર લોકો સાજા થતા અને દુષ્ટાત્માઓ તેમને છોડીને ચાલ્યા જતા.
\s5
\v 13 એવા કેટલાક યહૂદીઓ હતા કે જેઓ એક નગરથી બીજા નગર ભટકતા હતા, અને એ બધી જગ્યાઓએ લોકોમાંથી દુષ્ટાત્માઓને નીકળી જવા આજ્ઞા કરતા હતા. તેઓમાંના કેટલાક યહૂદીઓ લોકોમાંથી દુષ્ટાત્માઓને કાઢવા આ પ્રમાણે કહેતા "પાઉલ જે માણસ વિષે શિક્ષણ આપે છે, તે પ્રભુ ઈસુના પરાક્રમથી હું તને બહાર નીકળવાની આજ્ઞા કરું છું!"
\v 14 સાત માણસો આ પ્રકારે કાર્ય કરતા હતા. તેઓ સ્કેવા નામે એક યહૂદી, જે પોતાને મુખ્ય યાજક કહેતો હતો, તેના દીકરાઓ હતા.
\s5
\v 15 પણ એક દિવસ જ્યારે તેઓ આમ કરી રહ્યા હતા ત્યારે, દુષ્ટાત્મા તે માણસમાંથી બહાર નીકળ્યો નહીં. તેના બદલે, તે દુષ્ટાત્માએ તેઓને કહ્યું, "હું ઈસુને ઓળખું છું અને હું પાઉલને ઓળખું છું પણ મને કંઈ કરવાનો અધિકાર તને કોઈએ આપ્યો નથી!"
\v 16 એટલું કહ્યા પછી, અચાનક જે માણસને દુષ્ટાત્મા વળગ્યો હતો તે સ્કેવાના દીકરાઓ પર કૂદ્યો. તેણે તેમને નીચે પછાડ્યા અને માર્યા. તેણે તેઓનાં કપડાં ફાડી નાખ્યાં અને ઘાયલ કર્યા. તેઓ ગભરાઈ ગયા અને ઘર છોડીને ભાગી ગયા.
\v 17 એફેસસમાં રહેતા સર્વ લોકો, યહૂદી અને બિનયહૂદી બન્નેએ જે બન્યું હતું તે સાંભળ્યું. ત્યારે તેઓ ગભરાયા કારણ કે દુષ્ટાત્મા વળગેલો માણસ ઘણો શક્તિશાળી હતો. તે સમયે, તેઓએ પ્રભુ ઈસુના નામને મહિમા આપ્યો.
\s5
\v 18 તે સમયે, બીજા વિશ્વાસીઓના સાંભળતાં, ઘણા વિશ્વાસીઓએ જે ભૂંડા કાર્યો તેઓ કરી રહ્યા હતા તે કબૂલ કર્યાં.
\v 19 ઘણાં લોકો જેઓ જાદુગર હતા તેઓએ તેમની જાદુક્રિયા વિશેના પુસ્તકો, બધા જોઈ શકે તેવી જગ્યાએ બાળી નાખ્યાં. જ્યારે લોકોએ તે પુસ્તકોની કિંમત ગણી તો તે પચાસ હજાર ચાંદીના સિક્કા જેટલી હતી.
\v 20 આ પ્રમાણે, ઘણા લોકોએ પ્રભુ ઈસુ વિશેનો સંદેશો સાંભળ્યો અને તેમના પર વિશ્વાસ કર્યો.
\s5
\v 21 એફેસસમાં પાઉલે પોતાનું કાર્ય પૂર્ણ કર્યાં પછી, આત્માએ તેને યરુશાલેમ જવાનો નિર્ણય કરવા દોરવણી આપી, પણ પ્રથમ તેણે મકદોનિયા અને અખાયાના પ્રાંતના વિશ્વાસીઓને મળવાની યોજના કરી. પાઉલે કહ્યું, "યરુશાલેમ ગયા પછી હું રોમ પણ જઈશ."
\v 22 પાઉલે તેના બે સહાયકો, તિમોથીને અને એરાસ્તસને, મકદોનિયા મોકલ્યા. પણ પાઉલ આસિયા પ્રાંતના, એફેસસમાં રહ્યો.
\s5
\v 23 તે પછી તરત જ, એફેસસના લોકોએ ઈસુ અને તેમના વિષેના શિક્ષણના કારણે ભારે ધમાલ કરી.
\v 24 ત્યાં એક માણસ હતો જેનું નામ દેમેત્રિયસ હતું. તેણે આર્તેમિસ દેવીની ચાંદીની મૂર્તિઓ બનાવી. દેમેત્રિયસે બધા જ લોકો જેઓએ મૂર્તિઓ બનાવી અને વેચી તેમને પુષ્કળ પૈસા કમાવી આપ્યા.
\v 25 દેમેત્રિયસે પ્રતિમા બનાવનાર બધા કારીગરોને ભેગા કર્યા. તેણે તેઓને કહ્યું, "ભાઈઓ, તમે જાણો છો કે આપણે આ કાર્ય કરવા દ્વારા ઘણાં નાણાં મેળવીએ છીએ.
\s5
\v 26 તમે જાણો છો કે અફેસસમાં રહેતા ઘણાં લોકોને, પાઉલે આપણે જે મૂર્તિઓ બનાવીએ છીએ તે હવે ન ખરીદવાનું શીખવ્યું છે. હવે આપણા પ્રાંતમાં ઘણાં નગરોના લોકો પણ, આપણે જે બનાવીએ છીએ તે ખરીદવા ચાહતા નથી. પાઉલ લોકોને કહે છે કે આપણે જે દેવોનું ભજન કરીએ છીએ તે સાચા દેવો નથી અને આપણે તેઓનું ભજન કરવું જોઈએ નહી.
\v 27 જો લોકો તેનું સાંભળશે તો, તેઓ આપણો ધંધો બંધ કરાવી દેશે. લોકો એવું વિચારશે કે તેઓએ હવે આર્તેમિસના પૂજાસ્થાનમાં તેની પૂજા કરવા જવું જોઈએ નહીં. દેવી આર્તેમિસ મહાન છે એવું હવે લોકો વિચારશે નહી. જો કે આસિયા પ્રાંતના અને સમગ્ર દૂનિયાના લોકો તેને પૂજે છે!"
\s5
\v 28 જ્યારે ત્યાં હાજર રહેલા સર્વ માણસોએ દેમેત્રિયસે કહેલી વાત સાંભળી ત્યારે તેઓ પાઉલ પર ગુસ્સે થયા. તેઓ બૂમો પાડવા લાગ્યાં, "એફેસસની દેવી આર્તેમિસ મહાન છે!"
\v 29 શહેરના ઘણાં લોકો પાઉલ પર ગુસ્સે ભરાયા અને બૂમો પાડવા લાગ્યા. મકદોનિયાથી પાઉલની સાથે મુસાફરી કરી રહેલા બે માણસ ગાયસ અને આરિસ્તાર્ખસને કેટલાક લોકોએ પકડ્યા. ત્યાર પછી લોકોનું આખું ટોળું તેઓને ઢસડીને દોડતું શહેરના સભાગૃહ સુધી લઈ ગયું.
\s5
\v 30 પાઉલ સભાગૃહમાં જઈ લોકો સાથે વાત કરવા માગતો હતો પણ બીજા વિશ્વાસીઓએ તેને જવા દીધો નહીં.
\v 31 શહેરના ઘણા અધિકારીઓ જેઓ પાઉલના મિત્રો હતા તેમણે આ બનાવ વિશે જાણ્યું. તેઓએ કોઈકને મોકલીને પાઉલને સભાગૃહમાં ન જવા જણાવ્યું.
\v 32 સભાગૃહમાં લોકોના ટોળાએ બૂમો પાડવાનું ચાલુ રાખ્યું, તેમાંના કેટલાક કઈક બૂમ પાડતા હતા અને બીજા કેટલાક જુદી બૂમ પાડતા હતા. પણ મોટા ભાગના લોકોને ખબર ન હતી કે તેઓ શા માટે ભેગા થયા હતા!
\s5
\v 33 યહૂદીઓમાંનો એક જેનું નામ આલેકસાંદર હતું. કેટલાક યહૂદીઓ તેને ધક્કા મારીને લોકોની સામે લઈ ગયા જેથી તે લોકોને કંઈક કહી શકે. આલેકસાંદર હાથ ઊચો કરી લોકોના ટોળાને ચૂપ રહેવાનું કહેતો હતો. તે તેઓને કહેવા માંગતો હતો કે યહૂદીઓ આ મુસીબતનું કારણ નથી.
\v 34 પણ ઘણાં બિન-યહૂદીઓ આલેકસાંદરને યહૂદી તરીકે ઓળખતા હતા અને જાણતા હતા કે યહૂદીઓ આર્તેમિસ દેવીનું ભજન કરતા નથી. તેથી બિન-યહૂદીઓ બે કલાક સુધી બૂમ પાડતા રહ્યાં, "એફેસીઓની આર્તેમિસ દેવીની જય!"
\s5
\v 35 ત્યાર બાદ શહેરમાંના અધિકારીઓમાંના એકે ટોળાને ચૂપ રહેવા જણાવ્યું. તેણે તેઓને કહ્યું, "મારા સાથી રહેવાસીઓ, આખી દુનિયાના સર્વ લોકો જાણે છે કે આર્તેમિસ મહાદેવીની પવિત્ર પ્રતિમા આકાશમાંથી પડી છે!
\v 36 દરેક આ જાણે છે, અને કોઈ એમ ન કહી શકે કે આ બાબતો અસત્ય છે. તેથી તમારે શાંત રહેવું જોઈએ અને અવિચારી કાર્ય કરવું નહીં.
\v 37 તમારે આ બે માણસોને અહીં લાવવા જોઈતા ન હતા, કારણ કે તેઓએ કઈ ભૂંડું કર્યું નથી. તેઓ આપણા ભક્તિસ્થાનમાં પ્રવેશ્યા નથી અને ત્યાંથી કોઈ વસ્તુઓ લીધી નથી અને આપણી દેવી વિશે કંઈ ખરાબ બોલ્યાં નથી.
\s5
\v 38 તેથી, જો દેમેત્રિયસ અને તેના સાથી કારીગરો કોઈ ખરાબ બાબત વિષે કંઈક ફરિયાદ કરવા માગતા હોય તો તેમણે યોગ્ય રીતે તે કરવું જોઈએ. જો તેઓ ચાહે તો ન્યાયાલય છે તેમાં જઈ શકે છે, ત્યાં સરકાર દ્વારા ન્યાયાધીશો નિયુક્ત કરેલા છે. ત્યાં તેઓ ફરિયાદ કરી શકે છે.
\v 39 પણ જો બીજી કોઈ બાબતે ફરિયાદ હોય તો, જ્યારે અધિકારીઓ ભેગા થયા હોય ત્યારે તેમની પાસે લઈ જવી જોઈએ.
\v 40 આ રીતે મળવું યોગ્ય નથી! આ પ્રકારની ધમાલથી આપણે સાવધ રહેવું જોઈએ કારણ કે આપણે સરકારની સામે પડવા માગતા નથી. જો મને અધિકારીઓ પૂછશે કે આ ઘોંઘાટ શાનો છે તો હું તેમને યોગ્ય જવાબ આપી નહિ શકું."
\v 41 શહેરના અધિકારીએ ટોળાને આ પ્રમાણે કહ્યું. ત્યાર બાદ તેમણે તેમને ઘરે જવા જણાવ્યું અને તેઓ તેમના ઘરે ગયા.
\s5
\c 20
\p
\v 1 એફેસસના લોકોએ ધમાલ કરવાનું બંધ કર્યું પછી, પાઉલે વિશ્વાસીઓને ભેગા કર્યાં. તેણે તેમને પ્રભુના વિશ્વાસમાં દ્રઢ રહેવાની વિનંતી કરી. ત્યાર બાદ તરત, તેણે તેમની વિદાય લીધી અને મકદોનિયા પ્રાંતમાં આવ્યો.
\v 2 ત્યાં આવીને, તેણે તેમને પ્રભુ ઈસુના વિશ્વાસમાં દ્રઢ રહેવાની વિનંતી કરી. ત્યારબાદ તે ગ્રીસ દેશમાં જવા નીકળ્યો.
\v 3 તે ગ્રીસમાં ત્રણ મહિના રહ્યો. ત્યારપછી તેણે વહાણ દ્વારા સિરિયા પાછા ફરવાની યોજના કરી. પણ જ્યારે તેણે સાંભળ્યું કે ઘણા યહૂદીઓ તેને મુસાફરી દરમ્યાન મારી નાખવાની યોજના કરી રહ્યા છે ત્યારે તેણે નક્કી કર્યું કે તે જમીન માર્ગે જશે અને તે મકદોનિયામાંથી પસાર થયો.
\s5
\v 4 જે માણસો તેની સાથે યરુશાલેમ તરફ મુસાફરી કરવાના હતા તેઓમાં પૂર્હસનો દીકરો સોપાતર, જે બેરિયા નગરનો હતો, આરીસ્તાર્ખસ અને સેકુંદસ જેઓ થેસ્સાલોનિકાના હતા, ગાયસ જે દેર્બે શહેરનો હતો, તિમોથી, જે ગલાતિયા પ્રાંતનો હતો; અને તુખીકસ અને ત્રોફિમસ, જેઓ આસિયા પ્રાંતના હતાં.
\v 5 તે સાત પુરુષો પાઉલ અને મારી, લૂકની અગાઉ વહાણ દ્વારા મકદોનિયાથી નીકળ્યા અને અમારી અગાઉ ત્રોઆસ પહોંચા અને ત્યાં તેઓ અમારા બંનેની રાહ જોતા હતા.
\v 6 પરંતુ હું અને પાઉલ જમીન માર્ગે ફિલિપી સુધી ગયાં. યહૂદીઓના બેખમીર પર્વ પછી અમે વહાણ માર્ગે ત્રોઆસ શહેર ગયા. પાંચ દિવસ પછી અમે ત્રોઆસ પહોંચ્યા. અને અમારા કરતાં વહેલા ગયેલા વિશ્વાસીઓને મળ્યા પછી અમે ત્રોઆસ સાત દિવસ સુધી રોકાયા.
\s5
\v 7 અઠવાડીયાનાં પહેલા દિવસે, અમે બધાં ભેગા થયા અને અમે વિશ્વાસીઓ સાથે ભોજન લેવાના હતાં. પાઉલે અડધી રાત સુધી સંદેશો આપ્યો કારણ કે બીજે દિવસે અમે ત્રોઆસથી વિદાય લેવાના હતા.
\v 8 જ્યાં અમે ભેગા થયા હતા તે ઉપરના માળે તેલના ઘણા દિવા સળગતા હતા.
\s5
\v 9 એક જુવાન જેનું નામ યુતુખસ હતું તે ત્યાં હતો. તે ઘરના ત્રીજા માળે બારી પાસે બેઠેલો હતો. પાઉલે લાંબા સમય સુધી સંદેશો ચાલુ રાખ્યો, તેથી યુતુખસને ઊંઘ આવતાં આખરે, તે ઊંઘી ગયો. તેથી તે બારીમાંથી જમીન પર પડી ગયો. થોડા વિશ્વાસીઓ તરત નીચે ગયા અને તેને ઉઠાવ્યો પણ તે મૃત્યુ પામ્યો હતો.
\v 10 પાઉલ પણ નીચે ગયો. તેણે નીચે નમીને ચત્તોપાટ યુતુખસને કોટે વળગી તેને બાથમાં લીધો. ત્યારબાદ તેણે ત્યાં ઊભેલા લોકોને કહ્યું, "ગભરાશો નહિ, તે ફરીથી જીવતો થશે."
\s5
\v 11 પાઉલ અન્ય લોકો સાથે, ફરીથી ઉપરના માળે ગયો અને તૈયારી કરીને ભોજન લીધું. તે પછી સૂર્યોદય સુધી તેણે વિશ્વાસીઓ સાથે વાત કરી. ત્યારપછી તે ત્યાંથી નીકળ્યો.
\v 12 બીજા લોકો તે જુવાનને ઘરે લઈ ગયા, તે ફરીથી જીવતો થયો તેથી તેઓ ઘણો દિલાસો પામ્યા.
\s5
\v 13 ત્યારપછી અમે વહાણમાં ગયા પરંતુ પાઉલ ત્રોઆસથી વહાણમાં ચડ્યો નહિ, કારણ કે તે ઝડપથી આસોસ નગર પહોંચવા માગતો હતો. બાકીના બધાં વહાણ મારફતે આસોસ પહોંચ્યા.
\v 14 અમે પાઉલને આસોસમાં મળ્યા. તે અમારી સાથે વહાણમાં આવ્યો અને અમે મિતુલેને શહેર આગળ ગયાં.
\s5
\v 15 બીજા દિવસે અમે મિતુલેને પહોંચ્યા, અમે ત્યાંથી ઉપડ્યા અને ખીઓસ ટાપુએ આવી પહોંચ્યા. બીજા દિવસે, અમે સામોસ ટાપુ તરફ ગયા. બીજા દિવસે અમે સામોસ છોડી મિલેતસ શહેર તરફ ગયા.
\v 16 મિલેતસ એ એફેસસ શહેરની દક્ષિણે આવેલું છે. પાઉલ એફેસસ રોકાવા માગતો ન હતો કારણ કે તે એશિયામાં સમય વ્યતીત કરવા ચાહતો ન હતો, તે પચાસમાના પર્વ સુધી યરુશાલેમમાં પહોંચી જવા માંગતો હતો, અને તે પર્વ નજીક હતુ.
\s5
\v 17 જ્યારે વહાણ મિલેતસ આવી પહોચ્યું, ત્યારે પાઉલે એફેસસમાં વિશ્વાસીજૂથના આગેવાનોને સંદેશો મોકલી કહાવ્યું કે તેઓ ત્યાં આવે જેથી તે તેમની સાથે વાત કરી શકે.
\v 18 જ્યારે આગેવાનો ત્યાં આવ્યા ત્યારે પાઉલે તેમને કહ્યું, "જ્યારે હું એસિયા પ્રાંતમાં આવ્યો ત્યારે પ્રથમ દિવસથી માંડીને મેં તે સ્થળ છોડ્યું ત્યાં સુધી, એ સમય દરમ્યાન હું તમારી મધ્યે કઈ રીતે વર્ત્યો તે તમે જોયું છે."
\v 19 તમે જાણો છો કે મેં પ્રભુ ઈસુની સેવા કેવી નમ્રતાથી કરી છે અને ઘણીવાર હું રડ્યો છું. યહૂદીઓ જેઓ વિશ્વાસીઓ નથી તેઓએ ઘણીવાર મને નુકસાન પહોચાડવાનો પ્રયત્ન કર્યો છે તેને કારણે મારે સહન કરવું પડ્યું છે તે તમે જાણો છો.
\v 20 તમે જાણો છો કે જ્યારે મેં ઈશ્વરનો ઉપદેશ આપ્યો ત્યારે તમને ઉપયોગી હોય એવી કોઇપણ બાબતો ક્યારે પણ મેં કહેવાની ટાળી નથી. તમે જાણો છો કે, ઘણાં લોકોની સમક્ષ મેં તમને ઈશ્વરનો ઉપદેશ શીખવ્યો હતો અને તમારા ઘરોમાં જઈને પણ મેં તમને શીખવ્યું હતું.
\v 21 મેં યહૂદી અને બિનયહૂદીઓને તેઓના પાપમય આચરણથી ફરી પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવા સમજાવ્યું હતું."
\s5
\v 22 "અને હવે હું યરુશાલેમ જાઉં છું કારણ કે પવિત્ર આત્માએ મને સ્પષ્ટ રીતે બતાવ્યું છે કે મારે ત્યાં જવું, અને મારે તે માનવું જ જોઈએ. હું જાણતો નથી કે ત્યાં મારી સાથે શું બનવાનુ છે.
\v 23 પરંતુ મેં જે જે શહેરની મુલાકાત લીધી છે, ત્યાં પવિત્ર આત્માએ મને બતાવ્યું છે કે યરુશાલેમમાં લોકો મને જેલમાં નાંખશે અને મારે ત્યાં સહન કરવું પડશે તે હું જાણું છું.
\v 24 પ્રભુ ઈસુએ મને જે કાર્ય આપ્યું છે તે હું પૂર્ણ કરું તે અગાઉ, જો લોકો મને મારી નાખે તો મને તેની જરા પણ દરકાર નથી. તેમણે મને એટલા માટે બોલાવ્યો છે કે હું લોકોને એ શુભ સંદેશ કહી શકું કે જેને માટે આપણે લાયક નથી તે આપણા માટે કરવા દ્વારા ઈશ્વર આપણને બચાવે છે.
\s5
\v 25 મેં તમને એ સંદેશનો ઉપદેશ કર્યો છે કે ઈશ્વર કઈ રીતે પોતાને રાજા તરીકે પ્રગટ કરશે. પરંતુ હવે હું જાણું છું કે આજે છેલ્લી વાર તમે વિશ્વાસીઓ મને જોઈ રહ્યા છો.
\v 26 તેથી જે કોઈએ મને ઉપદેશ આપતાં સાંભળ્યો છે અને તેમાંના કોઈ ઈસુ પર વિશ્વાસ કર્યાં વિના મૃત્યુ પામે, તો એમાં મારો કોઈ દોષ નથી,
\v 27 કારણ કે ઈશ્વરની આપણા માટે જે યોજના છે તે વિશે મેં તમને બધું કહ્યું છે.
\s5
\v 28 તમે આગેવાનોએ ઈશ્વરના ઉપદેશ પર વિશ્વાસ કરવાનું અને તેમને આધીન થવામાં જ વ્યસ્ત રહેવું. પવિત્ર આત્માએ જેની કાળજી રાખવાની જવાબદારી તમને સોંપી છે તેવા બીજા વિશ્વાસીઓને તમારે મદદ કરવી જ જોઈએ. તમે પોતા વિશે સાવધ રહો અને જેમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંની સંભાળ રાખે છે તેમ પ્રભુના વિશ્વાસી ટોળાની સંભાળ રાખો. ઈશ્વરે તેઓને પોતાના પુત્રના, વધસ્થંભે વહેવડાયેલા રક્ત દ્વારા ખરીદ્યા છે.
\v 29 હું સારી રીતે જાણું છું કે મારા ગયા પછી, જે લોકો ખોટો ઉપદેશ કરે છે તેઓ તમારી મધ્યે આવશે અને તેઓ વિશ્વાસીઓને ઘણું નુકસાન પહોંચાડશે. તેઓ ઘેટાને ફાડી ખાનારા વરૂઓ જેવા હશે.
\v 30 તમારા પોતાના આગેવાનના ટોળામાં પણ ઘણાં ખોટું શિક્ષણ આપી વિશ્વાસીઓ સાથે જૂઠું બોલશે. તેઓ ખોટા ઉપદેશ આપશે જેથી અમુક લોકો તેમના પર વિશ્વાસ કરશે અને તેમના અનુયાયીઓ બનશે.
\s5
\v 31 તમારામાનું કોઈ આપણા પ્રભુ ઈસુના સત્ય ઉપદેશ પર વિશ્વાસ કરવાનું બંધ ન કરે તે વિશે સાવધ રહો! યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી, રાત અને દિવસ, આંસુઓ સહિત મેં તમને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ રહેવા શીખવ્યું અને ચેતવણી આપી છે."
\v 32 "હવે જ્યારે હું તમને છોડીને જાઉં છુ ત્યારે હું ઈશ્વરને પ્રાર્થના કરુ છું કે તે તમારી સંભાળ રાખે અને જેને માટે આપણે યોગ્ય નથી, તે કરીને આપણો બચાવ કરે છે, તે સંદેશ પર વિશ્વાસ કરવા તમને મદદ કરે. જો તમે મારા કહેલા સંદેશ પર વિશ્વાસ રાખવાનું ચાલુ રાખશો તો, તમે આત્મિક રીતે મજબૂત થશો, અને ઈશ્વરે તેમના પોતાના લોકો વિષે જે વચન આપ્યું છે તેમને દરેક સારી વસ્તુ હંમેશા આપશે.
\s5
\v 33 મેં મારા માટે, કોઈનાં નાણાંની અથવા સુંદર વસ્ત્રોની અપેક્ષા રાખી નથી.
\v 34 તમે પોતે જાણો છો કે મારા મિત્રોની અને મારી જરૂરિયાતો માટે મેં મારા હાથે કામ કરીને નાણાં મેળવ્યાં છે.
\v 35 મેં જે કંઈ કર્યું તે દ્વારા તમને દર્શાવ્યું છે કે આપણે સખત પરિશ્રમ કરવો જોઈએ જેથી જેઓને જરૂરીયાત છે તેઓને મદદ કરવા આપણી પાસે પૂરતાં નાણાં હોય. આપણે યાદ રાખવું જોઈએ કે આપણા પ્રભુ ઈસુએ પોતે કહ્યું હતું, "વ્યક્તિ પોતે કશું પ્રાપ્ત કરે છે તે કરતાં જ્યારે તે બીજાને આપે છે ત્યારે વધુ ખુશ હોય છે."
\s5
\v 36 જ્યારે પાઉલે શિક્ષણ સમાપ્ત કર્યું ત્યારે તે બધા આગેવાનો સાથે ઘૂંટણે પડ્યો અને પ્રાર્થના કરી.
\v 37 તેઓ બધા બહુ રડ્યા, અને તેઓ પાઉલને ભેટ્યા અને ચુંબન કર્યું.
\v 38 તેઓ ઘણા દુઃખી થયા કારણ કે તેણે કહ્યું કે તેઓ તેને ફરી જોશે નહિ, ત્યારબાદ તેઓ બધા તેની સાથે વહાણ સુધી ગયા.
\s5
\c 21
\p
\v 1 એફેસસના આગેવાનોથી વિદાય લીધા બાદ, અમે વહાણમાં બેસીને જળમાર્ગે કોસ ટાપુ પહોંચ્યા, ત્યાં વહાણ એક રાત માટે રોકાયું. બીજે દિવસે વહાણ દ્વારા અમે કોસથી રોદેસ ગયા, જ્યાં વહાણ એક રાત માટે રોકાયું. બીજે દિવસે અમે પતારા ગયા, જ્યાં વહાણ ફરી થંભ્યુ.
\v 2 પતારામાં અમે તે વહાણ બદલ્યું, અને કોઈકે અમને કહ્યું કે ફિનીકિયા પ્રાંતમાં જતું વહાણ ત્યાં છે. તેથી અમે તેમાં બેઠા અને તે પ્રદેશ છોડ્યો.
\s5
\v 3 અમેં સાયપ્રસ ટાપુ જોઈ શક્યા ત્યાં સુધી અમે સમુદ્ર માર્ગે મુસાફરી કરી. અમે ટાપુની દક્ષિણ તરફથી પસાર થઈને ફિનીકિયા પ્રાંતના, સિરિયાના તૂર શહેરમાં પહોંચતા સુધી મુસાફરી ચાલુ રાખી. વહાણ ત્યાં કેટલાક દિવસ રોકાવાનું હતું કારણ કે તેના કામદારોએ સામાન ઉતારવાનો હતો.
\v 4 તૂરમાં વિશ્વાસીઓ ક્યાં રહેતા હતા તે કોઈકે અમને જણાવ્યું, તેથી અમે ત્યાં ગયા અને સાત દિવસ રોકાયા કારણ કે પ્રભુના આત્માએ ત્યાંના લોકોને જણાવ્યું હતું કે યરુશાલેમમાં લોકો દ્વારા પાઉલની સતાવણી કરવામાં આવશે, તેઓએ પાઉલને ત્યાં જવા મના કરી.
\s5
\v 5 પણ જ્યારે વહાણ ફરીથી ઉપડવાનો સમય થયો, ત્યારે અમે યરુશાલેમ જવા તૈયાર થયા. જ્યારે અમે તૂરથી પાછા જવા વળ્યા ત્યારે બધા પુરુષો અને તેમની પત્નીઓ અને બાળકો સમુદ્ર કિનારા સુધી અમારી સાથે આવ્યાં. અમે બધા રેતી પર ઘૂંટણે પડ્યા અને પ્રાર્થના કરી.
\v 6 ત્યાર પછી અમે બધાને સલામ કહી. પાઉલ અને અમે તેના સાથીદારો વહાણમાં ગયાં અને બીજા વિશ્વાસીઓ પોતાને ઘરે પાછા ફર્યા.
\s5
\v 7 તૂરથી વિદાય થયા પછી, અમે વહાણ દ્વારા ટોલેમાઈસ શહેરમાં આવ્યાં. ત્યાં વિશ્વાસીઓ હતા, અને અમે તેમને સલામ કહી અને તેઓની સાથે તે રાતે ત્યાં રહ્યા.
\v 8 બીજા દિવસે અમે ટોલેમાઈસ છોડયું અને કાઇસારિયા આવી પહોંચ્યા, ત્યાં અમે ફિલિપના ઘરે રોકાયા, જે પોતાનો સમય, લોકોને ઈસુના શિષ્યો કઈ રીતે બની શકાય તે શીખવવામાં વિતાવતો હતો. તે પસંદ કરાયેલા સાતમાંનો એક હતો જેને યરુશાલેમમાં વિશ્વાસીઓ દ્વારા, વિધવાઓની સંભાળ રાખવા માટે પસંદ કરવામાં આવ્યો હતો.
\v 9 તેને ચાર દીકરીઓ હતી જેઓ કુંવારી હતી. તેઓમાંની દરેક જેમ પવિત્ર આત્મા તેમને દોરે તેમ અવારનવાર સંદેશ પ્રગટ કરતી હતી.
\s5
\v 10 પછી અમે ફિલિપના ઘરે ઘણા દિવસો રોકાયા, ત્યાં આગાબાસ નામનો વિશ્વાસી યહૂદિયા જીલ્લામાંથી કાઇસારિયા આવ્યો. તે પવિત્ર આત્મા જેમ દોરવણી આપતા તેમ ઉપદેશ કરતો હતો.
\v 11 અમે જ્યાં હતા ત્યાં આવીને, તેણે પાઉલનો કમરબંધ લઈ લીધો. અને તેનાથી પોતાના હાથ અને પગ બાંધીને કહ્યું, "પવિત્ર આત્મા કહે છે કે જેનો આ કમરબંધ છે તેને યરુશાલેમના યહૂદી આગેવાનો આજ રીતે બાંધશે અને બિનયહૂદીઓના હાથમાં કેદી તરીકે સોંપશે."
\s5
\v 12 જ્યારે અમે બાકીનાએ તે સાંભળ્યું ત્યારે, અમે બીજા વિશ્વાસીઓએ પાઉલને કહ્યું," મહેરબાની કરીને યરુશાલેમ સુધી જઈશ નહી!"
\v 13 પણ પાઉલે જવાબ આપ્યો, "મહેરબાની કરીને રડવાનુ બંધ કરો અને મને ત્યાં જવા વિષે નાહિંમત કરશો નહિ! તમે શા માટે રડો છો અને જવા માટે મને કેમ નિરાશ કરો છો? હું જેલમાં જવા તૈયાર છું અને યરુશાલેમમાં મરવા પણ તૈયાર છું કારણ કે હું પ્રભુ ઈસુની સેવા કરું છું."
\v 14 જ્યારે અમને સમજાઈ ગયું કે તે યરુશાલેમ જશે, ત્યારે અમે તેને રોકવાનો પ્રયાસ બંધ કરી દીધો. અમે કહ્યું "ઈશ્વરની ઇચ્છા પૂર્ણ થાઓ!"
\s5
\v 15 થોડા દિવસ કાઇસારિયામાં પસાર કર્યાં પછી, અમે અમારો સરસામાન બાંધી જમીન માર્ગે યરુશાલેમ જવા નીકળ્યા.
\v 16 કાઇસારિયાના થોડા વિશ્વાસીઓ પણ અમારી સાથે આવ્યા. તેઓ અમને એક માણસ જેનું નામ મનાસોન હતું તેના ઘરે રહેવા માટે લઈ ગયાં. તે સાયપ્રસ ટાપુનો વતની હતો, અને તે શરૂઆતમાં ઈસુ વિશેના ઉપદેશ દ્વારા વિશ્વાસી બન્યો હતો.
\s5
\v 17 જ્યારે અમે યરુશાલેમ પહોંચ્યા, ત્યારે વિશ્વાસીઓના સમુદાયે પ્રેમથી અમારો આવકાર કર્યો.
\v 18 બીજે દિવસે પાઉલ અને અમે બધા યાકૂબ, જે મંડળીનો આગેવાન હતો તેને મળવા ગયા. મંડળીના બીજા આગેવાનો પણ યરુશાલેમમાં હાજર હતા.
\v 19 પાઉલે તેઓને સલામ પાઠવી, અને ત્યારપછી તેણે પોતાની મારફતે બિનયહૂદીઓમાં ઈશ્વરે જે કાર્યો કરાવ્યાં હતાં તે વિગતવાર કહ્યું.
\s5
\v 20 જ્યારે તેઓએ તે સાંભળ્યું, ત્યારે યાકૂબ અને બીજા આગેવાનોએ ઈશ્વરનો આભાર માન્યો. તેમાંના એકે પાઉલને કહ્યું, "ભાઈ, તુ જાણે છે કે અહીં હજારો યહૂદીઓ છે જેઓએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ મૂક્યો છે. તું એ પણ જાણે છે કે અમે બધા કાળજીપૂર્વક મૂસાના નિયમો પાળીએ છીએ.
\v 21 પરંતુ આપણા સાથી વિશ્વાસી યહૂદીઓએ અમને જણાવ્યું છે કે તું જ્યારે બિનયહૂદીઓ મધ્યે હોય છે ત્યારે, તું યહૂદી વિશ્વાસીઓને કહે છે કે તેઓએ મુસાના નિયમો પાળવા જોઈએ નહી. લોકો કહે છે કે તું યહૂદી વિશ્વાસીઓને તેમના છોકરાઓને સુન્નત નહિ કરાવવા અને બીજા વિધિઓ નહિ પાળવા કહે છે. અમે જાણતા નથી કે તેઓ તારા વિષે જે કહે છે તે સાચું છે.
\s5
\v 22 પરંતુ જ્યારે આપણા સાથી યહૂદી વિશ્વાસીઓ સાંભળશે કે તું આવ્યો છે, ત્યારે તેઓ તારા પર ગુસ્સે ભરાશે. તારે કઈક એવું કરવું જોઈએ કે તેઓને એ દર્શાવી શકાય કે તેઓએ તારા વિષે જે સાંભળ્યું છે તે સાચું નથી.
\v 23 તેથી અમે તને જે સૂચવીએ છીએ તે કૃપા કરીને કર. અમારામાંના ચાર માણસોએ ઈશ્વર સમક્ષ માનતા લીધી છે.
\v 24 તે માણસોને લઈને ભક્તિસ્થાનમાં જા અને તારે માટે અને તેઓ માટે જે જરૂરી વિધિ છે તે કરાવ, જેથી તું અને તેઓ ભક્તિસ્થાનમાં ભજન કરી શકે. ત્યારબાદ, જ્યારે તેઓને બલિદાન કરવાનો સમય આવે ત્યારે, તેઓનો ખર્ચ તું ચૂકવ. ત્યારપછી તેઓ પોતાના માથાનું મૂંડન કરાવે કે જેથી તેઓએ જે માનતા લીધી હતી તે પ્રમાણે કરે. જ્યારે લોકો ભક્તિસ્થાનના આંગણામાં તને તેઓની સાથે જુએ ત્યારે તેઓ જાણે કે લોકોએ તારા વિષે જે કહ્યું છે તે અસત્ય છે તેના બદલે તેઓ એવું જાણે કે તું બધા યહૂદી નિયમો પાળે છે.
\s5
\v 25 બિનયહૂદી વિશ્વાસીઓ માટે, અમે આગેવાનોએ યરુશાલેમમાં એવું ઠરાવ્યું છે કે તેઓએ આપણા આ નિયમો પાળવા જોઈએ, અને અમે જે નક્કી કર્યું છે તે વિશે અમે પત્ર લખી મોકલાવ્યો છે. તેઓએ લોકો દ્વારા મૂર્તિને બલિ તરીકે અર્પણ કરેલો ખોરાક ખાવો જોઈએ નહીં, તેઓએ પશુઓનું લોહી પીવું ન જોઈએ અને માણસો દ્વારા ગૂંગળાવીને મારેલા પશુઓનું માંસ ખાવું ન જોઈએ. અમે તેઓને એવું પણ જણાવ્યું છે કે તેઓએ જેની સાથે લગ્ન કર્યું ન હોય તેની સાથે જાતીય સંબંધ બાંધવો જોઈએ નહીં."
\v 26 તેથી પાઉલ તેઓએ જે કહ્યું હતું તે કરવા સંમત થયો. અને બીજા દિવસે તેણે તે ચાર માણસોને લીધા, અને તેઓએ પોતાને શુદ્ધ કર્યાં. ત્યારપછી, પાઉલ ભક્તિસ્થાનના આંગણામાં ગયો અને યાજકને કહ્યું કે કયા દિવસે તેઓ પોતાની શુધ્ધીકરણની ક્રિયા પૂર્ણ કરે અને દરેક માટે હલવાનનું અર્પણ કરે.
\s5
\v 27 જ્યારે તેમની માટે શુધ્ધીકરણના સાત દિવસ પૂરા થવાની તૈયારીમાં હતા, ત્યારે પાઉલ ભક્તિસ્થાનના આંગણામાં ગયો. આસિયાના યહૂદીઓએ તેને ત્યાં જોયો, ત્યારે તેઓ તેના પર બહુ ગુસ્સે થયા. બીજા ઘણા યહૂદીઓ જેઓ ભક્તિસ્થાનના આંગણામાં હતા તેઓને તેમણે બોલાવ્યા કે જેથી તેઓ પાઉલને પકડી શકે.
\v 28 તેઓએ બૂમો પાડી, "ઓ ઇઝરાયલીઓ, અહીં આવો અને આ માણસને શિક્ષા કરવામાં અમારી મદદ કરો! આ એ જ માણસ છે કે જે, જ્યાં કઈ જાય છે ત્યાં લોકોને, યહૂદી લોકોને ધિક્કારવાનું શીખવે છે. તે શીખવે છે કે તેઓએ મૂસાના નિયમો પાળવાની જરૂર નથી. તે બિનયહૂદીઓને પણ આ ભક્તિસ્થાનના આંગણામાં લાવ્યો છે, આમ કરી આ જ્ગ્યાને તેણે ભ્રષ્ટ કરી છે!"
\v 29 તેઓએ આમ કહ્યું કારણ કે તેમણે પાઉલેને ત્રોફીમસ સાથે યરુશાલેમમાં આમ તેમ ફરતો જોયો હતો, જે બિનયહૂદી હતો. તેઓના નિયમો બિનયહૂદીઓને ભક્તિસ્થાનમાં જવાની પરવાનગી આપતા નથી, અને તેઓએ વિચાર્યું કે પાઉલ ત્રોફીમસને તે દિવસે ભક્તિસ્થાનના આંગણામાં લાવ્યો હતો.
\s5
\v 30 શહેરના બધા લોકોએ સાંભળ્યું કે ભક્તિસ્થાનના આંગણામાં કોઈ સમસ્યા ઉભી થઈ છે, તેથી તેઓ દોડતા ત્યાં આવ્યા. તેઓએ પાઉલને પકડ્યો અને તેને ઢસડીને ભક્તિસ્થાનના બહારના ચોકમાં લઈ ગયા. ભક્તિસ્થાનના આંગણાના દરવાજા બંધ કરવામાં આવ્યાં હતા, જેથી લોકો ભક્તિસ્થાનના વિસ્તારમાં ધાંધલ કરે નહિ.
\v 31 જ્યારે તેઓએ પાઉલને મારી નાખવાની તૈયારી કરતા હતા, ત્યારે કોઈ એક જણ ભક્તિસ્થાનની પાસે આવેલા કિલ્લામાં દોડી ગયો અને રોમન સેનાપતિને એવી ખબર આપી કે યરુશાલેમના લોકો ભક્તિસ્થાન માં ધાંધલ કરી રહ્યા છે.
\s5
\v 32 સેનાપતિ ઝડપથી પોતાની સાથે થોડા અધિકારીઓ અને સૈનિકોની મોટી ટુકડી લઈને ભક્તિસ્થાનના આંગણામાં દોડી ગયો જ્યાં લોકોનું ટોળુ જમા થયું હતું. જ્યારે લોકોનું ટોળું જે ચીસો પાડતું અને પાઉલને મારતું હતું તેઓએ સેનાપતિ અને સૈનિકોને જોયા ત્યારે, તેઓએ પાઉલને મારવાનું બંધ કર્યું.
\v 33 જ્યાં પાઉલ હતો ત્યાં સેનાપતિ આવી પહોંચ્યો અને તેની ધરપકડ કરી. સેનાપતિએ સૈનિકોને આજ્ઞા કરી કે પાઉલના બન્ને હાથો સાંકળથી બાંધવામાં આવે. ત્યારબાદ તેણે લોકોના ટોળાને પૂછ્યું, "આ માણસ કોણ છે, અને તેણે શું કર્યું છે?"
\s5
\v 34 ત્યારે ટોળામાંના કેટલાક એક બાબત સંબંધી બૂમો પડતા હતા, અને કેટલાક બીજી બાબત વિષે બૂમો પડતા હતા. કારણ કે તેઓ ખૂબ જોરથી સતત ઘોંઘાટ કરી રહ્યા હતા, તેથી તેઓ શું કહેવા માંગે છે તે સેનાપતિ સમજી શક્યો નહિ. માટે સેનાપતિએ સૈનિકોને આજ્ઞા કરી કે પાઉલને કિલ્લામાં લઈ જવામાં આવે જેથી તે તેને પ્રશ્ન પુછી શકે.
\v 35 ત્યારે સૈનિકો પાઉલને કિલ્લાનાં પગથિયા તરફ લઈ જઈ રહ્યા હતા, પણ ઘણા લોકો પાઉલને મારી નાખવા માટે તેઓનો પીછો કરી રહ્યા હતા. તેથી સેનાપતિએ સૈનિકોને કહ્યું પાઉલને ઊંચકીને કિલ્લામાં લઈ જવામાં આવે.
\v 36 જે ટોળું તેઓનો પીછો કરી રહ્યું હતું તે ટોળાના લોકો બૂમ પાડી રહ્યા હતા, "તેને મારી નાખો! તેને મારી નાખો!"
\s5
\v 37 જ્યારે પાઉલને કિલ્લા તરફ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે સેનાપતિને ગ્રીકમાં પૂછયું, "શું હું તમારી સાથે વાત કરી શકું?" સેનાપતિએ જવાબ આપ્યો, "મને આશ્ચર્ય થાય છે કે તુ ગ્રીક બોલી શકે છે!
\v 38 મને એવું લાગ્યું કે તું એ મિસરી છે કે જેણે થોડા સમય પહેલાં સરકારની સામે બળવો કર્યો હતો અને જેણે ચાર હજાર બળવાખોરોને પોતાની સાથે રણમાં એકઠાં કર્યા હતા કે જેથી અમે તેને પકડી શકીએ નહીં."
\s5
\v 39 પાઉલે જવાબ આપ્યો, "ના, હું તે નથી! હું યહૂદી છું. હું તાર્સસમાં જન્મ્યો છું, જે કિલીકિયા પ્રાંતનું મહત્વનું શહેર છે. હું તમને વિનંતી કરું છું કે મને લોકો સાથે વાત કરવા દેવામાં આવે."
\v 40 તેથી સેનાપતિએ પાઉલને લોકો સાથે વાત કરવાની પરવાનગી આપી. તેથી પાઉલ પગથિયા પર ઊભો રહ્યો અને તેણે ટોળાને પોતાના હાથથી શાંત રહેવાનો ઈશારો કર્યો. અને લોકોનું ટોળુ શાંત થયું ત્યાર પછી, પાઉલે તેમની સાથે તેમની પોતાની હિબ્રૂ ભાષામાં વાત કરી.
\s5
\c 22
\p
\v 1 પાઉલે કહ્યું, "યહૂદી આગેવાનો અને મારા સાથી યહૂદીઓ, જેઓ મારા પર દોષ મૂકી રહ્યા છે તેઓને હું જે કહું છું તે સાંભળો!"
\v 2 જ્યારે લોકોના ટોળાએ પાઉલને તેમની પોતાની હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળ્યો ત્યારે, તેઓ શાંત થઈ ગયા અને સાંભળવા લાગ્યા. ત્યારે પાઉલે તેઓને કહ્યું,
\s5
\v 3 "તમ સર્વની જેમ હું પણ યહૂદી છું, કિલીકિયા પ્રાંતના તાર્સસ શહેરમાં મારો જન્મ થયો હતો, પણ હું અહીં યરુશાલેમમાં મોટો થયો છું. જ્યારે હું નાનો હતો ત્યારે મૂસાએ આપણા પૂર્વજોને આપેલા નિયમો હું શીખ્યો છું. ગમલિયેલ મારા ગુરુ હતા. મેં તે નિયમોનું પાલન કર્યું છે કારણ કે હું ઈશ્વરને આધીન થવાની ઇચ્છા રાખતો હતો, અને મને ખાતરી છે કે તમે બધા પણ તે નિયમોનું પાલન કરો છો.
\v 4 તેથી જ મેં એવા લોકોને પકડવાનો પ્રયત્ન કર્યો, જેઓએ ઈશ્વરના ઈસુ વિષેના ઉપદેશ પર વિશ્વાસ કર્યો હતો. હું તેઓને મારી નાખવાના રસ્તા શોધતો હતો. જ્યારે પણ, તે ઉપદેશ પર વિશ્વાસ કરતા પુરુષો કે સ્ત્રીઓ મને મળ્યાં, તેઓને મેં જેલમાં ધકેલ્યા હતા.
\v 5 મુખ્ય યાજક, અને બીજા જેઓ યહૂદી સભાના છે તેઓ પણ આ વિષે જાણે છે. દમસ્કસના યહૂદી મિત્રો પર તેમણે મને પત્રો લખી આપ્યા હતા. એ પત્રો દ્વારા ઈસુ પર વિશ્વાસ કરનારાઓની ધરપકડ કરવાનો મને અધિકાર મળ્યો હતો. મારે તેઓને કેદી બનાવીને યરુશાલેમ લાવવાના હતા, જેથી તેમને અહીં શિક્ષા કરવામાં આવે.
\s5
\v 6 તેથી હું દમસ્કસ પહોંચ્યો, લગભગ બપોરે, હું દમસ્કસની પાસે હતો ત્યારે એકાએક મારી આસપાસ ઝળહળતો પ્રકાશ ફેલાઈ ગયો.
\v 7 પ્રકાશ એટલો તેજસ્વી હતો કે હું જમીન ઉપર ઢળી પડ્યો. ત્યાર બાદ મેં એક અવાજ આકાશમાંથી મને કહેતો સાંભળ્યો, તે કહી રહ્યો હતો, 'શાઉલ! શાઉલ! તું મને સતાવનારી બાબતો કેમ કરે છે?"
\v 8 મેં જવાબ આપ્યો, 'પ્રભુ તમે કોણ છો?' તેમણે જવાબ આપ્યો, 'હું નાસરેથનો ઈસુ છું જેને તું સતાવી રહ્યો છે.'
\s5
\v 9 મારી સાથે જેઓ મુસાફરી કરી રહ્યા હતા તેઓએ ઝળહળતો પ્રકાશ જોયો, પણ તેઓ તે વાણીને સમજી શક્યા નહિ.
\v 10 ત્યારબાદ મેં પૂછ્યું, 'પ્રભુ હું શું કરું તેવું તમે ઇચ્છો છો?' પ્રભુએ મને જણાવ્યું, 'ઊભો થા, અને દમસ્કસમાં જા. એક માણસ ત્યાં છે જે તને જણાવશે કે મેં તારે સારુ કઈ યોજના કરી છે.'
\v 11 ત્યાર પછી, હું જોઈ શક્યો નહિ, કારણ કે ઝળહળતા પ્રકાશના કારણે હું દ્રષ્ટિહીન થઈ ગયો હતો. તેથી મારી સાથેના માણસો મને હાથ પકડીને દમસ્કસ દોરી ગયા.
\s5
\v 12 એક માણસ જેનું નામ અનાન્યા હતું તે મને મળવા આવ્યો. તે માણસ ઈશ્વરને માન આપતો હતો અને યહૂદી નિયમો પાળતો હતો. દમસ્કસના યહૂદીઓ તેના વિશે સારું બોલતા હતા.
\v 13 તે આવ્યો અને મારી પાસે ઊભો રહ્યો અને મને કહ્યું, 'મારા મિત્ર શાઉલ, ફરીથી દેખતો થા!' તરત જ હું દેખતો થયો અને મેં તેને મારી પાસે ઉભો રહેલો જોયો.
\s5
\v 14 ત્યાર પછી તેણે કહ્યું, 'જે ઈશ્વરનું આપણે અને આપણા પૂર્વજો ભજન કરીએ છીએ તેમણે તને પસંદ કર્યો છે. અને તેઓ તારે શું કરવું તે તને જણાવશે. તેમણે એક ન્યાયી, એટલે ઈસુ મસીહ તને બતાવ્યા છે, જેઓને તેં તારી સાથે બોલતા સાંભળ્યા છે.
\v 15 તેઓ ચાહે છે કે તેં જે જોયું છે અને તેમના દ્વારા સાંભળ્યું છે તે તું દરેક જગ્યાએ લોકોને જણાવ.
\v 16 તેથી હવે વિલંબ કરીશ નહિ! ઊભો થા, કે હું તને બાપ્તિસ્મા આપું, અને પ્રભુ ઈસુ અને ઈશ્વરને પ્રાર્થના કર કે તેઓ તારાં પાપની માફી તને આપે!'"
\s5
\v 17 "પછી, હું યરુશાલેમ પાછો ફર્યો. એક દિવસ હું ભક્તિસ્થાનના આંગણામાં પ્રાર્થના કરતો હતો અને પ્રાર્થના દરમ્યાન, મને એક દર્શન થયું.
\v 18 પ્રભુએ મારી સાથે વાત કરીને જણાવ્યું કે, 'તું અહીં રહીશ નહિ! હમણાં જ યરુશાલેમ છોડી દે, કારણ કે અહીંના લોકો તું મારા વિશે જે કહીશ તે પર વિશ્વાસ કરશે નહિ!'
\s5
\v 19 પરંતુ મેં તેમને કહ્યું, 'પ્રભુ, તેઓ જાણે છે કે હું ઘણાં સભાસ્થાનોમાં જઈને જેઓ તમારા પર વિશ્વાસ કરતા હતા તેઓને શોધતો હતો. જ્યારે મને ખબર પડતી હતી કે તેઓ તમારા પર વિશ્વાસ કરે છે ત્યારે હું તેઓને જેલમાં પુરાવતો, અને હું તેઓને મારતો પણ હતો.
\v 20 તેઓ જાણે છે કે જ્યારે સ્તેફનની હત્યા કરવામાં આવી કારણ કે તે લોકોને તમારા વિશે કહેતો હતો, ત્યારે હું ત્યાં જ ઊભો હતો અને તેઓ જે કરી રહ્યા હતા તેની સાથે હું સંમત હતો. જેઓ તેની હત્યા કરી રહ્યા હતા તેઓના કપડાં પણ હું સાચવતો હતો!'
\v 21 પણ પ્રભુએ મને કહ્યું, 'ના, યરુશાલેમ છોડી દે, કારણ કે હું તને અહીંથી ઘણે દૂર બિનયહૂદી લોકોના સમૂહ મધ્યે મોકલીશ!'"
\s5
\v 22 પ્રભુએ પાઉલને બીજા લોકોના સમૂહ પાસે મોકલ્યો ત્યાં સુધી લોકોએ તેનુ કહેવુ સાંભળ્યું. ત્યારબાદ તેઓ બૂમ પાડવા લાગ્યા, "તેને મારી નાખો! તે વધુ જીવતો રહેવાને લાયક નથી!"
\v 23 જ્યારે તેઓ બૂમો પાડી રહ્યાં હતા, ત્યારે તેઓએ તેઓના ઉપવસ્ત્ર કાઢ્યાં, અને હવામાં ધૂળ ઉડાવવા લાગ્યા, જે દર્શાવતું હતું કે તેઓ કેટલા ગુસ્સે થયાં છે.
\v 24 તેથી સેનાપતિએ આદેશ આપ્યો કે પાઉલને જેલમાં લઈ જવામાં આવે. તેણે સૈનિકોને જણાવ્યું કે પાઉલને કોરડા મારવામાં આવે જેથી તે કબૂલ કરે કે તેણે એવુ શું કર્યું છે જેને કારણે યહૂદીઓં ગુસ્સે થયા છે.
\s5
\v 25 તેથી તેઓએ તેના હાથને ખેંચીને બાંધ્યા જેથી તેઓ તેની પીઠ પર કોરડા મારી શકે. પણ પાસે ઊભેલા સૈનિકને પાઉલે કહ્યું, "એક રોમન નાગરિક જેના પર ગુનો કે દોષ સાબિત થયો નથી, તેને જો તમે કોરડા મારશો તો એ ગેરકાયદેસર ગણાશે!"
\v 26 જ્યારે અધિકારીએ તે સાંભળ્યું ત્યારે, તે સેનાપતિ પાસે ગયો અને તેણે તે સેનાપતિને જણાવ્યું. તેણે સેનાપતિને કહ્યું," આ માણસ રોમન નાગરિક છે! તેને કોરડા મારવાનો હુકમ તારે અમને ન કરવો જોઈએ!"
\s5
\v 27 જ્યારે સેનાપતિએ આ સાંભળ્યું ત્યારે તેને આશ્ચર્ય થયું, તે પોતે જેલમાં ગયો અને પાઉલને કહ્યું "મને કહે, શું તું ખરેખર રોમન નાગરિક છે?" પાઉલે જવાબ આપ્યો, "હા, હું છું."
\v 28 ત્યાર બાદ સેનાપતિએ કહ્યું, "હું પણ રોમન નાગરિક છું. રોમન નાગરિક બનવા માટે મેં ઘણાં નાણાં ચૂકવ્યાં છે." પાઉલે કહ્યું, "પણ હું તો જન્મથી રોમન છું."
\v 29 સૈનિકો તેને કોરડા મારવાની અને તેણે જે કર્યું છે તે વિશે પ્રશ્નો પૂછી તપાસ કરવાની તૈયારીમાં હતાં. પણ જ્યારે પાઉલને એ કહેતાં સાંભળ્યો, ત્યારે તેઓ તેને મૂકીને જતા રહ્યા. સેનાપતિ પણ ડરી ગયો, કારણ કે પાઉલ રોમન નાગરીક હતો અને તેણે સૈનિકોને પાઉલના હાથ બાંધવાની આજ્ઞા આપીને નિયમ તોડ્યો હતો.
\s5
\v 30 સેનાપતિ હજુ પણ જાણવા માગતો હતો કે યહૂદીઓ પાઉલને કેમ દોષિત ઠરાવતા હતા. તેથી બીજા દિવસે તેણે સૈનિકોને પાઉલની સાંકળો કાઢી નાખવા કહ્યું. તેણે મુખ્ય યાજકોને અને યહૂદી ન્યાયસભાના અન્ય સભ્યોને પણ બોલાવ્યા. ત્યારપછી તે જ્યાં સભા મળતી હતી ત્યાં પાઉલને પણ લઈ ગયો અને તેને તેઓની સામે ઊભા રહેવા કહ્યું.
\s5
\c 23
\p
\v 1 પાઉલે યહૂદી ન્યાયસભાની સામે જોઇને કહ્યું: "મારા યહૂદી ભાઈઓ, મારા જીવન પર્યંત હું આપણા ઈશ્વરને માન આપતો આવ્યો છું, અને હું જાણતો નથી કે મેં કશું ખોટું કર્યું હોય."
\v 2 જ્યારે અનાન્યા પ્રમુખ યાજકે તે સાંભળ્યું ત્યારે, તેની પાસે ઊભા રહેલા માણસને કહ્યું કે તેના મોં ઉપર તમાચો મારે.
\v 3 ત્યારે પાઉલે અનાન્યાને કહ્યું, "ઓ પાખંડી! ઈશ્વર તને આ માટે શિક્ષા કરશે. ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા હતા, તે પ્રમાણે તું ત્યાં બેસીને મારો ન્યાય કરે છે. પણ તું પોતે તે નિયમોનો ભંગ કરે છે, કારણ કે મેં કશો ગુનો કર્યો હોય કે મેં કશું ખોટું કર્યું છે તે સાબિત થયા પહેલાં તેં મને મારવાની આજ્ઞા કરી!"
\s5
\v 4 જે લોકો પાઉલની નજીક ઊભા હતા તેમણે તેને કહ્યું, "તારે ઈશ્વરના સેવક, આપણા મુખ્ય યાજક જોડે અયોગ્ય રીતે વાત કરવી જોઈએ નહિ!"
\v 5 પાઉલે જવાબ આપ્યો, "મારા યહૂદી ભાઈઓ, મેં તેમ કહ્યું માટે હું માફી માગું છું. હું તે જાણતો ન હતો કે જે માણસે તમારામાંના એકને મને મારવાની આજ્ઞા કરી તે પ્રમુખ યાજક છે. જો હું તે જાણતો હોત તો, હું આપણા પ્રમુખ યાજક સાથે અયોગ્ય રીતે વાત ન કરત, કારણ કે હું જાણું છું કે આપણા યહૂદી નિયમશાસ્ત્રમાં લખેલું છે, 'તમારા અધિકારીઓ વિશે અયોગ્ય વાત ન કરો!'"
\s5
\v 6 પાઉલ જાણતો હતો કે ન્યાયસભાના ઘણા સભ્યો સદૂકીઓ અને ઘણા સભ્યો ફરોશીઓ હતા. તેથી તેણે ન્યાયસભામાં પોકારીને કહ્યું, "મારા સાથી ભાઈઓ, મારા પિતા જેમ હતા તેમ, હું ફરોશી છું. મને તપાસ અર્થે અહીં લાવવામાં આવ્યો છે કારણ કે હું આશા રાખું છું કે એક દિવસ ઈશ્વર મૃત્યુ પામેલાંઓને ફરીથી ઊઠાડીને તેઓનો ન્યાય કરશે."
\v 7 જ્યારે તેણે તે કહ્યું, ત્યારે ફરોશીઓ અને સદૂકીઓ એકબીજા સાથે દલીલ કરવા લાગ્યાં કે જે લોકો મરણ પામ્યાં છે તેઓ ફરીથી સજીવન થશે કે નહી.
\v 8 સદૂકીઓ એવું માને છે કે લોકો મરણ પછી, ફરીથી સજીવન થશે નહિ. તેઓ એવું પણ માને છે કે દૂતો અને બીજા કોઈપણ પ્રકારના આત્માઓ હોતા નથી. પરંતુ ફરોશીઓ આ બધી બાબતોમાં માને છે.
\s5
\v 9 તેથી તેઓમાં ભાગલા પડી ગયા, અને તેઓ બૂમો પાડતા પાડતા દલીલો કરવા લાગ્યા. ત્યારે ફરોશીઓમાંના કેટલાક નિયમ શીખવનારા શિક્ષકો ઊભા થઈ ગયા. તેમાંના એકે કહ્યું, "અમને લાગે છે કે આ માણસે કંઈ ખોટું કર્યું નથી. કદાચ કોઈ દૂત અથવા આત્માએ તેની સાથે વાત કરી હશે અને તે જે કહે છે તે સાચું છે."
\v 10 ત્યારબાદ ફરોશીઓ અને સદૂકીઓ એકબીજા પ્રતિ હિંસક થઈ ગયા. તેથી સેનાપતિ ગભરાઈ ગયો કે રખેને તેઓ પાઉલના ટુકડે-ટુકડા કરી નાખે. સેનાપતિએ સૈનિકોને આજ્ઞા કરી કે તેઓ પાઉલને જેલમાં યહૂદી ન્યાયસભાના સભ્યો મધ્યેથી બહાર લઈ આવે અને કિલ્લામાં ઉપર લઈ જાય
\s5
\v 11 તે રાત્રે, પાઉલે પ્રભુ ઈસુને તેની પાસે આવીને ઊભા રહેલા જોયા. પ્રભુએ તેને કહ્યું, "હિંમત રાખ! તેં અહીં યરુશાલેમમાં મારા વિષે લોકોને સાક્ષી આપી છે, અને તારે રોમમાં પણ મારા વિષે લોકોને સાક્ષી આપવાની છે."
\s5
\v 12 બીજે દિવસે સવારે થોડા યહૂદીઓ જેઓ પાઉલને ધિક્કારતા હતા તેઓ ભેગા થયા અને તેને કઈ રીતે મારી નાખવો તેની ચર્ચા કરી. તેઓએ એક બીજાને કહ્યું કે જ્યાં સુધી તે મરી નહિ જાય ત્યાં સુધી તેઓ કંઈ ખાશે કે પીશે નહિ. તેઓએ ઈશ્વર સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે જો કોઈ આમ ન કરે તો ઈશ્વર તેમના પર આફત લાવે.
\v 13 જેઓ પાઉલને મારી નાખવા માગતા હતા તેઓ ચાળીસથી વધારે હતા.
\s5
\v 14 તેઓ મુખ્ય યાજકો અને યહૂદી આગેવાનો પાસે ગયા અને તેમને કહ્યું, "અમે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી અમે પાઉલને મારી નહિ નાખીએ, ત્યાં સુધી અમે કઈ ખાઈશું કે પીશું નહિ તે ઈશ્વરે સાંભળી છે."
\v 15 તેથી અમે તમને સેનાપતિ પાસે જવા કહીએ છીએ અને તમે તેને જઈને વિનંતી કરો કે આખી યહૂદી ન્યાયસભાના બદલે, પાઉલને નીચે અમારી પાસે લાવવામાં આવે. સેનાપતિને એવું કહેવામાં આવે કે તમારે પાઉલ સાથે વધારે વાત કરવી છે. જ્યારે પાઉલ માર્ગમાં આવતો હશે ત્યારે અમે તેને મારી નાખવા તૈયાર રહીશું.
\s5
\v 16 પણ તેઓ જે યોજના બનાવી રહ્યા હતા તે વિશે પાઉલની બહેનના દીકરાએ સાંભળ્યું, તેથી તે કિલ્લામાં ગયો અને પાઉલને તે વિશે જણાવ્યું.
\v 17 જ્યારે પાઉલે તે સાંભળ્યું, ત્યારે તેણે અધિકારીમાંના એકને બોલાવ્યો અને તેને કહ્યું, "મહેરબાની કરીને આ જુવાનને સેનાપતિ પાસે લઈ જાઓ, કારણ કે તે તેને કઈક જણાવવા માગે છે."
\s5
\v 18 તેથી અધિકારી તે જુવાનને સેનાપતિ પાસે લઈ ગયો. અધિકારીએ સેનાપતિને કહ્યું, "પાઉલ નામના કેદીએ મને બોલાવીને કહ્યું, 'આ જુવાનને સેનાપતિ પાસે લઈ જાઓ, કારણ કે તેણે તેમને કંઈક જણાવવું છે."
\v 19 સેનાપતિ તે જુવાનનો હાથ પકડીને તેને બાજુએ લઈ ગયો અને પૂછ્યું, "જુવાન તું મને શી માહિતી આપવા માગે છે?"
\s5
\v 20 તેણે કહ્યું, "થોડા યહૂદીઓ છે જેઓ પાઉલને કાલે બહાર ન્યાયસભાની સામે લાવવા માગે છે. તેઓ કહેશે કે તેમને પાઉલને થોડા પ્રશ્નો પૂછવા છે. પણ તે સાચું નથી.
\v 21 તેઓ જે તમને કહે તે કરશો નહિ, કારણ કે ચાળીસ કરતાં વધારે યહૂદી માણસો ત્યાં સંતાઈ રહ્યા હશે અને ન્યાયસભા માટે પાઉલને જ્યારે લઈ જવામાં આવતો હશે ત્યારે રસ્તા પર તેની રાહ જોઈ રહ્યા હશે. તેઓએ ઈશ્વર સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે ત્યાં સુધી તેઓ કંઈપણ ખાશે કે પીશે નહિ. અને તેઓ તે કરવા તૈયાર છે, અને હાલમાં તેઓ તમને જે કહે તેની સંમતિની રાહ જોઈ રહ્યા છે."
\s5
\v 22 સેનાપતિએ તે જુવાનને કહ્યું, "તેં મને તેઓની યોજના વિષે જણાવ્યું છે તે કોઇને કહીશ નહિ, "ત્યારબાદ તે જુવાનને તેણે મોકલી દીધો.
\v 23 ત્યારબાદ સેનાપતિએ બે અધિકારીઓને બોલાવ્યા અને કહ્યું, "બસો સૈનિકોની ટુકડીને મુસાફરી માટે તૈયાર કરો. સિત્તેર ઘોડેસવાર સૈનિકોને સાથે લો, અને બસો ભાલાવાળા સૈનિકોને સાથે લો. તમારે બધાએ આજે નવ વાગ્યા સુધી, કાઇસારિયા શહેરમાં જવા માટે તૈયાર રહેવાનું છે.
\v 24 અને પાઉલ માટે ઘોડો તૈયાર રાખવામાં આવે, કે તેને રાજ્યપાલ ફેલિકસના મહેલમાં લઈ જવામાં આવે."
\s5
\v 25 ત્યાર બાદ સેનાપતિએ રાજ્યપાલને પત્ર લખી મોકલ્યો. તેણે આ પ્રમાણે લખ્યું:
\v 26 "હું કલોદિયસ લુસિયાસ, તમને ફેલિકસને જે અમારા રાજ્યપાલ છો તેમને માન આપતાં સલામ પાઠવું છુ.
\v 27 મેં આ માણસને આપની પાસે મોકલ્યો છે, કારણ કે અમુક યહૂદીઓએ તેને એટલે પાઉલને પકડ્યો અને તેઓ તેને મારી નાખવાની તૈયારીમાં હતા. પણ કોઈના દ્વારા મને જાણ થઈ કે તે રોમન નાગરિક છે, તેથી હું અને મારા સૈનિકો ત્યાં જઈને તેને બચાવી લાવ્યા.
\s5
\v 28 મારે એ જાણવું હતું કે યહૂદીઓ જે કહેતા હતા તે પ્રમાણે તેણે શો ગુનો કર્યો છે. તેથી હું તેને તેમની યહૂદી ન્યાયસભામાં લઈ ગયો.
\v 29 જ્યારે તેઓ આ માણસને પ્રશ્નો પૂછતા હતા અને તે જવાબ આપતો હતો ત્યારે તે બધું મેં સાંભળ્યું હતું. જે બાબતે તેઓ તેનો વાંક કાઢે છે તે તેમના યહૂદી નિયમશાસ્ત્ર વિષે છે. પણ પાઉલે આપણા કોઈ રોમન નિયમો તોડ્યા નથી, તેથી આપણા અધિકારીઓ તેને દોષિત ઠરાવી શકે અથવા જેલમાં પૂરી શકે નહીં.
\v 30 કોઈકે મને કહ્યું કે થોડા યહૂદીઓ આ માણસને મારી નાખવાની યોજના બનાવી રહ્યા હતા, તેથી મેં તેને આપની પાસે મોકલી આપ્યો છે, જેથી તમે ત્યાં તેનો યોગ્ય ન્યાય કરી શકો. જે યહૂદીઓએ તેની પર આરોપ મૂક્યો છે તેઓને પણ મેં કાઇસારિયા જવા માટે હુકમ કર્યો છે અને તેઓએ કયો આરોપ મૂક્યો છે તે પણ જણાવ્યું છે. સલામ".
\s5
\v 31 તેથી જેમ સેનાપતિએ કહ્યું હતું તેમ સૈનિકોએ કર્યું. તેઓ પાઉલને લઈને રાત્રી દરમ્યાન અંતિપાત્રસ આવ્યા.
\v 32 બીજે દિવસે પાયદળના સૈનિકો યરુશાલેમ પાછા ફર્યા અને ઘોડેસવાર સૈનિકો પાઉલ સાથે આગળ વધ્યા.
\v 33 જ્યારે તેઓ કાઇસારિયા શહેરમાં આવી પહોંચ્યા, ત્યારે તેઓએ રાજ્યપાલને તે પત્ર આપ્યો, અને તેમણે પાઉલને તેમની સમક્ષ ઊભો રાખ્યો.
\s5
\v 34 રાજ્યપાલે પત્ર વાંચ્યો અને પછી તેણે પાઉલને પ્રશ્ન પૂછ્યો, "તું કયા પ્રાંતનો છે?" પાઉલે જવાબ આપ્યો, "હું કિલીકિયાનો વતની છું."
\v 35 ત્યારબાદ રાજ્યપાલ બોલ્યા, "જે લોકોએ તારા પર દોષ મૂક્યો છે તેઓ જ્યારે આવશે ત્યારે બન્ને પક્ષનું હું સાંભળીશ અને ત્યારબાદ હું તારો ન્યાય કરીશ." ત્યારબાદ તેણે એવી આજ્ઞા કરી કે પાઉલને મહાન રાજા હેરોદે બનાવેલ મહેલમાં ચોકી પહેરા નીચે રાખવામાં આવે.
\s5
\c 24
\p
\v 1 પાંચ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક કેટલાક યહૂદી આગેવાનો અને એક વક્તા જેનું નામ તેર્તુલુસ હતું તેને સાથે લઈને યરુશાલેમથી ત્યાં ગયો. તેઓએ રાજ્યપાલને કહ્યું કે પાઉલે જે કર્યું હતું તે તેમની સમજણ પ્રમાણે ખોટું હતું.
\v 2 રાજ્યપાલે પાઉલને અંદર લાવવાની આજ્ઞા કરી. જ્યારે પાઉલ આવ્યો ત્યારે, તેર્તુલુસે તેના પર દોષ મૂકવાની શરૂઆત કરી. તેણે રાજ્યપાલને કહ્યું, "માનનીય રાજ્યપાલ ફેલિક્સ, આપના ઘણા વર્ષોના શાસન દરમ્યાન અમે સારી રીતે જીવ્યા છીએ, તમે ડહાપણભર્યા આયોજનથી આ પ્રાંતમાં ઘણી બાબતોમાં સુધારા લાવ્યા છો.
\v 3 તેથી, રાજ્યપાલ ફેલિક્સ, તમે અમારા માટે જે કઈ કર્યું છે અને જ્યાં પણ આપે તે બાબતો કરી છે તે સર્વ માટે અમે હંમેશાં આપના આભારી રહીશું.
\s5
\v 4 પણ, હું આપનો વધારે સમય ન લેતાં, આપને વિનંતી કરું છું તે આપ સાંભળો.
\v 5 અમે નોંધ્યું છે કે, આ માણસ, જ્યાં કંઈ જાય છે ત્યાં યહૂદીઓ માટે મુસીબત ઊભી કરે છે. જેને લોકો નાઝારીના અનુયાયીઓ કહે છે તે આખા સમુદાયની આગેવાની આ માણસ કરે છે.
\v 6 તેણે યરુશાલેમના ભક્તિસ્થાનમાં પણ એવું કર્યું જેથી તે ભ્રષ્ટ થાય. તેથી અમે તેની ધરપકડ કરી.
\s5
\v 7 પણ રોમન કિલ્લાનો સરદાર લુકિયસ સૈનિકો સાથે આવ્યો અને તેને અમારી પાસેથી લઇ ગયો.
\v 8 લુકિયસે પણ પાઉલ પર દોષ મૂકનારાઓને કહ્યું કે તેઓ અહીં આવીને તમારી સમક્ષ દોષ મૂકે. જો તમે તમારી જાતે તેને પ્રશ્ન પૂછશો તો, તમને ખબર પડશે કે અમે જે બધી બાબતોમાં તેના પર દોષ મૂકીએ છીએ તે સાચું છે"
\v 9 ત્યારબાદ ત્યાં યહૂદી આગેવાનોએ રાજ્યપાલને કહ્યું કે તેર્તુલસે જે કહ્યું છે તે સાચું છે.
\s5
\v 10 ત્યાર બાદ રાજ્યપાલે પાઉલ તરફ હાથ કરી જણાવ્યું કે તેણે બોલવું જોઈએ. તેથી પાઉલે જવાબ આપ્યો, "રાજ્યપાલ ફેલીક્સ, હું જાણું છું કે તમે આ યહૂદી પ્રાંતનો ઘણા સમયથી ન્યાય કર્યો છે. તેથી હું આનંદથી મારા બચાવમાં કહું છું. હું જાણું છું કે તમે મને સાંભળશો અને યોગ્ય રીતે મારો ન્યાય કરશો.
\v 11 આપને જાણ થાય કે યરુશાલેમમાં ઈશ્વરનું ભજન કરવા ગયે મને બાર દિવસ કરતા વધારે થયા નથી.
\v 12 મને ભક્તિસ્થાનના આંગણામાં કોઈની સાથે ચર્ચા કરતો જોયો હોય એવું કોઈ કહી શકે નહિ કારણ કે મેં એવુ કર્યું નથી. કોઈ એવુ કહી શકે નહિ કે તેઓએ મને યહૂદી સભાસ્થાનમાં લોકોને હેરાન કરી તેમને ધાંધલ કરવા પ્રેર્યા છે અથવા યરુશાલેમમાં કોઇપણ જગ્યાએ, કોઇને હેરાન કર્યાં છે, કારણ કે મેં એમ કર્યું નથી.
\v 13 તેથી તેઓ હમણાં જે મારી પર દોષ મૂકી રહ્યાં છે તે આપની સમક્ષ સાબિત કરી શકે તેમ નથી.
\s5
\v 14 પણ હું આપની આગળ કબૂલ કરું છું કે આ સાચું છે: અમારા પૂર્વજોના ઈશ્વરનું હું ભજન કરું છું. એ સાચુ છે કે ઈસુએ જે માર્ગ વિષે શીખવ્યું તેને હું અનુસરું છું. મૂસાએ નિયમના પુસ્તકમાં ઈશ્વરે જે આપ્યું તે લખ્યું અને બીજા પ્રબોધકોએ તેમના પુસ્તકોમાં જે લખ્યું છે તેને પણ હું માનું છું.
\v 15 આ માણસો જે માને છે તેમ જ હું પણ માનું છું કે, જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ દરેકને ન્યાયી અને અન્યાયી બન્નેને ઈશ્વર કોઈક દિવસે, સજીવન કરશે.
\v 16 કારણ કે હું માનું છું કે તે દિવસ આવશે, હું હંમેશાં ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરું છું અને માણસોની દ્રષ્ટિમાં જે સારું છે તે કરુ છું.
\s5
\v 17 ઘણાં વર્ષો બહાર રહ્યા પછી, હું યરુશાલેમમાં પાછો ફર્યો કે જેથી મારા ગરીબ સાથી યહૂદીઓને દાન આપી શકું.
\v 18 મેં ભક્તિસ્થાનમાં ઈશ્વરનું ભજન કરવાની વિધિઓ પૂરી કરી પછી આસિયાના ઘણા યહૂદીઓએ મને ભક્તિસ્થાનના આંગણામાં જોયો. મારી સાથે કોઈ ટોળું ન હતું, અને મેં કોઈ લોકોને ધાંધલ કરવા ઉશ્કેર્યા નથી.
\v 19 પરંતુ આ એ જ યહૂદીઓ છે જેઓએ લોકોને ધાંધલ કરવા ઊશ્કેર્યા છે. જો મેં કઈ ખોટું કર્યુ છે તેમ તેઓ માનતા હોય તો, તેઓએ અહીં તમારી સમક્ષ મારા પર દોષ મૂકવો જોઈએ.
\s5
\v 20 પણ જો તેઓ એમ કરવા ચાહતા ન હોય તો, આ યહૂદી માણસો જેઓ અહીં છે તેઓએ કહેવું જોઈએ કે જ્યારે ન્યાયસભામાં હું મારો બચાવ કરી રહ્યો હતો ત્યારે મેં શું ખોટું કર્યું હતું?
\v 21 જ્યારે મેં બૂમ પાડતાં કહ્યું, 'તમે આજે મારો ન્યાય કરો છો કારણ કે ઈશ્વર દરેક લોકો જેઓ મૃત્યુ પામેલા છે તેઓને ફરી સજીવન કરશે એવું હું માનું છું.' ત્યારે મેં ખોટું કર્યું એમ કદાચ તેઓ કહી શકે.
\s5
\v 22 ઈસુના પંથ વિષે લોકો જે વાત કરતા હતા તે વિષે ફેલીક્સ જાણતો હતો, પણ તેણે પાઉલ કે બીજા યહૂદીઓને આગળ બોલવા દીધા નહિ. તેણે તેઓને કહ્યું, "જ્યારે સેનાપતિ લુકિયસ સરદાર અહીં આવશે ત્યારે, હું આ વિશે ચુકાદો આપીશ."
\v 23 ત્યારબાદ તેણે પાઉલની ચોકી કરનાર અધિકારીને પાઉલને, પાછો જેલમાં લઈ જવા અને પાઉલની બરાબર ચોકી રાખવા જણાવ્યું. તે સાથે તેણે એવું કહ્યું કે પાઉલને સાંકળથી બાંધવામાં ન આવે અને જો તેના કોઈ મિત્રો તેને મળવા આવે તો અધિકારી તેમને મળવા દે, તેઓ પાઉલને જે બાબતે મદદ કરવા ચાહે તેમાં અધિકારી તેમને પરવાનગી આપે.
\s5
\v 24 કેટલાક દિવસ પછી ફેલીક્સ તેની પત્ની દ્રુસિલા જે યહૂદી સ્ત્રી હતી તેને લઈને પાછો આવ્યો, અને પાઉલની સાથે વાત કરી શકે માટે તેને બોલાવ્યો. ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ સંબંધી પાઉલે જે વાત કહી તે ફેલીક્સે સાંભળી.
\v 25 ઈશ્વરને કેવી રીતે ખુશ કરી શકાય તે સંબંધી ઈશ્વર શું જણાવે છે તે વિષે પાઉલે વાત કરી. તેણે તે પણ સમજાવ્યું કે લોકોએ કઈ રીતે સંયમ રાખવો અને વર્તવું અને એક સમય આવશે જ્યારે ઈશ્વર બધા લોકોનો ન્યાય કરશે. તે વાતો સાંભળ્યા પછી ફેલીક્સ ગભરાયો, તેથી તેણે પાઉલને કહ્યું, "અત્યારે હું આટલું જ જાણવા માગું છું. જ્યારે મને સમય મળશે ત્યારે હું તને ફરી બોલાવીશ."
\s5
\v 26 ફેલીક્સ એવી આશા રાખી રહ્યો હતો કે પાઉલ તેને થોડા પૈસા આપે, તેથી તેણે પાઉલને વારંવાર તેની પાસે બોલાવ્યો. પાઉલે ફેલીક્સ સાથે ઘણી વખત વાત કરી, પરંતુ તેણે ફેલીક્સને નાણાં આપ્યા નહિ, અને ફેલિકસે તેના સૈનિકોને પાઉલને જેલમાંથી મુક્ત કરવાની પરવાનગી આપી નહિ.
\v 27 ફેલીક્સ યહૂદી આગેવાનોને ખુશ કરવા માગતો હતો માટે તેણે પાઉલને જેલમાં જ રાખ્યો. પણ બે વર્ષ પસાર થયા ત્યારે ફેલીક્સના સ્થાને પોર્કિયસ ફેસ્તસ રાજ્યપાલ બન્યો.
\s5
\c 25
\p
\v 1 ફેસ્તસે પોતાના પ્રાંત પર રાજ્યપાલ તરીકે કાર્ય કરવાની શરૂ આત કરી. ત્રણ દિવસ પછી, તે કાઇસારિયા શહેર છોડી યરુશાલેમ ગયો.
\v 2 ત્યારે, મુખ્ય યાજક અને બીજા યહૂદી આગેવાનો ફેસ્તસની સમક્ષ ઊભા રહ્યા અને કહ્યું કે પાઉલે જે કાર્યો કર્યાં હતાં તે ઘણા ખોટાં હતાં.
\v 3 તેઓએ તાત્કાલિક પાઉલને ચુકાદા માટે યરુશાલેમ લાવવાની ફેસ્તસને વિનંતી કરી. પરંતુ તેઓની યોજના હતી કે માર્ગમાં તેના પર હુમલો કરે અને તેની હત્યા કરે.
\s5
\v 4 ફેસ્તસે જવાબ આપ્યો, "પાઉલને કાઇસારિયામાં પહેરામાં રાખેલો છે, તેને ત્યાં રહેવા દો. હું પોતે થોડા સમયમાં કાઇસારિયા જવાનો છું."
\v 5 "તેથી," તેણે કહ્યું, "જેઓ આવી શકે છે તેઓએ, ત્યાં મારી સાથે આવવું જોઈએ. તમારે પાઉલ વિશે જે કંઈ ફરિયાદ હોય, તે ત્યાં કહી શકો છો."
\s5
\v 6 ફેસ્તસ ભક્તિસ્થાનના આગેવાનોની સાથે યરુશાલેમમાં આઠ કે દસ દિવસ વધારે રહ્યો. ત્યારબાદ તે કાઇસારિયા શહેરમાં પાછો ફર્યો. બીજે દિવસે ફેસ્તસે આજ્ઞા કરી કે જ્યાં તે ન્યાયાધીશની ખુરશી પર બેઠો હતો, ત્યાં પાઉલને લાવવામાં આવે.
\v 7 પાઉલને ન્યાયાધીશની સામે લાવવામાં આવ્યો પછી, જે યહૂદી આગેવાનો યરુશાલેમથી આવ્યા હતા તેઓ તેની આસપાસ ભેગા થઈને તેના પર ગંભીર દોષ મૂકવા લાગ્યા, પણ તેઓ તેમાંનો એકપણ સાબિત કરવા માટે સમર્થ ન હતા.
\v 8 ત્યારબાદ પાઉલે પોતાના બચાવમાં કહ્યું, "મેં યહૂદી નિયમો વિરુદ્ધ, અથવા ભક્તિસ્થાન વિરુદ્ધ, અથવા રાજા વિરુદ્ધ કઈ ગુનો કર્યો નથી."
\s5
\v 9 પણ યહૂદી આગેવાનોને ખુશ કરવાના હેતુથી ફેસ્તસે પાઉલને પૂછ્યું," શું તું યરુશાલેમ જવા ચાહે છે કે જેથી આ બાબતો વિશે ત્યાં હું તારો ન્યાય કરું?"
\v 10 પાઉલે જવાબ આપ્યો, "ના, જે રાજાનું પ્રતિનિધિત્વ તમે કરો છો તેની સમક્ષ હું ઊભો છું. મારો ન્યાય અહીં જ થવો જોઈએ. જેમ તમે જાણો છો તેમ, મેં યહૂદી લોકોનું કંઈ ભૂંડું કર્યું નથી.
\s5
\v 11 જો મરણદંડને યોગ્ય મેં કઈ ગુનો કર્યો હોત તો, હું મરણદંડનો અસ્વીકાર ન કરત; પરંતુ તેઓ જે દોષ મારા પર મૂકે છે કે જે સજા વિશે જણાવે છે તેવુ મેં કંઈ કર્યું નથી. તેઓના સંતોષ માટે કોઈ મારો તિરસ્કાર કરી શકે નહિ. મેં કાઈસારની પાસે દાદ માંગી છે."
\v 12 ફેસ્તુસ તેના સલાહકારો સાથે ચર્ચા કર્યાં પછી, બોલ્યો, "તેં કાઈસારની સમક્ષ દાદ માગી છે, અને તેથી તારે કાઈસાર પાસે જવું પડશે!"
\s5
\v 13 તે થોડા દિવસ પછી, હેરોદ આગ્રીપા રાજા તેની બહેન બેરનિકે સાથે, કાઈસારિયા આવ્યો. તેઓ ફેસ્તસ પ્રત્યે માન દર્શાવવા ત્યાં આવ્યા.
\v 14 આગ્રીપા રાજા અને બેરનિકે ઘણા દિવસ સુધી કાઈસારિયા રહ્યાં. થોડો સમય વીત્યા પછી, ફેસ્તસે પાઉલ વિશે આગ્રીપાને જણાવ્યું. તેણે કહ્યું, "અહીં એક માણસને ફેલીક્સે જેલમાં રાખ્યો છે."
\v 15 જ્યારે હું યરુશાલેમ આવ્યો હતો ત્યારે, પ્રમુખ યાજક અને યહૂદી આગેવાનોએ મારી પાસે આવીને તેને મરણદંડ આપવાનું મને કહ્યું હતું.
\v 16 પણ મેં તેઓને કહ્યું કે જ્યારે કોઈને કોઈક ગંભીર ગુના માટે દોષિત ઠરાવવામાં આવે તો, તે વ્યક્તિને તરત જ સજા આપવાનો રિવાજ રોમનોમાં નથી. તેના બદલે અમે તે માણસને તેના ફરિયાદીની સામે ઊભો કરીએ છીએ અને તેઓએ તેના વિશે જે કહ્યું છે તેના બચાવમાં તેને બોલવાની પરવાનગી આપીએ છીએ.
\s5
\v 17 તેથી જ્યારે તે યહૂદીઓ કાઈસારિયા આવ્યા ત્યારે, મેં ચુકાદો આપવામાં જરા પણ વિલંબ કર્યો નહિ. તેઓ આવ્યાને બીજે દિવસે, હું ન્યાય કરવા બેઠો અને મેં ચોકીદારોને કહ્યું કે કેદીને લાવવામાં આવે.
\v 18 પરંતુ યહૂદી આગેવાનોએ જ્યારે મને કેદીએ જે ખોટું કર્યું હતું તે જણાવ્યું ત્યારે મને એવું ન લાગ્યું કે તેઓ જે કહે છે તે ગંભીર બાબત છે.
\v 19 તેના બદલે, તેઓ જે બાબત વિશે તેની સાથે વિવાદ કરતા હતા તે તેઓના પોતાના ધર્મ વિશે અને એક માણસ જેનું નામ ઈસુ હતુ જે મૃત્યુ પામ્યા હતા, પણ પાઉલના જણાવ્યા પ્રમાણે તે જીવિત છે તેના વિશે હતી.
\v 20 હું તે બાબતો સમજયો નહિ, અથવા સત્ય કઈ રીતે શોધવું તે જાણતો નથી. તેથી મેં પાઉલને પૂછ્યું, "શું તું યરુશાલેમ જવા ચાહે છે, જેથી હું આ બાબતો વિશે તારો ત્યાં ન્યાય કરી શકું?"
\s5
\v 21 પરંતુ પાઉલે તેની જાતે આ સંદર્ભમાં કાઈસારની દાદ માગી છે, તેથી હું તેને જ્યાં સુધી કાઈસારની પાસે મોકલી દઉં ત્યાં સુધી પહેરામાં રાખવાનો હુકમ કર્યો છે."
\v 22 પછી આગ્રીપાએ ફેસ્તસને કહ્યું, "હું પણ તે માણસ શુ કહે છે તે સાંભળવા ઉત્સુક છું." ફેસ્તુસે જવાબ આપ્યો, "હું કાલે તમારે માટે તેને સાંભળવાની વ્યવસ્થા કરી આપીશ."
\s5
\v 23 બીજે દિવસે આગ્રીપા અને બેરનીકે ન્યાયસભામાં પ્રવેશ્યા અને બીજા લોકો તેમને માન આપી રહ્યા હતા. થોડા રોમન સેનાપતિઓ અને કાઇસારિયાના માનવંત માણસો પણ તેમની સાથે હતા. ત્યાર બાદ ફેસ્તસે ચોકીદારને આજ્ઞા કરી કે પાઉલને અંદર લાવવામાં આવે.
\v 24 પાઉલ અંદર આવ્યો પછી, ફેસ્તસે કહ્યું, "આગ્રીપા રાજા અને બીજા અહીં ઉપસ્થિત તમામ લોકો, તમે આ માણસને જુઓ છો!" યરુશાલેમના અને અહીંના ઘણા યહૂદી આગેવાનો, મને એવું કહે છે કે તે હવે પછી જીવતો રહેવો જોઈએ નહિ.
\s5
\v 25 પણ તેને મૃત્યુદંડ મળે તેવો કોઈ ગુનો મને તેનામાં માલૂમ પડ્યો નથી. અને તેણે આ બાબતે કાઈસારની પાસે દાદ માંગી છે તેથી મેં તેને રોમ મોકલવાનું નક્કી કર્યું છે.
\v 26 પરંતુ સમ્રાટને શી હકીકત લખી મોકલવી તેની મને સમજણ પડતી નથી તેથી કરીને આજે મેં તેને તમારી સમક્ષ અને ખાસ કરીને આગ્રીપા રાજા તમારી સમક્ષ બોલાવ્યો છે! તમે તેને પ્રશ્ન પૂછી શકો તેથી મેં આમ કર્યું છે. ત્યારબાદ હું જાણી શકું કે મારે સમ્રાટને શું લખવું.
\v 27 લોકોના કહેવા અનુસાર તેણે કયો ગુનો કર્યો છે તે ચોક્કસ રીતે લખ્યા વગર સમ્રાટ પાસે કોઈ કેદીને મોકલવો તે ગેરવાજબી છે એવું મને લાગે છે.
\s5
\c 26
\p
\v 1 ત્યારબાદ આગ્રીપાએ પાઉલને કહ્યું, "હવે અમે તને તારા હકમાં બોલવાની પરવાનગી આપીએ છીએ." ત્યારે પાઉલે પોતાના હાથને ઉઠાવીને એવુ દર્શાવ્યું કે તે બોલવા જઈ રહ્યો છે, તેણે કહ્યું,
\v 2 "આગ્રીપા રાજા, હું આજે મારી જાતને આશીર્વાદિત ગણું છું કે હું આપને સમજાવી શકીશ કે જ્યારે યહૂદી આગેવાનો કહે છે કે મેં દુષ્ટ બાબતો કરી છે, ત્યારે તેઓ કેમ ખોટા છે.
\v 3 હું ખરેખર આશીર્વાદિત છું કારણ કે તમે અમારા યહૂદી રીતરિવાજો અને જે વિશે અમે વાદવિવાદ કરીએ છીએ તે વિષે જાણો છો. તેથી હું તમને વિનંતી કરું છું કે તમે મને ધીરજથી સાંભળો."
\s5
\v 4 "હું બાળક હતો ત્યારથી મેં કેવું જીવન વિતાવ્યું છે તે વિષે મારા બધા સાથી યહૂદીઓ જાણે છે. તેઓ જાણે છે કે જ્યાં મારો જન્મ થયો હતો તે શહેરમાં અને ત્યાર બાદ યરુશાલેમમાં હું કઈ રીતે જીવ્યો છું.
\v 5 તેઓ મને શરૂઆતથી જાણે છે, અને જો તેઓ ઇચ્છે તો, તેઓ આપને કહી શકશે, કે જ્યારે હું જુવાન હતો ત્યારથી મેં રૂઢિચુસ્ત ધાર્મિક રિવાજોને ખૂબ કાળજીપૂર્વક પાળ્યા છે. બીજા ફરોશીઓની જેમ જ હું જીવ્યો છું.
\s5
\v 6 આજે મારી તપાસ થઈ રહી છે, કારણ કે હું વિશ્વાસપૂર્વક અપેક્ષા રાખું છું કે ઈશ્વરે અમારા પૂર્વજોને જે વચન આપ્યું હતું તે પૂર્ણ કરશે.
\v 7 અમારાં બાર યહૂદી કુળો પણ આતુરતાથી રાહ જુએ છે કે ઈશ્વરે અમને જે વચન આપ્યું છે તે તેઓ પૂર્ણ કરશે, કેમકે તેઓ તેમને માન આપે છે અને દિવસ રાત તેમનું ભજન કરે છે. માનનીય રાજા, હું વિશ્વાસસહિત અપેક્ષા રાખું છું કે ઈશ્વરે જે વચન આપ્યું છે તે પૂર્ણ કરશે અને તેઓ પણ તેમ માને છે! અને તેથી જ મેં ખોટું કર્યું છે એવું જે તેઓ કહે છે તે સંબંધી ઈશ્વર તેમ કરે એવુ હું ઇચ્છું છું.
\v 8 તમે શા માટે એવુ વિચારો છો કે ઈશ્વર કોઈ મૃત્યુ પામેલાને સજીવન કરી ન શકે?
\s5
\v 9 ભૂતકાળમાં એક સમય હતો જ્યારે હું, પણ ખાતરીપૂર્વક માનતો હતો કે, ઈસુ જે નાસરેથ નગરના હતા તેમના પર વિશ્વાસ કરતા લોકોને અટકાવવા મારે થાય તે બધું જ કરવું જોઈએ.
\v 10 તેથી જ્યારે હું યરુશાલેમમાં રહેતો હતો ત્યારે મેં એમ જ કર્યું. મુખ્ય યાજકો મને જે સત્તા આપી હતી તે પ્રમાણે મેં એ ઘણા વિશ્વાસીઓને જેલમાં પૂર્યા હતા. અને જ્યારે લોકો વિશ્વાસીઓને મારી નાખતા હતા, ત્યારે હું તેઓની તરફેણમાં હતો.
\v 11 દરેક સભાસ્થાનોમાં જ્યાં જે યહૂદીઓ મને મળ્યા તેઓને મેં શિક્ષા કરી. હું મારા પૂર્ણ ગુસ્સામાં તેઓને દબાણ કરતો કે, તેઓ ઈશ્વરનું અપમાન કરે કે જેથી તેઓને મૃત્યુ દંડ આપી શકાય. હું પરદેશના શહેરમાં પણ તેઓને શોધવા ગયો હતો કે જેથી હું મારા સંપૂર્ણ અધિકારથી તેઓને અટકાવી શકું.
\s5
\v 12 "મુખ્ય યાજકોએ મને દમસ્કસમાંથી વિશ્વાસીઓની ધરપકડ કરવાની સત્તા આપી હતી અને તેથી હું ત્યાં ગયો હતો. પરંતુ જ્યારે હું મારા માર્ગમાં હતો,
\v 13 ત્યારે આશરે બપોરે મેં આકાશમાં તેજસ્વી પ્રકાશ જોયો. તે સૂર્ય કરતાં પણ વધારે પ્રકાશિત હતો! તે પ્રકાશ મારી અને મારી સાથે મુસાફરી કરી રહેલા સર્વની આસપાસ પ્રકાશિત થયો.
\v 14 અને અમે બધા જમીન પર પડી ગયા. પછી કોઈક વાણી મારી સાથે હિબ્રૂ ભાષામાં વાત કરતી મેં સાંભળી. તેણે કહ્યું, 'શાઉલ, શાઉલ, તુ મને કેમ સતાવે છે? આરને લાત મારવી અઘરી છે.'
\s5
\v 15 પછી મેં કહ્યું, 'પ્રભુ, તમે કોણ છો?' તેમણે કહ્યું, 'હું ઈસુ છું! જેની વિરુદ્ધ તું લડી રહ્યો છે.'
\v 16 પણ ઊઠ, અને તારા પગ પર ઊભો રહે! તને મારો સેવક બનાવવા માટે અને અત્યારે તેં જે જોયું છે તે, અને તું મારા વિષે જે જાણે છે તેમ જ હવે પછી હું તને જે બતાવીશ, તે બન્ને વિષે સાક્ષી બનવા માટે મેં તને દર્શન આપ્યું છે.
\v 17 હું લોકોથી અને જે બિનયહૂદી લોકો મધ્યે હું તને મોકલીશ તેઓથી તારું રક્ષણ કરીશ,
\v 18 કે જેથી તું તેઓની આંખો ઉઘાડે, જેથી તેઓ અંધકારમાંથી પ્રકાશમાં આવે, અને તેઓ ઈશ્વરના શત્રુના અધિકારથી છૂટા થાય. આ રીતે ઈશ્વર તેઓના પાપ માફ કરશે અને જે વસ્તુઓ હંમેશ માટે મારા લોકની છે તે તેઓને પ્રાપ્ત થશે.
\s5
\v 19 તેથી રાજા આગ્રીપા , ઈશ્વરે મને દર્શનમાં જે કહ્યું તે મેં કર્યું.
\v 20 પ્રથમ, મેં દમસ્કસમાંના યહૂદીઓને અને જેઓ યરુશાલેમમાં હતા તેઓને જણાવ્યું, અને પછી યહૂદિયાની દરેક જગ્યાએ, અને ત્યાંના બિનયહૂદીઓને જણાવ્યું. મેં તેઓને કહ્યું કે તેઓએ પાપથી પાછા ફરવા ઈશ્વરની પાસે મદદ લેવી જોઈએ. મેં તેમને એ પણ જણાવ્યું કે તેઓએ એવાં કાર્યો કરવાં જોઈએ કે જે એવું દર્શાવે કે તેઓ પાપથી પાછા ફર્યા છે.
\v 21 મેં આ સુવાર્તાનો ઉપદેશ આપ્યો, જેના કારણે યહૂદીઓએ મને ભક્તિસ્થાનના આંગણામાં પકડ્યો અને મને મારી નાખવાની કોશિષ કરી.
\s5
\v 22 તેમ છતાં, ઈશ્વર મને મદદ કરી રહ્યા છે, તેથી આજ દિવસ સુધી હું તે બાબતો પ્રગટ કરી રહ્યો છું. પ્રબોધકો અને મૂસાએ જે બનશે તે જણાવ્યું છે અને તે મેં સાધારણ તેમ જ ખાસ લોકોને બન્નેને કહેવાનું ચાલુ રાખ્યું છે.
\v 23 તેમણે કહ્યું હતું કે ખ્રિસ્ત સહન કરશે અને મરણ પામશે, કે જેથી તેઓ મૃત્યુમાંથી પાછા ઊઠનાર થાય. તેઓએ એમ પણ કહ્યું હતું કે તે તેના પોતાના લોકોને અને બિનયહૂદીઓને એ બન્નેને પ્રગટ કરશે, કે ઈશ્વર ખરેખર તેઓને બચાવવાને સમર્થ છે."
\s5
\v 24 પાઉલ બીજું વધારે બોલે, તે પહેલાં ફેસ્તસે જોરથી બૂમ પાડી, ''પાઉલ, તુ ગાંડો છે! તેં ઘણો અભ્યાસ કર્યો છે અને તેથી તું ગાંડો થઈ ગયો છે!''
\v 25 પણ પાઉલે જવાબ આપ્યો, 'નેક નામદાર ફેસ્તસ, હું ગાંડો નથી! પણ તેથી ઊલટું, હું જે કહું છું તે સાચું અને ડહાપણ ભરેલું છે!
\v 26 હું જે કહું છું તે આગ્રીપા રાજા જાણે છે, અને હું છૂટથી તેમની સાથે એ બધાની વાત કરી શકું છું. હું ચોક્કસ રીતે માનું છું કે આમાંની કોઈ પણ વાત તેમના ધ્યાનમાં ન આવી હોય એવું બની શકે નહી, કેમ કે કોઈ પણ વાત ગુપ્તમાં બની નથી.''
\s5
\v 27 "રાજા આગ્રીપા, શું તમે પ્રબોધકોએ જે લખ્યું છે તેમાં વિશ્વાસ કરો છો? હું જાણું છું કે તમે એ બધા પર વિશ્વાસ કરો છો."
\v 28 પછી આગ્રીપાએ પાઉલને જવાબ આપ્યો, "આટલા ટૂંકા સમયમાં તેં મને ખ્રિસ્તી બનવા સમજાવવા પ્રયત્ન કર્યો છે!"
\v 29 પાઉલે જવાબ આપ્યો, "થોડો સમય કે લાંબો સમય હોય એ મહત્વનું નથી. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમે અને બીજા બધા જેઓ આજે મને સાંભળી રહ્યા છે તેઓ, સાંકળો સિવાય મારા જેવા થાય!"
\s5
\v 30 ત્યારબાદ રાજા ઊભો થયો. રાજ્યપાલ, બેરનીકે અને બીજા બધા ઊભા થયા
\v 31 અને ઓરડામાંથી બહાર ગયા. તે પછી, તેઓએ એકબીજાને કહ્યું, "આ માણસે દેહાતદંડ કે સાંકળોને યોગ્ય એવું કશું કર્યું નથી."
\v 32 આગ્રીપાએ ફેસ્તસને કહ્યું, "જો તેણે સમ્રાટની પાસે દાદ માગી ન હોત, તો તે છૂટો થઇ શક્યો હોત."
\s5
\c 27
\p
\v 1 જ્યારે રાજ્યપાલે નક્કી કર્યું કે અમારે ઇટાલી જવું જોઈએ ત્યારે તેણે પાઉલ અને કેટલાક કેદીઓને, જુલિયસ નામે લશ્કરના સેનાપતિના નિયંત્રણ નીચે મૂક્યા. તે સો સૈનિકોના ઉપરી તરીકેનો દરજ્જો ધરાવતો હતો અને ઘણા સૈનિકો કે જેઓ સીધા સમ્રાટના અધિકાર નીચે હતા તેઓમાંનો એક હતો.
\v 2 અમે આસિયાના આદ્રમુત્તિયાના બંદરેથી વહાણમાં બેઠા. વહાણ આસિયાના સમુદ્ર કાંઠાના સ્થળોએ થઈને જવાનું હતું. આમ અમે સમુદ્ર માર્ગે નીકળ્યા. મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરીસ્તાર્ખસ, અમારી સાથે હતો.
\s5
\v 3 બીજા દિવસે અમે સિદોન આવી પહોંચ્યા. જુલિયસ પાઉલ સાથે માયાળુપણે વર્ત્યો, અને તેના મિત્રો કે જેઓ તેની કાળજી રાખતા હતા તેઓને મળવાની પરવાનગી આપી.
\v 4 ત્યારબાદ વહાણ ત્યાંથી ઊપડ્યું. અમે સાયપ્રસને કિનારે કિનારે ગયાં કે જેથી વિરુદ્ધ દિશામાંથી ફૂંકાતો પવન અમને અટકાવે નહિ.
\v 5 ત્યારબાદ, અમે કિલીકિયા અને પામ્ફૂલિયાના સમુદ્ર પાસેના કિનારાને પાર કર્યો. વહાણ મૂરા બંદરે આવી પહોચ્યું જે લૂકિયા પ્રાંતમાં છે. ત્યાં અમે વહાણમાંથી ઉતર્યા.
\v 6 મૂરામાં, જુલીયસને આલેકસાન્દ્રિયાથી આવેલું વહાણ મળ્યું અને તરત ઇટાલી જવાનુ હતું. તેથી તેણે એવી વ્યવસ્થા કરી કે અમે તે વહાણમાં બેસી શકીએ, અને અમે નીકળ્યા.
\s5
\v 7 અમે ઘણા દિવસો સુધી ધીમે ધીમે આગળ વધ્યા અને ક્નીદસની નજીક પહોંચ્યા, પણ અમને ત્યાં પહોંચતા ઘણી તકલીફ પડી, કેમકે પવન સામો હતો. ત્યારબાદ, પવન એટલો ભારે હતો કે વહાણ પશ્ચિમ તરફ સીધું જઈ શકયું નહિ. તેથી અમે ક્રિતના દરિયા કાંઠેથી હંકારી ગયાં ત્યાં પવન ભારે નહતો, અને અમે સાલ્મોનથી પસાર થયા, જે જમીનનો એક નાનો ભાગ હતો જે પાણીમાંથી બહાર દેખાતો હતો.
\v 8 પવન હજુ ભારે હતો, અને તેથી વહાણ ઝડપથી આગળ વધી શકતું ન હતું. તેથી અમે ક્રીતના દરિયા કિનારા પાસેથી ધીરે ધીરે પસાર થયા, અને અમે લાસિયા નગરની નજીક સુંદર નામના બંદરે આવી પહોંચ્યા.
\s5
\v 9 ઘણો સમય પસાર થઇ ગયો હતો, અને હવે હંકારવું ખતરારૂપ હતું, કારણ કે યહૂદી ઉપવાસનો સમય પૂરો થઈ ગયો હતો અને દરિયો વધારે તોફાની બને તેમ હતું. તેથી પાઉલે વહાણના માણસોને કહ્યું,
\v 10 "ભાઈઓ, જો આપણે અત્યારે હંકારીશું તો આપણને વધારે ઈજા અને નુકસાન થવાની શક્યતાઓ છે, કેવળ સામાનને જ નહિ પરંતુ આપણા જીવનોને પણ."
\v 11 પણ રોમન સૂબેદારે પાઉલની વાત માની નહીં. તેના બદલે, તેણે કપ્તાન અને વહાણના માલિકનું સાંભળ્યું અને તેણે તેઓએ જે સલાહ આપી તેમ કરવાનું નક્કી કર્યું.
\s5
\v 12 શિયાળા દરમ્યાન રહેવા માટે એ બંદર યોગ્ય ન હતું, તેથી મોટા ભાગના ખલાસીઓએ સમુદ્રમાં આગળ વધવાની સલાહ આપી. તેઓએ એવુ વિચાર્યું કે તેઓ ફેનિકસ પહોંચી જશે અને શિયાળો ત્યાં વિતાવશે. ફેનિકસ એ ક્રીતનું એક નગર છે. આ જગ્યાએ ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ, બંને દિશાથી પવન ફૂંકાય છે.
\v 13 દક્ષિણથી મંદ પવન ફૂંકાઈ રહ્યો હોવાના કારણે, વહાણના ખલાસીઓએ વિચાર્યું કે તેઓ તેમની ઇચ્છા મુજબ મુસાફરી કરી શકશે. તેથી તેમણે વહાણનું લંગર દરિયામાંથી ઉપાડ્યું, અને વહાણ ક્રીત ટાપુના દરિયા કાંઠાની નજીક ચાલવા લાગ્યું.
\s5
\v 14 જો કે, થોડી વારમાં કિનારા તરફથી તોફાની પવન ફૂંકાવા લાગ્યો અને તે પવનનું નામ યુરાકુલોન "ઉત્તર-પૂર્વનો પવન" હતું.
\v 15 તે વહાણની સામે જબરદસ્ત રીતે ફૂંકાયો અને અમે તેની સામે હંકારી ન શક્યા. તેથી ખલાસીઓએ તેને પવનની દિશામાં ઘસડાવા દીધું.
\v 16 તેથી વહાણ કૌદા નામના નાના ટાપુ તરફ તણાયું. અમે મહામહેનતથી, જીવનરક્ષક હોડીને વહાણ સાથે બાંધી રાખી.
\s5
\v 17-18 હોડીને ઉપર લીધા પછી, ખલાસીઓએ સઢના દોરડાને વધારે મજબૂત કર્યાં. તેમણે વહાણની નીચે દોરડા બાંધ્યાં, જેથી વહાણ મજબૂત બને. ખલાસીઓને ડર હતો કે વહાણ સુર્તિસ આગળ રેતીમાં ફસાઈ જશે, જેથી તેઓએ વહાણના લંગરને દરિયામાં ઊંડું ઉતાર્યું અને તેથી વહાણ પવનની સાથે તણાવા લાગ્યું, અને પવન તથા મોજાએ વહાણને હચમચાવી મુક્યું, તેથી બીજા દિવસે ખલાસીઓ સામાનને પાણીમાં નાખવા લાગ્યા.
\s5
\v 19 તોફાનના ત્રીજા દિવસે, વહાણ હલકું કરવા ખલાસીઓએ લગભગ બધો સામાન જેવો કે સઢ, દોરડાં અને વાંસ સમુદ્રમાં નાખી દીધો. તેમણે પોતાના હાથે તે કર્યું.
\v 20 ઘણા દિવસો સુધી તોફાની પવન ફૂંકાતો રહ્યો, અને આકાશ દિવસ અને રાત સંપૂર્ણ કાળા વાદળોથી આચ્છાદિત રહેતું હતું. જેથી અમે સૂર્ય કે તારાને જોઈ શકતા ન હતા. અમે જીવવાની આશા ગુમાવી દીધી હતી.
\s5
\v 21 વહાણમાં કોઈએ ઘણા દિવસો સુધી કઈ પણ ખાધું ન હતું. પછી એક દિવસ, પાઉલે અમારી સમક્ષ ઊભા થઈને કહ્યું, "મિત્રો જ્યારે મેં ક્રીતથી આગળ વધવા માટે મના કરી ત્યારે, તમારે મારું સાંભળવું જોઈતું હતું.
\v 22 પણ હવે હું, તમને, વિનંતી કરું છું કે ગભરાશો નહિ, કેમકે આપણામાંનો કોઈ મરવાનો નથી. તોફાન ફક્ત વહાણને જ નુકસાન કરશે અને આપણને નહીં.
\s5
\v 23 હું આ જાણું છું, કેમ કે ગઈ રાત્રે જે ઈશ્વરનો હું છું, અને જેમનું ભજન હું કરું છું તેમણે તેમના દૂતને મારી પાસે મોકલ્યો અને તે મારી પાસે ઊભો રહ્યો.
\v 24 દૂતે મને કહ્યું, "પાઉલ તું ગભરાઈશ નહિ! તારે રોમમાં સમ્રાટ સામે હાજર થવું પડશે, કે જેથી તે તારો ન્યાય કરે. તારે એ જાણવું કે તારી સાથે સફર કરનારા પ્રવાસીઓની જિંદગી પણ ઈશ્વરે તારી ખાતર બચાવી છે."
\v 25 તેથી, મારા મિત્રો, ખુશ થાઓ, કારણ કે હું માનું છું કે જેવું દૂતે મને કહ્યું છે તે પ્રમાણે જ ઈશ્વર થવા દેશે.'
\v 26 જો કે, આપણું વહાણ કોઈ એક ટાપુ સાથે અથડાઈને ભાંગી જશે, અને આપણે કિનારે પહોંચી જઈશું"
\s5
\v 27 તોફાન શરૂ થયાને ચૌદમી રાતે, વહાણ હજુ આદ્રિયા સમુદ્રમાં આમતેમ ઘસડાતુ હતુ ત્યારે, લગભગ મધ્ય રાત્રિએ ખલાસીઓને લાગ્યું કે તેઓ કોઈ એક ટાપુ પાસે આવી પહોંચ્યા છે.
\v 28 પાણી કેટલું ઊંડું છે તે જાણવા તેઓએ પાણી માપવાની દોરી નાખી. જ્યારે તેઓએ માપ્યું ત્યારે પાણી સપાટીથી ચાળીસ મીટર ઊંડું હતું, થોડે આગળ જઈને તેઓએ માપ્યું, તો પાણી ત્રીસ મીટર ઊંડું જણાયું.
\v 29 તેમને ડર લાગ્યો કે વહાણ કદાચ ખડક સાથે અથડાશે તેથી તેઓએ ચાર લંગર વહાણમાંથી ઉતાર્યા. પછી તેઓએ પ્રાર્થના કરી કે પરોઢ જલદી થાય કે જેથી તેઓ જાણી શકે કે વહાણ ક્યાં જઈ રહ્યું છે.
\s5
\v 30 કેટલાક ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતા હતા અને તેઓ લંગર નાખતા હોય તેઓ ડોળ કરીને, તેઓએ જીવનરક્ષક હોડી સમુદ્રમાં ઉતારી. લોકોને તેઓની યોજનાની ખબર પડે નહીં, તે માટે તેઓ ઢોંગ કરતા હતા કે તેઓ વહાણના આગળના ભાગથી કેટલાક લંગર નીચે લાવવા માગે છે.
\v 31 પણ પાઉલે લશ્કરના કપ્તાન અને સૈનિકોને કહ્યું કે, "જો આ ખલાસીઓ વહાણમાં નહિ રહે, તો તમને જીવતા રહેવાની કોઈ આશા નથી."
\v 32 તેથી સૈનિકોએ હોડીનાં દોરડાં કાપી નાખ્યાં અને હોડીને સમુદ્રમાં તણાઈ જવા દીધી.
\s5
\v 33 જ્યારે સવાર થવાની તૈયારી હતી, ત્યારે પાઉલે તેઓને ખોરાક લેવાની વિનંતી કરી. તેણે કહ્યું, "છેલ્લા ચૌદ દિવસથી તમે રાહ જોઇને કંઈપણ ખાધું નથી.
\v 34 તેથી હું તમને વિનંતી કરું છું કે કંઈક ખોરાક લો. તમારે જીવવા માટે તે જરૂરી છે, તમારા માથાનો એક પણ વાળ ખરવાનો નથી."
\v 35 પાઉલે આમ કહ્યા પછી, સર્વના દેખતા, તેણે રોટલી લીધી અને તે માટે ઈશ્વરનો આભાર માન્યો. પછી તેણે રોટલી તોડી અને તેમાંથી થોડી ખાધી.
\s5
\v 36 પછી તેઓ બધામાં હિંમત આવી અને તેઓએ પણ ખોરાક લીધો.
\v 37 બધા મળીને વહાણમાં અમે બસો છોંતેર લોકો હતા.
\v 38 જ્યારે તેઓએ પૂરતો ખોરાક ખાઈ લીધો, ત્યારે તેઓએ બાકી રહેલા ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું.
\s5
\v 39 જ્યારે સવાર પડી ત્યારે, અમે જમીન જોઈ, પણ ખલાસીઓને ખબર ન પડી કે અમે ક્યાં છીએ. છતાં પણ, તેઓ રેતીના વિશાળ કાંઠાવાળી એક ખાડી વિસ્તારને જોઈ શક્યા. તેઓએ નિર્ણય કર્યો કે તેઓ વહાણને કિનારા સુધી લઈ જાય.
\v 40 તેથી તેઓએ લંગરોને નાખ્યાં અને તેમને સમુદ્રમાં જવા દીધાં. આ સમયે, તેઓએ સુકાન સાથે બાંધેલાં દોરડાં ઢીલા કર્યાં અને પવનની દિશામાં સઢ ચઢાવ્યું જેથી તેઓ કિનારા સુધી પહોંચી શકે.
\v 41 પણ વહાણ તોફાની પાણીમાં ફસાઈ ગયું હતું અને મોજા નીચે રેતીમાં જતું રહ્યું. વહાણનો આગળનો ભાગ એવી રીતે ખૂંપી ગયો કે જેથી તે હલી શકે નહિ અને વહાણનો પાછળનો ભાગ મોજાના ભયંકર મારના કારણે તૂટવા લાગ્યો.
\s5
\v 42 સૈનિકોની એવી યોજના હતી કે તેઓ કેદીઓને મારી નાખે કે જેથી તેઓમાનો કોઈ તરીને ભાગી ન જાય.
\v 43 પણ લશ્કરનો કપ્તાન પાઉલને બચાવવાની ઇચ્છા રાખતો હતો, તેથી તેણે એમ કરતા સૈનિકોને અટકાવ્યા, અને તેણે આજ્ઞા કરી કે જેઓને તરતાં આવડતું હોય તેઓએ તરીને કિનારે જવું.
\v 44 પછી તેણે બીજા બધા માણસોને, વહાણના પાટિયાને, અને કેટલાકને વહાણના બીજા સામાનને સહારે કિનારે પહોંચવા જણાવ્યું. અમે તેના કહેવા પ્રમાણે કર્યું અને એમ અમે બધા સહીસલામત કિનારે પહોંચ્યા.
\s5
\c 28
\p
\v 1 અમે સહીસલામત કિનારે આવી પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે તે ટાપુ માલ્ટા તરીકે ઓળખાતો હતો.
\v 2 ત્યાંના રહેવાસીઓએ અસાધારણ રીતે અમારી પરોણાગત કરી. તેઓએ તાપણું સળગાવ્યું અને અમને તાપવા માટે આમંત્રણ આપ્યું. કેમ કે તે વખતે વરસાદ વરસી રહ્યો હતો અને ઠંડી પણ હતી.
\s5
\v 3 જ્યારે પાઉલે થોડાં લાકડાં એકઠાં કરી અને તેને તાપણામાં નાખ્યાં ત્યારે એક ઝેરી સાપ ગરમીથી બચવા બહાર નીકળી આવ્યો અને પાઉલના હાથે વીંટળાઈને વળગી રહ્યો.
\v 4 તે ટાપુના રહેવાસીઓ પાઉલના હાથે તે સાપને વળગેલો જોઇને એકબીજાને કહેવા લાગ્યા, "કદાચ આ માણસે કોઈની હત્યા કરી છે. જો કે તે સમુદ્રમાંથી ડૂબતો બચી ગયો છે પણ ઈશ્વરનો ન્યાય તેને મારી નાખશે."
\s5
\v 5 પણ પાઉલે તેના હાથ પરથી સાપને તાપણામાં ખંખેરી નાખ્યો, અને તેને કઈ થયું નહિ.
\v 6 લોકો એવું ધારતા હતા કે પાઉલનું શરીર હમણાં તાવથી સૂજી જશે અથવા તે એકદમ પડી જશે અને મરી જશે. પણ લાંબા સમય સુધી રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કંઈ થયું નથી. તેથી તેઓ વિચાર બદલીને એકબીજાને કહેવા લાગ્યા, "આ માણસ હત્યારો નથી! તે કોઈ દેવ છે!"
\s5
\v 7 હવે જ્યાં તેઓ હતા તે નજીક, થોડાં ખેતરો હતાં જે પબ્લિયુસ નામે માણસનાં હતાં. એ ટાપુનો તે મુખ્ય અધિકારી હતો. તેણે અમને તેના ઘરે આવીને રહેવા માટે આમંત્રણ આપ્યું. તેણે ત્રણ દિવસ સુધી અમારી સારી દેખભાળ કરી.
\v 8 તે સમયે પબ્લિયુસના પિતાને તાવ હતો અને મરડો થયો હતો અને તે પથારીમાં સૂઈ રહ્યો હતો. તેથી પાઉલે તેની મુલાકાત લીધી અને તેના માટે પ્રાર્થના કરી. પછી પાઉલે પોતાના હાથ તેના પર મૂક્યા અને તેને સાજો કર્યો.
\v 9 પાઉલે આમ કર્યા પછી, ટાપુના બીજા બધા લોકો જેઓ બીમાર હતા તેઓ તેની પાસે આવ્યા, અને તેણે તેઓને પણ, સાજાં કર્યાં.
\v 10 તેઓ અમારી પાસે ભેટો લાવ્યા અને બીજી બધી રીતે એવુ દર્શાવ્યું કે તેઓ અમને ખૂબ માન આપતા હતા. ત્રણ મહિના પછી જ્યારે અમે જવા તૈયાર થયા ત્યારે તેઓ અમારા માટે ખોરાક અને વહાણમાં અમને જેની જરૂર પડે તેવી વસ્તુઓ લાવ્યા.
\s5
\v 11 અમે ત્યાં ત્રણ મહિના રહ્યા પછી, એલેકસાન્દ્રિયાથી આવેલું વહાણ કે જે ઇટાલી જઈ રહ્યું હતું તેમાં અમે બેઠા અને મુસાફરી ચાલુ કરી. તે વહાણના આગળના ભાગમાં જોડિયા દેવોની મૂર્તિ કોતરેલી હતી કે તેઓના નામ કેસ્ટોર અને પોલાક્ષ હતાં.
\v 12 જ્યારે અમે સિરાકુસ શહેરમાં પહોંચ્યા ત્યારે, અમે ત્યાં ત્રણ દિવસ રહ્યા.
\s5
\v 13 પછી અમે વહાણ દ્વારા મુસાફરી કરીને ઇટાલીના રેગિયમ શહેરમાં આવી પહોંચ્યા. બીજા દિવસે, પવન દક્ષિણ તરફથી ફૂંકાતો હતો, તેથી, માત્ર બીજા બે દિવસમાં અમે પુતૌલી શહેરમાં પહોંચી ગયાં. ત્યાં અમે વહાણ છોડી દીધું.
\v 14 પુતૌલીમાં અમે સાથી વિશ્વાસીઓને મળ્યા કે જેઓ ઇચ્છતા હતા કે, અમે તેમની સાથે સાત દિવસ રહીએ. ત્યાર પછી અમે આખરે રોમ આવી પહોંચ્યા.
\v 15 રોમમાં, કેટલાક સાથી વિશ્વાસીઓએ અમારા વિષે સાંભળ્યું હતું, તેથી તેઓ અમને મળવા આવ્યા. તેમાંના કેટલાક અમને એપિયન ચોક માર્ગ, અને કેટલાક ત્રણ ધર્મશાળા નામના નગર પાસે મળ્યા. પાઉલે જ્યારે તેઓને જોયા ત્યારે, તેણે ઈશ્વરનો આભાર માન્યો, અને તે ઉત્તેજન પામ્યો.
\s5
\v 16 અમે રોમ આવ્યા પછી, પાઉલને એક ઘરમાં પોતાની રીતે રહેવાની પરવાનગી મળી. પણ ત્યાં હંમેશાં એક સૈનિક તેની રક્ષા કરતો હતો.
\v 17 ત્યાં ત્રણ દિવસ રહ્યા પછી, તેણે યહૂદી આગેવાનોને સંદેશો મોકલીને કહાવ્યું કે તેઓ ત્યાં આવે અને તેની સાથે વાત કરે. જ્યારે તેઓ ત્યાં આવ્યા ત્યારે, પાઉલે તેમને કહ્યું, "મારા વહાલા ભાઈઓ, જો કે મેં આપણા લોકોનો વિરોધ કર્યો નથી કે હું આપણા પૂર્વજોના રિવાજો વિરુદ્ધ બોલ્યો નથી, તેમ છતાં આપણા યરુશાલેમના આગેવાનોએ મને પકડ્યો. પણ તેઓ મારી હત્યા કરે તે પહેલાં, રોમન સેનાપતિએ મને બચાવ્યો, અને પછીથી રોમન અધિકારીઓ દ્વારા મારી તપાસ થાય માટે મને કાઈસારિયા શહેરમાં મોકલી આપવામાં આવ્યો.
\v 18 રોમન અધિકારીઓએ મને પ્રશ્નો પૂછ્યા અને તેઓ મને છોડી દેવા માગતા હતા, કારણ કે મૃત્યુદંડને પાત્ર કોઈ ખરાબ ગુનો મેં કર્યો ન હતો.
\s5
\v 19 પણ જ્યારે યહૂદી આગેવાનો, રોમનોની મને મુક્ત કરવાની ઇચ્છા વિરુધ્ધ બોલ્યા, ત્યારે મેં અહીં રોમમાં સમ્રાટ દ્વારા મારો ન્યાય થાય એવી ઇચ્છા પ્રગટ કરી. પરંતુ આમ કરવા પાછળ મારો એવો ઇરાદો ન હતો કે હું, આપણા આગેવાનો પર કોઈ દોષારોપણ કરું.
\v 20 તેથી મેં તમને અહીં આવવા વિનંતી કરી કે જેથી હું તમને જણાવી શકું કે હું શા માટે કેદી છું. તે એ માટે કે ઇઝરાયલી લોકો વિશ્વાસપૂર્વક જે આશા ઈશ્વર પાસેથી રાખે છે કે તે આપણા માટે તે પૂરી કરશે તેમાં હું માનું છું."
\s5
\v 21 ત્યાર બાદ યહૂદી આગેવાનોએ કહ્યું "યહૂદિયાના આપણા સાથી યહૂદીઓ પાસેથી તારા વિષેનો કોઈ પત્ર અમને મળ્યો નથી. વળી યહૂદિયાથી આવેલા સાથી યહૂદીઓએ પણ તારા વિષે કોઈ ખરાબ વાત કહી નથી.
\v 22 પણ જે જૂથ સાથે તું જોડાયેલો છે તે વિષે તું શું વિચારે છે તે અમે જાણવા માગીએ છીએ, કારણ કે અમે જાણીએ છીએ કે ઘણી જગ્યાએ લોકો તેની વિરુધ્ધ બોલે છે."
\s5
\v 23 તેથી તેઓએ નક્કી કર્યું કે તેઓ પાઉલને સાંભળવા માટે બીજા દિવસે પાછા આવશે. જ્યારે તે દિવસ આવ્યો, ત્યારે પહેલા દિવસ કરતાં પણ વધારે લોકો પાઉલના રહેઠાણે આવ્યા. પાઉલે લોકોને કહ્યું કે ઈશ્વર કઈ રીતે દરેક પર શાસન કરશે; મૂસા અને બીજા પ્રબોધકોએ ઈસુ વિષે કેવી રીતે ભવિષ્યવાણી કરી તે વિષે તેણે લોકો સાથે વાત કરી. બધા જેઓ સાંભળી રહ્યા હતા તેઓની સાથે પાઉલે સવારથી સાંજ સુધી વાત કરી.
\v 24 તેઓમાના ઘણા યહૂદીઓ પાઉલે ઈસુ વિષે જે સત્ય કહ્યું તે માનવા તૈયાર હતા, પણ બીજા તે સમજવા તૈયાર ન હતા કે તે સાચું છે.
\s5
\v 25 જ્યારે તેઓ એકબીજા સાથે અસહમત થવા લાગ્યા, અને જ્યારે તેઓ જવાની તૈયારીમાં હતા, ત્યારે પાઉલે એક વિશેષ વાત કહી: "જ્યારે પવિત્ર આત્માએ આ શબ્દો યશાયા પ્રબોધકને કહ્યા હતા ત્યાં રે તેમણે તમારા પૂર્વજોને સત્ય કહ્યું હતું:
\v 26 તારા લોકની પાસે જા અને તેઓને કહે: તમે તમારા કાનોએ સાંભળ્યું, પણ તમે ઈશ્વરે જે કહે છે તે સમજ્યા નથી. તમે તમારી આંખોએ જોયું પણ ઈશ્વર જે કરી રહ્યા છે તે તમે જોઈ શકતા નથી.
\s5
\v 27 આ લોકો સમજી શકતા નથી કારણ કે તેઓ જિદ્દી છે. તેઓના કાન લગભગ બહેરા છે, અને તેઓએ તેમની આખો બંધ કરી છે કારણ કે તેઓ જોવા માગતા નથી. તેઓ તેમના કાનોથી સાંભળવા માગતા નથી અથવા તેમના હૃદયોથી સમજવા માંગતા નથી કે તેઓ મારી તરફ પાછા ફરે અને હું તેમને સાજા કરું.
\s5
\v 28-29 તેથી, તમારે જાણવું જોઈએ કે ઈશ્વર બિનયહૂદીને બચાવવા માગે છે, અને તેઓ સાંભળશે."
\s5
\v 30 પાઉલ પોતાના ભાડાના ઘરમાં બે વર્ષ સુધી રહ્યો. ઘણા લોકો તેને મળવા આવતા હતા, અને તે તેઓનો પ્રેમથી આવકાર કરતો હતો અને તેઓની સાથે વાત કરતો હતો.
\v 31 તે લોકોને ઉપદેશ આપતો ને શીખવતો હતો કે કઈ રીતે ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરશે, અને તે તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે પણ શીખવતો હતો. તે હિંમતપૂર્વક જણાવતો અને કોઈ તેને એમ કરવાથી રોકતો ન હતો.

779
46-ROM.usfm Normal file
View File

@ -0,0 +1,779 @@
\id ROM - UDB Guj
\ide UTF-8
\h રોમનોને પત્ર
\toc1 રોમનોને પત્ર
\toc2 રોમનોને પત્ર
\toc3 rom
\mt1 રોમનોને પત્ર
\s5
\c 1
\p
\v 1 હું પાઉલ, ખ્રિસ્ત ઈસુનો સેવક, રોમ શહેરના તમ સર્વ વિશ્વાસીઓને આ પત્ર લખી રહ્યો છું. ઈશ્વરે મને પ્રેરિત થવા પસંદ કર્યો, અને તેમના તરફથી આવેલ શુભ સંદેશ પ્રગટ કરવા મને નિયુક્ત કર્યો.
\v 2 ઈસુ પૃથ્વી પર આવ્યા તેના ઘણા સમય અગાઉ, ઈશ્વરે વચન આપ્યું હતું કે તેમના પ્રબોધકોએ પવિત્ર શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તેઓ આ શુભ સમાચાર પ્રગટ કરશે.
\v 3 આ શુભ સમાચાર તેમના દીકરા વિષે છે. કુદરતી રીતે જોઈએ તો, તેમનો દીકરો, દાઉદ રાજાના વંશજ તરીકે જન્મ્યો હતો.
\s5
\v 4 તે ઈસુના ઈશ્વરીય સ્વભાવને જોતાં, એ સામર્થ્યપૂર્વક દર્શાવવામાં આવ્યું કે તેઓ ઈશ્વરના દીકરા છે. તેમના મૃત્યુ પામ્યા પછી પવિત્ર આત્મા મારફતે તેમને સજીવન કરવા દ્વારા ઈશ્વરે આ દર્શાવ્યું. તેઓ ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ છે.
\v 5 તેમણે અમારા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે અને અમને પ્રેરિતો ઠરાવ્યા છે. સર્વ લોકજાતિઓમાંના ઘણા લોકો તેમના પર વિશ્વાસ કરે અને તેમને આધીન થાય માટે તેમણે આ પ્રમાણે કર્યું.
\v 6 તમે જે વિશ્વાસીઓ રોમમાં રહો છો, તેઓનો સમાવેશ, જેઓને ઈશ્વરે ઈસુ ખ્રિસ્તના થવા પસંદ કર્યા છે તેઓમાં કરવામાં આવ્યો છે.
\s5
\v 7 રોમમાં રહેનારા તમ સર્વ કે જેઓને ઈશ્વર ચાહે છે, અને જેઓને તેમણે પોતાના લોકો થવા પસંદ કર્યા છે, તેઓને હું આ પત્ર લખું છું. હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર આપણા પિતા અને ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ તેમની ભલાઈ તમારા પ્રત્યે દર્શાવતા રહે અને તમને શાંતિ આપે.
\p
\s5
\v 8 આ પત્રની શરૂઆત કરતાં, રોમના વિશ્વાસીઓ તમારે માટે હું પ્રભુનો આભાર માનું છું. ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે તેથી હું એમ કરી શકું છું. હું તેમનો આભાર માનું છું કારણ કે સમગ્ર રોમન સામ્રાજ્યના લોકો તમે કેવી રીતે પ્રભુમાં વિશ્વાસ કરો છો તેની વાત કરે છે.
\v 9 ઈશ્વર, કે જેમની હું ભક્તિપૂર્વક સેવા કરું છું અને તેમના દીકરા વિષેનો શુભ સંદેશ પ્રગટ કરું છું તેઓ જાણે છે કે જ્યારે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું ત્યારે તમને યાદ કરું છું.
\v 10 હું ખાસ કરીને ઈશ્વર પાસે માગું છું કે હું તમારી મુલાકાત કરું એવી જો ઈશ્વરની ઇચ્છા હોય તો, કોઈ પણ રીતે હું તે પ્રમાણે કરી શકું.
\s5
\v 11 હું આ પ્રાર્થના કરું છું કેમ કે હું તમને મળવાની ઇચ્છા રાખું છું, કે જેથી તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કરી શકો અને તેમને વધુ અને વધુ માન આપી શકો.
\v 12 મારા કહેવાનો અર્થ એ છે કે, આપણે ઈસુ પર કેવી રીતે વિશ્વાસ રાખીએ છીએ તે જણાવીને એકબીજાને ઉત્તેજન પમાડીએ.
\s5
\v 13 મારા સાથી વિશ્વાસીઓ, મેં ઘણી વખત તમારી મુલાકાત કરવાનું આયોજન કર્યું. તમે તે જાણો એવું હું જરૂર ઇચ્છું છું. પણ હું તમારી પાસે આવી શક્યો નથી કારણ કે કોઈક બાબતે મને રોક્યો છે. મારા આવવાનો હેતુ એ હતો કે જેમ ઘણી જગ્યાઓમાં બિનયહૂદીઓમાં થાય છે તેમ તમારી મધ્યે પણ વધુ લોકો ઈસુ પર વિશ્વાસ કરે.
\v 14 સર્વ બિનયહૂદીઓ, જેઓ ગ્રીક બોલે છે અને જેઓ ગ્રીક નથી બોલતા તેઓ, જેઓ જ્ઞાની છે અને જેઓ જ્ઞાની નથી તેઓને શુભ સંદેશ પ્રગટ કરવા હું તેઓનો ઋણી છું એમ મને લાગે છે.
\v 15 તેથી, મારી જે આતુર ઇચ્છા છે તે એ કે તમે જેઓ રોમમાં રહો છો તેઓને પણ હું શુભ સંદેશ પ્રગટ કરું.
\p
\s5
\v 16 ખ્રિસ્તે જે કર્યું છે તે વિષેનો શુભ સંદેશ હું હિંમતથી પ્રગટ કરું છું, કારણ કે આ શુભ સંદેશ એક પરાક્રમી માર્ગ છે કે જેના દ્વારા, ખ્રિસ્તે તેઓને માટે જે કર્યું છે તે પર જેઓ વિશ્વાસ કરે છે તેઓને ઈશ્વર બચાવે છે. ખાસ કરીને, ઈશ્વર પ્રથમ તો જે યહૂદીઓ શુભ સંદેશ પર વિશ્વાસ કરે છે તેઓને બચાવે છે, અને પછી બિનયહૂદીઓને બચાવે છે.
\v 17 આ શુભ સંદેશ દ્વારા ઈશ્વર પ્રગટ કરે છે કે તેઓ કેવી રીતે લોકોનું પોતાની સાથે સમાધાન કરાવે છે. એ તો લાંબા સમય અગાઉ પ્રબોધકે શાસ્ત્રમાં જે લખ્યું તેના જેવું છે: "ઈશ્વર સાથે જેઓનું સમાધાન થયું છે તેઓ જીવશે કારણ કે તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો છે."
\p
\s5
\v 18 સ્વર્ગમાંના ઈશ્વર એ સ્પષ્ટ કરે છે કે જેઓ તેમને માન આપતા નથી અને જેઓ દુષ્ટ બાબતો કરે છે, તેમના પર તેઓ ગુસ્સે થયા છે. ઈશ્વર તેઓને દર્શાવે છે કે તેઓ તેમને શિક્ષા કરે તેને માટે તેઓ યોગ્ય છે. કારણ કે તેઓ દુષ્ટ બાબતો કરે છે, અને વળી, ઈશ્વર વિષેનું જે સત્ય છે તે જાણવાથી તેઓ લોકોને અટકાવે છે.
\p
\v 19 બધા જ બિનયહૂદીઓ સ્પષ્ટપણે જાણી શકે છે કે ઈશ્વર કેવા છે, કારણ કે ઈશ્વરે પોતે પોતાને સર્વ લોકોની આગળ પ્રગટ કર્યા છે.
\s5
\v 20 લોકો પોતાની આંખોથી ખરેખર તો જોઈ શકતા નથી કે ઈશ્વર કેવા છે. પરંતુ તેમણે જ્યારથી જગતને ઉત્પન્ન કર્યું ત્યારથી, તેમાં રહેલી બાબતો તેમના સંબંધી સમજણ આપે છે, ઉદાહરણ તરીકે, તેઓ હંમેશા સામર્થ્યવાન કાર્યો કરવા સમર્થ છે. બીજું ઉદાહરણ એ છે કે, દરેક જણ જાણે છે કે તેમણે જે સર્વ ઉત્પન્ન કર્યું છે તેનાથી તેઓ સંપૂર્ણપણે ભિન્ન છે. તેથી કોઈ સત્યતાથી એમ કહી શકે તેમ નથી કે "અમે ઈશ્વર વિષે કદી જાણ્યું નહોતું."
\v 21 જો કે બિનયહૂદીઓએ ઈશ્વર કેવા છે તે જાણ્યું છતાં, તેઓએ ઈશ્વર તરીકે તેમને મહિમા આપ્યો નહીં તેમ જ તેમણે જે કર્યું છે તે માટે તેમનો આભાર પણ માન્યો નહીં. પરંતુ તેથી ઊલટું, તેમના સબંધી તેઓએ મૂર્ખતાભર્યા તર્ક કર્યા, અને ઈશ્વર જે ઇચ્છતા હતા કે લોકો તેમના સંબંધી જાણે તે સમજવામાં તેઓ અસમર્થ બન્યા.
\s5
\v 22 જો કે તેઓ દાવો કરતા હતા કે તેઓ બુદ્ધિમાન છે તો પણ તેઓ મૂર્ખ બન્યા,
\v 23 અને તેઓએ ઈશ્વર અમર્ત્ય અને મહિમાવાન છે તેમ સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેને બદલે તેઓએ નાશવંત લોકોના આકારની મૂર્તિઓ બનાવીને તેમનું ભજન કર્યું, અને પછી તેઓએ પક્ષીઓ અને ચોપગાં પશુઓના આકારની અને છેવટે પેટે ચાલનારાં પશુઓની મૂર્તિઓ બનાવી.
\p
\s5
\v 24 તેથી ઈશ્વરે બિનયહૂદીઓને તેમની પ્રબળ ઇચ્છાઓ પ્રમાણે અનૈતિક જાતીય કૃત્યો, જેમ તેઓ સમજતા હતા કે તેમણે તે કરવાં જોઈએ, તે કરવા દીધાં, કારણ કે તે કરવાની તેમની આતુર ઇચ્છા હતી. પરિણામે, પોતાનાં જાતીય કૃત્યો વડે તેઓએ એકબીજાનાં શરીરોને ભ્રષ્ટ કરવાનું શરુ કર્યું.
\v 25 વળી, તેઓએ ઈશ્વર વિશેના સત્યને માનવાને બદલે જૂઠ્ઠા દેવોનું ભજન કરવાનું પસંદ કર્યું. ઈશ્વર, કે જેમણે સઘળું ઉત્પન્ન કર્યું, જેઓનું આપણે સર્વકાળ ભજન કરવું જોઈએ! આમેન, તેઓનું ભજન કરવાને બદલે તેઓએ ઈશ્વરે બનાવેલી વસ્તુઓનું ભજન કર્યું.
\p
\s5
\v 26 તેથી ઈશ્વરે બિનયહૂદીઓને શરમજનક જાતીય કૃત્યો કે જેની તેઓને પ્રબળ વાસના હતી, તે પ્રમાણે કરવા દીધું. પરિણામે ઘણી સ્ત્રીઓએ અન્ય સ્ત્રીઓ સાથે સહશયન કરવાનું શરુ કર્યું જે કુદરત વિરુદ્ધનું છે.
\v 27 તે જ પ્રમાણે ઘણા પુરુષોએ પણ સ્ત્રીઓ સાથેના સ્વાભવિક વ્યવહારનો ત્યાગ કર્યો. સ્વાભાવિક વ્યવહારને બદલે, તેઓએ અરસપરસ પ્રબળ જાતીય વ્યવહાર સ્થાપિત કર્યો. તેઓએ અન્ય પુરુષો સાથે અઘટિત વ્યવહાર કર્યો, જે શરમજનક બાબત હતી. પરિણામે, ઈશ્વરે તેમનાં શરીરોમાં બીમારીઓ દ્વારા તેમને શિક્ષા કરી, કે જે આ પ્રકારનાં પાપનું સીધું પરિણામ છે.
\p
\s5
\v 28 એથી વિશેષ, તેઓએ વિચાર્યું કે, ઈશ્વરને જાણવા તે યથાયોગ્ય નથી તેથી, ઈશ્વરે તેઓને તેમના નકામા વિચારોને સ્વાધીન કર્યા. પરિણામે, કોઈએ ન કરવાં જોઈએ તેવાં દુષ્ટ કામો કરવાનું તેઓએ શરુ કર્યું.
\s5
\v 29 તેઓ સર્વ પ્રકારનાં અન્યાયી કૃત્યો કરવાની અને બીજાઓનું ખરાબ કરવાની તેમજ બીજાઓની વસ્તુઓ પડાવી લેવાની અને વિવિધ રીતે બીજાઓને નુકસાન પહોંચાડવાની પ્રબળ ઇચ્છા રાખે છે. ઘણા લોકો બીજાઓની સતત અદેખાઈ કરે છે અને લોકોની હત્યા કરવાની અને લોકો વચ્ચે વિવાદ તથા તકરારો ઊભી કરવાની ઈચ્છા કરે છે તેમ જ બીજાઓને છેતરે છે તથા બીજાઓ વિષે તિરસ્કારભરી વાતો કરે છે.
\v 30 ઘણા લોકો બીજાઓ વિષે દુષ્ટ વાતો કહે છે અને તેઓની નિંદા કરે છે. ઘણા લોકો ઈશ્વર પ્રત્યે ખાસ તિરસ્કારભરી રીતે વર્તે છે અને બીજાઓ સાથે હિંસક રીતે વ્યવહાર કરે છે અને બીજાઓ સાથે નફરતભર્યો વ્યવહાર કરે છે, પોતા વિષે અભિમાન કરે છે અને દુષ્ટ બાબતો કરવાના નવા રસ્તા શોધી કાઢે છે. ઘણાં બાળકો પોતાના માતાપિતાની અવજ્ઞા કરે છે.
\v 31 ઘણા લોકો મૂર્ખતાપૂર્ણ રીતે વર્તીને ઈશ્વરનું અપમાન કરે છે અને તેઓએ લોકોને જે કરવાનું વચન આપ્યું હતું તે પ્રમાણે કરતા નથી, અને તેઓ તેમના પોતાના કુટુંબના સભ્યોને પણ પ્રેમ કરતા નથી અને બીજાઓ પ્રત્યે દયાભાવથી વર્તતા નથી.
\s5
\v 32 આવાં કામો કરનારા મરણને યોગ્ય છે એવું ઈશ્વરે જાહેર કર્યું છે તે જાણ્યા છતાં, તેઓ આવી દુષ્ટ બાબતો તો કરે છે, તે ઉપરાંત બીજાઓ જેઓ આવી બાબતો કરે છે તેઓને સમર્થન પણ આપે છે.
\s5
\c 2
\p
\v 1 તમે કહી શકો કે ઈશ્વર જે બાબતોને ધિક્કારે છે તેવી બાબત કરનાર લોકોને તેમણે શિક્ષા કરવી જોઈએ. પરંતુ જ્યારે તમે એમ કહો છો ત્યારે ખરેખર તમે એવું કહી રહ્યા છો કે ઈશ્વરે તમને પણ શિક્ષા કરવી જોઈએ, કેમ કે તમે પણ એવા જ પ્રકારનું જીવન જીવ્યા છો. તમે તેઓએ કરી હતી એ જ બાબતો કરી છે.
\v 2 આપણે સારી રીતે જાણીએ છીએ કે જે લોકો આવાં દુષ્ટ કૃત્યો કરે છે તેઓનો ન્યાયચુકાદો ઈશ્વર સત્યતાથી કરશે.
\s5
\v 3 તેથી તમે જેઓ કહો છો કે દુષ્ટ કામો કરનારને ઈશ્વરે શિક્ષા કરવી જોઈએ, તેઓ પોતે જ દુષ્ટ કામો કરો છો તો તમારે ખરેખર એવું ન વિચારવું જોઈએ કે, જ્યારે ઈશ્વર તમને શિક્ષા કરવાની શરૂઆત કરે ત્યારે તમે છટકી શકશો!
\v 4 અને તમારે એમ ન કહેવું જોઈએ કે, "ઈશ્વર મારા પ્રત્યે ધીરજ અને સહનશીલતાથી વર્તી રહ્યા છે, તેથી મારે મારાં પાપથી પાછા ફરવાની જરૂર નથી." તમારે સમજવાની જરૂર છે કે તમે તમારાં પાપોનો પસ્તાવો કરો માટે ઈશ્વર ધીરજથી તમારી રાહ જોઈ રહ્યા છે.
\s5
\v 5 પરંતુ તેને બદલે, જો તમે જીદ્દી બનો અને પાપ કરવાનું બંધ ન કરો તો, ઈશ્વર તમને વધુ ભારે શિક્ષા કરશે. જ્યારે તેઓ પોતાનો કોપ દર્શાવશે અને સર્વ લોકોનો સત્યતાથી ન્યાય કરશે ત્યારે એમ થશે.
\p
\v 6 દરેક વ્યક્તિએ જે કર્યું છે તેના પ્રમાણમાં ઈશ્વર તેઓને યોગ્ય બદલો ભરી આપશે.
\v 7 ખાસ કરીને, કેટલાક લોકો સારાં કામ કરવાનું ચાલુ રાખે છે, કારણ કે ઈશ્વર તેઓને માન આપે તેવું તેઓ ઇચ્છે છે, અને તેઓ સદાકાળ ઈશ્વરની સાથે રહેવા ચાહે છે. ઈશ્વર તેઓને તે જ પ્રમાણે બદલો આપશે.
\s5
\v 8 પરંતુ કેટલાક લોકો સ્વાર્થી રીતે વર્તે છે અને ઈશ્વર જેને સાચું કહે છે તેનો તેઓ ઇનકાર કરે છે, અને ઈશ્વર જેને ખરાબ ગણે છે તે બાબતો તેઓ કરે છે. ઈશ્વર ઘણા કોપાયમાન થશે અને તેઓને ભારે શિક્ષા કરશે.
\v 9 જેઓ આદત મુજબ દુષ્ટ કાર્યો કરવા ટેવાયેલા છે તેઓને ઈશ્વર ભારે શિક્ષા અને મુસીબતોમાં લાવશે. યહૂદીઓ જેઓએ ઈશ્વરના સંદેશનો નકાર કર્યો તેઓના સંબંધમાં તો એવું બનશે જ, કારણ કે તેમના ખાસ લોકો થવાનો લહાવો ઈશ્વરે તેઓને આપ્યો, પરંતુ બિનયહૂદીઓના સંબંધમાં પણ એવું બનશે.
\s5
\v 10 પરંતુ જેઓ સારાં કાર્યો કરવા ટેવાયેલા છે તેઓ દરેકની ઈશ્વર પ્રશંસા કરશે, માન આપશે અને શાંતિનો આત્મા આપશે. યહૂદીઓ કે જેઓને તેમણે પોતાના ખાસ લોકો થવા પસંદ કર્યા તેઓના સંબંધમાં તો ઈશ્વર એમ કરશે જ, પણ બિનયહૂદીઓના સંબંધમાં પણ ઈશ્વર એમ કરશે.
\v 11 ઈશ્વર સત્યતાથી એમ કરશે કારણ કે કોઈ કેટલું મહત્વનું છે તે પર તેઓ ધ્યાન આપતા નથી.
\p
\v 12 ઈશ્વરે મૂસાને આપ્યા તેવા નિયમો જો કે બિનયહૂદીઓની પાસે નથી અને છતાં નિયમ વગર તેઓ પાપ કરે છે તો ઈશ્વર સર્વકાળને માટે તેઓનો નાશ કરશે. અને તેઓ સર્વ યહૂદીઓ કે જેમણે તેમના નિયમનો અનાદર કર્યો તેઓને પણ શિક્ષા કરશે, કેમ કે તેઓ નિયમશાસ્ત્ર પ્રમાણે તેમનો ન્યાય કરશે.
\s5
\v 13 ઈશ્વર તેઓનો ન્યાય કરે તે યોગ્ય છે કારણ કે કેવળ ઈશ્વરનો નિયમ જાણનારાને તેઓ ન્યાયી ઠરાવતા નથી, પરંતુ જેઓ ઈશ્વરના નિયમને પાળે છે તેઓને જ ઈશ્વર ન્યાયી ઠરાવે છે.
\v 14 જ્યારે પણ બિનયહૂદીઓ, જેઓની પાસે ઈશ્વરનો નિયમ નથી, તેઓ કુદરતના પ્રકટીકરણ અનુસાર તે નિયમોનું પાલન કરે છે, ત્યારે તેઓની પાસે મૂસાને આપેલા નિયમો નથી છતાં તેઓ સાબિત કરે છે કે તેઓના પોતાનામાં નિયમ છે.
\s5
\v 15 તેઓ બતાવે છે કે ઈશ્વર તેમના નિયમમાં જે આજ્ઞાઓ આપે છે તે તેઓ તેમના પોતાના મનોમાં જાણે છે, કારણ કે દરેક વ્યક્તિ તેના પોતાના અંત:કરણમાં યા તો ખરાબ વર્તનને માટે પોતાને દોષિત ઠરાવે છે, અથવા તો પોતાનો બચાવ કરે છે.
\v 16 જ્યારે ઈશ્વર લોકોનો તેમણે ગુપ્તમાં કરેલાં કામો અને વિચારો પ્રમાણે ન્યાય કરશે ત્યારે તેઓને શિક્ષા કરશે. ઈસુ ખ્રિસ્તને તેઓનો ન્યાય કરવાનો અધિકાર આપવા દ્વારા તેઓનો ન્યાય કરશે. જ્યારે હું લોકોને શુભ સંદેશ પ્રગટ કરું છું ત્યારે તેઓને આ જ બાબત જણાવું છું.
\p
\s5
\v 17 હવે તમને યહૂદીઓમાંના દરેકને જેમને હું આ પત્ર લખું છું, તેઓને મારે કંઈક કહેવાનું છે: તમે વિશ્વાસ કરો છો કે ઈશ્વરે મૂસાને જે નિયમશાસ્ત્ર આપ્યું તે તમે જાણો છો તે કારણે ઈશ્વર તમારો બચાવ કરશે. તમે અભિમાન કરો છો કે તમે ઈશ્વરના છો.
\v 18 ઈશ્વર શું ઇચ્છે છે તે તમે જાણો છો. તમે નિયમશાસ્ત્ર શીખેલા છો તેથી તમે પારખી શકો છો કે કઈ બાબતો યોગ્ય છે અને તે કરવાનું પસંદ કરવું તમે જાણો છો.
\v 19 તમને ખાતરી છે કે બિનયહૂદીઓને ઈશ્વરનું સત્ય દર્શાવવા તમે સમર્થ છો, અને જેઓ ઈશ્વર સંબંધી કંઈ જાણતા નથી તેઓને શીખવી શકો છો.
\v 20 તમને ખાતરી છે કે જેઓ ઈશ્વર વિષે મૂર્ખતાપૂર્ણ વાતો માને છે અને જેઓ બાળકો જેવા છે કારણ કે તેઓ ઈશ્વર સંબંધી કશું જ જાણતા નથી, તેઓને તમે શીખવી શકો તેમ છો. તમને આ બધી બાબતો વિષે ખાતરી છે, કારણ કે તમારી પાસે નિયમશાસ્ત્ર છે જે તમને ઈશ્વર વિષે ખરેખર શીખવે છે.
\s5
\v 21 તમે યહૂદી હોવાને કારણે દાવો કરો છો કે તમારી પાસે આ બધા લાભ છે, છતાં એ ઘૃણાસ્પદ છે કે તમે બીજાને શીખવો છો પરંતુ તમે પોતે નિયમશાસ્ત્રનું પાલન કરતા નથી! તમે ઉપદેશ કરો છો કે લોકોએ ચોરી ન કરવી જોઈએ, પરંતુ એ ઘૃણાસ્પદ છે કે તમે પોતે વસ્તુઓની ચોરી કરો છો!
\v 22 તમે એવી આજ્ઞા કરો છો કે જેઓ સાથે લગ્ન કર્યાં ન હોય તેઓની સાથે જાતીય સંબંધ કરવો નહીં, પરંતુ એ ઘૃણાસ્પદ છે કે તમે પોતે વ્યભિચાર કરો છો! તમે બીજાઓને આજ્ઞા કરો છો કે મૂર્તિપૂજા ન કરવી, પરંતુ એ ઘૃણાસ્પદ છે કે તમે એવી ઘૃણાસ્પદ બાબતોને ટાળતા નથી.
\s5
\v 23 તમે જેઓ અભિમાનપૂર્વક કહો છો, "અમારી પાસે નિયમો છે." પરંતુ એ ઘૃણાસ્પદ છે કે તમે એ જ નિયમોનો અનાદર કરો છો! પરિણામે તમે ઈશ્વરનું અપમાન કરો છો.
\v 24 એ તો શાસ્ત્ર જે કહે છે તેના જેવું છે કે, "તમે યહૂદીઓ જે દુષ્ટ બાબતો કરો છો તેના કારણે બિનયહૂદીઓ ઈશ્વરના સંબધમાં અપમાનજનક વાતો કરે છે.
\p
\s5
\v 25 તમારામાંનો કોઈ જેની સુન્નત થઇ છે કે જે દ્વારા તે દર્શાવે છે કે તે ઈશ્વરનો છે, તે જો મૂસાનું નિયમશાસ્ત્ર પાળે તો તેને લાભ થઈ શકે. પરંતુ જો તમે સુન્નત પામેલા લોકો નિયમશાસ્ત્રનો અનાદર કરો તો, જેઓ સુન્નત પામ્યા નથી તેઓના કરતાં ઈશ્વર તમને સારા નહીં ગણે.
\v 26 આનો અર્થ એ છે કે બિનયહૂદીઓ જેઓ સુન્નત પામ્યા નથી, તેઓ જો નિયમશાસ્ત્રમાં ઈશ્વરે જે આજ્ઞાઓ આપી છે તે પાળે તો તેઓ તેમના લોકો થઈ શકે છે.
\v 27 આ લોકો કે જેઓ સુન્નત પામ્યા નથી તો પણ ઈશ્વરના નિયમો પાળે છે તેઓ, ઈશ્વર જ્યારે તમને શિક્ષા કરશે ત્યારે જાહેર કરશે કે ઈશ્વર સાચા છે, કારણ કે તમે સુન્નત પામ્યા છો અને છતાં નિયમ ભંગ કરો છો.
\s5
\v 28 જેઓ ઈશ્વરના વિધિઓ પાળે છે તેઓ ખરા યહૂદીઓ છે એમ નથી, અને જેઓ પોતાના શરીરોમાં સુન્નત પામે છે તેઓનો ઈશ્વર સ્વીકાર કરે છે એમ નથી.
\v 29 પરંતુ તેથી વિરુદ્ધ, આપણે કે જેઓને ઈશ્વરે આંતરિક રીતે બદલ્યા છે તેઓ ખરા યહૂદીઓ છીએ. ઈશ્વરે આપણો સ્વીકાર કર્યો છે અને ઈશ્વરના આત્માએ આપણો સ્વભાવ બદલ્યો છે તે એટલા માટે નહીં કે આપણે નિયમના વિધિઓ પાળ્યા છે. જો કે બીજા લોકો આપણી પ્રશંસા ના કરે તો પણ ઈશ્વર આપણી પ્રશંસા કરશે.
\s5
\c 3
\p
\v 1 કોઈક કદાચ કહે કે, " બિનયહૂદી કરતાં યહૂદી હોવું, અને સુન્નતી હોવું આપણ યહૂદીઓને માટે કોઈ રીતે ફાયદાકારક નથી, તે સાચું છે ."
\v 2 પરંતુ હું તમને કહું છું કે યહૂદી હોવાના ઘણા ફાયદા છે. પ્રથમ તો એ કે ઈશ્વરે તેઓના પૂર્વજોને પોતાના વચનો એટલે જે વચનો ઈશ્વર કોણ છે તે આપણને બતાવે છે તે કહ્યાં.
\s5
\v 3 યહૂદીઓ વિશ્વાસુ રહ્યા નહીં તેનો શું એ અર્થ થાય કે ઈશ્વર પોતાનાં વચન પ્રમાણે તેઓને આશીર્વાદ નહીં આપે?
\v 4 ના, તેનો અર્થ ખરેખર એવો નથી થતો! જો કે લોકો પોતે આપેલા વચન પ્રમાણે ના કરે તો પણ ઈશ્વર તો જે વચન આપે છે તે પ્રમાણે તેઓ હંમેશા કરે છે. આપણ યહૂદીઓને આપેલાં વચનો ન પાળવાનો દોષ જેઓ સર્વ ઈશ્વર પર મૂકે છે, તેઓ ભૂલ કરે છે. દાઉદ રાજાએ આ વિષે લખ્યું છે: "તેથી દરેક મનુષ્યે એ કબૂલ કરવું જોઈએ કે તેઓના સંબંધમાં તમે જે કહ્યું તે સાચું છે, અને જ્યારે કોઈ તમારા પર ખોટું કરવાનો આક્ષેપ મૂકે ત્યારે હંમેશા તમારો વિજય થશે."
\p
\s5
\v 5 તેથી જો આપણે દુષ્ટ હતા માટે ઈશ્વરે આપણને આશીર્વાદ ન આપ્યો, તો શું આપણે એવું કહી શકીએ કે તેઓ અન્યાયી રીતે વર્ત્યા છે? કે કોપમાં તેમણે આપણને શિક્ષા કરી તેમાં તેઓ ખોટા હતા? (હું સામાન્ય માણસ બોલે તેમ બોલું છું.)
\v 6 આપણે અવશ્ય એવું ન માનવું જોઈએ કે ઈશ્વરે ન્યાય ન કરવો જોઈએ, કારણ કે જો ઈશ્વરે ન્યાય કર્યો નહિ તો શક્ય છે જગતનો ન્યાય કરવાનું તેમને માટે યોગ્ય ન હતું!
\s5
\v 7 પરંતુ કોઈક એવો જવાબ આપે કે, "ઈશ્વર પોતાનાં વચનો પાળે છે તે હકીકત ઘણી સ્પષ્ટ થાય છે કારણ કે દાખલા તરીકે, હું જૂઠું બોલ્યો અને પરિણામે લોકોએ ઈશ્વરની સ્તુતિ કરી, કારણ કે તેમની પાસે દયા છે! તેથી ઈશ્વરે હવે એમ ન કહેવું જોઈએ કે મારા પાપ કરવાને લીધે મને શિક્ષા થવી જોઈએ, કારણ કે તેને કારણે તો લોકો તેમની સ્તુતિ કરે છે!
\v 8 તું પાઉલ જે કહે છે તે જો ખરું હોય તો, અમારે દુષ્ટ બાબતો કરવી જોઈએ કે જેથી તેના જેવી સારી બાબતો ઉદભવે!" કેટલાક લોકો મારા વિષે ખરાબ બોલે છે કારણ કે તેઓ મને દોષિત ઠરાવે છે કે હું આ પ્રકારે બોલું છું. જે લોકો મારા વિષે આવી બાબતો કહે છે તેઓને ઈશ્વર શિક્ષા કરશે, અને ઈશ્વર તેમને શિક્ષા કરે માટે તેઓ પાત્ર થશે!
\p
\s5
\v 9 તો શું આપણે એવું માનીએ કે ઈશ્વર આપણી વધારે તરફદારી કરશે અને બિનયહૂદીઓ પ્રત્યે ઓછી તરફદારી કરશે? આપણે ચોક્કસપણે એવું ધારી ના શકીએ! યહૂદીઓએ અને બિનયહૂદીઓએ પણ પાપ કર્યું છે અને તેથી ઈશ્વર તેઓને શિક્ષા કરે તેને તેઓ યોગ્ય છે.
\v 10 શાસ્ત્રમાં લખેલાં આ વચનો આ બાબતને સમર્થન આપે છે,
\p કોઈ વ્યક્તિ ન્યાયી નથી. એક પણ વ્યક્તિ ન્યાયી નથી!
\s5
\v 11 યોગ્ય રીતે જીવન કેવી રીતે જીવવું તે સમજનાર કોઈ નથી. ઈશ્વરને જાણવા તેમની શોધ કરનાર કોઈ નથી!
\p
\v 12 દરેક વ્યક્તિ ઈશ્વરથી તદ્દન ભટકી ગઈ છે. ઈશ્વર તેઓને ભ્રષ્ટ ગણે છે. ન્યાયથી વર્તનાર કોઈ નથી, ના એક પણ નહીં!
\q
\s5
\v 13 લોકો જે કહે છે તે ઘૃણાસ્પદ છે, તે ખુલ્લી કરવામાં આવેલી કબરમાંથી આવતી દુર્ગંધ જેવું છે. લોકો પોતાના બોલવા દ્વારા બીજા લોકોને છેતરે છે.
\q1 તેઓ જે બોલે છે તે દ્વારા જેમ સાપનું ઝેર લોકોને ઈજા પહોંચાડે છે તેમ તેઓ લોકોને ઈજા પહોંચાડી રહ્યા છે,
\q1
\v 14 તેઓ સતત બીજાઓને શાપ આપે છે અને ક્રૂર બાબતો કહે છે.
\q1
\s5
\v 15 તેઓ હત્યા કરવામાં ઉતાવળા છે.
\q1
\v 16 તેઓ જ્યાં કંઈ જાય છે, ત્યાં સઘળું બરબાદ કરે છે અને લોકોને દુઃખી બનાવે છે.
\q1
\v 17 અન્ય લોકો સાથે શાંતિમાં કેવી રીતે રહેવું તે તેઓએ જાણ્યું નથી.
\q1
\v 18 ઈશ્વરને માન આપવાનો તેઓ સંપૂર્ણપણે ઇનકાર કરે છે.
\p
\s5
\v 19 આપણે જાણીએ છીએ કે આ નિયમો જે કંઈ આદેશ આપે છે તે જેમણે પાળવા જરૂરી છે તેમને માટે છે. તેનો અર્થ એ છે કે જ્યારે પાપ કર્યું હોવાને લીધે ઈશ્વર તેમની પાસે જવાબ માગે ત્યારે, યહૂદીઓ કે બિનયહૂદીઓ કંઈ પણ વિરોધાભાસી વાત કહી શકવા સમર્થ નથી.
\v 20 લોકોએ નિયમની માગણી મુજબની બાબતો કરી છે તે કારણે ઈશ્વર તેઓનાં પાપ ભૂંસી નાખશે એવું નથી, કારણ કે કોઈએ પણ તે બાબતો સંપૂર્ણપણે કરી નથી. હકીકતમાં તો ઈશ્વરના નિયમોની જાણકારીનું પરિણામ એ છે કે આપણે સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ કે આપણે પાપ કર્યું છે.
\p
\s5
\v 21 જ્યારે ઈશ્વર આપણને પોતાની સાથે ન્યાયી ઠરાવે છે ત્યારે તે મૂસાને તેમણે આપેલા નિયમને આપણે પાળીએ તે પર આધારિત નથી. તે સંબંધી નિયમશાસ્ત્રમાં અને પ્રબોધકોના પુસ્તકોમાં લખવામાં આવ્યું હતું કે ઈશ્વર આપણા પાપોની માફી અલગ રીતે આપે છે.
\v 22 ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે તેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ તે કારણે ઈશ્વર આપણા પાપોની નોંધ ભૂંસી નાખે છે. જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓ દરેકને માટે ઈશ્વર એમ કરે છે, કારણ કે તેઓ યહૂદીઓ અને બિનયહૂદીઓ વચ્ચે કોઈ ભેદભાવ રાખતા નથી.
\s5
\v 23 બધા લોકોએ દુષ્ટતા કરી છે, અને દરેક મનુષ્ય ઈશ્વરે નક્કી કરેલ મહિમાવાન લક્ષ્યોને પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ ગયો છે.
\v 24 આપણા પ્રત્યે દયાભાવથી વર્તીને, આપણા કંઈ પણ કર્યા વગર આપણા પાપો માફ કરવા દ્વારા તેમણે આપણા પાપોની નોંધ ભૂંસી નાખી છે. આપણો છુટકારો કરવા દ્વારા ઈસુ ખ્રિસ્તે તે પરિપૂર્ણ કર્યું છે.
\s5
\v 25 ઈશ્વર દર્શાવે છે કે ખ્રિસ્ત જ્યારે મરણ પામ્યા ત્યારે તેમનું રક્ત વહેવડાવવા દ્વારા તેમણે ઈશ્વરના કોપને શાંત પાડ્યો અને તેમણે આપણા માટે જે કર્યું તેના પર આપણે વિશ્વાસ કરવો જ જોઈએ. ખ્રિસ્તનું બલિદાન દર્શાવે છે કે ઈશ્વર ન્યાયી રીતે વર્ત્યા છે. નહીં તો કોઈએ એવું વિચાર્યું ન હોત કે ઈશ્વર ધીરજવાન હોઈને લોકોએ અગાઉ જે પાપો કર્યાં તે તેમણે દરગુજર કર્યાં તેમાં તેઓ ન્યાયી છે.
\v 26 ઈશ્વરે ખ્રિસ્તને આપણા માટે મરણ પામવા નિયુક્ત કર્યા. એમ કરવા દ્વારા તેઓ હાલમાં દર્શાવે છે કે તેઓ ન્યાયી છે, અને તેઓ દર્શાવે છે કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તે સર્વનાં પાપોની નોંધ ભૂંસી નાખવા તેઓ ન્યાયી અને સમર્થ છે.
\p
\s5
\v 27 આપણે મૂસાના નિયમશાસ્ત્રને આધીન થઈએ છીએ તેથી ઈશ્વર આપણા પાપોની નોંધ ભૂંસી નાખે છે એવું બિલકુલ નથી. તેથી આપણે તે નિયમો પાળીએ છીએ માટે ઈશ્વર આપણી તરફદારી કરે છે એવું અભિમાન કરવાનું કોઈ કારણ નથી. તેને બદલે, આપણે ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ છીએ તે કારણે ઈશ્વર આપણા પાપોની નોંધ દૂર કરે છે.
\v 28 તેથી એ સ્પષ્ટ છે કે જો કોઈ વ્યક્તિ નિયમ પાલનમાં નહીં પણ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે તો ઈશ્વર તે વ્યક્તિને પોતાની સાથે ન્યાયી ઠરાવે છે.
\s5
\v 29 તમે જેઓ યહૂદીઓ છો તેઓએ ચોક્કસપણે એમ ન વિચારવું કે તમે જ એકલા છો કે જેમનો ઈશ્વર સ્વીકાર કરશે! તમારે ચોક્કસ જાણવું કે તેઓ બિનયહૂદીઓનો પણ સ્વીકાર કરશે. બેશક, તેઓ બિનયહૂદીઓનો સ્વીકાર કરશે
\v 30 કારણ કે, જેમ તમે દ્રઢ રીતે માનો છો તેમ, એક જ ઈશ્વર છે. એ જ ઈશ્વર યહૂદીઓ કે જેઓ સુન્નત પામેલા છે તેઓનું, તેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે કારણે પોતાની સાથે સમાધાન કરાવશે, અને ઈશ્વર બિનયહૂદીઓ કે જેઓની સુન્નત થઈ નથી તેઓનું, તેઓ પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે કારણે પોતાની સાથે સમાધાન કરાવશે.
\s5
\v 31 જો તમે કહો કે આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ તે કારણે ઈશ્વર પોતાની સાથે આપણું સમાધાન કરાવે છે, તો શું તેનો અર્થ એ છે કે નિયમ હવે નકામો છે? બેશક નહીં. પણ તેથી ઊલટું નિયમ ખરેખર માન્ય છે.
\s5
\c 4
\p
\v 1 ઇબ્રાહિમ આપણ યહૂદીઓનો આદરણીય પૂર્વજ છે. તેથી ઇબ્રાહિમના સંબંધમાં જે બન્યું તેમાંથી આપણે જે શીખી શકીએ તે વિષે વિચારો.
\v 2 ઇબ્રાહિમે જે સારું કર્યું તેને લીધે જો ઈશ્વર સાથે તેનું સમાધાન થયું, તો તે વિષે લોકો સમક્ષ અભિમાન કરવાનું ઇબ્રાહિમને કારણ હોત, (પરંતુ, તેમ છતાં તે વિષે ઈશ્વર આગળ અભિમાન કરવાનું તેને કોઈ કારણ તો ન હોત.)
\v 3 યાદ રાખો કે શાસ્ત્રવચનમાં લખવામાં આવ્યું છે કે, ઈશ્વરે તેના સંબંધમાં જે કરવાનું વચન આપ્યું હતું તે પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો તે જ કારણથી ઈશ્વરે પોતાની સાથેના સબંધમાં તેને ન્યાયી ગણ્યો.
\s5
\v 4 હવે જે કામ આપણે કરીએ છીએ તેના બદલામાં જે વેતન આપણને મળે છે તે વેતન બક્ષિસ તરીકે ગણાતું નથી. પરંતુ તેને બદલે તે આપણી કમાણી ગણાય છે. એ જ પ્રમાણે, જો આપણે ઈશ્વરને આપણા પ્રત્યે દયાળુ બનવા પ્રસન્ન કરીએ તો તે એક બક્ષિસ ગણાશે નહીં.
\v 5 પરંતુ હકીકતમાં તો ઈશ્વર, જે લોકોએ અગાઉ તેમને મહિમા આપ્યો ન હતો તેઓને હવે પોતાની સાથે ન્યાયી ગણે છે. પરંતુ હવે તેઓ તેમનામાં વિશ્વાસ કરે છે, અને તેથી ઈશ્વર તેઓને તેમની પોતાની સાથેના સંબંધમાં ન્યાયી ગણે છે.
\s5
\v 6 તે જ રીતે જેઓને ઈશ્વર તેઓની પોતાની કોઈ યોગ્યતા કે હક ન હોવા છતાં તેમની પોતાની સાથે ન્યાયી ગણે છે, તેઓ સંબંધી જેમ દાઉદે ગીતશાસ્ત્રમાં લખ્યું છે તેમ:
\q1
\v 7 "જેઓનાં પાપ ઈશ્વરે માફ કર્યાં છે, અને જેઓનાં પાપ તરફ તેઓ જોતા નથી તેઓ કેટલા આશીર્વાદિત છે, અને
\v 8 જેઓનાં પાપની નોંધ તેઓ રાખતા નથી તેઓ કેટલા આશીર્વાદિત છે.
\p
\s5
\v 9 આ પ્રમાણે આશીર્વાદિત થવાનો અનુભવ કેવળ આપણા યહૂદીઓને માટે જ નથી. ના, એ તો કંઇક એવી બાબત છે જેનો અનુભવ બિનયહૂદીઓ પણ પામી શકે છે. આપણે આ જાણીએ છીએ, કેમ કે શાસ્ત્રમાં લખેલું છે કે, ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, તેથી ઈશ્વરે તેને તેમની પોતાની સાથે ન્યાયી ગણ્યો.
\v 10 ઈશ્વરે ઇબ્રાહિમને માટે જ્યારે આ પ્રમાણે કર્યુ તેનો વિચાર કરો. ઇબ્રાહિમની સુન્નત કરવામાં આવી તે પહેલાં તેમણે એ કર્યુ હતું, તે પછી નહીં.
\s5
\v 11 ઈશ્વરે તેનો સ્વીકાર કરી લીધો હતો ત્યાર બાદ ઘણાં વર્ષો પછી ઈશ્વરે આજ્ઞા આપી કે ઇબ્રાહિમની સુન્નત કરવામાં આવે. સુન્નત એ નિશાની હતી જે દર્શાવતી હતી કે ઇબ્રાહિમ ઈશ્વર સાથેના યોગ્ય સંબંધમાં અગાઉથી હતો જ. તેથી આપણે અહીં શીખી શકીએ કે, જે કોઈ ઈશ્વર પર વિશ્વાસ કરે છે તેઓનો એટલે કે જેઓ સુન્નત પામ્યા નથી તેઓ સર્વનો પણ પૂર્વજ થવા ઈશ્વરે ઈબ્રાહિમને યોગ્ય ગણ્યો. ઈશ્વર આ પ્રમાણે આ સર્વ લોકોને પોતાની સાથે યોગ્ય સંબંધમાં ગણે છે
\v 12 તે જ પ્રમાણે, ઈશ્વર ઇબ્રાહિમને આપણ સર્વ જેઓ ખરા યહૂદીઓ છીએ, એટલે કે સર્વ યહૂદીઓ જેમના શરીર પર સુન્નતની નિશાની છે માત્ર તેઓ જ નહિ, પરંતુ તેથી વિશેષ સુન્નત પામ્યા અગાઉ આપણો પૂર્વજ ઇબ્રાહિમ ઈશ્વર પર સરળ વિશ્વાસ કરતો હતો તેની માફક જેઓ જીવે છે, તેઓનો પણ તે પૂર્વજ છે.
\p
\s5
\v 13 ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું હતું કે તેના વંશજો જગતને કબજે કરશે. પરંતુ ઇબ્રાહિમ નિયમનો પાળનાર હતો એટલા માટે ઈશ્વરે તે વચન આપ્યું ન હતું. તેથી ઊલટું, ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો કે ઈશ્વરે જે વચન આપ્યું છે તે પ્રમાણે તેઓ કરશે, તેને લીધે એમ બન્યું. તેથી ઈશ્વરે ઇબ્રાહિમને પોતાની સાથે ન્યાયી ગણ્યો.
\v 14 જો નિયમના પાલનને કારણે જ લોકો જગતને કબજે કરી શકે, તો કંઈ પણ બાબતને માટે ઈશ્વર પર ભરોસો રાખવો વ્યર્થ છે, અને તેમના વચનનો કોઈ અર્થ નથી.
\v 15 યાદ રાખો કે વાસ્તવમાં તો, ઈશ્વર પોતાના નિયમમાં કહે છે કે, જે કોઈ સંપૂર્ણ રીતે આધીન નહીં થાય તેઓને તે શિક્ષા કરશે. તો પણ, યાદ રાખો કે જે લોકો પાસે નિયમ નથી, તેઓને માટે તેનો અનાદર કરવો અશક્ય છે.
\s5
\v 16 તેથી, આપણે ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ તે કારણે તેમણે આપણને જે આપવાનું વચન આપ્યું છે તે બાબતો આપણે બક્ષિસ તરીકે પ્રાપ્ત કરીશું, કારણ કે તેઓ ઘણા દયાળુ છે. જેઓને તેઓ ઈબ્રાહિમના ખરા વંશજો ગણે છે તે દરેકને તેઓ આ બાબતો આપે છે એટલે આપણ યહૂદી વિશ્વાસીઓને, જેઓની પાસે ઈશ્વરનું નિયમશાસ્ત્ર છે અને જેઓ ઈશ્વર પર વિશ્વાસ રાખે છે, અને બિનયહૂદીઓ જેઓની પાસે ઈશ્વરનું નિયમશાસ્ત્ર નથી અને છતાં તેઓ ઇબ્રાહિમની માફક ઈશ્વર પર વિશ્વાસ કરે છે તેઓને પણ.
\v 17 ઈશ્વરે ઇબ્રાહિમને શાસ્ત્રમાં જે કહ્યું તે એ કે, "હું તને ઘણી લોકજાતિઓનો પૂર્વજ બનાવીશ." ઇબ્રાહિમે સીધે સીધું ઈશ્વર જે મૂએલાંને જીવતાં કરે છે અને શૂન્યમાંથી સર્જન કરે છે, તેમની પાસેથી આ વચન પ્રાપ્ત કર્યું.
\s5
\v 18 જો કે તેને વંશજો પ્રાપ્ત થશે એવી અપેક્ષા રાખવા માટે કોઈ ભૌતિક કારણ ન હતું તોપણ તેણે ઈશ્વરના આ વચન પર દ્રઢ વિશ્વાસ કર્યો, કારણ કે તે અને તેની પત્ની બાળકો જણવા માટે ઘણાં વૃદ્ધ હતાં. ઈશ્વરે ઇબ્રાહિમને તે ઘણી દેશજાતિઓનો પૂર્વજ થશે એવું કહેતાં વચન આપ્યું હતું કે "તારા વંશજો આકાશના તારા જેટલા હશે."
\v 19 જો કે તે જાણતો હતો કે તેનું શરીર બાળક જણવા શક્તિમાન નથી ( ત્યારે તો તે લગભગ સો વર્ષનો હતો), અને તે જાણતો હતો કે સારાને કદી બાળકો થયાં ન હતાં, અને ખાસ કરીને હવે તો નહીં જ કારણ કે તે ઘણી વૃદ્ધ હતી તોપણ ઈશ્વરે જે વચન આપ્યું હતું તે પ્રમાણે તેઓ કરશે, તે બાબત પર તેણે શંકા કરી નહીં.
\s5
\v 20 ઈશ્વરે જે વચન આપ્યું હતું તે અનુસાર તેઓ કરશે તે વિષે તેણે શંકા કરી નહીં. તેને બદલે તેણે ઈશ્વર પર વધુ દ્રઢ વિશ્વાસ રાખ્યો, અને ઈશ્વર જે કરવાના હતા તે માટે તેણે ઈશ્વરનો આભાર માન્યો.
\v 21 ઇબ્રાહિમને એ પણ ખાતરી હતી કે, ઈશ્વરે જે કંઈ પણ વચન આપ્યું હતું તે પૂર્ણ કરવા તેઓ સમર્થ હતા.
\v 22 અને તે જ કારણને લીધે ઈશ્વરે ઇબ્રાહિમને તેમના પોતાના સંબંધમાં ન્યાયી ગણ્યો.
\p
\s5
\v 23 "ઈશ્વરે તેને તેમના પોતાના સંબંધમાં ન્યાયી ગણ્યો, કારણ કે તેણે તેમના પર વિશ્વાસ કર્યો" એ શાસ્ત્રનું વચન કેવળ ઇબ્રાહિમના માટે જ નથી.
\v 24 તે વચનો આપણા સંબંધમાં પણ લખવામાં આવ્યાં હતાં, કે જેઓને ઈશ્વર પોતાના સંબંધમાં ન્યાયી ગણશે, કારણ કે આપણે તેમના પર વિશ્વાસ કરીએ છીએ કે જેમણે પ્રભુ ઈસુને તેમના મરણ પામ્યા પછી ફરી જીવતા કર્યા છે.
\v 25 આપણા ખરાબ કાર્યોને લીધે, માણસો દ્વારા તેમને મારી નાખવામાં આવે તેવું ઈશ્વરે થવા દીધું. અને ઈશ્વરે ઈસુને સજીવન કર્યા કારણ કે ઈશ્વર પોતાના સંબંધમાં આપણને ન્યાયી ઠરાવવા ચાહતા હતા.
\s5
\c 5
\p
\v 1 ઈશ્વરે આપણને ન્યાયી ઠરાવ્યા છે કારણ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ. તેથી હાલ આપણે ઈશ્વરની સાથે સમાધાન પામ્યા છીએ.
\v 2 ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે તેને કારણે ઈશ્વરે આપણા માટે ત્યાં જવાનું નવું દ્વાર ઉઘાડ્યું છે, જ્યાં તેઓ આપણા પ્રતિ દયાળુ હશે. તેથી આપણે આનંદ કરીએ છીએ કારણ કે આપણે દ્રઢ આશા રાખીએ છીએ કે ઈશ્વર તેમની મહાનતા આપણી સાથે ખુશીથી વહેંચશે.
\s5
\v 3 ખ્રિસ્ત સાથે જોડાયેલા હોઈને જ્યારે આપણે સહન કરીએ છીએ ત્યારે આપણે આનંદ પણ કરીએ છીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે સહન કરીએ છીએ ત્યારે ધીરજથી સહન કરવાનું શીખીએ છીએ.
\v 4 અને આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ધીરજથી સહન કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણને માન્ય કરે છે. અને જ્યારે આપણે જાણીએ છીએ કે ઈશ્વર આપણને માન્ય કરે છે, ત્યારે આપણે દ્રઢપણે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ આપણે માટે મહાન બાબતો કરશે.
\v 5 અને આપણને ખાતરી છે કે જે બાબતોની રાહ આપણે જોઈએ છીએ તે આપણને મળશે, કારણ કે ઈશ્વર આપણને ઘણો પ્રેમ કરે છે. તેમનો પવિત્ર આત્મા જે તેમણે આપણને આપ્યો છે તે આપણને સમજાવે છે કે ઈશ્વર આપણને કેટલો બધો પ્રેમ કરે છે.
\p
\s5
\v 6 જ્યારે આપણે પોતાની જાતને બચાવવા અસમર્થ હતા, અને આપણે ઈશ્વરને સહેજ પણ માન આપતા ન હતા ત્યારે એ તો ખ્રિસ્ત હતા કે જે ઈશ્વરના પસંદ કરેલા સમયે આપણે માટે મરણ પામ્યા.
\v 7 બીજી વ્યક્તિને માટે કોઈ જવલ્લે જ મરણ પામે, પછી ભલેને તે માણસ ન્યાયી હોય, જો કે એક સારી વ્યક્તિને માટે કોઈ મરવા હિમ્મત ચલાવે.
\s5
\v 8 તોપણ, ઈશ્વર માટે તો, તેઓ આપણને પ્રેમ કરે છે તે દર્શાવવાની રીત એ હતી કે જ્યારે આપણે ઈશ્વરની સામે બંડ પોકારી રહ્યા હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા.
\v 9 તેથી આપણે વધારે ચોક્કસ છીએ કે ખ્રિસ્ત આપણને પાપ પ્રત્યેના ઈશ્વરના કોપથી બચાવશે, કારણ કે ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા અને પોતાનું રક્ત આપણા પાપોને માટે વહેવડાવ્યું તે કારણે આપણે ખ્રિસ્તમાં ન્યાયી છીએ.
\s5
\v 10 વળી જ્યારે આપણે તેમના શત્રુઓ હતા ત્યારે ઈશ્વરે આપણને તેમના મિત્રો બનાવ્યા કારણ કે તેમનો પુત્ર આપણા માટે મરણ પામ્યો. ખ્રિસ્ત સજીવન થયા છે માટે એ બાબત વધુ ચોક્કસ બની છે કે ખ્રિસ્ત આપણને બચાવશે.
\v 11 અને એટલું જ નહીં, આપણે હાલ આનંદ પણ કરીએ છીએ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે તેથી આપણને ઈશ્વરના મિત્રો બનાવવામાં આવ્યા છે!
\p
\s5
\v 12 સર્વ લોકો પાપી છે કારણ કે લાંબા સમય અગાઉ પ્રથમ માણસ આદમ જેને ઈશ્વરે ઉત્પન્ન કર્યો હતો તેણે પાપ કર્યું. તેણે પાપ કર્યું માટે કાળક્રમે તે મરણ પામ્યો. તેથી તે સમયથી લઈને જે સર્વ લોકો જીવી ગયા તેઓ ત્યારથી પાપી છે, અને તેઓ સર્વ મરણ પામે છે.
\v 13 ઈશ્વરે મૂસાને પોતાનો નિયમ આપ્યો તે અગાઉ જગતના લોકોએ પાપ કર્યું હતું, પરંતુ નિયમની વિરુદ્ધ પાપનું ભાન થવાનો કોઈ રસ્તો નહતો.
\s5
\v 14 પરંતુ આપણે જાણીએ છીએ કે આદમ જીવતો હતો તે ત્યારથી માંડીને મૂસાના સમય સુધી, સર્વ માણસોએ પાપ કર્યું અને તેના પરિણામે તેઓ મરણ પામ્યા. દરેક વ્યક્તિ મરણ પામી, આદમની માફક જેઓએ સીધે સીધા ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ન હતું તેઓ પણ મરણ પામ્યા. આદમના પાપે સર્વને અસર કરી, તેમ ખ્રિસ્ત, કે જેઓ પાછળથી આવ્યા તેઓએ જે કર્યું તે પણ સર્વ લોકોને અસર પહોંચાડે છે.
\v 15 પરંતુ જે ભેટ ઈશ્વર આપે છે તે આદમના પાપ જેવી નથી. કારણ કે આદમે પાપ કર્યું તેથી દરેક મનુષ્ય મરણ પામે છે. પણ બીજા એક માણસ ઈસુ ખ્રિસ્ત આપણા સર્વને માટે મરણ પામ્યા તે કારણે ઈશ્વર આપણને, જો કે આપણે તેને લાયક નથી તોપણ તેમની દયાથી અનંતજીવનની ભેટ આપે છે.
\s5
\v 16 બીજી એક રીતે પણ ઈશ્વરની ભેટ આદમના પાપથી અલગ છે. આદમે પાપ કર્યું તેથી, તેના પછીના સર્વ લોકોએ પાપ કર્યું, અને તેથી ઈશ્વરે જાહેર કર્યું કે સર્વ લોકો શિક્ષાને પાત્ર છે. પણ કૃપાની એક ભેટ તરીકે ઈશ્વર પોતાની સાથે ન્યાયી બનવાની ભેટ આપે છે.
\v 17 એક માણસ આદમે જે કર્યું તેથી સર્વ લોકો મરે છે, પણ હવે આપણામાંના ઘણા અનુભવે છે કે ઈશ્વરે પોતાની કૃપામાં આપણને બહુ મહાન ભેટ આપી છે કે જેના માટે આપણે લાયક નથી અને તેમણે આપણને પોતાની સાથે ન્યાયી ઠરાવ્યા છે. વળી તે પણ એટલું ચોક્કસ છે કે આપણે સ્વર્ગમાં ખ્રિસ્તની સાથે રાજ કરીશું. એક માણસ એટલે ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું તેથી આ પ્રમાણે બનશે.
\p
\s5
\v 18 તેથી એક માણસ આદમે ઈશ્વરના નિયમનું ઉલ્લંઘન કર્યું માટે સર્વ માણસો શિક્ષાને પાત્ર ઠર્યા. તે જ રીતે, એક માણસ એટલે કે ઈસુ જેઓ જીવ્યા અને મરણ પામ્યા અને એમ કરવા દ્વારા ઈશ્વરને આધીન થઈને ન્યાયીપણે વર્ત્યા, તેને લીધે ઈશ્વર સર્વને ન્યાયીપણાનું અને સર્વકાળ જીવવાનું દાન આપે છે.
\v 19 તે એટલા માટે કે એક માણસ આદમે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તેથી ઘણા માણસો પાપી બન્યા. તે જ રીતે એક માણસ એટલે ઇસુ, મરણ પામવા દ્વારા ઈશ્વરની આજ્ઞાને આધીન થયા જેથી તેઓ ઘણાઓને ન્યાયી ઠરાવે.
\s5
\v 20 ઈશ્વરે મૂસાને પોતાનું નિયમશાસ્ત્ર આપ્યું કે જેથી લોકોને ભાન થાય કે તેમણે કેટલાં ભયંકર પાપ કર્યાં હતાં; પણ જેમ લોકોએ વધારે પાપ કર્યાં તેમ, જેને માટે તેઓ યોગ્ય ન હતા તેમની સાથે ઈશ્વરે વધારે કૃપાથી વર્તવાનું ચાલુ રાખ્યું.
\v 21 તેમણે એ પ્રમાણે એટલા માટે કર્યાં કે જેથી પાપ કરવાને લીધે લોકો મરણ ન પામે, પણ તેમની કૃપાળુ ભેટ લોકોને ઈશ્વરની સાથે ન્યાયી ઠરાવે. પછી ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુએ તેમને માટે જે કર્યું છે તેને લીધે તેઓ અનંતકાળ સુધી જીવી શકે.
\s5
\c 6
\p
\v 1 મેં જે લખ્યું તેના પ્રત્યુત્તરમાં કદાચ કોઈ કહે કે, ઈશ્વર આપણા પ્રત્યે દયાભાવથી વર્ત્યા છે તેથી, કદાચ આપણે પાપ કરવાનું ચાલુ રાખવું જોઈએ, કે જેથી તેમની ભલાઈ વધતી જાય.
\v 2 ના, જરાય નહીં! આપણે તો મૃત્યુ પામેલા લોકો જેવા છીએ, જેઓ હવે કંઈ ખરાબ કરી શકતા નથી. તેથી આપણે પાપ કરવાનું ચાલુ ન રાખવું જોઈએ.
\v 3 જ્યારે આપણે ખ્રિસ્ત ઈસુ સાથે જોડાઈને બાપ્તિસ્મા પામ્યા ત્યારે, ઈશ્વરે આપણને ખ્રિસ્તની સાથે વધસ્તંભ પર મરણ પામતા જોયા. શું તમે આ નથી જાણતા?
\s5
\v 4 તેથી, જ્યારે આપણે બાપ્તિસ્મા પામ્યા ત્યારે ઈશ્વરે આપણને પણ ખ્રિસ્ત સાથે તેમની કબરમાં જોયા. ઈશ્વર પિતાએ પોતાના સામર્થ્યથી ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડ્યા; એ જ રીતે, તેમણે આપણા માટે જીવનને એક નવી રીતે જીવવાનું શક્ય બનાવ્યું.
\v 5 તેથી, જ્યારે ખ્રિસ્ત મરણ પામ્યા ત્યારે જેમ ઈશ્વર આપણને તેમની સમાનતામાં જુએ છે તેમ તેઓ આપણને તેમની સાથે મરણ પામેલાઓમાંથી પણ ઉઠાડશે.
\s5
\v 6 આપણા પાપી સ્વભાવનો અંત લાવવા ઈશ્વર આપણ પાપીઓને ખ્રિસ્ત સાથે વધસ્તંભ ઉપર મરણ પામેલા તરીકે જુએ છે. એટલે હવે પછી આપણે પાપ કરવાનું હોય નહીં.
\v 7 કેમ કે જે કોઈ વ્યક્તિ મરણ પામી છે તેણે હવે પાપ કરવાનું નથી.
\s5
\v 8 હવે જ્યારે ઈશ્વર આપણને ખ્રિસ્તની સાથે મરણ પામેલા તરીકે જુએ છે, તેથી આપણે માનીએ છીએ કે આપણે તેમની સાથે જીવીશું પણ ખરા.
\v 9 આપણે જાણીએ છીએ કે ઈશ્વરે ખ્રિસ્તને મરણ પામ્યા પછી સજીવન થવા સમર્થ કર્યા, તેથી ખ્રિસ્ત ફરી કદી મરણ પામશે નહીં. કોઈ પણ બાબત ક્યારેય તેમનું મરણ નિપજાવવા સમર્થ બનશે નહીં.
\s5
\v 10 જ્યારે તેઓ મરણ પામ્યા ત્યારે તેઓ આપણા પાપી જગતથી મુક્ત થયા, અને હવે તેઓ ફરી કદી મરણ પામશે નહીં; તેથી હવે જ્યારે તેઓ જીવે છે ત્યારે ઈશ્વરની સેવા કરવા જીવે છે.
\v 11 તે જ પ્રમાણે, તમારે તમારી જાતને જેમ ઈશ્વર જુએ છે તેમ જોવી જોઈએ એટલે કે તમે હવે પછી પાપ કરવા માટે અસમર્થ એવા મૃત્યુ પામેલા લોકો છો; પણ તમે ઈશ્વરની સેવા માટે જીવતા અને ખ્રિસ્ત ઈસુ સાથે જોડાયેલા એવા જીવંત લોકો પણ છો.
\s5
\v 12 તેથી જ્યારે તમને પાપ કરવાની ઇચ્છા થાય, ત્યારે તમે જે ઇચ્છો છો તે કરવા તમારી જાતને છૂટ આપશો નહીં. યાદ રાખો કે તમારું શરીર એક દિવસ મરણ પામશે.
\v 13 કંઈ પણ દુષ્ટ બાબત કરવા માટે તમારા શરીરના કોઈ અવયવોનો ઉપયોગ કરશો નહીં. તેને બદલે, મરણના સામ્રાજ્યમાંથી મુક્ત થયેલા તમે પોતાની જાતોને ઈશ્વરને સોંપો. તમારા શરીરના પ્રત્યેક ભાગને ઈશ્વરના માટે વાપરો. ન્યાયી બાબતો કરવા ઈશ્વરને તમારો ઉપયોગ કરવા દો.
\v 14 જ્યારે તમને પાપ કરવાની ઇચ્છા થાય ત્યારે પાપ ન કરો! ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા તે નિયમોએ તમને પાપ કરવાનું બંધ કરવા માટે સમર્થ કર્યા નહીં. પણ હવે ઈશ્વર તમને નિયંત્રિત કરે છે અને પાપ ન કરવા કૃપા આપી સહાય કરે છે.
\p
\s5
\v 15 આ બાબત પરથી આપણે કદાચ એમ વિચારીએ કે ઈશ્વરે મૂસાને આપેલા નિયમોએ આપણને પાપ કરવાનું બંધ કરવા માટે સમર્થ કર્યા નહીં તે કારણે અને ગમે તેમ પણ, ઈશ્વર આપણા પ્રત્યે કૃપાથી વર્તે છે, માટે ઈશ્વર આપણને પાપ કરવાની જરાય છૂટ આપતા નથી!
\v 16 જો તમે કોઈને આધીન થવાનું સ્વીકારો, તો તમે તેના દાસ બનો છો. જો તમે પાપ કરવાની ઇચ્છા રાખો અને તેને આધીન થાઓ તો તમે પાપના ગુલામ બનો છો અને પરિણામે મરણ પામો છો. પણ જો તમે ઈશ્વરને આધીન થાઓ, તો તમે તેમના દાસ બનો છો, પરિણામે, ઈશ્વર જે ઈચ્છે છે તેવી સારી બાબતો તમે કરશો.
\s5
\v 17 ભૂતકાળમાં તમે જે રીતે ઇચ્છ્યું તે રીતે પાપ કર્યું અને તમે પાપના દાસ હતા. પણ પછી ખ્રિસ્તે તમને જે શીખવ્યું તેને હૃદયપૂર્વક આધીન થવાનું તમે શરુ કર્યું. તે માટે હું ઈશ્વરનો આભાર માનું છું.
\v 18 તેથી હવે તમારે પાપ કરવાની જરૂર નથી; પાપ હવે તમારો માલિક નથી. તેને બદલે તમે ઈશ્વર જેઓ ન્યાયી છે તેમના દાસ છો.
\s5
\v 19 સામાન્ય લોકો પણ સમજી શકે તેવી ભાષામાં હું તમને લખું છું. ભૂતકાળમાં તમે તમારી ઇચ્છાના ગુલામ હતા, તેથી તમે સર્વ પ્રકારની અશુદ્ધ અને ખરાબ બાબતો કરી. પણ હવે જેમ ઈશ્વર ન્યાયથી વર્તે છે, તેમ ન્યાયથી વર્તો કે જેથી તેઓ તમને પોતાના ખાસ લોકો તરીકે પોતાને માટે અલગ કરે.
\v 20 તે સાચું છે કે ભૂતકાળમાં, તમે ઈશ્વરના સામર્થ્ય અને ન્યાયીપણાથી સ્વતંત્ર હોય તેમ વર્ત્યા (કારણ કે તમારા ખરાબ મને તમને જે કરવા કહ્યું તે તમે કર્યું). જે બાબતો ખરી હતી તે તમારે કરવાની ફરજ પડતી નહોતી.
\v 21 પણ તમે પાપના ગુલામ હોવા છતાં ઈશ્વરે તમને પાપથી સ્વતંત્ર કર્યા છે અને તમને પોતાના સેવકો બનાવ્યા છે. પરિણામે તમે પવિત્ર થતા જાઓ છો અને તેનું પરિણામ એ છે કે તમે સર્વકાળ તેમની સાથે જીવશો.
\s5
\v 22 પણ હવે તમારે પાપ કર્યા કરવાની જરૂર નથી. તમે હવે તે પ્રમાણે દાસ નથી. તેને બદલે તમે ઈશ્વરના દાસ બન્યા છો. બદલામાં, તેમણે તમને તેમના પોતાના લોકો તરીકે સ્થાપિત કર્યા છે અને તેઓ તમને પોતાની સાથે સદાકાળને માટે જીવવા દેશે.
\v 23 જેઓ સર્વ તેમનાં ખરાબ મનોના કહેવા પ્રમાણે કરે છે, તેમને બદલો પણ મળે છે, પણ તે વેતન તો મરણ છે. તેઓ સદાકાળને માટે ઈશ્વરથી દૂર રહેશે. પણ ઈશ્વરના સંબંધમાં જોઈએ તો, તેઓ પોતાના દાસોને કોઈ વેતન ચૂકવતા નથી. પણ તેથી ઊલટું, તેઓ આપણને મફત ભેટ આપે છે: ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ સાથે જોડાઈને ઈશ્વર સાથે સર્વકાળ જીવવાની તક આપે છે.
\s5
\c 7
\p
\v 1 મારા સાથી વિશ્વાસીઓ, તમે નિયમો સંબંધી જાણો છો. માટે તમે ચોક્કસ જાણો છો કે લોકો જ્યારે જીવિત હોય ત્યારે જ ફક્ત તેઓએ નિયમશાસ્ત્રને આધીન થવાનું હોય છે.
\s5
\v 2 ઉદાહરણ તરીકે, એક સ્ત્રીએ જ્યાં સુધી તેનો પતિ જીવે છે ત્યાં સુધી તેને વફાદાર રહેવું જોઈએ. પણ જો તેનો પતિ મરણ પામે તો ત્યાર પછી હવે તેણે લગ્ન કરેલી તરીકે વર્તવાનું રહેતું નથી. નિયમ તેને લગ્નની જવાબદારીઓમાંથી મુક્ત કરે છે.
\v 3 તેથી જો તેનો પતિ જીવતો હોય અને તે બીજા પુરુષ પાસે જાય, તો તે વ્યભિચારિણી કહેવાશે. પણ જો તેનો પતિ મરી જાય, તો પછી હવે તેણે તે નિયમને પાળવાનો રહેતો નથી. પછી જો તે લગ્ન કરે તો તે વ્યભિચારિણી નથી.
\s5
\v 4 એ જ પ્રમાણે મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે ખ્રિસ્ત સાથે વધસ્તંભ પર મરણ પામ્યા, ત્યાર બાદ ઈશ્વરનો નિયમ તમને અંકુશમાં લઈ શકતો નથી. તમે ખ્રિસ્ત સાથે જોડાવા મુક્ત હતા કે જેથી તમે ઈશ્વરને મહિમા આપી શકો. તમે આ પ્રમાણે કરી શકો છો કારણ કે તમે ફરીથી સજીવન થયા છો. ઈશ્વરે તમને ખ્રિસ્ત સાથે જોડ્યા છે, અને તેમણે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડ્યા છે.
\v 5 જ્યારે આપણા ખરાબ વિચારો પ્રમાણે આપણે કાર્ય કરતા હતા અને જ્યારે આપણે ઈશ્વરના નિયમને જાણ્યો, ત્યારે આપણે વધુ અને વધુ પાપ કરવા ચાહતા હતા. તેથી આપણે ખરાબ કાર્યો કર્યાં કે જેને લીધે આપણે સદાકાળને માટે ઈશ્વરથી અલગ થઈ ગયા.
\s5
\v 6 પણ હવે ઈશ્વરે આપણને મૂસાનો નિયમ પાળવામાંથી મુક્ત કર્યા છે એટલે કે જાણે આપણે મરણ પામ્યા છીએ અને નિયમ આપણને કહી શકતો નથી કે આપણે શું કરવું. ઈશ્વરે આપણા માટે આ કર્યું છે કે જેથી જેમ નિયમની માગણી હતી તેમ જૂની રીતે નહીં પણ તેના કરતાં આત્મા આપણને બતાવે તેમ એક નવી રીતે આપણે તેમનું ભજન કરીએ.
\p
\s5
\v 7 શું આપણે એવું કહી શકીએ કે, જો લોકો ઈશ્વરના નિયમોને જાણે તો તેમને વધારે પાપ કરવાનું મન થાય? તો પછી તે નિયમો પોતે જ ખરાબ હોવા જોઈએ. ના, કદાપિ નહીં! નિયમ ખરાબ નથી! પણ એ સાચું છે કે જ્યાં સુધી મેં નિયમ દ્વારા એ જાણ્યું ના હોત તો પાપ શું છે તેની મને ખરેખર ખબર ન પડત. ઉદાહરણ તરીકે, જ્યાં સુધી નિયમે મને જણાવ્યું ન હોત કે, "જે તારું નથી તેનો લોભ ન રાખ" તો જે મારું નથી તેનો લોભ રાખવો તે ખરાબ બાબત છે તે મેં જાણ્યું ન હોત.
\v 8 અને તે આજ્ઞાએ મને જણાવ્યું તે કારણે, જે બીજાઓનું છે તેનો લોભ રાખવાની મારી પાપી ઇચ્છાએ મને ઘણી રીતે લોભ કરવા પ્રેર્યો. પણ જ્યાં નિયમ નથી ત્યાં પાપ નથી.
\s5
\v 9 અગાઉ, જ્યારે હું જાણતો ન હતો કે નિયમની માગણી શું છે ત્યારે હું જે કરતો હતો તેની ચિંતા કર્યા વગર હું પાપ કરતો હતો. પણ જ્યારે મને ખબર પડી કે, ઈશ્વરે આપણને પોતાનો નિયમ આપ્યો છે, ત્યારે અચાનક મને ભાન થયું કે હું પાપ કરી રહ્યો છું.
\v 10 અને મને સમજ પડી કે હું ઈશ્વરથી અલગ હતો. જે નિયમ, જો હું તેને પાળું તો, મને સદાકાળનું જીવન મળવું જોઈતું હતું, પણ તેને બદલે તે મને મરણ તરફ લઇ જતો હતો.
\s5
\v 11 જ્યારે હું પાપ કરવા ઇચ્છતો હતો, ત્યારે મેં વિચાર્યું કે જો હું નિયમને પૂરી રીતે પાળું તો હું સદાકાળ જીવીશ. પણ એ મારી ભૂલ હતી એટલે કે મેં વિચાર્યું કે તેની સાથે હું પાપ કરવાનું ચાલુ રાખી શકીશ. વાસ્તવમાં તો હું ખરેખર નિયમને આધીન ન થયો તે કારણે ઈશ્વર મને પોતાનાથી હંમેશને માટે દૂર કરવાના હતા.
\v 12 તેથી આપણે જાણીએ છીએ કે ઈશ્વરે મૂસાને જે નિયમ આપ્યો તે સંપૂર્ણ રીતે સારો હતો. ઈશ્વર આપણને જે દરેક બાબત કરવાની આજ્ઞા કરે છે તે કોઇ પણ જાતની ક્ષતિ વિનાની, ન્યાયી અને સારી છે.
\p
\s5
\v 13 તો પછી શું આપણે એમ કહી શકીએ કે જે નિયમ ઈશ્વરે મૂસાને આપ્યો, જે સારો છે, તેણે આપણને ઈશ્વરથી દૂર કર્યા! નિશ્ચે, નિયમે એ પ્રમાણે કર્યું નથી! પણ તેને બદલે નિયમ તો સારો છે, તેણે હું પાપ કરવા પ્રેરાયો ત્યારે, તેના પરિણામે મને ખબર પડી કે હું ઈશ્વરથી ઘણો દૂર હતો. અને ઈશ્વરે મને જે આજ્ઞા કરી હતી તે હું શીખેલો હતો તેને કારણે મને ખબર પડી કે જે હું કરી રહ્યો હતો તે સાચે જ પાપરૂપ હતું.
\p
\v 14 આપણે જાણીએ છીએ કે નિયમ ઈશ્વર પાસેથી આવેલો છે અને તે આપણો સ્વભાવ બદલે છે. પણ હું એક એવો માણસ છું જેનો સ્વભાવ પાપ કરવા તરફ છે. જાણે કે, પાપ કરવાની મારી ઇચ્છાના ગુલામ બનવા મારા પર દબાણ કરવામાં આવ્યું હોય એના જેવું હતું એટલે કે મારી ઇચ્છા મને જે કરવાનું કહેતી હતી તે મારે કરવું પડતું હતું.
\s5
\v 15 હું જે કરતો હતો તે ઘણીવાર હું સમજતો ન હતો. એટલે કે, ક્યારેક હું સારું કરવા ઇચ્છતો, પણ હું તે કરતો ન હતો. અને ક્યારેક જે ખરાબ બાબતો જેને હું ધિક્કારતો તે જ હું કરતો હતો.
\v 16 તેથી જે ખરાબ બાબત હું કરવા ઇચ્છતો નથી તે હું કરું છું, ત્યારે હું સ્વીકારું છું કે ઈશ્વરનો નિયમ મને યોગ્ય માર્ગમાં દોરે છે.
\s5
\v 17 તેથી, હું પાપ કરવા ઇચ્છું છું માટે હું પાપ કરું છું એવું નથી. પણ તેથી ઊલટું, હું પાપ કરું છું કારણ કે મારામાં પાપ કરવાની જે ઇચ્છા છે તે મને પાપ કરવા પ્રેરે છે.
\v 18 હું જાણું છું કે જ્યારે હું મારા પોતાના સ્વભાવ પ્રમાણે કરું છું ત્યારે હું કંઈ પણ સારું કરી શકતો નથી. હું આ જાણું છું કારણ કે હું જે સારું છે તે કરવા માગું છું પણ હું જે સારું છે તે કરતો નથી.
\s5
\v 19 જે સારું હું કરવા ચાહું છું તે હું કરતો નથી. તેને બદલે જે ખરાબ હું કરવા માગતો નથી તે કરું છું.
\v 20 જે ખરાબ હું કરવા ઇચ્છતો નથી તે જ્યારે હું કરું છું, ત્યારે ખરેખર તે હું નથી કે જે આ બાબતો કરે છે. પણ તેને બદલે મારો સ્વભાવ જે પાપ કરવા ચાહે છે તે મને પાપ કરાવે છે.
\v 21 તેથી મને એવું માલૂમ પડે છે કે, જ્યારે હું જે સારું છે તે ઇચ્છું છું ત્યારે એક દુષ્ટ ઇચ્છા મારામાં હોય છે જે મને સારું કરતાં અટકાવે છે.
\s5
\v 22 મારા નવા સ્વભાવમાં હું ઈશ્વરના નિયમ વિષે બહુ ખુશ છું.
\v 23 તેમ છતાં, મને એવો આભાસ થાય છે કે મારા શરીરમાં એક જુદું જ બળ છે. હું મારા મનથી જે કરવાની ઇચ્છા ધરાવું છું, તેની વિરુદ્ધ તે કામ કરે છે, અને મારો જૂનો પાપી સ્વભાવ જે કરવાની ઇચ્છા ધરાવે છે તે કરવાની ફરજ પાડે છે.
\s5
\v 24 જ્યારે હું આ વિષે વિચાર કરું છું, ત્યારે મને લાગે છે કે હું કેવો અધમ માણસ છું. કોઈક મને મારા શરીરની ઇચ્છાઓથી મુક્ત કરે તેવી અગત્ય છે, કે જેથી હું ઈશ્વરથી અલગ ન થઇ જાઉ.
\v 25 હું ઈશ્વરનો આભાર માનું છું કે આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્ત દ્વારા તેઓ આપણને આપણી દૈહિક ઈચ્છાના અંકુશમાંથી મુક્ત કરે છે. તેથી હું મારા મનથી એક તરફ ઈશ્વરના નિયમને આધીન થવા માંગું છું. પણ ઘણીવાર હું આપણી પાપી ઇચ્છાઓને પણ મારા જૂના પાપી સ્વભાવના અંકુશમાં આવવા દઉં છું.
\s5
\c 8
\p
\v 1 તેથી, જેઓ ખ્રિસ્ત ઈસુની સાથે જોડાયેલા છે તેઓને ઈશ્વર દોષિત ઠરાવીને શિક્ષા કરશે નહીં.
\v 2 આપણે ખ્રિસ્ત ઈસુની સાથે જોડાયા છીએ માટે ઈશ્વરનો આત્મા આપણને નવી રીતે જીવવા શક્તિમાન કરે છે. આ રીતે, જ્યારે મને પાપ કરવાનો વિચાર આવે ત્યારે હવે હું પાપ કરનાર નથી, અને હવે ઈશ્વરથી અલગ પણ થનાર નથી.
\s5
\v 3 ઈશ્વરની સાથે જીવન જીવવાને માટે આપણે ઈશ્વરના નિયમને આધીન થવા પ્રયત્ન કર્યો, પણ આપણે એ કરી શકીશું એમ વિચારવું નકામું હતું, આપણે પાપ કરવાનું બંધ કરી શકીએ જ નહીં. તેને બદલે ઈશ્વરે આપણને મદદ કરી એટલે કે તેમણે તેમના પોતાના દીકરાને જગતમાં મોકલ્યો કે તેમનો દીકરો આપણા પાપોનું પ્રાયશ્ચિત કરે. તેમનો દીકરો આ જગતમાં એક શરીર ધારણ કરીને આવ્યો, જે શરીર આપણા જેવું પાપ કરી શકે તેવું હતું. તેમનો દીકરો આપણા પાપોના બલિદાન અર્થે પોતાની જાતનું અર્પણ કરવા માટે આવ્યો. જ્યારે દીકરાએ આ પ્રમાણે કર્યું, ત્યારે તે દ્વારા તેણે એ પણ દર્શાવ્યું કે આપણા પાપો ખરેખર ખરાબ હતાં, અને દરેક જે પાપ કરે છે તે શિક્ષાને પાત્ર છે.
\v 4 તેથી, ઈશ્વરે પોતાના નિયમમાં જે માગણી કરી હતી તે સઘળું હવે આપણે પરિપૂર્ણ કરી શકીએ છીએ. આપણે આપણા જૂના પાપી સ્વભાવની ઇચ્છાઓ પ્રમાણે કાર્ય કરીને નહિ, પણ તેને બદલે, ઈશ્વરનો આત્મા જેમ ઇચ્છે છે કે આપણે જીવીએ, તે પ્રમાણે જીવવા દ્વારા આપણે તે કરી શકીએ છીએ.
\v 5 જે લોકો પોતાના દુષ્ટ સ્વભાવ પ્રમાણે જીવે છે તેઓ એવાં વલણો તરફ જ ધ્યાન આપે છે. પણ, તેથી વિરુદ્ધ જેઓ ઈશ્વરનો આત્મા જે ઇચ્છે છે તે પ્રમાણે જીવે છે, તેઓ આત્માની બાબતો વિષે વિચારે છે.
\s5
\v 6 જેઓ પોતાના દુષ્ટ સ્વભાવની ઇચ્છાઓ વિષે વિચારે છે અને તેને માટે કાળજી કરે છે, તેઓ સર્વકાળ જીવશે નહીં. પણ, જેઓ ઈશ્વરના આત્માની ઇચ્છા શી છે તે શોધે છે તેઓ સર્વકાળ જીવશે અને શાંતિમાં રહેશે.
\v 7 મને આ સમજાવવા દો. જેટલા પ્રમાણમાં લોકો પોતાની ખરાબ ઇચ્છાઓ પ્રમાણે કરવા ચાહે છે, તેટલા જ પ્રમાણમાં તેઓ ઈશ્વરની વિરુદ્ધ વર્તે છે. તેઓ તેમના નિયમને આધીન થતા નથી. ખરેખર તો, તેઓ તેમના નિયમને આધીન થવા સમર્થ પણ નથી.
\v 8 જે લોકો પોતાના ખરાબ સ્વભાવ અનુસાર કાર્ય કરે છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.
\s5
\v 9 પણ આપણે આપણા જૂના ખરાબ સ્વભાવને આપણા પર અંકુશ ધરાવવા દેવો જોઈએ નહીં, પણ તેને બદલે, ઈશ્વરના આત્માને આપણા પર અંકુશ ધરાવવા દઈએ, કારણ કે તે આપણામાં રહે છે. જો ખ્રિસ્ત પાસેથી આવતો આત્મા લોકોમાં રહેતો ન હોય તો તે લોકો ખ્રિસ્તના નથી.
\v 10 પણ ખ્રિસ્ત પોતાના આત્મા દ્વારા તમારામાં જીવે છે માટે ઈશ્વર તમારાં શરીરોને મરેલાં ગણે છે, તેથી તમારે હવે પછી પાપ કરવાનું રહેતું નથી. અને તેઓ તમારા આત્માને જીવંત તરીકે નિહાળે છે, કારણ કે તેમણે તમને તેમની પોતાની સાથે ન્યાયી ગણ્યા છે.
\s5
\v 11 ઈશ્વરે ઈસુને મરણ પામ્યા પછી સજીવન કર્યા. અને તેમનો આત્મા તમારામાં રહે છે તે કારણે ઈશ્વર તમારાં શરીરો, જે હવે નક્કી મરણ પામવાનાં છે, તેમને પણ સજીવન કરશે. તેમણે ખ્રિસ્તને મરણ પામ્યા પછી સજીવન કર્યા, અને તેઓ તમને પોતાના આત્મા દ્વારા સજીવન કરશે.
\p
\s5
\v 12 તેથી, મારા સાથી વિશ્વાસીઓ, આપણે આત્માની દોરવણી પ્રમાણે જીવવા બંધાયેલા છીએ. આપણે આપણા જૂના પાપી સ્વભાવની ઇચ્છા પ્રમાણે જીવવા બંધાયેલા નથી.
\v 13 જો તમે તમારા જૂના ખરાબ સ્વભાવની માગણી અનુસાર જીવો, તો ઈશ્વરની સાથે સર્વકાળ નહીં જીવશો. પણ જો આત્મા તમને એ બધી બાબતો કરતાં અટકાવે, તો તમે સદાકાળ જીવશો.
\p
\s5
\v 14 આપણે જેઓ ઈશ્વરના આત્માને આધીન છીએ તેઓ ઈશ્વરનાં બાળકો છીએ.
\v 15 કેમ કે, તમે ભયમાં જીવો એવો આત્મા તમને મળ્યો નથી. તમે પોતાના માલિકોથી ડરતા દાસો જેવા નથી. તેથી ઊલટું, ઈશ્વરે તમને પોતાનો આત્મા આપ્યો છે, અને તેમના આત્માએ આપણને ઈશ્વરનાં બાળકો બનાવ્યાં છે. તે આત્મા હવે આપણને "તમે મારા પિતા છો!" એમ કહીને ઈશ્વરને પોકારવામાં મદદ કરે છે.
\s5
\v 16 પવિત્ર આત્મા પણ આપણો આત્મા જે કહે છે તેનું સમર્થન કરે છે કે આપણે ઇશ્વરનાં બાળકો છીએ.
\v 17 આપણે ઈશ્વરનાં બાળકો છીએ તેથી, આપણે પણ એક દિવસ ઈશ્વરે આપણને જે આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરીશું. અને ખ્રિસ્તની સાથે તે બધું પ્રાપ્ત કરીશું. પણ, ઈશ્વર આપણને માન આપે માટે આપણે પણ જેમ ખ્રિસ્તે દુઃખ સહન કર્યું તેમ દુઃખ સહન કરવું જોઈએ.
\p
\s5
\v 18 હું માનું છું કે વર્તમાન સમયમાં જે દુઃખો આપણે સહન કરીએ છીએ તે ધ્યાન આપવા યોગ્ય નથી, કારણ કે ભાવિ મહિમા જે ઈશ્વર આપણને પ્રગટ કરશે તે ઘણો મોટો હશે.
\v 19 જે બાબતો ઈશ્વરે ઉત્પન્ન કરી છે તેઓ બહુ આતુરતાથી તે સમયની રાહ જુએ છે કે જ્યારે ઈશ્વર તેમનાં ખરાં બાળકો કોણ છે તે પ્રગટ કરશે.
\s5
\v 20 ઈશ્વરે જે ઇચ્છા રાખી હતી તે પ્રાપ્ત કરવાથી તેમણે પોતે ઉત્પન્ન કરેલી બાબતોને દૂર રાખી. તે બાબતો નિષ્ફળ જવા માગતી હતી માટે તે થયું એવું નથી. પણ તેથી ઊલટું, ઈશ્વરે તે બાબતોને એવી બનાવી કારણ કે તેઓ ખાતરીબદ્ધ હતા
\v 21 કે એક દિવસે તેમણે ઉત્પન્ન કરેલી બાબતો નાશ કે સડો નહીં પામે અને તૂટી નહીં પડે. આ બાબતોને તેઓ તેમાંથી મુક્ત કરશે, કે જેથી તેઓ પોતાનાં બાળકો માટે જે વસ્તુઓ કરવાના છે તેવી જ અદભુત વસ્તુઓ આ બાબતોને માટે કરી શકે.
\v 22 આપણે જાણીએ છીએ કે હમણાં સુધી તો ઈશ્વરે ઉત્પન્ન કરેલી સર્વ બાબતો સાથે મળીને જાણે નિસાસા નાંખે છે, અને તેઓ ચાહે છે કે તેઓ તેમને એવી જ અદ્દભુત બાબતો બનાવે. પણ હમણાં તો કોઈ સ્ત્રી બાળકને જન્મ આપતાં પહેલાં જે કષ્ટ પામે છે, તેના જેવું છે.
\s5
\v 23 તે બાબતો જ નિસાસા નાખે છે એમ નથી, પણ આપણે પોતે પણ આંતરિક રીતે નિસાસા નાખીએ છીએ. આપણે જેમની પાસે ઈશ્વરનો આત્મા છે તે આત્મા આંશિક ભેટ જેવો છે જે આપણને મળ્યો છે, અને ઈશ્વરે આપણને જે આપવા ઠરાવ્યું છે તે પ્રાપ્ત કરવાની રાહ જોતાં આપણે અંદરથી નિસાસા નાખીએ છીએ. ઈશ્વરનાં દત્તક બાળકો તરીકે આપણા પૂર્ણ અધિકારો જ્યારે આપણે પ્રાપ્ત કરીશું તે સમયની આતુરતાપૂર્વક રાહ જોતાં આપણે નિસાસા નાખીએ છીએ. જે બાબતો આ પૃથ્વી પર આપણને અડચણકારક છે તેમાંથી આપણા શરીરોને મુક્ત કરવાની બાબતનો પણ આમાં સમાવેશ થાય છે. આપણને નવાં શરીરો આપવા દ્વારા ઈશ્વર એ પ્રમાણે કરશે.
\v 24 કેમ કે તેમનામાં આપણને ભરોસો હતો માટે ઈશ્વરે આપણો બચાવ કર્યો. જે બાબતોને માટે આપણે રાહ જોઈએ છીએ તે જો આપણી પાસે હોત તો તેને માટે વધારે રાહ જોવાની જરૂર ન હોત. છેવટે તો તમે જે બાબત મેળવવાની અપેક્ષા રાખતા હો તે તમને મળી જાય તો, તમારે તેને માટે રાહ જોવાની જરૂર નથી.
\v 25 પણ જે બાબતો હજી આપણને પ્રાપ્ત થઇ નથી તેને આતુરતાથી મેળવવાની અપેક્ષા આપણે રાખીએ છીએ તે કારણે આપણે આતુરતાથી અને ધીરજથી તેને માટે રાહ જોઈએ છીએ.
\p
\s5
\v 26 તે જ પ્રમાણે જ્યારે આપણે નબળા હોઈએ છીએ ત્યારે ઈશ્વરનો આત્મા આપણી સહાય કરે છે. કઈ બાબતને માટે પ્રાર્થના કરવી યોગ્ય છે તે આપણે જાણતા નથી. પણ ઈશ્વરનો આત્મા જાણે છે; કેમ કે તે આપણા માટે પ્રાર્થના કરે છે અને તે શબ્દોમાં અભિવ્યક્ત કરી ન શકાય તેવી રીતે નિસાસા નાખે છે.
\v 27 ઈશ્વર કે જેઓ આપણા આંતરિક વલણો અને મનને તપાસે છે તેઓ પોતાના આત્માની ઇચ્છાઓ સમજે છે. તેમનો આત્મા આપણ જેઓ ઈશ્વરના છીએ તેઓ માટે, જેમ ઈશ્વર ચાહે છે તેમ જ પ્રાર્થના કરે છે.
\s5
\v 28 અને આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે તેઓને માટે, ઈશ્વર સર્વ બાબતોને એવી રીતે ગોઠવે છે કે તેઓ તેમને હિતકારક બને. જેઓને તેમણે પસંદ કર્યા છે તેઓને માટે તેઓ આ બાબતો કરે છે, કેમ કે તેમણે તે જ કરવાનું ઇચ્છ્યું હતું.
\v 29 ઈશ્વરે અગાઉથી જાણ્યું હતું કે આપણે તેમના પર વિશ્વાસ કરીશું. આપણે તે લોકો છીએ કે જેઓને ઈશ્વરે અગાઉથી નક્કી કર્યા હતા કે તેમના દીકરાના ચારિત્ર્ય જેવું આપણું ચારિત્ર્ય હોય. પરિણામ એ છે કે ખ્રિસ્ત ઈશ્વરના પ્રથમજનિત દીકરા છે અને જેઓ ઈશ્વરનાં બાળકો છે તેઓ ઈસુના નાના ભાઈઓ છે.
\v 30 અને જેઓ માટે ઈશ્વરે અગાઉથી નક્કી કર્યું કે તેઓ તેમના દીકરાના જેવા થાય, તેઓને તેમણે પોતાની સાથે રહેવાને માટે બોલાવ્યા પણ ખરા. અને જેઓને પોતાની સાથે રહેવાને બોલાવ્યા તેઓને ઈશ્વરે ન્યાયી પણ ઠરાવ્યા. અને તમને જેઓને ન્યાયી ઠરાવ્યામાં આવ્યા તેઓને ઈશ્વર માન પણ આપશે.
\p
\s5
\v 31 તેથી, હું તમને જણાવીશ કે આ સર્વ બાબતો કે જે ઈશ્વર આપણા માટે કરે છે તેમાંથી આપણે શું શીખવું જોઈએ. ઈશ્વર આપણા વતી કાર્ય કરે છે તે કારણે કોઈ આપણી વિરુદ્ધ જીતી શકતું નથી!
\v 32 ઈશ્વરે તેમના પોતાના દીકરા ઇસુને પાછા રાખ્યા નહીં, પણ તેમને ક્રૂરતાથી મારી નાખવા બીજાઓના હાથમાં સોંપી દીધા કે જેથી આપણે સર્વ જેઓ તેમના પર વિશ્વાસ કરીએ છીએ તેઓ તેમના મરવાથી લાભ પ્રાપ્ત કરી શકે. ઈશ્વરે તે કર્યું છે તે કારણસર તેઓ આપણને ઈશ્વર માટે જીવવા જેની જરૂર છે તે સર્વ બાબતો ચોક્કસ મફત આપશે.
\s5
\v 33 ઈશ્વર સમક્ષ કોઈ આપણી પર ખોટું કરવાનો આરોપ મૂકી શકતું નથી કારણ કે તેઓએ જ આપણને પોતાની સાથે ન્યાયી ઠરાવ્યા છે.
\v 34 હવે આપણને કોઈ દોષિત ઠરાવી શકે તેમ નથી. એ ખ્રિસ્ત જ છે જેઓ આપણા માટે મરણ પામ્યા અને તેના કરતાં વિશેષ, ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં પણ આવ્યા અને તેઓ ઈશ્વરની સાથે મહિમાના સ્થાનમાં રાજ કરે છે, અને તેઓ જ આપણા માટે વિનંતી કરે છે.
\s5
\v 35 જો કે કોઈ આપણને દુઃખ આપે, કે આપણને નુકસાન પહોંચાડે, અથવા આપણી પાસે કંઈ ખાવાનું ન હોય કે પછી પહેરવાના પૂરતાં વસ્ત્રો ના હોય કે આપણે જોખમકારક પરિસ્થિતિમાં જીવતા હોઈએ અથવા કોઈ આપણને મારી નાખે તો પણ ખરેખર કોઈપણ વ્યક્તિ કે કંઈપણ બાબત ખ્રિસ્ત આપણને પ્રેમ કરતાં અટકે તેમ કરી શકતી નથી!
\v 36 આવી બાબતો આપણા માટે બની શકે છે, જેમ લખવામાં આવ્યું છે કે, દાઉદે ઈશ્વરને કહ્યું, "અમે તમારા લોકો છીએ માટે, બીજાઓ વારંવાર અમને મારી નાખવાનો પ્રયત્ન કરે છે, જેમ કસાઈ ઘેટાંને માત્ર કાપવા માટેનાં પશુઓ ગણે છે તેમ તેઓ અમને પણ મારી નાખવા યોગ્ય ગણે છે."
\s5
\v 37 પણ જો કે આ બધી ખરાબ બાબતો આપણી સાથે બને, તો પણ આપણે આ બધી બાબતો પર જીત પામીએ છીએ, કારણ કે ખ્રિસ્ત આપણને પ્રેમ કરે છે અને આપણી સહાય કરે છે.
\v 38 હું સંપૂર્ણપણે ખાતરી પામ્યો છું કે, મૃત્યુનું સામ્રાજ્ય કે જીવન કે સ્વર્ગદૂતો કે દુષ્ટાત્માઓ કે વર્તમાનકાળની ઘટનાઓ કે ભવિષ્યકાળની ઘટનાઓ, કે શક્તિશાળી તાકાતો,
\v 39 આકાશમાંની કે તેની નીચેની શક્તિશાળી બાબતો કે બીજું કંઈ પણ જેને ઈશ્વરે સર્જ્યું છે તે ઈશ્વરને આપણાં પર પ્રેમ કરતાં અટકાવી શકતું નથી. ઈસુ ખ્રિસ્ત આપણાં પ્રભુને આપણા માટે મરણ પામવા મોકલીને ઈશ્વરે આપણને દર્શાવ્યું છે કે તેઓ આપણને પ્રેમ કરે છે.
\s5
\c 9
\p
\v 1 હું ખ્રિસ્તની સાથે જોડાયેલો છું માટે હું તમને સત્ય કહું છું. હું જૂઠ્ઠું બોલતો નથી! મારું અંતઃકરણ મને ખાતરી આપે છે કારણ કે હું પવિત્ર આત્માના નિયંત્રણમાં છું.
\v 2 હું તમને કહું છું કે મારા સાથી ઇઝરાયલીઓ માટે મને ભારે અને ઊંડી વેદના થાય છે.
\s5
\v 3 જો મારા સાથી ઇઝરાયલીઓ, મારા સ્વાભાવિક સંબંધીઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તો તે માટે ઈશ્વરનો શાપ વહોરવા અને ખ્રિસ્તથી સદાકાળ અલગ થવા હું અંગત રીતે તૈયાર છું.
\v 4 તેઓ મારા જેવા જ ઇઝરાયલીઓ છે. ઈશ્વરે પોતાનાં બાળકો થવા તેમને પસંદ કર્યા. પોતે કેવા અદભુત છે તે ઈશ્વરે તેઓને જ બતાવ્યું છે. એ તો તેઓ જ છે કે જેમની સાથે ઈશ્વરે કરારો કર્યા; એ તેઓ જ છે કે જેઓને ઈશ્વરે નિયમ આપ્યો; એ તેઓ જ છે કે જેઓની પાસે ઈશ્વરનું ભજન કરવાની બાબત છે. તેઓને જ ઈશ્વરે ઘણી બાબતોનાં વચનો આપ્યાં છે.
\v 5 આપણા પૂર્વજો, ઇબ્રાહિમ, ઇસહાક, અને યાકૂબને આપણા રાષ્ટ્રની શરૂઆત કરવા ઈશ્વરે પસંદ કર્યા. અને સૌથી મહત્વનું એ છે કે આપણ ઇઝરાયલીઓમાંથી જ ખ્રિસ્ત માનવ દેહે જન્મ્યા. ઈસુ એકલા જ સર્વકાળ સ્તુતિ કરવા યોગ્ય ઈશ્વર છે! આ સત્ય છે!
\p
\s5
\v 6 ઈશ્વરે ઇબ્રાહિમ, ઇસહાક, અને યાકૂબને આશાવચન આપ્યું હતું કે તેમના વંશજો ઈશ્વરના સર્વ આશીર્વાદોનો વારસો પ્રાપ્ત કરશે. પણ, જો કે મોટા ભાગના મારા સાથી ઇઝરાયલીઓએ ખ્રિસ્તનો નકાર કર્યો, તોપણ તે બાબત એવું સાબિત કરતી નથી કે ઈશ્વર પોતાના આપેલ વચન સંબંધી નિષ્ફળ ગયા છે. કારણ કે જેઓ યાકૂબના વંશમાંથી ઊતરી આવ્યા છે અને જેઓ પોતાને ઇઝરાયલી લોકો એટલે કે ઈશ્વરના પોતાના ખરા લોકો ગણે છે, તેઓ બધા જ યાકૂબના વંશજો નથી.
\v 7 અને જેઓ ઇબ્રાહિમના શારીરિક વંશજો છે તેઓમાંના બધાને ઈશ્વર ઇબ્રાહિમના ખરા વંશજો ગણતા નથી. તેની વિરુદ્ધ, તેઓમાંના કેટલાકને જ ઈશ્વર ઇબ્રાહિમના ખરા વંશજો ગણે છે. તેમણે ઇબ્રાહિમને જે કહ્યું તેને આ બાબત સમર્થન આપે છે: "તારા બીજા પુત્રોને નહીં પણ ઇસહાકને જ હું તારા વંશજોનો ખરો પિતા ગણીશ."
\s5
\v 8 હું જે કહેવા માગું છું તે એ છે કે, ઇબ્રાહિમના વંશજોમાંના બધા જ લોકો એવા નથી જેઓને ઈશ્વર તેમના પોતાના લોકો તરીકે સ્વીકારે છે. તેને બદલે, જ્યારે ઈશ્વરે ઇબ્રાહિમના વંશજોને વચન આપ્યું ત્યારે તેમના મનમાં જે લોકો હતા કેવળ તેઓ જ ઈશ્વરના લોકો છે અને આ એ જ લોકો છે જેઓને તેઓ ઇબ્રાહિમના ખરા વંશજો અને તેમનાં પોતાનાં બાળકો ગણે છે.
\v 9 ઈશ્વરે ઇબ્રાહિમને આ વચન આપ્યું હતું: "આવતા વર્ષે લગભગ આ સમયે હું તારી પાસે પાછો આવીશ, અને તારી પત્ની સારા, દીકરાને જન્મ આપશે." ઈશ્વરે આ પ્રમાણે વચન આપ્યું અને તેમણે તે પ્રમાણે કર્યું.
\s5
\v 10 જ્યારે ઇબ્રાહિમના દીકરા ઇસહાકની પત્ની રિબકાએ જોડકાં ને જન્મ આપ્યો ત્યારે તેના સંબંધમાં પણ એવું જ બન્યું.
\v 11 જોડિયાં બાળકો, યાકૂબ અને એસાવ જન્મ્યા તે અગાઉ,
\v 12 બાળકોએ કંઈ પણ સારું કે ખરાબ કર્યું હતું તે અગાઉ, ઈશ્વરે રિબકાને કહ્યું, "સ્વાભાવિક રિવાજની વિરુદ્ધ, મોટો દીકરો નાનાની ચાકરી કરશે." ઈશ્વરે આ એટલા માટે કર્યું કે જેથી આપણે આ સમજીએ કે જ્યારે તેઓ કંઈક કરવાનું આયોજન કરે છે ત્યારે જેઓને તેઓ પસંદ કરવા ચાહે તે લોકોને તેઓ પસંદ કરે છે અને તેઓએ ઈશ્વર માટે કંઇ કર્યું છે એટલા માટે પસંદ કરતા નથી.
\v 13 ઈશ્વરે શાસ્ત્રવચનમાં કહ્યું છે તેમ: "મેં નાના દીકરા યાકૂબને પસંદ કર્યો. મેં મોટા દીકરા એસાવને નાપસંદ કર્યો."
\p
\s5
\v 14 કોઈક મને પૂછી શકે કે, "કેટલાક ખાસ લોકોને પસંદ કરવામાં શું ઈશ્વર અન્યાયી છે?" હું પ્રત્યુત્તરમાં કહીશ કે "તેઓ સાચે જ અન્યાયી નથી!"
\v 15 ઈશ્વરે મૂસાને કહ્યું, "હું જેને પસંદ કરું તેના પર હું દયા કરીશ અને સહાય કરીશ!"
\v 16 લોકો ઇચ્છે કે ઈશ્વર તેમને પસંદ કરે અથવા તેઓ તેમને પ્રસન્ન કરવા સખત મહેનત કરે તે કારણે ઈશ્વર લોકોને પસંદ કરતાં નથી. તેથી ઊલટું, તેઓ લોકોને પસંદ કરે છે કારણ કે જેઓ લાયક નથી તેઓ પર તેઓ પોતે દયા કરે છે.
\s5
\v 17 મૂસાએ નોંધ્યું તેમ, ઈશ્વરે ફારુનને કહ્યું કે, "મેં તને ઈજિપ્તનો રાજા એ માટે બનાવ્યો છે કે હું તારી વિરુદ્ધ લડું અને વિશ્વમાં દરેક જણ મારું સન્માન જાળવવા બીજાઓને મદદ કરે."
\v 18 તેથી આપણે જાણીએ છીએ કે ઈશ્વર ચાહે તેના પ્રત્યે દયા દર્શાવી શકે અને સહાય કરી શકે છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ઈશ્વર જેઓને ચાહે તેઓને ફારુનની માફક હઠીલા બનાવી શકે છે.
\p
\s5
\v 19 તમારામાંનો કોઈ કદાચ મને કહે, "કારણ કે લોકોએ શું કરવું તે ઈશ્વર સમય અગાઉ નક્કી કરે છે અને ઈશ્વર જે ઇચ્છે છે તેનો કોઈ વિરોધ કરી શકતું નથી તો, પછી જેઓ પાપ કરે છે તેઓને ઈશ્વર શિક્ષા કરે તે બરાબર નથી."
\v 20 મારો જવાબ આ હશે: "તું કેવળ એક માનવી છે, તેથી ઈશ્વરની ટીકા કરવાનો તને કોઈ હક નથી! તેઓ તો એક માટીના વાસણ ઘડનાર જેવા છે. વાસણને તેના ઘડનારને પૂછવાનો અધિકાર નથી કે "તેં શા માટે મને આવું બનાવ્યું?"
\v 21 તેથી ઊલટું, કુંભારને ચોક્કસ એવો અધિકાર છે કે તે માટીનો ગારો લે અને તેના ભાગમાંથી કિંમતી વાસણ બનાવે કે જેની લોકો મોટી કિંમત આંકે અને પછી બાકીના ભાગની માટીનું દરરોજના વપરાશનું સામાન્ય વાસણ બનાવે. ચોક્કસ ઈશ્વરને તેવો જ અધિકાર છે.
\s5
\v 22 જો કે ઈશ્વર એવી ઇચ્છા રાખે છે કે તેઓ પાપ વિષે ગુસ્સે છે તેવું બતાવે, અને જો કે તેઓ એ સ્પષ્ટ કરવા માગે છે કે જેઓએ પાપ કર્યું છે તે લોકોને ભારે શિક્ષા કરી શકે છે, તો પણ જેઓએ તેમને ગુસ્સે કર્યા છે અને જેઓ નાશ પામવા યોગ્ય છે, તેઓને તેમણે ઘણી ધીરજથી સહન કર્યા છે.
\v 23 ઈશ્વર એટલા માટે ધીરજવાન રહ્યા છે કે, તેઓ એ સ્પષ્ટ કરવા માગે છે કે જેઓના પ્રત્યે તેમને દયા છે, અને જેઓને તેમણે સમય અગાઉથી તૈયાર કર્યા હતા કે તેઓ તેમની સાથે રહે, તેઓ પ્રત્યે તેઓ કેવા અદ્દભુત રીતે વર્તે છે.
\v 24 તેનો અર્થ થાય છે કે તે લોકો આપણે એટલે કે ફક્ત યહૂદીઓને જ નહિ પણ બિન યહૂદીઓ પણ જેઓને તેમણે પસંદ કર્યા તેઓ છીએ.
\s5
\v 25 ઈશ્વરને યહૂદીઓ અને બિન યહૂદીઓ બંનેમાંથી પસંદગી કરવાનો અધિકાર છે, જેમ હોશિયા પ્રબોધકે લખ્યું છે તેમ:
\q1 "ઘણા જેઓ મારા લોકો નહોતા, હું કહીશ કે તેઓ મારા લોકો છે.
\q1 ઘણા લોકો જેઓને મેં અગાઉ પ્રેમ કર્યો નહોતો, તેઓને હું કહીશ કે હવે હું તેઓને પ્રેમ કરું છું."
\p
\v 26 અને બીજા એક પ્રબોધકે લખ્યું: "જ્યાં ઈશ્વરે અગાઉ તેઓને કહ્યું હતું કે, 'તમે મારા લોક નથી,'
\q1 તે જ જગ્યાઓમાં તેઓને કહેવામાં આવ્યું કે તેઓ ખરા ઈશ્વરનાં બાળકો બનશે."
\p
\s5
\v 27 વળી યશાયાએ પણ ઇઝરાયેલીઓ વિષે આશ્ચર્ય અનુભવ્યું કે: "જો કે ઇઝરાયલીઓ ગણી શકાય નહી એટલી સંખ્યામાં, સમુદ્રની રેતીના જેટલા હોય તો પણ, તેઓમાંથી થોડાકને જ બચાવવામાં આવશે,
\v 28 કારણ કે, જે પ્રમાણે તેમણે કરવા કહ્યું હતું તેમ, પ્રભુ તે દેશમાં રહેનારા લોકોને જલદી અને સંપૂર્ણપણે શિક્ષા કરશે."
\p
\v 29 યશાયાએ આ પણ લખ્યું કે, "જો સ્વર્ગના સૈન્યોના પ્રભુએ દયા કરીને આપણામાંના કેટલાક વંશજોને જીવતા રહેવા દીધા ના હોત તો, આપણે સદોમ અને ગમોરા શહેરો જેમનો તેમણે સંપૂર્ણ નાશ કર્યો તેમની માફક નાશ પામ્યા હોત."
\p
\s5
\v 30 આપણે સારાંશરૂપે કહી શકીએ: જો કે બિનયહૂદીઓ પવિત્ર થવાનો પ્રયાસ કરતા નહોતા, તોપણ તેઓએ શોધી કાઢ્યું કે જો તેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશે તો, ઈશ્વર તેઓને પોતાની સાથે ન્યાયી ઠરાવશે.
\v 31 પણ ઇઝરાયેલીઓએ તો ઈશ્વરના નિયમો પાળવા દ્વારા પવિત્ર થવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ તેવા થઇ શક્યા નહીં.
\s5
\v 32 તેઓ એમ કરી શક્યા નહીં, કારણ કે તેઓએ કૃત્યો દ્વારા ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો. ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વર તેમને માફી આપશે તેવો વિશ્વાસ ઈશ્વર પર કરવાનું તેમણે નકાર્યું ત્યારે તેઓએ ભૂલ કરી.
\v 33 જેમ પ્રબોધકે કહ્યું હતું તેમ થયું: "સાંભળો! હું ઇઝરાયેલમાં એક માણસને મૂકું છું જે એક પથ્થરના જેવો છે, જેના પર લોકો ઠોકર ખાશે. તે જે કરશે તેથી લોકો ગુસ્સે થશે. તો પણ, જેઓ તેના પર વિશ્વાસ કરશે તે શરમાશે નહીં."
\s5
\c 10
\p
\v 1 મારા સાથી વિશ્વાસીઓ, હું અંત:કરણથી ઇચ્છા રાખું છું અને ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરું છું કે તેઓ મારા યહૂદી લોકોને બચાવે.
\v 2 હું તેઓના વિષે સત્યતાથી જાહેર કરું છું કે, જો કે તેઓ આતુરતાથી ઈશ્વરને શોધે છે, તો પણ યોગ્ય રીતે ઈશ્વરને કેવી રીતે શોધવા તે તેઓ સમજી શકતા નથી.
\v 3 તેઓ જાણતા નથી કે ઈશ્વર લોકોને પોતાની સાથે કેવી રીતે ન્યાયી ઠરાવે છે. તેઓ પોતાને ઈશ્વર સાથે યોગ્ય બનાવવા માગે છે તેથી ઈશ્વર તેમને માટે જે કરવા માંગે છે તેને તેઓ સ્વીકારતા નથી.
\s5
\v 4 ખ્રિસ્તે સંપૂર્ણપણે નિયમનું પાલન કર્યું કે જેથી જેઓ તેમનામાં વિશ્વાસ કરે તેઓને તે ઈશ્વરની સાથે ન્યાયી ઠરાવે. તેથી નિયમ હવે જરૂરી નથી.
\p
\v 5 મૂસાએ તે લોકો વિષે લખ્યું જેઓએ ઈશ્વરના બધા જ નિયમો પાળવાનો પ્રયત્ન કર્યો કે જે કહે છે કે "જે લોકોએ સંપૂર્ણપણે નિયમશાસ્ત્રની માગણી પ્રમાણે કાર્ય કર્યું છે તેઓ સદાકાળ જીવશે."
\s5
\v 6 પરંતુ જેઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તે કારણે ઈશ્વરે તેઓને પોતાની સાથે ન્યાયી ઠરાવ્યા તેઓને મૂસા કહે છે, ખ્રિસ્તને આપણી પાસે નીચે લાવવા, "કોઈએ સ્વર્ગમાં જવાનો પ્રયત્ન ન કરવો જોઈએ,"
\v 7 મૂસા તેઓને આ પણ કહે છે: "ખ્રિસ્તને આપણા માટે મૂએલામાંથી પાછા લાવવા માટે, " નીચે, જ્યાં મૃત્યુ પામેલા લોકો છે ત્યાં જવાની કોઈએ કોશિશ ન કરવી જોઈએ".
\s5
\v 8 પણ તેને બદલે, જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓ મૂસાએ જે લખ્યું તે કહી શકે કે: "તમે ઈશ્વરના સંદેશ વિષે બહુ સહેલાઈથી શોધી કાઢી શકો. તમે તેમના સંબંધી વાત કરી શકો અને તે સંબંધી વિચારી શકો છો." આ તે જ સંદેશો છે જે અમે પ્રગટ કરીએ છીએ એટલે કે લોકોએ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ.
\v 9 આ સંદેશો તો એ છે કે, જો તમારામાંના કોઈ ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે તેમ કબૂલ કરે, અને તમે ખરેખર વિશ્વાસ કરો કે ઈશ્વરે તેમને મૂએલામાંથી ઉઠાડ્યા, તો તેઓ તમને બચાવશે.
\v 10 જો લોકો આ બાબતો પર વિશ્વાસ કરે તો, ઈશ્વર તેઓને પોતાની સાથે ન્યાયી ગણશે. અને જેઓ જાહેર કબૂલાત કરે કે ઈસુ પ્રભુ છે તેઓને ઈશ્વર બચાવશે.
\s5
\v 11 શાસ્ત્રમાં ખ્રિસ્ત સંબંધી લખ્યું છે કે, "જે કોઈ તેમનામાં વિશ્વાસ કરે છે તે નિરાશ થશે નહીં કે શરમાશે નહીં."
\v 12 આ રીતે, ઈશ્વર યહૂદીઓને અને બિન યહૂદીઓને સરખા ગણે છે. સર્વ લોકોને માટે તેઓ એક જ પ્રભુ છે કે જેના પર લોકો વિશ્વાસ કરે છે તે કારણે જેઓ તેમને મદદ કરવા કહે છે તે સર્વને તેઓ ઘણી મદદ કરે છે.
\v 13 શાસ્ત્ર જેમ કહે છે તેમ: "જેઓ પ્રભુ ઈશ્વરને પોકારે છે તેઓ સર્વને તેઓ બચાવશે."
\p
\s5
\v 14 મોટા ભાગના લોકોએ ચોક્કસપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નથી, અને કેટલાક લોકો સમજાવવાનો પ્રયત્ન કરે કે શા માટે તેઓએ વિશ્વાસ કર્યો નથી. તેઓ કહેશે, "જો પ્રથમ તેઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ન હોય તો લોકો તેમને મદદ કરવા કહી ન શકે! અને જો તેઓએ ખ્રિસ્ત સંબંધી સાંભળ્યું ન હોય તો તેઓ ચોક્કસપણે તેમના પર વિશ્વાસ કરી ન શકે! અને જો કોઈ ખ્રિસ્ત સંબંધી તેઓને ઉપદેશ ન કરે તો તેઓ તેમના સંબંધી જરૂર સાંભળી ન શકે!
\v 15 અને જો ઈશ્વર તેઓને મોકલતા નથી તો, જેઓ તેમને ખ્રિસ્ત સંબંધી ઉપદેશ કરી શકે તેઓ નિશ્ચિતપણે તેમ કરી શકતા નથી. પરંતુ જો અમુક વિશ્વાસીઓએ તેઓને ઉપદેશ કર્યો હોત, તો જેમ શાસ્ત્ર કહે છે તેમ બન્યું હોત: "જ્યારે લોકો આવીને શુભ સંદેશ પ્રગટ કરે તે અદભુત છે!'"
\s5
\v 16 જેઓ આ પ્રકારની વાતો કરે છે તેઓને હું આ રીતે જવાબ આપીશ: ઈશ્વરે ખ્રિસ્ત સંબંધી સંદેશ પ્રગટ કરવા ખરેખર લોકોને મોકલ્યા હતા. પણ બધા જ ઇઝરાયેલી લોકોએ શુભ સંદેશ પર ધ્યાન આપ્યું નથી! એ તો જ્યારે યશાયા બહુ નિરાશ થયો ત્યારે તેણે જે કહ્યું તેના જેવું છે: "હે પ્રભુ, અમે જે ઉપદેશ કર્યો તે જેઓએ સાંભળ્યો તેઓમાંના કોઈએ વિશ્વાસ કર્યો હોય એમ લાગતું નથી!"
\v 17 તો પછી, હું તમને કહું છું કે લોકો ખ્રિસ્ત વિષે સાંભળે છે તે કારણે તેમના પર વિશ્વાસ કરે છે, અને બીજાઓ ખ્રિસ્ત વિષે ઉપદેશ કરે છે તે કારણે લોકો સંદેશ સાંભળી રહ્યા છે!
\p
\s5
\v 18 પણ જો કોઈક તે લોકોને કહે કે, "ઇઝરાયેલીઓએ જરૂર આ સંદેશ સાંભળ્યો છે," તો હું કહીશ કે, "હા, ખરેખર! તે તો શાસ્ત્રવચન કહે છે તેના જેવુ છે:
\q1 "સમગ્ર દુનિયામાં રહેનારા લોકોએ સૃષ્ટિ જોઈ છે, અને તે ઈશ્વર વિષે જે સાબિત કરે છે તે જોયું છે અને પૃથ્વીના દૂરદૂરના ભાગોમાં રહેનારા લોકો પણ આ સમજ્યા છે!"
\p
\s5
\v 19 તેથી વિશેષ એ સાચું છે કે ઇઝરાયલીઓએ ખરેખર આ સંદેશ સાંભળ્યો છે. તેઓ તેને સમજ્યા પણ છે, પરંતુ તેઓએ તેના પર વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો. યાદ કરો કે લોકોને આ પ્રમાણે ચેતવણી આપનારામાં મૂસા પ્રથમ હતો. તેણે તેઓને જણાવ્યું કે ઈશ્વર આ પ્રમાણે કહે છે, "તમે માનો છો કે બિનયહૂદી રાષ્ટ્રો તો ખરાં રાષ્ટ્રો છે જ નહીં. પરંતુ તેઓમાંના કેટલાક મારા પર વિશ્વાસ કરશે, અને હું તેમને આશીર્વાદ આપીશ. ત્યારે તે લોકો જેમને તમે ધારો છો કે તેઓ મને સમજતા નથી, તેમની તમને ઈર્ષા આવશે અને તમે તેમના પર ગુસ્સે થશો."
\s5
\v 20 એ પણ યાદ કરો કે, ઈશ્વર યશાયા મારફતે બહુ હિમ્મતથી બોલ્યા છે કે, "બિનયહૂદીઓ જેમણે મને જાણવાની કોશિશ કરી નહીં તેઓ જરૂર મને શોધી કાઢશે! જેઓ મને પોકારતા નથી તેઓને હું જેવો છું તેવો ચોક્કસ પ્રગટ કરીશ"
\p
\v 21 પણ ઈશ્વર ઇઝરાયેલીઓ સંબંધી પણ કહે છે. તેઓ કહે છે, "જે લોકોએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો અને મારી વિરુદ્ધ બંડ કર્યું, તેઓને મારા ભણી પાછા આવવા આમંત્રિત કરવા મેં લાંબા સમય સુધી તેઓ તરફ મારા હાથ લાંબા કર્યા છે."
\s5
\c 11
\p
\v 1 તેથી મારે પૂછવું જોઈએ કે, "શું ઈશ્વરે તેમના યહૂદી લોકોને નકાર્યા છે?" તો જવાબ છે, "ચોક્કસપણે નહીં! યાદ રાખો કે હું પણ ઇઝરાયલી લોકોમાંનો છું. હું ઇબ્રાહિમના વંશનો છું, અને હું બિન્યામીનના કુળનો છું, પણ ઈશ્વરે મારો નકાર કર્યો નથી!
\v 2 ના, ઈશ્વરે તેમના લોકો જેઓને તેમણે અગાઉથી પસંદ કર્યા તેમને તજી દીધા નથી, કે જેથી તે તેઓને ખાસ રીતે આશીર્વાદ આપે. યાદ કરો કે જેમ શાસ્ત્ર કહે છે તેમ એલિયાએ ભૂલથી ઇઝરાયલી લોકો સંબંધી ઈશ્વરને ફરિયાદ કરી હતી કે:
\v 3 "પ્રભુ, તેઓએ તમારા બાકી રહેલા પ્રબોધકોને મારી નાખ્યા છે, અને તમારી વેદીઓનો નાશ કર્યો છે. તમારા પર વિશ્વાસ કરનાર, હું એકલો જ જીવતો રહ્યો છું, અને હવે તેઓ મને પણ મારી નાખવા માગે છે!"
\s5
\v 4 ઈશ્વરે તેને કંઈક આ રીતે જવાબ આપ્યો: "મને વિશ્વાસુ રહેનારાઓમાં તું એકલો જ બાકી રહ્યો છે એવું નથી. મેં મારે માટે ઇઝરાયલમાં સાત હજાર પુરુષોને કાળજીપૂર્વક રાખી મૂક્યા છે, કે જેઓએ જૂઠ્ઠા દેવ બઆલનું ભજન કર્યું નથી."
\v 5 એ જ પ્રમાણે, આપણ યહૂદીઓમાંના બાકી રહેલાનું જૂથ પણ છે જેઓ વિશ્વાસીઓ થયા છે. ઈશ્વરે આપણને વિશ્વાસીઓ બનવા ફક્ત એક જ કારણથી પસંદ કર્યા છે, કે જે બાબતોમાં આપણે લાયક નથી તેમાં તેઓ આપણી સાથે દયાળુપણે વર્તે.
\s5
\v 6 હવે જેઓને ઈશ્વર પસંદ કરે છે તેમની સાથે તેઓ કૃપાથી વર્તે છે, એનું કારણ એ નથી કે તેઓએ સારાં કામો કર્યાં છે, અને તેથી તેમણે તેઓને પસંદ કર્યા છે. જો લોકોએ સારાં કામો કર્યાં તે કારણે ઈશ્વરે તેઓને પસંદ કર્યા હોત, તો પછી, તેમણે તેઓ પ્રત્યે દયાથી વર્તવાની જરૂર ન હતી.
\p
\v 7 હવે ઈશ્વરે ફક્ત થોડા જ ઇઝરાયલીઓને પસંદ કર્યા, તે આપણને બતાવે છે કે મોટા ભાગના યહૂદીઓ જે શોધતા હતા તે પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા (જો કે જે યહૂદીઓને ઈશ્વરે પસંદ કર્યા તેઓને જે શોધતા હતા તે મળ્યું). ઈશ્વર તેઓને જે કહી રહ્યા હતા તે સમજવા મોટા ભાગના યહૂદીઓ તૈયાર નહોતા.
\v 8 યશાયા પ્રબોધકે જે સંબંધી લખ્યું હતું, બરાબર તેના જેવું જ એ છે: "ઈશ્વરે તેઓને હઠીલા થવા દીધા. ખ્રિસ્ત વિશેનું સત્ય તેઓ સમજી શકવા જોઈતા હતા, પણ તેઓ સમજી શક્યા નહીં. ઈશ્વર જ્યારે બોલે ત્યારે તેઓએ આધીન થવું જોઈએ, પણ તેઓ થયા નહીં. આજ સુધી તે પ્રમાણે જ છે."
\s5
\v 9 યહૂદીઓ, દાઉદ રાજાએ જે કહ્યું તેની એટલે કે જ્યારે તેણે ઈશ્વરને કહ્યું કે તેઓ તેના શત્રુઓની સમજણને બુઠ્ઠી બનાવે, તેની મને યાદ અપાવે છે: "તેમને પશુઓની માફક મૂર્ખ બનાવો કે જે જાળમાં કે ફાંદામાં ફસાય છે! તેઓ જાણે તેમની મિજબાનીઓમાં હોય તેવી સલામતી અનુભવે, પણ એ મિજબાનીઓ તમારા માટે તેમને ઝડપી લેવાના સમયો થાય, અને તેઓ પાપ કરે અને પરિણામે તમે તેમનો નાશ કરો.
\q1
\v 10 તેઓ જોખમ આવે ત્યારે તેને જોઈ ન શકે તેમ થવા દો. તેમની મુસીબતોમાં તેઓ દુઃખી થાય તેવું થવા દો."
\p
\s5
\v 11 હું પૂછું છું કે, "જ્યારે યહૂદીઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ નહી કરવાને લીધે પાપ કર્યું ત્યારે, તેનો અર્થ શું એ થયો કે તેઓ હંમેશા ઈશ્વરથી દૂર રહેશે?" તેનો જવાબ હું આપીશ કે, "ના, તેઓએ કાયમને માટે પોતાને ઈશ્વરથી અલગ કર્યા નથી! પણ ઊલટું, તેઓએ પાપ કર્યું તેથી ઈશ્વરે બિન યહૂદીઓને બચાવ્યા છે જેથી, જે રીતે તેઓ બિન યહૂદીઓને આશીર્વાદ આપે છે તેથી યહૂદીઓમાં ઈર્ષા પેદા થાય, અને તેથી તેઓ તેમના બચાવને માટે ખ્રિસ્તને પોકારે."
\v 12 જ્યારે યહૂદીઓએ ખ્રિસ્તનો નકાર કર્યો ત્યારે, પરિણામ એ આવ્યું કે ઈશ્વરે જગતના અન્ય લોકોને વિશ્વાસ કરવાની તક આપીને તેઓને ભરપૂરપણે આશીર્વાદ આપ્યો. અને જ્યારે યહૂદીઓ આત્મિક રીતે નિષ્ફળ ગયા ત્યારે, પરિણામ એ આવ્યું કે ઈશ્વરે બિન યહૂદીઓને ભરપૂર આશીર્વાદ આપ્યો. અને જો તે સાચું છે તો, વિચારો કે જ્યારે ઈશ્વરે પસંદ કરેલા બધા જ યહૂદીઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશે તે કેટલું અજાયબ હશે!
\p
\s5
\v 13 હવે તમો બિન યહૂદીઓને હું આ પ્રમાણે કહું છું. હું તમો બિન યહૂદીઓનો પ્રેરિત છું, અને ઈશ્વરે મને જે કાર્ય માટે નિયુક્ત કર્યો છે તેને હું અતિ મૂલ્યવાન ગણું છું.
\v 14 પરંતુ હું એવી પણ આશા રાખું છું કે મારી મહેનતથી હું મારા સાથી યહૂદીઓમાં ઈર્ષા ઉત્પન્ન કરીશ, પરિણામે, તેઓમાંના કેટલાક વિશ્વાસ કરે અને એમ તેમનો બચાવ થાય.
\s5
\v 15 ઈશ્વરે મોટા ભાગના મારા સાથી યહૂદીઓનો ઇનકાર કર્યો છે, કારણ કે તેઓએ વિશ્વાસ કરવાનો નકાર કર્યો, પરિણામે ઈશ્વરે જગતના અન્ય લોકો અને ઈશ્વરની વચ્ચે શાંતિ સ્થાપી. જો, મોટા ભાગના યહૂદીઓએ ખ્રિસ્તનો નકાર કર્યા પછી આવું બન્યું તો, વિચારો કે તેઓ તેમના પર વિશ્વાસ કરશે ત્યાર પછી કેટલું અજાયબ બનશે. જાણે કે તેઓ મૃત્યુના સામ્રાજ્યમાંથી ઉત્થાન પામ્યા હોય તેવી બાબત તે હશે!
\v 16 જો લોકો લોટના પ્રથમ હિસ્સામાંથી પકાવેલી રોટલી ઈશ્વરને અર્પણ કરે તો લોટનો આખો લોંદો ઈશ્વરનો બનશે, તેમ જ યહૂદીઓ ઈશ્વરનો હિસ્સો બનશે કારણ કે, તેમના પૂર્વજો ઈશ્વરના હતા. અને જો મૂળ ઈશ્વરનું છે તો ડાળીઓ પણ ઈશ્વરની બનશે, તેમ જ આપણા મહાન યહૂદી પૂર્વજોના વંશજો જેઓ ઈશ્વરના હતા, તેઓ પણ કોઈક દિવસે ઈશ્વરના બનશે.
\p
\s5
\v 17 જેમ લોકો ઝાડની સૂકી ડાળીઓને તોડી નાખે છે તેમ ઈશ્વરે ઘણા યહૂદીઓને નકાર્યા છે. અને બિન યહૂદીઓમાંના તમ દરેક જેઓનો ઈશ્વરે સ્વીકાર કર્યો છે તેઓ બિન કેળવાયેલ જૈતૂન ઝાડની ડાળીઓ જેવા છો, જેને કોઈકે કેળવાયેલ જૈતૂન વૃક્ષના થડ સાથે કલમ કરી છે. ઈશ્વરે આપણા પ્રથમ યહૂદી પૂર્વજોને જે આશીર્વાદો આપ્યા તેનો લાભ તમને પમાડ્યો છે, જેમ ડાળીઓ કેળવાયેલા જૈતૂન વૃક્ષના મૂળના રસનો લાભ મેળવે છે તેમ.
\v 18 તો પણ, તમારે બિન યહૂદીઓએ, ઈશ્વરે જેઓને નકાર્યા છે તે યહૂદીઓનો તિરસ્કાર કરવો ન જોઈએ, જો કે તેઓ વૃક્ષમાંથી કોઈએ તોડી નાખેલી ડાળીઓ જેવા હોય તો પણ ન કરવો જોઈએ! ઈશ્વરે તમારો કેવી રીતે બચાવ કર્યો તે સંબંધી તમે અભિમાન કરવા માગતા હો તો આ યાદ રાખો: ડાળીઓ મૂળને ખોરાક પૂરો પાડતી નથી, પણ તેને બદલે, મૂળ ડાળીઓને ખોરાક પૂરો પાડે છે. તે જ પ્રમાણે, તમે યહૂદીઓ પાસેથી જે પ્રાપ્ત કર્યું છે તેને કારણે ઈશ્વરે તમને સહાય કરી છે! યહૂદીઓને મદદ મળે તેવું કશું તમે આપ્યું નથી.
\s5
\v 19 કદાચ તમે મને કહેશો કે, "લોકો વૃક્ષ પરથી ખરાબ ડાળીઓને તોડી નાખીને ફેંકી દે તેમ ઈશ્વરે યહૂદીઓને ફેંકી દીધા છે, કે જેથી જેમ લોકો જંગલી જૈતૂનની ડાળીઓને એક સારા વૃક્ષના થડમાં જોડે છે તેમ ઈશ્વર આપણ બિનયહૂદીઓનો સ્વીકારે."
\v 20 મારો જવાબ એ હશે કે તે સાચું છે. તો પણ, યહૂદીઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નહીં માટે, ઈશ્વરે તેઓને તજી દીધા. તમારા સંબંધમાં તો, તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તેથી તમે મજબૂત છો! તેથી અભિમાન ન કરો, પણ ભય રાખો!
\v 21 તે અવિશ્વાસી યહૂદીઓ કે જેઓ એક વૃક્ષની કુદરતી ડાળીઓની જેમ મૂળમાંથી વૃદ્ધિ પામ્યા તેઓને ઈશ્વરે બચાવ્યા નહીં, તો તારે જાણવું કે, જો તું વિશ્વાસ ન કરે તો તેઓ તને પણ બચાવશે નહીં!
\p
\s5
\v 22 તો પછી એ નોંધો કે, ઈશ્વર દયાળુપણે વર્તે છે, તે સાથે તેઓ સખતાઈથી પણ વર્તે છે. જે યહૂદીઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો તેમના પ્રત્યે તેઓ સખતાઈથી વર્ત્યા છે. ઈશ્વર તમારા પ્રત્યે ભલાઈથી વર્ત્યા છે, પણ જો તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનું ચાલુ નહીં રાખો તો તેઓ સખતાઈથી વર્તશે.
\s5
\v 23 અને જો યહૂદીઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશે તો, ઈશ્વર પાછા તેઓને વૃક્ષમાં જોડશે, કારણ કે ઈશ્વર તેમ કરવા સમર્થ છે.
\v 24 તમે બિન યહૂદીઓ જેઓ અગાઉ ઈશ્વરથી અલગ હતા તેઓ, ઈશ્વરે યહૂદીઓને જે રીતે આશીર્વાદ આપ્યો છે તે રીતે તમે પણ લાભ પામ્યા છો. તે તો જાણે કે એ ડાળીઓ જેને કોઈએ જંગલી જૈતૂન વૃક્ષ કે જે કોઈએ રોપ્યા વગર વૃદ્ધિ પામ્યું તેમાંથી કાપી હોય અને લોકો સામાન્ય રીતે કરે છે તેથી વિરુદ્ધ, કેળવાયેલા જૈતૂન વૃક્ષમાં કલમ કરવામાં આવી હોય એવું છે. તેમ ઈશ્વર યહૂદીઓને વધારે તત્પરતાથી સ્વીકારશે, કારણ કે અગાઉ તેઓ તેમના જ હતા! તે તો જાણે અસલ ડાળીઓ કે જેને કોઈએ કાપી નાખી હોય અને તેઓને જૈતૂન વૃક્ષમાં કે જ્યાં તેઓ મૂળભૂત રીતે અગાઉ હતી તેમાં જોડવામાં આવી તેના જેવું હતું!
\p
\s5
\v 25 મારા બિનયહૂદી સાથી વિશ્વાસીઓ, હું ચોક્કસપણે ઇચ્છું છું કે, તમે આ ગુપ્ત સત્યને સમજો, કે જેથી તમે એમ ન વિચારો કે તમે બધું જ જાણો છો: બિન યહૂદીઓ જેમને ઈશ્વરે પસંદ કર્યા છે તેઓ ઈસુ પર વિશ્વાસ કરે ત્યાં સુધી, ઇઝરાયલના ઘણા લોકો હઠીલા થવાનું ચાલુ રાખશે.
\s5
\v 26 અને પછી ઈશ્વર સર્વ ઇઝરાયલને બચાવશે. ત્યારે શાસ્ત્ર સાચું ઠરશે:
\p "જે પોતાના લોકોને મુક્ત કરનાર છે તેઓ, ઈશ્વર જ્યાં છે ત્યાંથી એટલે યહૂદીઓ મધ્યેથી આવશે. તેઓ ઇઝરાયલી લોકોનાં પાપ માફ કરશે."
\p
\v 27 અને ઈશ્વર કહે છે,
\p "જે કરાર હું તેઓની સાથે કરીશ તે એવો હશે કે જે દ્વારા હું તેઓનાં પાપ માફ કરીશ."
\p
\s5
\v 28 યહૂદીઓએ ખ્રિસ્ત વિશેના શુભ સંદેશનો નકાર કર્યો અને હવે ઈશ્વર તેઓની સાથે શત્રુઓ જેવો વ્યવહાર કરે છે. પરંતુ તેથી તમને બિન યહૂદીઓને મદદ મળી છે. પરંતુ તેઓ ઈશ્વરના પસંદ કરેલા લોકો છે તે કારણે, અને તેમના પૂર્વજોને આપેલા વચનને કારણે ઈશ્વર હજુ તેઓને ચાહે છે.
\v 29 તેઓ હજુ તેમને પ્રેમ કરે છે, કારણ કે તેમને જે આપવાનું વચન તેમણે આપ્યું હતું, અને કેવી રીતે તેમણે તેઓને પોતાના લોકો ગણાવ્યા છે તે વિષે તેમનું મન કદી બદલ્યું નથી.
\s5
\v 30 તમે બિન યહૂદીઓ એક વખત ઈશ્વર પ્રત્યે અનાજ્ઞાંકિત હતા, પરંતુ હમણાં તેઓ તમારા પ્રત્યે દયાભાવથી વર્ત્યા છે કારણ કે યહૂદીઓ તેમના પ્રત્યે અનાજ્ઞાંકિત થયા છે.
\v 31 એ જ પ્રમાણે, હમણાં તેઓ ઈશ્વરને અનાજ્ઞાંકિત થયા છે. પરિણામ એ છે કે બરાબર એ જ રીતે, જેમ તેઓ તમારા પ્રત્યે દયાળુ રીતે વર્ત્યા છે તેમ, તેઓ તેમના પ્રત્યે પણ ફરીથી એવી રીતે વર્તશે.
\v 32 ઈશ્વરે જાહેર કર્યું છે અને સાબિત કર્યું છે કે સર્વ લોકો, યહૂદીઓ અને બિન યહૂદીઓ બન્ને તેઓ પ્રત્યે અનાજ્ઞાંકિત થયા છે. તેમણે જાહેર કર્યું છે કે તેઓ આપણ સર્વ પર દયા દર્શાવવા ચાહે છે.
\p
\s5
\v 33 હું અહોભાવ અનુભવું છું કે ઈશ્વરે જે જ્ઞાનભરી બાબતો કરી છે અને જે તેઓએ હંમેશાંથી જાણ્યું છે તે કેટલું મહાન છે! કોઈ તેમને પૂર્ણ રીતે સમજી કે જાણી શકે નહીં.
\v 34 શાસ્ત્ર જે કહે છે તેને હું યાદ કરું છું, "ઈશ્વર જે કંઈ વિચારે છે તે કોઈએ કદી જાણ્યું નથી, તેમને સલાહ આપવા કદી કોઈ સમર્થ થયું નથી."
\s5
\v 35 અને કોઈએ તેમને એવી રીતે કદી કશું આપ્યું નથી કે ઈશ્વરે તેને બદલો આપવો પડે."
\p
\v 36 ઈશ્વરે જ સઘળું ઉત્પન્ન કર્યું. તેઓ જ સર્વ બાબતોને નિભાવી રાખે છે. તેઓને ઉત્પન્ન કરવાનું કારણ એ હતું કે તેઓ તેમનું ભજન કરે. સર્વ લોકો સર્વકાળ તેમને મહિમા આપો. એ પ્રમાણે થાઓ!
\b
\s5
\c 12
\p
\v 1 મારા સાથી વિશ્વાસીઓ, ઈશ્વર તમારા પ્રત્યે અનેક રીતે દયાળુ રીતે વર્ત્યા છે તે કારણે, હું તમ સર્વને વિનંતી કરું છું કે તમે પોતાની જાતોને એક જીવંત અર્પણ તરીકે રજૂ કરો, એવું અર્પણ કે જે કેવળ ઈશ્વરને જ આપો છો અને જેનાથી ઈશ્વર પ્રસન્ન થાય છે. તેમનું ભજન કરવાનો એ જ એકમાત્ર સાચો રસ્તો છે.
\v 2 તમારે કેવી રીતે વર્તવું તે વિષે અવિશ્વાસીઓ તમને દોરે તેમ થવા ન દો. તેને બદલે ઈશ્વરને તમારી વિચારવાની રીત બદલીને નવી બનાવવા દો, એ માટે કે તમે જાણી શકો કે તેઓ તમારી પાસે શું કરાવવા માગે છે, તેથી તમે જાણી શકો કે જે રીતે તેઓ પોતે કાર્ય કરે છે તે કેવી રીતે કરવું કે જેથી તેઓ પ્રસન્ન થાય.
\p
\s5
\v 3 ઈશ્વરે તેમની દયાથી મને તેમનો પ્રેરિત નિયુક્ત કર્યો છે, કે જેને માટે હું યોગ્ય ન હતો, તે કારણે હું તમ સર્વને આ કહું છું: તમે છો તેના કરતાં વિશેષ પોતાને ન ગણો. તેના બદલે, જે રીતે ઈશ્વરે તમને તેમના પર વિશ્વાસ કરવા દોરવણી આપી તે જ રીતે તમારી જાત સંબંધી વિવેકપૂર્ણ રીતે વિચારો.
\s5
\v 4 જો કે એક વ્યક્તિને એક જ શરીર હોય છે, તો પણ તેમાં ઘણા અવયવો હોય છે. આ બધા ભાગો શરીરને માટે જરૂરી હોય છે, પરંતુ તેઓ બધા એક સરખું કાર્ય કરતા નથી.
\v 5 એ જ પ્રમાણે, આપણે જો કે ઘણા છીએ તો પણ આપણે એક જૂથમાં જોડાયેલા છીએ કારણ કે આપણે ખ્રિસ્તમાં જોડાયેલા છીએ, અને આપણે એકબીજાના છીએ. તેથી, કોઈએ પોતે બીજાથી વધુ મહત્વનો છે તે પ્રમાણે વર્તવું ન જોઈએ!
\s5
\v 6 તેને બદલે, ઈશ્વરે આપણને એકબીજાથી અલગ રીતે બનાવ્યા છે, અને આપણામાંના દરેક વિવિધ બાબતો કરી શકીએ છીએ તેથી, આપણે આતુરતાથી અને આનંદિત રીતે તે કરવું જોઈએ. આપણામાંના જેઓને ઈશ્વર બીજાઓને માટે સંદેશાઓ આપે છે તેઓએ એવી રીતે બોલવું જોઈએ કે જે ઈશ્વરમાં આપણા વિશ્વાસને યોગ્ય હોય.
\v 7 જેઓને ઈશ્વરે બીજાઓની સેવા કરવા સમર્થ બનાવ્યા હોય તો તેઓએ તે કાર્ય કરવું જોઈએ. જેઓને ઈશ્વરે પોતાના સત્યનું શિક્ષણ આપવા સમર્થ બનાવ્યા છે તો તેઓએ તેમ કરવું જોઈએ.
\v 8 જેઓને ઈશ્વરે બીજાઓને ઉત્તેજન આપવા સમર્થ બનાવ્યા છે તેઓએ સંપૂર્ણ હૃદયથી તેમ કરવું જોઈએ. જેઓને ઈશ્વરે બીજાઓને જરૂરી વાનાં આપવા સમર્થ બનાવ્યા હોય તો તેઓએ કંઈ પણ પાછું રાખ્યા વગર આપવું જોઈએ. જેઓને ઈશ્વરે બીજાઓની સંભાળ લેવા સમર્થ બનાવ્યા છે તો તેમણે તે કાર્ય કરવું, અને કાળજીપૂર્વક કરવું. જેઓને ઈશ્વરે જરૂરિયાતવાળા લોકોને સહાય કરવા સક્ષમ બનાવ્યા છે તેમણે તે આનંદથી કરવું.
\p
\s5
\v 9 તમારે લોકોને ખરા દિલથી પ્રેમ કરવો! જે ખરાબ છે તેને ધિક્કારો! જેને ઈશ્વર સારું કહે છે તે કરવાનું આતુરતાથી ચાલુ રાખો!
\v 10 એક જ કુટુંબના સભ્યોની જેમ એકબીજાને પ્રેમ કરો; અને બીજાઓને માન આપવામાં તમે પહેલા હોવા જોઈએ!
\s5
\v 11 આળસુ ન થાઓ. તેને બદલે ઈશ્વરની સેવા માટે આતુર બનો! ઈશ્વરની સેવામાં ઉત્સાહી થાઓ!
\v 12 આનંદ કરો, કારણ કે ઈશ્વર તમારા માટે જે કરવાના છે તેની તમે દ્રઢતાથી રાહ જુઓ છો! સહન કરવાનું થાય ત્યારે ધીરજવાન બનો! પ્રાર્થના કરવાનું ચાલુ રાખો અને કદી પડતું મૂકશો નહીં!
\v 13 જો પ્રભુના લોકોમાંના કોઈને કશાની ખોટ હોય તો, તમારી પાસે જે છે તેમાંથી વહેંચો! બીજાઓની પરોણાગત કરવામાં રચનાત્મક બનો!
\s5
\v 14 જેઓ તમારી સતાવણી કરે તેઓ પ્રત્યે ઈશ્વર દયાળુ બને માટે પ્રાર્થના કરો કારણ કે તમે ઈસુ પર વિશ્વાસ કરો છો! ઈશ્વર તેમના પ્રત્યે દયા દર્શાવે તે માટે કહો; તેઓનું ખરાબ થાય તેવું તેમની પાસે માગશો નહિ.
\v 15 જો તેઓ આનંદી હોય તો તેમની સાથે આનંદ કરો! જો તેઓ દુઃખી હોય તો તેઓની સાથે દુઃખી થાઓ!
\v 16 તમે તમારા પોતાને માટે જે ઇચ્છા રાખો છો તેવી જ ઇચ્છા બીજાઓને માટે રાખો. તમારા વિચારમાં અભિમાની ન થાઓ; તેને બદલે, બિનમહત્વપૂર્ણ જણાતા લોકોના મિત્ર બનો. તમારી જાતને જ્ઞાની ન ગણો.
\s5
\v 17 કોઈએ તમારું ખરાબ કર્યું હોય તો તમે સામે ખરાબ ન કરો. લોકો જેને સારું કહી શકે તેવી રીતે વર્તો!
\v 18 જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અને તમારી ક્ષમતા હોય ત્યાં સુધી બીજાઓની સાથે શાંતિથી રહો.
\p
\s5
\v 19 જેમને હું પ્રેમ કરું છું તે મારા સાથી વિશ્વાસીઓ, જ્યારે લોકો તમારું ખરાબ કરે ત્યારે સામે ખરાબ ન કરો! તેને બદલે ઈશ્વરને તેઓને શિક્ષા કરવા દો. શાસ્ત્ર કહે છે, "જેઓ ખરાબ કરે છે તેઓને હું બદલો વાળી આપીશ. બદલો વાળવો તે મારો અધિકાર છે, એમ પ્રભુ કહે છે."
\v 20 જેઓ તમારું ખરાબ કરે તેઓનું સામે ખરાબ કરવાને બદલે શાસ્ત્ર શીખવે છે તેમ કરો એટલે કે "જો તમારા શત્રુઓ ભૂખ્યા હોય તો તેમને જમાડો! જો તેઓ તરસ્યા હોય તો તેમને કંઇક પીવા માટે આપો, એમ કરવાથી તમે તેમને શરમથી દુઃખી કરશો અને કદાચ તેઓ તમારા પ્રત્યેનું વલણ બદલે."
\v 21 બીજાઓએ જે ખરાબ કૃત્યો તમારા પ્રત્યે કર્યાં છે તે તમારા પર જીત ન મેળવે, તેને બદલે, તેઓએ તમને જે કર્યું છે તેના કરતાં તેમનું વધારે સારું કરો!
\s5
\c 13
\p
\v 1 દરેક વિશ્વાસીએ સરકારી અધિકારીઓને આધીન થવું. યાદ રાખો કે એકલા ઈશ્વર જ અધિકારીઓને તેમનો અધિકાર આપે છે. તદુપરાંત, જે અધિકારીઓ નિમાયેલા છે તેઓ ઈશ્વરથી નીમાયેલા છે.
\v 2 તેથી જે કોઈ અધિકારીની સામે થાય છે તે ઈશ્વરના અધિકારની સામે થાય છે. વળી, જેઓ અધિકારીઓની સામે થાય છે તેઓ અધિકારીઓ તરફથી શિક્ષા પામશે.
\s5
\v 3 હું એ પ્રમાણે કહું છું, કારણ કે જે લોકો સારું કરે છે તેઓને ડરવાનું કોઈ કારણ નથી. તેથી, જો તમે સારું કરો છો તો તમને શિક્ષા કરવાને બદલે તેઓ તમારી પ્રશંસા કરશે!
\v 4 બધા જ અધિકારીઓ ઈશ્વરની સેવા કરવા નિમાયેલા છે, કે જેથી તેઓ તમને દરેકને મદદ કરે. જો તમારામાંનો કોઈ ખોટું કરે છે, તો તેણે ચોક્કસ તેઓથી ડરવું જોઈએ. જેઓ ખોટું કરે તેઓને શિક્ષા કરવા દ્વારા તેઓ ઈશ્વરની સેવા કરે છે.
\v 5 તેથી અધિકારીઓને આધીન થવું તમારા માટે જરૂરનું છે, કેવળ એટલા માટે જ નહીં કે તમે આધીન નહિ થાઓ તો તેઓ તમને શિક્ષા કરશે, પણ તમે પોતે જાણો છો કે તમારે તેઓને આધીન થવું જોઈએ તે કારણથી પણ આધીન થવું જોઈએ!
\s5
\v 6 તે જ કારણથી તો તમે કર પણ ભરો છો, કારણ કે અધિકારીઓ તેમની ફરજ સતત બજાવતાં ઈશ્વરની સેવા કરે છે.
\v 7 બધા અધિકારીઓને માટે તમારે જે કરવું ઘટિત છે તે કરો! જેઓને કર આપવો જરૂરી છે તેઓને કર આપો. માલસામાન પર લાગતો કર જેને આપવો જરૂરી છે તેને તે કર આપો. જેઓનું માન તમારે જાળવવું જોઈએ તેમનું માન તમે જાળવો.
\p
\s5
\v 8 તમારું બધું દેવું જે સમયે ચૂકવવાનું થતું હોય તે ચૂકવી દો. એક જ બાબત દેવા સમાન છે જે તમારે ચૂકવવાનું કદી બંધ કરવાનું નથી, તે તો એકબીજા પર પ્રેમ કરવાનું. જે કોઈ બીજાઓ પર પ્રેમ રાખે છે તો તેણે ઈશ્વરના નિયમ પ્રમાણેની માગણી પરિપૂર્ણ કરી છે.
\v 9 ઈશ્વરે પોતાના નિયમમાં ઘણી આજ્ઞાઓ આપી છે, જેમ કે, કોઈનું ખૂન ન કરો, ચોરી ન કરો, અને બીજાની વસ્તુઓનો લોભ ન કરો. પણ આપણે બધા જ નિયમોને આ વાક્યમાં સમાવી શકીએ: "જેવો પોતા પર તેવો પોતાના પડોશી પર પ્રેમ કરો."
\v 10 જો તમારી આસપાસના સર્વ પર તમે પ્રેમ રાખો તો તમે કોઈને નુકસાન નહીં પહોંચાડો. તેથી જે કોઈ બીજા પર પ્રેમ કરે છે તે ઈશ્વરના નિયમની માગણીને પરિપૂર્ણ કરે છે.
\p
\s5
\v 11 મેં તમને જે કહ્યું તે પ્રમાણે કરો, ખાસ કરીને જ્યારે તમે જાણો છો કે આપણે હાલ જે સમયમાં જીવી રહ્યા છીએ તે કેટલો મહત્વનો છે. તમે જાણો છો કે, આ સમય તમારા માટે ઊંઘમાંથી જાગી ઊઠેલા લોકોની જેમ સંપૂર્ણ જાગૃત અને સાવધ રહેવાનો છે, કારણ કે અંતે જ્યારે ખ્રિસ્ત આપણને આ જગતનાં પાપ અને દુઃખમાંથી છોડાવશે તે સમય નજીક છે. જ્યારે આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તેના કરતાં હવે તે સમય નજીક છે.
\v 12 જેમ એક રાત્રિનો અંત આવે છે તેમ, આ જગતમાં જીવવાનો આપણો સમય લગભગ પૂરો થવા આવ્યો છે. તેથી આપણે એવાં દુષ્ટ કામો જે લોકોને રાત્રે કરવાનું ગમે છે તે બંધ કરવાં જોઈએ, અને એવાં કામો આપણે કરવાં જોઈએ કે જે દુષ્ટતાનો સામનો કરવામાં આપણને મદદરૂપ થાય, જેમ સૈનિકો દિવસે તેમનાં હથિયારો સજીને તેમના શત્રુઓનો સામનો કરવા તૈયાર રહે છે તેમ.
\s5
\v 13 જાણે કે ખ્રિસ્તના પાછા આવવાનો સમય આવી ચૂકયો હોય તેમ આપણે શોભતી રીતે વર્તવું જોઈએ. આપણે નશો કરેલા ન થઈએ અને બીજાઓનું ખરાબ ન કરીએ. આપણે કોઈ પ્રકારની જાતીય અશુધ્ધતામાં કે વિષયવાસનામાં ન પડીએ. આપણે ઝઘડો ન કરીએ. આપણે બીજાઓની ઈર્ષા ન કરીએ.
\v 14 પણ તેને બદલે, આપણે ખ્રિસ્ત જેવા બનીએ કે જેથી બીજાઓ આપણા દ્વારા જોઈ શકે કે ખ્રિસ્ત કેવા છે. તમારો જૂનો સ્વભાવ જે ઇચ્છે છે તે પ્રમાણે કરવાનું તમારે બંધ કરવું જોઈએ.
\s5
\c 14
\p
\v 1 જે બાબતોને કેટલાક લોકો ખરાબ માને છે, તે કરવા સંબંધી ઈશ્વર તેઓને પરવાનગી આપશે કે કેમ તે અંગે જેઓ સ્પષ્ટ નથી તેઓનો સ્વીકાર કરો. પણ જ્યારે તમે તેઓનો સ્વીકાર કરો ત્યારે તેઓ શું વિચારે છે તે સંબંધી દલીલ ન કરશો. આ પ્રશ્નો કેવળ વ્યક્તિગત અભિપ્રાયો હોય છે.
\v 2 કેટલાક લોકો માને છે કે તેઓ દરેક પ્રકારના ખોરાક ખાઈ શકે છે. બીજાઓ એવું માને છે કે ઈશ્વર ચાહતા નથી કે તેઓ અમુક ખોરાક જ ખાય, તેથી તેઓ માને છે કે તેઓ કેવળ શાકભાજી જ ખાઈ શકે.
\s5
\v 3 કોઈક જે એવું વિચારે છે કે દરેક પ્રકારના ખોરાક ખાવા તે બરાબર છે તેઓએ બીજાઓ જે જુદી રીતે વિચારે છે તેઓને દોષિત ન ઠરાવવા જોઈએ. કોઈક જે એવું વિચારે છે કે દરેક પ્રકારના ખોરાક ખાવા તે બરાબર નથી, તેઓએ બીજાઓ જે જુદી રીતે વિચારે છે તેઓને દોષિત ઠરાવવા ન જોઈએ. કારણ કે ઈશ્વરે પોતે તેમનો સ્વીકાર કર્યો છે.
\v 4 જ્યારે તમે અન્ય કોઈના ચાકરની મૂલવણી કરો છો ત્યારે તમે ખોટા છો. આપણે સર્વ ઈશ્વરના ચાકરો છીએ તેથી ઈશ્વર આપણા સર્વના માલિક છે. લોકો ખોટા છે કે ખરા તે નક્કી કરનાર ઈશ્વર છે! આ બાબતમાં કોઈએ કોઈનો ન્યાય ન કરવો જોઈએ, કારણ કે તેઓને વિશ્વાસુ બની રહેવા સમર્થ બનાવનાર ઈશ્વર જ છે.
\p
\s5
\v 5 કેટલાક લોકો અમુક દિવસોને અન્ય દિવસો કરતાં વધુ પવિત્ર ગણે છે. બીજા લોકો ઈશ્વરનું ભજન કરવા સર્વ દિવસોને સરખી રીતે યોગ્ય ગણે છે. દરેક વ્યક્તિએ આવી બાબતોમાં પોતે પોતાના મનમાં વિચારીને પૂરી ખાતરી કરવી અને પોતાને માટે નિર્ણય કરવો. બીજાને માટે નહીં.
\v 6 જેઓ માને છે કે તેઓએ અઠવાડિયાના અમુક દિવસે જ ભજન કરવું જોઈએ, તો તેઓ ઈશ્વરને માન આપતાં એમ કરે છે. અને બીજાઓ એમ વિચારે છે કે દરેક પ્રકારનો ખોરાક ખાવો તે યોગ્ય છે, તો તે ઈશ્વરને માન આપવા માટે છે કે તેઓ આ પ્રકારનો ખોરાક ખાય છે. કારણ કે તેઓ ખોરાકને માટે ઈશ્વરનો આભાર માને છે. જેઓ આવા ખોરાકથી દૂર રહે છે તે ઈશ્વરને માન આપવા માટે છે કે તેઓ એ ખોરાક નથી ખાતા, અને જે ખોરાક તેઓ ખાય છે તે માટે ઈશ્વરનો આભાર માને છે. તેથી, જો કે તેઓ જુદી રીતે વિચારે છે છતાં આ લોકો ખોટા નથી.
\s5
\v 7 આપણામાંના કોઈએ માત્ર પોતાને ખુશ કરવા જીવવું જોઈએ નહીં, અને આપણામાંના કોઈએ એવું વિચારવું નહીં કે જ્યારે આપણે મરી જઈશું, ત્યારે તે કેવળ આપણને જ અસર પહોંચાડશે.
\v 8 જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણે ઈશ્વરના છીએ અને માત્ર પોતાને જ નહીં પણ તેમને પ્રસન્ન કરવા પ્રયત્ન કરવો જોઈએ. અને જ્યારે આપણે મરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરને પ્રસન્ન કરવા જોઈએ. તેથી, આપણે જીવીએ કે મરીએ આપણે ઈશ્વર કે જેમના આપણે છીએ તેમને પ્રસન્ન કરવા પ્રયત્ન કરવો જોઈએ.
\v 9 જેઓ જીવતા છે અને જેઓ મરણ પામ્યા છે તેઓ બન્નેના પ્રભુ થાય તે કારણે ખ્રિસ્ત મરણ પામ્યા અને સજીવન થયા, એવા પ્રભુ કે જેમનું બધા લોકોએ આજ્ઞાપાલન કરવું જોઈએ.
\p
\s5
\v 10 એ દુઃખદ છે કે તમે જેઓ અમુક નિયમો પાળો છો તેઓ કહો છો કે તમારા સાથી વિશ્વાસીઓ જેઓ તે પાળતા નથી તેઓને ઈશ્વર શિક્ષા કરશે. કારણ કે ઈશ્વર આપણ દરેકનો ન્યાય કરશે.
\v 11 આપણે આ જાણીએ છીએ કારણ કે શાસ્ત્રમાં એમ લખેલું છે:
\q1 "દરેક મનુષ્ય મારી આગળ નમશે!
\q1 અને દરેક મનુષ્ય મારી સ્તુતિ કરશે."
\p
\s5
\v 12 તેથી આપણે દરેકે ઈશ્વરને કહેવું પડશે કે આપણે શું કર્યું છે, અને તેને તેઓ માન્ય કરે છે કે કેમ તે નક્કી કરવાનું કામ તેઓનું છે.
\p
\v 13 હવે, જો ઈશ્વર દરેકનો ન્યાય કરવાના છે તો આપણે એમ કહેવાનું બંધ કરવું જોઈએ કે ઈશ્વરે આપણામાંના કેટલાક વિશ્વાસીઓને શિક્ષા કરવી જોઈએ! તેને બદલે, આપણે આપણા બીજા ભાઈ કે બહેનને પાપ કરવા ન દોરવા કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા ન અટકાવવાનો નિર્ધાર કરવો જોઈએ.
\s5
\v 14 કારણ કે હું પ્રભુ ઈસુ સાથે જોડાયેલો છું, માટે હું એ બાબત વિષે ચોક્કસ છું કે કંઈ પણ ખોરાક ખાવો તેમાં કશું પણ અશુદ્ધ નથી. પણ જો લોકો વિચારે કે કંઈક ખાવું તે ખોટું છે, તો તેઓને માટે તે ખાવું ખોટું છે, તેથી તે ખાવાને માટે તમારે ઉત્તેજન આપવું જોઈએ નહીં
\v 15 જો તમે તે ખોરાક ખાઓ છો જે તમારા સાથી વિશ્વાસીને લાગે છે કે તે ખાવું ખોટું છે તો તમે તેને ઈશ્વરને આધીન થતાં રોકો છો. તમે તેના પર પ્રેમ કરતા નથી. કોઈ સાથી વિશ્વાસીને ઈશ્વર પર વિશ્વાસ કરતાં અટકાવશો નહીં. છેવટે તો, ખ્રિસ્ત તેના માટે પણ મરણ પામ્યા છે!
\s5
\v 16 એ જ પ્રમાણે, એવું કંઇક કરશો નહીં જેનાથી સાથી વિશ્વાસીઓને ખરાબ લાગે, પછી ભલેને તમને તે સારું લાગતું હોય.
\v 17 આપણે કેવી રીતે જીવીએ તે જ્યારે ઈશ્વર નિર્ધારિત કરતા હોય ત્યારે આપણે શું ખાઈએ છીએ કે શું પીએ છીએ તેની આપણે ચિંતા કરતા નથી. તેને બદલે, આપણે વિચારીએ છીએ કે તેમને આધીન થવાનો, એક બીજાની સાથે શાંતિમાં રહેવાનો અને પવિત્ર આત્મામાં આનંદ કરવાનો યોગ્ય માર્ગ કયો છે.
\s5
\v 18 જેઓ આવી રીતે વર્તીને ખ્રિસ્તની સેવા કરે છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરે છે, અને બીજાઓ તેમને માન આપશે.
\p
\v 19 તેથી આપણે હંમેશાં આતુરતાથી એવી રીતે જીવવા પ્રયત્ન કરવો જોઈએ કે જેથી સાથી ખ્રિસ્તીઓમાં શાંતિ સ્થપાય અને આપણે પ્રયત્ન કરવો જોઈએ કે એક બીજાને ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા અને આધીન થવા આપણને શું મદદરૂપ થશે.
\s5
\v 20 તમે કોઈ ખાસ ખોરાક ખાવા ઇચ્છો છો તેને લીધે કોઈ વિશ્વાસીના જીવનમાં ઈશ્વરે જે મદદ કરી છે તેનો નાશ ન કરો. તે સાચું છે કે ઈશ્વર આપણને દરેક પ્રકારનો ખોરાક ખાવાની છૂટ આપે છે. પણ જો તમે કંઈ ખાઓ કે જે બીજા વિશ્વાસીને ખરાબ લાગે છે, તો તેને જે ખરાબ લાગે છે તે માન્યતામાં તમે તેને ઉત્તેજન આપો છો.
\v 21 એ સારું છે કે માંસ ન ખાવું, દારૂ ન પીવો કે બીજું એવું કોઈ કાર્ય ન કરવું કે જે તમારા સાથી વિશ્વાસીઓને ઈશ્વર પર વિશ્વાસ કરતાં અટકાવતું હોય.
\s5
\v 22 તમારા માટે કઈ બાબતો કરવી યોગ્ય છે તે ઈશ્વરને જણાવવા દો, પણ તમે જે માનો છો તે બીજાઓને સ્વીકારવા ફરજ પાડવાની કોશિશ ન કરો. અને સારું અને ખોટું શું છે તે સંબંધી તમારી માન્યતા વિષે જો તમને કોઈ શંકા ન હોય તો તમે ઈશ્વરને પ્રસન્ન કરશો.
\v 23 પણ કેટલાક વિશ્વાસીઓને બીક છે કે જો તેઓ કોઈક ખાસ ખોરાક ખાય તો ઈશ્વરને આનંદ થશે નહીં. અને જેને તેઓ યોગ્ય હોવાનું માને છે અને તે કરતા નથી, તો ખરેખર ઈશ્વર કહેશે કે તેઓએ ખોટું કર્યું છે. જો આપણે કોઈક બાબત ઈશ્વર તેને માન્ય કરે છે તે વિષે ચોક્કસ થયા વિના કરીએ છીએ તો આપણે પાપ કરીએ છીએ.
\s5
\c 15
\p
\v 1 આપણ વિશ્વાસીઓમાંના જેઓને ખાતરી છે કે, ઈશ્વર બીજા વિશ્વાસીઓને જે કરવા શક્તિમાન કરે છે તેમના કરતાં આપણને ઘણું બધું કરવા શક્તિમાન કરે છે તો આપણે તેઓ પ્રત્યે ધીરજવાન થવું જોઈએ અને તેમની નબળાઈઓને સહન કરવી જોઈએ. આપણે આપણી જાતોને ખુશ કરીએ તેના કરતાં આ વધારે મહત્વનું છે.
\v 2 આપણામાંના દરેકે આપણા સાથી વિશ્વાસીઓ જેથી ખુશ થાય, અને જે તેમને મદદરૂપ થાય, અને જે તેમને ખ્રિસ્ત પર ભરોસો કરવા ઉત્તેજન આપે તેવી બાબતો કરવી જોઈએ.
\s5
\v 3 આપણે સાથી વિશ્વાસીઓને ખુશ કરવા જોઈએ, કારણ કે ખ્રિસ્તે આપણને નમૂનો આપ્યો છે. તેમણે પોતાને ખુશ કરવા કોઈ પણ બાબત ન કરી. પણ તેથી વિરુદ્ધ, જ્યારે લોકોએ તેમનું અપમાન કર્યું ત્યારે પણ તેમણે ઈશ્વરને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો. જેમ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું હતું તેમ તે હતું: "જ્યારે લોકોએ તમારું અપમાન કર્યું ત્યારે જાણે તેઓએ મારું અપમાન કર્યું હોય તેવું હતું."
\v 4 યાદ રાખો કે શાસ્ત્રમાં જે બધું લખવામાં આવ્યું છે, તે આપણા શિક્ષણને માટે છે, કે જેથી મુશ્કેલીના સમયમાં આપણે ધીરજ રાખીએ. આ રીતે શાસ્ત્રવચન આપણને આશા રાખવા ઉત્તેજન આપશે કે ઈશ્વરે જે બધું કરવાનું વચન આપણને આપ્યું છે તે બધું તેઓ આપણા માટે કરશે.
\p
\s5
\v 5 હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમને ધીરજ અને ઉત્તેજન આપે કે જેમ ખ્રિસ્ત ઈસુએ કર્યું તેમ, તમે સર્વ એક બીજા સાથે શાંતિમાં રહો.
\v 6 જો તમે આ પ્રમાણે કરો તો તમે સર્વ સાથે મળીને આપણા પ્રભુ ઈસુના પિતાની સ્તુતિ કરશો.
\p
\v 7 તેથી હું રોમમાં વસતા સર્વ વિશ્વાસીઓને કહું છું, એકબીજાનો સ્વીકાર કરો. જો તમે તેમ કરશો તો, તમને ખ્રિસ્તની જેમ વર્તતા જોઈને લોકો ઈશ્વરની સ્તુતિ કરશે. જેમ ખ્રિસ્તે તમારો સ્વીકાર કર્યો તેમ તમે એકબીજાનો સ્વીકાર કરો!
\s5
\v 8 હું તમને યાદ કરાવવા માગું છું કે ખ્રિસ્તે આપણ યહૂદીઓને ઈશ્વર વિષેનું સત્ય જાણવા સહાય કરી છે. એટલે કે, ઈશ્વરે આપણા પૂર્વજોને જે જે કરવાનાં વચનો આપ્યાં હતાં, તે પૂર્ણ કરવા તેઓ આવ્યા.
\v 9 પરંતુ, તેઓ બિનયહૂદીઓને મદદ કરવા માટે પણ આવ્યા, કે જેથી તેમની દયાને માટે તેઓ ઈશ્વરની સ્તુતિ કરે. દાઉદે ઈશ્વરને જે કહ્યું એટલે કે શાસ્ત્રવચનમાં જે લખ્યું છે તે ઈશ્વરની દયાને પરિણામે બન્યું કે: "તેથી બિનયહૂદીઓમાં હું તમારી સ્તુતિ કરીશ; હું ગાઈશ અને તમારી સ્તુતિ કરીશ."
\s5
\v 10 મૂસાએ પણ લખ્યું, "ઓ બિનયહૂદીઓ, અમે જેઓ ઈશ્વરના લોકો છીએ તેમની સાથે આનંદ કરો."
\v 11 અને દાઉદે શાસ્ત્રવચનમાં લખ્યું, "હે સર્વ બિનયહૂદીઓ તમે સર્વ પ્રભુની સ્તુતિ કરો; દરેક જણ તેમની સ્તુતિ કરે."
\s5
\v 12 વળી યશાયાએ શાસ્ત્રમાં લખ્યું, "દાઉદ રાજાનો વંશજ જે આવશે તે બિનયહૂદીઓ પર રાજ્ય કરશે. તેમણે જે વચન આપ્યું છે તેની પરિપૂર્ણતા માટે તેઓ વિશ્વાસથી આશા રાખશે."
\p
\s5
\v 13 હું પ્રાર્થના કરું છું કે ઈશ્વરે જે કરવાનું વચન આપ્યું છે તે તેઓ કરશે તેવી ખાતરીપૂર્વક આશા તમે રાખો. તમે તેમના પર ભરોસો રાખો છો માટે હું પ્રાર્થના કરું છું કે તેઓ તમને સંપૂર્ણ આનંદિત અને શાંતિભર્યા બનાવે. ઈશ્વરે તમને જે વચન આપ્યાં છે તેની અપેક્ષા રાખવા પવિત્ર આત્મા તમને વધુને વધુ આત્મવિશ્વાસથી શક્તિમાન કરશે.
\p
\s5
\v 14 મારા સાથી વિશ્વાસીઓ, મને સંપૂર્ણ ખાતરી છે કે તમે પોતે બીજાઓ પ્રત્યે સંપૂર્ણપણે સારી રીતે વર્ત્યા છો. ઈશ્વર જે ઇચ્છે છે કે તમે જાણો તે તમે પૂર્ણ રીતે જાણ્યું છે અને તમે એકબીજાને શીખવવા સમર્થ છો તે કારણે તમે તે કર્યું છે.
\s5
\v 15 તોપણ, તમે તે બાબતોને કરવાનું યાદ રાખો તે માટે કેટલીક બાબતો વિષે મેં નિખાલસતાથી લખ્યું છે. જો કે હું એને માટે યોગ્ય ન હતો તો પણ ઈશ્વરે મને પ્રેરિત ઠરાવ્યો છે એટલા માટે મેં એ લખ્યું છે.
\v 16 હું બિનયહૂદીઓ મધ્યે ખ્રિસ્તને માટે કાર્ય કરું માટે તેમણે એમ કર્યું. ઈશ્વરે મને એક યાજક તરીકે કાર્ય કરવા નિયુક્ત કર્યો છે. હું તેમનો શુભ સંદેશ પ્રગટ કરું છું કે જેથી, બિનયહૂદીઓ જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તેઓનો ઈશ્વર સ્વીકાર કરે. તેઓ એક અર્પણ સમાન થશે કે જેઓને પવિત્ર આત્માએ કેવળ ઈશ્વરને માટે પૂર્ણ રીતે અલગ કર્યા છે.
\p
\s5
\v 17 ખ્રિસ્ત ઈસુ સાથેના મારા સંબંધને કારણે ઈશ્વર માટેના મારા કામથી હું ખુશ છું.
\v 18 મારી મારફતે બિનયહૂદીઓ ખ્રિસ્તના સંદેશ પર ધ્યાન આપે તે કાર્ય ખ્રિસ્તે પરિપૂર્ણ કરાવ્યું છે માત્ર તે વિષે હું હિંમતથી બોલીશ. આ પરિપૂર્ણતાઓ શબ્દો અને કૃત્યોને કારણે
\v 19 ચિહ્નો તથા બીજી બાબતો જે લોકોને ખાતરી પમાડે છે તે દર્શાવવા દ્વારા આવી. ઈશ્વરના આત્માએ મને શક્તિ આપી તેમ મેં તે બાબતો કરી છે. આ રીતે યરુશાલેમથી ઈલુરીકમ સુધી મેં મુસાફરી કરી છે, અને ખ્રિસ્ત વિશેનો સંદેશ પ્રગટ કરવાનું કાર્ય એ જગ્યાઓમાં પૂરું કર્યું છે.
\s5
\v 20 આ સંદેશ પ્રગટ કરતાં હું હંમેશા આતુરતાથી પ્રયત્ન કરું છું કે જ્યાં લોકોએ ખ્રિસ્ત વિષે સાંભળ્યું નથી તે જગ્યાઓમાં તે પ્રગટ કરવાનો પ્રયત્ન કરું છું. હું એટલા માટે એમ કરું છું કે જે કાર્ય કોઈ બીજાએ શરુ કરી દીધું છે તેને જ હું ચાલુ ન રાખું. હું કોઈ માણસ કે જે કોઈક બીજાના પાયા પર મકાન બાંધે છે તેના જેવો થવા માગતો નથી.
\v 21 ઊલટું, હું બિનયહૂદીઓને શીખવું છું, કે જેથી જે થાય તે જે લખવામાં આવ્યું હતું તે પ્રમાણે થાય: "જે લોકોએ ખ્રિસ્ત વિષેના સમાચાર કદી સાંભળ્યા નથી, તેઓ તેમને દેખશે. જેઓએ તેમના વિષે સાંભળ્યું નથી તેઓ તેમના વિષે સમજશે."
\p
\s5
\v 22 જ્યાં લોકોએ તેમના સંબંધી સાંભળ્યું નથી ત્યાં ખ્રિસ્ત વિશેનો સંદેશ પ્રગટ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે તે કારણે તમારી પાસે મુલાકાતે આવતાં મને ઘણી વાર રોકવામાં આવ્યો છે.
\v 23 પરંતુ હવે આ પ્રદેશમાં બીજી કોઈ જગ્યાઓ બાકી નથી જ્યાં લોકોએ ખ્રિસ્ત વિષે સાંભળ્યું ન હોય. વધુમાં, હું ઘણાં વર્ષોથી તમારી પાસે આવવા માગું છું.
\s5
\v 24 તેથી હું સ્પેન જવાની આશા રાખું છું, અને આશા રાખું છું કે તમે મારી મુસાફરીમાં મને મદદ કરશો. અને મારી મુસાફરીમાં હું થોડો સમય રોકાવા માગું છું, કે જેથી હું તમારી સાથે આનંદ કરી શકું.
\v 25 પરંતુ હાલ હું તમારી મુલાકાત કરી શકતો નથી, કારણ કે હું યરુશાલેમ જવાનો છું કે જેથી ત્યાં ઈશ્વરના લોકો માટે નાણાં લઇ જઈ શકું.
\s5
\v 26 મકદોનિયા અને અખાયાના પ્રાંતોમાંના વિશ્વાસીઓએ નક્કી કર્યું હતું કે યરુશાલેમમાંના ઈશ્વરના લોકો જેઓ ગરીબ છે તેઓને મદદ કરવા દાન ઉઘરાવવું.
\v 27 તેઓએ જાતે આ કાર્ય કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ ખરેખર તો તેઓ જ યરુશાલેમમાંના ઈશ્વરના લોકોના ઋણી છે. બિન યહૂદી વિશ્વાસીઓ યહૂદી વિશ્વાસીઓ તરફથી આત્મિક રીતે લાભ પામ્યા, કારણ કે ખ્રિસ્ત વિશેનો સંદેશ તેઓએ તેમની પાસેથી સાંભળ્યો, તેથી બિનયહૂદીઓએ પણ યરુશાલેમના યહૂદીઓને તેમની ભૌતિક બાબતો આપવા દ્વારા સહાય કરવી જોઈએ.
\s5
\v 28 જ્યારે આ બધાં નાણાં જે મકદોનિયા અને અખાયાના વિશ્વાસીઓએ આપ્યાં છે તે પહોંચાડવાનું કામ પૂરું કરીને હું યરુશાલેમથી નીકળીને સ્પેન જવાના રસ્તામાં હોઈશ ત્યારે રોમમાં તમારી મુલાકાત કરીશ.
\v 29 અને હું જાણું છું કે જ્યારે હું તમારી મુલાકાત લઈશ ત્યારે ખ્રિસ્ત આપણને ભરપૂરપણે આશિષ આપશે.
\p
\s5
\v 30 કારણ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના છીએ અને ઈશ્વરનો આત્મા આપણને એકબીજા પર પ્રેમ કરવા ફરજ પાડે છે તેથી, હું તમને સર્વને વિનંતી કરું છું કે મારા માટે ઈશ્વરને આગ્રહભરી પ્રાર્થના કરવા દ્વારા મને સહાય કરજો.
\v 31 ઈશ્વરને પ્રાર્થના કરજો કે હું યહૂદિયામાં છું ત્યારે તેઓ અવિશ્વાસી યહૂદીઓથી મારું રક્ષણ કરે. અને પ્રાર્થના કરો કે, યરુશાલેમના વિશ્વાસીઓ જે નાણાં હું તેમને માટે લઈ જાઉં છું તે આનંદ સહિત સ્વીકારે.
\v 32 આ બાબતોને માટે પ્રાર્થના કરો કે, મારા તમારી પાસે આવવાથી ઈશ્વર રાજી થાય અને હું તમારી સાથે થોડા સમય માટે આરામ પામું અને તમે મારામાં વિસામો પામો.
\s5
\v 33 હવે શાંતિદાતા ઈશ્વર તમો સર્વની સાથે રહો અને તમારી સહાય કરો. એ પ્રમાણે થાઓ!
\s5
\c 16
\p
\v 1 આ પત્ર દ્વારા હું આપણી સાથી વિશ્વાસી બહેન ફેબી જે આ પત્ર તમને પહોંચાડશે તેની ઓળખાણ કરાવું છું અને તેને માટે ભલામણ કરું છું. કિંખ્રિયા શહેરની મંડળીમાં તે સેવિકા છે.
\v 2 હું વિનંતી કરું છું કે તમે તેનો સ્વીકાર કરો, કારણ કે તમે બધા પ્રભુમાં જોડાયેલા છો. તમારે તેમ કરવું જોઈએ કારણ કે ઈશ્વરના લોકોએ પોતાના સાથી વિશ્વાસીઓનો આવકાર કરવો જોઈએ. હું એ પણ વિનંતી કરું છું કે જે કોઈ બાબતમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તેને સહાય કરજો; કારણ કે તે પોતે મને તથા ઘણાને પણ સહાય કરનાર થઈ છે.
\p
\s5
\v 3 પ્રિસ્કા અને તેના પતિ આકુલાને કહેજો કે હું સલામ પાઠવું છું. ખ્રિસ્ત ઈસુને માટે તેઓએ મારી સાથે કામ કર્યું છે,
\v 4 અને મારી ખાતર તેઓ મરવા પણ તૈયાર હતાં. મારું જીવન બચાવવા માટે હું તથા બિનયહૂદી સભાજનો તેઓને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ.
\v 5 તેમના ઘરમાં જે વિશ્વાસી સમુદાય છે તેમને પણ કહેજો કે હું મારી સલામ પાઠવું છું. મારા વહાલા મિત્ર અપાઈનેતસને પણ એમ જ કહેજો. આસિયા પ્રાંતમાં ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર તે પ્રથમ માણસ છે.
\s5
\v 6 મરિયમ, જેણે તમારી મદદ કરવા ખ્રિસ્તને માટે સખત કામ કર્યું છે તેને કહેજો કે હું મારી સલામ પાઠવું છું.
\v 7 જેઓ મારી સાથે કેદખાનામાં હતા એવા મારા સાથી યહૂદી, આન્દ્રોનિકસ અને તેની પત્ની જુનિઆસને પણ એમ જ કહેજો. તેઓ પ્રેરિતોમાં જાણીતા છે અને મારી અગાઉ તેઓ ખ્રિસ્તી બન્યા હતા.
\v 8 આમ્પ્લિઆતસ, જે વહાલો મિત્ર છે અને પ્રભુમાં જોડાયેલો છે તેને પણ હું મારી સલામ પાઠવું છું.
\s5
\v 9 હું ઉર્બાનસને તથા મારા વહાલા સ્તાખુસને પણ મારી સલામ પાઠવું છું કે જેઓ ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરે છે.
\v 10 વળી, આપેલેસ કે જેને ખ્રિસ્તે કસોટીઓને સફળતાથી સહન કરવા બદલ માન્ય કર્યો છે તેને પણ હું સલામ પાઠવું છું. આરીસ્તોબુલસના ઘરમાં જે વિશ્વાસીઓ છે તેઓને પણ મારી સલામ કહેજો.
\v 11 હેરોદિયા કે જે મારો સાથી યહૂદી છે તેને કહેજો કે હું મારી સલામ તેને પાઠવું છું. અને નાર્કીસસના ઘરમાં પ્રભુના જે લોકો છે તેઓને પણ કહેજો કે હું મારી સલામ પાઠવું છું
\s5
\v 12 પ્રભને માટે પરિશ્રમ કરનારી ત્રુફેના અને ત્રુફોસાને એમ જ કહેજો કે હું મારી સલામ પાઠવું છું, પેર્સીસને પણ મારી સલામ પાઠવું છું. આપણે બધા તેને ચાહીએ છીએ અને તેણે પ્રભુમાં પુષ્કળ મહેનત કરી છે.
\v 13 આગળ પડતા ખ્રિસ્તી રૂફસને અને તેની માતા, જેણે મને દીકરા સમાન ગણ્યો છે તેમને હું સલામ પાઠવું છું તે કહેજો.
\v 14 આસુન્ક્રિતસ, ફ્લેગોન, હેર્મેસ, પાત્રોબાસ, હર્માસ તથા સાથી વિશ્વાસીઓ અને જેઓ તેમની સાથે છે તેઓને કહેજો કે હું મારી સલામ પાઠવું છું.
\s5
\v 15 ફિલોલોગસ, તેની પત્ની જુલિયા, નેરીઅસ તથા તેની બહેન, અને ઓલિમ્પાસ અને ઈશ્વરના જે લોકો તેમની સાથે છે તેઓને હું મારી સલામ પાઠવું છું.
\v 16 જ્યારે તમે એકઠા મળો ત્યારે એકબીજાને પ્રેમાળ રીતે અને શુદ્ધ હૃદયથી સલામ પાઠવો. ખ્રિસ્ત સાથે જોડાયેલા સર્વ વિશ્વાસી સમુદાયો તમને સલામ કહે છે.
\p
\s5
\v 17 મારા સાથી વિશ્વાસીઓ, હું તમને જણાવું છું કે, તમારામાં જેઓ ભાગલા પાડે છે, અને જેઓ લોકોને ઈશ્વરને માન આપવાથી દૂર રાખે છે તેઓથી સાવધ રહો. આવા લોકોથી દૂર રહો!
\v 18 તેઓ આપણા પ્રભુ ખ્રિસ્તની સેવા કરી રહ્યા નથી! પરંતુ તેઓ કેવળ પોતાની ઇચ્છાઓને સંતોષવા માગે છે. તેઓ મીઠી મીઠી વાતોથી અને ખુશામતથી લોકોને છેતરે છે, જેથી લોકો સમજી શકતા નથી કે, મુસીબત ઉભી કરનારા આવા લોકો જૂઠ્ઠી વાતો શીખવે છે.
\s5
\v 19 વિશ્વાસીઓ સર્વ સ્થળે જાણે છે કે, ખ્રિસ્તે શુભ સંદેશમાં જે કહ્યું છે તેને તમે આધીન થયા છો. તેથી તમારા સંબંધી મને આનંદ થાય છે, પરંતુ હું એ પણ ઈચ્છું છું કે તમે ચપળ થાઓ કે જેથી જે સારું છે તે તમે પારખી શકો અને જે ખરાબ છે તેથી દૂર રહી શકો.
\v 20 જો તમે આ સર્વ બાબતો કરો તો ઈશ્વર કે જેઓ પોતાની શાંતિ આપણને આપે છે તેઓ, તમને પ્રાપ્ત અધિકારને કારણે જલ્દી શેતાનના કાર્યને કચડી નાખશે! મારી પ્રાર્થના છે કે આપણા પ્રભુ ઈસુ તમારા પ્રત્યે દયાળુ રીતે વર્તવાનું ચાલુ રાખો.
\p
\s5
\v 21 તિમોથી, જે મારી સાથે કામ કરે છે, તે અને લુકિયસ, યાસોન અને સોસીપાતર, જેઓ મારા સાથી યહૂદીઓ છે તેઓ ઇચ્છે છે કે તમે જાણો કે તેઓ તમને સલામ પાઠવે છે.
\v 22 હું તેર્તિયુસ , પ્રભુનો માણસ, પણ ઇચ્છું છું કે તમે જાણો હું મારી સલામ તમને પાઠવું છું. પાઉલે જેમ મને લખવા કહ્યું છે તેમ હું આ પત્ર લખી રહ્યો છું.
\s5
\v 23-24 હું પાઉલ ગાયસના ઘરમાં રહું છું, અને વિશ્વાસીઓનો આખો સમુદાય તેના ઘરમાં મળે છે. તે પણ ઇચ્છે છે કે તમે જાણો કે તે તમને સલામ પાઠવી રહ્યો છે. શહેરના નાણાનો જે વહીવટ કરે છે તે એરાસ્તસ, ભાઈ ક્વાર્તસની સાથે તમને તેની સલામ પાઠવે છે.
\p
\s5
\v 25 હવે ઈશ્વર કે જેઓ તમને મારા ઈસુ ખ્રિસ્ત વિષેના શુભ સંદેશને પ્રગટ કરવા દ્વારા આત્મિક રીતે મજબૂત કરવા સમર્થ છે,
\v 26 એ સંદેશ કે જેને ઈશ્વરે આપણા સમય અગાઉ કોઈ પણ યુગમાં પ્રગટ કર્યો ન હતો, પરંતુ હાલ, શાસ્ત્ર અનુસાર જે થવાનું છે તે દ્વારા ઈશ્વરે સ્પષ્ટ જાહેર કર્યો છે, કે જેથી જગતમાંની સર્વ લોકજાતિઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે અને તેમને આધીન થાય
\s5
\v 27 તે ઈશ્વર, કે માત્ર જેઓ એકલા જ બુદ્ધિમાન છે, તેઓ ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે તે કારણે સર્વકાળ સ્તુત્ય હો. એ પ્રમાણે થાઓ!

785
47-1CO.usfm Normal file
View File

@ -0,0 +1,785 @@
\id 1CO - UDB Guj
\ide UTF-8
\h કરિંથીઓને પહેલો પત્ર
\toc1 કરિંથીઓને પહેલો પત્ર
\toc2 કરિંથીઓને પહેલો પત્ર
\toc3 1co
\mt1 કરિંથીઓને પહેલો પત્ર
\s5
\c 1
\p
\v 1 હું પાઉલ, આ પત્ર લખું છું. જ્યારે હું આ પત્ર તમને લખું છું ત્યારે, આપણો સાથી વિશ્વાસી સોસ્થેનસ મારી સાથે છે. ઈશ્વરે મને ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત બનવા માટે નીમ્યો, અને ઈશ્વરે મને તેમની સેવા કરવા માટે પસંદ કર્યો.
\v 2 આ પત્ર કરિંથમાંની ઈશ્વરની મંડળીને માટે એટલે કે જેઓને ઈસુ ખ્રિસ્તે ઈશ્વર માટે અલગ કર્યા છે તેઓને માટે છે. તેઓની સાથે આ પત્ર દરેક સ્થળના જેઓ બધા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એટલે કે તેઓના અને આપણા પ્રભુના નામમાં પોતાને બચાવવા ઈશ્વરને પોકારે છે તેઓને માટે પણ છે.
\p
\v 3 ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરો અને શાંતિ બક્ષો.
\p
\s5
\v 4 ખ્રિસ્ત ઈસુ તમને પ્રેમ કરે છે તેના કારણે તેમણે તમને જે ઘણાં મૂલ્યવાન કૃપાદાનો આપ્યાં છે તેના કારણે હું તમારા માટે મારા ઈશ્વરનો દરરોજ આભાર માનું છું.
\v 5 ખ્રિસ્તે તમને ઘણી બાબતો આપી છે. તેમણે તમારા સર્વ બોલવામાં તથા સર્વ જ્ઞાનમાં તમને સહાય કરી છે.
\v 6 ખ્રિસ્ત વિષેનાં આ વિધાનો સત્ય છે કે જેની તમે પોતે સાબિતી છો.
\s5
\v 7 તે જ કારણથી, જ્યારે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાહેર કરશે અને દરેકને પ્રગટ કરશે તે દિવસની તમે રાહ જુઓ છો ત્યારે તમને ઈશ્વરના આત્મા તરફથી મળતાં કોઇ પણ કૃપાદાનની અછત નથી.
\v 8 ઈશ્વર તમને બળવાન પણ કરશે કે જેથી તમે અંત સુધી તેમની સેવા કરી શકો, કે જેથી જે દિવસે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર પાછા આવે ત્યારે તમારે શરમાવું ન પડે.
\v 9 તે કરવા માટે ઈશ્વર પોતાનું વચન પાળી રહ્યા છે. ઈશ્વરે તમને બોલાવ્યા, કે જેથી તમે તેમના દીકરા ઈસુ ખ્રિસ્ત, કે જે આપણા પ્રભુ છે, તેમને જાણીને પ્રેમ કરી શકો.
\p
\s5
\v 10 મારા ભાઈઓ અને બહેનો, ઈસુના અધિકાર દ્વારા હું તમને વિનંતી કરું છું કે, તમે એકમત થાઓ અને તમારા મતભેદોનું નિરાકરણ કરો તથા તમારામાં જૂથવાદ ઊભો ન થવા દો. દરેક બાબતોને સમાન દૃષ્ટિકોણથી જોવાનું શીખો અને એક જ કાર્ય પૂર્ણ કરવા માટે ભેગા મળીને કામ કરો.
\v 11 ક્લોએના ઘરમાં જેઓ છે તેમણે મને જાણ કરી છે કે તમારામાંના કેટલાકમાં જૂથવાદ તથા મતભેદો છે.
\s5
\v 12 આ જ સમસ્યા છે. તમારામાંનો દરેક જુદા જુદા આગેવાનને વફાદાર હોવાનો દાવો કરે છે. એક કહે છે, "હું પાઉલને વફાદાર છું." તો બીજો કહે છે, "હું આપોલસને વફાદાર છું." વળી બીજો કોઈક કહે છે, "હું પિતરને વફાદાર છું." અને કોઈ કહે છે, "પણ હું તો ખ્રિસ્તને વફાદાર છું."
\v 13 પરંતુ ખ્રિસ્ત પોતાની વફાદારીના ભાગ પાડતા નથી. પાઉલ તમારા માટે વધસ્તંભે જડાયો ન હતો. જે વ્યક્તિએ તમને બાપ્તિસ્મા આપ્યું તેણે તમને પાઉલના નામમાં બાપ્તિસ્મા આપ્યું ન હતું.
\s5
\v 14 હું ઈશ્વરનો આભાર માનું છું કે મેં ત્યાં રહેલા માત્ર થોડા લોકોને બાપ્તિસ્મા આપ્યું હતું; તેઓમાં મેં ક્રિસ્પસ તથા ગાયસને બાપ્તિસ્મા આપ્યું હતું.
\v 15 મેં તેમને મારા નામમાં બાપ્તિસ્મા આપ્યું હોત તો તે યોગ્ય ન હોત.
\v 16 (હવે મને યાદ આવે છે કે મેં સ્તેફનના કુટુંબને પણ બાપ્તિસ્મા આપ્યું હતું, પરંતુ તે લોકો સિવાય, કરિંથમાં કોઈને પણ બાપ્તિસ્મા આપ્યાનું મને યાદ નથી.)
\s5
\v 17 જે સૌથી મહત્વપૂર્ણ કાર્ય કરવા ખ્રિસ્તે મને મોકલ્યો તે તો તેમના વિષે દરેકને શુભ સમાચાર કહેવાનું હતું, લોકોને બાપ્તિસ્મા આપવાનું નહિ. મેં માનવીય ડહાપણ કે સોહામણા શબ્દો દ્વારા શુભ સમાચાર જાહેર કર્યા ન હતા કે જેથી હું તેને બદલે વધસ્તંભ પર મરણ પામેલા ખ્રિસ્તના કાર્યના સામર્થ્યની શક્તિનો ઉપયોગ કરી શકું.
\p
\s5
\v 18 કેમ કે જેઓ ઈશ્વરની બાબતો સંબંધી મરણ પામેલા છે તેઓ ઈશ્વરને સમજી શકતા નથી. ખ્રિસ્ત તેઓને માટે વધસ્તંભ પર મરણ પામ્યા, પરંતુ તેમના માટે આ સંદેશ અર્થવિહીન છે. તેમ છતાં, અમારા જેવાઓ કે જેમને ઈશ્વરે મુક્ત કર્યા અને જીવનમાં લાવ્યા, તેમને માટે આ સંદેશ ઈશ્વરને અમારામાં સામર્થ્યભરી રીતે કાર્ય કરવા દે છે.
\v 19 પ્રબોધકે શાસ્ત્રમાં લખ્યું હતું:
\q "જેઓ પોતાને સમજુ માને છે તેમના ડહાપણનો
\q હું નાશ કરીશ,
\q અને હું બુદ્ધિમાનોએ યોજેલી યોજનાઓને
\q નિરર્થક કરીશ."
\m
\p
\s5
\v 20 આ જગતના સમજુ લોકો ક્યાં છે? તેઓ ઈશ્વર વિષે કંઈ પણ સમજતા નથી. વિદ્વાનો પણ નહિ, કે વાદવિવાદમાં કુશળ હોય તેઓ પણ નહિ. કેમ કે ઈશ્વરે દર્શાવ્યું છે કે દરેક બાબતો કે જેને તેઓ ડહાપણ કહે છે તે ખરેખર તો મૂર્ખતા છે.
\v 21 ઈશ્વરના ડહાપણમાં, અવિશ્વાસીઓ તેમના પોતાના ડહાપણથી ઈશ્વરને ઓળખી શક્યા નહિ. તેથી જે સંદેશને તેઓ મૂર્ખતા ગણતા હતા તેનો ઉપયોગ કરવાનું ઈશ્વરને પસંદ પડ્યું. તે સંદેશને અમે જાહેર કર્યો અને તે સંદેશમાં જેઓ તેના પર વિશ્વાસ કરે તેઓને બચાવવાનું સામર્થ્ય હતું.
\s5
\v 22 યહૂદીઓ કોઈને અનુસરે તે અગાઉ જાહેરમાં ચમત્કારિક સામર્થ્યનો દેખાવ થાય તેમ ઇચ્છતા હતા. ગ્રીક લોકો આત્મિક વિચારો વિષે વિચારવાના નવા અને તાજા માર્ગો દ્વારા ડહાપણ શોધે છે.
\v 23 પરંતુ અમે ખ્રિસ્ત કે જે વધસ્તંભ પર મરણ પામ્યા તેમના વિષેનો સંદેશ જાહેર કરીએ છીએ. યહૂદીઓ માટે ખ્રિસ્તના વધસ્તંભનો સંદેશ એવો છે કે તેઓ સ્વીકારી શકે નહિ કારણ કે વધસ્તંભના મરણ સાથે શ્રાપ સંકળાયેલો છે. ગ્રીક લોકો માટે તેમનું ધ્યાન આકર્ષવા માટે તે સંદેશ ઘણો મૂર્ખતારૂપ છે.
\s5
\v 24 પરંતુ આપણને જેઓને ઈશ્વરે બોલાવ્યા કે જેથી આપણે તેમને જાણી શકીએ તેઓને માટે, તે સંદેશ દર્શાવે છે કે ખ્રિસ્તને આપણા માટે મરણ પામવા માટે મોકલવા દ્વારા ઈશ્વર પરાક્રમ અને ડહાપણથી વર્ત્યા. શુભ સમાચાર તે કોઈ જાતિ કે ફિલસૂફી સાથે સંકળાયેલ નથી; ખ્રિસ્તમાં યહૂદીઓ તથા પૃથ્વી પરના બીજા સર્વ દેશો અને જાતિઓ વચ્ચે કોઈ ભેદ નથી.
\v 25 કેમ કે ઈશ્વરની જે બાબતો મૂર્ખતાભરી દેખાય છે તે માનવજાત કલ્પના કરી શકે તેવા સૌથી બુદ્ધિમાન વિચારો કરતાં પણ ઉત્તમ છે. અને ઈશ્વરની જે બાબતો નબળી દેખાય છે તે થઈ ગયેલા સૌથી બળવાન અને મહાન મનુષ્ય કરતા પણ ઘણી શક્તિશાળી છે.
\p
\s5
\v 26 ભાઈઓ અને બહેનો, ઈશ્વરે તમને બોલાવ્યાં તે અગાઉ તમે કેવા પ્રકારની વ્યક્તિઓ હતા તે જુઓ. તમે કેટલા બિનમહત્વપૂર્ણ હતા તે જુઓ. તમે સૌથી બુદ્ધિમાન લોકો ન હતા. લોકો તમારી આજ્ઞા પાળે તેટલા મહત્વના તમે ન હતા. તમારા કોઈ પૂર્વજો પણ મહત્વ ધરાવનારા ન હતા.
\v 27 તેના બદલે, ઈશ્વરે એવી બાબતો પસંદ કરી કે જે અવિશ્વાસીઓ માટે અર્થવિહીન હતી કે જેથી તેઓ પોતાની પ્રશંસા કરતા અટકે. ઈશ્વરે એવી નબળી બાબતોનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું કે જેથી જે બાબતોને તેઓ ઘણી સામર્થ્યવાન માને છે તેને શરમાવવામાં આવે.
\s5
\v 28 અવિશ્વાસીઓ જેને અગત્યની ગણતા નથી તેવી બાબતો ઈશ્વરે પસંદ કરી કે જેથી તેઓ જે બાબતોને અગત્યની ગણે છે તેની કંઈ જ કિંમત નથી તેમ ઈશ્વર દર્શાવે.
\v 29 ઈશ્વરે આ કર્યું કે જેથી કોઈ મનુષ્ય પાસે પોતાની પ્રશંસા કરવાનું કંઈ પણ કારણ ન હોય અને તેના બદલે તેઓ સર્વ પ્રશંસા ઈશ્વરને આપે.
\s5
\v 30 ઈશ્વરે જે કર્યું તેના લીધે, તમે હવે ખ્રિસ્ત ઈસુ સાથે જોડાયા છો, તેમણે આપણને ઈશ્વર કેટલા બુદ્ધિમાન છે તે સ્પષ્ટ કર્યું છે. તેમણે આપણને ઈશ્વર સાથે યોગ્ય સબંધમાં મૂક્યા છે, તેમણે આપણને ઈશ્વર માટે અલગ કર્યા છે, અને આપણને બચાવીને સલામતીમાં લાવ્યા છે.
\v 31 તેથી, જેમ શાસ્ત્ર કહે છે તેમ:
\q "જે પોતાની પ્રશંસા કરે છે તેણે ઈશ્વરે તેના માટે જે કર્યું છે તેમાં જ તેની પ્રશંસા કરવી."
\s5
\c 2
\p
\v 1 ભાઈઓ અને બહેનો, જ્યારે હું તમારી પાસે આવ્યો, ત્યારે મેં આકર્ષક ભાષણો કર્યાં નહોતાં, કે બુદ્ધિમાનોએ કહેલી બાબતોનું મેં પુનરાવર્તન કર્યું ન હતું. મેં તમને ઈશ્વર વિષેનાં ગુપ્ત સત્યો કહ્યાં.
\v 2 ઈસુ ખ્રિસ્ત અને તેમના વધસ્તંભ પરના મરણ સિવાય બીજું કંઈ પણ ન કહેવા માટે મેં નિર્ણય કર્યો હતો.
\s5
\v 3 જ્યારે હું તમારી સાથે હતો ત્યારે હું કેટલો નિર્બળ હતો તે તમે જાણો છો. તમે જાણો છો કે મારું હૃદય ભયભીત હતું, અને તમે મને ભયથી ધ્રૂજતો જોયો.
\v 4 પરંતુ તમે મારો સંદેશ સાંભળ્યો, અને તમે જાણો છો કે જ્યારે હું તમારી સમક્ષ બોલ્યો ત્યારે મેં કાળજીપૂર્વક તૈયાર કરેલા ભાષણો કર્યાં નહિ. તેના બદલે, ઈશ્વરના આત્માએ તમને બતાવ્યું કે મારા દ્વારા તેમણે જે ચમત્કારો કર્યા તેના સામર્થ્યથી હું સત્ય બોલતો હતો.
\v 5 મેં આ રીતે શીખવ્યું કે જેથી તમે માનવીય ડહાપણને લીધે નહિ પણ તેમના સામર્થ્યને લીધે ઈશ્વરમાં વિશ્વાસ કરો.
\p
\s5
\v 6 હવે જેઓ સંપૂર્ણપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને માટે અમે બોલીએ છીએ. હવે તમારી પાસે ડહાપણ છે, અને તે ડહાપણને આ જીવનના રાજાઓ અને રાજ્યપાલો, કે જેમાંના સર્વ ટૂંક સમયમાં જતા રહેશે, તેઓની સાથે કંઈ લેવાદેવા નથી.
\v 7 અમે તે ડહાપણને જાહેર કરીએ છીએ જેને ઈશ્વરે હમણાં સુધી ગુપ્ત રાખ્યું હતું; તે ડહાપણ તો એવી જ્ઞાની બાબતો છે કે જેમને ઈશ્વરે જગત ઉત્પન્ન કર્યું તે અગાઉ કરવાનો નિર્ણય કર્યો, અને તેમણે તે બાબતો કરવાનો નિર્ણય કર્યો કે જેથી તેઓ અને અન્ય સજીવો કોઇક દિવસે આપણને માન આપે.
\s5
\v 8 ઈશ્વરની ડહાપણની યોજનાઓ વિષે આ જગત પર રાજ કરનારાઓમાંના કોઈને પણ ખબર ન હતી. જો તેઓ તે સમજ્યા હોત, તો તેઓએ ક્યારે પણ પ્રભુ, કે જેઓ ઘણા જ મહાન છે, તેમને વધસ્તંભે જડ્યા ન હોત.
\v 9 પરંતુ શાસ્ત્ર એમ કહે છે:
\q "જે બાબતો કોઈએ પણ જોઈ નથી,
\q કોઈએ પણ સાંભળી નથી,
\q અને જેની કોઈએ પણ કલ્પના કરી નથી-
\q તેઓ એ જ છે કે જેઓને ઈશ્વરે તેમને પ્રેમ કરનારાઓ માટે તૈયાર કરી છે."
\p
\s5
\v 10 આ તે જ બાબતો છે જેઓને ઈશ્વરે આપણને પવિત્ર આત્મા દ્વારા બતાવી. કેમ કે પવિત્ર આત્મા સઘળું જુએ અને જાણે છે. તેઓ ઈશ્વરનાં ઊંડાં અને ગુપ્ત રહસ્યો જે માત્ર ઈશ્વર જ પોતાના વિષે જાણે છે તેઓને પણ જાણે છે.
\v 11 માણસ જે પોતે વિચારે છે તે વિષે તેના પોતાના આત્મા સિવાય બીજું કોઈ જાણતું નથી. એમ જ ઈશ્વરની ગુપ્ત બાબતો ઈશ્વરના આત્મા સિવાય બીજું કોઈ જાણતું નથી.
\s5
\v 12 જે આત્મા ઈશ્વરે આપણને આપ્યો છે તે આ જગત તરફથી આવતો આત્મા નથી. ઈશ્વર તરફથી જે આત્મા આવે છે તેને આપણે મેળવ્યો છે. આ આત્મા ઈશ્વર આપણને જે કૃપાદાન મુક્ત રીતે આપે છે તે સમજાવવા સહાય કરે છે.
\v 13 આ જગતના ડહાપણમાં શીખેલા લોકો સમજી ન શકે તેવા પાઠો અમે શીખવીએ છીએ. આ પાઠો માત્ર ઈશ્વરના આત્મા દ્વારા શીખવવામાં આવે છે. તે આત્મા આપણને આ પાઠોનો અર્થ સમજવા સહાય કરે છે.
\s5
\v 14 જે માણસ ઈશ્વરને જાણતો નથી તે આ આત્મિક પાઠો સ્વીકારી શકતો નથી. તેના માટે તેઓ મૂર્ખોના પાઠો જેવા છે. તે તેઓને સ્વીકારવા ઇચ્છે તોપણ, તે અસમર્થ છે, કારણ કે માત્ર જે લોકો પાસે ઈશ્વર તરફથી મળતું ડહાપણ હશે તેઓ જ આ બાબતો સમજી શકશે.
\v 15 જે ઈશ્વરને જાણે છે તે સર્વ બાબતોનું મૂલ્યાંકન કરે છે, પરંતુ ઈશ્વર પોતાના વિષેનું તેઓનું મૂલ્યાંકન સ્વીકારશે નહિ.
\v 16 જેમ આપણામાંના એક પ્રબોધકે લખ્યું છે તેમ:
\q "કોઇપણ વ્યક્તિ માટે ઈશ્વરના મનમાં જે છે તે સર્વ જાણવું અશક્ય છે.
\q ઈશ્વરને શીખવવા માટે કોઈ સક્ષમ નથી."
\m પરંતુ આપણે ખ્રિસ્તના વિચારો જાણી શકીએ છીએ.
\s5
\c 3
\p
\v 1 મારા ભાઈઓ અને બહેનો, જ્યારે હું તમારી સાથે હતો, ત્યારે તમે ઈશ્વર વિષેનાં અઘરાં સત્યો સાંભળવા તૈયાર ન હતા. તમે જાણે ખ્રિસ્તમાં જોડાયેલાં નાનાં બાળકો હોય તેમ હું તમારી સાથે વાત કરી શકતો હતો.
\v 2 જેમ માતા પોતાના બાળકને દૂધ આપે તેમ જ, મેં તમને સમજવામાં સહેલી બાબતો શીખવી હતી. તમે ભારે ખોરાક પચાવવા માટે તૈયાર ન હતા. અને તમે હમણાં પણ તૈયાર નથી.
\s5
\v 3 હું આ કહું છું કારણ કે તમે ખ્રિસ્તીઓ હોવા છતાં હજુ પણ અવિશ્વાસીઓની જેમ વર્તી રહ્યા છો. હું જાણું છું કે તમે તૈયાર નથી કારણ કે તમારામાંના ઘણા એકબીજાની ઈર્ષા કરે છે અને ઝઘડે છે, અને તમે જાણે હજુ પણ અવિશ્વાસીઓ હોય તેમ બાબતોનો ન્યાય કરો છો.
\v 4 તમારામાંના કેટલાક એમ કહે છે કે મેં પાઉલે, તમને જે શીખવ્યું તેને અનુસરો છો; બીજાઓ કહે છે કે તેઓ આપોલસે જે શીખવ્યું તેને અનુસરે છે. તમે અવિશ્વાસીઓની માફક વર્તી રહ્યા છો.
\p
\v 5 તમારા જીવનોમાં ઈશ્વરે જે મહાન કાર્ય કર્યું છે તેની સરખામણીમાં આપોલસ મહત્વનો નથી. અથવા પાઉલ પણ મહત્વનો નથી. અમે બન્ને સેવકો છીએ, અને જે રીતે તેમણે અમને સોંપેલ છે તેમ અમે એક જ ઈશ્વરની સેવા કરીએ છીએ.
\s5
\v 6 તમારામાં ઈશ્વરના વચનનું બીજ વાવનાર હું પ્રથમ હતો તેમ છતાં, આપોલસે નિશ્ચિત કર્યું કે તમે વિશ્વાસમાં વૃદ્ધિ પામો. પરંતુ માત્ર ઈશ્વર જ તમને આત્મિક વૃદ્ધિ આપી શકે છે.
\v 7 મને ફરીથી કહેવા દો: અમે જેઓ બીજ વાવીએ છીએ અને તેને પાણી છાંટીએ છીએ તેઓનું કંઇ પણ મહત્વ નથી. એ તો ઈશ્વર જ છે કે જેઓ વૃદ્ધિ આપે છે. તમે તો તેમણે રોપેલા બગીચા જેવા છો.
\s5
\v 8 જે રોપે છે અને જે પાણી પાય છે તે તો એકસરખું જ કાર્ય કરે છે, અને દરેક વ્યક્તિગત રીતે તેનું વેતન ઈનામ તરીકે મેળવશે. ઈનામ તે તો એ રકમ છે કે જે દરેકે કેટલી મહેનતથી કામ કર્યું છે તે માપથી તેને ચૂકવવામાં આવે છે.
\v 9 અમે બન્ને ઈશ્વરના છીએ અને અમે ઈશ્વર સાથે કાર્ય કરીએ છીએ. પરંતુ તમારા માટે તો, ઈશ્વર તમને પોતાના ખેતરમાં ઉછેરી રહ્યા છે. તે તો એવું છે કે જાણે તેઓ તમારા દ્વારા એક ઇમારત બનાવી રહ્યા હોય.
\p
\s5
\v 10 ઈશ્વરે મને ઉદારતાથી કૌશલ્ય આપ્યું કે જેથી હું તેમને માટે આ કાર્ય કરી શકું. મેં તમારી મધ્યે એક કુશળ બાંધનાર તરીકે ઘણી કાળજીપૂર્વક કાર્ય કર્યું. પરંતુ મેં જેની શરૂઆત કરી હતી તેના પર મારા પછી બીજો કોઈક બાંધશે. દરેક વ્યક્તિ બીજાઓએ અગાઉ જે કર્યું છે તેના પર બાંધે છે. પરંતુ દરેકે પોતે કેવી રીતે બાંધે છે તેના વિષે સાવચેત રહેવું જોઈએ.
\v 11 કેમ કે જે નંખાયેલો પાયો છે તેના સિવાય અન્ય પાયો કોઈ નાખી શકતું નથી. તે પાયો તો ઈસુ ખ્રિસ્ત છે.
\s5
\v 12 અમે બાંધનારાઓ જેવા છીએ કે જેઓ નિર્ણય કરે છે કે તે પાયાની ઉપર શું મૂકવું. શિલ્પીઓ સોનું, ચાંદી, અને કિંમતી પથ્થરો જેવી મૂલ્યવાન સામગ્રી, અથવા લાકડું, સૂકું ઘાસ અને પરાળ જેવી નકામી સામગ્રી વાપરવાનો નિર્ણય કરી શકે છે.
\v 13 ઈશ્વર આપણા કાર્યનો ન્યાય કરશે અને આપણામાંના દરેકે તેમના માટે શું કર્યું છે તે પ્રગટ કરશે. તેઓ આપણે જે કાર્ય કર્યું છે તેને ચકાસવા અગ્નિ મોકલશે. તે અગ્નિ આપણે તેમને માટે કરેલા કાર્યની ગુણવત્તાની સાબિતી આપશે.
\s5
\v 14 વ્યક્તિએ જે બાંધ્યું છે તે જો અગ્નિની પરીક્ષા સામે ટકશે, તો તે તેના કાર્ય માટે ઇનામ મેળવશે,
\v 15 પરંતુ જો અગ્નિ તેનાં સર્વ કાર્યને બાળી નાખે, તો તે તેનાં સર્વ ઇનામો ગુમાવશે, પણ જો કે તેણે જે કાર્ય કર્યું હતું તેને જ્વાળાઓ સંપૂર્ણપણે નષ્ટ કરી નાખે તે છતાં ઈશ્વર હજુ પણ તેને બચાવી શકે છે.
\p
\s5
\v 16 તમે ચોક્કસપણે જાણો છો કે તમે ઈશ્વરનું નિવાસસ્થાન છો કે જ્યાં તેઓ રહે છે અને તમે તેમનું ભક્તિસ્થાન છો. તમે નિશ્ચે જાણો છો કે ઈશ્વરનો આત્મા તમારામાં રહે છે.
\v 17 ઈશ્વર વચન આપે છે કે જે કોઈ તેમના ભક્તિસ્થાનનો નાશ કરવાનો પ્રયત્ન કરશે તેનો તેઓ નાશ કરશે. તેઓ એવું એટલા માટે કરશે કારણ કે તેમનું ભક્તિસ્થાન તે કેવળ તેમનું જ છે. અને હવે તમે તેમનું ભક્તિસ્થાન છો અને તમે કેવળ તેમના જ છો તે કારણે તેઓ તે જ વચન દ્વારા તમારું રક્ષણ કરે છે!
\p
\s5
\v 18 સાવચેત રહો કે તમે પોતાને છેતરો નહિ. તમારામાંનો જો કોઈ વિચારે કે તેની પાસે મહાજ્ઞાન છે કે જેની અવિશ્વાસીઓ પ્રશંસા કરશે, તો તેણે સાવધાન રહેવું. અવિશ્વાસીઓ જે બાબતો ઇચ્છે છે તે સર્વ બાબતો જો તે છોડી દે તો તે તેના માટે વધુ સારું થશે. ભલે તેમ કરવાને લીધે તેઓ તેને મૂર્ખ ગણે તો પણ સારું રહેશે. જ્યારે તે તે બધી બાબતોને છોડી દેશે, ત્યારે તે ખરું જ્ઞાન શીખવાનું શરૂ કરશે.
\v 19 જગત જેને મહાજ્ઞાન ગણે છે તે ખરેખર તો ઈશ્વર માટે મૂર્ખતા છે. કેમ કે શાસ્ત્ર કહે છે,
\q "ઈશ્વર જ્ઞાનીને તેની પોતાની મૂર્ખ યોજનાઓમાં સપડાવે છે."
\m
\v 20 અને ફરી શાસ્ત્ર શીખવે છે,
\q "ઈશ્વર જ્ઞાનીઓની સર્વ યોજનાઓને જાણે છે, અને તેઓ જાણે છે કે અંતમાં, તેઓ સર્વ ગુમાવશે."
\p
\s5
\v 21 તેથી એક ખ્રિસ્તી આગેવાન કે બીજો ખ્રિસ્તી આગેવાન કેટલો સારો છે તેના વિષે બડાઈ મારવાનું બંધ કરો. કેમ કે ઈશ્વરે તમને સર્વ બાબતો આપી છે.
\v 22 ઈશ્વરે તમને પાઉલ, આપોલાસ અને પિતર આપ્યા છે. અને ઈશ્વરે તમને આ જગત, તમારા જીવન અને મરણ પર વિજય આપ્યો છે. અને જેનું અસ્તિત્વ છે તથા ભવિષ્યમાં જે અસ્તિત્વમાં આવશે તે સર્વ ઈશ્વર તમને આપે છે - તે સર્વ તમારું છે;
\v 23 અને તમે ખ્રિસ્તના છો, અને ખ્રિસ્ત ઈશ્વરના છે.
\s5
\c 4
\p
\v 1 દરેક વ્યક્તિએ અમને ખ્રિસ્તના સેવકો તરીકે, અને જેઓને ઈશ્વરે શુભ સમાચારમાંના ગુપ્ત સત્યો સોંપવામાં આવ્યા છે તેવા માનવા જોઈએ.
\v 2 ઈશ્વરે આપણને જે કાર્ય આપ્યું છે તે આપણે વિશ્વાસપૂર્વક કરવું જોઈએ કારણ કે તે કરવા માટે તેઓ આપણા પર ભરોસો રાખે છે.
\s5
\v 3 જો કોઈ માણસ, કે પછી ન્યાયસભાનો નિયમ પણ, મારા જીવનનો ન્યાય કરે, તો તે વિષે મને કોઈ ચિંતા નથી. હું પોતે મારા જીવનનો ન્યાય કરું તે મને નકામું લાગે છે.
\v 4 કોઈ મારા પર ખોટું કરવાનો આરોપ મૂકતું હોય તો મને તેની જાણ નથી. પરંતુ એનો અર્થ એ નથી કે હું નિર્દોષ છું. ઈશ્વર જ મારો ન્યાય કરનાર છે.
\s5
\v 5 તો પછી, તમારે સમય અગાઉ કશાનો પણ ન્યાય કરવો નહિ. પ્રભુ જ્યારે પાછા આવશે ત્યારે તેઓ તે કરશે. જે સંપૂર્ણ અંધકારમાં પણ છુપાયેલું છે તે સર્વને પ્રકાશમાં લાવનાર તેઓ જ છે, અને તેઓ સાચો ન્યાય કરશે કારણ કે દરેક વ્યક્તિ શું વિચારે છે તે તેઓ જાણે છે. જ્યારે તેઓ આવશે, ત્યારે દરેક વ્યક્તિ જે માન પ્રભુ તરફથી મેળવવા લાયક છે તે પ્રભુ પાસેથી મેળવશે.
\p
\s5
\v 6 હવે, ભાઈઓ અને બહેનો, આપણે જે નિયમને અનુસરીએ છીએ તે એ છે કે "તેઓએ શાસ્ત્રમાં જે લખ્યું છે તેની મર્યાદા બહાર જશો નહિ." આપોલસ અને હું તે નિયમથી જીવીએ છીએ. તમારી ખાતર અમે આ જ રીતે શીખવીએ છીએ જેથી તમે અમારી પાસેથી શીખી શકો. જે લોકો તમને શીખવી રહ્યા છે, પછી તે હું હોઉં કે આપોલસ હોય, તેઓ વિષે તે નિયમ તમને વધારે અભિમાની થતા અટકાવે છે.
\v 7 તમારા અને બીજા વિશ્વાસીઓ વચ્ચે કોઈ ભેદ નથી. તમો સર્વએ સઘળું કૃપાદાન તરીકે મેળવ્યું છે. તમારામાંનો કોઈ બીજા કરતાં સારો નથી. તમારામાંના કોઈએ અભિમાન ન કરવું કે તે બીજાઓથી અલગ છે. આપણે સર્વ સરખા જ છીએ.
\p
\s5
\v 8 પરંતુ તમે એવી રીતે વર્તો છો કે જાણે તમે જે ઇચ્છો છો તે સર્વ તમારી પાસે હોય! તમે જાણે ધનવાન હોય તે રીતે જીવો છો! તમે અમારી સહાય વગર પણ એવી રીતે જીવો છો કે જાણે તમે રાજ કરી રહેલા રાજાઓ અને રાણીઓ હો. વારું, હું ઇચ્છું છું કે તમે ખરેખર રાજાઓ અને રાણીઓ બન્યાં હોત, કેમ કે ત્યારે તો અમે પણ તમારી સાથે રાજ કરી શક્યા હોત!
\v 9 પરંતુ હકીકતમાં, એવું લાગે છે કે ઈશ્વરે અમને પ્રેરિતોને, લડાઈ પછીની કેદીઓની કવાયતની છેલ્લી હરોળના પ્રદર્શનમાં મૂક્યા હોય કે જેથી દૂતો અને મનુષ્ય જાત એમ બન્ને એટલે કે આખું જગત અમને જોઈ શકે. અમે જેઓને મરણની સજા કરવામાં આવી હોય તેવા માણસો છીએ; આખા જગતને, સ્વર્ગદૂતોને, નર્કદૂતોને અને માણસોને જોવા માટે અમને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.
\s5
\v 10 બીજાઓ અમને પ્રેરિતોને મૂર્ખ ગણે છે કારણ કે અમે ખ્રિસ્ત માટે જીવીએ છીએ, અને તેમ છતાં પણ તમે પોતાને જ્ઞાની લોકો તરીકે જુઓ છો. અમે નિર્બળ દેખાઈએ છીએ, પરંતુ તમે બળવાન હો તેવા દેખાવ છો! તમે પોતાને વખાણો છો અને માન આપો છો, પરંતુ અમે પ્રેરિતો તો એવા છીએ કે જેઓને બીજાઓ ધિક્કારે છે.
\v 11 અત્યાર સુધી અમે પ્રેરિતો અહીંતહીં ભૂખ્યા અને તરસ્યા ફરીએ છીએ. અમે અમારાં પોતાનાં વસ્ત્રો ન ખરીદી શકીએ તેટલા ગરીબ છીએ. અધિકારીઓએ અમને વારંવાર નિર્દયતાથી માર્યા છે. અમે જેને ઘર કહી શકીએ તેવું કોઈ સ્થળ અમારી પાસે નથી.
\s5
\v 12 રોજી કમાવવા માટે અમે અમારા હાથોથી સખત મહેનત કરીએ છીએ. જ્યારે બીજાઓ અમને શ્રાપ આપે છે, ત્યારે બદલામાં અમે તેઓને આશીર્વાદ આપીએ છીએ. જ્યારે બીજાઓ અમારી સતાવણી કરે છે, ત્યારે અમે સહન કરીએ છીએ.
\v 13 જ્યારે લોકો અમારા વિષે જૂઠ્ઠું બોલે છે, ત્યારે અમે તેઓને દયાળુ બનીને જવાબ આપીએ છીએ. અને તોપણ, તેઓ અમને જગતના કચરા જેવા અને લોકો જેને કચરાના ઢગલામાં નાખી દે તેવી ગંદકી જેવા ગણે છે.
\p
\s5
\v 14 હું તમને શરમાવવાનો પ્રયત્ન કરી રહ્યો નથી, પરંતુ જેમ પ્રેમાળ માતા-પિતા બાળકને સુધારે તેમ હું તમને સુધારવા માગું છું.
\v 15 જો તમારી પાસે ખ્રિસ્ત વિષે શીખવતા દસ હજાર શિક્ષકો હોત, તોપણ તમારી પાસે માત્ર એક જ આત્મિક પિતા હોત. જ્યારે મારા પ્રચાર કરેલા શુભ સમાચાર પર તમે વિશ્વાસ કર્યો ત્યારે હું ખ્રિસ્તમાં તમારો પિતા બન્યો.
\v 16 તેથી હું તમને મારો નમૂનો અનુસરવા માટે વિનંતી કરું છું.
\s5
\v 17 તેથી જ મેં તિમોથીને તમારી પાસે મોકલ્યો. હું તેને પ્રેમ કરું છું, અને તે મારો વિશ્વાસુ બાળક છે. હું ખ્રિસ્તમાં જોડાવાના લીધે કેવી રીતે જીવું છું તેના વિષે તે તમને યાદ કરાવશે. અમે જ્યાં કંઇ જઈએ અને જે દરેક મંડળીની મુલાકાત કરીએ ત્યાં હું આ જ બાબતો શીખવું છું.
\p
\v 18 તમારામાંના કેટલાક અભિમાની બની ગયા છે. તમે એવી રીતે જીવો છો કે જાણે હું તમારી પાસે લાંબા સમય સુધી પાછો નહીં આવું.
\s5
\v 19 પરંતુ જો ઈશ્વર ઇચ્છે છે કે હું આવું, તો હું થોડા સમયમાં તમારી પાસે આવીશ. પછી આ ગર્વિષ્ઠ લોકો કેવું બોલે છે તેટલું જ નહિ, પણ તેમનામાં ઈશ્વરનું સામર્થ્ય છે કે નહિ તે પણ હું શોધી કાઢીશ.
\v 20 ઈશ્વરનું રાજ્ય તમે જે બોલો છો તેના જેવું નથી; તે તો ઈશ્વરના સામર્થ્ય વિષે છે.
\v 21 તમે મારી પાસે શું કરવાની ઇચ્છા રાખો છો? શું હું તમને કઠોર શિક્ષા કરવા માટે આવું, કે શું હું એ માટે આવું કે જેથી હું તમારા પ્રત્યે કેટલો વિનમ્ર છું તે દ્વારા હું તમને કેટલો પ્રેમ કરું છું તે તમે જોઈ શકો?
\s5
\c 5
\p
\v 1 લોકોએ અમને એમ પણ કહ્યું છે કે તમારી મંડળીમાં એવો કોઈક છે કે જે જાતીય અનૈતિકતામાં જીવે છે, એવા પ્રકારની અનૈતિકતા કે જેને અવિશ્વાસીઓ પણ માન્ય ન રાખે. એક વ્યક્તિ તેના પિતાની બીજી પત્ની સાથે જાતીય સબંધ રાખે છે!
\v 2 અને તમે, તમે ગર્વિષ્ઠતામાં રાચો છો! તેના કરતાં તમારે આ પાપને લીધે રુદન કરવું જોઈતું હતું, અને તમારી સભામાંથી તે માણસને કાઢી મૂકવો જોઈતો હતો.
\s5
\v 3 હું દૈહિક રીતે તમારી સાથે નથી, પરંતુ મને તમારા સર્વની ઘણી ચિંતા છે, અને હું મારા આત્મામાં તમારી સાથે છું. અને જાણે હું તમારી સાથે હોઉં તેમ એ કામ કરનારનો ન્યાય કરી ચૂક્યો છું.
\v 4 જ્યારે તમે પ્રભુ ઈસુના આધિપત્ય હેઠળ ભજન કરવા એકઠા થાઓ અને હું તમારી સાથે આત્મામાં ભજન કરું છું ત્યારે
\v 5 તમારે આ માણસને બહાર જગતમાં શેતાનને સોંપી દેવો જોઈતો હતો, જેથી તેનું દૈહિક શરીર કદાચ નાશ પામે, પણ પ્રભુના પાછા ફરવાના દિવસે ઈશ્વર તેનો આત્મા બચાવે.
\p
\s5
\v 6 તમે તમારાં પોતાનાં વખાણ કરો છો તે સારું નથી. તમે ચોક્કસ જાણો છો કે દુષ્ટતા ખમીર જેવી છે: થોડું ખમીર આખા લોટને ફુલાવે છે.
\v 7 પાપ તે ખમીરના જેવું છે. તમારે જૂનું ખમીર સાફ કરીને ફેંકી દેવું જોઈએ કે જેથી તે આખા લોટને બગાડે નહિ. તમે બેખમીર લોટ જેવા છો. પાસ્ખાપર્વના તહેવારની જેમ ખમીરને રોટલીથી દૂર જ રાખવું જોઈએ. કેમ કે ખ્રિસ્ત આપણા પાસ્ખાપર્વના હલવાન છે: તેઓ આપણે માટે બલિદાન બન્યા.
\v 8 તેથી ચાલો આપણે પાસ્ખાપર્વનો તહેવાર ઊજવીએ, અને શુદ્ધિકરણના સર્વ નિયમોને અનુસરીએ. આપણે જૂનું ખમીર કે જે અનઆજ્ઞાંકિતપણું અને દુષ્ટતા દર્શાવે છે, તેને ફેંકી જ દેવું જોઈએ, અને ઈશ્વરની આજ્ઞા પાળવા દ્વારા અને એકબીજા સાથે સત્ય બોલવા દ્વારા આપણે આ તહેવાર ઊજવવો જ જોઈએ. જો આપણે તેમ કરીએ, તો આપણે ખમીર વગરની રોટલી જેવા બનીશું.
\p
\s5
\v 9 મેં તમને લખ્યું છે, કે તમારે જાતીય રીતે અનૈતિક લોકોની સંગતમાં રહેવું જ નહિ.
\v 10 સીધી વાત છે કે, મારા કહેવાનો અર્થ એ નથી કે જેઓ અનૈતિક છે અથવા સ્વાર્થી રીતે ઘણી બાબતોની ઇચ્છા રાખે છે અથવા જેઓ કુયુક્તિથી કે છેતરીને બીજાઓનું પડાવી લે છે અથવા જેઓ મૂર્તિઓની પૂજા કરે છે તેવા અવિશ્વાસીઓ સાથે તમારે સહયોગી ન બનવું. એવા સર્વ લોકોથી દૂર રહેવા માટે તો તમારે આ જગત છોડવું પડે.
\s5
\v 11 તેના બદલે, મારો કહેવાનો અર્થ એ છે કે જાતીય અનૈતિકતામાં જીવતા સાથી વિશ્વાસી સાથે તમારે ગાઢ મિત્ર બનવું નહિ. આપણે લાલચ, કે મૂર્તિપૂજા, કે કોઈ જે રીતે બીજાઓ સાથે વાત કરે તેમાં અપમાનજનક હોય, કે દારૂનો વ્યસની, કે ઠગનાર જેવા બીજા પાપો કરનારાને પણ આમાં સામેલ કરવા જોઈએ. જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે, તેમ છતાં આ બધી ભયંકર બાબતો કરે છે તેવા લોકો સાથે તમારે જમવું પણ નહિ.
\v 12 કેમ કે જેઓ ખ્રિસ્તની મંડળીની બહાર છે તેઓનો ન્યાય કરવાની મારી જવાબદારી નથી. જેઓ મંડળીમાં છે તેઓનો ન્યાય કરવાની તમારી ફરજ છે.
\v 13 જેઓ ખ્રિસ્તની મંડળીની બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર જ કરશે. શાસ્ત્ર આપણને આદેશ આપે છે,
\q "તમારી મધ્યે જે દુષ્ટ વ્યક્તિ છે તેને તમારે દૂર કરવી જ જોઈએ!"
\s5
\c 6
\p
\v 1 જ્યારે તમારે કોઈ અન્ય વિશ્વાસી સાથે તકરાર થઇ હોય, ત્યારે તે બાબતને એવા ન્યાયાધીશ કે જે વિશ્વાસી નથી તેની પાસે લઇ જવાની હિંમત કરવી નહિ. તે બાબતને સાથી વિશ્વાસીઓ પાસે લઇ જાઓ, કે જેઓને ઈશ્વરે પોતાના માટે અલગ કર્યા છે.
\v 2 તમારે જાણવું કે જેઓ ઈશ્વરના છે તેઓ જગતનો ન્યાય કરશે. જો તમે એક દિવસે જગતનો ન્યાય કરવાના હોય, તો ઓછી મહત્વની બાબતોની પતાવટ કરવાને તમે શક્તિમાન હોવા જોઈએ.
\v 3 તમારે જાણવું કે તમે દૂતોનો ન્યાય કરશો! તમે ચોક્કસપણે આ જીવનની બાબતોનો ન્યાય કરવા માટે શક્તિમાન છો.
\s5
\v 4 અને જો તમે એવી બાબતોનો ન્યાય કરી શકો છો કે જે આ જીવનમાં મહત્વની છે, તો ખ્રિસ્તીઓ વચ્ચેની તકરારની પતાવટ બિનખ્રિસ્તીઓ પાસે કરાવવાની જરૂર નથી.
\v 5 તમે પોતાને કેવા બદનામ કર્યા છે તે બતાવવા માટે હું આ કહું છું. જ્યારે ખ્રિસ્તી ભાઈઓ અને બહેનોમાં આ પ્રકારના કિસ્સાઓ બને ત્યારે મંડળીમાં નિશ્ચે કોઈક એવી વ્યક્તિ હોવી જ જોઈએ કે જે આ તકરારોની પતાવટ કરવા માટે પૂરતી સમજુ હોય.
\v 6 પરંતુ તેના બદલે, તમારામાંના કેટલાક વિશ્વાસીઓ અન્ય વિશ્વાસીઓ પર ન્યાયસભામાં આરોપ મૂકો છો અને તમે અવિશ્વાસી ન્યાયાધીશને એ બાબતની પતાવટ કરવા અરજ કરો છો!
\p
\s5
\v 7 જ્યારે તમારે એકબીજાની સાથે તકરાર હોય ત્યારે તેનો અર્થ એ થાય છે કે તમારે જે કરવું જોઈતું હતું તે તમે કર્યું નથી. કોઈ ભાઈ કે બહેનને ન્યાયસભામાં લઈ જવાને બદલે તેમને તમારો લાભ ઉઠાવવા દો.
\v 8 તેના બદલે, તમે બીજાઓનું ખોટું કર્યું છે તથા તેઓને છેતર્યા છે, અને જેઓને તમે છેતર્યા છે તે તમારા પોતાના ભાઈઓ અને બહેનો છે.
\p
\s5
\v 9 તમે નિશ્ચે જાણો છો કે દુષ્ટ લોકો ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ. જ્યારે લોકો આનાથી વિપરીત બાબત કહે તો તેઓનો વિશ્વાસ કરશો નહિ. સત્ય એ છે કે જાતીય વૃત્તિવાળા અનૈતિક લોકો, કે જેઓ ઈશ્વર સિવાય અન્ય કોઇ પણ વસ્તુ કે વ્યક્તિને પૂજે છે, જેઓ તેમના લગ્નકરાર તોડી નાખે છે, જેઓ જાતીય સંબંધ સામેલ હોય તેવા કહેવાતી પૂજાના વિકૃત કાર્યોમાં સંલગ્ન થાય છે, તથા જેઓ સજાતીય સંબંધ પણ રાખે છે,
\v 10 જેઓ ચોરી કરે છે, જેઓ વધારે મેળવવા માટે લોભ રાખે છે, જેઓ છાકટા બને છે, જેઓ બીજાઓ વિષે જૂઠ્ઠું બોલે છે, તથા જેઓ બીજાઓનું ચોરી લેવા તરકટ કરે છે અને છેતરે છે તેઓ ક્યારેય ઈશ્વરના રાજનો વારસો પામશે નહિ.
\v 11 તમારામાંના કેટલાક આવી બાબતો કરતા હતા. પરંતુ ઈશ્વરે તમને તમારાં પાપોથી શુદ્ધ કર્યા છે, તેઓએ તમને પોતાને માટે અલગ કર્યા છે, અને તેમની પોતાની સાથે યોગ્ય સંબંધમાં લાવ્યા છે. તેમણે આ સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય અને આપણા ઈશ્વરના આત્મા દ્વારા કર્યું છે.
\p
\s5
\v 12 કેટલાક આવું કહે છે: "હું ખ્રિસ્ત સાથે જોડાયેલો છું તે કારણે હું જે કંઇ ઇચ્છું તે કરવા માટે મુક્ત છું." હા, પરંતુ મને કંઇક કરવાની પરવાનગી છે તેનો અર્થ એ નથી કે તે મારા માટે સારું છે. "હું ઇચ્છું તે કરવા માટે હું સ્વતંત્ર છું" પરંતુ હું કોઈપણ બાબતને મારો માલિક બનવા દઈશ નહિ.
\v 13 લોકો એમ પણ કહે છે, "ખોરાક એ વ્યક્તિના શરીરના પાચનને માટે છે, અને વ્યક્તિનું શરીર એ ખોરાકના પાચનને માટે છે"-પરંતુ ઈશ્વર થોડા જ સમયમાં ખોરાક તથા શરીરનાં સામાન્ય કાર્યો બન્નેનો નાશ કરશે. સીધી વાત છે કે જ્યારે લોકો આવું બોલે છે ત્યારે તેઓ લોકો સાથે જાતીય સંબંધ બાંધવા વિષે સૂચવી રહ્યા છે. તેમ છતાં, ઈશ્વરે આપણા શરીરો એ માટે નથી બનાવ્યાં કે જેથી આપણે જાતીય રીતે અનૈતિક બનીએ. પરંતુ શરીર તો ઈશ્વરની સેવા માટે છે, અને ઈશ્વર શરીર માટે પૂરું પાડશે.
\s5
\v 14 ઈશ્વરે પ્રભુને મરણમાંથી ઉઠાડ્યા, અને તેઓ આપણને પણ તેમના સામર્થ્ય દ્વારા ફરીથી જીવવા માટે ઉઠાડશે.
\p
\v 15 તમારે જાણવું કે તમારાં શરીરો ખ્રિસ્તની સાથે જોડાયેલાં છે. જે ખ્રિસ્તનો ભાગ છે તે શું તમારે દૂર કરીને ગણિકા સાથે જોડવો જોઈએ? ક્યારેય નહિ!
\s5
\v 16 તમને સમજ છે કે જે કોઈ પણ ગણિકા સાથે સૂઈ જાય તે તેની સાથે એક થશે. તે તો શાસ્ત્ર લગ્ન વિષે જે કહે છે તેના જેવું છે: "તેઓ બન્ને એક દેહ થશે."
\v 17 અને જેઓ ખ્રિસ્ત સાથે જોડાયેલા છે તેઓ તેમની સાથે એક આત્મારૂપ થાય છે.
\p
\s5
\v 18 તેથી જ્યારે તમને જાતીય પાપ કરવાની ઇચ્છા થાય, ત્યારે તેનાથી બને તેટલું જલદી નાસી જાઓ! લોકો કહે છે, "માણસ જે દરેક પાપ કરે છે તે તેના શરીરની બહાર કરે છે", પણ જ્યારે કોઈ જાતીય પાપ કરે, ત્યારે તે તેના પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે.
\s5
\v 19 તમારે જાણવું જોઈએ કે તમારું શરીર તો નિવાસસ્થાન એટલે કે તમારી અંદર વસતા પવિત્ર આત્માનું ભક્તિસ્થાન છે. ઈશ્વરે તમને પોતાનો આત્મા આપ્યો અને હવે પછી તમે તમારા પોતાના નથી. તેના બદલે, તમે ઈશ્વરના છો.
\v 20 ઈશ્વરે તમને તેમના દીકરાના જીવનના મૂલ્યથી ખરીદ્યા છે. તેથી તમારા શરીરમાં તમે જે કંઈ કરો તેમાં ઈશ્વરને માન આપો.
\s5
\c 7
\p
\v 1 પરિણીત વિશ્વાસીઓએ કેવી રીતે જીવવું તે વિષે તમે કેટલાક પ્રશ્નો લખ્યા હતા. મારો જવાબ આ છે. લગ્નજીવનમાં કદાચ એવા કેટલાક સમયો હોય જ્યારે સાથે સૂઈ જવાથી દૂર રહેવું સારું છે.
\v 2 પરંતુ જાતીય રીતે અનૈતિકતા આચરવા લોકો વારંવાર પરીક્ષણમાં પડે છે. તેથી દરેક પતિને તેની પોતાની પત્ની હોવી જોઈએ, અને દરેક પત્નીને તેનો પોતાનો પતિ હોવો જોઈએ.
\s5
\v 3 અને લગ્ન કરલા દરેક વિશ્વાસીને તેના પતિ કે પત્ની સાથે સૂઈ જવાનો હક છે.
\v 4 પતિ પોતાના શરીરનું નિયંત્રણ તેની પત્નીને આપે. અને પત્ની પોતાના શરીરનું નિયંત્રણ તેના પતિને આપે.
\s5
\v 5 તમે પ્રાર્થના કરી શકો તેથી, તમે બન્ને થોડા સમય માટે એકબીજાથી દૂર રહેવા માટે સંમત થાઓ તે સિવાય એકબીજાને સાથે સુવાથી વંચિત ન રાખો. કેમ કે તમે પોતાને નિયંત્રણમાં રાખવા અસમર્થ હોઈને, શેતાનને તમારું પરીક્ષણ કરવા ન દો.
\p
\v 6 હું તમને લગ્ન કરી લેવા માટે આદેશ આપતો નથી, પરંતુ હું તમને છૂટ આપીશ કારણ કે તમારામાંના ઘણાએ લગ્ન કરેલા છે અથવા લગ્ન કરવાની ઇચ્છા રાખે છે.
\v 7 મારો નમૂનો તમારી આગળ છે: મેં લગ્ન કરેલાં નથી, અને કેટલીક વાર હું ઇચ્છા રાખું છું કે ઈશ્વરની સેવા કરવા માટે તમે દરેક લગ્ન ન કરો. પરંતુ ઈશ્વર પોતાના બાળકોને ઘણાં વિવિધ કૃપાદાનો આપે છે; તેઓ ઘણાંને લગ્ન કરવા, અને ઘણાંને લગ્ન ન કરવા શક્તિમાન કરે છે.
\p
\s5
\v 8 તમારામાંના જેઓએ ક્યારેય લગ્ન કર્યા નથી તેઓને તથા જેઓના પતિઓ મરણ પામ્યા છે તેઓને, હું કહું છું કે તમે મારી જેમ એકલાં રહો તે સારું છે.
\v 9 પરંતુ પોતાને નિયંત્રણમાં રાખવાનું જો તમારે માટે અઘરું લાગતું હોય, તો તમારે લગ્ન કરી લેવાં જોઈએ. તમારા માટે તીવ્ર જાતીય ઇચ્છાઓને લીધે સહન કરવા કરતાં લગ્ન કરી લેવું સારું છે.
\p
\s5
\v 10 જેઓએ પરિણીત છે તેઓને ઈશ્વર પોતાના આદેશો આપે છે: "પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહિ."
\v 11 (પરંતુ જો તે પોતાનાં પતિથી જુદી થાય, તો તેણે ફરીથી લગ્ન કરવું નહિ, નહીં તો તેણે પોતાના પતિની સાથે સુલેહ કરીને રહેવું.) અને, "પતિએ પોતાની પત્નીને છૂટાછેડા આપવા નહિ."
\p
\s5
\v 12 મારે આ કહેવું છે, પણ આ પ્રભુનો આદેશ નથી, આ તો મારી સલાહ છે. જેઓની પત્ની અવિશ્વાસી છે તેઓને: જો તે તમારી સાથે રહેવા માટે રાજી હોય, તો તેને છૂટાછેડા આપવા નહિ.
\v 13 અને જો તમે એવી સ્ત્રી હો કે જેનો પતિ અવિશ્વાસી હોય, અને જો તે તમારી સાથે રહેવા માટે રાજી હોય, તો તેને છૂટાછેડા આપવા નહિ.
\v 14 અવિશ્વાસી પતિ ખાસ રીતે અલગ કરાયેલો છે કારણ કે તેની પત્ની ઈશ્વરમાં વિશ્વાસ રાખે છે. અવિશ્વાસી સ્ત્રી કે જેનો પતિ ઈશ્વરમાં વિશ્વાસ રાખે છે તેના માટે પણ તેવું જ છે. તમારાં બાળકો માટે પણ તેવું જ છે: તેઓ ખાસ રીતે ઈશ્વર માટે અલગ કરાયેલાં છે, કારણ કે પતિ કે પત્ની ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે.
\p
\s5
\v 15 તેમ છતાં, જો અવિશ્વાસી પતિ કે પત્ની તમને છોડવા માગતા હોય, તો તમારે તેને જવા દેવા. આ પરિસ્થિતિમાં, લગ્ન કરતી વખતે તમે જે કરાર કર્યો હતો તે હવે પછી તમને બંધનકર્તા નથી. ઈશ્વરે આપણને શાંતિ માટે તેડું આપ્યું છે.
\v 16 તમે જાણતા નથી કે તમારા અવિશ્વાસી પતિ કે પત્ની આગળ તમે જે જીવન જીવો છો તે દ્વારા ઈશ્વર કેવી રીતે કાર્ય કરશે. અને તમે જાણતા નથી કે તમારું જીવન તમારા પતિ કે પત્નીને બચાવવાનું માધ્યમ બનશે કે નહિ.
\p
\s5
\v 17 ઈશ્વરે આપણને જે જીવન જીવવા માટે નીમ્યા છે તે આપણે જીવવું જ જોઈએ અને ઈશ્વરે આપણને આપેલા તેડાને આધીન થવું જોઈએ. બધી જ મંડળીઓમાં આ જ સિધ્ધાંત છે.
\v 18 તમે ખ્રિસ્તી બન્યા તે અગાઉ જો તમારી સુન્નત કરવામાં આવી હોય, તો તે સુન્નતનાં ચિહ્નો તમારે કાઢી નાખવાં જોઈએ નહિ. ઈશ્વરે જ્યારે તમને બચાવ્યા ત્યારે જો તમારી સુન્નત ન થઈ હોય, તો તમારે કોઈને પોતાને સુન્નત કરવા દેવા જોઈએ નહિ.
\v 19 સુન્નત કે બેસુન્ન્ત આપણે માટે મહત્વનાં નથી. પરંતુ જે મહત્વનું છે તે તો એ છે કે ઈશ્વર આપણને જે આદેશ આપે તે આપણે પાળવા જોઈએ.
\s5
\v 20 તેથી જ્યારે ઈશ્વરે તમને ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનું તેડું આપ્યું ત્યારે તમે જેમ જીવતા અને કાર્ય કરતા હતા તેમ કરવાનું જારી રાખો.
\v 21 જ્યારે ઈશ્વરે તમને બચાવ્યા ત્યારે જો તમે દાસ હતા, તો તમારે તેના વિષે ચિંતા કરવી નહિ. ચોક્કસ, જો તમને તમારી સ્વતંત્રતા મેળવવાની તક મળે, તો તે તકનો લાભ લો.
\v 22 આ એ માટે છે કારણ કે જે દાસને પ્રભુએ તેડ્યો છે તે હવે સ્વતંત્ર વ્યક્તિ છે. તેવી જ રીતે, જ્યારે તેમણે તમને તેડ્યા ત્યારે જો તમે ક્યારેય કોઈના દાસ ન હતા તો પણ તમે ઈશ્વરના દાસ બની ગયા.
\v 23 ઈશ્વરે તમને પોતાના દીકરાના મૂલ્યથી ખરીદ્યા છે; તમારી સ્વતંત્રતા મૂલ્યવાન છે. તેથી માણસોના દાસ બનશો નહિ.
\v 24 ખ્રિસ્તમાં મારા ભાઈઓ અને બહેનો, ઈશ્વરે જ્યારે તમને તેડ્યાં ત્યારે તમે જે કંઈ પણ હતાં, તમે દાસ હતાં કે સ્વતંત્ર હતાં, તે જ દરજ્જામાં રહો.
\p
\s5
\v 25 જેઓએ ક્યારેય લગ્ન કર્યા નથી તેઓના પ્રશ્ન વિષે, હું મારો મત જણાવીશ, પરંતુ આ પ્રશ્ન પર પ્રભુ તરફથી મારી પાસે કોઈ ચોક્કસ આજ્ઞા નથી. પરંતુ મારા પ્રત્યુત્તરમાં તમે ભરોસો રાખી શકો છો કારણ કે ઈશ્વર મારા પ્રત્યે દયાળુ રહ્યા છે અને લોકો જેના પર વિશ્વાસ કરી શકે તેવો બનવા ઈશ્વર મને સક્ષમ કર્યો છે.
\v 26 તેથી, જે સંકટનો સમય આપણા બધા પર આવી રહ્યો છે તેના કારણે, ઈશ્વરે જ્યારે તમને તેડ્યા ત્યારે તમે જેવા હતા તેવા જ રહો તે તમારા માટે સારું છે તેમ મારું માનવું છે.
\s5
\v 27 તમે જેઓએ લગ્ન કરેલા છે તેઓને, હું આ કહું છું: તમારા કરારથી મુક્ત થવાનો પ્રયાસ કરશો નહિ. તમે જેઓએ લગ્ન કરેલા નથી તેઓ માટે, પત્ની મેળવવાનો પ્રત્યત્ન કરશો નહિ.
\v 28 પરંતુ લગ્ન ન કરેલા પુરુષો માટે હું કહું છું કે જો તમે લગ્ન કરો, તો તમે કોઈ પાપ કર્યું નથી. આ જ સલાહ હું લગ્ન ન કર્યા હોય એવી સ્ત્રીઓને પણ આપું છું: જો તમે લગ્ન કરો છો, તો તમે કોઈ પાપ કર્યું નથી. તેમ છતાં, જો તમે લગ્ન કરો, તો તમને ઘણી સંસારિક મુશ્કેલીઓ પડશે, અને તેવા પ્રકારની મુશ્કેલીઓથી હું તમને બચાવવા માગું છું.
\p
\s5
\v 29 ભાઈઓ અને બહેનો, આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ તે વિષે મારી આ માન્યતા છે: આપણી પાસે થોડો જ સમય રહ્યો છે. જે સર્વ મુશ્કેલીઓ આવી રહી છે તેના કારણે, જેઓ લગ્ન કરેલા છે તેઓએ હવે પછીથી જાણે તેઓ લગ્ન ન કર્યા હોય તેમ જીવવું.
\v 30 જેઓ શોકથી ભરેલા છે તેઓએ રડવું જોઈએ નહિ. જેઓ કેટલાક અદ્દભુત બનાવોને લીધે હર્ષ પામે છે તેઓએ પોતાનાં મુખો પર આનંદ લાવવો નહિ. જેઓએ કંઇક ખરીદવા માટે નાણાં ખર્ચ્યાં છે તેઓએ તેમાં હર્ષ પામવો નહિ; તેઓ જાણે કશાના માલિક ન હોય તેમ તેમણે જીવવું.
\v 31 અને જેઓ આ જગતની વસ્તુઓ સાથે વ્યવહાર કરે છે તેઓએ પોતાને તે વસ્તુઓમાં સંપૂર્ણપણે સામેલ કરવા નહિ. કેમ કે આ જગતના વ્યવસ્થાતંત્રનો નાશ થવાનો છે.
\p
\s5
\v 32 હું ઇચ્છું છું કે તમે ચિંતા પમાડે તેવી બાબતોથી દૂર રહો. તમે જાણો છો તેમ, લગ્ન કર્યું ન હોય તે પુરુષ પ્રભુને માટે મહત્વની બાબતો વિષે ચિંતા કરે છે. તે પ્રભુની સેવા કરવા અને તેઓ જે ઇચ્છે છે તે કરવા ઇચ્છે છે.
\v 33 પરંતુ પરિણીત પુરુષે પોતે દુનિયાની સામાન્ય બાબતો વિષે તેમ જ તેની પત્નીની સેવા કરવા અને તેને ખુશ કરવા વિષે પણ ચિંતા કરવી પડે છે.
\v 34 તેથી પરિણીત પુરુષો તેમણે જે કરવાની જરૂર છે તેમાંથી માત્ર થોડી જ બાબતો કરી શકે છે. વિધવાઓ અને કુમારિકાઓ જેઓએ લગ્ન કર્યું નથી તેઓ માટે પણ તેવું જ છે: વિશ્વાસી સ્ત્રીઓ તરીકે તેઓ પોતાની સંપૂર્ણ જાતથી, પોતાની શારીરિક ક્ષમતાઓથી અને પોતાના આત્માથી પોતાનો સમય પ્રભુની સેવા માટે વાપરવાની ચિંતા રાખે છે. પરંતુ પરિણીત સ્ત્રીઓ આ જગતની દૈનિક બાબતો જેવી કે પોતાના પતિઓને કેવી રીતે ખુશ કરવા તે વિષે ચિંતા કરે છે.
\s5
\v 35 હું તમને સહાય કરવા માટે આ કહું છું. હું તમને નિયંત્રિત કરવા માગતો નથી. જો તમે મારી સલાહ માનશો, તો લગ્ન કરેલા લોકો કરે છે તેવી બાબતો વિષે ચિંતા કર્યા વિના પ્રભુની સેવા કરવી સરળ લાગશે.
\p
\s5
\v 36 જો કોઈ પુરુષે કોઈ કન્યા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હોય, પરંતુ જો તે કન્યાની લગ્ન માટેની યોગ્ય ઉંમર વીતી ગઈ હોવાને લીધે તે કન્યા સાથે માનથી વર્તે નહિ, તો તેણે લગ્ન કરી લેવાં. તે પાપ નથી.
\v 37 પરંતુ જો તે નક્કી કરે કે તે વર્તમાન સમયે લગ્ન કરવા ઇચ્છતો નથી, અને જો પરિસ્થિતિ તેના નિયંત્રણમાં હોય, તો લગ્ન ન કરવાનો તેનો નિર્ણય સારો છે.
\v 38 તેથી જેની સાથે તેની સગાઈ થયેલી છે તેની સાથે તે લગ્ન કરે છે તો તે યોગ્ય કરે છે અને પાપ કરતો નથી; અને જે લગ્ન ન કરવાનો નિર્ણય કરે છે તે તેનાં કરતા પણ વધારે સારો નિર્ણય કરે છે.
\p
\s5
\v 39 સ્ત્રીએ તેનો પતિ જીવે ત્યાં સુધી તેની સાથે રહેવું જોઈએ; જો તેનો પતિ મરણ પામે, તો તે જેની સાથે ઇચ્છે તેની સાથે લગ્ન કરવા માટે મુક્ત છે, પરંતુ જે વ્યક્તિ પ્રભુ પર વિશ્વાસ કરે છે તેની સાથે જ તેણે લગ્ન કરવાં જોઈએ.
\v 40 તેમ છતાં, મારા ધાર્યા પ્રમાણે, જો વિધવા ફરીથી લગ્ન ન કરે તો તે વધારે ખુશ રહેશે. અને હું માનું છું કે મારી પાસે પણ ઈશ્વરનો આત્મા છે.
\s5
\c 8
\p
\v 1 હવે, મૂર્તિઓને ધરાવેલો ખોરાક ખાવા સંબંધિત તમે પૂછેલા પ્રશ્ન વિષે: આપણે જાણીએ છીએ કે લોકો કહે છે, "આપણ સર્વ પાસે જ્ઞાન છે." પરંતુ જો તમે એમ વિચારો કે તમે ઘણું જાણો છો, તો તમે પોતાના વિષે ઘણા ગર્વિષ્ઠ બની શકો છો. તેમ છતાં, જ્યારે તમે બીજાઓને પ્રેમ કરો છો, ત્યારે તમે તેઓને તેમના વિશ્વાસમાં દૃઢ થવા મદદ કરો છો.
\v 2 સત્ય એ છે કે જો કોઈ એવું માને કે તે કંઇક જાણે છે, તો જે નમ્રતા તેણે અપનાવવી જોઈએ તે હજુ સુધી તે શીખ્યો નથી.
\v 3 જ્યારે તમે ઈશ્વરને પ્રેમ કરો છો, ત્યારે ઈશ્વર તમને ઓળખે છે.
\p
\s5
\v 4 હવે મૂર્તિઓને ધરાવેલ ખોરાક ખાવા વિષે: આ સિધ્ધાંતથી શરૂઆત કરીએ: જેમ કેટલાક કહે છે તેમ, "મૂર્તિઓનું જગતમાં ખરેખર કંઈ અસ્તિત્વ નથી," અને, જેમ મૂસાએ શીખવ્યું તેમ, "માત્ર એક જ ઈશ્વર છે." તેથી મૂર્તિઓ સાચા દેવો નથી; તેઓ જીવતા દેવો છે જ નહિ.
\v 5 પરંતુ હું જાણું છું કે કેટલાક લોકો એમ કહે છે કે સ્વર્ગમાં અને પૃથ્વી પર ઘણા દેવો અને પ્રભુઓ અસ્તિત્વ ધરાવે છે કારણ કે એવા ઘણા અલૌકિક સજીવો છે કે જેમની પાસે ખરી શક્તિ છે.
\v 6 તેમ હોવા છતાં, આપણે કહીએ છીએ,
\q "માત્ર એક જ ઈશ્વર એટલે પિતા છે,
\q1 જેમના દ્વારા સર્વ બાબતો આવે છે, અને આપણે તેમના માટે જીવીએ છીએ.
\q અને માત્ર એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે;
\q1 જેમણે જે કંઇ છે તે સર્વ ઉત્પન્ન કર્યું, અને તેઓ જ આપણને જીવન આપે છે."
\p
\s5
\v 7 પરંતુ બધા આ બાબત જાણતા નથી. અગાઉના સમયમાં કેટલાક મૂર્તિઓને પૂજતા હતા, અને હવે, જો તેઓ મૂર્તિઓને ધરાવેલો ખોરાક ખાય, તો તેઓને ચિંતા થાય છે કે તેઓ હજુ પણ તે દેવની પૂજા કરે છે. તેઓ બે અભિપ્રાયોની વચ્ચે વહેંચાયેલા છે, અને તેઓ ખ્રિસ્તના વિશ્વાસમાં નબળા છે, તેથી જ્યારે તેઓ મૂર્તિઓને ધરાવેલો ખોરાક ખાય છે ત્યારે તેઓ એવું અનુભવે છે કે તેઓ તે મૂર્તિને માન આપી રહ્યા છે.
\s5
\v 8 આપણે જાણીએ છીએ કે જે ખોરાક આપણે ખાઈએ છે તે ઈશ્વર આગળ આપણને સારા કે ખરાબ બનાવતો નથી.
\v 9 પરંતુ ખ્રિસ્તમાં તમારા ભાઈઓ અને બહેનો મહત્વનાં છે. તમે તે ખોરાક ખાવા માટે મુક્ત છો, પરંતુ તમને તે ખાવાની સ્વતંત્રતા છે તેના કારણે તમારે લોકોને તેમના વિશ્વાસમાં ઠોકર ન ખવડાવવી જોઈએ.
\v 10 તમે જાણો છો કે મૂર્તિઓ ક્યારેય જીવિત ન હતી, કે પછી તેઓ ક્યારેય દેવો પણ ન હતી. પરંતુ સાચા કે ખોટા વચ્ચેનો ભેદ ન જાણનારા ભાઈઓ અને બહેનો તમને મૂર્તિઓના મંદિરમાં તે ખાતાં જુએ, તો તેઓ એમ વિચારશે કે તમે તેઓને મૂર્તિપૂજા તરફ પાછા ફરવા માટે ઉત્તેજન આપો છો.
\s5
\v 11 તેના પરિણામે, જો તમારા નિર્બળ ભાઈ કે બહેન તમને મૂર્તિને ધરાવેલું માંસ ખાતા જુએ કેમકે તમારા મનમાં તો તમને તે ખોરાક ખાવાની સ્વતંત્રતા છે પરંતુ તેમને તેવી સ્વતંત્રતા નથી, તો સ્વતંત્ર વ્યક્તિ તરીકે વર્તવા દ્વારા તમે તમારા સાથી વિશ્વાસીના વિશ્વાસને નાશ કરી શકો છો કે જેના માટે ખ્રિસ્ત મરણ પામ્યા.
\v 12 તેથી, જ્યારે તમે તેઓને એવું કંઇક કરવા માટે ઉત્તેજન આપો છો કે જે કરવા માટે તેમની સાચુ કે ખોટુ જાણવાની સમજશક્તિ મના કરતી હોય ત્યારે તમે તમારા નિર્બળ ભાઈઓ અને બહેનો વિરુદ્ધ પાપ કરો છો. આ તો ખ્રિસ્તની વિરુદ્ધનું પાપ છે.
\v 13 માટે, તેઓએ મને કંઇક ખાતાં જોયો હોવાને કારણે જો મારા ભાઈ કે બહેન ઈશ્વરની સારી સેવા કરી શકતા નથી તો હું ક્યારેય માંસ ખાઇશ નહિ! હું એવું કંઈ પણ કરવા ઇચ્છતો નથી કે જે તેમને ઠોકર ખવડાવે.
\s5
\c 9
\p
\v 1 હું કેવી રીતે કાર્ય કરું છું તેની જેઓ ટીકા કરે છે તેઓને, હું આ પ્રમાણે પ્રત્યુત્તર આપું છું: હું પ્રેરિત છું. મેં ઈસુ આપણા પ્રભુને જોયા છે. હું સ્વતંત્ર છું. મેં જે કાર્ય કર્યું છે તેનું તમે પરિણામ છો, તમે મારા કામનું ફળ છો.
\v 2 હું ખરો પ્રેરિત છું તેવું બીજાઓ ન સ્વીકારે તો પણ, હું તમારે માટે ખરો પ્રેરિત છું. પ્રભુની સંમતિની મહોર દ્વારા, હું ખરો પ્રેરિત છું તેની સાબિતી તમે છો.
\p
\s5
\v 3 મારી સેવાના બદલા સ્વરૂપે તમે વિશ્વાસીઓ મને જે નાણાં આપો છો તે ન વાપરવાના લીધે હું ખરો પ્રેરિત નથી એવું જેઓ કહે છે તેઓને મારો એ જ જવાબ છે.
\v 4 ચોક્કસ એવા નાણાં પર જીવવાનો અમારો અધિકાર છે.
\v 5 જેમ બીજા પ્રેરિતો કરે છે તેમ અને પ્રભુના ભાઈ અને કેફાની માફક વિશ્વાસી પત્નીની સાથે મુસાફરી કરવાનો અમને ચોક્કસ અધિકાર છે.
\v 6 અમારા પોષણને માટે માત્ર બાર્નાબાસ અને મારે જ કામ કરવું એવો નિયમ કોઈએ બનાવ્યો નથી.
\s5
\v 7 કોઈ પણ સિપાઈ સૈન્યમાં પોતાના ખર્ચે સેવા આપતો નથી. કોઈ પણ માણસ દ્રાક્ષ ન ખાઈ શકે કે દ્રાક્ષરસ ન પી શકે માટે દ્રાક્ષાવાડી રોપતો નથી. પોતે પાળેલાં પ્રાણીઓમાંથી મળતું કેટલુંક દૂધ પીધા વિના કોઈ પણ વ્યક્તિ પશુઓ પાળતી નથી.
\p
\v 8 આ તો સામાન્ય સમજ છે. પરંતુ નિયમ પણ તેમ જ કહે છે.
\s5
\v 9 કારણ કે મૂસાનો નિયમ કહે છે, "જ્યારે બળદ અનાજ પર ચાલતો હોય, ત્યારે તેમાંનું થોડુંક ખાવાથી તેને રોકીશ નહિ." આ નિયમમાં એવું કંઇક છે જેની ઈશ્વર વધુ કાળજી રાખે છે.
\v 10 આ નિયમ આપણા માટે છે. મૂસા કહે છે કે જેમ બળદ જેના પર તે ચાલે છે તે અનાજ ખાય છે તેમ જેઓ કોઈ પણ નોકરીમાં કામ કરે છે તેઓને તે કામના ફળથી લાભ થવો જોઈએ.
\v 11 જો અમે તમારામાં શુભ સમાચારનાં બીજ વાવ્યાં છે, તો અમારા પાલન-પોષણ માટે તમારી પાસેથી નાણાં મેળવવાં તે શું વધારે પડતું કહેવાય?
\s5
\v 12 બીજાઓ તમારી પાસેથી આ પ્રકારની સહાય મેળવે છે, અને અમે ચોક્કસ સાબિત કર્યું છે કે તેઓના કરતાં અમે તે વધારે મેળવવાપાત્ર છીએ.
\p તોપણ, અમે તેના દાવેદાર હોવા છતાં, અમે તમારી પાસેથી કશું જ સ્વીકાર્યું નથી. તેના બદલે, અમે દરેક પ્રકારની મુશ્કેલી સહન કરીએ છીએ કે જેથી અમે લોકોને ખ્રિસ્ત વિષેના શુભ સમાચાર પર વિશ્વાસ કરવાનું વધારે મુશ્કેલ ન બનાવીએ.
\v 13 તમે ચોક્કસ જાણો છો કે જેઓ ભક્તિસ્થાનમાં ઈશ્વરને બલિદાન ચઢાવવામાં મદદ કરે છે તેઓ તેમની જરૂરિયાત માટે તે અર્પણોમાંથી થોડુંક મેળવે છે. તેઓ ઈશ્વરને અર્પણ કરેલો થોડો ખોરાક પણ મેળવે છે.
\v 14 તેવી જ રીતે, ઈશ્વરે આદેશ આપ્યો છે કે જેઓ શુભ સમાચારનો પ્રચાર કરે છે તેઓ શુભ સમાચારમાંથી રોજી મેળવવાપાત્ર છે. ઈશ્વરને જે આપેલું છે તેમાંનો કેટલોક ભાગ તેઓ પોતાની જરૂરિયાત માટે મેળવે છે.
\p
\s5
\v 15 પરંતુ મેં મારા માટે આમાંની કોઈ પણ બાબત માગી નથી. અને હું આ તમને એટલા માટે લખતો નથી. હું ક્યારેય તમારી પાસેથી આ બાબતો માગતો નથી તે માટે હું ગર્વ કરું છું, અને જો તમે મને ચૂકવતા હોત તો મારે ગર્વ કરવાનું બંધ કરવું પડત, તેથી તમે મને ચૂકવો તેના કરતાં કદાચ હું મરવાનું પસંદ કરું છું.
\v 16 જો હું શુભ સમાચારનો પ્રચાર કરું, તો હું એવું કશું નથી કરતો કે જેમાં મારે ગર્વ કરવો જોઈએ. શુભ સમાચારનો ઉપદેશ કરવો તેને હું મારી ફરજ માનું છું. ઈશ્વરે મને જે કરવા માટે તેડ્યો છે તે જો હું ન કરી શકું તો હું ઘણાં આંસુ સાથે શોક કરતો હોત.
\s5
\v 17 જ્યારે હું મારી ઈચ્છાથી શુભ સમાચારનો ઉપદેશ કરુ છું, ત્યારે મારો બદલો મોટો છે. પરંતુ કોઈએ મને ઉપદેશ કરવાની ફરજ પાડ્યાના કારણે જો હું ઉપદેશ કરું, તો મારે ઉપદેશ તો કરવો જ પડશે, કારણ કે ઈશ્વરે મારા પર વિશ્વાસ કર્યો છે કે તે કાર્ય હું તેમના માટે કરું.
\v 18 તેથી ઈશ્વર મને શો બદલો આપશે? તે એ છે કે જ્યારે હું શુભ સમાચારનો ઉપદેશ કરું, ત્યારે કોઈ મને તે માટે નાણાં ચૂકવે તે વગર હું કરું. તેના બદલે, હું કોઇ પણ કિંમત વગર તે કરું કે જેથી પ્રભુ મને જે ચૂકવણી લેવા માટે મંજૂરી આપે છે તે લીધા વગર હું તે કરું.
\p
\s5
\v 19 હું કોઈના અહેસાન હેઠળ નથી, પરંતુ હું બધાનો સેવક છું, કે જેથી હું વધારે અને વધારે લોકોને ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટે સમજાવું.
\v 20 યહૂદી લોકો સાથે કામ કરતી વખતે હું યહૂદી જેવો થાઉં છું, કે જેથી હું તેમને ખ્રિસ્ત માટે જીતી શકું. જેઓ નિયમને આધીન હતા તેઓને માટે તેઓ જેમ જીવતા હતા જેમ જ હું જીવ્યો, કે જેથી જેમ મેં ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તેમ જેઓ નિયમને આધીન થાય છે તેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે. હું મારું જીવન નિયમની માગણીઓ પ્રમાણે ન જીવતો હોવા છતાં, તેઓ જેમ જીવતા હતા તેમ જ હું જીવ્યો.
\s5
\v 21 જ્યારે હું બિન-યહૂદીઓ કે જેઓ મૂસાના નિયમરહિત જીવન જીવે છે તેઓ સાથે હોઉં છું, ત્યારે હું તેમના જેવો થાઉં છું (જો કે હું પોતે ઈશ્વરના નિયમરહિત નથી, અને હું ખ્રિસ્તના નિયમનો પાળનાર છું તેમ છતાં), કે જેથી હું જેઓ નિયમરહિત છે તેઓને ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટે સમજાવી શકું.
\v 22 જેઓ નિયમો અને કાયદાઓ વિષે નિર્બળ છે તેઓને માટે, હું તેઓની જેમ જીવ્યો, કે જેથી ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટે હું તેઓને સમજાવી શકું. હું કાયદાઓ હેઠળ અને ઘણી જીવનશૈલીઓ અનુસાર અને દરેક પ્રકારના લોકો સાથે જીવ્યો છું કે જેથી જે કોઈ રીતે ઈશ્વર કાર્ય કરવા ચાહે તે દ્વારા તેઓ તેમાંના કેટલાકને બચાવી લે.
\v 23 હું આ સઘળું કરું છું જેથી હું ખ્રિસ્ત વિષેના શુભ સમાચારનો પ્રચાર કરી શકું, કે જેથી શુભ સમાચાર જે સારી બાબતો આપણી પાસે લાવે છે તેનો અનુભવ હું પણ કરી શકું.
\p
\s5
\v 24 તમે જાણો છો કે જ્યારે લોકો દોડની હરીફાઈમાં દોડે છે, ત્યારે તેઓ બધા જ દોડે છે, પરંતુ તેમાંનો એક જ ઇનામ જીતે છે. તેથી તમારે પણ ઇનામ જીતવા દોડવું જોઈએ.
\v 25 દરેક રમતવીર જે તાલીમ લે છે તે વિષે સાવચેત રહે છે. તેઓ દોડે છે કે જેથી તેઓમાંનો એક વિજયનો મુગટ મેળવી શકે કે જે તેમના માથા પર મૂકવામાં આવશે; પરંતુ તે તો જૈતૂનના પાંદડાનો બનેલો છે અને ઝડપથી નાશ પામે છે તથા ચીમળાઈ જાય છે. પરંતુ આપણે તો સદાકાળ ટકે એવો મુગટ મેળવવા દોડીએ છીએ.
\v 26 તેથી, હું જે સર્વ કરું છું, તે એક હેતુને માટે કરું છું. હું મારા પ્રયત્નોને વેડફતો નથી કે પ્રતિસ્પર્ધી વગરના મુક્કેબાજની જેમ હવામાં મુક્કીઓ મારીને પોતાને થકવતો નથી.
\v 27 હું મારા શરીરને શિસ્તમાં રાખું છું અને તેને મારા આદેશો પાળવા નિયંત્રિત કરું છું. ઈશ્વરે મને જે કરવાનો આદેશ આપ્યો છે તે પૂરો કરવા હું નિષ્ફળ નીવડયો હોઉં તેના લીધે બીજાઓને શુભ સમાચારનો પ્રચાર કરવા છતાં મારો બદલો ખોઉં તેવું હું ઇચ્છતો નથી.
\s5
\c 10
\p
\v 1 ભાઈઓ અને બહેનો, હું ચાહું છું કે તમે યાદ રાખો, કે આપણા યહૂદી પૂર્વજો, જે ઈશ્વર તેઓને દિવસ દરમ્યાન વાદળ દ્વારા મિસરમાંથી બહાર દોરી લાવ્યા અને તેઓ બરુઓના લાલ સમુદ્રની કોરી જમીન પરથી પસાર થયા તેમને અનુસરતા હતા.
\v 2 અને જેમ આપણે ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા છીએ, તેમ ઇઝરાયલીઓએ મૂસાને અનુસરવાનું હતું કે જે વાદળમાં તથા સમુદ્રમાં ઈશ્વરને અનુસર્યો.
\v 3 તેઓ સર્વએ અલૌકિક માન્ના ખાધું કે જે તેઓને ઈશ્વરે સ્વર્ગમાંથી આપ્યું હતું,
\v 4 અને તેઓ સર્વએ અલૌકિક પાણી પીધું કે જે ઈશ્વરે તેઓને જ્યારે મૂસાએ ખડકને લાકડી મારી ત્યારે આપ્યું હતું. તે ખડક તો ખ્રિસ્ત હતા.
\s5
\v 5 પરંતુ ઈશ્વર તેઓમાંના મોટા ભાગના લોકો પર ગુસ્સે હતા કારણ કે તેઓએ અન્ય દેવોની પૂજા કરીને તેમની વિરુદ્ધ બળવો કર્યો હતો, તેથી તેમના મૃતદેહો સમગ્ર અરણ્યની જમીન પર પડ્યા હતા.
\p
\v 6 હવે આ બાબતો આપણા માટે નમૂનારૂપ હતી, જેથી આપણે તેઓની જેમ દુષ્ટ બાબતોની લાલસા રાખીએ નહિ.
\s5
\v 7 આપણા કેટલાક પૂર્વજોએ મૂર્તિઓની પણ પૂજા કરી. જેમ શાસ્ત્ર કહે છે, "લોકો ખાવા અને પીવા માટે નીચે બેઠા અને તેઓ બિભત્સ રીતે નાચવા માટે ઊઠ્યાં."
\v 8 આપણા ત્રેવીસ હજાર યહૂદી પૂર્વજો તેમની જાતીય અનૈતિકતાને કારણે એક જ દિવસમાં મરણ પામ્યા.
\s5
\v 9 જેમ આપણા કેટલાક પૂર્વજોએ કર્યું અને ઝેરી સાપોએ તેમને મારી નાખ્યા, તેમ આપણે ખ્રિસ્તની આધીનતા ન સ્વીકારીને તેમના અધિકારની કસોટી કરીએ નહિ.
\v 10 વળી જેમ આપણા કેટલાક પૂર્વજોએ કર્યું અને સ્વર્ગદૂતોએ તેમનો નાશ કર્યો, તેમ ઈશ્વર આપણને પૂરું પાડે છે તે વિષે આપણે કચકચ કરીએ નહિ.
\p
\s5
\v 11 હવે આ બાબતો આપણા પૂર્વજો સાથે બની; તેઓને લખવામાં આવી જેથી આપણે, કે જેઓ જગતના સૌથી અંત સમયમાં જીવીએ છીએ તેઓ તેમાંથી શીખીએ.
\v 12 અને તેથી આ બોધપાઠ છે: જો તમે વિચારો છો કે તમે બળવાન છો અને મજબૂત પરિસ્થિતિમાં છો, તો તમારે ખૂબ જ સાવચેત રહેવું, કારણ કે આ એ જ સમય છે કે જ્યારે તમે પડી શકો છો.
\v 13 દરેક પરીક્ષણ કે જેની વિરુદ્ધ તમે લડ્યા છો તે અમે સર્વએ અનુભવ્યું છે, પરંતુ ઈશ્વરે આપણને તેમનું વચન આપ્યું છે અને તેઓ પાપની વિરુદ્ધ લડવાની તમારી શક્તિ ઉપરાંતનું પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ. જ્યારે પરીક્ષણ આવે, ત્યારે ઈશ્વર તમારે માટે તેમાંથી મુક્ત થવાનો માર્ગ પણ પૂરો પાડશે, કે જેથી પાપમાં પાડનારા પરીક્ષણને તમે સહન કરી શકો.
\p
\s5
\v 14 તેથી, મારા વહાલાઓ, બને તેટલું ઝડપથી મૂર્તિપૂજાથી નાસી જાઓ.
\v 15 જે લોકો પોતાના જીવન જીવવા સંબંધી કાળજીપૂર્વક વિચારે છે તેવાઓમાં તમને ગણીને હું તમને આ કહું છું; હું તમને જે કહું છું તે વિષે વિચાર કરો.
\v 16 જ્યારે આપણે આશીર્વાદ આપીને દ્રાક્ષારસ પીએ છીએ, ત્યારે આપણે ખ્રિસ્તના રક્તમાં સહભાગી થઈએ છીએ. જ્યારે આપણે રોટલી ભાંગીએ છીએ, ત્યારે આપણે ખ્રિસ્તના શરીરમાં સહભાગી થઈએ છીએ.
\v 17 રોટલી એક જ છે, અને ભલે આપણે ઘણા હોઈએ તો પણ, આપણે સર્વ સાથે મળીને એક જ શરીર બનીએ છીએ, અને આપણે સર્વ એક જ રોટલીમાંથી ખાઈએ છીએ.
\p
\s5
\v 18 ઇઝરાયલના લોકો વિષે વિચાર કરો. જેઓ યજ્ઞવેદીનાં બલિદાનો ખાય છે તેઓ યજ્ઞવેદીના સહભાગી છે.
\v 19 તેથી હું કહું છું કે મૂર્તિ તે કંઈ વાસ્તવિક વસ્તુ નથી અને મૂર્તિને ધરાવેલો ખોરાક મહત્વનો નથી. તોપણ, અહીં અગત્યનો મુદ્દો છે.
\s5
\v 20 મારો આશય એવો છે: જ્યારે બિનયહૂદીઓ બલિદાન ચઢાવે છે ત્યારે તેઓ, પોતાના બલિદાનો ઈશ્વરને નહીં, પરંતુ દુષ્ટાત્માઓને ચઢાવતા હોય છે. અને મારી ઇચ્છા નથી કે તમે કંઈ પણ બાબતમાં દુષ્ટાત્માઓના સહભાગી થાઓ.
\v 21 તમારે પ્રથમ પ્રભુના અને ત્યારબાદ દુષ્ટાત્માઓના પ્યાલામાંથી પીવું ન જોઈએ. તેવી જ રીતે તમારે પ્રથમ પ્રભુભોજન અને ત્યારબાદ દુષ્ટાત્માઓના ભોજનમાંના સહભાગી થવું ન જોઈએ.
\v 22 તે પ્રમાણે કરીને તમે પ્રભુને તમારી બિનવફાદારીના લીધે ઈર્ષા કરવા ઉશ્કેરો છો. તમે તેમના કરતાં બળવાન નથી!
\p
\s5
\v 23 કેટલાક કહે છે, "સઘળી બાબતો ઉચિત છે", પણ આપણા માટે કે અન્ય લોકોના માટે બધી જ બાબતો સારી નથી. હા, "સઘળી બાબતો ઉચિત છે," પરંતુ લોકોને ઈશ્વર સાથેના જીવનમાં સઘળી બાબતો મદદરૂપ થતી નથી.
\v 24 માત્ર તમારા જ હિત માટે કાર્ય ન કરો, પરંતુ બીજાઓના હિત માટે પણ કાર્ય કરો. આપણે સર્વએ એકબીજા સાથે એ રીતે વર્તવું કે આપણે સર્વને મદદરૂપ થઈ શકીએ.
\s5
\v 25 આ આપણો નિયમ છે: જે કંઈ માંસ બજારમાં મળે છે તે મૂર્તિને ધરાવેલું છે કે નહીં તે પૂછ્યા વગર તમે તેને ખરીદીને ખાઈ શકો છો.
\v 26 જેમ ગીતકર્તા કહે છે, "પૃથ્વી અને તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે."
\v 27 જો કોઈ બિન-યહૂદી અવિશ્વાસી તમને જમવા માટે આમંત્રણ આપે, અને જો તમે ત્યાં જવાની ઇચ્છા રાખો, તો જાઓ, અને તે તમને જે આપે તે ખાઓ. ઈશ્વર નથી ઇચ્છતા કે તમે તેઓને પૂછો કે તેઓ આ ભોજન ક્યાંથી લાવ્યા.
\s5
\v 28 પરંતુ જો કોઈ તમને કહે, "અમે આ ભોજન મૂર્તિના મંદિરેથી લાવ્યા અને તે દેવને ભોગ આપેલું હતું," તો પછી તે વ્યક્તિ કે જેણે તમને ભોજન માટે આમંત્રિત કર્યા છે તેના સારા માટે તે ભોજન ન ખાઓ, કે જેથી તેના દ્વારા તે સાચું છે કે ખોટું તે સંબંધી વિવાદ ન થાય.
\v 29 સાચા અને ખોટા વિષે તમે શું વિચારો છો તે નહિ પણ બીજા લોકો શું વિચારે છે તે વિષે સાવધ રહેવા માટે આમ છે. બીજી વ્યક્તિઓ જે બાબતોના સત્ય અથવા અસત્ય હોવા વિષે વિશ્વાસ કરે છે તેથી મારી વ્યક્તિગત પસંદગીઓ બદલાતી નથી.
\v 30 જો હું આભારસ્તુતિ સાથે ભોજનને માણું, તો અન્ય કોઈ વ્યક્તિ તે વિષે મારો તિરસ્કાર કરે તેવું મારે ન થવા દેવું જોઈએ.
\p
\s5
\v 31 નિયમ તો આ છે કે તમે ભોજન ખાઓ અથવા તમને આપેલું કંઈ પણ પીઓ, અથવા તમે જે કંઈ પણ કરો, તે સર્વ એવી રીતે કરો કે તેના દ્વારા તમે ઈશ્વરને મહિમા આપો.
\v 32 આવી બાબતોને લીધે યહૂદીઓ અથવા ગ્રીકો, અથવા ઈશ્વરની મંડળીના કોઈ સાથે આક્રમક બનશો નહીં.
\v 33 મેં તેને મારી ફરજ સમજી છે કે શક્ય હોય તે સર્વ રીતે હું સર્વને ખુશ રાખુ. મારું પોતાનું જ હિત શોધીને હું આમ કરતો નથી. તેના બદલે, બીજા લોકોને મદદ કરીને હું તેઓને દૃઢ કરું છું, કે જેથી ઈશ્વર તેઓને બચાવે.
\s5
\c 11
\p
\v 1 જેમ હું ખ્રિસ્તના નમૂનાને અનુસરું છું તેમ તમે મારા નમૂનાને અનુસરો.
\p
\v 2 તમે જે કંઈ કરો છો તેમાં તમે મને યાદ કરો છો, અને મેં તમને જે અગત્યનું શિક્ષણ આપ્યું તેને મેં જે રીતે શીખવ્યું હતું તે રીતે તમે દૃઢતાથી પકડી રાખ્યું છે તેના કારણે હું તમારી પ્રશંસા કરું છું.
\v 3 હું ઇચ્છું છું કે તમે સમજો કે ખ્રિસ્તને દરેક પુરુષ પર અધિકાર છે, અને પુરુષને સ્ત્રી પર અધિકાર છે, અને ઈશ્વરને ખ્રિસ્ત પર અધિકાર છે.
\v 4 તેથી જો કોઈ પુરુષ પ્રાર્થના કરતાં અથવા ઈશ્વર તરફથી આવેલો સંદેશ જાહેર કરતાં પોતાનું માથું ઢાંકે, તો તે પોતાનું અપમાન કરે છે.
\s5
\v 5 પરંતુ જો સ્ત્રી માથું ઢાંક્યા વગર પ્રાર્થના કરે અથવા ઈશ્વરે આપેલો સંદેશ જાહેર કરે, તો તે પોતાનું અપમાન કરે છે. કારણ કે તે તો તેના જેવું જ છે જાણે તેણે પોતાનું માથું મૂંડાવ્યું હોય.
\v 6 જો સ્ત્રી તેનું માથું ઢાંકવા માટે ના પાડે, તો તેણે પુરુષની જેમ, તેના વાળ કાપીને નાના કરવા જોઈએ. પરંતુ તમે જાણો છો કે સ્ત્રી માટે વાળ કાપીને નાના કરવા તે અથવા મૂંડન કરાવવું તે અપમાનજનક છે. તેથી, તેના બદલે, તેણે પોતાનું માથું ઢાંકવું જોઈએ.
\s5
\v 7 ઈશ્વરે પુરુષને પોતાના જેવા બનાવ્યા છે તેથી તેઓએ પોતાનું માથું ઢાંકવું નહીં, અને ઈશ્વર પોતે કેવા છે તેના થોડોક અંશ પુરુષ પ્રતિબિંબિત કરે છે. પરંતુ પુરુષના થોડા અંશને સ્ત્રીઓ પ્રતિબિંબિત કરે છે.
\v 8 કારણ કે ઈશ્વરે પુરુષ આદમને સ્ત્રી હવામાંથી બનાવ્યો નથી; તેના બદલે, તેમણે પુરુષ આદમમાંથી સ્ત્રી હવાને બનાવી હતી.
\s5
\v 9 ઈશ્વરે સ્ત્રીની મદદ કરવા માટે પુરુષને બનાવ્યો નથી, પરંતુ સ્ત્રીને પુરુષની મદદ કરવા માટે બનાવી.
\v 10 આ કારણે સ્ત્રીઓએ, અધિકારના ચિહ્નન તરીકે અને દૂતોના લીધે પોતાનું માથું ઢાંકવું.
\s5
\v 11 તેથી જેમ આપણે પ્રભુ સાથે જોડાઈને જીવીએ છીએ, તેમ સ્ત્રીઓને પુરષની અને પુરુષને સ્ત્રીઓની મદદની જરૂર પડે છે.
\v 12 કારણ કે સ્ત્રી પુરુષમાંથી બનાવવામાં આવી અને પુરુષ સ્ત્રીમાંથી જનમ્યો છે. તેથી તેઓ એકબીજા પર આધાર રાખે છે. પરંતુ સર્વ બાબતો ઈશ્વર પાસેથી આવે છે.
\s5
\v 13 તમે પોતાને માટે નક્કી કરો: શું સ્ત્રી માટે તે યોગ્ય છે કે તે ઉઘાડા માથે ઈશ્વરને પ્રાર્થના કરે?
\v 14 કુદરતી રીતે આપણે શીખીએ છીએ કે પુરુષને લાંબા વાળ હોય તે તેને માટે અપમાનરૂપ છે,
\v 15 પરંતુ કુદરત એ પણ શીખવે છે કે સ્ત્રીઓના લાંબા વાળ તેની સુંદરતા દર્શાવે છે. તેના વાળ તેને પોતાની સુંદરતા ઢાંકવા માટે ઈશ્વર તરફથી આપવામાં આવ્યા છે.
\v 16 પરંતુ મંડળીમાં કોઈ આ વાત વિષે દલીલ કરવા ઇચ્છે, તો આપણી પાસે તેના સિવાયનો બીજો કોઈ રિવાજ નથી, અથવા બીજી કોઈ પણ મંડળી આનાથી અલગ કંઈ પણ કરતી નથી.
\p
\s5
\v 17 આ સૂચનાઓમાં, તમે પ્રભુભોજન માટે જે કરો છો તે માટે હું તમારી પ્રશંસા કરી શકતો નથી. જ્યારે તમે ભોજન માટે ભેગા થાઓ છો, ત્યારે એકબીજાને ઉત્તેજન આપવા અને મદદ કરવાને બદલે, તમે મંડળીની સંગતને વધારે ખરાબ કરો છો.
\v 18 ચિંતાની બાબત તો એ છે કે જ્યારે તમે સંગતમાં ભેગા થાઓ છો, ત્યારે તમે જુદા જૂથ અને પક્ષ તરીકે ભેગા થાઓ છો. લોકોએ મને આવું જ જણાવ્યું છે, અને હું વિશ્વાસ કરું છું કે તેઓએ જે કહ્યું છે તેમાં કેટલુંક સાચું છે.
\v 19 એવું જણાય છે કે તમારી મધ્યે તમને અલગ-અલગ જૂથોની જરૂર છે જેથી તમે ચકાસીને માન્ય કરો કે કોણ માનને યોગ્ય છે અને કોણ તેને યોગ્ય નથી.
\s5
\v 20 જ્યારે તમે ભેગા થાઓ છો ત્યારે તમે પ્રભુભોજન લેતા નથી.
\v 21 જ્યારે તમે જમો છો, ત્યારે એક માણસ પૂરું ભોજન લાવે છે અને જેવો તે આવે કે તરત જ; બીજા કોઇની રાહ જોયા વગર જમે છે. બીજાઓ એટલો બધો દ્રાક્ષાસવ પીએ છે કે તેઓ નશામાં ચકચૂર થાય છે જ્યારે કોઇ વ્યક્તિ ભૂખી રહે છે.
\v 22 જાણે તમારી પાસે ખાવા-પીવા માટે ઘર ન હોય તેમ તમે વર્તો છો! તમે મંડળી સાથે અપમાનિત રીતે વર્તો છો, અને જે હેતુથી તમે એકત્ર થાઓ છો તેને તમે ધિક્કારો છો. જેઓ ગરીબ છે તેઓને તમે ઉતારી પાડો છો. હું આના વિષે કંઈ સારું કહી શકતો નથી. આ તો કલંકરૂપ છે.
\p
\s5
\v 23 જે મેં પ્રભુ પાસેથી મેળવ્યું હતું તે મેં તમારા સુધી પહોંચાડ્યું છે, કે જે રાતે પ્રભુ ઈસુને તેમના દુશ્મનોને સોંપવામાં આવ્યા, તે રાત્રે તેમણે રોટલી લીધી,
\v 24 અને આભાર માન્યા પછી, તેઓએ તે ભાંગી અને કહ્યું, "આ મારું શરીર છે, જે તમારા માટે છે, આ કરો અને મને યાદ કરો."
\s5
\v 25 તેવી જ રીતે, તેઓના જમ્યા પછી, તેમણે પ્યાલો લીધો, અને કહ્યું, "આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે. તમે જેટલી વાર તેમાંનું પીઓ છો તેટલી વાર, મને યાદ કરો."
\v 26 કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો, તેટલી વાર પ્રભુના પુનરાગમન સુધી તમે તેમના મૃત્યુને પ્રગટ કરો છો.
\p
\s5
\v 27 પ્રભુભોજનમાં ભાગ લેવા જે સર્વ આવે તેઓએ જે રીતે તે વહેંચાય છે તેમાં ઈશ્વરને માન આપવું. જેઓ તે રોટલી ખાય છે અને તે પ્યાલો પીએ છે તેઓએ પ્રભુને માન મળે તે રીતે તે કરવું. જે કોઈ તે રોટલીનું અને તે પ્યાલાનું અપમાન કરે તે પ્રભુના શરીર અને લોહી માટે દોષિત ઠરશે.
\v 28 તેથી પ્રભુભોજન લેતાં અગાઉ આપણે સર્વએ આપણી જાતની પરીક્ષા કરવી. આપણી જાતની પરીક્ષા કર્યા પછી જ આપણે તે રોટલી ખાવી અને તે દ્રાક્ષારસ પીવો.
\v 29 જે કોઈ આ ભોજન ખાય તથા પીએ અને પ્રભુનું શરીર શું છે તે વિચારતો નથી, તે પોતા પર ઈશ્વરનો ન્યાયચુકાદો લાવે છે.
\v 30 જે રીતે તમે પ્રભુના શરીર પ્રત્યે વર્ત્યા છો તેના લીધે તમારામાંના ઘણા શારીરિક રીતે બીમાર છે અને ઘણા મરણ પામ્યા છે.
\s5
\v 31 પ્રભુભોજન લેતાં અગાઉ જો આપણે પોતાની પરીક્ષા કરીએ, તો ઈશ્વર આપણો ન્યાય નહીં કરે.
\v 32 પરંતુ જ્યારે પ્રભુ આપણો ન્યાય કરે અને શિક્ષા કરે, ત્યારે તેઓ આપણને શિસ્તમાં લાવીને સુધારે છે, જેથી તેઓ આ દુનિયા કે જેણે ઈશ્વરનો તિરસ્કાર કર્યો છે તેમની સાથે આપણને દોષિત ઠરાવે નહીં.
\p
\s5
\v 33 મારા સાથી વિશ્વાસીઓ, જ્યારે તમે પ્રભુભોજન માટે ભેગા થાઓ, ત્યારે એકબીજાની રાહ જુઓ.
\v 34 જો તમારામાંનો કોઈ ભૂખ્યો હોય, તો તે ઘરે જમે કે જેથી જ્યારે તમે મંડળી તરીકે ભેગા થાઓ, ત્યારે તમને ઈશ્વર દ્વારા શિસ્તમાં લાવવા માટેનો તે પ્રસંગ ન બની રહે.
\p અને જ્યારે હું તમારી પાસે આવીશ, ત્યારે તમે મને પત્રમાં બીજી જે બાબતો લખી હતી તે સંબંધી હું તમને સૂચનો આપીશ.
\s5
\c 12
\p
\v 1 અને હવે ભાઈઓ અને બહેનો, મને આત્મિક કૃપાદાનો વિષે તમને શીખવવા દો. હું ઇચ્છું છું કે તમે જાણો કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
\v 2 તમે યાદ કરી શકશો કે જ્યારેજે એક શબ્દ પણ બોલી શકતી ન હતી તે મૂર્તિને તમે ભજતા હતા, તેઓએ તમને કેવી રીતે ગેરમાર્ગે દોર્યા.
\v 3 ઈશ્વરનો આત્મા તમને જાહેર કરવા મદદ કરે છે કે, "ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે." જે કોઈ પવિત્ર આત્માથી ભરપૂર છે તે ક્યારેય કહેશે નહિ કે, "ઈસુ શાપિત છે!"
\p
\s5
\v 4 પવિત્ર આત્મા ખ્રિસ્તના લોકોને ઘણાં કૃપાદાનો આપે છે, પરંતુ આત્મા તો એકનોએક જ છે.
\v 5 ઈશ્વરની સેવા કરવા માટે ઘણા અલગ અલગ માર્ગો છે, પરંતુ પ્રભુ તો માત્ર એક જ છે.
\v 6 વળી ઈશ્વરના રાજ્યમાં કામ કરવા માટે પણ લોકો પાસે ઘણા માર્ગો છે, પરંતુ જે પોતાના લોકોને તેમને માટે કાર્ય કરવા સામર્થ્ય આપે છે તે તો પ્રભુ જ છે.
\p
\s5
\v 7 ઈશ્વર શક્ય બનાવે છે કે દરેક વિશ્વાસી દર્શાવી શકે કે તેની પાસે પવિત્ર આત્માનું કેટલુંક સામર્થ્ય છે; સર્વ વિશ્વાસીઓ સાથે મળીને ઈશ્વર પર વધુ વિશ્વાસ કરે તથા તેઓને માન આપે માટે તેઓને મદદ કરવા ઈશ્વર આમ કરે છે.
\v 8 કારણ કે પવિત્ર આત્મા એક વ્યક્તિને મહાન ડહાપણ સાથે ઈશ્વરનો સંદેશ આપવા સમર્થ કરે છે, અને તેઓ બીજા વ્યક્તિને ઈશ્વર પાસેથી તે જ્ઞાન બીજાઓને પહોચાડવા સમર્થ કરે છે.
\s5
\v 9 પવિત્ર આત્મા બીજા વિશ્વાસીને અદ્દભુત બાબતો માટે ઈશ્વર પર વિશ્વાસ કરવાનું દાન આપે છે. વળી બીજી વ્યક્તિને તેઓ લોકોને સાજાપણું મળે માટે પ્રાર્થના કરવાનું દાન આપે છે.
\v 10 પવિત્ર આત્મા કેટલાક વિશ્વાસીઓને પરાક્રમી કાર્યો કરવા સમર્થ કરે છે કે જેથી લોકો ઈશ્વરની સ્તુતિ કરે. વળી બીજા વિશ્વાસીઓને, તેઓ ઈશ્વર પાસેથી આવેલો સંદેશ કહેવા સમર્થ કરે છે. પવિત્ર આત્મા બીજા વિશ્વાસીઓને ઈશ્વરનો આદર કે અનાદર કરતા આત્માઓ વચ્ચેનો ભેદ પારખવા સમર્થ કરે છે. હજુ બીજાઓને, પવિત્ર આત્મા વિવિધ પ્રકારની ભાષાઓ આપે છે કે જેમાં તેઓ ઈશ્વર તરફથી મેળવેલ સંદેશ કહે, અને બીજાઓને તે ભાષામાંથી આપણી ભાષામાં અર્થઘટન કરવા સમર્થ કરે છે.
\v 11 ફરી અને ફરી આપણે ઘણાં જુદાં કૃપાદાન જોઈએ છીએ, પરંતુ તેઓ તો એક જ પવિત્ર આત્મા છે કે જેઓ પોતાની ઇચ્છા પ્રમાણે, દરેક વ્યક્તિને આ કૃપાદાનો આપે છે.
\p
\s5
\v 12 જેમ મનુષ્યનું શરીર ઘણા અવયવોનો સમૂહ છે, અને શરીરનો દરેક ભાગ તેને એક શરીર બનાવે છે, તેવું જ ખ્રિસ્તના સંબંધમાં છે.
\v 13 કારણ કે ખ્રિસ્તના આત્માથી, બાપ્તિસ્મા પામવા દ્વારા, આપણે દરેક ખ્રિસ્તના શરીરમાં જોડાયા. આપણી પશ્ચાદભૂમિકા યહૂદી અથવા ગ્રીક, દાસ અથવા મુક્ત જે કંઇ હતી તેનાથી કંઈ ફરક પડતો નથી, પરંતુ આપણામાંના દરેકે પવિત્ર આત્માનાં કૃપાદાન પ્રાપ્ત કર્યાં.
\s5
\v 14 યાદ રાખો, શરીર તે માત્ર એક અવયવ નથી, પરંતુ ઘણા અવયવો સાથે કાર્ય કરે છે કે જેથી સંપૂર્ણ શરીર બને.
\v 15 જો તમારો પગ તમારી સાથે વાત કરે અને કહે, "હું હાથ નથી, તેથી, હું તમારા શરીરનો અવયવ નથી," તો કારણ કે તે હાથ જેવો નથી તેથી તે તમારા શરીરનો ઓછા મહત્ત્વનો અવયવ નથી બનતો.
\v 16 અને જો તમારો કાન તમને કહે, "હું આંખ નથી, તે કારણે, શરીરમાં મારું કોઈ સ્થાન નથી," તો કારણ કે તે આંખ નથી તેથી તે તમારા શરીરનો ઓછા મહત્ત્વનો અવયવ નથી બનતો.
\v 17 જો તમારું આખુ શરીર આંખ હોત, તો જેનાથી સાંભળી શકાય તેવું કંઈ જ ન હોત. જો તમારું આખું શરીર કાન હોત, તો જેનાથી સૂંઘી શકાય તેવું કંઈ જ ન હોત.
\s5
\v 18 પરંતુ ઈશ્વરે શરીરના દરેક અવયવને સાથે જોડ્યાં છે, અને તેમણે જે રીતે તેની યોજના કરી છે તેવી જ રીતે તે કાર્ય કરે છે. દરેક અવયવની જરૂર છે.
\v 19 જો આપણામાંનો દરેક બીજા અવયવ જેવો જ હોત, તો આપણી પાસે શરીર હોત જ નહીં.
\v 20 આપણે સર્વ ઘણા સભ્યો છીએ, પરંતુ માત્ર એક જ શરીર છે.
\s5
\v 21 તમારા શરીરમાં, આંખ હાથને એમ ન કહી શકે, "મને તારી જરૂર નથી"; વાસ્તવમાં તેને હાથની જરૂર છે જ. અથવા પછી માથું પગને આમ ન કહી શકે, "મને તારી જરૂર નથી."
\v 22 વળી જે અવયવ નબળા છે તેઓ સર્વ પણ આખા શરીર માટે અનિવાર્ય છે.
\v 23 જે અવયવને બીજાઓ જુએ ત્યારે આપણે શરમાઈએ છીએ, તેને ઢાંકવા આપણે વધારે કાળજી લઈએ છીએ. તે રીતે તે અવયવ માટે આપણે વધારે માન દર્શાવીએ છીએ.
\v 24 પરંતુ ઈશ્વરે વિશિષ્ટ અવયવોને ઓછા મહત્વના અવયવો સાથે જોડ્યા છે. અને ઈશ્વર ઢાંકવામાં આવતા અવયવોને માન આપે છે, કારણ કે તેઓ પણ શરીરના અવયવ છે.
\s5
\v 25 ઈશ્વર આ રીતે સમગ્ર શરીરને માન આપે છે કે જેથી મંડળીમાં કોઈ ભાગલા ન હોય, અને ખ્રિસ્તના શરીરના સભ્યો શરીરના બીજા સભ્યોની કાળજી, તેઓના હેતુ અથવા તેઓની ભૂમિકા, દાનો અથવા ક્ષમતાની સામે ન જોતાં સમાન સ્નેહથી લે.
\v 26 આપણે સર્વ એક શરીર છીએ તે કારણે જ્યારે એક સભ્ય સહન કરે છે ત્યારે આપણે સર્વ સહન કરીએ છીએ. જ્યારે કોઈ બાબત ખ્રિસ્તમાં પરિપૂર્ણ કરવાને કારણે એક સભ્યને માન મળે છે, ત્યારે આખું શરીર સાથે મળીને આનંદ કરે છે.
\p
\v 27 હવે તમે ખ્રિસ્તનું શરીર છો, અને વ્યક્તિગત રીતે, તમે સર્વ તેના સભ્યો છો.
\s5
\v 28 ઈશ્વરે મંડળીને ભેટ સ્વરૂપે લોકો આપ્યા છે. તેમણે મંડળીને પ્રથમ તો પ્રેરિતો, બીજા પ્રબોધકો, ત્રીજા શિક્ષકો, પછી જેઓ પરાક્રમી કૃત્યો કરે છે તેઓ, જેઓ સાજાપણું આપે છે તેઓ, જેઓ મદદ કરે છે તેઓ, જેઓ વહીવટી કાર્ય કરે છે તેઓ, અને જેઓને પવિત્ર આત્માએ વિવિધ પ્રકારની ભાષાઓ આપી છે તેઓ આપ્યા છે.
\v 29 આપણામાંના બધાં જ પ્રેરિતો નથી. બધાં જ પ્રબોધકો નથી. બધાં જ શિક્ષકો નથી. બધાં જ પરાક્રમી કાર્યો કરતા નથી.
\s5
\v 30 આપણામાંના બધા જ માંદાઓને સાજા કરી શકતા નથી. આપણામાંના બધા જ વિશિષ્ટ ભાષાઓમાં બોલી શકતા નથી. આપણામાંના બધા જ અન્ય ભાષાઓમાં સંદેશાઓનું અર્થઘટન કરી શકતા નથી.
\v 31 પરંતુ હું ઇચ્છું છું કે તમે આતુરતાથી મહાન કૃપાદાનો મેળવવાનો પ્રયાસ કરો. અને હવે, હું તમને વધુ ઉત્તમ માર્ગ બતાવીશ.
\s5
\c 13
\p
\v 1 જો હું લોકોને આશ્ચર્ય પમાડવા અને હું જેની ઇચ્છા રાખું છું તે કરાવવા સમજાવી શકું તે રીતે બોલું, અથવા જો હું દૂતોની ભાષા બોલું, પરંતુ જો હું લોકોને પ્રેમ ન કરું, તો મારી સર્વ વાતો રણકાર કરનાર પિત્તળ અથવા માત્ર ઝમકાર કરનાર ઝાંઝના જેવી નકામી થશે.
\v 2 જો હું ઈશ્વર માટે સંદેશા પ્રગટ કરું, જો હું ઈશ્વર વિષેનાં ગુપ્ત સત્યો સમજાવી શકું અને જો હું ઈશ્વર પર એટલો બધો વિશ્વાસ કરું કે હું પર્વતને ખસેડી શકું, પરંતુ જો હું લોકોને પ્રેમ ન કરું, તો કશી જ કિંમત નથી.
\v 3 મારું જે છે તેને જો હું ગરીબોના પોષણ માટે આપી દઉં, અથવા જો હું કોઈને બચાવવા મારી જાતને અગ્નિમાં નાખીને મારું બલિદાન આપું, પરંતુ જો હું લોકોને પ્રેમ ન કરું, તો મને કશું જ પ્રાપ્ત થશે નહીં.
\p
\s5
\v 4 જો તમે બીજાઓને ખરેખર પ્રેમ કરો છો, તો તમે આનંદથી મુશ્કેલીઓ સહન કરશો. જો તમે ખરેખર પ્રેમ કરો છો, તો તમે બીજાઓ પ્રત્યે માયાળુ બનશો. જો તમે ખરેખર પ્રેમ કરો છો, તો જે બીજાઓ પાસે છે અને તમારી પાસે નથી તેને લીધે તમને દુઃખ થશે નહીં. જો તમે બીજાઓને ખરેખર પ્રેમ કરો છો, તો તમે પોતાને વિષે બડાઈ અથવા ગર્વ નહીં કરો.
\v 5 જો તમે બીજાઓને ખરેખર પ્રેમ કરો છો, તો તમે તેઓનો દુરુપયોગ નહીં કરો. તમે માત્ર પોતાને ખુશ કરવા નહિ જીવો. કોઈ પણ તમને જલદીથી ગુસ્સે કરી શકશે નહીં. લોકોએ તમારી સાથે જે ખોટી બાબતો કરી છે તેનો તમે હિસાબ રાખશો નહીં.
\v 6 જો તમે બીજાઓને ખરેખર પ્રેમ કરો છો, તો જ્યારે કોઈ દુષ્ટ બાબતો કરશે ત્યારે તમે આનંદિત થશો નહિ; તેના બદલે, જ્યારે લોકો ઈશ્વરને વિશ્વાસુ રહે ત્યારે તમે આનંદિત થશો.
\v 7 જો તમે બીજાઓને ખરેખર પ્રેમ કરો છો, તો જે સર્વ થાય તેને તમે સહન કરશો. તમે વિશ્વાસ કરશો કે ઈશ્વર લોકો માટે શ્રેષ્ઠ બાબત કરશે. જે કંઈ પણ થાય તેની પરવા કર્યા વગર તમે ઈશ્વર પર વિશ્વાસ રાખશો. જે મુશ્કેલીઓ તમે વેઠો છો તેની પરવા કર્યા વગર પ્રેમને કારણે તમે ઈશ્વરને આધીન રહેશો.
\p
\s5
\v 8 જો તમે ખરેખર પ્રેમ કરો છો, તો તમે પ્રેમ કરવાનું બંધ કરશો નહીં. જેઓ ઈશ્વરનો સંદેશો કહેવા, અજ્ઞાત ભાષાઓ બોલવા, અથવા ગુપ્ત સત્યો જાણવા સમર્થ છે, તેઓ આ સર્વ બાબતો થોડા સમય માટે જ કરશે. એક દિવસે તેઓ આ બાબતો કરતા બંધ થશે.
\v 9 હવે, આ જીવનમાં, જે કંઈ જાણવા જેવું છે તેનો થોડો જ ભાગ આપણે જાણીએ છીએ. જેઓ ઈશ્વરનો સંદેશ જાહેર કરે છે તેઓ આંશિક રીતે જ તે જાહેર કરે છે.
\v 10 પરંતુ જ્યારે બાબતો સંપૂર્ણ થશે, ત્યારે જે સર્વ આંશિક અથવા અપૂર્ણ છે તે સંપૂર્ણ થશે.
\s5
\v 11 જ્યારે હું નાનો બાળક હતો, ત્યારે જેમ બાળક વાત કરે તેની માફક હું વાત કરતો હતો, અને જેમ બાળક નિર્ણય લે તેમ હું નિર્ણય લેતો હતો. પરંતુ જ્યારે હું પુખ્ત થયો, ત્યારે મેં બાળકની જેમ વર્તવાનું બંધ કર્યું, અને હું પુખ્તની જેમ વર્તવા લાગ્યો.
\v 12 ખ્રિસ્ત વિષે જે બાબતો આપણે હમણાં સમજીએ છીએ, તેને આપણે બહુ જ અપૂર્ણપણે, અયોગ્ય રીતે સમજીએ છીએ. પરંતુ જ્યારે ખ્રિસ્ત પાછા આવશે, ત્યારે આપણે તેમને રૂબરૂ જોઈશું. જે સત્ય છે તેનો અમુક જ ભાગ હમણાં આપણે જાણીએ છીએ. પરંતુ પછી જેમ તેઓ આપણને સંપૂર્ણપણે જાણે છે તેમ આપણે પણ તેમને સંપૂર્ણપણે જાણીશું.
\v 13 હમણાં આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીએ તે અગત્યનું છે. જે પ્રમાણે તેમણે વચન આપ્યું છે તે પ્રમાણે તેઓ આપણા માટે બધી જ બાબતો કરશે તે વિષે આપણે ખાતરી રાખીએ તે અગત્યનું છે. અને આપણે તેમને અને એકબીજાને પ્રેમ કરીએ તે પણ આવશ્યક છે. પરંતુ આ ત્રણેય બાબતોમાં મહાન તો પ્રેમ છે.
\s5
\c 14
\p
\v 1 બીજાઓને પ્રેમ કરવા માટે તથા તમારા સાથી વિશ્વાસીઓને વધુ બળવાન બનાવતાં કૃપાદાનો માટે સખત પ્રયત્ન કરો. ખાસ કરીને ઈશ્વર તમને પોતાનો જે સંદેશ બીજાઓને કહેવા આપે તેની ઘોષણા માટે શક્તિમાન બનવા સખત મહેનત કરો.
\v 2 જ્યારે વ્યક્તિ પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવેલી ભાષા બોલે, ત્યારે તે લોકો સાથે વાત નથી કરતી, કારણ કે કોઈ તેને સમજી શકતું નથી, પરંતુ તે ઈશ્વર સાથે વાત કરે છે. જેમ પવિત્ર આત્મા તેને દોરે તેમ તે ઈશ્વરને તે બાબતો કહે છે.
\v 3 વળી બીજી બાજુ, જ્યારે પ્રબોધક ઈશ્વર પાસેથી આવેલો સંદેશો જાહેર કરે છે ત્યારે તે લોકો સાથે વાત કરે છે. તે તેઓને બળવાન થવા તેઓને મદદ કરવા, દૃઢ રહેવામાં મદદ કરે તથા તેઓને દિલાસો આપવાના હેતુથી આમ કરે છે કે જેથી તેઓ મુશ્કેલીઓમાં પણ ખુશ રહે.
\v 4 જે વ્યક્તિ પવિત્ર આત્મા દ્વારા બોલાયેલી ભાષા બોલે છે તે પોતાની જ ઉન્નતિ કરે છે અને પોતાને જ મદદ કરે છે, પરંતુ જે વ્યક્તિ ઈશ્વરનો સંદેશ જાહેર કરે છે તે સર્વની ઉન્નતિ કરે છે અને મંડળીમાંના સર્વને વિશ્વાસમાં દૃઢ થવા મદદ કરે છે.
\p
\s5
\v 5 હવે હું આશા રાખું છું કે તમે સર્વ તે ભાષાઓમાં બોલો, પરંતુ સમગ્ર મંડળી માટે તે વધારે સારું હશે જો તમારામાંના વધુને વધુ વ્યક્તિઓ પાસે ઈશ્વરનો સંદેશ કહેવાનું દાન હોય. કોઈ પણ જે ઈશ્વર તરફનો સંદેશ કહે તે પોતાના સાથી વિશ્વાસીને દૃઢ કરે છે. આ કારણથી, જ્યાં બીજી અન્ય ભાષાઓનું અર્થઘટન કરવા માટે કોઈ સક્ષમ ન હોય ત્યાં તે ભાષાઓમાં સંદેશ જાહેર કરનાર કરતાં તે ઈશ્વરનો સંદેશ કહેનાર વ્યક્તિ વધારે અગત્યનું કામ કરે છે.
\p
\v 6 જો હું તમારી પાસે આવું અને પવિત્ર આત્માએ આપેલી ભાષાઓમાં જ બોલું, તો તે તમને કેવી રીતે મદદ કરશે? જ્યાં સુધી હું તમારી સાથે બોલું અને તમારાથી જે બાબતો ગુપ્ત હતી તે તમને જાણવા મદદ ન કરું, અથવા જ્યાં સુધી જે વાસ્તવિકતાઓ તમે જાણતા નથી તે સમજવા હું તમને મદદ ન કરું, અથવા જ્યાં સુધી અગાઉ કદી ન સાંભળેલો સંદેશ હું તમને જાહેર ન કરું, અથવા જ્યાં સુધી હું તમને અગાઉ કદી ન શીખેલા કેટલાંક નિયમો ન શીખવું, ત્યાં સુધી તે તમને મદદ કરી શકશે નહિ.
\s5
\v 7 જો કોઈ વાંસળી કે વીણા વગાડતો હોય (તેઓ સજીવ વસ્તુઓ નથી), અને જો વાંસળી અથવા વીણાના સૂર એકબીજાથી અલગ ન હોય, તો કોઈ કહી ન શકે કે હું કયો સૂર વગાડતો હતો.
\v 8 અને જો સૈનિક રણશિંગડાને નબળી રીતે વગાડે, તો સૈન્ય તે જાણી શકે નહીં કે તેઓએ યુદ્ધ માટે તૈયાર થવું કે નહીં.
\v 9 આ તો તેના જેવું છે કે જ્યારે તમે શબ્દો બોલો પણ કોઈ પણ તેને સમજી ન શકે: તમે શું કહ્યું તે કોઈ જાણશે નહીં.
\s5
\v 10 દુનિયામાં સાચે જ ઘણી ભાષાઓ છે, અને જેઓ તેને સમજી શકે છે તેઓ સર્વને તે અર્થપૂર્ણ છે.
\v 11 પરંતુ જો હું કોઈની ભાષા સમજી શકું નહીં, તો અમે બંને પરસ્પર એકબીજા માટે પરદેશીઓ જેવા થઈશું.
\s5
\v 12 તમે ઘણી ઇચ્છા રાખો છો કે પવિત્ર આત્મા તમારામાં કાર્ય કરે, તે કારણે મંડળીમાંના વિશ્વાસીઓને ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા અને તેમને આધીન થવા માટે મદદરૂપ બનવા પ્રયત્ન કરો.
\p
\v 13 તે કારણે, પ્રાર્થના કરો કે ઈશ્વરે આપેલી ભાષામાં તમે જે બોલો છો તેનું અર્થઘટન કરવા ઈશ્વર તમને શક્તિમાન કરે.
\v 14 જો કોઈ તેવી ભાષામાં પ્રાર્થના કરે, તો તેનું મન નહીં, પરંતુ તેનો આત્મા ચોક્કસપણે પ્રાર્થના કરે છે.
\s5
\v 15 તેથી, આપણે આપણા આત્મા અને આપણા મનથી પણ પ્રાર્થના કરવી જોઈએ. અને જો આપણે ઈશ્વરની સ્તુતિ માટે ગાઈએ તો તે પણ તેના જેવું જ હોય.
\v 16 જો તમે માત્ર તમારા આત્મામાં જ ઈશ્વરની સ્તુતિ કરવાની ઇચ્છા રાખો, તો તમે જે બોલો છો તે બહારની વ્યક્તિ કદી સમજી નહીં શકે, અને સંદેશ સાથે કદી સહમત નહીં થાય.
\s5
\v 17 કેમ કે જો તમે તમારા આત્મામાં આભાર માનો, તો તે તમારા માટે સારું અને યોગ્ય છે, પરંતુ તે દ્વારા તમે બીજા વિશ્વાસીઓને મદદ કરતા નથી.
\v 18 હું ઈશ્વરનો આભાર માનું છું કે તમારામાંના કોઈ બોલે તે કરતાં વધારે ભાષાઓમાં હું બોલું છું.
\v 19 પરંતુ મંડળીમાં તો અન્ય ભાષામાં દસ હજાર શબ્દો બોલવા કરતાં, બીજાઓને શીખવી શકું તેવા માત્ર પાંચ શબ્દો જ હું બોલીશ.
\p
\s5
\v 20 ભાઈઓ અને બહેનો, તમારે પુખ્ત વ્યક્તિની જેમ વિચારવું જોઈએ. પરંતુ જ્યારે તમે દુષ્ટ બાબતો વિષે વિચારો, ત્યારે તમારે બાળકની જેમ વિચારવું જોઈએ. તમારું વિચારવું યોગ્ય હોવું જોઈએ.
\v 21 નિયમમાં લખેલું છે કે ઈશ્વર કહે છે,
\q "હું મારા ઇઝરાયલ લોક સાથે
\q પરદેશીઓ દ્વારા એટલે કે જેઓ અજ્ઞાત ભાષા બોલે છે તેમના દ્વારા વાત કરીશ;
\q પરંતુ મારા લોકો હજુ પણ મને સમજી શકશે નહીં."
\p
\s5
\v 22 તેથી જો વિશ્વાસી વ્યક્તિ ઈશ્વરે આપેલી ભાષામાં બોલે, તો જે અવિશ્વાસીઓ તે સાંભળે છે તેઓ પ્રભાવિત થશે. પરંતુ જો વિશ્વાસી વ્યક્તિ ઈશ્વરથી મળેલો સંદેશ બોલશે, તો તેનાથી બીજા વિશ્વાસીઓ પ્રભાવિત થશે.
\v 23 જો સર્વ વિશ્વાસીઓ ભેગા થાય અને અલગ અલગ ભાષાઓમાં બોલવા લાગે તો તે કેટલું ગૂંચવણભર્યું થાય તે તમે સમજી શકો છો. જો કોઈ અવિશ્વાસી તેઓને સાંભળે તો તે તેઓ સર્વને ઘેલા કહેશે.
\s5
\v 24 પરંતુ જો તમે સર્વ વારાફરતી ઈશ્વરનો ખરો સંદેશ કહો, તો કોઈ પણ અવિશ્વાસીને ભાન થશે કે તે ઈશ્વર વિરુદ્ધ પાપ કરવાને લીધે દોષિત છે.
\v 25 આ અવિશ્વાસી તેની અંતઃકરણના ઊંડાણમાં જે છે તે વિષે જાગૃત થશે. તે આશ્ચર્ય અને ભયમાં ભૂમિ સુધી નમીને, ઈશ્વરની સ્તુતિ કરશે અને કહેશે કે ખરેખર ઈશ્વર તમારી સાથે છે.
\p
\s5
\v 26 ભાઈઓ અને બહેનો, જ્યારે તમે ભેગા મળીને ઈશ્વરની સ્તુતિ કરો ત્યારે તે આ રીતે થવું જોઈએ. તમારામાંના દરેકે ગાવા માટે ગીત, અથવા શીખવવા માટે શાસ્ત્રવચનમાંથી કોઈ બાબત, અથવા ઈશ્વરે તમને કહેલી કોઈ બાબત, અથવા ઈશ્વરે તમને આપેલી ભાષામાં સંદેશ, અથવા તેવા સંદેશનું અર્થધટન સાથે આવવું. તમે ભેગા મળીને જે બધું કરો તે તો એકબીજાને ઉત્તેજન આપવા માટે હોય, કેમ કે તમે ખ્રિસ્તની મંડળી છો.
\v 27 જો કોઈને પવિત્ર આત્માથી પ્રાપ્ત થયેલી ભાષામાં સંદેશ આપવો હોય, તો તેવા બે કે ત્રણથી વધારે વ્યક્તિ હોવા જોઈએ નહીં. તેઓ વારાફરતી બોલે, અને કોઈકે તે સંદેશાઓનું અર્થઘટન કરવું.
\v 28 તોપણ, જો તે સંદેશનું અર્થઘટન કરનાર કોઈ હોય નહીં, તો જેઓ પવિત્ર આત્મા દ્વારા પામેલી ભાષાઓમાં બોલે છે તેઓએ મૌન રહીને માત્ર ઈશ્વર સાથે વાત કરવી.
\p
\s5
\v 29 જો ત્યાં કોઈ એવી વ્યક્તિઓ હોય જેને ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલો સંદેશ કહેવો હોય, તો તેવી માત્ર બે કે ત્રણ વ્યક્તિઓ હોવી જોઈએ; અને શાસ્ત્રવચન શું કહે છે તેના દ્વારા બીજા સર્વએ તે સંદેશો તપાસવો.
\v 30 પરંતુ જો ઈશ્વર સભાજનોમાંથી કોઈને તે સંદેશાની સમજણ આપે, તો સંદેશો બોલનાર વ્યક્તિએ સંદેશો આપવાથી અટકવું. આ રીતે, સર્વ વિશ્વાસીઓ તે સંદેશાના અર્થને સાંભળી શકશે.
\s5
\v 31 તેથી જે દરેક ઈશ્વરનો સંદેશ જાહેર કરે તેઓએ આ પ્રમાણે કરવું. પરંતુ તેઓએ ક્રમમાં, એક પછી એક આમ કરવું, જેથી સર્વ વિશ્વાસીઓ શીખે અને ઈશ્વરને વધુ સારી રીતે પ્રેમ કરવા સામર્થ્ય પ્રાપ્ત કરે.
\v 32 કેમ કે જેઓ ખરેખર ઈશ્વરના સંદેશાઓ કહે છે તેઓ જે આત્માથી સંદેશાઓ કહે છે તે આત્માને તેઓ નિયંત્રિત રાખે.
\v 33 કેમ કે ઈશ્વર ગૂંચવણ ઊભી કરતા નથી; તેના બદલે તેઓ શાંતિ સ્થાપે છે.
\p ઈશ્વરના લોકોની દરેક મંડળીમાં આ જ રીતે આગામી પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે.
\s5
\v 34 સ્ત્રીઓએ મંડળીમાં છાના રહેવું કારણ કે તેઓને બોલવાની પરવાનગી નથી. જે ઈશ્વરનો સંદેશ કહેતા હોય તેઓને તેમણે અટકાવવા નહીં, પરંતુ જેમ નિયમ કહે છે તેમ તેઓએ હંમેશા તેમના પતિઓને આધીન રહેવું.
\v 35 જ્યારે સ્ત્રીઓને શીખવું હોય, ત્યારે આરાધનાને અટકાવવાના બદલે, તેઓએ તેમના પતિઓ સાથે ઘરે વાત કરવી. જ્યારે સ્ત્રી આરાધનામાં દખલ કરે છે ત્યારે તે તેના પતિ માટે અપમાન જેવું છે.
\v 36 શું તમે તે લોકો હતા કે જેઓના દ્વારા ઈશ્વરે તેમનાં વચન આપણને આપ્યાં? અથવા શું તે માત્ર તમે જ હતા કે જેમના દ્વારા તે આવ્યાં?
\s5
\v 37 તમારામાંના જેઓ એમ વિચારે છે કે તેઓ પ્રબોધકો અથવા આત્મિક છે તેઓએ હું જે બાબતો લખું છું તે પ્રભુના આદેશથી છે તેની સાથે સહમત થવું અને તેને અનુસરવું.
\v 38 પરંતુ મેં જે લખ્યું છે તેને જેઓ સ્વીકારતા નથી, તેઓને તમારે તમારી મંડળીમાં સ્વીકારવા નહીં.
\p
\s5
\v 39 તેથી, ભાઈઓ અને બહેનો, પ્રામાણિક ઝંખનાથી ઈશ્વરનો સંદેશ મંડળીને કહો; અને ઈશ્વરે આપેલી ભાષાઓ બોલતા કોઈને અટકાવશો નહીં.
\v 40 મંડળીમાં આરાધનાના સમયે તમે જે કરો, તેને શોભતી રીતે અને વ્યવસ્થાપૂર્વક કરો.
\s5
\c 15
\p
\v 1 હવે ભાઈઓ અને બહેનો, હું ઇચ્છું છું કે જે શુભ સમાચાર મેં તમને પ્રગટ કર્યો તે તમને યાદ કરાવું. તમે આ સંદેશ પર વિશ્વાસ કર્યો અને હવે તે પ્રમાણે જીવી રહ્યા છો.
\v 2 જો તમે આ શુભ સમાચારને સાચી રીતે માન્યો હોય તો અને જ્યાં સુધી તમે તેને દૃઢપણે પકડી રાખો છો ત્યાં સુધી તે આ જ શુભ સમાચાર છે જેણે તમને બચાવ્યા છે.
\p
\s5
\v 3 બીજાઓએ જે પ્રથમ મને કહ્યું હતું તે મેં તમને જણાવ્યું, કે જેમ શાસ્ત્રવચનમાં પ્રગટ કરાયું છે તેમ ખ્રિસ્ત આપણા પાપો માટે મરણ પામ્યા;
\v 4 વળી તેઓએ તેમને દફનાવ્યા, અને ઈશ્વરે તેમને ત્રીજા દિવસે સજીવન કર્યા, જેમ શાસ્ત્રવચનમાં કહ્યું છે તેમ તે સર્વ થયું.
\s5
\v 5 પછી ખ્રિસ્ત કેફા (જે પિતર તરીકે ઓળખાય છે) તેને દેખાયા, અને પછી તે બીજા પ્રેરિતોને દેખાયા.
\v 6 ત્યારબાદ જ્યારે પ્રભુના પાંચસો ભાઈઓ અને બહેનો સાથે હતાં ત્યારે તેઓને દેખાયા. તેઓમાંના ઘણા મરણ પામ્યા છે, પરંતુ મોટા ભાગના હજુ જીવે છે અને આની ખાતરી કરી શકે છે.
\v 7 પછી તેઓ યાકૂબ, અને બધા પ્રેરિતોને ફરીથી દેખાયા.
\s5
\v 8 જો કે હું બીજા પ્રેરિતો જેવો નથી છતાં સર્વથી છેલ્લે તેઓ મને દેખાયા.
\v 9 હું પ્રેરિતોમાં સર્વ કરતાં નાનો છું. મેં ખ્રિસ્તની મંડળીની ઘણી સતાવણી કરી છે, તેથી હું પ્રેરિત થવાને યોગ્ય નથી.
\s5
\v 10 પરંતુ ઈશ્વર મારા પ્રત્યે ઘણા જ માયાળુ બન્યા, તેથી હું પ્રેરિત છું, અને તેઓએ મારા દ્વારા ઘણી સારી બાબતો કરાવી. ખરેખર, બીજા પ્રેરિતો કરતાં મેં સખત મહેનત કરી છે. છતાં, જેણે કામ કર્યું તે ખરેખર તો હું ન હતો, પરંતુ ઈશ્વર હતા, કે જેઓએ મને સામર્થ્ય આપ્યું.
\v 11 તેથી જેમણે તમને સંદેશ આપ્યો તે બીજા પ્રેરિત હોય અથવા હું હોઉં, અમે ખ્રિસ્ત વિષેના શુભ સમાચારને જાહેર કરીએ છીએ, અને તમે અમારા પર વિશ્વાસ કર્યો.
\p
\s5
\v 12 હવે તમારામાંના કેટલાક કહે છે કે જેઓ મરણ પામેલા છે તેઓ હવે પાછા ઊઠનાર નથી. આ સાચું ન હોઈ શકે, કારણ કે અમે તમારી સમક્ષ જાહેર કર્યું છે કે ખ્રિસ્ત મૂએલાઓમાંથી ઊઠ્યા છે.
\v 13 જો કોઈ મરણમાંથી ઊઠતું નથી, તો ચોક્કસપણે ઈશ્વરે ખ્રિસ્તને ઉઠાડ્યા નથી.
\v 14 અને જો તેમણે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડ્યા નથી, તો અમે જે ઉપદેશ આપીએ છીએ તે નિરર્થક છે, અને ખ્રિસ્ત તમારા જીવનમાં અને મરણમાં જે કરી શકે છે તે સંબંધી તમારો જે વિશ્વાસ છે તે પણ વ્યર્થ છે.
\s5
\v 15 તે ઉપરાંત, જો ખરેખર મરણ પામેલા ફરી ઊઠતા નથી તો લોકો જોશે કે અમે ઈશ્વર વિષે જૂઠું કહ્યું છે.
\v 16 હું ફરીથી કહું છું, જો મરણમાંથી કોઈ ઊઠતું નથી, તો ઈશ્વરે ખ્રિસ્તને પણ ઊઠાડ્યા નથી.
\v 17 અને જો તેઓએ ખ્રિસ્તને ઊઠાડ્યા નથી, તો તમે જે વિશ્વાસ કરો છો તે વ્યર્થ છે, અને તમે પાપ કર્યું છે માટે ઈશ્વર હજુ પણ તમારો તિરસ્કાર કરે છે.
\s5
\v 18 જો એવી બાબત હોય, તો જેઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને મરણ પામ્યા તેઓ પણ પુનરુત્થાનની આશા વિના મરણ પામ્યા.
\v 19 જો આપણને કેવળ આ જીવનમાં ખ્રિસ્તમાં આશા હોય, અને જો આપણને એવી આશા ન હોય કે મરણ બાદ તેઓ આપણા માટે કંઈ કરે, તો આખી દુનિયામાં આપણે સૌથી વધારે દયાપાત્ર છીએ, કેમ કે આપણે અસત્ય બાબત પર વિશ્વાસ કર્યો છે.
\p
\s5
\v 20 પરંતુ હકીકતમાં તો, ઈશ્વરે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડ્યા છે, અને બીજા ઘણા લોકોને તેઓ ઉઠાડશે તેઓમાં ખ્રિસ્ત માત્ર પ્રથમ છે.
\v 21 કેમ કે એક માણસ, એટલે આદમે, જે કર્યું તેના લીધે આ દુનિયાના સર્વ લોકો મરણ પામે છે. તેમ છતાં, એક માણસ, એટલે ખ્રિસ્ત ઈસુએ જે કર્યું; તેના કારણે જેઓ મરણ પામ્યા છે તેઓ ફરી જીવિત થશે.
\s5
\v 22 કારણ કે, જેમ આદમે પાપ કર્યું તેના લીધે સર્વ લોકો મરણ પામ્યા, તેવી જ રીતે, ખ્રિસ્તે જે કર્યું છે તેને લીધે સર્વ લોકો ફરી જીવશે.
\v 23 પરંતુ તેઓ ચોક્કસ ક્રમમાં મરણમાંથી સજીવન થશે: મરણમાંથી ઊઠનાર ખ્રિસ્ત પ્રથમ છે; પછી જ્યારે ખ્રિસ્ત પૃથ્વી પર પાછા આવશે ત્યારે જેઓ ખ્રિસ્ત સાથે જોડાયેલા છે તેઓ ફરી જીવિત થશે.
\s5
\v 24 પછી જ્યારે ખ્રિસ્ત દુનિયાનાં સર્વને ઈશ્વર પિતા આગળ હાજર કરશે, કે તેઓ તે સર્વ પર રાજ કરે ત્યારે દુનિયાનો અંત આવશે. ત્યારે જેઓ શાસક દરજ્જાના છે, અને જેઓ પાસે સઘળી રાજ્યસત્તા છે અને આ દુનિયાના દરેક પરાક્રમો છે તે સર્વનો ખ્રિસ્ત અંત લાવશે.
\v 25 જ્યાં સુધી ઈશ્વર, ખ્રિસ્તના દરેક દુશ્મનોનો નાશ કરીને ખ્રિસ્તના પગ નીચે ન મૂકે કે જેથી તેઓ જાણે કે હવે પછી તેમની પાસે કોઈ સત્તા નથી, ત્યાં સુધી ખ્રિસ્તે રાજ કરવું જોઈએ.
\v 26 ઈશ્વર જે છેલ્લા શત્રુનો નાશ કરશે તે તો મરણ છે.
\s5
\v 27 કેમ કે શાસ્ત્રવચન કહે છે, "ઈશ્વરે સઘળું તેમના પગ નીચે મૂક્યું છે," એટલે કે ખ્રિસ્તના પગ નીચે મૂક્યું છે. પરંતુ આ તો ચોક્કસ છે કે તેમાં ઈશ્વર પોતે આવતા નથી.
\v 28 ઈશ્વર દરેક બાબતોને ખ્રિસ્તના સામર્થ્ય હેઠળ મૂકશે, ત્યારબાદ દીકરો પોતે પણ પોતાને ઈશ્વર પિતાના સામર્થ્ય હેઠળ મૂકશે, જેથી ઈશ્વર પણ સર્વ લોકો અને સર્વ બાબતો સાથે સમાન સંબંધમાં આવે.
\p
\s5
\v 29 જેમ કેટલાક કહે છે તેમ, જો મરણમાંથી ઉત્થાન નથી, તો પછી જેમ કેટલાક કરે છે તેમ જેઓ મરણ પામેલા છે તેઓને લીધે લોકોને બાપ્તિસ્મા પામવાનું કોઈ કારણ નથી. જો ઈશ્વર કોઈ મરણ પામેલા લોકોને ફરી જીવિત કરે નહીં, તો જેઓ મરણ પામેલા છે તેઓને લીધે જીવિત લોકો બાપ્તિસ્મા પામે તેમાં કંઈ અર્થ નથી.
\v 30 અને જો મરણમાંથી ઉત્થાન નથી, તો જેમ અમે, પ્રેરિતો દરરોજ શુભ સમાચાર ઘોષિત કરવા પોતાનો જીવ જોખમમાં નાખીએ છીએ તેનું કોઈ કારણ રહેતું નથી.
\s5
\v 31 મારા ભાઈઓ અને બહેનો, હું તમારા માટે ઘણું અભિમાન કરું છું; તમે તો જાણે મારી સંપત્તિ છો કે જેને હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને રજૂ કરું છું. હું દરરોજ મરણના ભયમાં હોઉં છું!
\v 32 જો ઈશ્વર મરણ પામેલાઓને ઉઠાડતા નથી, તો એફેસસમાં હું જે જંગલી જાનવરોની સાથે લડ્યો તે વ્યર્થ છે. તે બાબતમાં કવિઓ જે કહે છે તે સાચું છે: "ચાલો આજે આપણે ખાઈએ અને દ્રાક્ષારસ પીએ, કારણ કે કાલે આપણે મરણ પામીશું."
\s5
\v 33 છેતરાશો નહીં: "જો તમારા મિત્રો ખરાબ હશે, તો તમે હવે પછી યોગ્ય રીતે જીવવા કાળજી નહીં રાખો."
\v 34 ગંભીર બનો! યોગ્ય રીતે જીવો અને પાપ કર્યા કરશો નહીં. તમારામાંના કેટલાક ઈશ્વરને ઓળખતા જ નથી. તમને શરમાવા સારું હું એ કહું છું.
\p
\s5
\v 35 કોઈક તમને પૂછી શકે કે, "મરણ પામેલા ઉત્થાન કેવી રીતે પામી શકે? તેઓ પાસે કેવા પ્રકારનું શરીર હશે?"
\v 36 તમે કંઈ જ જાણતા નથી! તમે તે સત્ય વિષે વિચારતા નથી કે જ્યાં સુધી જમીનમાં દાટેલું કોઈ બીજ મરણ પામતું નથી ત્યાં સુધી તે ઉગતું નથી.
\s5
\v 37 અને ખેડૂત જે વાવે છે તે, જે ઊગી નીકળે છે તેના જેવું દેખાતું નથી. તે તો માત્ર બીજ હોય છે; તે તો તદ્દન જુદા જ સ્વરૂપમાં બદલાશે.
\v 38 ઈશ્વર જે પસંદ કરશે તેવું નવું શરીર તેઓ તેને આપશે, અને જે બીજ જમીનમાં મૂકવામાં આવ્યું છે તેને તેઓ જુદું શરીર આપશે.
\v 39 સર્વ સજીવો સરખા હોતા નથી. અહીં તો મનુષ્યો છે, જમીન પર અનેક પ્રકારનાં પ્રાણીઓ છે, અને પક્ષીઓ તથા માછલીઓ છે. તેમાંનાં બધાં વિભિન્ન છે.
\s5
\v 40 સ્વર્ગમાં પણ વિભિન્ન પ્રકારની બાબતો છે. આકાશમાંના શરીરોની પ્રકૃતિ આ દુનિયા પરની બાબતોની પ્રકૃતિ કરતાં અલગ છે.
\v 41 તેજસ્વી સૂર્યની અલગ પ્રકૃતિ છે, અને નરમ ચંદ્રની અલગ પ્રકારની પ્રકૃતિ છે. વળી તારાઓની પણ અલગ પ્રકારની પ્રકૃતિ છે, પરંતુ સર્વ તારાઓ એકબીજાથી ઘણી રીતે જુદા છે.
\p
\s5
\v 42 જ્યારે લોકો મરણમાંથી ઊઠશે ત્યારે તે પણ તેના જેવું જ છે. જે ભૂમિમાં જાય છે તે મરણ પામેલ છે, પરંતુ જે ઉત્થાન પામે છે તે ફરી કદી મરણ પામશે નહીં.
\v 43 જ્યારે તે ભૂમિમાં જાય છે, ત્યારે તે ધૂળમાં હોય છે, પરંતુ જ્યારે ઈશ્વર તેને ઉઠાડે છે, ત્યારે તે માન અને સામર્થ્યમાં ઉઠાડાય છે.
\v 44 જે ભૂમિમાં જાય છે તે આ પૃથ્વીનું છે, પરંતુ જે મરણમાંથી ઉત્થાન પામે છે તેમાં ઈશ્વરનું સામર્થ્ય છે. તેથી, આ પૃથ્વીની હોય તેવી અમુક બાબતો છે, અને અમુક બાબતો એવી છે કે જેની પાસે ઈશ્વરનું સામર્થ્ય છે, જે સદાકાળ માટેની છે.
\p
\s5
\v 45 તેથી શાસ્ત્રવચન કહે છે, "પ્રથમ માણસ, આદમ, તે જીવંત વ્યક્તિ હતો જેણે તેનાં બાળકો અને વંશજોને જીવન આપ્યું." પરંતુ દ્વિતીય આદમ ખ્રિસ્તે, ઈશ્વરના લોકોને સદાકાળ જીવવાનું સામર્થ્ય આપ્યું.
\v 46 જે આ પૃથ્વીનું એટલે કે કુદરતી છે તે પ્રથમ આવ્યું, અને પછી જે ઈશ્વરનું એટલે કે આત્મિક છે તે આવ્યું.
\s5
\v 47 પ્રથમ માણસ આદમ, પૃથ્વીનો હતો, કેમ કે તે ધૂળમાંથી બનાવાયો હતો. પરંતુ બીજો માણસ, ખ્રિસ્ત, સ્વર્ગના છે.
\v 48 સર્વ જેઓને ધૂળમાંથી બનાવવામાં આવ્યા તેઓ આદમ કે જેને ધૂળમાંથી બનાવવામાં આવ્યો તેવા જ છે. જેઓ સ્વર્ગના છે તેઓ ખ્રિસ્ત કે જેઓ સ્વર્ગના છે તેમના જેવા જ છે.
\v 49 જેમ ઈશ્વરે આપણને ધૂળમાંથી બનાવેલ માણસના જેવા બનાવ્યા, તેમજ તેઓ આપણને સ્વર્ગમાંથી આવેલા માણસના જેવા બનાવશે.
\p
\s5
\v 50 હવે ભાઈઓ અને બહેનો, હું તમને આ કહું છું, જ્યારે ઈશ્વર રાજ્ય કરશે ત્યારે જે બાબતો ઈશ્વરે સર્વને આપવાનું વચન આપ્યું છે તેને જે મનુષ્યો મરણ પામે છે તેઓ પ્રાપ્ત કરી શકશે નહીં. આ તો તેના જેવું છે કે જે બાબતો મરણ પામે છે તેઓ અમર બાબતો બની શકતી નથી.
\v 51 જુઓ! જે બાબતો ઈશ્વરે આપણાથી ગુપ્ત રાખી છે તે હું તમને કહું છું. સર્વ વિશ્વાસીઓ મરણ પામશે નહીં, પરંતુ ઈશ્વર આપણ સર્વનું રૂપાંતર કરશે.
\s5
\v 52 જ્યારે ઈશ્વરનો સ્વર્ગદૂત છેલ્લું રણશિંગડું વગાડશે ત્યારે એક જ ક્ષણમાં, ખરેખર તો આંખના એક પલકારામાં તેઓ આપણું રૂપાંતર કરશે.
\v 53 કેમ કે આ શરીર તો મરણ પામશે, પરંતુ ઈશ્વર તેને ફરી કદી મરણ ન પામે તે રીતે હંમેશા જિવાડશે, અને આ શરીર તો હમણાં નાશ પામી શકે છે, પરંતુ ઈશ્વર તેને નવું રૂપ આપશે, અને તે ફરી કદી મરણ પામશે નહીં.
\s5
\v 54 જ્યારે આમ થશે, ત્યારે જે શાસ્ત્રવચનમાં લખેલું છે તે સત્ય ઠરશે:
\q "ઈશ્વરે સંપૂર્ણપણે મરણને પરાજિત કર્યું છે."
\q1
\v 55 "મરણ ફરી કદી જીત પામશે નહીં!
\q મરણ પામવાનું દુઃખ લઈ લેવામાં આવ્યું છે!"
\p
\s5
\v 56 પાપના લીધે મરણ પામતા સમયે આપણે પીડા અનુભવીએ છીએ. અને નિયમના કારણે આપણા જીવનમાં પાપનું સામર્થ્ય આવે છે.
\v 57 પરંતુ હવે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ કારણ કે તેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને મરણ પર વિજય અપાવ્યો છે!
\p
\s5
\v 58 તેથી, મારા વહાલા ભાઈઓ અને બહેનો, તમારા વિશ્વાસમાં દૃઢ રહો, તમારા જીવનમાં સ્થિર થાઓ, અને પ્રભુનું કાર્ય વિશેષ પ્રમણમાં કરતા રહો, જે કંઈ પણ કામ તમે તેમને માટે કરો છો તે સદાકાળ રહે છે તે તમે જાણો છો.
\s5
\c 16
\p
\v 1 હવે જે નાણાં હું યરુશાલેમમાં રહેતા ઈશ્વરના લોકો માટે ઉઘરાવું છું તેના વિષે તમારા પ્રશ્નનો ઉત્તર આપવાની ઇચ્છા રાખું છું. ગલાતિયાની મંડળીને જે કરવા વિષે મેં કહ્યું હતું તેવું જ તમારે પણ કરવું.
\v 2 દર રવિવારે, તમારામાંના દરેકે તમારી શક્તિ મુજબ, થોડાંક નાણાં અલગ કરવાં, જેથી હું આવું ત્યારે તમારે બીજાં વધુ નાણાં ભેગાં કરવાં પડે નહીં.
\s5
\v 3 તમારી ભેટો યરુશાલેમ લઈ જવા માટે તમે ઇચ્છો તે લોકોને તમારે પસંદ કરવા. અને જ્યારે હું આવીશ, ત્યારે તમારી ભેટ વિષે હું તેઓ પર તે લોકો મારફતે પત્ર લખીને મોકલાવીશ.
\v 4 જો એમ કરવું યોગ્ય હશે, તો તેઓ મારી સાથે યરુશાલેમ તરફ મુસાફરી કરશે.
\p
\s5
\v 5 જ્યારે હું મકદોનિયાના પ્રદેશોમાં પ્રવાસ કરીશ ત્યારે હું તમારી પાસે આવવા માટે આયોજન કરું છું.
\v 6 કદાચ હું તમારી સાથે આખો શિયાળો પણ ગાળું, જેથી તમે મારી મુસાફરીમાં મને મદદ કરી શકો.
\s5
\v 7 હું તમને થોડા સમય માટે મળું એવી મારી ઇચ્છા નથી. હું આશા રાખું છું કે પ્રભુ આપણને પૂરતો સમય સાથે વિતાવવા મંજૂરી આપે કે જેથી આપણે એકબીજાને મદદ કરી શકીએ.
\v 8 મારી ઇચ્છા છે કે પચાસમાના પર્વ સુધી હું એફેસેસમાં રહું,
\v 9 કારણ કે જો કે ત્યાં ઘણા એવા છે કે જેઓ આપણો વિરોધ કરે છે તો પણ ઈશ્વરે મારે માટે ત્યાં દ્વાર ઉઘાડ્યું છે.
\p
\s5
\v 10 હવે જ્યારે તિમોથી આવે, ત્યારે તેની સાથે સંભાળપૂર્વક વર્તજો અને તેને ગભરાવાનું કંઈ કારણ ન હોય તે વિષે ધ્યાન રાખજો, કેમ કે જેમ હું કરું છું તેમ તે પણ પ્રભુનું કાર્ય કરે છે.
\v 11 કોઈ તેને બિનમહત્વપૂર્ણ ન માને માટે કાળજી રાખો. તમારાથી થઇ શકે તેટલી મદદ તેને કરજો; તેને શાંતિથી મોકલો કે જેથી તે મારી સાથે જોડાય. તે બીજા ભાઈઓ સાથે મારી પાસે આવે માટે હું આશા રાખું છું.
\p
\v 12 તમે અમારા ભાઈ આપોલસ વિષે પૂછ્યું હતું. જ્યારે અન્ય ભાઈઓ તમારી પાસે આવે ત્યારે તે પણ તમને મળવા આવે માટે મેં ભારપૂર્વક તેને વિનંતી કરી છે. તેણે નક્કી કર્યું છે કે તે હમણાં નહીં આવે, પરંતુ જ્યારે તેને તક મળશે ત્યારે તે તમારી પાસે આવશે.
\p
\s5
\v 13 સાવધ રહો, તમારા વિશ્વાસથી ભટકી જશો નહીં. વૃદ્ધિ પામેલી વ્યક્તિની જેમ પ્રભુ માટે કાર્ય કરો અને બળવાન થાઓ.
\v 14 પ્રેમના સામર્થ્યથી સઘળું કરો.
\p
\s5
\v 15 તમે સ્તેફનાસના કુટુંબને ઓળખો છો. તેઓ અખાયા પ્રાંતમાં વિશ્વાસ કરનારા પ્રથમ લોકો છે, અને જેઓ પ્રભુના છે તેવા લોકોને મદદ કરવા માટે તેઓ દૃઢનિશ્ચયી છે. ભાઈઓ અને બહેનો, હું તમને વિનંતી કરું છું,
\v 16 તે લોકો કે જેઓ કામ કરવામાં મદદ કરે છે અને આપણી સાથે સખત મહેનત કરે છે તેઓની આજ્ઞાને આધીન થાઓ.
\s5
\v 17 જ્યારે સ્તેફનાસ, ફોર્તુનાતસ અને અખાઈક્સ કરિંથ આવ્યા ત્યારે હું હર્ષ પામ્યો, કારણ કે તમારા તરફથી જે અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું.
\v 18 તેઓએ આત્મામાં મને ઉત્તેજન આપ્યું અને મદદ કરી, અને તેઓએ તમને પણ મદદ કરી છે. તેઓએ તમને કેટલી મદદ કરી છે તે વિષે બીજાઓને કહેજો.
\p
\s5
\v 19 આસિયાની મંડળીઓ તમને સલામ કહે છે. વળી તમે પ્રભુનું કાર્ય કરો છો માટે આકુલા અને પ્રિસ્કા અને તેમના ઘરમાં મળતી મંડળી તમને સલામ કહે છે.
\v 20 બીજા ભાઈઓ અને બહેનો પણ તમને સલામ કહે છે. હેતથી ચુંબન કરીને એકબીજાને સલામ કહેજો.
\p
\s5
\v 21 હું પાઉલ, આ મારા પોતાના હાથોથી લખું છું.
\v 22 જો કોઈ પ્રભુને પ્રેમ કરતો નથી, તો તે શ્રાપિત થાઓ. હે પ્રભુ, આવો!
\v 23 જે દયાને યોગ્ય આપણે નથી અને જે દયા પ્રભુ ઈસુ પાસેથી આવે છે તે તમારી સાથે રહો.
\v 24 હું તમને તે યાદ કરાવું છું કે તમે સર્વ જેઓ ખ્રિસ્ત ઈસુમાં જોડાયેલા છો, તે માટે હું તમ સર્વને પ્રેમ કરું છું.

479
48-2CO.usfm Normal file
View File

@ -0,0 +1,479 @@
\id 2CO - UDB Guj
\ide UTF-8
\h કરિંથીઓને બીજો પત્ર
\toc1 કરિંથીઓને બીજો પત્ર
\toc2 કરિંથીઓને બીજો પત્ર
\toc3 2co
\mt1 કરિંથીઓને બીજો પત્ર
\s5
\c 1
\p
\v 1 હું પાઉલ, અને આપણો ભાઈ તિમોથી સાથે મળીને આ પત્ર તમને લખીએ છીએ. ખ્રિસ્ત ઈસુએ મને ઈશ્વરની ઇચ્છાને આધીન થવા અને તેમની સેવા કરવા મોકલ્યો છે. કરિંથ શહેરમાં એકઠા મળતા ઈશ્વરના લોકોને અમે આ પત્ર લખીએ છીએ; વળી, અખાયા પ્રાંતમાં વસતા ખ્રિસ્તીઓ જેઓને ઈશ્વરે પોતાને માટે અલગ કર્યા છે, તેઓને પણ આ પત્ર મોકલીએ છીએ.
\v 2 ઈશ્વર તેમના પ્રેમ અને શાંતિની મફત ભેટ કે જે આપણા પિતા તથા પ્રભુ ઈસુ તરફથી આવે છે તે તમને આપો.
\p
\s5
\v 3 આપણે હંમેશાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને ઈશ્વરની સ્તુતિ કરીએ, તેઓ જ આપણાં પ્રત્યે દયા દર્શાવે છે અને હંમેશાં આપણને દિલાસો આપે છે.
\v 4 જ્યારે આપણે કોઈ દુઃખદ કસોટીમાંથી પસાર થઈએ છીએ ત્યારે ઈશ્વર આપણને દિલાસો આપે છે. તેમનો દિલાસો આપણા જીવનોને સાજાપણું બક્ષે છે તેથી એ જ દિલાસો આપણે અન્ય લોકો જેઓ દુઃખ સહન કરી રહ્યા છે તેઓને આપીએ છીએ.
\s5
\v 5 જેમ અમે ખ્રિસ્તનાં દુઃખો જે હદ ઉપરાંતનાં છે તેનો અનુભવ કરીએ છીએ, તેમ જ ખ્રિસ્તના અપાર દિલાસાનો પણ અમે અનુભવ કરીએ છીએ.
\v 6 તેથી, જ્યારે પણ અમે દુઃખોનો અનુભવ કરીએ છીએ ત્યારે તે દ્વારા ઈશ્વર તમને દિલાસો આપે છે અને સંકટમાંથી તમારો બચાવ કરે છે. જ્યારે પણ ઈશ્વર અમને દિલાસો પમાડે છે ત્યારે તે એ માટે હોય છે કે જેથી અમે તમને વધુ દિલાસો પમાડીએ, અને તેથી જ્યારે અમારી માફક તમે દુઃખ સહન કરો ત્યારે તમે ધીરજપૂર્વક ઈશ્વરની રાહ જુઓ.
\v 7 તમારા સંબંધમાં શું બનશે તે વિષે અમને ખાતરી છે; તમે પણ અમારી જેમ જ દુઃખ સહન કરો છો માટે જેમ ઈશ્વર અમને દિલાસો આપે છે તેમ ઈશ્વર તમને પણ દિલાસો આપશે.
\p
\s5
\v 8 ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો, આસિયા પ્રાંતમાં અમને જે મુશ્કેલી પડી તે તમે જાણો એવું અમે ઇચ્છીએ છીએ. એ મુશ્કેલીથી અમને એટલી બધી પીડા થઈ કે અમે તે સહન કરી શક્યા નહીં. અમને ખાતરી થઈ ગઈ હતી કે અમે મરી જવાના છીએ.
\v 9 તેઓએ અમને મરણની સજા ફરમાવી હતી; અમને મારી નાખવામાં આવે તેની અમે રાહ જોતા હતા. એ મરણની શિક્ષાએ અમને અમારી શક્તિ પર નહિ પણ, ઈશ્વર કે જેઓ મૃત્યુ પામેલાને સજીવન કરે છે તેમના સામર્થ્ય પર આધાર રાખતાં શીખવ્યું.
\v 10 પણ ઈશ્વરે અમને એવા ભયંકર જોખમોમાંથી બચાવ્યા અને ભવિષ્યમાં પણ બચાવવાની ખાતરી આપે છે.
\s5
\v 11 તમે પ્રાર્થના કરવા દ્વારા અમારી સહાય કરો છો ત્યારે તેઓ એ પ્રમાણે કરશે. હવે ઈશ્વર અમારા પ્રત્યે બહુ ભલા રહ્યા છે માટે ઘણા લોકો ઈશ્વરનો આભાર માને છે, કેમ કે ઘણા લોકોએ અમારે માટે પ્રાર્થના કરી છે.
\p
\s5
\v 12 અમે ઘણી ખુશીથી કહી શકીએ છીએ કે અમે બધા લોકો પ્રત્યે વફાદારીથી અને પ્રામાણિકપણે વર્ત્યા છીએ. જગતમાં અમે ઈશ્વરના પોતાના લોકો તરીકે જીવ્યા છીએ અને અમને ઈશ્વરમાં દ્રઢ વિશ્વાસ છે અને તે વિશ્વાસ ઈશ્વરનું દાન છે. અમે કોઈ પણ રીતે જગતનાં મૂલ્યો પ્રમાણે જીવતા નથી. અમારે શું કરવું તે માટે જગતના જ્ઞાન પર આધાર રાખતા નથી. પણ તેથી ઊલટું, ઈશ્વરે અમને પવિત્રતાથી અને પ્રામાણિકપણે જીવવા શક્તિમાન કર્યા છે.
\v 13 તમે મારા પત્રો વાંચ્યા છે. તમે તે સમજી શકો માટે મેં તે લખ્યા છે.
\v 14 અમારા વિષે તમે થોડું જાણો છો, પણ પ્રભુ ઈસુનું આગમન થશે તે દિવસે, મારી આશા છે કે તેમની હાજરીમાં અમારા માટે તમને અભિમાન થશે, અને અમને પણ તમારા માટે અભિમાન થશે.
\p
\s5
\v 15 આ બાબતમાં મને એટલી બધી ખાતરી છે કે હું પહેલાં તમારી પાસે આવવા માટે ઇચ્છા રાખતો હતો કે જેથી હું બે વાર તમારી મુલાકાત કરી શકું.
\v 16 જ્યારે હું મકદોનિયા થઈને પસાર થતો હતો ત્યારે અને ત્યાંથી પાછા વળતાં બન્ને વખત હું તમને મળવા માંગતો હતો કે જેથી તમે મને યહૂદિયા માટે વિદાય કરો.
\s5
\v 17 મારી યોજના વિષે હું મક્કમ હતો. હું તમને પ્રથમ "હા" કહીને પછી "ના" કહેતો ન હતો. અવિશ્વાસીઓ જેમ આયોજન કરે છે તેમ હું મારી યોજનાઓ બનાવી રહ્યો ન હતો.
\v 18 પણ ઈશ્વર આપણને વિશ્વાસુપણે દોરે છે, અને અમે પણ તમને ગૂંચવતા નથી. અમે અમારી જે યોજનાઓ બનાવીએ છીએ તેને અમે વળગી રહીએ છીએ.
\s5
\v 19 અમારી "હા" ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત તરફથી છે જેમને અમે તમને પ્રગટ કર્યા; અને તેમનામાં કદાપિ કોઈ ગૂંચવણ નથી, તેમનામાં કોઈ "પ્રથમ હા અને પછી ના" નથી.
\v 20 કેમ કે ઈશ્વરનાં જે વચનો છે તે "હા" છે, કેમ કે તેઓ તેમના તરફથી આવે છે. અને અમે તેમની "હા" ને અમારું સમર્થન આપીએ છીએ. અને ઈશ્વરના મહિમાને ખાતર અમે કહીએ છીએ કે "હા, તે સત્ય છે!"
\s5
\v 21 ઈશ્વર આપણા ખ્રિસ્તીઓના બંધનને મજબૂત બનાવે છે, કેમ કે આપણે ખ્રિસ્તની સાથે જોડાયેલા છીએ, અને તેઓ જ આપણને શુભ સમાચાર પ્રગટ કરવા લોકોમાં મોકલે છે.
\v 22 તેમણે આપણા પર અધિકૃત મહોર મારી છે, કે જેથી લોકો જાણે કે ઈશ્વર આપણને માન્ય કરે છે. અને તેમણે આપણને આત્મા આપ્યો છે જે આપણામાં રહે છે. ઈશ્વર આપણા માટે હજુ પણ વધારે કરશે તે માટે આત્મા એક અતૂટ વચન તરીકે છે.
\p
\s5
\v 23 કરિંથમાંના ખ્રિસ્તીઓ, તમારી પાસે મારા ન આવવાના કારણ સંબંધી ઈશ્વર તમને ખાતરી પમાડો: તે એટલા માટે હતું કે તમારામાં સુધારો લાવવાની બાબત સંબંધી તમારે મારો સામનો ન કરવો પડે.
\v 24 ઈશ્વર પર તમારે કેવી રીતે વિશ્વાસ કરવો તે સંબંધી તમને હુકમો આપીએ એવા માલિકો જેવા અમે નથી. તો પણ, અમે તમારી સાથે કામ કરવા માગીએ છીએ, કે જેથી ગમે તે પરિસ્થિતિ આવે તોપણ તમે ઈશ્વર પર વિશ્વાસ કરતાં શીખો અને તેમનામાં વિશ્વાસ કરવામાં આનંદ અનુભવો.
\s5
\c 2
\p
\v 1 હું જાણું છું કે કરિંથની મારી છેલ્લી મુલાકાતમાં મેં તમને જે કંઈ કહ્યું તેથી તમારી લાગણી દુભાઈ છે. તેથી આ વખતે મેં નક્કી કર્યું છે કે તમારી બીજી વધુ દુઃખદ મુલાકાત હવે હું નહીં કરું.
\v 2 મારી છેલ્લી મુલાકાતથી મેં તમને ઘણું દુઃખ પહોંચાડ્યું છે, અને જ્યારે હું ત્યાં હતો ત્યારે જેઓ મને આનંદ પમાડી શકે તેવા લોકો હતા તેમને જ મેં દુઃખ પહોંચાડ્યું.
\s5
\v 3 જ્યારે હું ફરી તમારી પાસે એટલે કે જેઓએ તો ખરેખર મને આનંદિત કરવો જોઈએ તેઓ પાસે આવું ત્યારે તમે મને દુઃખી ન કરો તે માટે મેં તે પત્ર તમને લખ્યો! મને ખાતરી હતી કે આપણા બધા પાસે આનંદ કરવાનાં કારણો હતાં.
\v 4 તે સમયે મેં તમને એટલા માટે લખ્યું કે હજી મારા હૃદયમાં ઘણી વેદના અને દુઃખ હતાં, મેં તમારે માટે ઘણાં આંસુઓ વહેવડાવ્યાં અને હવે હું તમને વધુ દુઃખી કરવા માગતો ન હતો. હું તમારા સર્વ પર કેટલો પ્રેમ કરું છું તે તમે જાણો એમ હું ઇચ્છું છું.
\p
\s5
\v 5 જે વ્યક્તિ પાપમાં પડી તેણે એમ કરવા દ્વારા કેવળ મને જ દુઃખ નહોતું પહોચાડ્યું પણ તેના પાપથી તમને સર્વને દુઃખી કર્યા.
\v 6 આ માણસ અને તેણે કરેલા પાપ સબંધી શું કરવું તે સંબંધી આપણે બધા સહમત છીએ. હાલ તેને શિક્ષા કરવામાં આવી છે અને તે યોગ્ય છે.
\v 7 તો હવે આ પરિસ્થિતિ છે: તેની સજા દ્વારા તેણે દુઃખ સહન કર્યું છે, પણ હવે તેણે જે કર્યું તેના માટે તેને માફ કરવાની અને તેને પ્રેમ કરવાની જરૂર છે કે જેથી તે વધુ દુઃખને લીધે નિરાશ ન થઈ જાય.
\p
\s5
\v 8 બધા જ વિશ્વાસીઓની સમક્ષ તમે તેને જણાવો કે તમે તેને કેટલો બધો પ્રેમ કરો છો.
\v 9 મેં એ જોવા માટે તમને લખ્યું કે તમે ખ્રિસ્તને આધીન થઈને આ પ્રશ્નનું નિરાકરણ લાવો છો કે કેમ.
\s5
\v 10 તેથી જે માણસને તમે માફ કર્યું છે, તેને હું પણ માફ કરું છું. જે કંઈ મેં માફ કર્યું, પછી તે નાનામાં નાની બાબત હોય, તે મેં તમારા પ્રત્યેના પ્રેમને કારણે અને ખ્રિસ્તની સમક્ષતામાં માફ કર્યું છે.
\v 11 આમ કરવાનું કારણ એ છે કે શેતાન કંઇક વધુ ખરાબ કરવા તેની કુયુક્તિમાં આપણને ફસાવે નહીં. આપણે તેની કુયુક્તિઓથી અને તેના જૂઠથી માહિતગાર છીએ.
\p
\s5
\v 12 જો કે પ્રભુએ ત્રોઆસ શહેરમાં શુભ સમાચાર પ્રગટ કરવા માટે અમારા માટે ઘણા માર્ગ ઉઘાડ્યા,
\v 13 તો પણ, હું મારા ભાઈ તિતસ માટે ચિંતિત હતો, કેમ કે તે મને મળ્યો ન હતો. તેથી વિશ્વાસીઓને ત્રોઆસમાં છોડીને તેની શોધ કરવા હું મકદોનિયા પાછો ગયો.
\s5
\v 14 અમે ખ્રિસ્તમાં સાથે જોડાયા છીએ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને ખ્રિસ્ત હંમેશાં અમને તેમની વિજય કૂચમાં દોરી જાય છે. અમારાં જીવનો અને અમારા સંદેશ દ્વારા, અમે જ્યાં કંઈ જઈએ છીએ ત્યાં જેઓ બળતા ધૂપની પાસે રહે છે તેઓના જેવા અમે હોઈએ છીએ; પણ અમારી સુગંધ ધૂપની સુગંધ નથી; પરંતુ તે ખ્રિસ્તને જાણવાથી આવે છે, અને અમે તેમને ઓળખીએ છીએ તેને કારણે આ સુગંધ અમારી પાસે છે.
\v 15 ઈશ્વર આ સુગંધ અનુભવે છે અને તે તેમને ખ્રિસ્તની યાદ અપાવે છે. અને જેઓને ઈશ્વર છોડાવે છે તેઓ પણ અમારામાં આ જ સુગંધ અનુભવે છે. વળી જેઓને ઈશ્વરે છોડાવ્યા નથી તેઓને પણ આ સુગંધ ખ્રિસ્તની યાદ અપાવે છે.
\s5
\v 16 જેઓને ઈશ્વરે છોડાવ્યા નથી તેઓને માટે ખ્રિસ્તની એ સુગંધ મરણની દુર્ગંધરૂપ છે. પણ જેઓને ઈશ્વર મુક્ત કરાવી રહ્યા છે તેઓને માટે તે ખ્રિસ્ત કે જેઓ જીવંત છે, તે તેઓને જીવંત કરવા પાછા આવી રહ્યા છે તેમની સુગંધ છે. ખરેખર, કોઈ પણ પોતાની રીતે આ સુગંધ ફેલાવવા સમર્થ નથી!
\v 17 તમે જાણો છો કે ઘણા લોકો પૈસા મેળવવા ઈશ્વરનાં વચનો વેચવા શહેરે શહેર જાય છે. પણ અમે તેઓના જેવા નથી. અમે ઈશ્વરને પ્રસન્ન કરવા અને તેઓ જે ઇચ્છે છે તે કરવા સખત મહેનત કરીએ છીએ. અને અમે ખ્રિસ્ત સંબંધી બોલીએ છીએ કેમ કે અમે જે કરીએ છીએ તે સર્વ ઈશ્વર જુએ છે, અને અમે ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ કેમ કે અમે તેમની સાથે જોડાયેલા છીએ.
\s5
\c 3
\p
\v 1 તમે અમને સારી રીતે ઓળખો છો, અને તમારે અમારા પર ભરોસો મૂકવો જોઈએ. એક અજાણી વ્યક્તિને તમારી આગળ પોતાની ઓળખ આપવા માટે તમે જેને સારી રીતે જાણતા હોય તેવી વ્યક્તિ તરફથી ભલામણપત્રની જરૂર પડે, પણ તમે તો અમને સારી રીતે ઓળખો છો.
\v 2 તમે પોતે એવા પત્ર સમાન છો જે બીજા લોકોને અમારી ઓળખ કરાવે છે, કારણ કે જેઓ સર્વ તમને ઓળખે છે તેઓ જોઈ શકે છે કે તમે અમારી ઉપર કેટલો વિશ્વાસ કરો છો.
\v 3 જે રીતે તમે જીવન જીવો છો તે જાણે કે ખ્રિસ્તે પોતે લખ્યો હોય અને અમે તે તમારી પાસે લાવ્યા હોય તેવા પત્ર સમાન તમે છો. જો કે તે શાહીથી કે પથ્થરની તખ્તી પર લખાયેલ પત્ર નથી. ના, એ તો ખરા ઈશ્વરના આત્મા દ્વારા તમારાં પોતાનાં હૃદયો પર લખાયેલ પત્ર છે.
\p
\s5
\v 4 અમે ખ્રિસ્ત સાથે જોડાયેલા છીએ તે કારણે અમે ઈશ્વર પર આ રીતે વિશ્વાસ કરીએ છીએ.
\v 5 અમારી શક્તિથી અમે ઈશ્વરને માટે કંઈ કરી શકવા સમર્થ નથી, તેથી અમે તે કરવાનો દાવો કરી શકતા નથી. પણ તેથી ઊલટું ઈશ્વર પોતે તેમની સેવા કરવા જરૂરી સર્વ બાબતો અમને આપે છે.
\v 6 નવા કરારના સેવકો થવા માટે અમને જે જરૂરી હતું તે ઈશ્વરે પૂરું પાડ્યું છે. આ કરારનું સામર્થ્ય લખવામાં આવેલા નિયમમાં નથી, પણ ઈશ્વરના આત્માથી છે. લેખિત નિયમ મરણ લાવે છે, પણ આત્મા જીવન આપે છે.
\p
\s5
\v 7 ઈશ્વરનો નિયમ મરણ લાવે છે, અને તે નિયમ તેમણે પથ્થરની તખ્તી પર લખ્યો હતો અને મૂસાને તે આપ્યો હતો. અને તે નિયમ તો ઈશ્વર જ્યાં વસે છે ત્યાંના જ્વલંત પ્રકાશ સાથે આવ્યો. અને તે મહિમા મૂસાના ચહેરા પર પ્રકાશતો હતો; તેનો ચહેરો એટલો બધો પ્રકાશતો હતો કે ઇઝરાયલીઓ તેના ચહેરા તરફ જોઈ શકતા ન હતા. તે તેજસ્વી પ્રકાશ તેના ચહેરા પરથી ધીમે ધીમે જતો રહ્યો.
\v 8 આત્માની જે સેવા છે તે કેટલા વધારે તેજથી પ્રકાશે છે!
\s5
\v 9 નિયમ પણ ઈશ્વરના પ્રકાશિત તેજથી પ્રકાશતો હતો. પણ નિયમનો તે તેજસ્વી પ્રકાશ દરેકને માટે કેવળ મરણ લાવી શકે છે. તો, જ્યારે ઈશ્વર તેમની સાથે આપણું સમાધાન કરે ત્યારે તેમનો તેજસ્વી પ્રકાશ આપણામાં કેટલો બધો વધુ પ્રકાશે!
\v 10 જ્યારે ઈશ્વરના તેમની સાથેના આપણા સમાધાનને નિયમના તેજસ્વી પ્રકાશ સાથે સરખાવીએ ત્યારે નિયમ બિલકુલ અદ્દભુત જણાતો નથી, કારણ કે તેના સ્થાને જે બાબતને મૂકવામાં આવી તે વિશેષ અદ્દભુત છે!
\v 11 તેથી તમે જોઈ શકો છો કે નિયમ, જે રદ થવાનો હતો તે અદ્દભુત હતો, પણ તમે એ પણ જોઈ શકો કે જે તેના સ્થાને મૂકવામાં આવ્યું તે તેથી પણ વધુ અદ્દભુત છે; અને તે અનંતકાળ સુધી રહેશે.
\p
\s5
\v 12 અમે પ્રેરિતો ભવિષ્યને માટે ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ તે કારણે અમે ઘણા હિંમતવાન છીએ.
\v 13 અમે મૂસાના જેવા નથી, જેણે ઈશ્વરના મહિમાનો ઝાંખો પડતો પ્રકાશ ઇઝરાયલીઓ નિહાળે નહિ માટે પોતાના મુખ પર પડદો નાખ્યો.
\s5
\v 14 ઘણા સમય અગાઉ ઇઝરાયલપુત્રોએ ઈશ્વરનો સંદેશ માનવાનો ઇન્કાર કર્યો. આજે પણ, જ્યારે જૂનો નિયમ વાંચવામાં આવે છે ત્યારે તેઓ એવો જ મુખપટ રાખે છે. જ્યારે આપણે ખ્રિસ્તની સાથે જોડાઈએ છીએ ત્યારે જ ઈશ્વર તે પડદો દૂર કરે છે.
\v 15 હા, આજે પણ, જ્યારે તેઓ મૂસાનો નિયમ વાંચે છે ત્યારે જાણે કે તેઓનાં મનો પર પડદો હોય તેમ જણાય છે.
\v 16 પણ, જ્યારે વ્યક્તિ પ્રભુ તરફ ફરે છે ત્યારે ઈશ્વર તે પડદો દૂર કરે છે.
\s5
\v 17 હવે, અહીં "પ્રભુ" શબ્દનો અર્થ "આત્મા" થાય છે. જ્યાં પ્રભુનો આત્મા છે, ત્યાં લોકો મુક્ત બને છે.
\v 18 પણ, આપણે જેઓ વિશ્વાસ કરીએ છીએ તેઓ, આપણા ચહેરાઓ પર પડદા વગર તેમની તરફ જોઈએ છીએ, અને તેમના તેજસ્વી પ્રકાશનું વધુને વધુ પરાવર્તન કરીએ છીએ. પ્રભુ જ આ પ્રમાણે કરે છે અને તેઓ આત્મા છે.
\s5
\c 4
\p
\v 1 ઈશ્વરે આ સેવાકાર્ય આગળ વધારવાની જવાબદારી અમને સોંપી છે, અને તેમની દયા પણ અમારી ઉપર હતી. અને તેથી અમે નાહિંમત થયા નથી.
\v 2 કંઈપણ શરમજનક કામ કરવાથી અમે સાવધ રહીએ છીએ, અને અમારી પાસે કોઈ પણ વ્યક્તિથી સંતાડવા જેવુ કંઈ નથી. ઈશ્વર જે આપવાના નથી તેનું વચન અમે આપતા નથી, અને અમે ઈશ્વરના સંદેશને અમે જે કહેવા માગીએ છીએ તે અનુસાર બદલતા નથી. અમે કેવળ સત્ય પ્રગટ કરીએ છીએ. અમે ઈશ્વરની સમક્ષ છીએ ત્યારે તમે અમને પારખો માટે અમે આ રીતે પોતાને પ્રસ્તુત કરીએ છીએ.
\s5
\v 3 જો શુભ સંદેશ પડદાથી ઢંકાયેલો હોય તો, જેઓ ઈશ્વર વગર મરણ પામે છે તેઓને માટે તે ઢંકાયેલ છે.
\v 4 તેઓ માટે તો, આ જગતના દેવે તેઓને સત્ય પ્રતિ દ્રષ્ટિહીન કર્યા છે, કારણ કે તેઓ ખ્રિસ્તના અદ્દભુત મહિમા સંબંધીના શુભ સમાચાર પર વિશ્વાસ કરતા નથી, કેમ કે ઈશ્વર કેવા છે તે તો ખ્રિસ્ત જ આપણને બતાવે છે.
\s5
\v 5 અમે પોતાને તમારી આગળ એવી રીતે પ્રગટ કરતા નથી કે જે તમને કોઈ પણ દુષ્ટતાથી બચાવી શકે. તેથી ઊલટું, ખ્રિસ્ત ઈસુને અમે અમારા માલિક તરીકે અને અમને તમારા દાસો તરીકે પ્રગટ કરીએ છીએ, કેમ કે અમે ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલા છીએ.
\v 6 પણ એ તો ઈશ્વરે જ કહ્યું કે, "અજવાળું અંધારા પર પ્રકાશે." તેમણે તે અજવાળું આપણા હૃદયોમાં પ્રકાશવા દીધું છે, કે જેથી, જ્યારે આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ ત્યારે આપણે જોઈ શકીએ કે ઈશ્વર કેટલા મહાન છે.
\p
\s5
\v 7 હવે ઈશ્વર તરફની આ મૂલ્યવાન ભેટો અમે અમારા શરીરો જે નિર્બળ માટીનાં પાત્રો છે, તેમાં ઊંચકીને ફરીએ છીએ. અમારું સામર્થ્ય ક્યાંથી આવે છે તે સબંધી કોઈ ભૂલ થવી ન જોઈએ: તે કેવળ ઈશ્વર પાસેથી જ આવે છે.
\v 8 અમે ઘણા પ્રકારની મુશ્કેલીઓ સહન કરી છે. પણ તેથી અમે નાશ પામ્યા નથી. અમારે શું કરવું તે સંબંધી અમે કદાચ ગૂંચવાઈ ગયા હોઈએ, પણ અમે કદી પડતું મૂક્યું નથી.
\v 9 કેટલાક લોકો અમને નુકસાન કરવા ઇચ્છે છે, પણ અમે કદી એકલવાયા નથી; જાણે અમને કોઈએ નીચે પાડી દીધા હોય તેમ લાગે, પણ અમે હંમેશાં પાછા ઊઠીએ છીએ.
\v 10 જેમ ઈસુ મરણ પામ્યા તેમ અમે ઘણીવાર મરણના જોખમમાં હોઈએ છીએ, પણ અમારાં શરીરો પાછાં સજીવન થશે, કેમ કે ઈસુ જીવંત છે.
\s5
\v 11 કેમ કે આપણામાંના જેઓ જીવતા છીએ તેઓને ઈશ્વર હંમેશાં મરણના અનુભવમાં દોરી જાય છે, કારણ કે આપણે ઈસુની સાથે જોડાયેલા છીએ, કે જેથી જ્યારે લોકો આપણા તરફ જુએ ત્યારે તેઓ જાણી શકે કે ઈસુ જીવંત છે.
\v 12 તેથી તમે જોઈ શકો છો કે, અમારામાં મરણ તેનું કાર્ય કરે છે, પણ તમારામાં જીવન કાર્ય કરે છે.
\p
\s5
\v 13 જેમ શાસ્ત્રવચન કહે છે: "મને ઈશ્વર પર વિશ્વાસ છે માટે હું બોલું છું" તેમ અમે ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ. અમે પણ ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ, અને તેમણે અમારા માટે શું કર્યું છે તે વિષે અમે પણ બોલીએ છીએ.
\v 14 અમે જાણીએ છીએ કે ઈશ્વર, જેમણે પ્રભુ ઈસુને મરણમાંથી ઉઠાડ્યા તેઓ અમને પણ ઈસુની સાથે ઉઠાડશે, અને ઈસુ અમને પણ તમારી સાથે જ્યાં ઈશ્વર છે ત્યાં લઇ જશે.
\v 15 મેં જે કંઈ સહન કર્યું તે તમને મદદ કરવા માટે કર્યું છે, જેથી વધુને વધુ લોકો જાણી શકે કે ઈશ્વર તેમને કેટલા વધુ ચાહે છે, કે જેથી તેઓ તેમની વિશેષ પ્રમાણમાં સ્તુતિ કરે.
\p
\s5
\v 16 અમે નાહિંમત થતા નથી. જ્યારે અમારાં શરીર દરરોજ બાહ્ય રીતે ક્ષય પામતાં જાય છે, ત્યારે ઈશ્વર દરરોજ અમને આંતરિક રીતે નવા બનાવતા જાય છે.
\v 17 કેમ કે, આ ક્ષણિક અને નજીવી વિપત્તિઓ અમને એ દિવસને માટે તૈયાર કરે છે જ્યારે ઈશ્વર અમને હંમેશને માટે મહિમાવાન, કોઈ માપી કે સમજાવી ન શકે તેવા અદ્દભુત મહિમાવાન બનાવશે.
\v 18 કેમ કે અમે દ્રશ્ય નહિ પણ અદ્રશ્ય બાબતોની રાહ જોઈએ છીએ. જે બાબતોને અમે હાલ જોઈ શકીએ છીએ તે ક્ષણિક છે, પણ જે બાબતોને અમે જોઈ શકતા નથી તે અનંતકાળિક છે.
\s5
\c 5
\p
\v 1 અમે જાણીએ છીએ કે આ શરીરો કામચલાઉ નિવાસસ્થાનો છે, એટલે કે તંબુઓ જેવાં છે કે જે ક્ષણભંગુર છે . પણ અમે જાણીએ છીએ કે જ્યારે અમે મરણ પામીશું ત્યારે, ઈશ્વર તેમણે બનાવેલાં, અનંતકાળ સુધી ટકનારાં કાયમી શરીરો અમને આપશે.
\v 2 જ્યારે આપણે આ ભૌતિક શરીરોમાં રહીએ છીએ ત્યારે, ઈશ્વર પાસેથી પ્રાપ્ત થનાર શરીરોની આશા રાખતાં નિસાસા નાખીએ છીએ
\v 3 કારણ કે જ્યારે ઈશ્વર અમને નવાં શરીરો ધારણ કરાવશે, ત્યારે તે અમારે માટે આચ્છાદિત કરનાર વસ્ત્રો સમાન હશે.
\p
\s5
\v 4 કેમ કે અમે જે શરીરોમાં છીએ તે એક દિવસે મરણ પામશે, અને અમે એ દિવસની રાહ જોઈએ છીએ કે જ્યારે અમે આ શરીરોને ત્યાગી દઈશું. અમે મરવા માટે આતુર છીએ એમ નહીં પણ જેમ કહેવત છે કે, "જેઓ બધા મરણ પામે છે તેઓ જીવનમાં ગરક થઇ જશે" તેમ અમે અનંતકાળિક શરીરો ધારણ કરવા આતુર છીએ.
\v 5 ઈશ્વર પોતે અમારા માટે નવાં શરીરો તૈયાર કરી રહ્યા છે, અને પોતાનો આત્મા આપવા દ્વારા તેઓએ અમને ખાતરી આપી છે કે અમે તે શરીરો મેળવીશું.
\p
\s5
\v 6 તેથી તમારે હંમેશાં ખાતરી રાખવાની જરૂર છે કે, જ્યાં સુધી અમે આ પૃથ્વી પર જીવીએ છીએ, ત્યાં સુધી અમે સ્વર્ગીય પ્રભુથી દૂર છીએ.
\v 7 (અમે અમારાં જીવનો તેમના પર વિશ્વાસ રાખતાં જીવીએ છીએ, દ્રષ્ટિથી નહીં).
\v 8 અમે તેમનામાં ભરોસો મૂક્યો છે તેને લીધે, અમે અમારાં વર્તમાન શરીરો છોડી દઈએ તે વધારે સારું રહેશે કે જેથી અમે પ્રભુની સાથે રહી શકીએ.
\s5
\v 9 તેથી, અમે અહીં હોઈએ કે સ્વર્ગમાં હોઈએ, અમે તેમને આધીન થવાની ઇચ્છા રાખીએ છીએ.
\v 10 કેમ કે, જ્યારે તેઓ સર્વના ન્યાયાધીશ તરીકે બિરાજશે, ત્યારે આપણે સર્વ ખ્રિસ્તની સમક્ષ ઊભા રહીશું. જ્યારે આપણે આ જીવનમાં હતા ત્યારે આપણે જે કર્યું તેનો તેઓ ન્યાય કરશે. ખ્રિસ્ત આપણને યોગ્ય બદલો આપશે, અને જે કંઈ સારું છે કે ખરાબ, તેનો તેઓ ન્યાય કરશે.
\p
\s5
\v 11 તેથી, પ્રભુને માન આપવું તે શું છે તે અમે જાણીએ છીએ, તેથી, ઈશ્વર કેવા છે તે અમે લોકોને જણાવવાની કાળજી રાખીએ છીએ. આપણે કેવા પ્રકારના લોકો છીએ તે ઈશ્વર જાણે છે, અને અમે જે સારું કે ખોટું કરીએ છીએ તે તમે સમજો એવી હું અપેક્ષા રાખું છું.
\v 12 અમે ઈશ્વરના પ્રામાણિક સેવકો છીએ તેવું સાબિત કરવાની ફરીથી કોશિશ કરતા નથી. અમે કેવા પ્રકારના લોકો છીએ તે તમે જાણો એ જ ઇચ્છા અમે રાખીએ છીએ, અને અમારા વિષે તમને અભિમાન કરવાનું કારણ આપવા માગીએ છીએ. આમ કરવાનું કારણ એ છે કે, જેઓ પોતાના કામનાં વખાણ કરે છે, પણ તેઓ પોતે તેમનાં આંતરિક જીવનોમાં કેવા છે તેની કાળજી રાખતા નથી, તેઓને તમે પ્રત્યુત્તર આપી શકો.
\s5
\v 13 જો લોકો વિચારે કે અમે ધૂની છીએ તો વાંધો નહીં, અમે તો ઈશ્વરની સેવા કરીએ છીએ. પણ જો અમે સજાગ છીએ તો તે તમારી મદદને માટે છે.
\v 14 ખ્રિસ્ત પ્રત્યેનો અમારો પ્રેમ અમારું પ્રેરકબળ છે. અમને ખાતરી છે કે: ખ્રિસ્ત સર્વને માટે મરણ પામ્યા, તેથી આપણે સર્વ તેમની સાથે મરણ પામ્યા છીએ.
\v 15 ખ્રિસ્ત સર્વને માટે મરણ પામ્યા, કેમ કે જેઓ જીવે છે તેઓ હવે પોતાને માટે ન જીવે, પણ ખ્રિસ્તને માટે જીવે, જે તેઓનાં પાપોને માટે મરણ પામ્યા, તેમને અર્થે જીવે, અને જેમને ઈશ્વરે મરણમાંથી સજીવન કર્યા તે તેઓ જ છે.
\p
\s5
\v 16 અમે અમારા પોતાને માટે જીવતા નથી તે માટે, અમે અવિશ્વાસીઓની માફક કોઈનો ન્યાય કરતા નથી. અમે એક વાર ખ્રિસ્તને પણ માનવીય માપદંડથી તપાસ્યા, પણ હવે ખ્રિસ્તીઓ તરીકે અમે એવી રીતે કોઈનો ન્યાય કરતા નથી.
\v 17 જ્યારે કોઈ ખ્રિસ્તની સાથે જોડાય છે અને તેમના પર વિશ્વાસ રાખે છે, ત્યારે તે નવી વ્યક્તિ બને છે. જે ભૂતકાળનું હતું તે બધું જતું રહ્યું છે, જુઓ! ઈશ્વર તમારામાં સઘળું નવું બનાવે છે.
\s5
\v 18 આ બધાં દાનો ઈશ્વર તરફથી આવે છે. તેમણે આપણી સાથે શાંતિનો કરાર કર્યો છે તેથી હવે આપણે ઈશ્વરના શત્રુઓ નથી. ખ્રિસ્તના વધસ્તંભની મારફતે હવે આપણને શાંતિ છે. વળી, ઈશ્વરે આપણને એ પ્રગટ કરવાની જવાબદારી પણ સોંપી છે કે ઈશ્વર લોકોને તેમની સાથે સમાધાનમાં લાવવા ચાહે છે.
\v 19 ખ્રિસ્તે જે કર્યું તે દ્વારા ઈશ્વરે જગત સાથે સમાધાન કર્યું અને આ સંદેશ લોકોનો ઈશ્વરની સાથે મિલાપ કરાવે છે. ઈશ્વર તેઓનાં પાપને માટે તેઓને જવાબદાર ગણતા નથી. તેને બદલે, ખ્રિસ્તે આપણાં પાપ દૂર કર્યાં છે અને જે શાંતિ કરાવે છે તથા ઈશ્વર અને માણસનો મિલાપ કરાવે છે તેમણે અમને આ સંદેશ આપ્યો છે.
\s5
\v 20 તેથી, ઈશ્વરે અમને ખ્રિસ્તના પ્રતિનિધિ ઠરાવ્યા છે. ઈશ્વર અમારી મારફતે તમને આજીજી કરે છે. તેથી અમે ખ્રિસ્ત વતી તમને આજીજી કરીએ છીએ: ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને તમારી સાથે શાંતિ કરવા દો અને પોતાની સાથે સંબંધમાં લાવવા દો.
\v 21 ઈશ્વરે ખ્રિસ્તને કે જેમણે કદી પાપ કર્યું ન હતું, તેમને પાપને માટે બલિદાન ઠરાવ્યા કે જેથી જ્યારે આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, ત્યારે ઈશ્વર આપણને પોતાના સંબંધમાં ન્યાયી બનાવે છે.
\s5
\c 6
\p
\v 1 આપણે સાથે કામ કરનારા છીએ, અને તમને વિનંતી કરીએ છીએ કે ઈશ્વરના પ્રેમનું જે દાન તમે સ્વીકાર્યું છે તે વ્યર્થ જાય એવું ન કરશો.
\v 2 કેમ કે ઈશ્વર કહે છે,
\q "મારી પ્રેમાળ કૃપા તારા પ્રત્યે દર્શાવી ત્યારે મેં તારું સાંભળ્યું,
\q અને જ્યારે મેં ઉધ્ધારનું કાર્ય સંપૂર્ણ કર્યું ત્યારે મેં તને સહાય કરી."
\p જુઓ, ઈશ્વર તમારા ઉપર દયા દર્શાવે તે માટેનો દિવસ આ જ છે; તમારા ઉદ્ધાર માટેનો દિવસ પણ આજે જ છે.
\p
\v 3 અમે ચોક્કસ કોઈને પણ ખોટું કરવાનું કારણ આપવા ચાહતા નથી, કારણ કે શુભ સંદેશનો ઉપદેશ કરતા અમે દુષ્ટતાને ઉત્તેજન આપીએ છીએ તેવો આરોપ કોઈ મૂકે તેમ અમે ઇચ્છતા નથી.
\s5
\v 4 અમે વારંવાર એ પુરવાર કર્યું છે કે અમે ઈશ્વરના સેવકો છીએ. અમે ભારે દુઃખ ઉઠાવીએ છીએ, જેઓ અમને દુઃખ પહોંચાડે છે તેઓનો અમે હિંમતથી સામનો કરીએ છીએ અને મુશ્કેલ સમયોમાં થઈને અમે જીવીએ છીએ.
\v 5 લોકોએ અમને સખત માર માર્યો છે, કેટલાકે અમને કેદમાં પૂર્યા છે; લોકોને માટે અમે હુલ્લડનું કારણ બન્યા છીએ; અમે સખત શારીરિક શ્રમ કર્યો છે; અમે ઘણી રાત્રિઓ ઊંઘ વગર વિતાવી છે, અને ઘણીવાર અમને પૂરતો ખોરાક મળ્યો નથી.
\v 6 પણ આ સર્વમાં અમારાં જીવનો નિર્દોષ રહ્યાં છે, અમારી સમજણ ઊંડી થઇ છે, અને ઈશ્વર અમારાં દુઃખોનો અંત લાવે ત્યાં સુધી ધીરજ રાખવા અમે સમર્થ થયા છીએ. અમે જાણીએ છીએ કે ખ્રિસ્ત અમારા પ્રત્યે કેવા દયાળુ છે; અમે પવિત્ર આત્માથી ભરપૂર થયા છીએ, અને અમે બીજાઓને પ્રેમ કરીએ છીએ.
\v 7 અમે ઈશ્વરના સત્ય વચન અનુસાર જીવીએ છીએ, અને અમારી પાસે ઈશ્વરનું સામર્થ્ય છે. ખ્રિસ્તને લીધે ઈશ્વરે તેમની પોતાની સાથે અમારું સમાધાન કરાવ્યું છે. આ સત્ય પર અમે સતત વિશ્વાસ કરીએ છીએ; એ તો સૈનિકના બખ્તર જેવું અને તેના બન્ને હાથનાં શસ્ત્રો જેવું છે.
\s5
\v 8 કેટલીક વાર લોકો અમને માન આપે છે; પણ કેટલીક વાર તેઓ અમારું અપમાન પણ કરે છે. ક્યારેક તેઓ અમારે વિષે ઘણું ભૂંડું બોલે છે; તો ક્યારેક તેઓ અમારાં વખાણ પણ કરે છે. અમે સત્ય બોલીએ છીએ છતાં તેઓનો આરોપ છે કે અમે જૂઠ્ઠું બોલીએ છીએ.
\v 9 અમે અજાણ્યા લોકોની માફક જીવીએ છીએ, પણ કેટલાક લોકો અમને બહુ સારી રીતે ઓળખે છે. જો કે અમને કાયદેસર રીતે મરણદંડને માટે કદી દોષિત ઠરાવાયા નથી તોપણ ખ્રિસ્તની વાત પ્રગટ કરવાને લીધે કેટલાક લોકો અમને મારી નાખવાની કોશિશ કરે છે.
\v 10 અમે ઘણા દુઃખમાં છીએ તોપણ અમે હંમેશાં આનંદ કરીએ છીએ. અમે અતિ ગરીબ લોકો જેવા છીએ છતાં, અમારી પાસે શુભસંદેશનો ખજાનો છે જે ઘણાને ધનવાન કરે છે. તમે જોઈ શકો છો કે અમારી પાસે કંઈ નથી, પણ સત્ય એ છે કે સઘળું અમારું છે.
\p
\s5
\v 11 કરિંથના અમારા સાથી વિશ્વાસીઓ, અમે તમારી સાથે મોકળાશથી અને નિખાલસતાથી બોલ્યા છીએ. અમે તમને મુક્તપણે દર્શાવ્યું છે કે અમે તમને પ્રેમ કરીએ છીએ.
\v 12 અમે તે છુપાવતા નથી, પણ તમે અમને પ્રેમ કરો છો તે દર્શાવવામાં સંકોચ અનુભવતા લાગો છો.
\v 13 બાળકો જેવા ગણીને હું તમને કહું છું બદલામાં તમે પણ અમને પ્રેમ કરો તે વાજબી હશે.
\p
\s5
\v 14 જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા નથી તેઓ સાથે અઘટિત રીતે કામ ન કરો. જેઓ ઈશ્વરનાં ધોરણો અનુસાર જીવે છે તેઓએ, જેઓ ઈશ્વરના નિયમોનો ભંગ કરીને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે તેઓની સાથે શા માટે સંબંધ રાખવો જોઈએ? અંધકાર અને પ્રકાશ બન્ને સાથે રહી શકે નહિ.
\v 15 ખ્રિસ્ત કોઈ પણ બાબતમાં કેવી રીતે બલિયાલના આત્માની સાથે સંબંધ રાખી શકે? ઈશ્વરમાં વિશ્વાસ કરનાર વ્યક્તિને ઈશ્વરમાં વિશ્વાસ નહિ કરનારની સાથે કેવી રીતે સંબંધ હોઈ શકે?
\v 16 ઈશ્વરના ભક્તિસ્થાનમાં મૂર્તિઓને સ્થાન આપવું કેટલું યોગ્ય ગણી શકાય? કારણ કે જેમ ઈશ્વરે કહ્યું તેમ આપણે જીવંત ઈશ્વરનું ભજનસ્થાન છીએ:
\q "હું મારા લોકોમાં વાસ કરીશ.
\q હું તેઓની મધ્યે રહીશ.
\q હું તેઓનો ઈશ્વર થઈશ,
\q અને તેઓ મારા લોકો થશે."
\p
\s5
\v 17 તેથી શાસ્ત્ર વચન જણાવે છે:
\q "અવિશ્વાસીઓ મધ્યેથી બહાર આવો
\q1 અને તેઓથી અલગ થાઓ," એમ ઈશ્વર કહે છે.
\q "જે તમને અશુદ્ધ બનાવે છે અને મારું ભજન કરવા અસમર્થ બનાવે છે તેનાથી દૂર રહો;
\q1 અને હું મારા હાથોને ખુલ્લા કરીને તમારો આવકાર કરીશ,
\v 18 અને હું તમારો પિતા થઈશ,
\q1 વળી તમે મારા દીકરાઓ અને દીકરીઓ થશો" એવું સર્વસમર્થ પ્રભુ કહે છે.
\s5
\c 7
\p
\v 1 વહાલાંઓ, ઈશ્વરે આપણા માટે આ સર્વ કરવાનું વચન આપ્યું છે તે કારણે ઈશ્વરનું ભજન કરવાથી આપણને દૂર રાખે તેવી બાબતો આપણા શરીર કે મનથી કરવાનું બંધ કરવું જોઈએ. આપણે પાપ કરવાનું ટાળવાની કોશિશ કરીએ; ઈશ્વરને માન આપવાનું અને તેમનો ભય રાખવાનું ચાલુ રાખીએ.
\p
\s5
\v 2 અમારા પ્રત્યે તમારાં હૃદયો ખુલ્લાં કરો! તમે અમારા સંબધી જે કંઈ સાંભળ્યું હોય, પણ અમે તો કોઈનું ખોટું કર્યું નથી. અને અમે કોઈનો ફાયદો ઉઠાવ્યો નથી.
\v 3 હું તમને દોષિત ઠરાવવા કહેતો નથી. અમે તમ સર્વને અમારા દિલથી ચાહીએ છીએ! અમે હેતુપૂર્વક તમારી સાથે જોડાયા છીએ અને તમારી સાથે જ જીવીશું અને મરીશું.
\v 4 એથી વિશેષ, હું કેવળ તમને પ્રેમ જ નથી કરતો પણ બીજાઓની સમક્ષ હું તમારાં વખાણ પણ કરું છું અને જો કે અમે ઘણી વિપત્તિઓમાંથી પસાર થઈએ છીએ તોપણ, તમારા કારણે હું આનંદથી ભરપૂર છું.
\p
\s5
\v 5 જ્યારે અમે મકદોનિયા આવ્યા ત્યારે અમે નિર્ગત થઇ ગયા હતા. અમારી ચારે બાજુ મુસીબતો હતી, બીજા લોકો તરફથી પણ અમે મુશ્કેલીઓ સહન કરી, અને ઘણી બાબતોને લઈને અમારાં ઘણો ડર હતો.
\v 6 પણ, જ્યારે અમે નાહિંમત થઈએ છીએ ત્યારે ઈશ્વર હંમેશાં અમને દિલાસો આપે છે, અને તે સમયે તિતસને અમારી પાસે મોકલવા દ્વારા તેમણે અમને દિલાસો આપ્યો.
\v 7 તિતસનું આવવું એક મોટો દિલાસો હતો, પણ જ્યારે તમે તેની સાથે હતા ત્યારે તમે પણ તેને દિલાસો આપ્યો. જ્યારે તે અમારી પાસે આવ્યો ત્યારે તેણે અમારા માટે તમારો જે ઊંડો પ્રેમ છે તે વિષે અને અમારા દુઃખોમાં તમે કેવી રીત દુઃખી હતા તે અમને જણાવ્યું, વળી, તમે મારી કેટલી કાળજી રાખતા હતા તે પણ તેણે અમને જણાવ્યું, તેથી તમારે લીધે મને બહુ આનંદ થયો.
\p
\s5
\v 8 હું જાણું છું કે જે પત્ર મેં તમને લખ્યો તેણે તમને દુઃખી કર્યા છે, પણ મારે તે પત્ર લખવો પડ્યો. તે લખતી વખતે મને અફસોસ થતો હતો, પણ મેં જે લખ્યું તે મંડળીની સમસ્યાઓને હલ કરવામાં તમને મદદ કરવા માટે તે આવશ્યક હતું. હું જાણતો હતો કે તમારું દુઃખ થોડા સમય માટે જ રહેશે.
\v 9 અને તેથી હવે હું આનંદ કરી શકું છું, એટલા માટે નહીં કે મારો પત્ર વાંચ્યા પછી તમે દુઃખી થયા, પણ જે પાપ તમને ઘણું દુઃખી કરતું હતું, તેનાથી તમે પાછા વળ્યા, અને તે દુઃખે તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુઃખી કર્યા, અને તે દુઃખે તમે જે ગુમાવ્યું હતું તેના કરતાં વિશેષ તમને આપ્યું તે માટે આનંદ કરું છું.
\v 10 આ પ્રકારનું દુઃખ વ્યક્તિને પાપથી દૂર લઈ જાય છે જેથી ઈશ્વર તેનો બચાવ કરી શકે; આવા પ્રકારના દુઃખનો અનુભવ કરવાથી અંતમાં લોકો આનંદિત થાય છે. બીજી તરફ, દુન્યવી દુઃખ એટલે કે પાપ કરતાં તમને પકડી પાડવામાં આવ્યા તેના કારણે થતું દુઃખ, કેવળ મરણ તરફ જ દોરી શકે.
\s5
\v 11 ઈશ્વરે તમને આ દુઃખ આપ્યું તે કારણે તમે કેટલું સારું કરવાનું ચાહતા હતા તે વિષે હવે વિચારો. તમે મને એવું દર્શાવવા માગતા હતા કે તમે નિર્દોષ છો. તમે પાપના તે દોષારોપણ સંબંધી ઘણા ચિંતિત હતા, અને તે વ્યક્તિએ જે રીતે પાપ કર્યું હતું તેના વિષે તમે ઘણી ચિંતામાં હતા. તમે ન્યાય કરવામાં આવે તેવી ઇચ્છા રાખતા હતા. સરવાળે, તમે પ્રદર્શિત કર્યું કે તમે નિર્દોષ હતા.
\v 12 મેં તમને જે લખ્યું તે ખોટું કરનારને માટે ન હતું, અને જેની સાથે અન્યાય થયો તેને માટે પણ ન હતું, પરંતુ તે તમારા માટે લખ્યું હતું જેથી તમે સમજી શકો કે તમે અમારા પ્રત્યે કેટલા વિશ્વાસુ છો. ઈશ્વર જાણે છે કે તમે અમારા પ્રત્યે વિશ્વાસુ છો.
\s5
\v 13 આ બધાના દ્વારા અમે ખૂબ ઉત્તેજન પામ્યા છીએ!
\p તિતસે અમને જે કહ્યું તેના સંબંધી અમે ઘણા ખુશ છીએ, અને તમે તેને આરામ આપ્યો અને તેની મદદ કરી તે માટે પણ અમે ખુશ છીએ.
\v 14 મેં તેને તમારા વિશેની ઘણી સારી બાબતો જણાવી હતી, કે હું તમારા માટે કેટલું ગૌરવ અનુભવું છું, અને જ્યારે તે તમારી પાસે આવ્યો ત્યારે, તમે મારી મર્યાદા રાખી. અમે તિતસની આગળ તમારી ખૂબ પ્રશંસા કરી હતી, અને તમે તેને સાચું પુરવાર કર્યું!
\s5
\v 15 હવે તેનો તમારા પ્રત્યેનો પ્રેમ વૃદ્ધિ પામ્યો છે કારણ કે તેણે પોતે જોયું છે કે તમે ઈશ્વરને કેટલું અનુસરો છો, અને તે જાણે છે કે તમે તમારી મધ્યે તેનો કેવો આવકાર કર્યો હતો. ઈશ્વર પવિત્ર છે તે કારણે તમે તેનો આવકાર ભયથી, અને તમે જાણો છો કે ઈશ્વર મહાન છે તે કારણે તમે તેનો આવકાર ધ્રુજારીસહિત કર્યો.
\v 16 મને સર્વ બાબતે તમારા પર પૂરો ભરોસો છે એ માટે હું આનંદિત છું.
\s5
\c 8
\p
\v 1 ભાઈઓ અને બહેનો, મકદોનિયા પ્રાંતની મંડળીઓના લોકો મધ્યે ઈશ્વર કેટલા અદભુત અને માયાળુપણે વર્ત્યા છે તે વિષે તમે જાણો એવી અમારી ઇચ્છા છે.
\v 2 જો કે ત્યાંના વિશ્વાસીઓ ઘણું સહન કરી રહ્યા છે, તો પણ તેઓ એટલા બધા આનંદિત હતા કે ગરીબ હોવા છતાં યરુશાલેમમાંના વિશ્વાસીઓને માટે તેઓએ ઘણાં નાણાં આપ્યાં છે
\s5
\v 3 તેઓ જેટલું આપી શકે તેમ હતા તેટલું તેઓએ આપ્યું છે અને હું તે વિષેની સાક્ષી આપું છું કે તે સાચું છે અને કેટલાકે તેમની જરૂરિયાતોનો ભોગ આપ્યો અને ઘણું આપ્યું. તેઓ આપવા ચાહતા હતા,
\v 4 અને તેઓએ અમને વારંવાર વિનંતી તથા આજીજી કરી કે અમે તેઓને આ ફાળા માટે આપવા દઈએ, જેથી જે વિશ્વાસીઓને ઈશ્વરે પોતાને માટે અલગ કરેલા છે તેઓને તેઓ મદદ કરી શકે.
\v 5 અમે વિચાર્યું ન હતું કે તેઓ આ પ્રમાણે આપશે. પરંતુ પ્રથમ તો તેઓ પોતે પ્રભુને સોંપાયા અને પછી તેઓ અમને સોંપાયા.
\s5
\v 6 તિતસે તમને નાણાં આપવાનું ઉત્તેજન આપવાની શરૂઆત અગાઉથી જ કરી દીધી હતી, તેથી અમે તેને વિનંતી કરી કે તે ફાળો તેના યોગ્ય સ્થાને પહોંચે તે માટે તે તમારું માર્ગદર્શન કરે.
\v 7 જેમ તમે બીજાઓના કરતાં વિશેષ કરો છો તેમ, માત્ર તમારા ઈશ્વર પરના વિશ્વાસમાં, તમારા ઉત્તેજનદાયક શબ્દોમાં, તમે જે શીખ્યા છો તેમાં, કાર્ય સંપાદન કરવામાં, અને તમારા અમારા પ્રત્યેના પ્રેમમાં જ નહીં પણ આ ફાળો સારી રીતે ઊભો કરવાની પણ ખાતરી રાખો.
\p
\s5
\v 8 હું તમને હુકમ કરતો નથી, પણ બીજા લોકો જરૂરિયાતમંદ જેવા લોકોને આપે તેની સાથે તમે કેવી રીતે આપો છો તેની સરખામણી કરવા દ્વારા તમે પ્રભુને કેટલો બધો પ્રેમ કરો છો તે સાબિત કરો તેવું હું ઇચ્છું છું.
\v 9 હું આ કહું છું, કારણ કે ઈસુ ખ્રિસ્ત તમારા પ્રત્યે કેટલા દયાળુ રહ્યા છે તે તમે જાણો છો. તેઓ ધનવાન હોવા છતાં, તેમણે સઘળું ત્યજી દીધું અને નિર્ધન બન્યા. તમને ધનવાન કરવાને માટે તેમણે આ પ્રમાણે કર્યું.
\s5
\v 10 અને આ બધામાં તમને આપવા માટે એક ઉત્તેજનની બાબત મારી પાસે છે: તમે આ મદદ કરવાની સેવાની શરૂઆત એક વર્ષ અગાઉ કરી હતી, અને જ્યારે તમે તે શરૂ કર્યું ત્યારે જે ધગશ તમે તેના પ્રત્યે ધરાવતા હતા.
\v 11 તે જ પ્રમાણે, તમારે આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ. જેમ તમે તેની શરૂઆત કરવા માટે આતુર હતા, તેમ જ તમારે તેને પૂર્ણ કરવા માટે પણ આતુર થવું જોઈએ, અને બની શકે તેટલી ઝડપથી તમારે તે કરવું જોઈએ.
\v 12 જો તમે આ કાર્ય કરવામાં આતુર છો તો ઈશ્વર તેનો સ્વીકાર કરશે. તમારી પાસે જે નાણાં છે તે આપવા દ્વારા તમારે તે કાર્ય પૂર્ણ કરવું જોઈએ. તમારી પાસે જે નથી તે તમે આપી શકતા નથી.
\s5
\v 13 અમે આ બોજો તમારા પર એટલા માટે નથી મૂકતા કે અમારી એવી ઇચ્છા નથી કે બીજાઓને પોતપોતાને સહાય કરવી પડે. પરંતુ તમે તેઓને મદદ કરો તે વાજબી છે.
\v 14 આ સમયે તમને જે જોઈએ તેના કરતાં તમારી પાસે વધારે છે; તમારું જે વધેલું છે તે તેઓને માટે પણ પૂરતું થશે. ભવિષ્યમાં, તેઓની પાસે જરૂરિયાત કરતાં વધારે હશે તો પછી કદાચ તેઓ તમને મદદ કરવા શક્તિમાન થશે. આ બધાને માટે વાજબી છે.
\v 15 આ, જેમ શાસ્ત્રમાં લખેલું છે તેના જેવું છે:
\q1 "જેની પાસે ઘણું હતું તેની પાસે વહેંચવાને માટે કશું વધ્યું નહીં;
\q1 પણ જેની પાસ બહુ થોડું હતું તેને વધારે કશાની જરૂર પડી નહીં."
\p
\s5
\v 16 અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે હું તમારી જેટલી કાળજી રાખું છું તેટલી જ તિતસ તમારી કાળજી રાખે તેવું ઈશ્વરે કર્યું.
\v 17 જ્યારે અમે તિતસને તમારી મદદ કરવા વિનંતી કરી ત્યારે, તે તે પ્રમાણે કરવા માટે સંમત થયો. તે તમારી મદદ કરવા માટે એટલો આતુર હતો કે તેણે પોતે જ તમારી મુલાકાત લેવાનું નક્કી કર્યું.
\s5
\v 18 અમે તિતસને બીજા એક વિશ્વાસી ભાઈની સાથે મોકલ્યો છે. મંડળીઓમાંના બધા વિશ્વાસીઓ તેની પ્રશંસા કરે છે કારણ કે તે શુભ સંદેશનો પ્રચાર ખૂબ સારી રીતે કરે છે.
\v 19 તે અમારી સાથે યરુશાલેમમાંના વિશ્વાસીઓને માટે તમે અને બીજાઓએ જે આપ્યું છે તે તેઓને આપવા માટેની મદદ કરવા જાય તેવું મંડળીઓમાંના વિશ્વાસીઓ કહે છે. આપણે બધા જ આ ફાળો આપવા માગીએ છીએ કે જેથી પ્રભુને માન મળે અને દરેકને એ જણાવી શકાય કે આપણે વિશ્વાસીઓ એકબીજાની કેટલી મદદ કરીએ છીએ.
\p
\s5
\v 20 જે નાણાં તમે ઉદારતાથી આપો છો તે અમે કેમ ઉઘરાવીએ છીએ તેના સંબંધી લોકો કોઈ સવાલ ના ઉઠાવે તે માટે અમે જે બધું કરી શકીએ તે કરીએ છીએ.
\v 21 અમે આ બધું પ્રામાણિક અને ખુલ્લી રીતે કરવા માટે કાળજી રાખીએ છીએ. અમે આ કેવી રીતે કરીએ છીએ તે દરેક લોકો જાણે એવું અમે ઇચ્છીએ છીએ, અને અમે જાણીએ છીએ કે પ્રભુ પણ અમને જુએ છે.
\s5
\v 22 અને અમે તમારી પાસે જે ભાઈઓને મોકલીએ છીએ તેઓમાં એક બીજા ભાઈનો વધારો કરીએ છીએ. અમે જોયું છે કે આ ભાઈ અગત્યનું કામ ખૂબ વિશ્વાસુપણે કરે છે. તે હવે તમારી વધારે મદદ કરવા ઇચ્છે છે કારણ કે તે તમારા પર ઘણો ભરોસો રાખે છે.
\v 23 તિતસ વિષે કહું તો, તે મારો સહકાર્યકર્તા છે; તે મારી સાથે કામ કરે છે. બીજા ભાઈઓ વિષે કહું તો, અમારા પ્રદેશની મંડળીઓએ તેઓને અમારી સાથે યરુશાલેમ જવા માટે પસંદ કર્યા છે. જ્યારે બીજા લોકો તેઓને જુએ ત્યારે, તેઓ તેઓને લીધે ખ્રિસ્તની ઘણી સ્તુતિ કરશે.
\v 24 તેથી તમે આ ભાઈઓને બતાવો કે તમે તેઓને કેટલો પ્રેમ કરો છો; તેઓને બતાવો કે અમે તમારે વિષે આટલું સારું કેમ બોલ્યા હતા અને શા માટે અમે બધી મંડળીઓને એવું કહેતા અટકતા નથી કે અમે તમારે માટે કેટલો ગર્વ અનુભવીએ છીએ.
\s5
\c 9
\p
\v 1 હવે યરુશાલેમમાંના વિશ્વાસીઓને માટે એકઠાં કરેલાં આ નાણાં વિષે કહું તો તમને જે બધા લોકોને ઈશ્વરે પોતાને માટે અલગ કર્યા છે, તેઓને મારે વધારે કંઈ લખવાની જરૂર નથી.
\v 2 હું જાણું છું કે તમે મદદ કરવા ઇચ્છો છો, અને મકદોનિયાના વિશ્વાસીઓની આગળ મેં આ બાબત વિષે તમારી પ્રશંસા કરી છે. હકીકતમાં, મેં તેઓને કહ્યું છે કે તમે, અને અખાયા પ્રાંતના બીજા લોકો, આ ફાળો એકઠો કરવા માટે અગાઉના વર્ષથી તૈયારી કરતા હતા. તમારો ઉત્સાહ નમૂનારૂપ છે જેણે મકદોનિયાના લોકોને કાર્ય કરવા માટે પ્રેર્યા.
\s5
\v 3 તેથી હું ભાઈઓને મારી અગાઉ મોકલું છું, જેથી જ્યારે તેઓ તમને મળે ત્યારે, તેઓ જુએ કે અમે તમારી વ્યર્થ પ્રશંસા કરતા નથી; હું તેઓને મારી અગાઉ એ માટે પણ મોકલું છું કે જેમ મેં બીજાઓને તમારા વિષે ખાતરી આપી છે તેમ, તમે કાર્ય પૂરું કરવા માટે તૈયાર રહો.
\v 4 મને બીક છે કે જ્યારે હું થોડા સમય પછી આવીશ ત્યારે મકદોનિયાના કેટલાક લોકો કદાચ મારી સાથે આવે, અને તમે જે આપવા માગો છો તે આપવા માટે તેઓ તમને તૈયાર થયેલા ન જુએ. જો એવું બને તો, અમે તમારા સંબંધી જે સારું બોલ્યા છે તેના વિષે અમારે શરમાવું પડે અને તમારે પણ શરમાવું પડે.
\v 5 મેં નક્કી કર્યું કે ભાઈઓને તમારી પાસે મોકલવાના બધા જ પ્રયત્નો કરવા જરૂરી હતા, જેથી જે નાણાં તમે આપવાનું વચન આપ્યું છે તે સંબંધી તેઓ બધું વ્યવસ્થિત કરે. આ રીતે, આ નાણાં એવી બાબત હોય કે જે તમે અમને કર પેટે આપતા નથી પરંતુ મુક્ત રીતે આપો છો.
\p
\s5
\v 6 મુદ્દો એ છે કે, કોઈ વ્યક્તિ થોડાં બીજ વાવે છે તેની પાસે લણવા માટે ફસલ પણ થોડી જ હશે, પરંતુ કોઈ વ્યક્તિ વધારે પ્રમાણમાં બીજ વાવે છે તે પુષ્કળ ફસલ એકઠી કરશે.
\v 7 પ્રથમ તમારા હૃદયમાં નક્કી કરો કે કેટલાં નાણાં આપવાં, જેથી જ્યારે તમે આપો ત્યારે તમને તે પ્રમાણે કરવાનો ખેદ ન થાય. કોઈક તમને આપવા માટે દબાણ કરે છે એવું તમારે અનુભવવું ન જોઈએ, કારણ કે જે વ્યક્તિ ખુશીથી આપે છે તેને ઈશ્વર પ્રેમ કરે છે.
\s5
\v 8 ઈશ્વર તમને દરેક પ્રકારની ભેટો વધારે ને વધારે આપી શકે છે, જેથી તમને જેની જરૂર હશે તે બધું જ તમારી પાસે હોય અને સારું કરવા માટે પણ તમારી પાસે પૂરતું હોય.
\v 9 જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ:
\q "તેઓ દરેક જગ્યાએ લોકોને સારી બાબતો આપે છે,
\q અને નિર્ધનોને જે જરૂરી હશે તે આપે છે.
\q તેઓ આ બાબતો હંમેશાં કરે છે.
\p
\s5
\v 10 જે વાવે છે તેને ઈશ્વર બીજ પૂરાં પાડે છે, અને ખોરાકને માટે તેઓ બધાને રોટલી આપે છે. તેઓ તમને બીજ પણ પૂરાં પાડશે અને જે તમે બીજાઓને આપી શકો તે બધાની વૃદ્ધિ કરશે.
\v 11 ઈશ્વર તમને ઘણી રીતે ધનવાન કરશે, જેથી તમે ઉદાર બની શકો. તેના પરિણામે, અમે પ્રેરિતોએ જે કાર્ય કર્યું છે તેના દ્વારા બીજા ઘણાઓ જે બાબતો પ્રાપ્ત કરે છે તેને માટે તેઓ ઈશ્વરનો આભાર માનશે.
\p
\s5
\v 12 અમે માત્ર આપણા ખ્રિસ્તી ભાઈઓ અને બહેનો જેઓ જરૂરિયાતમંદ છે તેઓને મદદ કરવા માટે જ આ નાણાં પ્રાપ્ત કર્યા છે એવું નથી; અમે આ એટલા માટે પણ કર્યું છે કે જેથી ઘણા વિશ્વાસીઓ ઈશ્વરનો આભાર માને.
\v 13 તમે આ કાર્યની શરૂઆત કરી છે તેથી, તમે દર્શાવ્યું છે કે તમે કેવા પ્રકારના લોકો છો. તમે ઈશ્વરને આધીન થવા દ્વારા તેમને માન આપો છો અને શુભ સંદેશમાં તેમણે ખ્રિસ્ત સંબંધી જે કહ્યું છે તેના પર વિશ્વાસ રાખો છો. તમે ઉદારતાથી આપવા દ્વારા પણ તેમને માન આપો છો.
\v 14 જેઓને માટે તમે આપશો તેઓ તમને જોવાની આતુરતાથી ઇચ્છા રાખશે; જે અદભુત રીતે ઈશ્વર તમારા પ્રત્યે દયાળુ રહ્યા છે તે કારણથી તેઓ તમારા માટે પ્રાર્થના કરશે.
\v 15 ઈશ્વર પાસેથી મળેલી આ ભેટને માટે અમે તેમનો આભાર માનીએ છીએ, તેમની ભેટ એટલી મહાન છે કે તેને અમે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી.
\s5
\c 10
\p
\v 1 હવે હું પાઊલ, તમને વિનંતી કરું છું અને જ્યારે હું વિનંતી કરું છું ત્યારે હું નમ્ર અને સાલસ છું, કારણ કે ખ્રિસ્તે મને એવો બનાવ્યો છે: જ્યારે હું તમારી સમક્ષ હતો ત્યારે શરમાળ હતો, પણ જ્યારે તમારાથી દૂર છું અને તમને પત્ર લખું છું ત્યારે હિંમતવાન છું,
\v 2 હું તમને વિનંતી કરું છું કે, જ્યારે હું તમારી પાસે આવું ત્યારે મારે કઠોર થવું ન પડે. તો પણ, મને બીક છે કે જે લોકો એવું ધારે છે કે અમે માનવી ધોરણો પ્રમાણે વર્તીએ છીએ તેમની વિરુદ્ધ બોલવા મારે એવા થવું પડશે.
\s5
\v 3 કેમ કે અમે માનવીય શરીરોમાં જીવીએ છીએ તોપણ અમે સૈન્યો લડે છે તેમ લડીએ છીએ.
\v 4 અને અમે હથિયારો વડે લડીએ છીએ, પણ તે હથિયારો માણસો દ્વારા સર્જાયેલાં નથી, પણ ઈશ્વરે સર્જેલાં છે. આ હથિયારો શક્તિશાળી છે, એટલાં શક્તિશાળી કે તેઓ જુઠ્ઠી દલીલોને તોડી પાડી શકે છે.
\s5
\v 5 આ રીતે અમે દરેક જૂઠ્ઠી દલીલોને અને જેઓ સર્વ ઈશ્વરની વિરુદ્ધ ઊઠે છે તેઓને તોડી પાડી શકીએ છીએ. આ એ લોકો છે કે જેઓ અન્ય લોકોને ઈશ્વરને ઓળખવાથી દૂર રાખવા પ્રયાસ કરે છે. અમે લોકોના દરેક વિચારોને વશ કરીને તેમને અમારા નિયંત્રણમાં લાવીએ છીએ. જેઓ ઈશ્વરને આધીન થતા નથી તેઓમાં ઈશ્વર કાર્ય કરશે, અને તેઓ તેમની તરફ ફરશે, અને એક દિવસ તેઓ ખ્રિસ્તને આધીન થશે.
\v 6 જ્યારે તમે સંપૂર્ણપણે ખ્રિસ્તને આધીન થશો ત્યારે જેઓ તેમને આધીન થતા નથી તેમને શિક્ષા કરવા અમે તૈયાર હોઈશું.
\p
\s5
\v 7 તમારે સ્પષ્ટ હકીકતો તરફ જોવું જોઈએ. જો કોઈને એવો વિશ્વાસ છે કે તે ખ્રિસ્તનો છે, તો અમે પણ ખ્રિસ્તના છીએ!
\v 8 જ્યારે મારા પ્રેરિતપદના અધિકારનું મેં અભિમાન કર્યું, ત્યારે તે તમને વધુ પડતું લાગ્યું હશે. પણ ઈશ્વરે તે અધિકાર તમને નુકસાન કરવા માટે નહિ, પણ તમને મદદ કરવા અને તમને મજબૂત બનાવવા માટે આપ્યો. તેથી ઈશ્વરે મને આપેલા અધિકાર વિષે હું શરમાતો નથી.
\s5
\v 9 જો કે જ્યારે તમે મારા પત્રો વાંચો ત્યારે તમને કઠણ લાગે, પણ તેથી તમે ગભરાશો નહિ એવું હું ઇચ્છું છું. તેથી જ મેં તમને લખ્યું.
\v 10 કેટલાક લોકો જેઓ મને જાણે છે અને મારા પત્રો વાંચે છે તેઓ કહે છે, "પાઉલના પત્રોને આપણે ગંભીરતાથી લેવા જોઈએ કારણ કે તેઓ બહુ જોરદાર બાબતો કહે છે, પણ જ્યારે તે આપણી સાથે હોય છે ત્યારે તે શારીરિક રીતે નબળો હોય છે અને તેની વાતો સાંભળવા લાયક હોતી નથી."
\s5
\v 11 જેઓ મારી ટીકા કરે છે તેઓ સમજી લે કે જે અમે અમારા પત્રોમાં લખીએ છીએ એ જ બાબતો જ્યારે અમે તમારી સાથે હોઈએ છીએ ત્યારે અમે કરીએ છીએ.
\p
\v 12 જેઓ પોતાનાં વખાણ કરે છે તેઓની સાથે અમે અમારી જાતને સરખાવવા પણ માગતા નથી. જ્યારે તેઓ પોતાને એક બીજાની સાથે સરખાવે છે, ત્યારે એવું સાબિત કરે છે કે તેઓ મૂર્ખ છે.
\s5
\v 13 ઈશ્વરે અમને જે કરવા જણાવ્યું છે તે સંબંધી જ અમે અભિમાન કરીશું. અને જે રીતે તેમણે અમને કાર્ય કરવાનું કહ્યું છે તે જ રીતે અમે કરીશું; એ કાર્યમાં તમારો પણ સમાવેશ થાય છે.
\v 14 જ્યારે અમે તમારી પાસે આવ્યા ત્યારે ઈશ્વરે અમને કામ સોંપ્યું હતું તેનાથી આગળ અમે ગયા ન હતા. તેમણે અમને તમારો પ્રદેશ સોંપ્યો હતો, અને ખ્રિસ્ત વિશેનો શુભ સંદેશ તમને પ્રગટ કરનારા અમે પ્રથમ હતા.
\p
\s5
\v 15 ઈશ્વરે બીજાઓને સોપેલું કાર્ય જાણે અમે કર્યું હોય તેમ અમે અભિમાન કરતા નથી. તેથી ઊલટું, અમે આશા રાખીએ છીએ કે તમે પ્રભુ પર વધતો અને વધતો વિશ્વાસ કરો, અને એ જ પ્રમાણે, ઈશ્વર અમને વધારે મોટો પ્રદેશ કામ કરવા માટે આપશે.
\v 16 અમે એવી પણ આશા રાખીએ છીએ કે તમે જ્યાં રહો છો તે સિવાયના પ્રદેશોના લોકોમાં પણ અમે શુભ સંદેશ પ્રગટ કરીએ. પ્રભુના અન્ય સેવકો તેમના પોતાના કાર્ય-પ્રદેશોમાં જ્યાં તેઓ તેમની સેવા કરી રહ્યા છે તેમના કાર્યનો યશ અમે લઈશું નહિ.
\s5
\v 17 શાસ્ત્રવચન કહે છે કે,
\q "જે કોઈ ગર્વ કરે તે પ્રભુમાં ગર્વ કરે."
\p
\v 18 જ્યારે કોઈ વ્યક્તિ તેણે જે કર્યું છે તે માટે આત્મષ્લાઘા કરે છે, ત્યારે તે કરવા બદલ ઈશ્વર તેને બદલો આપનાર નથી, પણ તેને બદલે, જેઓને તેઓ મંજૂર રાખે છે તેઓને તે બદલો આપશે.
\s5
\c 11
\p
\v 1 કોઈ વ્યક્તિ પોતાની પ્રશંસા કરે તે મૂર્ખતાભર્યું છે, પરંતુ હું તે પ્રમાણે કરું છું. મને થોડો સમય તેમ કરવાનું જારી રાખવા દો.
\v 2 કેમ કે હું કાળજીપૂર્વક તમારી સંભાળ રાખવા માગું છું. ઈશ્વર જેવી રીતે તમારી સંભાળ રાખે છે તેવી રીતે હું તમારી સંભાળ રાખવા ઇચ્છું છું. હું એવા પિતાના જેવો છું જેણે તમને એક જ પતિની સાથે લગ્ન કરાવવાનું વચન આપ્યું છે જે તમને પવિત્ર કુમારિકા તરીકે, ખ્રિસ્તને સોંપવાની ઇચ્છા રાખે છે.
\s5
\v 3 પણ જ્યારે હું તમારા સંબંધી વિચારું છું ત્યારે, મને ડર લાગે છે કે જેમ શેતાને હવાને ભરમાવી તેમ, કોઈકે તમને ભરમાવ્યા છે. મને દહેશત લાગે છે કે કોઈકે તમને સમજાવ્યા છે કે તમે ખિસ્તને ખરા હૃદયથી પ્રેમ કરવાનું બંધ કરો.
\v 4 હું આ જણાવું છું કેમ કે અમે ઈસુ સંબંધીની જે બાબતો તમને જણાવી છે તેના કરતાં અલગ બાબતો કોઈ તમને જણાવે, અથવા જો તે એવું ઇચ્છે કે તમે ઈશ્વરના આત્મા સિવાયના અન્ય આત્માનો, કે કોઈ બીજા પ્રકારના શુભ સંદેશનો સ્વીકાર કરો તો તેમાં તમને કોઈ વાંધો હોય તેવું લાગતું નથી.
\s5
\v 5 લોકો તેવા શિક્ષકોને "ઉત્તમ-પ્રેરિતો," કહે છે, પરંતુ હું નથી માનતો કે તેઓ મારા કરતાં મહાન છે.
\v 6 તે કદાચ સાચું હોઈ શકે કે અદ્દભુત પ્રવચનો કેવી રીતે આપવા તે હું કદાપિ શીખ્યો નથી, પણ જ્યારે મેં તમારી સાથે વાત કરી ત્યારે તમે જે પ્રમાણે શીખ્યા છો તેમ, હું ચોક્કસ ઈશ્વર વિશેની કેટલીક બાબતો જાણું છું.
\p
\s5
\v 7 એક નમ્ર વ્યક્તિ તરીકે મેં તમારી એવી સેવા કરી કે મારે બદલે બીજાઓએ તમારી પ્રશંસા કરી તો તેમ કરવામાં શું હું ખોટો હતો? કોઈપણ નાણાં લીધા સિવાય મેં તમને શુભ સંદેશ પ્રગટ કર્યો તેમાં શું હું ખોટો હતો?
\v 8 હા, મેં અન્ય મંડળીઓના વિશ્વાસીઓ પાસેથી નાણાં મેળવ્યાં જેથી હું તમારી સેવા કરી શકું. કદાચ તમે એવું કહેશો કે હું તેઓને લૂંટી રહ્યો હતો. પરંતુ મેં તમારી પાસેથી કંઈ માગ્યું નથી.
\v 9 એવો સમય હતો કે જ્યારે હું તમારી સાથે હતો અને મને ઘણી બાબતોની જરૂર હતી, પરંતુ મેં તમારી પાસેથી કોઈ જ નાણાં માગ્યાં ન હતાં. તેને બદલે, જે ભાઈઓ મકદોનિયાથી આવ્યા હતા તેઓએ મારી જરૂરિયાત પૂરી કરી હતી. મારા લીધે તમને કોઈ તકલીફ વેઠવી ન પડે તે માટે મેં બધું જ કર્યું, અને તેમ કરવાનું હું જારી રાખવાનો છું.
\s5
\v 10 હું ખ્રિસ્ત વિશેનું સંપૂર્ણ સત્ય અને મેં તેમના માટે કેવી રીતે કામ કર્યું છે તે તમને જણાવું છું. તેથી હું અખાયાના આખા પ્રાંતના દરેક લોકોને આ જણાવવાનું જારી રાખીશ.
\v 11 તમે ખરેખર એવું વિચારતા નથી કે હું તમને પ્રેમ કરતો નથી તેને લીધે તમારાં નાણાંની ના પાડું છું, શું તમે એવું વિચારો છો? તેથી વિશેષ! ઈશ્વર જાણે છે કે હું તમને પ્રેમ કરું છું.
\p
\s5
\v 12 હું આ જ પ્રમાણે તમારી સેવા કરતો રહીશ, જેથી જેઓ એવું કહે છે કે તેઓ અમારા જેવા જ છે તેઓને હું અટકાવું. તેઓ જે રીતે બડાશ મારે છે છે તેના સંબંધી તેઓની પાસે કોઈ બહાનું રહેશે નહીં.
\v 13 આવા લોકો જૂઠ્ઠા પ્રેરિતો છે, જેઓ એવો દાવો કરે છે કે ઈશ્વરે તેઓને મોકલ્યા છે. તેઓ એવા કાર્યકરો છે જેઓ હંમેશાં જૂઠ્ઠું બોલે છે, અને તેઓ ખ્રિસ્તના પ્રેરિતો હોવાનો ડોળ કરે છે.
\s5
\v 14 તેઓથી આપણને આશ્ચર્ય થવું ન જોઈએ. શેતાન પણ ઈશ્વરની હજૂરમાંના પ્રકાશિત સ્વર્ગદૂત હોવાનો ઢોંગ કરે છે.
\v 15 તેના સેવકો પણ ઈશ્વરની સેવા કરતા હોવાનો દેખાવ કરે છે; તેઓ સારા હોવાનો દંભ કરે છે. તેઓ જેને યોગ્ય છે તે પ્રમાણે ઈશ્વર તેઓને શિક્ષા કરશે.
\p
\s5
\v 16 હું મૂર્ખ છું એમ કોઈએ વિચારવું જોઈએ નહીં. પણ જો તમે ખરેખર મને મૂર્ખ સમજતા હોય તો, પછી હું આગળ વધીને મારી પોતાની થોડી વધારે પ્રશંસા કરવાનું જારી રાખીશ.
\v 17 જ્યારે હું આ પ્રમાણે બોલું છું ત્યારે, ઈશ્વર આ રીતે મારા વિષે વાત કરતા નથી; આ તો હું છું જે મૂર્ખની પેઠે બોલું છું.
\v 18 ઘણા લોકો આ જીવનમાં તેઓ જેવા છે તેના સંબંધી ગર્વ કરે છે. વારુ, હું પણ તેઓના જેવો બની શકું છું.
\s5
\v 19 તમે પોતે એટલા ડાહ્યા છો માટે તમે ચોક્કસ મારી મૂર્ખતાને સહર્ષ સ્વીકારી લેશો!
\v 20 હું આ કહું છું કારણ કે તમને તો જે આગેવાનોએ ગુલામો જેવા ગણ્યા તેઓને પણ તમે સહન કર્યા; જેઓએ તમારી મધ્યે વિભાજન કર્યું તેઓને પણ તમે અનુસર્યા; તમે તમારા આગેવાનોને તમારો ફાયદો ઉઠાવવા દીધો; તમારા આગેવાનો બીજાઓ કરતાં પોતાને ઉત્તમ ગણે તેવી તમે તેમને રજા આપી; અને તેઓ તમને લપડાક મારે તેવી તમે તેમને રજા આપી, પરંતુ તમે આ વિષે કંઈ જ કરતા નથી. અને શું તમે પોતાને ખરેખર ડાહ્યા કહો છો?
\v 21 મારે શરમાવું જોઈએ, કારણ કે જ્યારે અમે તમારી સાથે હતા ત્યારે, અમે તમારી સાથે આ રીતે વર્તવાને માટે ઘણા ડરપોક હતા.
\s5
\v 22 શું તે લોકો હિબ્રૂ છે? તો હું પણ છું. શું તેઓ ઇઝરાયલીઓ છે? તો હું પણ છું. શું તેઓ ઇબ્રાહિમના વંશજો છે? તો હું પણ છું.
\v 23 શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? હું મૂર્ખની માફક બોલું છું! મેં તેઓમાંના કોઈના પણ કરતાં વધારે કામ કર્યું છે; મેં તેઓના કરતાં વધારે વાર કેદ ભોગવી છે; મેં તેઓના કરતાં વધારે માર ખાધો છે, અને મેં તેઓના કરતાં વધારે વાર મરણનો સામનો કર્યો છે.
\s5
\v 24 યહૂદીઓએ પાંચ વાર મને ઓગણ ચાળીસ ફટકા માર્યા, દરેક વખતે હું લગભગ મરી જાઉં ત્યાં સુધી માર માર્યો.
\v 25 મને પકડનારાઓ દ્વારા મને ત્રણવાર ડંડા વડે માર મારવામાં આવ્યો. એકવાર તેઓએ મને મારી નાખવાને માટે મારા પર પથ્થરો ફેંક્યા. એવા ત્રણ અલગ અલગ વહાણો જેમાં હું હતો તેઓ તોફાનમાં નાશ પામ્યાં અને મેં રાતદિવસ ખુલ્લા સમુદ્રમાં બચાવની આશામાં ગાળ્યા.
\v 26 મેં ઘણી મુસાફરીઓ કરી છે અને નદીઓનાં જોખમ અનુભવ્યાં છે, મેં લૂંટારાઓનાં જોખમ, મારા પોતાના યહૂદી લોકો તરફનાં જોખમ, બિનયહૂદીઓ તરફનાં જોખમ, શહેરોમાં જોખમ, અરણ્યમાં જોખમ, સમુદ્રમાં જોખમ અને જુઠ્ઠા ભાઈઓ જેઓએ અમને દગો દીધો તેઓના તરફનાં જોખમો અનુભવ્યાં છે.
\s5
\v 27 મેં ઘણો શ્રમ કર્યો છે અને નુકસાન વેઠ્યાં છે, ઘણીવાર ઉજાગરા વેઠ્યાં છે; હું ભૂખ્યો અને તરસ્યો રહ્યો છું. મેં ઠંડી અને વસ્ત્રોની અછત વેઠી છે.
\v 28 તે બધા ઉપરાંત, મંડળીઓ કેટલી સારી રીતે વધી રહી છે તેની કાળજી હું દરરોજ કરું છું.
\v 29 એવો કોઈ સાથી વિશ્વાસી નથી કે જે નબળો હોય અને જેની સાથે હું નબળો થયો ન હોઉં. એવો કોઈ સાથી વિશ્વાસી નથી કે જેણે બીજી વ્યક્તિને પાપ કરવા તરફ દોરી હોય, અને હું તે સંબંધી ઘણો ગુસ્સે થયો ના હોઉં.
\p
\s5
\v 30 જો મારે અભિમાન કરવું પડશે તો, એવી બાબતો કે જે એવું દર્શાવે છે કે હું કેટલો નિર્બળ છું માત્ર તેવી બાબતો વિષે હું અભિમાન કરીશ.
\v 31 ઈશ્વર અને ઈસુ ખ્રિસ્તના પિતાની-દરેક વ્યક્તિ અને દરેક બાબત તેમની સ્તુતિ કરો! તેઓ જાણે છે કે હું જૂઠ્ઠું કહેતો નથી!
\p
\s5
\v 32 દમસ્કસ શહેરમાં, અરિતાસ રાજાના રાજ્યપાલે મને પકડવા માટે, શહેરની આસપાસ ચોકીદારો મૂક્યા હતા.
\v 33 પરંતુ મારા મિત્રોએ મને ટોપલીમાં મૂકીને બારીમાં થઈને કોટ પરથી શહેરની બહાર ઉતારી દીધો, અને હું તેઓની પાસેથી નાસી છૂટ્યો.
\s5
\c 12
\p
\v 1 જો કે તેનો કોઈ ફાયદો નથી, તો પણ મારે મારો પોતાનો બચાવ કરવાનું ચાલુ રાખવું જોઈએ, તેથી ઈશ્વરે મને આપેલાં કેટલાંક દર્શનો વિષે અભિમાન કરવાનું હું ચાલુ રાખીશ.
\v 2 ચૌદ વર્ષ પહેલાં, ઈશ્વરે મને ખ્રિસ્ત સાથે જોડાયેલાને, સર્વોચ્ચ સ્વર્ગમાં ઉંચકી લીધો, જો કે કેવળ ઈશ્વર જ જાણે છે કે તેમણે ફક્ત આત્મામાં જ મને ઊંચકી લીધો હતો કે પછી શરીર સાથે ઊંચકી લીધો હતો.
\s5
\v 3 અને મને, હું શરીરમાં હતો કે ફક્ત આત્મામાં તે એકલા ઈશ્વર જ જાણે છે,
\v 4 સ્વર્ગમાં જેને પારાદૈસ કહેવામાં આવે છે તે સ્થળે મને ઊંચકી લેવામાં આવ્યો. ત્યાં જે વાતો મેં સાંભળી તે એટલી પવિત્ર હતી કે તે વિષે તમને કહેવા હું સમર્થ નથી.
\v 5 હું તેના વિષે ગર્વ કરી શકું છું, પણ જે બધું થયું તે તો ઈશ્વરે કર્યું, મેં નહીં. મારા માટે તો, ઈશ્વર મારા જેવા નિર્બળ માણસમાં જે કરે છે કેવળ તે વિષે જ હું અભિમાન કરી શકું છું.
\s5
\v 6 જો કે હું મારી જાત વિષે અભિમાન કરવાનું ચાલુ રાખું તો પણ હું મૂર્ખ નહિ ગણાઉં, કારણ કે જે સત્ય હતું તે જ હું બોલ્યો હોઈશ. તો પણ, હું વધારે અભિમાન નહીં કરું, કે જેથી તમે મને જે કહેતાં સાંભળો તે પ્રમાણે જ અથવા તમે મારા વિષે જે જાણો છો તે જ પ્રમાણે મારો ન્યાય કરી શકો.
\v 7 તેથી, ઈશ્વરે મને જે અદ્દભુત દર્શનો આપ્યાં છે તે વિષય હું પડતો મૂકીશ; તેના ઉપરાંત મારે તમને જણાવવું જોઈએ કે ઈશ્વરે ઘણી અસહ્ય એવી બાબત શેતાન તરફથી મને પીડા આપવા મારામાં મૂકી. જે દર્શનો મેં જોયાં તેને લીધે હું અભિમાન ન કરું તે માટે ઈશ્વરે આ પ્રમાણે કર્યું.
\s5
\v 8 આ બાબત સંબંધી મેં ઈશ્વરને ત્રણ વાર પ્રાર્થના કરી, અને દરેક વખતે તે બાબત મારાથી દૂર કરવા મેં વિનંતી કરી.
\v 9 પરંતુ તેમણે મને કહ્યું, "ના, હું તેને તારી પાસેથી લઈ લઈશ નહીં. તારે જે બધી જરૂર છે તે એ છે કે હું તને પ્રેમ કરું અને તારી સાથે રહું, કારણ કે જ્યારે તું નિર્બળ હોય છે ત્યારે હું તારામાં મારું સૌથી પરાક્રમી કાર્ય કરું છું." તે માટે હું મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ, જેથી ખ્રિસ્તનું સામર્થ્ય આવીને મને મજબૂત કરી શકે.
\v 10 ખ્રિસ્ત મારી સાથે છે તે કારણે હું કંઈપણ સહન કરી શકું છું. તે પીડા કદાચ એટલા માટે હોય કે મારે નબળા હોવું જોઈએ, કે જેથી બીજાઓ મારી ઉપેક્ષા કરી શકે, કે મારાં જીવનમાં કપરાં સંકટો હોવા જોઈએ, કે જેથી બીજાઓ મને મારી નાખવાનો પ્રયત્ન કરે. તે કદાચ એટલા માટે હોય કે મારે વિવિધ પ્રકારનાં સંકટોનો સામનો કરવાનું ચાલુ રાખવું પડે. કોઈ પણ બાબતમાં, જ્યારે હું નિર્બળ થઈ જાઉં છું ત્યારે, પછી હું મારામાં સૌથી બળવાન છું.
\p
\s5
\v 11 જ્યારે હું આ પ્રમાણે લખું છું ત્યારે, હું મારી પોતાની પ્રશંસા કરું છું. પરંતુ મારે તે પ્રમાણે કરવું પડે છે, કારણ કે તમને મારામાં વિશ્વાસ હોવો જોઈતો હતો. હું આ "ઉત્તમ પ્રેરિતો" જેટલો જ સારો છું તોપણ ખરેખર તો હું કંઈ જ નથી.
\v 12 મેં તમને મારા અધિકૃત પ્રેરિત હોવાના સાચાં ચિહ્નો દર્શાવ્યાં એટલે કે જે ચમત્કારો મેં ઘણી ધીરજથી તમારી મધ્યે કર્યા, એવા અદ્દભુત ચમત્કારો કે જેમણે સાબિત કર્યું કે હું ખરી રીતે ઈસુ ખ્રિસ્તની સેવા કરું છું.
\v 13 બીજી મંડળીઓની જેમ તમે પણ ખરેખર એટલા જ મહત્વના હતા! માત્ર એક જ રીતે તમે અલગ હતા તે એ કે જેમ મેં તેઓની પાસેથી નાણાં પ્રાપ્ત કર્યા તેમ મેં તમારી પાસેથી પ્રાપ્ત કર્યાં ન હતાં. મેં તમારી પાસેથી તે માગ્યાં નહીં તેના સંબંધી મને માફ કરો!
\p
\s5
\v 14 તેથી આ સાંભળો! હું ત્રીજી વાર તમારી મુલાકાત લેવાને માટે તૈયાર છું, અને બીજી મુલાકાતોની જેમ આ સમયે પણ, હું તમારી પાસેથી કંઈ નાણાં માગવાનો નથી. તમારી પાસે જે કંઈ છે તેમાંનું કંઈપણ મારે જોઈતું નથી. મને જે જોઈએ છે તે તો તમે પોતે છો! જે સિધ્ધાંત આપણે બધા આપણા કુટુંબોમાં અનુસરીએ છીએ તે તમે જાણો છો કે: માતા-પિતાના ખર્ચને બાળકોએ ચૂકવવો જોઈએ નહીં, પણ માતા-પિતાએ પોતાનાં બાળકોના ખર્ચને ચૂકવવા માટે નાણાંનો સંગ્રહ કરવો જોઈએ.
\v 15 હું તમારા માટે જે કંઈ કરી શકું તે બધું જ કરવામાં, મારે મારો જીવ આપી દેવો પડે તોપણ મને ખુશી થશે. જો તેનો અર્થ એવો થાય કે હું ક્યારેય કરું તેના કરતાં વધારે પ્રેમ તમારા પર રાખું છું તો, ખરેખર તમારે પણ મારા પર ક્યારેય ન કર્યો હોય તેવો પ્રેમ કરવો જોઈએ.
\p
\s5
\v 16 અને તેથી, કોઈક એવું કહી શકે કે જો કે મેં તમારી પાસે નાણાં માગ્યાં નહીં, તો પણ, મારે જેની જરૂર હતી તે માટે મેં મારી જાતે નાણાં ચૂકવીને હું તમારી સાથે ચાલાકીથી વર્ત્યો છું.
\v 17 સારું, મેં બીજા કોઈકને તમારી પાસે મોકલીને તમને કદી છેતર્યા નથી, શું મેં તેમ કર્યું છે?
\v 18 ઉદાહરણ તરીકે, મેં તિતસને અને બીજા ભાઈને તમારી પાસે મોકલ્યા, પરંતુ તેઓએ તમારી પાસેથી કંઈ સહાય માગી નહોતી, શું માગી હતી? તિતસે તમારી પાસે પોતાનો ખર્ચો કદાપિ માગ્યો નહોતો, શું માંગ્યો હતો? તિતસ અને બીજા ભાઈએ તમારી સાથે મારા જેવું જ વર્તન કર્યું, શું તે પ્રમાણે નથી? અમે આ જ પ્રમાણે અમારાં જીવનો જીવ્યા; તમારે અમારા માટે કંઈ જ ચૂકવવું પડ્યું નથી.
\p
\s5
\v 19 આ બધાથી તમે ખરેખર એમ ધારતા નહિ હો કે હું આ પત્રમાં મારો સ્વબચાવ કરું છું, શું તમે એવું ધારો છો? ઈશ્વર જાણે છે કે હું ખ્રિસ્તની સાથે સંકળાયેલો છું, અને મેં તમને જે બધું લખ્યું છે તે તમને તેમના પરના વિશ્વાસમાં દ્રઢ કરવા માટે છે.
\s5
\v 20 પરંતુ જ્યારે હું તમારી પાસે આવું ત્યારે, મેં ચાહ્યું છે તેવા તમને ન પણ જોઉં. જ્યારે હું આવું ત્યારે તમે મારું સાંભળવા ન પણ માગતા હો. મને ડર છે કે તમે અંદરોઅંદર ઘણી દલીલ કરો છો, કે તમારામાંના કેટલાક એકબીજા પ્રત્યે અદેખાઈ રાખો છો, અને તમારામાંના કેટલાક એકબીજા પ્રત્યે ઘણા ગુસ્સે થાઓ છો. મને ડર છે કે તમારામાંના કેટલાક પોતાને પ્રથમ ગણાવે છે, એકબીજા વિષે વાતો કરે છે અને તમારામાંના કેટલાક બહુ સ્વાર્થી છે.
\v 21 મને ડર છે કે જ્યારે હું તમારી પાસે આવીને તમને જોઉં ત્યારે, ઈશ્વર મને નમ્ર કરે. મને ડર છે કે ઘણા લોકો કે જેઓએ અગાઉ ઈશ્વરનો અનાદર કર્યો અને વિવિધ જાતીય માર્ગોમાં પાપ કરવાનું બંધ કર્યું નથી તેઓના માટે મારે શોક કરવો પડે.
\s5
\c 13
\p
\v 1 હું આ બાબતોને સ્પષ્ટ કરવા માટે તમારી પાસે આ ત્રીજી વાર આવું છું. આ પ્રશ્નોને હલ કરવાનો સિધ્ધાંત શાસ્ત્રમાં જણાવ્યો છે: "બીજાની વિરુદ્ધનું કોઈપણ દોષારોપણ બે કે ત્રણ વ્યક્તિઓની સાક્ષી પર આધારિત હોવું જોઈએ," માત્ર એકની જ સાક્ષી પર આધારિત નહીં.
\v 2 મારી બીજી મુલાકાત વખતે જ્યારે હું ત્યાં હતો ત્યારે જેઓએ પાપ કર્યું હતું અને જેઓના પર મંડળીની સમક્ષ તહોમત મૂકવામાં આવ્યું હતું તેઓને, અને આખી મંડળીને મેં કહ્યું હતું, અને હું ફરીથી કહીશ: હું આ તહોમતને અવગણીશ નહીં.
\s5
\v 3 હું તમને આ જણાવું છું કારણ કે ખિસ્ત મારા દ્વારા બોલી રહ્યા છે તેની તમને સાબિતી જોઈએ છે. તમારી સાથે વ્યવહાર કરવામાં તેઓ નિર્બળ નથી; તેને બદલે, તેઓ તેમના મહાન સામર્થ્ય વડે તમારામાં કાર્ય કરી રહ્યા છે.
\v 4 ખ્રિસ્તના નમૂના દ્વારા આપણે શીખીએ છીએ, કારણ કે જ્યારે તેઓ નબળા હતા ત્યારે તેઓએ તેમને વધસ્તંભે જડ્યા, છતાં ઈશ્વરે તેમને સજીવન કર્યા. અને આપણે પણ, જ્યારે જીવીએ છીએ અને તેમના નમૂનાને અનુસરીએ છીએ ત્યારે નિર્બળ છીએ, પણ તમારામાંના કેટલાક જેઓએ આ પાપ કર્યાં છે તેના વિષે જ્યારે અમે તમારી સાથે વાત કરીએ છીએ ત્યારે, ખ્રિસ્તની સાથે, ઈશ્વર અમને પણ સામર્થ્યવાન કરશે.
\p
\s5
\v 5 તમારે તો પોતાને તપાસી જોવા જોઈએ અને તમે કેવી રીતે જીવો છો તે જોવું જોઈએ. ઈશ્વર તમને કેવી રીતે પ્રેમ કરે છે અને તમારા પર દયા રાખે છે તેની સાબિતી તો તમારે શોધી કાઢવી જોઈએ. તમારે તો પોતાની કસોટી કરવી જોઈએ અને ચકાસવું જોઈએ કે ઈસુ ખ્રિસ્ત તમારામાં જીવે છે કે નહીં? તમે આ કસોટીમાં નિષ્ફળ ન થાઓ તો સીધી વાત છે કે તમારા દરેકમાં ખ્રિસ્ત જીવે છે.
\v 6 અને મને આશા છે કે તમને જોવા મળશે કે અમે આ કસોટીમાં સફળ થઈએ છીએ અને ખ્રિસ્ત અમારામાં જીવે છે.
\s5
\v 7 હવે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તમે કંઈ ખરાબ કામ ન કરો. અમે આના સંબંધી પ્રાર્થના કરીએ છીએ, એ માટે નહીં કે કસોટીમાંથી પાર ઊતરવા દ્વારા અમે તમારા કરતાં સારા દેખાઈએ. પણ તેને બદલે, અમે ઇચ્છા રાખીએ છીએ કે તમે યોગ્ય બાબતો જાણો અને કરો. કદાચ અમે નિષ્ફળ જતા હોઈએ એવું લાગે તોપણ, અમે ઇચ્છા રાખીએ છીએ કે તમે સફળ થાઓ.
\v 8 અમે જે કરીએ છીએ તેનું નિયંત્રણ સત્ય કરે છે; અમે સત્યની વિરુદ્ધ કંઈ કરી શકતા નથી.
\s5
\v 9 જ્યારે અમે નિર્બળ છીએ અને તમે બળવાન છો ત્યારે અમે આનંદ પામીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે હંમેશાં ઈશ્વર પર વિશ્વાસ રાખો અને તેમને સંપૂર્ણપણે આધીન થાઓ.
\v 10 જ્યારે હું તમને આ લખું છું ત્યારે હું તમારાથી દૂર છું. જ્યારે હું તમારી પાસે આવીશ ત્યારે, મારે તમારી સાથે સખતાઈથી વર્તવું ન પડે. કેમ કે પ્રભુએ મને પ્રેરિત બનાવ્યો છે, તેથી હું તમને નિર્બળ કરવાનું નહીં પણ ઉત્તેજન આપવાનું પસંદ કરું છું.
\p
\s5
\v 11 ભાઈઓ અને બહેનો, છેલ્લી બાબત આ છે: આનંદ કરો! તમે જે રીતે વર્તતા હતા તેથી વિશેષ સારી રીતે કાર્ય કરો અને વર્તન કરો, અને પ્રભુ તમને હિંમત આપશે. એકબીજા સાથે સંમત થાઓ અને સાથે મળીને શાંતિમાં રહો. જો તમે આ બાબતો કરશો તો, ઈશ્વર કે જેઓ તમને પ્રેમ કરે છે અને શાંતિ આપે છે, તેઓ તમારી સાથે રહેશે.
\v 12 એકબીજાનો એવી રીતે આવકાર કરો કે જેથી બધા લોકો કહે કે તમે એકબીજાને કેટલો પ્રેમ કરો છો.
\s5
\v 13 અહીં અમે બધા કે જેઓને ઈશ્વરે પોતાના માટે અલગ કર્યા છે તેઓ, તમને સલામ પાઠવીએ છીએ.
\v 14 પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પ્રત્યે દયાળુપણે વર્તે, ઈશ્વર તમને પ્રેમ કરે અને, પવિત્ર આત્મા તમારા બધાની સાથે રહે.

267
49-GAL.usfm Normal file
View File

@ -0,0 +1,267 @@
\id GAL - UDB Guj
\ide UTF-8
\h ગલાતીઓને પત્ર
\toc1 ગલાતીઓને પત્ર
\toc2 ગલાતીઓને પત્ર
\toc3 gal
\mt1 ગલાતીઓને પત્ર
\s5
\c 1
\p
\v 1-2 હું, પાઉલ, ગલાતિયા પ્રાંતમાંના મારા વહાલા ભાઈઓ તથા બહેનોને આ પત્ર લખી રહ્યો છું. હું, પાઉલ પ્રેરિત છું. લોકોના કોઈ જૂથે મને પ્રેરિત બનાવ્યો નથી, અને ઈશ્વરે કોઈને મને પ્રેરિત બનાવવા કહ્યું નથી. પરંતુ, હું પ્રેરિત છું કારણ કે ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર પિતાએ મને પ્રેરિત તરીકે મોકલ્યો, હા ઈશ્વર પિતાએ, જેમણે ખ્રિસ્તને તેઓના મરણ પામ્યા બાદ સજીવન કર્યા તેમણે મોકલ્યો! હું અને અહીયાં મારી સાથેના સર્વ સાથી વિશ્વાસીઓ ગલાતિયા પ્રાંતની મંડળીઓમાં તમ સર્વને સલામ પાઠવે છે.
\s5
\v 3 મારી પ્રાર્થના છે કે આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને માયાળુપણે મદદ કરે અને તમને શાંતિ આપે.
\v 4 ખ્રિસ્તે આપણાં પાપોને માટે પોતાને ઈશ્વરને અર્પણ કર્યા, કે જેથી આ જગતના દુષ્ટ માર્ગો કે જેમાં લોકો જીવે છે, તેમાંથી આપણને મુક્ત કરે. તેમણે આ કર્યું કારણ કે ઈશ્વર આપણા પિતાની ઇચ્છા હતી કે તેઓ આ પ્રમાણે કરે.
\v 5 તે સાચું છે તે કારણે, ચાલો હવે આપણે સદા સર્વકાળ માટે ઈશ્વરની સ્તુતિ કરીએ.
\p
\s5
\v 6 જેમ તમે જાણો છો તેમ ખ્રિસ્તે તમને પોતાની કૃપામાં તેમના પર વિશ્વાસ કરવા તેડ્યા હતા. પરંતુ હાલ મને આશ્ચર્ય થાય છે કે તમે તેમનામાં વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે! હવે તમે અલગ સંદેશ પર વિશ્વાસ કરી રહ્યા છો, કે જેને કેટલાક લોકો ઈશ્વર વિષેનો સાચો શુભ સંદેશ કહે છે.
\v 7 ખ્રિસ્તે આપણને કદી બીજો શુભ સંદેશ કહ્યો નથી, પરંતુ બીજા લોકો તમને ગૂંચવે છે. તેઓ ખ્રિસ્ત વિષેના શુભ સંદેશને બદલવા માગે છે; તેઓની ઇચ્છા છે કે તમે વિશ્વાસ કરો કે ખ્રિસ્તે તો હકીકતમાં કશુંક જુદું જ કહ્યું છે.
\s5
\v 8 પરંતુ જો અમે કે આકાશમાંનો દૂત પણ તમને એવી સુવાર્તા કહે કે જે અમે અગાઉ તમને કહી હતી તેના જેવી ન હોય તો ઈશ્વરે તે વ્યક્તિને સદાકાળની શિક્ષા કરવી જોઈએ.
\v 9 જેમ અમે તમને કહી ચૂક્યા છીએ, તેમ હવે હું ફરીથી તમને કહું છું કે કોઈક તમને એવા પ્રકારની સુવાર્તા કહી રહ્યું છે કે જે તેના કહ્યા પ્રમાણે સારી છે, પણ જેના પર તમે અગાઉ વિશ્વાસ કર્યો હતો તે સુવાર્તા જેવી નથી. માટે હું ઈશ્વર પાસે માગું છું કે તેઓ તે વ્યક્તિને હંમેશ માટે દોષિત ઠરાવે.
\v 10 લોકો મને પસંદ કરે એવી મારે જરૂર નથી, કારણ કે એ તો ઈશ્વર છે કે જેઓ મને માન્ય કરે છે. હું લોકોને ખુશ કરવા પ્રયત્ન કરતો નથી. જો હું હજી લોકોને ખુશ કરવા પ્રયત્ન કરતો હોઉં તો પછી હું ખરેખર ખ્રિસ્તની સેવા કરતો નથી.
\p
\s5
\v 11 મારા સાથી વિશ્વાસીઓ, તમે એ જાણો એવું હું ઈચ્છું છું કે ખ્રિસ્ત વિષેનો જે સંદેશ હું લોકોને પ્રગટ કરું છું તે કોઈ વ્યક્તિએ ઉપજાવી કાઢ્યો હોય એવો નથી.
\v 12 મેં આ શુભ સંદેશ કોઈ સાધારણ મનુષ્ય પાસેથી જાણ્યો નથી, અને એવી કોઈ વ્યક્તિએ મને તે શીખવ્યો નથી. તેને બદલે, ઈસુ ખ્રિસ્તે પોતે મને તે શીખવ્યો.
\p
\s5
\v 13 ભૂતકાળમાં હું જ્યારે યહૂદી રીત પ્રમાણે ઈશ્વરની આરાધના કરતો હતો ત્યારે મેં જે કર્યું હતું તે વિષે લોકોએ તમને કહ્યું છે. ઈશ્વરે સ્થાપેલા વિશ્વાસીઓના જૂથોના સંબંધમાં અતિશય દુષ્ટ બાબતો કરતાં હું થોભતો નહોતો. મેં તે વિશ્વાસીઓનો તથા તેમનાં જૂથોનો નાશ કરવાની કોશિશ કરી હતી.
\v 14 યહૂદી રીત પ્રમાણે મારી ઉંમરના અન્ય યહૂદી કરતાં હું ઈશ્વરને આવેશપૂર્વક માન આપતો હતો. જ્યારે મેં અન્ય યહૂદીઓને, અમારા પૂર્વજો પાળતા હતા તે રિવાજોને અવગણતા જોયા ત્યારે હું ખૂબ ક્રોધિત થયો.
\s5
\v 15 તેમ છતાં, હું હજી મારી માતાના ગર્ભમાં હતો ત્યારે ઈશ્વરે મને તેમની સેવા માટે પસંદ કર્યો હતો, અને તેમને આ યોગ્ય લાગ્યું માટે તેમણે એમ કર્યું.
\v 16 તેમણે મને બતાવ્યું કે ઈસુ તેમના પુત્ર છે; એ માટે કે જ્યાં બિન-યહૂદીઓ રહે છે એવા પ્રદેશોમાં હું બીજાઓને તેમના પુત્ર વિષેનો શુભ સંદેશ પ્રગટ કરું. પરંતુ એ સંદેશને સમજવા માટે હું તાત્કાલિક કોઈ માણસ પાસે ગયો નહીં.
\v 17 અને એ માણસો કે જેઓ મારી પહેલા પ્રેરિતો બન્યા હતા તેઓને મળવા માટે યરુશાલેમ જવા સારુ મેં તરત દમસ્કસ છોડ્યું નહિ. તેને બદલે, હું અરબસ્તાનના અરણ્ય પ્રદેશમાં ગયો. પછી ફરી એક વખત હું દમસ્કસ શહેર પાછો ફર્યો.
\s5
\v 18 હકીકતમાં, ઈશ્વરે આ સુવાર્તા મને પ્રગટ કરી ત્યાર પછી ત્રણ વર્ષે હું પિતરની મુલાકાત લેવા યરુશાલેમ ગયો. હું તેની સાથે પંદર દિવસ રહ્યો.
\v 19 હું આપણા પ્રભુ ઈસુના ભાઈ અને યરુશાલેમમાંના વિશ્વાસીઓના આગેવાન યાકૂબને પણ મળ્યો, પરંતુ હું બીજા કોઈ પ્રેરિતને મળ્યો નહીં.
\v 20 ઈશ્વર જાણે છે કે હું લખી રહ્યો છું તે સંપૂર્ણ સત્ય છે!
\s5
\v 21 મેં યરુશાલેમ છોડ્યું ત્યારબાદ હું સિરિયા અને કિલીકિયાના પ્રદેશોમાં ગયો.
\v 22 ખ્રિસ્તી સમુદાયોના વિશ્વાસીઓ કે જેઓ યહુદિયાના પ્રદેશમાં હતા તેઓએ હજી સુધી મને જોયો નહોતો.
\v 23 તેઓએ માત્ર બીજાઓને એમ કહેતાં સાંભળ્યા હતા કે "પાઉલ, જે આપણા પ્રત્યે હિંસક બાબતો કરતો હતો તે હવે એ જ સુવાર્તા પ્રગટ કરે છે કે જેની પર આપણે વિશ્વાસ કર્યો અને જેને રોકવા તે પ્રયત્ન કરતો હતો!"
\v 24 માટે મને જે થયું હતું તે કારણે તેઓએ ઈશ્વરની સ્તુતિ કરવાનું ચાલુ રાખ્યું.
\s5
\c 2
\p
\v 1 ચૌદ વર્ષ પસાર થયા બાદ હું, બાર્નાબાસ, તથા તિતસ ફરીથી યરુશાલેમ ગયા.
\v 2 ઈશ્વરે મને કહ્યું હતું કે અમારે જવું જોઈએ તેથી અમે એમ કર્યું. મેં ખાનગીમાં વિશ્વાસીઓના સૌથી આગળ પડતા આગેવાનોને હું બિન-યહૂદી પ્રદેશોમાં જે શુભ સંદેશ ઘોષિત કરતો હતો તેનું વિષયવસ્તુ સમજાવ્યું. મેં એ પ્રમાણે કર્યું કારણ કે હું ખાતરી કરવા માગતો હતો કે જેનો હું પ્રચાર કરી રહ્યો છું તેને તેઓ માન્ય કરે. હું સ્પષ્ટ થવા માગતો હતો કે હું વ્યર્થપણે કામ કરી રહ્યો નહોતો.
\s5
\v 3 પરંતુ, તે આગેવાનોએ, તિતસ કે જે મારી સાથે હતો અને બેસુન્નત વિદેશી હતો છતાં પણ તેને સુન્નત કરાવવાની ફરજ પાડી નહિ.
\v 4 તેની સુન્નત થાય એવું જેઓ ઇચ્છતા હતા તેઓ સાચા વિશ્વાસીઓ નહોતા. પરંતુ તેઓએ સાચા વિશ્વાસીઓ હોવાનો ઢોંગ કર્યો. તેઓ અમને ધ્યાનપૂર્વક જોતા હતા કે અમે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્તે તે બાબતોથી અમને મુક્ત કર્યા છે તે કારણે અમે કેવી રીતે સર્વ યહૂદી નિયમો અને વિધિઓને અનુસર્યા વિના ઈશ્વરને આધીન થઈએ છીએ. આ જૂઠા વિશ્વાસીઓને આપણે નિયમના ગુલામ બનીએ તે જોવાનું ગમશે.
\v 5 પરંતુ સુન્નત વિષે અમે તેઓની સાથે સહેજ પણ સંમત થયા નહિ. અમે તેઓનો સામનો કર્યો કે જેથી ખ્રિસ્ત વિષેનો સાચો શુભ સંદેશ તમને લાભદાયી બનતો રહે.
\s5
\v 6 પરંતુ જેઓના વિષે લોકો કહેતા હતા કે તેઓ આગેવાનો છે તેઓએ, હું જે પ્રગટ કરતો હતો તેમાં કશું ઉમેર્યું નહીં. તે આગેવાનો અગત્યના માણસો છે પણ મારા માટે તેનો કંઈ અર્થ નથી, કારણ કે ઈશ્વર અમુક લોકો પ્રત્યે બીજાઓની સરખામણીમાં વધારે તરફદારી કરતા નથી.
\v 7 તેને બદલે, આગેવાનોને સમજ પડી કે જેમ પિતર યહૂદીઓને શુભ સંદેશ પ્રગટ કરી રહ્યો છે તેમ બિન-યહૂદીઓને સુવાર્તા પ્રગટ કરવા ઈશ્વર મારા(પાઉલ) પર ભરોસો રાખી રહ્યા છે.
\v 8 એટલે કે, જેમ ઈશ્વરે પિતરને પ્રેરિત તરીકે જઈને યહૂદીઓને ઈશ્વરનો સંદેશ આપવા શક્તિમાન કર્યો હતો તેમ, તેમણે મને પણ પ્રેરિત તરીકે બિન-યહૂદીઓ પાસે જઈને તેમનો સંદેશ આપવા માટે શક્તિમાન કર્યો હતો.
\s5
\v 9 તે આગેવાનોને સમજ પડી કે ઈશ્વરે પોતાની ભલાઈથી આ ખાસ કામ મને આપ્યું હતું. માટે ખ્રિસ્તમાં વિશ્વાસીઓના આગેવાન યાકૂબ, પિતર અને યોહાન, એ આગેવાનો કે જેમને ઘણા લોકો ઓળખતા હતા અને માન આપતા હતા, તેઓએ જ અમારી સાથે હાથ મિલાવ્યા કારણ કે અમે તેઓ સાથે સાથી કાર્યકર હતા. અમે બધા સંમત થયા કે ઈશ્વરે અમને બિન-યહૂદીઓ, એટલે કે જેઓની સુન્નત નથી થઇ તેવાઓ પાસે મોકલ્યા છે અને ઈશ્વરે તેઓને યહૂદીઓ, એટલે કે સુન્નત પામેલાઓ પાસે મોકલ્યા છે.
\v 10 તેઓએ અમને સાથી વિશ્વાસીઓમાંના ગરીબો, કે જેઓ યરુશાલેમમાં રહેતા હતા તેઓને સહાય કરવાનું યાદ રાખવા અરજ કરી. અને આ એ જ બાબત હતી કે જે કરવા હું આતુરતા રાખતો હતો.
\p
\s5
\v 11 પણ પછીથી જ્યારે હું અંત્યોખ શહેરમાં હતો ત્યારે, પિતરના ત્યાં આવ્યા પછી મેં તેને મોઢા પર કહ્યું કે જે તે કરી રહ્યો હતો તે ખોટું હતું.
\v 12 ત્યાં કંઈક આવું બન્યું હતું. પિતર અંત્યોખ ગયો અને ત્યાં તેણે બિન-યહૂદી વિશ્વાસીઓ સાથે નિયમિતપણે જમવાની શરૂઆત કરી. પછી કેટલાંક યહૂદી વિશ્વાસીઓ અંત્યોખ આવ્યા જેમણે દાવો કર્યો કે તેઓને યરુશાલેમમાંના વિશ્વાસીઓના આગેવાન યાકૂબે મોકલ્યા હતા. અને તે માણસો આવ્યા ત્યારે પિતરે બિન-યહૂદી વિશ્વાસીઓ સાથે જમવાનું બંધ કરી દીધું અને તેઓની સાથે સંબંધ રાખતો ન હતો. તે ડરી ગયો કે બિન-યહૂદી સાથે સંબંધ રાખવા બદલ યરુશાલેમના યહૂદી વિશ્વાસીઓ તેની ટીકા કરશે.
\s5
\v 13 અંત્યોખમાંના બીજા વિશ્વાસીઓ પણ પોતાને બિન-યહૂદી વિશ્વાસીઓથી અલગ કરીને પિતરના ઢોંગમાં જોડાયા. બાર્નાબાસને પણ લાગ્યું કે તેણે બિન-યહૂદીઓ સાથે સંબંધ રાખવાનું બંધ કરવું જ પડશે!
\v 14 પરંતુ જ્યારે મને ખ્યાલ આવ્યો કે તેઓ ખ્રિસ્ત વિષેના શુભ સંદેશના સત્યને અનુસરી રહ્યા નથી, અને જ્યારે સર્વ સાથી વિશ્વાસીઓ એકઠા થયા હતા ત્યારે મેં તેઓ સર્વની આગળ પિતરને કહ્યું કે, "તું યહૂદી છે, પણ તું બિન-યહૂદી જેઓ નિયમને અનુસરતા નથી તેઓની જેમ જીવી રહ્યો છે. તો તું કેવી રીતે બિન-યહૂદીઓને યહૂદીની જેમ જીવવા મનાવી શકે?"
\s5
\v 15 આપણે યહૂદીઓ તરીકે જન્મ્યા હતા અને બિન-યહૂદી પાપીઓની જેમ નહિ કે જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર વિષે કશું જાણતા નથી.
\v 16 પરંતુ હવે આપણે જાણીએ છીએ કે ઈશ્વરે મૂસાને જે નિયમ આપ્યો તેને જે વ્યક્તિ આધીન થાય છે તે કારણે ઈશ્વર તે વ્યક્તિને પોતાની નજરમાં યોગ્ય બનાવતા નથી. પરંતુ જો તે વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તો જ તેઓ એમ કરે છે. આપણામાંના કેટલાક યહૂદીઓએ પણ ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કર્યો છે. આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ અને નિયમ, કે જે ઈશ્વરે મૂસાને આપ્યો તેને આધીન થવા પ્રયત્ન કરતા નથી તે કારણે ઈશ્વર આપણને પોતાની નજરમાં સારા જાહેર કરે તે કારણે આપણે વિશ્વાસ કર્યો. ઈશ્વરે કહ્યું હતું કે જેઓ નિયમને આધીન થાય છે માત્ર તે જ કારણે તેઓ કોઈને પણ પોતાની નજરમાં યોગ્ય જાહેર નહિ કરે.
\s5
\v 17 પરંતુ જ્યારે અમે ઈશ્વરને તેમની નજરમાં ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા વડે યોગ્ય બનાવવા કહ્યું, ત્યારે અમે નિયમને આધીન થવાના પ્રયત્નો બંધ કરી દીધા, માટે નિયમે અમને તેમ કરવા બદલ પાપી સાબિત કર્યા. પણ ચોક્કસપણે તેનો અર્થ એ નથી કે ખ્રિસ્ત પાપની તરફેણ કરે છે. બિલકુલ નહિ!
\p
\v 18 જો હું ફરીથી વિશ્વાસ કરું કે હું ઈશ્વરના નિયમને આધીન થાઉં છું તે કારણે તેઓ મને તેમની નજરમાં યોગ્ય બનાવશે તો, હું એવા માણસ જેવો છું કે જે એક જૂની ધ્રૂજતી ઇમારતને ફરીથી બનાવે છે કે જે તેણે એક સમયે પાડી નાખી હતી. દરેક જણ જોઈ શકશે કે હું ઈશ્વરના નિયમને તોડતો હતો.
\v 19 જ્યારે હું ઈશ્વરના નિયમને આધીન થવા પ્રયત્ન કરતો હતો ત્યારે હું મરણ પામેલા માણસ જેવો થઇ ગયો; જાણે કે નિયમે મને મારી નાખ્યો હોય તેના જેવું તે હતું. એ એટલા માટે થયું કે જેથી હું ઈશ્વરની આરાધના કરવા જીવું.
\s5
\v 20 તે જાણે કે ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે મારા જીવનની જૂની રીતભાત સમાપ્ત થઇ ગઈ હોય તેવું હતું. હવેથી હું મારા જીવનને દોરતો નથી. ખ્રિસ્ત જે મારા હૃદયમાં રહે છે તેઓ હવે દોરે કરે છે કે મારે કેવી રીતે જીવવું. અને હાલમાં હું જીવંત છું ત્યારે જે કંઈ હું કરું તે હું ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરીને કરું છું. તેઓ જ એક છે કે જેમણે મને પ્રેમ કર્યો અને મને ઈશ્વરની માફી પૂરી પાડવા માટે પોતાને બલિદાનની જેમ આપી દીધા.
\v 21 નિયમનું પાલન જાણે કે આપણને ઈશ્વર સાથે યોગ્ય બનાવી શકવાનું હોય તેમ વિચારીને હું ઈશ્વરની ભલાઈને રદ્દ કરતો નથી. નહિતર, વધસ્તંભ પર ખ્રિસ્તના મરવાનો કશો અર્થ ન હોત.
\s5
\c 3
\p
\v 1 ગલાતિયામાંના સાથી વિશ્વાસીઓ તમે ઘણાં જ મૂર્ખ છો! કોઇકે તેમને બરાબરના ગૂંચવ્યા છે. લોકોએ કેવી રીતે ખ્રિસ્તને વધસ્તંભે જડ્યા હતા તે મેં તમને ચોકસાઈથી કહ્યું હતું, શું મેં નહોતું કહ્યું?
\v 2 માટે મારી ઇચ્છા છે કે તમે મને માત્ર એક બાબત કહો: જ્યારે પવિત્ર આત્મા તમારી પાસે આવ્યો ત્યારે શું તે મૂસાના નિયમને આધીન થવાને કારણે આવ્યો હતો? અથવા શું તમે શુભ સંદેશ સાંભળ્યો અને ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો તે કારણે આત્મા તમારી પાસે આવ્યો? ચોક્કસ વિશ્વાસ કરવાને કારણે આ પ્રમાણે બન્યું હતું.
\v 3 તમે ઘણાજ મૂર્ખ છો! ઈશ્વરના આત્માએ તમને સહાય કરી તેથી પ્રથમ તો તમે ખ્રિસ્તી બન્યા. પણ હવે તમે શક્ય હોય તેવી ભારે કોશિશ કરીને મરણ પામતાં સુધી ઈશ્વરના નિયમને આધીન થવાનું વિચારો છો.
\s5
\v 4 જો તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા ન હોત તો, ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યા પછી જે સર્વ કઠણ બાબતો તમે અનુભવી તેનું કશું જ મૂલ્ય રહેતું નથી.
\v 5 હવે જ્યારે ઈશ્વર તમને પોતાનો આત્મા ઉદારતાથી આપે છે અને તમારામાં પરાક્રમી કૃત્યો કરે છે ત્યારે શું તમે એવું વિચારો છો કે તમે નિયમને આધીન થાઓ છો તેના કારણે તે છે? તમે ચોક્કસ જાણો છો કે જ્યારે તમે ખ્રિસ્ત વિષેનો શુભ સંદેશ સાંભળ્યો ત્યારે તેમનામાં વિશ્વાસ કર્યો તેના કારણે જ તે છે!
\p
\s5
\v 6 તમે જે અનુભવ્યું છે તે મૂસાએ ઇબ્રાહિમ વિષે શાસ્ત્રમાં જે લખ્યું છે તેના જેવું જ છે. તેણે લખ્યું છે કે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને પરિણામે ઈશ્વરે ઇબ્રાહિમને પોતાની નજરમાં ન્યાયી જાહેર કર્યો.
\v 7 તે માટે, તમને સમજ પડવી જોઈએ કે, જેઓ પોતાને બચાવવા ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે તેઓને જ ઈશ્વરે ઇબ્રાહિમના વંશજોમાં બનાવ્યા છે.
\v 8 જ્યારે બિન-યહૂદીઓએ ઈશ્વરમાં વિશ્વાસ કરવાનું શરુ કર્યું અને તેમણે તેઓને પોતાની નજરમાં ન્યાયી બનાવવાનું શરુ કર્યું તે અગાઉ પણ માણસોએ શાસ્ત્રમાં લખ્યું હતું કે ઈશ્વર આ પ્રમાણે કરશે. જેમ આપણે શાસ્ત્રમાં વાંચીએ છીએ તેમ ઈશ્વરે આ શુભ સંદેશ ઇબ્રાહિમને પ્રગટ કર્યો હતો કે, "તેં જે કર્યું છે તે કારણે હું જગતમાંની સર્વ લોકજાતિઓને આશીર્વાદ આપીશ."
\v 9 તેથી, આપણે આ બાબત દ્વારા જાણીએ છીએ કે તમામ જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે, તેઓને ઈશ્વર ઇબ્રાહિમ કે જેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો હતો તેની સાથે આશીર્વાદિત કરે છે.
\s5
\v 10 તમામ જેઓ એવું વિચારે છે કે ઈશ્વરનો નિયમ પાળવા દ્વારા તેઓ તેમને પ્રસન્ન કરી શકે છે, તેઓને ઈશ્વર શ્રાપ આપે છે. જેમ તમે શાસ્ત્રમાં વાંચી પણ શકો છો તેમ, "મૂસાના નિયમના પુસ્તકમાં લખેલા સર્વ નિયમો જેઓ સતત અને સંપૂર્ણપણે પાળતા નથી એ સર્વને ઈશ્વર અનંતકાળિક શિક્ષા કરશે."
\v 11 પણ ઈશ્વરે કહ્યું છે કે જો તેઓ કેટલાક લોકોને પોતાની નજરમાં સારા જાહેર કરે છે તો તેનો અર્થ એ નહીં હોય કે તેઓ નિયમને આધીન થયા તે કારણે તેમ બન્યું. તમે શાસ્ત્રમાં વાંચી શકો છો કે, "દરેક વ્યક્તિ જેને ઈશ્વર સારી હોવાનું જાહેર કરે છે તે ઈશ્વર પર વિશ્વાસ કરે છે તે કારણે જીવશે."
\v 12 જે કોઈ નિયમને આધીન થવા પ્રયત્ન કરે છે તે ખ્રિસ્તમાં વિશ્વાસ કરતો નથી કારણ કે, "જે કોઈ નિયમમાંની સર્વ બાબતો કરવાનું શરુ કરે છે તેણે તે સર્વ બાબતોમાં આધીન થવું જોઈએ."
\p
\s5
\v 13 જેમ ઈશ્વરે નિયમમાં લખ્યું હતું કે તેઓ આપણને શ્રાપ આપશે તેમ કરવાથી ખ્રિસ્તે ઈશ્વરને અટકાવ્યા. જ્યારે ઈશ્વરે ખ્રિસ્તને આપણા વતી શાપિત કર્યા ત્યારે એમ થયું. તમે શાસ્ત્રમાં વાંચી શકો છો કે, "જે દરેકને ઝાડ પર લટકાવવામાં આવે છે તે ઈશ્વરથી શ્રાપિત થાય છે."
\v 14 જેમ તેમણે ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યો હતો તેમ બિન-યહૂદીઓ, જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે તેઓને આશીર્વાદ મળે માટે ઈશ્વરે ખ્રિસ્તને શાપિત કર્યા. અને તેમણે બિન-યહૂદીઓને આશીર્વાદ આપ્યો કે જેથી ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારા આપણ સર્વને તેમણે જે આત્મા આપવાનું વચન આપ્યું હતું તે આત્મા આપણે પ્રાપ્ત કરીએ.
\p
\s5
\v 15 મારા સાથી વિશ્વાસીઓ, ઈશ્વરનું વચન એ બે લોકો વચ્ચેના કરારના જેવું છે. તેઓ સહી કરે પછી કોઈ તેને રદબાતલ કરી શકતું નથી, કે તેઓ તેમાં કશું વધારી શકતા નથી.
\v 16 ઈશ્વરે ઇબ્રાહિમને અને તેના ખાસ વંશજને આશીર્વાદિત કરવાનું વચન આપ્યું હતું. શાસ્ત્રો એવું નથી કહેતાં કે, "તારા વંશજો," એટલે કે ઘણા લોકો, પણ તેને બદલે "તારો વંશજ," જેનો અર્થ એક વ્યક્તિ એટલે કે ખ્રિસ્ત થાય છે.
\s5
\v 17 જે હું કહેવા માગું છું તે આ જ છે. ઈશ્વરે ઇબ્રાહિમ સાથે જે કરાર સ્થાપ્યો તેને નિયમ, કે જે ૪૩૦ વર્ષ પછી તેમણે મૂસાને આપ્યો, તે રદબાતલ કરી શકતો નથી.
\v 18 આનું કારણ એ છે કે, ઈશ્વર આપણને જે સાર્વકાળિક બાબત આપવાના છે તે જો તેમનો નિયમ પાળવાને લીધે આપતા હોત તો પછી, તે આપવાના વચનને કારણે ન મળત. તો પણ, વાસ્તવમાં તો ઈશ્વરે ઇબ્રાહિમને આ ભેટ આપી કારણ કે તેમણે તે મફત આપવાનું વચન આપ્યું હતું.
\p
\s5
\v 19 તો ઈશ્વરે શા માટે પાછળથી આ નિયમ આપણને આપ્યો? આપણે બધા જ જાણી જોઇને તેનો ભંગ કરીએ છીએ તે શીખવવા માટે ઈશ્વરે તે નિયમ આપ્યો હતો. અને ભવિષ્ય નિહાળતા, જ્યારે ઇબ્રાહિમનો જે વંશજ આવવાનો હતો, તે સમય માટે ઈશ્વરે એ નિયમ આપ્યો હતો. જે વચન અગાઉ ઇબ્રાહિમને આપવામાં આવ્યું હતું તે પ્રાપ્ત કરનાર તો વંશજ છે. ઈશ્વર અને લોકો વચ્ચે ઊભી રહેનાર એક વ્યક્તિના અધિકારથી દૂતોએ નિયમનું રક્ષણ કર્યું અને લાગુ કર્યો.
\v 20 હવે, જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સીધી જ વાત કરે છે ત્યારે કોઈ મધ્યસ્થ હોતો નથી. અને ઈશ્વરે પોતે ઇબ્રાહિમને સીધેસીધાં વચનો આપ્યાં હતાં.
\p
\s5
\v 21 તો શું નિયમના શબ્દો ઈશ્વરે જે વચનો આપ્યાં તેની વિરુદ્ધ બોલે છે? બિલકુલ નહિ. જો આપણે નિયમને આધીન થઈને ઈશ્વર સાથેનું અનંતજીવન પ્રાપ્ત કરી શક્યા હોત તો પછી ચોક્કસ તેમણે આપણને તેમની નજરમાં સારા ગણ્યા હોત.
\v 22 પરંતુ તે અશક્ય હતું. તેથી ઊલટું, આપણે પાપ કરીએ છીએ તે કારણે, શાસ્ત્રમાંનો નિયમ આપણને અને સર્વ બાબતોને, જાણે કે આપણે કેદખાનામાં હોઈએ તેમ, નિયંત્રિત કરે છે. માટે જ્યારે ઈશ્વરે આપણને તે કેદખાનામાંથી મુક્ત કરવાનું વચન આપ્યું ત્યારે તેઓ એવી દરેક વ્યક્તિ વિષે કહી રહ્યા હતા જે ઈસુમાં વિશ્વાસ કરે છે.
\s5
\v 23 લોકોએ કેવી રીતે ખ્રિસ્તમાં વિશ્વાસ કરવો જોઈએ તે શુભ સંદેશ ઈશ્વરે પ્રગટ કર્યો તે અગાઉ તેમનો નિયમ એક સૈનિક જેવો હતો, કે જેણે આપણને છૂટી ન શકીએ તેવા કેદખાનામાં રાખ્યા.
\v 24 જેમ કોઈ પિતા ચાકરને પોતાના નાના બાળકની કાળજી રાખવાનું કહીને તેનું રક્ષણ કરે છે તેમ ઈશ્વર પોતાના નિયમ દ્વારા ખ્રિસ્ત ન આવ્યા ત્યાં સુધી આપણી દેખરેખ રાખતા હતા. તેમણે આ એ માટે કર્યું કે હવે જો આપણે ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ તો તેઓ આપણને પોતાની નજરમાં ન્યાયી જાહેર કરી શકે.
\v 25 પણ હવે આપણે ખ્રિસ્તમાં વિશ્વાસ કરી શકીએ છીએ ત્યારે આપણને જરૂર નથી કે ઈશ્વરનો નિયમ આપણી દેખરેખ રાખે.
\p
\v 26 તમે ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ કર્યો છે તે કારણે તમે ઈશ્વરનાં બાળકો છો તેથી હું આ કહું છું.
\s5
\v 27 તમારામાંના જેઓએ ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો છે અને તમે તેમની સાથે જોડાઓ માટે બાપ્તિસમા પામ્યા છો, તેઓએ ખ્રિસ્તના જીવનની લાક્ષણિકતાઓ પહેરી લીધી છે.
\v 28 જો તમે વિશ્વાસીઓ છો તો પછી તમે યહૂદીઓ છો કે બિન-યહૂદીઓ, ગુલામો છો કે સ્વતંત્ર છો, પુરુષો છો કે સ્ત્રીઓ છો તેથી ઈશ્વરને કોઈ ફર્ક પડતો નથી, કારણ કે તમે સર્વ સાથે મળીને ખ્રિસ્તમાં જોડાયેલા છો.
\v 29 તે ઉપરાંત, તમે ખ્રિસ્તના છો તે કારણે, તેઓ તમને ઇબ્રાહિમના વંશજો ગણે છે અને ઈશ્વરે તેને અને આપણે જે વચન આપ્યું છે તે સઘળું તમે પ્રાપ્ત કરશો.
\s5
\c 4
\p
\v 1 હવે હું બાળકો અને વારસદારોની ચર્ચા આગળ વધારીશ. વારસ એ એવો પુત્ર છે કે જે પાછળથી, જે સર્વ તેના પિતાનું છે તેનો માલિક બનશે. પરંતુ વારસ જ્યાં સુધી બાળક છે, ત્યાં સુધી તે એક ગુલામ જેવો છે કે જેને બીજાઓ કાબૂમાં રાખે છે.
\v 2 તેના પિતાએ અગાઉથી નિર્ધારિત કરેલો દિવસ ન આવે ત્યાં સુધી બીજા માણસો બાળકની દેખરેખ રાખે છે અને એ મિલકતનો વહીવટ કરે છે.
\s5
\v 3 એવી જ રીતે, જ્યારે આપણે નાનાં બાળકો હતા, ત્યારે આપણે એ દુષ્ટ નિયમો હેઠળ હતા કે જે વડે જગતમાંનો દરેક મનુષ્ય જીવે છે. જેમ માલિકો તેમના ગુલામો પર અંકુશ ધરાવે છે તેમ તે નિયમોએ આપણા પર અંકુશ રાખ્યો હતો.
\v 4 પરંતુ ઈશ્વરે નિર્ધારિત કરેલો સમય આવ્યો ત્યારે, તેમણે ઈસુને એટલે કે તેમના પુત્રને જગતમાં મોકલ્યા. ઈસુ માનવી માતાથી જન્મ્યા અને તેમણે નિયમને આધીન થવાનું હતું.
\v 5 ઈશ્વરે ઈસુને આપણા પર અંકુશ ધરાવતા નિયમથી છોડાવવાને મોકલ્યા. આ તેમણે આપણને તેમના પોતાનાં બાળકો તરીકે દત્તક લેવા કર્યું.
\s5
\v 6 હવે તમે ઈશ્વરના પુત્રો છો તે કારણે તેમણે તેમના પુત્રનો આત્મા આપણા દરેકમાં રહેવા માટે મોકલ્યો છે. એ તો તેમનો આત્મા છે કે જેઓ આપણને ઈશ્વરને "પિતા, અમારા વહાલા પિતા" પોકારવા શક્તિમાન કરે છે! આ બતાવે છે કે આપણે ઈશ્વરના પુત્રો છીએ.
\v 7 તો, ઈશ્વરે જે કર્યું છે તે કારણે, તમારામાંથી કોઈ હવે પછી ગુલામ જેવા નથી. તેને બદલે, તમે દરેક ઈશ્વરનું બાળક છો. હવે તમે દરેક ઈશ્વરના બાળક હોવાને લીધે, ઈશ્વરે તમને જે વચન આપ્યું છે તે બધું પણ તેઓ આપશે. ઈશ્વર પોતે તે કરશે!
\p
\s5
\v 8 જ્યારે તમે ઈશ્વરને જાણતા નહોતા ત્યારે તમે તે દેવોને ભજતા હતા કે જેઓનું ખરેખર અસ્તિત્વ જ નહોતું. તમે તેમના ગુલામો હતા.
\v 9 પરંતુ હવે તમે ઈશ્વરને પોતાના ઈશ્વર તરીકે ઓળખો છો. જો કે કદાચ એમ કહેવું વધારે સારું રહેશે કે હવે ઈશ્વર તમને દરેકને ઓળખે છે. તો શા માટે તમે આ જગતના નિર્બળ અને મૂલ્યહીન નિયમોને અનુસરવા પાછા ફરો છો? હવે તમે ફરીથી વાસ્તવમાં તેમના ગુલામ બનવા ઇચ્છતા નથી, શું તમે ગુલામ બનવા ઇચ્છો છો?
\s5
\v 10 વાસ્તવમાં તો એવું દેખાય છે કે તમે એવું જ ઇચ્છો છો! કેટલાક ખાસ દિવસો અને ચોક્કસ મહિનાઓમાં અને વર્ષોમાં કેટલાક ખાસ સમયો અને ઋતુઓ પાળવા માટે બીજાઓ તમારા પર દબાણ કરે છે તેને તમે ફરી એક વાર આધીન થઈ રહ્યા છો.
\v 11 મને તમારા વિષે ચિંતા થાય છે! મેં તમારા માટે સખત મહેનત કરી છે પણ એવું દેખાય છે કે તે બધું વ્યર્થ હતું.
\s5
\v 12 મારા સાથી વિશ્વાસીઓ, હું તમને ભારપૂર્વક કહું છું કે તમે મારા જેવા બનો, કારણ કે હું નિયમને મારા પર અધિકાર ધરાવવા દેતો નથી. જ્યારે હું નિયમમાંથી મુક્ત થયો ત્યારે હું તમારા જેવો બિન-યહૂદી બન્યો, માટે તમારે પણ દેવોથી પોતાને મુક્ત કરવા જોઈએ. જ્યારે હું પ્રથમવાર તમારી પાસે આવ્યો, ત્યારે તમે મને કંઈ નુકસાન કર્યું નહોતું, પરંતુ તમારા કારણે હવે મને તમારા વિષે ઘણી ચિંતા થઈ રહી છે.
\p
\v 13 તમે યાદ કરો કે મેં તમને પ્રથમ વખત શુભ સંદેશ વિષે કહ્યું હતું, તે સમયે હું બીમાર હતો માટે મેં તેમ કર્યું.
\v 14 જો કે હું બીમાર હતો તે કારણે તમે મારો તિરસ્કાર કરી શક્યા હોત, તો પણ તમે મારો નકાર કર્યો નહિ. તેને બદલે, જાણે ઈશ્વર પાસેથી આવનાર કોઈ દૂતનો આવકાર કરતા હો તેમ તમે મારો આવકાર કર્યો હતો. જેમ ખ્રિસ્ત ઈસુનો પોતાનો આવકાર કરવાના હોય તેમ તમે મારો આવકાર કર્યો હતો!
\s5
\v 15 પરંતુ હવે તમે ખુશ નથી! હું ચોક્કસ જાણું છું કે મને મદદ કરવાને તમે કંઈ પણ કર્યું હોત. જો મને તે વડે મદદ મળતી હોત તો તમે તમારી પોતાની આંખો કાઢીને મને આપી દીધી હોત!
\v 16 તેથી હવે હું ખૂબ દુઃખી થયો છું. તમે એવું વિચારતા લાગો છો કે હું તમારો દુશ્મન બની ગયો છું, કારણ કે મેં તમને ખ્રિસ્ત વિષે સત્ય કહેવાનું જારી રાખ્યું છે.
\s5
\v 17 જેઓ યહૂદી નિયમો પાળવા પર ભાર મૂકી રહ્યા છે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે કે તમે તેઓને અનુસરો, પણ તેઓ તમારું સારું થાય માટે એમ કરી રહ્યા નથી. તેઓ ઇચ્છે છે કે તમે મને નહીં પણ તેઓને અનુસરો તે કારણે તેઓ તમને મારાથી દૂર રાખવા માગે છે.
\v 18 હવે, ખરી બાબતોને કરતા રહેવા પર ભાર મૂકવામાં આવે તે સારું છે; કેવળ જ્યારે હું તમારી સાથે હોઉં ત્યારે જ નહિ પણ તમારે હંમેશા એમ કરવું જોઈએ. પણ કાળજી રાખો કે જેઓ તમને શું કરવું તે શીખવી રહ્યા છે તેઓ યોગ્ય લોકો હોય!
\s5
\v 19 તમે જેઓ મારાં બાળકો જેવા છો, તમારા માટે ફરી એક વખત મને ચિંતા થાય છે, અને તમે ખ્રિસ્તના જેવા નહિ બનો ત્યાં સુધી હું તમારે માટે કાળજી રાખવાનું જારી રાખીશ.
\v 20 પરંતુ, મારી ઇચ્છા છે કે હું અત્યારે તમારી સાથે હોઉં અને હું તમારી સાથે વધુ કોમળતાથી વાત કરું, કારણ કે અત્યારે મને તમારા વિષે શું કરવું તેની ખબર પડતી નથી.
\p
\s5
\v 21 મને આ સમજાવવા ફરીથી પ્રયત્ન કરવા દો: તમારામાંના કેટલાક ઈશ્વરના સર્વ નિયમોને આધીન થવાની ઇચ્છા રાખે છે, પણ શું તમે ખરેખર ધ્યાન આપો છો કે નિયમ શું કહે છે?
\v 22 નિયમમાં આપણે વાંચીએ છીએ કે ઇબ્રાહિમ બે દીકરાઓનો પિતા બન્યો. તેની એક ગુલામ સ્ત્રી હાગારે એક દીકરાને જન્મ આપ્યો અને તેની પત્ની સારા, જે ગુલામ નહોતી તેણે બીજા એક દીકરાને જન્મ આપ્યો.
\v 23 ગુલામ સ્ત્રી હાગારનો દીકરો ઇશ્માએલ કુદરતી રીતે ગર્ભે રહ્યો હતો. પણ સારા, જે ગુલામ નહોતી તેનાથી જન્મેલો ઇસહાક ચમત્કારિક રીતે ગર્ભે રહ્યો હતો, કારણ કે ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું હતું કે તેને દીકરો જન્મશે.
\s5
\v 24 હવે આ બંને સ્ત્રીઓ બે કરારો દર્શાવે છે. ઈશ્વરે ઇઝરાયેલના લોકો સાથે પ્રથમ કરાર સિનાય પર્વત પર કર્યો. આ કરારની માગણી છે કે ઇઝરાયેલીઓ નિયમના ગુલામની જેમ જીવે. માટે ગુલામ સ્ત્રી હાગાર આ કરારનું પ્રતીક છે.
\v 25 માટે હાગાર અરબસ્તાન દેશમાંના સિનાય પર્વતનું પ્રતીક છે. પણ હાગાર હાલના યરુશાલેમ શહેરનું પણ પ્રતીક છે. કારણ કે, યરુશાલેમ ગુલામ માતા જેવું છે: સિનાય પર્વત પાસે ઈશ્વરે ઇઝરાયેલને આપેલા નિયમને તેઓએ આધીન થવું જ જોઈએ તે કારણે તે અને તેના સઘળાં બાળકો એટલે કે તેના લોકો ગુલામો જેવા છે.
\s5
\v 26 પરંતુ સ્વર્ગમાં એક નવું યરુશાલેમ છે, અને તે શહેર આપણે સર્વ જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ છીએ તેઓની માતા સમાન છે. અને તે શહેર સ્વતંત્ર છે!
\v 27 તે નવા યરુશાલેમમાં જૂના યરુશાલેમ કરતાં ઘણા વધારે લોકો હશે. આનું કારણ યશાયા પ્રબોધકે લખ્યું છે,
\q1 "તું જે યરુશાલેમમાં રહે છે તે આનંદ કર!
\q1 જેને બાળકો થઇ શકતાં નથી તેવી સ્ત્રીની જેમ
\q2 અત્યારે તારી પાસે બાળકો નથી!
\q1 જો કે અત્યારે તારી પાસે બાળકો નથી તો પણ
\q2 એક દિવસે તું આનંદથી બૂમો પાડીશ.
\q1 કોઈ સ્ત્રી કે જે બાળકને જન્મ આપી શકતી નથી તેની જેમ
\q2 તને લાગે છે કે તું ત્યજાયેલી છે.
\q1 પતિ સાથેના સંબંધથી કોઈ સ્ત્રીને બાળકો હોય
\q2 તેના કરતાં તારાં બાળકો વધારે હશે."
\p
\s5
\v 28 મારા સાથી વિશ્વાસીઓ, હવે તમે ઈશ્વરનાં બાળકો બન્યા છો કારણ કે ઈશ્વરે આપણને જે આપવાનું વચન આપ્યું છે તેમાં તમે વિશ્વાસ કર્યો છે. તમે ઇસહાક જેવા છો કે જેને આપવાનું વચન ઈશ્વરે ઇબ્રાહિમને આપ્યું હતું તે પર વિશ્વાસ કરવાને કારણે તે જન્મ્યો હતો.
\v 29 પરંતુ ઘણા સમય અગાઉ ઇબ્રાહિમનો દીકરો ઇશ્માએલ કે જે કુદરતી રીતે જન્મ્યો હતો તેણે ઇબ્રાહિમના પુત્ર ઇસહાક, કે જે પવિત્ર આત્માના સામર્થ્યથી જન્મ્યો હતો તેને માટે મુસીબત ઊભી કરી. એવું જ અત્યારે પણ છે. જેઓ ઈશ્વરના નિયમના ગુલામ છે તે લોકો આપણે કે જેઓ ખ્રિસ્તે જે આપવાનું વચન આપ્યું છે તે પર વિશ્વાસ કરીએ છીએ તેઓને સતાવે છે.
\s5
\v 30 પરંતુ શાસ્ત્રમાં આ શબ્દો લખેલા છે: "જે સ્ત્રી ગુલામ નહોતી તેનો દીકરો જે તેના પિતાનું સંતાન છે તેનો વારસો પામશે. ગુલામનો દીકરો વારસામાં કશું નહિ પામે. માટે આ જગ્યાએથી ગુલામ સ્ત્રી અને તેના દીકરાને દૂર મોકલી દે!"
\v 31 મારા સાથી વિશ્વાસીઓ, આપણે એ બાળકો નથી કે જેમની માતા ગુલામ સ્ત્રી હોય, પરંતુ આપણે તો જે સ્ત્રી મુક્ત હતી તેનાથી જન્મ્યા છીએ, અને માટે જ આપણે પણ મુક્ત છીએ!
\s5
\c 5
\p
\v 1 ખ્રિસ્તે આપણને નિયમથી મુક્ત કર્યા કે જેથી તે આપણી પર હવે નિયંત્રણ કરી ન શકે. માટે જે કોઈ કહે છે કે તમે હજુ પણ નિયમના ગુલામ છો તેને રોકો, અને ફરીથી ગુલામની માફક નિયમ તમારું નિયંત્રણ કરે એવું થવા ન દો.
\v 2 હું પાઉલ પ્રેરિત, હમણાં તમને જે કહું છું તેનું કાળજીપૂર્વક ધ્યાન રાખો. જો કોઈકને તમે તમારી સુન્નત કરવા દો, તો ખ્રિસ્તે તમારે માટે જે કર્યું છે તે તમને કશી મદદ કરશે નહિ!
\s5
\v 3 હું ફરી એકવાર ગંભીરતાપૂર્વક દરેક માણસને કે જેઓની તેમણે સુન્નત કરી છે તેઓને જાહેર કરું છું કે ઈશ્વર તેને પોતાની નજરમાં સારો જાહેર કરે માટે તેણે નિયમને સંપૂર્ણપણે આધીન થવું જ રહ્યું.
\v 4 તમે નિયમ પાળવા પ્રયત્ન કરો છો તે કારણે જો તમે અપેક્ષા રાખો કે ઈશ્વર તમને પોતાની નજરમાં સારા જાહેર કરે, તો તમે પોતાને ખ્રિસ્તથી અલગ કર્યા છે; ઈશ્વર તમારા પ્રત્યે ભલાઈથી વર્તશે નહિ.
\s5
\v 5 જેમને ઈશ્વરનો આત્મા ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા સમર્થ કરે છે તેવા આપણે એ સમયની ખાતરીપૂર્વક રાહ જોઈએ છીએ કે જ્યારે ઈશ્વર પોતાની નજરમાં આપણને સારા જાહેર કરશે.
\v 6 ઈશ્વર, આપણે સુન્નતી છીએ કે બેસુન્ન્ત છીએ તેની કાળજી કરતા નથી. તેને બદલે, આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ કે નહિ તે વિષે તેઓ કાળજી રાખે છે, જેને પરિણામે આપણે બીજાઓને પ્રેમ કરીએ છીએ કારણ કે આપણે તેમનામાં વિશ્વાસ કરીએ છીએ.
\p
\v 7 તમે ખ્રિસ્તને બહુ સારી રીતે અનુસરતા હતા! તેમના સાચા સંદેશને આધીન થતાં તમને કોણે રોક્યા?
\v 8 ઈશ્વર, કે જેમણે તમને પસંદ કર્યા, તે એવા નથી કે જે તમને એવું વિચારવા સમજાવે!
\s5
\v 9 જેમ લોંદામાંનું થોડું ખમીર તેને આખો ફુલાવે છે તેમ આ ખોટું શિક્ષણ, જે તમને કોઈક શીખવી રહ્યું છે તે, તમારા સર્વમાં ફેલાઈ જાય તેવું જોખમ રહેલું છે.
\v 10 મને ખાતરી છે કે પ્રભુ ઈસુ તમને તેમના સાચા શુભ સમાચાર સિવાય બીજા કશામાં વિશ્વાસ કરતા રોકશે. જે કોઈ આ ખોટા સંદેશ વડે તમને ગૂંચવે છે, તે જે કોઈપણ હોય, ઈશ્વર તેને ચોક્કસ શિક્ષા કરશે.
\s5
\v 11 પરંતુ મારા સાથી વિશ્વાસીઓ, શક્ય છે કે કોઈ તમને કહેતું હોય કે તમારી સુન્નત થવી એવું હું હજુયે શીખવું છું. ખ્રિસ્તને અનુસરતા પહેલાં ચોક્કસ મેં તે બાબત શીખવી હતી, પરંતુ હવેથી હું તે બાબત શીખવી રહ્યો નથી. પરંતુ તેઓ જે કહી રહ્યા છે તે સાચું હોઈ શકે જ નહીં; નહીંતર, હાલમાં કોઈ મારી સતાવણી કરતું ન હોત. ના, હું કહું છું કે જો લોકો એવું વિચારતા હોય કે ખ્રિસ્તને અનુસરવા સુન્નત કરાવવી જ પડે, તો પછી વધસ્તંભ પર ખ્રિસ્ત મરણ પામ્યા તે વાસ્તવિકતાથી તેમને કશો ફરક પડતો નથી.
\v 12 મારી ઇચ્છા છે કે જેઓ તમને ગૂંચવણમાં નાખે છે તેઓ એટલી હદ સુધી જાય કે તેઓ પોતાને નપુંસક બનાવે!
\p
\s5
\v 13 મારા સાથી વિશ્વાસીઓ, ઈશ્વરે તમને મુક્ત થવા તેડ્યા છે. પણ એવું ન વિચારો કે તમે પાપ કરી શકો માટે તેમણે તમને મુક્ત કર્યા છે. તેને બદલે, એકબીજાને પ્રેમ કરો અને સેવા કરો, કારણ કે હવે તમે તે કરવા મુક્ત છો!
\v 14 યાદ કરો કે ઈસુએ કશું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે સર્વ નિયમોનો અર્થ આ છે: "જેવો પ્રેમ તમે પોતાને કરો છો તેવો પ્રેમ દરેક વ્યક્તિને કરો."
\v 15 માટે જો તમે જંગલી પશુઓની માફક એકબીજા પર હુમલો કરો તો તેમ એકબીજાનો પૂરેપૂરો નાશ કરી શકો છો.
\p
\s5
\v 16 માટે હું તમને આ કહું છું: હંમેશાં તમે ઈશ્વરના આત્માને તમને દોરવા દો. જો તમે તે કરશો તો જે પાપી બાબતો તમે કરવા ઇચ્છો છો, તે નહિ કરો.
\v 17 જ્યારે તમે પાપ કરવાની ઇચ્છા રાખો છો, ત્યારે તમે ઈશ્વરના આત્માની વિરુદ્ધ જાઓ છો. અને ઈશ્વરનો આત્મા તમારી પાપ કરવાની ઇચ્છાની વિરુદ્ધ જાય છે. આ બંને હંમેશાં એકબીજાની વિરુદ્ધ લડ્યા કરે છે. પરિણામ એ છે કે તમે જે સારી બાબતો કરવા સાચે જ ઇચ્છો છો તે હંમેશાં કરતા નથી.
\v 18 પણ જ્યારે ઈશ્વરનો આત્મા તમને દોરે, ત્યારે નિયમ તમને નિયંત્રિત કરતો નથી.
\p
\s5
\v 19 પાપરૂપ શું છે તે ઓળખવું સરળ છે. પાપી લોકો દુષ્ટ જાતીય કૃત્યો કરે છે, એવા જાતીય કૃત્યો કે જે કુદરતી છે તેનાથી પણ વિરુદ્ધ જાય છે, અને તેઓ એવી બાબતોની ઇચ્છા રાખે છે કે જે સારા નિયમોની વિરુદ્ધની છે.
\v 20 તેઓ જૂઠા દેવોની તથા જે બાબતો એવા દેવોનું પ્રતિનિધિત્વ કરે છે તેઓની પણ આરાધના કરે છે. અશુદ્ધ આત્માઓ તેમને માટે કામ કરે તેવો પ્રયત્ન તેઓ કરે છે. તેઓ બીજાઓ પ્રત્યે દુશ્મનાવટ રાખે છે, એકબીજા સાથે ઝઘડે છે, ઈર્ષાળુ છે, ગુસ્સાભર્યું વર્તન કરે છે, પ્રયત્ન કરે છે કે બીજાઓ તેમના વિષે સારું વિચારે અને બીજાઓ શી ઇચ્છા રાખે છે તેનો વિચાર કરતા નથી. તેઓ બીજાઓ સાથે ભળતા નથી. માત્ર એવાઓ સાથે ભળે છે કે જેઓ તેમની સાથે સંમત થાય છે.
\v 21 તેઓને બીજાઓ પાસે જે છે તે જોઈએ છે. તેઓ પીધેલા થાય છે, પીને ધમાલ કરે છે અને તેઓ આના જેવી બીજી બાબતો કરે છે. જેમ મેં તમને અગાઉ ચેતવ્યા હતા તેમ, હું તમને હમણાં ચેતવણી આપું છું કે જે કોઈ આવું સતત કરે છે અને વિચારે છે તે, ઈશ્વર જ્યારે પોતાને દરેકની આગળ રાજા તરીકે પ્રગટ કરશે ત્યારે તેમણે પોતાના લોકો માટે જે રાખ્યું છે તે પ્રાપ્ત નહિ કરે.
\s5
\v 22 પણ જેમજેમ આપણે ખ્રિસ્તમાં વિશ્વાસ કરવામાં વધીએ છીએ, તેમતેમ ઈશ્વરનો આત્મા આપણને બીજાઓને પ્રેમ કરતા કરે છે. આપણે આનંદિત છીએ. આપણે શાંતિમાં છીએ. આપણે ધીરજવાન છીએ. આપણે ભલા છીએ. આપણે સારા છીએ. બીજાઓ જેમના પર ભરોસો કરે એવા આપણે છીએ.
\v 23 આપણે નમ્ર છીએ. આપણે આપણું વર્તન કાબૂમાં રાખીએ છીએ. એવો કોઈ નિયમ નથી કે જે કહેતો હોય કે લોકોએ આ રીતે વિચારવું અને કરવું ન જોઈએ.
\v 24 તે ઉપરાંત, આપણે જેઓ ખ્રિસ્ત ઈસુના છીએ તેઓએ પોતાને દુષ્ટ બાબતોને કરવાની પરવાનગી આપવાનું બંધ કર્યું છે કે જે આપણે ભૂતકાળમાં કરતા હતા. એ તો જાણે આપણે તે બાબતોને વધસ્તંભ પર ખીલાથી જડી દીધી હોય તથા તે દુષ્ટ બાબતોને મારી નાખી હોય તેના જેવું છે.
\p
\s5
\v 25 ઈશ્વરના આત્માએ આપણને નવી રીતમાં જીવવાને સક્ષમ કર્યા છે માટે આત્મા આપણને જેમ દોરે તે પ્રમાણે આપણે વર્તવું જોઈએ.
\v 26 આપણે પોતાના વિષે અભિમાની ન થવું જોઈએ. આપણે એકબીજાને ક્રોધિત ન કરવા જોઈએ. આપણે એકબીજાની ઈર્ષા ન કરવી જોઈએ.
\s5
\c 6
\p
\v 1 મારા સાથી વિશ્વાસીઓ, જો તમને જાણ થાય કે કોઈ ભાઈ કે બહેન ખોટું કરી રહ્યા છે, તો તમારામાંના જેઓને ઈશ્વરનો આત્મા દોરવણી આપે છે તેઓએ તે વ્યક્તિને નમ્રભાવે સુધારવી. તે સાથે, જ્યારે તમે અન્ય વ્યક્તિને સુધારો છો ત્યારે તમારે પણ બહુ કાળજી રાખવી જોઈએ કે તમે પાપ ન કરી બેસો.
\v 2 એવા ભાઈઓ કે બહેનો હોય કે જેઓ મુશ્કેલીઓમાં છે તો તમારે એકબીજાને સહાય કરવી જોઈએ. એમ કરવાથી તમે ખ્રિસ્તની આજ્ઞાનું પાલન કરશો.
\s5
\v 3 હું આ એટલા માટે કહું છું કે, જેઓ પોતાને ગણવા જોઈએ તે કરતાં વધારે ઊંચા ધારે છે તેઓ પોતાને મૂર્ખ બનાવે છે.
\v 4 તેને બદલે, તમારામાંના દરેકે સતત કસોટી કરવી જોઈએ અને નક્કી કરવું જોઈએ કે તમે પોતે જે કરો છો અને વિચારો છો તેને તમે માન્ય કરી શકો છો કે કેમ. તમે પોતે જે કર્યું છે તે સારું છે તે કારણે તમે અભિમાની થઈ શકો છો, પરંતુ બીજા કોઈએ જે કર્યું તેના કરતાં તમે વધારે સારું કર્યું છે તે કારણે અભિમાન કરી શકતા નથી.
\v 5 તમારે દરેકે પોતાનાં વ્યક્તિગત કામો કરવાં જોઈએ તે કારણે હું આ કહું છું.
\p
\s5
\v 6 જો બીજા સાથી વિશ્વાસીઓ તમને ઈશ્વર વિષેનું સત્ય શીખવે છે તો તમારી ચીજવસ્તુઓ તમારે તેમની સાથે વહેંચવી જોઈએ.
\v 7 તમારે પોતાને છેતરવા જોઈએ નહિ. યાદ રાખો કે ઈશ્વરને કોઈ છેતરી શકતું નથી. જેમ ખેડૂત, જે પ્રકારનો પાક તે વાવે છે એ જ પાક તે લણશે, તે જ પ્રમાણે ઈશ્વર, લોકોને તેમણે જે કર્યું હશે તે પ્રમાણે પાછું વાળી આપશે.
\v 8 જેઓ પોતાને જે ગમે છે તેવાં પાપ કરે છે તેઓને ઈશ્વર અનંતકાળિક શિક્ષા કરશે. પરંતુ જેઓ ઈશ્વરના આત્માને પ્રસન્ન કરે છે તેઓ, ઈશ્વરના આત્માએ જે કર્યું છે તેને લીધે, સદાકાળ ઈશ્વર સાથે રહેશે.
\s5
\v 9 પણ ઈશ્વરને જે પ્રસન્ન કરે છે તે કરતાં આપણે થાકવું જોઈએ નહિ, કારણ કે જે સારી બાબતો આપણે કરી રહ્યા છે તે કરવાનું જો આપણે બંધ કરીએ નહિ તો ઈશ્વરે નિર્ધારિત કરેલા સમયે આપણે ઇનામ પ્રાપ્ત કરીશું.
\v 10 માટે જ્યારે પણ આપણને તક મળે ત્યારે સર્વ લોકોને માટે જે સારું છે તે આપણે કરવું જોઈએ. પરંતુ વિશેષ કરીને આપણે આપણા સર્વ સાથી વિશ્વાસીઓને માટે જે સારું છે તે કરવું જોઈએ.
\p
\s5
\v 11 હવે, પત્રનો આ છેલ્લો ભાગ હું મારા પોતાના હાથે તમને લખી રહ્યો છું. જે મોટા અક્ષરોથી હું હમણાં લખી રહ્યો છું તે ધ્યાનમાં લો.
\v 12 કેટલાક યહૂદી વિશ્વાસીઓ તમારી સુન્નત કરાવવા માગે છે કે જેથી યહૂદી અનુયાયીઓ બનાવવાને લીધે બીજા યહૂદીઓ તેમના વિષે સારું વિચારે. પરંતુ તેઓ એટલા માટે તે કરી રહ્યા છે કે ખ્રિસ્ત આપણને બચાવવા મરણ પામ્યા છે તેવો વિશ્વાસ કરવાને લીધે બીજાઓ તેમને સતાવે નહિ.
\v 13 આ કહેવાનું મારું કારણ એ છે કે તે લોકો પોતે પણ નિયમ પાળતા નથી; પરંતુ તેઓ તમારી સુન્નત કરાવવા માગે છે કે જેથી તેઓ ગર્વ કરી શકે કે તેઓએ યહૂદી વિશ્વાસમાં વધુ લોકોનું પરિવર્તન કર્યું છે.
\s5
\v 14 તો પણ મારી પોતાની ઘણી જ ઇચ્છા છે કે એવી બાબતોમાં હું કદી ગર્વ ન કરું. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમનું વધસ્તંભ પર મરણ પામવું, કેવળ એ જ બાબત વિષે હું ગર્વ કરીશ. જ્યારે તેઓ વધસ્તંભ પર મરણ પામ્યા, ત્યારે તેમણે અવિશ્વાસીઓ જે બાબતોની ઇચ્છા રાખે છે, તેઓને મારી દ્રષ્ટિમાં તુચ્છ બનાવી દીધી અને તેમણે હું જે ઇચ્છતો હતો તેને તે બાબતોની દ્રષ્ટિમાં તુચ્છ બનાવી દીધું.
\v 15 હું તે વિષે બહુ ગર્વ કરીશ કારણ કે લોકો સુન્નત પામેલા છે કે નહિ તેની ઈશ્વર પરવા નથી, તેને બદલે તેઓ તેમને નવા લોકો બનાવે એટલી જ કાળજી રાખે છે.
\v 16 જેઓ આ પ્રમાણે જીવે છે તેઓ સર્વને ઈશ્વર શાંતિ આપે અને તેમના પ્રત્યે ભલાઈથી વર્તે. આ વિશ્વાસીઓ તો ખરું ઇઝરાયેલ રાષ્ટ્ર છે કે જે ઈશ્વરનું છે!
\p
\s5
\v 17 હું કહું છું કે લોકોએ મને ઈસુ વિષેનું સત્ય પ્રગટ કરવાને લીધે સતાવ્યો, અને તેને પરિણામે તમારા નવા શિક્ષકો પાસે નથી તેવા ઘા મારા શરીર પર છે. માટે આ બાબતો વિષે મને ફરીથી કોઈ તકલીફ ન આપે!
\p
\v 18 મારા સાથી વિશ્વાસીઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભલાઈ તમો સર્વની સાથે હો. આમેન!

274
50-EPH.usfm Normal file
View File

@ -0,0 +1,274 @@
\id EPH - UDB Guj
\ide UTF-8
\h એફેસીઓને પત્ર
\toc1 એફેસીઓને પત્ર
\toc2 એફેસીઓને પત્ર
\toc3 eph
\mt1 એફેસીઓને પત્ર
\s5
\c 1
\p
\v 1 હું, પાઉલ, જેઓને ઈશ્વરે પોતાના માટે અલગ કર્યા છે અને જેઓ ખ્રિસ્ત ઈસુને વિશ્વાસુ છે તેવા મારા પ્રિય સાથી વિશ્વાસુઓને લખું છું, જેઓ એફેસસ શહેરમાં રહે છે તેવા મારા સાથી વિશ્વાસીઓને હું લખું છું. મને પાઉલને, જેને ઈશ્વરે પસંદ કર્યો અને જેને ઈશ્વરે તમારી પાસે ખ્રિસ્ત ઈસુના પ્રેરિત તરીકે મોકલ્યો.
\v 2 હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર આપણા પિતા અને ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ તેમની દયા અને શાંતિ તમને આપે.
\p
\s5
\v 3 ઈશ્વર, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાની સ્તુતિ થાઓ! તેમણે આપણામાં દરેક પ્રકારના સ્વર્ગીય આશીર્વાદ કે જે ખ્રિસ્ત આપણને આપે છે તેના દ્વારા મોટો આનંદ ઉપજાવ્યો છે.
\v 4 ઈશ્વરે દુનિયાનું સર્જન કર્યું તે પહેલાં તેમણે આપણને ખ્રિસ્ત દ્વારા તેમના લોક થવાને પસંદ કર્યા, કે જેઓ ઈશ્વર માટે તેમની નજરમાં દોષરહિત જીવવાને અલગ કરાયેલા છે.
\s5
\v 5 ખ્રિસ્ત ઈસુએ જે કર્યું તેના કારણે ઈશ્વરે ઘણા સમય પહેલાં આપણને તેમનાં પોતાનાં બાળકો તરીકે દત્તક લેવાની યોજના બનાવી હતી, કારણ કે તેઓ આપણને પ્રેમ કરે છે. તેઓએ આપણને બાળકો તરીકે દત્તક લેવાની યોજના બનાવી હતી કારણ કે આપણને પોતાનાં બાળકો કરી લેવામાં તેઓ પ્રસન્ન હતા, તેથી તેમણે તે કર્યું કે જે કરવા તેઓ ઈચ્છતા હતા.
\v 6 આને કારણે આપણે હવે તેમના પુત્ર જેમને તેઓ પ્રેમ કરે છે તેમના દ્વારા મળેલી તેમની અદભુત દયા, જેના માટે આપણે લાયક ન હતા તેને માટે ઈશ્વરની સ્તુતિ કરીએ.
\p
\s5
\v 7 ઈસુએ જાણે આપણને ગુલામોના બજારમાંથી ખરીદી લીધા હોય તેમ તેમણે આપણને તેમના મરણ દ્વારા મુક્ત કર્યા છે; એટલે કે, ઈશ્વરે આપણને આપણા પાપ માફ કર્યા છે, કારણ કે તેઓ આપણા પ્રત્યે અતિ ઘણા દયાળુ છે.
\v 8 તેઓ આપણા પ્રત્યે ખૂબ દયાળુ છે, અને તેઓએ આપણને સર્વ પ્રકારનું ડહાપણ આપ્યું છે.
\s5
\v 9 ઈશ્વરે હવે પોતાની યોજનાનું રહસ્ય સમજાવ્યું છે. તેઓએ ખ્રિસ્તનું મહાન કાર્ય જેની તેમણે યોજના કરી હતી તેને જાણવા આપણી સહાય કરી છે. તેમણે તેમ કર્યું કારણ કે તેમણે તે રીતે કરવાનું પસંદ કર્યું હતું, અને ખ્રિસ્ત આપણા માટે શું કરશે તે તેમણે આપણને બતાવ્યું.
\v 10 ઈશ્વરે જ્યારે તે યોજના કરી ત્યારે એવું ઠરાવ્યું હતું કે તેઓ સ્વર્ગમાંની અને પૃથ્વી પરની સર્વ બાબતોને એક કરશે, અને ખિસ્ત તેમના પર રાજ કરશે.
\s5
\v 11 ઘણા સમય અગાઉ ઈશ્વરે આપણને ખ્રિસ્તમાં એક કરવાનું નક્કી કર્યું. તેમણે તેમ કરવાની યોજના બનાવી, અને તેઓ હંમેશાં જે કરવા ઈચ્છે છે તે જ કરે છે.
\v 12 ઈશ્વરે એવું કર્યું કે જેથી આપણે જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ છીએ તેઓ ઈશ્વરના મહિમાની સ્તુતિ કરવા માટે જીવીએ. આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓમાં પ્રથમ હતા.
\s5
\v 13 તમે સત્યનું વચન એટલે કે તમારા તારણના શુભ સમાચાર સાંભળ્યા બાદ તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો અને વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા.
\v 14 પવિત્ર આત્મા એની સાબિતી છે કે ઈશ્વરે જે સંબંધી વચન આપ્યું છે તે પ્રમાણે આપણે મેળવીશું. આ સર્વ બાબતો તેમની સ્તુતિ કરવાનું મહાન કારણ છે!
\p
\s5
\v 15 ઈશ્વરે તમારા માટે ઘણું કર્યું છે, અને મેં સાંભળ્યું છે કે તમે પ્રભુ ઈસુ પર કેવો વિશ્વાસ રાખો છો અને ઈશ્વરે જે સર્વને પોતાના માટે પસંદ કર્યા છે તેઓને પ્રેમ કરો છો તે કારણે,
\v 16 મેં તમારા માટે ઈશ્વરનો આભાર માનવાનું પડતું મૂક્યું નથી અને ઘણી વાર તમારા માટે પ્રાર્થના કરું છું.
\s5
\v 17 હું પ્રાર્થના કરું છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર પિતા કે જેઓ ચમકતા પ્રકાશમાં રહે છે, તે તમને ડહાપણથી વિચારવા અને સર્વ બાબતો જે તેઓ તમને પ્રગટ કરે તે સમજવા માટે સહાય કરે.
\v 18 હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર આપણા માટે શું કરવા ઇચ્છે છે તે વિષે, અને તેઓ સત્ય બોલી રહ્યા છે તે આપણે કેવી રીતે જાણીએ તે વિષે તેઓ તમને શીખવે. હું પ્રાર્થના કરું છું કે, જે બાબતો તેમણે આપણને અને સર્વને તેઓ પોતાના કરવા માટે પસંદ કરશે તેઓને આપવાનું વચન આપ્યું છે તે બાબત કેટલી મહાન છે તે આપણે જાણીએ.
\s5
\v 19 અને હું પ્રાર્થના કરું છું કે, જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે તેઓ માટે ઈશ્વર કેટલા પરાક્રમથી વર્તે છે તે તમે જાણો.
\v 20 જેવી રીતે ખ્રિસ્તને જ્યારે તેમણે મરણમાંથી પાછા સજીવન કર્યા, અને સ્વર્ગમાં સૌથી ઊંચી માનયોગ્ય જગ્યાએ બેસાડ્યા ત્યારે તેઓ ખ્રિસ્ત માટે જેવા પરાક્રમથી વર્ત્યા હતા તેવા પરાક્રમથી તેઓ આપણા માટે વર્તે છે.
\v 21 તે જગ્યામાં, ખ્રિસ્ત દરેક અધિકારના સ્તર પરના દરેક શક્તિશાળી આત્મા અને દરેક નામ જે અસ્તિત્વ ધરાવે છે તેના પર સર્વોચ્ચ તરીકે રાજ કરે છે. ઈસુ અસ્તિત્વ ધરાવનાર બીજા કોઇપણ કરતાં, ફક્ત હમણાં જ નહિ, પરંતુ સદાકાળ માટે વધુ ઊંચા છે.
\s5
\v 22 ઈશ્વરે જાણે કે અસ્તિત્વ ધરાવનાર બધા જ ખ્રિસ્તના પગ નીચે હોય તેમ તેઓને ખ્રિસ્તના શાસન હેઠળ મૂક્યા છે. અને ઈશ્વરે ખ્રિસ્તને સર્વ જગ્યાના સર્વ વિશ્વાસીઓમાંની સર્વ બાબતો પર અધિકારી તરીકે નીમ્યા છે.
\v 23 તે એવું છે કે જાણે સર્વ વિશ્વાસીઓ ભેગા મળીને ખ્રિસ્તનું પોતાનું શરીર હોય. તેઓ જેવી રીતે આખા વિશ્વને પોતાના પરાક્રમથી ભરે છે તે જ પ્રમાણે સર્વ વિશ્વાસીઓને પોતાના પરાક્રમથી ભરે છે.
\s5
\c 2
\p
\v 1 તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તે પહેલાં તમે ઈશ્વરને આધીન થવા નિર્બળ હતા. તમે એક મૃત વ્યક્તિની માફક નિ:સહાય હતા.
\v 2 તમે એક સમયે આજના જગતમાંના લોકોના જેવા હતા, અને તમે પણ શેતાન જે ઇચ્છતો તે કરતા હતા - શેતાન એ દુષ્ટાત્માઓ કે જેમની પાસે આખા જગત પર એવી શક્તિ છે તેઓનો શાસક છે. શેતાન એ એવો દુષ્ટાત્મા છે કે તે જેઓ ઈશ્વરને આધીન ન થાય તેવા લોકોના જીવનમાં કાર્ય કરે છે.
\v 3 એક સમયે આપણે ઈશ્વરને આધીન ન હતા તેવા લોકોના સમૂહમાં હતા; આપણે પોતાને ગમતાં ખોટાં કામો કર્યા, એવાં કાર્યો કે જે આપણા શરીર અને મનને આનંદ પમાડે છે. તેથી ઈશ્વર, જેમ બીજાઓ પર કોપાયમાન છે તેમ આપણા પર ખૂબ કોપાયમાન હતા.
\p
\s5
\v 4 પરંતુ ઈશ્વર ખૂબ દયાળુપણે વર્તે છે, અને તેઓ આપણને ખૂબ પ્રેમ કરે છે.
\v 5 આપણે મરણ પામેલા લોકો જેવા, ઈશ્વરને આધીન થવા નિર્બળ હતા, પરંતુ પછી તેમણે આપણને ખ્રિસ્તમાં જોડવા દ્વારા જીવંત કર્યા. ઈશ્વરે આપણને બચાવ્યા કારણ કે તેઓ આપણા પ્રત્યે અતિ ઘણા દયાળુ હતા.
\v 6 તેમણે આપણને જેઓ મરણ પામેલા જેવા છે તેઓ મધ્યેથી ઉઠાડ્યા, અને તેમણે આપણને ખ્રિસ્ત ઈસુ સાથે રાજ્ય કરવા સ્વર્ગીય સ્થાનોમાં માનયોગ્ય સ્થાન આપ્યું.
\v 7 તેઓ આપણા પ્રત્યે કેટલા દયાળુ રહ્યા છે, તે ભાવિ યુગોમાં દર્શાવવા તેમણે તે કર્યું, કેમ કે આપણે ખ્રિસ્ત ઈસુ સાથે જોડાયેલા છીએ.
\p
\s5
\v 8 ઈશ્વરે તેમની અતિશય દયા દ્વારા તમને તેમની શિક્ષામાંથી બચાવ્યા કારણ કે તમે ઈસુ પર વિશ્વાસ કરો છો. તમે પોતાને બચાવ્યા નથી; આ તો ઈશ્વરની ભેટ છે -
\v 9 એવી ભેટ કે જે કોઈપણ કમાઈ શકતું નથી, કે જેથી કોઈપણ બડાઈ ન મારી શકે અને કહે કે તેણે પોતે પોતાની જાતને બચાવી છે.
\v 10 તેથી ઈશ્વરે આપણને ખિસ્ત ઈસુ સાથે જોડાયેલા નવા લોક તરીકે ઉત્પન્ન કર્યા છે, જેથી આપણે ઈશ્વરે ઘણા સમય અગાઉ કરેલી યોજના પ્રમાણેના સારાં કાર્યો કરીએ.
\p
\s5
\v 11 તમે યહૂદી તરીકે જન્મ્યા ન હતા તે કારણે તમે બિન-યહૂદી વિશ્વાસીઓ અગાઉ અન્ય ધર્મીઓ કહેવાતા હતા તે ભૂલશો નહીં. યહૂદીઓ તમને "બેસુન્નતી મૂર્તિપૂજક" કહીને તમારું અપમાન કરતા હતા. તેઓ પોતાને "સુન્નતી" કહે છે; આ દ્વારા તેઓ એવું માને કે છે કે તેઓ ઈશ્વરના લોકો છે અને તમે નહીં, તેમ છતાં સુન્નત એ એવી બાબત છે કે જે માણસો કરે છે, ઈશ્વર નહીં.
\v 12 તે સમયે, ખ્રિસ્તમાં તમારો કોઇ ભાગ ન હતો, તમે ઈશ્વરના ઇઝરાયલી લોકોનો ભાગ ન હતા. તમને ઈશ્વરનાં ખાતરીદાયક વચનો અને નિયમની જાણ ન હતી. ઈશ્વરે તમને આપેલા ભવિષ્ય વિશે તમને આત્મવિશ્વાસ ન હતો અને જ્યારે તમે જીવન જીવતા હતા ત્યારે તમે ઈશ્વરને જાણતા ન હતા.
\s5
\v 13 પરંતુ હવે ખ્રિસ્ત ઈસુએ જે કર્યું છે તેના કારણે, તમે તેમનામાં વિશ્વાસ રાખવા સક્ષમ છો કારણ કે ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામવા સંમત થયા.
\p
\v 14 ખ્રિસ્ત આપણી વચ્ચેના અવરોધ તોડીને યહૂદીઓ અને બિન-યહૂદીઓ વચ્ચે શાંતિ અને એકતા લાવ્યા છે, જાણે તેમણે આપણા લોકોને એકબીજાથી અલગ કરતી નફરતની દીવાલ તોડી નાખી હોય તેમ.
\v 15 તેમણે આપણા માટે હવે પછીથી બધા જ યહૂદી નિયમો અને આજ્ઞાઓ પાળવાનું જરૂરી રાખ્યું નહીં. તેમણે યહૂદીઓ અને બિન-યહૂદીઓને બે ના બદલે એક લોક બનાવ્યા કારણ કે તેમણે આપણી વચ્ચે શાંતિ સ્થાપી.
\v 16 ઈસુએ યહૂદીઓ અને બિન-યહૂદીઓ બન્નેને ભેગા કરીને વિશ્વાસીઓના એક નવા જૂથમાં ઈશ્વરના મિત્રો બનાવ્યા. વધસ્તંભ પર મરણ પામવા દ્વારા, ઈસુએ તે શક્ય બનાવ્યું કે તેઓ એકબીજાને નફરત કરવાનું બંધ કરે.
\s5
\v 17 ઈસુ આવ્યા અને ઈશ્વર સાથે શાંતિ સ્થાપનાર સુવાર્તાને પ્રગટ કરી; તેમણે તે સુવાર્તા તમને બિન-યહૂદીઓને, કે જેઓ ઈશ્વર વિષે જાણતા ન હતા, અને અમને યહૂદીઓને, કે જેઓ ઈશ્વર વિષે જાણતા હતા તે બંનેને પ્રગટ કરી.
\v 18 ઈસુ દ્વારા યહૂદીઓ અને બિન-યહૂદીઓ બંને હવે પિતા સાથે વાત કરી શકે છે કારણ કે ઈશ્વરનો આત્મા બધા જ વિશ્વાસીઓમાં રહે છે.
\p
\s5
\v 19 તેથી હવે પછી તમે બિન-યહૂદીઓ ઈશ્વરના લોકોથી અજાણ્યા અને વિદેશીઓ નથી, પરંતુ તેના બદલે તમે જેઓ ઈશ્વર માટે અલગ કરાયેલા છો તેમની સાથે સાથી વિશ્વાસીઓ છો, અને તમે ઈશ્વરના કુટુંબના છો કે જેમના પિતા ઈશ્વર છે.
\v 20 તમે તે પથ્થર જેવાં છો જેને ઈશ્વરે પોતાની ઇમારતના ભાગરૂપ થવા બનાવ્યા છે, અને તે ઇમારત પ્રેરિતો અને પ્રબોધકોએ જે શીખવ્યું તેના પર બાંધવામાં આવી છે. તે ઇમારતનો સૌથી અગત્યનો પથ્થર, ખૂણાનો પથ્થર, તે તો ખ્રિસ્ત ઈસુ પોતે છે.
\v 21 ઈસુ વિશ્વાસીઓથી પોતાનું કુટુંબ બનાવી રહ્યા છે અને તેમને જેમ ભક્તિસ્થાનના પથ્થરો ભેગા જોડાય અને ચણાય તેમ ભેગા જોડી રહ્યા છે, જેમ ભક્તિસ્થાન બાંધવા લોકો પથ્થરને જોડે છે તેમ પ્રભુ નવા વિશ્વાસીઓને પોતાને માટે અલગ કરવા વધારી રહ્યા છે.
\v 22 ઈસુ તમને બંનેને એટલે કે યહૂદીઓ અને બિન-યહૂદીઓને, એક કુટુંબ તરીકે બાંધી રહ્યા છે કે જેમાં તેઓ પોતાના આત્માના માધ્યમથી રહે છે.
\s5
\c 3
\p
\v 1 કારણ કે ઈશ્વરે આ બધું તમો બિન-યહૂદીઓ માટે કર્યું છે માટે મને પાઉલને, ખ્રિસ્ત ઈસુએ તમારી ખાતર જેલમાં મૂક્યો છે.
\v 2 ઈશ્વરે મને તમારી ખાતર એક ચોક્કસ કાર્ય સોંપવા દ્વારા માન આપ્યું છે તે તમે જાણો છો એવું હું ધારું છું.
\s5
\v 3 જેના વિષે મેં તમને ટૂંકમાં લખ્યું હતું તે ગુપ્ત સત્યના કારણે તેમણે મને આ કાર્ય આપ્યું છે;
\v 4 મેં તે વિષે જે ટૂંકમાં લખ્યું છે તે જ્યારે તમે વાંચશો, ત્યારે તમે સમજશો કે હું ખ્રિસ્ત વિશેનું સત્ય સ્પષ્ટ રીતે સમજુ છું.
\v 5 અગાઉ, જે શુભ સમાચાર દરેકની પાસે આવવાના હતા તે ઈશ્વરે સંપૂર્ણપણે પ્રગટ કર્યા ન હતા. તે કંઈક એવી બાબત હતી કે જેને કોઇપણ સમજી ન શકે, પરંતુ હવે તેમના આત્માએ તે શુભ સમાચાર તેમના પ્રેરિતો અને પ્રબોધકો જેમને આત્માએ ઈશ્વરની સેવા કરવા તેડ્યા છે તેમને પ્રગટ કર્યા છે.
\s5
\v 6 આ ગુપ્ત સત્ય તો એ છે કે બિન-યહૂદીઓ હવે યહૂદીઓ એકબીજા સાથે ઈશ્વરના આત્મિક ધનના સહભાગી છે, અને ઈશ્વરના લોકોના એક જ જૂથમાં જોડાયેલા છે, અને ઈશ્વરનાં વચન પ્રમાણેની બધી જ બાબતોના સહભાગી થશે કારણ કે તેઓ ખ્રિસ્ત ઈસુ સાથે સંલગ્ન છે - આ જ શુભ સમાચાર છે.
\v 7 હું તે શુભ સમાચાર ફેલાવવા માટે હવે ઈશ્વરનો સેવક છું, એવું કાર્ય કે જે કરવા માટે હું લાયક નથી, પરંતુ ઈશ્વરે તેમનાં પરાક્રમથી મારામાં કાર્ય કરતા તે મને આપ્યું છે.
\p
\s5
\v 8 જો કે હું તો ઈશ્વરના બધાં જ લોકો કરતાં સૌથી ઓછી પાત્રતા ધરાવું છું, તો પણ ઈશ્વરે મને તેમની દયા અને ભલાઈ દ્વારા ખ્રિસ્તે આપણા માટે શું કર્યું તે વિષેના શુભ સમાચાર બિન-યહૂદીઓને જાહેર કરવા માટે સક્ષમ બનાવ્યો છે, તે એટલું બધું ગહન છે કે કોઈપણ તેના વિષે સઘળું જાણી શકે નહીં.
\v 9 મારું સેવાકાર્ય તો બધાંને ઈશ્વરની યોજના શું છે તે સમજાવવાનું છે, એવું કંઇક કે જે, ઈશ્વરે જ્યારે સઘળું ઉત્પન્ન કર્યું તે સમયથી લાંબા સમય સુધી ગુપ્ત રાખ્યું હતું.
\s5
\v 10 ઈશ્વરે ડહાપણપૂર્વક જે આયોજન કર્યું છે, તે તેમણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા લોકો દ્વારા તેમના સ્વર્ગીય શક્તિશાળી દૂતોને પણ જણાવ્યું છે.
\v 11 અનંતકાળને માટેની ઈશ્વરની એ જ યોજના હતી, અને તેમણે તે ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુના કાર્ય દ્વારા પરિપૂર્ણ કર્યું.
\s5
\v 12 તેથી હવે આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે, આપણે ઈશ્વર પાસે વિશ્વાસપૂર્વક અને ડર રાખ્યા વિના આવી શકીએ છીએ, કારણ કે આપણે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ કે જેમણે ઈશ્વરની યોજના પરિપૂર્ણ કરી છે.
\v 13 તેથી હું તમને કહું છું કે મારે અહીં જેલમાં રહીને તમારા માટે ઘણી બાબતો સહન કરવી પડે છે તેને લીધે તમે નાહિંમત થશો નહીં, કારણ કે છેવટે તે તમારા માટે મહિમારૂપ બનશે.
\p
\s5
\v 14 ઈશ્વરે આ બધું તમારા માટે કર્યું છે તે કારણે હું ઘૂંટણે પડીને ઈશ્વર આપણા પિતાને પ્રાર્થના કરું છું.
\v 15 તેઓ સ્વર્ગમાંનાં અને પૃથ્વી પરનાં દરેક કુટુંબોને નામ આપનાર છે.
\v 16 હું તેમનાં મહાન પરાક્રમને લીધે પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમને સામર્થ્ય આપે અને તમારામાં વસનાર તેમના આત્મા દ્વારા તમારા આત્માઓને બળવાન કરે.
\s5
\v 17 હું પ્રાર્થના કરું છું કે ખ્રિસ્ત તમારા હૃદયોમાં રહે કારણ કે તમે તેમનામાં વિશ્વાસ રાખો છો, કે જેથી તમે જેનાં મૂળ ઊંડા વૃક્ષ જેવા અને પથ્થર પર બાંધેલી ઇમારત જેવા થાઓ,
\v 18 કે જેથી તમે જે સર્વને ઈશ્વર માટે અલગ કરવામાં આવ્યા છે તેઓની સાથે, ખ્રિસ્તના પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે સંપૂર્ણપણે સમજવા સક્ષમ બનો.
\v 19 કેમ કે આ પ્રેમ એટલો મહાન છે કે આપણે તેને સમજી શકતા નથી, પરંતુ આ પ્રેમને કારણે, હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમ સર્વને તેમની હાજરીથી ભરે.
\s5
\v 20 આપણે તેમની પાસે સામાન્ય રીતે જે કંઈ માગીએ તે કરતાં તેઓ ઘણી મહાન બાબતો કરવા શક્તિમાન છે, કારણ કે તેમનું સામર્થ્ય આપણામાં કાર્યરત છે.
\v 21 ઈશ્વરની આરાધના કરવા માટે એકઠા મળતા સર્વ વિશ્વાસીઓ, અને ખ્રિસ્ત ઈસુ પોતે પણ, બીજી સર્વ બાબતો કરતા ઈશ્વરને વધુ માન આપો. ઇતિહાસની થઇ ગયેલી બધી પેઢીઓના સર્વ વિશ્વાસીઓ તેમની સદાકાળ સ્તુતિ કરો! હા એમ જ થાઓ!
\s5
\c 4
\p
\v 1 તેથી, પ્રભુ ઈસુને પ્રગટ કરવાના કારણે હું આ જેલમાં છું ત્યાંથી, તમને કે જેઓને ઈશ્વરે પસંદ કર્યા છે, તેઓને વિનંતી કરું છું કે ઈસુ કે જેમણે તમને તેડ્યા છે તેમને માન મળે તે રીતે જીવો.
\v 2 નમ્રતાપૂર્વક, માયાળુપણે અને ધીરજથી એકબીજાની જરૂરિયાતો પૂરી કરો કારણ કે તમે એકબીજાને પ્રેમ કરો છો.
\v 3 એકબીજા સાથે શાંતિમાં રહેવા દ્વારા એકબીજા સાથે એકતામાં રહેવા તમે જે કરી શકો તે સર્વ કરો.
\s5
\v 4 સર્વ વિશ્વાસીઓનું એક જ જૂથ બને છે, અને માત્ર એક જ પવિત્ર આત્મા છે, અને ઈશ્વર તેમનાં વચનો તમારા સંબંધમાં પૂર્ણ કરે તેની વિશ્વાસપૂર્વક રાહ જોવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે.
\v 5 ઈસુ ખ્રિસ્ત એકલા જ પ્રભુ છે, અને એક જ વિશ્વાસ છે એટલે કે ઈશ્વરમાં આપણો ભરોસો છે તે, અને એક જ ખરું ખ્રિસ્તી બાપ્તિસ્મા છે.
\v 6 એક જ ઈશ્વર છે, જે સર્વના ખરા પિતા છે. તેઓ સર્વ પર રાજ કરે છે અને તેઓ સર્વ પ્રસંગો દ્વારા કાર્ય કરે છે અને જે કંઈ બને છે તે સર્વ કાર્યોમાં તેઓ કાર્યરત છે.
\p
\s5
\v 7 ઈશ્વરે દરેક વિશ્વાસીને ખ્રિસ્તની કૃપાના પ્રમાણમાં, પોતાની મરજી અનુસાર, ઉદારતાથી આપણને આત્મિક દાન આપ્યાં છે.
\v 8 આ તો જેઓ પર ઈશ્વરે વિજય મેળવ્યો તેમની પાસેથી ખંડણીનાં નાણાં સ્વીકારતા ઈશ્વર વિષે જેમ ગીતકર્તા કહે છે તેના જેવું છે,
\q જ્યારે તેઓ પર્વતની ટોચ પરથી તેમના શહેરમાં ચઢી ગયા ત્યારે,
\q તેઓ બંદીવાનોને બંદીવાસમાં દોરી ગયા
\q અને તેઓનાં ખંડણીનાં નાણાં પોતાના લોકોને આપ્યાં.
\p
\s5
\v 9 "તેઓ ચઢી ગયા" તે શબ્દો આપણને જણાવે છે કે ખ્રિસ્ત પણ અગાઉ સ્વર્ગમાંથી પૃથ્વી પર ઊતરી આવ્યા હતા, જાણે ઈશ્વરના અભિષિક્ત રાજા યરુશાલેમમાંથી લડાઈ કરવા નીચે આવ્યા હોય તેમ.
\v 10 ખ્રિસ્ત, જેઓ પૃથ્વી પર દુષ્ટતા પર વિજય મેળવવા ઊતર્યા, તેઓ એ જ છે જેઓ આપણા પાપોને માટે વધસ્તંભે જડાયા, સજીવન થયા, અને સ્વર્ગમાંના સૌથી મહિમાવંત સ્થાનમાં ચઢી ગયા કે જેથી તેઓ સર્વ બાબતો પર નિયંત્રણ રાખે.
\s5
\v 11 તેમણે કેટલાક વિશ્વાસીઓને પ્રેરિતો, કેટલાકને પ્રબોધકો, કેટલાકને સુવાર્તિકો અને કેટલાકને દોરવા અને બીજાઓને વિશ્વાસીઓના સમૂહને શીખવવાને સારુ નીમ્યા છે.
\v 12 આ તો ઈશ્વરના લોકોને ઈશ્વરનું કામ કરવા અને બીજાઓની સેવા કરવા તૈયાર કરવા માટે હતું, કે જેથી સર્વ લોકો જેઓ ખ્રિસ્તના છે તેઓ આત્મિક રીતે બળવાન થઈ શકે.
\v 13 તેઓ ઇચ્છે છે કે આપણે સર્વ વિશ્વાસીઓ એકબીજા સાથે એક થઈએ કે જેથી આપણે બધા તેમનામાં વિશ્વાસ કરીએ અને તેમને પૂર્ણ રીતે સમજવા માટે વૃદ્ધિ પામીએ. તેઓ ઇચ્છે છે કે આપણે પરિપક્વ વિશ્વાસીઓ બનીએ, અને એકસાથે, તેઓ જેવા સંપૂર્ણ છે તેવા બનવા વૃદ્ધિ પામીએ.
\s5
\v 14 એક વાર આપણે પરિપક્વ થયા, તેથી હવેથી આપણે નાનાં બાળકોની જેમ, જે સત્ય છે તેનાથી અજાણ રહીશું નહીં. જેમ હોડી પવન અને મોજાંથી આમતેમ હડસેલાય છે તેમ દરેક નવા શિક્ષણને અનુસરીશું નહીં. જે ખોટું છે તે શીખવીને જેઓ આપણને છેતરે છે તેવા લોકોને સ્થાન આપીશું નહિ.
\v 15 તેના બદલે, આપણે ઈશ્વરને પ્રેમ કરતાં અને તેમના સાચા શિક્ષણ પર વિશ્વાસ કરતાં જીવીશું, અને આપણે દરેક રીતે વિશેષ પ્રમાણમાં ખ્રિસ્ત જેવા બનતા જઈશું. જેમ વ્યક્તિનું શિર તેના શરીરને કાબૂમાં રાખે છે તેમ તેઓ પોતાના લોકોને કાબૂમાં રાખે છે.
\v 16 જેમ વ્યક્તિનું શરીર એકસાથે ગોઠવાયેલું અને સાંધા કે જે શરીરને એકસાથે જોડે છે તેના દ્વારા જોડાયેલું રહે છે, કે જે શરીરને વધવા અને બાંધવા માટે સક્ષમ બનાવે છે કેમ કે શરીરના અવયવો એકબીજા પર આધાર રાખે છે, તેમ ખ્રિસ્ત દરેક સ્થળનાં સર્વ વિશ્વાસીઓને ભેગા મળીને વૃદ્ધિ પામવા અને એકબીજાને પ્રેમ કરવા સક્ષમ બનાવે છે.
\p
\s5
\v 17 પ્રભુ ઈસુના અધિકાર દ્વારા, હું ખાતરીપૂર્વક કહું છું કે તમે હવેથી અવિશ્વાસ કરનારા બિન-યહૂદીઓની જેમ જીવશો નહીં. તેઓનું વ્યર્થ રીતે વિચારવું તે તેમને તેવી રીતે જીવવા તરફ દોરે છે.
\v 18 તેઓ સાચું કે ખોટું શું છે તે વિષે સ્પષ્ટ રીતે વિચારવા અસમર્થ છે. તેઓ ઈશ્વરના સંદેશને સાંભળવાનો ઇનકાર કરે છે તે કારણે તેઓ ઈશ્વરની આજ્ઞા પાળવાને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી, અને તેથી ઈસુ આપણને જે અનંતજીવન આપે છે તે તેમની પાસે નથી.
\v 19 તેમનું શરીર ઇચ્છે તેવી શરમજનક બાબતો સતત કરવાનું તેમણે પસંદ કર્યું. તેઓ દરેક પ્રકારનાં અનૈતિક કાર્યો કરે છે અને વધારે પ્રમાણમાં તેનાં બંધાણી થતા જાય છે, અને જેની પણ તેઓ ઇચ્છા રાખે છે તેના માટે તેઓ લાલચુ છે.
\s5
\v 20 પરંતુ જ્યારે તમે ખ્રિસ્ત વિષે શીખ્યા ત્યારે તમે તે રીતે જીવવાનું શીખ્યા નહોતા.
\v 21 હવે તમે ઈસુ વિષે સાંભળ્યું છે અને તેમણે તમને શીખવ્યું છે, માટે તમે જાણો છો કે તેમનો માર્ગ એ જ જીવનનો સાચો માર્ગ છે.
\v 22 ઈસુએ શીખવ્યું છે કે તમે જેમ અગાઉ જીવતા હતા તે પ્રમાણે જીવવાનું તમારે બંધ કરવું જ પડશે. તમે જાણે સડી રહેલાં મૂડદા જેવા હતા કારણ કે તમે તમારી જાતને તમે જેની ઇચ્છા રાખો છો તે દ્વારા છેતરી રહ્યા હતા.
\s5
\v 23 તમારે ઈશ્વરને તમારા આત્મા અને તમે કેવી રીતે વિચારો છો તે બદલવા દેવું જ જોઈએ.
\v 24 તમારે નવી વ્યક્તિની જેમ જીવવાનું શરૂ કરવું જ જોઈએ. ઈશ્વરે તમને નવી વ્યક્તિ તરીકે ઉત્પન્ન કર્યા છે. તમે તેમના માટે અલગ કરાયેલા છો. તેમણે તમને યોગ્ય રીતે જીવવા ઉત્પન્ન કર્યા છે, જેથી તમે ઈશ્વરને ખરેખર સમર્પિત થાઓ.
\p
\s5
\v 25 તેથી, એકબીજા સાથે જુઠ્ઠું બોલવાનું છોડી દો. જેમ શાસ્ત્રવચન કહે છે, "એકબીજા સાથે સત્યતાથી વાત કરો કારણ કે હવે આપણે એકબીજાના સાથી વિશ્વાસીઓ છીએ." હવે આપણે ઈશ્વરના કુટુંબમાં એકબીજા સાથે સંબંધિત છીએ.
\v 26 જો તમે ગુસ્સે થાઓ, તો તમારા ગુસ્સાને પાપ બનવા દેશો નહીં. દિવસ પૂરો થાય તે પહેલાં, ગુસ્સે થવાનું બંધ કરો
\v 27 કે જેથી તમે શેતાનને તમારા પર હુમલો કરવાની છૂટ ન આપો.
\s5
\v 28 જેઓ ચોરી કરતા હોય તેમણે હવે પછીથી ચોરી કરવી નહિ. તેના બદલે, તેઓએ સખત મહેનત કરીને તેમના પોતાના પ્રયત્નો દ્વારા પોતાની રોજી કમાવવી, કે જેથી તેઓની પાસે જેઓ જરૂરિયાતમંદ છે તેમને આપવા માટે કંઇક હોય.
\v 29 અશુદ્ધ ભાષાનો ઉપયોગ ન કરો. તેના બદલે, સારી બાબતો બોલવી કે જે લોકોને યોગ્ય સમયે સહાય કરે અને સાંભળનારને સહાયરૂપ બને.
\v 30 તમારા જીવન દ્વારા ઈશ્વરના પવિત્ર આત્માને દુઃખી કરશો નહિ. તેમણે વચન આપ્યું છે કે ઈશ્વર એક દિવસે આપણને આ દુષ્ટ જગતમાંથી છોડાવશે.
\s5
\v 31 બીજાઓ પ્રત્યે થોડો પણ અણગમો ન રાખો. કોઈપણ રીતે ગુસ્સે ન થાઓ કે બીજાઓને મોટે અવાજે અપશબ્દ ન બોલો. બીજાઓની નિંદા ન કરો. બીજાઓ વિરુદ્ધ દુષ્ટ યોજના ન બનાવો.
\v 32 એકબીજાઓ પ્રત્યે દયાળુ થાઓ. પરસ્પર ભલાઈથી વર્તો. ખ્રિસ્તે તમારા માટે જે કર્યું તેના લીધે જેમ ઈશ્વરે તમને માફ કર્યા, તેમ એકબીજાને માફ કરો.
\s5
\c 5
\p
\v 1 ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને તમે તેમનાં બાળકો છો તે કારણે તેમનું અનુસરણ કરો.
\v 2 જેમ ખ્રિસ્તે આપણને પ્રેમ કર્યો એટલે કે જ્યારે તેમણે પોતાની જાતને વધસ્તંભ પર આપણા પાપોનાં અર્પણ અને બલિદાન તરીકે ઈશ્વરને આપી દીધી, તે બાબત ઈશ્વરને ખૂબ પ્રસન્ન કરનારી બાબત હતી. તમે બીજાઓને પ્રેમ કરવા દ્વારા જીવો.
\s5
\v 3 કોઇપણ પ્રકારનાં અનૈતિક કાર્ય ન કરો અને બીજાઓ પાસે જે હોય તેની કે બીજાઓ જે ખોટી બાબતો કરતા હોય તેની ઇચ્છા ન રાખો. આવાં પાપો બીજાઓને ઈશ્વરનાં લોકો એટલે કે જેઓ ઈશ્વર માટે અલગ કરાયેલા છે તેઓના સંબંધી ખોટી વાતો કરવા માટે કારણ આપે છે.,
\v 4 બીજાઓને અશ્લીલ વાર્તાઓ કે મૂર્ખાઈ ભરેલી વાતો ન કહો અથવા પાપ કરવા વિષે મજાક ન કરો. તે એવી બાબતો છે કે જેના વિષે ઈશ્વરનાં લોકો વાત કરતા નથી. તેના બદલે, જ્યારે તમે બીજાઓ સાથે વાત કરો ત્યારે ઈશ્વરના પ્રેમ માટે તેમનો આભાર માનો.
\s5
\v 5 તમે આ વિષે ખાતરી રાખી શકો છો: કોઈ વ્યક્તિ કે જે જાતીય રીતે અનૈતિક કે અસભ્ય, અથવા લોભી (કેમ કે તે મૂર્તિ પૂજા કરવા જેવું છે) હોય તેવી વ્યક્તિ ઈશ્વરના લોકોની મધ્યે નહિ હોય કે જેમની પર ખ્રિસ્ત રાજા તરીકે રાજ કરશે.
\v 6 કોઈ તમને ખોટી દલીલોથી છેતરે નહીં. કેમ કે તેઓ આવી પાપી બાબતો કરે છે, માટે ઈશ્વર તેમની આજ્ઞા ન પાળનારા લોકોથી ગુસ્સે થશે.
\p
\v 7 તેથી આ પ્રકારનાં પાપ કરનારાઓના સહભાગી થશો નહિ.
\s5
\v 8 તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો તે અગાઉ, જાણે તમને અંધારી રાત ચોતરફથી ઘેરી વળી હોય તેમ તમે પાપમય અનાજ્ઞાંકિતપણામાં જીવતા હતા. પરંતુ હવે તમે પ્રભુના પ્રકાશમાં જીવો છો.
\v 9 જેમ પ્રકાશ સારી બાબતો ઉત્પન્ન કરે છે, તેમ જ જેઓ ઈસુના પ્રકાશમાં રહે છે તેઓ સારું, યોગ્ય અને ખરું શું છે તે જાણે છે અને કરે છે.
\v 10 તપાસ કરો અને શોધી કાઢો કે પ્રભુને શું પ્રસન્ન કરે છે.
\v 11 જેઓ આત્મિક અંધકારમાં થનાર વ્યર્થ કાર્યો કરનારા છે તેઓના સહભાગી ન થાઓ. તેના બદલે, કહો, "તે પાપી કાર્યો વ્યર્થ છે,"
\v 12 કેમ કે લોકો અંધકારમાં ગુપ્ત રીતે જે દુષ્ટ બાબતો કરે છે તેનું વર્ણન પ્રકાશમાં કરવું ખૂબ શરમજનક છે.
\s5
\v 13 પ્રકાશ જે બધું ખુલ્લું પાડે છે તે ત્યારબાદ સ્પષ્ટ જોઈ શકાય છે અને સારી રીતે સમજી શકાય છે
\v 14 કારણ કે ખરેખર તે શું છે તે પ્રકાશ બતાવે છે. તે તેના જેવું છે કે જ્યારે ઈશ્વરનાં વચનો પાપ કે જે લોકોનો નાશ કરે છે તે વિષે અને ઈસુ જે માફ કરે છે અને લોકોને નવા બનાવે છે તે વિષે સમજાવે છે. તેથી વિશ્વાસીઓ કહે છે,
\q "તમારી ઊંઘમાંથી જાગૃત થાઓ અને મૃત લોકોની જેમ જીવવાનું બંધ કરો. ખ્રિસ્ત તમને તેમની માફી અને નવું જીવન સમજવા માટે સમર્થ કરશે.
\p
\s5
\v 15 તેથી તમે કેવી રીતે જીવો છો તે વિષે ખૂબ સાવધ રહો. મૂર્ખ લોકો જેમ વર્તે છે તેમ વર્તશો નહીં. તેના બદલે, સમજુ લોકો જેમ વર્તે છે તેમ વર્તો.
\v 16 પૃથ્વી પર તમારી પાસે જે સમય છે તેનો ડહાપણપૂર્વક ઉપયોગ કરો કારણ કે દિવસો દુષ્ટતા ભરેલા છે.
\v 17 તેથી મૂર્ખ ન બનો. તેના બદલે, પ્રભુ ઈસુ જે ઇચ્છે છે કે તમે કરો તેને તમે સમજો અને તે કરો!
\p
\s5
\v 18 દારૂ પીને છાકટા બનશો નહિ, તેનાથી તો તમારું જીવન બરબાદ થાય છે. તેના બદલે, તમે સર્વ સમયે જે કરો છો તેનું નિયંત્રણ ઈશ્વરના આત્માને કરવા દો.
\v 19 એકબીજાને સારુ સ્તોત્રો ગાઓ, અને ખ્રિસ્ત વિષેનાં ગીતો ગાઓ, તથા ઈશ્વરનો આત્મા જે ગીતો આપે છે તે ગાઓ. પ્રભુ ઈસુની સ્તુતિ કરવા આ સ્તોત્રો અને તમારા હૃદયમાંનાં બીજાં ગીતો ગાઓ.
\v 20 પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા માટે જે કર્યું છે તેના કારણે સર્વ સમયે સર્વ બાબતો માટે ઈશ્વર પિતાનો આભાર માનો.
\v 21 નમ્રતાપૂર્વક તમારી જાતને એકબીજાને આધીન કરો કારણ કે તમે ખ્રિસ્તને માન આપો છો.
\p
\s5
\v 22-23 પત્નીઓએ જેમ તેઓ પ્રભુ ઈસુને આધીન રહે છે તેમ પોતાના પતિની આગેવાનીને આધીન રહેવું, કારણ કે જેમ ખ્રિસ્ત સમસ્ત દુનિયાના વિશ્વાસીઓની મંડળીના આગેવાન છે તેમ જ પતિ પત્નીનો આગેવાન છે. તેઓ ઉદ્ધારકર્તા છે કે જેઓએ સર્વ વિશ્વાસીઓને તેમનાં પાપોને લીધે દોષિત ઠરવામાંથી બચાવ્યા.
\v 24 જેવી રીતે બધા વિશ્વાસીઓ પોતાની જાતને ખ્રિસ્તના અધિકાર હેઠળ સોંપે છે, તેવી જ રીતે સ્ત્રીઓએ પોતાની જાતને સંપૂર્ણ રીતે તેમના પતિઓના અધિકાર હેઠળ સોંપવી જોઈએ.
\p
\s5
\v 25 તમારામાંનો દરેક પતિ, જેમ ખ્રિસ્તે સર્વ વિશ્વાસીઓને પ્રેમ કર્યો અને આપણા માટે પોતાનો જીવ વધસ્તંભ પર આપી દીધો તેમ તમે તમારી પત્નીને પ્રેમ કરો,
\v 26 જેથી તેઓ આપણને પોતાને માટે અલગ કરી શકે. જાણે તેમણે આપણને પાણીથી ધોયાં હોય તેમ, તેમના વચનના સામર્થ્ય દ્વારા ઈસુએ આપણા પાપોની શિક્ષા નાબૂદ કરતાં વિશ્વાસીઓને શુદ્ધ કર્યા.
\v 27 હવે ખ્રિસ્ત સર્વ વિશ્વાસીઓને પોતાની સમક્ષ સંપૂર્ણ શુદ્ધ, માફી પામેલા, દોષરહિત અને પાપરહિત જૂથ તરીકે પ્રસ્તુત કરી શકે છે.
\s5
\v 28 દરેક પુરુષ જેમ પોતાના શરીરને પ્રેમ કરે છે તેમ તેણે પોતાની પત્નીને પ્રેમ કરવો જોઈએ. જ્યારે પુરુષો પોતાની પત્નીઓને પ્રેમ કરે, ત્યારે તેઓ પોતાને પ્રેમ કરતા હોય તેવું બને છે,
\v 29-30 કેમ કે કોઈએ ક્યારેય પણ પોતાના શરીરનો તિરસ્કાર કર્યો નથી. તેના બદલે, જે રીતે ખ્રિસ્ત પણ સમસ્ત દુનિયાની મંડળીમાંના આપણ સર્વ વિશ્વાસીઓની સંભાળ લે છે તેમ જ તે પોતાના શરીરને ખોરાક આપે છે અને તેની સંભાળ લે છે. આપણે વિશ્વાસીઓનું એક જૂથ બની ગયા છીએ કે જે તેમનું છે.
\s5
\v 31 જેઓ લગ્ન કરે છે તેના વિષે શાસ્ત્રવચન આ કહે છે,
\q "જ્યારે પુરુષ અને સ્ત્રી લગ્ન કરે છે, ત્યારે તેમણે કાયમ માટે તેમનાં માતા અને પિતાને છોડવા જોઈએ. તેઓએ પતિ અને પત્ની તરીકે જોડાવું જોઈએ, અને તેઓ બંને જાણે એક જ વ્યક્તિ હોય તેવાં થશે.
\p
\v 32 ઈશ્વરે હમણાં જે બાબતો પ્રગટ કરી છે તેનો અર્થ સમજવો મુશ્કેલ છે, પરંતુ હું તમને સમસ્ત દુનિયાની મંડળીના વિશ્વાસીઓ માટેનાં ખ્રિસ્તનાં પ્રેમ વિષે કહું છું.
\v 33 તેમ છતાં, તમારા માટે, દરેક પુરુષે જેમ તે પોતાની જાતને પ્રેમ કરે છે તેમ તેની પત્નીને પ્રેમ કરવો જ જોઈએ, અને દરેક સ્ત્રીએ તેના પતિને માન આપવું જોઈએ.
\s5
\c 6
\p
\v 1 બાળકો તમે, તમારાં માતાપિતાની આજ્ઞા પાળો, કારણ કે તમે પ્રભુ ઈસુના છો, અને તે કરવું તમારા માટે યોગ્ય છે.
\v 2 ઈશ્વરે તેમના શાસ્ત્રવચનમાં આદેશ આપ્યો છે કે,
\p "તમારા માતાપિતાનું ખૂબ સન્માન કરો." ઈશ્વરે કરેલી આજ્ઞાનો તે પ્રથમ નિયમ છે કે જેમાં તેમણે કંઇક વચન પણ આપ્યું. તેમણે વચન આપ્યું કે,
\p
\v 3 "જો તમે તે કરશો, તો તમે સમૃદ્ધિ પામશો, અને તમે પૃથ્વી પર લાંબા સમય સુધી જીવશો."
\p
\s5
\v 4 માતાપિતાઓ તમે તમારાં બાળકો પ્રત્યે એટલી ગંભીર રીતે વર્તશો નહિ કે તેઓ ગુસ્સે થઈ જાય. તેના બદલે, તેમને શીખવવા દ્વારા અને જે રીતે પ્રભુ ઈસુ ઇચ્છે છે કે તમે કરો તેવી રીતે શિસ્તમાં લાવવીને તેમનો ઉછેર કરો.
\p
\s5
\v 5 દાસો તમે પૃથ્વી પર જેઓ તમારા માલિકો છે તેઓની આજ્ઞા માનો. જેમ તમે ખ્રિસ્તની આજ્ઞા માનો છો તેમ ખૂબ સન્માનપૂર્વક અને અંત:કરણપૂર્વક તેમની આજ્ઞા માનો.
\v 6 જ્યારે તેઓ તમને જોતા હોય ત્યારે દેખાવ પૂરતી જ તેમની આજ્ઞા ન માનો. તેના બદલે, તમે તમારા માલિકોના નહીં, પણ જાણે ખ્રિસ્તના દાસ હોય તેમ તેમની આજ્ઞા માનો.
\v 7 જેમ તમે પ્રભુ ઈસુની સેવા કરતા હોય અને દુનિયાના લોકોની નહિ, તેમ તમારા માલિકોની સેવા ખુશીથી કરો.
\v 8 આ કરો કારણ કે તમે જાણો છો કે એક દિવસે પ્રભુ ઈસુ દરેકને તે વ્યક્તિએ જે કંઈ સારા કાર્યો કર્યા હશે તેનો બદલો આપશે. તે વ્યક્તિ દાસ છે કે સ્વતંત્ર તેનો કોઈ ફેર પડશે નહિ.
\p
\s5
\v 9 માલિકો જેમ તમારા દાસોએ તમારી સારી રીતે સેવા કરવી જોઈએ, તેમ તમારે તેમની સાથે સારી રીતે વર્તવું જોઈએ. તેમને ડરાવવાનું બંધ કરો. ભૂલશો નહિ કે જે તેમના પ્રભુ અને તમારા પ્રભુ છે તેઓ સ્વર્ગમાં છે. તમે એક વ્યક્તિ કરતાં બીજીને વધારે મહત્વ ન આપતાં સાચું કર્યું છે કે નહીં તેનો તેઓ ન્યાય કરે છે.
\p
\s5
\v 10 છેવટે, તેમના પોતાના શક્તિશાળી સામર્થ્ય દ્વારા તમને આત્મિક રીતે દ્રઢ બનાવવા માટે પ્રભુ ઈસુ પર સંપૂર્ણ આધાર રાખો.
\v 11 જેવી રીતે સૈનિક તેનું સમગ્ર બખ્તર પહેરી લે છે, તેવી જ રીતે જ્યારે શેતાન તમારી વિરુદ્ધ હોશિયારીથી કાવતરું ઘડે ત્યારે તમારે શેતાનનો સફળતાપૂર્વક સામનો કરવા ઈશ્વરના દરેક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ.
\s5
\v 12 આપણે બીજા માણસો વિરુઘ્ધ લડતા નથી, પરંતુ તેના બદલે આપણે દરેક પ્રકારના શેતાની શાસકો અને દુષ્ટાત્માઓ કે જેઓ આત્મિક અંધકારમાં રહે છે તેમની વિરુદ્ધ લડાઈ લડી રહ્યાં છીએ.
\v 13 તેથી, જે રીતે સૈનિક તેનું સમગ્ર બખ્તર પહેરી લે છે, તે જ રીતે તમારે પણ ઈશ્વરનું સમગ્ર બખ્તર પહેરી લેવું જોઈએ કે જેથી તમે પૃથ્વી પરના આ દુષ્ટતાના સમયમાં દુષ્ટતાની વિરુદ્ધ ઊભા રહી શકો. ઈશ્વરનાં બખ્તર દ્વારા તમે દુષ્ટતાના હુમલાઓની વિરુદ્ધ લડી શકો છો અને ઈશ્વર માટે જીવી શકો છો.
\p
\s5
\v 14 જેમ સૈનિક ચોકી કરવા ઊભો રહે તેમ અડગ ઊભા રહો. જેમ સૈનિક તેની કમરની આસપાસ તેનો પટ્ટો બાંધે તેમ તમે સત્યને પહેરો; અને જેમ તે બખતર પહેરે, તેમ તમે ઈશ્વરે તમને જે કરવાનો આદેશ આપ્યો છે તે કરવા દ્વારા તમારું બખતર પહેરો.
\v 15 જેવી રીતે સૈનિકો તેમનાં પગરખાં પહેરે, તેવી રીતે શુભ સમાચારના લીધે તમારે જ્યાં કંઈપણ જવાની જરૂર હોય ત્યાં જવા તૈયાર રહો, જે સર્વ સ્થળોએ તમે જાઓ ત્યાં તમારી સાથે શુભ સમાચાર અને શાંતિ લઇ જાઓ.
\v 16 જેવી રીતે સૈનિકો પોતાની ઢાલ ઊંચકે છે, તેવી રીતે તમે વિશ્વાસની ઢાલ ઊંચકો, અને તે ઢાલ તમને જે દુષ્ટ છે તેના તરફથી તમારી ઉપર મારવામાં આવતાં સળગતા તીરોથી રક્ષણ આપશે. તમારી ઢાલ તમારું રક્ષણ કરશે.
\s5
\v 17 જેમ સૈનિક તેનાં માથાનું રક્ષણ કરવા ટોપ પહેરે છે, તેમ તમારા તારણનો ટોપ તમારું રક્ષણ થશે. સૈનિક પાસે તરવાર હોય છે, પરંતુ તમારી તરવાર એ ઈશ્વરનાં વચનો છે, કે જે "આત્માની તરવાર" છે."
\v 18 અને ઈશ્વરના આત્માને તમે કેવી રીતે પ્રાર્થના કરો છો અને શાને માટે પ્રાર્થના કરો છો તેમાં દોરવણી આપવા દો. સર્વ સમયે ઈશ્વરને પ્રાર્થના કરતા રહો અને બીજા લોકોને જે જરૂરિયાતો હોય તે સંતોષવા ઈશ્વરને હંમેશાં કહ્યા કરો. જો તમે તમારી પ્રાર્થનાઓમાં અસરકારક બનવા માગો છો તો, તમારે આત્મિક રીતે સાવધાન બનવું જ પડશે. ઈશ્વરના સર્વ પવિત્ર લોકોને માટે પ્રાર્થના કરવા ખાસ કાળજી રાખો.
\s5
\v 19 અને ખાસ કરીને, મારા માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે જ્યારે પણ હું બોલું ત્યારે મારે શું કહેવું તે ઈશ્વર મને કહે, કે જેથી હું બીજાઓને નીડરતાથી ખ્રિસ્ત વિષેના શુભ સમાચાર કહી શકું. લોકો તે સંદેશ અગાઉ જાણતા ન હતા, પરંતુ ઈશ્વરે હમણાં મને તે પ્રગટ કર્યો છે.
\v 20 તેના કારણે અહીં જેલમાં, હું ખ્રિસ્તનો પ્રતિનિધિ છું. પ્રાર્થના કરો કે જ્યારે હું ખ્રિસ્ત વિષે બીજાઓને કહું, ત્યારે હું ભયભીત થયા વિના બોલું, કારણ કે મારે તેવી જ રીતે બોલવું જોઈએ.
\p
\s5
\v 21 મારી સાથે જે બની રહ્યું છે તે અને હું શું કરું છું તે વિષે તમે જાણો તે માટે, હું તુખિકસને આ પત્ર સાથે તમારી પાસે મોકલું છું. તે તમને અહીં જે સર્વ બની રહ્યું છે તે કહેશે. તે સાથી વિશ્વાસી છે કે જેને અમે બધાં જ ખૂબ પ્રેમ કરીએ છીએ, અને તે વિશ્વાસુપણે પ્રભુ ઈસુની સેવા કરે છે.
\v 22 તેને તમારી પાસે મોકલવાનું તે જ કારણ છે; હું ઇચ્છું છું કે તમે જાણો કે હું અને મારા સાથીઓની સ્થિતિ કેવી છે. હું ઇચ્છું છું કે તે તમને દિલાસો અને ઉત્તેજન આપે.
\p
\s5
\v 23 હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમો સર્વ સાથી વિશ્વાસીઓને આંતરિક શાંતિ આપો, તથા એકબીજાને પ્રેમ કરવા અને ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા રહેવા સમર્થ બનાવો.
\v 24 હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમારા પ્રત્યે અને બીજા સર્વ કે જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરે છે અને તે પ્રેમ કરવાનું ક્યારેય બંધ કરશે નહીં તેઓ પ્રત્યે દયાળુપણે વર્તવાનું ચાલુ રાખો.

204
51-PHP.usfm Normal file
View File

@ -0,0 +1,204 @@
\id PHP - UDB Guj
\ide UTF-8
\h ફિલિપીઓને પત્ર
\toc1 ફિલિપીઓને પત્ર
\toc2 ફિલિપીઓને પત્ર
\toc3 php
\mt1 ફિલિપીઓને પત્ર
\s5
\c 1
\p
\v 1 ફિલિપી શહેરમાં વસતા વિશ્વાસીઓને હું પાઉલ આ લખું છું. ફિલિપીમાંના સર્વ જેઓને ઈશ્વરે તેમના પોતાને માટે અલગ કર્યા છે, અને તમે જેઓ ખ્રિસ્તની સાથે જોડાયા છો તેઓને, હું પાઉલ તથા તિમોથી આ પત્ર મોકલીએ છીએ. વળી, જેઓ અધ્યક્ષો છે અને સેવકો જેઓ ત્યાં સેવા કરે છે તેઓને પણ અમે આ પત્ર મોકલીએ છીએ.
\v 2 અમારી પ્રાર્થના છે કે ઈશ્વર આપણા પિતા અને ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ તમને કૃપા તથા શાંતિ આપો.
\p
\s5
\v 3 હું જયારે પ્રાર્થના કરું છું અને હું તમારા વિષે વિચારું છું ત્યારે હું મારા ઈશ્વરનો આભાર માનું છું.
\v 4 તમો સર્વને માટે હું સતત આનંદસહિત પ્રાર્થના કરું છું
\v 5 અને ઈશ્વરનો આભાર માનું છું કારણ કે તમે વિશ્વાસ કર્યો તે દિવસથી આજ સુધી મારી, તિમોથીની અને બીજાઓની સાથે શુભ સંદેશ પ્રગટ કરવામાં તમે કામ કરી રહ્યા છો.
\v 6 હું જાણું છું કે ઈશ્વર તમારી મધ્યે ઘણું સારું કાર્ય કરી રહ્યા છે. મને સંપૂર્ણ ખાતરી છે કે ઈસુ ખ્રિસ્તના પાછા આવવાના સમય સુધી તેઓ તે કાર્યને પૂર્ણ કરશે.
\s5
\v 7 તમારા સબંધી એવું અનુભવવું મને યોગ્ય લાગે છે, કારણ કે હું તમને હૃદયથી ચાહું છું. હું હમણાં કેદખાનામાં છું ત્યારે, કે પછી જાહેરમાં શુભ સંદેશ વિષે બોલતો હોઉં અને તે સત્ય છે એમ લોકોને બતાવતો હોઉં ત્યારે પણ ઈશ્વરે જે કાર્ય તેમની કૃપામાં મને આપ્યું તેને આગળ લઇ જવામાં તમે મારા સહભાગી થયા છો.
\v 8 ઈશ્વર જુએ છે કે જેમ ઈસુ ખ્રિસ્ત આપણ સર્વને પ્રેમ કરે છે, તેમજ હું તમને ગાઢ પ્રેમથી ચાહું છું અને તમારી સાથે રહેવાની ઊંડી આતુરતાથી ઇચ્છા રાખું છું.
\p
\s5
\v 9 હું તમારા માટે પ્રાર્થના કરું છું કે, તમે એકબીજા પર વધુ ને વધુ પ્રેમ કરો, કે જેથી તમે એ જાણો અને સમજો કે ઈશ્વર શા માટે ઇચ્છે છે કે તમે એવું કરો.
\v 10 હું એ પણ પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમને શક્તિમાન કરે કે તમારે શાના પર વિશ્વાસ કરવો અને કેવી ઉત્તમ રીતે તે કાર્ય કરવું તે તમે જાણી શકો. હું આ પ્રમાણે પ્રાર્થના કરું છું કે જેથી જ્યારે ખ્રિસ્ત પાછા આવે ત્યારે તમે પ્રામાણિક અને નિર્દોષ માલુમ પડો.
\v 11 વળી, હું પ્રાર્થના કરું છું કે તમે કરી શકતા હો એવી બાબતો હંમેશા કરો, કારણ કે ઈસુ ખ્રિસ્તને કારણે ઈશ્વરે તમને પોતાની દ્રષ્ટિમાં સારા જાહેર કર્યા છે. પછી બીજા લોકો જોશે કે તમે ઈશ્વરને કેવું માન આપો છો.
\p
\s5
\v 12 મારા સાથી વિશ્વાસીઓ, તમે એ જાણો એવું હું ઇચ્છું છું કે જે મુશ્કેલ બાબતોને મેં સહન કરી તે બાબતોએ મને શુભ સંદેશ પ્રગટ કરવાથી અટકાવ્યો નથી. તેથી ઊલટું, મારી મુશ્કેલીઓએ મને વધારે લોકોને શુભ સંદેશ પ્રગટ કરવા સહાય કરી.
\v 13 વિશેષ તો, અહીંના સર્વ લશ્કરી સુરક્ષાકર્મીઓ અને આ શહેરના બીજા લોકો હવે જાણે છે કે ખ્રિસ્ત સંબંધીનો શુભ સંદેશ પ્રગટ કરવાને લીધે હું કેદી છું.
\v 14 વળી, મોટા ભાગના વિશ્વાસીઓ હવે ઈસુ વિશેનો શુભ સંદેશ નિર્ભયપણે અને હિંમતથી પ્રગટ કરી રહ્યા છે કારણ કે તેઓ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખે છે કે તેઓ તેમને સહાય કરશે. તેઓ ઈસુ વિષે વધુ હિંમતથી બોલી રહ્યા છે કારણ કે શુભ સંદેશ પ્રગટ કરવામાં પ્રભુએ જેલમાં મારી સહાય કરી તે તેઓએ જોયું છે.
\p
\s5
\v 15 કેટલાક લોકો ઈર્ષાળુ હોવાને કારણે શુભ સંદેશ પ્રગટ કરે છે અને તેઓ ચાહે છે કે વિશ્વાસીઓ મારા કરતાં તેઓને વધુ માન આપે. પણ બીજા લોકો તેઓ ખ્રિસ્તને પ્રેમ કરે છે તે કારણે શુભ સંદેશ પ્રગટ કરે છે અને તેઓ ઇચ્છે છે કે જેઓએ શુભ સંદેશ સાંભળ્યો નથી તેઓ સાંભળે.
\v 16 જેઓ ખ્રિસ્ત પર પ્રેમ રાખે છે માટે શુભ સંદેશ પ્રગટ કરે છે તેઓ જાણે છે કે ઈશ્વરે મને જાહેરમાં બોલવા માટે અને શુભ સંદેશ શા માટે સત્ય છે તે સમજાવવા નિયુક્ત કર્યો છે.
\v 17 પણ જેઓ સ્વાર્થી હેતુઓથી ખ્રિસ્ત વિષેનો શુભ સંદેશ પ્રગટ કરે છે, તેઓની પાસે યોગ્ય કારણો નથી. તેઓનું માનવું છે કે જ્યારે હું અહીં જેલમાં છું ત્યારે તેઓ મને વધુ દુઃખ પહોંચાડે.
\s5
\v 18 પણ તેનો કંઇ અર્થ નથી! લોકો ખ્રિસ્ત વિશેનો શુભ સંદેશ કાં તો સારા હેતુથી કે પછી ખરાબ હેતુથી પ્રગટ કરે છે. તેથી હું તો આનંદ પામું છું કે લોકો ઈસુ ખ્રિસ્ત વિશેનો શુભ સંદેશ પ્રગટ કરી રહ્યા છે! અને હું તેમાં આનંદ કરવાનું ચાલુ રાખીશ!
\p
\v 19 હું આનંદ કરીશ કારણ કે હું જાણું છું કે ઈશ્વર મને જેલમાંથી મુક્ત કરાવશે. તેઓ એમ કરશે કારણ કે તમે મારે માટે પ્રાર્થના કરી રહ્યા છો અને કારણ કે ઈસુ ખ્રિસ્તનો આત્મા મને મદદ કરી રહ્યો છે.
\s5
\v 20 હું આતુરતાથી અને વિશ્વાસથી અપેક્ષા રાખું છું કે, હું જે કરું છું તેમાં હું કોઇપણ રીતે નિષ્ફળ ન જાઉં. તેને બદલે, જેમ ભૂતકાળમાં હતી તેમ હાલમાં પણ મારી પાસે હિંમત હશે. જો કે હું જીવું કે મરું, હું મારા શરીરથી ખ્રિસ્તને માન આપીશ.
\p
\v 21 મારા વિષે કહું તો હું ખ્રિસ્તને માન મળે માટે જીવું છું. પણ જો હું મરણ પામું તો, મારા માટે તે વધુ સારું હશે.
\s5
\v 22 બીજી તરફ, જો હું આ જગતમાં જીવતો રહું તો હું અહીં ખ્રિસ્તની સેવા કરી શકીશ. તેથી હું જીવવા માગું છું કે મરવા તે હું જાણતો નથી.
\v 23 જીવવું કે મરવું, મને જે સારું લાગે તે હું પસંદ કરી શકતો નથી. હું મરણ પામીને આ જગત છોડીને ખ્રિસ્ત સાથે રહેવા માંગું છું, કારણ કે ખ્રિસ્ત સાથે રહેવું કોઈ પણને માટે વધારે સારું હશે.
\v 24 પણ, હું આ જગતમાં જીવતો રહું તે વધારે અગત્યનું છે, કારણ કે તમને મદદ કરવા તમારે હજુ મારી જરૂર છે.
\s5
\v 25 મને આ બાબતની ખાતરી છે માટે હું જાણું છું કે હું તમારી સાથે જીવતો રહીશ કે જેથી હું તમને આનંદ કરવા અને ખ્રિસ્ત પર વધુ વિશ્વાસ કરવા મદદ કરી શકું.
\v 26 તેથી જ્યારે ફરીથી હું તમારી સાથે હોઉં ત્યારે તમારે મારા વિષે ખ્રિસ્ત ઈસુને લીધે આનંદ કરવો જોઈએ.
\p
\v 27 સૌથી અગત્યનું કે, તમારી આસપાસ રહેતા લોકોની સમક્ષ એવી રીતે વર્તો કે તે દ્વારા તમે ખ્રિસ્ત વિશેના શુભ સંદેશને માન આપો છો તે જણાય. આ પ્રમાણે કરો કે જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર રહું તોપણ, તમે જે રીતે જીવો છો તે મને આનંદ પમાડે. તેઓ દ્વારા હું સાંભળું કે, શુભ સંદેશના શિક્ષણ પર વિશ્વાસ કરવા અને જીવન જીવવા તમે સાથે મળીને શક્ય એટલું ઉત્તમ કરો છો.
\s5
\v 28 જેઓ તમારી વિરુદ્ધ છે તે લોકો તમને ગભરાવે એમ ન થવા દેશો! જ્યારે તમે હિંમતવાન હો અને તેઓનો સામનો કરો તે બાબત તેમને દર્શાવશે કે ઈશ્વર તેઓનો નાશ કરશે પણ તમારો બચાવ કરશે.
\v 29 ઈશ્વર તમારા પ્રત્યે ભલા છે: તેઓ તમને ખ્રિસ્તને માટે દુઃખસહન કરવા અને તેમના પર વિશ્વાસ કરવા મદદ કરી રહ્યા છે.
\v 30 જેમ તમે જોયું હતું કે મારે પણ એવા લોકોનો સામનો ત્યાં ફિલિપીમાં કરવો પડ્યો હતો તેમ અને જેમ તમે સંભાળ્યું છે કે મારે અહીં પણ એવા લોકોનો સામનો કરવો પડે છે તેમ જેઓ શુભ સંદેશની સામા થાય છે તેઓનો સામનો તમારે કરવો પડે છે.
\s5
\c 2
\p
\v 1 ખ્રિસ્ત આપણને ઉત્તેજન આપે છે, તેઓ આપણા પર પ્રેમ કરે છે અને દિલાસો આપે છે, ઈશ્વરનો આત્મા આપણી સાથે સંગત કરે છે, ખ્રિસ્ત આપણા પ્રત્યે ઘણા દયાળુ છે
\v 2 તે કારણે આટલી બાબતો કરવા દ્વારા મારો આનદ સંપૂર્ણ કરો: એકબીજાની સાથે સંમત થાઓ, એકબીજા પર પ્રેમ કરો, એક જ મનના થાઓ, અને એ જ બાબતોને પરિપૂર્ણ કરવા પ્રયત્ન કરો.
\s5
\v 3 બીજાના કરતાં તમે પોતાની જાતને વધારે મહત્વના ગણવા પ્રયત્ન ન કરો કે, તમે જે કરી રહ્યા છો તે વિષે અભિમાન ન કરો. તેને બદલે નમ્ર થાઓ, અને ખાસ કરીને તમારી જાતને જેટલું માન આપો છો તેના કરતાં એકબીજાને વધુ માન આપો.
\v 4 તમારામાંના દરેકે કેવળ પોતાની જરૂરિયાતો પર જ ધ્યાન આપવું ન જોઈએ. તમારે બીજા લોકોની પણ કાળજી રાખવી જોઈએ અને તેઓની જરૂરિયાતોના સમયે તેમની મદદ કરવી જોઈએ.
\p
\s5
\v 5 જે રીતે ખ્રિસ્ત ઈસુ વિચારે છે તેમજ તમે વિચારો:
\q1
\v 6 જો કે ઈશ્વરને જે માન ઘટે છે તે જ માનને તેઓ યોગ્ય છે,
\q1 તોપણ તેમણે પોતાના માનને તજી દીધું, અને તેને પકડી રાખવા ઇચ્છ્યું નહીં.
\q1
\v 7 તેને બદલે, સેવકના ગુણોને ધારણ કરતાં
\q1 તેમણે સર્વસ્વનો ત્યાગ કર્યો,
\q1 અને તેઓ માનવ બન્યા.
\q1
\v 8 અને માણસનું રૂપ ધારણ કરવા દ્વારા તેમણે પોતાને નમ્ર કર્યા,
\q1 જો કે ઈશ્વર પ્રત્યેની આધીનતાનો અર્થ એ હતો કે તેમણે મરણ પામવું પડે તો પણ,
\q1 તેમની નમ્રતામાં તેઓ ઈશ્વરને આધીન રહ્યા.
\q1 અને તેઓ ભયંકર મૃત્યુને, એક ગુનેગારના મૃત્યુને, વધસ્તંભ પરના મૃત્યુને આધીન થયા.
\q1
\s5
\v 9 ખ્રિસ્તની તેમના પ્રત્યેની આધીનતાને લીધે, ઈશ્વરે તેમને ઘણું માન આપ્યું;
\q1 અત્યાર સુધી જીવી ગયેલામાંના કોઈ પણ કરતાં તેમણે તેઓને વધુ માન આપ્યું,
\q1
\v 10 જેથી દરેક જણ જ્યારે "ઈસુ" નું નામ સાંભળે ત્યારે,
\q1 જે લોકો સ્વર્ગમાં છે, અને જેઓ પૃથ્વી પર છે, અને પૃથ્વીની નીચે છે,
\q1 તેઓ ઘૂંટણે પડીને તેમને માન આપે,
\q1
\v 11 જેથી દરેક જણ એ જ સ્તુતિ ગાય,
\q1 કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે,
\q1 અને તેઓ તેમને લીધે ઈશ્વર પિતાની સ્તુતિ કરે.
\p
\s5
\v 12 મારા વહાલા મિત્રો, હું તમારી સાથે હતો ત્યારે જેમ તમે હંમેશા ઈશ્વરને આધીન થતા હતા તેમ હાલમાં જ્યારે હું તમારાથી દૂર છું ત્યારે પણ તેમને વિશેષ આધીન થાઓ. સાથે મળીને ઈશ્વરને માન આપો, નમ્ર બનો, અને જેઓને ઈશ્વર બચાવે છે તેવા લોકોની જેમ જીવન જીવવા તમારાથી બનતું બધું જ કરો.
\v 13 કારણ કે ઈશ્વર તમારા હૃદયમાં કાર્ય કરી રહ્યા છે કે તમે જે કરવા ઇચ્છો છો તે સારી બાબતો ખરેખર કરીને તેમને પ્રસન્ન કરો.
\p
\s5
\v 14 ફરિયાદ કે દલીલ કર્યા વગર બધું કરો,
\v 15 તેથી જ્યારે તમે અવિશ્વાસીઓ મધ્યે રહો છો ત્યારે કંઇ પણ ખરાબ કરો નહીં કે વિચારો નહીં, કારણ કે તેઓમાંના ઘણા દુરાચારી લોકો છે જેઓ સારી બાબતોને ખરાબ કહે છે. આવા લોકો મધ્યે તમારે રાત્રિના તારા જેવા બનવું જોઈએ કે જે અંધકારમાં પ્રકાશે છે.
\v 16 જે તમને સર્વકાળનું જીવન આપી શકે છે એ સંદેશમાં વિશ્વાસ કરવાનું જારી રાખો. જો તમે એ પ્રમાણે કરો તો, ખ્રિસ્તના આગમનના સમયે હું આનંદ કરીશ, કારણ કે ત્યારે હું જાણી શકીશ કે મેં તમારામાં નિરર્થક કામ કર્યું ન હતું.
\p
\s5
\v 17 અને જો તેઓ મને મારી નાખે અને મારું લોહી ઈશ્વરને અર્પણ તરીકે રેડાય તો પણ હું તમારી સાથે આનંદ કરીશ. તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો તે કારણે તમે તેમને જે અર્પણ ચઢાવો છો તેમાં મારુ બલિદાન પણ ઉમેરાશે.
\v 18 એ જ પ્રમાણે તમારે પણ મારી સાથે આનંદ કરવો જોઈએ!
\p
\s5
\v 19 હું પ્રભુમાં વિશ્વાસ કરું છું કે હું તિમોથીને તમારી પાસે જલદી મોકલી શકીશ. હું આશા રાખું છું કે જ્યારે તે પાછો આવે ત્યારે, ઈશ્વર તમારા જીવનોમાં જે કરી રહ્યા છે તે વિશે જણાવતાં તે મને ઉત્તેજન પમાડશે.
\v 20 તમારી સંભાળ સારી રીતે રાખે માટે તિમોથી જેવો બીજો કોઈ મારી પાસે નથી.
\v 21 બીજા સર્વ જેઓને હું તમારી પાસે કદાપિ મોકલું, તો તેઓ કેવળ તેમની પોતાની જ કાળજી રાખે તેવા છે. જેને ઈસુ ખ્રિસ્ત મહત્વનું ગણે છે તેને તેઓ મહત્વનું ગણતા નથી.
\s5
\v 22 પણ તમે તિમોથીના પરખાયેલા ચારિત્ર્યને જાણો છો, કારણ કે જેમ પિતા સાથે પુત્ર તેમ તેને શુભ સમાચારમાં મારી સાથે સેવા કરી છે.
\v 23 હું ખાતરીપૂર્વક આશા રાખું છું કે, મારા વિષે શું થવાનું છે તે જ્યારે મને ખબર પડશે કે તરત હું તિમોથીને મોકલી દઈશ.
\v 24 અને હું માનું છું કે આ પ્રમાણે થાય તેવું પ્રભુ ઇચ્છે છે, મને ખાતરી છે કે તેઓ મને જલદી મુક્ત કરશે અને તેથી હું પોતે તમારી પાસે આવીશ.
\p
\s5
\v 25 હું માનું છું કે મારે એપાફ્રોદિતસને તમારી પાસે પાછો મોકલવો જોઈએ. તે સાથી વિશ્વાસી અને મારી સાથે કામ કરનાર અને ખ્રિસ્તનો સૈનિક છે, અને તમારો સંદેશવાહક અને સેવક છે જેને તમે મારી જરૂરિયાતને સમયે મોકલ્યો હતો.
\v 26 જ્યારે એપાફ્રોદિતસને ખબર પડી કે તેની માંદગી વિષે તમે સાંભળ્યું છે ત્યારે તે ઘણો ચિંતિત થઇ ગયો અને ફિલિપીમાં તમારી પાસે આવવા તે ઘણો આતુર બન્યો.
\v 27 ખરેખર તે મરણતોલ બીમાર થયો હતો, પણ તે મરણ પામ્યો નહીં. તેને બદલે, ઈશ્વર તેના પ્રત્યે અને મારા પ્રત્યે ઘણા દયાળુ હતા, કે જેથી મારી પાસે વધુ શોક કરવાનું કોઈ કારણ ન હોય.
\s5
\v 28 તેથી જેમ બને તેમ જલદી હું તેને તમારી પાસે મોકલું છું. હું એમ કરીશ કે જેથી કરીને તમે તેને ફરીથી જોઈને આનંદિત થાઓ, અને મારું દુઃખ પણ ઓછું થાય.
\v 29 પ્રભુ ઈસુ આપણને પ્રેમ કરે છે તે કારણે જે મોટો આનંદ આપણી પાસે છે તે વડે તમે એપાફ્રોદિતસનો આવકાર કરજો. તેને અને તેના જેવા બીજા વિશ્વાસીઓને માન આપજો.
\v 30 તે ખ્રિસ્તને માટે કામ કરતાં લગભગ મરણતોલ બની ગયો હતો. તમે મારાથી દૂર હતા તે કારણે તમે મારી જે જરૂરિયાતો પૂરી પાડવા સમર્થ ન હતા તે પૂરી પાડવા તેણે મરણકારક જોખમ ઉઠાવ્યું.
\s5
\c 3
\p
\v 1 છેવટે, મારા સાથી વિશ્વાસીઓ, આનંદ કરવાનું ચાલુ રાખો કારણ કે તમે પ્રભુના છો. જો કે જે બાબતો મેં અગાઉ તમને જણાવી હતી તે જ બાબતો તમને ફરી લખીશ તેનાથી મને કંટાળો આવતો નથી, અને જેઓ તમને નુકસાન પહોંચાડવા માંગે છે તેઓથી તે તમારું રક્ષણ કરશે.
\p
\v 2 જે લોકો જંગલી કૂતરાઓ જેવા જોખમકારક છે તેઓથી સાવધ રહો. તેઓ માણસોના શરીરોની કાપાકાપ કરે છે કે જેથી તેઓ યહૂદીઓ બને.
\v 3 પરંતુ આપણા સબંધમાં તો ઈશ્વરનો આત્મા આપણને સાચી રીતે ઈશ્વરનું ભજન કરવા માટે શક્તિમાન કરે છે; આપણે આનંદ કરીએ છીએ કારણ કે આપણે ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ કરીએ છીએ; અને લોકો જે ક્રિયાકાંડો અને વિધિઓ કરે છે તેનું આપણા માટે કોઈ મહત્વ નથી. તેથી આપણે પોતે ખરા સુન્નતીઓ છીએ.
\s5
\v 4 જો ઈશ્વરને પ્રસન્ન કરવા કોઈ બીજાઓ કરતાં પૂરતી બાબતો કરી શક્યું હોય તો તે હું છું.
\p
\v 5 મારો જન્મ થયાના સાત દિવસ પછી તેઓએ મારી સુન્નત કરી હતી. હું ઇઝરાયલી લોકોમાંના એક તરીકે જન્મ્યો હતો. હું બિન્યામીનના કુળનો છું. મારા કરતાં વધારે ચુસ્ત હિબ્રૂ વ્યક્તિ તમને મળશે નહીં! મારા બધા પૂર્વજો પણ હિબ્રૂઓ હતા. અને એક ફરોશી તરીકે મેં મૂસાના સર્વ નિયમો અને અમારા પૂર્વજોએ જે વિષે અમને શીખવ્યું તે મેં પાળ્યું.
\s5
\v 6 લોકો નિયમ પાળે તે સંબંધી હું એટલો આવેશી હતો કે, ખ્રિસ્તમાં જેઓ વિશ્વાસીઓ હતા તેઓને મારે લીધે સહન કરવું પડ્યું. મેં કદી નિયમનું ઉલ્લંઘન કર્યું હોય તેમ કોઈ પણ કહી શકે તેમ નથી.
\p
\v 7 પરંતુ ત્યારે જે સર્વ બાબતોને હું મહત્વની ગણતો હતો, તેને હવે હું નકામી ગણું છું, કારણ કે ખ્રિસ્તે મને બદલી નાખ્યો છે.
\s5
\v 8 તેને બદલે હવે મારા પ્રભુ ખ્રિસ્ત ઈસુને ઓળખવા તે કેટલું મહાન છે તેની સરખામણીમાં આ સર્વ બાબતોને હું એથી પણ વધારે નકામી જ નહીં પણ, ફેંકી દેવાના નકામા કચરા જેવી ગણું છું, ખ્રિસ્તથી લાભ પ્રાપ્ત કરવા મારા જીવનમાંથી દરેક નકામી બાબતોને મેં દૂર કરી છે.
\v 9 હવે હું સંપૂર્ણપણે ખ્રિસ્તનો છું. હું જાણું છું કે નિયમપાલનથી હું મારી જાતને ઈશ્વરની નજરમાં સારી બનાવી શકતો નથી. તેને બદલે હું ખ્રિસ્ત પર પૂર્ણ રીતે વિશ્વાસ કરું છું, તેથી ઈશ્વરે પોતાની દ્રષ્ટિમાં મને સારો જાહેર કર્યો છે.
\v 10 જ્યારે ઈશ્વરે મને તેમની દ્રષ્ટિમાં સારો જાહેર કર્યો છે, ત્યારે તે તેમણે એટલા માટે કર્યું કે હું ખ્રિસ્તને જાણવાની શરૂઆત કરી શકું; કે જેથી ઈશ્વર તેમના કાર્યની શરૂઆત મારામાં એ જ સામર્થ્યથી કરી શકે જે દ્વારા તેમણે ખ્રિસ્તને મૂએલામાંથી ઉઠાડ્યા; કે જેથી હું ખ્રિસ્તની સાથે તેમણે જે દુઃખો સહન કર્યાં તે સહન કરવાની શરૂઆત કરી શકું; કે જેથી ખ્રિસ્ત મરણ પામ્યા તેમાં તેઓ મને વધુ તેમના જેવો બનાવી શકે.
\v 11 આ બધું એટલા માટે છે કે હું પૂર્ણ અપેક્ષા રાખું છું કે જેમ તેમણે વચન આપ્યું છે તેમ ઈશ્વર મને સજીવન કરશે.
\p
\s5
\v 12 હું એવો દાવો કરતો નથી કે આ બધી બાબતો મારા સંબંધમાં સંપૂર્ણ રીતે હજુ બની છે. પરંતુ હું આ બાબતો પ્રાપ્ત કરવાની કોશિશ કરવાનું જારી રાખું છું, કારણ કે એ જ બાબતોને માટે ખ્રિસ્તે મને પકડી લીધો છે.
\v 13 મારા સાથી વિશ્વાસીઓ, હું ચોક્કસપણે હજી એવું વિચારતો નથી કે આ બધું સંપૂર્ણપણે મારા વિષે બન્યું છે. પરંતુ હું એક દોડવીર જેવો છું, કારણ કે જ્યારે હું લક્ષ્યરેખા તરફ આગળ વધું છું ત્યારે પાછળ જોતો નથી.
\v 14 તેને બદલે, હું લક્ષ્યરેખા તરફ આગળ વધુ છું કે જેથી હું ઇનામ જીતી શકું એટલે કે ઈશ્વરની સાથે સર્વકાળ રહેવું તે પામી શકું.
\s5
\v 15 તેથી આપણામાંના સર્વ જેઓ મજબૂત વિશ્વાસીઓ છીએ તેમણે એ જ પ્રમાણે વિચારવું જોઈએ. પરંતુ તમારામાંના કોઈ જો આ રીતે વિચારતા નથી તો, ઈશ્વર તમને તે પ્રગટ કરશે.
\v 16 જો કે આપણે ગમે તેટલા આગળ વધ્યા હોઈએ તો પણ આપણા માટે જે કંઈ હાલ સાચું છે, ત્યાંથી અત્યાર સુધી આપણે જે કર્યું છે તે જ પ્રમાણે ખ્રિસ્તમાં વધુ ને વધુ વિશ્વાસ રાખીએ.
\p
\s5
\v 17 મારા સાથી વિશ્વાસીઓ, મારી સાથે જોડાઈને મને અનુસરો, અને જેઓ એ પ્રમાણે મારી જેમ જીવે છે તેઓને નજીકથી નિહાળો, અને અમારા નમૂનાને અનુસરો.
\v 18 એવા ઘણા લોકો છે જેઓ કહે છે કે તેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે, પરંતુ વધસ્તંભ પર તેમણે આપણા માટે જે કર્યું તેનો તેઓ ખરેખર વિરોધ કરે છે. એવા લોકો વિષે મેં અગાઉ ઘણી વાર તમને કહ્યું છે, અને હમણાં જ્યારે ફરીથી તેઓ વિષે કહું છું ત્યારે હું દુઃખી છું, અને રડી રહ્યો છું.
\v 19 ઈશ્વર અંતમાં તેઓનો વિનાશ કરશે કારણ કે ભોજનની લાલસા તેઓનો દેવ છે, તેઓ શરમજનક રીતે જીવે છે અને જગતની વાતો પર ચિત્ત લગાડે છે.
\s5
\v 20 આપણે તો સ્વર્ગના નાગરિકો છીએ. આપણે આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તની સ્વર્ગમાંથી પાછા આવવાની પ્રતીક્ષા કરીએ છીએ.
\v 21 તેઓ આપણાં હાલનાં નબળાં અને અધમ શરીરોને તેમના પોતાના મહિમાવાન શરીરના સ્વરૂપમાં બદલી નાખશે. તેમનું સામર્થ્ય જેના દ્વારા તેઓ સર્વ બાબતો પર અધિકાર ધરાવે છે, તે દ્વારા તેઓ આ પ્રમાણે કરશે.
\s5
\c 4
\p
\v 1 મારા સાથી વિશ્વાસીઓ, હું તમને પ્રેમ કરું છું અને તમારે માટે ઝંખના રાખું છું. તમે મને આનંદ પમાડો છો; જે ઇનામ ઈશ્વર મને આપશે તેનું કારણ તમે જ હશો. વહાલા મિત્રો, મેં આ પત્રમાં જેવી રીતે વર્ણન કર્યું છે તેમ પ્રભુમાં દ્રઢપણે વિશ્વાસ કરવાનું ચાલુ રાખો.
\p
\v 2 યુઓદિયા અને સુન્તેખે હું તમને વિનંતી કરું છું, કે ફરીથી એકબીજા સાથે શાંતિપૂર્ણ સંબંધ રાખો, કારણ કે તમે બંને ખ્રિસ્તની સાથે જોડાયેલાં છો.
\v 3 અને મારા વિશ્વાસુ સાથીદાર હું તને વિનંતી કરું છું કે તું એ બહેનોને મદદ કરજે. ક્લેમેન્ટ તથા મારા બીજા સહકાર્યકર્તાઓ કે જેઓનાં નામ જીવનના પુસ્તકમાં છે, એ પુસ્તક કે જેમાં ઈશ્વરે તે સર્વનાં નામ લખ્યાં છે કે જેઓ સર્વકાળ જીવવાના છે, તેમની સાથે મળીને તે બહેનોએ મારી સાથે કામ કર્યું છે અને વિશ્વાસુપણે શુભ સંદેશ પ્રગટ કર્યો છે.
\p
\s5
\v 4 પ્રભુ ઈસુને માટે હંમેશા આનંદ કરો! હું ફરીથી કહું છું કે આનંદ કરો!
\v 5 પ્રભુનું આગમન નજીક છે તે કારણે સર્વ લોકોને જાણ થવી જ જોઈએ કે તમે નમ્ર છો.
\v 6 કશાના વિષે ચિંતા ન કરો. પણ સર્વ પરિસ્થિતિમાં ઈશ્વરને પ્રાર્થના કરો, તમારે જેની જરૂર છે તે સ્પષ્ટ રીતે તેમને જણાવો, અને તમને મદદ કરવા તેમને વિનંતી કરો. અને સર્વ બાબતો જે ઈશ્વર તમારા માટે કરે છે તે માટે તેમનો આભાર માનો.
\v 7 ત્યારે ઈશ્વરની શાંતિ જે આપણે સમજી શકીએ તે કરતાં મહાન છે તે એક સૈનિકની માફક, તમે જે અનુભવો અને તમે જે વિચારો તેમાં, ખ્રિસ્ત ઈસુની સાથે આપણે જોડાયેલા છીએ ત્યારે તમારી સંભાળ રાખશે.
\p
\s5
\v 8 છેવટે, મારા વિશ્વાસી ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ લોકોને માટે માન યોગ્ય, જે કંઈ ઉચિત, જેમાં કોઈ કંઈ દોષ ન કાઢી શકે તેવું, જે કંઈ આનંદકારક, જે કંઈ લોકોને માટે પ્રશંસાપાત્ર, જે કંઈ સારું, જે કંઈ કદર કરવા જોગ છે તો તે બાબતો વિષે તમારે હંમેશાં વિચાર કરવો જોઈએ.
\v 9 જે બાબતો મેં તમને શીખવી છે અને તમે મારી પાસેથી પ્રાપ્ત કરી છે, જે બાબતો તમે મારી પાસેથી સાંભળી છે અને મને તે પ્રમાણે કરતાં જોયો છે, તે બાબતો હંમેશાં કરવાની કાળજી તમારે રાખવી જોઈએ. ત્યારે ઈશ્વર જેઓ આપણને પોતાની શાંતિ આપે છે તેઓ તમારી સાથે રહેશે.
\p
\s5
\v 10 હું બહુ આનંદ કરું છું અને પ્રભુનો આભાર માનું છું કારણ કે હમણાં થોડા સમય અગાઉ તમે મને નાણાં મોકલ્યાં છે, અને તેથી ફરી એક વાર તમે બતાવ્યું છે કે તમને મારી કાળજી છે. જો કે તમે મારી કાળજી તો કરતા હતા, પરંતુ તે દર્શાવવાની તક તમને મળી નહોતી.
\v 11 મને કોઈ બાબતોની જરૂર છે માટે હું આ કહેતો નથી. ખરેખર તો જે કંઈ મારી પાસે છે તેનાથી સંતોષી રહેવાનું હું શીખ્યો છું.
\v 12 હું અછતમાં અને ભરપૂરીપણામાં જીવવા સક્ષમ છું. દરેક સંજોગોમાં સંતોષી કેવી રીતે રહેવું તે હું શીખ્યો છું. સર્વ સમયે આનંદિત રહેવાનું રહસ્ય હું જાણું છું.
\v 13 ખ્રિસ્ત જેઓ મને શક્તિમાન કરે છે તેમને લીધે હું બધું જ કરી શકું છું.
\s5
\v 14 તોપણ, મારા સંકટમાં તમે મને મદદ કરી તે સારું કર્યું.
\p
\v 15 ફિલિપીમાંના મારા મિત્રો, તમે પોતે જાણો છો કે પ્રથમ જ્યારે મેં તમને શુભ સંદેશ પ્રગટ કર્યો તે સમય દરમ્યાન જ્યારે હું મકદોનિયા પ્રાંતમાં જવા નીકળ્યો ત્યારે તમારા સિવાય વિશ્વાસીઓના કોઈ સમુદાયે મને નાણાકીય કે બીજી કોઈ સહાય કરી નહોતી!
\v 16 વળી, જ્યારે હું થેસ્સાલોનિકા શહેરમાં હતો ત્યારે પણ મારી જે નાણાકીય જરૂરિયાત હતી તે તમે અનેક વાર પૂરી પાડી હતી.
\v 17 તમે મને નાણાં આપો એવી મારી ઇચ્છા છે માટે હું આ કહેતો નથી. પરંતુ, ઈશ્વર જેને માટે તમારી પ્રશંસા કરે તેવી વધારે બાબતો તમે કરો તે હું જોવા ચાહું છું.
\p
\s5
\v 18 મારી પાસે હમણાં ઘણું છે. એપાફ્રોદિતસ મારફતે તમે મોકલાવેલ ઘણી વસ્તુઓ છે. એ તો, જાણે એક યાજક ઈશ્વરને પશુનું દહનીયાર્પણ ચઢાવે અને તેમને તેની સારી સુગંધ આવે તેના જેવું છે.
\v 19 ઈશ્વર કે જેમની હું સેવા કરું છું, તેઓ તમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે કારણ કે તમે ઈસુ ખ્રિસ્તના છો, જેઓ સ્વર્ગની ભવ્યતા અને સંપતિના માલિક છે.
\v 20 તેથી લોકોએ આપણા ઈશ્વર અને પિતાનું ભજન કરવું જોઈએ, જેઓ સદા સર્વકાળ તેમના તેજસ્વી પ્રકાશમાં રાજ્ય કરશે! આમીન!
\p
\s5
\v 21 સર્વ વિશ્વાસીઓને મારી સલામ કહેજો. તેઓ સર્વ ઈશ્વરના છે! મારી સાથેના વિશ્વાસીઓ પણ તમને સલામ કહે છે.
\v 22 સર્વ ઈશ્વરના લોકો જેઓ અહીંયાં છે તેઓ તમને સલામ કહે છે. ખાસ કરીને સાથી વિશ્વાસીઓ જેઓ કાઈસાર બાદશાહના મહેલમાં કામ કરે છે, તેઓ તમને સલામ કહે છે.
\p
\v 23 મારી ઇચ્છા છે કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર જારી રહે.

171
52-COL.usfm Normal file
View File

@ -0,0 +1,171 @@
\id COL - UDB Guj
\ide UTF-8
\h કલોસીઓને પત્ર
\toc1 કલોસીઓને પત્ર
\toc2 કલોસીઓને પત્ર
\toc3 col
\mt1 કલોસીઓને પત્ર
\s5
\c 1
\p
\v 1 હું પાઉલ, કલોસે શહેરમાંના સાથી વિશ્વાસીઓને આ પત્ર લખું છું. જેને ઈશ્વરે ખ્રિસ્ત ઈસુના પ્રેરિત તરીકે તમારી પાસે આવવા માટે પસંદ કર્યો છે તે હું પાઉલના, તથા ખ્રિસ્તની સાથે જોડાયેલા આપણા સાથી વિશ્વાસી તિમોથીના તરફથી પણ આ પત્ર છે. અમે આ પત્ર તમને બધાને મોકલીએ છીએ.
\v 2 ઈશ્વરે જેઓને પોતાને માટે અલગ કર્યા છે એટલે કે જેઓ ખ્રિસ્તના છે અને વિશ્વાસી છે તેઓને અમે આ પત્ર લખીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર આપણા પિતા તમને કૃપા અને શાંતિ આપે.
\p
\v 3 અમે જ્યારે તમારે માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે, અમે ઘણી વાર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માનીએ છીએ.
\s5
\v 4 અમે સાંભળ્યું છે કે તમે ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ રાખો છો અને જેઓને ઈશ્વરે પોતાને માટે અલગ કર્યા છે તેઓ બધાને તમે પ્રેમ કરો છો તેથી અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ.
\v 5 ઈશ્વરે તમારે માટે સ્વર્ગમાં જે બાબતો રાખી મૂકી છે તેની તમે ખાતરીપૂર્વક રાહ જુઓ છો તે કારણસર તમે આપણા સાથી વિશ્વાસીઓને પ્રેમ કરો છો. જ્યારે તમે ખ્રિસ્ત વિશેનો શુભ સમાચાર, સાચો સંદેશ સાંભળ્યો હતો ત્યારે તમે પ્રથમવાર આ બાબતો વિષે સાંભળ્યું હતું.
\v 6 કલોસેમાં જે શુભ સમાચાર તમે સાંભળ્યો તેને વિશ્વાસીઓ આખા જગતમાં પ્રગટ કરી રહ્યા છે. તમે તે પહેલીવાર સાંભળ્યો અને સમજ્યા કે ઈશ્વર ખરેખર કેટલા દયાળુ છે ત્યારથી લઈને અત્યાર સુધી જેમ તેમણે કામ કર્યું છે તે જ પ્રમાણે થાય છે. શુભ સમાચાર તો બીજ વાવેલા ખેતર જેવો છે જે વૃધ્ધિ પામી રહ્યો છે અને પુષ્કળ પ્રમાણમાં ફસલ આપશે.
\s5
\v 7 એપાફ્રાસે તમને શુભ સંદેશ શીખવ્યો. અમે તેને પ્રેમ કરીએ છીએ કારણ કે તે અમારી સાથે ખ્રિસ્તની સેવા કરે છે અને અમારે સ્થાને ખ્રિસ્તને માટે વિશ્વાસુપણે કાર્ય કરે છે.
\v 8 તેણે અમને જણાવ્યું છે કે તમે ઈશ્વરના બધા લોકોને પ્રેમ કરો છો કારણ કે ઈશ્વરના આત્માએ તમને ઈશ્વરને અને બીજાઓને પ્રેમ કરવા માટે સામર્થ્યવાન કર્યા છે.
\p
\s5
\v 9 તમે કેવો પ્રેમ કરો છો તેના સંબંધી જ્યારથી અમે સાંભળ્યું છે ત્યારથી, અમે હંમેશાં તમારે માટે પ્રાર્થના કરીએ છીએ. અમે ઈશ્વરની પાસે માગીએ છીએ કે ઈશ્વર તમારા દ્વારા જે કરાવવા માગે છે તે બધું તમને દર્શાવે અને તમને જ્ઞાની બનાવે કે જેથી ઈશ્વરનો આત્મા તમને શું શીખવી રહ્યો છે તે તમે સમજી શકો.
\v 10 અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે એવી રીતે જીવો કે જેથી તે બીજાઓને મદદરૂપ થાય અને પ્રભુને પણ મહિમા આપે, જેથી ઈશ્વર તમને માન્ય કરે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે ઈશ્વરને સમજવામાં વૃદ્ધિ પામો અને તેઓ તમને જે સારાં કાર્યો કરવા જણાવે તે કરો.
\s5
\v 11 અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર તમને પોતાના સઘળા પરાક્રમી સામર્થ્ય વડે સમર્થ કરે, જેથી તમે ધીરજ સહિત સઘળી મુશ્કેલીઓ સહન કરો.
\v 12 અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે આનંદ કરો તથા ઈશ્વર આપણા પિતાનો આભાર માનો, કારણ કે જેઓને તેમણે પોતાના થવા માટે અલગ કર્યા છે તેઓની સાથે ગણાવા તમને યોગ્ય જાહેર કર્યા છે; આ એટલા માટે છે કે જ્યારે તમે તેમની પ્રકાશિત હાજરીમાં હશો ત્યારે તેઓએ જે બધી બાબતો તમને આપવા માટે રાખી મૂકી છે તે તેઓ તમને આપી શકે.
\p
\s5
\v 13 જે ખરાબ બાબતો આપણું નિયંત્રણ કરતી હતી તેમાંથી ઈશ્વર આપણા પિતાએ આપણને છોડાવ્યા છે; તેમણે પોતાના દીકરાને, જેને તેઓ પ્રેમ કરે છે તેને, હમણાં આપણા પર રાજ કરવા માટે પસંદ કર્યા છે.
\v 14 તેમના દીકરાના દ્વારા તેમણે આપણને છોડાવ્યા છે; એટલે કે, તેમણે આપણાં પાપોને માફ કર્યાં છે.
\s5
\v 15 જ્યારે આપણે દીકરાને ઓળખીએ છીએ ત્યારે, આપણે ઈશ્વરને ન જોઈ શકીએ તેમ છતાં આપણે જાણી શકીએ છીએ કે ઈશ્વર કેવા છે. ઈશ્વરે જેનું સર્જન કર્યું છે તે સર્વ પર દીકરાનું પ્રથમ સ્થાન છે.
\v 16 દીકરાએ એ સર્વ બાબતોને ઉત્પન્ન કરી છે જેના વિષે પિતાએ ચાહ્યું હતું કે દીકરો તેઓને ઉત્પન્ન કરે એટલે: આકાશમાં જે છે અને પૃથ્વી પર જે છે તે સઘળું, જે આપણે જોઈ શકીએ છીએ અને જોઈ શકતા નથી તે સઘળું, જેમકે દરેક પ્રકારના દૂતો, પરાક્રમો અને સત્તાઓ. આ સર્વને દીકરાએ ઉત્પન્ન કર્યું છે એટલા માટે અસ્તિત્વ ધરાવે છે, કારણ કે દીકરો તે પ્રમાણે કરે એવું ઈશ્વર ઇચ્છતા હતા. અને તે બધું દીકરા માટે અસ્તિત્વ ધરાવે છે.
\v 17 બીજા કોઈનું પણ અસ્તિત્વ આવ્યું તેની અગાઉ દીકરાનું પોતાનું અસ્તિત્વ હતું, અને તે સઘળું વ્યવસ્થિત કરીને રાખે છે.
\s5
\v 18 જેમ કોઈ વ્યક્તિનું શિર તેના શરીરનું સંચાલન કરે તેમ તેઓ બધા વિશ્વાસીઓ એટલે કે મંડળી પર રાજ કરે છે.
\v 19 ઈશ્વર પોતે જે છે તે સમગ્ર ખ્રિસ્તમાં રહે તેવું કરવા ઈશ્વર પિતા પ્રસન્ન થયા હતા.
\v 20 ઈસુના દ્વારા બધું જ શાંતિમાં પોતાની પાસે પાછું મેળવવું તે ઈશ્વરને પસંદ હતું. ઈશ્વરે સઘળા લોકોને તેમ જ સ્વર્ગમાંની અને પૃથ્વી પરની સઘળી બાબતોને શાંતિ આપવા રજૂઆત કરી છે. આ રજૂઆત તેમણે દીકરાના વધસ્તંભ પરના બલિદાન તરીકે, રક્ત વહેવડાવીને મરણ પામવા દ્વારા કરી છે.
\p
\s5
\v 21 તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો તે અગાઉ, તમે ઈશ્વરના શત્રુઓ હતા, અને તમે ઈશ્વરની સાથે સંગતમાં ન હતા કારણ કે તમે ખરાબ વિચારો કરવાને લીધે ખોટા કાર્યો કરતા હતા.
\v 22 પરંતુ હવે ઈશ્વરે તમારી અને પોતાની વચ્ચે શાંતિ સ્થાપી છે અને તમને પોતાના મિત્રો બનાવ્યા છે. જ્યારે ઈસુએ તેમનો દેહ અને જીવન મરણ પામવા દ્વારા આપણે સારુ આપી દીધું ત્યારે ઈશ્વરે તે કર્યું. તેને લીધે આપણે ઈશ્વરના થવાને માટે સમર્થ થયા; હવે તેઓ આપણામાં આપણને દોષિત ઠરાવે તેવું કંઈ જ ખોટું જોતા નથી.
\v 23 પરંતુ તમારે સંપૂર્ણપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યે રાખવો જોઈએ; તે પછી તમે ખડક પર બાંધવામાં આવેલા ઘરના જેવા થશો. જે શુભ સંદેશ દુનિયાના બધા લોકોએ સાંભળ્યો છે તેમાં ઈશ્વરે તમારે સારુ જે કંઈ કરવાનું વચન આપેલું છે તેના પર વિશ્વાસ કરવાનું કોઈપણ કારણથી બંધ કરશો નહીં. આ એ જ શુભ સંદેશ છે કે જેને લોકોની આગળ પ્રગટ કરવા દ્વારા હું, પાઉલ ઈશ્વરની સેવા કરું છું.
\p
\s5
\v 24 હું તમારા લાભને માટે જે સહન કરું છું તેને લીધે હવે હું આનંદ કરું છું. હા, મંડળી, કે જે ખ્રિસ્તનું શરીર છે તેને મદદ કરવાને માટે, જે બાબતો હજુ થવાની છે તેને મારે સહન કરવી પડશે.
\v 25 ઈશ્વરે મને તેમનો સેવક બનાવ્યો છે અને મને આ ખાસ કામ કરવા માટે સોંપ્યું છે, જે એ છે કે ઈશ્વરનો સંપૂર્ણ સંદેશ તમારા જેવા બિનયહૂદીઓને પ્રગટ કરવો.
\v 26 પ્રાચીન સમયથી, પેઢીઓથી, ઈશ્વરે આ શુભ સંદેશ જણાવ્યો ન હતો, પરંતુ હવે તેમણે જેઓને પોતાને માટે અલગ કર્યા છે તેઓને આ મર્મ પ્રગટ કર્યો છે.
\v 27 જેઓને આ અદ્દભુત રહસ્ય જણાવવાની યોજના ઈશ્વરે કરી હતી તે આ લોકોને માટે છે એટલે કે યહૂદીઓ માટે અને તેટલા જ પ્રમાણમાં તમારા જેવા બિનયહૂદીઓને માટે છે. તે રહસ્ય તો આ છે: ખ્રિસ્ત તમારામાં વસે અને તમે ઈશ્વરના મહિમામાં ભાગ લેવા માટે ખાતરીપૂર્વકની આશા રાખો!
\s5
\v 28 અમે ડહાપણથી દરેકને ચેતવણી આપીએ છીએ અને ખ્રિસ્ત વિષે શીખવીએ છીએ કે જેથી ઈશ્વરને સંપૂર્ણપણે જાણનાર, ખ્રિસ્ત સાથે જોડાયેલા તરીકે અમે દરેકને ઈશ્વરની હજૂરમાં લાવી શકીએ.
\v 29 ખ્રિસ્ત મને સામર્થ્ય આપે છે તેને લીધે, તે પ્રમાણે કરવાને માટે હું ઘણી મહેનત કરું છું.
\s5
\c 2
\p
\v 1 હું ચાહું છું કે તમે એ જાણો કે તમે જેઓ લાઓદિકિયામાં છો તેઓને, અને જે વિશ્વાસીઓએ મને વ્યક્તિગત રીતે જોયો નથી તેઓને મદદ કરવા માટે હું મારું શ્રેષ્ઠ કરી રહ્યો છું.
\v 2 હું આ એટલા માટે કરું છું કે જેથી હું તેઓને અને તમને પોતાને એકબીજાને પ્રેમ કરવા અને એકબીજા સાથે એકતામાં રહેવા ઉત્તેજન આપું. હું ઇચ્છા રાખું છું કે તમે બધા દ્રઢતાથી અને સંપૂર્ણ રીતે ઈશ્વર વિશેના માર્મિક સત્યને સમજી શકો અને આ સત્ય તો ખ્રિસ્ત છે!
\v 3 ઈશ્વર શું વિચારે છે અને તેઓ કેટલા જ્ઞાની છે તે આપણે માત્ર ખ્રિસ્તના દ્વારા જ જાણી શકીએ છીએ.
\s5
\v 4 હું તમને આ જણાવું છું કે જેથી કોઈ તમને ભરમાવે નહીં.
\v 5 હું શારીરિક રીતે તમારાથી દૂર હોવા છતાં, જાણે હું ખરેખર તમારી સાથે જ હોઉં તેમ, મને તમારી ખૂબ ચિંતા છે. છતાં, હું આનંદ કરું છું કારણ કે હું જાણું છું કે કોઈ તમને અટકાવી શકે નહી એવી રીતે તમે ખ્રિસ્તનું અનુકરણ કરો છો, એટલે કે પડતું મૂક્યા વગર તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કરો છો.
\p
\s5
\v 6 તમે ઈસુ ખ્રિસ્ત પ્રભુ પર ભરોસો કરવા દ્વારા તેમનામાં વિશ્વાસ કરવાનું શરૂ કર્યું, માટે તેમના પર વિશ્વાસ કરવા દ્વારા જીવન પણ જીવો.
\v 7 જેમ વૃક્ષ તેના મૂળ જમીનમાં ઊંડા ફેલાવે છે તેમ, તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર સંપૂર્ણ આધારિત થવું જોઈએ. જેમ માણસ સારા પાયા પર ઘર બાંધે છે તે પ્રમાણે, તમે મોટા ભાગે આ રીતે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનું શીખ્યા છો. અને તમારે હંમેશાં ઈશ્વરનો આભાર માનવો જોઈએ.
\p
\s5
\v 8 કેવી રીતે ઈશ્વરને માન આપવું તે વિષે લોકોએ જે શીખવ્યું છે તેને તમારે પાળવું જ જોઈએ અથવા તો તેઓ આ જગતમાં જેનું ભજન કરે છે તેનું આજ્ઞાપાલન તમારે કરવું જ જોઈએ એવું કહેનાર કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ મુકશો નહીં. તેને બદલે, ખ્રિસ્તને આધીન થાઓ,
\v 9 કારણ કે તે ઈસુ ખ્રિસ્ત જેઓ મનુષ્ય બન્યા તેઓ સંપૂર્ણ ઈશ્વર છે.
\s5
\v 10 હવે તમને જેની જરૂર છે તે બધું જ ઈશ્વરે તમને આપ્યું છે કારણ કે તેમણે તમને ખ્રિસ્તની સાથે જોડ્યા છે, અને તેઓ દરેક વ્યક્તિ, આત્મા, અને દૂત પર અધિકાર ચલાવે છે.
\v 11 તે જાણે કે એના જેવું છે કે ઈશ્વરે તમારી સુન્નત પણ કરી છે. પરંતુ તે જાણે મનુષ્ય તમારા દેહમાંથી કોઈ માંસનો ટુકડો કાપે તેના જેવું ન હતું. તેને બદલે, તમારામાં પાપનું જે સામર્થ્ય હતું તેને ઈસુએ લઈ લીધું, અને જ્યારે ખ્રિસ્ત તમારા પાપી સ્વભાવ પર વિજય મેળવે છે અને તેને તમારાથી દૂર કરે છે ત્યારે તેઓ જાણે આ "સુન્નત" કરે છે.
\v 12 તેઓએ તમને બાપ્તિસ્મા આપ્યું છે તેને લીધે, જ્યારે માણસોએ ખ્રિસ્તને દફનાવ્યા, ત્યારે તેઓએ ખ્રિસ્તની સાથે તમારું પણ દફન કર્યું એવું ઈશ્વર ગણે છે. વળી, જ્યારે તેમણે ખ્રિસ્તને સજીવન કર્યા ત્યારે, તેઓએ તમને પણ સજીવન કર્યા, કારણ કે તમે વિશ્વાસ કર્યો છે કે તેઓ તમને સજીવન કરી શકે છે.
\s5
\v 13 તમે ઈશ્વરની વિરુધ્ધ પાપ કરતા હતા અને તમે યહૂદી ન હતા તે કારણે ઈશ્વરે તમને મૂએલા ગણ્યા, અને તેથી જ તમે તેમની આરાધના કરતા ન હતા. પરંતુ તેમણે તમને ખ્રિસ્તની સાથે સજીવન કર્યા; તેમણે આપણાં બધાં પાપોની માફી આપી.
\v 14 આપણે બધાએ ઘણાં પાપ કર્યાં, પરંતુ ઈશ્વરે આપણાં બધાં પાપોની માફી આપી. આ તો કોઈ માણસ પાસેથી જે લોકોએ ઉધાર લીધું હોય તે સમયે, તેણે જેઓને નાણાં આપ્યાં હોય તેઓના માટે જે લખાણ તૈયાર કર્યું હોય તેને તે માણસ ફાડી નાંખે તેના જેવું હતું. પરંતુ ઈશ્વરને માટે તો તે એના જેવું હતું કે જાણે તે લખાણ જેના પર તેમણે આપણાં બધાં પાપો અને જે નિયમો આપણે તોડ્યા છે તે લખેલું હતું તે લખાણને ખ્રિસ્ત જે વધસ્તંભ પર મરણ પામ્યા તેના પર જડી દીધું.
\v 15 વધુમાં, આ દુનિયાના લોકો પર જે દુષ્ટાત્માઓ રાજ કરતા હતા તેઓને ઈશ્વરે હરાવ્યા, અને તેમણે સર્વને જાણવા દીધું કે તેમણે તેઓને હરાવ્યા છે. તે એના જેવું હતું કે જાણે તેમણે તેઓને કેદીઓની જેમ શેરીઓમાં કૂચ કરાવી.
\p
\s5
\v 16 તેથી જે કોઈ તમને એવું કહેતું હોય કે તમે કેટલાક પ્રકારનો ખોરાક ખાઓ છો અને કેટલાક પ્રકારનાં પીણાં પીઓ છો તેને લીધે કે તમે ખાસ વાર્ષિક ઉત્સવો કે પૂનમ કે વિશ્રામવાર પાળ્યા નથી તેને લીધે ઈશ્વર તમને શિક્ષા કરશે.
\v 17 આ પ્રકારના નિયમો અને ઘટનાઓ તો જે ખરેખર થવાનું છે તેની માત્ર પ્રતિછાયા છે. જે ખરેખર આવવાના છે તે ખ્રિસ્ત પોતે છે.
\s5
\v 18 એવા જ લોકો નમ્ર હોવાનો દંભ કરે છે, અને તેઓ દૂતોની આરાધના કરવાનું પસંદ કરે છે. તેઓ તમને પણ તેમ કરવા માટે સંમત કરે તેવું થવા ન દો. જો તમે તે પ્રમાણે કરો તો, ખ્રિસ્તે તમને જે વચન આપ્યું છે તેને તમે ગુમાવશો. આ લોકો હંમેશાં એ દર્શનો વિષે વાત કરતા હોય છે જેને માટે તેઓ એવું કહે છે કે તેમને ઈશ્વરે તે દર્શનો દર્શાવ્યાં છે. તેઓ આ બાબતો વિષે અભિમાન કરે છે, કારણ કે ઈશ્વરને માન ન આપનારા બધા લોકો વિચારે છે તેઓના જેવું તેઓ વિચારે છે.
\v 19 આવી વ્યક્તિઓ ખ્રિસ્તની સાથે જોડાયેલા હોતી નથી. ખ્રિસ્ત શરીરનું શિર છે, અને જેઓ બધા તેમના પર વિશ્વાસ કરે છે તેઓ શરીર છે. આખું શરીર શિર પર આધારિત છે. શિર દરેક ભાગની કાળજી રાખે છે અને બધાં હાડકાં અને સ્નાયુઓને એકબીજા સાથે જોડે છે જેથી તેઓ સાથે મળીને કાર્ય કરે, અને ઈશ્વર તેઓને વૃદ્ધિ આપે છે.
\p
\s5
\v 20 ઈશ્વર એવું માને છે કે જ્યારે ખ્રિસ્ત મરણ પામ્યા ત્યારે તમે પણ તેમની સાથે મરણ પામ્યા. તેથી આત્માઓ કે ઈશ્વરને પ્રસન્ન કરવાના જે નિયમો લોકો બનાવે છે તેઓ તમારા પર હવે પછી રાજ કરતા નથી. તેથી આ બાબતો જાણે સત્ય હોય તેવી રીતે તમે હજુ સુધી કેમ જીવો છો? શા માટે તમે હજુ પણ તે બાબતોને આધીન થાઓ છો?
\v 21 આ નિયમો આવા છે: "કેટલીક વસ્તુઓ હાથમાં લેવી નહીં. કેટલીક વસ્તુઓનો સ્વાદ ચાખવો નહીં. કેટલીક વસ્તુઓનો સ્પર્શ કરવો નહીં." આવા નિયમોને હજુ પણ પાળવા જોઈએ એવું વિચારશો નહીં.
\v 22 આ નિયમો એવી સર્વ બાબતો વિષે છે કે જેમનો લોકો ઉપયોગ કરે છે અને દુનિયામાં તેઓ નાશ પામે છે, અને તેઓ ઈશ્વર દ્વારા નહીં પણ લોકો દ્વારા બનાવેલા અને શીખવેલા નિયમો છે.
\v 23 તે નિયમો સારા લાગી શકે. પરંતુ તેઓને માણસોએ બનાવ્યા છે કારણ કે તેઓ ઈશ્વરને પોતાની રીતે માન આપવા પ્રયાસ કરી રહ્યા હતા. તેથી તે લોકો ઘણી વાર નમ્ર દેખાય છે; તેથી તેઓ ઘણી વાર તેમના પોતાના શરીરને નુકસાન પહોંચાડે છે. પરંતુ જો આપણે તે નિયમોને પાળીએ તો, આપણામાં રહેલી પાપ કરવાની ઇચ્છા બંધ થતી નથી.
\s5
\c 3
\p
\v 1 ઈશ્વરે જ્યારે ઈસુને તેમના મરણ પછી સજીવન કર્યા ત્યારે તેમણે તમને પણ સજીવન કર્યા તેવું તેઓ ગણે છે. અને ખ્રિસ્ત સ્વર્ગમાં છે અને ઈશ્વરને જમણે હાથે, કે જે સ્થાન એવી વ્યક્તિને માટે છે કે જેની પાસે સૌથી વધારે માન અને સામર્થ્ય છે ત્યાં તે બિરાજમાન છે. તેથી તમારે પણ જાણે તમે ત્યાં છો તેવી રીતે અહીં જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
\v 2 ઈસુએ તમને આપવાને માટે સ્વર્ગમાં જે રાખી મૂક્યું છે તેની અપેક્ષા રાખો; પૃથ્વી પરની બાબતોની અપેક્ષા ન રાખો.
\v 3 કેમ કે ઈશ્વર એવું ગણે છે કે તમે મરણ પામ્યા છો અને હવે તમે આ દુનિયાના નથી. તેઓ એવું ગણે છે કે તેમણે તમને સલામત રાખવાને માટે ખ્રિસ્તમાં ગુપ્ત રાખ્યા છે.
\v 4 જ્યારે ઈશ્વર ખ્રિસ્તને તેમના મહિમામાં પૃથ્વી પરનાં દરેકની સામે પ્રગટ કરશે ત્યારે, તેઓ તમને પણ તે જ મહિમામાં પ્રગટ કરશે, કારણ કે ખ્રિસ્ત તમને જીવન આપે છે!
\p
\s5
\v 5 તેથી, આ પૃથ્વી પરની દુષ્ટ બાબતો કરવાની તમારી ઇચ્છાઓને શત્રુઓ સમાન ગણો કે જેઓનો નાશ થવો જ જોઈએ. તમારે તેઓને મારી નાખવી જોઈએ: જાતીય દુરાચાર કરવાનો કે અશુદ્ધ કાર્યો કરવાનો પ્રયત્ન કરશો નહીં. લંપટતા અને દુષ્ટતાના માર્ગો વિષે વિચાર કરશો નહીં. અને લોભી થશો નહીં, કારણ કે તે મૂર્તિપૂજા કરવા જેવું છે.
\v 6 લોકો આવા પ્રકારની જે બાબતો કરે છે તેના લીધે જ ઈશ્વરનો કોપ તેઓના પર આવે છે અને તેઓના અનઆજ્ઞાંકિતપણાને લીધે ઈશ્વર તેઓને શિક્ષા કરશે.
\v 7 જેઓ આ રીતે વર્તતા હતા તેઓની સાથે જ્યારે તમે ભાગ લેતા હતા ત્યારે તમે પોતે પણ અગાઉ આ પ્રમાણે જીવતા હતા.
\v 8 પરંતુ હવે તમારે આ બાબતો કરવાનું બંધ કરવું જોઈએ. એકબીજા પર ગુસ્સે ન થાઓ; એકબીજાને તકલીફમાં મૂકવાનો પ્રયત્ન ન કરો. એકબીજાની નિંદા ન કરો કે બીભત્સ વાત ન કરો, ઘૃણાસ્પદ માર્ગો ત્યજી દો.
\s5
\v 9 અને એકબીજાની સાથે જૂઠું ન બોલો. આમાંની કોઈ બાબતો ન કરો, કારણ કે તમે હવે નવી વ્યક્તિ એટલે કે જેઓ આ દુષ્ટ બાબતો હવે કરતા નથી તેવા બન્યા છો.
\v 10 તમે હવે એક નવી વ્યક્તિ છો, અને ઈશ્વર હંમેશાં તમે તેઓને વધારે અને વધારે જાણો અને તેમના જેવા બનો, કે જેવા બનવાને માટે તેમણે તમને ઉત્પન્ન કર્યા છે, તેવું કરી રહ્યા છે.
\v 11 ઈશ્વરે આપણને ખ્રિસ્તમાં જોડીને નવી વ્યક્તિઓ બનાવ્યા છે, અને તેઓ આપણને હંમેશાં નવા બનાવી રહ્યા છે. તેથી હવે કોઈ બિનયહૂદી હોય કે યહૂદી, અથવા સુન્નતી હોય કે બેસુન્નતી, અથવા કોઈ પરદેશી હોય કે બર્બર હોય, અથવા કોઈ દાસ હોય કે દાસ ન હોય એ વધારે મહત્વનું નથી. પરંતુ તેના કરતાં જે મહત્વનું છે તે તો ખ્રિસ્ત છે કે જેઓ તમ સર્વમાં સર્વસ્વ છે.
\p
\s5
\v 12 ઈશ્વરે તમને પસંદ કર્યા છે અને તેમના લોકો તરીકે અલગ કર્યા છે તે કારણે, અને તેઓ તમને પ્રેમ કરે છે તે કારણે કરુણા, દયા અને ભલાઈથી બીજાઓની સેવા કરો. નમ્રતાથી અને વિનયથી એકબીજાની ધીરજપૂર્વક કાળજી રાખો
\v 13 અને એકબીજાનું સહન કરો. જો કોઈને બીજાની સામે કોઈ ફરિયાદ હોય તો, એકબીજાને માફ કરો. જેમ પ્રભુ ઈસુએ તમને માફ કર્યા છે તેમ, તમારે પણ એકબીજાને માફ કરવા જોઈએ.
\v 14 અને સૌથી મહત્વનું જે છે તે એ છે કે એકબીજાને પ્રેમ કરો, કેમ કે તેમ કરવા દ્વારા તમે એકબીજા સાથે પોતાને સંપૂર્ણ રીતે જોડો છો.
\p
\s5
\v 15 તમને ઈશ્વરની સાથે અને બીજાઓની સાથે શાંતિથી રહેવાને માટે ખ્રિસ્ત તૈયાર કરે છે, તેથી શાંતિમાં રહેવા માટે હંમેશાં યત્ન કરો. તેમણે તમને સાથે રહેવાને માટે આ જ કારણસર બોલાવ્યા છે.
\v 16 જ્યારે તમે ઈશ્વરને માટે જીવો છો અને સેવા કરો છો ત્યારે, જે ખ્રિસ્તે તમને શીખવ્યું છે તેને હંમેશાં સાથે મળીને આધીન થાઓ. એકબીજાને ડહાપણ સાથે શીખવો અને બોધ આપો; જ્યારે તમે ગીતશાસ્ત્રનાં ગીતો, સ્તોત્રો, અને તેમને મહિમા આપતાં ગીતો ગાઓ ત્યારે ઈશ્વરની સ્તુતિ કરીને આભાર માનો.
\p
\v 17 તમે જે કંઈ બોલો, જે કંઈ કરો, તે સઘળું પ્રભુ ઈસુને મહિમા આપવા માટે કરો, અને ખ્રિસ્તે તમારે માટે જે કર્યું છે તેના માટે તમે ઈશ્વરનો આભાર માનો ત્યારે આવું કરો.
\p
\s5
\v 18 પત્નીઓ, તમારા પતિઓને આધીન થાઓ; પ્રભુ ઈસુએ જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેમ કરવું યોગ્ય છે.
\v 19 પતિઓ, તમારી પત્નીઓને પ્રેમ કરો અને તેઓના પ્રત્યે નિષ્ઠુર ન થાઓ.
\p
\v 20 બાળકો, દરેક પ્રકારે તમારાં માતા-પિતાને આધીન થાઓ, કારણ કે જ્યારે તમે તે પ્રમાણે કરો છો ત્યારે તે બાબત પ્રભુ ઈશ્વરને પ્રસન્ન કરે છે.
\v 21 પિતાઓ, તમારાં બાળકોને ગુસ્સે કરશો નહીં, જેથી તેઓ નિરાશ થાય નહીં.
\p
\s5
\v 22 દાસો, પૃથ્વી પરના તમારા માલિકોને દરેક રીતે આધીન થાઓ. જેઓ માત્ર એવું ઇચ્છે છે કે તેઓના માલિકો માને કે તેઓ હંમેશાં આજ્ઞાધીન છે તેઓની જેમ જ્યારે તમારા માલિકો તમને જોતા હોય ત્યારે જ તેમને આધીન ન થાઓ. તેને બદલે, પ્રામાણિકતાથી તમારા માલિકોને આધીન થાઓ કારણ કે તમે પ્રભુ ઈસુને મહિમા આપો છો.
\v 23 જે કંઈ કામ તમે કરો, તે માણસોને માટે નહીં પણ પ્રભુ ઈસુને માટે પૂરા હૃદયથી કરો. જે લોકો માત્ર પોતાના દુન્યવી માલિકોને માટે જ કામ કરે છે તેઓની જેમ કામ ન કરો,
\v 24 કારણ કે તમે જાણો છો કે ઈશ્વર તમને બદલો આપશે; પ્રભુએ તમને જે આપવાનું વચન આપ્યું છે તેનો ભાગ તમે મેળવશો. જે ખરા માલિકની તમે સેવા કરી રહ્યા છો તે ઈસુ ખ્રિસ્ત છે.
\v 25 પરંતુ ઈશ્વર તે જ પ્રમાણે દરેકનો ન્યાય કરશે; જેઓ ખોટું કરે છે તેઓ જે શિક્ષાને પાત્ર છે તેવી શિક્ષા ઈશ્વર તેમને કરશે.
\s5
\c 4
\p
\v 1 માલિકો, તમારા દાસો સાથે ન્યાયથી અને સમાનતાથી વર્તો અને તેમને જેની જરૂર છે તે યોગ્ય રીતે આપો, કારણ કે તમે જાણો છો કે સ્વર્ગમાં તમારા પણ માલિક છે.
\p
\s5
\v 2 અટક્યા વગર પ્રાર્થનામાં લાગુ રહો. આળસુ ન થાઓ, પણ તેને બદલે પ્રાર્થના અને ઈશ્વરની આભારસ્તુતિ કરો.
\v 3 સાથે મળીને અમારે માટે પણ પ્રાર્થના કરો, જેથી શુભ સમાચાર એટલે કે ખ્રિસ્ત વિશેની જે ગુપ્ત વાત ઈશ્વર હાલ દરેક જગ્યાએ પ્રગટ કરી રહ્યા છે તેને મુક્તપણે વહેંચવાનું ઈશ્વર અમારે માટે શક્ય બનાવે. તે શુભ સમાચાર પ્રગટ કરવાને લીધે જ હું અત્યારે જેલમાં છું.
\v 4 પ્રાર્થના કરો કે હું શુભ સમાચારને સંપૂર્ણપણે સમજાવી શકું.
\p
\s5
\v 5 જેઓ વિશ્વાસી નથી તેઓની સાથે ડહાપણથી વર્તો, અને દરેક ક્ષણનો ડહાપણથી ઉપયોગ કરીને તેને કિંમતી બનાવો.
\v 6 હંમેશાં કૃપાયુક્ત અને સારું લાગે તેવું અને જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતા નથી તેઓને પસંદ પડે તે પ્રકારે બોલો. પછી તમે જાણશો કે દરેકને પ્રભુ વિષે કેવી રીતે જણાવી શકાય.
\p
\s5
\v 7 મારી સાથે જે બની રહ્યું છે તેના વિષે તુખિકસ તમને બધું જણાવશે. તે સાથી વિશ્વાસી છે કે જેને હું પ્રેમ કરું છું, તે મને વિશ્વાસુપણે મદદ કરે છે, અને તે મારી સાથે પ્રભુ ઈસુની સેવા કરે છે.
\v 8 આ પત્ર હું તુખિકસની સાથે મોકલાવી રહ્યો છું તેનું કારણ એ છે કે જેથી તમે અમારા સંબંધી જાણો અને તે તમને ઉત્તેજન આપે.
\v 9 હું તેને ઓનેસીમસ જે વફાદાર સાથી વિશ્વાસી છે, જેને હું પ્રેમ કરું છું અને જે તમારા નગરનો જ છે તેની સાથે તમારી પાસે મોકલું છું. અહીં જે બની રહ્યું છે તેના વિષે તેઓ તમને જણાવશે.
\p
\s5
\v 10 આરિસ્તાર્ખસ, જે મારી સાથે જેલમાં છે, અને માર્ક, જે બાર્નાબાસનો પિતરાઈ છે, તેઓ તમને શુભેચ્છા પાઠવે છે. મેં તમને માર્કના સંબંધી સૂચના આપેલી છે, જેથી તે જ્યારે તમારી પાસે આવે ત્યારે, તેનો આવકાર કરજો.
\v 11 ઈસુ, જેનું નામ યુસ્તસ પણ છે, તે પણ તમને શુભેચ્છા પાઠવે છે. માત્ર આ ત્રણ જ યહૂદી વિશ્વાસીઓ છે કે જેઓ ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરને રાજા તરીકે પ્રગટ કરવામાં મારી સાથે કાર્ય કરે છે. તેઓએ મને ઘણી મદદ કરી છે અને મને ઉત્તેજન આપ્યું છે.
\s5
\v 12 એપાફ્રાસ, જે તમારા નગરનો તમારો સાથી અને ઈસુ ખ્રિસ્તનો સેવક છે, તે તમને શુભેચ્છા પાઠવે છે. તે તમારે માટે ઘણીવાર આગ્રહથી પ્રાર્થના કરે છે કે તમે દ્રઢ થાઓ અને ઈશ્વરે આપણને જે શીખવ્યું છે અને વચન આપ્યું છે તે બધા પર તમે વિશ્વાસ કરો.
\v 13 હું કહી શકું છું કે તેણે તમારે માટે એટલે જેઓ લાઓદિકિયા શહેરમાં રહે છે, અને જેઓ હિયરાપોલિસમાં રહે છે તેઓને માટે ઘણી મહેનત કરી છે.
\v 14 જેને હું પ્રેમ કરું છું તે વૈદ લૂક અને દેમાસ તમને શુભેચ્છા પાઠવે છે.
\p
\s5
\v 15 જે સાથી વિશ્વાસીઓ લાઓદિકિયામાં રહે છે તેઓને શુભેચ્છા પાઠવજો, અને નુમ્ફા અને તેના ઘરમાં સંગતમાં મળતા વિશ્વાસીઓના સમૂહને શુભેચ્છા પાઠવજો.
\v 16 આ પત્ર તમારી મધ્યે કોઈ વાંચે તે પછી, કોઈકને તે લાઓદિકિયામાંના સમૂહને માટે પણ વાંચવા જણાવજો. અને લાઓદિકિયાથી જે પત્ર આવે તેને પણ વાંચજો.
\v 17 આર્ખિપસને કહેજો કે ઈશ્વરે તેને જે કાર્ય સોંપ્યું છે તે એ પૂરું કરે.
\s5
\v 18 હું, પાઉલ, મારા પોતાના હસ્તાક્ષરમાં તમને શાલોમ શુભેચ્છા પાઠવું છું. હું જેલમાં છું તે યાદ રાખજો અને મારા માટે પ્રાર્થના કરજો. હું પ્રાર્થના કરું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે કૃપાળુપણે વર્તવાનું જારી રાખે.

157
53-1TH.usfm Normal file
View File

@ -0,0 +1,157 @@
\id 1TH - UDB Guj
\ide UTF-8
\h 1 થેસ્સલોનિકીઓને
\toc1 1 થેસ્સલોનિકીઓને
\toc2 1 થેસ્સલોનિકીઓને
\toc3 1th
\mt1 1 થેસ્સલોનિકીઓને
\s5
\c 1
\p
\v 1 હું, પાઉલ, આ પત્ર લખું છું. સિલાસ અને તિમોથી મારી સાથે છે. થેસ્સાલોનિકા શહેરમાં તમે જેઓ ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલા વિશ્વાસી જૂથના છો તેઓને અમે આ પત્ર મોકલીએ છીએ. ઈશ્વર તમારા પ્રત્યે માયાળુપણે વર્તો અને તમને શાંતિ આપો.
\p
\s5
\v 2 જ્યારે અમે પ્રાર્થનામાં તમારાં નામ લઈએ છીએ ત્યારે અમે હંમેશાં તમારા માટે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ.
\v 3 અમે સતત યાદ રાખીએ છીએ કે તમે ઈશ્વર કે જેઓ આપણા પિતા છે તેમના પર વિશ્વાસ કરો છો તે કારણે તમે તેમને માટે કામ કરો છો અને તમે લોકોને પ્રેમ કરો છો તે કારણે તમે આતૂરતાપૂર્વક તેઓની મદદ કરો છો. તમારી પાસે ભવિષ્ય માટે દૃઢ આશા છે, કારણ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો છો.
\s5
\v 4 ઈશ્વર જેમને પ્રેમ કરે છે તે મારા સાથી વિશ્વાસીઓ, તેમણે તમને પોતાના લોક બનવા પસંદ કર્યા છે તે અમે જાણીએ છીએ માટે અમે તેમનો આભાર માનીએ છીએ.
\v 5 અમે જાણીએ છીએ કે તેમણે તમને પસંદ કર્યા છે કારણ કે જ્યારે અમે તમને શુભ સમાચાર કહ્યા, તે માત્ર શબ્દો કરતાં વધારે હતા. પવિત્ર આત્માએ સામર્થ્ય સાથે તમારી મધ્યે કાર્ય કર્યું, અને તેમણે દૃઢપણે અમને ખાતરી આપી કે તમને આપેલો અમારો સંદેશ ખરો છે. એવી જ રીતે, તમે જાણો છો કે જ્યારે અમે તમારી સાથે હતા ત્યારે અમે કેવી રીતે બોલ્યા અને અમારું વર્તન કેવું હતું, કે જેથી અમે તમને મદદરૂપ થઈ શકીએ.
\s5
\v 6 અમે હવે સાંભળ્યું છે કે જેમ અમે જીવ્યા તેમ તમે જીવો છો અને અમારું અનુકરણ કરો છો. પરંતુ વધારે અગત્યનું તો એ છે કે તમે જેવી રીતે આપણા પ્રભુ જીવ્યા તેમ જીવો છો. તમારે ઘણી મુશ્કેલીઓ અને કસોટીમાંથી પસાર થવું પડ્યું, છતાં પણ તમે ઈશ્વરના પ્રેમનો સંદેશ ઘણા જ આનંદ કે જે માત્ર પવિત્ર આત્મા દ્વારા જ પ્રાપ્ત થાય છે, તેની સાથે સ્વીકાર્યો.
\v 7 મકેદોનિયા અને અખાયા પ્રાંતમાં રહેતા સર્વ વિશ્વાસીઓએ તમે કેવી દૃઢતાથી ઈશ્વર પર વિશ્વાસ કરો છો તે વિષે સાંભળ્યું છે. તેથી તેઓએ જાણ્યું કે તેમણે પણ તમારી જેમ દૃઢતાથી ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ.
\s5
\v 8 બીજા લોકોએ તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશ કહેતા સાંભળ્યા છે. પછી તેઓએ પણ મકેદોનિયા અને અખાયા પ્રાંતમાં રહેતા લોકોને તે શુભ સંદેશ જાહેર કર્યો. એટલુ જ નહિ, પરંતુ ઘણે દૂર રહેતા લોકોએ પણ સાંભળ્યું છે કે તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો. તેથી અમારે લોકોને કહેવાની જરૂર નથી કે ઈશ્વરે તમારા જીવનમાં શું કર્યું છે.
\v 9 જે લોકો તમારાથી દૂર રહે છે તેઓ બીજાઓને કહે છે કે જ્યારે અમે તમારી પાસે આવ્યા ત્યારે તમે કેવો ઉષ્માભર્યો આવકાર અમને આપ્યો. તેઓ એવો પણ અહેવાલ આપે છે કે તમે કેવી રીતે ખોટા દેવોને ભજવાનું બંધ કર્યું અને હવે તમે તે ઈશ્વર કે જેઓ એકલા જ જીવંત છે, અને તે ખરા અને એકમાત્ર ઈશ્વર છે તેમની સેવા અને સ્તુતિ કરો છો.
\v 10 તેઓ અમને એવું પણ કહે છે કે તમે અપેક્ષાપૂર્વક તેમના દીકરા કે જેઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવનાર છે તેમની રાહ જુઓ છો. તમે દૃઢતાપૂર્વક વિશ્વાસ કરો છો કે તેમના મરણ પછી ઈશ્વરે તેમને ફરી સજીવન કર્યા છે. તમે એ પણ વિશ્વાસ કરો છો કે જ્યારે ઈશ્વર આખી દુનિયાના લોકોને શિક્ષા કરશે, ત્યારે ઈસુ આપણ સર્વ જેઓ તેમના પર વિશ્વાસ કરીએ છીએ, તેઓને બચાવશે.
\s5
\c 2
\p
\v 1 મારા સાથી વિશ્વાસીઓ, તમે જાણો છો કે તમારી સાથે વિતાવેલો અમારો સમય ઘણો યથાયોગ્ય હતો.
\v 2 જો કે, અગાઉ ફિલિપીના લોકોએ અમારી સાથે ખોટો વ્યવહાર કર્યો અને અમારું અપમાન કર્યું તોપણ, તમે જાણો છો તેમ, ઈશ્વરે અમને હિંમતવાન બનાવ્યા. પરિણામે, જો કે તમારા શહેરના અમુક લોકોએ અમારો ઘણો વિરોધ કર્યો, તોપણ ઈશ્વરે અમને જે શુભ સંદેશ કહેવા મોકલ્યા તે અમે તમને જણાવ્યો.
\s5
\v 3 જ્યારે અમે તમને ઈશ્વરના સંદેશને આધીન થવા ઉત્તેજન આપ્યું, ત્યારે અમે તમને કંઇ ખોટું કહ્યું ન હતું. અનૈતિક બાબતો દ્વારા અમે તમારી પાસેથી કંઈ મેળવવા ઇચ્છતા નથી. અમે તમને કે બીજા કોઈને છેતરવાનો પ્રયત્ન કર્યો નથી.
\v 4 તેનાથી ઊલટું, શુભ સંદેશ કહેવા માટે ઈશ્વરે અમારા પર વિશ્વાસ મૂક્યો, કારણ કે તેમણે અમારી કસોટી કરી અને આ કાર્ય માટે અમને યોગ્ય ગણ્યા. જ્યારે અમે લોકોને શીખવીએ છીએ, ત્યારે અમે તેમને જે સાંભળવાનું ગમે છે તે કહેતા નથી. તેના બદલે, ઈશ્વર અમારા દ્વારા જે કહેવડાવવાનું ઇચ્છે છે તે અમે કહીએ છીએ, કારણ કે આપણે જે વિચારીએ છીએ તે સર્વનો તેઓ ન્યાય કરે છે.
\s5
\v 5 તમે જાણો છો કે તમારી પાસેથી કંઈ પ્રાપ્ત કરવા અમે કદી તમારી પ્રશંસા કરી નથી. અને અમે તમને કોઈ એવી બાબત કહી નથી અને સમજાવી નથી કે જેથી તમે અમને કંઈ આપો. ઈશ્વર જાણે છે કે આ સાચું છે.
\v 6 અમે તમારા કે બીજા કોઈ દ્વારા માન મેળવવા પ્રયાસ કર્યો નથી, જો કે જ્યારે અમે તમારી સાથે હતા ત્યારે જે કંઈ વસ્તુઓની અમને જરૂર હતી તે માગી શક્યા હોત કે ખ્રિસ્તે અમને તમારી પાસે મોકલ્યા છે માટે તમે અમને કંઇક આપો.
\s5
\v 7 તેનાથી ઊલટું, જ્યારે અમે તમારી સાથે હતા ત્યારે એક માતા જેમ કોમળતાથી પોતાના બાળકની કાળજી લે, તેવા કોમળ અમે હતા.
\v 8 તેથી, અમે તમને પ્રેમ કરીએ છીએ માટે, અમે તમને વ્યક્તિગત રીતે આ શુભ સંદેશ જે ઈશ્વરે અમને આપ્યો છે તે કહેવા આનંદિત હતા. વળી અમે તમને જે મદદ કરી શકીએ તે કરવા આનંદિત હતા, કારણે કે અમે તમને ખૂબ પ્રેમ કરવા લાગ્યા હતા.
\v 9 મારા સાથી વિશ્વાસીઓ, તમે યાદ રાખો કે અમે દિવસે અને રાત્રે પણ સખત મહેનત કરી છે. આ રીતે અમે નાણાં કમાયા, કે જેથી અમારે જેની જરૂર છે તે કંઈપણ અમારે તમારા કોઈ પાસેથી માગવું ન પડે. જ્યારે અમે ઈશ્વર વિષેનો શુભ સંદેશ તમને પ્રગટ કર્યો ત્યારે અમે આ પ્રમાણે કર્યું.
\s5
\v 10 તમે અને ઈશ્વર બંને જાણો છો કે અમે તમો વિશ્વાસીઓ સમક્ષ ઘણી જ સારી અને યોગ્ય રીતે રહ્યા - એવી રીતે કે કોઈ અમારી ટીકા ન કરી શકે.
\v 11 તમે એ પણ જાણો છો કે જેમ પ્રેમ કરનાર પિતા પોતાના બાળકો સાથે વર્તે છે તેમ અમે તમ પ્રત્યેક સાથે વર્ત્યા છીએ.
\v 12 ઈશ્વરના લોકોએ જેમ જીવવું જોઈએ તેમ જીવવા માટે અમે તમને દૃઢપણે બોધ અને ઉત્તેજન આપ્યું, કારણ કે તેમણે તમને પોતાના લોક થવા બોલાવ્યા છે કે જેમને તેઓ પોતાને રાજા તરીકે સૌથી અદ્દભુત પરાક્રમ સહિત બતાવશે.
\p
\s5
\v 13 એ માટે અમે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ, કારણ કે જે સંદેશો તમે અમારી પાસેથી સાંભળ્યો, જે શુભ સંદેશ ઈશ્વરે અમને આપ્યો, તેને તમે સાચા સંદેશ તરીકે સ્વીકાર કર્યો. અમે પોતે તેને ઉપજાવી કાઢ્યો ન હતો. વળી અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે તમે આ સંદેશ પર વિશ્વાસ કરો છો તે કારણે તેઓ તમારું જીવન બદલી રહ્યા છે.
\s5
\v 14 અમે આ બાબતો માટે ચોક્કસ છીએ, કારણ કે જેમ યહૂદિયાના વિશ્વાસીઓએ કર્યું તે જ પ્રમાણે તમે પણ કર્યું. તેઓ પણ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલા છે, અને, જેવી રીતે તેમના સાથી રહેવાસીઓએ ખ્રિસ્તના લીધે તેમની સાથે અયોગ્ય વ્યવહાર કર્યો અને તેઓએ સહન કર્યું, એવી જ રીતે તમે પણ જ્યારે તમારા સાથી રહેવાસીઓએ ખ્રિસ્તના લીધે તમારી સાથે અયોગ્ય વ્યવહાર કર્યો ત્યારે તમે તે સહન કર્યું.
\v 15 તે યહૂદિઓએ પ્રભુ ઈસુ અને ઘણા પ્રબોધકોને પણ મારી નાખ્યા. બીજા અવિશ્વાસી યહૂદિઓએ અમને ઘણાં નગરોમાંથી બળજબરીથી નસાડ્યા. તેઓ ખરેખર ઈશ્વરને ગુસ્સે કરે છે અને જે દરેક માણસો માટે ઉત્તમ છે તેના વિરુદ્ધ તેઓ કાર્ય કરે છે!
\v 16 ઉદાહરણ તરીકે, બિન-યહૂદિઓને શુભ સમાચાર કહેતા અમને રોકવાનો તેઓએ પ્રયત્ન કર્યો; તેઓ ઇચ્છતા નથી કે ઈશ્વર તેઓને બચાવે! ઈશ્વર આખરે તેમને શિક્ષા કરે તે પહેલાં તેઓએ બની શકે એટલાં પાપો કર્યાં છે!
\p
\s5
\v 17 મારા સાથી વિશ્વાસીઓ, જ્યારે ટૂંક સમય માટે અમારે તમારાથી દૂર જવું પડ્યું, ત્યારે અમને જાણે માં-બાપ કે જેઓએ પોતાના બાળકો ગુમાવ્યાં હોય તેવી લાગણી થઈ. અમે તમારી સાથે રહેવા માટે દૃઢ ઇચ્છા રાખી.
\v 18 ખરેખર હું, પાઉલ, અનેકવાર પ્રયત્ન કરી ચૂક્યો છું કે હું તમને જોવા પાછો આવું. પરંતુ દરેક વખતે શેતાને અમને પાછા આવતા રોક્યા.
\v 19 ખરેખર, તમારા લીધે જ અમે ઈશ્વરનું કાર્ય સારી રીતે કરવા આશા રાખીએ છીએ; તમારા લીધે જ અમે અભિમાન કરીએ છીએ; તમારા લીધે જ અમે ઈશ્વરની સેવામાં સફળ થવાની આશા રાખીએ છીએ. તમારા અને બીજાઓના લીધે જ અમે આશા રાખીએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુ પૃથ્વી પર આવશે ત્યારે તેઓ અમને બદલો આપશે.
\v 20 ખરેખર, તમારા કારણે અત્યારે પણ અમે ખુશ છીએ અને આનંદિત છીએ!
\s5
\c 3
\p
\v 1 તેના પરિણામ રૂપે, જ્યારે હું ઘણો લાંબો સમય તમારા વિષેની ચિંતા સહન કરી શક્યો નહીં, ત્યારે મેં નક્કી કર્યું કે સિલાસ અને હું એકલાં એથેન્સ શહેરમાં રહીશું,
\v 2 અને અમે તિમોથીને તમારી પાસે મોકલ્યો. તમે જાણો છો કે તે અમારો અંગત સાથી છે અને ખ્રિસ્ત વિષેના શુભ સમાચાર પ્રગટ કરીને ઈશ્વર માટે કાર્ય કરે છે. સિલાસ અને મેં તેને તમારી પાસે મોકલ્યો કે તે તમને ખિસ્ત પર દૃઢપણે વિશ્વાસ કરવા પ્રેરે.
\v 3 અમે નથી ઇચ્છતા કે તમે જે સહન કરો છો એના ડરને કારણે તમારામાંનો કોઈપણ ખ્રિસ્તથી દૂર જાય. તમે સારી રીતે જાણો છો કે ઈશ્વરને ખબર છે કે ખ્રિસ્તના લીધે બીજાઓ આપણી સાથે અયોગ્ય વ્યવહાર કરશે.
\s5
\v 4 યાદ રાખો કે જ્યારે અમે તમારી સાથે હતા, ત્યારે અમે તમને કહેતા હતા કે બીજાઓ તમારી સાથે અયોગ્ય રીતે વર્તશે. અને તે પ્રમાણે જ થયું, તે તમે જાણો છો!
\v 5 આ જ કારણથી મેં તિમોથીને તમારી પાસે મોકલ્યો છે, કારણ કે મારે તે ખરેખર જાણવું હતું કે શું તમે ખ્રિસ્ત પર હજુ પણ વિશ્વાસ કરો છો કે નહિ. હું ગભરાઈ ગયો હતો કે શેતાન, જે આપણને લલચાવે છે, તેણે તમને ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા અટકાવ્યા હોય. હું ગભરાઈ ગયો હતો કે અમે જે સર્વ તમારી સાથે કર્યું તે બિનઉપયોગી થયું હોય.
\p
\s5
\v 6 પરંતુ હમણાં જ તિમોથી તમારી પાસેથી મારી અને સિલાસ પાસે આવ્યો, અને તેણે અમને સારા સમાચાર આપતાં કહ્યું કે તમે હજુ પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો અને તમે તેમને પ્રેમ કરો છો. તેણે અમને એ પણ કહ્યું કે તમે અમને આનંદથી યાદ કરો છો અને જેવી રીતે અમે તમારી મુલાકાત કરવાની ઇચ્છા રાખીએ છીએ, તેવી જ રીતે તમે પણ ઘણી જ ઇચ્છા રાખો છો કે અમે તમારી મુલાકાત કરીએ.
\v 7 મારા સાથી વિશ્વાસીઓ, જો કે લોકો અમને જે કરે છે તે દ્વારા ભલે અમે ઘણું સહન કરીએ છીએ, તો પણ અમે આનંદિત થયા છીએ કારણ કે તિમોથીએ અમને કહ્યું કે તમે હજુ પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો.
\s5
\v 8 હવે એ તો જાણે કે અમે નવી રીતે જીવતા હોઈએ તેવું છે, કારણ કે તમે પ્રભુ ઈસુ પર ઘણો વિશ્વાસ કરો છો.
\v 9 ઈશ્વરે તમારે માટે જે કર્યું છે તેના માટે અમે ઈશ્વરનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે! જ્યારે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ ત્યારે અમે તમારા લીધે ઘણો આનંદ પામીએ છીએ!
\v 10 અમે સતત અને ઉત્સાહથી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે અમે તમારી મુલાકાત લઇ શકીએ અને તમને મદદ કરીએ કે તમે ખ્રિસ્ત પરના વિશ્વાસમાં વધુ દ્રઢ થાઓ!
\p
\s5
\v 11 અમે ઈશ્વર, આપણા પિતા, અને પ્રભુ ઈસુને પ્રાર્થના કરીએ છીએ, કે તેઓ અમને તમારી પાસે આવવા સમર્થ કરે.
\v 12 વળી તમારા માટે, અમે પ્રાર્થના કરીએ છીએ કે જેમ અમે તમારા પર વધારે અને વધારે પ્રેમ કરીએ છીએ, તેમ પ્રભુ ઈસુ એકબીજાને પ્રેમ કરવા અને બીજા લોકોને વધુ અને વધુ પ્રેમ કરવા તમને મદદ કરે.
\v 13 અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ ઈસુ તમને તેવા બનવા મદદ કરે કે તમે તેમને વધુ અને વધુ પ્રસન્ન કરી શકો. અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર આપણા પિતા તમને તેમના જેવા બનવા સક્ષમ બનાવે, અને કોઈ તમારી ટીકા ન કરી શકે. અમે આ પ્રાર્થના કરીએ છીએ, કે જેથી જ્યારે ઈસુ પૃથ્વી પર પાછા આવે અને જે તેમના છે તેઓ પણ તેમની સાથે પાછા આવે, ત્યારે તેઓ તમારાથી પ્રસન્ન થાય.
\s5
\c 4
\p
\v 1-2 હવે, મારા સાથી વિશ્વાસીઓ, મારે કેટલીક બીજી બાબતો વિષે લખવું છે. હું તમને વિનંતી કરું છું-અને જ્યારે હું તમને વિનંતી કરું છું, ત્યારે એ તો એના જેવું જ છે કે જાણે પ્રભુ ઈસુ તમને વિનંતી કરતા હોય - કે ઈશ્વર પ્રસન્ન થાય તે રીતે તમારું જીવન જીવો. અમે તમને આમ શીખવ્યું કારણ કે પ્રભુ ઈસુએ અમને આ પ્રમાણે જણાવવા કહ્યું હતું. અમે જાણીએ છીએ કે તમે તમારું જીવન એ પ્રમાણે જીવો છો, પરંતુ અમે તમને આગ્રહથી વિનંતી કરીએ છીએ કે તમે તે પ્રમાણે એનાથી પણ વધારે કરો.
\p
\s5
\v 3 ઈશ્વર ઇચ્છે છે કે તમે પાપ ન કરો, અને તમે સંપૂર્ણપણે તેમના જ છો તે દર્શાવતી રીતે જીવો. તેઓ ઇચ્છે છે કે તમે જાતીયતાના કોઈપણ અનૈતિક કાર્યોને ટાળો.
\v 4 એટલે કે, તેઓ ઇચ્છે છે કે તમારામાંના દરેક જાણો કે તમારે તમારી પત્ની સાથે એવી રીતે જીવવું કે તેને માન મળે અને તમે તેની વિરુદ્ધ પાપ ન કરો.
\v 5 તમારે તમારી દૈહિક વાસનાઓ સંતોષવા તેનો ઉપયોગ ન કરવો (જેમ બિન-યહૂદીયો કરે છે કારણ કે તેઓ ઈશ્વરને જાણતા નથી).
\v 6 ઈશ્વર ઇચ્છે છે કે તમારામાંના દરેક પોતાની જાતીય ઇચ્છાઓને કાબૂમાં રાખે, કે જેથી તમારામાંનો કોઈપણ તમારા સાથી વિશ્વાસીની વિરુધ્ધ પાપ ન કરે અને એ પ્રમાણે કરીને તેનો કે તેણીનો ફાયદો ન ઉઠાવે. યાદ રાખો કે અગાઉ અમે તમને સખત ચેતવણી આપી હતી કે પ્રભુ ઈસુ બધા જ લોકો જેઓ જાતીયતાનાં અનૈતિક કાર્યો કરે છે તેમને શિક્ષા કરશે.
\s5
\v 7 જ્યારે ઈશ્વરે આપણ વિશ્વાસીઓને પસંદ કર્યા, ત્યારે તેઓ એવું નહોતા ઇચ્છતા કે આપણે એવા લોકો બનીએ કે જેઓ જાતીય અનૈતિકતાથી વર્તે. તેનાથી વિરુદ્ધ, તેઓ એવું ઇચ્છે છે કે આપણે એવા લોકો બનીએ કે જેઓ પાપ ન કરે.
\v 8 તેથી હું તમને ચેતવું છું કે જેઓ મારા આ શિક્ષણનો અનાદર કરશે તેઓ માત્ર મારો, એક વ્યક્તિનો અનાદર નહિ પણ. તેથી વિરુધ્ધ, તેઓ ઈશ્વરનો અનાદર કરે છે, કારણ કે ઈશ્વરે એ આજ્ઞા આપી છે. યાદ રાખો કે ઈશ્વરે તેમનો આત્મા, તમારામાં રહેવા માટે મોકલ્યો છે, જે પાપ કરતો નથી!
\s5
\v 9 હું તમને ફરી વિનંતી કરવા માંગું છું કે તમે તમારા સાથી વિશ્વાસીઓને પ્રેમ કરો. કોઈ તમને તે વિષે કંઈ લખે તેની તમને અગત્ય નથી, કારણ કે ઈશ્વરે તમને પહેલેથી જ શીખવ્યું છે કે એકબીજાને કેવી રીતે પ્રેમ કરવો,
\v 10 અને કારણ કે તમે તમારા સાથી વિશ્વાસીઓ કે જેઓ મકદોનિયા પ્રાંતના અન્ય સ્થળોમાં રહે છે તેઓ પ્રત્યે પહેલેથી જ પ્રેમ દર્શાવ્યો છે. તેમ છતાં, મારા સાથી વિશ્વાસીઓ, અમે વિનંતી કરીએ છીએ કે તમે એકબીજાને વિશેષ પ્રેમ કરો.
\v 11 અમે એ પણ વિનંતી કરીએ છીએ કે તમે પોતાનાં જ કાર્યો પર ધ્યાન આપવા સખત પ્રયત્ન કરો અને બીજાનાં કાર્યોમાં દખલ ન કરો. અમે એ પણ વિનંતી કરીએ છીએ કે તમે પોતે પોતાના વ્યવસાયમાં કાર્ય કરો કે જેથી તમે જીવવા માટે જરૂરનું કમાઈ શકો. યાદ રાખો કે અગાઉ અમે તમને આ પ્રમાણે જીવતાં શીખવ્યું છે.
\v 12 જો તમે આ બાબતો કરો, તો અવિશ્વાસીઓ જાણશે કે તમે સારી રીતે વર્તો છો, અને તમારી જરૂરિયાતો પૂરી પાડવા તમારે બીજાઓ પર આધાર રાખવો ન પડે.
\p
\s5
\v 13 મારા સાથી વિશ્વાસીઓ, અમે એમ પણ ઇચ્છીએ છીએ કે તમે એ પણ સમજો કે આપણા સાથી વિશ્વાસીઓ જેઓ મરણ પામ્યા છે તેઓનું શું થશે. તમારે અવિશ્વાસીઓ જેવા બનવાનું નથી. તેઓ મરણ પામેલા લોકો માટે ખૂબ શોક કરે છે કારણ કે તેઓને એવી આશા નથી કે મરણ પછી તેઓ ફરી સજીવન થશે.
\v 14 આપણે વિશ્વાસીઓ જાણીએ છીએ કે ઈસુ મરણ પામ્યા અને તેઓ ઉત્થાન પામ્યા. તેથી આપણે તે પણ સારી રીતે જાણીએ છીએ કે જેઓ ઈસુ સાથે જોડાયેલા છે તેઓને ઈશ્વર ફરી સજીવન કરશે, અને તેઓ તેમને ઈસુ સાથે પાછા લાવશે
\v 15 હું તમને આ લખું છું કારણ કે હું હમણાં તમને જે કહું છું તે પ્રભુ ઈસુએ મને પ્રગટ કર્યું છે. તમારામાંના ઘણા વિચારે છે કે જ્યારે પ્રભુ ઈસુ પાછા આવશે, ત્યારે આપણે વિશ્વાસીઓ જેઓ હજુ જીવિત છીએ તેઓ મરણ પામેલા લોકો કરતાં પહેલા તેમને મળીશું. તે અવશ્ય સાચું નથી!
\s5
\v 16 હું આ લખું છું, કારણ કે પ્રભુ ઈસુ પોતે સ્વર્ગમાંથી નીચે ઊતરશે. જ્યારે તેઓ ઊતરશે, ત્યારે તેઓ આપણ સર્વ વિશ્વાસીઓને ઊઠવાની આજ્ઞા આપશે. મુખ્ય દૂત મોટે અવાજે બૂમ પાડશે, અને બીજો દૂત ઈશ્વર માટે રણશિંગડું વગાડશે. પછી જે પ્રથમ ઘટના બનશે તે તો જેઓ ખ્રિસ્ત સાથે જોડાયેલા હશે તેઓ ફરી જીવિત થશે.
\v 17 ત્યાર પછી, આપણે જે વિશ્વાસીઓ આ પૃથ્વી પર જીવિત હોઈશું તેઓને ઈશ્વર વાદળામાં ઊંચકી લેશે. તેઓ આપણને અને જે વિશ્વાસીઓ મરણ પામેલા છે તેઓને લઈ લેશે, કે જેથી આપણે બધા સાથે પ્રભુ ઈસુને આકાશમાં મળીએ. તેના પરિણામે, આપણે બધા તેમની સાથે કાયમ રહીશું.
\v 18 આ બધું સત્ય છે તે કારણે આ શિક્ષણ એકબીજા સાથે વહેંચો અને એકબીજાને ઉતેજન આપો.
\s5
\c 5
\p
\v 1 મારા સાથી વિશ્વાસીઓ, મારી ઇચ્છા છે કે જ્યારે પ્રભુ ઈસુ પાછા આવશે તે સમય વિષે હું તમને વધારે કહું. ખરેખર તે વિષે હું વધારે લખું તેની તમને જરૂર નથી,
\v 2 કારણ કે તમે પોતે પહેલેથી જ નિશ્ચિત તે જાણો છો! તમે જાણો છો કે પ્રભુ ઈસુ અણધાર્યા સમયે આવશે. જેમ કોઈએ ધાર્યું ન હોય ત્યારે રાત્રે ચોર આવે છે તેમ લોકોએ તેમના આગમન વિષે ધાર્યું નહિ હોય ત્યારે તેઓ આવશે.
\v 3 ભવિષ્યમાં કોઈક સમયે ઘણા લોકો કહેશે, "બધુ જ શાંતિપૂર્ણ છે અને આપણે સલામત છીએ!" ત્યારે એકાએક ઈશ્વર તેઓને સખત શિક્ષા કરવા માટે આવશે! જેમ ગર્ભવતી સ્ત્રી જણવાનું દુઃખ રોકી શકતી નથી તેમ, તે લોકોને ઈશ્વરથી બચવાનો કોઈ રસ્તો નહિ હોય.
\s5
\v 4 પરંતુ મારા સાથી વિશ્વાસીઓ, તમે જેઓ અંધકારમાં રહે છે તેવા લોકો જેવા નથી, કારણ કે તમે ઈશ્વર વિષેનું સત્ય જાણો છો. તેથી જ્યારે ઈસુ પાછા આવશે, ત્યારે તમે તેમને માટે તૈયાર હશો.
\v 5 તમે પ્રકાશના અને દિવસના છો. જેઓ અંધકાર કે રાતના છે તેવા તમે નથી.
\v 6 તેથી આપણે વિશ્વાસીઓએ જે બની રહ્યું છે તેનાથી માહિતગાર રહેવું જોઈએ. આપણે આપણી જાતને કાબૂમાં રાખવી અને ઈસુના આગમન માટે તૈયાર રહેવું જ જોઈએ.
\v 7 લોકો રાત્રે સૂઈ જાય છે અને જાણતા નથી કે શું થઇ રહ્યું છે, લોકો નશો કરે છે.
\s5
\v 8 પરંતુ આપણે વિશ્વાસીઓ દિવસના છીએ, તેથી આપણે આપણી જાતને કાબૂમાં રાખીએ. ચાલો આપણે સૈનિકો જેવા બનીએ: જેમ તેઓ પોતાની છાતીનું બખતરથી રક્ષણ કરે છે, તેવી રીતે આપણે આપણી જાતનું ખ્રિસ્ત પરના વિશ્વાસ અને પ્રેમ દ્વારા રક્ષણ કરીએ. જેમ તેઓ પોતાના માથાનું રક્ષણ ટોપ દ્વારા કરે છે તેમ, ખ્રિસ્ત આપણને દુષ્ટતાથી સંપૂર્ણપણે છોડાવે તેવી આશા રાખીને આપણે આપણી જાતનું રક્ષણ કરીએ.
\p
\v 9 જ્યારે ઈશ્વરે આપણને પસંદ કર્યા ત્યારે, આપણે જેઓને ઈશ્વર શિક્ષા કરશે તેવા લોકો બનીએ તેવી તેમની યોજના નહોતી. તેનાથી વિરુધ્ધ, તેમણે એવું નક્કી કર્યું કે તેઓ આપણને બચાવે કારણ કે ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું તેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ.
\v 10 ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને સારું પ્રાયશ્ચિત કરવા મરણ પામ્યા, કે જેથી જ્યારે તેઓ પૃથ્વી પર પાછા આવે ત્યારે યા તો આપણે જીવિત હોઈએ કે મરણ પામેલા, આપણે તેમની સાથે જીવીએ.
\v 11 જેમ વાસ્તવમાં તમે કરો છો તેમ, એકબીજાને ઉતેજન આપવાનું ચાલુ રાખો, કારણ કે તમે જાણો છો કે આ સત્ય છે.
\p
\s5
\v 12 મારા સાથી વિશ્વાસીઓ, જે લોકો તમારે માટે સખત મહેનત કરે છે તેઓની તમે કદર કરો એવું અમે ઇચ્છીએ છીએ. તેનો અર્થ એ કે તે આગેવાનોને તમે સાથી વિશ્વાસી તરીકે માન આપો - તમે જુઓ છો કે તમે વિશ્વાસમાં વૃદ્ધિ પામો તે માટે તેઓ કેટલી સખત મહેનત કરે છે. આ આગેવાનો તમારે પ્રભુને માટે કેવી રીતે જીવવું તે વિષે તમને દોરે અને શીખવે છે.
\v 13 અમે ઇચ્છીએ છીએ કે તમે તેઓને માન આપો કારણ કે તમે તેઓને પ્રેમ કરો છો, કારણ કે તેઓ તમને મદદ કરવા સખત મહેનત કરે છે. અમે તમને એ પણ વિનંતી કરીએ છીએ કે તમે એકબીજા સાથે શાંતિપૂર્વક રહો.
\p
\v 14 મારા સાથી વિશ્વાસીઓ, અમે વિનંતી કરીએ છીએ કે જેઓ પોતે કામ કરવાને બદલે જીવવા માટે બીજાઓ પર આધાર રાખે છે તે વિશ્વાસીઓને ચેતવો. વળી જે વિશ્વાસીઓ ભયભીત છે તેઓને ઉત્તેજન આપો, તથા બધા જ લોકો કે જેઓ કોઈ રીતે નબળા હોય તેઓને સહાય કરો. વળી અમે એ પણ વિનંતી કરીએ છીએ કે તમે બધાની સાથે ધીરજવાન થાઓ.
\s5
\v 15 જેણે તમારું ખરાબ કર્યું છે તેવા કોઈ પણનું ખરાબ તમારામાંનો કોઈ પણ ન કરે તેની કાળજી રાખો. તેનાથી વિરુદ્ધ, તમારે હંમેશા એકબીજા માટે અને બીજા બધા માટે સારાં કાર્યો કરવાં.
\p
\v 16 સર્વ સમયે આનંદિત રહો,
\v 17 સતત પ્રાર્થના કરો,
\v 18 અને સર્વ સંજોગોમાં ઈશ્વરનો આભાર માનો. ખ્રિસ્ત ઈસુએ તમારા માટે જે કર્યું છે તેને કારણે ઈશ્વર ઇચ્છે છે કે તમે તે પ્રમાણે વર્તો.
\p
\s5
\v 19 ઈશ્વરના આત્માને તમારી મધ્યે કાર્ય કરતા અટકાવશો નહીં.
\v 20 ઉદાહરણ તરીકે, પવિત્ર આત્માએ કોઈને કંઇક કહ્યું હોય તે વાતને ધિક્કારશો નહિ.
\v 21 તેનાથી વિરુધ્ધ, તેવા સર્વ સંદેશનું મૂલ્યાંકન કરો. જે વાત સારી હોય તેને સ્વીકારો અને તેને આધીન થાઓ.
\v 22 કોઈપણ પ્રકારના દુષ્ટ સંદેશને આધીન ન થાઓ.
\p
\s5
\v 23 ઈશ્વર તમને શાંતિ આપો અને તમને દોષરહિત બનાવો કે જેથી તમે પાપ ન કરો. જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર પાછા ન આવે ત્યાં સુધી તેઓ તમને પાપથી દૂર રાખે.
\v 24 ઈશ્વરે તમને પોતાના લોક થવા તેડ્યા છે, તે કારણે તમે તેઓ પર નક્કી વિશ્વાસ રાખી શકો છો કે તેઓ તમને આમ કરવા સતત સહાય કરતા રહે.
\p
\s5
\v 25 મારા સાથી વિશ્વાસીઓ, મારા માટે, સિલાસ અને તિમોથી માટે પ્રાર્થના કરો.
\v 26 જ્યારે તમે વિશ્વાસીઓ સાથે ભેગા મળો, ત્યારે સાથી વિશ્વાસીઓની જેમ તમે એકબીજાને પ્રેમથી સલામ પાઠવો.
\v 27 તમારી મધ્યેના સર્વ વિશ્વાસીઓ સમક્ષ આ પત્ર વાંચવાની કાળજી રાખજો. જ્યારે હું તમને આ કહું છું, ત્યારે જાણે કે ઈશ્વર તમારી સાથે વાત કરતા હોય તેના જેવું જ છે!
\v 28 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પર દયાભાવ દર્શાવે.

82
54-2TH.usfm Normal file
View File

@ -0,0 +1,82 @@
\id 2TH - UDB Guj
\ide UTF-8
\h 2 થેસ્સલોનિકીઓને
\toc1 2 થેસ્સલોનિકીઓને
\toc2 2 થેસ્સલોનિકીઓને
\toc3 2th
\mt1 2 થેસ્સલોનિકીઓને
\s5
\c 1
\p
\v 1 હું, પાઉલ, સિલાસ, અને તિમોથી, થેસ્સલોનિકા શહેરમાં ઈશ્વર આપણા પિતા અને ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ સાથે જોડાયેલું જે વિશ્વાસી જૂથ છે તેઓને આ પત્ર લખીએ છીએ.
\v 2 અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર આપણા પિતા અને ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ, તમારા પ્રત્યે દયાળુપણે વર્તો અને તમને શાંતિ આપવાનું ચાલુ રાખો.
\s5
\v 3 અમારા સાથી વિશ્વાસીઓ, અમે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ, અને અમારે આમ કરવું જોઈએ, કારણ કે તમે પ્રભુ ઈસુ પર વિશેષ પ્રમાણમાં વિશ્વાસ કરો છો, અને તમારામાંનો દરેક એકબીજાને વધુ અને વધુ પ્રેમ કરે છે.
\v 4 તેથી, ઈશ્વરમાં અન્ય વિશ્વાસી જૂથો સમક્ષ અમે તમારી વાત ગર્વથી કરીએ છીએ. અમે તેઓને કહીએ છીએ કે તમે કેટલા ધીરજવાન છો અને અન્ય લોકોએ તમને વારંવાર હેરાન કર્યા છતાં પણ કેવી રીતે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખવાનું ચાલુ રાખ્યું છે.
\v 5 તમે તે તકલીફો સહન કરો છો તે કારણે અમે સ્પષ્ટપણે જાણીએ છીએ કે ઈશ્વર ન્યાયપૂર્ણ રીતે સર્વ લોકોનો ન્યાય કરશે. તમારા સંબંધમાં, તેઓ બધા સમક્ષ જાહેર કરશે કે તમે હંમેશાં માટે તેમની સાથે રાજ કરવા યોગ્ય છો, કારણ કે તમે તેમના પર વિશ્વાસ રાખતાં સહન કરી રહ્યા છો.
\s5
\v 6 જે લોકો તમને તકલીફ પહોચાડે છે, તેઓને ઈશ્વર અવશ્ય તકલીફ પહોંચાડશે કારણ કે તેમ કરવું તેમને માટે યોગ્ય છે.
\v 7 તમારી મુશ્કેલીઓમાંથી તમને પાર પાડવા દ્વારા તેઓ તમને બદલો આપે તે તેઓને યોગ્ય લાગે છે. જ્યારે આપણા પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી બધાના જોતાં, પોતાના શક્તિશાળી દૂતો સાથે આવશે ત્યારે તેઓ તમારા અને અમારા, બંને માટે તે પ્રમાણે કરશે.
\v 8 પછી, જે લોકો તેમના પ્રતિ પ્રામાણિક નથી, જેઓ પ્રભુ ઈસુના શુભ સંદેશને માનવાની ના પાડે છે તે લોકોને તેઓ ધગધગતી આગથી શિક્ષા કરશે.
\s5
\v 9 આપણા પ્રભુ ઈસુ તેઓને પોતાની હાજરીમાંથી દૂર કરશે, જ્યાં તેઓ તેમનો હંમેશાં માટે નાશ કરશે, અને પોતાના પરાક્રમી મહિમાથી દૂર કરીને તેમને સદાને માટે દૂર કરશે.
\v 10 પ્રભુ ઈસુ, ઈશ્વરે નક્કી કરેલા સમયે જ્યારે સ્વર્ગમાંથી પાછા આવશે ત્યારે તેઓ તે પ્રમાણે કરશે. તેના પરિણામે, આપણે જેઓ તેમના લોકો છે તેઓ તેમની સ્તુતિ કરીશું અને તેમને જોઇને નવાઈ પામીશું. અને તમે પણ, ત્યાં હશો, કારણ કે અમે તમને જે કહ્યું તેના પર તમે ગંભીરતાપૂર્વક વિશ્વાસ કર્યો.
\s5
\v 11 તમે આ રીતે ઈસુની સ્તુતિ કરો માટે અમે તમારા માટે હમેશાં પ્રાર્થના કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમને તેડવામાં આવ્યા છે તે નવા માર્ગે ચાલવા માટે ઈશ્વર તમને યોગ્ય બનાવે. અમે એવી પણ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ તમને સર્વ પ્રકારનાં સારાં કાર્ય જે કરવાની તમે ઇચ્છા રાખો છો, તે સર્વ કરવા તમને સક્ષમ કરે કારણ કે તમે તેમના પર વિશ્વાસ કરો છો અને તેઓ તેમ કરવા ઘણા જ શક્તિશાળી છે.
\v 12 તમે આપણા પ્રભુ ઈસુની સ્તુતિ કરો તે માટે અમે આ પ્રાર્થના કરીએ છીએ અને અમે ઇચ્છીએ છીએ કે તેઓ તમને માન આપે. ઈશ્વર, કે જેમનું આપણે ભજન કરીએ છીએ, તેઓ અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે માયાળુપણે વર્તે છે માટે આ પ્રમાણે થશે.
\s5
\c 2
\p
\v 1 હવે જે સમયે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે અને જ્યારે ઈશ્વર આપણ વિશ્વાસીઓને ઈસુ સાથે એકત્ર કરશે તે સમય વિષે મારે તમને લખવું છે. મારા સાથી વિશ્વાસીઓ, હું તમને વિનંતી કરું છું કે
\v 2 તમારી પાસે આવેલા અન્ય કોઈ સંદેશ સંબંધી તમે શાંતિપૂર્વક વિચાર કરો. જો કોઈ દાવો કરે કે તે સંદેશ તેને ઈશ્વરના આત્માએ પ્રગટ કર્યો છે, અથવા જો તે કોઈ વ્યક્તિ દ્વારા આવ્યો હોય, અથવા જો કોઈ દાવો કરે કે તે પત્ર મેં લખ્યો છે તો તેનાથી કોઈ ફરક પડતો નથી: મારી ઇચ્છા નથી કે પ્રભુ ઈસુ પૃથ્વી પર પાછા આવી ચૂક્યા છે એવો તમે વિશ્વાસ કરો.
\s5
\v 3 કોઈ તમને તેવો સંદેશ આગ્રહપૂર્વક સમજાવે તો તેને માનશો નહિ. પ્રભુ તરત જ આવશે નહિ. પ્રથમ, ઘણા લોકો ઈશ્વર વિરુદ્ધ બળવો કરશે. એક ખાસ વ્યક્તિ કે જે ઈશ્વર વિરુદ્ધ અતિશય પાપ કરશે અને ઈશ્વર જેનો નાશ કરશે તેનો તેઓ સ્વીકાર કરશે અને તેનું માનશે.
\v 4 તે ઈશ્વરનો મુખ્ય શત્રુ હશે. લોકો જેમને ઈશ્વર માને છે અને જેમની તેઓ સ્તુતિ કરે છે તેઓની વિરુદ્ધ તે કામ કરશે. છેવટે, તે ઈશ્વરના ભક્તિસ્થાનમાં પણ પ્રવેશ કરશે અને રાજ કરવા ત્યાં બેસશે! તે લોકોમાં જાહેર કરશે કે તે પોતે જ ઈશ્વર છે!
\s5
\v 5 મને ખાતરી છે કે તમને યાદ હશે કે જ્યારે હું થેસ્સાલોનિકામાં હતો ત્યારે પણ હું તે બાબતો વિષે તમને કહેતો હતો.
\v 6 તમે તે પણ જાણો છો કે એવું કંઇક છે કે જે હાલમાં આ માણસને બધાની આગળ પ્રગટ થતાં અટકાવી રહ્યું છે. ઈશ્વર તેને મંજૂરી નહિ આપે ત્યાં સુધી તે પોતાને પ્રગટ કરી શકશે નહિ.
\v 7 જો કે શેતાન ક્યારનોય છૂપી રીતે લોકો પાસે ઈશ્વરના નિયમનો નકાર કરાવી રહ્યો છે તો પણ જે વ્યક્તિ આ માણસને પ્રગટ થતાં રોકી રહી છે તેને ઈશ્વર જ્યાં સુધી દૂર નહિ કરે ત્યાં સુધી તે વ્યક્તિ તે માણસને પ્રગટ થતા રોકશે.
\s5
\v 8 ત્યારબાદ ઈશ્વર આ માણસને કે જે ઈશ્વરના નિયમનો સંપૂર્ણપણે નકાર કરે છે, તેને મંજૂરી આપશે, કે તે પોતાને આખા જગતના સર્વ લોકો આગળ પ્રગટ કરે. પછી પ્રભુ ઈસુ માત્ર એક જ આજ્ઞા કરશે કે જેથી તેનો નાશ થશે. ઈસુ પાછા આવશે ત્યારે માત્ર પોતાને સર્વની આગળ પ્રગટ કરવા દ્વારા તેઓ તે માણસને એકદમ નિર્બળ કરી નાખશે.
\v 9 પરંતુ ઈસુ તેનો નાશ કરે તે અગાઉ, શેતાન તે માણસને મોટું સામર્થ્ય આપશે. તેના પરિણામે, તે સર્વ પ્રકારના અલૌકિક ચમત્કારો અને અદ્દભુત કાર્યો કરશે, અને ઘણા લોકો વિશ્વાસ કરશે કે ઈશ્વરે તેને તે સર્વ કાર્ય કરવા શક્તિમાન કર્યો છે.
\v 10 અને તે માણસ જેઓ નાશને માટે નિર્માણ થયેલા છે તેઓને દુષ્ટ કાર્યો કરવા દ્વારા સંપૂર્ણપણે છેતરશે. તે તેઓને છેતરી શકશે કારણ કે ઈસુ કેવી રીતે તેઓને બચાવી શકે છે તે ખરા સંદેશ પર પ્રેમ કરવા તેઓ સહમત થયા નહિ.
\s5
\v 11 તેથી ઈશ્વર આ માણસને તેઓને સહેલાઈથી છેતરવા દેશે, કે જેથી આ માણસ પોતાના વિષે જે જૂઠા દાવા કરે છે તે પર તેઓ વિશ્વાસ કરે.
\v 12 તેનું પરિણામ એ હશે કે ખ્રિસ્ત વિશેના સત્ય પર વિશ્વાસ કરવાને જેઓએ નકાર્યું હશે, અને તેના બદલે જે સર્વ બાબતો દુષ્ટ છે તે કરવામાં જેઓએ આનંદ માણ્યો હશે, તેઓનો ઈશ્વર ન્યાય કરશે અને તેઓને દોષિત ઠરાવશે.
\s5
\v 13 તમે કે જેઓને પ્રભુ ઈસુ પ્રેમ કરે છે તે અમારા સાથી વિશ્વાસીઓ, તમારા માટે અમારે હંમેશાં ઈશ્વરનો આભાર માનવો જોઈએ. અમારે આમ કરવું જોઈએ કારણ કે તેઓએ ઈસુ વિષેના સત્ય પર વિશ્વાસ કરવા એટલે કે જેઓને ઈશ્વર બચાવશે તેવા પ્રથમ લોક થવા તથા આત્મા દ્વારા પોતાને માટે અલગ કરવા પસંદ કર્યા.
\v 14 અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે ખ્રિસ્ત વિષેના સંદેશને અમે તમારી સમક્ષ જાહેર કર્યો અને તેના પરિણામે તેઓએ તમને પસંદ કર્યા, કે જેથી જે રીતે તેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સન્માન આપ્યું છે તેવી જ કેટલીક રીતે તેઓ તમને પણ સન્માનિત કરે.
\v 15 તેથી, અમારા સાથી વિશ્વાસીઓ, ખ્રિસ્તમાં દૃઢપણે વિશ્વાસ કરવાનું ચાલુ રાખો. જે સત્ય બાબતો વિષે જ્યારે અમે તમને કહ્યું અને પત્રમાં તમને લખ્યું તેમાં વિશ્વાસ રાખવાનું ચાલુ રાખો.
\s5
\v 16 અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે અને ઈશ્વર, આપણા પિતા - કે જેઓ આપણને પ્રેમ કરે છે અને હંમેશાં આપણને ઉત્તેજન આપે છે અને જેઓ કૃપાળુ રીતે આપણને તેમના તરફથી સારી બાબતો મેળવવાની આશા આપે છે-
\v 17 ઈશ્વર અને ઈસુ ખ્રિસ્ત બંને તમને ઉત્તેજન આપો! અને તેઓ સારાં કાર્યો કરતા રહેવા અને સારી બાબતો કહેતા રહેવા તમને સમર્થ કરો.
\s5
\c 3
\p
\v 1 અમારા સાથી વિશ્વાસીઓ, હવે બીજી કેટલીક બાબતો વિષે, જેમ તમે કર્યું છે તેમ અમારા માટે પ્રાર્થના કરો કે, વધુ અને વધુ લોકો આપણા પ્રભુ ઈસુ વિષેનો સંદેશ બહુ જલદી સાંભળે અને તેને માન આપે.
\v 2 અમારા માટે પણ પ્રાર્થના કરો કે ઈશ્વર પાપી અને દુષ્ટ માણસોને અમારું નુકસાન કરતા અટકાવે, કારણ કે દરેક વ્યક્તિ પ્રભુ પર વિશ્વાસ કરતી નથી.
\v 3 તેમ છતાં, પ્રભુ ઈસુ વિશ્વાસયોગ્ય છે! તેથી અમે ચોક્કસ છીએ કે તેઓ તમને દૃઢ રહેવા સમર્થ કરશે. અમને ખાતરી છે કે તેઓ શેતાન એટલે કે જે દુષ્ટ છે, તેનાથી તમને બચાવશે.
\s5
\v 4 આપણે આપણા પ્રભુ ઈસુ સાથે જોડાયેલા છીએ તે કારણે અમને ખાતરી છે કે અમે તમને જે આજ્ઞાઓ આપી હતી તેને તમે પાળો છો, અને આ પત્રમાં અમે જે આજ્ઞાઓ આપી છે તેઓને તમે પાળશો.
\v 5 અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણા પ્રભુ ઈસુ તમને એ જાણવા મદદ કરે કે ઈશ્વર તમને કેટલો પ્રેમ કરે છે અને તમારા માટે ખ્રિસ્તે કેટલું સહન કર્યું છે.
\s5
\v 6 અમારા સાથી વિશ્વાસીઓ, અમે તમને આજ્ઞા આપીએ છીએ - અને જાણે ઈસુ ખ્રિસ્ત પોતે તમને આ કહી રહ્યા હોય તેમ - તમે સર્વ એવા સાથી વિશ્વાસીઓ કે જેઓ આળસુ છે અને કામ કરવાની ના પાડે છે તેમની સાથે ન જોડાઓ. એટલે કે, જેઓએ અમને શીખવ્યું અને પછી અમે તમને પણ શીખવ્યું તે રીતે જેઓ પોતાનો જીવન વ્યવહાર કરતા નથી તેઓથી તમારે દૂર રહેવું જોઈએ.
\v 7 અમે તમને આ પ્રમાણે કહીએ છીએ કારણ કે તમે પોતે જાણો છો કે જે રીતે અમે વર્ત્યા તે રીતે તમારે વર્તવું જોઈએ. જ્યારે અમે તમારી મધ્યે રહેતા હતા ત્યારે અમે કામ કર્યા વગર માત્ર બેસી રહેતા ન હતા.
\v 8 એટલે કે, પૈસા ચૂકવ્યા વગર અમે કોઈનો ખોરાક ખાધો નથી. તેના બદલે, અમે પોતાનું પોષણ કરવા દિવસ-રાત સખત મહેનત કરી છે, કે જેથી જે જરૂરનું છે તેના માટે અમારે તમારા કોઈના પર આધાર રાખવો ન પડે.
\v 9 હું એક પ્રેરિત હોવાને કારણે નાણાં માટે તમારા પર આધાર રાખવાનો અમને અધિકાર હતો, પરંતુ તેના બદલે, અમે સખત મહેનત કરી કે જેથી અમે તમારા માટે સારા ઉદાહરણરૂપ થઈએ, કે જેથી જેમ અમે વર્ત્યા તેમ તમે પણ વર્તો.
\s5
\v 10 યાદ રાખો કે જ્યારે અમે તમારી સાથે હતા, ત્યારે અમે તમને આજ્ઞા આપતા રહ્યા કે જો કોઈ સાથી વિશ્વાસી કામ કરવાની ના પાડે, તો તમારે તેને જમવા માટે ભોજન આપવું નહીં.
\v 11 હવે અમે તમને આ ફરીથી કહીએ છીએ, કારણ કે કોઈકે અમને કહ્યું છે કે તમારામાંના કેટલાંક આળસુ છે અને કંઈ જ કામ કરતા નથી. એટલું જ નહિ, તમારામાંના બીજા કેટલાક લોકો, જેઓ કામ કરે છે તેઓને ખલેલ પહોંચાડે છે.
\v 12 એવા સાથી વિશ્વાસીઓ જેઓ કામ નથી કરતા, તેઓને, જાણે પ્રભુ જ તેમને જણાવતા હોય તેમ અમે આજ્ઞા કરીએ છીએ કે તેઓએ પોતાના જ કાર્યમાં ધ્યાન આપવું, જીવવા માટે તેમને જે જરૂરી છે તેના માટે કમાવું અને પોતાનું પોષણ કરવું.
\s5
\v 13 સાથી વિશ્વાસીઓ! જે યોગ્ય છે તે કરતાં તમારે ક્યારેય થાકવું નહીં!
\v 14 અમે આ પત્રમાં જે લખ્યું છે તે જો કોઈ સાથી વિશ્વાસી પાળે નહિ તો તેવી વ્યક્તિને જાહેરમાં ખુલ્લી પાડવી. તેની સાથે સંબંધ ન રાખો, કે જેથી તે શરમાઈ જાય.
\v 15 તેમ છતાં તેને તમારો શત્રુ ન ગણશો; તેના બદલે, જેમ તમે તમારા સાથી વિશ્વાસીને ચેતવો તેમ તમે તેને ચેતવો.
\s5
\v 16 હું પ્રાર્થના કરું છું કે પ્રભુ ઈસુ પોતે, જેઓ તેમના લોકોને શાંતિ આપે છે, તેઓ તમને હંમેશાં અને સર્વ પરિસ્થિતિમાં શાંતિ આપે. હું પ્રાર્થના કરું છું કે આપણા પ્રભુ ઈસુ તમને સહાય કરવાનું ચાલુ રાખે.
\v 17 હવે મારા લહિયા પાસેથી મેં કલમ લીધી છે, અને હું, પાઉલ, પોતે તમને આ સલામ લખી મોકલું છું. હું મારા દરેક પત્રમાં આ પ્રમાણે કરું છું કે જેથી તમે જાણો કે તે ખરેખર હું પોતે જ છું કે જેણે તમને આ પત્ર લખ્યો છે. હું મારા પત્રોની સમાપ્તિ હંમેશાં આ રીતે જ કરું છું.
\v 18 હું પ્રાર્થના કરું છું કે આપણા પ્રભુ ઈસુ તમ સર્વ પ્રત્યે દયાભાવથી વર્તવાનું ચાલુ રાખે.

188
55-1TI.usfm Normal file
View File

@ -0,0 +1,188 @@
\id 1TI
\ide UTF-8
\h 1 તિમોથીને
\toc1 1 તિમોથીને
\toc2 1 તિમોથીને
\toc3 1ti
\mt1 1 તિમોથીને
\s5
\c 1
\p
\v 1-2 પ્રિય તિમોથી, હું પાઉલ તને લખું છું. ભવિષ્ય માટે જેમનામાં આપણો ભરોસો છે તેઓ એટલે કે ઈશ્વર આપણા ઉધ્ધારક અને ખ્રિસ્ત ઈસુ, તેઓએ મને પ્રેરિત થવા માટે આજ્ઞા આપી. મે જ્યારે તને ઈસુ ખ્રિસ્ત વિષે જણાવ્યુ ત્યારે તું ખ્રિસ્તી બન્યો અને તું પ્રભુમાં મારો ખરો દીકરો છે. ઈશ્વર પિતા અને ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તારા પર ભલાઈ દર્શાવો, તારા પર દયા રાખો અને તને શાંતિ આપો.
\p
\s5
\v 3 જ્યારે હું મકદોનિયા ગયો ત્યારે મેં તને એફેસસ રહેવાની વિનંતી કરી તેનું કારણ એ હતું કે તું કેટલાંક લોકોને આપણે જે શીખવીએ છીએ તેના કરતાં જુદું શિક્ષણ તેઓ ન આપે તેવી આજ્ઞા કર.
\v 4 તેઓને આજ્ઞા કર કે તેઓ તેમનો સમય અને ધ્યાન જૂની નકામી વાતો અને પૂર્વજોની વંશાવળી જેના વિશે લોકો ચર્ચાઓ કરવાનું બંધ કરતા જ નથી તે પર ન રાખે. આ બધી બાબતો લોકોને એકબીજા સાથે વાદવિવાદ કરાવે છે, પણ આપણા બચાવ માટેની ઈશ્વરની જે યોજના છે તેમાં મદદરૂપ થતી નથી - એ યોજના કે જે આપણને વિશ્વાસ દ્વારા પ્રાપ્ત થઈ છે.
\s5
\v 5 તેના બદલે, અમે તને આજ્ઞા આપી તેનો હેતુ એ છે કે તું લોકોને શુધ્ધ હૃદયથી, સારી વિવેકબુદ્ધીથી અને નિષ્ઠાવાન વિશ્વાસથી ઈશ્વર પર પ્રેમ રાખવાનું શીખવે.
\v 6 કેટલાક લોકોએ આ સારી બાબતો કરવાની પડતી મૂકી છે; તેના બદલે અત્યારે, તેઓ નકામી બાબતો કહે છે.
\v 7 તેઓ નિયમ વિષેના ઉપદેશક થવા ચાહે છે પણ તેઓ તેને સમજતા નથી. છતાં પણ તેઓ આગ્રહ રાખે છે કે તેઓ જે શીખવે છે તે સાચું છે.
\p
\v 8 પરંતુ નિયમ જે કહે છે તે રીતે જો આપણે તેનો ઉપયોગ કરીએ તો આપણે જાણીએ છીએ કે નિયમ સારો છે.
\s5
\v 9 આપણે જાણીએ છીએ કે નિયમ એ સારા માણસોને કાબૂમાં રાખવા બનાવાયો નથી, પણ હઠીલા લોકો, અને જેઓ ઈશ્વરને માન આપતા નથી, પાપીઓ, અનાદર કરનાર વ્યક્તિઓ, હત્યારાઓ અને પોતાનાં મા-બાપના હત્યારાઓને પણ કાબૂમાં રાખવા માટે બનાવાયો છે.
\v 10 તે પુંમૈથુનીઓને, અને તમામ લોકો જે અયોગ્ય જાતીય વર્તન કરે છે તેઓને કાબૂમાં રાખવા માટે બનાવાયો છે, જેઓ મનુષ્યોની ચોરી કરે છે અને તેમને ગુલામો તરીકે વેચી દે છે, તેમને નિયંત્રણમાં રાખવા માટે, જૂઠાઓ અને કાયદાકીય અદાલતોમાં જૂઠા સાક્ષીઓને તથા આપણા સારા અને યોગ્ય શિક્ષણ કરતાં જે અલગ છે તેને રોકવા માટે બનાવવામાં આવ્યા છે.
\v 11 આ બધું જ એ અદ્દભુત સુવાર્તા સાથે સહમત થાય છે કે જેને, ઈશ્વર કે જેમનું આપણે ભજન કરીએ છીએ, તેઓએ આપણને શીખવી છે અને હું બીજાઓને તે જાહેર કરું માટે તેઓ મારા પર વિશ્વાસ રાખે છે.
\p
\s5
\v 12 હું ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુનો આભાર માનું છું, કારણ કે તેમણે મને તેમની સેવા કરવાનું સામર્થ્ય આપ્યું છે. હું તેમની સેવા કરુ માટે પણ તેઓ મારા પર આધાર રાખે છે.
\v 13 ભૂતકાળમાં, મેં વિશ્વાસીઓને અપમાનિત કર્યા અને તેમને સતાવ્યા. મેં હિંસક કાર્યો કર્યાં હતાં, પણ ઈશ્વરે મારા પર દયા કરી, કારણ કે હું વિશ્વાસ કરતો ન હતો, અને મને ખબર ન હતી કે હું શું કરી રહ્યો હતો.
\v 14 ઈશ્વર મારા પર અત્યંત કૃપાળુ હતા, કેમકે તેમણે મને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ કરવા અને પ્રેમ કરવા સક્ષમ કર્યો કારણ કે તેમણે મને તેમની સાથે જોડ્યો.
\p
\s5
\v 15 દરેક વ્યક્તિએ આ હકીકત સ્વીકારવી જોઈએ, કારણ કે આપણે તેના પર સંપૂર્ણ રીતે આધાર રાખી શકીએ છીએ: ઈસુ ખ્રિસ્ત પાપીઓને બચાવવાને માટે દુનિયામાં આવ્યા. તે સાચું છે કે સર્વ લોકોમાં હું સૌથી વધારે પાપી છું.
\v 16 પરંતુ હું સૌથી મુખ્ય પાપી હોવાને લીધે, ઈશ્વરે ઘણા લોકો અગાઉ મારા પર દયા કરી, કે જેથી તેઓ જોઈ શકે કે ઈશ્વર કેટલા ધીરજવાન છે. જેઓ ઈશ્વરમાં વિશ્વાસ કરશે તે લોકોને અનંતજીવન આપવા માટે ઈશ્વર ધીરજથી રાહ જોઈ રહ્યા છે.
\p
\v 17 સનાતન રાજાને જોઈ શકાતા નથી, અને તેઓ મરણ પામી શકતા નથી. તેઓ એકલા જ ઈશ્વર છે. તેઓ એક જ છે કે જેમને સદાકાળ માન અને મહિમા હો. આમેન.
\s5
\v 18 તિમોથી, મારા દીકરા, હું તને આજ્ઞા આપું છું: કેટલાક વિશ્વાસીઓએ તારા માટે જે પ્રબોધ કર્યો હતો તે યાદ કર. જ્યારે તું પ્રભુ માટે સખત મહેનત કરે છે ત્યારે તે બાબતોનું અનુસરણ કરવા માટે આમ કર.
\v 19 ઈશ્વર પર વિશ્વાસ અને યોગ્ય વિવેકબુધ્ધી રાખ. કેટલાક લોકોએ પોતાની વિવેકબુધ્ધિ તરફ ધ્યાન આપ્યું નથી. તેથી તેમનો વિશ્વાસ નાશ પામ્યો છે.
\v 20 હુમનાયસ અને એલેકઝાન્ડર બે તેવા પ્રકારના માણસો છે. શેતાન તેમના પર હુમલો કરે માટે મેં તેઓને શેતાનને સોંપી દીધા છે, કે જેથી તેઓ શીખે કે ઈશ્વરનું અપમાન ન થાય.
\s5
\c 2
\p
\v 1 સૌથી અગત્યની બાબત એ છે કે, જૂઠા શિક્ષકો જોખમકારક છે, માટે હું તમને વિશ્વાસીઓને બધા જ લોકોની મદદ કરવા માટે ઈશ્વરને માગણી અને પ્રાર્થના કરવા, અને તેમના માટે ઈશ્વરનો આભાર માનવા વિનંતી કરું છું.
\v 2 રાજાઓ માટે અને દરેક જેઓ પાસે બીજાઓ ઉપર સત્તા છે તેઓ માટે પ્રાર્થના કરો, કે જેથી આપણે નિરાંતે અને શાંતિથી એવી રીતે જીવી શકીએ કે જેના દ્વારા ઈશ્વરને અને બીજા લોકોને માન મળે.
\v 3 જ્યારે આપણે આ રીતે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે ઈશ્વર, કે જેઓ આપણને બચાવે છે, તેઓ આપણું સાંભળે છે. તેઓને તે સારું લાગે છે.
\v 4 તેઓ દરેકને બચાવવા ઇચ્છે છે. દરેક તેમના વિશેનું સત્ય જાણે એવું તેઓ ઇચ્છે છે.
\s5
\v 5 સત્ય આ છે, કે ઈશ્વર એક છે, કેવળ એક જ વ્યક્તિ છે જે આપણને ઈશ્વરની આગળ સ્વીકાર્ય બનાવે છે. તે માણસ, ખ્રિસ્ત ઈસુ, તે જ આ વ્યક્તિ છે.
\v 6 તેમની પોતાની સ્વતંત્ર ઇચ્છાથી તેઓ સર્વ લોકોને મુક્ત કરવા મરણ પામ્યા. ઈશ્વરે તેમના ઠરાવેલા સમયે આ પ્રમાણે કર્યું. તે દર્શાવે છે કે તેઓ દરેકને બચાવવા ઇચ્છે છે.
\v 7 આ સત્ય જાહેર કરવા, ઈશ્વરે મને સંદેશવાહક અને પ્રેરિત બનાવ્યો છે. હું સત્ય બોલું છું; હું જૂઠું કહેતો નથી. વિદેશીઓએ ખરેખર જે બાબતો પર વિશ્વાસ કરવો જોઈએ તે બાબતો હું તેઓને શીખવું છું.
\s5
\v 8 તેથી, હું ઇચ્છું છું કે માણસો દરેક સ્થળે પ્રાર્થના કરે અને તેમના હાથો ઈશ્વર તરફ એવી રીતે ઊંચા કરે કે તેઓ તેમને સ્વીકારે. વિશ્વાસીઓએ ગુસ્સો અથવા ઈશ્વર પ્રત્યે અવિશ્વાસ બતાવવા પ્રાર્થના કરવી જોઈએ નહીં.
\v 9 હું એવી પણ ઇચ્છા રાખું છું કે સ્ત્રીઓ યોગ્ય રીતે પોષાક પહેરે. તેઓ પોતાની જાતને કાબૂમાં રાખે કે જેથી તેઓ પોતાની જાતને બીજાઓને બતાવવા માટે કપડાં ન પહેરે. સ્ત્રીઓએ ગૂંથેલા વાળ, સોનું, મોતી, અથવા મોંઘા કપડાંને બદલે,
\v 10 જે સ્ત્રીઓ સારા કાર્યો કરે છે અને જેઓ કહે છે કે તેઓ ઈશ્વરને માન આપે છે તેવી સ્ત્રીઓને યોગ્ય હોય તેવાં કપડાં પહેરવા.
\s5
\v 11 જ્યારે પુરુષો વિશ્વાસીઓને શીખવે, ત્યારે સ્ત્રીઓએ શાંત રહીને સાંભળવું જોઈએ અને તેઓ જે સાંભળે છે તે વિશે પ્રશ્નો પૂછવા નહીં.
\v 12 હું સ્ત્રીઓને પુરુષોને શીખવવા માટે અથવા તેઓએ શું કરવું જોઈએ તે જણાવવાની મંજૂરી આપતો નથી. જે સ્ત્રીઓ ઈશ્વરનું માન રાખતી હોય તેઓએ જ્યારે વિશ્વાસીઓ શીખવા આવે ત્યારે શાંત રહેવું.
\s5
\v 13 કારણ કે આદમને પ્રથમ બનાવવામાં આવ્યો હતો, અને તેના પછી હવાને બનાવી.
\v 14 અને જેને સાપે છેતર્યો તે આદમ ન હતો તે સ્ત્રી હતી જેને તેણે સંપૂર્ણપણે છેતરી હતી, કે જેથી તેણે પાપ કર્યું.
\v 15 પરંતુ જો સ્ત્રીઓ વિશ્વાસમાં, પ્રેમમાં અને પવિત્રાઈમાં વિનયશીલતાથી જીવવાનું ચાલુ રાખે તો જ્યારે તેઓ બાળકોને જન્મ આપે ત્યારે ઈશ્વર તેઓને બચાવશે.
\s5
\c 3
\p
\v 1 હું જે તને કહું છું તે પર તારે આધાર રાખવો જોઈએ: જો કોઇ વિશ્વાસીઓ પર દેખરેખ રાખવાની ઇચ્છા રાખે છે તો, તે ખરેખર ઉત્તમ કાર્ય કરવાની ઇચ્છા રાખે છે.
\v 2 તે કારણથી, જો કે, દેખરેખ રાખનાર એવી વ્યક્તિ હોવી જોઈએ કે જેના વિષે કોઈ કંઈપણ ખોટાનો દોષ ન મૂકે. તેને એક જ પત્ની હોવી જોઈએ. તે કંઇપણ બાબત વધારે પડતી કરતો ન હોવો જોઈએ; તે ડહાપણપૂર્વક વિચાર કરનાર હોવો જોઈએ. તે યોગ્ય રીતે વર્તનાર હોવો જોઈએ, અને તે અજાણ્યાઓનું સ્વાગત કરતો હોવો જોઈએ. તે બીજાને શીખવવા માટે સમર્થ હોવો જ જોઈએ.
\v 3 તે નશો ન કરનાર અને ઝઘડો કરવા તત્પર ન હોવો જોઈએ. તેને બદલે, તે બીજા લોકો સાથે ધીરજવાન અને શાંતિપૂર્ણ હોવો જોઈએ. અને તે નાણા માટે લોભી ન હોવો જોઈએ.
\s5
\v 4 તે પોતાના ઘરનાંને સારી રીતે કાબૂમાં રાખનાર હોવો જોઈએ. તેનાં બાળકો આદરસહિત તેનું આજ્ઞાપાલન કરતાં હોવાં જોઈએ.
\v 5 હું આ કહું છું કારણ કે જો કોઈ માણસ પોતાના ઘરના લોકોને કઈ રીતે કાબૂમાં રાખવા તે પણ જાણતો ન હોય, તો તે કઈ રીતે ઈશ્વરના લોકોના જૂથની સંભાળ રાખી શકે?
\s5
\v 6 નવો વિશ્વાસી દેખરેખ રાખનાર ન હોવો જોઈએ, કારણ કે તે એવું વિચારી શકે છે કે તે બીજા લોકો કરતાં વધારે સારો છે. જો તેવું બને, તો ઈશ્વરે જેમ શેતાનને સજા કરી હતી તેમ તેને સજા કરશે.
\v 7 મંડળી બહારના લોકો પણ તેના વિષે સારું વિચારતા હોવા જોઇએ. નહિં તો તેને માટે તે શરમજનક બાબત બની શકે છે અને શેતાન તેને પાપ કરવા માટે ફોસલાવી શકે છે.
\s5
\v 8 આ જ રીતે, સેવકો એવા હોવા જોઈએ જેમને બીજા લોકો માન આપતા હોય. તેઓ બોલવામાં નિષ્ઠાવાન હોવા જોઈએ. તેઓ ખૂબ દ્રાક્ષારસ પીતા ન હોવા જોઈએ, અને તેઓ નાણાના લોભી ન હોવા જોઈએ.
\v 9 તેઓ ઈશ્વરે જે સાચી બાબતો આપણને કહી છે તેમાં વિશ્વાસ રાખતા હોવા જોઈએ, અને સાથેસાથે જે સાચું છે તે જાણતા, અને પછી તેને કરતા હોવા જોઈએ.
\v 10 તેઓમાં પ્રથમ આ ગુણો શોધ, અને પછી તેમને સેવા માટે પસંદ કર કે જેથી કોઈ તેમનામાં કંઇ ખોટું ન શોધી શકે.
\s5
\v 11 આ જ રીતે, બીજા લોકો સેવકોની પત્નીઓનો આદર કરતા હોવા જોઈએ. તેમની પત્નીઓએ બીજા લોકો વિષે ખરાબ વાત ન કરવી જોઈએ. તેઓ કંઇપણ બાબત વધારે પડતી ન કરે, અને તેઓ જે કંઈ કરે છે તેમાં પ્રામાણિકતા હોવી જોઈએ.
\v 12 સેવકને ફક્ત એક જ પત્ની હોવી જોઈએ અને તે તેનાં બાળકોને અને તેની સંપત્તિને સારી રીતે નિયંત્રિત કરતો હોવો જોઈએ.
\v 13 સારા સેવકો એવા પુરુષો છે જેમને બીજા વિશ્વાસીઓ અત્યંત માન આપે છે. તેઓ ખ્રિસ્ત ઈસુમાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે.
\s5
\v 14 જ્યારે હું તને આ બાબતો લખુ છું, ત્યારે હું ટૂંક સમયમાં તારી પાસે આવવાની આશા રાખું છું.
\v 15 પણ જો હું ટૂંક સમયમાં આવી ન શકું, તો અત્યારે હું તને લખી રહ્યો છું, કે જેથી તું જાણી શકે કે ઈશ્વરના કુટુંબને કેવી રીતે દોરવું જોઈએ, કે જે જીવતા ઈશ્વરમાં વિશ્વાસીઓનો સમૂહ છે. તે વિશ્વાસીઓનો એ સમૂહ છે કે જે સત્ય શીખવે છે અને સાક્ષી આપે છે કે તે સાચું છે.
\s5
\v 16 અને આપણે આ સાથે મળીને કહીએ છીએ કે, "ઈશ્વરે આપણને જે સત્યો કહ્યાં છે તે ખૂબ મહાન છે, અને તે સત્યો આપણને તેમને માન આપવા દે છે: "ઈશ્વર માનવ શરીરમાં દેખાયા અને માન્ય થયા." પવિત્ર આત્માએ તે જાહેર કર્યુ છે કે તેઓ ન્યાયી હતા." "દૂતોએ તેમને જોયા." "વિશ્વાસીઓએ તેમને અન્ય દેશોમાં જાહેર કર્યા." "દુનિયાના ઘણા ભાગમાંના લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો." "ઈશ્વરે તેમને ઉપર લઈ લીધા અને તેમની પાસે ઈશ્વરનું પરાક્રમ હતું."
\s5
\c 4
\p
\v 1 હવે પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે કહે છે કે પાછલા સમયમાં, કેટલાક લોકો ખ્રિસ્ત વિષેના સત્ય પર વિશ્વાસ કરવાનું બંધ કરશે અને આત્માઓ જે વિશ્વાસીઓને છેતરે છે અને દુષ્ટાત્માઓ જે ખોટું શિક્ષણ આપે છે તેઓ પર ધ્યાન આપશે.
\v 2 જેમ ગરમ લોખંડે બાળી અને તેમના મનોનો નાશ કરી દીધો હોય તેમ આ લોકો એક બાબત કહેશે પરંતુ પોતાની ઇચ્છા પ્રમાણેની બીજી કંઇક ખરાબ બાબત કરશે.
\s5
\v 3 તેઓ વિશ્વાસીઓને લગ્ન કરતા રોકવા પ્રયત્ન કરશે. જો કે ઈશ્વરે વસ્તુઓને ઉત્પન્ન કરી છે કે જેથી વિશ્વાસીઓ કે જેઓએ સત્ય જાણ્યું છે તેઓ ઈશ્વરનો અભાર માનતા તે વસ્તુઓને એક બીજા સાથે વહેંચી શકે તો પણ તેઓ તેમને અમુક વસ્તુઓ ન ખાવા માટે કહેશે.
\v 4 હું આ કહું છું કારણ કે ઈશ્વરે જે સર્વ બનાવ્યું છે તે સારું છે. ઈશ્વર તરફથી જે આપણને પ્રાપ્ત થયું છે તેને માટે તેમનો આભાર માનતાં તેનો અસ્વીકાર ન કરીએ.
\v 5 ઈશ્વરને પ્રાર્થના કરવા દ્વારા અને તેમના વચન પર વિશ્વાસ કરવા દ્વારા આપણે તે તેમના માટે અલગ કરીએ છીએ.
\s5
\v 6 જો તું આ સત્ય ભાઇઓ અને બહેનોને કહેવાનું ચાલુ રાખીશ તો, તું ઈસુ ખ્રિસ્તનો સારો સેવક થઈશ. તું તેમની સારી સેવા કરી શકીશ, કારણ કે જેમ જે સારી બાબતો ઈશ્વરે તને શીખવી છે અને જેમનું તું પાલન કરે છે તેઓ પણ તને તાલીમ આપી રહી છે તેમ જે સંદેશ પર આપણે વિશ્વાસ કર્યો છે તે તને તાલીમ આપી રહ્યો છે.
\v 7 પણ જે બાબતોનો કોઈ અર્થ નથી અને જે કાલ્પનિક વાર્તાઓ માત્ર વૃદ્ધ સ્ત્રીઓ કહે છે તે તું ન સાંભળ. તેને બદલે, તુ ઈશ્વરને માન આપવામાં તારી જાતને કેળવ.
\v 8 શારીરિક કસરત માત્ર થોડી જ મદદરૂપ છે, પરંતુ જો તું ઈશ્વરને માન આપીશ તો, તે તને અત્યારે પૃથ્વી પરના જીવનની દરેક બાબતોમાં અને ભવિષ્યમાં ઈશ્વર સાથે જીવવામાં પણ મદદરૂપ થશે.
\s5
\v 9 મેં તને હમણાં જ જે લખ્યું છે તે સંપૂર્ણ ભરોસો રાખવા યોગ્ય છે. તે સંપૂર્ણ વિશ્વાસ કરવા યોગ્ય છે.
\v 10 આ કારણને લીધે અમે જેટલી કરી શકીએ તેટલી, સખત મહેનત કરીએ છીએ, કારણ કે અમારી આશા જીવંત ઈશ્વર પર છે, જે સર્વ મનુષ્યોના ઉધ્ધારક છે, પરંતુ ખાસ કરીને જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેઓના ઉધ્ધારક છે.
\s5
\v 11 આ બાબતો વિશ્વાસીઓને જાહેર કર અને શીખવ.
\v 12 કોઈને એમ કહેવાની તક ન આપ કે તું જુવાન છે માટે તું તુચ્છ છે. તેને બદલે, બીજા વિશ્વાસીઓને તું જે રીતે બોલે છે, જે રીતે રહે છે, જે રીતે પ્રેમ કરે છે, જે રીતે ઈશ્વર પર વિશ્વાસ કરે છે, અને તુ જે રીતે ખોટી બાબતોથી પોતાને દૂર રાખે છે તે દ્વારા તેઓને બતાવ કે કેવી રીતે જીવન જીવવું.
\v 13 જ્યાં સુધી હું તારી પાસે આવું નહી, ત્યાં સુધી ધ્યાન રાખ કે તું વિશ્વાસીઓની મધ્યે જાહેરમાં ઈશ્વરનાં વચનો વાંચે, અને તું વિશ્વાસીઓને ઈશ્વરનાં વચનો સમજાવે અને શીખવે.
\s5
\v 14 જ્યારે આગેવાનોએ તારા પર હાથ મૂક્યા અને તને ઈશ્વરનો સંદેશ આપ્યો ત્યારે ઈશ્વરે તને જે દાન આપ્યું, તે દાન જે તારામાં છે તેનો ઉપયોગ કરવાને ધ્યાન રાખ.
\v 15 આ બધી બાબતો કરવાને અને તે અનુસાર જીવવાને માટે ધ્યાન રાખ. આ રીતે, બધા વિશ્વાસીઓ જોશે કે તું તે બાબતોને સારી અને વધુ સારી રીતે કરી રહ્યો છે.
\v 16 તારી જાતને ખૂબ જ કાળજીપૂર્વક કાબૂમાં રાખ અને અમે જે બધું શીખવ્યુ છે તે કર. આ બાબતો કરવાનું ચાલુ રાખ. જો તું આમ કરે, તો તું તારી જાતને અને જે લોકો તને સાંભળે છે તેઓને બચાવશે.
\s5
\c 5
\p
\v 1 તારા કરતાં મોટી ઉંમરવાળા સાથે કઠોરતાથી બોલીશ નહીં. તેને બદલે, જેમ તું તારા પિતાને ઉત્તેજન આપતો હોય તેમ તેમને ઉત્તેજન આપ. યુવાન ભાઈઓને પણ તારા નાના ભાઈઓ સમાન ગણી તેઓ સાથે પણ તેમ જ કર.
\v 2 વૃદ્ધ સ્ત્રીઓને માતાઓ તરીકે અને યુવાન સ્ત્રીઓને તેઓ જાણેકે તારી બહેનો હોય તેમ પ્રોત્સાહિત કર. તેઓની સાથે એવી રીતે વર્ત કે કોઈ પણ તારી ટીકા ન કરી શકે.
\s5
\v 3 જો વિધવાઓ સાચા અર્થમાં વિધવાઓ હોય તો તેઓને માન આપ.
\v 4 પરંતુ જો કોઈ વિધવાને બાળકો હોય અથવા પૌત્રો હોય, તો તેમણે પોતાની માતાને માન આપવું જોઇએ અને તેણે જે કંઈ કર્યું છે તે માટે તેને બદલો ભરી આપવો જોઈએ. જો તેઓ આમ કરશે, તો તેઓ ઈશ્વરને ખુશ કરશે.
\s5
\v 5 હવે, એક સાચી વિધવા એ છે કે જેને કોઈ પરિવારજન નથી. તેથી તે ઈશ્વર પર આધાર રાખે છે અને તે જ્યારે ઈશ્વર પાસે દિવસરાત પ્રાર્થના કરે છે અને માંગે છે ત્યારે તેઓ તેને જે આપે છે તેની પર આધાર રાખે છે.
\v 6 પરંતુ જે વિધવા પોતાની જાતને ખુશ રાખવા જીવે છે તે જીવતી હોવા છતાં મરેલી છે.
\s5
\v 7 તારે આ વાતોની જાહેરાત કરવી જોઈએ કે જેથી આ વિધવાઓ અને તેમના પરિવારો કંઈ ખોટું ન કરે.
\v 8 પરંતુ જે કોઈ તેના પોતાના સંબંધીઓને અને ખાસ કરીને જે તેના ઘરમાં રહે છે તેઓને મદદ કરવા માટે પ્રયત્ન કરતો નથી, તે વ્યક્તિ આપણે જે વિશ્વાસ કરીએ છીએ તેને નકારે છે. હકીકતમાં તો, તે અવિશ્વાસી કરતાં વધુ ખરાબ છે.
\s5
\v 9 જો સ્ત્રીની ઉંમર ૬૦ વર્ષથી વધુ હોય તો જ તેને ખરી વિધવાઓની યાદીમાં નોંધ. વળી તે એક જ પતિની પત્ની રહી હોવી જોઈએ કે જેની સાથે તે વફાદાર હતી.
\v 10 લોકોને ખબર હોવી જોઇએ કે તે સારાં કાર્યો કરે છે: કદાચ તે બાળકોની કાળજી લે છે; કદાચ તે અજાણ્યાને આવકારે છે; કદાચ તે વિશ્વાસીઓ અથવા પીડિત લોકોને મદદ કરતી હોય; અથવા કદાચ તે વિવિધ સારી બાબતો કરવા માટે જાણીતી હોય.
\s5
\v 11 પરંતુ વિધવાઓની યાદીમાં જુવાન વિધવાઓની નોંધ ન કર, કારણ કે જ્યારે તેઓ પોતાનું મન બદલે છે ત્યારે ઘણી વાર તેઓ ફરી લગ્ન કરવા ચાહે છે અને ખ્રિસ્ત કરતા લગ્નપ્રેમને પ્રાધાન્ય આપે છે.
\v 12 જ્યારે તેઓ આમ કરે છે, ત્યારે તેઓ વિધવા રહેવાની તેમની પ્રતિજ્ઞા તોડવા બદલ દોષિત ઠરે છે.
\v 13 વળી, તેઓ ઘરે-ઘરે જાય છે અને સતત આળસુ બની જાય છે. તેઓ મૂર્ખ અને નકામી પ્રવૃત્તિઓમાં જોડાયેલી હોય છે અને એવી બાબતો કહે છે જે તેમણે કહેવી ન જોઈએ.
\s5
\v 14 તેથી હું ચાહું છું કે જુવાન વિધવાઓ લગ્ન કરે, બાળકો હોય, અને તેમના ઘર ચલાવે, કે જેથી શેતાન શત્રુને, તેમને ખોટા ઠરાવી આરોપો મૂકવાની કોઈ તક ન મળે.
\v 15 હું આ બાબતો લખું છું કારણ કે કેટલીક જુવાન વિધવાઓએ પહેલેથી જ શેતાનને અનુસરવા માટે ખ્રિસ્તનો માર્ગ છોડી દીધો છે.
\v 16 જો કોઈ વિશ્વાસુ સ્ત્રીને તેના સગામાં વિધવાઓ છે તો, તેણે તેઓને મદદ કરવી જોઈએ, કે જેથી તે વિધવાઓ મંડળીને બોજારૂપ ન થાય. આ રીતે મંડળી જેઓ બીજી વિધવાઓ છે તેમને મદદ કરી શકે.
\s5
\v 17 વિશ્વાસીઓ, આગેવાનો કે જે તેમને યોગ્ય રીતે દોરે છે તેમને બમણું માન આપે, અને ખાસ કરીને જે આગેવાનો ઈશ્વરનાં વચનનો ઉપદેશ કરે છે અને શીખવે છે તેમને માન આપે.
\v 18 શાસ્ત્રમાં લખેલું છે કે, "જે બળદ અનાજ છૂટું પાડવાના કામમાં રોકાયેલો હોય તેને તેમાંથી ખાતો ન રોક," અને "મજૂરને તેનું મહેનતાણું મળવું જોઈએ."
\s5
\v 19 જો કોઈ આગેવાન પર ખોટું કરવાનો આરોપ હોય તો તું કોઈનું ન સાંભળ, સિવાય કે બે કે ત્રણ લોકો આ બાબત વિશે જુબાની આપતા હોય.
\v 20 જેઓ સતત પાપ કરતા રહે છે, તેમને દરેકના દેખતાં સુધાર કે જેથી, બાકીના લોકો પાપ કરતાં ડરશે.
\s5
\v 21 જ્યારે હું તને આ બધું કરવા માટે આજ્ઞા આપું છું ત્યારે ઈશ્વર, ઈસુ ખ્રિસ્ત અને પસંદ કરેલા દૂતો મને જુએ છે. કાળજી રાખ કે સાબિત થયા પહેલા તું કોઈનો ન્યાય ન કરે. કાળજી રાખ કે જ્યારે તું વિશ્વાસીઓને દોરવણી આપી રહ્યો હોય ત્યારે એક વ્યક્તિના કરતાં બીજી વ્યક્તિની તરફેણ ન કર.
\v 22 જ્યારે તું ઇચ્છે કે કોઈ વ્યક્તિ વિશ્વાસીઓની સેવા કરવાનું શરૂ કરે, ત્યારે કોઈ પણ નિર્ણય ઝડપથી ન કર, કે જેથી તું તેઓની પસંદગી ઉતાવળમાં ન કરે. અને કોઈ પણ વ્યક્તિ સાથે પાપનો ભાગીદાર ન થા. તું પોતાને દોષ વિનાનો રાખ.
\s5
\v 23 તિમોથી, તું ફક્ત પાણી ન પી, તેના બદલે, તારા પેટની માંદગી હોવાને લીધે થોડો દ્રાક્ષારસ પણ પી.
\v 24 કેટલાંક લોકોનાં પાપની જાણ દરેકને છે, અને તેઓનો ન્યાય કરવામાં મંડળીને વધારે સમય લાગતો નથી. પરંતુ મંડળીને કેટલાંક પાપોની જાણ લાંબા સમય સુધી થતી નથી.
\v 25 તે જ રીતે, કેટલાંક સારાં કાર્યો દરેકને સ્પષ્ટ છે, પણ ભવિષ્યમાં પણ અન્ય સારાં કાર્યો પણ કોઈક સમયે સ્પષ્ટ થઈ જશે.
\s5
\c 6
\p
\v 1 વિશ્વાસીઓ જેઓ ગુલામો છે, તેઓએ દરેક રીતે તેમના માલિકોને માન આપવું જોઈએ, કે જેથી કોઈ વ્યક્તિ ઈશ્વરનું અથવા આપણે જે શીખવીએ છીએ તેનું અપમાન ન કરે.
\v 2 જે ગુલામોના માલિકો વિશ્વાસી છે તેઓએ, કારણ કે માલિકો તેમના ભાઈઓ છે માટે તેમને થોડું જ માન ન આપવું. તેના બદલે, તેઓએ તેમના માલિકોની વધુ સારી રીતે સેવા કરવી, કારણ કે તેઓ જે માલિકોની સેવા કરે છે તે તેમના ભાઇઓ છે કે જેમને તેઓએ પ્રેમ કરવો જોઈએ. વિશ્વાસીઓને આ બાબતો શીખવ અને જાહેર કર.
\s5
\v 3 કેટલાક લોકો; અમે જે સાચી બાબતો લખી છે, તે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવી છે અને ઈશ્વરને માન આપનારી છે તેના કરતાં અલગ બાબતો શીખવે છે.
\v 4 એવા લોકો ખૂબ જ અભિમાની છે અને કઈંપણ સમજતા નથી. તેઓ બિનમહત્વપૂર્ણ બાબતો વિશે અને અમુક શબ્દો વિશે દલીલ કરવા માંગે છે, પરિણામસ્વરૂપે, જે લોકો તેમનું સાંભળે છે તેઓ બીજાઓની ઇર્ષ્યા કરવા લાગે છે. તેઓ બીજાઓ સાથે અને અંદરોઅંદર ઝઘડે છે. તેઓ બીજા વિશે ખરાબ બાબતો કહે છે. તેઓ શંકા કરે છે કે બીજા લોકોના ઇરાદા ખરાબ છે.
\v 5 તેઓની વિચારસરણી સંપૂર્ણપણે ખોટી થઈ ગઈ છે કારણ કે તેઓએ સત્ય બાબતોનો નકાર કર્યો છે. પરિણામે, તેઓ વિચારે છે કે ધાર્મિક બાબતો કરીને તેઓ વધારે નાણા મેળવી શકશે.
\s5
\v 6 વળી, જ્યારે આપણે ઈશ્વરને માન મળે તેવું વર્તન કરીએ છીએ અને જે આપણી પાસે છે તેમાં સંતોષી રહીએ છીએ ત્યારે આપણે ખરેખર મોટો લાભ મેળવીએ છીએ.
\v 7 ખરેખર, જ્યારે આપણે જન્મ્યા હતા ત્યારે આપણે દુનિયામાં કશું જ લાવ્યા ન હતા, અને જ્યારે આપણે મરણ પામીએ છીએ ત્યારે તેમાંથી કશું લઈ જઈ શકતા નથી.
\v 8 તેથી જો આપણી પાસે ખોરાક અને વસ્ત્રો હોય, તો આપણે તેનાથી સંતુષ્ટ થવું જોઈએ.
\s5
\v 9 પરંતુ કેટલાક લોકો ખરેખર ધનવાન થવા ઇચ્છે છે. પરિણામે, તેઓ નાણાં મેળવવા માટે ખોટી બાબતો કરે છે, અને જેમ પ્રાણીઓ ફાંદામાં ફસાય છે તેમ તેઓ સપડાઈ જશે. તેઓ મૂર્ખાઈપૂર્વક ઘણી બાબતોની ઇચ્છા રાખે છે, અને તેથી તેઓ નુકસાન વહોરે છે. ઈશ્વર તેમનો સંપૂર્ણપણે નાશ કરશે!
\v 10 જ્યારે લોકો પુષ્કળ પૈસા મેળવવા માગે છે ત્યારે તેઓ બધા જ પ્રકારની દુષ્ટ બાબતો કરે છે. કેટલાક લોકોએ જે સત્ય આપણે બધા જ માનીએ છીએ તેને માનવાનું બંધ કર્યું છે અને તેઓએ પોતાને ખૂબ જ દુ:ખી કર્યા છે કારણ કે તેઓને પૈસા માટે ખૂબ જ ઝંખના હતી.
\s5
\v 11 પરંતુ ઈશ્વરની સેવા કરનાર વ્યક્તિ તરીકે તું, પૈસાના આવા પ્રેમથી સંપૂર્ણપણે દૂર રહે. નક્કી કર કે જે યોગ્ય છે તે જ તું કરીશ અને તું ઈશ્વરને માન આપીશ. ઈશ્વર પર વિશ્વાસ કર, અને બીજાઓને પ્રેમ કર. મુશ્કેલ સંજોગોને સહન કર. હંમેશા લોકો સાથે નમ્રતાથી રહે.
\v 12 વિશ્વાસ પ્રમાણે જીવવા માટે તારી પૂર્ણ શક્તિથી અને ઉત્સાહથી પ્રયાસ કર. તારાં કાર્યોને સારી રીતે કરવાનું ચાલુ રાખ કે જેથી તું ખાતરીપૂર્વક જાણશે કે તું અનંતકાળ સુધી જીવવાનો છે. યાદ રાખ કે ઈશ્વરે તને તેમની સાથે રહેવા માટે પસંદ કર્યો છે, અને જ્યારે ઘણા આગેવાનો તને સાંભળતા હતા, ત્યારે તું જે વિશ્વાસ કરે છે તે વિષે તેં ખૂબ ભારપૂર્વક કહ્યું હતું તે પણ યાદ રાખ.
\s5
\v 13 ઈશ્વર, કે જેઓને બધાને જીવન આપે છે, તેઓ તું જે કરે છે તે બધું જ જાણે છે. ખ્રિસ્ત ઈસુ પણ તું જે કંઈ કરે છે તે બધું જ જાણે છે. જ્યારે પોંતિયસ પિલાત સમક્ષ તેમની તપાસ ચાલતી હતી ત્યારે સાચું શું હતું તે તેમણે દ્રઢતાથી જાહેર કર્યું.
\v 14 તેથી જ્યારે તું એ બાબતો યાદ રાખે ત્યારે ખ્રિસ્તે આપણને દરેક બાબતે જે કઈ આજ્ઞા આપી છે તેને દ્રઢતાથી વળગી રહેવા હું તને આજ્ઞા આપું છું. તેમાં તું પૂર્ણ થા. તે શિક્ષણને તું એવી રીતે વળગી રહે કે જ્યાં સુધી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી પાછા ન આવે, ત્યાં સુધી તેમને તારા વિશે ખોટી ટીકા કરવાની જરૂર ન પડે.
\s5
\v 15 યાદ રાખ કે ઈશ્વર યોગ્ય સમયે ઈસુને ફરીથી પાછા આવે એવું કરશે. ઈશ્વર અદ્દભુત છે! તેઓ જ એક માત્ર શાસક છે! તેઓ સર્વ લોકો જેઓ શાસક છે તેઓ પર શાસન કરે છે!
\v 16 તેઓ એક માત્ર છે કે જેઓ ક્યારેય મરણ પામશે નહિ, અને તેઓ સ્વર્ગમાં પ્રકાશમાં રહે છે અને તેઓ એટલા તેજસ્વી છે કે કોઈપણ વ્યક્તિ તેમની પાસે આવી શકતો નથી! તેઓને કોઈ પણ વ્યક્તિએ ક્યારેય જોયા નથી અને કોઈ પણ વ્યક્તિ તેઓને જોઈ શકવા સક્ષમ નથી! મારી ઇચ્છા છે કે બધા લોકો તેમને માન આપે અને તેઓ સદાકાળ દ્રઢતાથી શાસન કરે! મારી ઝંખના છે કે તેમ જ થાઓ!
\s5
\v 17 વિશ્વાસીઓ જેઓ આ દુનિયામાં ધનવાન છે તેઓ અભિમાન ન કરે, અને તેઓએ તેમની સંપત્તિ પર ભરોસો રાખી તેને વળગી રહેવું નહિ, કારણ કે તેઓ ચોક્કસપણે જાણતા નથી કે તે તેમની પાસે કેટલો સમય રહેશે. તેના બદલે, તેઓએ ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ. તે ઈશ્વર જ છે કે જેઓ આપણને બધું ભરપૂરપણે આપે છે કે જેથી આપણે તેનો આનંદ માણી શકીએ.
\v 18 ઉપરાંત, તેમને સારી બાબતો કરવા જણાવ. સાચી સંપત્તિ ખરેખર આ છે. જેઓની પાસે જે હોય તે બીજાઓ સાથે અવશ્ય વહેંચવું.
\v 19 તેઓ જો એમ કરે તો, એવું થશે કે તેઓ પોતાના માટે ઘણો બધો સંગ્રહ કરે છે જે ઈશ્વર તેમને આપશે. જ્યારે તેઓ આ કરે છે, ત્યારે તેઓ જે સાચું જીવન છે તે પ્રાપ્ત કરશે.
\s5
\v 20 તિમોથી, વિશ્વાસુપણે સાચો સંદેશ જાહેર કર કે જે તને ઈસુએ આપ્યો છે. જે બાબતો ઈશ્વર માટે અગત્યની નથી તેવી બાબતો વિશે બકબક કરવા માગતા લોકોને તું ટાળ. જે લોકો કહે છે કે તેઓ સાચું જ્ઞાન ધરાવે છે પરંતુ જે સત્ય બાબતો અમે શીખવીએ છીએ તેની વિરુદ્ધ બોલે છે તેવા લોકોને ટાળ.
\v 21 કેટલીક વ્યક્તિઓ આ બાબતો શીખવે છે અને તેથી તેઓએ સત્ય પર વિશ્વાસ કરવાનું છોડી દીધું છે. ઈશ્વર તમ સર્વ પર માયાળુ બનો.

147
56-2TI.usfm Normal file
View File

@ -0,0 +1,147 @@
\id 2TI
\ide UTF-8
\h 2 તિમોથીને
\toc1 2 તિમોથીને
\toc2 2 તિમોથીને
\toc3 2ti
\mt1 2 તિમોથીને
\s5
\c 1
\p
\v 1 હું, પાઉલ, તિમોથીને લખી રહ્યો છું. ખ્રિસ્તે મને એક પ્રેરિત તરીકે દરેકને એ કહેવા માટે મોકલ્યો છે કે જો તેઓ તેમની સાથે જોડાએલા રહે તો ઈશ્વર તેમને હમણાં અને સર્વકાળ તેઓ જીવતા રહેશે તેવું વચન આપે છે.
\v 2 તિમોથી, હું તને મારા પોતાના પુત્ર સમાન પ્રેમ કરુ છું. ઈશ્વર આપણા પિતા અને ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
\p
\s5
\v 3 હું ઈશ્વરનો આભાર માનું છું અને તેમની સેવા કરું છું કારણ કે જેમ મારા પૂર્વજોએ કર્યું તેમ, ઈશ્વર જે ઈચ્છે છે તે હું ખરેખર કરવા માગુ છું. તિમોથી હું તારા માટે, રાત અને દિવસ પ્રાર્થના કરું છું.
\v 4 હું ખરેખર તને મળવા માંગું છું કારણ કે મને યાદ છે કે તું મારા માટે કેવું રડ્યો હતો. જો હું તને ફરીથી મળીશ, તો મને ખરેખર ખૂબ આનંદ થશે.
\v 5 મને યાદ છે તું ઈસુમાં સાચો વિશ્વાસ કરે છે! પ્રથમ, તારી દાદી લોઈસ અને તારી માતા યુનિકાએ પોતાના જીવનમાં ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખ્યો હતો, અને મને ખાતરી છે કે તું પણ તેઓની માફક ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખે છે!
\s5
\v 6 તું ઈસુ પર ભરોસો રાખે છે તે માટે હું તને યાદ કરાવું છું કે જ્યારે મેં તારા પર મારા હાથ મૂક્યા અને તારા માટે પ્રાર્થના કરી ત્યારે ઈશ્વરે તને જે દાન આપ્યું તેનો ફરીથી ઉપયોગ કરવાનું શરૂ કર.
\v 7 જ્યારે ઈશ્વરના આત્માનું અમારા પર આગમન થયું. ત્યારે આત્માએ અમને ભયભીત થવા દીધા નહિ; તેના બદલે, અમને ઈશ્વરની આજ્ઞા પાળવા, તેમને અને બીજાઓને પ્રેમ કરવા, અને પોતાને નિયંત્રણમાં રાખવા માટે સામર્થ્ય આપ્યું.
\p
\s5
\v 8 તેથી તું એમ ન માનીશ કે જો તું આપણા પ્રભુ ઈસુ વિષે બીજા લોકોને કહીશ તો તને શરમ લાગશે. ઈસુમાં વિશ્વાસ કરવાને લીધે હું જેલમાં છું અને તું મારો મિત્ર છે તેથી એવું ન વિચારીશ કે તને શરમ લાગશે. તેના બદલે, જ્યારે તું બીજાઓને શુભ સમાચાર કહે ત્યારે મુશ્કેલીઓ સહન કરવાને તૈયાર રહે. ઈશ્વર તને સર્વ મુશ્કેલીઓ સહન કરવા સક્ષમ કરશે.
\v 9 તેઓ આ પ્રમાણે કરશે કારણ કે તેમણે આપણને બચાવ્યા અને પોતાના લોક થવા માટે આપણને બોલાવ્યા. કોઈ સારાં કાર્યોને લીધે ઈશ્વરે આપણને બચાવ્યા નથી; તેના બદલે, તેમણે આપણને આ ભેટ આપવાની યોજના કરી હતી તે કારણે તેમણે આપણને બચાવ્યા! ઈશ્વરે જગતના મંડાણ અગાઉ, ઇસુ મસીહ દ્વારા આ ભેટ આપણને મળે માટે આ કર્યું.
\v 10 હવે દરેક વ્યક્તિ જોઈ શકે છે કે ઈશ્વર તેમને બચાવી શકે છે, કારણ કે આપણા ઉદ્ધારક ઈસુ મસીહ આવ્યા અને તેમણે મરણનો નાશ કર્યો અને દરેકને સુવાર્તા એટલે કે એ સત્ય દર્શાવ્યું કે તેઓ લોકોને સદાકાળ જીવવા માટે સમર્થ કરે છે.
\v 11 આ કારણે જ ઈશ્વરે મને પ્રેરિત, ઉપદેશક અને શિક્ષક તરીકે મોકલવાનો નિર્ણય કર્યો હતો.
\s5
\v 12 આ કાર્યમાં મેં સહન કર્યું, પણ મને શરમ નથી લાગતી, કારણ કે હું ઈસુ ખ્રિસ્તને જાણું છું અને તેમના પર વિશ્વાસ કરું છું, અને મને ખાતરી છે કે અંતિમ દિવસ સુધી તેઓ તેમના પરના મારા વિશ્વાસને સુરક્ષિત રાખશે.
\p
\v 13 જેમ તું ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખે છે અને તેમને પ્રેમ કરે છે, તેમ જે વચનો, તેં મારી પાસેથી સાંભળ્યાં છે તેને સાચા અર્થમાં અનુસર.
\v 14 ઈશ્વરે જે સારો સંદેશ તને આપ્યો છે તેનો તું ઉપદેશ કરે માટે તેઓ તારા પર આધાર રાખે છે. આપણામાં જે પવિત્ર આત્મા રહે છે તેમના પર આધાર રાખીને તે સંદેશનું રક્ષણ કર.
\p
\s5
\v 15 તું જાણે છે કે ફુગિલસ અને હેર્મોગેનેસ સહિત, આસિયાના લગભગ બધા જ વિશ્વાસીઓ મારા મિત્ર રહ્યા નથી.
\v 16 પરંતુ હું પ્રાર્થના કરું છું કે પ્રભુ ઓનેસિફરસના પરિવાર પર દયાળુ થાય. તેણે મને ઘણી વખત મદદ કરી, અને હું જેલમાં છું તેથી તે શરમાયો ન હતો.
\v 17 તેનાથી વિરુદ્ધ, જ્યારે તે રોમમાં આવ્યો, ત્યારે જ્યાં સુધી હું તેને મળ્યો નહિ ત્યાં સુધી તેણે મને શોધ્યો.
\v 18 ઈશ્વર અંતિમ દિવસે ઓનેસિફરસ પર દયા કરો. તેણે મને એફેસસમાં જે સર્વ રીતે મદદ કરી તે તું જાણે છે.
\s5
\c 2
\p
\v 1 તું મારા માટે દીકરા જેવો છે. તેથી હું એ પણ વિનંતી કરું છું કે તું ઈસુ ખ્રિસ્તની દયાને પરિણામે ઈશ્વર તને સામર્થ્યવાન કરે તેમ થવા દે.
\v 2 વિશ્વાસુ વ્યક્તિઓ પર ભરોસો કરીને આજ્ઞા કર કે મારી પાસેથી તેં જે સાંભળ્યું અને બીજા ઘણા જેઓએ તે જ રીતે બીજાઓને સાક્ષી આપી તે વિષે તેઓ બીજાઓને શીખવે.
\p
\s5
\v 3 જેમ એક સારો સૈનિક ધીરજથી સહન કરે છે, તેમ અને જેમ હું ખ્રિસ્ત માટે ધીરજથી સહન કરું છું તેમ તું પણ કર.
\v 4 તું જાણે છે કે સૈનિકો, તેમના કપ્તાનને ખુશ કરવા માટે, સાંસારિક બાબતોમાં સામેલ થતા નથી.
\v 5 તેવી જ રીતે, રમતવીરો જ્યાં સુધી નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી જીતી શકતા નથી.
\s5
\v 6 અને ખેડૂત જે સખત મહેનત કરે છે તેને પ્રથમ પાકનો હિસ્સો મળવો જ જોઈએ.
\v 7 મેં જે લખ્યું છે તે વિશે વિચાર કર, કારણ કે, જો તું એમ કરે, તો ઈશ્વર તને તારે જે સમજવાની જરૂર છે તે દરેક બાબત સમજવા માટે સામર્થ્ય આપશે.
\s5
\v 8 જ્યારે તું મુશ્કેલીઓ સહન કરે છે, ત્યારે ઈસુ ખ્રિસ્ત જે દાઉદ રાજાના વંશજ કે જેમને ઈશ્વરે મરણમાંથી ઉઠાડ્યા તેમને યાદ કર. આ તે જ શુભ સમાચાર છે જેનો હું ઉપદેશ કરું છું.
\v 9 આ શુભ સમાચાર માટે હું ગુનેગાર તરીકે જેલમાં જવાની હદ સુધી સહન કરું છું. પરંતુ ઈશ્વરનું વચન જેલના બંધનમાં નથી.
\v 10 તેથી, જે લોકોને ઈશ્વરે પસંદ કર્યા છે તેઓની ખાતર હું સ્વેચ્છાએ આ બધું ધીરજથી સહન કરું છું. ખ્રિસ્ત ઈસુ તેઓને બચાવી લે તે ઈરાદાથી પણ હું આ કરું છું, અને ઈસુ જ્યાં છે તે ભવ્યસ્થાને તેઓ તેમની સાથે સદાકાળ રહેશે.
\s5
\v 11 જે વચનો અમે કેટલીક વાર કહીએ છીએ તે પર તું આધાર રાખી શકે છે કે:
\q "જો આપણે ઈસુ સાથે મૃત્યુ પામ્યા હોય, તો તેમની સાથે જીવીશું પણ ખરા.
\q
\v 12 જો આપણે સહન કરીએ છીએ, તો આપણે તેમની સાથે રાજ પણ કરીશું.
\q પરંતુ જો આપણે તેમને નકારીએ, તો તેઓ પણ આપણને નકારશે.
\q
\v 13 જો આપણે ઈસુને વિશ્વાસુ ન રહીએ, તોપણ તે આપણને વિશ્વાસુ રહે છે;
\m કેમકે તેઓ પોતાને નકારી શકતા નથી."
\p
\s5
\v 14 ઈશ્વરનું સત્ય શીખવવા તેં જેઓની નિમણૂક કરી છે, તેઓને મેં આ જે બાબતો વિષે કહ્યું છે તે યાદ કરાવતો રહેજે. ઈશ્વર સમક્ષ તેઓને ચેતવણી આપ કે મૂર્ખતાભર્યા શબ્દો માટે ન લડે, કારણ કે આમ કરવાથી કંઈ પણ મદદ થતી નથી અને જે લોકો તે સાંભળે છે તેમનું પતન થઇ શકે છે.
\p
\v 15 જેને શરમાવાનું કોઈ કારણ ન હોય, જેને ઈશ્વર માન્ય કરે અને જે ઈશ્વરના વચનને યોગ્ય રીતે શીખવે છે તેવો સેવક બનવા તારો શ્રેષ્ઠ પ્રયત્ન કર, કે જેથી તે સાચું કહે છે તે હકીકત પર સર્વ લોકો આધાર રાખી શકે.
\p
\s5
\v 16 જે લોકો ઈશ્વરનું અપમાન થાય તેવી વાત કરતા હોય તેમનાથી તારે દૂર રહેવું, કારણ કે આ પ્રકારની વાત ઈશ્વરને વધુ અને વધુ અપમાનિત કરે છે.
\v 17 આ પ્રકારના શબ્દો ચેપી રોગ જેવા ફેલાશે. હુમનાયસ અને ફિલેતસ એ એવા પુરુષોનાં બે ઉદાહરણો છે જેઓ આવી વાતો કરે છે.
\v 18 તે માણસોએ વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે. તેઓ કહે છે કે મરણ પામેલા લોકોનું પુનરુત્થાન થઈ ગયું છે. આ રીતે તેઓ કેટલાક ખ્રિસ્તીઓને ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા રોકે છે.
\s5
\v 19 જો કે, ઈશ્વર વિષેનું સત્ય હજુ અસ્તિત્વમાં છે. તે એક મકાનના મજબૂત પાયાની જેમ છે, જેના પર કોઈએ આ લખ્યું છે: "જેઓ પ્રભુના છે તેમને તેઓ જાણે છે," અને, "જે દરેક વ્યક્તિ કહે છે કે તે પ્રભુનો છે તેણે ખોટાં કામ કરવાનું બંધ કરવું જ જોઈએ."
\v 20 ધનવાન વ્યક્તિના ઘરમાં માત્ર સોના અને ચાંદીથી બનાવેલ પાત્રો જ નથી હોતાં, પણ લાકડાનાં અને માટીનાં પાત્રો પણ હોય છે. સોના અને ચાંદીના પાત્રો ખાસ પ્રસંગોએ ઉપયોગમાં લેવાય છે. પરંતુ લાકડા અને માટીના પાત્રો સામાન્ય સમયમાં ઉપયોગમાં લેવાય છે.
\v 21 તેથી, જે લોકો પોતે પોતાના જીવનમાંથી દુષ્ટતા દૂર કરે છે, તેઓ પ્રભુને માટે સારું કામ કરી શકશે. તેઓ કોઈપણ પ્રકારના સારા કામ માટે તૈયાર કરેલા પાત્રો જેવા થશે. તેઓ તેમના માલિક માટે, વિશેષ પ્રકારનું કામ કરવા, હકીકતમાં તો કરેક સારું કામ કરવા ખૂબ જ ઉપયોગી થશે.
\s5
\v 22 યુવાન લોકો સામાન્ય રીતે જે ઇચ્છા કરે છે તેવી પાપી બાબતોની ઇચ્છા ન રાખ. તેના બદલે, યોગ્ય બાબતો કરવાનો પ્રયત્ન કર. ઈશ્વરમાં વિશ્વાસ રાખ અને તેમને પ્રેમ કર. શાંતિમાં રહેવાનો પ્રયત્ન કર. જે લોકો ઈશ્વરનું અંત:કરણપૂર્વક ભજન કરતા હોય તેઓ સાથે રહે.
\p
\v 23 જે બાબતો અગત્યની નથી તેના વિશે મૂર્ખતાપૂર્વક દલીલ કરવા માગતા હોય તેવાઓની સાથે વાત ન કર. તેમની સાથે વાત કરીશ નહીં, કારણ કે તું જાણે છે કે જ્યારે લોકો મૂર્ખતા ભરેલી બાબતો વિશે વાત કરે છે, ત્યારે તેઓ ઝઘડો કરવાનું શરૂ કરે છે.
\s5
\v 24 પરંતુ જેઓ પ્રભુની સેવા કરે છે તેઓએ ઝઘડવું ન જોઈએ. તેના બદલે, તેઓએ બધા લોકો પ્રત્યે દયાળુ થવું જોઈએ, તેઓએ ઈશ્વરના સત્યને સારી રીતે શીખવનારા બનવું જોઈએ, અને તેઓએ લોકો સાથે ધીરજથી વર્તવું જોઈએ.
\v 25 તેથી, જેઓ તેમની સામે દલીલ કરે છે તેઓને તેઓએ નમ્રતાપૂર્વક શીખવવું જોઈએ. કદાચ ઈશ્વર તેમને પસ્તાવો કરવાની તક આપે અને તેઓ સત્ય જાણે.
\v 26 આ રીતે તેઓ યોગ્ય રીતે વિચારે અને શેતાને બિછાવેલી જાળમાંથી છૂટી ગયા હોય તેવા લોકો થાય. તે શેતાન જ છે જેણે તેઓને તે જે કરાવવા ઇચ્છે છે તે કરાવી શકે તે માટે છેતર્યા હતા.
\s5
\c 3
\p
\v 1 હું ઇચ્છું છું કે તુ આ જાણે: પ્રભુ પાછા આવે તે અગાઉનો અંતિમ સમયગાળો, ઘણો ભયંકર હશે.
\v 2 લોકો બીજા બધા કરતાં પોતાને વધુ પ્રેમ કરશે. તેઓ નાણાં પર પ્રેમ રાખશે. તેઓ પોતાના વિષે બડાઈ કરશે. તેઓ ગર્વ કરશે. તેઓ બીજાઓનું અપમાન કરશે. તેઓ તેમના માતાપિતાની આજ્ઞા પાળશે નહીં. તેઓ કોઈ પણ બાબત માટે કોઇનો આભાર માનશે નહીં. તેઓ ઈશ્વરનું સન્માન કરશે નહીં.
\v 3 તેઓ પોતાના કુટુંબને પણ પ્રેમ કરશે નહિ. તેઓ કોઈ પણની સાથે શાંતિમાં રહેવાનો ઇન્કાર કરશે. તેઓ એકબીજા સાથે શાંતિમાં રહેશે નહીં. તેઓ બીજાની નિંદા કરશે. તેઓ પોતાની જાતને નિયંત્રિત કરશે નહીં. તેઓ અન્ય લોકો પ્રત્યે ઘાતકી થશે. તેઓ જે સારું છે તે પર પ્રેમ કરશે નહીં.
\v 4 જે લોકોનું તેઓએ રક્ષણ કરવું જોઈએ તેમને તેઓ દગો દેશે. તેઓ વિચાર કર્યા વિના ખતરનાક બાબતો કરશે. તેઓ અભિમાન કરશે, અને ઈશ્વરને પ્રેમ કરવાને બદલે પોતે જે ઇચ્છે તે કરશે.
\s5
\v 5 તેઓ ઈશ્વરને માન આપતા હોય તેમ દેખાડશે, પરંતુ ઈશ્વર જે સામર્થ્ય તેઓને આપવા ચાહે છે તેનો સ્વીકારશે નહીં. આવા લોકોથી દૂર રહે.
\v 6 આ માણસો મૂર્ખ સ્ત્રીઓને તેમના ઘરોમાં પ્રવેશવા દેવા સમજાવશે. પછી તેઓ તે સ્ત્રીઓને છેતરશે જેથી તેઓ જે વિચારે છે તેનાથી તે સ્ત્રીઓને નિયંત્રિત કરે. આ એવી સ્ત્રીઓ છે જે હંમેશાં પાપ કરતી હોય છે, તેથી તેઓ તેમનાં બધાં ખરાબ કાર્યો કે જેમાં તેઓ આનંદ માણે છે તેમાં આ દુષ્ટ માણસોને અનુસરે છે.
\v 7 જો કે આ સ્ત્રીઓ હંમેશા નવી બાબતો શીખવાની ઇચ્છા ધરાવે છે, તો પણ તેઓ જે સત્ય છે તેને ક્યારેય શીખી શકતી નથી.
\s5
\v 8 જે રીતે જાન્નેસ અને જામ્બ્રેસે મૂસાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, તેવી જ રીતે હવે આ માણસો લોકોને સત્યનું પાલન કરતા અટકવાનો પ્રયત્ન કરે છે. આ માણસો જે વિચારે છે તેમાં તેઓ નાશ પામશે. તેઓ વિશ્વાસની બાબતોમાં છેતરનારા છે
\v 9 છતાં પણ, તેઓ જે કરે છે તેમાં તેઓ વધારે સફળ થશે નહીં, કારણ કે મોટા ભાગના લોકો સ્પષ્ટપણે જોશે કે આ લોકો કંઈ સમજી શકતા નથી. જે રીતે ઇઝરાયલી લોકોએ જાણ્યું કે જાન્નેસ અને જામ્બ્રેસ મૂર્ખ હતા તે જ રીતે તે થશે.
\s5
\v 10 તિમોથી, મેં તને જે શીખવ્યું તેને તું અનુસર્યો છે. તેં મારી રહેણીકરણી જોઈ છે. હું કઈ રીતે ઈશ્વરની સેવા ઇચ્છું છું તે તેં જોયું છે. મેં તેમના પર કેવી રીતે વિશ્વાસ કર્યો તે તેં જોયું છે. જ્યારે મારી સતાવણી થતી હતી ત્યારે પણ હું શાંતિમા હતો. હું ઈશ્વરને અને વિશ્વાસીઓને કેટલો પ્રેમ કરુ છું તે તેં જોયું છે. જ્યારે ઈશ્વરની સેવા કરવી કઠિન હતી ત્યારે પણ મેં તે કઈ રીતે કરી છે તે તેં જોયું છે.
\v 11 લોકોએ મને કઈ રીતે સતાવ્યો છે તે તેં જોયું છે. જ્યારે અંત્યોખ, ઈકોનિયામાં અને લુસ્ત્રામાં મારી સાથે કેવી સતાવણી થઈ તે બધું જ તેં જોયું છે. તે દરેક સ્થળોએ મેં ઘણું સહ્યું, પરંતુ ઈશ્વરે મને તે દુઃખોમાંથી બહાર કાઢ્યો છે.
\v 12 ખરેખર, જે કોઈ ખ્રિસ્ત ઈસુને માન આપતું જીવન જીવવા ચાહતા હશે તેમની તેઓ સતાવણી કરશે.
\v 13 દુષ્ટ અને છેતરનારા લોકો વધારે દુષ્ટ થતા જશે. તેઓ જે સત્ય છે તેનાથી લોકોને દૂર લઇ જશે, અને બીજાઓ તેમને દૂર ખેંચી જાય તેમ થવા દેશે.
\s5
\v 14 પરંતુ તું તો, જે શીખ્યો છે તે પ્રમાણે કરવાનું ચાલુ રાખ, અને જે બાબતો પર તું વિશ્વાસ કરવાનું શીખ્યો છે તે યોગ્ય છે. મને યાદ રાખ, કેમ કે હું એ વ્યક્તિ છું જેણે તને આ બાબતો શીખવી છે.
\v 15 એ પણ યાદ રાખ કે જ્યારે તું બાળક હતો, ત્યારે તું પ્રભુ તેમના શાસ્ત્રવચનમાં શું કહે છે તે શીખ્યો હતો. આ બધું તને શીખવી શકે કે જ્યારે આપણે ખ્રિસ્ત ઈસુ ઉપર વિશ્વાસ કરીએ છીએ ત્યારે તેઓ કેવી રીતે આપણને બચાવે છે.
\s5
\v 16 દરેક શાસ્ત્રવચન ઈશ્વરનાં આત્મા તરફથી આવ્યું છે, તેથી આપણે ઈશ્વર વિષેનું સત્ય શીખવી શકીએ તે માટે તેને વાંચીએ. વળી આપણે તેને એ રીતે વાંચીએ કે લોકો સત્ય પર વિશ્વાસ કરે. વળી લોકો જ્યારે પાપ કરે ત્યારે તેમને સુધાર. તેમ જ લોકોને જે યોગ્ય છે તે કેવી રીતે કરવું તે પણ શીખવ.
\v 17 આપણે આ બાબતો એ માટે કરવી જોઈએ કે જેથી ઈશ્વર દરેક વિશ્વાસીને શિક્ષણ આપે અને દરેક પ્રકારની સારી બાબતો કરવા વિશ્વાસીને જેની જરૂર છે તે આપે.
\s5
\c 4
\p
\v 1 જ્યારે ખ્રિસ્ત ઈસુ જલદી રાજ કરવા આવશે, ત્યારે જેઓ હજી જીવતા હશે અને જેઓ મરણ પામ્યા હશે બંનેનો ન્યાય કરશે. અને જ્યારે હું તને આ આજ્ઞા આપું છું ત્યારે ખ્રિસ્ત ઈસુ અને ઈશ્વર મને જુએ છે કે
\v 2 તું ખ્રિસ્તના સંદેશને પ્રગટ કર. જ્યારે તે કરવું સરળ હોય ત્યારે અને જ્યારે તે કરવું અઘરું હોય એ સમયે પણ તૈયાર રહે. જ્યારે લોકોએ ખોટું કર્યું હોય ત્યારે સાચું શું છે તે વિષે તેઓને ખાતરી કરાવ. પાપ ન કરવા માટે તેઓને ચેતવણી આપ. ખ્રિસ્તને અનુસરવાને તેઓને ઉત્તેજન આપ. જ્યારે તું તેઓને શીખવે ત્યારે તું આ બાબતો કર, અને હંમેશાં તેઓ વધું સારું કરે તે માટે ધીરજ રાખ.
\s5
\v 3 હું તને આ બાબતો કહું છું, કારણ કે એવો સમય આવશે કે જ્યારે આપણામાનાં લોકો ઈશ્વર જે શીખવે છે તેને અનુસરશે નહીં. તેના બદલે, તેઓને જે કરવાનું ગમે તે સારું છે એવું શીખવનારા લોકોને તેઓ શોધશે. આ રીતે, તેઓ શીખવા માટે જે કઇં નવું અને જુદું હોય તેવું હંમેશા શોધતા ફરશે.
\v 4 તેઓ સત્યને સાંભળવાનું બંધ કરશે, અને તેઓ મૂર્ખાઈ ભરેલી વાતો પર ધ્યાન આપશે.
\v 5 પણ તું તિમોથી, ગમે તે થાય તોપણ પોતા પર કાબુ રાખ. મુશ્કેલ પરિસ્થિતિઓ સહન કરવા તૈયાર રહે. સુવાર્તાના ઉપદેશનું કામ કર. ઈશ્વરની સેવા માટે જે કાર્ય તારે કરવું જોઈએ તે પૂરું કર.
\s5
\v 6 હું તને આ બાબતો કહું છું કારણ કે હું જલદી મરણ પામીશ અને આ દુનિયાને છોડીને જઈશ. હું જાણે કે દ્રાક્ષારસના પ્યાલા જેવો છું કે જે તેઓ વેદી પર રેડીને ઈશ્વરને બલિદાન આપે છે.
\v 7 હું એક રમતવીર જેવો છું જેણે સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કર્યો છે. હું એક દોડવીર જેવો છું જેણે પોતાની દોડ પૂરી કરી છે. ઈશ્વરને આધીન થવા મેં મારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.
\v 8 હવે મારે માટે ઈનામ રાહ જુએ છે કેમકે હું ઈશ્વર માટે યોગ્ય જીવન જીવ્યો છું. ઈશ્વર મારો યોગ્ય રીતે ન્યાય કરશે. જ્યારે તેઓ પાછા આવશે ત્યારે તેઓ મને તે ઈનામ આપશે. અને જેઓ તેમના આવવાની આતુરતાપૂર્વક રાહ જોવે છે તેઓ દરેકને પણ તે આપશે.
\s5
\v 9 તિમોથી, મારી પાસે જલદી આવવાને પ્રયત્ન કર.
\v 10 દેમાસ મને છોડીને થેસ્સલોનિકા જતો રહ્યો છે, કેમકે તે આ જગતનાં જીવનને ઘણો પ્રેમ કરે છે. ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે, અને તિતસ દલ્માતિયામાં ગયો છે.
\s5
\v 11 અત્યારે એકલો લૂક મારી સાથે છે. તું આવે ત્યારે માર્કને સાથે લેતો આવજે. આમ કરજે કેમ કે તે મને વધારે મદદ કરી શકશે.
\v 12 મેં તુખિકસને એફેસસ મોકલ્યો છે.
\v 13 તું આવે ત્યારે, જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મૂક્યો હતો તે લેતો આવજે. વળી પુસ્તકો અને ખાસ કરીને ચર્મપત્રો લેતો આવજે.
\s5
\v 14 એલેકઝાન્ડર કંસારાએ મારા પ્રત્યે ઘણું ખરાબ વર્તન કર્યું છે. તેણે જે કર્યું છે એ માટે ઈશ્વર તેને સજા કરશે.
\v 15 તારે પણ તેનાથી સાવચેત રહેવું જોઈએ કેમકે તેણે અમારો ઉપદેશ અટકાવવા માટે શક્ય બધું જ કર્યું હતું.
\v 16 પ્રથમ વખત જ્યારે હું અદાલતમાં હતો અને મેં મારા કાર્યની સમજણ આપી, ત્યારે કોઈ વિશ્વાસીએ મારી પડખે રહીને મને ઉત્તેજન ન આપ્યું. તેઓ બધા દૂર રહ્યા. ઈશ્વર આ માટે તેમને જવાબદાર ન ગણે.
\s5
\v 17 પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને મદદ કરી. તેમણે મને બળવાન કર્યો, કે જેથી મેં તેમનું વચન સંપૂર્ણપણે જણાવ્યું અને જેથી દરેક બિન-યહૂદી તે સાંભળે. આ રીતે ઈશ્વરે મને મૃત્યુથી બચાવ્યો.
\v 18 પ્રભુ મને તેઓએ કરેલી સર્વ દુષ્ટ બાબતોથી બચાવશે. તેઓ મને સ્વર્ગમાં જ્યાં તેઓ રાજ કરે છે ત્યાં સુરક્ષિત લઈ જશે. લોકો હંમેશા તેમની સ્તુતિ કરો. આમેન.
\s5
\v 19 પ્રિસ્કા અને અકુલાસને સલામ કહેજે. ઓનેસિફરસનાં ઘરનાંને સલામ કહેજે.
\v 20 એરાસ્તસ કરિંથ શહેરમાં રહ્યો છે. વળી મેં ત્રોફીમસને મિલેતસ શહેરમાં રહેવા દીધો કેમકે તે બીમાર હતો.
\v 21 શિયાળા પહેલાં આવવા માટે પ્રયત્ન કર. યુબુલસ સલામ કહે છે, વળી પુદેન્સ, લિનસ, કલોદિયા અને બધા જ ભાઈઓ તને સલામ કહે છે.
\v 22 પ્રભુ તમારા આત્માની સાથે રહો. પ્રભુ તમારા બધા પર કૃપાળુ રહો.

94
57-TIT.usfm Normal file
View File

@ -0,0 +1,94 @@
\id TIT - UDB Guj
\ide UTF-8
\h તિતસનં પત્ર
\toc1 તિતસનં પત્ર
\toc2 તિતસનં પત્ર
\toc3 tit
\mt1 તિતસનં પત્ર
\s5
\c 1
\p
\v 1 હું પાઉલ, આ પત્ર તને તિતસને લખું છું.
\p હું ઈશ્વરનો સેવક અને ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છું. હું ઈશ્વરના લોકોને તેમના પર વધારે ભરોસો રાખવામાં મદદ કરું છું. ઈશ્વરે આપણને તેમના લોકો બનવાને માટે પસંદ કર્યા છે અને ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કેવી રીતે જીવવું તે જાણવા તેમને મદદ કરું છું.
\v 2 તેમના લોકો આ પ્રમાણે કેવી રીતે જીવવું તે શીખી શકે છે, કારણ કે તેમને ખાતરી છે કે ઈશ્વર તેમને આ રીતે જીવવા માટે હંમેશાં મદદ કરશે. ઈશ્વર જૂઠું બોલતા નથી. દુનિયા ઉત્પન્ન થઇ તે અગાઉ, તેમણે આપણે સર્વકાળ જીવીએ તેવું કરવા ખાતરી આપી છે.
\v 3 પછી, યોગ્ય સમયે, આ સંદેશ જેના ઉપદેશ માટે તેમણે મારા પર વિશ્વાસ કર્યો તે સંદેશ દ્વારા તેમણે તેમની યોજના જણાવી. ઈશ્વર, જેમણે આપણને બચાવ્યા છે તેમના આદેશનું પાલન કરવા હું આ કરું છું.
\s5
\v 4 તિતસ, હું તને લખું છું, તું મારા ખરા દીકરા જેવો છે કારણ કે આપણે બંને ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ છીએ. ઈશ્વર આપણા પિતા અને ઈસુ ખ્રિસ્ત આપણા તારનાર તારા પ્રત્યે ભલાઈ દર્શાવવાનું ચાલુ રાખે અને તને શાંતિ આપે.
\v 5 આ કારણથી મેં તને ક્રીત ટાપુ પર રાખ્યો: કે જે કાર્ય અધૂરું છે તે તું પૂરું કરે અને જેમ મેં તને કહ્યું છે તેમ તું દરેક શહેરમાં વિશ્વાસીઓના સમૂહ પર વડીલો ઠરાવે.
\s5
\v 6 હવે દરેક વડીલ એવો હોય કે જેની કોઈ ટીકા ના કરી શકે. તેને એક જ પત્ની હોવી જોઈએ, તેના બાળકો ઈશ્વરમાં વિશ્વાસ કરનારા હોવા જોઈએ, અને લોકો તેનાં બાળકોને ખરાબ કે અનાજ્ઞાકિત ન ગણતા હોવા જોઈએ.
\v 7 દરેક વ્યક્તિ જે ઈશ્વરના લોકોને દોરે છે તે ઈશ્વરના ઘરને સંભાળનાર જેવી છે. તેથી આ માણસની સારી પ્રતિષ્ઠા હોવી તે જરૂરી છે. તે અભિમાની ન હોવો જોઈએ અને તે જલદી ગુસ્સે થનાર ન હોવો જોઈએ. તે દારૂ પીનાર ન હોવો જોઈએ, ઝગડો કરનાર કે દલીલ કરનાર ન હોવો જોઈએ, અને લોભી માણસ ન હોવો જોઈએ.
\s5
\v 8 તેના બદલે, તેણે અજાણી વ્યક્તિઓનો આવકાર કરવો જોઈએ અને જે બાબતો સારી હોય તેને પ્રેમ કરવો જોઈએ. તેણે સંવેદનશીલતાથી વર્તવું જોઈએ અને બીજા લોકો સાથે યોગ્ય અને પ્રમાણિક રીતે વર્તવું જોઈએ. તેણે હંમેશાં ઈશ્વરને સમર્પિત વ્યક્તિને યોગ્ય હોય તેમ વર્તવું જોઈએ અને તેણે તેની લાગણીઓ પર નિયંત્રણ રાખવું જોઈએ.
\v 9 અમે જે સત્ય બાબતો તેને શીખવી છે તેના પર તે વિશ્વાસ રાખનાર અને તે પ્રમાણે જીવનાર હોવો જોઈએ. તેણે આ પ્રમાણે કરવું જોઈએ જેથી લોકો પણ તે પ્રમાણે કરવાની ઇચ્છા રાખે, અને જે લોકો તે પ્રમાણે જીવવા ઇચ્છા રાખતા નથી તેઓને સુધારે.
\p
\s5
\v 10 હું તને આ બાબતો કહું છું કેમકે એવા ઘણા લોકો છે કે જેઓ તેમના પર અધિકાર ધરાવે છે તેઓને આધીન થવા ઇનકાર કરે છે. તેઓ જે કહે છે તેનું કોઈ મૂલ્ય નથી. તેઓ લોકોને મૂર્ખ બનાવે છે અને ખોટી બાબતો પર વિશ્વાસ કરવા પ્રેરે છે. ખાસ કરીને એવા લોકો જેઓ ખ્રિસ્તના અનુયાયીઓને સુન્નતીઓ થવા જણાવે છે.
\v 11 તારે અને જેમને તું આગેવાનો ઠરાવે છે તેઓએ વિશ્વાસીઓને આવું શીખવનાર લોકોથી દૂર રાખવા જોઈએ. તેઓ આખા કુટુંબોને ખોટી બાબતો પર વિશ્વાસ કરવાનું શીખવે છે, તેઓએ જે ના શીખવવું જોઈએ તે તેઓ શીખવે છે કે જેથી લોકો તેમને નાણાં આપે. આ ખૂબ શરમજનક છે!
\s5
\v 12 ક્રીતનો એક માણસ કે જેને ત્યાંના લોકો પ્રબોધક માનતા હતા, તેણે કહ્યું, "ક્રીતનાં લોકો હંમેશા એકબીજા સાથે જૂઠું બોલે છે! તેઓ ખતરનાક જંગલી પશુઓ જેવા છે! તેઓ આળસુ છે અને વધારે પડતું ખાનારા છે."
\v 13 તે માણસે જે કહ્યું તે સાચું છે, માટે તું તેઓને ભારપૂર્વક સુધાર કે જેથી તેઓ વિશ્વાસ કરે અને તેઓને ઈશ્વર વિષે સાચું શીખવ.
\s5
\v 14 તેઓએ યહૂદીઓએ ઉપજાવેલી વાર્તાઓ અને આજ્ઞાઓ જે ઈશ્વર પાસેથી નહીં પણ જે સાચું છે તે પાળવાનું બંધ કરનાર લોકો પાસેથી આવેલી છે, તેના પ્રમાણે જીવન જીવતા અટકવું જોઈએ.
\s5
\v 15 જો કોઈ લોકોમાં પાપી વિચારો કે ઇચ્છાઓ ન હોય, તો તે લોકો માટે સઘળું સારું છે. પણ જો કોઈ દુષ્ટ છે અને ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરતો નથી, તો તેઓ જે સર્વ કરે છે તે અશુદ્ધ છે. તેવા લોકોની વિચારણા વિનાશ પામેલી છે. જ્યારે તેઓ દુષ્ટ કાર્યો કરે છે ત્યારે તેઓ પોતાને દોષિત માનતાં નથી.
\v 16 જો કે તેઓ ઈશ્વરને જાણવાનો દાવો કરે, તોપણ તેવો જે કરે છે તે બતાવે છે કે તેઓ ઈશ્વરને જાણતા નથી. તેઓ ધિક્કારપાત્ર છે. તેઓ પ્રભુની આજ્ઞા ન માનનારા અને પ્રભુને માટે કંઈ સારું કરતા નથી.
\s5
\c 2
\p
\v 1 પરંતુ તિતસ, જે લોકો ઈશ્વર વિષેનું સત્ય માને છે તેઓને યોગ્ય જે વર્તન છે તે તારે લોકોને શીખવવું જ જોઈએ.
\v 2 વૃદ્ધ પુરુષોને પોતાની જાતને દરેક સમયે કાબુમાં રાખવા કહે, કે જેથી તેઓ એવી રીતે જીવે કે બીજા લોકો તેમને માન આપે, અને તેઓએ સંવેદનશીલ રીતે વર્તે. વળી તેઓને કહે કે તેઓએ ઈશ્વર વિષેની સત્ય બાબતો પર દૃઢપણે વિશ્વાસ રાખવો, બીજાઓને સાચો પ્રેમ કરવો, અને ભલે તે અઘરું હોય તો પણ આ સર્વ બાબતો કરવી.
\s5
\v 3 વૃદ્ધ સ્ત્રીઓએ, પુરુષોની જેમ જ, એવી રીતે જીવવું કે જેથી બધા જાણે કે તેઓ ઈશ્વરને ઘણું માન આપે છે. તેઓએ બીજાઓ વિષે ખરાબ બોલવું નહિ, અને તેઓએ ઘણો દ્રાક્ષારસ પીવો નહિ. પણ તેઓએ બીજાઓને સારી બાબતો શીખવવી.
\v 4 આ રીતે, તેઓએ જુવાન સ્ત્રીઓને ડહાપણથી વિચારવાનું અને પોતાના પતિ અને બાળકો પર પ્રેમ રાખવાનું શીખવવું.
\v 5 વૃદ્ધ સ્ત્રીઓએ જુવાન સ્ત્રીઓને તેઓની વાણી અને વર્તન નિયંત્રિત કરવા, પુરુષો સાથે અયોગ્ય રીતે ન વર્તવા, ઘરનાં કામકાજ સારી રીતે કરવા, અને તેમના પતિઓ જે કહે તે પ્રમાણે કરવા શીખવવું. તેઓએ આ સર્વ બાબતો કરવી કે જેથી ઈશ્વરના વચનની હાંસી ન થાય.
\s5
\v 6 અને જુવાન પુરુષોને લગતું પણ તેઓને શીખવ. તેઓને કહે કે તેઓ પોતાની જાતને કાબૂમાં રાખે.
\v 7 તારે પોતે જે સારું છે તે સતત કરતા રહેવું કે જેથી બીજા જુએ કે તેઓએ શું કરતા રહેવું જોઈએ. જ્યારે તું વિશ્વાસીઓને શીખવે, ત્યારે ખાતરી રાખે કે જે સર્વ તું કહે તે સાચું હોય અને તેને એવી રીતે કહે કે તેઓ સન્માન કરે.
\v 8 લોકોને એવી રીતે શીખવ કે કોઈ તારી ટીકા કરી શકે નહિ, જેથી જો કોઈ પણ તને રોકવા ચાહે, તો બીજા લોકો તેઓને શરમાવે કારણ કે તેઓની પાસે આપણા માટે કઈ પણ ખરાબ કહેવાનું ખરેખર કોઈ કારણ નથી.
\s5
\v 9 એવા વિશ્વાસીઓ કે જેઓ ગુલામો છે, તેમણે તેઓના માલિકોને હંમેશા આધીન થવાનુંં શીખવ. તેઓએ એવું જીવવું કે તેઓના માલિક દરેક બાબતમાં પ્રસન્ન રહે અને તેઓ માલિકોની સામે દલીલબાજી કરે નહિ.
\v 10 તેઓએ પોતાના માલિકો પાસેથી નાની વસ્તુઓની પણ ચોરી કરવી નહિ; તેના બદલે, તેઓએ માલિકોને વિશ્વાસુ રહેવું, અને તેઓએ દરેક બાબત એવી રીતે કરવી કે જેથી ઈશ્વર કે જેઓ આપણને બચાવે છે તેમના વિષે આપણે જે શીખવીએ છીએ તેની લોકો પ્રશંસા કરે.
\p
\s5
\v 11 વિશ્વાસીઓએ આ પ્રમાણે યોગ્ય રીતે વર્તવું કારણ કે ઈશ્વર સર્વને બચાવવા ભેટ સ્વરૂપે તક આપે છે કે જેને માટે કોઈ લાયક નથી.
\v 12 જ્યારે ઈશ્વર મફત ભેટરૂપે આપણો બચાવ કરે છે ત્યારે, તેઓ આપણને જે ખોટું છે તે અને જે આ જગતના લોકો કરવા ઇચ્છે છે તે બંધ કરવા તાલીમ આપે છે. તેઓ આપણને સમજુ બનવા, જે ખરું છે તે કરવા તથા આ હાલના સમયમાં જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણને ઈશ્વરને આધીન રહેવા શીખવે છે.
\v 13 સાથેસાથે, ઈશ્વર ભવિષ્યમાં ચોક્કસપણે જે કરવાના છે તેને માટે આપણને રાહ જોવાનું શીખવે છે, તે કંઇક એવું છે કે જે આપણને ઘણા આનંદિત કરશે: તે એ છે કે, ઈસુ મસીહ, આપણા તારનાર અને પરાક્રમી ઈશ્વર, તેમના મહાન મહિમામાં પાછા આવનાર છે.
\s5
\v 14 તેઓએ પોતાની જાતને ચૂકવણી તરીકે મરણને સોંપી દીધી કે આપણે નિયમરહિત સ્વભાવમાંથી છુટકારો પામીએ, કે આપણને તેમનું વહાલું ધન, તેમના મૂલ્યવાન લોક બનાવે કે જેમને તેમણે શુદ્ધ કર્યા છે, કે આપણે એવા લોકો બનીએ કે જેમના માટે સારું કરવું એ જ સૌથી મોટો આનંદ છે.
\p
\s5
\v 15 તિતસ, તું આ બાબતો વિષે કહે. મેં જે રીતે વર્ણવ્યું છે તે રીતે ભાઈઓ અને બહેનોને જીવવા અને જ્યારે તેઓ તેમ ન કરે ત્યારે તેમને સુધારવા, જ્યારે જરૂર હોય ત્યારે તારો અધિકાર વાપરીને તેમને આદેશ આપ. ખાતરી રાખ કે તું જે કહે છે તે પર સર્વ લોકો ધ્યાન આપે.
\s5
\c 3
\p
\v 1 તિતસ, આપણા લોકોને ચોક્કસ યાદ કરાવજે કે, શક્ય તેટલું, આપણે આપણા સમાજનું સંચાલન કરતા નિયમો અને કાયદાનુ પાલન કરવું જોઈએ. આપણે આધીન રહેવા અને દરેક પ્રસંગે સારાં કાર્યો કરવા તત્પર રહેવું જોઈએ.
\v 2 તેઓએ કોઈના વિષે અવિનયી બાબતો કહેવી નહીં અથવા લોકો સાથે દલીલ કરવી નહીં. સર્વ તકમાં તેઓએ સારું કરવું અને તેઓને આજ્ઞાધીન રહેવાની જરૂર છે.
\p
\s5
\v 3 એક સમય એવો હતો કે જ્યારે આપણે આ બાબતો પ્રત્યે વિચારહીન અને અસ્પષ્ટ હતા. આપણા પોતાના આવેગો અને આનંદ માટેની આપણી ઇચ્છાઓ જાણે કે આપણે તેમના ગુલામ હોય તેમ આપણને ખોટી દિશામાં લઈ ગયા હતા. બીજાઓ પ્રત્યે ઈર્ષા રાખવામાં અને દુષ્ટ કાર્યો કરવામાં આપણે આપણું જીવન ખર્ચ્યું. લોકો આપણને ધિક્કારે તેનું કારણ આપણે બન્યા અને આપણે લોકોને ધિક્કાર્યા.
\s5
\v 4 પરંતુ જ્યારે ઈશ્વરે દર્શાવ્યું કે તેઓ આપણને પ્રેમ કરે છે તે કારણે તેઓ આપણને બચાવવા માટે આપણા તરફ ઉદારતાથી વર્તે છે,
\v 5 ત્યારે તેમણે આપણને આંતરિક રીતે શુદ્ધ કરીને બચાવ્યા, આપણને નવો જન્મ આપ્યો, અને પવિત્ર આત્મા દ્વારા આપણને નવા બનાવ્યા. આપણે સારી કરણીઓ કરીએ છીએ તેથી તેમણે આપણને બચાવ્યા નથી પરંતુ તેમણે આપણને બચાવ્યા કેમકે તેઓ દયાળુ છે.
\s5
\v 6 જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને બચાવ્યા ત્યારે ઈશ્વરે આપણને તેમનો પવિત્ર આત્મા ઉદારતાથી આપ્યો.
\v 7 આ ભેટ દ્વારા, ઈશ્વરે જાહેર કર્યું કે તેમની અને આપણી વચ્ચે બધું યોગ્ય કરવામાં આવ્યું છે. અને તેથી વિશેષ, પ્રભુ ઈસુ જે આપણને આપવાના છે તે સર્વનો વારસો મેળવીશું, ખાસ કરીને તેમની સાથેનું અનંતજીવન મેળવીશું.
\p
\s5
\v 8 આ વચન વિશ્વાસ કરવા યોગ્ય છે. હું ઈચ્છું છું કે તું આ બાબત પર સતત ભાર મૂકે કે જેથી જેઓએ ઈશ્વરમાં વિશ્વાસ કર્યો છે તેઓ પોતાની જાતને સતત સમર્પિત કરીને સારી તથા મદદરૂપ કરણીઓ કે જે ઈશ્વરે તેઓને સોંપેલ છે તે કરે. આ બાબતો દરેકને માટે શ્રેષ્ઠ અને લાભદાયી છે.
\s5
\v 9 પરંતુ મૂર્ખ વાદવિવાદોથી, યહૂદી વંશાવળીઓની ગૂંચવણોથી, ધાર્મિક નિયમોની દલીલો તથા ઝઘડાઓથી દૂર રહે. આ બધી ચર્ચાઓ સમય વેડફવા બરાબર અને કોઇપણ રીતે સહાયરૂપ નથી.
\v 10 જો તારી એક અથવા બે ચેતવણી આપ્યા પછી પણ તેઓ આવી વિભાજનવાદી પ્રવૃતિઓમાં રચ્યાપચ્યા રહે, તો તારે તેઓની સાથે કોઈ લાગભાગ રાખવો નહિ.
\v 11 કારણ કે તું જાણે છે કે આવા પ્રકારના લોકો સત્યથી ભટકી ગયા છે; તેઓ પાપમાં જીવી રહ્યા છે અને પોતાનો તિરસ્કાર કરે છે.
\p
\s5
\v 12 હું જ્યારે આર્તિમાસ અથવા તુખિકસને તારી પાસે મોકલું, ત્યારે નિકોપોલિસ શહેરમાં મને મળવા આવવાને માટે તારો બનતો પ્રયત્ન કરજે, કારણ કે મેં ત્યાં શિયાળો વિતાવવાનું નક્કી કર્યું છે.
\v 13 નિયમના નિષ્ણાંત ઝેનાસને તથા આપોલસને જે સર્વની જરૂર હોય તે સાથે મુસાફરી પર મોકલવા માટે તારાથી બનતું બધું કરજે.
\s5
\v 14 એ ધ્યાન રાખજે કે આપણા લોકો પોતાને સારી કરણીઓ કે જે બીજાઓની જરૂરિયાતોને સંતોષે છે તેમાં રોકાયેલા રહેવાનું શીખે. જો તેઓ આમ કરશે તો તેઓ ઈશ્વરને માટે ઉપયોગી થઈને જીવશે.
\s5
\v 15 તિતસ, જેઓ મારી સાથે છે તેઓ બધા તને સલામ પાઠવે છે! મહેરબાની કરીને આપણા મિત્રો કે જેઓ આપણા સાથી વિશ્વાસીઓ તરીકે આપણને પ્રેમ કરે છે તેઓને સલામ પાઠવજે. ઈશ્વર તમારા સર્વ પર મહાન કૃપા દર્શાવો. આમેન.

52
58-PHM.usfm Normal file
View File

@ -0,0 +1,52 @@
\id PHM - UDB Guj
\ide UTF-8
\h ફિલેમોનને પત્ર
\toc1 ફિલેમોનને પત્ર
\toc2 ફિલેમોનને પત્ર
\toc3 phm
\mt1 ફિલેમોનને પત્ર
\s5
\c 1
\p
\v 1 હું પાઉલ, ઈસુ ખ્રિસ્તની સેવા કરનાર બંદીવાન છું. હું અહીં આપણા સાથી વિશ્વાસી, તિમોથીની સાથે છું. અમારા વહાલા મિત્ર અને સહકર્મી ફિલેમોન, આ પત્ર હું તને લખું છું.
\v 2 હું આફિયાને, તેમજ આપણા સાથી વિશ્વાસી, કે જે એક સૈનિકની જેમ આપણી સાથે સેવા કરે છે તે આર્ખિપસને પણ લખું છું. અને તારા ઘરમાં વિશ્વાસીઓનો જે સમુદાય એકઠો મળે છે તેઓને લખું છું.
\v 3 હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર આપણા પિતા અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમ સર્વની સાથે કૃપાળુપણે વર્તવાનું જારી રાખે. હું પ્રાર્થના કરું છું કે તેઓ તમને સતત શાંતિ આપે.
\p
\s5
\v 4 જ્યારે હું તારા માટે પ્રાર્થના કરું છું ત્યારે, હું હંમેશાં ઈશ્વરનો આભાર માનું છું,
\v 5 કારણ કે તું પ્રભુ ઈસુ પર કેવી રીતે વિશ્વાસ રાખે છે તે હું સતત સાંભળું છું. તું કેવી રીતે બધા વિશ્વાસીઓને પ્રેમ કરવાનું અને મદદ કરવાનું જારી રાખે છે તે વિષે પણ હું સાંભળું છું.
\v 6 જેમ અમે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ તેમ જ તું પણ કરે છે તે કારણે હું પ્રાર્થના કરું છું કે અમારે તને ખ્રિસ્ત સંબંધીની જે બાબતો આપવાની છે તે સમજવા માટે તું સક્ષમ થાય.
\v 7 હું ઘણો આનંદિત અને ઉત્તેજિત થયો છું કારણ કે મારા વહાલા મિત્ર, તું, ઈશ્વરના લોકોને પ્રેમ કરે છે અને તેઓને મદદ કરે છે.
\p
\s5
\v 8 તેથી હું તને કંઈક કરવા સંબંધી જણાવું છું. મને સંપૂર્ણ ખાતરી છે કે તારે જે કરવું જોઈએ તે કરવાની તને આજ્ઞા આપવાનો મને અધિકાર છે, કારણ કે હું ખ્રિસ્તનો પ્રેરિત છું.
\v 9 પરંતુ હું જાણું છું કે તું ઈશ્વરના લોકોને પ્રેમ કરે છે તેને લીધે, હું તને આજ્ઞા આપવાને બદલે આ પ્રમાણે કરવાની વિનંતી કરું છું. હું, વયોવૃદ્ધ પાઉલ, અને હમણાં ખ્રિસ્ત ઈસુની સેવા કરવાને લીધે થયેલો બંદીવાન, તને વિનંતી કરું છું.
\s5
\v 10 હું તને વિનંતી કરું છું કે તું ઓનેસીમસ માટે કંઇક કરે. કેમ કે અહીં જેલમાં મેં તેને ખ્રિસ્ત વિષે જણાવ્યું છે તેથી હાલ તે મારા દીકરા જેવો છે.
\v 11 તેના નામનો અર્થ જેમ તું જાણે છે તેમ "ઉપયોગી" એવો થાય છે, તેમ છતાં, તે ભૂતકાળમાં તારા માટે બિનઉપયોગી હતો. પરંતુ હવે તે તારા અને મારા એમ આપણા બંને માટે ઉપયોગી છે!
\p
\v 12 જો કે તે મને ખૂબ વહાલો છે તે છતાં, હું તેને તારી પાસે પાછો મોકલું છું.
\v 13 હું તેને મારી પાસે રાખવાની ઇચ્છા રાખતો હતો, કે જેથી તે તારા બદલામાં મારી સેવા કરે. મને તેની જરૂર છે કારણ કે ખ્રિસ્ત વિશેના મારા સંદેશાઓને લીધે હું જેલમાં છું.
\s5
\v 14 જો કે, તેને અહીં મારી સાથે રાખવા સંબંધી મેં તને હજુ સુધી પૂછ્યું નથી અને તેં મને પરવાનગી આપી નથી તેને લીધે, મેં તેને અહીં ન રાખવાનું નક્કી કર્યું છે. મેં નક્કી કર્યું છે કે જો તું ખરેખર મારી મદદ કરવા ચાહતો હોય તો જ તારે મારી મદદ કરવી.
\v 15 કદાચ તેનું કારણ એ હોય કે ઈશ્વરે ઓનેસીમસને તારાથી દૂર થવા દીધો જેથી તું તેને હમેશને માટે પાછો મેળવી શકે!
\v 16 તે હવે તને માત્ર દાસ તરીકે પાછો નહીં મળે. તેને બદલે, તું એવી વ્યક્તિને મેળવશે કે જે દાસ કરતાં અધિક હોય. તે તને સાથી વિશ્વાસી તરીકે મળશે! તે મારો ખૂબ વહાલો છે, પરંતુ તે ચોક્કસ તને પણ વિશેષ વહાલો થશે. તેનું કારણ એ છે કે હવે તે માત્ર દાસ તરીકે તારો નથી, તે પ્રભુનો પણ દાસ છે.
\p
\s5
\v 17 માટે જો તું એવો વિશ્વાસ કરે છે કે તું અને હું સાથે મળીને ઈશ્વરનું કાર્ય કરી રહ્યા છીએ તો, તું જેમ મારો સ્વીકાર કરે તેમ તેનો પણ સ્વીકાર કરજે.
\v 18 જો તેણે તને કોઈપણ પ્રકારનું નુકસાન કર્યું હોય, કે તેનું તારી સાથે કોઈ દેવું હોય તો, હું તેની જવાબદારી લઉં છું.
\v 19 હું પાઉલ, હવે મારા પોતાને હાથે લખું છું: તેનું જે દેવું હશે તે હું ભરપાઈ કરીશ. હું તને કહી શકું છું કે ઓનેસીમસ તારો ઋણી હોય તેના કરતાં તું મારો વધારે ઋણી છે, કારણ કે મેં તને જે જણાવ્યું છે તેણે તારા જીવનને બચાવ્યું છે.
\p
\v 20 મારા ભાઈ, પ્રભુને લીધે મને તારી પાસેથી ખરેખર આટલો ફાયદો પામવા દે. આપણે બંને ખ્રિસ્ત સાથે જોડાએલા છીએ તેને લીધે, મારા હૃદયને આનંદિત કર.
\p
\s5
\v 21 મેં તને આ પત્ર લખ્યો છે કારણ કે, મને ખાતરી છે કે હું તને જે કરવાનું કહું છું તે પ્રમાણે તું કરશે. હકીકતમાં તો, હું જાણું છું કે હું તને જે કહું છું તેના કરતાં પણ તું વિશેષ કરશે.
\p
\v 22 વિશેષમાં, મારા માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે, કારણ કે હું ખાતરીપૂર્વક આશા રાખું છું કે તમારી પ્રાર્થનાઓના પરિણામે, હું જેલમાંથી મુક્ત થઈશ અને તમારા સર્વની પાસે આવીશ.
\p
\s5
\v 23 એપાફ્રાસ, કે જે ઈસુ ખ્રિસ્તની સાથે જોડાવાને લીધે મારી સાથે જેલમાં સહન કરી રહ્યો છે, તે તમને શુભેચ્છા પાઠવે છે.
\v 24 માર્ક, આરીસ્તાર્ખસ, દેમાસ તથા લૂક, જેઓ મારા બીજા સહકાર્યકર્તાઓ છે તેઓ પણ તને શુભેચ્છા પાઠવે છે.
\v 25 હું પ્રાર્થના કરું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પ્રત્યે હંમેશા કૃપા રાખે.

609
59-HEB.usfm Normal file
View File

@ -0,0 +1,609 @@
\id HEB - UDB Guj
\ide UTF-8
\h હિબ્રૂઓને પત્ર
\toc1 હિબ્રૂઓને પત્ર
\toc2 હિબ્રૂઓને પત્ર
\toc3 heb
\mt1 હિબ્રૂઓને પત્ર
\s5
\c 1
\p
\v 1 પ્રાચીનકાળમાં પ્રબોધકોએ જે કહ્યું અને લખ્યું તે દ્વારા ઈશ્વરે આપણા પૂર્વજોની સાથે વારંવાર વિવિધ રીતે વાત કરી.
\v 2 પણ, હવે વર્તમાનમાં જ્યારે આ છેલ્લો યુગ શરુ થઇ રહ્યો છે ત્યારે, ઈશ્વરે તેમના પોતાના દીકરા દ્વારા આપણી સાથે વ્યવહાર કર્યો છે. ઈશ્વરે સર્વ બાબતોના માલિક થવા તેમને પસંદ કર્યા છે. તેમના વડે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન પણ કર્યું છે.
\v 3 ઈશ્વરનો દીકરો ઈશ્વરના મહિમાવાન સામર્થ્યનું તેજ છે. તેમણે ઈશ્વર ખરેખર કેવા છે તે ચોક્કસ રીતે દર્શાવ્યું છે. જે સર્વ બાબતો અસ્તિત્વ ધરાવે છે તેમને દીકરો પરાક્રમી આદેશો આપીને ટકાવી રાખે છે. તેમણે સર્વ પાપોની માફીને માટે કાર્ય પૂર્ણ કર્યા પછી, તેઓ સ્વર્ગમાં ચઢીને ઈશ્વર પિતાને જમણે હાથે, જ્યાં તેઓ તેમની સાથે રાજ કરે છે ત્યાં સર્વોચ્ચ માનની જગ્યાએ બિરાજમાન છે.
\p
\s5
\v 4 ઈશ્વરે પોતાના દીકરાને દૂતો કરતાં અતિ ઘણો મહત્વપૂર્ણ બનાવ્યો છે કે તેમની પાસે દૂતો કરતાં ઘણો વધારે મહિમા અને અધિકાર છે.
\v 5 ઈશ્વરે પોતાના પુત્રને જે કહ્યું તેવું કોઈ દૂતને કદી કહ્યું હોય એવું શાસ્ત્રમાં કોઈએ નોધ્યું નથી:
\q "તું મારો પુત્ર છે!
\q આજે મેં સર્વને જાહેર કર્યું છે કે હું તારો પિતા છું!"
\p અને બીજા એક શાસ્ત્રભાગમાં પોતાના પુત્ર વિષે તેમણે જે જણાવ્યું તે તેમણે કોઈ દૂત વિષે કદી કહ્યું નથી કે: "હું તેનો પિતા થઈશ, અને તે મારો પુત્ર થશે."
\p
\s5
\v 6 જ્યારે ઈશ્વર પોતાના માનયોગ્ય પુત્રને, પોતાના એકનાએક પુત્રને જગતમાં લાવ્યા ત્યારે તેમણે આજ્ઞા કરી:
\q "મારા સર્વ દૂતો તેનું ભજન કરો."
\p
\v 7 અને શાસ્ત્રવચનમાં દૂતો વિષે લખવામાં આવ્યું છે:
\q "ઈશ્વરે પોતાના દૂતોને આત્મા સ્વરૂપ બનાવ્યા છે,
\q અને તેમના સેવકો જેઓ તેમની સેવા કરે છે તેઓને અગ્નિની જ્વાળા જેવા બનાવ્યા છે."
\p
\s5
\v 8 પણ શાસ્ત્રવચનમાં ઈશ્વરપુત્ર વિષે એ પણ લખવામાં આવ્યું છે:
\q "તમે ઈશ્વર છો જેઓ સર્વકાળ રાજ કરશો,
\q અને તમે ન્યાયીપણે તમારા રાજ્ય પર રાજ્ય ચલાવશો.
\q
\v 9 તમે લોકોના ન્યાયી કૃત્યો પર પ્રેમ રાખ્યો છે અને લોકોના પાપી કૃત્યોને ધિક્કાર્યા છે.
\q તેથી ઈશ્વરપિતા, જેમનું તમે ભજન કરો છો, તેમણે તમને સર્વ કરતાં વધુ આનંદિત કર્યા છે."
\p
\s5
\v 10 વળી, આપણે એ પણ જાણીએ છીએ કે તેમનો દીકરો દૂતો કરતાં ચઢિયાતો છે કારણ કે, શાસ્ત્રવચનમાં ઈશ્વરપુત્ર વિષે લખવામાં આવ્યું છે કે,
\q "પ્રભુ, તમે આરંભમાં પૃથ્વીને ઉત્પન્ન કરી.
\q વળી તમે બાકીનું વિશ્વ, તારાઓ અને આકાશમાં જે બધું છે તેનું પણ સર્જન કર્યું.
\q
\v 11 એ સર્વ બાબતો લાંબો સમય ટકશે નહીં, પણ તમે હંમેશા માટે રહેશો.
\q જેમ વસ્ત્રો જીર્ણ થઈ જાય તેમ તેઓ નાશ પામશે.
\q
\v 12 જૂનાં વસ્ત્રોની માફક તમે તેમને વાળી લેશો.
\q પછી જેમ કોઈ નવા વસ્ત્રો ધારણ કરે તેમ,
\q વિશ્વમાં બધી બાબતોને નવી બનાવશો.
\q પરંતુ તમે એકસમાન જ રહેશો, અને તમે સદાકાળ જીવશો!"
\p
\s5
\v 13 ઈશ્વરે તેમના પુત્રને જે કહ્યું તેવું તેમણે કદી કોઈ દૂતને કહ્યું નથી:
\q "તમે તેમના પર રાજ કરો માટે, તમારા સર્વ શત્રુઓનો પરાજય ન કરું ત્યાં સુધી
\q મારી સાથે સૌથી મહત્વના સ્થાને બેસીને મારી સાથે રાજ કરો!"
\p
\v 14 દૂતો કેવળ એવા આત્માઓ છે જેઓને ઈશ્વર પોતાના વચન મુજબ બહુ જલદી સંપૂર્ણપણે બચાવશે તેઓને વિશ્વાસીઓની કાળજી અને સંભાળ લેવા ઈશ્વરે મોકલી દીધા છે.
\s5
\c 2
\p
\v 1 તો, આ બાબત સાચી છે તેથી ઈશ્વરના પુત્ર સંબંધી આપણે જે સાંભળ્યું છે તે તરફ આપણે ખૂબ જ ધ્યાન આપવું જોઈએ, કે જેથી આપણે તેના પર વિશ્વાસ કરવાનું ધીરે ધીરે બંધ ન કરી દઈએ.
\s5
\v 2 જ્યારે દૂતોએ ઇઝરાયલના લોકોને ઈશ્વરના નિયમ વિષે વાત કરી, ત્યારે તેમણે જે કહ્યું હતું તે ખરું હતું. જેઓ ઈશ્વરને આધીન થયા નહીં અને તેમના નિયમનો ભંગ કર્યો તેઓને ઈશ્વરે યોગ્ય શિક્ષા કરી.
\v 3 આ સાચું છે માટે, આપણે ઈશ્વરથી ચોક્કસપણે બચીશું નહી; જે રીતે ઈશ્વર આપણો બચાવ કરે છે તે વિશેના શુભ સંદેશ પ્રત્યે આપણે બેદરકાર રહીશું તો તેઓ ચોક્કસ આપણો ન્યાય કરશે. પ્રથમ તો પ્રભુ ઈસુએ એ સંબંધી વાત કરી, અને શિષ્યો કે જેમણે ઈસુને સાંભળ્યા તેઓએ આપણને ખાતરી કરાવી કે ઈસુએ તે વાત કહી હતી.
\v 4 આ સંદેશ સત્ય છે તે વિષે ઈશ્વરે પણ વિશ્વાસીઓને ચમત્કારિક કાર્યો કરવાનું સામર્થ્ય આપીને ખાતરી કરી આપી. અને પવિત્ર આત્મા પણ વિશ્વાસીઓને તેમની ઇચ્છા પ્રમાણે દાનો વહેંચી આપે છે.
\p
\s5
\v 5 ઈશ્વર જે નવી દુનિયા બનાવવાના છે તેને દૂતોના અધિકાર નીચે મૂકી નથી, પણ, ખ્રિસ્તના અધિકાર હેઠળ મૂકી છે.
\v 6 કોઈકે આ બાબત સંબંધી શાસ્ત્રવચનમાં કોઈ જગ્યાએ ગંભીરતાથી ઈશ્વરને કહ્યું છે કે,
\q "તમે કોઈ માણસના સંબંધમાં વિચાર કરો તે માટે કોઈ યોગ્ય નથી!
\q તમે કોઈ માણસની કાળજી રાખો તે માટે કોઈ યોગ્ય નથી!
\q
\s5
\v 7 તમે માણસોને દૂતો કરતાં થોડા જ ઊતરતા સર્જ્યા છે,
\q છતાં જેમ લોકો રાજાને માન આપે છે તેમ તમે તેમને અતિ ઘણું માન આપ્યું છે.
\q
\v 8 તમે સર્વ તેમના નિયંત્રણ હેઠળ મૂક્યું છે."
\p ઈશ્વરે નક્કી કર્યું છે કે મનુષ્યજાત સર્વ બાબતો પર અધિકાર ચલાવશે. એટલે કે તેમના અધિકાર હેઠળથી કશું બાકાત રાખવામાં નહીં આવે. પણ હાલ, વર્તમાન સમયમાં, આપણે સર્વ બાબતો પર મનુષ્યજાતનું નિયંત્રણ જોતાં નથી.
\s5
\v 9 તો પણ, આપણે ઈસુ કે જેઓ આ જીવનમાં દૂતો કરતાં થોડા ઓછા મહત્વના હોય તેમ પ્રગટ થયા તેમના વિષે જાણીએ છીએ. તેઓએ દુઃખ ભોગવ્યું અને મરણ પામ્યા માટે, ઈશ્વરે તેમને સહુથી મહત્વના બનાવ્યા છે. ઈસુ સર્વ મનુષ્યજાત માટે મરણ પામ્યા તે કારણે ઈશ્વરે તેઓને સર્વ પર રાજા બનાવ્યા છે. ઈશ્વર આપણા પ્રત્યે એટલા ભલા હતા માટે આમ બન્યું.
\v 10 ઈશ્વર માટે એ યોગ્ય હતું કે તેઓ આપણા માટે દુઃખ સહન કરવા અને મરણ પામવા દ્વારા ઈસુને દરેક રીત સંપૂર્ણ કરે. ઈશ્વરે જ આ સઘળું ઉત્પન્ન કર્યું અને તેમના માટે જ સઘળું અસ્તિત્વ ધરાવે છે. અને ઈસુ દ્વારા જ ઈશ્વર લોકોને બચાવી શકે છે.
\s5
\v 11 ઈસુ કે જેઓ પોતાના લોકોને ઈશ્વરને માટે અલગ કરે છે, અને તે જ લોકો કે જેઓને ઈશ્વર પોતાની સમક્ષ સારા જાહેર કરે છે, તેઓ સર્વ એક જ સ્રોતમાંથી એટલે ઈશ્વરમાંથી આવે છે. તેથી ઈસુ તેઓને પોતાના ભાઈઓ અને બહેનો કહેતાં શરમ અનુભવતા નથી.
\v 12 ખ્રિસ્તે ઈશ્વરને જે કહ્યું તે વિષે ગીતકર્તાએ લખ્યું કે,
\q "તમે કેવા ભયાવહ છો તે હું મારા ભાઈઓને પ્રગટ કરીશ.
\q વિશ્વાસીઓની સભા મધ્યે હું તમારી સ્તુતિ ગાઇશ!"
\p
\s5
\v 13 અને બીજા એક શાસ્ત્રવચનમાં ખ્રિસ્તે ઈશ્વર વિષે જે કહ્યું તે વિષે પ્રબોધકે લખ્યું છે:
\q "હું તેમના પર ભરોસો રાખીશ."
\p અને બીજા એક શાસ્ત્રવચનમાં, જેઓ તેમના સંતાન જેવા છે તેમના સબંધી ખ્રિસ્તે કહ્યું,
\q "હું અને જે બાળકો ઈશ્વરે મને આપ્યાં છે તેઓ અહીં છે."
\p
\v 14 તેથી, જેઓને ઈશ્વર પોતાના બાળકો ગણે છે તેઓ માનવી છે તે કારણે ઈસુ પણ તેઓની માફક માનવ બન્યા. શેતાનની પાસે શક્તિ છે કે તે લોકોને મરણની બીકથી ગભરાવી શકે, પણ ખ્રિસ્ત માનવી બન્યા કે જેથી તેમના મરણ પામવા દ્વારા અને મરણને હરાવવા દ્વારા શેતાનને શક્તિવિહીન બનાવે.
\v 15 આપણે બધા જેઓ જીવનપર્યંત મરણની બીકમાંથી પોતાને મુક્ત કરી શકીએ તેમ ન હતા તેઓને મુક્ત કરવા ઈસુએ આ કર્યું.
\s5
\v 16 ઈસુ માનવી બન્યા તે એટલા માટે નહીં કે તેઓ દૂતોની મદદ કરવા આવ્યા. ના, એ તો આપણે કે જેઓ ઇબ્રાહિમની જેમ ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ તેઓને મદદ કરવા માટે આવ્યા.
\v 17 તેથી ઈશ્વરે ઈસુને આપણા જેવા જ એટલે કે તેમના "માનવબંધુઓ" જેવા બનાવવાની અગત્ય હતી. તેઓ એવા પ્રમુખ યાજક બન્યા જે સર્વ લોકો પ્રત્યે દયાળુ રીતે વર્તે છે અને જે ઈશ્વર માટે વિશ્વાસુપણે વર્તે છે, જેથી તેઓ લોકોનાં પાપોને માટે મરણ પામી શકે અને ઈશ્વર તેઓને માફી આપે માટે માર્ગ તૈયાર કરે.
\v 18 જેઓને પાપ કરવાનું પરીક્ષણ થાય છે તેઓને ઈસુ સહાય કરવા સમર્થ છે કારણ કે જેમ આપણે પાપ કરવાના પરીક્ષણમાંથી પસાર થઈએ છીએ તેમ, તેઓ પોતે પણ પાપ કરવાના પરીક્ષણમાંથી પસાર થયા છે.
\s5
\c 3
\p
\v 1 મારા સાથી વિશ્વાસીઓ, ઈશ્વરે તમને અલગ કર્યા છે કે જેથી તમે તેમના પોતાના લોક બનો. તેથી ઈસુનો વિચાર કરો. તેઓ આપણા સંબંધમાં ઈશ્વરના પ્રેરિત છે અને પ્રમુખ યાજક પણ છે જેમના સંબંધી આપણે કહીએ છીએ કે આપણે તેમનામાં સાથે મળીને વિશ્વાસ કરીએ છીએ.
\v 2 જેમ મૂસાએ ઈશ્વરના લોકો જેમને આપણે ઈશ્વરનું ઘર કહીએ છીએ, તેઓની વિશ્વાસુપણે સેવા કરી તેમ ઈસુએ પોતાને નીમનાર ઈશ્વરની વિશ્વાસુપણે સેવા કરી.
\v 3-4 હવે, જેમ દરેક ઘરનો કોઈક બનાવનાર હોય છે, તેમ ઈશ્વરે સઘળું બનાવ્યું છે. તેથી, ઈશ્વરે ઠરાવ્યું છે કે, જેમ લોકોને માટે ઘર કરતાં તેને બાંધનાર વ્યક્તિ વધુ માન પામવાને યોગ્ય છે તેમ, ઈસુ મૂસા કરતાં વધારે માનયોગ્ય છે.
\s5
\v 5 જેમ એક સેવક તેના માલિકની વિશ્વાસુપણે સેવા કરે છે તેમ, મૂસાએ ઈશ્વરના લોકોની સહાય કરીને ઈશ્વરની વિશ્વાસુપણે સેવા કરી. એમ કરીને ઈસુ જે પછીથી કહેવાના હતા તેની મૂસાએ સાક્ષી આપી.
\v 6 પણ ખ્રિસ્ત તો પુત્ર છે જેઓ ઈશ્વરના લોકો પર રાજ કરે છે, અને જો ઈશ્વરે આપણા માટે જે જે કરવાનું વચન આપ્યું છે તેની ખાતરીપૂર્વક આશા રાખતાં સતત ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીએ તો આપણે તેમના રાજ્યના લોકો છીએ.
\p
\s5
\v 7 પવિત્ર આત્માએ ગીતકર્તાને ઇઝરાયલીઓ માટે શાસ્ત્રમાં આ વચનો લખવાની પ્રેરણા આપી:
\q "તેથી, જ્યારે તમે ઈશ્વરને તમારી સાથે વાત કરતાં સાંભળો,
\v 8 ત્યારે તેમને આધીન થવાનો ઇનકાર કરશો નહીં, અને તમારી ઇચ્છાઓને ઈશ્વર જે કહે છે તેના કરતાં વધારે મહત્વ ન આપશો, કેમ કે જો તમે એમ કરશો તો તમે તમારા પૂર્વજો જેઓ અગાઉ ઈશ્વરથી ભટકી ગયા અને તેમને આધીન થયા નહીં તેમના જેવા થશો.
\s5
\v 9 તમારા પૂર્વજોએ ચાળીસ વર્ષો સુધી મેં જે અદ્દ્ભુત કૃત્યો કર્યાં તે જોયા છતાં, વારંવાર તેઓએ મારી ધીરજની કસોટી કરી.
\p
\v 10 તેથી, હું તે લોકો પર ગુસ્સે થયો, અને મેં તેમના વિષે કહ્યું, 'તેઓ કદી મારા પ્રત્યે વિશ્વાસુ રહ્યા નથી, અને હું તેમના જીવનોનું સંચાલન કેવી રીતે કરવા માગું છું તે તેઓ સમજવા ચાહતા નથી.'
\p
\v 11 હું તેઓ પ્રત્યે ગુસ્સે હતો અને મેં ગંભીરતાથી જાહેર કર્યું કે, 'તેઓ કનાન દેશ કે જ્યાં હું તેઓને આરામ આપવા દોરી જવા ચાહતો હતો તેમાં પ્રવેશ કરશે નહીં !'"
\p
\s5
\v 12 તેથી, સાથી વિશ્વાસીઓ, સાવધ રહો કે, તમારા હૃદયની દુષ્ટતાને લીધે તમારામાંનો કોઈ ખ્રિસ્ત પરના વિશ્વાસમાંથી ચલિત ન થાય, કે જે તમને એક જ ઈશ્વર જેઓ જીવંત છે તેમનો ઇનકાર કરવા તરફ લઈ જાય.
\v 13 તેને બદલે, તમારામાંનો દરેક જ્યાં સુધી તમને તક છે ત્યાં સુધી દરરોજ એકબીજાને ઉત્તેજન આપો. જો તમે કઠણ બનશો તો બીજાઓ તમને છેતરશે અને તમને પાપ તરફ દોરશે.
\s5
\v 14 જો આપણે ખ્રિસ્તમાં ગંભીરતાથી અને ખાતરીપૂર્વક વિશ્વાસ કરવાનું ચાલુ રાખીએ તો આપણે પ્રથમ વિશ્વાસ કર્યો ત્યારથી આપણે મરણ પામીએ ત્યાં સુધી, આપણે ખ્રિસ્ત સાથે જોડાયેલા છીએ.
\v 15 ગીતકર્તાએ શાસ્ત્રમાં લખ્યું તેમ, ઈશ્વરે કહ્યું કે,
\q "હવે જ્યારે હું તમારી સાથે વાત કરું ત્યારે તમારા પૂર્વજોએ મારી વિરુદ્ધ બળવો કર્યો તેમ કઠણ થઈને મારી વાતનો અસ્વીકાર કરશો નહિ."
\p
\s5
\v 16 જેઓએ ઈશ્વરને બોલતાં સાંભળ્યા છતાં તેમની વિરુદ્ધ બંડ કર્યું, તેઓ કોણ હતા તે યાદ કરો. તેઓ તો જેઓને મૂસા ઇજીપ્તમાંથી લઈ આવ્યો તે બધા ઈશ્વરના જ લોકો હતા.
\v 17 અને ચાળીસ વર્ષો સુધી ઈશ્વર જેઓ પ્રત્યે નારાજ રહ્યા તેઓ કોણ હતા તે યાદ કરો. જેઓએ પાપ કર્યું અને જેઓના મૃત શરીરો ત્યાં અરણ્યમાં પડ્યાં તેઓ તો ઈશ્વરના જ લોકો હતા.
\v 18 અને જેઓના સંબંધી ઈશ્વરે ગંભીરતાપૂર્વક જાહેર કર્યું, "હું તેઓને વિશ્રામના દેશમાં પ્રવેશ કરવા દઈશ નહીં" તે લોકો વિષે યાદ કરો. તેઓ ઇઝરાયલીઓ જ હતા કે જેઓએ ઈશ્વરનો અનાદર કર્યો.
\v 19 તેથી, આ ઉદાહરણથી આપણે જાણીએ છીએ કે, તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખ્યું નહિ તેથી ઈશ્વરે તેમને તે દેશમાં કે જ્યાં તેઓ તેમને આરામ આપવાના હતા ત્યાં પ્રવેશવા દીધા નહીં.
\s5
\c 4
\p
\v 1 ઈશ્વરે આપણને વિશ્રામનું વચન આપ્યું છે, પણ આપણે સાવધ રહેવાની જરૂર છે, કારણ કે, આપણે કદાચ ઈશ્વરના વિશ્રામસ્થાનને ચૂકી જઈ શકીએ.
\v 2 જેમ ઇઝરાયલીઓએ ઈશ્વરનું વચન સાંભળ્યું કે ઈશ્વર તેઓને કનાન દેશમાં આરામ આપશે તેમ, આપણે એ શુભ સમાચાર સાંભળ્યા છે કે કેવી રીતે ઈસુ આપણને ઈશ્વર પાસેથી મળતો આરામ આપે છે. પણ જેમ આ સંદેશ ઘણા ઇઝરાયલીઓને મદદરૂપ ન થયો કારણ કે તેઓએ યહોશુઆ અને કાલેબની માફક ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહીં, તે જ પ્રમાણે જો આપણે ઈશ્વર પર વિશ્વાસ કરીશું નહીં તો, ઈસુ વિશેનો શુભ સંદેશ આપણને પણ મદદરૂપ બનશે નહીં.
\s5
\v 3 આપણે જેઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તેઓ વિશ્રામસ્થાનમાં પ્રવેશ કરવા સમર્થ છીએ કારણ કે, ઈશ્વરે કહ્યું છે,
\q "હું ઇઝરાયલી લોકો પ્રતિ ગુસ્સે હતો તેથી, મેં ગંભીરતાપૂર્વક નક્કી કર્યું છે કે, 'જે વિશ્રામનો દેશ હું તેઓને આપવાનો છું તેમાં તેઓ પ્રવેશ કરશે નહી.'"
\p જો કે તેમની યોજનાઓ તો સૃષ્ટિના આરંભથી જ સંપૂર્ણ થયેલી હતી, તોપણ ઈશ્વરે આ પ્રમાણે કહ્યું.
\v 4 સૃષ્ટિની ઉત્પત્તિ છ દિવસોમાં કરવામાં આવી પછી સાતમા દિવસ વિષે શાસ્ત્રમાં જે લખવામાં આવ્યું હતું તે દર્શાવે છે કે આ વાત સાચી છે:
\q "પછી સાતમે દિવસે ઈશ્વરે સર્વ સર્જનના કામથી આરામ લીધો."
\p
\v 5 પણ મેં અગાઉ નોંધેલા શાસ્ત્રભાગમાં ઈશ્વરે ઇઝરાયલીઓના સંબંધમાં શું કહ્યું તેની નોંધ લો:
\q "જે દેશમાં હું તેઓને વિશ્રામ આપવાનો હતો તેમાં તેઓ પ્રવેશ પામશે નહીં."
\p
\s5
\v 6 કેટલાક લોકો હજી પણ ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ પામી રહ્યા છે. પણ ઇઝરાયલીઓ જેઓએ વિશ્રામ વિશેનું ઈશ્વરનું વચન પ્રથમ સાંભળ્યું, તેઓ એ વિશ્રામસ્થાનમાં પ્રવેશ પામી શક્યા નહી, કારણ કે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો.
\v 7 પણ ઈશ્વરે બીજો એક સમય ઠરાવ્યો છે જ્યારે આપણે વિશ્રામસ્થાનમાં પ્રવેશ કરી શકીએ. અને તે સમય તો હાલ જ છે! આપણે જાણીએ છીએ કે આ સાચું છે, કારણ કે ઇઝરાયલીઓએ અરણ્યમાં ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યો તે પછી લાંબા સમય પછી તેમણે દાઉદ રાજા દ્વારા લખાવ્યું, જે મેં અગાઉ નોંધ્યું છે,
\q "હાલ જ, ઈશ્વર તમને જે કહી રહ્યા છે તે જો તમે સમજો છો તો, તમારા હૃદયો કઠણ કરીને તેમનો નકાર કરશો નહિ."
\p
\s5
\v 8 જો યહોશુઆએ ઇઝરાયલીઓને ઈશ્વરે આપેલા વચન પ્રમાણેના વિશ્રામમાં દોર્યા હોત તો, ઈશ્વરે ફરી બીજા વિશ્રામવાર વિષે કહ્યું ન હોત. પણ તેમણે તેઓને વિશ્રામનું બીજું વચન આપ્યું.
\v 9 તેથી, જેમ ઈશ્વરે સર્વ બાબતોના સૃજનકાર્યથી વિશ્રામ લીધો તેમ, હજી એવો સમય આવવાનો છે જ્યારે ઈશ્વરના લોકો અનંતકાળનો વિશ્રામ પામશે.
\v 10 જે કોઈ ઈશ્વરના વિશ્રામસ્થાનમાં પ્રવેશ કરે છે તેણે, જેમ ઈશ્વરે સઘળું ઉત્પન્ન કરવાનું પોતાનું કાર્ય પૂર્ણ કર્યું છે તેમ, પોતાનું કાર્ય કરવાનું બંધ કર્યું છે.
\p
\v 11 તેથી, આપણે ખ્રિસ્તનું અનુસરણ કરતાં આતુરતાથી ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ કરીએ, કે જેથી જેઓ આધીન થયા નહિ તેઓનો દાખલો આપણને અસર ન પહોંચાડે અને આપણો નાશ ન કરે.
\s5
\v 12 ઈશ્વરનાં વચનો જીવંત અને શક્તિશાળી છે, અને તેઓ એક બેધારી તરવારની જેમ એટલો ઊંડો ઘા કરવા સમર્થ છે કે તે આપણા પ્રાણ અને આત્માને અલગ કરી શકે. ઈશ્વરના વચનો એક તરવારની જેમ એટલા ઊંડા ઘા કરી શકે, જાણે તે કોઈ પ્રાણીના સાંધાઓને કાપીને અલગ કરી દે તેમ આપણને કાપી શકે છે. એ શબ્દો આપણા શરીરની કઠણ જગ્યાઓને વીંધે છે, એક તરવારની માફક હાડકાં અને મજજાને અલગ કરી શકે છે. ઈશ્વરનાં વચનો, કયા વિચારો સારા કે ખરાબ છે તે નક્કી કરતા એક ન્યાયાધીશ જેવાં છે, અને તેમનાં વચનો આપણા હૃદયોમાં ઊંડે છુપાયેલા ઇરાદાઓને પારખે છે.
\v 13 ઈશ્વર દરેકના સંબંધમાં સઘળું જાણે છે. તેમનાથી કશું છૂપું નથી. તેમની સમક્ષ સર્વ ખુલ્લું છે અને આપણે જે કંઇ કરીએ છીએ તે સર્વ તેઓ જુએ છે. આપણે ઈશ્વરની સમક્ષ હાજર થવું જોઈએ અને તેમને જણાવવું જોઈએ કે આપણે આપણા જીવનો કેવી રીતે જીવ્યા છીએ.
\p
\s5
\v 14 તેથી, આપણી પાસે મોટા પ્રમુખ યાજક છે જેઓ ઈશ્વરની હજૂરમાં જવા સ્વર્ગમાં ચઢી ગયા છે. તે ઈસુ, ઈશ્વરના પુત્ર છે.
\v 15 જેમ શેતાન આપણું પરીક્ષણ કરે છે તેમ તેણે તેમનું પણ સર્વ રીતે પરીક્ષણ કર્યું પણ તેમણે પાપ કર્યું નહીં તે કારણે આપણા પ્રમુખ યાજક, આપણે જેઓ સહેલાઈથી પાપ કરવા પ્રેરાઈએ છીએ તેઓ પર ખરેખર દયા દર્શાવી શકે છે અને આપણને ઉત્તેજન આપી શકે છે.
\v 16 તેથી, આપણે ખ્રિસ્ત કે જેઓ સ્વર્ગમાંથી રાજ કરે છે અને જે બાબતો માટે આપણે યોગ્ય નથી તે બાબતો આપણાં માટે કરે છે, કે જેથી જ્યારે આપણને જરૂર હોય ત્યારે તેઓ આપણી સહાય કરે અને આપણા પર દયા દર્શાવે, તેઓની પાસે હિંમતથી આવીએ.
\s5
\c 5
\p
\v 1 જ્યારે ઈશ્વર પ્રમુખ યાજકને પસંદ કરે છે ત્યારે, તેઓ લોકો મધ્યેથી તે માણસને પસંદ કરે છે. એ માણસે લોકોને માટે ઈશ્વરની સેવા કરવી જોઈએ; તેણે ઈશ્વરને ભેટો આપવી અને લોકોના પાપોને માટે પશુઓના બલિદાન ચઢાવવા જોઈએ.
\v 2 જેઓ ઈશ્વર વિષે ઘણું ઓછું જાણે છે અને જેઓ તેમની વિરુધ્ધ પાપ કરે છે તેઓના પ્રત્યે પ્રમુખ યાજક નમ્ર થઇ શકે છે. પ્રમુખ યાજક પોતે પણ પાપના લીધે નબળો છે તે કારણસર આ શક્ય છે.
\v 3 તેના પરિણામે, તે પણ લોકોની જેમ પાપ કરે છે માટે તેણે પણ પશુઓનું બલિદાન ચઢાવવું જોઈએ.
\s5
\v 4 પરંતુ પોતે પ્રમુખ યાજક બનવાનું નક્કી કરવા દ્વારા કોઈ પોતાને માન આપી શકતો નથી. તેને બદલે, ઈશ્વરે જેમ હારુનને પ્રથમ પ્રમુખ યાજક થવા પસંદ કર્યો તેમ તેઓએ દરેક માણસને પ્રમુખ યાજક થવા પસંદ કર્યો હતો.
\v 5 તેવી જ રીતે, ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક બનીને પોતે માન લીધું નહીં. તેને બદલે, ઈશ્વર પિતાએ તેમને એવું કહીને પસંદ કર્યા કે જેને ગીતકર્તાએ શાસ્ત્રમાં લખ્યું છે:
\q "તું મારો દીકરો છે! આજે મેં જાહેર કર્યું છે કે હું તારો પિતા છું!"
\p
\s5
\v 6 અને ગીતકર્તાએ બીજા શાસ્ત્રભાગમાં જે લખ્યું છે તેમાં પણ તેમણે ખ્રિસ્તને કહ્યું:
\q "મલ્ખીસદેક જે પ્રમાણે પ્રમુખ યાજક હતો તે રીતે તું સનાતન યાજક છે."
\p
\s5
\v 7 જે દિવસોમાં ખ્રિસ્ત દુનિયામાં જીવતા હતા ત્યારે, તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી અને આંસુઓ સાથે તેમને વિનંતી કરી. તેમણે ઈશ્વર કે જેઓ તેમને મરણ પામવાથી બચાવી શકતા હતા તેઓ પાસે માગ્યું. અને ઈશ્વરે તેઓનું સાંભળ્યું કારણ કે ખ્રિસ્તે ઈશ્વરને માન આપ્યું અને તેમને આધીન થયા.
\v 8 ખ્રિસ્ત ઈશ્વરના પોતાના દીકરા હોવા છતાં, તેઓ સહન કરવા દ્વારા અને મરણ પામવા દ્વારા ઈશ્વરને આધીન થવાનું શીખ્યા.
\s5
\v 9 ઈશ્વર તેમના દ્વારા જે કરાવવા માગતા હતા તે પૂર્ણ કરવા દ્વારા, ઈસુ જેઓ તેમને આધીન થાય છે તેઓને અનંતકાળ સુધી બચાવવા માટે હવે સમર્થ છે.
\v 10 જે પ્રમાણે મલ્ખીસેદેક પ્રમુખ યાજક હતો તેમ ઈશ્વરે તેમને આપણા પ્રમુખ યાજક બનવા માટે નિયુક્ત કર્યા છે.
\p
\v 11 હું તમને જણાવવા માગું છું કે કેટલી બધી રીતે ખ્રિસ્ત મેલ્ખીસેદેકને મળતા આવે છે. તેને સમજાવવું મારા માટે અઘરું છે કારણ કે તે સમજવું તમને ઘણું અઘરું લાગે એવું છે.
\s5
\v 12 તમે ઘણા લાંબા સમય પહેલા ખ્રિસ્તીઓ બન્યા છો. તેથી અત્યારે તો તમારે ઈશ્વરનાં સત્યો બીજાઓને શીખવવાં જોઈતાં હતાં. પરંતુ તમને હજુ કોઈની જરૂર છે કે જે તમને શાસ્ત્રમાંથી ઈશ્વરનાં વચનનાં મૂળભૂત સત્યો, શરૂઆતથી માંડીને ફરીથી શીખવે. જેમ બાળકને દૂધની જરૂર હોય છે તે પ્રમાણે તમને તે મૂળભૂત સત્યોની જરૂર છે. તમે વધારે મુશ્કેલ બાબતો એટલે કે પુખ્ત લોકોને જરૂર હોય છે એવા ભારે ખોરાકના જેવી બાબતો શીખવા માટે તૈયાર નથી.
\v 13 યાદ રાખો કે જેઓ હજુ આ મૂળભૂત સત્યોને શીખી રહ્યા છે તેઓ ઈશ્વર ન્યાયી બનવા સંબંધી જે જણાવે છે તેને સમજી શકતા નથી. તેઓ હજુ પણ સાચા ખોટા વચ્ચેનો તફાવત સમજતા નથી. તેઓ જેમને દૂધની જરૂર હોય તેવા બાળકો જેવા છે!
\v 14 પરંતુ જેમ પુખ્ત લોકોને માટે ભારે ખોરાક હોય છે તેમ વધુ મુશ્કેલ આત્મિક સત્ય એવા લોકોને માટે છે જેઓ ઈશ્વરને સારી રીતે જાણે છે. સારું શું છે અને ખોટું શું છે તેની વચ્ચેના તફાવતને તેઓ જણાવી શકે છે, કારણ કે તેઓએ સારું શું છે અને ખોટું શું છે તે શીખવા દ્વારા પોતાને તાલીમ આપેલી છે.
\s5
\c 6
\p
\v 1-3 તેથી, આપણે અગાઉ ખ્રિસ્ત સંબંધી શું શીખ્યા હતા, તે બાબતો જે બધા વિશ્વાસીઓએ શરૂઆતમાં શીખવી જ જોઈએ તેની ચર્ચા કરવાનું જારી રાખવું ન જોઈએ. તેઓમાંની કેટલીક બાબતો એ છે કે કેવી રીતે દુષ્ટ કાર્યો જે મરણ તરફ દોરી જાય છે તે કરવાનું બંધ કરવું અને કેવી રીતે ઈશ્વર પર વિશ્વાસ કરવાની શરૂઆત કરવી. કેટલીક અગત્યની બાબતો પણ છે જે અમે શીખવીએ છીએ: વિવિધ પ્રકારનાં બાપ્તિસ્મા, શા માટે આપણે ઘણી વાર એકબીજાના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરીએ છીએ; અને કેવી રીતે ઈશ્વર આપણ સર્વને મૂએલામાંથી ઉઠાડશે અને કેવી રીતે અનંતકાળને માટે દરેકનો ન્યાય કરશે. ખરેખર, જો ઈશ્વર આપણને તક આપશે તો, ફરીથી આ બધી બાબતોની ચર્ચા આપણે બાદમાં કરીશું. પરંતુ હાલ આપણે એ બાબતો વિષે ચર્ચા કરવી જોઈએ કે જે સમજવા માટે ઘણી અઘરી છે; આ એ બાબતો છે કે જે ગમે તે થાય તો પણ, આપણને દરેક સમયે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવામાં મદદ કરશે.
\s5
\v 4 હું તમને સમજાવીશ કે શા માટે તે કરવું મહત્વનું છે. ઘણા લોકો ખ્રિસ્તના સંદેશને એક વખત સમજ્યા છે. ઈશ્વર તેઓને માફી આપે અને ખ્રિસ્ત તેઓને પ્રેમ કરે તે શાના જેવું છે તે તેઓ શીખ્યા છે, અને તેઓએ પવિત્ર આત્મા પાસેથી કૃપાદાનો પ્રાપ્ત કર્યાં છે.
\v 5 ઈશ્વરનો સંદેશ તેઓને પોતાને માટે સારો છે તેવું તેમણે શોધી કાઢ્યું છે, અને ઈશ્વર ભવિષ્યમાં કેવી પરાક્રમી રીતે કાર્ય કરશે તે તેઓ શીખ્યા છે.
\v 6 પરંતુ હવે, જો આ લોકો ખ્રિસ્તનો નકાર કરે તો, કોઈ તેઓને પાપ કરતા અટકાવી તથા ખ્રિસ્ત પર ફરીથી વિશ્વાસ કરવા સમજાવી શકશે નહીં! કારણ કે આ તો જાણે આ લોકોએ ઈશ્વરના દીકરાને ફરીથી વધસ્તંભે જડ્યા હોય તેવું છે! બીજાઓની સામે લોકો ખ્રિસ્તનું અપમાન કરે માટે તેઓ કારણરૂપ બને છે.
\s5
\v 7 આના સંબંધી વિચારો: જેના પર વારંવાર વરસાદ વરસે છે અને જેના પર ખેડૂતોને માટે પાક ઊગે છે તે ભૂમિને ઈશ્વરે આશીર્વાદિત કરી છે.
\v 8 પરંતુ જે વિશ્વાસીઓ ઈશ્વરને આધીન થતા નથી તેઓની હાલત જેમાં માત્ર કાંટા અને ઝાંખરા ઉત્પન્ન થાય છે તે જમીનના જેવી થશે. આવી જમીન કંઈ કામની નથી. તે એવી ભૂમિ બની છે કે જેને ખેડૂત શાપ આપે છે અને જેના છોડને તે બાળી નાખશે.
\p
\s5
\v 9 વહાલા મિત્રો, તમે જોઈ શકો છો કે ખ્રિસ્તનો નકાર ન કરવા હું તમને ચેતવણી આપું છું. તે સાથે, મને ખાતરી છે કે તમે તેના કરતાં પણ વિશેષ સારું કરી રહ્યા છો. તમે જે બાબતો કરી રહ્યા છો તે એ સત્યની સાબિતી છે કે ઈશ્વર તમને બચાવી રહ્યા છે.
\v 10 ઈશ્વર હંમેશાં ન્યાયી રીતે વર્તે છે તેથી, તમે તેમના માટે જે કર્યું છે તેના તરફ તેઓ બેધ્યાન રહેશે નહીં; તમે સાથી વિશ્વાસીઓને કેવી રીતે પ્રેમ કર્યો છે અને મદદ કરી છે તેમ જ કેવી રીતે હજુ પણ મદદ કરી રહ્યા છો તેની તરફ તેઓ બેધ્યાન રહેશે નહીં.
\s5
\v 11 અમે મોટી અપેક્ષા રાખીએ છીએ કે તમે હાલ જે પ્રયત્ન કરી રહ્યા છો તે જ રીતનો પ્રયત્ન દર્શાવવાનું ચાલુ રાખો, કે જેથી તમારાં જીવનોના અંતે, તમને ખાતરી હોય કે ઈશ્વરે તમને જે આપવાનું વચન આપ્યું છે તે તમને પ્રાપ્ત થશે.
\v 12 તમે આળસુ થાઓ તેવું હું ઇચ્છતો નથી. તેના બદલે, હું ઇચ્છું છું કે બીજા વિશ્વાસીઓએ જે પ્રમાણે કર્યું છે તેમ તમે કરો, ઈશ્વરે તેઓને જે વચન આપ્યું તેને તેઓ પ્રાપ્ત કરી રહ્યા છે, કારણ કે તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો અને ધીરજ રાખી.
\p
\s5
\v 13 જ્યારે ઈશ્વરે ઇબ્રાહિમ માટે મહાન બાબતો કરવાનું વચન આપ્યું હતું ત્યારે, ઈશ્વર કરતાં વધારે મહાન બીજું કોઈ ન હતું કે જેને ઈશ્વર તે બાબતો કરવા ફરજ પાડી શકે. તેથી તેમણે પોતાને કહ્યું.
\v 14 પછી તેમણે ઇબ્રાહિમને કહ્યું, "હું તને ચોક્કસ આશીર્વાદ દઈશ અને તારા વંશજોને ચોક્કસ વધારીશ".
\v 15 તેથી ઇબ્રાહિમે ઈશ્વરે આપેલા વચનની ધીરજથી રાહ જોયા પછી, ઈશ્વરે તેને જે વચન આપ્યું હતું તે પ્રમાણે તેને માટે કર્યું.
\s5
\v 16 ધ્યાનમાં રાખો કે જ્યારે લોકો કોઈ બાબત વિષે વચન આપે છે ત્યારે, જો તેઓ પોતાનું વચન ન પાળે તો તેઓ પોતાને શિક્ષા કરવા કોઈક વધારે મહત્વની વ્યક્તિને કહે છે. ઘણીવાર આ પ્રમાણે વિવાદોનો ઉકેલ લાવવામાં આવે છે.
\v 17 તેથી જ્યારે ઈશ્વર આપણને એટલે કે જે પ્રાપ્ત કરવાનું વચન જેઓને તેમણે આપ્યું છે, તેઓને સ્પષ્ટપણે દર્શાવવા ચાહતા હતા કે, તેમણે જે કરવાની યોજના કરી છે તેને તેઓ બદલશે નહિ, તેમણે કહ્યું કે જે વચન તેમણે આપ્યું છે તે પ્રમાણે જો તેઓ ન કરે તો તેઓ પોતાને દોષિત જાહેર કરશે.
\v 18 તેમણે દ્રઢતાથી આપણને ઉત્તેજન આપવા માટે તે કર્યું, કારણ કે તેમણે બે બાબતો કરી કે જેને બદલી શકાય નહીં: તેમણે આપણને મદદ કરવાનું વચન આપ્યું છે, અને તેમણે આપણને કહ્યું છે કે જો તેઓ આપણને મદદ ન કરે તો તે માટે તેઓ પોતાને દોષિત ઠરાવશે. હવે, ઈશ્વર જૂઠ્ઠું બોલી શકતા નથી. તેથી જ આપણે, જેમ તેમણે આપણને વિશ્વાસ રાખવા માટે ઉત્તેજન આપ્યું છે તેમ તેમનામાં વિશ્વાસ રાખ્યો છે.
\s5
\v 19 હા, ઈશ્વરે આપણે માટે જે કરવાનું વચન આપ્યું છે તેને પ્રાપ્ત કરવાની અપેક્ષા આપણે દ્રઢતાથી રાખીએ છીએ. આપણે જાણે કે એક વહાણ જેવા છીએ જેનું લંગર તેને એક જ જગ્યાએ દ્રઢતાથી સ્થિર રાખે છે. આપણને દ્રઢ રાખવાની અપેક્ષા આપણે જેમના પર રાખીએ છીએ તે તો ઈસુ છે, કારણ કે તેઓ ઈશ્વરની હજૂરમાં ગયા છે. તે માટે તેઓ પ્રમુખ યાજકોના જેવા જ છે જેઓ ભક્તિસ્થાનના સૌથી અંદરના સ્થાનના પડદા પાછળ જાય છે જ્યાં ઈશ્વરની હાજરી છે.
\v 20 ઈસુ ઈશ્વરની સમક્ષતામાં આપણી અગાઉ ગયા છે જેથી તેઓ આપણને પણ તે સ્થાનમાં ઈશ્વરની હજૂરમાં પ્રવેશ કરવા દે. જે રીતે મલ્ખીસદેક પ્રમુખ યાજક હતો તે રીતે, ઈસુ સદાકાળને માટે પ્રમુખ યાજક બન્યા છે.
\s5
\c 7
\p
\v 1 હવે હું આ માણસ મલ્ખીસદેક વિષે વધુ કહીશ. તે શાલેમ શહેરનો રાજા અને ઈશ્વર કે જેઓ સમસ્ત વિશ્વ પર રાજ કરે છે તેમનો યાજક પણ હતો. ઇબ્રાહિમ અને તેના માણસો જ્યારે ચાર રાજાઓનાં લશ્કરોને હરાવીને પાછા આવતા હતા ત્યારે તે તેને મળ્યો. મલ્ખીસદેકે ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યો.
\v 2 પછી ઇબ્રાહિમે યુદ્ધ જીત્યા બાદ જે પ્રાપ્ત કર્યું હતું તેમાંથી દસમો ભાગ તેને આપ્યો. હવે મલ્ખીસદેકના નામનો પહેલો અર્થ, "ન્યાયીપણાથી રાજ્ય કરનાર રાજા," અને શાલેમનો અર્થ "શાંતિ" થાય છે માટે તેના નામનો અર્થ "શાંતિપૂર્ણ રીતે રાજ્ય કરનાર રાજા" પણ થાય છે.
\v 3 નિયમશાસ્ત્ર મલ્ખીસદેકના પિતા, માતા, કે પૂર્વજોની માહિતી આપતું નથી; કે તે ક્યારે જન્મ્યો અથવા ક્યારે તે મરણ પામ્યો તે વિશેની કોઈ માહિતી પણ શાસ્ત્ર આપતું નથી. જાણે કે તે સદાકાળથી જ યાજક તરીકે છે. આ પ્રમાણે, તે ઈશ્વરના પુત્ર જેવો છે.
\p
\s5
\v 4 આ માણસ મલ્ખીસદેક જેને આપણા મહાન પૂર્વજ ઇબ્રાહિમે રાજાઓ સાથેના યુધ્ધમાંથી મેળવેલી ઉત્તમ વસ્તુઓમાંથી દસમો ભાગ આપ્યો તે વાસ્તવિકતા પરથી તમે સમજી શકો છો કે તે કેટલો મહાન હશે.
\v 5 ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા તે અનુસાર, ઇબ્રાહિમના પ્રપૌત્ર લેવીના વંશજો કે જેઓ યાજકો હતા તેમણે, ઈશ્વરના લોકો કે જેઓ લેવીઓના સંબંધીઓ હતા અને જો કે તે લોકો પણ ઇબ્રાહિમના વંશજો હતા તોપણ, તેઓ પાસેથી દસમો ભાગ લેવો જોઈએ.
\v 6 પણ આ માણસ મલ્ખીસદેક જે લેવીના વંશજોમાંનો ન હતો છતાં તેણે ઇબ્રાહિમ પાસેથી દસમો ભાગ સ્વીકાર્યો. તેણે પણ ઇબ્રાહિમ જેને ઈશ્વરે ઘણા વંશજોનો આશીર્વાદ આપ્યો હતો તેને આશીર્વાદ આપ્યો.
\s5
\v 7 હવે બધાને ખબર છે કે જેમ મલ્ખીસદેકે ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યો તેમ વધુ મહત્વ ધરાવતા લોકો ઓછું મહત્વ ધરાવતા લોકોને આશીર્વાદ આપે છે. તેથી આપણે જાણીએ છીએ કે મલ્ખીસેદેક ઇબ્રાહિમ કરતાં મહાન હતો.
\v 8 યાજકો કે જેઓ લેવીના વંશજો હતા તેઓના સંબંધમાં તો તેઓ સર્વ મનુષ્યો હતા કે જેઓ એક દિવસ મૃત્યુ પામવાના હતા અને છતાં તેઓ દસમો ભાગ લે છે. તેમ છતાં, મલ્ખીસદેક કે જેણે ઇબ્રાહિમ પાસેથી દસમો ભાગ મેળવ્યો, તેના સબંધમાં, જાણે કે ઈશ્વર એવી સાક્ષી આપે છે કે તે હમેશા જીવંત રહે છે, કારણ કે શાસ્ત્ર તેના મૃત્યુ સંબંધી કંઈ જણાવતું નથી.
\v 9 અને જાણે કે લેવી પોતે અને તેના વંશમાં બનેલા યાજકો કે જેઓએ લોકો પાસેથી દસમો ભાગ પ્રાપ્ત કર્યો, તેઓએ મલ્ખીસદેકને દસમો ભાગ આપ્યો, કારણ કે તેમના પૂર્વજ ઇબ્રાહિમે તેને દસમો ભાગ આપ્યો. જ્યારે ઇબ્રાહિમે મલ્ખીસદેકને દસમો ભાગ આપ્યો તે જાણે કે લેવી અને તેના વંશમાં થઇ ગયેલા સર્વ યાજકોએ કબૂલ કર્યું કે મલ્ખીસેદેક ઇબ્રાહિમ કરતાં મહાન છે તેવું હતું.
\v 10 આ સત્ય છે કારણ કે આપણે કહી શકીએ કે જ્યારે મલ્ખીસદેક ઇબ્રાહિમને મળ્યો ત્યારે લેવી અને તેના વંશજો ઈબ્રાહિમના શરીરમાં હતા.
\p
\s5
\v 11 ઈશ્વરે તેમના લોકોને નિયમ આપ્યો, તે જ સમયે તેમણે યાજકોને લગતા નિયમો પણ આપ્યા. તેથી, હારુનના અને લેવીના વંશજો યાજકો જો એ નિયમોના ભંગ બદલ લોકોને ઈશ્વર તરફથી માફી આપવાનો માર્ગ પૂરો પાડી શક્યા હોત તો તે યાજકો તે કામ માટે પૂરતા હોત. અને જો તેમ થાત તો મલ્ખીસદેક જેવા બીજા યાજકની આવશ્યકતા ન હોત.
\v 12 પણ આપણે જાણીએ છીએ કે તે યાજકો તે કાર્ય માટે પર્યાપ્ત ન હતા, કારણ કે મલ્ખીસદેક જેવો નવા પ્રકારનો યાજક ઉપસ્થિત થયો હતો. અને જ્યારે ઈશ્વરે નવા પ્રકારનો યાજક નિયુક્ત કર્યો, ત્યારે તેમણે નિયમ પણ બદલવાની જરૂર હતી.
\s5
\v 13 ઈસુ, કે જેમના વિષે આ બાબતો હું કહું છું, તેઓ લેવીના વંશજ નથી. તેને બદલે, તેઓ તો યહૂદાના કુળમાંથી આવ્યા, જેમાંથી કોઈએ યાજક તરીકે સેવા કરી નથી.
\v 14 શાસ્ત્ર આ સંબંધી સ્પષ્ટ કહે છે. અને વાસ્તવમાં તો મૂસાએ કદી કહ્યું ન હતું કે યહૂદાના વંશજોમાંથી કોઈ યાજકો બનશે.
\s5
\v 15 વધુમાં, આપણે જાણીએ છીએ કે લેવીના વંશજોમાંથી આવેલા યાજકો પૂરતા ન હતા, અને એ વધુ સ્પષ્ટ છે કે મલ્ખીસદેકના જેવો બીજો એક યાજક ઊભો થયો છે.
\v 16 આ યાજક તો ઈસુ છે; તેઓ યાજક બન્યા છે, પણ લેવીના વંશજ હોવાની ઈશ્વરના નિયમની જે માંગણી હતી તેને પૂર્ણ કરી માટે નથી બન્યા. તેને બદલે, તેમની પાસે સામર્થ્ય છે જે અવિનાશી જીવનમાંથી આવે છે.
\v 17 ઈશ્વરે તેમના શાસ્ત્રવચન દ્વારા ભારપૂર્વક તેમના પુત્રને જે કહ્યું તેથી અમે આ જાણીએ છીએ,
\q "તમે મલ્ખીસદેકની જેમ જ સનાતન યાજક છો."
\p
\s5
\v 18 અગાઉ ઈશ્વરે યાજકો સંબંધી જે કહ્યું હતું તે તેમણે રદ્દ કર્યું, કારણ કે તે યાજકો પાપી લોકોને પવિત્ર બનાવવા અસમર્થ છે.
\v 19 મૂસાને ઈશ્વરે આપેલા નિયમોને આધીન થવા દ્વારા કોઈ સારું બની શકે તેમ ન હતું. બીજી તરફ, ઈશ્વરે તેમનામાં ભરોસો રાખવા માટે આપણને એક વધુ સારું કારણ આપ્યું, કારણ કે ઈશ્વર આપણે તેમની પાસે જઈએ તે શક્ય બનાવે છે.
\p
\s5
\v 20 તેથી વિશેષ, જ્યારે ઈશ્વરે ખ્રિસ્તને યાજક તરીકે નિયુક્ત કર્યા, ત્યારે ગંભીરતાપૂર્વક તે જાહેર કર્યું. જ્યારે ઈશ્વરે અગાઉ યાજકોને ઠરાવ્યા ત્યારે તેમણે એમ કર્યું ન હતું.
\v 21 પણ જ્યારે તેમણે ખ્રિસ્તને યાજક તરીકે નિયુક્ત કર્યા ત્યારે ગીતકર્તાએ શાસ્ત્રવચનમાં જે લખ્યું તે દ્વારા જાહેર કર્યું:
\q "પ્રભુએ ગંભીરતાપૂર્વક જાહેર કર્યું છે
\q અને તેઓ પોતાનું મન બદલશે નહીં,
\q 'તમે સર્વકાળ યાજક રહેશો!'"
\p
\s5
\v 22 આ જ કારણે ઈસુ પોતે ખાતરી આપે છે કે નવો કરાર જૂના કરાર કરતાં વધુ સારો હશે.
\p
\v 23 અને અગાઉ, યાજકો તેમની યાજક તરીકેની સેવા હંમેશાં ચાલુ રાખી શકતા ન હતા કેમ કે તેઓ મરણ પામતા હતા. માટે જેઓ મરણ પામતા તેમની જગ્યા લેવા ઘણા યાજકો હતા.
\v 24 પણ, ઈસુ સદાકાળ જીવંત છે, તેથી તેઓ સદાકાળ પ્રમુખ યાજક તરીકે ચાલુ રહેશે.
\s5
\v 25 તેથી, જેઓ ઈશ્વર પાસે આવે છે તેઓનો ઈસુ સંપૂર્ણ રીતે અને સનાતનકાળને માટે ઉદ્ધાર કરી શકે છે, કેમ કે ઈસુ તેઓને માફ કરવા અને સલામત રાખવા ઈશ્વરને વિનંતી કરવા સદા જીવતા છે.
\p
\v 26 આપણને ઈસુના જેવા પ્રમુખ યાજકની જરૂર છે. તેઓ પવિત્ર હતા, તેમણે કશું ખોટું કર્યું ન હતું, અને તેઓ નિર્દોષ હતા. ઈશ્વરે હવે ઈસુને પાપીઓ મધ્યે જીવવાથી અલગ કર્યા છે, અને તેમને સ્વર્ગમાં ઉચ્ચસ્થાને લઇ ગયા છે.
\s5
\v 27 યહૂદી પ્રમુખ યાજકોને દરરોજ અને વર્ષોવર્ષ પશુઓનાં બલિદાનો આપવાની જરૂર હતી. પ્રથમ તો તેઓ પોતાનાં પાપોને ઢાંકવા માટે તેમ કરતા અને પછી બીજા લોકોના પાપને ઢાંકવા માટે તેમ કરતા. પણ ઈસુએ કદી પાપ કર્યું નહીં માટે તેમને એ પ્રમાણે કરવાની અગત્ય નથી. લોકોને બચાવવા માટે તેમણે જે એકમાત્ર બાબત કરવાની જરૂર હતી તે તો એક જ વખત પોતાનું બલિદાન આપવાનું હતું, અને તેમણે એ જ પ્રમાણે કર્યું!
\v 28 આપણને ઈસુ જેવા પ્રમુખ યાજકની જરૂર છે, કારણ કે નિયમ પ્રમાણે ઠરાવાયેલા યાજકો બીજા મનુષ્યોની માફક પાપ કરે છે. પણ ઈશ્વરે મૂસાને તેમના નિયમો આપ્યા પછી ગંભીરતાપૂર્વક જાહેર કર્યું હતું કે, તેઓ પોતાના પુત્રને પ્રમુખ યાજક તરીકે નિયુક્ત કરશે. હવે તેમના પુત્ર, કે જેઓ ઈશ્વરપુત્ર છે એટલે કે ઈસુ, તેઓ સદાકાળને માટે પ્રમુખ યાજક છે.
\s5
\c 8
\p
\v 1 હવે જે સર્વ વાતો મેં લખી છે, તેમાં સૌથી મહત્વની વાત એ છે કે આપણને એવા પ્રમુખ યાજક મળ્યા છે, કે જે સ્વર્ગમાં સૌથી માનયોગ્ય જગ્યામાં ઈશ્વરની પોતાની બાજુમાં બિરાજમાન છે.
\v 2 તેઓ સ્વર્ગમાં જે ખરી આરાધનાની જગ્યા છે તે પવિત્રસ્થાનમાં સેવા કરે છે. એ તો ખરો પવિત્ર મંડપ છે, કેમ કે તેને પ્રભુએ સ્થાપ્યો છે, મૂસાએ નહીં.
\p
\s5
\v 3 ઈશ્વર દરેક પ્રમુખ યાજકને લોકોના પાપોને સારુ બલિદાનો અને અર્પણો ચઢાવવા માટે ઠરાવે છે. તેથી જ્યારે હવે ખ્રિસ્ત પ્રમુખ યાજક બન્યા, તેથી તેઓએ પણ કંઈક ચઢાવવાની આવશ્યકતા હતી.
\v 4 ઈશ્વરના નિયમની જે માગણી છે તે પ્રમાણે અર્પણો ચઢાવનારા યાજકો તો છે તે કારણે જો ખ્રિસ્ત પૃથ્વી પર હાલ જીવતા હોત તો તેઓ પ્રમુખ યાજક હોત જ નહીં.
\v 5 યરુશાલેમમાં જે યાજકો વિધિઓ કરાવે છે તેઓ સ્વર્ગમાં ઈસુ જે કરે છે તેની કેવળ પ્રતિછાયા છે. આ એટલા માટે છે કે, જ્યારે મૂસા પવિત્ર મંડપની વ્યવસ્થા ઊભી કરવાનો હતો ત્યારે ઈશ્વરે તેને કહ્યું, "સિનાઈ પહાડ પર મેં તને જે બતાવ્યું તે પ્રમાણે સઘળું કરવા માટે તું કાળજી રાખ!"
\s5
\v 6 પણ હવે ખ્રિસ્ત, યહૂદી યાજકો કરતાં વધુ સારી સેવા બજાવે છે. એ જ પ્રમાણે, જે નવો કરાર ઈશ્વર અને માણસની વચ્ચે તેમણે સ્થાપ્યો તે જૂના કરાર કરતાં વધારે સારો છે. જ્યારે તેમણે નવા કરારની સ્થાપના કરી, ત્યારે તેમણે ઈશ્વરે મૂસાને આપેલ નિયમો કરતાં આપણને વધુ સારી બાબતોનું વચન આપ્યું.
\p
\v 7 ઈશ્વરને આ નવો કરાર કરવાની જરૂર હતી, કારણ કે પ્રથમ કરારે બધું સારું કર્યું ન હતું.
\s5
\v 8 કારણ કે, ઈશ્વરે ઇઝરાયલીઓને પ્રથમ કરારને આધીન નહીં થવાને માટે દોષિત ઠરાવ્યા, માટે તેમને એક નવા કરારની જરૂર હતી. પ્રબોધકે આ જ બાબત વિષે લખ્યું:
\q "પ્રભુ કહે છે, 'સાંભળો! એવો સમય આવશે
\q જ્યારે હું ઇઝરાયલી લોકો અને યહૂદાના લોકોની સાથે નવો કરાર કરીશ.
\q
\v 9 મેં તેઓના પૂર્વજોને ઇજિપ્તમાંથી એક પિતા પોતાના બાળકને દોરે તેમ બહાર કાઢ્યા ત્યારે તેમની સાથે કર્યો હતો તેવો તે કરાર નહિ હોય.
\q તેઓએ મારો કરાર પાળ્યો નહીં, તેથી મેં તેઓને ત્યાગી દીધા એમ પ્રભુ કહે છે.
\q
\s5
\v 10 પ્રભુ કહે છે, 'પ્રથમ કરારનો અંત આવ્યા પછી ઇઝરાયલીઓની સાથે હું જે કરાર કરીશ તે આ છે:
\q 'હું મારા નિયમો તેઓને સમજાવીશ,
\q અને તેને હૃદયપૂર્વક અને પ્રામાણિકતાથી પાળવા તેઓને સમર્થ કરીશ. હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોકો થશે.
\q
\s5
\v 11 'તમે સ્વીકારો કે પ્રભુ ઈશ્વર છે' એમ કોઈએ પોતાના પાડોશીઓને કે સગાંઓને શીખવવાની જરૂર પડશે નહીં,
\q કારણ કે મારા સર્વ લોકો મને ઓળખશે.
\q મારા લોકોમાં નાનાથી તે મોટા સુધી બધા મને ઓળખશે.
\q
\v 12 તેઓએ જે દુષ્ટતા કરી છે તે હું દયા કરીને તેમને માફ કરીશ.
\q તેઓના પાપનું ફરી સ્મરણ કરીશ નહીં."
\p
\s5
\v 13 જ્યારે પ્રભુએ કહ્યું કે હું નવો કરાર કરું છું, ત્યારે આપણે સમજીએ છીએ કે તેઓએ જાહેર કર્યું કે જૂનો કરાર હવે ઉપયોગમાં નથી, અને તે જલદી અદ્ર્શ્ય થશે.
\s5
\c 9
\p
\v 1 પહેલા કરારમાં ઇઝરાયલી લોકોએ કેવી રીતે ભજન કરવું જોઈએ તે ઈશ્વરે જણાવ્યું હતું, અને તેમણે તેઓને તેમનું ભજન કરવા માટેની જગ્યા બનાવવાનું પણ જણાવ્યું.
\v 2 જે પવિત્રસ્થાન ઇઝરાયલી લોકોએ તૈયાર કર્યું તે પવિત્ર તંબુ હતો. તેના બહારના ઓરડામાં દીવી હતી અને મેજ હતી જેના પર તેઓ ઈશ્વરની આગળ અર્પિત રોટલી મૂકતા હતા. તે જગાને પવિત્ર સ્થાન કહેવામાં આવતી હતી.
\s5
\v 3 પડદાની પાછળ પવિત્ર સ્થાનની બીજી તરફ એક બીજો ઓરડો હતો. તેને પરમ પવિત્ર સ્થાન કહેવામાં આવતું હતું.
\v 4 તેમાં એક ધૂપ બાળવાની વેદી હતી જે સોનાથી મઢેલી હતી. તેમાં સોનાની એક પેટી પણ હતી. તેની દરેક બાજુઓ સોનાથી મઢેલી હતી. તેમાં સોનાનું પાત્ર હતું જેમાં તેઓ માન્ના તરીકે ઓળખતા હતા તે ખોરાકના ટુકડા હતા. પેટીમાં હારુનની લાકડી હતી જેને, તે ઈશ્વરનો ખરો યાજક હતો તે સાબિત કરતી કળીઓ ફૂટેલી હતી. પેટીમાં શિલા પાટીઓ પણ હતી જેના પર ઈશ્વરે દસ આજ્ઞાઓ લખેલી હતી.
\v 5 પેટીના ઉપરના ભાગમાં ઈશ્વરનો મહિમા દર્શાવતા પાંખોવાળા કરુબોની આકૃતિ હતી. તેઓની પાંખો પવિત્ર પેટીના ઢાંકણાને આચ્છાદિત કરતી હતી જ્યાં પ્રમુખ યાજક લોકોના પાપની માફીને માટેનું રક્ત છાંટતો હતો. આ બાબતો વિષે હું અત્યારે વધારે લખી શકતો નથી.
\p
\s5
\v 6 આ પ્રમાણે તેઓએ બધી બાબતોની ગોઠવણ કર્યા પછી, યહૂદી યાજકો તંબુના બહારના ઓરડામાં જઈને તેમનાં કાર્યો પૂરાં કરવા માટે ટેવાએલા હતા.
\v 7 પરંતુ અંદરના ઓરડામાં માત્ર પ્રમુખ યાજક જ વર્ષમાં એક વાર જતો હતો. તે હંમેશા જે પશુઓને તેઓએ વધ કર્યાં હતાં તેઓનું રક્ત લઈને જતો હતો. તેના પોતાના અને ઇઝરાયલીઓએ જે પાપ કર્યા હતા તેને માટે તે રક્ત ઈશ્વરને અર્પણ કરતો હતો. તેમાં તેઓએ અજાણતાથી કરેલાં પાપોનો પણ સમાવેશ થતો હતો.
\s5
\v 8 તે બાબતો દ્વારા પવિત્ર આત્મા એ દર્શાવતા હતા કે જ્યારે હજુ બહારનો ઓરડો અસ્તિત્વમાં હતો ત્યારે ઈશ્વરે સામાન્ય લોકોને માટે અંદરના ઓરડામાં પ્રવેશવા માટે માર્ગ પ્રગટ કર્યો ન હતો. તેવી જ રીતે, જ્યારે યહૂદીઓ આ જૂની રીત પ્રમાણે બલિદાનો અર્પણ કરતા હતા ત્યારે તેમણે સામાન્ય લોકોને માટે ઈશ્વરની હજૂરમાં પ્રવેશવા માટેનો માર્ગ પ્રગટ કર્યો ન હતો.
\v 9 જે સમયમાં આપણે જીવી રહ્યા છીએ તેને માટે તે રૂપક હતું. જે અર્પણો અને બલિદાનો પવિત્ર તંબુમાં ચઢાવવામાં આવતાં હતાં તે વ્યક્તિને હંમેશા સાચા કે ખોટાનું ભાન કરાવી શકતા ન હતા કે હંમેશાં તેમનું હૃદય ઈશ્વરને પ્રસન્ન કરે તેવું સારું કરાવી શકતાં ન હતા.
\v 10 શું ખાવું અને પીવું તેમજ શું સાફ કરવું તે વિષેના નિયમો હવે યોગ્ય નથી કારણ કે ઈશ્વરે આપણી સાથે નવો કરાર કર્યો છે. આ નવો કરાર તે વધુ સારી પધ્ધતિ છે.
\p
\s5
\v 11 પરંતુ જ્યારે ખ્રિસ્ત આપણા પ્રમુખ યાજક તરીકે આવ્યા ત્યારે, આપણી પાસે જે સારી બાબતો હમણાં છે તેને લાવ્યા. પછી તેઓ સ્વર્ગમાં ઈશ્વરની હજૂરમાં ગયા કે જે પવિત્ર તંબુના જેવું છે, પણ તે દુનિયાનો કોઈ ભાગ નથી કે જેને ઈશ્વરે ઉત્પન્ન કર્યો હોય. મૂસાએ પૃથ્વી પર જે તંબુ ઊભો કર્યો તેના કરતાં તે સારો છે કારણ કે તે સંપૂર્ણ છે.
\v 12 જ્યારે મુખ્ય યાજક દર વર્ષે તંબુના અંદરના ઓરડામાં જાય છે ત્યારે, તે બકરા અને વાછરડાનું રક્ત લઈને અર્પણ તરીકે ચઢાવે છે. પરંતુ ખ્રિસ્ત એમ કરતા નથી. તે એના જેવું છે કે તેઓ માત્ર એક જ વાર તે પરમ પવિત્ર સ્થાનમાં ગયા કારણ કે તેમણે પોતાનું રક્ત વધસ્તંભ પર એક જ વાર વહેવડાવ્યું. તેમ કરવા દ્વારા, તેમણે આપણને સદાકાળને માટે છોડાવ્યા છે, કારણ કે તેમનું રક્ત તેમના પોતાનામાંથી વહ્યું છે.
\s5
\v 13 યાજક બકરા અને બળદોનું રક્ત તેમજ લાલ વાછરડાને બાળીને બનાવવામાં આવેલી રાખનું ગાળેલું પાણી લોકોની ઉપર છાંટે છે. તે વિધિ કરવા દ્વારા, તેઓ કહે છે કે ઈશ્વર હવે લોકોને તેમનું ભજન કરવા સ્વીકારશે.
\v 14 જો તે બધું સાચું હોય તો, ખ્રિસ્ત કે જેમણે કદી પાપ કર્યું ન હતું, તેમણે પોતાને ઈશ્વરને અર્પણ કર્યા ત્યારે તે વધારે સાચું બને છે, તેમણે તો ઈશ્વરના અનંત આત્માના સામર્થ્યથી તે કર્યું. તેમણે પોતાનું બલિદાન આપ્યું તેને લીધે, ઈશ્વર આપણા પાપને એટલે કે એવી બાબતો કે જે આપણને સદાકાળના મરણ તરફ દોરી જાત તેને હવે માફ કરે છે. હવે તે એ પ્રમાણે છે કે જાણે આપણે પાપ કર્યું જ ન હોય; હવે આપણે ખરા ઈશ્વરનું ભજન કરી શકીએ છીએ.
\p
\v 15 આપણા માટે મરણ પામવા દ્વારા, ખ્રિસ્તે ઈશ્વર માટે આપણી સાથે નવો કરાર કર્યો. આપણે પ્રથમ કરાર દ્વારા ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હતા, પણ આપણે પાપ કર્યું હોવાને લીધે હજુ દોષી હતા. જ્યારે તેઓ મરણ પામ્યા ત્યારે, આપણા પાપોને માટે મરણ પામવાથી તેમણે આપણને મુક્ત કર્યા. તેના પરિણામે, આપણે બધા જેઓને ઈશ્વરે પોતાની સાથેના સંબંધમાં બોલાવ્યા છે તેઓ ઈશ્વરે જે સદાકાળને માટે આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરીશું.
\s5
\v 16 કરાર તો વસિયત જેવો છે. વસિયતમાં જે લખેલું હોય છે તે પૂરું કરવા માટે, કોઈકે તે સાબિત કરવું પડે કે જેણે તે વસિયત બનાવી છે તે મૃત્યુ પામ્યો છે.
\v 17 જેણે વસિયત બનાવી છે તેનું મૃત્યુ થાય ત્યારે જ તેનો અમલ થાય છે. જેણે તે બનાવી છે તે હજુ જીવતો હોય તો તેનો અમલ થતો નથી.
\s5
\v 18 અને તેથી યાજક જ્યારે પશુઓનું બલિદાન આપે ત્યારે તેમનું જે રક્ત વહે તેના દ્વારા ઈશ્વરે પ્રથમ કરારને અમલમાં મૂક્યો.
\v 19 ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા અને ફરમાવ્યા તે બધા તેણે ઇઝરાયલીઓને કહી સંભળાવ્યા તે પછી, તેણે વાછરડા અને બકરાઓના રક્તને પાણી સાથે મિશ્રિત કર્યું. તેણે ઝૂફાની ડાળી પર જે બાંધેલું હતું તે કિરમજી ઊન લઈને રક્તમાં બોળ્યું. પછી તેણે થોડા રક્તને ઓળિયા પર છાંટ્યું જેમાં ઈશ્વરના નિયમો લખેલા હતા. પછી તેણે મોટાભાગનું રક્ત સઘળા લોકો પર છાંટ્યું.
\v 20 તેણે તેઓને કહ્યું, "જે કરાર ઈશ્વરે તમને પાળવા માટે આપ્યો છે તેને અમલમાં લાવવા માટેનું આ રક્ત છે."
\s5
\v 21 તેવી જ રીતે, તેણે તે રક્તને પવિત્ર તંબુ પર અને તેમાં ઉપયોગમાં આવતી બધી જ વસ્તુ પર છાંટ્યું.
\v 22 રક્ત છાંટવા દ્વારા તેણે લગભગ સઘળું શુદ્ધ કર્યું. ઈશ્વરના નિયમમાં તે લખવામાં આવેલું છે. જ્યારે તેઓ પશુનું બલિદાન આપે ત્યારે જો રક્ત ન વહે તો, ઈશ્વર તે લોકોને તેમના પાપ માફ કરે નહીં.
\p
\s5
\v 23 તેથી પશુના બલિદાન દ્વારા યાજકને માટે તે જરૂરી હતું કે તે વસ્તુઓને શુધ્ધ કરે કે જે ખ્રિસ્ત સ્વર્ગમાં કરે છે તેનું પ્રતીક હતું. પરંતુ તે બલિદાનો કરતાં વધારે સારા બલિદાન દ્વારા ઈશ્વરે સ્વર્ગમાંની બાબતોને શુધ્ધ કરવી પડે છે.
\v 24 ખ્રિસ્ત માણસોએ જે પવિત્ર સ્થાન બનાવ્યું હતું તેમાં પ્રવેશ્યા નહીં કે જે સાચા અને વધારે પવિત્ર સ્થાનનું પ્રતીક માત્ર હતું. તેને બદલે, તેમણે સ્વર્ગમાં પ્રવેશ કર્યો, જેથી હવે તેઓ ઈશ્વરની હજૂરમાં આપણા માટે ઈશ્વરને વિનંતી કરે છે.
\s5
\v 25 પ્રમુખ યાજક એ રક્ત કે જે તેનું નથી તેને બલિદાન તરીકે અર્પણ કરવા માટે, પરમ પવિત્ર સ્થાનમાં દર વર્ષે એક જ વાર પ્રવેશે છે. પરંતુ જ્યારે ખ્રિસ્ત સ્વર્ગમાં પ્રવેશ્યા ત્યારે તેઓ પોતે આ રીતે વારંવારના અર્પણ તરીકે તેમાં પ્રવેશ્યા નહીં.
\v 26 જો તેમ હોત તો, જ્યારથી ઈશ્વરે દુનિયાનું સર્જન કર્યું છે ત્યારથી ખ્રિસ્તને વારંવાર સહન કરવું પડત અને પોતાનું રક્ત વહેવડાવવું પડત. પણ તેને બદલે, આ અંતિમ યુગમાં ખ્રિસ્ત એક જ વાર પ્રગટ થયા કે જેથી પોતાને બલિદાન કરવા દ્વારા ઈશ્વર આપણા બધાં પાપ માફ કરે અને આપણે પાપ કર્યું છે તેને લીધે આપણને હવેથી દોષિત ઠરાવશે નહીં.
\s5
\v 27 બધા લોકોએ એકવાર મરણ પામવાનું છે, અને તે પછી ઈશ્વર તેઓનાં પાપોને માટે તેઓનો ન્યાય કરશે.
\v 28 તેવી જ રીતે, જ્યારે ખ્રિસ્ત મરણ પામ્યા ત્યારે, ઈશ્વરે તેમને એક જ વાર બલિદાન તરીકે અર્પણ કર્યા, જેથી ઘણા લોકોના પાપને માટે તેમને શિક્ષા કરે. તેઓ પૃથ્વી પર બીજીવાર આવશે, પરંતુ જેઓએ પાપ કર્યું તેઓને માટે પોતાને ફરીથી બલિદાન તરીકે અર્પણ કરવા માટે નહીં, પરંતુ આપણે જેઓ તેમની રાહ જોઈએ છીએ અને તેમના આવવાની આશા રાખીએ છીએ તેઓને બચાવવાને માટે પાછા આવશે.
\s5
\c 10
\p
\v 1 ઈશ્વર આપણને જે સારી બાબતો આપવાના છે તે સંબંધી નિયમશાસ્ત્ર બહુ સારી રીતે જણાવતું નથી. નિયમ તો કંઈક બીજી બાબતોની પ્રતિછાયા છે. જો લોકો દરેક વર્ષે એક જ પ્રકારનાં બલિદાનો લઈને ઈશ્વરનું ભજન કરવા આવે તો તેઓ ક્યારેય સંપૂર્ણ થઇ શકે નહીં.
\v 2 જેઓ તે બલિદાનો લાવ્યા તેઓના દોષને જો ઈશ્વરે દૂર કરી દીધો હોત તો, તેઓ હજી દોષિત છે એમ તેમને લાગ્યું ન હોત. અને તેઓએ જરૂર એ બલિદાનો ચઢાવવાનું બંધ કર્યું હોત!
\v 3 પણ તેને બદલે, જ્યારે તેઓ દર વર્ષે એ બલિદાનો અર્પણ કરે છે ત્યારે તે તેમને યાદ અપાવે છે કે તેઓ હજી તેમનાં પાપોને માટે દોષિત છે.
\v 4 તેથી આપણે જાણીએ છીએ કે જો કે આપણે બળદો અને બકરાઓનું બલિદાન ઈશ્વરને ચઢાવીએ, અને તેઓ તે રક્તને વહેતું જુએ, તોપણ તે આપણને દોષિત હોવાની લાગણીમાંથી રોકી શકે નહીં.
\p
\s5
\v 5 તેથી જ, જ્યારે ખ્રિસ્ત આ જગતમાં આવી રહ્યા હતા ત્યારે તેમણે તેમના પિતાને કહ્યું,
\q "તમે બલિદાન તથા અર્પણની ઇચ્છા રાખી નહીં,
\q પણ તમે મારે માટે એક શરીર અર્પણને માટે તૈયાર કર્યું છે.
\q
\v 6 લોકો જે પ્રાણીઓ તમને અર્પણ કરતા હતા, તેમનું સંપૂર્ણ દહન કરવામાં આવતું હતું, એ પ્રાણીઓથી પણ તમે પ્રસન્ન થયા નહીં,
\q કે બીજાં બલિદાનોથી પણ તમે પ્રસન્ન થયા નહીં.
\q
\v 7 તેથી, મેં કહ્યું, "મારા ઈશ્વર, સાંભળો!
\q જેમ તેઓએ મારા વિષે શાસ્ત્રમાં લખ્યું છે તેમ,
\q1 તમે મારી પાસે જે કરાવવા ઇચ્છો છો તે પ્રમાણે કરવા હું અહીં આવ્યો છું.'"
\p
\s5
\v 8 ખ્રિસ્તે પ્રથમ કહ્યું, "જેઓએ પાપ કર્યું તેઓના પ્રાયશ્ચિત માટે યાજકોએ જે બલિદાનો, અર્પણો, પ્રાણીઓનું સંપૂર્ણ દહનીયાર્પણ તથા બીજા અર્પણો ચડાવ્યાં તેની ઈશ્વર તમારે ખરેખર જરૂર ન હતી. તેઓએ તમને પ્રસન્નતા આપી નથી." જો કે એ વસ્તુઓ ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા તે અનુસાર ચઢાવવામાં આવી હતી તો પણ ઈસુએ એવું કહ્યું!
\v 9 પછી, લોકોનાં પાપનું પ્રાયશ્ચિત કરવા, પોતાની જાતને બલિદાન તરીકે આપવા સંબંધી તેમણે કહ્યું, "સાંભળો! તમે મારી પાસે જે કરાવવા ઇચ્છો છો તે કરવા હું આવ્યો છું!" આમ, પાપના પ્રાયશ્ચિત માટેના પ્રથમ માર્ગને ખ્રિસ્તે દૂર કર્યો કે જેથી પાપના પ્રાયશ્ચિત માટેના બીજા માર્ગને તેઓ સ્થાપિત કરે.
\v 10 ઈશ્વર જે કરાવવા ઈચ્છતા હતા તે ઈસુ ખ્રિસ્તે કર્યું તેથી, ઈશ્વરે આપણને તેમના પોતાના માટે અલગ કર્યા. જ્યારે ઈસુ ખ્રિસ્તે તેમનું પોતાનું શરીર બલિદાન તરીકે, એવું બલિદાન કે જેનું તેઓ કદાપિ પુનરાવર્તન કરશે નહીં, તે એક જ વાર અર્પણ કર્યું ત્યારે આ બન્યું.
\s5
\v 11 જ્યારે દરેક યાજક દરરોજ વેદીની સમક્ષ ઊભો રહે છે ત્યારે તે એક જ પ્રકારની વિધિઓ કરે છે અને બલિદાનો કે જેઓ કોઈનાં પણ પાપોને દૂર કરી શકતાં ન હતા તે અર્પણ કરે છે.
\v 12 પરંતુ ખ્રિસ્તે તો એક જ બલિદાન સર્વકાળને માટે આપ્યું! ત્યાર પછી તેઓ સર્વોચ્ચ માનયોગ્ય જગ્યામાં ઈશ્વરની બાજુમાં રાજ કરવા માટે બિરાજ્યા છે.
\v 13 હવે પછી, ઈશ્વર તેમના શત્રુઓને સંપૂર્ણ રીતે હરાવે નહીં ત્યાં સુધી તેઓ રાહ જુએ છે.
\v 14 એક જ વખત પાપોને માટે તેમનું પોતાનું બલિદાન આપ્યાથી, જેઓનામાં ઈશ્વરે તેમનું શુધ્ધીકરણ અને પવિત્રતાનું કાર્ય કર્યું છે તેઓને સદાકાળને માટે સંપૂર્ણ કર્યા છે.
\s5
\v 15 પવિત્ર આત્મા પણ સાક્ષી આપે છે કે આ સત્ય છે. પ્રથમ તે કહે છે:
\v 16 "જ્યારે મારા લોકો સાથેના પ્રથમ કરારનો સમય પૂરો થશે, ત્યારે હું તેઓની સાથે નવો કરાર કરીશ. હું તેઓને માટે આ કરીશ: હું તેઓને મારા નિયમો સમજાવીશ અને તે પાળવાનું તેઓને શીખવીશ."
\s5
\v 17 પછી તે કહે છે: "હું તેઓનાં પાપોની માફી આપીશ, અને પાપ કરવાને લીધે હવે તેઓ દોષિત નથી તેવા ગણીશ."
\v 18 જ્યારે ઈશ્વરે કોઈનાં પાપ માફ કર્યાં છે ત્યારે હવે તે વ્યક્તિએ તેનાં પાપોને માટે બીજું અર્પણ કરવાની જરૂર નથી!
\s5
\v 19 તેથી, મારા સાથી વિશ્વાસીઓ, જ્યારે તેમણે પોતાનું રક્ત આપણે માટે વહેવડાવ્યું ત્યારે ઈસુએ જે કાર્ય સંપૂર્ણ કર્યું તેમાં આપણે વિશ્વાસ કરીએ છીએ તે કારણે આપણે હિંમતપૂર્વક પરમ પવિત્ર સ્થાન જે ઈશ્વરની હાજરીનું પ્રતીક છે તેમાં જઈ શકીએ છીએ.
\v 20 તેમણે આપણને ઈશ્વરની હાજરીમાં જવા નવા અને સર્વકાળ જીવંત માર્ગની વ્યવસ્થા કરી છે. આ નવો માર્ગ તો ઈસુ કે જેઓ આપણા માટે મરણ પામ્યા તેઓ છે.
\v 21 ખ્રિસ્ત તો મહાન યાજક છે કે જેઓ આપણી પર, ઈશ્વરના લોકો પર રાજ કરે છે.
\v 22 તેથી, આપણે ઈસુ પર દ્રઢ વિશ્વાસ રાખતાં પ્રામાણિકતાથી ઈશ્વરની પાસે આવવું જોઈએ. તેમણે જ આપણા હૃદયોને પાપથી શુદ્ધ કર્યાં છે. જાણે કે તેમણે પોતાનું રક્ત આપણા હૃદયો પર છાંટ્યું છે અને શુદ્ધ પાણીથી આપણા શરીરોને ધોયાં છે.
\s5
\v 23 આપણે જે માનીએ છીએ તે દ્રઢપણે જણાવવાનું ચાલુ રાખવું જોઈએ. ઈશ્વરે જેનું વચન આપ્યું છે તે બધું જ તેઓ વિશ્વાસુપણે પાળે છે, તેથી આ સર્વ બાબતો તેઓ કરે તેની ખાતરીપૂર્વક આશા રાખીએ.
\v 24 અને એકબીજા પર પ્રેમ રાખવા અને સારાં કાર્યો કરવા આપણે કેવી રીતે એકબીજાને ઉત્તેજન આપી શકીએ તે વિષે વિચાર કરીએ.
\v 25 જેમ કેટલાક લોકોએ કર્યું છે તેમ ઈશ્વરના ભજન માટે આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ. તેને બદલે આપણે દરેકે બીજાઓને ઉત્તેજન આપવું જોઈએ. આપણે એ પ્રમાણે વધુ પ્રમાણમાં કરીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે પ્રભુનો પાછા આવવાનો સમય પાસે છે.
\s5
\v 26 ખ્રિસ્ત સંબંધીના સત્ય સંદેશને આપણે જાણ્યો હોય પછી જો આપણે જાણીજોઈને પાપ કરવાની ટેવ રાખીએ તો, બીજું કોઈ બલિદાન આપણને મદદ કરશે નહીં.
\v 27 તેને બદલે, આપણે ભયસહિત અપેક્ષા રાખીએ કે ઈશ્વર આપણો ન્યાય કરશે, અને પછી ન્યાયીપણાથી તેમના શત્રુઓને કોપના અગ્નિમાં શિક્ષા કરશે.
\s5
\v 28 ઈશ્વરે મૂસાને આપેલા નિયમોનો જે કોઈ નકાર કરતો તેને ઓછામાં ઓછા બે કે ત્રણ જણની સાક્ષીથી દયા રાખ્યા વિના મોતની શિક્ષા થતી.
\v 29 તે ભયંકર શિક્ષા હતી. પણ ખ્રિસ્ત તો ઈશ્વરના પુત્ર છે, અને તેઓ પોતે પણ ઈશ્વર છે. જો કોઈ તેમણે કરેલા કરારનો નકાર કરે અને તેમણે વહેવડાવેલ રક્તને ધિક્કારે, જો તે વ્યક્તિ, જેના બદલામાં ઈશ્વરે તેને માફી આપી તે રક્તનો નકાર કરે, જો તે વ્યક્તિ ઈશ્વરનો આત્મા જે તેના પ્રત્યે ભલાઈથી વર્ત્યો તેનો નકાર કરે, તો ઈશ્વર અતિ ભયંકર શિક્ષા કરશે.
\s5
\v 30 ઈશ્વરે કહ્યું કે, "પાપ કરવાને લીધે લોકોને યોગ્ય બદલો આપવાનો હક અને અધિકાર મારાં છે. હું તેઓને ઉચિત શિક્ષા કરીશ" તે આપણે જાણીએ છીએ તેથી આ બાબત વિષે આપણે ખાતરી રાખી શકીએ છીએ. અને મૂસા કહે છે કે, "પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે."
\v 31 સર્વશક્તિમાન ઈશ્વર જેઓ ખરેખર જીવંત છે તેઓ જો તમને પકડે અને શિક્ષા કરે તો તે અતિ ભયંકર હશે!
\s5
\v 32 તમે પ્રથમ જ્યારે ખ્રિસ્ત વિશેના સત્યને સમજ્યા તે સમયોને યાદ કરો. તમે ઘણાં દુઃખો સહન કર્યાં, અને જ્યારે તમે તે સહન કર્યું ત્યારે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો.
\v 33 કેટલીક વાર લોકોએ જાહેરમાં તમારું અપમાન કર્યું; કેટલીક વાર તેઓએ તમને દુઃખી કર્યા. કેટલીક વાર અન્ય વિશ્વાસીઓનાં દુઃખોમાં તમે ભાગીદાર થયા.
\v 34 ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાને લીધે જેઓ કેદમાં હતા તેઓ પ્રત્યે તમે દયાળુ બન્યા એટલું જ નહિ પણ જ્યારે અવિશ્વાસીઓ તમારી મિલકતો લૂંટી ગયા ત્યારે તમે આનંદથી સ્વીકાર્યું. તમે તે સ્વીકારી લીધું કારણ કે તમે જાણતા હતા કે, તેઓ જે ધન લૂંટી ગયા તેના કરતાં વધારે અને સાર્વકાલિક ધન સ્વર્ગમાં તમારે માટે છે!
\s5
\v 35 તેથી જ્યારે તેઓ તમને સતાવે ત્યારે તમે નિરાશ ન થશો, કેમ કે જો તમે ઈશ્વરમાં વિશ્વાસ કરવાનું ચાલુ રાખશો તો, તેઓ તમને મોટો બદલો આપશે.
\v 36 તમારે ધીરજથી તેમના પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખવું, કારણ કે ઈશ્વર તમારી પાસે જે કરાવવા ચાહે છે તે કરવાનું તમે ચાલુ રાખો છો તેને લીધે, તેમણે જે આપવાનું વચન આપ્યું છે તે તમને આપશે.
\v 37 ઈશ્વરે ખ્રિસ્ત સંબંધી જે કહ્યું તેના વિષે એક પ્રબોધકે શાસ્ત્ર વચનમાં લખ્યું છે: જેના સંબંધી મેં વચન આપ્યું છે તે થોડા જ સમયમાં ચોક્કસ આવશે; તે આવવામાં વિલંબ કરશે નહીં.
\s5
\v 38 પણ જેઓ મારા છે, જેઓ ન્યાયીપણે વર્તે છે, તેઓ મારાં પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખશે. જો તેઓ ડરપોક બને અને મારા પર વિશ્વાસ કરવાનું બંધ કરશે તો હું તેઓનાથી ખુશ થઈશ નહિ.
\v 39 પણ આપણે ડરપોક નથી અને ઈશ્વરથી નાશ પામનાર નથી. પણ તેને બદલે આપણે તેમના પર વિશ્વાસ કરનાર લોકો છીએ કે જેથી તેઓ સર્વકાળને માટે આપણો બચાવ કરે.
\s5
\c 11
\p
\v 1 વિશ્વાસ એ છે કે જ્યારે લોકો ઈશ્વર પર વિશ્વાસ કરે છે અને તેઓને ખાતરી છે કે જે બાબતો તેઓ તેમને આપે તેવી અપેક્ષા રાખે છે તેને તેઓ પ્રાપ્ત કરશે. જ્યારે લોકોને ખાતરી હોય છે કે જો કે જે બાબતો હાલમાં દેખાતી નથી તો પણ તેઓ તેઓને ભવિષ્યમાં બનતા જોશે.
\v 2 આપણા પૂર્વજોએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો તેથી, તેમણે તેઓને માન્ય કર્યા.
\v 3 આપણે ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ તેથી, આપણે જાણીએ છીએ કે ઈશ્વરે જે વિશ્વ અસ્તિત્વમાં છે તેને આજ્ઞા આપવા દ્વારા ઉત્પન્ન કર્યું હતું. તેથી જે બાબતો આપણે જોઈએ છીએ તેઓને જે બાબતો પહેલેથી અસ્તિત્વ ધરાવતી હતી તેઓ વડે નથી બનાવાઇ.
\p
\s5
\v 4 આદમના દીકરા હાબેલે ઈશ્વર પર વિશ્વાસ કર્યો તેથી, તેના મોટા ભાઈ કાઈને ઈશ્વરને જે અર્પણ કર્યું તેના કરતાં વધારે સારું અર્પણ તેણે કર્યું. તેથી હાબેલે જે અર્પણ કર્યું તેના વિષે ઈશ્વરે સારી સાક્ષી આપી, અને ઈશ્વરે જાહેર કર્યું કે હાબેલ ન્યાયી હતો. અને હાબેલ મરણ પામ્યો તેમ છતાં, આપણે તેની પાસેથી ઈશ્વર પર વિશ્વાસ રાખવા સંબંધી શીખીએ છીએ.
\p
\s5
\v 5 હનોખે ઈશ્વર પર વિશ્વાસ કર્યો તેને લીધે, ઈશ્વરે તેને ઉપર સ્વર્ગમાં લઈ લીધો. હનોખ મરણ પામ્યો ન હતો છતાં પણ કોઈ પણ વ્યક્તિ તેને શોધી શકી નહિ. ઈશ્વરે તેને ઉપર ઉઠાવી લીધો તે અગાઉ તેમણે સાક્ષી આપી કે હનોખે તેમને ઘણા પ્રસન્ન કર્યા હતા.
\v 6 જો લોકો ઈશ્વર પર વિશ્વાસ રાખે તો જ તેમને માટે ઈશ્વરને પ્રસન્ન કરવા શક્ય બને છે, કારણ કે જે કોઈ ઈશ્વર પાસે આવવા ચાહે છે તેણે પ્રથમ વિશ્વાસ કરવો જોઈએ કે ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે અને જેઓ તેમને જાણવાનો પ્રયત્ન કરે છે તેઓને ઈશ્વર બદલો આપે છે.
\p
\s5
\v 7 ઈશ્વરે નૂહને ચેતવણી આપી કે તેઓ પૂર મોકલશે, અને નૂહે તેમના પર વિશ્વાસ કર્યો. પોતાના કુટુંબને બચાવવા માટે વહાણ તૈયાર કરવા દ્વારા તેણે ઈશ્વરને માન આપ્યું. આ રીતે તેણે દર્શાવ્યું કે ઈશ્વર બાકીના લોકોને શિક્ષા કરે તેને માટે તેઓ યોગ્ય છે. નૂહે વિશ્વાસ કર્યો તેથી તે એ વ્યક્તિ બન્યો જેને ઈશ્વરે પોતાની સાથે યોગ્ય ઠરાવ્યો.
\p
\s5
\v 8 જે ભૂમિ ઈશ્વર ઇબ્રાહિમના વંશજોને આપવાના હતાં તેમાં જવા માટે તેમણે તેને બોલાવ્યો. ઇબ્રાહિમે તેમના પર વિશ્વાસ કર્યો તેથી, તે ઈશ્વરને આધીન થયો અને તે ક્યાં જઈ રહ્યો છે તે જાણતો ન હોવા છતાં, તેણે પોતાનો દેશ છોડી દીધો.
\v 9 ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો તેથી, ઈશ્વરે જે ભૂમિ તેના વંશજોને આપવાનું વચન આપ્યું હતું તેમાં તે પરદેશી હોય તેવી રીતે રહ્યો. ઇબ્રાહિમ તંબુઓમાં રહ્યો, અને તેના દીકરા ઇસહાક અને તેનો પૌત્ર તેની જેમ જ તંબુઓમાં રહ્યા. ઈશ્વરે ઇબ્રાહિમને જે બાબતો આપવાનું વચન આપ્યું હતું તે જ બાબતો ઇસહાક અને યાકૂબને આપવાનું વચન આપ્યું.
\v 10 ઈશ્વર પોતે જે શહેરને તૈયાર કરવાના હતા અને બાંધવાના હતા તે કાયમી શહેરમાં રહેવાને માટે ઇબ્રાહિમ રાહ જોતો હતો.
\s5
\v 11 અને જો કે સારા પણ તેની વૃદ્ધાવસ્થામાં બાળકોને જન્મ આપવા અસમર્થ હતી, ત્યારે ઇબ્રાહિમ બાળકનો પિતા બનવા સમર્થ બન્યો, કારણ કે તેણે યહોવાને વિશ્વાસપાત્ર ગણ્યા, કારણ કે તેમણે તેને પુત્રનું વચન આપ્યું હતું.
\v 12 તેથી, જેમ ઈશ્વરે વચન આપ્યું હતું તેમ, ઇબ્રાહિમ પણ બાળક પ્રાપ્ત કરવા ઘણો વૃદ્ધ હોવા છતાં, એ એક જ માણસથી આકાશના તારા જેટલાં અને સમુદ્રના કાંઠાની રેતીના કણ જેટલાં લોકો ઉત્પન્ન થયા.
\p
\s5
\v 13 જો કે તેઓ ઈશ્વર પર વિશ્વાસ ધરાવતાં તો પણ એ સર્વ લોકો મરણ પામ્યા. જો કે ઈશ્વરે તેમને જે આપવાનું વચન આપ્યું હતું તે તેઓને પ્રાપ્ત થયું ન હતું, છતાં તેઓએ દૂરથી એ બાબતોને નિહાળીને તેમાં આનંદ પામ્યા. તેઓ જાણે કે એ કબૂલ કરતા હતા કે તેઓ આ પૃથ્વીના ન હતા, પણ તેઓ અહીં થોડાક સમયને માટે હતા.
\v 14 જે લોકો આવી વાતો કરે છે તેઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ પોતાના વતનના દેશની રાહ જુએ છે.
\s5
\v 15 જો તેઓ એવું વિચારતા હોત કે જે દેશમાંથી તેઓ નીકળી આવ્યા તે જ તેમનું મૂળ વતન હતું તો તેઓ ત્યાં પાછા જઈ શક્યા હોત.
\v 16 પરંતુ, તેને બદલે તેઓએ વધુ સારા દેશની ઈચ્છા રાખી. તેથી ઈશ્વરે તેઓને રહેવા માટે એક શહેર તૈયાર કર્યું છે, અને તેઓ તેમના ઈશ્વર કહેવડાવવામાં આનંદ માને છે.
\p
\s5
\v 17 જ્યારે ઈશ્વરે ઇબ્રાહિમની કસોટી કરી ત્યારે તે તેના દીકરા ઇસહાકને બલિદાન તરીકે મારી નાંખવા તૈયાર થયો, કારણ કે ઇબ્રાહિમ ઈશ્વર પર વિશ્વાસ કરતો હતો. ઇબ્રાહિમ કે જેને ઈશ્વરે પુત્ર આપવાનું વચન આપ્યું હતું, તે જે પુત્ર તેને ઈશ્વરે આપ્યો હતો તેને જ એટલે કે જેને તેની પોતાની પત્નીએ જન્મ આપ્યો હતો તેને બલિદાન આપવા જઈ રહ્યો હતો!
\v 18 આ તેના પુત્ર વિષે ઈશ્વરે કહ્યું હતું કે, "ઇસહાકથી તારો વંશ ગણાશે."
\v 19 ઇબ્રાહિમ એવું માનતો હતો કે તે વચનને પરિપૂર્ણ કરવા માટે ઈશ્વર ઇસહાકને જો કે તે ઈબ્રાહિમના બલિદાન થકી મરી ગયો હોત તોપણ તેને સજીવન કરી શકે છે! પરિણામ એ આવ્યું કે, ઈશ્વરે ઇસહાકને નુકસાન ન કરવાનું કહ્યું પછી જ્યારે ઇબ્રાહિમને ઇસહાક પાછો મળ્યો, ત્યારે એવું થયું કે જાણે કે તે મૃત્યુ પામ્યા પછી તેને પાછો મળ્યો.
\s5
\v 20 ઇસહાકે પણ ઈશ્વર પર વિશ્વાસ કરતા પ્રાર્થના કરી કે તેના મરણ પછી ઈશ્વર યાકૂબ અને એસાવને આશીર્વાદ આપશે.
\v 21 યાકૂબ ઈશ્વર પર વિશ્વાસ રાખતો હતો માટે, જ્યારે તે મરણ પામવાનો હતો ત્યારે ઈશ્વર તેના પોતાના પુત્ર યૂસફના બંને દીકરાઓને આશીર્વાદ આપે માટે પ્રાર્થના કરી. તેના મરણ અગાઉ પોતાની લાકડી પર ટેકીને તેણે ઈશ્વરનું ભજન કર્યું.
\v 22 યૂસફ ઈશ્વર પર વિશ્વાસ કરતો હતો માટે, જ્યારે તે ઈજિપ્તમાં મૃત્યુ પામવાનો હતો ત્યારે તેણે પછીના સમય વિષે વિચારીને પોતાના લોકોને સૂચના આપી કે, જ્યારે ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી બહાર આવે ત્યારે તેઓ તેના હાડકાં ત્યાંથી લઇ જાય.
\s5
\v 23 મૂસાનાં માતાપિતા ઈશ્વર પર વિશ્વાસ કરતાં હતાં માટે, તેનો જન્મ થયા પછી ત્રણ માસ સુધી તેમણે તેમના પુત્રને સંતાડી રાખ્યો, કારણ કે તેમણે જોયું કે બાળક સુંદર હતો. ઈજિપ્તના રાજાએ જે આજ્ઞા આપી હતી કે બધા યહૂદી નર બાળકોને મારી નાખવામાં આવે, તેનો અનાદર કરતા તેઓ બીધા નહીં.
\v 24 તેઓ જેને ફારુન તરીકે ઓળખતા હતા તે રાજાની પુત્રીએ મૂસાનો ઉછેર કર્યો, પણ મોટો થયા પછી, તે ઈશ્વર પર વિશ્વાસ કરતો હતો તે કારણે તેણે શાહી અધિકારો સ્વીકારવાનો નકાર કર્યો. જો લોકો તેને "ફારુનની દીકરીનો પુત્ર" ગણે તો તે અધિકારો તેના હતા.
\v 25 તેણે નક્કી કર્યું કે, રાજાના મહેલમાં પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં ઈશ્વરના લોકો સાથે બીજાઓ દ્વારા દુઃખ ભોગવવું વધારે સારું છે.
\v 26 તેણે નિર્ણય કર્યો કે, ફારુનના કુટુંબના એક સભ્ય તરીકે ઇજિપ્તના દ્રવ્ય ભંડારો પ્રાપ્ત કરવા કરતાં ખ્રિસ્તને માટે દુઃખ સહન કરવું તે ઈશ્વરની દ્રષ્ટિમાં વધુ યોગ્ય છે. ઈશ્વર જે અનંત બદલો આપવાના છે તેના તરફ તેણે વધારે ધ્યાન આપ્યું.
\s5
\v 27 ઈશ્વર પરના વિશ્વાસને કારણે મૂસાએ ઇજિપ્તનો ત્યાગ કર્યો. અને રાજાના ક્રોધથી તે બીધો નહીં. ઈશ્વર જેમને કોઈ જોઈ શકતું નથી, તેમને જાણે તે જોતો હોય તેમ તે દ્રઢ રહ્યો.
\v 28 ઈશ્વર લોકોનો બચાવ કરશે એવો વિશ્વાસ કરતાં મૂસાએ ઈશ્વરે આપેલી પાસ્ખાપર્વની ઉજવણીની આજ્ઞાનું પાલન કર્યું કે જે વાર્ષિક પર્વ બન્યું. તેણે લોકોને હલવાનોનો વધ કરીને તેઓનું રક્ત તેઓની બારસાખો પર છાંટવાની આજ્ઞા આપી કે મરણનો દૂત ઇજિપ્તના દરેક કુટુંબમાંના સૌથી મોટા પુત્રો સાથે ઇઝરાયલના સૌથી મોટા પુરુષોને મારી નાખે નહીં.
\p
\s5
\v 29 ઈશ્વર પરના વિશ્વાસને લીધે ઇઝરાયલીઓ જ્યારે બરુઓના લાલ સમુદ્રમાં થઈને ગયા ત્યારે જાણે તેઓ કોરી જમીન પર ચાલતા હોય તેમ પાર ગયા! પણ જ્યારે ઈજિપ્તના સૈન્યએ સમુદ્રની એ જગ્યાએ થઈને પસાર થવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓ ડૂબી ગયા, કારણ કે સમુદ્ર તેમના પર ફરી વળ્યો અને તેમને ડુબાડી દીધા!
\v 30 ઇઝરાયલીઓના ઈશ્વર પરના વિશ્વાસને લીધે યરીખો શહેરના કોટની દીવાલો સાત વખત કોટની પ્રદક્ષિણા કર્યા પછી તૂટી ગઈ.
\p
\v 31 રાહાબ એક ગણિકા હતી, પણ ઈશ્વર પર તેણે વિશ્વાસ કર્યો તેથી યરીખોની અંદર જેઓએ ઈશ્વરનો અનાદર કર્યો તેઓની સાથે તેનો નાશ થયો નહીં. યહોશુઆએ શહેરનો નાશ કરવાનો માર્ગ શોધવા જાસૂસો મોકલ્યા હતા, પણ રાહાબે જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો તે કારણે ઈશ્વરે તેનો બચાવ કર્યો.
\p
\s5
\v 32 અન્ય જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો તેઓના સંબંધી વધારે શું કહેવું તે હું જાણતો નથી. ગિદિઓન, બારાક, સામસૂન, યફ્તા, દાઉદ, શમૂએલ તથા બીજા પ્રબોધકો વિષે કહેવામાં ઘણો સમય લાગશે.
\v 33 કારણ કે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો, તેઓમાંના કેટલાકે તેમને માટે મહાન કાર્યો કર્યાં. કેટલાકે શક્તિશાળી શાસકોના પ્રદેશો કબજે કર્યા. કેટલાકે ઇઝરાયલ પર રાજ કર્યું અને લોકો અને રાજ્યો સાથે ન્યાયીપણે વ્યવહાર કર્યો. કેટલાંકે ઈશ્વર પાસેથી જેનાં વચન આપવામાં આવ્યાં હતાં તે બાબતો પ્રાપ્ત કરી. કેટલાંકે બળપૂર્વક સિંહોનાં મોં બંધ કરાવ્યાં.
\v 34 કેટલાંક બળતા અગ્નિમાંથી બચ્યા. કેટલાંક જેઓ તેમને તરવારથી મારી નાંખવા ચાહતા હતાં તેઓના હાથમાંથી બચ્યા. કેટલાંક બીમારીમાંથી સાજા થયા. કેટલાક યુધ્ધમાં પરાક્રમી થયાં. કેટલાકે વિદેશીઓની ફોજોને નસાડી દીધી.
\p
\s5
\v 35 કેટલીક સ્ત્રીઓને તેમના સ્વજનો જેઓ મૃત્યુ પામ્યા હતા તેઓ જીવતા થઈને પાછા મળ્યા. પણ બીજા કેટલાક જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો તેઓને રિબાવીને મારવામાં આવ્યા. તેઓને સતાવવામાં આવ્યા, કારણ કે તેઓ તેમના શત્રુઓ જેઓ કહેતા હતા કે, "જો તમે તમારા ઈશ્વરનો નકાર કરો તો અમે તમને છોડી દઈશું" તેઓની સાથે સંમત થયા નહીં. તેઓએ એટલા માટે નકાર કર્યો કે તેઓ સદાકાળ ઈશ્વરની સાથે રહેવા માંગતા હતા, જે આ જગતમાં જીવવા કરતાં વધારે સારું છે.
\v 36 બીજા લોકો જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો તેમની મશ્કરી કરવામાં આવી. કેટલાકની પીઠ કોરડાથી ચીરી નાખવામાં આવી. કેટલાકને સાંકળોથી બાંધીને કેદમાં પૂરવામાં આવ્યા.
\v 37 તેઓમાંના કેટલાક વિશ્વાસીઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા. કેટલાકને કરવતથી વહેરીને બે ભાગ કરવામાં આવ્યા. કેટલાકને તરવારથી મારી નાખવામાં આવ્યા. જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરતા હતા તેઓમાંના બીજા કેટલાક ઘેટાંનાં અને બકરાંનાં ચામડાં પહેરીને દેશમાં આમતેમ ફરતા રહ્યા. તેઓની પાસે કંઈ પૈસા ન હતા. લોકો સતત તેમને હેરાન કરતા અને નુકસાન પહોંચાડતા હતા.
\v 38 જગતના લોકો જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કરનારાઓને આ રીતે દુઃખ આપ્યું તેઓ એટલા બધા ખરાબ હતા કે તેઓ ઈશ્વર પર વિશ્વાસ કરનારા સાથે રહેવા યોગ્ય ન હતા. ઈશ્વર પર વિશ્વાસ કરનારા કેટલાંક અરણ્યમાં અને પહાડોમાં ભટકતા હતા. કેટલાંક ગુફાઓમાં અને જમીનમાંના બાકોરાઓમાં રહેતા હતા.
\p
\s5
\v 39 જો કે, આ બધા લોકને ઈશ્વરે તેમના વિશ્વાસને લીધે માન્ય કર્યા તો પણ તેમને આપેલાં વચનો પ્રમાણે તેમણે તેઓને આપ્યું નહીં.
\v 40 ઈશ્વર અગાઉથી જાણતા હતા કે વચન મુજબ તેઓ આપણને અને તેઓને જે પાછળથી આપવાના હતા તે તેઓને તાત્કાલિક મળે તે કરતાં વધારે સારું રહેશે. ઈશ્વરની ઇચ્છા એવી છે કે માત્ર જ્યારે તેઓ અને આપણે સાથે હોઈશું ત્યારે જ ઈશ્વર જે આપવા ઈચ્છે છે તે બધું આપણને મળે.
\s5
\c 12
\p
\v 1 અમે આવા ઘણા લોકોને જાણીએ છીએ કે જેઓએ સાબિત કર્યું કે તેઓ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે. જે સર્વ આપણે માટે બોજારૂપ છે તે આપણે નાખી દઈએ અને એમ આપણને વળગી રહેનાર સર્વ પાપ દૂર કરીએ. પછી આપણી દોડ ધીરજથી દોડીએ અને ઈશ્વર આપણને જે કંઈ કરવા જણાવે તે અંત સુધી કરીએ.
\v 2 અને આપણે ઈસુ વિષે જ વિચારવાનું ચાલુ રાખીએ અને તેમના તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. તેઓ જ આપણા દોરનાર અને આપણા વિશ્વાસને પરિપૂર્ણ કરનાર છે. તેમણે વધસ્તંભ ઉપર ભયંકર દુઃખ સહન કર્યું અને તેમને શરમાવવાનો પ્રયત્ન કરનાર લોકો પર તેમણે ધ્યાન આપ્યું નહીં. તેમણે તે કર્યું કારણ કે તેઓ જાણતા હતા કે ઈશ્વર બાદમાં તેમને કેટલા આનંદિત બનાવશે. તેઓ હાલ સ્વર્ગમાં ઈશ્વર જ્યાં રાજ કરે છે ત્યાં તેમના રાજ્યાસનની બાજુમાં સર્વોચ્ચ માનની જગ્યાએ બિરાજમાન છે.
\p
\v 3 જ્યારે પાપી લોકો તેમની વિરુદ્ધ તિરસ્કારથી વર્ત્યા ત્યારે તેમણે તે ધીરજથી સહન કર્યું. ઈસુના ઉદાહરણ દ્વારા તમારાં હૃદયોને દ્રઢ કરો કે જેથી તમે ઈશ્વર પર વિશ્વાસ કરવાનું બંધ ન કરો કે નિરાશ ન થાઓ.
\s5
\v 4 જો કે તમે પાપ કરવાના પરીક્ષણ વિરુદ્ધ સંઘર્ષ કર્યો છે, પણ દુષ્ટતાનો પ્રતિકાર કરવા તમે હજી સુધી ઈસુની માફક રક્ત નથી વહેવડાવ્યું અને મરણનો અનુભવ કર્યો નથી.
\v 5 સુલેમાને તેના પુત્રને જે શબ્દો કહ્યા તે ભૂલી જશો નહીં, એના દ્વારા જ ઈશ્વર તમને પોતાનાં બાળકો તરીકે ઉત્તેજન આપે છે:
\q "મારા દીકરા, જ્યારે ઈશ્વર તને કેળવી રહ્યા હોય ત્યારે તે પર તું ધ્યાન આપ,
\q અને જ્યારે ઈશ્વર તને શિક્ષા કરે ત્યારે નિરાશ થઈશ નહીં,
\q
\v 6 કારણ કે દરેક જેને ઈશ્વર પ્રેમ કરે છે તેને તેઓ શિસ્તપાલનમાં લાવે છે, અને દરેક જેમને તેઓ પોતાના ગણે છે તેમને કડક રીતે સુધારે છે."
\p
\s5
\v 7 જે મુશ્કેલ બાબતો તમારી સાથે બને છે તેને સહન કરવા દ્વારા ઈશ્વર તમને શિસ્તબદ્ધ બનાવી શકે છે. જ્યારે ઈશ્વર તમને કેળવે છે ત્યારે જેમ એક પિતા તેનાં બાળકોની સાથે વર્તે તેમ તેઓ તમારી સાથે વર્તે છે.
\v 8 જેમ ઈશ્વર પોતાનાં બધાં બાળકોને કેળવે છે તેમ જો તમે ઈશ્વરની શિક્ષાનો અનુભવ કર્યો નથી તો તમે ઈશ્વરના ખરાં બાળકો નથી. તમે અનૈતિક રીતે જન્મેલ બાળકો જેવાં છો જેમની પાસે તેમને સુધારવા માટે પિતા નથી.
\s5
\v 9 વળી, આપણા દૈહિક પિતાઓ જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને કેળવતા હતા, અને આપણે તે વખતે તેઓનું સન્માન જાળવતા હતા. તો આપણા આત્મિક પિતા ઈશ્વર આપણે અનંતજીવન પ્રાપ્ત કરીએ માટે આપણને કેળવે છે તો ચોક્કસ આપણે તેમને વિશેષ માન આપવું જોઈએ!
\v 10 આપણા દૈહિક પિતાઓએ જેમ તેઓને યોગ્ય લાગ્યું તેમ થોડા સમય માટે આપણને શિક્ષા કરી, પણ ઈશ્વર તો હંમેશા આપણે તેમના પવિત્ર સ્વભાવના ભાગીદાર થઈએ માટે શિક્ષા કરે છે.
\v 11 આપણને કેળવવાના સમય દરમ્યાન ઈશ્વર આપણને શિક્ષા કરે છે તે આનંદકારક લાગતી નથી પણ પીડાકારક લાગે છે. પણ પાછળથી આપણે જેઓ તે દ્વારા ન્યાયીપણે જીવવાનું શીખ્યા છીએ, તેઓમાં તે શાંતિ ઉપજાવે છે.
\p
\s5
\v 12 તેથી, જાણે તમે આત્મિક રીતે થાકી ગયા હો તેવી રીતે વર્તવાને બદલે, તમારા નવીનીકરણને માટે ઈશ્વર પર વિશ્વાસ રાખો.
\v 13 ખ્રિસ્તને દ્રઢ રીતે અનુસરતા આગળ વધો કે જેથી ખ્રિસ્ત પર વિશ્વાસ કરવામાં જે વિશ્વાસીઓ નબળા છે તેઓ તમારાથી શક્તિ પ્રાપ્ત કરે અને અશક્ત ન થઇ જાય. તેને બદલે, જેમ ઘાયલ અને નકામું થયેલું અંગ ફરીથી સાજું થાય છે તેમ તેઓ પણ આત્મિક રીતે પુનઃસ્થાપિત થાય.
\s5
\v 14 સર્વ લોકોની સાથે શાંતિપૂર્વક જીવવા પ્રયત્ન કરો. પવિત્ર બનવા તમારાથી બની શકે તેટલું કરો, કેમ કે જે દરેક પવિત્ર નથી તે ઈશ્વરને જોશે નહીં.
\v 15 સાવધ રહો કે, જે ઈશ્વરે આપણે જેને માટે યોગ્ય ન હતા તેવી સારી બાબતો આપણે માટે કરી છે તેમના પર વિશ્વાસ કરવાનું તમારામાંનું કોઈ ત્યજી ન દે. કાળજી રાખો કે તમારામાંના કોઈ બીજાઓ પ્રત્યે દુષ્ટતાથી ન વર્તે, કારણ જેમ એક મૂળ મોટા વૃક્ષમાં પરિણમે છે તેમ તે ઘણાઓને પાપ કરાવનાર બનશે.
\v 16 કોઈ અનૈતિક ન બને અથવા એસાવની જેમ ઈશ્વરનો અનાદર કરનાર ન થાય. તેણે કેવળ એક વખતના ભોજનને માટે પ્રથમજનિત પુત્ર તરીકેના પોતાના અધિકારોની અદલાબદલી કરી.
\v 17 પાછળથી એસાવ તેના જન્મસિદ્ધ અધિકારો અને તેના પિતા ઇસહાક જે સર્વ આશીર્વાદો આપવાના હતા તે પાછા મેળવવા ચાહતો હતો. પણ ઇસહાકે એસાવની વિનંતીનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો. તેથી, જો કે એસાવે આંસુઓ વહેવડાવીને પ્રયત્ન કર્યો છતાં તેના જન્મસિદ્ધ અધિકારો તેને કોઈ રીતે પ્રાપ્ત થયા નહીં.
\p
\s5
\v 18 ઈશ્વરની પાસે આવવામાં, ઇઝરાયલીઓને સિનાઈ પહાડ આગળ જે અનુભવ થયો તેવો અનુભવ તમને થયો નથી. તેઓ એવા પહાડની નજીક આવ્યા જેને સ્પર્શ ન કરવાની આજ્ઞા ઈશ્વરે તેઓને આપી હતી, કારણ કે ઈશ્વર પોતે તે પહાડ પર ઊતરી આવ્યા હતા. તેઓ બળતા અગ્નિની પાસે, ગાઢ અંધકાર અને ભયંકર તોફાનની પાસે આવ્યા હતા.
\v 19 તેઓએ રણશિંગડાનો અવાજ સાંભળ્યો, અને ઈશ્વરને સંદેશ આપતાં સાંભળ્યા. તે એટલો બધો શક્તિશાળી હતો કે તેઓએ વિનંતી કરી કે ફરી તેમની સાથે આ રીતે બોલવામાં ન આવે.
\v 20 કેમ કે ઈશ્વરે આજ્ઞા આપી હતી કે "જો કોઈ વ્યક્તિ કે પ્રાણી પણ પહાડને અડકે તો તમારે તેને મારી નાખવું." લોકો ડરી ગયા હતા.
\v 21 ખરેખર, પહાડ પર જે થયું તે જોયા પછી મૂસા પણ ભયભીત થઇ ગયો હતો, તેથી તેણે કહ્યું, "હું બીકથી ધ્રૂજી ગયો છું!"
\s5
\v 22 પણ તેને બદલે, તમે તો ઈશ્વર જેઓ ખરેખર સ્વર્ગમાં રહે છે તેમની હાજરીમાં, તે "નવા યરુશાલેમની" પાસે આવ્યા છો. તે એના જેવું છે જ્યારે તમારા પૂર્વજો ઈશ્વરનું ભજન કરવા માટે ઇઝરાયલમાં સિયોન પહાડ પર આવ્યા હતા, જેના પર પૃથ્વી પરનું જે યરુશાલેમ છે તે બાંધવામાં આવ્યું હતું. તમે તો જ્યાં અગણિત દૂતો આનંદ કરવા માટે એકઠા થયા છે ત્યાં આવ્યા છો.
\v 23 જેઓને પ્રથમજનિત દીકરાઓ સમાન અધિકારો છે, જેઓનાં નામ ઈશ્વરે સ્વર્ગમાં લખેલા છે, તે બધા જ વિશ્વાસીઓના સમુદાય સાથે તમે જોડાયા છો. જેઓ દરેકનો ન્યાય કરશે તે ઈશ્વરની પાસે તમે આવ્યા છો. જ્યાં ઈશ્વરના લોકો એટલે કે જેઓ મરણ પામ્યા અગાઉ ન્યાયીપણાથી જીવ્યા તેઓના આત્મા છે અને જેઓને હમણાં ઈશ્વરે સ્વર્ગમાં સંપૂર્ણ કર્યા છે, ત્યાં તમે આવ્યા છો.
\v 24 તમે ઈસુની પાસે આવ્યા છો, જેમણે તેઓ વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે જે રક્ત વહેવડાવ્યું તેના દ્વારા આપણી અને ઈશ્વરની વચ્ચે એક નવો કરાર કર્યો છે. ઈસુના રક્તે ઈશ્વરને માટે તે શક્ય બનાવ્યું છે કે તેઓ આપણને માફ કરે, અને આપણા માટે તેમનું રક્ત હાબેલના રક્ત કરતાં વધારે સારું છે.
\p
\s5
\v 25 જે ઈશ્વર તમારી સાથે વાત કરે છે તેમને સાંભળવાનો તમે અનાદર ન કરો માટે સાવધ રહો. જ્યારે મૂસાએ પૃથ્વી પર ઇઝરાયલી લોકોને ચેતવ્યા ત્યારે તેઓ ઈશ્વરની શિક્ષાથી છટકી ન શક્યા. તેથી જ્યારે ઈશ્વર આપણને સ્વર્ગમાંથી ચેતવણી આપે છે ત્યારે આપણે તેનો અનાદર કરીને ઈશ્વરની શિક્ષામાંથી છટકી શકતા નથી!
\v 26 જ્યારે તેમણે સિનાઈ પહાડ પરથી વાત કરી ત્યારે પૃથ્વી હાલી. પરંતુ હવે તેમણે વચન આપ્યું છે, "હું ફરીથી એકવાર પૃથ્વી અને સ્વર્ગને હલાવીશ."
\s5
\v 27 "ફરીથી એક વાર" શબ્દ એ દર્શાવે છે કે ઈશ્વર પૃથ્વી પર જે બાબતો તેમણે બનાવી છે અને જેઓને હલાવવાના છે તેઓને નાબૂદ કરી નાંખશે. તેઓ આ પ્રમાણે કરશે જેથી સ્વર્ગમાંની જે બાબતો હલાવી શકાય નહીં તે હંમેશા ટકી રહે.
\v 28 તેથી આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આપણે એવા રાજ્યના સભ્યો બની રહ્યા છીએ કે જેને હલાવી શકાય નહીં. આપણે આભારી હૃદયે તેમનો આભાર માનતા અને તેમના મહાન સામર્થ્ય અને પ્રેમના સાદર ભયમાં રહીને ઈશ્વરની સ્તુતિ કરીએ.
\v 29 યાદ રાખો કે જે ઈશ્વરની આપણે સ્તુતિ કરીએ છીએ તેઓ અગ્નિ જેવા છે જે દરેક અશુધ્ધ બાબતને બાળી નાંખે છે!
\s5
\c 13
\p
\v 1 તમારા સાથી વિશ્વાસીઓને પ્રેમ કરવાનું ચાલુ રાખો.
\v 2 જરૂરિયાતમંદ મુસાફરોની પરોણાગત કરવાનું ભૂલશો નહીં. અજાણ્યાઓની કાળજી રાખવા દ્વારા, કેટલાક લોકોએ અજાણતાં જ દૂતોને પોતાના ઘરે આવકાર્યા હતા.
\s5
\v 3 જેઓ જેલમાં છે અને સહન કરી રહ્યા છે તેઓ, જાણે કે તમે તેઓની સાથે જેલમાં હો અને તેમની સાથે સહન કરતા હો તેમ તેઓની મદદ કરો, કારણ કે તેઓ વિશ્વાસીઓ છે.
\p
\v 4 જે પુરુષો અને સ્ત્રીઓ પરિણીત છે તેઓએ એકબીજાને માન આપવું જોઈએ, અને તેઓએ એકબીજા પ્રત્યે વિશ્વાસુ રહેવું જોઈએ. જેઓ અનૈતિક રીતે અને વ્યભિચારી રીતે વર્તે છે તેઓને ઈશ્વર ખરેખર દોષિત ઠરાવશે.
\s5
\v 5 પૈસાની સતત ઈચ્છા ન રાખો, અને તમારી પાસે જે થોડું છે તેમાં આનંદ માનો. મૂસાએ જે કહ્યું છે તે યાદ રાખો કે ઈશ્વરે કહ્યું:
\q "હું તમને કદી ત્યજી દઈશ નહીં;
\q હું તમને પૂરું પાડવાનું બંધ કરીશ નહીં."
\p
\v 6 તેથી જેમ ગીતકર્તાએ કહ્યું છે તેમ આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે,
\q "જ્યાં સુધી ઈશ્વર મને સહાય કરે છે ત્યાં સુધી, હું ડરીશ નહીં! ઈશ્વર મને મદદ કરતાં અટકે તેવું કશું જ લોકો મને કરી શકશે નથી."
\p
\s5
\v 7 તમારા આત્મિક આગેવાનોએ તમને ખ્રિસ્ત વિશેનો સંદેશ જણાવ્યો છે. તેઓ તેમના જીવનો કેવી રીતે જીવ્યા અને કેવી રીતે તેઓએ ખ્રિસ્ત પર ભરોસો રાખ્યો તે યાદ રાખો.
\v 8 ઈસુ ખ્રિસ્ત હંમેશા જેવા હતા તેવા જ આજે પણ છે, અને સદાકાળ એવા જ રહેશે.
\s5
\v 9 તેથી બીજા લોકો ઈશ્વર વિષેની અલગ બાબતો, અજાણી બાબતો કે જે તમે અમારી પાસેથી સાંભળી નથી તેના પર તમને વિશ્વાસ કરવા સમજાવે તેવું થવા ન દો. ઉદાહરણ તરીકે, તમારે શું ખાવું અને શું પીવું તે વિશેના કેટલાક નિયમો કોઈ તમને પાળવા દોરે તો તેવું થવા ન દો. તે નિયમો આપણને મદદ કરી શકતા નથી.
\p
\v 10 જેઓ પવિત્ર તંબુમાં સેવા કરે છે તેઓને જ્યાં આપણે ખ્રિસ્તનું ભજન કરીએ છીએ તે પવિત્ર વેદી પરથી ખાવાનો અધિકાર નથી.
\v 11 પાપોના બલિદાનને માટે જે પશુઓનું રક્ત વહેવડાવવામાં આવ્યું છે તેને પ્રમુખ યાજક પવિત્રસ્થાનમાં લાવે છે તે પછી, બીજા લોકો તે પશુઓના શરીરને છાવણીની બહાર બાળે છે.
\s5
\v 12 તેવી જ રીતે, ઈસુએ સહન કર્યું અને યરુશાલેમના દરવાજાની બહાર મરણ પામ્યા જેથી તેઓ આપણને એટલે કે પોતાના લોકને ઈશ્વરને માટે તેમના ખાસ લોકો બનાવે. તેમણે આપણા પાપોના બલિદાનને માટે તેમનું પોતાનું રક્ત વહેવડાવવા દ્વારા આ કર્યું.
\p
\v 13 તેથી આપણે બચવા માટે ઈસુની પાસે જવું જોઈએ; જેવી રીતે લોકોએ તેમનું અપમાન કર્યું તેવી રીતે લોકો આપણું અપમાન કરે તે સહન કરવું જોઈએ.
\v 14 અહીં પૃથ્વી પર, આપણ વિશ્વાસીઓની પાસે યરુશાલેમ જેવું કોઈ શહેર નથી. તેને બદલે, આપણે તે સ્વર્ગીય શહેરની રાહ જોઈ રહ્યા છીએ જે સદાકાળ ટકનાર છે.
\p
\s5
\v 15 ઈસુ આપણા માટે મરણ પામ્યા છે તેને લીધે, ગમે તે થાય તોપણ આપણે સતત ઈશ્વરની સ્તુતિ કરીએ. તેમ કરવું તે આપણે પશુઓનું અર્પણ ચઢાવીએ તેના કરતાં કંઇક વિશેષ હશે. આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ તે જાહેર રીતે બીજાઓને કહેવા માટે આપણે તત્પર હોવું જોઈએ.
\p
\v 16 બીજાઓ પ્રત્યે હંમેશા સારાં કાર્યો કરો અને તમારી પાસે જે છે તેને વહેંચો, કારણ કે તેમ કરવાથી તમે ઈશ્વરને પસંદ પડે તેવું અર્પણ કરો છો.
\p
\v 17 તમારા આગેવાનોને આધીન થાઓ અને તેઓ તમને જે કરવાનું કહે તે કરો, કારણ કે તેઓ તમારું ભલું થાય તેની કાળજી રાખે છે. કોઈક દિવસે તેઓએ ઈશ્વરની આગળ ઊભા રહેવું પડશે જેથી તેઓએ જે કર્યું છે તેને ઈશ્વર માન્ય રાખે છે કે કેમ તે ઈશ્વર જણાવે. તેઓને આધીન થાઓ જેથી તેઓ તમારી કાળજી રાખવાનું કાર્ય આનંદથી કરે અને દુઃખથી નહીં, કારણ કે જો તેઓ તેને દુઃખથી કરે એવું તમે તેમને કારણ આપશો તો, તે તમને કોઈપણ રીતે મદદરૂપ થશે નહીં.
\p
\s5
\v 18 મારા માટે અને જેઓ મારી સાથે છે તેઓને માટે પ્રાર્થના કરો. મને ખાતરી છે કે ઈશ્વરને નાખુશ કરે તેવું મેં કશું કર્યું નથી. મેં તમારી સાથે દરેક પ્રકારે સારી રીતે વર્તવાનો પ્રયત્ન કર્યો છે.
\v 19 હું તમને આગ્રહથી પ્રાર્થના કરવા માટે વિનંતી કરું છું કે મારા તમારી પાસે આવવા સંબંધીની આડખીલીરૂપ બાબતોને ઈશ્વર જલદીથી દૂર કરે.
\p
\s5
\v 20 ઈસુ આપણી જરૂરિયાતો પૂરી પાડે છે, આપણું રક્ષણ કરે છે, અને જેમ મહાન ઘેટાંપાળક તેમના ઘેટાંને દોરે તેમ આપણને દોરે છે. અને ઈશ્વર, જે આપણને આંતરિક શાંતિ આપે છે, તેમણે પ્રભુ ઈસુને મરણમાંથી પાછા ઉઠાડ્યા છે. તેમ કરવા દ્વારા ઈશ્વરે ખ્રિસ્તને વધસ્તંભ પર મારી નાંખવા દ્વારા રક્ત વહેવડાવીને જે કરાર આપણી સાથે કર્યો તેને નિશ્ચિત કર્યો છે.
\v 21 તેથી હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમને દરેક સારી બાબત માટે સજ્જ કરે જેથી તમે તેમની ઇચ્છા પ્રમાણે કરો. ઈશ્વર જ્યારે આપણને ઈસુને કે જેમણે આપણે સારુ પોતાને અર્પી દીધા તેમને અનુસરતા જુએ છે ત્યારે જે તેઓને પ્રસન્ન કરે તે ઈશ્વર આપણામાં સિદ્ધ કરે. સર્વ લોકો ઈસુ ખ્રિસ્તની સર્વકાળ સ્તુતિ કરે. આમેન!
\p
\s5
\v 22 મારા સાથી વિશ્વાસીઓ, આ ટૂંકો પત્ર મેં તમને લખ્યો છે તેથી, હું તમને જણાવું છું કે મેં તમને ઉત્તેજન આપવા માટે જે લખ્યું છે તેને તમે ધીરજથી ધ્યાનમાં લેજો.
\p
\v 23 હું તમને જણાવવા માગું છું કે આપણો સાથી વિશ્વાસી તિમોથી જેલમાંથી છૂટો થયો છે. જો તે અહીં જલદી આવે તો, જ્યારે હું તમને મળવા આવીશ ત્યારે તે મારી સાથે આવશે.
\p
\s5
\v 24 તમારા શહેરમાંના તમારા બધા આત્મિક આગેવાનોને અને તમારા બધા સાથી વિશ્વાસીઓ જેઓ ઈશ્વરના છે તેઓને કહેજો કે હું તેઓને શુભેચ્છા પાઠવું છું. આ વિસ્તારના વિશ્વાસીઓ જેઓ ઇટાલીથી આવ્યા છે તેઓ પણ તમને શુભેચ્છા પાઠવે છે.
\p
\v 25 ઈશ્વર તમને પ્રેમ કરવાનું અને તેમની ભલાઈ વડે તમને સંભાળવાનું જારી રાખે.

198
60-JAS.usfm Normal file
View File

@ -0,0 +1,198 @@
\id JAS - UDB Guj
\ide UTF-8
\h યાકૂબનો પત્ર
\toc1 યાકૂબનો પત્ર
\toc2 યાકૂબનો પત્ર
\toc3 jas
\mt1 યાકૂબનો પત્ર
\s5
\c 1
\p
\v 1 હું યાકૂબ, ઈશ્વરની સેવા કરું છું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સાથે જોડાયેલો છું. હું આ પત્ર આખા જગતમાં વિખેરાઈ ગયેલાં બાર યહૂદી કુળો કે જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે તેઓને લખી રહ્યો છું. હું તમ સર્વને સલામ પાઠવું છું.
\p
\v 2 મારા સાથી વિશ્વાસીઓ, જ્યારે તમને વિવિધ પ્રકારની મુસીબતોનો અનુભવ થાય ત્યારે તે પુષ્કળ આનંદ કરવાની બાબત છે તેવું ગણો.
\v 3 સમજો કે તમે મુશ્કેલીઓમાં ઈશ્વર પર ભરોસો કરતા હોવાથી, તેઓ તમને વધુ મુશ્કેલીઓ સહન કરવા માટે મદદ કરે છે.
\s5
\v 4 મુશ્કેલીઓને અંત સુધી સહન કરો, કે જેથી તમે દરેક રીતે ખ્રિસ્તને અનુસરી શકો. પછી તમે સારું કરવામાં નિષ્ફળ થશો નહિ.
\p
\v 5 તમારામાંના કોઈકને શું કરવું જોઈએ તે જાણવાની ઇચ્છા હોય, તો ઈશ્વર જેઓ ઉદારતાથી આપે છે અને કોઈ માગનાર પ્રત્યે ગુસ્સે થતા નથી તેઓ પાસે તેણે માગવું.
\s5
\v 6 પણ જ્યારે તમે ઈશ્વર પાસે માગો, ત્યારે વિશ્વાસ રાખો કે તેઓ તમને પ્રત્યુત્તર આપશે. તેઓ પ્રત્યુત્તર આપશે અને હરહંમેશ મદદ કરશે તે વિષે શંકા ન કરો, કારણ કે જે લોકો ઈશ્વર પર સતત શંકા કરે છે તેઓ, જેમ સમુદ્રનું મોજું પવનથી ઊંચેનીચે ઊછળે છે અને તેથી એક જ દિશામાં જઈ શકતું નથી તેમ તેઓ ઈશ્વરને અનુસરી શકતા નથી.
\v 7 ખરેખર તો જે લોકો શંકા કરે છે તેઓએ પ્રભુ ઈશ્વર તેમની વિનંતી પ્રમાણે કશું કરશે તેવું વિચારવું પણ ન જોઈએ.
\v 8 કેમ કે તે એવા લોકો છે કે જેઓ નક્કી કરી શકતા નથી કે તેઓ ઈસુને અનુસરશે કે નહિ. આ લોકો કહે છે કે અમે આ પ્રમાણે કરીશું પણ તે પ્રમાણે તેઓ કરતા નથી.
\p
\s5
\v 9 જે વિશ્વાસીઓ ગરીબ છે તેઓએ આનંદ કરવો જોઈએ કારણ કે ઈશ્વરે તેઓને માન આપ્યું છે.
\v 10 અને જે વિશ્વાસીઓ ધનવાન છે તેઓએ આનંદ કરવો જોઈએ કારણ કે ઈશ્વરે તેઓને નમ્ર કર્યા છે, કે જે તેમને ખ્રિસ્ત પર ભરોસો રાખવા સહાય કરે છે, કેમ કે જેમ જંગલી ફૂલ કરમાઈ જાય છે તેમ તેઓ તથા તેઓની મિલકત જતાં રહેશે.
\v 11 જ્યારે સૂર્ય ઊગે છે, ત્યારે ગરમ પવન છોડને સૂકવી દે છે અને ફૂલો ખરી જાય છે અને તેઓની સુંદરતા જતી રહે છે. જેમ ફૂલો કરમાઈ જાય છે, તેમ ધનવાનો પણ ધન કમાઈ રહ્યા હશે ત્યારે જ તેઓ મરણ પામશે.
\p
\s5
\v 12 જેઓ કઠણ કસોટીને સહન કરે છે તેઓને ઈશ્વર માન આપે છે, કારણ કે જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે તે સર્વને તેમણે વચન આપ્યું છે તેમ સદાકાળનું જીવન આપીને તેઓને બદલો આપશે.
\p
\v 13 જ્યારે આપણે પાપ કરવા લલચાઈએ છીએ, ત્યારે આપણે એવું ન વિચારવું જોઈએ કે એ તો ઈશ્વર છે કે જેઓ આપણને લલચાવે છે, કારણ કે ઈશ્વરને દુષ્ટતા કરવા કોઈ મનાવી શકતું નથી, અને તેઓ કોઈને પણ દુષ્ટતા કરવા મનાવતા નથી.
\s5
\v 14 પરંતુ દરેક વ્યક્તિ જેમ કોઈ ફાંદામાં પકડાય તેમ ખરાબ કરવા ઇચ્છે છે અને તે કરે પણ છે.
\v 15 ત્યાર પછી, તેમના ખરાબ વિચારો તેમને પાપ કરવા તરફ દોરી જાય છે, અને આ પાપ તેઓનો નાશ ન કરે ત્યાં સુધી તેમના મનો પર કાબૂ મેળવે છે. પછી દુષ્ટ ઇચ્છાઓ સાથે મળીને પાપને જન્મ આપે છે, જેનો અર્થ થાય છે કે વ્યક્તિ પાપ કરે છે અને માત્ર ઈસુથી જ માફી પામી શકે છે. અને જ્યારે પાપ પોતાનું અંતિમ પરિણામ લાવે છે, ત્યારે બંને મરણ એટલે શરીરનું મરણ અને આત્માનું મરણ પરિણમે છે, જેનો અર્થ થાય છે કે પાપી હંમેશને માટે ઈશ્વરથી અલગ થઈ ગયો છે. માત્ર ઈસુ જ આ અંતિમ મરણમાંથી આપણને છોડાવી શકે છે.
\p
\v 16 જેઓને હું પ્રેમ કરું છું તે મારા સાથી વિશ્વાસીઓ, પોતાને છેતરવાનું બંધ કરો.
\s5
\v 17 દરેક ખરેખર સારી અને સંપૂર્ણ ભેટ ઈશ્વર પિતા તરફથી આવે છે, કે જેઓ સ્વર્ગમાં છે. તેઓ એક સાચા ઈશ્વર છે કે જેઓ પ્રકાશ આપે છે. જેમ છાંયડો આવે અને જાય અને સર્જિત વસ્તુઓ બદલાય છે તેમ ઈશ્વર બદલાતા નથી. ઈશ્વર કદી બદલાતા નથી અને તેઓ હંમેશા સારા જ છે!
\v 18 ઈશ્વરના સાચા સંદેશા પર આપણે જ્યારે વિશ્વાસ કર્યો, ત્યારે તેમણે આપણને આત્મિક જીવન આપવાનું પસંદ કર્યું. માટે હવે વિશ્વાસીઓ ઈસુમાં સાચું આત્મિક જીવન પ્રાપ્ત કરનાર પ્રથમ લોકો બન્યા છે, જે માત્ર ઈસુ જ આપી શકે છે.
\p
\s5
\v 19 મારા સાથી વિશ્વાસીઓ જેઓને હું પ્રેમ કરું છું, તમે જાણો છો કે તમારામાંના દરેકે ઈશ્વરના સાચા સંદેશા પર ધ્યાન આપવા આતુર હોવું જોઈએ. તમારે પોતાના વિચારો તરત જ ન બોલવા જોઈએ, ન તો તરત જ ગુસ્સે થવું જોઈએ,
\v 20 કારણ કે જ્યારે આપણે ગુસ્સો કરીએ છીએ ત્યારે ઈશ્વર ઇચ્છે છે કે આપણે કરીએ તેવી ન્યાયી બાબતો કરી શકતા નથી.
\p
\v 21 માટે દરેક પ્રકારની દુષ્ટતા કરવાનું બંધ કરો, અને ઈશ્વરે તમારાં અંતરોમાં વાવેલા સંદેશાને નમ્રતાથી સ્વીકારો, કારણ કે જો તમે તેમનો સંદેશો સ્વીકારો તો ઈશ્વર તમને બચાવવા શક્તિમાન છે.
\s5
\v 22 ઈશ્વર તેમના સંદેશામાં આજ્ઞા આપે છે તે પ્રમાણે કરો. તેને માત્ર સાંભળો જ નહિ, કારણ કે જે લોકો માત્ર તેને સાંભળે છે અને તેને આધીન થતા નથી તેઓની માન્યતા ખોટી છે કે ઈશ્વર તેમને બચાવશે.
\v 23 કેટલાક લોકો ઈશ્વરનો સંદેશો સાંભળે છે પણ તેઓ જે કહે છે તે કરતા નથી. તેઓ એવી વ્યક્તિ જેવા છે કે જે પોતાનો ચહેરો અરીસામાં જુએ છે.
\v 24 જો કે તે પોતાને જુએ છે, પણ તે અરીસા પાસેથી જાય છે અને તરત પોતે કેવો દેખાતો હતો તે ભૂલી જાય છે.
\v 25 પણ બીજા લોકો ઈશ્વરના સંદેશાને નજીકથી જુએ છે, કે જે સંદેશો સંપૂર્ણ છે અને લોકોની પાસે ઈશ્વર જે કરાવવા ઇચ્છે છે તે સ્વેચ્છાએ કરવા મુક્ત કરે છે. અને જો તેઓ ઈશ્વરના સંદેશાનું સતત નિરીક્ષણ કરતા રહે અને માત્ર સાંભળીને ભૂલી જતા નથી, પણ ઈશ્વર જે તેમને કરવા કહે છે તે કરે છે, તો ઈશ્વર તેઓ જે કરે છે તેમાં તેમને આશીર્વાદ આપશે.
\p
\s5
\v 26 કેટલાક લોકો એવું વિચારે છે કે તેઓ સાચી રીતે ઈશ્વરની આરાધના કરે છે, પણ તેઓ આદતવશ ખરાબ બાબતો બોલે છે. તે લોકો પોતે સાચી રીતે ઈશ્વરની આરાધના કરે છે તેવું વિચારવામાં ખોટા છે. હકીકત એ છે કે તેઓ વ્યર્થતામાં ઈશ્વરની આરાધના કરે છે.
\v 27 ઈશ્વરે આપણને જે બાબતો કરવાની કહી છે તેઓમાંની એક છે અનાથો અને વિધવાઓ, કે જેઓ મુશ્કેલીઓ સહન કરે છે, તેઓની કાળજી લેવી. જેઓ આ કરે છે, તથા જેઓ ઈશ્વરને આધીન ન થનારાઓની જેમ અનૈતિક રીતે વિચારતા કે કરતા નથી, તેઓ જ સાચે ઈશ્વર, આપણા પિતાની આરાધના કરે છે, અને ઈશ્વર તેઓને માન્ય કરે છે.
\s5
\c 2
\p
\v 1 મારા ભાઈઓ તથા બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બીજી કોઈ પણ બાબત કરતાં મહાન છે તેમના પર વિશ્વાસ કરો છો ત્યારે કેટલાક લોકોને બીજાઓ કરતાં વધારે માન આપવાનો વિચાર ન કરો.
\v 2 ઉદાહરણ તરીકે, ધારો કે કોઈ એક માણસ જે સોનાની વીંટી તથા સારાં વસ્ત્રો પહેરીને તમારી સંગતના સ્થળે પ્રવેશ કરે છે. પછી ધારો કે એક ગરીબ માણસ પણ ગંદાં વસ્ત્રો પહેરીને અંદર આવે છે.
\v 3 અને ધારો કે તમે સારા વસ્ત્રો પહેરેલા તરફ ખાસ ધ્યાન આપતા એમ કહો કે, "મહેરબાની કરીને આ સારા આસન પર બેસો!" અને તે ગરીબને તમે કહો કે, "તું ત્યાં ઊભો રહે અથવા નીચે બેસ!"
\v 4 તો પછી તમે ખોટાં કારણો આધારિત એકબીજાનું મૂલ્યાંકન કર્યું છે.
\s5
\v 5 મારા ભાઈઓ તથા બહેનો કે જેઓને હું પ્રેમ કરું છું તેઓ તમે મને સાંભળો, ઈશ્વરે નકામા લાગતા એવા ગરીબ લોકોને, તેમનામાં પુષ્કળ વિશ્વાસ કરવા પસંદ કર્યા છે. તેથી ઈશ્વર જ્યારે બધા ઉપર દરેક જગ્યામાં રાજ કરશે ત્યારે તેઓને મોટી બાબતો આપશે. જેઓ ઈશ્વર પર પ્રેમ કરે છે તે દરેક માટે તેમણે આ પ્રમાણે કરવાનું વચન આપ્યું છે.
\v 6 પણ તમે ગરીબ લોકોનું અપમાન કરો છો. આ વિષે વિચારો! એ તો ધનવાન લોકો છે અને ગરીબ લોકો નહિ, કે જેઓ તમને સતાવે છે! એ તો ધનવાન લોકો છે કે જેઓ તમારા પર આરોપ મૂકવા ન્યાયાધીશોની સામે તમને બળજબરીથી ન્યાયાલયમાં લઈ જાય છે!
\v 7 અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેઓ એકલા જ સ્તુતિને યોગ્ય છે તથા આપણે જેમનાં છીએ તેમની વિરુદ્ધ દુષ્ટ વાતો કરનારા તેઓ જ છે.
\s5
\v 8 જો તમે રાજવી નિયમને, કે જે શાસ્ત્રોમાં લખેલા છે તેને અનુસરો, તો તમને "જેમ તું પોતાને પ્રેમ કરે છે તેમ તારા પડોશીને પ્રેમ કર" તે આજ્ઞા જોવા મળશે. જો તમે બીજાઓને પ્રેમ કરો છો તો તમે જે સાચું છે તે કરી રહ્યા છો.
\v 9 પણ જો તમે કેટલાકને બીજાઓ કરતાં વધુ માન આપો છો, તો તમે ખોટું કરી રહ્યા છો. અને ઈશ્વરે આપણને જે કરવા આજ્ઞા કરી છે તે તમે નથી કરતા તેને લીધે તેઓ તમને દોષિત ઠરાવે છે કારણ કે તમે તેમના નિયમોને આધીન થતા નથી.
\p
\s5
\v 10 જેઓ ઈશ્વરના નિયમોમાંના માત્ર એકનો અનાદર કરે છે તો, જો કે તેઓ અન્ય સર્વ નિયમોને આધીન થાય તોપણ, ઈશ્વર તેમને પોતાના બધા જ નિયમોનો ભંગ કરનારની જેમ દોષિત ગણે છે.
\v 11 ઉદાહરણ તરીકે, ઈશ્વરે કહ્યું, "વ્યભિચાર ન કરો," પરંતુ તેમણે એમ પણ કહ્યું કે, "કોઈની હત્યા ન કરો." માટે જો તમે વ્યભિચાર નથી કરતા પણ કોઈકની હત્યા કરો છો, તો તમે ઈશ્વરના નિયમોને આધીન ન થનાર વ્યક્તિ બનો છો.
\p
\s5
\v 12 બીજા લોકો પ્રત્યે હંમેશાં એવા લોકો જેવું બોલો તથા વર્તો કે જેઓનો ન્યાય ઈશ્વર, આપણને આપણાં પાપોને લીધે શિક્ષા ભોગવવામાંથી મુક્ત કરતા નિયમને વાપરીને કરવાના છે.
\v 13 કારણ કે જ્યારે ઈશ્વર આપણો ન્યાય કરે છે, ત્યારે જેઓ બીજાઓ પ્રત્યે દયાભાવથી વર્તતા નથી તેઓ પ્રત્યે ઈશ્વર દયાભાવથી વર્તશે નહિ. પરંતુ જો આપણે બીજાઓ પ્રત્યે દયાભાવથી વર્ત્યા હોઈશું, તો ઈશ્વર જ્યારે આપણો ન્યાય કરે ત્યારે આપણે ઈશ્વરથી ડરીશું નહિ.
\p
\s5
\v 14 મારા ભાઈઓ તથા બહેનો, કેટલાક લોકો કહે છે કે, "હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરું છું," પરંતુ તેઓ સારી બાબતો કરતા નથી. તેઓ જે દાવો કરે છે તેનાથી તેમને કશો લાભ થશે નહીં. જો તેઓ માત્ર શબ્દોથી વિશ્વાસ કરતા હોય, તો ઈશ્વર તેઓને ચોક્કસપણે બચાવશે નહિ.
\v 15 ઉદાહરણ તરીકે, ધારો કે કોઈ ભાઈ કે બહેનને વસ્ત્રો કે દરરોજના ખોરાકની સતત અછત છે.
\v 16 અને ધારો કે તમારામાંથી કોઈક તેઓને કહે છે કે, "ચિંતા ન કરો, જાઓ, તાપો, અને જે ખોરાકની તમને જરૂર છે તેને શોધો!" પરંતુ જો તમે તેમને તેમના શરીરોને માટે જે જરૂરી છે તે તેઓને નહિ આપો, તો પછી તે તેઓને કશી મદદ નહિ કરે!
\v 17 એવી જ રીતે, જો તમે બીજાઓને મદદ કરવા સારાં કૃત્યો ન કરો, તો ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા બાબતે તમે જે દાવો કરો છો તે મૃત્યુ પામેલા માણસની જેમ બિનઉપયોગી છે! તમે ખ્રિસ્તમાં ખરેખર વિશ્વાસ કરતા નથી.
\p
\s5
\v 18 પરંતુ કોઈક મને કહી શકે છે કે, "ઈશ્વર અમુક લોકોને માત્ર એટલા માટે બચાવે છે કારણ કે તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો છે, અને તેઓ બીજાઓને એટલા માટે બચાવે છે કારણ કે તેઓ અન્ય લોકો માટે સારાં કૃત્યો કરે છે." હું તે વ્યક્તિને પ્રત્યુત્તર આપીશ કે, "જો લોકો બીજાઓ માટે સારાં કૃત્યો કરતા ન હોય તો તેઓ સાચે જ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે તેમ તું મને સાબિત કરી શકીશ નહિ! પણ બીજાઓ માટે સારાં કૃત્યો કરીને હું એ સાબિત કરી શકું છું કે હું સાચે જ ઈશ્વર પર વિશ્વાસ કરું છું!
\v 19 આ વિષે વિચાર કરો! તું વિશ્વાસ કરે છે કે માત્ર એક જ ખરા ઈશ્વર છે જેઓ સાચે જ જીવંત છે, અને તેવો વિશ્વાસ કરવામાં તું સાચો છે. પરંતુ દુષ્ટાત્માઓ પણ તેવો વિશ્વાસ કરે છે, અને તેઓ ધ્રૂજે છે કારણ કે તેઓ પણ જાણે છે કે ઈશ્વર ખરેખર જીવંત છે, અને ઈશ્વર તેઓને શિક્ષા કરશે.
\v 20 અરે મૂર્ખ માણસ, હું પણ તને સાબિતી આપીશ કે જો કોઈ કહે કે, "હું ઈશ્વરમાં વિશ્વાસ કરું છું", પરંતુ સારાં કૃત્યો કરતો નથી, તો તે માણસ જે કહે છે તે તેને કોઈ પણ રીતે મદદ કરતું નથી.
\s5
\v 21 આપણે સર્વ, આપણા પૂર્વજ ઇબ્રાહિમને માન આપીએ છીએ. ઈશ્વરે જે કરવા કહ્યું તેને આધીન થવા તેણે પ્રયત્ન કર્યો; તેણે પોતાના પુત્ર ઇસહાકને વેદી પર ઈશ્વરને આપવા પ્રયત્ન કર્યો. ઈશ્વરે ઇબ્રાહિમને તેમને આધીન થવાના પ્રયત્નને લીધે ન્યાયી વ્યક્તિ ગણ્યો.
\v 22 આ રીતે, ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેમને આધીન થયો. જ્યારે તે તેમને આધીન થયો, ત્યારે તે જેને માટે ઈશ્વર પર વિશ્વાસ કરતો હતો તે કરવાનું પૂર્ણ કર્યું.
\v 23 અને આ એટલા માટે થયું કે જેમ શાસ્ત્રોમાં લખેલું છે કે "ઇબ્રાહિમે સાચે જ ઈશ્વરમાં વિશ્વાસ કર્યો તે કારણે ઈશ્વરે તેને સાચી બાબત કરનાર વ્યક્તિ તરીકે જોયો." ઈશ્વરે ઇબ્રાહિમ વિષે એમ પણ કહ્યું કે, "તે મારો મિત્ર છે."
\v 24 ઇબ્રાહિમના ઉદાહરણ પરથી તમે જાણી શકો છો કે ઈશ્વર લોકોને માત્ર વિશ્વાસ કરવાને કારણે જ નહિ પણ તેમનાં સારાં કૃત્યોને કારણે ન્યાયી હોવાનું ગણે છે.
\s5
\v 25 એવી જ રીતે, રાહાબે જે કર્યું હતું તે કારણે જ ચોક્કસપણે ઈશ્વરે તેને સારી વ્યક્તિ ગણી. રાહાબ એક ગણિકા હતી, પરંતુ જે સંદેશવાહકો દેશની બાતમી કાઢવા આવ્યા હતા તેઓની તેણે કાળજી લીધી, અને તેઓ જે રસ્તેથી આવ્યા હતા તેનાથી અલગ રસ્તે તેઓને ઘરે મોકલી દઈને તેણે તેઓને નાસી છૂટવામાં સહાય કરી હતી.
\p
\v 26 જેણે શ્વાસ લેવાનું બંધ કર્યું છે તે વ્યક્તિ મૃત છે અને તેનું શરીર નકામું છે, તેવી જ રીતે, કોઈક કહે છે કે હું ઈશ્વરમાં વિશ્વાસ કરું છું પરંતુ કશું સારું કરતો નથી, તો ઈશ્વરમાં તેનો વિશ્વાસ વ્યર્થ છે.
\s5
\c 3
\p
\v 1 મારા ભાઈઓ તથા બહેનો, તમારામાંના ઘણાએ ઈશ્વરના વચનના શિક્ષકો બનવાની ઇચ્છા રાખવી જોઈએ નહિ, કારણ કે તમે જાણો જ છો કે ઈશ્વર આપણ શિક્ષકોનો ન્યાય, અન્ય લોકોના ન્યાય કરતાં, વધુ સખતાઈથી કરશે.
\v 2 આપણે ઘણી બધી રીતે ખોટું છે તે કરીએ છીએ. પરંતુ જેઓ પોતે જે બોલે છે તે પર કાબૂ રાખે છે, તો તેઓ ઈશ્વર તેઓને જે બનાવવા ચાહે છે તેવા બનશે. તેઓ પોતાના સર્વ કાર્યો કાબૂમાં રાખી શકશે.
\s5
\v 3 ઉદાહરણ તરીકે, ઘોડો આપણને આધીન થાય માટે, જો આપણે ઘોડાના મોંમાં, નાનું ધાતુનું ચોકડું મૂકીએ તો આપણે ઘોડાના મોટા શરીરને દોરી શકીએ છીએ, અને જ્યાં કઈ આપણને જવાની ઇચ્છા હોય ત્યાં તેને લઇ જઈ શકીએ છીએ.
\v 4 વહાણો વિષે પણ વિચાર કરો. જો કે વહાણ ઘણું મોટું હોય છે અને જોકે તેને ભારે પવન વડે હંકારવામાં આવે છે તોપણ એક નાનું સુકાન ફેરવીને લોકો તે વહાણને પોતે ઇચ્છે છે ત્યાં લઇ જવા નિર્દેશિત કરી શકે છે.
\s5
\v 5 એ જ પ્રમાણે જો કે આપણી જીભો ઘણી નાની છે તોપણ જો આપણે તેમને કાબૂમાં ન રાખીએ તો આપણે મોટી મોટી વાતો કરીને લોકોને નુકસાન પહોંચાડી શકીએ છીએ. અગ્નિની એક નાની જ્વાળા કેવી રીતે મોટા જંગલને સળગાવે છે તે વિષે પણ વિચાર કરો.
\p
\v 6 જેવી રીતે અગ્નિ જંગલને સળગાવે છે તેમ જ આપણે ખરાબ બોલીએ છીએ ત્યારે આપણે ઘણા લોકોનો નાશ કરી શકીએ છીએ. આપણે જે બોલીએ છીએ તે પ્રગટ કરે છે કે આપણામાં ઘણી દુષ્ટતા રહેલી છે. આપણે જે કહીએ છીએ તે આપણા વિચારોને તથા કાર્યોને દૂષિત કરે છે. જેમ અગ્નિની એક જ્વાળા બહુ સહેલાઈથી આસપાસના વિસ્તારને સળગાવે છે તેમ આપણે જે કહીએ છીએ તે પુત્રો તથા પુત્રીઓ અને તેઓના વંશજોને તેઓના બાકીનાં જીવનોમાં દુષ્કૃત્ય કરવાની ઇચ્છા જન્માવી શકે છે. તે તો શેતાન પોતે છે કે જે ખરાબ બાબતો બોલવા માટે આપણા પર પ્રભાવ પાડે છે.
\s5
\v 7 જો કે લોકો સર્વ પ્રકારનાં જંગલી પશુઓને, પક્ષીઓને, પેટે ચાલનારાં અને પાણીમાં વસનારાં જળચરોને વશ કરવા શક્તિમાન છે અને લોકોએ તેઓને વશ કર્યા છે તોપણ,
\v 8 કોઈ પણ પોતે જે કહે છે તેના પર નિયંત્રણ કરવા સમર્થ નથી. જે શબ્દો આપણે બોલીએ છીએ તે અનિયંત્રિત દુષ્ટતા છે. જેમ ઝેર લોકોને મારી નાખે છે તેમ આપણા શબ્દો બહુ મોટી હાનિ કરી શકે છે.
\s5
\v 9 આપણે આપણી જીભનો ઉપયોગ ઈશ્વર કે જેઓ આપણા પ્રભુ અને પિતા છે, તેમની સ્તુતિ કરવા કરીએ છીએ, પરંતુ આપણે આપણી એ જ જીભનો ઉપયોગ લોકોનું ખરાબ થાય એવું ઈશ્વર પાસે માગવા પણ કરીએ છીએ. આ બહુ ખોટી બાબત છે કારણ કે ઈશ્વરે લોકોને પોતાના જેવા બનાવ્યા છે.
\v 10 આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ પણ આપણા એ જ મોંથી બીજાઓનું ખરાબ થાય તે માગીએ છીએ. મારા ભાઈઓ અને બહેનો, આવું થવું જ ન જોઈએ!
\s5
\v 11 ચોક્કસપણે એક જ ઝરણામાંથી કડવું પાણી અને મીઠું પાણી આવતું નથી!
\v 12 મારા ભાઈઓ તથા બહેનો, અંજીરીનું વૃક્ષ જૈતૂનનું ફળ આપી શકતું નથી કે દ્રાક્ષવેલો અંજીરનું ફળ આપી શકતો નથી. એ જ પ્રમાણે, આપણે જે સારું છે તે જ બોલવું જોઈએ અને જે ખરાબ છે તે ન બોલવું જોઈએ.
\p
\s5
\v 13 તમારામાંનો કોઈ એવું વિચારે કે તે બુદ્ધિમાન છે અને વધુ જાણકાર છે, તો તેણે લોકોને એ બતાવવા માટે સારી રીતે વર્તવું જોઈએ કે તેનાં સારાં કૃત્યો તો તે સાચે જ બુદ્ધિમાન તેના હોવાના પરિણામ સ્વરૂપે છે.
\v 14 પરંતુ જો તમે લોકો પ્રત્યે ઈર્ષ્યાળુ હો તથા તેઓની વિરુદ્ધ જૂઠું બોલો અને તેઓનું ખરાબ કરો તો તમારે ઢોંગ કરવો નહિ કે તમે બુદ્ધિમાન છો. એમ ગર્વ કરવાથી જે ખરેખર સાચું છે તેને તમે ખોટું કહી રહ્યા છો.
\s5
\v 15 જેઓ આ પ્રમાણે વિચાર કરે છે તેઓ ઈશ્વર ઇચ્છે છે તેવા બુદ્ધિમાન નથી. તેને બદલે તેઓ, જેઓ ઈશ્વરનું માન રાખતા નથી માત્ર તેઓના જેવા વિચાર કરનાર અને કૃત્ય કરનાર છે. તેઓ પોતાની ખરાબ ઈચ્છાઓ અનુસાર વિચારે છે અને વર્તે છે. તેઓ તે જ કરે છે કે જે દુષ્ટાત્માઓ તેમની પાસે કરાવવા માંગે છે.
\v 16 યાદ રાખો કે જે લોકો આ પ્રમાણે વિચારે છે તેઓ પોતાને નિયંત્રિત કરી શકતા નથી. તેઓ બીજા લોકોની ઈર્ષ્યા કરે છે અને એવું વર્તે છે કે તેઓ જે કરી રહ્યા છે તે સાચું છે, પણ તે તો ખોટું છે.
\v 17 સ્વર્ગમાંના ઈશ્વર આપણને બુદ્ધિમાન બનાવે છે. સૌથી પહેલાં, તેઓ આપણને નૈતિક રીતે શુદ્ધ થવાનું શીખવે છે. તેઓ આપણને શીખવે છે કે કેવી રીતે બીજાઓ સાથે શાંતિમાં રહેવું. તેઓ આપણને બીજાઓ પ્રત્યે ભલા થવાનું અને તેઓને મદદ કરવાનું શીખવે છે. તેઓ આપણને જેઓ લાયક નથી તેઓ પ્રત્યે ભલા થવાનું શીખવે છે. તેઓ આપણને સારી બાબતો કરવાનું શીખવે છે કે જેનાં પરિણામો લાંબા ગાળાના હોય. તેઓ આપણને પ્રામાણિક બનવાનું અને જે સારું છે તે કરવાનું કદાપિ બંધ ન કરવાનું શીખવે છે.
\v 18 જેઓ બીજાઓ પ્રત્યે શાંતિપૂર્વક વર્તે છે તેઓ તેમને પણ શાંતિપૂર્વક વર્તતા કરે છે, જેનું પરિણામ એ આવે છે કે તેઓ સર્વ સાથે રહે છે અને સાચી રીતે વર્તે છે.
\s5
\c 4
\p
\v 1 હવે હું તમને કહીશ કે તમે અંદરો અંદર એકબીજાની સાથે કેમ લડો ઝગડો છો. તેનું કારણ એ છે કે તમારામાંનો દરેક પોતાને ગમતી દુષ્ટ બાબતો કરવા ઇચ્છે છે, જે બાબતો તમારા સાથી વિશ્વાસીઓને પ્રસન્ન કરતી નથી.
\v 2 એવી બાબતો છે કે જે તમે પ્રાપ્ત કરવાની બહુ ઇચ્છા રાખો છો, પરંતુ તમને તે બાબતો મળતી નથી, માટે તે બાબતો મેળવવામાં તમને અટકાવરૂપ થનારને તમે મારી નાખવા ઇચ્છો છો. જે બીજાઓ પાસે છે તે મેળવવાની તમે ઇચ્છા રાખો છો, પરંતુ તમે જે ઇચ્છો છો તે તમે મેળવી શકતા નથી, માટે તમે એકબીજાની સાથે ઝગડો કરો છો અને લડો છો. તમે જે ઇચ્છો છો તે તમારી પાસે નથી કારણ કે તમે ઈશ્વર પાસે માગતા નથી.
\v 3 તમે તેમની પાસે માગો છો તોપણ તમે જે માગ્યું છે તે તેઓ તમને આપતા નથી. કારણ કે તમે ખોટા કારણસર તે માગો છો. તમે તે બાબતોની માગણી માત્ર તેને ખોટી રીતે માણવા માટે ઉપયોગ કરી શકો તે માટે કરો છો.
\p
\s5
\v 4 પોતાના પતિને અવિશ્વાસુ હોય તે સ્ત્રીની જેમ તમે ઈશ્વરને અવિશ્વાસુ થયા છો અને તેમને હવે વધુ આધીન થઈ રહ્યા નથી. જેઓ દુષ્ટ લોકોની જેમ વર્તે છે તેઓ આ જગતના છે અને ઈશ્વર વિરુદ્ધના શત્રુઓ છે. કદાચ તેનો તમને ખ્યાલ નથી.
\v 5 ચોક્કસ તમે એવું તો વિચારતા જ નહીં હો કે ઈશ્વરે કારણ વગર શાસ્ત્રોમાં આપણને કહ્યું કે તેમણે જે પવિત્ર આત્મા આપણામાં મૂક્યો છે તે આપણે આપણાં જીવનો ઈશ્વરને પ્રસન્ન કરે તે પ્રમાણે જીવીએ તેવી ઉત્કંઠા રાખે છે.
\s5
\v 6 પરંતુ ઈશ્વર પરાક્રમી અને આપણા પ્રત્યે ભલા છે, અને આપણે પાપ કરતાં અટકીએ માટે તેઓ આપણને મદદ કરવા ઇચ્છે છે. એ માટે શાસ્ત્ર કહે છે, "જેઓ અભિમાની છે તેઓનો ઈશ્વર વિરોધ કરે છે, પરંતુ જેઓ નમ્ર છે તેઓને ઈશ્વર સહાય કરે છે."
\p
\v 7 માટે તમે પોતાને ઈશ્વરને સમર્પિત કરો. શેતાનનો સામનો કરો, અને પરિણામે તે તમારી પાસેથી નાસી જશે.
\s5
\v 8 આત્મિક રીતે ઈશ્વરની નજીક આવો. જો તમે આવશો, તો તેઓ તમારી નજીક આવશે. તમે જેઓ પાપીઓ છો, તેઓ જે ખોટું છે તે કરવાથી પાછા ફરો અને જે સારું છે માત્ર તે જ કરો. તમે જેઓ નક્કી કરી શકતા નથી કે તમે ઈશ્વરને સમર્પિત થશો કે નહિ, તેઓ ખરાબ વિચારો કરવાનું બંધ કરો અને માત્ર ઈશ્વરના જ વિચાર કરો.
\v 9 ખોટું કર્યાને કારણે તમે દુ:ખી થાઓ તથા વિલાપ કરો. માત્ર પોતાની સ્વાર્થી ઇચ્છાને માણીને હર્ષ ન કરો. તેને બદલે, દુઃખી થાઓ કારણ કે તમે જે ખોટું છે તે કર્યું છે.
\v 10 પ્રભુની આગળ પોતાને નમ્ર કરો; જો તમે તેમ કરશો તો તેઓ તમને માન આપશે.
\p
\s5
\v 11 મારા ભાઈઓ તથા બહેનો, એકબીજાની વિરુદ્ધ ખરાબ બોલવાનું બંધ કરો, કારણ કે જેઓ સાથી વિશ્વાસીની વિરુદ્ધ ખરાબ બોલે છે અને જેઓ ભાઈ કે બહેન સમાન છે તેઓને વખોડે છે તેઓ ઈશ્વરના નિયમ વિરુદ્ધ બોલે છે કે જે તેમણે આપણને આધીન થવા માટે આપ્યો છે. જો તમે તેમના નિયમની વિરુદ્ધ બોલો છો, તો તમે વખોડનાર ન્યાયાધીશની જેમ વર્તો છો.
\v 12 પણ હકીકતમાં, માત્ર એક જ વ્યક્તિ છે જેને દુષ્ટતા માફ કરવાનો અને લોકોને દોષિત ઠરાવવાનો અધિકાર છે અને તે ઈશ્વર છે. તેઓ એકલા જ લોકોને બચાવવા કે લોકોનો નાશ કરવા સક્ષમ છે. તમને ચોક્કસપણે કોઈ જ હક્ક નથી કે તમે ઈશ્વરનું સ્થાન લો અને બીજાઓનો ન્યાય કરો.
\p
\s5
\v 13 તમારામાંના કેટલાક ગર્વથી કહે છે કે, "આજે કે આવતી કાલે અમે કોઈ ખાસ શહેરમાં જઈશું. અમે ત્યાં એક વર્ષ વિતાવીશું અને અમે વસ્તુઓ ખરીદીશું અને વેચીશું અને ઘણાં જ નાણાં મેળવીશું." હવે તમે મને સાંભળો!
\v 14 તમારે તે પ્રમાણે ન કહેવું જોઈએ. કારણ કે તમને ખબર નથી કે કાલે શું થશે, અને તમને ખબર નથી કે તમે કેટલું લાંબુ જીવશો! તમારું જીવન, થોડી વાર સુધી દેખાતા અને પછી અદ્રશ્ય થતા ઝાકળ જેવું ક્ષણિક છે.
\s5
\v 15 તમે જે કહી રહ્યા છો તેને બદલે તમારે એમ કહેવું જોઈએ કે, "જો પ્રભુની ઇચ્છા હશે તો અમે જીવતા રહીશું અને અમે આ કે તે કરીશું."
\v 16 પરંતુ તમે તો જે સર્વ કરવાની યોજના કરો છો તે વિષે ગર્વ કરી કરો છો. તે પ્રમાણેનો તમારો ગર્વ એ ખરાબ બાબત છે.
\p
\v 17 માટે જો કોઈ સાચી બાબત જાણે છે કે જે તેણે કરવી જોઈએ, પરંતુ તે કરતો નથી, તો તે પાપ કરે છે.
\s5
\c 5
\p
\v 1 હવે મારે તમ ધનવાન લોકો, કે જેઓ કહે છે કે અમે ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ છીએ તેઓને કંઈક કહેવું છે. મારું સાંભળો! તમારે વિલાપ કરીને જોરથી રડવું જોઈએ કારણ કે તમે ભયંકર સંકટો અનુભવવાના છો!
\v 2 જાણે તેને કાટ લાગી ગયો હોય તેમ તમારી મિલકત નકામી છે. તમારાં સુંદર વસ્ત્રોને જાણે ઊધઈએ નાશ કર્યો હોય તેમ તેઓ જીર્ણ થઈ ગયાં છે.
\v 3 તમારું સોનુ અને ચાંદી, કાટ લાગી ગયો હોય તેમ મૂલ્યહીન છે. ઈશ્વર જ્યારે તમારો ન્યાય કરશે ત્યારે તમારી આ મૂલ્યહીન મિલકત સાક્ષી થશે કે તમે લાલચુ હોવાને લીધે દોષિત છો, અને જેમ કાટ અને અગ્નિ નાશ કરે છે, તેમ ઈશ્વર તમને સખત શિક્ષા કરશે. ઈશ્વર તમારો ન્યાય કરવાના છે તેવા સમય માટે તમે મિલકત વ્યર્થ સંઘરી રાખી છે.
\s5
\v 4 તમે જે કર્યું છે તે વિષે વિચાર કરો. જે કારીગરોએ તમારા માટે તમારા ખેતરોમાં કાપણી કરી તેઓને તમે કરેલા વાયદા પ્રમાણે મજૂરી આપી નથી. તમે પોતાને માટે રોકી રાખેલી મજૂરીથી મને ખબર પડે છે કે તમે તેઓ પ્રત્યે કેવા દોષિત અને અપ્રામાણિક રહ્યા છો. તમે જે રીતનો વ્યવહાર તેમની સાથે કરો છો તેને કારણે મજૂરો ઈશ્વરને પોકારે છે. અને દૂતોના સૈન્યોના પ્રભુ ઈશ્વર તેઓની મોટી બૂમોને સાંભળે છે.
\v 5 રાજાઓની જેમ જીવી શકો માટે તમને જે કંઈ ઇચ્છા થઈ તે તમે ખરીદ્યું છે. જેમ પશુ પોતાને કાપી નાખવામાં આવશે તેવું વિચાર્યા વગર પુષ્ટ થતું જાય છે તેમ તમે, ઈશ્વર તમને સખત શિક્ષા કરશે તેનો વિચાર કર્યા વિના, માત્ર મોજશોખ માટે જ જીવ્યા છો.
\v 6 નિર્દોષ લોકોને દોષિત ઠરાવવા તમે લોકોની ગોઠવણ કરી રાખી છે. જો કે લોકોએ કશું ખોટું કર્યું નથી તોપણ તેઓને મારી નાખવા માટે તમે બીજા લોકોની ગોઠવણ કરી રાખી છે. તમારી વિરુદ્ધ તેઓ પોતાનો બચાવ કરવા સક્ષમ નહોતા. મારા ભાઈઓ તથા બહેનો, તમારા પર જુલમ કરતા ધનવાન લોકોને હું આ જ કહું છું.
\p
\s5
\v 7 માટે, મારા ભાઈઓ તથા બહેનો, જોકે ધનવાન લોકોને કારણે તમારે સહન કરવું પડે તોપણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવે ત્યાં સુધી ઘીરજ રાખો. યાદ રાખો કે જ્યારે ખેડૂતો ખેતરને ખેડે છે ત્યારે તેઓ તેમનો મૂલ્યવાન પાક ઊગે તેની રાહ જુએ છે. તેઓએ રોપણીની ઋતુમાં આવતા વરસાદની અને કાપણીની પહેલાં આવતા વધારે વરસાદની રાહ જોવી જ જોઈએ. કાપણીની અગાઉ પાક વૃદ્ધિ પામે અને કાપણી લાયક થાય માટે તેઓ રાહ જુએ છે.
\v 8 એવી જ રીતે, તમારે પણ પ્રભુ ઈસુ પર દ્રઢતાથી ભરોસો રાખીને ધીરજથી રાહ જોવી જોઈએ, કારણ કે તેઓ જલદીથી પાછા આવનાર છે અને સર્વ લોકોનો ન્યાય પ્રામાણિકપણે કરનાર છે
\s5
\v 9 મારા ભાઈઓ તથા બહેનો, એકબીજાની વિરુદ્ધ ફરિયાદ ન કરો કે જેથી પ્રભુ ઈસુ તમને દોષિત ઠરાવીને શિક્ષા ન કરે. આપણો ન્યાય કરનાર તેઓ એ જ છે અને તેઓ પ્રગટ થવા તૈયાર છે.
\v 10 મારા ભાઈઓ તથા બહેનો, કેવી રીતે ધીરજવાન બનવું તેના ઉદાહરણરૂપે વર્ષો પહેલાં પ્રભુ ઈશ્વરે પોતાના સંદેશા કહેવા મોકલેલા પ્રબોધકોનો વિચાર કરો. જો કે લોકોએ તેઓને ખૂબ સતાવ્યા તો પણ તેઓએ ધીરજથી સહન કર્યું.
\v 11 આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર માટે સહન કરે છે તેઓને ઈશ્વર માન આપે છે અને સહાય કરે છે. તમે અયૂબ વિષે પણ સાંભળ્યું છે. તમે જાણો છો કે જો કે અયૂબે ખૂબ સહન કર્યું તોપણ ઈશ્વરે તેને માટે સારું પરિણામ લાવવાનું આયોજન કર્યું હતું, કારણ કે તેણે તે દુઃખ સહન કર્યું. અને એના પરથી આપણે જાણીએ છીએ કે પ્રભુ ખૂબ માયાળુ અને ભલા છે.
\p
\s5
\v 12 વળી, મારા ભાઈઓ તથા બહેનો, કેવી રીતે વાતચીત કરવી તે વિષે પણ હું કેટલીક અગત્યની વાતો કહેવા માગું છું. તમે જે વચન આપો તેના સાક્ષી તરીકે તમારે આકાશના કે પૃથ્વીના સોગંદ ખાવા નહિ. તમારે જે માત્ર કહેવાનું છે તે "હા" કે "ના" છે. આનાથી વધારે કહેશો તો ઈશ્વર તમારો ન્યાય કરશે.
\p
\s5
\v 13 તમારામાંનો જે કોઈ સંકટ અનુભવી રહ્યો છે તેણે પ્રાર્થના કરવી કે ઈશ્વર તેને સહાય કરે. જે કોઈ આનંદિત છે તેણે ઈશ્વરની સ્તુતિનાં ગીતો ગાવાં.
\v 14 તમારામાં જે કોઈ બીમાર છે તેણે સભાના આગેવાનોને પોતાને માટે પ્રાર્થના કરવા બોલાવવા. તેઓએ તેને જૈતૂનનું તેલ ચોપડીને પ્રભુના અધિકાર સાથે પ્રાર્થના કરવી.
\v 15 વિશ્વાસ સાથે ઈશ્વરને કરવામાં આવેલી પ્રાર્થના જે બીમાર છે તેને તંદુરસ્ત કરશે, અને ઈશ્વર તેની તંદુરસ્તી પાછી આપશે. જો તે વ્યક્તિએ પાપ કર્યું હશે તો ઈશ્વર તેને માફ કરશે.
\s5
\v 16 તેથી, ઈશ્વર બીમારોને સાજા કરવાને અને પાપ માફ કરવાને શક્તિમાન હોવાને કારણે તમે પોતે કરેલાં પાપો એકબીજાને કહો અને એકબીજા માટે પ્રાર્થના કરો કે જેથી તમે સાજા થાઓ. જો ન્યાયી વ્યક્તિ સતત પ્રાર્થના કરીને ઈશ્વરને કંઈક કરવા કહે તો ઈશ્વર પરાક્રમસહિત તે પ્રમાણે ચોક્કસ કરશે.
\v 17 જો કે એલિયા પ્રબોધક આપણા જેવો સામાન્ય માણસ હતો, તોપણ તેણે આગ્રહથી પ્રાર્થના કરી કે વરસાદ ન વરસે. અને સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ ન વરસ્યો.
\v 18 પછી તેણે ફરીથી ઈશ્વર પાસે વરસાદ માગતી પ્રાર્થના કરી, અને ઈશ્વરે વરસાદ મોકલ્યો, અને પાક ઊગ્યો અને ફરીથી અનાજ પાક્યું.
\p
\s5
\v 19 મારા ભાઈઓ તથા બહેનો, તમારામાંનો જો કોઈ ઈશ્વર તરફના સાચા સંદેશાને આધીન થતો અટકી જાય, તો તમારામાંની બીજી કોઈ વ્યક્તિએ ઈશ્વરે આપણને જે કરવા કહ્યું છે તે ફરીથી કરવા તે વ્યક્તિને મનાવી લેવી જોઈએ. જે ખોટું છે તે કરવાનું જો તે બંધ કરે,
\v 20 તો તમ સર્વએ યાદ રાખવું કે તે બીજી વ્યક્તિને કારણે, ઈશ્વર તે પાપી વ્યક્તિને આત્મિક મરણમાંથી બચાવશે અને તેનાં ઘણાં પાપ માફ કરશે.

225
61-1PE.usfm Normal file
View File

@ -0,0 +1,225 @@
\id 1PE - UDB Guj
\ide UTF-8
\h પિતરનો પહેલો પત્ર
\toc1 પિતરનો પહેલો પત્ર
\toc2 પિતરનો પહેલો પત્ર
\toc3 1pe
\mt1 પિતરનો પહેલો પત્ર
\s5
\c 1
\p
\v 1 હું પિતર જેને ઈસુ ખ્રિસ્તે પ્રેરિત બનાવ્યો તે, તમે જેઓ તેમનામાં વિશ્વાસ કરો છો, એટલે કે જેઓને ઈશ્વરે પોતાના કરવા માટે પસંદ કર્યા છે તેઓને આ પત્ર લખી રહ્યો છું. જેઓ પોન્તસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા અને બિથુનિયાના પ્રાંતોમાં પોતાના સ્વર્ગમાંના સાચા ઘરથી ખૂબ દૂર રહે છે તેઓને હું આ પત્ર લખી રહ્યો છું.
\v 2 ઈશ્વર આપણા પિતાએ જેમ તેમણે અગાઉ નક્કી કર્યું હતું તે પ્રમાણે તમને પસંદ કર્યા અને તેમના આત્માએ તમે ઈસુ ખ્રિસ્તને આધીન થાઓ માટે તથા તેમનું રક્ત તમને ઈશ્વર આગળ સ્વીકૃત કરે માટે તમને અલગ કર્યા છે. ઈશ્વર તમારા પર ભલાઈ કરો અને તમને વધુ ને વધુ શાંતિમાં જિવાડો.
\p
\s5
\v 3 ઈશ્વર કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા છે તેમની સ્તુતિ થાઓ! તે આપણા પ્રત્યે ભલા છે અને તેમણે આપણને નવો જન્મ, કે જે જીવંત આશા આપે છે તેનો અનુભવ કરાવીને આપણા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે, અને આપણે નવું જીવન પ્રાપ્ત કરીએ છીએ કારણ કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને મૃત્યુ પામેલામાંથી ઉઠાડ્યા છે.
\v 4 તેમણે આપણા માટે સ્વર્ગમાં રાખી મૂકેલી બાબતોને એટલે કે જે વસ્તુઓ સદા ટકનારી છે તેઓને પ્રાપ્ત કરવાની આશા રાખવા માટે આપણને સમર્થ કર્યા છે.
\v 5 તમે ઈસુ પર વિશ્વાસ કરો છો ત્યારે ઈશ્વર તેમના મોટા પરાક્રમ વડે તમારું રક્ષણ કરે છે. તેઓ તમારું રક્ષણ કરે છે કે જેથી હાલ જે સમયમાં આપણે જીવી રહ્યા છે તેના અંતે તેઓ આપણને શેતાનના સામર્થ્યમાંથી સંપૂર્ણપણે મુક્ત કરે.
\s5
\v 6 ત્યારે જે થવાનું છે તેને માટે તમે આનંદ કરો છો, પણ અત્યારે તમે ઘણી અલગ અલગ મુસીબતોને સહન કરી રહ્યા છો ત્યારે તમે થોડા સમય માટે દુ:ખી છો. જેમ કોઈ મૂલ્યવાન ધાતુની કસોટી તે શુદ્ધ છે કે નહિ તે જોવા માટે થાય છે તેમ ઈશ્વર તમારી કસોટી થવા દે છે. આ કસોટીઓ કે જેને તમે અનુભવી રહ્યા છો તે જરૂરી છે.
\v 7 આ મુશ્કેલીઓ એટલા માટે પડે છે કે જેથી તમે ખરેખર ઈસુમાં ભરોસો કરો છો એ બાબત સાબિત થઇ શકે. આ બાબત ઈશ્વર માટે જગતમાંનું સર્વ સોનું કે જેનો અગ્નિ નાશ કરી શકે છે તેના કરતા વધારે મહત્ત્વની છે. તમે ઈશ્વરમાં વિશ્વાસ કરો છો તે કારણે ઈસુ ખ્રિસ્ત ફરીથી આવશે ત્યારે ઈશ્વર તમને ઉચ્ચ રીતે સન્માનિત કરશે.
\s5
\v 8 તમે ઈસુને જોયા નથી તોપણ તમે તેમને પ્રેમ કરો છો. જો કે તમે અત્યારે તેમને જોતા નથી તોપણ તમે ઘણો જ આનંદ કરો છો;
\v 9 તમે તેમના પર વિશ્વાસ કરો છો માટે ઈશ્વર તમને તમારા પાપોના દોષમાંથી બચાવી રહ્યા છે.
\p
\v 10 ઘણા સમય અગાઉ પ્રબોધકોએ સંદેશ પ્રગટ કર્યો હતો કે, ઈશ્વરે તેમને બતાવ્યું હતું કે ઈશ્વર એક દિવસ આપણને કેવી રીતે બચાવશે. તેઓએ આ બાબતોને બહુ કાળજીપૂર્વક તપાસી હતી.
\s5
\v 11 તેઓ જાણવા માંગતા હતા કે તેમનામાં રહેલો ખ્રિસ્તનો આત્મા કોને ઉદ્દેશી રહ્યો છે. તેઓ તે સમય પણ જાણવા ઇચ્છતા હતા કે કયા સમય વિષે તેઓ વાત કરી રહ્યા હતા. આ એટલા માટે હતું કારણ કે પવિત્ર આત્મા તેઓને અગાઉથી કહી રહ્યો હતો કે ખ્રિસ્ત સહન કરીને મરણ પામશે અને ત્યાર પછી તેમને માટે મહિમાવંત બાબતો બનશે.
\v 12 ઈશ્વરે તેઓને કહ્યું કે તેઓ જે બાબતો તેઓને પ્રગટ કરી રહ્યા હતા તે તેઓને માટે નહોતી, પણ તે તમારા માટે હતી. તેઓએ તે તમને પ્રગટ કર્યું કારણ કે જે પવિત્ર આત્માને ઈશ્વરે સ્વર્ગમાંથી મોકલ્યા તેણે તેઓને તે કરવા શક્તિમાન કર્યા. અને વળી ઈશ્વર આપણને કેવી રીતે બચાવે છે તે સત્યો વિષે દૂતોને પણ વધુ જાણવાનું ગમે છે.
\p
\s5
\v 13 તેથી, ઈશ્વરને આધીન થવા માટે તમારા મનોને તૈયાર કરો. મારો કહેવાનો અર્થ એ છે કે તમે તમારાં મનોને શિસ્તમાં રાખો. એવો વિશ્વાસ રાખો કે ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી પાછા આવશે ત્યારે તમે સારી બાબતો પ્રાપ્ત કરશો કે જે ઈશ્વર તમારા માટે માયાળુપણે કરશે.
\v 14 અને જેમ પૃથ્વી પર બાળકોએ પોતાના પિતાઓને આધીન થવું જોઈએ તેમ તમારે તમારા સ્વર્ગીય પિતાને આધીન થવું જોઈએ તે કારણને લીધે, જ્યારે તમે ઈશ્વર વિષે સત્ય જાણતા નહોતા ત્યારે જે દુષ્ટ બાબતો તમે અગાઉ કરવાની ઇચ્છા રાખતા હતા તે હવે ન કરો.
\s5
\v 15 તેને બદલે, ઈશ્વર, જેમણે તમને તેમના થવા પસંદ કર્યા તેઓ જેવા પવિત્ર છે તેવા તમે પણ જે કંઇ કરો તેમાં પવિત્ર બનો.
\v 16 પવિત્ર થાઓ કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે ઈશ્વરે કહ્યું કે "હું પવિત્ર છું તે માટે તમે પણ પવિત્ર હોવા જ જોઈએ."
\p
\v 17 દરેક જણ જે કરે છે તેનો ન્યાય કરનાર ઈશ્વર જ છે, અને તેઓ પ્રામાણિકપણે એમ કરે છે. તમે તેમને 'પિતા' કહો છો માટે પૃથ્વી પર જીવી રહ્યા છો તે દરમિયાન સાચી રીતે વર્તો. તમે એવા લોકો જેવા છો જેમને બીજાઓએ તેમના ઘરોમાંથી કાઢી મૂક્યા હોય, કારણ કે તમે તમારા સાચા ઘર, સ્વર્ગથી દૂર જીવી રહ્યા છો.
\s5
\v 18 આદરપૂર્વક જીવો કારણ કે તમને એ ખબર છે કે ઈશ્વરે તમને સોના કે ચાંદી જેવી વસ્તુઓ, જે સદા ટકતી નથી તે વડે ખરીદ્યા નથી, માટે જેમ તમે તમારા પૂર્વજો પાસેથી શીખ્યા છો તેમ મૂર્ખતાભર્યું વર્તન બંધ કરો.
\v 19 તેને બદલે, ખ્રિસ્ત મરણ પામ્યા ત્યારે તેમના શરીરમાંથી વહેલા મૂલ્યવાન રક્ત વડે ઈશ્વરે તમને ખરીદ્યા છે. ખ્રિસ્ત તો યહૂદી યાજકો જે હલવાનોનું અર્પણ કરતા હતા તેના જેવા હતા એટલે કે સંપૂર્ણ, ડાઘરહિત કે ખામીરહિત હતા.
\s5
\v 20 ઈશ્વરે તેમને આ પ્રમાણે કરવા માટે જગતનું સર્જન કર્યા અગાઉ પસંદ કર્યા હતા. પણ હવે બહુ જલદી જગતનો નાશ થવાનો છે ત્યારે ઈશ્વરે તેમને તમારી આગળ પ્રગટ કર્યા.
\v 21 ખ્રિસ્તે જે કર્યું તેને કારણે તમે ઈશ્વર પર, જેમણે તેમને મરી ગયા પછી જીવંત કર્યા અને મોટા માનથી નવાજ્યા તેમના પર વિશ્વાસ કરો છો. પરિણામે, જેમના પર તમે ભરોસો કરો છો અને આશા રાખો છો કે તેઓ તમારા માટે મહાન બાબતો કરશે તે તો ઈશ્વર જ છે.
\p
\s5
\v 22 તમે ઈશ્વર વિષેના સત્યને આધીન થયા અને ઈશ્વર તમને શુદ્ધ કરે તથા તમે આપણા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ કરો તેવું ઈશ્વર કરે તે સ્વીકાર્યું તે કારણે હવે તમે એકબીજા પર આગ્રહથી અને નિષ્ઠાપૂર્વક પ્રેમ કરવાનું ચાલુ રાખો.
\v 23 હું આ પ્રમાણે કરવા માટે તમને કહું છું કારણ કે તમે હવે નવું જીવન જીવી રહ્યા છો. તમે આ જીવન નાશવંત બાબત વડે પ્રાપ્ત કર્યું નથી. તેને બદલે, હંમેશા ટકી રહેનાર બાબત વડે એટલે કે ઈશ્વરનું વચન કે જેના પર તમે વિશ્વાસ કર્યો છે તેના દ્વારા પ્રાપ્ત કર્યું છે.
\s5
\v 24 આપણે જાણીએ છીએ કે આ સાચું છે કારણ કે જેમ યશાયા પ્રબોધકે લખ્યું છે તેમ,
\q1 "જેમ ઘાસનો નાશ થાય છે તેમ સર્વ લોકો નાશ પામશે. અને લોકો પાસે જે સર્વ મહાનતા છે તે હંમેશા ટકશે નહિ,
\q2 ઘાસ ચીમળાઈ જાય છે અને ફૂલો કરમાઈ જાય છે,
\q1
\v 25 પણ ઈશ્વરનો સંદેશો હંમેશા ટકે છે."
\p અમે ખ્રિસ્ત વિષેનો જે સંદેશો તમને પ્રગટ કરી રહ્યા છીએ તે એ જ સંદેશો છે કે જે ટકી રહે છે.
\s5
\c 2
\p
\v 1 એ માટે, કોઈ પણ રીતે કપટથી ન વર્તો કે બીજાઓને છેતરો નહિ. ઢોંગી ન થાઓ, અને બીજાઓની અદેખાઈ ન કરો. ક્યારેય કોઈના વિષે કદી અસત્યથી ખરાબ ન બોલો.
\v 2 જેમ નવજાત શિશુઓ પોતાની માતાના શુદ્ધ દૂધને ઝંખે છે તેમ તમે ઈશ્વર તરફથી સાચી બાબતો શીખવાની ઇચ્છા રાખો, કે જેથી તે શીખવા વડે તમે તેમના પરના વિશ્વાસમાં પુખ્ત બની શકો. જ્યાં સુધી ઈશ્વર તમને આ જગતમાંની સર્વ દુષ્ટતાથી મુક્ત ન કરે ત્યાં સુધી તમારે આ કરવાનું છે.
\v 3 તમે અનુભવ્યું છે કે ઈશ્વર તમારા પ્રત્યે ઘણી ભલાઈથી વર્તે છે તે કારણે પણ તમારે આ કરવાનું જ છે.
\p
\s5
\v 4 પ્રભુ ઈસુની પાસે આવો. તેઓ એક ઇમારતના પાયાના મહત્વના પથ્થર જેવા છે, પરંતુ તે પથ્થર જેવા નિર્જીવ નથી પણ તેઓ જીવંત છે. ઘણા લોકોએ તેમને અવગણ્યા પણ ઈશ્વરે તેમને પસંદ કરીને બહુ જ મૂલ્યવાન ગણ્યા છે.
\v 5 અને જેમ માણસો પથ્થરોથી ઘર બનાવે છે તેમ ઈશ્વર તમને પણ તે ઇમારતમાં જોડી રહ્યા છે જેમાં પવિત્ર આત્મા વસે છે. તેઓ આ પ્રમાણે એટલા માટે કરી રહ્યા છે કે જેથી જેમ યાજકો વેદી પાસે અર્પણો કરે છે તેમ તમે ઈશ્વરને પ્રસન્ન કરતી બાબતો કરો કારણ કે ઈસુ ખ્રિસ્ત તમારા માટે મૃત્યુ પામ્યા છે.
\s5
\v 6 શાસ્ત્ર જે કહે છે તે આપણને બતાવે છે કે આ સાચું છે કે: "હું યરુશાલેમમાં જેઓ મૂલ્યવાન પથ્થર જેવા છે એટલે કે જેઓ ઇમારતના અતિ અગત્યના પથ્થર છે, તે વ્યક્તિને મૂકું છું અને જેઓ તેમના પર વિશ્વાસ કરનારાઓ છે તેઓ કદી શરમાશે નહિ."
\p
\s5
\v 7 તેથી, તમે જેઓ ઈસુ પર વિશ્વાસ કરો છો તેમને ઈશ્વર માન આપશે. પણ જેઓ તેમના પર વિશ્વાસ કરવાનું નકારે છે તેઓ એવા બાંધનારાઓ છે કે જેમના વિષે શાસ્ત્ર કહે છે કે: "બાંધનારાઓએ જે પથ્થરને અવગણ્યો તે જ ઇમારતનો અતિ મહત્વનો પથ્થર થયો છે."
\p
\v 8 શાસ્ત્રોમાં એમ પણ લખ્યું છે કે:
\q1 "તે એક એવો પથ્થર થશે કે જે લોકોને ઠોકર ખવડાવશે,
\q2 અને એવો ખડક કે જેનાથી લોકો ઠેસ ખાશે.
\p જેમ લોકો ખડકને કારણે ઠોકર ખાવાથી ઈજા પામે છે તેમ
\q1 જે લોકો ઈશ્વરના સંદેશાને આધીન થતા નથી તેઓ પોતાને ઈજાગ્રસ્ત કરે છે;
\q2 અને ઈશ્વરે તેઓ માટે નિર્ધારિત કર્યું છે એ જ તેઓને થશે."
\p
\s5
\v 9 પણ તમે એ લોકો છો કે જેમને ઈશ્વરે પોતાના કરવા માટે પસંદ કર્યા છે. તમે એવો સમુદાય છો કે જે યાજકોની જેમ ઈશ્વરની આરાધના કરે છે, અને ઈશ્વરની સાથે રાજાની જેમ રાજ કરો છો. તમે એવી લોકજાતિ છો કે જેઓ ઈશ્વરના લોકો છે કે જેથી, તેમણે કરેલી અદભુત બાબતોને તમે પ્રગટ કરી શકો. જ્યારે તમે ઈશ્વરના સત્ય બાબતે અજ્ઞાન હતા ત્યારે તેમણે તમને તમારા અગાઉના માર્ગોમાંથી બોલાવ્યા, અને તમને પોતાના વિષેની સાચી અદભુત બાબતો સમજાવી.
\v 10 શાસ્ત્રો તમારા વિષે જે કહે છે તે સાચું છે:
\q1 અગાઉ તમે કોઈ લોકજાતિ જ નહોતા,
\q1 પણ હાલમાં તમે ઈશ્વરની પ્રજા છો.
\q1 એક સમયે ઈશ્વર તમારા પ્રત્યે દયાભાવથી વર્તતા નહોતા,
\q1 પણ હાલમાં તેઓ તમારા પ્રત્યે દયાળુપણે વર્તે છે.
\p
\s5
\v 11 તમે લોકો કે જેમને હું પ્રેમ કરું છું, હું તમને આ બાબત વિષે વિચાર કરવા અરજ કરું છું: તમે પરદેશીઓ જેવા છો કે જેમનું ખરું ઘર સ્વર્ગમાં છે. માટે તમે જે દુષ્કૃત્ય કરવા ઇચ્છતા હતા તે બાબતો તમારે ન કરવી જોઈએ, કારણ કે જો તમે તેમ કરો તો તમે ઈશ્વર સાથે યોગ્ય રીતે રહી શકશો નહિ.
\v 12 જેઓ ઈશ્વરને જાણતા નથી તેઓ મધ્યે સારી રીતે વર્તવાનું જારી રાખો. જો તમે તે પ્રમાણે કરો, અને જો કે તેઓ કહે કે તમે જે ખોટું છે તે કરો છો તોપણ તેઓ જોશે કે તમે સારી બાબતો કરી રહ્યા છો, અને જ્યારે ઈશ્વર દરેકનો ન્યાય કરવા આવશે તે સમયે તેઓ તમને માન આપશે.
\p
\s5
\v 13 તમે પ્રભુ ઈસુને માન આપવાની ઇચ્છા રાખો છો તે કારણે જેઓ પાસે સત્તા છે તેઓ સર્વને તમે આધીન થાઓ. આમાં રાજાનો સમાવેશ થાય છે કારણ કે તેની પાસે મોટો અધિકાર છે.
\v 14 તેમાં શાસકોનો પણ સમાવેશ છે, કારણ કે જેઓ ખોટું કરે છે તેઓને શિક્ષા કરવા અને જેઓ સારું કરે છે તેઓની પ્રશંસા કરવા ઈશ્વર તેઓને મોકલે છે.
\v 15 ઈશ્વર ઇચ્છે છે કે તમે જે સારું છે તે કરો. જો તમે તે કરો છો તો ઈશ્વરને નહીં જાણનારા મૂર્ખ લોકો, જેઓ કહેતા કે તમે ખોટું કરો છો, તેઓનાં મોં તમે બંધ કરો છો.
\v 16 જેમ કોઈ માલિકની આધીનતામાંથી મુક્ત થઇ ગયા હોય તેમ તમે વર્તો, પણ તેથી તમે દુષ્ટતા કરી શકશો એવું ન વિચારો. તેને બદલે ઈશ્વરના સેવકે જેવી રીતે વર્તવું જોઈએ, તેમ વર્તો.
\v 17 દરેક પ્રત્યે માનથી વર્તો. તમારા સર્વ સાથી વિશ્વાસીઓને પ્રેમ કરો. ઈશ્વરને માન આપો અને રાજાને માન આપો.
\p
\s5
\v 18 તમે દાસો કે જેઓ વિશ્વાસીઓ છો, તમે પોતે તમારા માલિકોને સમર્પિત થાઓ અને તેઓને સંપૂર્ણ માન આપો. જેઓ તમારા પ્રત્યે સારા છે અને ભલાઈથી વર્તે છે તેઓને જ માત્ર સમર્પિત ન થાઓ પણ જેઓ તમારા પ્રત્યે કઠોરતાથી વર્તે છે તેઓને પણ સમર્પિત થાઓ.
\v 19 તમારે એ પ્રમાણે કરવું કારણ કે ઈશ્વર એવા લોકોથી પ્રસન્ન થાય છે કે જેઓ જાણે છે કે ઈશ્વર શું ઇચ્છે છે અને તેમને આધીન થાય છે, અને જેઓ તેમના માલિકો તેમની સાથે અન્યાય કરે છે તો પણ, આ કારણથી સહન કરવાનું સ્વીકારે છે.
\v 20 જો તમે જે ખોટું છે તે કરો અને તે માટે લોકો તમને મારે તો, ઈશ્વર તમારાથી ચોક્કસ પ્રસન્ન નહિ થાય. પણ જે સારું છે તે જો તમે કરો અને છતાં દુઃખ સહન કરો છો તો તમે જે સારું છે તે કરવાને કારણે સહન કરો છો. જો તમે તે પ્રમાણે સહન કરો તો ઈશ્વર તમારી પ્રશંસા કરશે.
\s5
\v 21 ઈશ્વરે તમને પસંદ કર્યા તેનું એક કારણ એ છે કે તમે સહન કરો. જ્યારે ખ્રિસ્તે તમારા માટે સહન કર્યું ત્યારે તેઓ તમારા માટે ઉદાહરણરૂપ બન્યા કે જેથી તેમણે જે કર્યું તેનું તમે અનુકરણ કરો.
\v 22 ખ્રિસ્ત કેવી રીતે વર્ત્યા તે યાદ રાખો,
\q1 તેમણે કદી પાપ કર્યું નહોતું,
\q1 અને તેમણે લોકોને છેતરવા કશું કહ્યું નહોતું.
\q1
\v 23 જ્યારે લોકોએ તેમનું અપમાન કર્યું, ત્યારે તેમણે બદલામાં તેમનું અપમાન કર્યું નહિ.
\q1 જ્યારે લોકોએ તેમને દુઃખી કર્યા ત્યારે તેમણે બદલો લેવાની ધમકી આપી નહિ.
\q1 તેને બદલે તેમણે હંમેશા સાચો ન્યાય કરનાર ઈશ્વર પર આધાર રાખ્યો કે તેઓ તેમને નિર્દોષ સાબિત કરે.
\p
\s5
\v 24 તેઓ વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે તેમણે પોતે પોતાના શરીરમાં આપણા પાપો માટે શિક્ષા સહન કરી કે જેથી આપણે પાપ કરવાનું બંધ કરીએ અને ન્યાયીપણાથી જીવવાનું શરુ કરીએ.
\p લોકોએ તેમને ઘાયલ કર્યા તે કારણે ઈશ્વરે તમને સાજા કર્યા છે.
\v 25 તમે ખરેખર ખોવાઈ ગયેલાં ઘેટાં જેવા જ હતા, પણ હવે તમે ઈસુ પાસે પાછા આવ્યા છો, કે જેઓ જેમ ઘેટાંપાળક ઘેટાંની કાળજી રાખે તેમ તમારી કાળજી રાખે છે.
\s5
\c 3
\p
\v 1 વિશ્વાસી સ્ત્રીઓ, તમારે તમારા પતિઓને સમર્પિત થવું જોઈએ. એ માટે કે જો તેઓમાંનો કોઈ ખ્રિસ્ત વિષેના સંદેશા પર વિશ્વાસ કરતો ન હોય તો પણ તમારા કશું કહ્યા વિના તેઓ વિશ્વાસી બની જાય.
\v 2 જ્યારે તેઓ જોશે કે તમે તેમનું સન્માન કરો છો અને તેમને સંપૂર્ણપણે વિશ્વાસુ છો ત્યારે તેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરશે.
\s5
\v 3 આ પ્રમાણે કરવાના પ્રયત્ન રૂપે તમે તમારા શરીરોને બહારની સજાવટથી, એટલે કે વાળ ગૂંથીને કે સોનાનાં ઘરેણાં અને સારાં વસ્ત્રો પહેરીને ન શણગારો.
\v 4 તેને બદલે, તમે તમારા આંતરિક વ્યક્તિત્વને ઝાંખું ન પડે એવી રીતે સુંદર બનાવો. મારો અર્થ એ છે નમ્ર અને શાંત વલણ રાખો કે જે એવી બાબત છે જેને ઈશ્વર અતિ મૂલ્યવાન ગણે છે.
\s5
\v 5 જે સ્ત્રીઓ વર્ષો અગાઉ થઈ ગઈ અને જેઓ ઈશ્વરનું સન્માન કરતી હતી, તેઓ આ પ્રમાણે પોતાને સુંદર બનાવતી હતી. તેઓ ઈશ્વર પર ભરોસો રાખતી હતી અને પોતાના પતિઓને આધીન થતી હતી.
\v 6 ઉદાહરણ તરીકે, સારા પોતાના પતિ ઇબ્રાહિમને આધીન થતાં તેને સ્વામી કહીને બોલાવતી હતી. જો તમે જે ખરું છે તે કરશો અને તમે વિશ્વાસી છો તે કારણે તમારા પતિઓ કે બીજા કોઈ તમને કશું કરે તેથી ડરતી નથી તો ઈશ્વર તમને પોતાની દીકરીઓ ગણશે.
\b
\p
\s5
\v 7 તમે પુરુષો કે જેઓ વિશ્વાસીઓ છો, જેમ તમારી પત્નીઓએ તમને માન આપવું જોઈએ તેમ તમારે પણ તમારા જીવનોમાં તેઓની સાથે યોગ્ય વર્તણુંક રાખવી જોઈએ. તેઓ સામાન્ય રીતે તમારા કરતાં વધારે નાજુક હોય છે એમ સમજીને તેઓની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરો. પણ સાથે એ પણ ખ્યાલ રાખો કે ઈશ્વર, તમારી જેમ તેઓને પણ સદાકાળ જીવવાને માટે તૈયાર કરી રહ્યા છે. આ પ્રમાણે કરો કે જેથી તમને પ્રાર્થના કરવામાં કશું અડચણરૂપ થાય નહીં.
\p
\s5
\v 8 મારા પત્રના આ ભાગનો અંત લાવતાં હું તમ સર્વને કહું છું કે તમે જે વિચારો છો તેમાં એકબીજા સાથે સંમત થાઓ. એકબીજા પ્રત્યે લાગણીશીલ થાઓ. એક જ કુટુંબના સભ્યો જેવો પ્રેમ એકબીજાને કરો. એકબીજા પ્રત્યે કરુણાભાવથી વર્તો. નમ્ર થાઓ.
\v 9 જ્યારે લોકો તમારી સાથે ખરાબ બાબતો કરે અથવા તમને અપમાનિત કરે ત્યારે તેઓની સાથે તે જ પ્રમાણે ન વર્તો. તેને બદલે, ઈશ્વરને કહો કે તેઓને સહાય કરે, કારણ કે તમને આ પ્રમાણે કરવાને માટે ઈશ્વર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે કે જેથી તેઓ તમને મદદ કરે.
\s5
\v 10 ગીતકર્તાએ આપણા યોગ્ય જીવન વ્યવહાર વિષે શું લખ્યું છે તે પર ઘ્યાન આપો:
\q1 "જેઓ જીવનને માણવા ઈચ્છે છે અને તેમની સાથે સારી બાબતો બને તેવું ઈચ્છે છે,
\q1 તેઓએ, જે ખરાબ છે તે બોલવું જ નહિ અને બીજાઓને છેતરતી બાબતો કહેવી નહિ.
\q1
\v 11 તેઓએ દુષ્ટ બાબતો કરવાનો સતત ઇનકાર કરવો, પણ તેને બદલે જે સારું છે તે કરવું.
\q1 તેઓએ લોકો એકબીજા સાથે શાંતિપૂર્વક વર્તે માટે સહાય કરતા પ્રયત્નો કરવા;
\q1 તેઓએ લોકોને શાંતિપૂર્વક વર્તવા આગ્રહપૂર્વક અરજ કરવી,
\q1
\v 12 કારણ કે ન્યાયી લોકો જે કરે છે તે ઈશ્વર સ્વીકારે છે.
\q1 ન્યાયીઓ જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે તેઓ સાંભળે છે, અને તેમને ઉત્તર આપે છે.
\q1 પણ જેઓ દુષ્કૃત્ય કરે છે તેઓનો ઈશ્વર નકાર કરે છે.'
\p
\s5
\v 13 જો તમે, જે સારું છે તે કરવા બધા જ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છો તો કોણ તમને નુકસાન કરશે?
\v 14 પણ જે સારું છે તે તમે કર્યું છતાં પણ તમારે સહન કરવું પડે છે તો ઈશ્વર તમને આશીર્વાદ આપશે. "બીજાઓ ડરે છે તેવી બાબતોથી તમે ન ડરો; અને લોકો તમારી સાથે દુર્વ્યવહાર કરે ત્યારે દુઃખી ન થાઓ."
\s5
\v 15 તેને બદલે, તમારા અંતરાત્મામાં ખ્રિસ્તને તમારા સ્વામી તરીકે કબૂલ કરો, કે જેમને તમે પ્રેમ કરો છો. ઈશ્વર તમારા માટે જે કરશે જ એવી ખાતરીપૂર્વકની જે અપેક્ષા તમે રાખો છો, તે વિષે જાણવાની જો કોઈ, તમારી પાસે માગણી કરે તો તેવાઓને પ્રત્યુત્તર આપવા હંમેશા તૈયાર રહો. પણ તેઓને નમ્રતાથી અને આદરપૂર્વક રીતે પ્રત્યુત્તર આપો,
\v 16 અને ચોકસાઈ રાખો કે તમે કશું ખોટું ન કરો, જેથી જેઓ તમારા વિષે ખોટું બોલે છે તેઓ જ્યારે, ખ્રિસ્ત સાથેના સંબંધને કારણે જે રીતે તમે સારી વર્તણૂક રાખો છો તે જુએ ત્યારે તેઓ શરમાઈ જાય.
\v 17 શક્ય છે કે ઈશ્વર ઇચ્છતા હોય કે તમે સહન કરો. જો એમ છે તો એ સારાં કામો કરવાથી સહન કરવું પડે તેમ હોય તો પણ, ખોટાં કૃત્યો કરવા કરતાં સારાં કામો કરવાં તે વધારે સારું છે.
\s5
\v 18 હું આ કહું છું કારણ કે જે લોકોએ પાપ કર્યું હતું તેઓને માટે ખ્રિસ્ત એકવાર મરણ પામ્યા. તેઓ ન્યાયી માણસ હતા કે જે અન્યાયી માટે મરણ પામ્યા. તેઓ એટલા માટે મરણ પામ્યા કે જેથી તેઓ આપણને ઈશ્વર પાસે લાવી શકે. તેમની પાસે માનવીય શરીર હતું ત્યારે તેમને મારી નાખવામાં આવ્યા, પરંતુ ઈશ્વરના આત્માએ તેમને સજીવન કર્યા.
\v 19 આત્માએ તેમને એ માટે પણ સમર્થ કર્યા કે જેથી તેઓ જઈને દુષ્ટાત્માઓ, કે જેઓને ઈશ્વરે કેદ કર્યા હતા, તેઓને ઈશ્વરનો વિજય પ્રગટ કરે.
\v 20 વર્ષો પહેલા, નૂહ વહાણ બનાવી રહ્યો હતો તે દરમિયાન, લોકો તેમના ખરાબ વર્તનોથી પાછા ફરે તે માટે જ્યારે ઈશ્વર ધીરજથી રાહ જોતા હતા, ત્યારે આ દુષ્ટાત્માઓ તેમને આધીન થયા નહિ. તે વહાણમાં માત્ર થોડા જ લોકોનો બચાવ થયો. સ્પષ્ટ જોતાં ઈશ્વર આઠ માણસોને જળપ્રલયના પાણીમાંથી સલામત રીતે બહાર લાવ્યા, જ્યારે બીજા બધા તેમાં ડૂબી ગયા.
\s5
\v 21 એ પાણી તો, આપણે જે પાણીમાં બાપ્તિસ્મા પામ્યા તેને દર્શાવે છે કે જેના દ્વારા ઈશ્વર આપણને બચાવે છે, કારણ કે તેમણે ઈસુ ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડ્યા છે. આ પાણી, ખરેખર તો આપણાં શરીરોનો મેલ સાફ કરતું નથી. ઊલટું, તે એવું દર્શાવે છે કે, ઈશ્વરે આપણા પાપનો દોષ હટાવી દીધો છે તેની ખાતરી આપવા આપણે ઈશ્વરને વિનંતી કરીએ છીએ.
\v 22 ખ્રિસ્ત સ્વર્ગમાં ગયા છે અને ઈશ્વરે સર્વ દુષ્ટ અને પરાક્રમી આત્માઓને તેમને હવાલે કર્યા બાદ તેઓ ઈશ્વર પછીના સર્વોચ્ચ માનવંત સ્થાનેથી રાજ કરે છે.
\b
\s5
\c 4
\p
\v 1 એ માટે, ખ્રિસ્તે તેમના શરીરમાં સહન કર્યું તે કારણે તમારે પણ સહન કરવા તૈયાર રહેવું જોઈએ. જેઓ શરીરમાં સહન કરે છે તેઓએ પાપ કરવાનું બંધ કર્યું છે.
\v 2 પરિણામે, તેમના પૃથ્વી પરના બાકી રહેલા સમયમાં,પાપી લોકો જે બાબતો કરવાનું ઇચ્છે છે તે તેઓ કરતા નથી, પણ તેને બદલે ઈશ્વર જે ઈચ્છે છે તે બાબતો તેઓ કરે છે.
\s5
\v 3 હું તમને આ કહું છું કારણ કે, ઈશ્વરને નહીં ઓળખતા લોકોને ગમતી બાબતો કરવામાં તમે તમારો પૃથ્વી પરનો ઘણો બધો સમય ગાળી ચૂક્યા છો. ભૂતકાળમાં તમે સર્વ પ્રકારનાં જાતીય અનૈતિક કૃત્યો કર્યાં હતાં, તમે દારૂ પીતા હતા, અને મદ્યપાનમાં તથા મોજશોખમાં ભાગ લેતા હતા અને તમે મૂર્તિઓની પૂજા કરી કે જે ઈશ્વરને ધિક્કારપાત્ર લાગે છે.
\p
\v 4 હાલમાં તમારા મિત્રોને આશ્ચર્ય થાય છે કે જ્યારે તેઓ આ બાબતો કરે છે ત્યારે તમે તેઓની સાથે હવે સામેલ થતા નથી. પરિણામે તેઓ તમારા વિષે ખરાબ બોલે છે.
\v 5 પણ તેઓએ જે કંઈ કર્યું છે તે તેઓએ એક દિવસે ઈશ્વર પાસે કબૂલવું પડશે. ઈશ્વર જ તેમનો ન્યાય કરશે.
\v 6 આ જ કારણથી ખ્રિસ્તે મૃત્યુ પામેલાઓને સુવાર્તા પ્રગટ કરી. ખ્રિસ્તે તેમ કર્યું કે જેથી, જો કે જ્યારે તે લોકો જીવંત હતા ત્યારે ઈશ્વરે તેઓનો ન્યાય કર્યો હતો તેમ છતાં, તેઓ પવિત્ર આત્માના સામર્થ્ય વડે ઈશ્વરની જેમ સદાકાળ જીવે.
\s5
\v 7 પૃથ્વી પરની સર્વ બાબતોનો અંત જલદી આવવાનો છે. માટે, વિવેકપૂર્ણ રીતે વિચારો અને તમે જે વિચારો છો તે પર કાબૂ રાખો કે જેથી કરીને તમે યોગ્ય રીતે પ્રાર્થના કરી શકો.
\v 8 સૌથી અગત્યની બાબત એ છે કે તમે એકબીજા પર અંત:કરણપૂર્વક પ્રેમ કરો, કારણ કે જો આપણે બીજાઓને પ્રેમ કરીએ તો આપણે તેઓએ જે ખોટું કર્યું છે તે શોધવા પ્રયત્ન કરીશું નહિ.
\v 9 તમારી મધ્યે આવતા ખ્રિસ્તી મુસાફરોને ખોરાક અને સૂવા માટેની જગ્યા પૂરી પાડો, અને ફરિયાદ કર્યા વિના તે કરો.
\s5
\v 10 વિશ્વાસીઓએ ઈશ્વરે તેમને આપેલા સર્વ દાનોનો ઉપયોગ બીજાઓની સેવા કરવા માટે કરવો જોઈએ. ઈશ્વરે તેમને ઉદારતાથી આપેલાં વિવિધ દાનોનો તેઓએ સારો વહીવટ કરવો જોઈએ.
\v 11 જેઓ વિશ્વાસીઓની સભામાં બોલે છે તેઓએ ઈશ્વરના જ શબ્દો બોલતા હોય તેમ બોલવું જોઈએ. જેઓ બીજાઓને માટે ભલાઈનાં કૃત્યો કરે છે તેઓએ ઈશ્વરે આપેલી શક્તિ પ્રમાણે કરવું જોઈએ, કે જેથી ઈસુ ખ્રિસ્ત દ્વારા તે પ્રમાણે કરતા તમે ઈશ્વરનું સન્માન કરો. આપણે બધા ઈશ્વરની સ્તુતિ કરીએ કારણ કે તેમની પાસે બધા પર સર્વકાળ રાજ કરવાની સત્તા છે. એ પ્રમાણે થાઓ!
\s5
\v 12 જેઓને હું પ્રેમ કરું છું એવા તમે, ખ્રિસ્તના હોવાને કારણે જે પીડાકારક બાબતો સહન કરો છો તે વિષે આશ્ચર્યચકિત ન થાઓ. લોકો જેમ અગ્નિથી ધાતુની કસોટી કરે છે તેમ તે બાબતો તમારી કસોટી કરે છે. એવું ન વિચારો કે તમારી સાથે કશું વિચિત્ર બની રહ્યું છે.
\v 13 તેને બદલે, ખ્રિસ્તે જે બાબતો સહન કરી તે જ તમે સહન કરી રહ્યા છો તેને લીધે તમે આનંદ કરો. જ્યારે તમે સહન કરો ત્યારે તમે આનંદ કરો, એટલા માટે કે જ્યારે ખ્રિસ્ત આવે અને પોતે કેટલા મહિમાવંત છે તે બતાવે ત્યારે તમે પણ ઘણા આનંદિત થાઓ.
\v 14 તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કરો છો માટે જો બીજાઓ તમને અપમાનિત કરે તો ઈશ્વર તમારાથી પ્રસન્ન થાય છે, કારણ કે તે દર્શાવે છે મહાન ઈશ્વરનો આત્મા, તમારામાં વસે છે.
\s5
\v 15 હત્યા કરવાના કારણસર, કે ચોરી કરવાને લીધે, કોઈ ખરાબ બાબત કરવાને લીધે અથવા કોઈના કામમાં માથું મારવાને લીધે તમારે સહન કરવું પડે એવું ના થવા દો.
\v 16 પણ જો તમે ખ્રિસ્તી હોવાને કારણે સહન કરો છો તો તે બાબતે શરમાશો નહિ. તેને બદલે, ઈશ્વરની સ્તુતિ કરો કે તમે સહન કરી રહ્યા છો કારણ કે તમે ખ્રિસ્તના છો.
\s5
\v 17 હું આ કહું છું, કારણ કે ઈશ્વર લોકોનો ન્યાય કરવાનું શરૂ કરે એ સમય હવે આવી ગયો છે, અને સૌથી પ્રથમ ઈશ્વર જેઓ તેમના છે તેમનો ન્યાય કરશે. તેઓ સૌ પ્રથમ આપણ વિશ્વાસીઓનો ન્યાય કરવાના છે માટે જેઓ ઈશ્વર તરફથી આવતા શુભ સંદેશને આધીન થતા નથી તેઓની સાથે જે ભયંકર બાબતો થશે તે વિષે વિચાર કરો!
\v 18 તે તો શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે થશે કે:
\q1 ઘણા ન્યાયી લોકોને સ્વર્ગમાં જતા અગાઉ ઘણી અઘરી કસોટીઓ સહન કરવી પડશે.
\q1 માટે અધર્મી અને પાપી લોકોને તો ઈશ્વર તરફથી ચોક્કસપણે વધારે કઠોર શિક્ષા સહન કરવી પડશે!"
\p
\v 19 એ માટે, જેઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સહન કરે છે તેઓએ ઈશ્વર પર ભરોસો કરવો જોઈએ કે ઈશ્વર તેઓને બચાવશે, ઈશ્વરે જ તેઓનું સર્જન કર્યું અને ઈશ્વર જ પોતે આપેલા વચન પ્રમાણે હંમેશા કરે છે. અને તેથી તેઓએ જે યોગ્ય છે તે કરવાનું ચાલુ રાખવું જોઈએ.
\s5
\c 5
\p
\v 1 હવે તમારામાં જેઓ વડીલો છે કે જેઓ વિશ્વાસીઓની મંડળીઓને આગેવાની આપે છે, તેઓને હું આ પ્રમાણે કહીશ: હું પણ એક વડીલ છું. જેમણે ખ્રિસ્તને સહન કરતા જોયા છે તેઓમાંનો હું પણ એક છું, સ્વર્ગમાં જે મહિમા ખ્રિસ્તની પાસે છે તેમાં હું પણ ભાગીદાર થવાનો છું.
\v 2 હું તમ વડીલોને અપીલ કરું છું કે તમારી મંડળીઓમાં જે લોકો છે તેઓની તમે કાળજી લો. જેમ ઘેટાંપાળકો પોતાનાં ઘેટાંના ટોળાની કાળજી રાખે છે તેમ તમે પણ કરો. તમારે તે કરવું પડે છે તે કારણે નહિ પણ તેને બદલે જેમ ઈશ્વર ઈચ્છે છે તેમ રાજીખુશીથી કરો. તે કરવાને લીધે પૈસા મેળવવા લોભી ન થાઓ, પરંતુ તેને બદલે ઉત્સાહપૂર્વક તે કરો.
\v 3 ઈશ્વરે તમને સોંપેલા લોકો ઉપર અંકુશ રાખનાર ઉપરીની જેમ ન વર્તો, પણ તેને બદલે, તમારા જીવનોની વર્તણૂકથી તેઓને ઉદાહરણરૂપ થાઓ.
\v 4 જો તમે આ પ્રમાણે કરો તો જ્યારે ઈસુ જે આપણા મુખ્ય ઘેટાંપાળક છે તેઓ આવશે ત્યારે તેઓ તમને દરેકને ભવ્ય બદલો આપશે. હરિફાઇ જીતનાર રમતવીરોને જેવી રીતે ચંદ્રકો પહેરાવવામાં આવે છે તેવો તે બદલો હશે, પણ તમારો બદલો તે ચંદ્રકો જેમ જીર્ણ થાય છે તેમ કદી જીર્ણ નહિ થાય.
\p
\s5
\v 5 જુવાન માણસો હવે હું તમને આ કહીશ. સભામાં તમારે વૃદ્ધ માણસોને આધીન થવું. તમારામાંના સર્વ વિશ્વાસીઓએ એકબીજા પ્રત્યે નમ્રતાથી વર્તવું કારણ કે એ સત્ય છે કે જેઓ અભિમાની છે તેઓનો ઈશ્વર વિરોધ કરે છે, પણ જેઓ નમ્ર છે તેઓની સાથે ઈશ્વર ભલાઈથી વર્તે છે.
\p
\v 6 એ માટે, ઈશ્વર પાસે અભિમાની લોકોને શિક્ષા કરવાનું સામર્થ્ય છે તેનો ખ્યાલ રાખતાં પોતાને નમ્ર બનાવો કે જેથી તેઓ તમને તેમણે નિર્ધારિત કરેલા સમયે માન આપે.
\v 7 તેઓ તમારી કાળજી રાખે છે તે કારણે જે સર્વ બાબતો વિષે તમે ચિંતા કરો છો તેની કાળજી ઈશ્વરને લેવા દો.
\p
\s5
\v 8 હંમેશા સાવચેત રહો અને ધ્યાન આપો કારણ કે શેતાન, જે તમારો શત્રુ છે, તે લોકોનો નાશ કરવા આમતેમ શોધતો ફરે છે. તે કોઈકને મારીને ગળી જવા માટે આમતેમ ભટકતા ગર્જના કરતા સિંહ જેવો છે.
\v 9 તમારે ખ્રિસ્ત અને તેમના સંદેશામાં દ્રઢ ભરોસો રાખીને એવું યાદ રાખતા તેનો પ્રતિકાર કરવો કે સમગ્ર જગતના તમારા સાથી વિશ્વાસીઓ આવી જ મુશ્કેલીઓ સહન કરે છે.
\s5
\v 10 જેઓ આપણને સર્વ પરિસ્થિતિમાં માયાળુપણે મદદ કરે છે તે તો ઈશ્વર જ છે, અને આપણે ખ્રિસ્ત સાથે જોડાયા છીએ તે કારણે આપણને સ્વર્ગમાં પોતાના મહિમાના ભાગીદાર થવા પસંદ કર્યા તે પણ ઈશ્વર જ છે. અને લોકો તમને નુકસાન કરે છે તે કારણે થોડી વાર સહન કર્યા પછી તેઓ તમારી આત્મિક ક્ષતિઓને દૂર કરશે, તેઓ તમને તેમના પર વધુ ભરોસો કરવા બળવાન કરશે અને તેઓ તમને દરેક રીતે ટેકો આપશે.
\v 11 હું પ્રાર્થના કરું છું કે તેઓ સર્વકાળ પરાક્રમથી રાજ કરે. એ પ્રમાણે થાઓ!
\p
\s5
\v 12 મેં આ પત્ર સિલાસ પાસે બોલીને લખાવ્યો છે. તે એક વિશ્વાસુ સાથી વિશ્વાસી છે એમ હું માનું છું. મેં આ એક નાનો પત્ર તમને ઉત્તેજન આપવા માટે લખ્યો છે અને હું તમને ખાતરી આપવા માગું છું કે જેને આપણે લાયક નથી તે બાબતો ઈશ્વર આપણા માટે ભલાઈથી કરે છે, તે વિશેનો જે સંદેશો મેં લખ્યો તે સાચો છે. આ સંદેશામાં દ્રઢતાથી વિશ્વાસ કરતા રહો.
\p
\v 13 આ શહેર, જેને આપણે ક્યારેક 'બેબિલોન' કહીએ છીએ તેમાંના વિશ્વાસીઓ, જેમને ઈશ્વરે જેમ તમને પસંદ કર્યા છે તેમ પોતાના થવા માટે પસંદ કર્યા છે, તેઓ તમને તેમની સલામ પાઠવે છે. માર્ક જે મારા પુત્ર જેવો છે તે પણ તમને સલામ પાઠવે છે.
\v 14 તમે એકબીજા પર પ્રેમ કરો છો તે દર્શાવવા દરેકને ગાલ પર ચુંબન કરીને સલામ પાઠવજો. હું પ્રાર્થના કરું છું કે, ખ્રિસ્ત સાથે જોડાયેલા તમ સર્વને ઈશ્વર શાંતિ આપે.

112
62-2PE.usfm Normal file
View File

@ -0,0 +1,112 @@
\id 2PE - UDB Guj
\ide UTF-8
\h પિતરનો બીજો પત્ર
\toc1 પિતરનો બીજો પત્ર
\toc2 પિતરનો બીજો પત્ર
\toc3 2pe
\mt1 પિતરનો બીજો પત્ર
\s5
\c 1
\p
\v 1 હું સિમોન પિતર તમને આ પત્ર લખી રહ્યો છું. હું ખ્રિસ્તની સેવા કરું છું અને તેમણે નિમણૂંક કરેલો એક પ્રેરિત છું. હું આ પત્ર તમને એટલે કે જેમને ઈશ્વરે અમારી જેમ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા કર્યા છે તેઓને મોકલી રહ્યો છું. તમને અને અમને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનું એક સરખું માન મળ્યું છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, તેઓ સંપૂર્ણ ન્યાયી છે, જેમની આપણે આરાધના કરીએ છીએ તેઓ પણ તે જ છે અને તેઓ આપણા ઉધ્ધારનાર છે.
\v 2 હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમારા પ્રત્યે ઘણી ભલાઈ રાખે અને તમને ભરપૂર શાંતિ આપે, કારણ કે તમે સાચે જ ઈશ્વરને અને ઈસુ, જે આપણા પ્રભુ છે તેમને ઓળખો છો.
\p
\s5
\v 3 આપણને જેની જરૂર છે તે બધું જ ઈશ્વરે આપણને એટલા માટે આપ્યું છે કે આપણે સર્વકાળ જીવીએ અને તેમનું સન્માન કરીએ. ઈશ્વર તરીકે તેઓ પોતાના સામર્થ્ય દ્વારા આમ કરે છે અને આપણે તેમને ઓળખીએ છીએ માટે તેઓ આમ કરે છે. આપણે તેમને ઓળખીએ છીએ તેના પરિણામસ્વરૂપે પણ તેમણે આપણને તે બધુ આપ્યું છે. તેમણે આપણને તેમના લોકો થવા પસંદ કર્યા છે કારણ કે તેઓ પરાક્રમી અને ભલા છે.
\v 4 એવા હોઈને તેમણે આપણને વચન આપ્યું છે કે તેઓ આપણા માટે મહાન અને અમૂલ્ય બાબતો કરશે. તેઓએ તમને એમ પણ કહ્યું છે કે તમે તેમણે આપેલા વચનમાં વિશ્વાસ કરો છો ત્યારે જેમ ઈશ્વર યોગ્ય રીતે વર્તે છે તેમ યોગ્ય રીતે વર્તવા તમે સમર્થ થશો, અને અવિશ્વાસીઓ કરે છે તેમ દુષ્ટ બાબતો કરવાની ઈચ્છાને કારણે તમે નાશના માર્ગ પર નહીં જાઓ.
\p
\s5
\v 5 ઈશ્વરે તે સર્વ કર્યું છે તે કારણે, કેવળ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા માટે જ નહીં પણ સારાં જીવનો જીવવા માટે પણ બને તેટલો શ્રેષ્ઠ પ્રયાસ કરો. અને ખાતરી કરો કે તમે કેવળ સારાં જીવનો જ જીવી રહ્યા નથી પણ ઈશ્વર વિષે વધુ ને વધુ શીખી પણ રહ્યા છો.
\v 6 તે ઉપરાંત, ઈશ્વર વિષે વધુ ને વધુ શીખવા માટે જ નહીં પણ તમે જે કહો અને કરો છો તેમાં પોતાના ઉપર કાબૂ રાખવા માટે પણ બને તેટલો શ્રેષ્ઠ પ્રયાસ કરો. અને ખાતરી કરો કે તમે જે કહો અને કરો છો તેમાં કેવળ પોતાના ઉપર કાબૂ રાખો છો એટલું જ નહીં પણ તમે તેમને વિશ્વાસુ પણ છો. અને ખાતરી કરો કે તમે કેવળ તેમને વિશ્વાસુ છો એટલું જ નહીં પણ તમે તેમને માન પણ આપો છો.
\v 7 અને ખાતરી રાખો કે તમે કેવળ તેમને માન આપો એટલું જ નહીં પણ જેમ ભાઈઓ અને બહેનોએ એકબીજાની કાળજી રાખવી જોઈએ તેમ તમે સાથી વિશ્વાસીઓની કાળજી રાખો. અને ખાતરી કરો કે તમે કેવળ સાથી વિશ્વાસીઓની કાળજી રાખો એટલું જ નહીં પણ તમે બીજાઓ પર પણ પ્રેમ કરો.
\s5
\v 8 જો તમે આ સર્વ બાબતો કરો અને તેઓને વધુ ને વધુ પ્રેમ કરો તો તે દર્શાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી તમારાં જીવનોમાં મહાન પરિણામો ઉત્પન્ન થાય છે.
\v 9 પણ જો લોકો વિષે આ બાબતો સાચી નથી તો તેનો અર્થ એ થાય છે કે જેમ કોઈ દ્રષ્ટિહીન માણસને પોતાની આસપાસ શું છે તે ખબર નથી તેમ તેઓને આ બાબતો અગત્યની છે તેની ખબર નથી. જેમ કોઈ ઝાંખી દ્રષ્ટિવાળો માણસ કેવળ જે નજીક છે તે જ બાબતો સ્પષ્ટ જોઈ શકે છે તેમ તેઓ માત્ર પૃથ્વી પરની બાબતો વિષે જ વિચારે છે. ઈશ્વરે તેઓને તેઓના અગાઉના પાપી જીવન માટે માફી આપી છે તે તેઓ ભૂલી ગયા હોય તેવું લાગે છે.
\s5
\v 10 તેવા લોકો જેવો વ્યવહાર કરવાને બદલે, એવું કરવાનો પ્રયત્ન કરો કે જેથી લોકો જાણે કે ઈશ્વરે તમને તેમના લોકો થવા પસંદ કર્યા છે. જો તમે તેમ કરો તો તમે ચોક્કસપણે કદી ઈશ્વરથી વિખૂટા પડશો નહિ.
\v 11 અને જ્યાં આપણા પ્રભુ અને ઉધ્ધારનાર ઈસુ ખ્રિસ્ત પોતાના લોકો પર સદાકાળ રાજ કરનાર છે ત્યાં ઈશ્વર પૂરા હૃદયથી તમારો આવકાર કરશે.
\p
\s5
\v 12 આ બાબતો તમે જાણો છો અને તેઓ સાચી છે તેની તમને દ્રઢ ખાતરી છે તોપણ હું તેઓ વિષે તમને વારંવાર યાદ અપાવતો રહું એવો મારો ઈરાદો છે.
\v 13 હું જીવું છું ત્યાં સુધી આ બાબતો તમને યાદ કરાવીને તેઓ વિષે તમે નિરંતર વિચારતા રહો માટે મારે તમારી મદદ કરવી જોઈએ એ હું યોગ્ય ગણું છું,
\v 14 કારણ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને સ્પષ્ટ પ્રગટ કર્યું છે તેમ હું જાણું છું કે હું જલદી મરણ પામવાનો છું.
\v 15 તે ઉપરાંત, મારા મરણ પછી આ બાબતોને તમે સર્વ સમયે યાદ રાખો માટે તેઓને લખીને તમને શક્તિમાન કરવા હું બધી જ કોશિશ કરીશ.
\p
\s5
\v 16 અમે પ્રેરિતોએ તમને કહ્યું હતું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરાક્રમી છે અને એક દિવસે તેઓ પાછા આવવાના છે. અમે તમને જે કહ્યું હતું તેનો આધાર અમે ચતુરાઈથી સર્જેલી વાર્તાઓ પર નહોતો. તેને બદલે, અમે પોતે અમારી પોતાની આંખોથી જે જોયું કે તે તમને કહ્યું કે પ્રભુ ઈસુ સર્વોચ્ચ રીતે મહાન છે.
\v 17 જ્યારે તેમની આસપાસ ઈશ્વરનો મહાન પ્રકાશ ઘેરાઈ વળ્યો ત્યારે ઈશ્વર આપણા પિતાએ તેમને મોટું માન આપ્યું અને તેમણે કહ્યું "આ મારો પુત્ર છે, જેને હું ખૂબ જ પ્રેમ કરું છું; હું તેનાથી પ્રસન્ન છું."
\v 18 અમે જ્યારે ખ્રિસ્ત સાથે તે પવિત્ર પર્વત પર હતા ત્યારે અમે પોતે ઈશ્વરને સ્વર્ગમાંથી એવું કહેતાં સાંભળ્યા હતા.
\s5
\v 19 અમને તેથી પણ વધારે ખાતરી છે કે ખ્રિસ્ત વિષે પ્રબોધકોએ ઘણા સમય અગાઉ જે લખ્યું હતું તે સંપૂર્ણ આધારભૂત છે. તેઓએ જે લખ્યું હતું તે પર ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે તે અંધારી જગ્યાએ પ્રકાશતા દીવા જેવું છે કે જે લોકોને પોતે ક્યાં જઈ રહ્યા છે તે જોવા સહાય કરે છે. દિવસ ઊગે અને સવારનો તારો તમારા હૃદયોમાં ઊગે ત્યાં સુધી તે પ્રકાશ ચમકશે.
\v 20 તમારે એ સમજવું અગત્યનું છે કે કોઈ પણ પ્રબોધક પોતાની કલ્પનાથી અર્થઘટન કરી શકતો નથી.
\v 21 કોઈ પણ પ્રબોધવાણી મનુષ્યના નિર્ણયથી આવતી નથી. જેઓ ઈશ્વર તરફથી સંદેશાઓ બોલ્યા તેઓએ જ્યારે પવિત્ર આત્માએ તેઓને તેમ કરવા સહાયતા કરી ત્યારે જ બોલ્યા. એ માટે પવિત્ર આત્માએ આપણને તેનો અર્થ સમજવા મદદ પણ કરવી જોઈએ.
\s5
\c 2
\p
\v 1 ઘણાં વર્ષો અગાઉ, ઇઝરાયલીઓ મધ્યે વિવિધ લોકો ઈશ્વર તરફથી સાચો સંદેશો આપવાનો ઢોંગ કરતા હતા, અને લોકો તમારી સાથે પણ એમ જ કરશે. શરૂઆતમાં તમને ખબર નહિ પડે કે તેઓ કોણ છે, અને તેઓ કેટલાકને ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા અટકાવશે; જો કે પ્રભુએ જ તેમને છોડાવ્યા છે તો પણ તેઓ એવું વિચારવાની શરૂઆત કરશે કે પ્રભુ અગત્યના નથી. પણ ઈશ્વર જલદીથી આ ખોટા પ્રબોધકોનો નાશ કરશે.
\v 2 અને ઘણા વિશ્વાસીઓ આ જૂઠા પ્રબોધકો કેવું જીવે છે તેનું અનુકરણ કરશે. આ પ્રમાણે તેઓ ઈશ્વર વિષેના સત્યનું અપમાન કરશે.
\v 3 તમારાથી તેઓને લાભ થાય એ રીતનું જૂઠ્ઠું તેઓ કહેશે. ઈશ્વર તેઓને શિક્ષા કરવામાં વધુ રાહ નહિ જુએ; તેઓ જલદીથી નાશ પામશે.
\p
\s5
\v 4 જે દૂતોએ પાપ કર્યું તેઓનો ઈશ્વરે નાશ કર્યો. તેઓએ તેમને સૌથી ખરાબ સ્થળ નર્કમાં ફેંકી દીધા અને તેઓ તેમનો ન્યાય કરીને શિક્ષા કરે ત્યાં સુધી તેઓને ત્યાં રાખી મૂકવા ત્યાં જ અંધકારમાં તેઓને કેદ કર્યા.
\v 5 ઈશ્વરે જેઓ બહુ સમય અગાઉ જગતમાં રહેતા હતા તે લોકોનો પણ નાશ કર્યો. તેમણે નૂહ કે જે ન્યાયી પ્રચારક હતો તેની સાથે ફક્ત આઠને જ બચાવ્યા. તે સમયે જીવતા સર્વ અધર્મી લોકોનો પૂરથી નાશ કર્યો ત્યારે ઈશ્વરે એ પ્રમાણે કર્યું.
\v 6 તેમણે સદોમ અને ગમોરાહ શહેરોને પણ દોષિત ઠરાવ્યા અને પછી રાખ થયાં ત્યાં સુધી સંપૂર્ણ બાળી નાખ્યાં. જેઓ હવે પછી ઈશ્વરનું અપમાન કરતું જીવન જીવશે તેઓને માટે આ ચેતવણી છે.
\s5
\v 7 પણ તેમણે ઇબ્રાહિમના ભત્રીજા લોતને બચાવ્યો કે જે એક ન્યાયી માણસ હતો. સદોમના લોકો બહુ જ ભ્રષ્ટ કૃત્યો કરતા હતા તે કારણે લોતને ઘણી જ તકલીફ થતી હતી.
\v 8 તે ન્યાયી માણસ દુઃખી હતો કારણ કે ઈશ્વરના નિયમની વિરુદ્ધ લોકો જે બાબતો કરતા હતા તેને તે દરરોજ જોતો અને સાંભળતો હતો.
\v 9 અને પ્રભુ ઈશ્વરે લોતને બચાવ્યો તે કારણે તમે ચોક્કસ થઇ શકો છો કે જેઓ ઈશ્વરનું માન રાખે છે તેઓને કેવી રીતે બચાવવા અને જેઓ તેમનું માન નથી રાખતા તેઓને શિક્ષા કરવાના સમય માટે કેવી રીતે રાખી મૂકવા તે ઈશ્વર જાણે છે.
\s5
\v 10 જેઓ પોતાને મન ફાવે તેમ જીવે છે એટલે કે એવી બાબતો કરે છે કે જે ઈશ્વરને નાખુશ કરે છે, તેઓને ઈશ્વર ખાસ કરીને સખ્તાઈથી શિક્ષા કરશે. તેઓ પોતાની ઈચ્છા મુજબ જે ચાહે તે હિંમતપૂર્વક કરે છે, તેઓ ઈશ્વરના પરાક્રમી દૂતોનું પણ અપમાન કરે છે.
\v 11 પણ જો કે ઈશ્વરના દૂતો તેઓના કરતાં ઘણા વધારે પરાક્રમી છે તોપણ તેઓ ઈશ્વરની આગળ કોઈનું પણ અપમાન નથી કરતા, આવા લોકોનું પણ નહિ!
\s5
\v 12 જેઓ ખોટી બાબતો શીખવે છે એટલે કે જેઓ પશુઓ જેવા છે કે જે આપણી જેમ વિચારી શકતા નથી તેઓ ઈશ્વર કે જેઓને તેઓ જાણતા પણ નથી તેઓ વિષે ખરાબ બોલે છે. માટે તેઓ તેમનો નાશ એ પ્રમાણે કરશે જે પ્રમાણે આપણે જંગલી પશુઓ, કે જે કુદરત માટે પણ ઉપયોગી નથી તેનો શિકાર કરીને નાશ કરીએ છીએ.
\v 13 જે ખોટી બાબતો તેઓ કરે છે તે તેઓને પોતાને ઈજા પહોંચાડે છે એટલે તેઓ રાતે અને દિવસે નશો કરીને ખાયપીએ છે. તેઓ સ્વચ્છ વસ્ત્રો પરના ડાઘ અને ધબ્બા જેવા છે.
\v 14 જે દરેક સ્ત્રીને તેઓ જુએ છે તેની સાથે જાતીય સંબંધ કરવાની તેઓ ઈચ્છા રાખે છે. તેઓ પાપ કરતાં કદી ધરાતા નથી. જેઓ ઈશ્વરને તદ્દન વિશ્વાસુ નથી એવા લોકોને પોતાની સાથે જોડાઈ જવા તેઓ મનાવે છે. જેમ રમતવીર રમત માટે પોતાને તાલીમબદ્ધ કરે છે તેમ તેઓ લોભી થવા માટે પોતાને તાલીમબદ્ધ કરે છે. પરંતુ ઈશ્વરે તેઓને શાપિત કર્યા છે!
\s5
\v 15 ઈશ્વર ઈચ્છે છે તેવું જીવન જીવવાનું તેઓ નકારે છે. ઘણા સમય અગાઉ બેઓરના પુત્ર બલામે જે કર્યું હતું તેનું તેઓ અનુકરણ કરે છે. તેણે વિચાર્યું હતું કે હું દુષ્ટતાથી વર્તીશ અને તેના બદલામાં લાભ પ્રાપ્ત કરીશ.
\v 16 પણ ઈશ્વરે તેને પાપ કર્યાને લીધે ઠપકો આપ્યો. અને જો કે ગધેડાં બોલતાં નથી છતાં પણ ઈશ્વરે બલામ સાથે માનવી અવાજથી વાત કરવા અને તેના મૂર્ખ વર્તનને રોકવા તેના પોતાના ગધેડાનો ઉપયોગ કર્યો હતો.
\p
\s5
\v 17 આ લોકો કે જેઓ ખોટું શીખવે છે તેઓ એવા ઝરણા જેવા છે જે પાણી આપતું નથી; તેઓ વાદળા જેવા છે કે જેઓ વરસાદ આપી શકે તે અગાઉ ઝડપભેર આકાશ પરથી પસાર થઇ જાય છે. એ માટે, ઈશ્વરે તેવા શિક્ષકો માટે નર્કનો અંધકાર ઠરાવી રાખ્યો છે.
\v 18 તેઓ પોતાના વિષે અભિમાન કરે છે, પણ તેઓ જે કહે છે તેનું મૂલ્ય કશું જ નથી. તેઓ હાલમાં જ બનેલા વિશ્વાસીઓને અને જેમણે હમણાં જ દુષ્ટ બાબતો કરવાનું બંધ કર્યું છે તેઓને પટાવે છે. પાપી લોકોને કરવું ગમે છે તેવું કશું પણ કરીને ફરીથી પાપ કરવા તેઓ તેમને મનાવે છે.
\v 19 તેઓ તેમને કહે છે કે તેમને ગમતું કશું પણ કરવા તેઓ મુક્ત છે. પરંતુ તેઓ પોતે તેઓના મન જે કંઈપણ કરવા તેઓને કહે તેને આધીન થવા ગુલામ છે. ચોક્કસપણે જે કંઈપણ માણસને પોતાના કાબૂમાં કરે છે તેનો તે ગુલામ છે.
\s5
\v 20 પણ ધારો કે તમે આપણા પ્રભુ તથા ઉધ્ધારનાર ઈસુ ખ્રિસ્તને ઓળખવાની શરુઆત કરી દીધી છે અને ઈશ્વરને તમારો સ્વીકાર કરતા અટકાવી રાખતી બાબતો કરવાનું તમે બંધ કરી દીધું છે. ત્યાર બાદ ધારો કે તમે એ જ ખરાબ બાબતો કરવાનું ફરીથી શરુ કરી દીધું છે, તો પછી તમે અગાઉ કરતાં વધુ બેહાલ થઇ જશો.
\v 21 જો તેઓ કદી શીખ્યા જ ન હોત કે કેમ કરીને સારી રીતે જીવવું જોઈએ તો તે તેઓ માટે વધુ સારું રહેત. પરંતુ ઈશ્વર તેઓને તેથી પણ વધુ શિક્ષા કરશે, કેમ કે તેમણે તેઓને જે કરવા સૂચિત કર્યા હતા એટલે કે અમે પ્રેરિતોએ તેઓ સુધી જે પહોંચાડ્યું હતું તેને તેઓએ નકાર્યું છે.
\v 22 જે રીતનું વર્તન તેઓ ફરીથી કરી રહ્યા છે તે લોકો કહે છે એવી કહેવત જેવું જ છે: "તેઓ કૂતરા જેવા છે કે જે પોતાનું ઓકેલું ખાવા પાછા વળી જાય છે." અને "તેઓ ભૂંડો જેવા છે કે જેમણે પોતાને સાફ કર્યા છે પણ પછી ફરીથી કાદવમાં આળોટે છે."
\s5
\c 3
\p
\v 1 આ પત્ર જે હાલમાં હું તમને જેઓને હું પ્રેમ કરું છું તેઓને લખી રહ્યો છું, તે મારો બીજો પત્ર છે કે જે મેં તમને લખ્યો છે. આ બંને પત્રો મેં તમને એટલા માટે લખ્યા છે કે તમે જે બાબતો જાણો જ છો તે યાદ કરાવીને હું તમને તે બાબતો વિષે પ્રામાણિકપણે વિચારવા ઉત્તેજિત કરું.
\v 2 મારી ઈચ્છા છે કે ઘણા સમય અગાઉ પવિત્ર પ્રબોધકો દ્વારા જે શબ્દો બોલાયા હતા તે તમે યાદ રાખો, અને આપણા પ્રભુ તથા ઉદ્ધારનારે જે બાબતો વિષે આજ્ઞા કરી કે જે વિષે અમે પ્રેરિતોએ તમને કહ્યું હતું તે પણ યાદ રાખો.
\p
\s5
\v 3 તમારા માટે એ સમજવું અગત્યનું છે કે ખ્રિસ્ત પાછા આવે તે અગાઉના સમયમાં, ખ્રિસ્ત પાછા આવનાર છે તેવું કહેવા બદલ લોકો તમારી મજાક ઉડાવશે. તે લોકો તેમને જે પણ દુષ્ટ કૃત્યો કરવાની ઇચ્છા થશે તે તેઓ કરશે.
\v 4 તેઓ કહેશે, "જો કે ખ્રિસ્તે વચન આપ્યું હતું કે તેઓ પાછા આવશે તોપણ તેઓ આવ્યા નથી. પૂર્વજો મરણ પામ્યા ત્યારથી બધું એક સરખું જ ચાલી રહ્યું છે. હાલમાં બધુ, ઈશ્વરે જગતને સર્જ્યું ત્યારથી ચાલતું આવ્યું છે તેના જેવું જ છે!"
\s5
\v 5 તેઓ આ પ્રમાણે કહેશે કારણ કે તેઓ જાણી જોઈને એ હકીકતને અવગણે છે કે ઈશ્વરે વર્ષો અગાઉ આ પ્રમાણે થાઓ તેવી આજ્ઞા કરીને આકાશોને અસ્તિત્વ આપ્યું અને પૃથ્વીને પાણીમાંથી ઉપર લાવ્યા તથા પાણીથી અલગ કરી.
\v 6 અને ત્યારબાદ ઈશ્વરે, 'એ પ્રમાણે થાઓ' તેવી આજ્ઞા કરીને પૃથ્વી પર પાણીનો પ્રલય લાવીને તે સમયે અસ્તિત્વ ધરાવતા જગતનો નાશ કર્યો.
\v 7 તે ઉપરાંત, ઈશ્વરે 'તે પ્રમાણે થાઓ' તેવી આજ્ઞા કરીને આકાશોને અને પૃથ્વી, જે હાલ અસ્તિત્વમાં છે તેમને અલગ કર્યા, અને પોતે અધર્મી લોકોનો ન્યાય કરે ત્યાં સુધી તેઓને રાખી મૂકવામાં આવેલા છે. અને તે સમયે તેઓ આકાશો અને પૃથ્વીનો બાળીને નાશ કરશે.
\s5
\v 8 પ્રિય મિત્રો, મારી ઇચ્છા છે કે તમે એ સારી રીતે સમજો કે પ્રભુ ઈશ્વર જગતમાંના લોકોનો ન્યાય કરવા થોડી વધારે રાહ જોવા તૈયાર છે! પ્રભુ ઈશ્વર લોકોનો ન્યાય કરે તે અગાઉ કેટલો સમય પસાર થઇ જાય તેનો તેમના માટે કોઈ અર્થ નથી! તેઓ એમ માને છે એક દિવસ, હજાર વર્ષો કરતાં ઝડપથી પસાર થતો નથી અને તેઓ એમ પણ માને છે હજાર વર્ષો, આપણા એક દિવસની જેમ ઝડપથી પસાર થઇ જાય છે!
\v 9 એ માટે તમારે એવું ન વિચારવું જોઈએ કે ખ્રિસ્ત લોકોનો ન્યાય કરવા આવ્યા નથી તેથી પ્રભુ ઈશ્વરે જે વચન આપ્યું હતું તેમાં તેઓ વિલંબ કરી રહ્યા છે. કેટલાક લોકો એવું વિચારે છે કે આ પ્રમાણે જ છે, અને તેઓ કહે છે કે ખ્રિસ્ત કદી પાછા આવશે નહિ. પણ તમારે એ સમજવું જોઈએ કે ખ્રિસ્ત લોકોનો ન્યાય કરવા શા માટે હજી સુધી પાછા નથી આવ્યા તેનું કારણ એ છે કે ઈશ્વર તમારા પ્રત્યે ધીરજવાન છે, કારણ કે તેમની ઇચ્છા નથી કે કોઈનો અંનતકાળ માટે નાશ થાય. તેને બદલે, તેમની ઈચ્છા છે કે દરેક વ્યક્તિ પોતાની પાપી વર્તણૂકથી પાછી ફરે.
\s5
\v 10 પણ પ્રભુનો પરત આવવાનો દિવસ અણધાર્યો આવશે. જેમ ચોર આવે છે તેમ તેઓ ચેતવ્યા વિના આવશે. તે સમયે મોટી ગર્જનાઓ થશે. આકાશોનું અસ્તિત્વ સમાપ્ત થશે. તત્વો અગ્નિથી નાશ પામશે, અને પૃથ્વી તથા તેમાંનું બધું જ એટલે કે દરેકે કરેલી દરેક બાબત ઈશ્વર તેનો ન્યાય કરે તે માટે પ્રગટ કરવામાં આવશે.
\p
\s5
\v 11 જેમ મેં હમણાં જ કહ્યું તેમ ઈશ્વર આ સર્વ બાબતોનો ચોક્કસપણે નાશ કરવાના છે તે કારણે તમારે ચોક્કસપણે જાણવું જોઈએ કે તમારે કેવી રીતે વર્તવું જોઈએ. ઈશ્વરને માન મળે તે રીતે તમારે વર્તવું જોઈએ,
\v 12 અને જ્યારે તમે ઈશ્વરે નિયુક્ત કરેલા ખ્રિસ્તના પાછા આવવાના દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો ત્યારે તમારે એવો પ્રયાસ કરવો જોઈએ કે એ દિવસ વહેલો આવે. તે દિવસે ઈશ્વર જે કરવાના છે તે કારણે આકાશો નાશ પામશે. તત્વો પીગળીને બળી જશે.
\v 13 જોકે એ બધી ઘટનાઓ બનશે તો પણ આપણે આનંદ કરીએ છીએ કારણ કે આપણે નવા આકાશો તથા નવી પૃથ્વીની રાહ જોઈ રહ્યા છીએ જેનું ઈશ્વરે વચન આપ્યું છે. જે લોકો ન્યાયી છે માત્ર તેઓ જ નવા આકાશોમાં તથા નવી પૃથ્વી પર હશે.
\p
\s5
\v 14 એ માટે વહાલા મિત્રો, આ બાબતો બને તેની તમે રાહ જોઈ રહ્યાં છો તે કારણે ઈશ્વરને માન મળે તે રીતે તમારા જીવનોની વર્તણૂક રાખવા સર્વ કંઈ કરો, જેથી કરીને ખ્રિસ્ત જુએ કે તમે પાપ નથી કરતા અને તમે એકબીજા સાથે શાંતિપૂર્વક જીવો છો.
\v 15 અને આ બાબતનો વિચાર કરો: આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધીરજવાન છે કારણ કે તેઓ લોકોને બચાવવા ઈચ્છે છે. આપણા વહાલા ભાઈ પાઉલે પણ તમને આ બાબતો વિષે ડહાપણભર્યું લખ્યું કારણ કે ઈશ્વરે તેને આ ઘટનાઓ સમજવા શક્તિ આપી હતી.
\v 16 જે પત્રો પાઉલે લખ્યા છે તેમાં કેટલીક બાબતો છે જે લોકો માટે સમજવી અઘરી છે. જે લોકો ઈશ્વર વિષે કશું જાણતા નથી તથા જેઓ આડુંઅવળું બોલે છે તેઓ જેમ બીજા શાસ્ત્રભાગોનું ખોટું અર્થઘટન કરે છે તેમ તેનું પણ ખોટું અર્થઘટન કરે છે. તેનું પરિણામ એ છે તેઓ પોતાને શિક્ષા કરવા ઈશ્વરને પ્રેરે છે.
\s5
\v 17 એ માટે વહાલા મિત્રો, તમે આ ખોટા શિક્ષકો વિષે જાણો જ છો માટે તેઓથી સાવચેત રહો. જે બાબતો ખોટી છે તે તમને કહેવા દ્વારા આ દુષ્ટ લોકો તમને છેતરે એવું થવા ન દો. હાલમાં તમે જેમાં દ્રઢતાથી વિશ્વાસ કરો છો તે વિષે તેઓ તમને શંકા કરવા દોરે તેવું ન થવા દો.
\v 18 તેને બદલે, એ પ્રમાણે જીવો કે આપણા તારણહાર ઈસુ ખ્રિસ્તની તમારા પ્રત્યેની ભલાઈને તમે વધુ ને વધુ અનુભવો, અને તમે તેઓને વિશેષ ને વિશેષ ઓળખતા જાઓ.
\p હું પ્રાર્થના કરું છું કે દરેક જણ ઈસુ ખ્રિસ્તને હમણાં તથા સદાસર્વદા માન આપતા થાય! આ પ્રમાણે સાચે જ થાઓ!

186
63-1JN.usfm Normal file
View File

@ -0,0 +1,186 @@
\id 1JN - UDB Guj
\ide UTF-8
\h યોહાનનો પહેલો પત્ર
\toc1 યોહાનનો પહેલો પત્ર
\toc2 યોહાનનો પહેલો પત્ર
\toc3 1jn
\mt1 યોહાનનો પહેલો પત્ર
\s5
\c 1
\p
\v 1 હું યોહાન, તમને ઈસુ ખ્રિસ્ત વિષે લખી રહ્યો છું જેઓ કંઇપણ અસ્તિત્વમાં આવ્યું તે અગાઉ અસ્તિત્વ ધરાવતા હતા. જ્યારે તેમણે અમને પ્રેરિતોને શીખવ્યું ત્યારે અમે તેમને જ સાંભળ્યા હતા. અમે તેમને જોયા હતા. અમે પોતે તેમને જોયા અને તેમનો સ્પર્શ કર્યો. તેઓએ જ અમને અનંતજીવનનો સંદેશ શીખવ્યો.
\v 2 (કારણ કે તેઓ અહીં પૃથ્વી પર આવ્યા અને અમે તેમને જોયા છે, અમે તમને સ્પષ્ટપણે ઘોષિત કર્યું છે કે અમે જેમને જોયા તેઓ જ સર્વકાળ માટે જીવંત છે. અગાઉ તેઓ પોતાના પિતાની સાથે સ્વર્ગમાં હતા, પણ તેઓ આપણી સાથે વસવા આવ્યા.)
\s5
\v 3 અમે જેમને જોયા અને સાંભળ્યા તે ઈસુ વિષેનો સંદેશો અમે પ્રગટ કરીએ છીએ કે જેથી તમે અમારી સાથે જોડાઓ. અમે જેમની સાથે જોડાયા તે ઈશ્વર આપણા પિતા અને તેમના દીકરા ઈસુ ખ્રિસ્ત છે.
\v 4 હું તમને આ બાબતો વિષે એટલા માટે લખું છું કે તમને ખાતરી થાય કે તેઓ સાચી છે, અને એને પરિણામે આપણે સંપૂર્ણપણે આનંદિત થઈએ.
\p
\s5
\v 5 જે સંદેશ અમે ઈશ્વર પાસેથી સાંભળ્યો તથા તમને પ્રગટ કરીએ છીએ તે આ છે: ઈશ્વર કદી પાપ કરતા નથી. તેઓ એક તેજસ્વી પ્રકાશ જેવા છે કે જેમાં સંપૂર્ણપણે કંઈ અંધકાર નથી.
\v 6 જો આપણે ઈશ્વર સાથે જોડાયેલા હોવાનો દાવો કરીએ, પણ જો આપણે આપણાં જીવનોમાં અશુદ્ધ રીતે વ્યવહાર કરીએ, તો તે દુરાચારભર્યા અંધકારમાં જીવવા જેવું છે. આપણે જૂઠ્ઠું બોલીએ છીએ. ઈશ્વરના સત્ય સંદેશ અનુસાર આપણે આપણાં જીવનો જીવતા નથી.
\v 7 પરંતુ જેમ ઈશ્વર દરેક રીતે શુદ્ધતામાં જીવે છે તે પ્રમાણે શુદ્ધતામાં જીવવું, એ ઈશ્વરના પ્રકાશમાં જીવવા જેવું છે. જો આપણે એમ કરીએ તો આપણે એકબીજા સાથે જોડાઈ શકીએ છીએ, અને ઈશ્વર આપણને માફ કરે છે અને સ્વીકારે છે, કારણ કે ઈસુ આપણા માટે મરણ પામ્યા છે.
\s5
\v 8 જેઓ કહે છે કે અમે કદી પાપ કર્યું નથી તેઓ પોતાને છેતરે છે, અને ઈશ્વર તેઓ વિષે જે કહે છે તે પર વિશ્વાસ કરવાનું નકારે છે.
\v 9 પરંતુ ઈશ્વર જે કહે છે તે હંમેશાં કરે જ છે, અને તેઓ જે કરે છે તે હંમેશા યોગ્ય જ હોય છે. તેથી, જો આપણે કબૂલ કરીએ કે આપણે પાપ કર્યું છે, તો તેઓ આપણને આપણા પાપ માફ કરશે અને આપણે જે સર્વ ખોટું કર્યું છે તેના દોષથી મુક્ત કરશે. તે કારણે આપણે કબૂલ કરવું જોઈએ કે આપણે પાપ કર્યું છે.
\v 10 જેઓ કહે છે કે તેઓએ કદી પાપ કર્યું નથી તેઓ એવી વાત કરે છે જાણે ઈશ્વર જૂઠ્ઠું કહેતા હોય કારણ કે ઈશ્વર કહે છે કે સઘળાએ પાપ કર્યું છે! ઈશ્વર આપણા વિષે જે કહે છે તેનો તેઓ ઇનકાર કરે છે!
\s5
\c 2
\p
\v 1 તમે જેઓ મારા પોતાનાં બાળકોની જેમ મને વહાલા છો, તમને હું પાપ કરવાથી અટકાવવા આ લખી રહ્યો છું. પણ તમ વિશ્વાસીઓમાંનો કોઈ પાપ કરે છે તો યાદ રાખો કે ન્યાયી ઈસુ ખ્રિસ્ત આપણને માફ કરવા પિતાને વિનંતી કરે છે.
\v 2 ઈસુ ખ્રિસ્તે સ્વેચ્છાએ પોતાના જીવનનું આપણા માટે બલિદાન કર્યું, તેને પરિણામે ઈશ્વર આપણા પાપ માફ કરે છે. હા, ઈશ્વર આપણા પાપ માફ કરવાને શક્તિમાન છે, ફક્ત આપણાં જ નહિ, પણ તેઓ દરેક જગ્યાએ લોકોનાં પાપો માફ કરવા પણ શક્તિમાન છે!
\p
\v 3 હું તમને કહીશ કે આપણે ઈશ્વરને ઓળખીએ છીએ તે વિષે આપણે કેવી રીતે ચોક્કસ થઈ શકીએ છીએ. તેઓ જે કરવા આપણને આજ્ઞા કરે તેને જો આપણે આધીન થઈએ તો તે દર્શાવે છે કે આપણે તેમની સાથે જોડાયેલા છીએ.
\s5
\v 4 જેઓ કહે છે કે "અમે ઈશ્વરને ઓળખીએ છીએ," અને ઈશ્વર આપણને જે કરવા આજ્ઞા કરે છે તેને આધીન થતાં નથી તેઓ જુઠ્ઠા છે. તેઓ ઈશ્વરના સાચા સંદેશા અનુસાર પોતાનો જીવન વ્યવહાર કરતા નથી.
\v 5 પણ ઈશ્વર તેમને જે કરવા આજ્ઞા કરે છે તેને જેઓ આધીન થાય છે, એ લોકો જ ઈશ્વરને દરેક રીતે પ્રેમ કરે છે. આ પ્રમાણે આપણે નિશ્ચિત થઈ શકીએ છીએ કે આપણે ઈશ્વર સાથે જોડાયેલા છીએ.
\v 6 જો આપણે કહીએ કે આપણે ઈશ્વર સાથે સંબંધમાં છીએ, તો આપણે આપણો જીવન વ્યવહાર ખ્રિસ્તની જેમ કરવો જોઈએ.
\p
\s5
\v 7 વહાલા મિત્રો, હું તમને એવું નથી લખી રહ્યો કે તમારે કશુંક નવું કરવું જોઈએ. તેને બદલે, હું તમને કંઈક એવું લખી રહ્યો છું કે જે કરવા સંબંધી, તમે ખ્રિસ્તમાં પ્રથમ વિશ્વાસ કર્યો ત્યારથી જાણો છો. તમે હંમેશાં સાંભળેલા સંદેશાનો આ ભાગ છે.
\v 8 પણ હું તમને આજ વિષય પર કશુંક ફરીથી કહીશ: હું એમ કહી શકું કે હું તમને કશુંક નવું કરવા કહી રહ્યો છું. તે નવું છે, કારણ કે ખ્રિસ્તે જે કર્યું તે નવું હતું, અને તમે જે કરી રહ્યા છો તે નવું છે. તમે દુષ્ટતા કરવાનું બંધ કરી રહ્યા છો અને તમે વધુ ને વધુ સારું કરી રહ્યા છો માટે આમ બને છે. તે તો જ્યારે રાત્રિ જતી રહે છે અને દિવસ એટલે કે ખ્રિસ્તનો સાચો દિવસ ઊગે છે તેના જેવું છે.
\s5
\v 9 જેઓ દાવો કરે છે કે તેઓ પ્રકાશમાં જીવનારા લોકો છે, પણ તેઓ પોતાના કોઈ સાથી વિશ્વાસીને ધિક્કારે છે, તો તેઓ હજુ પણ અંધકારમાં જીવનારા લોકો જેવા છે.
\v 10 પણ જેઓ પોતાના સાથી વિશ્વાસીઓ પર પ્રેમ કરે છે તેઓ પ્રકાશમાં રહેતા લોકોની જેમ વર્તે છે; તેઓ પાસે પાપ કરવાનું કોઈ કારણ નથી.
\v 11 જેઓ પોતાના સાથી વિશ્વાસીઓમાંના કોઈને પણ ધિક્કારે છે તેઓ હજુ, ઈશ્વર વિષે સાચું શું છે તેથી અજાણ રહીને અંધકારમાં જીવનારા લોકો જેવા છે.
\p
\s5
\v 12 જેમને હું જાણે મારા પોતાનાં બાળકો હોય તેમ પ્રેમ કરું છું તેમને હું આ લખી રહ્યો છું. ખ્રિસ્તે તમારાં માટે જે કર્યું છે તેને કારણે ઈશ્વરે તમારાં પાપ માફ કર્યાં છે.
\v 13 હું તમને વિશ્વાસીઓને લખી રહ્યો છું કે જેઓ બીજાઓ કરતાં ઉંમરમાં મોટા છો. તમે ખ્રિસ્તને કે જેઓ સદાકાળ જીવે છે તેઓને ઓળખ્યા છે. હું તમને જુવાન માણસોને પણ લખી રહ્યો છું; તમે દુષ્ટ શેતાનને હરાવ્યો છે. અને હું તમને નાના બાળકોને લખી રહ્યો છું, કારણ કે તમે ઈશ્વર પિતાને ઓળખો છો.
\v 14 હું ફરીથી આ કહીશ: હું તમને વડીલોને આ લખી રહ્યો છું કારણ કે તમે ખ્રિસ્ત કે જેઓ સદા અસ્તિત્વ ધરાવે છે તેઓને ઓળખ્યા છે. અને હું તમને જુવાન માણસોને લખી રહ્યો છું કારણ કે તમે બળવાન છો અને ઈશ્વર જે આજ્ઞા કરે છે તેને આધીન થવાનું ચાલુ રાખો છો, કારણ કે તમે દુષ્ટ શેતાનને હરાવ્યો છે.
\p
\s5
\v 15 જગતમાંના લોકો જેઓ ઈશ્વરનું માન રાખતા નથી તેઓની જેમ તમે ન વર્તો. તેઓ જે બાબતો મેળવવા ઇચ્છા રાખે છે તેવી ઇચ્છા તમે ન રાખો. જો કોઈ તેમના જેવું જીવન જીવે છે તો તેઓ સાબિત કરે છે ઈશ્વર આપણા પિતાને તેઓ પ્રેમ કરતા નથી.
\v 16 હું આ લખી રહ્યો છું કારણ કે, લોકો જે ખોટી બાબતો કરે છે, જે ખોટી બાબતો જુએ છે અને પોતાને માટે મેળવવાનો પ્રયત્ન કરે છે, અને જે સર્વ બાબતો વિષે તેઓ અભિમાન કરે છે તે સર્વ બાબતોનો આપણા સ્વર્ગમાંના પિતા સાથે કોઈ લાગભાગ નથી. તેઓ જગતની બાબતો છે.
\v 17 જગતમાંના લોકો કે જેઓ ઈશ્વરને માન નથી આપતા તેઓ તેમની સર્વ ઇચ્છાઓ સાથે નાશ પામશે. પણ જેઓ ઇશ્વર જેમ ઈચ્છે છે તે પ્રમાણે કરે છે તેઓ સદાકાળ જીવશે.
\p
\s5
\v 18 તમે જેઓ મને ઘણા વહાલા છો તેઓને જણાવું છું કે, ઈસુ પૃથ્વી પર પાછા આવે તેવો સમય છે. તમે એ સાંભળ્યું જ છે કે એક વ્યક્તિ, જે ખ્રિસ્ત હોવાનો ઢોંગ કરશે તે આવી રહી છે; હકીકતમાં આવી ઘણા વ્યક્તિઓ આવી ચુકી છે પણ તેઓ સર્વ ખ્રિસ્તની વિરુદ્ધ છે. આ કારણને લીધે, આપણે જાણીએ છીએ કે ખ્રિસ્ત જલદીથી પાછા આવશે.
\v 19 આ લોકોએ આપણી મંડળીઓમાં રહેવાનું નકાર્યું છે, પણ તેઓ પહેલેથી જ આપણા નહોતા. જ્યારે તેઓએ આપણને છોડી દીધા ત્યારે આપણે સ્પષ્ટ જોયું કે તેઓ આપણી સાથે કદી જોડાયા જ નહોતા.
\s5
\v 20 પણ તમારે માટે તો ખ્રિસ્ત, કે જેઓ પવિત્ર છે તેમણે તેમનો આત્મા તમને આપ્યો છે; એ તો તેમનો આત્મા છે કે જે તમને સર્વ સત્ય શીખવે છે.
\v 21 હું આ પત્ર તમને એ કારણે નથી લખી રહ્યો કે તમને ઈશ્વરના સત્ય વિષે ખબર નથી, પણ તમે તે જાણો છો કે તે શું છે માટે લખું છું. તમે એ પણ જાણો છો કે ઈશ્વર આપણને એવું કશું શીખવતા નથી કે જે ખોટું છે; તેને બદલે, તેઓ કેવળ જે સાચું છે એ જ શીખવે છે.
\s5
\v 22 ઈસુ તે જ ખ્રિસ્ત છે તે બાબતનો જેઓ નકાર કરે છે તેઓ અત્યંત જૂઠ્ઠાઓ છે. જેઓ સર્વ આ પ્રમાણે કરે છે તેઓ ખ્રિસ્તની વિરુદ્ધ છે, કારણ કે તેઓ પિતા અને પુત્રમાં વિશ્વાસ કરવાનું નકારે છે.
\v 23 જેઓ ઈસુને ઈશ્વરના પુત્ર તરીકે કબૂલ કરવાનું નકારે છે તેઓ કોઈ રીતે પિતા સાથે જોડાયેલા નથી, પણ જેઓ કબૂલ કરે છે કે ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, તેઓ પિતા સાથે જોડાયેલા છે.
\s5
\v 24 એ માટે, ઈસુ ખ્રિસ્ત વિષેનું સત્ય, કે જે તમે પહેલાં સાંભળ્યું તે પર વિશ્વાસ કરવાનું અને તે અનુસાર જીવવાનું તમારે જારી રાખવું. જો તમે તે કરો તો તમે પુત્ર અને પિતા સાથે જોડાયેલા રહેશો.
\v 25 અને ઈશ્વરે આપણને જે કહ્યું તે એ કે તેઓ આપણને સદાકાળ જિવાડશે!
\p
\v 26 જેઓ ખ્રિસ્ત વિષેના સત્ય બાબતે તમને છેતરવા માગે છે તેઓ વિષે મેં તમને ચેતવણી આપવા આ લખ્યું છે.
\s5
\v 27 તમારા માટે તો, ઈશ્વરનો આત્મા, જે તમે ખ્રિસ્ત પાસેથી પ્રાપ્ત કર્યો, તે તમારામાં રહે છે. માટે તમારે બીજા કોઈને તમારા શિક્ષક બનાવવાની જરૂર નથી. તમારે જે જાણવાની જરૂર છે તે ઈશ્વરનો આત્મા તમને શીખવે છે. તે હંમેશાં સત્ય શીખવે છે અને જે ખોટું છે તેવું કશું કદી શીખવતો નથી. માટે તેમણે જે પ્રમાણે શીખવ્યું છે તે પ્રમાણે જીવવાનું જારી રાખો અને તેમની સાથે જોડાયેલા રહો.
\p
\v 28 હવે મારા વહાલાઓ, હમણાં મારી તમને અરજ છે કે ખ્રિસ્ત સાથે જોડાયેલા રહેવાનું ચાલુ રાખો. આપણે તે પ્રમાણે કરવાની જરૂર છે કે જેથી તેઓ ફરીથી પાછા આવે ત્યારે તેઓ આપણો સ્વીકાર કરશે એવો આપણને આત્મવિશ્વાસ હોય. જો આપણે તે કરીએ, તો જ્યારે તેઓ આવશે અને આપણે તેમની સમક્ષ ઊભા રહીશું ત્યારે આપણે શરમાઈશું નહિ.
\v 29 તમને ખબર છે કે ખ્રિસ્ત હંમેશા જે ખરું છે તે કરે છે તેને લીધે તમે જાણો છો કે જેઓ સારું કરવામાં લાગુ રહે છે તેઓ જ ઈશ્વરનાં બાળકો બન્યા છે.
\s5
\c 3
\p
\v 1 આપણા પિતા આપણા પર કેટલો પ્રેમ કરે છે તે વિષે વિચાર કરો: આપણે તેમનાં બાળકો છીએ તે કહેવાની તેઓ આપણને પરવાનગી આપે છે. અને આ ખરેખર સાચું છે. પણ જે લોકો અવિશ્વાસીઓ છે તેઓ સમજ્યા નથી કે ઈશ્વર કોણ છે. તેથી તેઓ આપણે જે છીએ એટલે કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ તે સમજતા નથી.
\v 2 વહાલા મિત્રો, વર્તમાનમાં આપણે ઈશ્વરનાં બાળકો છીએ તેમ છતાં તેમણે આપણને હજુ બતાવ્યું નથી કે આપણે ભવિષ્યમાં કેવા થઈશું. તો પણ આપણે જાણીએ છીએ કે જ્યારે ખ્રિસ્ત ફરી પાછા આવશે ત્યારે આપણે તેમના જેવા થઈશું, કારણ કે આપણે તેમને નજરોનજર જોઈશું.
\v 3 માટે જેઓ ખ્રિસ્તને નજરોનજર જોવાની દ્રઢતાથી અપેક્ષા રાખે છે તેઓએ ખ્રિસ્ત કે જેઓ કદી પાપ નથી કરતા તેમની જેમ જ પોતાને પાપ કરવાથી દૂર રાખવા.
\s5
\v 4 પણ જે બધા પાપ કરવામાં લાગુ રહે છે તેઓ ઈશ્વરના નિયમોને આધીન થવાનું નકારે છે, કારણ કે ઈશ્વરના નિયમોને આધીન થવાનું નકારવું એ જ પાપ છે.
\v 5 તમે જાણો છો કે ખ્રિસ્ત આપણાં પાપોનો દોષ સંપૂર્ણપણે દૂર કરવાના હેતુસર આવ્યા. તમે એ પણ જાણો છો કે તેમણે કદી પાપ કર્યું નહોતું.
\v 6 જેઓ ખ્રિસ્ત તેમની પાસે જે કરાવવા માગે છે તે કરવામાં લાગુ રહે છે તેઓ, વારંવાર પાપ કરતા નથી. પણ જેઓ સતત પાપ કરે છે તેઓ ખ્રિસ્ત કોણ છે તે સમજ્યા નથી, ન તો તેઓ સચ્ચાઈથી તેમની સાથે જોડાયા છે.
\s5
\v 7 માટે મારા વહાલાઓ, હું તમને અરજ કરું છું કે તમે એવું થવા ન દો કે કોઈ તમને એમ કહેવા દ્વારા છેતરે કે પાપ કરવું યથાયોગ્ય છે. પણ તમે જે સારું છે તે કરવામાં લાગુ રહો તો જેમ ખ્રિસ્ત ન્યાયી છે તેમ તમે ન્યાયી છો
\v 8 પણ જે કોઈ વારંવાર પાપ કર્યા કરે છે તે શેતાન જેવો છે, કારણ કે જગતની શરૂઆત થઈ ત્યારથી શેતાન પાપ કરી રહ્યો છે. અને ઈશ્વરના પુત્ર મનુષ્ય બન્યા તેનું કારણ એ હતું કે તેઓ શેતાને જે કર્યું હતું તેનો નાશ કરે.
\s5
\v 9 જો લોકો ઈશ્વરનાં બાળકો બન્યા છે તો તેઓ વારંવાર પાપ કરવાનું ચાલુ રાખતા નથી. તેઓ સતત પાપ કરી શકતા નથી કારણ કે ઈશ્વરે તેમને પોતાના બાળકો બનાવ્યા છે અને તેઓ પોતે જે છે તે જ બાબતોને તેમનામાં મૂકી છે.
\v 10 જેઓ ઈશ્વરનાં બાળકો છે તેઓ સ્પષ્ટપણે શેતાનનાં બાળકોથી જુદા છે. શેતાનનાં બાળકો કોણ છે તે આપણે આ રીતે જાણી શકીએ છીએ: જે ખરું છે તે જેઓ કરતા નથી તેઓ ઈશ્વરનાં બાળકો નથી. અને જેઓ તેમના સાથી વિશ્વાસીઓને પ્રેમ કરતા નથી તેઓ ઈશ્વરનાં બાળકો નથી.
\p
\s5
\v 11 તમે પ્રથમ વખતે જે સંદેશ સાંભળીને ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો તે એ છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ.
\v 12 જેમ આદમનો પુત્ર કાઈન, કે જે દુષ્ટ શેતાનનો હતો તેણે કર્યું તેમ આપણે બીજાઓનો તિરસ્કાર ન કરવો જોઈએ. કાઈનને તેના નાના ભાઈ પ્રત્યે તિરસ્કાર હતો તેથી તેણે એની હત્યા કરી. તેણે તેના ભાઈની હત્યા કેમ કરી તેના વિષે હું તમને કહીશ. તેનું કારણ એ હતું કે કાઈન પોતાની આદત પ્રમાણે દુષ્ટતાથી વર્તતો હતો, અને તે તેના નાના ભાઈનો તિરસ્કાર કરતો હતો કારણ કે તેનો નાનો ભાઈ ન્યાયી રીતે વર્તતો હતો.
\s5
\v 13 અવિશ્વાસીઓ તમારો તિરસ્કાર કરે ત્યારે તમારે આશ્ચર્ય પામવું જોઈએ નહિ.
\v 14 આપણે આપણા સાથી વિશ્વાસીઓને પ્રેમ કરીએ છીએ તે કારણે આપણે જાણીએ છીએ કે ઈશ્વરે આપણને તેમની સાથે હંમેશા રહેવા માટે બનાવ્યા છે. પણ જે કોઈ પોતાના વિશ્વાસી સાથીને પ્રેમ કરતો નથી, તેને ઈશ્વર એવી વ્યક્તિ ગણે છે જેનામાં જીવન નથી પણ તે મરણના અધિકાર હેઠળ જીવી રહી છે.
\v 15 જે કોઈ પોતાના સાથી વિશ્વાસીઓને ધિક્કારે છે તેઓને ઈશ્વર એવા ગણે છે જાણે તેઓએ કોઈકની હત્યા કરવા સમાન કૃત્ય કર્યું હોય. જે કોઈ પોતાના ભાઈને પ્રેમ કરતો નથી તે જીવન માટે નહિ પણ મરણ માટે જીવી રહ્યો છે.
\s5
\v 16 આપણા સાથી વિશ્વાસીઓને સાચે જ પ્રેમ કેવી રીતે કરવો તે આપણે ખ્રિસ્ત તેમની પોતાની સ્વતંત્ર ઈચ્છાથી આપણે માટે મરણ પામ્યા એ યાદ કરવા દ્વારા જાણી શકીએ છીએ. તેથી એ જ રીતે આપણે આપણા સાથી વિશ્વાસીઓ માટે બધું જ કરવું જોઈએ, તેમને માટે મરવું પણ જોઈએ.
\v 17 આપણામાંના ઘણાઓ પાસે આ જગતમાં જીવવા માટેની આવશ્યક બાબતો છે. જો આપણને ખબર પડે કે આપણા કોઈ સાથી વિશ્વાસીઓની પાસે જે જરૂરનું છે તે નથી અને જો આપણે તેમને માટે પૂરું પાડવાનો નકાર કરીએ, તો તે સ્પષ્ટ છે કે આપણે દાવો કરીએ છીએ તેમ આપણે ઈશ્વરને પ્રેમ કરતા નથી.
\v 18 જેમને હું વહાલથી પ્રેમ કરું છું એવા તમને હું કહું છું કે આપણે માત્ર બોલીએ જ નહી કે આપણે એકબીજા પર પ્રેમ કરીએ છીએ; પણ આપણે એકબીજાને મદદ કરીને એકબીજા પર પ્રેમ કરીએ.
\p
\s5
\v 19 જો આપણે સાચે જ આપણા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ કરીએ, તો આપણને ખાતરી થઈ શકે છે કે આપણે ખ્રિસ્ત વિષેના સાચા સંદેશ અનુસાર જીવી રહ્યા છીએ. પરિણામે, આપણે ઈશ્વરની હાજરીમાં દોષિતપણું નહિ અનુભવીએ.
\v 20 જો કે ખોટું કર્યાને કારણે આપણને દોષિતપણું લાગતું હોય તોપણ ઈશ્વર આપણે માટે ભરોસાપાત્ર છે તે કારણે આપણે આત્મવિશ્વાસથી પ્રાર્થના કરી શકીએ છીએ. ઈશ્વર આપણા વિષે બધું જ જાણે છે.
\v 21 વહાલા મિત્રો, જો આપણાં મનો આપણને પાપ કર્યાને બાબતે દોષિત ન ઠરાવે તો પછી આપણે આત્મવિશ્વાસથી ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ છીએ.
\v 22 જ્યારે આપણે તેમને આત્માવિશ્વાસથી પ્રાર્થના કરીએ છીએ અને કોઈ બાબતને માટે તેમને વિનંતી કરીએ છીએ ત્યારે આપણે તે પ્રાપ્ત કરીએ છીએ કારણ કે આપણને તેઓ જે કરવાની આજ્ઞા કરે છે તે આપણે કરીએ છીએ અને તેમને જે બાબતો પ્રસન્ન કરે છે તે આપણે કરીએ છીએ.
\s5
\v 23 તેઓ આપણને જે કરવાની આજ્ઞા કરે છે તે હું તમને કહીશ: આપણે વિશ્વાસ કરવો જ રહ્યો કે ઈસુ ખ્રિસ્ત તેમના પુત્ર છે. જેમ ઈશ્વરે આપણને આજ્ઞા આપી છે તેમ આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ.
\v 24 ઈશ્વરની આજ્ઞા પ્રમાણે જેઓ કરે છે તેઓ ઈશ્વર સાથે જોડાયા છે અને ઈશ્વર તેઓની સાથે જોડાયા છે. અને તેમણે જે આત્મા આપણને આપ્યો, તે આપણી સાથે છે માટે આપણને ખાતરી થઈ શકે છે કે ઈશ્વર આપણી સાથે જોડાયા છે.
\s5
\c 4
\p
\v 1 વહાલા મિત્રો, ઘણા લોકો કે જેમની પાસે ખોટો સંદેશો છે તેઓ લોકોને તે શીખવી રહ્યા છે. પણ તમારે તેઓ જે શીખવી રહ્યા છે તે વિષે કાળજીપૂર્વક વિચાર કરવો જ રહ્યો, કે જેથી તમે જાણી શકો કે જે સત્ય તેઓ શીખવી રહ્યા છે તે ઈશ્વર તરફથી આવ્યું છે કે નહિ.
\v 2 કોઈ વ્યક્તિ જે શીખવી રહી છે તે શું ઈશ્વરના આત્મા તરફથી આવતું સત્ય છે કે નહિ તે કેવી રીતે જાણવું તે હું તમને જણાવીશ. જેઓ સમર્થન આપે છે કે ઈસુ ખ્રિસ્ત આપણા જેવા મનુષ્ય બનવા માટે ઈશ્વર તરફથી આવ્યા તો તેઓ જે સંદેશ ઈશ્વર તરફથી છે તે સંદેશ શીખવે છે.
\v 3 પણ જેઓ ઈસુ વિશેના તે સત્યને સમર્થન આપતા નથી તેઓ ઈશ્વર તરફથી આવતા સંદેશાને શીખવતા નથી. તેઓ એવા શિક્ષકો છે જે ખ્રિસ્તનો વિરોધ કરે છે. તમે સાંભળ્યું છે કે તેવા લોકો આપણામાં આવી રહ્યા છે. અત્યારે પણ તેઓ અહીંયાં છે જ.
\p
\s5
\v 4 જેઓ મને ખૂબ વહાલા છો એવા તમારા માટે તો, તમે ઈશ્વરના છો અને તે લોકો જે શીખવે છે તે પર વિશ્વાસ કરવાનું તમે નકાર્યું છે, કારણ કે પોતે જે ચાહે તે કરવા તમને સક્ષમ કરનાર ઈશ્વર વધારે મહાન છે.
\v 5 જે ખોટું છે તે જે લોકો શીખવી રહ્યા છે તેઓ માટે તો, તેઓ જગતમાંના એવા સર્વ લોકો સાથેના છે કે જેઓ ઈશ્વરને માન આપવાનું નકારે છે. એટલા માટે તેઓ જે કહે છે તે તેવા જ લોકોમાંથી આવે છે, અને તે જ લોકો તેમને સાંભળે છે.
\v 6 આપણા માટે તો, આપણે ઈશ્વરના છીએ. જે કોઈ ઈશ્વરને ઓળખે છે તેઓ અમે જે શીખવીએ છે તે સાંભળે છે, પણ જે કોઈ ઈશ્વરના નથી તેઓ અમે જે શીખવીએ છે તે સાંભળતા નથી. આ રીતે આપણે, ઈશ્વર વિષે સત્ય શીખવતા લોકો અને બીજાઓને છેતરતા લોકોની વચ્ચે તફાવત કરી શકીએ છીએ.
\p
\s5
\v 7 વહાલા મિત્રો, આપણે એકબીજા પર પ્રેમ કરવો જ રહ્યો, કારણ કે ઈશ્વર આપણને એકબીજા પર પ્રેમ કરવા શક્તિમાન કરે છે અને જેઓ તેમના સાથી વિશ્વાસીઓ પર પ્રેમ કરે છે તેઓ ઈશ્વરનાં બાળકો બન્યા છે અને ઈશ્વરને ઓળખે છે.
\v 8 ઈશ્વર લોકોને પોતાનો પ્રેમ બતાવે છે. માટે જેઓ પોતાના સાથી વિશ્વાસીઓને પ્રેમ કરતા નથી તેઓ ઈશ્વરને ઓળખતા નથી.
\s5
\v 9 ઈશ્વર આપણને પ્રેમ કરે છે તે તેઓએ આપણને કેવી રીતે બતાવ્યું છે તે હું તમને જણાવીશ: તેમણે પોતાના એકમાત્ર પુત્રને પૃથ્વી પર મોકલ્યા કે જેથી તેમને કારણે આપણે સદાકાળ જીવવાને માટે શક્તિમાન થઈએ.
\v 10 અને ઈશ્વરે આપણને બતાવ્યું છે કે બીજી વ્યક્તિ પર સાચે જ પ્રેમ કરવો એનો અર્થ શો છે: તેનો અર્થ એ નથી કે આપણે ઈશ્વરને પ્રેમ કર્યો, પરંતુ ખરેખર ઈશ્વરે આપણા પર પ્રેમ કર્યો. માટે તેમણે પોતાના પુત્રને બલિદાન થવા મોકલ્યા, કે જેથી જ્યારે આપણે પાપ કરીએ ત્યારે ઈશ્વર આપણને માફ કરે.
\s5
\v 11 વહાલા મિત્રો, ઈશ્વર આપણને આવો પ્રેમ કરે છે, માટે આપણે પણ નિશ્ચે એકબીજા પર પ્રેમ કરવો જોઈએ!
\p
\v 12 કોઈએ કદી ઈશ્વરને જોયા નથી. તોપણ, જો આપણે એકબીજાને પ્રેમ કરીએ તો એ સ્પષ્ટ છે કે ઈશ્વર આપણી અંદર રહે છે અને જેવો ઈશ્વર ઇચ્છે છે તેવો પ્રેમ આપણે બીજાઓને કરીએ છીએ.
\v 13 આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે આપણે ઈશ્વર સાથે જોડાયા છીએ અને ઈશ્વર આપણી સાથે જોડાયેલા છે તે હું તમને જણાવીશ: તેમણે પોતાનો આત્મા આપણી અંદર મૂક્યો છે.
\v 14 અમે પ્રેરિતોએ ઈશ્વરના પુત્રને જોયા છે, અને અમે ગંભીરતાપૂર્વક બીજાઓને કહીએ છીએ કે લોકોને તેઓના પાપોને લીધે અનંતકાળિક પીડાથી બચાવવા માટે પિતાએ ઈસુને જગતમાં મોકલ્યા છે.
\s5
\v 15 માટે જેઓ ઈસુ વિષે સત્ય કહે છે તેઓની સાથે ઈશ્વર જોડાયેલા રહે છે. તેઓ કહે છે, "તેઓ ઈશ્વરના પુત્ર છે.' અને એમ તેઓ ઈશ્વર સાથે જોડાયેલા રહે છે.
\v 16 ઈશ્વર આપણા પર કેવો પ્રેમ કરે છે તે આપણે અનુભવ્યું છે અને આપણને વિશ્વાસ છે કે તેઓ આપણા પર પ્રેમ કરે છે. પરિણામે, આપણે બીજાઓને પ્રેમ કરીએ છીએ. ઈશ્વરનો સ્વભાવ લોકો પર પ્રેમ કરવાનો છે તે કારણે જેઓ બીજા પર પ્રેમ કરવામાં લાગુ રહે છે તેઓ ઈશ્વર સાથે જોડાયેલા છે અને ઈશ્વર તેઓની સાથે જોડાયેલા છે.
\s5
\v 17 આપણે બીજાઓ પર સંપૂર્ણપણે પ્રેમ કરવો જોઈએ. અને જો આપણે તે કરીએ, તો જ્યારે ઈશ્વર આપણો ન્યાય કરશે ત્યારે આપણને ભરોસો રહેશે કે તેઓ આપણને દોષિત નહિ ઠરાવે. આપણેને તે વિષે ભરોસો રહેશે કારણ કે જેમ ખ્રિસ્ત પોતે ઈશ્વરને જોડાયેલા છે તેમ આપણે આ જગતમાં ઈશ્વરને જોડાયેલા રહીને જીવીએ છીએ.
\v 18 જો આપણે સાચે જ ઈશ્વરને પ્રેમ કરીએ છીએ તો આપણને તેમની બીક લાગશે નહિ, કારણ કે જેઓ ઈશ્વરને સંપૂર્ણપણે પ્રેમ કરે છે તેઓને તેમની બીક લાગતી નથી. જો આપણે વિચારીએ કે તેઓ આપણને શિક્ષા કરશે તો જ આપણને બીક લાગશે. માટે જેઓને ઈશ્વરની બીક લાગે છે તેઓ નિશ્ચિતરૂપે ઈશ્વરને સંપૂર્ણપણે પ્રેમ કરતા નથી.
\s5
\v 19 આપણે ઈશ્વરને અને આપણા સાથી વિશ્વાસીઓને પ્રેમ કરીએ છીએ કારણ કે ઈશ્વરે પ્રથમ આપણને પ્રેમ કર્યો છે.
\v 20 માટે જેઓ કહે છે કે "હું ઈશ્વરને પ્રેમ કરું છું" પણ સાથી વિશ્વાસીને ધિક્કારે છે તેઓ જૂઠ્ઠું બોલે છે. જેઓ પોતાના એક સાથી વિશ્વાસી કે જેને તેમણે જોયો છે તેના પર પ્રેમ કરતા નથી, તો તેઓ ચોક્કસપણે ઈશ્વર પર પ્રેમ કરી શકતા નથી કે જેમને તેઓએ જોયા નથી.
\v 21 ઈશ્વરે આપણને આ જે આજ્ઞા કરી છે તે તમારા મનમાં રાખો: જો આપણે તેમના પર પ્રેમ કરીએ છીએ તો આપણે આપણા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ કરવો જ જોઈએ.
\s5
\c 5
\p
\v 1 જે બધા વિશ્વાસ કરે છે કે ઈસુ એ જ ખ્રિસ્ત છે તેઓ ઈશ્વરથી જન્મેલાં ઈશ્વરનાં બાળકો છે. અને જે કોઈ તે પિતાને પ્રેમ કરે છે તે ચોક્કસપણે તેમના બાળકને પણ પ્રેમ કરે છે.
\v 2 જ્યારે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ અને તેઓ જે કરવાની આજ્ઞા કરે છે તે કરીએ છીએ ત્યારે આપણે ખાતરી પામી શકીએ છીએ કે આપણે સાચે જ ઈશ્વર પર પ્રેમ કરીએ છીએ.
\v 3 હું આ કહી રહ્યો છું કારણ કે ઈશ્વર પર પ્રેમ કરવાનો ખરેખર અર્થ એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ. વળી, તેઓ જે આજ્ઞા કરે છે તે પ્રમાણે કરવું અઘરું નથી.
\s5
\v 4 આપણામાંના સર્વ જેમને ઈશ્વરે પોતાનાં બાળકો બનાવ્યાં છે તેઓને, અવિશ્વાસીઓ જે ઇચ્છે છે કે આપણે કરીએ તેનો નકાર કરવા શક્તિમાન કરવામાં આવ્યા છે. ઈશ્વરની વિરુદ્ધ જે બધું છે તેના કરતાં આપણે શક્તિમાન છીએ. આપણે ખોટું કરવાનું નકારવા સમર્થ છીએ કારણ કે આપણે ખ્રિસ્તમાં ભરોસો કરીએ છીએ.
\v 5 એવી કઈ વ્યક્તિ છે કે જે ઈશ્વર વિરુદ્ધની બધી જ બાબતો કરતાં શક્તિમાન છે? તે એ જ વ્યક્તિ છે કે જે વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે.
\p
\s5
\v 6 ઈસુ ખ્રિસ્ત વિષે વિચાર કરો. તેઓ એ જ છે કે જેઓ ઈશ્વર તરફથી પૃથ્વી પર આવ્યા. જ્યારે યોહાને ઈસુનું પાણીથી બાપ્તિસ્મા કર્યું ત્યારે ઈશ્વરે બતાવ્યું કે તેમણે સાચે જ ઈસુને મોકલ્યા છે, અને જ્યારે ઈસુ મરણ પામ્યા ત્યારે તેમના શરીરમાંથી જે રક્ત વહ્યું ત્યારે પણ ઈશ્વરે તે બતાવ્યું. અને ઈશ્વરનો આત્મા સત્યતાથી જાહેર કરે છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર તરફથી આવ્યા છે.
\v 7 આ ત્રણ, સાક્ષી પૂરનાર ત્રણ સાક્ષીઓ જેવા છે:
\v 8 ઈશ્વરનો આત્મા, પાણી અને રક્ત. આ ત્રણેય એક જ બાબત કહે છે.
\s5
\v 9 સામાન્ય રીતે બીજા લોકો આપણને જે કહે છે તે પર આપણે વિશ્વાસ કરી લઈએ છીએ. પણ ઈશ્વર જે કહે છે તેમાં આપણે ચોક્કસપણે વધુ ભરોસો કરી શકીએ છીએ.
\v 10 જેઓ ઈશ્વરના પુત્રમાં ભરોસો કરે છે તેઓ પોતાના અંત:કરણમાં જાણે છે કે તેમના સબંધીનું સત્ય શું છે. પણ ઈશ્વર જે કહે છે તેમાં જેઓ વિશ્વાસ કરતા નથી તેઓ ઈશ્વરને જૂઠ્ઠા કહે છે, કારણ કે ઈશ્વરે તેમના પુત્ર વિષે જે સાક્ષી આપી છે તે પર વિશ્વાસ કરવાનું તેઓએ નકાર્યું છે.
\s5
\v 11 ઈશ્વર આપણને જે કહે છે તે આ છે: "મેં તમને અનંતજીવન આપ્યું છે." જો આપણે તેમના પુત્ર સાથે જોડાયેલા હોઈશું તો આપણે સદાકાળ જીવીશું.
\v 12 જેઓ ઈશ્વરના પુત્ર સાથે જોડાયેલા છે તેઓ ઈશ્વર સાથે સદાકાળ જીવશે. જેઓ તેમની સાથે જોડાયેલા નથી તેઓ સદાકાળ જીવશે નહિ.
\p
\s5
\v 13 જેઓ વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે, એવા તમને મેં આ પત્ર એટલા માટે લખ્યો છે કે તમે જાણો કે તમે સદાકાળ જીવવાના છો.
\v 14 આપણે તેમની સાથે જોડાયેલા છીએ તેથી, આપણે ખાતરીબદ્ધ છીએ કે તેમણે માન્ય કરેલું કશું પણ કરવા જ્યારે આપણે તેમને કહીએ ત્યારે તેઓ આપણું સાંભળે છે.
\v 15 વળી, જો આપણે જાણીએ છીએ કે આપણે જે કંઈ માગીએ તેમાં તેઓ આપણું સાંભળે છે તો પછી આપણને ખાતરી થઈ શકે છે કે આપણે તેમની પાસેથી જે કઈ માગ્યું છે તે આપણે પ્રાપ્ત કરીશું.
\p
\s5
\v 16 ધારો કે તમે આપણામાંના કોઈ સાથી વિશ્વાસીને એવું પાપ કરતાં જુઓ છો કે જે તેને ઈશ્વરથી અલગ નહિ કરે, અને જ્યારે તમે તેને પાપ કરતાં જુઓ ત્યારે, તમારે ઈશ્વર પાસે માગવું અને પ્રાર્થના કરવી કે ઈશ્વર તે વ્યક્તિને એટલે કે જે વ્યક્તિ ઈશ્વરથી તેને અલગ કરનારું પાપ નથી કરી રહી તેને જીવન આપે. પણ એવા કેટલાંક લોકો છે કે જેઓ એ રીતે પાપ કરે છે કે જે તેમને સદાકાળ માટે ઈશ્વરથી અલગ કરી દે છે. હું તમને એમ નથી કહેતો કે આવી રીતે પાપ કરતા લોકોને મદદ કરવા માટે તમારે ઈશ્વર પાસે માગવું જોઈએ.
\v 17 જે બધું ખોટું જ છે તે ઈશ્વર વિરુદ્ધનું પાપ છે, પણ દરેક ખરાબ બાબત જે આપણે કરીએ તે આપણને ઈશ્વરથી સદાકાળ અલગ પાડી શકતી નથી.
\s5
\v 18 આપણે જાણીએ છીએ કે જો કોઈ વ્યક્તિ ઈશ્વરનું બાળક છે તો તે વ્યક્તિ વારંવાર પાપ કરતી નથી. તેને બદલે, ઈશ્વરનો પુત્ર તેનું રક્ષણ કરે છે કે જેથી દુષ્ટ શેતાન તેને ઈજા ના કરે.
\v 19 આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના છીએ, અને આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વ દુષ્ટ શેતાનના નિયંત્રણ હેઠળ છે.
\s5
\v 20 આપણે એ પણ જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આપણી મધ્યે આવ્યા છે અને સત્ય સમજવા તેમણે આપણને સમર્થ કર્યા છે; આપણે ઈશ્વરના પુત્ર, ઈસુ ખ્રિસ્ત, કે જે સાચા છે તેમની સાથે જોડાયા છીએ. ઈસુ ખ્રિસ્ત સાચે જ ઈશ્વર છે, અને તેઓ એ છે કે જે આપણને અનંતજીવન માટે સમર્થ કરે છે.
\p
\v 21 મારા વહાલાંઓ, હું તમને કહું છું કે જેમની પાસે ખરેખર પરાક્રમ નથી એવા દેવોની આરાધના કરવાથી પોતાને બચાવો.

33
64-2JN.usfm Normal file
View File

@ -0,0 +1,33 @@
\id 2JN - UDB Guj
\ide UTF-8
\h યોહાનનો બીજો પત્ર
\toc1 યોહાનનો બીજો પત્ર
\toc2 યોહાનનો બીજો પત્ર
\toc3 2jn
\mt1 યોહાનનો બીજો પત્ર
\s5
\c 1
\p
\v 1 તમે બધા મને મુખ્ય વડીલ તરીકે જાણો છો. હું આ પત્ર તમ વિશ્વાસીઓને એટલે કે એ સમુદાય કે જેના પર હું ખૂબ પ્રેમ કરું છું તેઓને લખી રહ્યો છું. ઈશ્વરે તમને પસંદ કર્યા છે, અને હું તમને પ્રેમ કરું છું કારણ કે આપણે ખ્રિસ્ત વિષે જે જાણીએ છીએ તે સાચું છે! માત્ર હું જ તમને પ્રેમ કરું છું એમ નહીં, પણ જેઓ ખ્રિસ્તે શીખવેલો સાચો સંદેશ જાણે છે અને સ્વીકારે છે તેઓ સર્વ પણ તમને પ્રેમ કરે છે.
\v 2 એનું કારણ એ છે કે આપણામાંના બધા જ ઈશ્વરના સાચા સંદેશ પર વિશ્વાસ કરીએ છીએ. તે સંદેશો આપણા અંત:કરણમાં છે અને આપણે તે પર વિશ્વાસ કરવામાં હંમેશા લાગુ રહીશું!
\v 3 ઈશ્વર પિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, આપણા પ્રત્યે માયાળુપણે અને દયાથી વર્તવાનું ચાલુ રાખશે કારણ કે તેઓ આપણને પ્રેમ કરે છે. તેઓ આપણને શાંતિ મેળવવા સમર્થ કરશે કારણ કે તેઓ સાચે જ આપણા પર પ્રેમ કરે છે.
\p
\s5
\v 4 મેં જાણ્યું છે કે તમારામાંના કેટલાક ઈશ્વરે આપણને શીખવેલા સત્ય અનુસાર જીવી રહ્યા છે તે કારણે હું આનંદિત છું. ઈશ્વરે આપણને જે કરવાની આજ્ઞા આપી છે તે આ જ છે.
\p
\v 5 અને વહાલા વિશ્વાસીઓ, તેમણે આપણને જે કરવાની આજ્ઞા આપી છે તેને આધીન થવા હું તમને અરજ કરું છું. આ જ કારણે હું તમને લખી રહ્યો છું. તેમણે જે આજ્ઞા આપી કે આપણે એકબીજા પર પ્રેમ કરવો જોઈએ તે બિલકુલ નવી આજ્ઞા નથી; તેને બદલે, જ્યારે આપણે ખ્રિસ્તમાં પ્રથમ વિશ્વાસ કર્યો ત્યારે આપણે તે શીખ્યા હતા કે આપણે એકબીજા પર પ્રેમ કરવો જોઈએ.
\v 6 ઈશ્વર પર અને એકબીજા પર પ્રેમ કરવાનો જે અર્થ છે તે આ છે એટલે કે ઈશ્વર આપણને જે કરવાની આજ્ઞા કરે તેને આધીન થવું. તેઓ આપણને જે આજ્ઞા આપે છે તે એ છે કે આપણે ઈશ્વર પર અને એકબીજા પર પ્રેમ કરીએ.
\p
\s5
\v 7 જેઓ બીજાઓને છેતરે છે તેવા ઘણા લોકોએ તમારી મંડળીનો ત્યાગ કર્યો છે અને તમારા વિસ્તારમાંના અન્ય લોકોમાં જતા રહ્યા છે. ઈસુ મનુષ્ય બન્યા તે પર વિશ્વાસ કરવાનો જેઓ ઇનકાર કરે છે તેઓ એ છે. તેઓ બીજાઓને છેતરે છે અને ખ્રિસ્તનો વિરોધ કરે છે.
\v 8 માટે કાળજી રાખો કે એવા શિક્ષકો તમને છેતરે નહીં! જો તમે તેમને છેતરવા દો તો તમે ઇનામ ખોઈ બેસશો કે જેને માટે અમે તમારી સાથે કામ કરી રહ્યા છીએ, અને તમે ઈશ્વર સાથે સદાકાળ રહેવાનું પૂરું ઇનામ પ્રાપ્ત નહિ કરી શકો!
\s5
\v 9 ખ્રિસ્તે જે શીખવ્યું તેને જેઓ બદલી નાખે છે અને તેમના શિક્ષણમાં વિશ્વાસ કરવામાં લાગુ રહેતા નથી તેઓ ઈશ્વર સાથે જોડાયેલા નથી. પણ ખ્રિસ્તે જે શીખવ્યું તેમાં વિશ્વાસ કરવામાં જેઓ લાગુ રહે છે તેઓ ઈશ્વર આપણા પિતા અને તેમના પુત્ર, એમ બંને સાથે જોડાયેલા છે.
\v 10 તેથી જ્યારે કોઈ તમારી પાસે આવે અને ખ્રિસ્તે જે શીખવ્યું છે તેનાથી કંઈક અલગ શીખવે, ત્યારે તમારા ઘરોમાં તેનો આવકાર ન કરો! તેને સલામ પાઠવીને કે કોઈપણ રીતે શુભેચ્છા પાઠવીને ઉત્તેજન ન આપો!
\v 11 હું આ કહું છું કારણ કે જો તમે સાથી વિશ્વાસી સાથે કરતા હોય એવો વ્યવહાર તે લોકો સાથે કરો તો તમે તેઓને તેમનાં ખરાબ કૃત્યોમાં મદદ કરી રહ્યા છો.
\p
\s5
\v 12 મારી પાસે તમને કહેવાનું ઘણું બધું છે છતાં પણ મેં નક્કી કર્યું છે કે તે પત્ર દ્વારા ન કહેવું. તેને બદલે, હું ટૂંક સમયમાં તમારી સાથે હોઈશ ત્યારે તમારી સાથે સીધી વાત કરીશ એવી અપેક્ષા હું રાખું છું. પછી આપણે સાથે મળીને સંપૂર્ણપણે આનંદિત થઈ શકીશું.
\v 13 અહીંની મંડળીના તમારા સાથી વિશ્વાસીઓ કે જેઓ પણ ઈશ્વરથી પસંદ કરાયા છે, તેઓ સર્વ તમને સલામ પાઠવે છે.

36
65-3JN.usfm Normal file
View File

@ -0,0 +1,36 @@
\id 3JN - UDB Guj
\ide UTF-8
\h યોહાનનો ત્રીજો પત્ર
\toc1 યોહાનનો ત્રીજો પત્ર
\toc2 યોહાનનો ત્રીજો પત્ર
\toc3 3jn
\mt1 યોહાનનો ત્રીજો પત્ર
\s5
\c 1
\p
\v 1 તું મને મુખ્ય વડીલ તરીકે ઓળખે છે. તારા પર હું સાચે જ પ્રેમ રાખું છું એવા મારા વહાલા મિત્ર ગાયસ તને હું આ પત્ર લખી રહ્યો છું.
\v 2 વહાલા મિત્ર, હું ઈશ્વર પાસે માગું છું કે દરેક રીતે તારું સારું થાય, અને તું જેમ ઈશ્વર સંબંધી કુશળ છે તેમ શારીરિક રીતે પણ તું તંદુરસ્ત થાય.
\v 3 કેટલાક સાથી વિશ્વાસીઓ અહીં આવ્યા છે અને તેમણે મને કહ્યું છે કે તું ખ્રિસ્ત વિષેના સાચા સંદેશ પ્રમાણે જીવે છે તે કારણે હું ઘણો ખુશ છું. તેમણે મને કહ્યું કે તું ઈશ્વરનાં સત્યો સાથે સુસંગત થતું જીવન જીવે છે.
\v 4 જ્યારે હું સાંભળું છું કે જે લોકોને મેં ખ્રિસ્ત પર વિશ્વાસ કરવામાં મદદ કરી હતી તેઓ ઈશ્વરના સત્ય સાથે સુસંગત જીવન જીવે છે ત્યારે હું ઘણો જ ખુશ થાઉં છું!
\s5
\v 5 વહાલા મિત્ર, જ્યારે તું સાથી વિશ્વાસીઓને, અને વળી અજાણ્યાઓ કે જેમને તું ઓળખતો નથી, જેઓ ઈશ્વરની સેવા કરવા માટે ચારે બાજુ મુસાફરી કરે છે, તેઓને પણ મદદ માટે જે બાબતો કરે છે ત્યારે તું વફાદારીથી ઈસુની સેવા કરે છે.
\v 6 તું તેઓને પ્રેમ કરે છે તે તેં કેવી રીતે દર્શાવ્યું છે તે વિષે તેઓમાંના કેટલાકે અહીંની મંડળી સમક્ષ અહેવાલ આપ્યો છે. આવા લોકોને તેમના કામ કરવામાં મદદ કરવા ઈશ્વરને મહિમા મળે એ રીતે તારે લાગુ રહેવું જોઈએ.
\p
\v 7 જ્યારે તે સાથી વિશ્વાસીઓ ઈસુ વિષે લોકોને કહેવા બહાર આવ્યા ત્યારે, જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા નથી તેમના તરફથી તેમને કોઈ નાણાં મળ્યાં નહિ.
\v 8 માટે આપણે જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ તેમણે આવા લોકોને ખોરાક અને નાણાં આપવાં જોઈએ અને લોકો ઈશ્વરનો સાચો સંદેશ જાણે તેમાં તેઓને મદદરૂપ થવા તેઓ સાથે કામ કરવું જોઈએ.
\p
\s5
\v 9 મેં તારા વિશ્વાસીઓના જૂથને એમ કહેવા પત્ર લખ્યો છે કે તેઓ એવા અન્ય વિશ્વાસીઓને મદદ કરે. જો કે દિયોત્રેફેસ મારા પત્રને સ્વીકારતો નથી કારણ કે તે તમારા પર અધિકાર જમાવવા માગે છે.
\v 10 માટે જ્યારે હું ત્યાં આવીશ ત્યારે તે જે કરે છે તે હું બધાને જાહેરમાં કહીશ કે તે બીજાઓને અમારા વિષે ખોટી અર્થહીન બાબતો જણાવે છે, કે જેથી અમને નુકસાન થાય. કેવળ તેટલું કરીને તેને સંતોષ થતો નથી, પણ જેઓ ઈશ્વરના કાર્ય માટે ચારે બાજુ મુસાફરી કરે છે તેમનો આવકાર કરવાનો તે પોતે ઇનકાર કરે છે. અને જેઓ તેમને આવકારવા માંગે છે તેઓને તે મંડળીમાંથી કાઢી મૂકીને અટકાવે છે.
\p
\s5
\v 11 વહાલા મિત્ર, એવા ખોટા નમૂનાને અનુસરીશ નહીં. તેને બદલે, સારા નમૂનાઓને અનુસરતો રહે. યાદ રાખ કે જે લોકો સારાં કામ કરે છે તેઓ સાચે જ ઈશ્વરના છે. જે કોઈ ખોટું કરતો રહે છે તેણે ઈશ્વરને કદી જોયા નથી.
\p
\v 12 સર્વ વિશ્વાસીઓ જેઓ દેમેત્રિયસને ઓળખે છે તેઓ કહે છે કે તે સારો માણસ છે. જો સત્ય કોઈ વ્યક્તિ હોત તો તે પણ એમ જ કહેત! અમે પણ કહીએ છીએ કે તે સારી વ્યક્તિ છે, અને તમે જાણો છો કે અમે તેના વિષે જે કહીએ છીએ તે સાચું છે.
\p
\s5
\v 13 જ્યારે મેં આ પત્ર લખવાનું શરૂ કર્યું, ત્યારે મારી પાસે ઘણું બધું હતું કે જે તમને કહેવાનો મારો ઇરાદો હતો. પણ હવે હું તે પત્રમાં કહેવા માગતો નથી.
\v 14 તેને બદલે, ત્યાં આવીને તને જલદીથી મળું એવી મારી ધારણા છે. પછી આપણે સીધા એકબીજા સાથે વાત કરીશું.
\v 15 ઈશ્વર તને શાંતિ આપે. અહીંના મિત્રો તને સલામ પાઠવે છે. ત્યાંના અમારા મિત્રોને, વ્યક્તિગત રીતે અને નામ લઈને અમારી સલામ પાઠવજે.

56
66-JUD.usfm Normal file
View File

@ -0,0 +1,56 @@
\id JUD - UDB Guj
\ide UTF-8
\h યહૂદાનો પત્ર
\toc1 યહૂદાનો પત્ર
\toc2 યહૂદાનો પત્ર
\toc3 jud
\mt1 યહૂદાનો પત્ર
\s5
\c 1
\p
\v 1 હું યહૂદા છું. હું ઈસુ ખ્રિસ્તનો સેવક અને યાકૂબનો ભાઈ છું. તમને જેઓને ઈશ્વરે તેડ્યા છે, જેઓને ઈશ્વર પિતા પ્રેમ કરે છે, અને જેઓને ઈસુ ખ્રિસ્ત સંભાળે છે તેઓને આ પત્ર હું લખી રહ્યો છું.
\v 2 ઈશ્વર તમારા પર પુષ્કળ દયા કરો, તેઓ તમને પુષ્કળ શાંતિ આપો અને તમને પુષ્કળ પ્રેમ કરો.
\p
\s5
\v 3 ઈશ્વરે કેવી રીતે આપણ સર્વનો ઉદ્ધાર કર્યો છે તે વિષે તમને જેઓને હું ચાહું છું તેઓને પત્ર લખવા મેં ખૂબ પ્રયત્ન કર્યો. જે સાચી બાબતો પર આપણે વિશ્વાસ કરીએ છીએ તે સંબંધી બોલવા તમે શ્રેષ્ઠ પ્રયત્ન કરો તે માટે તમને ઉત્તેજન આપવા તમને લખવાની મને જરૂર હતી. આ એ બાબતો છે કે જે ઈશ્વરે ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર સર્વને શીખવી છે. આ બાબતો ક્યારેય બદલાશે નહીં.
\v 4 એવા કેટલાક માણસો છે કે જેઓ તમારી મંડળીઓમાં ચુપકીદીથી પ્રવેશ કરે છે; તેઓ તો દુષ્ટ માણસો જેવા છે કે જેઓ વિષે પ્રબોધકોએ ઘણા સમય અગાઉ લખ્યું હતું, તેઓ જૂઠ્ઠી બાબતો શીખવે છે અને ઈશ્વરની કૃપાનો જાતીય પાપ કરવાની છૂટછાટ તરીકે દુરુપયોગ કરે છે. આ રીતે તેઓ ઈસુ ખ્રિસ્ત આપણા એકલા સ્વામી અને પ્રભુના સંબંધી જે સાચું છે તેનો વિરોધ કરે છે.
\p
\s5
\v 5 જો કે તમે અગાઉ આ સર્વ બાબતો જાણતા હતા તો પણ કેટલીક નિશ્ચિત બાબતો વિષે તમને યાદ અપાવવાની મારી ઇચ્છા છે. એ ભૂલી ન જાઓ કે જો કે ઈશ્વરે પોતાના લોકોને ઈજિપ્તમાંથી બચાવ્યા તો પણ પછીથી તેમણે તેઓમાંના મોટાભાગના લોકોનો એટલે કે જે લોકોએ તેમનામાં વિશ્વાસ કર્યો નહિ તેઓનો નાશ કર્યો.
\v 6 સ્વર્ગમાં પણ ઘણા દૂતો હતા જેઓને ઈશ્વરે અધિકારની પદવીઓ સોંપી હતી. પણ તેઓ તે પદવીઓ પર રહીને અધિકાર સાથે રાજ કરવામાં લાગુ રહ્યા નહિ. તેને બદલે, તેઓએ તે જગ્યાઓ તરછોડી દીધી. માટે ઈશ્વરે તે દૂતોને સાંકળોથી બાંધીને નર્કના સદાકાળના અંધકારમાં મૂક્યા છે. ઈશ્વર તેઓનો ન્યાય કરશે અને તેઓને શિક્ષા કરશે તે ન્યાયના દિવસ સુધી તેઓ ત્યાં જ રહેશે.
\s5
\v 7 એમ જ, જે લોકો સદોમ અને ગમોરાહ શહેરો તથા નજીકના શહેરોમાં રહેતા હતા તેઓએ જાતીય અનૈતિકતા આચરી. તેઓએ ઈશ્વર જેની પરવાનગી આપે છે તેનાથી વિરુદ્ધના જાતજાતના જાતીય સંબંધો શોધી કાઢ્યા. માટે ઈશ્વરે તેઓનાં શહેરોનો નાશ કર્યો. તે લોકોને તથા સ્વર્ગમાંના જે દૂતોને થયું તે બતાવે છે કે ઈશ્વર આવા લોકો, જેઓ ખોટા સિધ્ધાંત શીખવે છે, તેઓને નર્કના અનંત અગ્નિમાં શિક્ષા કરશે.
\v 8 એવી જ રીતે, તમારી મધ્યેના આવા લોકો પણ ભ્રષ્ટતાથી જીવીને પોતાનાં શરીરોને અપવિત્ર કરે છે. તેઓ કહે છે કે ઈશ્વરે તેઓને દર્શનો આપ્યાં છે જે તેઓને આ પ્રમાણે કરવા કહે છે. પણ તેઓ ઈશ્વરની આજ્ઞાઓને આધીન થતા નથી, અને તેઓ તેમના ગૌરવી દૂતોનું અપમાન કરે છે.
\p
\s5
\v 9 મૂસાનું શરીર કોણ લેશે તે વિષે પણ જ્યારે પ્રમુખદૂત મિખાયેલે શેતાન સાથે દલીલ કરી ત્યારે તેણે તેનું અપમાન કર્યું નહીં અને તેને વખોડ્યો નહીં; તેણે માત્ર કહ્યું કે, "ઈશ્વર તને શિક્ષા કરો!"
\v 10 પણ જે લોકો વિષે હું લખી રહ્યો છું તેઓ, દરેક સારી બાબતો કે જે વિષે તેઓ સમજતા નથી, તેઓ વિષે ખોટા શબ્દો બોલે છે. તેઓ જંગલી પશુઓ જેવા છે કે જેઓ વિચારી શકતા નથી, કારણ કે જે સર્વ બાબતો તેઓ સ્વાભાવિક રીતે સમજી શકે છે તે બાબતો જ તેમનો નાશ કરે છે.
\p
\v 11 જેઓ આ બાબતો કરે છે તેઓને ઈશ્વર સખત શિક્ષા કરશે. તેઓ જેમ કાઈન વર્ત્યો તેમ વર્તે છે. જે પાપ બલામે પૈસા માટે કર્યું તે જ પાપ તેઓ કરે છે, અને કોરાહ, કે જેણે મૂસાની વિરુદ્ધ બળવો કર્યો હતો તેની જેમ તેઓ મરશે.
\s5
\v 12 આ લોકો પાણી નીચેના ખડક જેવા છે કે જેનાથી વહાણોનો કચ્ચરઘાણ થાય છે. જ્યારે તેઓ તમારા પ્રેમ ભોજનોમાં ભાગ લે છે ત્યારે તેઓને શરમ લાગતી નથી, કારણ કે તેઓ માત્ર પોતાને પ્રસન્ન કરવા ખાય છે. તેઓ એ વાદળો જેવા છે કે જે વરસાદ આપતા નથી, એવાં વાદળાં કે જેને પવન ખેંચી જાય છે. તેઓ સારાં કૃત્યો કરતા નથી કેમ કે તેઓ પાનખર ઋતુની અંતનાં વૃક્ષો જેવા છે કે જે ફળ આપતાં નથી. તેઓ ઉખેડી નાખવામાં આવેલાં વૃક્ષો જેવા છે.
\v 13 તેઓ પોતાને નિયંત્રિત કરતા નથી. તેઓ સમુદ્રના તોફાનમાંના ભારે મોજાં જેવા છે અને જેમ મોજાંઓ કિનારા પર ફીણ અને કચરો લાવે તેમ તેઓ પોતાની શરમથી બીજાઓને દૂષિત કરે છે. તેઓ એવા તારા જેવા છે કે જેઓ આકાશમાં રહેવું જોઈએ તે રીતે રહેતા નથી. ઈશ્વર તેઓને ગાઢ અંધકારમાં સદાકાળ મૂકી દેશે.
\p
\s5
\v 14 હનોખ, જે આદમના વંશમાં થયેલાઓમાં સાતમી વ્યક્તિ હતો તેણે જૂઠા સિધ્ધાંતના ખોટા શિક્ષકો વિષે કહ્યું હતું: " કાળજીપૂર્વક આ સાંભળો: પ્રભુ તેમના અસંખ્ય સંતો સાથે ચોક્કસ આવશે.
\v 15 તેઓ દરેકનો ન્યાય કરશે અને સર્વ દુરાચારી લોકોને તથા સર્વ જેઓ ઈશ્વરનું અપમાન કરે છે તેઓને શિક્ષા કરશે. આ લોકો ઈશ્વર વિરુદ્ધ જે સર્વ ઉદ્ધત બાબતો બોલ્યા છે તેને કારણે દૂતો આવું કરશે."
\v 16 ઈશ્વર જે બાબતો કરે છે તે વિષે સિદ્ધાંતોના આ ખોટા શિક્ષકો બડબડાટ કરે છે. તેઓ પોતાની સાથે જે થાય છે તે વિષે ફરિયાદ કરે છે. તેઓ ખરાબ બાબતો કરે છે કારણ કે તેઓ તે કરવાની ઇચ્છા રાખે છે. તેઓ અભિમાનપૂર્વક વાત કરે છે. તેઓ લોકો પાસેથી વસ્તુઓ મેળવવા માટે તેઓના વખાણ કરે છે.
\p
\s5
\v 17 પણ જે લોકોને હું પ્રેમ કરું છું એવા તમે, ઘણા સમય અગાઉ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોએ જે કહ્યું હતું તે યાદ કરો.
\v 18 તેઓએ કહ્યું હતું કે, "છેલ્લા દિવસ અગાઉ, કેટલાક લોકો ઈશ્વરે આપણને જે સાચી બાબતો કહી છે તેની મજાક કરશે. તેઓ જે પાપો કરવાની ઈચ્છા રાખે છે તે પોતાના શરીરોથી કરશે કારણ કે તેઓ ઈશ્વરનું અપમાન કરે છે."
\v 19 આ એ જ લોકો છે કે જેઓ વિશ્વાસીઓને એકબીજા પ્રત્યે ગુસ્સો કરાવે છે. તેઓ એ સર્વ ખરાબ બાબતો કરે છે કે જે તેઓ કરવા માગે છે. ઈશ્વરનો આત્મા તેઓની અંદર રહેતો નથી.
\p
\s5
\v 20 પરંતુ જે લોકોને હું પ્રેમ કરું છું એવા તમે ઈશ્વરના જે સત્ય પર વિશ્વાસ કરો છો તેનો ઉપયોગ કરીને એકબીજાને બળવાન કરો. પ્રાર્થના કરવામાં પવિત્ર આત્મા તમને સહાય કરો.
\v 21 જેઓને ઈશ્વર પ્રેમ કરે છે તેઓને યોગ્ય છે તે રીતે વ્યવહાર કરવાનું ચાલુ રાખો. સતત એ અપેક્ષા રાખો કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે દયાળુપણે વર્તશે. આપણે તેમની સાથે સદાકાળ જીવવાનું શરુ કરીશું ત્યાં સુધી તે અપેક્ષા કરતા રહો.
\p
\s5
\v 22 જેઓને ખાતરી નથી કે કયા શિક્ષણ પર વિશ્વાસ કરવો તેઓ પ્રત્યે ભલા થાઓ અને તેઓને સહાય કરો.
\v 23 બીજાઓને સદાકાળની શિક્ષાના અગ્નિમાં પડતાં બચાવો. જેઓ પાપ કરે છે તેઓ પ્રત્યે માયાળુ થાઓ પણ તેઓનાં તે પાપોમાં જોડાવાથી ડરો. તેને બદલે, તેઓનાં વસ્ત્રોનો પણ ધિક્કાર કરો કારણ કે તેઓનાં પાપથી તેને ગંદા કરવામાં આવ્યાં છે.
\p
\s5
\v 24 ઈશ્વર તમને તેમના પર વિશ્વાસ રાખવામાં સહાય કરવા સમર્થ છે. તેઓ તમને તેમની હાજરીમાં પણ લઇ જશે કે જ્યાં તેજસ્વી પ્રકાશ છે. તમે ખૂબ જ આનંદ કરશો અને પાપથી મુક્ત થશો.
\v 25 તેઓ એકલા જ સાચા ઈશ્વર છે. તેમણે આપણને, ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુએ આપણા માટે જે કર્યું છે તેને પરિણામે બચાવ્યા છે. ઈશ્વર ગૌરવી, મહાન અને શક્તિશાળી હતા, અને સમય શરુ થયો તે અગાઉ તેઓએ મહાન અધિકાર સાથે રાજ કર્યું. તેઓ આજે પણ એવા જ છે, અને તેઓ એ જ પ્રમાણે સદાસર્વદા માટે રહેશે! આમેન!

799
67-REV.usfm Normal file
View File

@ -0,0 +1,799 @@
\id REV - UDB Guj
\ide UTF-8
\h પ્રકટીકરણ
\toc1 પ્રકટીકરણ
\toc2 પ્રકટીકરણ
\toc3 rev
\mt1 પ્રકટીકરણ
\s5
\c 1
\p
\v 1 ઈસુ ખ્રિસ્તે મને યોહાનને, જે બાબતો બતાવી તે આ પુસ્તકમાં છે. ઈશ્વરે આ બાબતો ઈસુને બતાવી જેથી તેઓ પોતાના સેવકોને તે જણાવે. આ બાબતો ટૂંક સમયમાં બનશે. ઈસુએ પોતાના સ્વર્ગદૂતને મોકલીને આ બાબતો મને, તેમના સેવક યોહાનને જણાવી છે.
\v 2 મેં યોહાને, ઈશ્વરના વચન વિષે જે જોયું છે અને સાંભળ્યું છે તે બધું તથા ઈસુ ખ્રિસ્ત વિશેનો જે સાચો હેવાલ આપવામાં આવ્યો તેના સાક્ષી તરીકે બધું નોંધ્યું છે.
\v 3 જેઓ આ વચનને વાંચે છે અને જ્યારે તેને મોટેથી વાંચવામાં આવે ત્યારે સાંભળે છે તેઓનું ઈશ્વર ભલું કરશે. જેઓ તેને કાળજીપૂર્વક સાંભળશે અને તેનું પાલન કરશે તેઓનું તેઓ ભલું કરશે, કેમ કે આ બાબતો બનશે તે સમય ખૂબ પાસે આવી રહ્યો છે.
\p
\s5
\v 4 આસિયામાં વિશ્વાસીઓના જે સાત સમુદાય છે તેઓને હું, યોહાન, આ પત્ર લખું છું. ઈશ્વર તમારા પ્રત્યે દયાળુ રહે અને તમને શાંતિ આપે, કેમકે તેઓ એ જ છે કે જેઓ સર્વદા અસ્તિત્વ ધરાવતા હતા, જેઓ હાલ અસ્તિત્વ ધરાવે છે, અને ભવિષ્યમાં સદાકાળ અસ્તિત્વ ધરાવશે. જે સાત આત્માઓ તેમના રાજ્યાસન આગળ બેસે છે તેઓ પણ આ બાબતો તમારે માટે કરે.
\v 5 ઈસુ ખ્રિસ્ત કે જેમણે વિશ્વાસુપણે ઈશ્વર વિશેનું સત્ય આપણને જણાવ્યું છે તેઓ પણ તમારા પ્રત્યે દયાળુ રહે અને તમને શાંતિ આપે. કેમકે તેઓ પહેલા છે કે જેમને ઈશ્વરે મૂએલામાંથી ઉઠાડ્યા છે, અને તેઓ એ છે કે જેઓ પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે. તેઓ એ છે કે જેઓ આપણને પ્રેમ કરે છે અને જ્યારે તેઓ વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે તેમણે પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપના દોષથી મુક્ત કર્યા.
\v 6 તેઓ એ છે કે જેમણે પોતાના રાજ્ય પર રાજ કરવાનું શરૂ કર્યું છે; જેમ તેમણે આજ્ઞા આપી છે તેમ આપણે ઈશ્વરની આરાધના કરીએ તે માટે તેમણે આપણને યાજકો થવાને માટે અલગ કર્યા છે. જેમને આપણે સદાકાળ આદર અને મહિમા આપવા જ જોઈએ તે તો ઈસુ ખ્રિસ્ત છે. આ સત્ય છે.
\p
\s5
\v 7 જુઓ! ખ્રિસ્ત વાદળોમાં આવી રહ્યા છે. જેઓએ તેમને વધસ્તંભે જડ્યા છે તેઓ સહિત બધા તેમને જોશે. દરેક કુળ, પૃથ્વી પરના દરેક પ્રકારના લોકો, જ્યારે તેમને આવતાં જોશે ત્યારે દુઃખમાં અને શોકમાં હશે. આ સત્ય છે!
\v 8 પ્રભુ ઈશ્વર જાહેર કરે છે, "હું આલ્ફા છું, જેણે બધાની શરૂઆત કરી છે, અને હું ઓમેગા છું, જે અસ્તિત્વ ધરાવે છે, તે બધાનો તેઓ અંત લાવશે. જેનું સર્વકાળ અસ્તિત્વ હતું, અને જેનું અસ્તિત્વ હમેશાં રહેશે તે હું છું. જે બધી વસ્તુઓ પર અને બધાના પર રાજ કરે છે તે હું તે છું."
\p
\s5
\v 9 હું, યોહાન, તમારો સાથી વિશ્વાસી, ઈસુના આપણા પર રાજ કરવાને લીધે તમારી જેમ સહન કરું છું. આપણને એક સરખા વિશ્વાસને કારણે સહન કરવા બોલાવવામાં આવ્યા છે. આપણે તેમના રાજ્યના ભાગ છીએ અને બધા પર રાજ કરીએ છીએ, અને જે બધી વિપત્તિ અને કસોટી આવે છે તેનો આપણે ધીરજથી સામનો કરીએ છીએ.
\v 10 એક દિવસે અન્ય વિશ્વાસીઓ સાથે પ્રભુનું ભજન કરતી વખતે ઈશ્વરના આત્માએ મારો કબજો લીધો. મેં મારી પાછળથી કોઈ વ્યક્તિને બોલતી સાંભળી. તેનો અવાજ રણશિંગડુ વાગવાના અવાજ જેવો હતો.
\v 11 તેણે મને કહ્યું, "તું જે જુએ છે તે પુસ્તકમાં લખ, અને વિશ્વાસીઓના સાત સમુદાયો પર તે મોકલ. એફેસસ, સ્મર્ના, પેર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાડેલ્ફિયા અને લાઓદિકિયાના શહેરોમાં વસતા વિશ્વાસીઓને મોકલ."
\s5
\v 12 જ્યારે મેં આ શબ્દો સાંભળ્યા, ત્યારે તે કોણ બોલે છે તે જોવા હું પાછળ ફર્યો. પછી મેં સોનાની સાત દીવીઓ જોઈ.
\v 13 સાત દીવીઓની વચમાં કોઈ એક વ્યક્તિ હતી તે મનુષ્યપુત્ર જેવી દેખાતી હતી. આ મનુષ્યપુત્રએ પગ સુધી પહોંચે તેવો ઝભ્ભો પહેરેલો હતો અને છાતી પર સોનાનો પટ્ટો હતો.
\s5
\v 14 તેમના માથાના વાળ સફેદ ઊન જેવા અથવા તાજા હિમ જેવા હતા. તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી.
\v 15 તેમના પગ અગ્નિમાંથી તાજા જ બહાર કાઢેલા ચળકતા પિત્તળના જેવા હતા. જ્યારે તેઓ બોલ્યા ત્યારે તેમનો અવાજ મોટી નદીના ધસમસતા પાણીના અવાજ જેવો મોટો અને ઘેરો હતો.
\v 16 તેમના જમણા હાથમાં સાત તારા હતા. તેમના મુખમાંથી બેધારી તીક્ષ્ણ તરવાર નીકળતી હતી. તેમનો ચહેરો બપોરે પ્રકાશતા સૂર્ય જેવો હતો.
\s5
\v 17 જ્યારે મેં તેમને જોયા ત્યારે મૂએલા જેવો થઈને હું તેમના પગ આગળ પડી ગયો. પણ તેમણે પોતાનો જમણો હાથ મારા પર મુકયો અને કહ્યું, "બીશ નહિ! સર્વ બાબતોનો આરંભ કરનાર તથા તેનો અંત લાવનાર હું છું.
\v 18 જો કે હું એકવાર મરણ પામ્યો હતો તેમ છતાં હું જીવંત છું, અને હવે સદાને માટે જીવંત છું! મને મરણ પર અધિકાર છે અને મૂએલાની જગ્યા ઉપર મારો અધિકાર છે.
\s5
\v 19 તેથી તેં જે જોયું છે તે લખ. અને હાલમાં જે બની રહ્યું છે તે અને જે ભવિષ્યમાં બનનાર છે તે પણ લખ.
\v 20 મારા જમણા હાથમાં જે સાત તારા તેં જોયા અને સોનાની સાત દીવીઓ જોઈ તેનો અર્થ આ છે: સાત તારા તો વિશ્વાસીઓના જે સાત સમુદાય આસિયામાં છે તેમની સંભાળ રાખનાર સ્વર્ગદૂતો દર્શાવે છે, અને સાત દીવીઓ જે સાત સમુદાયો ત્યાં છે તેઓને દર્શાવે છે."
\s5
\c 2
\p
\v 1 એફેસસ શહેરમાં જે વિશ્વાસીઓનો સમુદાય છે તેના સ્વર્ગદૂતને આ સંદેશ લખ: જે પોતાના જમણા હાથમાં સાત તારા રાખે છે, અને જે સોનાની સાત દીવીઓની વચમાં ચાલે છે તે આ વાતો કહે છે:
\v 2 'તેં જે કર્યું છે તે હું જાણું છુ. હું જાણું છું કે તું મારા માટે સખત પરિશ્રમ કરે છે. જ્યારે તું મુશ્કેલીઓમાંથી પસાર થાય છે ત્યારે તું ધીરજવાન છે તે હું જાણું છું. હું એ પણ જાણું છું કે જેઓ દુષ્ટ છે તેવા માણસોને તું સહન કરી શકતો નથી, અને તેઓના વિશ્વાસ સંબંધી તું તેઓને પ્રશ્ન કરે છે, અને જેઓ પ્રેરિત હોવાનો દાવો કરે છે પણ એવા નથી તેઓને તું જાણે છે.
\s5
\v 3 મારા પર વિશ્વાસ કરવાને લીધે તું ધીરજથી દુ:ખ સહન કરે છે અને તું મારી પાછળ ચાલે છે તેને લીધે જ્યારે લોકોએ તને દુઃખી કર્યો તે છતાં તેં સતત મારી સેવા કરવાનું ચાલુ રાખ્યું, તે હું જાણું છું. જ્યારે મુશ્કેલ હતું ત્યારે પણ તેં મારી સેવા ચાલુ રાખી અને મારાં વચનોને પકડી રાખ્યાં છે. તે તારા માટે મુશ્કેલ હતું તોપણ તેં છોડી દીધું નહીં કે બંધ કરી દીધું નહીં.
\v 4 તોપણ, તેં કઈક ખોટું કર્યું છે: તું પ્રથમ વાર વિશ્વાસમાં આવ્યો ત્યારે જેવો પ્રેમ કરતો હતો તેવો પ્રેમ હવે તું મારા પર અને એકબીજા પર કરતો નથી. તને મારા પર શરૂઆતમાં જેવો પ્રેમ હતો તેવો પ્રેમ હવે નથી.
\v 5 તેથી હું તને કહું છું કે, તું મને કેવો પ્રેમ કરતો હતો તે યાદ કર. પ્રથમના જેવો પ્રેમ મને ફરીથી કર. જો તું તેમ નહિ કરે તો હું તારી પાસે આવીશ અને તારી દીવીને દૂર કરીશ કે જેથી તમે મારા લોક તરીકે ન રહો.
\s5
\v 6 પણ તું એક બાબત ઘણી સારી કરે છે: નીકોલાયતીઓ, જેઓ કહે છે કે, તમે મૂર્તિપૂજા અને અનૈતિક કામ કરી શકો છો -- તેઓ જે કરે છે તેનો જેમ હું તિરસ્કાર કરું છું તેમ તમે પણ તેનો તિરસ્કાર કરો છો.
\v 7 દરેક જણ જે મારો સંદેશ સમજવા ચાહે છે તેઓ, તમ એકઠા મળેલા વિશ્વાસીઓના સમુદાયને ઈશ્વરનો આત્મા શું કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળો. સંદેશ તો આ છે: તમે જેઓ વિજયવંત છો તેઓને હું જે વૃક્ષ ઈશ્વરના બાગમાં છે અને જે અનંતજીવન આપે છે તેનું ફળ ખાવાને માટે આપીશ.'"
\p
\s5
\v 8 સ્મર્ના શહેરમાં વિશ્વાસીઓનો જે સમુદાય છે તેના સ્વર્ગદૂતને આ સંદેશ લખ: 'હું આ વાતો તને કહું છું. જેણે સર્વ બાબતોનો આરંભ કર્યો તે હું પ્રથમ છું, અને જે સર્વ બાબતોનો અંત લાવનાર છે તે હું છેલ્લો છું. હું મરણ પામ્યો હતો અને પાછો જીવતો થયો છું.
\v 9 તેં જે સહન કર્યું છે તે હું જાણું છું. હું જાણું છું કે તું કેટલો ગરીબ છે અને તારે જેની જરૂર છે તેની તને અછત છે (પણ અનંતકાળની જે બાબતો છે તેઓમાં તું ખરેખર ધનવાન છે અને તે તારી પાસેથી લઈ લેવાશે નહિ). તું ખ્રિસ્તને અનુસરે છે તેને લીધે લોકો તને શાપ આપે છે અને તારા વિષે દુષ્ટ વાતો કહે છે તે કેવું ભયંકર છે તે તું જાણે છે. યહૂદીઓ કે (જેઓ ખરા યહૂદીઓ નથી) જેઓ તને શાપ દે છે અને તારા વિષે દુષ્ટ વાતો કરે છે, તેઓ શેતાનની સભાના છે, ઈશ્વરના લોકોની સભાના નથી.
\s5
\v 10 તારે જે જે સહન કરવું પડશે તેથી બીશ નહિ. સત્ય એ છે કે શેતાન તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે, એવી મુસીબતભરી જગ્યામાં નાખશે કે જ્યાં તારી કસોટી કરવામાં આવશે કે તારો વિશ્વાસ કેવો છે. થોડા સમયને માટે તારે સહન કરવું પડશે. તું મારા પર વિશ્વાસ રાખે છે તેના કારણે તેઓ તને મારી નાખે તોપણ, મારા પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખજે. અને હું તારા માથા પર જીવનનો મુગટ મૂકીશ જે દર્શાવશે કે તું વિજય પામ્યો છે અને તને અનંતજીવન છે.
\v 11 એકઠા થયેલા વિશ્વાસીઓના સમુદાયને ઈશ્વરનો આત્મા શો સંદેશ કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળો. સર્વ જેઓ જીત પામે છે તેઓ બીજી વખત કદી મરણ પામશે નહિ.'"
\p
\s5
\v 12 "પેર્ગામમ શહેરના વિશ્વાસીઓના સમુદાયના સ્વર્ગદૂતને આ સંદેશ લખ: 'હું આ વાતો તને કહું છું. જેની પાસે બેધારી તીક્ષ્ણ તરવાર છે હું તે છું.
\v 13 હું જાણું છું કે જ્યાં શેતાનનું બળ ભારે છે અને જે દરેક જગ્યામાં તેની અસર વર્તાય છે ત્યાં તું રહે છે. જ્યારે મારા વિશ્વાસુ સેવક અંતિપાસને કે જેણે લોકોને હું કોણ છું અને મેં શું કર્યું છે તે વિષે સતત કહેવાનું ચાલુ રાખ્યું હતું, તેને મારી નાખ્યો તો પણ તારો વિશ્વાસ દ્રઢ છે, અને મને જે ગમે છે અને મારા માટે જે મહત્વનું છે તેને તું વળગી રહે છે તે હું જાણું છું.
\s5
\v 14 તોપણ હું કેટલીક બાબતો જોઉં છું કે જે તારી સાક્ષીને નુકસાન પહોંચાડે છે અને તારી આધીનતાને નબળી પાડે છે. લાંબા સમય અગાઉ બલામે જે શીખવ્યું તે તમારા સભ્યોને શીખવવા તમે પરવાનગી આપો છો. તેણે બાલાકને મૂર્તિઓને ચઢાવેલો ખોરાક(નૈવેદ્ય) ખાવા શીખવ્યું અને ઈશ્વરના લોકોમાં જાતીય અનૈતિકતાની છૂટ આપવામાં આવી હતી.
\v 15 એ જ પ્રમાણે તમે તમારા કેટલાક સભ્યોને નીકોલાયતીઓ જે શીખવે છે તે પ્રમાણે વ્યવહાર કરવાની છૂટ આપો છો કે જાતીય અનૈતિકતા કે જે ખરેખર તો મંજૂર નથી, તેની હવે છૂટ છે.
\s5
\v 16 આમ કરવાનું બંધ કરો અને તમારી દિશા બદલી નાખો, નહિતર હું રાહ જોઇશ નહિ, પણ અચાનક હું તમારી પાસે આવીશ અને મારા મુખમાંથી બોલાતાં ઈશ્વરનાં વચનોથી તેઓની વિરુદ્ધ લડીશ.
\v 17 ઈશ્વરનો આત્મા વિશ્વાસીઓના સમુદાયને જે સંદેશ જણાવે છે તે ધ્યાનથી સાંભળો. જે જીતે છે તેને હું ગુપ્ત માન્ના આપીશ, જે તમારું પોષણ કરશે અને તમને દ્રઢ કરશે. હું તેને એક સફેદ પથ્થર પણ આપીશ, જેના પર હું તેનું નવું નામ લખીશ, અને જે નામ હું તેને આપીશ તે ફક્ત તે જ જાણશે.'"
\p
\s5
\v 18 "થુઆતૈરા શહેરના વિશ્વાસીઓના સમુદાયના સ્વર્ગદૂતને આ સંદેશ લખ: 'હું, ઈશ્વરનો પુત્ર જેની આંખો અગ્નિની જ્વાળા જેવી ચમકે છે અને જેના પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહું છું.
\v 19 તું જે સર્વ સારી બાબતો કરે છે તે હું જાણું છું. હું જાણું છું કે તું મારા પર અને એકબીજા પર પ્રેમ કરે છે અને મારામાં ભરોસો મૂકે છે. હું જાણું છું કે તું બીજાઓની સેવા કરે છે અને તેં ધીરજથી ઘણી મુશ્કેલીઓ સહન કરી છે. હું જાણું છું કે હાલમાં તું આ બાબતો અગાઉના કરતાં પણ વધુ પ્રમાણમાં કરી રહ્યો છે.
\s5
\v 20 તોપણ તેં કંઇક ખોટું કર્યું છે: તું ઘણા સમય અગાઉ થઈ ગએલી દુષ્ટ રાણી ઇઝેબેલના જેવી સ્ત્રી કે જે તારા લોકો મધ્યે છે તેને સહન કરે છે. તે કહે છે કે તે પ્રબોધિકા છે. તોપણ, તે જે શીખવે છે તે દ્વારા તે મારા સેવકોને છેતરે છે. તે તેઓને જાતીય અનૈતિકતા આચરવા અને મૂર્તિઓને અર્પણ કરેલો ખોરાક ખાવા પ્રેરે છે.
\v 21 જો કે, મેં તેને તેની જાતીય અનૈતિકતાથી પાછી ફરવા સમય આપ્યો, પણ તે અટકવા માગતી નથી.
\s5
\v 22 પરિણામે, હું તેને ઘણી રોગગ્રસ્ત કરીશ. જેઓ તેની માફક અનૈતિક કૃત્યો કરે છે તેઓ તે જે કરે છે તે કરવાનું બંધ નહિ કરે તો તેઓના ઉપર પણ ભારે વિપત્તિ લાવીશ.
\v 23 કેટલાક, તે જે શીખવે છે તેનો સ્વીકાર કરીને તેનાં બાળકો જેવા થયા છે, અને હું તેમને જરૂર મારી નાખીશ. ત્યારે વિશ્વાસીઓના સમુદાયના સર્વ જાણશે કે, દરેક જણ જે વિચારે છે અને ઇચ્છા રાખે છે તેમને પારખનાર હું છું. હું તમને દરેકને તમે જે કર્યું છે તે પ્રમાણે બદલો આપીશ.
\s5
\v 24 પણ, થુઆતૈરા શહેરના બાકી રહેલા વિશ્વાસીઓના સંબંધમાં મારે કેટલીક સારી બાબતો કહેવાની છે. એ સારું છે કે તમે ખોટી બાબતોને સ્વીકારતા નથી. તે શિક્ષકો જેને 'ગુપ્ત આચરણો' કહે છે કે જે શેતાને તેમને શીખવ્યાં છે, તેનો તમે નકાર કરો છો તે સારી બાબત છે. બીજી કોઈ આજ્ઞાઓ આપીને હું તમારો બોજો વધારીશ નહિ.
\v 25 માત્ર, હું આવું ત્યાં સુધી દ્રઢ રહીને મને આધીન રહો.
\s5
\v 26 જેઓ શેતાનને જીતે છે અને મરણ પર્યંત મેં જે શીખવ્યું તેને અનુસરવાનું ચાલુ રાખે છે, તેઓને હું સર્વ લોકો પરનો મારો અધિકાર આપીશ.
\v 27 જાણે લોખંડના દંડથી પ્રહાર કરતા હોય તેમ તેઓ તેમના પર અધિકાર ચલાવશે. લોકો જેમ માટીના વાસણને તોડી નાખે છે તેમ તેઓ દુષ્ટતા કરનારાઓનો નાશ કરશે.
\v 28 જેમ મારા પિતાએ મને અધિકાર આપ્યો છે તેમ હું તેમને આ બાબતો કરવાનો અધિકાર આપીશ. જેઓ શેતાનને જીતે છે તે સર્વને હું પ્રભાતનો તારો આપીશ.
\v 29 જેઓ સમજવા માગે છે તેમણે, એકઠા થયેલા વિશ્વાસીઓના સમુદાયને ઈશ્વરનો આત્મા જે સંદેશ કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળવો જોઈએ.'"
\s5
\c 3
\p
\v 1 "સાર્દિસ શહેરમાં એકઠા મળતા વિશ્વાસીઓના સમુદાયના સ્વર્ગદૂતને આ સંદેશ લખ. 'હું આ વાતો તને કહી રહ્યો છું. મારી પાસે ઈશ્વરના સાત આત્મા અને સાત તારા છે. તેં જે જે કર્યું છે તે હું જાણું છું. તું જીવતો જણાય છે પણ મરેલો છે.
\v 2 સાવધ થા! મારે સારુ વધુ કામ કર, નહીં તો તેં અગાઉ જે કર્યું છે તે વ્યર્થ જશે. તારે આ પ્રમાણે કરવું જોઈએ, કારણ કે તેં હજુ કાર્ય સંપૂર્ણ કર્યું નથી તે ઈશ્વર જાણે છે.
\s5
\v 3 તેથી, ઈશ્વરનો જે સંદેશ અને સત્ય તને સાંભળવાથી પ્રાપ્ત થયું તેને સતત યાદ રાખ. હમેશા તેને આધીન થા અને તારી પાપી વર્તણૂકથી પાછો ફર. જો તું તે પ્રમાણે નહિ કરે તો, જેમ ચોર આવે છે તેમ જ્યારે તું ધારતો નહિ હોય ત્યારે હું તારી પાસે આવીશ. તને કદી જાણ નહીં થાય કે હું ક્યારે તારો ન્યાય કરવા આવીશ.
\v 4 તોપણ, સાર્દિસ શહેરમાં તારી પાસે થોડા વિશ્વાસીઓ છે જેઓ ખોટું કરતા નથી. જેઓએ પોતાનાં વસ્ત્રો મલિન કર્યાં નથી તેમના જેવા તેઓ છે. પરિણામે, તેઓ મારી સાથે રહેવા યોગ્ય હોઈને તેઓ મારી સાથે રહેશે અને તેઓ શુદ્ધ શ્વેત વસ્ત્રો ધારણ કરનારની માફક દરેક રીતે શુદ્ધ થશે.
\s5
\v 5 જેઓ શેતાન પર વિજય પ્રાપ્ત કરે તેઓને હું તેવાં જ શ્વેત વસ્ત્રો પહેરાવીશ. જીવનનું પુસ્તક કે જેમાં જેઓની પાસે અનંતજીવન છે તેઓનાં નામ છે તેમાંથી હું તેનું નામ કદી ભૂંસી નાંખીશ નહીં. પણ તેને બદલે, હું મારા પિતા અને તેમના સ્વર્ગદૂતો સમક્ષ તેઓનો સ્વીકાર કરીશ કે તેઓ મારા છે.
\v 6 જેઓ સમજવા માંગે છે તેમણે, એકઠા થયેલા વિશ્વાસીઓના જૂથને ઈશ્વરનો આત્મા જે સંદેશ કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળવો જોઈએ.'"
\p
\s5
\v 7 "ફિલાડેલ્ફિઆ શહેરના એકઠા મળેલા વિશ્વાસીઓના સમુદાયના સ્વર્ગદૂતને આ સંદેશ લખ: હું આ વાતો તને કહું છું. હું પવિત્ર અને સત્ય છું. જેમ દાઉદ રાજાને પ્રાચીન યરુશાલેમ શહેરમાં લોકોને દાખલ થવા દેવાનો અધિકાર હતો, તેમ જ મારા રાજ્યમાં લોકોને દાખલ થવા દેવાનો અધિકાર મને છે. જે દ્વાર ઉઘાડે છે તે હું છું, કે જેથી કોઈ તેને બંધ કરી શકે નહિ, અને જે દ્વાર બંધ કરે છે તે હું છું, કે જેથી કોઈ તેને ઉઘાડી શકે નહિ.
\v 8 તેં જે કર્યું છે તે સર્વ હું જાણું છું. સાવચેત થા અને જાણ કે મેં તારી આગળ એક દ્વાર ઉઘાડ્યું છે કે જેને કોઈ બંધ કરી શકતું નથી. હું જાણું છું કે જો કે તારામાં થોડી શક્તિ છે તો પણ હું જે કહું છું તે તું પાળે છે અને મારા પરના તારા વિશ્વાસનો તેં નકાર કર્યો નથી
\s5
\v 9 સાવધ રહે! મને ખબર છે કે, તારા લોકોમાંના કેટલાક શેતાનના અનુયાયીઓ સાથે એકઠા મળે છે. તેઓ યહૂદીઓ હોવાનો દાવો કરે છે, પણ હું જાણું છું કે તેઓ ખરા યહૂદીઓ નથી. તેઓ જૂઠું બોલે છે. હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને નમ્રતાથી તારા પગે પડશે અને હું તારા પર પ્રેમ રાખું છું એવું તેઓ જાણશે.
\p
\v 10 જ્યારે મેં ધીરજથી સહન કરવાની આજ્ઞા તને આપી ત્યારે તેં મારી આજ્ઞાનું પાલન કર્યું છે તે કારણે, જેઓ તને મારા પ્રત્યે અનાજ્ઞાંકિત બનાવવા પ્રયત્ન કરે છે તેઓનાથી હું તને બચાવીશ. તેઓ ટૂંક સમયમાં આખી દુનિયામાં બધાની સાથે એ પ્રમાણે કરશે.
\v 11 હું ટૂંક સમયમાં આવું છું. તેથી મેં તને જે કહ્યું છે તે કરવાનું ચાલુ રાખ, કે જેથી ઈશ્વરે તારા માટે રાખી મૂકેલો તારો બદલો કોઈ લઈ લે નહીં.
\s5
\v 12 જેઓ શેતાનને હરાવે છે તેઓનું હું રક્ષણ કરીશ. તેઓ મારા ઈશ્વરના ભક્તિસ્થાનના સ્તંભ જેવા મજબૂત થશે, અને તેઓ ત્યાં સદાકાળ રહેશે. તેઓ ઈશ્વરના છે તેવું દર્શાવવા માટે, હું તેઓને મારા ઈશ્વરના નામથી મુદ્રાંકિત કરીશ. હું તેઓને નવું યરુશાલેમ, જે મારા ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરી આવશે તે મારા ઈશ્વરના નગરના નામથી પણ મુદ્રાંકિત કરીશ. તેઓ મારા છે તેવું દર્શાવવા માટે હું તેઓને મારા નવા નામથી પણ મુદ્રાંકિત કરીશ.
\v 13 દરેક જે સમજવા માગે છે તેમણે, એકઠા થયેલા વિશ્વાસીઓના સમુદાયને ઈશ્વરનો આત્મા જે સંદેશ કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળવો જોઈએ.'"
\p
\s5
\v 14 "લાઓદિકિયા શહેરમાં વિશ્વાસીઓનો જે સમુદાય એકઠો મળેલો છે તેના સ્વર્ગદૂતને લખ: 'હું આ બાબતો તને જણાવું છું.હું ઈશ્વરના બધા આશાવચનોની ખાતરી આપું છું. હું ઈશ્વર વિષેની વિશ્વાસયોગ્ય અને ચોક્સાઈપૂર્વકની સાક્ષી આપું છું. જેના દ્વારા ઈશ્વરે બધી બાબતો ઉત્પન્ન કરી છે તે હું છું.
\v 15 તેં જે કર્યું છે તે બધું જ હું જાણું છું: તું મારા પર વિશ્વાસ કરે છે તે બાબતનો તું નકાર કરતો નથી, પણ તું મને વધારે પ્રેમ કરતો નથી. તું એવા પાણી જેવો છે કે જે ઠંડુ પણ નથી અને ગરમ પણ નથી. હું ઇચ્છું છું કે તું ઠંડો કે ગરમ થા!
\v 16 કેમકે તું ગરમ કે ઠંડો નથી માટે, જેમ હું મારા મોંમાંથી હૂંફાળું પાણી થૂંકી કાઢું તેમ, હું તારો નકાર કરીશ.
\s5
\v 17 તું કહે છે, 'હું શ્રીમંત છું અને મેં ઘણી સંપત્તિ મેળવી છે. મને કશાની ખોટ નથી!' પણ તું જાણતો નથી કે તું ઘણા પ્રકારે કંગાળ છે. તું એવા લોકોના જેવો છે જેઓ કંગાળ, દયાજનક, ગરીબ, અંધ, અને નિર્વસ્ત્ર છે.
\v 18 હું તને સલાહ આપું છું કે તને જેની જરૂર છે તે તું મારી પાસેથી મેળવ, જાણે કે તું મારી પાસેથી શુદ્ધ સોનું વેચાતું લેતો હોય તેમ, કે જેથી તું ખરેખર શ્રીમંત બને. જાણે કે તું મારી પાસેથી સફેદ વસ્ત્રો ખરીદતો હોય તેમ હું તને ન્યાયી બનાવું તેવું થવા દે કે જેથી તું નિર્વસ્ત્ર કે શરમજનક રહેવાને બદલે કપડા પહેરે. જાણે કે તું મારી પાસેથી તારી નબળી આંખોમાં નાંખવા માટે અંજન વેચાતું લેતો હોય તેમ હું તને સત્ય સમજાવું તેવું થવા દે.
\s5
\v 19 હું જેઓ પર પ્રેમ રાખું છું, તેઓને ઠપકો આપું છું અને સુધારું છું, માટે તારા પાપી વર્તનથી તારા પૂરા હૃદયપૂર્વક પાછો ફર.
\v 20 હું અહીં છું! હું દરેકને બોલાવું છું, અને હું તમારા દરવાજા પાસે ઊભો રહીને રાહ જોઉં છું અને દરવાજો ખટખટાવું છું. જો તમે મારી વાણી સાંભળીને દરવાજો ખોલશો તો, હું અંદર આવીશ અને મિત્રો તરીકે આપણે સાથે જમીશું.
\s5
\v 21 જેમ હું શેતાનને જીતીને મારા પિતાના રાજ્યાસન પર બેઠેલો છું તેમ, જેઓ દરેક શેતાનને જીતે છે તેઓને મારી સાથે રાજ્યાસન પર રાજ કરવા બેસાડીશ.
\v 22 જેઓ સમજવા માંગે છે તેમણે, એકઠા થયેલા વિશ્વાસીઓના સમુદાયને ઈશ્વરનો આત્મા જે સંદેશ કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળવો જોઈએ.'"
\s5
\c 4
\p
\v 1 આ બાબતો બન્યા પછી મેં, યોહાને દર્શનમાં, સ્વર્ગમાં એક દ્વાર ઊઘડેલું જોયું. એક વ્યક્તિ જેમણે અગાઉ મારી સાથે વાત કરી હતી, જેમની વાણી મોટા રણશિંગડાના અવાજ જેવી હતી, તેમણે મને કહ્યું, "અહીં ઉપર આવ! હું તને હવે પછી બનનાર ઘટનાઓ બતાવીશ."
\v 2 તરત જ મેં અનુભવ્યું કે ઈશ્વરનો આત્મા મને ખાસ રીતે નિયંત્રિત કરી રહ્યો હતો. સ્વર્ગમાં એક રાજ્યાસન હતું અને તે રાજ્યાસન ઉપર એક જણ બેઠેલા હતા અને રાજ કરતા હતા.
\v 3 તેમનો દેખાવ તેજસ્વી યાસપિસ અને તેજસ્વી લાલ અકીક મણિ જેવો હતો. રાજ્યાસનની આસપાસ મેઘધનુષ હતું જે તેજસ્વી લીલમના જેવું પ્રકાશિત હતું.
\s5
\v 4 રાજ્યાસનની આસપાસ બીજાં ચોવીસ આસનો હતાં. તેના ઉપર ચોવીસ વડીલો બેઠા હતા. તેઓએ એકદમ સફેદ વસ્ત્રો પહેરેલાં હતાં અને તેમના માથા પર સોનાના મુગટો હતા.
\v 5 રાજ્યાસનમાંથી વીજળીઓ, વાણીઓ અને ગર્જનાઓ નીકળતી હતી. રાજ્યાસનની આગળ સાત જ્યોતિઓ સળગતી હતી, જે ઈશ્વરના સાત આત્મા સૂચવે છે.
\s5
\v 6 રાજ્યાસનની આગળ કાચના જેવો સમુદ્ર હતો. તે સ્ફટિકના જેવો ચળકતો હતો. રાજ્યાસનની ચારેબાજુએ એક એક જીવંત પ્રાણી હતું. દરેક પ્રાણી આગળ અને પાછળ આંખોથી ભરપૂર હતું.
\s5
\v 7-8 પ્રથમ જીવંત પ્રાણી સિંહના જેવું હતું. બીજું જીવંત પ્રાણી બળદના જેવું હતું. ત્રીજા જીવંત પ્રાણીનો ચહેરો માણસના ચહેરા જેવો હતો. ચોથું જીવંત પ્રાણી ઊડતા ગરુડના જેવું હતું. તે ચારે પ્રાણીઓમાંના દરેકને છ પાંખો હતી. આ પાંખો ઉપર અને નીચે આંખોથી ભરપૂર હતી. તેઓ રાતદિવસ સતત કહેતા હતા કે:
\q1 "પવિત્ર, પવિત્ર, પવિત્ર છે પ્રભુ ઈશ્વર, જેઓ સર્વ પર રાજ કરે છે.
\q1 તેઓ સદા સર્વકાળથી છે,
\q1 જેઓ હાલ અસ્તિત્વ ધરાવે છે, અને જેઓ સર્વકાળ સુધી રહેશે."
\p
\s5
\v 9-10 જીવંત પ્રાણીઓ, રાજ્યાસન પર જે બેઠેલા છે અને સર્વકાળ જીવંત છે તેમને સ્તુતિ, માન અને આભારસ્તુતિ અર્પે છે. જ્યારે તેઓ એ પ્રમાણે કરે છે ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડે છે. જેઓ સદા સર્વકાળ જીવે છે તેમની તેઓ સ્તુતિ કરે છે. તેઓ તેમના મુગટો રાજ્યાસન આગળ મૂકે છે, અને કહે છે:
\q1
\v 11 "ઓ અમારા પ્રભુ અને ઈશ્વર,
\q1 તમે સર્વ લોકોની સ્તુતિને યોગ્ય છો;
\q1 તમે સર્વ લોકોના માનને યોગ્ય છો;
\q1 અને સર્વ લોકો, તમે સર્વસમર્થ છો તે કબૂલ કરે તેને યોગ્ય છો.
\q1 કેમ કે તમે જ સર્વ બાબતોના ઉત્પન્નકર્તા છો.
\q1 વળી, તમે ઇચ્છ્યું કે તેઓ અસ્તિત્વ ધરાવવા જોઈએ તે કારણથી
\q1 તમે તેઓને ઉત્પન્ન કર્યા, અને આથી તેઓ અસ્તિત્વ ધરાવે છે."
\s5
\c 5
\p
\v 1 મેં જોયું કે રાજ્યાસન પર જે બેઠેલા હતા તેમના જમણા હાથમાં એક ઓળિયું હતું. તે ઓળિયાની અંદરની તેમ જ બહારની બાજુએ લખેલું હતું અને તે સાત મુદ્રાઓથી મુદ્રિત કરેલું હતું.
\v 2 મેં એક બળવાન સ્વર્ગદૂતને જોયો જે મોટે સાદે પોકારતો હતો, "જે વ્યક્તિ આ ઓળિયાની મુદ્રાઓ તોડવાને અને તેને ખોલવાને સમર્થ છે તેણે આવીને તેમ કરવું જોઈએ!"
\s5
\v 3 પરંતુ, સ્વર્ગમાં, પૃથ્વી પર અથવા તેની નીચે, કોઈ સૃષ્ટ જીવ ઓળિયું ખોલવા કે તેના પર શું લખેલું છે તે વાંચવા સમર્થ નહોતો.
\v 4 હું (યોહાન) મોટેથી રડ્યો કેમ કે તે કામ કરવા યોગ્ય કોઈ નહોતો.
\v 5 પણ વડીલોમાંના એકે મને કહ્યું, "રડવાનું બંધ કર! જો, જે યહૂદાના કૂળનો સિંહ કહેવાય છે, જે દાઉદના કુળનો વંશજ અને વારસ છે, તેણે શેતાનને જીત્યો છે! અને તેથી, તે ઓળિયાની સાત મુદ્રાઓ તોડવાને અને તેને ખોલવાને સમર્થ છે!"
\s5
\v 6 પછી મેં એક હલવાનને ચાર જીવિત પ્રાણીઓ અને રાજ્યાસનની આસપાસના વડીલોની મધ્યમાં ઊભું રહેલું જોયું. તે જીવંત હતું છતાં, તેના પર નિશાનીઓ હતી જે દર્શાવતી હતી કે તેને કોઈએ મારી નાખ્યું હતું. તેને સાત શિંગડા હતાં અને તેને સાત આંખો હતી જે ઈશ્વરના સાત આત્માઓ હતા કે જેઓને ઈશ્વરે આખી પૃથ્વી પર મોકલ્યા છે.
\v 7 હલવાન આવ્યું અને રાજ્યાસન પર જે બેઠેલા હતા તેમના જમણા હાથમાંથી ઓળિયું લીધું.
\s5
\v 8 જ્યારે તેણે ઓળિયું લીધું, ત્યારે ચાર જીવંત પ્રાણીઓ અને ચોવીસ વડીલો તેમને પગે પડ્યા. તેઓ દરેકની પાસે વીણા હતી અને તેઓની પાસે ધૂપથી ભરેલાં સુવર્ણપાત્ર હતાં જે ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓને દર્શાવતાં હતાં.
\s5
\v 9 જીવંત પ્રાણીઓ અને વડીલોએ નવું ગીત ગાયું. તેઓએ ગાયું:
\q1 "તમે ઓળિયું લેવાને અને તેની મુદ્રાઓ તોડવાને યોગ્ય છો
\q1 કેમકે તમને મારી નાખવામાં આવ્યા હતા, અને તેથી તમે મરણ પામ્યા ત્યારે તમારા રક્તથી
\q1 દરેક કુળમાંથી, ભાષામાંથી, લોકોને,
\q1 અને લોકોના સર્વ સમૂહોને ખરીદેલા છે.
\q1
\v 10 તમે તેઓને આપણા ઈશ્વર તેમના પર રાજ કરે તેવા લોક
\q1 અને તેમની સેવા કરનારા યાજકો બનાવ્યા છે; તેઓ પૃથ્વી પર રાજ કરશે."
\p
\s5
\v 11 જ્યારે હું જોઈ રહ્યો હતો ત્યારે, મેં રાજ્યાસન તેમજ જીવંત પ્રાણીઓ અને વડીલોની આસપાસ ઘણા સ્વર્ગદૂતોનો અવાજ સાંભળ્યો. તેઓ હજારોહજાર હતા, તે સમુદાય એટલો મોટો હતો કે કોઈ તેઓની ગણતરી કરી શકે નહીં.
\v 12 તેઓ મોટા અવાજે ગાતા હતા:
\q1 "જે હલવાનને તેઓએ મારી નાંખ્યું હતું -
\q1 તેના પરાક્રમ, સંપત્તિ, ડહાપણ અને સામર્થ્યની આપણે સ્તુતિ કરવી જોઈએ તે યોગ્ય છે.
\q1 બધી સૃષ્ટ બાબતો તેમને માન અને સ્તુતિ આપે તે યોગ્ય છે!"
\p
\s5
\v 13 અને દરેક સજીવો જે સ્વર્ગમાં છે અને પૃથ્વી પર છે અને પૃથ્વીની નીચે છે અને સમુદ્રમાં છે તેઓને મેં કહેતાં સાંભળ્યાં,
\q1 "રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને અને હલવાનને આપણે સદાકાળ સ્તુતિ, માન અને મહિમા આપીએ.
\q1 તેઓ સંપૂર્ણ પરાક્રમથી સદાકાળ રાજ કરે!"
\p
\v 14 ચાર જીવંત પ્રાણીઓએ કહ્યું, "તે પ્રમાણે થાઓ!" પછી વડીલોએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વર અને હલવાનની આરાધના કરી.
\s5
\c 6
\p
\v 1 મેં જોયું કે હલવાને ઓળિયાની સાત મુદ્રાઓમાંથી પહેલી મુદ્રાને તોડી. પછી ચાર જીવંત પ્રાણીઓમાંના એકે મોટી ગર્જના જેવા અવાજે કહ્યું, "આવ!"
\v 2 અને એક સફેદ ઘોડો દેખાયો. તેના ઉપર કોઈક સવાર થયેલો હતો, અને તેની પાસે ધનુષ્ય અને બાણ હતા. તે દુષ્ટતા પર વિજય પામનાર છે તે દર્શાવવા ઈશ્વરે પાંદડાથી બનાવેલો મુગટ તેના માથા પર પહેરવા માટે આપ્યો. તે બહાર જઈને યુદ્ધ કરવા અને જીતવા માટે નીકળ્યો.
\s5
\v 3 પછી જે હલવાન જેવું દેખાતું હતું તેણે બીજી મુદ્રા તોડી, અને મેં બીજા જીવંત પ્રાણીને કહેતાં સાંભળ્યું, "આવ!"
\v 4 જ્યારે તેણે તે કહ્યું, ત્યારે એક લાલ ઘોડો દેખાયો. તેના ઉપર પણ કોઈક સવાર થયેલો હતો, અને ઈશ્વરે તેને લોકો વધુ સમય શાંતિથી ન જીવી શકે, પણ એકબીજાને મારી નાખે તેમ કરવાની સત્તા આપેલી હતી. તે હેતુથી તેણે મોટી તરવાર ધારણ કરેલી હતી.
\s5
\v 5 પછી હલવાને ત્રીજી મુદ્રા તોડી, અને મેં ત્રીજા જીવંત પ્રાણીને કહેતા સાંભળ્યું કે, "આવ!" આ વખતે, એક કાળો ઘોડો દેખાયો. તેના ઉપર કોઈક સવાર થએલો હતો, અને તેના હાથમાં ત્રાજવાં હતાં.
\v 6 પછી મેં એવો અવાજ સાંભળ્યો કે જે ચાર જીવંત પ્રાણીઓની મધ્યેથી આવતો હોય તેવું લાગતું હતું. તેણે ઘોડા ઉપર બેઠેલી વ્યક્તિને કહ્યું, "એમ થવા દે કે એક કિલો ઘઉં એટલા મોંઘા થાય કે કોઈ માણસ આખો દિવસ કામ કરીને પણ તેને ખરીદવાના પૂરતાં નાણાં કમાઈ શકે નહીં. તેમ જ એવું થવા દે કે ત્રણ કિલો જવ પણ તે જ ભાવે વેચાય. પણ જૈતૂન તેલ કે દ્રાક્ષારસનો પુરવઠો ઘટાડીશ નહીં."
\s5
\v 7 પછી હલવાને ચોથી મુદ્રા તોડી, અને મેં ચોથા પ્રાણીને કહેતાં સાંભળ્યું, "આવ!"
\v 8 આ વખતે મેં એક ફિક્કા રંગનો ઘોડો જોયો.તેના પર કોઈ બેઠેલો હતો; તેનું નામ "મરણકારક" એવું હતું. તેની પાછળ પાછળ કોઈ બીજું ચાલતું હતું, તે વ્યક્તિનું નામ "જ્યાં મરણ પામેલા જાય છે તે જગા" હતું. ઈશ્વરે આ બન્ને વ્યક્તિઓને પૃથ્વીના ચોથા ભાગના લોકોને મારી નાખવાનો અધિકાર આપ્યો. તેઓ તેમને હથિયારોથી, દુકાળથી, બીમારીથી કે જંગલી પ્રાણીઓથી મારી નાખી શકે.
\p
\s5
\v 9 પછી હલવાને પાંચમી મુદ્રા તોડી, અને મેં સ્વર્ગમાં યજ્ઞવેદીની નીચે ઈશ્વરના સેવકોને જોયા, જેઓને ઈશ્વરના સંદેશને લીધે બીજાઓએ મારી નાખ્યા હતા, તે સંદેશ કે જેના વિષે ઈશ્વરે પોતે સાક્ષી આપી હતી.
\v 10 તેઓએ મોટેથી બૂમ પાડતાં કહ્યું, "સર્વોપરી પ્રભુ, તમે પવિત્ર અને સત્ય છો. જેઓએ અમને મારી નાખ્યા છે તેઓને દોષિત ઠરાવવા અને તમારી સમક્ષ શિક્ષા કરવામાં કેટલો સમય બાકી છે?"
\v 11 પછી ઈશ્વરે તેઓમાંના દરેકને શ્વેત ઝભ્ભા આપ્યા, અને તેમને થોડો વધુ સમય ધીરજ રાખવા કહ્યું. જેઓએ તેઓની સાથે જ પ્રભુની સેવા કરી હતી એટલે કે જેઓ ખ્રિસ્તમાં તેમના ભાઈઓ અને બહેનો હતાં તેઓને, જેમ તેમના વિશ્વાસને લીધે તેઓને મારી નાખવામાં આવ્યા હતા તેમ જ પણ મારી નાખવામાં આવે ત્યાં સુધી તેઓએ ધીરજ રાખવાની હતી.
\p
\s5
\v 12 પછી મેં હલવાનને છઠ્ઠી મુદ્રા તોડતાં જોયું, અને પૃથ્વી પર ધરતીકંપ થયો. સૂર્ય કાળા ઊનમાંથી બનાવેલા કાપડના જેવો કાળો થઈ ગયો. આખો ચંદ્ર લોહીના જેવો લાલ થઈ ગયો.
\v 13 જ્યારે ભારે પવનથી અંજીરી હાલી ઊઠે અને કાચાં અંજીર જમીન પર તૂટી પડે તેમ, મોટી સંખ્યામાં તારાઓ જમીન પર પડ્યા.
\v 14 જેમ જૂનું ઓળિયું વચ્ચેથી ફાટી ગયું હોય અને તેના બે ટુકડા વાળી લેવામાં આવે તેમ આકાશને બે બાજુએથી સંકેલી લેવામાં આવ્યું. દરેક પર્વત અને ટાપુને તેની જગ્યાએથી ખસેડવામાં આવ્યો.
\s5
\v 15 પરિણામે, પૃથ્વીના સર્વ લોકો, રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, ધનવાન લોકો, સત્તાધીશો, ગુલામ તથા સ્વતંત્ર સહિત બધા ગુફાઓમાં અને પર્વતોના ખડકોની ઓથે સંતાઈ ગયા.
\v 16 તેઓએ પહાડોને તથા ખડકોને પોકાર્યું, "અમારા પર પડો અને અમને છુપાવી દો કે જેથી રાજ્યાસન પર જે બેઠેલા છે તે અમને જોઈ ન શકે અને હલવાન અમને શિક્ષા કરી ન શકે!
\f +
\fr 6.16
\ft .
\f*
\v 17 જ્યારે તેઓ અમને શિક્ષા કરશે તેનો આ અતિ ભયંકર દિવસ છે. બચી રહેવા માટે કોઈ સમર્થ નહિ હોય!"
\s5
\c 7
\p
\v 1 આ પછી મેં ચાર સ્વર્ગદૂતોને પૃથ્વી પર ઊભા રહેલા જોયા. એક ઉત્તર તરફ ઊભો રહેલો હતો, એક પૂર્વ તરફ, એક દક્ષિણ તરફ અને એક પશ્ચિમ તરફ ઊભો રહેલો હતો. તેઓ એવી રીતે પવનને ફૂંકાતો અટકાવી રહ્યાં હતા કે પૃથ્વી પર, સમુદ્ર પર, કે કોઈ પણ ઝાડને નુકસાન ન થાય.
\v 2 પછી મેં બીજા એક સ્વર્ગદૂતને પૂર્વ દિશામાંથી આવતો જોયો. તેની પાસે ઈશ્વરની મુદ્રા હતી. આ મુદ્રા વડે સર્વસમર્થ ઈશ્વર તેમના પોતાના લોકોને તેઓના રક્ષણને માટે મુદ્રિત કરે છે. એ સ્વર્ગદૂતે મોટે અવાજે તે ચાર સ્વર્ગદૂતો કે જેમને ઈશ્વરે પૃથ્વી અને સમુદ્રને નુકસાન પહોચાડવાની સત્તા આપી હતી, તેમને પોકારીને કહ્યું,
\v 3 "જ્યાં સુધી અમે ઈશ્વરના સેવકોને તેઓના કપાળ પર મુદ્રા ન કરી રહીએ ત્યાં સુધી પૃથ્વી કે સમુદ્રને નુકસાન કરશો નહિ."
\s5
\v 4 પછી, તે સ્વર્ગદૂતે અને તેના સાથી સ્વર્ગદૂતોએ ઈશ્વરના સેવકોનાં કપાળ પર મુદ્રા કરી. તેની સંખ્યા એક લાખ ચુમ્માળીસ હજાર હતી. તેઓ ઇઝરાયલના બારે કુળોના લોકો હતા.
\v 5 સ્વર્ગદૂતે યહૂદાના કુળના બાર હજારને મુદ્રા કરી, રુબેનના કુળમાંથી બાર હજારને, ગાદના કુળમાંથી બાર હજારને,
\v 6 આશેરના કુળમાંથી બાર હજારને, નાફતાલીના કુળમાંથી બાર હજારને અને મનાશ્શાના કુળમાંથી બાર હજારને
\s5
\v 7 વધુમાં, શિમયોનના કૂળમાંથી બાર હજારને, લેવીના કુળમાંથી બાર હજારને, ઇસ્સાખારના કુળમાંથી બાર હજારને,
\v 8 ઝબુલોનના કુળમાંથી બાર હજારને, યૂસફના કુળમાંથી બાર હજારને, અને બિન્યામીનના કુળમાંથી બાર હજારને મુદ્રિત કર્યા.
\p
\s5
\v 9 આ બાબતો બન્યા પછી મેં એક મોટું ટોળું જોયું. ત્યાં એટલા બધા લોકો હતા કે જેઓને ગણી પણ ન શકાય. તેઓ દરેક રાષ્ટ્રના, દરેક કુળના, દરેક લોકજાતિના, અને દરેક ભાષાના હતા. તેઓ રાજ્યાસનની અને હલવાનની આગળ ઊભા હતા. તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી જેથી તેને હલાવીને તેઓ ઉજવણી કરે.
\v 10 તેઓ મોટેથી પોકારતા હતા, "રાજ્યાસન પર બેઠેલા અમારા ઈશ્વર અને હલવાને અમને શેતાનની સત્તામાંથી છોડાવ્યા છે!"
\s5
\v 11 સર્વ સ્વર્ગદૂતો રાજ્યાસનની, વડીલોની તથા ચાર પ્રાણીઓની આસપાસ ઊભા રહેલા હતા. તેઓ સર્વએ પોતાનાં માથાં ભૂમિ સુધી નમાવીને ઈશ્વરનું ભજન કર્યું.
\v 12 તેઓએ કહ્યું, "હા, તેમ થાઓ! અમારા ઈશ્વર, અમે તમને સદા સર્વકાળ આભાર, માન અને મહિમા અર્પીએ છીએ! અમે સ્વીકારીએ છીએ કે તમે સંપૂર્ણ જ્ઞાન ધરાવનાર, પરાક્રમી છો જે સર્વ બાબતો સર્વકાળ કરવા સમર્થ છે! હા એમ જ છે!"
\p
\s5
\v 13 પછી વડીલોમાંના એકે મને પૂછ્યું, "જેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા છે તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે તે શું તું જાણે છે?"
\v 14 મેં તેને જવાબ આપ્યો, મુરબ્બી, હું જાણતો નથી. તમને તો ખરેખર ખબર છે કે તેઓ કોણ છે?" તેમણે મને કહ્યું, "આ લોકો મહા વિપત્તિમાં થઈને આવ્યા છે. હલવાન તેઓને માટે મરણ પામ્યું, અને ઈશ્વરે તેઓને તેમનાં પાપોની માફી આપી છે. જાણે તેઓએ તેમના રક્તમાં પોતાના ઝભ્ભાઓ ધોયા છે અને શુદ્ધ થયા છે.
\s5
\v 15 તેથી જ તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેઓ તેમના ભક્તિસ્થાનમાં રાતદિવસ તેમનું ભજન કરે છે. રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વર તેમનું રક્ષણ કરશે.
\v 16 તેથી, તેઓને ફરી કદી ભૂખ લાગશે નહિ. તેઓને કદી તરસ લાગશે નહીં. તેઓને કદી સૂર્યની ગરમી લાગશે નહિ કે દઝાડશે નહિ.
\v 17 કારણ કે એક પાળક જેમ ઘેટાની સંભાળ રાખે તેમ, રાજ્યાસન પર બેઠેલ હલવાન, તેઓની સંભાળ રાખશે. જેમ ભરવાડ પોતાનાં ઘેટાંને પાણીના ઝરા પાસે દોરી જાય છે તેમ હલવાન તેઓને અનંતજીવનના ઝરા પાસે દોરી જશે. ઈશ્વર તેઓને ફરી કદી દુઃખી થવા દેશે નહિ. જાણે કે તેઓ તેમની આંખોમાંથી દરેક આંસુઓ લૂછી નાખશે."
\s5
\c 8
\p
\v 1 પછી હલવાને સાતમી મુદ્રા તોડી, અને થોડા સમય માટે સ્વર્ગમાં મૌન છવાએલું રહ્યું.
\v 2 ઈશ્વરની આગળ જે સાત સ્વર્ગદૂતો ઊભા રહે છે તેઓને મેં જોયા. તેમણે તેઓ દરેકને રણશિંગડું આપ્યું.
\s5
\v 3 બીજો એક સ્વર્ગદૂત આવ્યો અને વેદી પાસે ઊભો રહ્યો. તેની પાસે ધૂપ બાળવા માટે સોનાનું પાત્ર હતું. ઈશ્વરે તેને પુષ્કળ પ્રમાણમાં ધૂપ દ્રવ્ય આપ્યું જેથી તે ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓ સાથે, ઈશ્વરના રાજ્યાસનની સામેની સોનાની વેદી પર, તેને અર્પણ કરે. પછી તેણે આ ધૂપ વેદી પર બાળ્યો.
\v 4 સ્વર્ગદૂતના હાથમાંના પાત્રમાંથી, ધૂપનો ધુમાડો, ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓ સાથે, ઈશ્વર સમક્ષ પહોંચ્યો.
\v 5 પછી સ્વર્ગદૂતે સોનાનું પાત્ર લીધું અને વેદી પરથી અંગારા લઈને તેમાં ભર્યા. તેણે તે બધા પૃથ્વી પર નાખી દીધા. ગર્જનાઓ થઈ અને ગડગડાટ થયો, વીજળીઓ થઈ, અને પૃથ્વી કંપી ઊઠી.
\p
\s5
\v 6 પછી સાત સ્વર્ગદૂતો, જે દરેકની પાસે એક એક રણશિંગડું હતું તેઓ, તેને વગાડવા સારુ તૈયાર થયા.
\v 7 પહેલા સ્વર્ગદૂતે તેનું રણશિંગડું વગાડ્યું, અને કરા અને અગ્નિ લોહી સાથે ભળીને પૃથ્વી પર પડ્યા. તેના પરિણામે, પૃથ્વીના પટ પર રહેલા સર્વસ્વનો ત્રીજો ભાગ બળી ગયો: ત્રીજા ભાગનાં વૃક્ષો બળી ગયા, અને ત્રીજા ભાગનું બધુ જ લીલું ઘાસ સળગી ગયું.
\s5
\v 8 પછી બીજા સ્વર્ગદૂતે તેનું રણશિંગડું વગાડ્યું, ત્યારે આગથી બળતા મોટા પહાડ જેવું કશુંક સમુદ્રમાં પડ્યું. તેના પરિણામે, ત્રીજા ભાગનો સમુદ્ર લોહી જેવો લાલ થઈ ગયો,
\v 9 સમુદ્રમાંના ત્રીજા ભાગનાં સજીવો મરણ પામ્યાં. અને સમુદ્રમાંના ત્રીજા ભાગનાં વહાણો નાશ પામ્યાં.
\s5
\v 10 પછી ત્રીજા સ્વર્ગદૂતે તેનું રણશિંગડું વગાડ્યું, ત્યારે મશાલ જેવો સળગતો એક મોટો તારો, આકાશમાંથી નદીઓના ત્રીજા ભાગ પર અને ત્રીજા ભાગના ઝરાઓ પર પડ્યો.
\v 11 તે તારાનું નામ કડવાશ છે. તેના પરિણામે, નદીઓમાંનું અને ઝરાઓનું ત્રીજા ભાગનું પાણી કડવું થઈ ગયું. તે પાણી પીવાથી ઘણા લોકો મરણ પામ્યા કારણ કે તે કડવું થયું હતું.
\s5
\v 12 પછી ચોથા સ્વર્ગદૂતે તેનું રણશિંગડું વગાડ્યું, ત્યારે ઈશ્વરે સૂર્ય, ચંદ્ર અને તારાઓ પર પ્રહાર કર્યો, જેથી તેઓ સમયના ત્રીજા ભાગ સુધી પ્રકાશરહિત થાય. દિવસના ત્રીજા ભાગ સુધી સૂર્ય પ્રકાશ્યો નહીં, અને ચંદ્ર અને તારાઓ રાત્રિના ત્રીજા ભાગ સુધી પ્રકાશ્યા નહીં.
\p
\s5
\v 13 જ્યારે મેં જોયું ત્યારે, આકાશમાં ઊડતા એક ગરુડને મેં મોટા અવાજથી કહેતાં સાંભળ્યો કે, "બાકી રહેલા બીજા ત્રણ સ્વર્ગદૂતો તેમના રણશિંગડાં વગાડશે ત્યારે જે લોકો પૃથ્વી પર રહે છે તેઓની સાથે ભયંકર બાબતો બનશે! તેઓ થોડા જ સમયમાં રણશિંગડાં વગાડવાના છે!"
\s5
\c 9
\p
\v 1 પછી પાંચમાં સ્વર્ગદૂતે તેનું રણશિંગડું વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશથી પૃથ્વી પર પડેલો જોયો. ઈશ્વરે તેને ખાઈની ચાવી આપી. તે ખાઈ ઊંડે સુધી જતી હતી પણ તેનો કોઈ અંત ન હતો.
\v 2 જ્યારે તેણે તે ખાઈને ઉઘાડી ત્યારે, મોટી સળગતી ભઠ્ઠીમાંથી નીકળતો હોય તેવો ધુમાડો તેમાંથી નીકળ્યો. તે ધુમાડાએ સૂર્યના પ્રકાશને અને આકાશને લોકોની દ્રષ્ટિથી ઢાંકી દીધા.
\s5
\v 3 ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યાં. જેમ વીંછી લોકોને ડંખ મારે છે તેવી રીતે લોકોને ડંખ મારવાની શક્તિ ઈશ્વરે તેઓને આપી.
\v 4 ઈશ્વરે તીડોને કહ્યું કે તેઓએ પૃથ્વી પરના ઘાસ, કે કોઈ છોડ કે વૃક્ષને નુકસાન કરવું નહી. ઈશ્વરે કહ્યું કે, જેઓના કપાળ પર તેઓ ઈશ્વરના છે એવું દર્શાવતી નિશાની ન હોય, તેઓને જ નુકશાન પહોંચાડવું.
\s5
\v 5 ઈશ્વરે તીડોને તે લોકોને મારી નાખવાની પરવાનગી આપી ન હતી. પણ, તીડોએ લોકોને પાંચ મહિના સુધી પીડા આપવાનું ચાલુ રાખ્યું. વીંછી જ્યારે ડંખ મારે ત્યારે જેવી પીડા થાય તેવી પીડા તે લોકોએ અનુભવી.
\v 6 તે સમય દરમ્યાન જ્યારે તીડો બંડખોર લોકોને પીડા આપશે ત્યારે, તે પીડા એટલી ખરાબ હશે કે લોકો મરણ પામવાના માર્ગો શોધશે, પણ તેઓને કોઈ માર્ગ મળશે નહીં. તેઓ મરણ માટે ઝંખશે, પણ તેઓ મરણ પામી શકશે નહીં.
\s5
\v 7 તીડો તો યુદ્ધને માટે તૈયાર થયેલા ઘોડાઓના જેવા દેખાતાં હતાં. તેઓના માથા પર મુગટો હતા તે સોનાના હોય તેવા દેખાતા હતા. તેઓના ચહેરા માણસોના ચહેરા જેવા હતા.
\v 8 સ્ત્રીઓના લાંબા વાળ જેવા તેઓના લાંબા વાળ હતા. સિંહના દાંત જેવા મજબૂત તેઓના દાંત હતા.
\v 9 તેઓએ લોખંડના બનાવેલાં બખતર પહેરેલાં હતાં. જ્યારે તેઓ ઊડતાં હતાં ત્યારે, તેઓની પાંખો યુધ્ધમાં દોડતા ઘણા ઘોડાવાળા રથોના અવાજ જેવો અવાજ કરતી હતી.
\s5
\v 10 તેમની પૂંછડીઓ વીંછીની પૂંછડીઓ જેવી હતી. તે પૂંછડીઓ વડે તેઓ લોકોને ડંખ મારી શકતા હતા. પાંચ મહિના સુધી લોકોને પીડા પહોંચાડવાની તેઓની શક્તિ આ પૂંછડીઓમાં હતી.
\v 11 જે રાજા તેઓના ઉપર રાજ કરતો હતો તે જેનો કોઈ અંત ન હતો તે ખાઈનો સ્વર્ગદૂત હતો. હિબ્રૂ ભાષામાં તેનું નામ આબાદ્દોન છે. ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન છે. આ બંને નામનો અર્થ "નાશ કરનાર" એવો છે.
\p
\v 12 અહીં પહેલી ભયંકર ઘટના પૂરી થઈ છે. પણ સાવધ રહો કે બીજી બે ભયંકર ઘટનાઓ હજુ બનવાની છે.
\p
\s5
\v 13 પછી છઠ્ઠા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, અને મેં ઈશ્વરની સંમુખ રહેલી સોનાની વેદીના ચાર ખૂણાઓમાંથી આવતી વાણી સાંભળી.
\v 14 તે વાણી જેની પાસે રણશિંગડું હતું તે છઠ્ઠા સ્વર્ગદૂતને કહેતી હતી કે, "મોટી નદી યુફ્રેતિસ પર મેં જે ચાર દૂતોને બાંધ્યા છે તેઓને મુક્ત કર."
\v 15 પછી તે ચાર દૂતો કે જેઓએ તે દિવસના ચોક્કસ કલાક, મહિના અને વર્ષની રાહ જોઈ હતી, તેઓ મુક્ત થયા. તેઓને મુક્ત કરવામાં આવ્યા કે જેથી તેઓ તેમના સૈનિકોને ત્રીજા ભાગના લોકોને મારી નાખવા માટે સમર્થ કરે.
\s5
\v 16 જે સૈનિકો ઘોડાઓ પર સવાર હતા તેઓની સંખ્યા વીસ કરોડ હતી. તેઓ કેટલા હતા તે કોઈક કહેતું હતું તે મેં સાંભળ્યું.
\v 17 દર્શનમાં ઘોડાઓ અને તેઓ ઉપર સવાર થયેલા સૈનિકો કેવા દેખાતા હતા તે મેં જોયું. સૈનિકોએ અગ્નિના જેવાં લાલ, ધુમાડા જેવા આછાં ભૂરાં, અને ગંધક જેવાં પીળાં બખતર પહેરેલાં હતાં. ઘોડાઓનાં માથાં સિંહોનાં માથાં જેવાં હતાં. તેઓના મુખમાંથી અગ્નિ, ધુમાડો, અને બળેલા ગંધકનો ધુમાડો નીકળતો હતો.
\s5
\v 18 ઘોડાઓના મુખમાંથી નીકળતા અગ્નિ, ધુમાડો, અને સળગતો ગંધક તે ત્રણ બાબતોએ ત્રીજા ભાગના લોકોને મારી નાખ્યા.
\v 19 ઘોડાઓની શક્તિ તેઓના મુખમાં અને તેઓની પૂંછડીઓમાં હતી. તેઓની પૂંછડીઓને સર્પના જેવાં માથાં હતાં જેના વડે તેઓ લોકોને નુકસાન પહોંચાડતા હતા.
\s5
\v 20 પણ બાકીના લોકો, જેઓને આ અગ્નિ, ધુમાડો અને સળગતા ગંધકની આફતોથી મારી નાખવામાં આવ્યા નહીં, તેઓ જે દુષ્ટ બાબતો તેઓ કરતા હતા તેનાથી પાછા ફર્યા નહીં. તેઓએ દુષ્ટાત્માઓની, તેમ જ પોતાને માટે જાતે બનાવેલી સોનાની, ચાંદીની, પિત્તળની, પથ્થરની અને લાકડાની મૂર્તિઓની પૂજા કરવાનું બંધ કર્યું નહીં. તેઓ તો મૂર્તિઓ જ હતી કે જેઓ જોઈ, સાંભળી કે ચાલી શકતી ન હતી તોપણ લોકોએ તેઓની પૂજા કરવાનું બંધ કર્યું નહીં.
\v 21 તેઓએ લોકોને મારી નાખવાનું કે જાદુક્રિયા કરવાનું કે જાતીય અનૈતિકતા આચરવાનું કે ચોરી કરવાનું બંધ કર્યું નહીં.
\s5
\c 10
\p
\v 1 દર્શનમાં મેં બીજા એક બળવાન સ્વર્ગદૂતને સ્વર્ગમાંથી પૃથ્વી પર ઊતરતો જોયો. તે એક વાદળથી ઘેરાયેલો હતો. તેના માથા પર મેઘધનુષ હતું. તેનું મુખ સૂર્યના જેવું પ્રકાશતું હતું. તેના પગ અગ્નિના સ્તંભો જેવા દેખાતા હતા.
\v 2 તેની પાસે હાથમાં એક નાનું ઓળિયું હતું જે ઉઘાડેલું હતું. તેણે તેનો જમણો પગ સમુદ્ર પર અને ડાબો પગ જમીન પર મૂક્યો.
\s5
\v 3 તેણે મોટા અવાજે કંઈક પોકાર્યું, તે પોકાર સિંહની ગર્જના જેવો હતો. જ્યારે તેણે પોકાર કર્યો ત્યારે, સાત વખત ગર્જના થઈ; તે ગર્જનાના જે શબ્દો હતા તે હું સમજી શક્યો હતો.
\v 4 જે શબ્દો મેં સાંભળ્યા તેને હું લખી લેવાનો હતો, પણ સ્વર્ગમાંથી એક વાણીએ મને કહ્યું, "ગર્જનાએ જે કહ્યું તેને ખાનગી રાખ! તેને લખીશ નહીં!"
\s5
\v 5 પછી તે સ્વર્ગદૂત જેને મેં સમુદ્ર પર અને જમીન પર ઊભો રહેલો જોયો હતો તેણે પોતાનો જમણો હાથ સ્વર્ગ તરફ ઊંચો કર્યો,
\v 6 અને જેઓ સદાસર્વકાળ જીવંત છે, જેમણે સ્વર્ગ અને તેમાનું જે કંઈ છે તેનું, પૃથ્વી અને તેમાંનું જે કંઈ છે તેનું, અને સમુદ્ર અને તેમાંનું જે કંઈ છે તેનું સર્જન કર્યું છે એવા ઈશ્વરને સમર્થન કરવા કહ્યું કે તે જે કહેવા જઈ રહ્યો હતો તે સાચું હતું. સ્વર્ગદૂતે કહ્યું કે ઈશ્વરે જે યોજના કરી છે તે પ્રમાણે કરવામાં તેઓ હવે વધુ વિલંબ કરશે નહીં.
\v 7 તેણે કહ્યું કે સાતમો સ્વર્ગદૂત તેનું રણશિંગડું વગાડે તે સમય જ્યારે આવશે ત્યારે, ઈશ્વરે લાંબા સમય અગાઉ પોતાના સેવકો અને પ્રબોધકોને તેમની જે ગુપ્ત યોજના જણાવી હતી તે પૂરી થશે.
\p
\s5
\v 8 સ્વર્ગમાંથી જે વાણીને મેં મારી સાથે બોલતા સાંભળી હતી તેણે મારી સાથે ફરીથી વાત કરી. તેણે કહ્યું, "જા અને જે સ્વર્ગદૂત સમુદ્ર અને જમીન પર ઊભો રહેલો છે તેના હાથમાં જે ખુલ્લું ઓળિયું છે તે લે."
\v 9 તેથી હું સ્વર્ગદૂતની પાસે ગયો અને તેને તે નાનું ઓળિયું મને આપવા કહ્યું. તેણે મને કહ્યું, "આ લે અને ખાઈ જા. તે તને તારા મુખમાં મધ જેવું મીઠું લાગશે, પણ તે તારા પેટને કડવું કરશે."
\s5
\v 10 મેં સ્વર્ગદૂતના હાથમાંથી નાનું ઓળિયું લીધું અને ખાધું. મારા મુખમાં તેનો સ્વાદ મધ જેવો મીઠો લાગ્યો, પણ પછી તેણે મારા પેટને કડવું બનાવ્યું.
\v 11 પછી કોઈકે મને કહ્યું, "ઘણા દેશો, લોકજાતિઓ, વિવિધ ભાષા બોલનારાઓ, અને ઘણા રાજાઓને ઈશ્વરના સંદેશ વિષે તારે ફરીથી કહેવું જોઈએ."
\s5
\c 11
\p
\v 1 પછી એક સ્વર્ગદૂતે મને માપપટ્ટી જેવી લાકડી આપી. ઈશ્વરે મને કહ્યું, "ભક્તિસ્થાનમાં જા, તેનું અને તેમાંની યજ્ઞવેદીનું માપ લે અને ત્યાં ભજન કરનારા લોકોની ગણતરી કર.
\v 2 પણ ભક્તિસ્થાનની બહાર જે ચોક છે તેનું માપ લઈશ નહિ, કારણ કે મેં તે બિન યહૂદી સમુદાયના લોકોને આપેલો છે. તેથી, બેતાલીસ મહિના સુધી તેઓ યરુશાલેમ શહેરને ખૂંદી નાખશે.
\s5
\v 3 હું બે સાક્ષીઓને જે પ્રગટ કરીશ તેની જાહેરાત એક હજાર બસો સાઠ દિવસો સુધી કરવા માટે તેઓને મોકલીશ. બકરાના ચામડામાંથી બનાવેલ બરછટ વસ્ત્રો પહેરીને તેઓ દર્શાવશે કે લોકોના પાપથી તેઓ દુઃખી છે.
\v 4 તે સાક્ષીઓ પૃથ્વી પર રાજ કરનાર ઈશ્વરની સમક્ષ જે બે જૈતૂન વૃક્ષ અને બે દીવીઓ જેઓનું પ્રતિનિધિત્વ કરે છે, તેઓ છે.
\v 5 જો કોઈ પણ તે સાક્ષીઓને ઈજા પહોંચાડવા ચાહશે તો, સાક્ષીઓના મુખમાંથી અગ્નિ નીકળશે અને તેઓનો નાશ કરશે. જો લોકો તેઓને ઈજા પહોંચાડવા ઇચ્છશે તો, બે સાક્ષીઓ તેઓને ચોક્કસ આવી જ રીતે મારી નાંખશે.
\s5
\v 6 તે સાક્ષીઓને આકાશ ઉપર અધિકાર હશે જેથી ઈશ્વર તેમને જે પ્રગટ કરે છે તે જાહેર નહીં કરે તે સમય સુધી તેઓ વરસાદને આવતાં અટકાવે. તેઓને પાણી ઉપર પણ અધિકાર છે કે તેઓ દરેક જગ્યાએ પાણીને લોહીમાં ફેરવી નાખે; તેઓને પૃથ્વી ઉપર બધા જ પ્રકારની આફતો લાવવાનો પણ અધિકાર હશે. તેઓ જેટલી વાર ચાહે તેટલી વાર તે કરી શકશે.
\v 7 જ્યારે ઈશ્વર તરફથી આવેલો સંદેશ તેઓ લોકોને પ્રગટ કરી રહ્યા ત્યારે, હિંસક પશુ કે જે એવી ખાઈમાંથી નીકળે છે કે જેનો કોઈ અંત નથી તે તેઓના પર હુમલો કરશે, તેઓને જીતશે અને તેઓને મારી નાખશે.
\s5
\v 8 જ્યાં તેઓના પ્રભુ વધસ્તંભે જડાયા તે મહાન શહેરના રસ્તામાં તે બે સાક્ષીઓના મૃતદેહો પડ્યા રહેશે. તે શહેરને રૂપક તરીકે સદોમ કે ઇજિપ્ત કહેવાય છે કારણ કે તેના લોકો સદોમ અને ઈજિપ્તમાં રહેનારા લોકો જેવા ખૂબ દુષ્ટ છે.
\v 9 ઘણી લોકજાતિઓમાંથી, કુળોમાંથી, વિવિધ ભાષાઓ અને દેશોમાંથી આવેલા કેટલાક લોકો સાડા ત્રણ દિવસ સુધી તેઓના મૃતદેહોને જોયા કરશે. પણ તેઓ કોઈને તેમના મૃતદેહોને દફનાવવા દેશે નહીં.
\s5
\v 10 પૃથ્વી પર રહેનારા લોકો જ્યારે તે સાક્ષીઓને મરણ પામેલા જોશે ત્યારે, તેઓ આનંદ કરશે અને હરખાશે. તેઓ એકબીજા પર ભેટ મોકલશે કેમકે આ બે પ્રબોધકોએ તેઓને પીડા આપવા માટે આફતો મોકલી હતી.
\v 11 પણ સાડા ત્રણ દિવસ પછી, ઈશ્વર તેઓમાં ફરીથી શ્વાસ મૂકશે અને જીવંત કરશે. તેઓ ઊભા થશે, અને જે લોકો તેઓને જોશે તેઓ ભયભીત થશે.
\v 12 સ્વર્ગમાંથી આવતી વાણી બે સાક્ષીઓને કહેશે: "અહીં ઉપર આવો!" પછી તેઓ વાદળમાં થઈને ઉપર સ્વર્ગમાં જશે. તેઓના શત્રુઓ તેઓને ઉપર જતાં જોશે.
\s5
\v 13 તે જ સમયે મોટો ધરતીકંપ થશે, જેના પરિણામે શહેરની દસમા ભાગની ઇમારતો નષ્ટ થઇ જશે, અને સાત હજાર લોકો મરણ પામશે. બાકી રહેલા લોકો ભયભીત થશે અને તેઓ જાણશે કે સ્વર્ગમાં રાજ કરનાર ઈશ્વર ભયાનક છે.
\p
\v 14 તે બીજી ભયાનક ઘટના હશે. સાવધ રહેજો કેમ કે તેના પછી ત્રીજી ભયાનક ઘટના તરત જ બનશે.
\p
\s5
\v 15 પછી સાતમા સ્વર્ગદૂતે તેનું રણશિંગડું વગાડ્યું. સ્વર્ગમાં મોટેથી વાણીઓ થઈ, "આપણા પ્રભુ ઈશ્વર અને ખ્રિસ્ત જેમને તેઓએ નિયુક્ત કર્યા છે તેઓ હવે દુનિયાના બધા લોકો પર રાજ કરી શકે છે, અને તેઓ તે લોકો પર સદાકાળ રાજ કરવાનું ચાલુ રાખશે!"
\s5
\v 16 ચોવીસ વડીલો, જેઓ ઈશ્વરની સંમુખમાં તેમના આસન પર બેસે છે તેઓએ, જમીન સુધી તેમનાં માથાં નમાવ્યાં અને તેમનું ભજન કર્યું.
\v 17 તેઓએ કહ્યું:
\q1 "પ્રભુ ઈશ્વર, તમે સર્વ પર રાજ કરો છો!
\q1 તમે હાલ અસ્તિત્વ ધરાવો છો!
\q1 જેઓનું હંમેશાથી અસ્તિત્વ છે તે તમે છો!
\q1 અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે
\q1 જે બધાએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે તેઓને તમે તમારા સામર્થ્ય વડે હરાવ્યા છે,
\q1 અને તમે હવે દુનિયાના બધા લોકો પર રાજ કરો છો.
\q1
\s5
\v 18 દેશોના અવિશ્વાસી લોકો તમારા પ્રત્યે ગુસ્સે ભરાયા છે.
\q1 તેના પરિણામે તમે તેઓના પર ખૂબ ગુસ્સે થયા છો.
\q1 તમે નક્કી કર્યું છે કે આ તમારા માટે યોગ્ય સમય છે કે જેઓ બધા મરણ પામેલા છે તેઓનો તમે ન્યાય કરો.
\q1 તમારા માટે સમય આવ્યો છે કે તમે તમારા બધા સેવકો જેઓ પ્રબોધકો હતા અને અન્ય જેઓ તમારામાં વિશ્વાસ કરે છે તેઓને બદલો આપો,
\q1 અને બધા જેઓ તમને માન આપે છે,
\q1 અને જેઓ નાના અને મોટા છે તેઓ તેમાં સામેલ છે.
\q1 તમારા માટે આ સમય છે કે જેઓ પૃથ્વીને નષ્ટ કરનારા છે તેઓનો તમે નાશ કરો."
\p
\s5
\v 19 પછી ઈશ્વરે સ્વર્ગમાં તેમનું જે ભક્તિસ્થાન છે તે ઉઘાડ્યું, અને મેં તેમાં પવિત્ર કોશ જોયો. વીજળીઓ થતી હતી; ગર્જના અને ગડગડાટ થતા હતા; પૃથ્વી કાંપી અને આકાશમાંથી મોટા કરા પડ્યા.
\s5
\c 12
\p
\v 1 પછી કંઈક અતિ મહત્વની બાબત આકાશમાં દેખાઈ. તે એક સ્ત્રી હતી, સૂર્ય તેનું વસ્ત્ર હતું. તેના પગ નીચે ચંદ્ર હતો. તેના માથા પર વિજયનો મુગટ હતો તે બાર તારાઓનો બનેલો હતો.
\v 2 તે ગર્ભવતી હતી, અને તે બૂમ પાડતી હતી કારણ કે તેને પ્રસુતિની પીડા થઈ રહી હતી.
\s5
\v 3 આકાશમાં કશુંક બીજું પણ ખૂબ અસાધારણ એવું દેખાયું. તે તો એક મોટો લાલ અજગર હતો. તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. તેનાં દરેક માથાં પર રાજવી મુગટ હતા.
\v 4 અજગરની પૂંછડીએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર ફેંક્યા. જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો તેની આગળ અજગર ઊભો રહ્યો જેથી જેવું તેનું બાળક જન્મે કે તરત જ તે તેને ખાઈ જાય.
\s5
\v 5 પછી સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો, જે લોકોના બધા સમૂહો પર સંપૂર્ણ અધિકારથી લોખંડના દંડ વડે રાજ કરવા નિર્મિત છે. ઈશ્વરે તેનું બાળક તેની પાસેથી લઈ લીધું અને તેને રાજ્યાસન પાસે લઈ ગયા.
\v 6 પણ તે સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ. ત્યાં બારસો સાઠ દિવસ સુધી તેની સંભાળ લેવાય તેવું સ્થળ ઈશ્વરે તેને માટે તૈયાર કરી રાખ્યું છે.
\p
\s5
\v 7 પછી સ્વર્ગમાં યુદ્ધ થયું. મીખાએલ અને જે સ્વર્ગદૂતોને તેણે આજ્ઞા આપી હતી તેઓ અજગરની સામે લડ્યા. અજગર અને તેના નર્કદૂતો પણ મીખાએલ અને તેના સ્વર્ગદૂતોની સામે લડ્યા.
\v 8 પરંતુ અજગર યુદ્ધ જીતી શક્યો નહીં; ઈશ્વરે અજગર અને તેના નર્કદૂતોને સ્વર્ગમાં વધુ રહેવા દીધા નહીં.
\v 9 પરંતુ, ઈશ્વરે મોટા અજગરને સ્વર્ગમાંથી બહાર ફેંકી દીધો. અજગર તો પુરાણો સર્પ છે, જેનાં નામ દુષ્ટાત્મા અને શેતાન છે. તે આખી પૃથ્વી પર લોકોને છેતરે છે. તેને તેના બધા નર્કદૂતોની સાથે પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો.
\s5
\v 10 પછી મેં સ્વર્ગમાંથી કોઈકને મોટેથી બૂમ પાડતાં સાંભળ્યો,
\q1 "હવે અમારા ઈશ્વરે તેમના સામર્થ્યથી પોતાના લોકોને બચાવ્યા છે, અને તેઓ બધા લોકો પર રાજ કરે છે!
\q1 હવે ખ્રિસ્ત રાજ કરવા લાગ્યા છે!
\q1 કારણ કે ઈશ્વરે અમારા ભાઈઓ પર દોષ મુકનારને સ્વર્ગમાંથી નીચે ફેંકી દીધો છે.
\q1 જે ઈશ્વરની સામે રાતદિવસ ઊભો રહેતો હતો અને તેઓએ જે કંઈ ખોટું કર્યું હોય તે ઈશ્વરને કહેતો હતો તે એ જ હતો.
\q1
\s5
\v 11 અમારા સાથી વિશ્વાસીઓએ તેને જીત્યો છે કેમકે હલવાને તેઓને માટે પોતાનું રક્ત વહેવડાવ્યું છે અને તેઓને માટે મરણ સહ્યું છે
\q1 અને તેથી તેમના વિશેનું સત્ય તેઓએ બીજા લોકોને જણાવ્યું છે.
\q1 તેમણે જીવતા રહેવાનું ઈચ્છ્યું નહીં,
\q1 પણ, તેમના વિશેનું સત્ય કહેવા બદલ લોકો તેઓને મારી નાખે તોપણ તેઓ તૈયાર હતા.
\q1
\v 12 તેથી સ્વર્ગમાં જેઓ છે તેઓ બધાએ આનંદ કરવો જોઈએ.
\q1 પણ પૃથ્વી પર અને સમુદ્રમાં રહેનારા હે લોકો તમારી સાથે ભયાનક બાબતો બનશે કારણ કે શેતાન તમારી પાસે નીચે આવ્યો છે.
\q1 તે ખૂબ ગુસ્સે છે કારણ કે તે જાણે છે કે ઈશ્વર તેનો ન્યાય કરે અને તેને શિક્ષા કરે તે પહેલાં તેની પાસે થોડો જ સમય બાકી છે."
\p
\s5
\v 13 જ્યારે અજગરે જોયું કે તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે ત્યારે, જે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો હતો તેને તેણે સતાવી.
\v 14 પણ ઈશ્વરે સ્ત્રીને ગરુડના જેવી બે પાંખો આપી જેથી તે અરણ્યમાં ઊડી જઈ શકે. ત્યાં એક સ્થળ છે કે જે ઈશ્વરે તેના માટે તૈયાર કરેલું છે. ત્યાં ઈશ્વર તેની સાડા ત્રણ વર્ષ સુધી સંભાળ રાખશે. સર્પ, જે અજગર છે, તે ત્યાં તેની પાસે પહોંચી શક્યો નહીં.
\s5
\v 15 પછી સર્પે તેના મુખમાંથી સ્ત્રીની તરફ નદીના જેવો પ્રવાહ વહેવડાવ્યો જેથી પાણીની સાથે તે સ્ત્રી તણાઈ જાય.
\v 16 પણ પૃથ્વી સ્ત્રીની મદદે આવી, અને અજગરે તેના મોંમાંથી છોડેલી નદી તે પી ગઈ.
\v 17 પછી અજગર સ્ત્રી પર ખૂબ ગુસ્સે થયો, તેથી તે તેના બાકીના વંશજો જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને ઈસુ વિશેનું સત્ય જણાવે છે તેઓની સાથે લડવા માટે નીકળ્યો.
\v 18 પછી અજગર સમુદ્રના કિનારા પર ઊભો રહ્યો.
\s5
\c 13
\p
\v 1 પછી મેં એક હિંસક પશુને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેને દશ શિંગડા અને સાત માથાં હતા. તેના દરેક માથા પર એક રાજવી મુગટ હતો. તેના દરેક માથા ઉપર ઈશ્વરને માટે અપમાનજનક નામ હતું.
\v 2 આ પ્રાણી ચિત્તાના જેવું હતું. પણ તેના પગ રીંછના જેવા હતા, અને તેનું મોં સિંહના જેવું હતું. અજગરે હિંસક પશુને પુષ્કળ શક્તિશાળી બનાવ્યું. તેણે તેને રાજાની માફક લોકો પર શાસન કરવાનો અધિકાર આપ્યો.
\s5
\v 3 તેનું એક માથુ કોઈએ ઘાયલ કર્યું હોય તેમ લાગતું હતું કે જેથી તે મરણ પામ્યું. પણ તેના ઘા રુઝાયા. તેથી, પૃથ્વીના સર્વ લોકો આશ્ચર્ય પામ્યા અને તેને અનુસર્યા.
\v 4 તેઓએ અજગરની પણ પૂજા કરી કારણ કે તેણે હિંસક પશુને તેઓ પર શાસન કરવાનો અધિકાર આપ્યો હતો. તેઓએ હિંસક પશુનું પણ ભજન કર્યું અને કહ્યું, "હિંસક પશુના જેવું બળવાન કોઈ નથી! તેની સામે કોણ લડી શકે?"
\s5
\v 5 ઈશ્વરે હિંસક પશુને અહંકારથી બોલવા દીધું અને પોતાનું અપમાન કરવા દીધું. વળી ઈશ્વરે તેને બેતાળીસ મહિના સુધી લોકો પર શાસન કરવાની છૂટ આપી.
\v 6 જ્યારે તે બોલ્યું, ત્યારે તેણે ઈશ્વરનું, તેમના નામનું, અને તેઓ જ્યાં રહે છે તેનું અને જેઓ સર્વ સ્વર્ગમાં રહે છે તેઓનું અપમાન કર્યું.
\s5
\v 7 ઈશ્વરે હિંસક પશુને પોતાના લોકો વિરુદ્ધ લડવાની અને તેમને જીતવાની છૂટ આપી. તેને સર્વ કુળો, રાજ્યો, દરેક ભાષા બોલનાર પર, અને સર્વ લોકજાતિઓ પર શાસન કરવાનો અધિકાર હતો.
\v 8 પૃથ્વી પર રહેનારા સર્વ તેનું ભજન કરશે. જેઓ તેનું ભજન કરે છે તેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યાં નથી. તે એ પુસ્તક હતું જે જગતની ઉત્પત્તિ અગાઉ લખવામાં આવ્યું હતું, અને જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તેનું તે પુસ્તક હતું.
\s5
\v 9 જે કોઈ સમજવા ચાહે તેમણે ઈશ્વરના આ સંદેશને ધ્યાનપૂર્વક સાંભળવો જોઈએ.
\v 10 જો ઈશ્વરે નક્કી કર્યું હોય કે કેટલાક લોકોને તેઓના શત્રુઓ દ્વારા ગુલામ બનાવવામાં આવશે તો તેઓને ગુલામ બનાવવામાં આવશે જ. જો ઈશ્વરે નક્કી કર્યું હોય કે કેટલાક લોકો યુધ્ધમાં માર્યા જશે તો તેઓ જરૂર યુધ્ધમાં માર્યા જશે. તેથી ઈશ્વરના લોકોએ દુઃખ સહન કરવું જોઈએ અને તેમને વિશ્વાસુ રહેવું જોઈએ.
\p
\s5
\v 11 પછી મેં બીજા એક હિંસક પશુને પૃથ્વીમાંથી બહાર આવતું જોયું. તેના માથા પર ઘેટાંનાં શિંગડાં જેવા બે નાનાં શિંગડાં હતાં. પણ તે અજગરની જેમ ઉદ્ધત રીતે બોલતું હતું.
\v 12 પ્રથમ હિંસક પશુ જેમ ઇચ્છતું હતું તેમ તે લોકો પર અધિકાર ચલાવે છે. તે પૃથ્વી પર રહેનારા લોકોને પ્રથમ હિંસક પશુ જે લગભગ મરણ પામ્યું હતું પણ જેનો ઘા રુઝાયો, તેની પૂજા કરવાની ફરજ પાડે છે.
\s5
\v 13 બીજા પશુએ પણ અદ્દભુત ચમત્કારો કર્યા, એટલે સુધી કે લોકોના દેખતાં તે આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ વરસાવે છે.
\v 14 આ ચમત્કારો તેણે પ્રથમ પશુ વતી કર્યા. આમ કરવાથી તેણે પૃથ્વીના લોકોને છેતર્યા કે જેથી તેઓએ વિચાર્યું કે તેઓએ પ્રથમ પશુની પૂજા કરવી જોઈએ. પરંતુ આ પ્રમાણે એ માટે બન્યું કારણ કે ઈશ્વરે એમ થવા દીધું. બીજા પશુએ પૃથ્વી પર રહેનારાઓને પ્રથમ પશુ કે જેને કોઈએ તરવારથી મારી નાખ્યું હતું છતાં જીવંત હતું તેનું પ્રતિનિધિત્વ કરવા એક મૂર્તિ બનાવવા કહ્યું.
\s5
\v 15 ઈશ્વરે બીજા પશુને છૂટ આપી કે તે મૂર્તિમાં જીવ મૂકે કે જેથી મૂર્તિ બોલે. અને પશુએ આજ્ઞા કરી કે જે કોઈ મૂર્તિની પૂજા કરવાનો ઇનકાર કરે તેને મારી નાખવામાં આવે.
\v 16 વળી, બીજા પશુએ એવી ફરજ પાડી કે દરેક જણ, પછી તે મહત્વપૂર્ણ કે બિનમહત્વપૂર્ણ માણસ હોય, ધનવાન હોય કે ગરીબ હોય, સ્વતંત્ર હોય કે ગુલામ હોય, દરેક જણ તેના જમણા હાથ પર અથવા કપાળ પર પ્રથમ પશુનું નામ લખે!
\v 17 બીજા પશુએ તે જરૂરી બનાવ્યું કે જેથી જેની પાસે આ ચિહ્ન એટલે કે પશુનું નામ કે તેનું પ્રતિનિધિત્વ દર્શાવતી સંખ્યા ન હોય તેવા લોકો કંઈ પણ ખરીદી કે વેચી શકે નહિ.
\s5
\v 18 તે ચિહ્નોનો અર્થ તમારે બુદ્ધિપૂર્વક સમજવો પડશે. જે બુદ્ધિપૂર્વક વિચારે છે તેણે સમજવું કે તે સંખ્યા માણસજાતનું પ્રતિનિધિત્વ કરે છે. તે સંખ્યા છસો છાસઠ છે.
\s5
\c 14
\p
\v 1 પણ પછી મેં હલવાનને યરુશાલેમમાં સિયોન પહાડ પર ઊભું રહેલું જોયું. તેની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર લોકો હતા. તેઓના કપાળ પર તેનું નામ અને તેના પિતાનું નામ લખેલું હતું.
\v 2 મેં સ્વર્ગમાંથી એક વાણી સાંભળી, જે મોટા ધોધના જેવી અથવા ગર્જના જેવી મોટી હતી. તે વાણી ઘણા લોકો વીણા વગાડતા હોય તેના જેવી પણ હતી.
\s5
\v 3 એક લાખ ચુમ્માળીસ હજાર લોકો રાજ્યાસન, ચાર જીવંત પ્રાણીઓ અને વડીલોની સમક્ષ નવું ગીત ગાતા હતા. માત્ર એક લાખ ચુમ્માળીસ હજાર લોકો, જેઓને હલવાને પૃથ્વી પરના લોકોમાંથી છોડાવ્યા હતા તેઓ જ, તે ગીત શીખી શક્યા. બીજું કોઈ તે ગીત શીખી શક્યું નહીં.
\v 4 તે એક લાખ ચુમ્માળીસ હજાર એ છે કે જેઓએ સ્ત્રીઓથી પોતાને ભ્રષ્ટ કર્યા ન હતા; કે તેઓએ કદી પણ જાતીય સંબધો રાખ્યા ન હતા. તેઓ એ છે કે હલવાન જ્યાં જાય છે ત્યાં તેઓ તેની પાછળ જાય છે. તેઓ એ છે કે જેઓને હલવાને પૃથ્વી પરના લોકોમાંથી ઈશ્વરને માટે છોડાવ્યા છે; તેઓ એ છે કે જેઓને હલવાને પ્રથમ ઈશ્વરને અને પોતાને અર્પણ કર્યા છે.
\v 5 આ લોકો કદી જૂઠ્ઠું બોલ્યા નથી, અને ક્યારેય અનૈતિક આચરણ કર્યું નથી.
\p
\s5
\v 6 પછી મેં બીજા સ્વર્ગદૂતને આકાશ અને સ્વર્ગની મધ્યમાં ઊડતો જોયો. તે ઈશ્વરનો અનંતકાળિક સંદેશ પૃથ્વી પર લાવી રહ્યો હતો જેથી જે લોકો પૃથ્વી પર રહે છે તેઓને તે પ્રગટ કરે. તે દરેક દેશ, કુળ, દરેક ભાષા બોલનારા, અને બધા જ લોકજાતિને તે પ્રગટ કરશે.
\v 7 તેણે મોટા અવાજે કહ્યું, "ઈશ્વરને માન આપો અને તેમની સ્તુતિ કરો કેમ કે હવે તેઓ બધાનો ન્યાય કરે તે સમય આવ્યો છે! તેમની સ્તુતિ કરો કેમ કે તેઓ જ સ્વર્ગ, પૃથ્વી, સમુદ્ર, અને પાણીના ઝરાઓને બનાવનાર છે."
\s5
\v 8 બીજા એક સ્વર્ગદૂતે, તેની પાછળ આવીને કહ્યું, "અતિ દુષ્ટ શહેર બાબિલોન સંપૂર્ણ નાશ પામ્યું છે! બાબિલોન બધા જ દેશોના એવા લોકોથી બનેલું હતું જેઓ જાતીય અનૈતિકતાના આવેશમાં તેની સાથે સામેલ થયેલા છે. બાબિલોન એ કોઈ એવી વ્યક્તિના જેવું છે જે બીજી વ્યક્તિને ઘણો બધો દ્રાક્ષાસવ પીવા માટે આપે છે!"
\s5
\v 9 એક ત્રીજો સ્વર્ગદૂત, તે પછી મોટા અવાજે બોલ્યો, "જો લોકો હિંસક પશુની અને તેની મૂર્તિની પૂજા કરે કે તેના ચિહ્નને પોતાના કપાળ પર કે હાથો પર લગાવવા દે તો,
\v 10 ઈશ્વર તેઓ પર ગુસ્સે થશે અને તેમનો ગુસ્સો જલદ દ્રાક્ષાસવ જેવો હશે જે તેઓ તેમને પીવા માટે આપશે. તેઓ તેમના પવિત્ર સ્વર્ગદૂતો તેમજ હલવાનની સમક્ષ સળગતા ગંધકમાં તેઓને પીડા આપશે.
\s5
\v 11 અગ્નિમાંથી નીકળતો જે ધૂમાડો તેઓને પીડા આપે છે તે સર્વકાળ નીકળ્યા કરશે. ઈશ્વર તેઓને રાતદિવસ સતત પીડા આપશે. જે લોકો હિંસક પશુની અને તેની મૂર્તિની પૂજા કરે છે કે તેનું નામ પોતાના પર લખવા દે છે તેઓની સાથે આ બધું બનશે."
\v 12 તેથી ઈશ્વરના લોકો, જેઓ ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે અને ઈસુમાં વિશ્વાસ રાખે છે તેઓએ, પ્રામાણિકપણે તેમને આધીન રહેવાનું અને તેમના પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
\s5
\v 13 પછી મેં સ્વર્ગમાંથી એક વાણી એવું કહેતી સાંભળી કે, "એમ લખ: કે હવે પછી જેઓ પ્રભુમાં મરણ પામે છે તેઓ કેટલા આશીર્વાદિત હશે." ઈશ્વરનો આત્મા કહે છે, "હા, તેઓ મરણ પામે પછી, તેઓએ હવે વધારે સહન કરવાનું નહીં હોય. તેના બદલે, તેઓ આરામ કરશે, અને તેઓએ જે સારી બાબતો કરી છે તે દરેક લોકો જાણશે."
\p
\s5
\v 14 પછી મેં એક બીજી આશ્ચર્યજનક બાબત જોઈ. તે એક સફેદ વાદળ હતું, અને વાદળા પર કોઈ બેઠેલું હતું જે મનુષ્યપુત્ર જેવા દેખાતા હતા. તેઓએ તેમના માથા પર સોનાનો મુગટ પહેરેલો હતો. તેમના હાથમાં તેમણે ધારદાર દાતરડું પકડેલું હતું.
\v 15 વળી એક બીજો સ્વર્ગદૂત સ્વર્ગના ભક્તિસ્થાનમાંથી આવ્યો. તેણે વાદળ પર જે બેઠેલા હતા તેમને મોટા અવાજે કહ્યું, "પૃથ્વી પર ફસલ લણવાનો સમય આવ્યો છે, તેથી તમારા દાતરડા વડે ફસલને કાપો કેમ કે ફસલ પાકી ચૂકી છે."
\v 16 પછી વાદળ પર જેઓ બેઠેલા હતા તેમણે પૃથ્વી પર તેમનું દાતરડું ચલાવ્યું, અને તેમણે પૃથ્વીની ફસલ કાપી.
\s5
\v 17 સ્વર્ગમાંના પવિત્રસ્થાનમાંથી બીજો સ્વર્ગદૂત બહાર આવ્યો. તેની પાસે પણ ધારદાર દાતરડું હતું.
\v 18 વેદી પરથી વળી બીજો એક સ્વર્ગદૂત આવ્યો. તે એ હતો કે જે વેદી પરના અગ્નિની સંભાળ રાખતો હતો. જે સ્વર્ગદૂતે દાતરડું પકડેલું હતું તેને તેણે મોટા અવાજે કહ્યું, "તારા દાતરડા વડે પૃથ્વીના દ્રાક્ષાવેલાના ઝૂમખાં કાપી લે! પછી દ્રાક્ષોના ઝૂમખાંમાંથી દ્રાક્ષો એકઠી કરી લે કેમ કે તેની દ્રાક્ષો પાકી ચૂકી છે!"
\s5
\v 19 તેથી સ્વર્ગદૂતે તેનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું. પછી તેણે દ્રાક્ષાઓને જ્યાં ઈશ્વર ક્રોધિત થઈને શિક્ષા કરશે તે વિશાળ જગ્યામાં ફેંકી દીધી.
\v 20 ઈશ્વરે શહેરની બહારના દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષોને પીલી, અને લોહી વહેવા લાગ્યું! ત્રણસો કિલોમીટર સુધી ઘોડાઓની લગામ સુધી પહોંચે એટલું લોહી વહી નીકળ્યું.
\s5
\c 15
\p
\v 1 બીજું પણ કંઈક અસાધારણ એવું આકાશમાં દેખાયું. મેં સાત સ્વર્ગદૂતોને જોયા કે જેઓનું કામ બંડખોર લોકોને સાત અલગ રીતે શિક્ષા કરવાનું હતું. ઈશ્વર લોકોને આ પ્રમાણે શિક્ષા કરે તેવું આ છેલ્લી વાર હશે, કારણ કે તેઓ કેટલા કોપાયમાન હતા તે તેઓ સંપૂર્ણપણે દર્શાવશે.
\p
\s5
\v 2 મેં એક અગ્નિમિશ્રિત કાચનો બનાવેલો હોય એવો સમુદ્ર જોયો. જેઓએ હિંસક પશુની કે તેની મૂર્તિની પૂજા નહીં કરીને, અને તેના સેવકોને હિંસક પશુના નામને દર્શાવતી સંખ્યાનું ચિહ્ન નહીં કરવા દઈને તેને જીત્યું હતું તેવા લોકોને પણ જોયા. તેઓ કાચના જેવા શુદ્ધ સમુદ્રની પાસે ઊભા રહેલા હતા, અને તેઓના હાથમાં ઈશ્વરે આપેલી વીણાઓ હતી.
\s5
\v 3 ઈશ્વરના સેવક મૂસાએ ઘણા સમય અગાઉ જે ગીત ગાયું હતું તે તેઓ ગાતા હતા. તેઓએ હલવાનની સ્તુતિ કરતાં આ પ્રમાણે ગાયું:
\q1 " હે પ્રભુ ઈશ્વર, જેઓ સર્વ પર રાજ કરે છે,
\q1 તમે જે કંઈ કરો છો તે પરાક્રમી અને અદ્દભુત છે!
\q1 તમે હંમેશા સત્ય અને ન્યાયથી વર્તો છો.
\q1 તમે લોકોના બધા સમૂહો પર સદાકાળ રાજા છો!
\q1
\v 4 ઓ પ્રભુ, બધા તમારો ડર રાખશે અને તમને માન આપશે કારણ કે તમે એકલા જ પવિત્ર છો.
\q1 બધા જ પ્રકારના લોકો આવશે અને તમારી આગળ નમશે
\q1 કારણ કે તમે દર્શાવ્યું છે કે તમે યોગ્ય રીતે દરેકનો ન્યાય કર્યો છે."
\p
\s5
\v 5 તે પછી મેં જોયું કે જ્યાં પવિત્ર મંડપ રાખવામાં આવ્યો હતો તે સ્વર્ગમાંનું ભક્તિસ્થાન ખુલ્લું હતું.
\v 6 સાત સ્વર્ગદૂતો જેઓનું કામ બંડખોર લોકોને સાત વિવિધ રીતે શિક્ષા કરવાનું હતું તેઓ પવિત્ર સ્થાનમાંથી બહાર આવ્યા. સ્વર્ગદૂતોએ શુદ્ધ, શણનાં સફેદ વસ્ત્રો પહેરેલાં હતાં; તેઓએ તેમની છાતીની આસપાસ સોનાના પટ્ટા પહેરેલા હતા.
\s5
\v 7 ચાર જીવંત પ્રાણીઓમાંના એકે સાતેય સ્વર્ગદૂતને દ્રાક્ષાસવથી ભરેલાં સોનાનાં પાત્ર આપ્યાં. દ્રાક્ષાસવ એ દર્શાવે છે કે ઈશ્વર, જેઓ સદાકાળ જીવંત છે, તેઓ તેમની સામે બંડ પોકારનાર લોકો પ્રત્યે ખૂબ કોપાયમાન છે અને તેઓને શિક્ષા કરવાના છે.
\v 8 ભક્તિસ્થાન ધુમાડાથી ભરાઈ ગયું તે ઈશ્વરના ગૌરવ અને પરાક્રમની હાજરીને દર્શાવતું હતું. જ્યાં સુધી સાત સ્વર્ગદૂતો પૃથ્વી પરના લોકોને સાત અલગ રીતે શિક્ષા કરવાનું પૂરું કરી રહ્યા નહીં ત્યાં સુધી કોઈ ભક્તિસ્થાનમાં પ્રવેશી શક્યું નહીં.
\s5
\c 16
\p
\v 1 મેં દર્શનમાં કોઈકને ભક્તિસ્થાનમાંથી મોટા અવાજે બોલતાં સાંભળ્યો. જે સ્વર્ગદૂતોના હાથમાં સાત પાત્રો હતાં તેઓને તેણે કહ્યું કે, "તમે જાઓ અને સાત પાત્રોમાંનો દ્રાક્ષાસવ પૃથ્વી પર રેડી દો. લોકોને એ પીડાદાયક થશે, કારણ કે ઈશ્વર તેઓના પ્રત્યે કોપાયમાન થયા છે."
\s5
\v 2 તેથી પહેલો સ્વર્ગદૂત ગયો, અને પાત્રમાં જે હતું તે તેણે પૃથ્વી પર રેડી દીધું. જેઓએ હિંસક પશુના સેવકોને તેનું નામ પોતાના પર લખવા દીધું હતું, અને હિંસક પશુની મૂર્તિની પૂજા કરી હતી, તેને પરિણામે, તે લોકોને ભયાનક અને દુઃખદાયક ગૂમડાં ફૂટી નીકળ્યાં.
\s5
\v 3 પછી બીજા સ્વર્ગદૂતે તેની પાસેના પાત્રમાં જે હતું તે પૃથ્વી પર રેડી દીધું. જ્યારે તેણે તે રેડ્યું ત્યારે, પાણીનું સ્વરૂપ બદલાઈ જઈને, લોહીમાં ફેરવાઈ ગયું, પણ જીવંત લોહીમાં નહીં. તે મૃત માણસના લોહી જેવું હતું, અને સમુદ્રમાં રહેતા બધા સજીવો મરણ પામ્યા.
\s5
\v 4 પછી ત્રીજા સ્વર્ગદૂતે તેની પાસેના પાત્રમાં જે હતું તેને નદીઓ પર તેમજ પાણીના ઝરાઓ પર રેડી દીધું. જ્યારે તેણે તેના પાત્રમાંથી રેડ્યું ત્યારે, નદીઓમાંનું પાણી અને ઝરાઓ લોહીમાં ફેરવાઈ ગયા.
\v 5 જે સ્વર્ગદૂતને પાણી પર અધિકાર છે તેણે ઈશ્વરને કહ્યું, "ઓ ઈશ્વર, તમે અસ્તિત્વ ધરાવો છો અને સદાકાળ અસ્તિત્વ ધરાવતા હતા. તમે પવિત્ર છો. તમે લોકોના સાચા ન્યાયાધીશ છો.
\v 6 જે લોકોએ તમારી વિરુદ્ધ બંડ કર્યું તેઓએ તમારા પવિત્ર લોકો અને પ્રબોધકોને મારી નાખ્યા. તેથી તમે તેઓને લોહી પીવા આપીને તેઓને શિક્ષા કરવામાં ન્યાયી છો. તેઓ તેને માટે લાયક છે."
\v 7 પછી મેં વેદી પરથી કોઈકને ઉત્તર આપતાં સાંભળ્યો, "હા, પ્રભુ ઈશ્વર, તમે દરેક પર રાજ કરો છો, તમે લોકોને સત્યતાથી અને ન્યાયથી શિક્ષા કરો છો."
\s5
\v 8 પછી ચોથા સ્વર્ગદૂતે તેની પાસેના પાત્રમાં જે હતું તે સૂર્ય પર રેડ્યું. તેને સૂર્યને એટલો ગરમ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો કે તેની અગ્નિથી તે લોકોને દઝાડે.
\v 9 તેથી લોકો સખત દાઝી ગયા, અને તેઓએ ઈશ્વરની વિરુદ્ધ દુષ્ટ બાબતો કહી કારણ કે આ રીતે તેઓને પીડા આપવાનો અધિકાર તેમની પાસે હતો. પરંતુ તેઓએ હજુ પણ પોતાના પાપી વર્તનથી પાછા ફરવાનો અને તેમને મહિમા આપવાનો ઇનકાર કર્યો.
\p
\s5
\v 10 જ્યારે પાંચમા સ્વર્ગદૂતે તેની પાસેના પાત્રમાંથી હિંસક પશુના રાજ્યાસન પર રેડયું ત્યારે, હિંસક પશુના રાજ્ય પર અંધકાર છવાઈ ગયો. તેથી હિંસક પશુ અને જે લોકો પર તે રાજ કરતું હતું તેઓ પોતાની જીભ કરડવા લાગ્યા કારણ કે તેઓને અસહ્ય પીડા થતી હતી.
\v 11 તેઓનાં ગૂમડાં ખૂબ પીડાદાયક હતાં તે કારણે તેઓએ સ્વર્ગમાં રાજ કરનાર ઈશ્વરનું અપમાન કર્યું. પણ પોતે જે દુષ્ટ કાર્યો કરતા હતા તે કરવાનું તેઓએ બંધ કર્યું નહીં.
\s5
\v 12 પછી છઠ્ઠા સ્વર્ગદૂતે તેની પાસેના પાત્રમાંથી યુફ્રેતિસ નદી પર રેડ્યું. નદીમાંનું પાણી સુકાઈ ગયું જેથી પૂર્વના દેશોમાંથી આવનાર રાજાઓ પોતાના સૈન્યો સાથે તેને પાર કરી શકે.
\v 13 પછી મેં દુષ્ટાત્માઓને જોયા કે જેઓ દેડકા જેવા દેખાતા હતા. એક અજગરના મુખમાંથી, એક હિંસક પશુના મુખમાંથી અને એક જુઠ્ઠા પ્રબોધકના મુખમાંથી નીકળ્યો.
\v 14 તેઓ ચમત્કાર કરી શકે તેવા દુષ્ટાત્માઓ હતા. તેઓ આખી દુનિયાના રાજાઓ પાસે ગયા જેથી તેઓ તેમનાં સૈન્યોને એકઠા કરી શકે. તે એટલા માટે કે જ્યારે સર્વસમર્થ ઈશ્વર મહત્વના દિવસે તેમના શત્રુઓને શિક્ષા કરશે ત્યારે તેઓ લડે.
\s5
\v 15 (મેં પ્રભુ ઈશ્વરને કહેતા સાંભળ્યા, "તમે ધ્યાનથી મારું સાંભળો: એક ચોરની જેમ, હું અચાનક આવું છું. તેથી જેઓ જાગૃત રહે છે અને યોગ્ય રીતે જીવે છે કે જેથી તેઓએ શરમાવું ન પડે તેઓના સંબંધી હું આનંદ કરીશ. તેઓ એવા લોકો જેવા થશે કે જેઓ પોતાનાં વસ્ત્રો પહેરેલાં રાખે છે કે જેથી તેઓને બીજા લોકોની સામે શરમાવું ન પડે.")
\v 16 દુષ્ટાત્માઓ રાજાઓને એ સ્થળે એકઠા કરશે જેને હિબ્રૂ ભાષામાં આર્માગેદન કહેવાય છે.
\p
\s5
\v 17 પછી સાતમા સ્વર્ગદૂતે તેની પાસેના પાત્રમાંથી વાતાવરણમાં રેડ્યું. ત્યારે, રાજ્યાસનના પરમપવિત્રસ્થાનમાંથી કોઈકે મોટા અવાજે કહ્યું, "બંડખોર લોકોને શિક્ષા કરવાનો ઈશ્વરનો સમય પૂરો થયો છે."
\v 18 જ્યારે સ્વર્ગદૂતે તેનું પાત્ર ખાલી કર્યું ત્યારે, વીજળી થઈ, ગર્જના અને ગડગડાટ થયા, અને પૃથ્વી કાંપી. લોકો પૃથ્વી પર ઉત્પન્ન થયા ત્યારથી કદી કાંપી ન હતી તેવી ભયાનકતાથી તે કંપી ઊઠી.
\v 19 તેના પરિણામે, મોટું શહેર ત્રણ ભાગમાં વહેંચાઈ ગયું. ઈશ્વરે બીજા દેશોના શહેરોનો પણ નાશ કર્યો. બાબિલોનના લોકોએ ઘણાં પાપ કર્યા હતાં તે ઈશ્વર ભૂલી ગયા નહીં. ઈશ્વર તેઓ પર કોપિત હતા તેથી તેમણે તેઓને પીડા આપતો દ્રાક્ષાસવનો પ્યાલો પીવડાવ્યો.
\s5
\v 20 ધરતીકંપના પરિણામે દરેક ટાપુઓ પણ અદ્રશ્ય થઈ ગયા અને પહાડો સપાટ ભૂમિ બની ગયા.
\v 21 લોકો ઉપર આકાશમાંથી તેત્રીસ કિલોગ્રામ વજન ધરાવતા મોટા કરા પડ્યા. પછી લોકોએ ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ કર્યું કારણ કે તેમણે તેઓને આવી ભયંકર રીતે શિક્ષા કરી હતી, અને જે કરા પડ્યા તે ઘણા મોટા હતા.
\s5
\c 17
\p
\v 1 સાત દૂતોમાંનો એક, કે જેની પાસે સાત પાત્રોમાંનું એક પાત્ર હતું, તેણે મારી પાસે આવીને કહ્યું, "મારી સાથે આવ અને હું તને બતાવીશ કે ઈશ્વર તે ગણિકા, સ્ત્રી કે જે પાણીની ઘણી નહેરોવાળા શહેરને દર્શાવે છે, તેને કેવી રીતે શિક્ષા કરશે.
\v 2 પૃથ્વીના રાજાઓએ તેની સાથે અનૈતિક અને મૂર્તિપૂજક વ્યવહાર રાખ્યો છે. પૃથ્વી પરના લોકો પણ તે જ રીતે અનૈતિકપણે વર્ત્યા છે. એ તો જાણે તેણે આપેલ દ્રાક્ષાસવ પીને તેઓ છાકટા થયા હોય તેના જેવું હતું."
\p
\s5
\v 3 પછી ઈશ્વરના આત્માએ મારું નિયંત્રણ લીધું અને સ્વર્ગદૂત મને વેરાન વિસ્તારમાં લઈ ગયો. ત્યાં મેં એક સ્ત્રીને જોઈ જે લાલ હિંસક પશુ પર બેઠેલી હતી. હિંસક પશુએ તેની પોતાની ઉપર બધે જ નામ લખેલાં હતાં. તે ઈશ્વરનું અપમાન કરનારાં નામો હતાં. હિંસક પશુને સાત માથાં અને દસ શિંગડાં હતાં.
\v 4 સ્ત્રીએ જાંબુડિયાં અને લાલ વસ્ત્રો પહેરેલાં હતાં. તેની પાસે સોનાનાં, કિંમતી પથ્થરનાં, અને મોતીનાં આભૂષણો હતાં; તેના હાથમાં તેણે સોનાનો પ્યાલો ધારણ કરેલો હતો. પ્યાલો કંઈક એવા પીણાંથી ભરેલો હતો કે જે તેના જાતીય વ્યભિચારની ધિક્કારપાત્ર અને અશુદ્ધ બાબતોને દર્શાવતો હતો.
\v 5 તેના કપાળ પર એક નામ લખેલું હતું, તે ગુપ્ત અર્થ ધરાવતું નામ હતું. એટલે "આ સ્ત્રી, ખૂબ દુષ્ટ શહેર બાબિલોનને દર્શાવે છે! તે પૃથ્વી પરની બધી જ ગણિકાઓની માતા છે. તે તેઓને વિશ્વમાં આચરવામાં આવતી સર્વ અશુદ્ધ, અનૈતિક બાબતો કરવાનું શીખવે છે."
\s5
\v 6 મેં જોયું કે તે સ્ત્રી પીધેલી હતી કારણ કે તેણે, ઈસુ વિશેનું સત્ય પ્રગટ કરતાં જેઓએ દુઃખ ભોગવ્યું હતું એવા ઈશ્વરના લોકોનું લોહી પીધેલું હતું. જ્યારે મેં તેને જોઈ ત્યારે, મને ઘણું આશ્ચર્ય થયું.
\p
\v 7 સ્વર્ગદૂતે મને કહ્યું, 'આશ્ચર્ય પામતો નહિ. તે સ્ત્રી અને જે સાત માથાં તથા દશ શિંગડાંવાળું પશુ જેના પર તે બેઠેલી છે તેનું રહસ્ય હું તને સમજાવીશ.
\s5
\v 8 જે પશુને તેં જોયું તે અગાઉ જીવંત હતું. કાળક્રમે ઈશ્વર તેનો નાશ કરશે, પણ હાલ તે જીવંત નથી. તે અનંત ખાઈમાંથી જલદીથી આવવાનું છે. જ્યારે તે પ્રાણી ફરીથી દેખાશે, ત્યારે પૃથ્વીના લોકો જેઓના નામ ઈશ્વરે સૃષ્ટિની ઉત્પતિ કરી ત્યારથી જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યાં નથી, તેઓ આશ્ચર્ય પામશે.
\s5
\v 9 આ સમજવા માટે લોકોએ ડહાપણથી વિચારવાની જરૂર છે: જેના પર તે સ્ત્રી બેઠેલી છે તે પશુનાં સાત માથાં તે સાત પહાડ દર્શાવે છે. તેઓ સાત રાજ્યકર્તાઓ પણ દર્શાવે છે.
\v 10 તે રાજ્યકર્તાઓમાંના પાંચ મરણ પામ્યા છે અને એક હજુ જીવે છે. સાતમો રાજ્યકર્તા હજુ આવ્યો નથી. જ્યારે તે આવશે ત્યારે તેણે થોડો સમય જ રહેવાનું થશે.
\s5
\v 11 જે હિંસક પશુ અગાઉ જીવતું હતું અને પછી જીવંત ન હતું, તે જ આઠમો રાજ્યકર્તા થશે. ખરેખર તો તે સાતમાંનો જ એક છે, પણ ઈશ્વર ચોક્કસ તેનો નાશ કરશે.
\s5
\v 12 જે દશ શિંગડાં તેં જોયાં તે દશ રાજ્યકર્તાઓ દર્શાવે છે, જેઓએ હજુ સુધી રાજ્ય કરવાની શરૂઆત કરી નથી. તેઓને હિંસક પશુની સાથે લોકો પર રાજ્ય કરવાનો અધિકાર મળશે ખરો પણ, તે કેવળ થોડો જ સમય, એટલે જાણે કે એક કલાક જેટલો જ હશે.
\v 13 તે રાજ્યકર્તાઓ એક જ રીતે રાજ્ય કરવા સહમત થશે. છેવટે, તેઓ પોતાનો હક અને લોકો પર રાજ્ય કરવાનો અધિકાર હિંસક પશુને સોંપી દેશે.
\v 14 તે રાજ્યકર્તાઓ અને પશુ હલવાનની સામે લડશે. હલવાન તેઓને હરાવશે કેમકે તે લોકો પર રાજ્ય કરતા સર્વ રાજાઓના પણ પ્રભુ છે. તેમની સાથે જેઓ છે તેઓને પ્રભુએ તેડ્યા અને પસંદ કર્યા છે, જેઓ વિશ્વાસુપણે તેમની સેવા કરી રહ્યા છે."
\s5
\v 15 પછી સ્વર્ગદૂતે મને કહ્યું, "જે પાણી તેં શહેરમાં જોયાં તે ગણિકા જ્યાં બેસે છે ત્યાંના ઘણા વિવિધ પ્રકારના લોકો, અને સમુદાયો અને વિવિધ ભાષાઓ બોલનાર લોકો દર્શાવે છે,
\s5
\v 16 જે દશ શિંગડાં તે જોયાં તેઓ રાજ્યકર્તાઓ દર્શાવે છે. તેઓ અને પશુ ગણિકાનો દ્વેષ કરશે. તેથી જાણે તેઓ તેને નિર્વસ્ત્ર કરી રહ્યા હોય તેવી રીતે શહેરમાં જે છે તે બધું જ લઈ લેશે. તેઓ જાણે માંસ ખાતા હોય તેવી રીતે તેનો નાશ કરશે, અને તેને સંપૂર્ણપણે બાળી નાંખશે.
\v 17 તેઓ એ પ્રમાણે કરશે કારણ કે ઈશ્વર તેઓના દ્વારા જે કરાવવા માંગે છે તે પ્રમાણે કરવા વિષે ઈશ્વરે તેમને નિર્ણય કરવા દીધો છે. તેના પરિણામે, ઈશ્વરે જે કહ્યું છે તે પૂરું થાય ત્યાં સુધી તેઓ હિંસક પશુને તેના પરાક્રમથી રાજ કરવા દે.
\s5
\v 18 જે ગણિકાને તેં જોઈ તે અતિ દુષ્ટ શહેરને દર્શાવે છે જેના આગેવાનો પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે."
\s5
\c 18
\p
\v 1 એ પછી મેં જેની પાસે મોટો અધિકાર હતો તેવા એક બીજા સ્વર્ગદૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો. તે એટલો બધો પ્રકાશિત હતો કે તેના કારણે પૃથ્વી પ્રકાશિત થઈ.
\v 2 તેણે ખૂબ મોટા અવાજે બૂમ પાડી, "ઈશ્વર અતિ દુષ્ટ શહેર બાબિલોનનો સંપૂર્ણપણે નાશ કરવાના છે. પરિણામે, બધા જ પ્રકારના દુષ્ટાત્માઓ ત્યાં રહેશે, અને બધા પ્રકારનાં ભ્રષ્ટ અને ધિક્કારપાત્ર પક્ષીઓ ત્યાં રહેશે. બાબિલોન તો એક ગણિકા જેવું છે
\v 3 જેની સાથે બધી જ પ્રકારની લોકજાતિઓ, જાણે ખૂબ બધો દ્રાક્ષાસવ પીધો હોય તેમ જાતીય અનૈતિકતાની વાસનાથી જોડાય છે, હા, અને પૃથ્વી પરના રાજાઓએ પણ તેવી જ બાબતો તેની સાથે કરી છે. દુનિયાના વેપારીઓ ધનવાન થયા છે કારણ કે તેણે ખૂબ જ જાતીય અનૈતિકતા આચરવાનું ચાહ્યું છે."
\p
\s5
\v 4 મેં ઈસુને સ્વર્ગમાંથી કહેતાં સાંભળ્યા. તેમણે કહ્યું, "મારા લોકો, તે બાબિલોનથી નાસી જાઓ કે જેથી તે લોકોની જેમ તમે પાપ ન કરો. જેવી રીતે તેઓ કરે છે તેમ જો તમે પાપ કરશો તો, જેમ હું તેઓને શિક્ષા કરવાનો છું તેમ, હું તમને પણ તેવી જ રીતે સાત અલગ અલગ રીતે શિક્ષા કરીશ.
\v 5 કેમ કે તેઓનાં પાપ સ્વર્ગ સુધી પહોંચ્યાં છે અને ઈશ્વર તે પાપોને યાદ કરે છે, તેથી હવે તેઓ તેમને શિક્ષા કરશે."
\p
\v 6 ઈશ્વરે જે દૂતોને બાબિલોનને શિક્ષા કરવાને માટે પસંદ કર્યા હતા તેઓને ઈસુએ કહ્યું, "શહેરના લોકોએ બીજા લોકોને જેટલી હદે નુકસાન કર્યું છે તેટલું જ તેઓને પાછું વાળી આપો. તેઓએ લોકોને જેટલી પીડા આપી છે તેનાથી બમણી પીડા તેઓ ભોગવે તેવું તેમને થવા દો.
\s5
\v 7 એક સ્ત્રીની જેમ, બાબિલોને જેટલા પ્રમાણમાં, પોતાને મહિમા આપ્યો અને તે જે બાબતો કરવા ઇચ્છતી હતી તે પ્રમાણે કર્યું, તેટલા જ પ્રમાણમાં તેને ત્રાસ અને દુઃખ આપો. તે પ્રમાણે કરો કારણ કે તેના મનમાં તેણે વિચાર્યું કે, 'હું રાણીની જેમ રાજ કરીશ! હું વિધવા નથી, અને જેમ વિધવાઓ કરે છે તેમ હું શોક કરીશ નહીં!'
\v 8 તેથી એક જ દિવસમાં, ભયાનક આફતો તેના પર આવશે. તે શહેરમાંના લોકો મરણ પામશે, બીજાઓ તેઓને માટે શોક કરશે, લોકો ભૂખે મરશે કારણ કે ત્યાં ખોરાક નહીં હોય, અને શહેરને બાળી નાંખવામાં આવશે. પ્રભુ ઈશ્વર તેને શિક્ષા કરવા શક્તિમાન છે કારણ કે તેઓ સામર્થ્યવાન છે."
\p
\s5
\v 9 પૃથ્વી પરના રાજાઓ જેઓ તેની સાથે અનૈતિક્તાથી વર્ત્યા છે અને તેઓ તેની સાથે જે કરવા માગતા હતા તે કર્યું છે તેઓ જ્યારે ત્યાં લાગેલી આગનો ધુમાડો જોશે ત્યારે તેને માટે વિલાપ અને શોક કરશે.
\v 10 તેઓ બાબિલોનથી દૂર ઊભા રહેશે કારણ કે તેઓ બીશે કે તેની જેમ તેઓને પણ પીડા ભોગવવી પડશે. તેઓ કહેશે, "તે બળવાન નગર બાબિલોનને માટે આ કેટલું ભયંકર છે! ઈશ્વર તેને એકાએક અને ઝડપથી શિક્ષા કરી રહ્યા છે!"
\s5
\v 11 પૃથ્વી પરના વેપારીઓ તેના માટે રડશે અને શોક કરશે કારણ કે તેઓનો વેચવાનો માલ હવેથી તેમાંના કોઈ ખરીદશે નહીં.
\v 12-13 તેઓ સોના, ચાંદી, કિંમતી પથ્થરોનાં અને મોતીનાં બનાવેલાં આભૂષણ વેચે છે. તેઓ કિંમતી વસ્ત્રો જે શણ અને રેશમનાં બનેલાં છે, કિંમતી વસ્ત્રો જેને જાંબુડી અને કિરમજી રંગ કરેલો છે તે વેચે છે. તેઓ બધા પ્રકારનું દુર્લભ લાકડું, અને હાથીદાંતની બનેલી દરેક વસ્તુઓ, કિંમતી લાકડું, પિત્તળ, લોખંડ અને સંગેમરમર વેચે છે. તેઓ તજ, તેજાના, અત્તર, ધૂપદ્રવ્યો, દ્રાક્ષાસવ, જૈતૂન તેલ, ઝીણો લોટ, અને અનાજ વેચે છે. તેઓ ઊંટ, ઘેટાં, ઘોડા અને રથો વેચે છે. તેઓ માણસોને પણ ગુલામ તરીકે વેચે છે.
\s5
\v 14 જે સારી બાબતો તમે લોકો ઇચ્છતા હતા તે જતી રહી છે! તમારી બધી આરામદાયક અને ભવ્ય સંપત્તિ નાશ પામી છે! તેઓ હંમેશને માટે જતી રહી છે!
\s5
\v 15 જે વેપારીઓ આ વસ્તુઓ વેચતા હતા અને જેઓ ધનવાન થયા તેઓ દૂર ઊભા રહેશે કારણ કે જેમ શહેરને પીડા ભોગવવી પડી તેમ તેઓને ભોગવવું પડે તેનાથી તેઓ બીશે. તેઓ વિલાપ અને શોક કરશે,
\v 16 અને તેઓ કહેશે, "તે મહાન શહેરની સાથે ભયંકર બાબતો બની છે! તે શહેર એક સ્ત્રીના જેવું હતું, જેનાં વસ્ત્રો ઝીણા શણનાં બનેલાં હતાં અને એ કિંમતી વસ્ત્રો જાંબુડી અને કિરમજી રંગનાં હતાં અને સોનું, કિંમતી પથ્થર અને મોતીઓથી સ્ત્રીને શણગારેલી હતી.
\v 17 પરંતુ ઈશ્વરે એકાએક અને ઝડપથી આ બધી કિંમતી વસ્તુઓનો નાશ કર્યો."
\p દરેક વહાણના સુકાની, વહાણમાં મુસાફરી કરી રહેલા લોકો, બધા ખલાસીઓ, અને સમુદ્રમાર્ગે મુસાફરી કરીને પોતાનું ગુજરાન કરનારા બીજા લોકો શહેરથી દૂર ઊભા રહેશે."
\s5
\v 18 જ્યારે તેઓ ત્યાં લાગેલી આગનો ધુમાડો જોશે ત્યારે, તેઓ બૂમ પાડશે, "તે મહાન શહેરના જેવું બીજું કોઈ શહેર થયું નથી!"
\v 19 તેઓ દુઃખી છે તેવું જણાવવા માટે તેઓ પોતાનાં માથાં પર ધૂળ નાંખશે, અને તેઓ પોકારશે, વિલાપ કરશે અને શોક કરશે. તેઓ કહેશે, "બાબિલોનની સાથે ભયંકર બાબતો બની છે. જે લોકો પાસે સમુદ્રમાં તરનાર વહાણો હતાં જેથી તેઓ કિંમતી વસ્તુઓ વેચી શકે, તેવા ઘણા લોકોને તે શહેરે ધનવાન બનાવ્યા. ઈશ્વરે અચાનક અને ઝડપથી તે શહેરનો નાશ કર્યો છે!"
\p
\v 20 પછી સ્વર્ગમાંથી કોઈક બોલ્યું, "તમે જેઓ સ્વર્ગમાં રહો છો તેઓ, બાબિલોનની સાથે જે બન્યું તેનાથી હરખાઓ! તમે જેઓ ઈશ્વરના લોકો, પ્રેરિતો અને પ્રબોધકો છો તેઓ આનંદ કરો. તમારે આનંદ કરવો જોઈએ; ઈશ્વરે ન્યાયથી ત્યાંના લોકોને શિક્ષા કરી છે કારણ કે તેઓ તમારા પ્રત્યે ક્રૂરતાપૂર્વક વર્ત્યા હતા!"
\p
\s5
\v 21 પછી એક બળવાન સ્વર્ગદૂતે અનાજ દળવાની મોટી ઘંટીના પડ જેવો એક પથ્થર ઊંચકી લીધો અને તેને સમુદ્રમાં નાખી દીધો. પછી તેણે કહ્યું, "મોટા શહેર બાબિલોનના લોકો, ઈશ્વર તમારા શહેરને ફેંકી દેશે જેથી જેમ તે પત્થર સમુદ્રમાં ડૂબી ગયો તેમ તે પણ ડૂબી જશે! તમારું શહેર હંમેશને માટે જતું રહેશે!
\v 22 તમારા શહેરમાં, ફરીથી કોઈ વીણા વગાડનાર, ગાનાર, વાંસળી વગાડનાર, કે રણશિંગડું વગાડનાર થશે નહીં. કોઈ પણ વસ્તુઓ બનાવનાર કારીગર ત્યાં હશે નહીં. ફરી ક્યારેય ઘંટીમાં અનાજ દળનાર લોકો હશે નહીં.
\s5
\v 23 કોઈ દીવો ત્યાં ક્યારેય સળગશે નહીં. ત્યાં કોઈ વર અને કન્યાના આનંદિત અવાજો થશે નહીં. ઈશ્વર તમારા શહેરનો નાશ કરશે કારણ કે તમારા વેપારીઓ દુનિયાના સૌથી મહત્વના માણસો હતા. બધી લોકજાતિઓના લોકોને ભરમાવવા માટે તમે જાદુક્રિયાનો ઉપયોગ કર્યો હતો.
\v 24 તમે પ્રબોધકો અને ઈશ્વરના બીજા લોકોને મારી નાંખવા માટે જવાબદાર છો. ખરેખર, પૃથ્વી પર કરવામાં આવેલ દરેક હત્યા માટે તમે દોષિત છો!"
\s5
\c 19
\p
\v 1 આ બિનાઓ બન્યા પછી મેં સ્વર્ગમાં મોટા સમુદાયના જેવી વાણી સાંભળી. તેઓ આ પ્રમાણે પોકારતા હતા,
\q1 "હાલેલૂયા! તેમણે આપણને બચાવ્યા છે!
\q1 તેઓ મહિમાવંત અને પરાક્રમી છે!
\q1
\v 2 તેમની સ્તુતિ કરો કેમ કે તેઓ સત્યતાથી અને ન્યાયીપણાથી ન્યાય કરે છે!
\q1 તેમણે અતિ દુષ્ટ શહેર કે જે ગણિકા જેવું હતું તેને શિક્ષા કરી છે, કારણ કે તેના લોકો જે પ્રમાણે અનૈતિક રીતે વર્ત્યા તેમ તેઓએ બીજા લોકોને કરવાની પ્રેરણા આપી.
\q1 તેમની સ્તુતિ કરો કારણ કે તેમના સેવકોને મારી નાખવા બદલ તેમણે તેઓને શિક્ષા કરી છે!"
\s5
\v 3 સમુદાયે બીજી વાર પોકાર કરતાં કહ્યું,
\q1 "હાલેલૂયા! જે અગ્નિ તે શહેરને બાળી રહ્યો છે તેનો ધુમાડો સદાકાળ ઉપર ચઢો!"
\q1
\v 4 ચોવીસ વડીલો અને ચાર જીવંત પ્રાણીઓએ નમન કર્યું અને રાજ્યાસન પર બેઠેલા ઈશ્વરનું ભજન કર્યું. તેઓએ કહ્યું:
\q1 "તે ખરું છે! હાલેલૂયા!"
\s5
\v 5 રાજ્યાસન પરથી કોઈકે કહ્યું,
\q1 "તમે બધા તેમના સેવકો, આપણા ઈશ્વરની સ્તુતિ કરો!
\q1 તમે બધા જેઓ તેમને માન આપો છો તેઓ, તમે નાના કે મોટા, દરેક તેમની સ્તુતિ કરો!"
\s5
\v 6 પછી મેં લોકોના મોટાં ટોળાંના જેવો અવાજ સાંભળ્યો, ઘણા પાણીના ધોધ જેવો તે અવાજ હતો, અને ભારે ગર્જનાના જેવો મોટો અવાજ હતો. તેઓ પોકારતા હતા:
\q1 "હાલેલૂયા! આપણા પ્રભુ ઈશ્વર, જે બધા પર અધિકાર ચલાવે છે તેઓ, રાજ કરે છે!
\q1
\s5
\v 7 આપણે આનંદ કરીએ, આપણે ઘણા ખુશ થઈએ, અને આપણે તેમને માન આપીએ.
\q1 કારણ કે આ સમય છે કે જ્યારે હલવાન કન્યાની સાથે લગ્નથી જોડાય. કન્યાએ પોતાને તૈયાર કરી છે.
\q1
\v 8 ઈશ્વરે તેને બારીક શણનાં ઊજળાં અને શુદ્ધ વસ્ત્રથી તૈયાર થવા અનુમતિ આપી છે."
\p બારીક, ઊજળાં અને શુદ્ધ વસ્ત્રો ઈશ્વરના લોકોનાં ન્યાયી કૃત્યોને દર્શાવે છે.
\p
\s5
\v 9 પછી દૂતે મને કહ્યું, "આ લખ: જ્યારે હલવાન તેની કન્યા સાથે લગ્ન કરે છે ત્યારે જેઓને ઈશ્વરે આમંત્રણ આપ્યું છે તેઓ કેટલા આશીર્વાદિત લોકો છે!" તેણે મને એ પણ કહ્યું: "આ વચનો કે જે ઈશ્વરે જાહેર કર્યાં છે તે સત્ય છે!"
\v 10 મેં તરત જ તેનું ભજન કરવાને માટે મારી જાતને નમાવી. પરંતુ દૂતે મને કહ્યું, "મારું ભજન કરીશ નહીં! હું માત્ર તારો અને તારા સાથી વિશ્વાસીઓ કે જેઓ ઈસુ વિશેનું સત્ય જણાવે છે તેઓનો, સાથી સેવક છું. કેવળ ઈશ્વર જ એવા છે કે જેમનું તારે ભજન કરવું જોઈએ કારણ કે ઈશ્વરનો આત્મા જ લોકોને ઈસુ વિશેનું સત્ય જણાવવાનું સામર્થ્ય આપે છે!"
\p
\s5
\v 11 પછી મેં સ્વર્ગને ઊઘડેલું જોયું, અને એક સફેદ ઘોડાને જોઈને મને આશ્ચર્ય થયું. ઈસુ, જેઓ "વિશ્વાસુ અને સત્ય" કહેવાય છે, તેઓ ઘોડા ઉપર સવાર હતા, તેઓ સત્યતાથી સર્વ લોકોનો ન્યાય કરે છે; તેઓ તેમના શત્રુઓની સામે ન્યાયથી લડાઈ કરે છે.
\v 12 તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી ચમકે છે. તેમના માથા પર ઘણા રાજમુગટ હતા. તેમના પર એક નામ લખવામાં આવેલુ છે. માત્ર તેઓ જ તેનો અર્થ જાણે છે.
\v 13 જે ઝભ્ભો તેમણે પહેરેલો હતો તે રક્તથી ખરડાયેલો હતો. તેઓનું નામ "ઈશ્વરનો સંદેશ" પણ છે.
\s5
\v 14 સ્વર્ગનાં સૈન્યો તેમની પાછળ ચાલતાં હતાં કે જેઓ સફેદ ઘોડાઓ પર સવાર હતાં અને તેઓએ સફેદ શણનાં વસ્ત્રો પહેરેલાં હતાં.
\v 15 ઈસુના મોમાંથી ધારદાર તરવાર નીકળે છે; તેના વડે તેઓ બંડખોર લોકજાતિઓનો સંહાર કરશે. જાણે તેમની પાસે લોખંડનો દંડ હોય તેમ તેના વડે તેઓ તેમના પર પરાક્રમી રીતે રાજ કરશે. જેમ કોઈ દ્રાક્ષાને કુંડમાં પીલે છે તેમ તેઓ તેમના શત્રુઓને પીલી નાંખશે. તેઓ સર્વ પર રાજ કરનાર અને લોકોનાં પાપોને લીધે ખૂબ કોપાયમાન થયેલ ઇશ્વરને માટે આ કરશે.
\v 16 તેમના ઝભ્ભા પર અને તેમની જાંઘ પર એક નામ લખેલું છે: "સર્વ રાજાઓ પર રાજ કરનાર રાજા અને સર્વ પ્રભુઓ પર રાજ કરનાર પ્રભુ."
\p
\s5
\v 17 પછી મેં એક સ્વર્ગદૂતને સૂર્યના અજવાળામાં ઊભેલો જોયો. તેણે આકાશમાં ઊંચે ઊડનારાં બધાં માંસાહારી પક્ષીઓને મોટેથી બોલાવ્યાં, "આવો અને ઈશ્વરે તમારે માટે ગોઠવેલા મોટા જમણને સારુ એકઠાં થાઓ!
\v 18 આવો અને ઈશ્વરના બધા શત્રુઓ જેઓ મરણ પામ્યા છે તેઓનું માંસ ખાઓ, રાજાઓનું માંસ, તથા સેનાપતિઓ, શૂરવીરો, ઘોડાઓ અને તેના પર સવાર થયેલા સૈનિકો, અને બીજા અન્ય પ્રકારના લોકો, તેઓ સ્વતંત્ર હોય કે દાસ હોય, અગત્યના હોય કે ન હોય તે બધાનું માંસ ખાઓ!"
\s5
\v 19 પછી મેં હિંસક પશુ અને પૃથ્વીના રાજાઓને તેઓનાં સૈન્ય સાથે જોયા; તેઓ ઘોડા પર સવાર થયેલી વ્યક્તિ અને તેના સૈન્યની સામે લડવાને માટે એકઠા થયેલા હતા.
\v 20 સફેદ ઘોડા પર જે સવાર થયેલા હતા તેમણે હિંસક પશુને અને જુઠ્ઠા પ્રબોધકને પકડ્યા. જુઠ્ઠો પ્રબોધક એ છે કે જેણે હિંસક પશુની હાજરીમાં ચમત્કારો કર્યા હતા. તેમ કરવા દ્વારા તેણે જેઓએ પોતાના કપાળ ઉપર હિંસક પશુનું ચિહ્ન ધારણ કર્યું હતું અને તેની મૂર્તિની પૂજા કરી હતી તે લોકોને ભરમાવ્યા હતા. પછી ઈશ્વરે હિંસક પશુને અને જુઠ્ઠા પ્રબોધકને અગ્નિની જે ખાઈ ગંધકથી બળતી હતી, તેમાં જીવતા જ ફેંકી દીધા.
\s5
\v 21 ઘોડા પર સવારી કરનારે બાકીનાં બીજાં સૈન્યોને પોતાની તરવાર કે જે તેમના મોમાંથી નીકળી તેનાથી મારી નાખ્યા. જે લોકોને અને ઘોડાઓને તેમણે મારી નાખ્યા તેઓનું માંસ ખાઈને બધા પક્ષીઓ તૃપ્ત થયાં.
\s5
\c 20
\p
\v 1 પછી મેં એક સ્વર્ગદૂતને પૃથ્વી પર ઊતરતો જોયો. તેની પાસે ઊંડી, અંધારી ખાઈની ચાવી હતી, અને તેના હાથમાં તેણે એક મોટી સાંકળ લીધેલી હતી.
\v 2 તેણે અજગરને પકડ્યો. તે અજગર તો પુરાણો સર્પ, દુષ્ટ એટલે કે શેતાન છે. સ્વર્ગદૂતે તેને સાંકળથી બાંધ્યો. તે સાંકળને એક હજાર વર્ષ સુધી છોડી શકાય તેમ ન હતી.
\v 3 સ્વર્ગદૂતે તેને ઊંડી, અંધારી ખાઈમાં નાખી દીધો, અને કોઈ તેને ખોલી શકે નહીં તે માટે તેને બંધ કરી. એક હજાર વર્ષ પૂરાં ન થાય ત્યાં સુધી, શેતાન વધુ સમય સુધી લોકોના બધા સમૂહોને ભરમાવે નહીં માટે તેણે એ પ્રમાણે કર્યું. તે સમય પછી, શેતાનને થોડા સમય માટે મુક્ત કરવામાં આવશે જેથી ઈશ્વરે જે યોજના કરી છે તે પ્રમાણે તે કરી શકે.
\p
\s5
\v 4 મેં રાજ્યાસનો જોયાં જેના પર લોકો બેઠેલા હતા. ઈશ્વરે તેઓને ન્યાય કરવાનો અધિકાર આપ્યો હતો. મેં બીજા લોકોના આત્માઓને પણ જોયા કે જેઓએ ઈસુ વિશેનું સત્ય જણાવ્યું હતું અને ઈશ્વરનો સંદેશ પ્રગટ કર્યો હતો તે કારણે તેઓના માથાં કાપી નાંખવામાં આવ્યાં હતાં. તેઓ એ લોકો હતા જેઓએ હિંસક પશુ અને તેની મૂર્તિની પૂજા કરવાનો નકાર કર્યો હતો, અને જેઓએ હિંસક પશુના સેવકોને તેમના પર, કે તેમના કપાળ પર કે તેમના હાથ પર હિંસક પશુનું ચિહ્ન લગાવવા દીધું ન હતું. તેઓ સજીવન થયા, અને તેઓએ ખ્રિસ્તની સાથે એક હજાર વર્ષ દરમ્યાન રાજ કર્યું.
\s5
\v 5 ઈશ્વરે મરણ પામેલાઓને સજીવન કર્યા ત્યારે પ્રથમ વાર સજીવન થયા હતા તેઓ એ હતા. બાકી રહેલા વિશ્વાસીઓ જેઓ મરણ પામ્યા હતા તેઓ તે એક હજાર વર્ષ પૂરાં થયાં ત્યાં સુધી સજીવન થયા નહીં.
\v 6 જેઓ આ પ્રથમ વખતમાં સજીવન થયા તેઓનાથી ઈશ્વર પ્રસન્ન થશે. ઈશ્વર તેઓને પવિત્ર ગણશે. તેઓ બીજી વાર મરણ પામશે નહીં. પણ, તેઓ યાજકો થશે કે જેઓ ઈશ્વર અને ખ્રિસ્તની સેવા કરશે, અને તેઓ તે એક હજાર વર્ષ દરમ્યાન ખ્રિસ્તની સાથે રાજ કરશે.
\p
\s5
\v 7 જ્યારે એક હજાર વર્ષ પૂરાં થશે ત્યારે, ઈશ્વર શેતાનને તેની કેદમાંથી મુક્ત કરશે.
\v 8 શેતાન આખી પૃથ્વી પરના બંડખોર લોકજાતિઓને ભરમાવવા માટે બહાર આવશે. આ એ દેશો છે જેઓને હઝકીયેલ પ્રબોધકે ગોગ તથા માગોગ કહ્યા છે. ઈશ્વરના લોકોની વિરુદ્ધ લડવા માટે શેતાન તેઓને એકઠા કરશે. જેઓ ઈશ્વરના લોકોની સામે લડશે તેઓ એટલા બધા હશે કે જેમ કોઈ સમુદ્રના કિનારાની રેતીને ગણી શકે નહીં તેમ, કોઈ તેઓને ગણી શકશે નહીં.
\s5
\v 9 તેઓ આખી પૃથ્વી પર ફરશે અને યરુશાલેમ, કે જેને ઈશ્વર પ્રેમ કરે છે ત્યાં ઈશ્વરના લોકોની છાવણીને ઘેરી લેશે. પછી ઈશ્વર સ્વર્ગમાંથી અગ્નિ નીચે મોકલશે, અને તે તેઓને બાળી નાખશે.
\v 10 શેતાન કે જેણે તે લોકોને ભરમાવ્યા છે તેને ઈશ્વર ગંધકથી સળગતી ખાઈમાં ફેંકી દેશે. તે એ સ્થાન પણ છે જ્યાં ઈશ્વરે હિંસક પશુને અને જૂઠ્ઠા પ્રબોધકને ફેંકી દીધા છે. તેને પરિણામે, તેઓ સતત સદાસર્વકાળ ઘણી પીડા ભોગવશે.
\p
\s5
\v 11 પછી મેં એક મોટું સફેદ રાજ્યાસન જોયું જેના પર ઈશ્વર બેઠેલા હતા. તેઓ એટલા ભયાવહ હતા કે પૃથ્વી અને આકાશ તેમની હજૂરમાંથી સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયાં; હવે તેઓ રહ્યાં નહીં.
\v 12 મેં જોયું કે જે લોકો મરણ પામ્યા હતા તેઓ સજીવન થયા અને રાજ્યાસન આગળ ઊભા રહ્યા. તેઓમાં મહત્વના અને બિનમહત્વના એમ બંને લોકો હતા! લોકોએ જે કર્યું હતું તેની નોંધ જે પુસ્તકોમાં ઈશ્વરે કરેલી હતી તેઓને ખોલવામાં આવ્યાં. બીજું એક પુસ્તક પણ ખોલવામાં આવ્યું, જે જીવનનું પુસ્તક હતું જેમાં ઈશ્વરે એવા લોકોનાં નામ લખેલાં હતાં જેઓની પાસે અનંતજીવન હતું. ઈશ્વરે જેઓ મરણ પામ્યા હતા અને હવે સજીવન થયા હતા તેઓને તેમણે જે કર્યું હતું, અને જેમ તેમણે તે પુસ્તકોમાં નોંધ્યું હતું તે પ્રમાણે ન્યાય કર્યો.
\s5
\v 13 જે લોકોનાં શરીરોને સમુદ્રમાં દફનાવવામાં આવ્યાં હતાં તેઓ ઈશ્વરના રાજ્યાસન આગળ ઊભા રહેવાને માટે સજીવન થયાં. દરેક જેઓને ભૂમિમાં દફનાવવામાં આવ્યા હતા તેઓ પણ રાજ્યાસન આગળ ઊભા રહેવાને માટે સજીવન થયા. ઈશ્વરે તે દરેકનો તેઓએ જે કર્યું હતું તે મુજબ ન્યાય કર્યો.
\v 14 બધા જ અવિશ્વાસીઓ કે જેઓ મરણ પછી જે સ્થાનમાં રાહ જોઈ રહ્યા હતા તેઓને સળગતી ખાઈમાં ફેંકી દેવામાં આવ્યા. સળગતી ખાઈ એ જગ્યા છે જ્યાં લોકો બીજી વાર મરણ પામે છે.
\v 15 જેઓનાં નામ તે પુસ્તકમાં ન હતાં, એટલે જેઓને અનંતજીવન છે તેઓનાં નામ જે પુસ્તકમાં ઈશ્વરે લખેલાં હતાં તેમાં જે લોકોનાં નામ ન હતાં, તેઓને પણ ઈશ્વરે સળગતી ખાઈમાં ફેંકી દીધા.
\s5
\c 21
\p
\v 1 પછી મેં નવું આકાશ અને નવી પૃથ્વી જોયાં. પ્રથમ આકાશ અને પ્રથમ પૃથ્વી જતાં રહ્યાં હતાં, અને સમુદ્રો પણ રહ્યા ન હતા.
\v 2 મેં ઈશ્વરનું પવિત્ર શહેર, જે નવું યરુશાલેમ શહેર હતું તેને જોયું. તે ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરી રહ્યું હતું. જેમ કન્યાને વરને માટે શણગારી હોય તેમ ઈશ્વરે તેને તૈયાર કર્યું હતું અને શણગાર્યું હતું.
\s5
\v 3 પછી મેં ઈશ્વરના રાજ્યાસન પરથી આવતી મોટી વાણી સાંભળી, "આ સાંભળો! હવે ઈશ્વર લોકોની સાથે રહેશે. તેઓ તેમની મધ્યે વાસો કરશે! તેઓ તેમના લોક થશે. ઈશ્વર પોતે તેઓની સાથે હશે, અને તેઓ તેમના ઈશ્વર થશે.
\v 4 હવે તેઓ તેમને દુઃખી રહેવા દેશે નહીં. તેઓ તેમને ફરીથી રુદન કરતા અટકાવશે. તેઓમાંના કોઈ કદી મરણ પામશે નહીં કે શોક કે રુદન કે દુઃખ સહન કરશે નહીં કારણ કે ઈશ્વરે તે બાબતો લઈ લીધી છે અને તેઓ સદાકાળને માટે જતી રહી છે."
\p
\s5
\v 5 પછી, ઈશ્વર જેઓ રાજ્યાસન પર બિરાજમાન છે, તેમણે કહ્યું, "આ સાંભળો! હવે હું સઘળું નવું બનાવું છું!" તેમણે મને કહ્યું: "મેં તને જે બાબતો કહી છે તે લખ કારણ કે તું વિશ્વાસ કરી શકે છે કે તે બાબતો હું અવશ્ય કરીશ".
\v 6 તેમણે મને એ પણ કહ્યું, "મેં આ બધી બાબતો પૂરી કરી છે! સર્વ બાબતોની શરુઆત કરનાર અને સર્વનો અંત લાવનાર હું છું. દરેક જેઓ ઇચ્છે છે તેઓને, હું તે ઝરામાંથી મફત પાણી આપીશ જેના લીધે લોકો સદાકાળ જીવતા રહે.
\s5
\v 7 જેઓ શેતાનને જીતે છે તે બધાને હું આ આપીશ. હું તેઓનો ઈશ્વર થઈશ, અને તેઓ મારાં બાળકો થશે.
\v 8 પણ જેઓ બીકણ છે, જેઓએ મારામાં વિશ્વાસ રાખ્યો નથી, જેઓએ લોકોની હત્યા કરી છે, જેઓએ જાતીય પાપ આચર્યું છે, જાદુક્રિયા કરી છે, મૂર્તિઓની પૂજા કરી છે, અને દરેક જુઠ્ઠા લોકો, એ બધા જ અગ્નિ અને ગંધકથી બળતી ખાઈમાં પીડા ભોગવશે. બીજી વખત મરણ પામવાનો અર્થ આ જ છે."
\p
\s5
\v 9 પછી સાતમાંનો એક સ્વર્ગદૂત કે જેની પાસે દ્રાક્ષારસ ભરેલાં સાત પાત્ર હતાં એટલે કે તે દ્રાક્ષારસ જેણે છેલ્લી સાત પીડા ઉપજાવી, તેણે આવીને મને કહ્યું, "મારી સાથે આવ અને જેમ એક સ્ત્રી પુરુષની સાથે લગ્ન કરે છે તેમ હંમેશને માટે હલવાન સાથે જોડાયા છે તેવા લોકો હું તને બતાવીશ!"
\p
\v 10 પછી ઈશ્વરના આત્માએ મને નિયંત્રિત કર્યો, અને દૂત મને ખૂબ ઊંચા પહાડના શિખર પર લઈ ગયો. તેણે મને ઈશ્વરનું પવિત્ર શહેર, નવું યરુશાલેમ, જે ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરી રહ્યું હતું તે બતાવ્યું.
\s5
\v 11 તે ઈશ્વરની પોતાની પાસેથી આવતા અતિશય તેજથી પ્રકાશતું હતું. શહેર અતિ મૂલ્યવાન યાસપિસ પાષાણના જેવું ચળકતું હતું, અને તે સ્ફટિકના જેવું નિર્મળ હતું.
\v 12 શહેરની ફરતે ખૂબ ઊંચી દીવાલ હતી. દીવાલને બાર દરવાજા હતા. દરેક દરવાજા પાસે સ્વર્ગદૂત હતો. દરવાજા પર ઇઝરાયલનાં બાર કુળોનાં નામ લખેલાં હતાં. દરેક દરવાજાને એક કુળનું નામ આપવામાં આવ્યું હતું.
\v 13 ત્રણ દરવાજા પૂર્વ તરફ, ત્રણ દરવાજા ઉત્તર તરફ, ત્રણ દરવાજા દક્ષિણ તરફ અને ત્રણ દરવાજા પશ્ચિમ તરફ હતા.
\s5
\v 14 શહેરની દીવાલને પાયાના બાર પથ્થર હતા. દરેક પાયાના પથ્થર પર બાર પ્રેરિતો જેઓને હલવાને પસંદ કર્યા હતા તેઓનાં નામ હતાં.
\p
\v 15 જે સ્વર્ગદૂત મારી સાથે બોલતો હતો તેની પાસે માપ લેવા માટે સોનાની લાકડી હતી જેનો ઉપયોગ શહેરને, તેના દરવાજાને, અને તેની દીવાલોને માપવા માટે કરવામાં આવ્યો.
\s5
\v 16 શહેર આકારમાં ચોરસ હતું; તે જેટલું લાંબુ હતું તેટલું જ પહોળું હતું. સ્વર્ગદૂતે તેની લાકડી વડે શહેરને માપી લીધું તે પછી, તેણે નોંધ્યું કે તે બાવીસસો કિલોમીટર લાંબુ હતું, અને તેની પહોળાઈ અને ઊંચાઈ પણ તેની લંબાઈ જેટલી જ હતી.
\v 17 તેણે તેની દીવાલોને માપી અને નોંધ કરી કે તે છાસઠ મીટર જાડી હતી. સામાન્ય રીતે લોકો જે માપનો ઉપયોગ કરે છે તેનો સ્વર્ગદૂતે માપ લેવા માટે ઉપયોગ કર્યો.
\p
\s5
\v 18 શહેરની દીવાલ લીલા પથ્થરથી બનેલી હતી, જેને આપણે યાસપિસ કહીએ છીએ. આખું શહેર શુદ્ધ સોનાથી બનેલું હતું જે સ્વચ્છ કાચના જેવું લાગતું હતું.
\v 19 શહેરના કોટના પાયા મૂલ્યવાન પથ્થરો વડે સુંદર રીતે બનાવવામાં આવ્યા હતા. પાયાનો પહેલો પથ્થર યાસપિસ, પાયાનો બીજો પથ્થર નીલમ, પાયાનો ત્રીજો પથ્થર માણેક, પાયાનો ચોથો પથ્થર લીલમ,
\v 20 પાયાનો પાંચમો પથ્થર અકીક, પાયાનો છઠ્ઠો પથ્થર લાલ, પાયાનો સાતમો પથ્થર તૃણમણી , પાયાનો આઠમો પથ્થર પિરોજ, પાયાનો નવમો પથ્થર પોખરાજ, પાયાનો દસમો પથ્થર લસણિયો, પાયાનો અગિયારમો પથ્થર શનિ, અને પાયાનો બારમો પથ્થર યાકૂત હતો.
\s5
\v 21 શહેરના બાર દરવાજા મોટા મોતીના જેવા હતા. દરેક દરવાજો એક એક મોતીના જેવો હતો. શહેરના રસ્તા શુદ્ધ સોનાના અને પારદર્શક કાચના જેવા લાગતા હતા.
\p
\v 22 શહેરમાં કોઈ ભક્તિસ્થાન હતું નહીં. પ્રભુ ઈશ્વર, જેઓ બધા પર રાજ કરે છે અને હલવાન પોતે, ત્યાં છે, તેથી ત્યાં ભક્તિસ્થાનની જરૂર નથી.
\s5
\v 23 શહેરને પ્રકાશ આપવા માટે સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ કે શહેરને અજવાળું આપવા માટે ઈશ્વર પોતે પ્રકાશ આપશે, અને હલવાન પણ તેનું અજવાળું થશે.
\v 24 લોકજાતિઓ શહેરનું જે અજવાળું તેમના પર પ્રકાશશે તેના વડે જીવશે. પૃથ્વીના રાજાઓ ઈશ્વરને અને હલવાનને માન આપવાને માટે પોતાની સંપત્તિ શહેરમાં લાવશે.
\v 25 શહેરના દરવાજા જેમ બંધ કરવામાં આવે છે તેમ દિવસના અંતે પણ બંધ થશે નહીં કારણ કે ત્યાં રાત પડશે નહીં.
\s5
\v 26 દુનિયાના લોકો પણ તેમની સંપત્તિ શહેરમાં લાવશે.
\v 27 નૈતિક રીતે અશુદ્ધ અને ઈશ્વર જે કામને ધિક્કારપાત્ર ગણે છે તેવાં કામ કરનાર, અને અસત્ય બોલનાર તેઓ શહેરમાં પ્રવેશી શકશે નહીં. માત્ર જે લોકોનાં નામ હલવાનના પુસ્તકમાં, કે જેમાં અનંતજીવન ધારણ કરનારા લોકોનાં નામ છે, તેમાં લખેલા હશે, તેઓ જ ત્યાં હશે.
\s5
\c 22
\p
\v 1 પછી સ્વર્ગદૂતે મને એક નદી બતાવી જેનું પાણી પીવાથી લોકોને સદાકાળનું જીવન પ્રાપ્ત થાય છે. તેનું પાણી સ્ફટિકના જેવું ચળકતું અને સ્વચ્છ હતું. તે નદી જ્યાં ઈશ્વર અને હલવાન બિરાજમાન છે તે રાજ્યાસનમાંથી વહેતી હતી.
\v 2 તે શહેરના મુખ્ય માર્ગની મધ્યમાં થઈને વહેતી હતી. નદીની બન્ને બાજુએ ફળોથી ભરપૂર વૃક્ષો હતાં જેમનાં ફળ લોકોને સર્વકાળનું જીવન આપનાર હતાં. વૃક્ષો પર બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં; દર માસે તેને નવો ફાલ આવતો હતો. પ્રજાઓ તે વૃક્ષોનાં પાંદડાનો ઉપયોગ તેમના ઘા રુઝવવા દવા તરીકે કરતી હતી.
\s5
\v 3 હવે ત્યાં એવું કોઈ કે એવું કંઈ કદી નહીં હોય કે જેને ઈશ્વર શાપ આપે.
\v 4 શહેરમાં ઈશ્વરનું અને હલવાનનું રાજ્યાસન હશે. ત્યાં ઈશ્વરના સેવકો તેમનું ભજન કરશે. તેઓ પ્રત્યક્ષ તેમનું મુખ નિહાળશે અને તેઓના કપાળ પર તેમનું નામ હશે.
\v 5 ત્યાં કદી રાત પડશે નહીં. ઈશ્વરના સેવકોને દીવાની કે સૂર્યના પ્રકાશની જરૂર નહીં પડે કારણ કે પ્રભુ ઈશ્વર તેમનું અજવાળું તેઓ પર પ્રકાશવા દેશે. તે સેવકો સદા સર્વકાળ રાજ્ય કરશે.
\p
\s5
\v 6 સ્વર્ગદૂતે મને કહ્યું: "જે બાબતો ઈશ્વરે તને બતાવી છે તે સાચી છે, અને તેઓ જરૂર તેને અમલમાં લાવશે. પ્રભુ ઈશ્વર કે જેઓ પ્રબોધકોને પ્રેરણા કરે છે તેમણે જે ઘટનાઓ થોડા સમયમાં બનવાની છે તે પોતાના સેવકોને બતાવવા માટે તેમના સ્વર્ગદૂતને મોકલ્યો છે."
\v 7 ઈસુ તેમના લોકોને કહે છે, "સાંભળો! હું જલદી આવી રહ્યો છું; આ પુસ્તકમાં લખેલા સંદેશને જે કોઈ આધીન થાય છે તેને ઈશ્વર ભરપૂર આશીર્વાદ આપશે.
\p
\s5
\v 8 મેં યોહાને જે સાંભળ્યું છે અને દર્શનમાં જોયું છે તે મેં લખ્યું છે. જ્યારે મેં સાંભળ્યું અને જોયું, ત્યારે જે સ્વર્ગદૂતે મને તે બાબતો બતાવી તેનું ભજન કરવા તરત જ હું તેની આગળ નમ્યો.
\v 9 પણ તેણે મને કહ્યું, "મારું ભજન કરીશ નહીં! હું ઈશ્વરનો તારા જેવો જ એક સેવક છું! હું પણ તારા સાથી વિશ્વાસીઓ જેઓ પ્રબોધકો છે અને આ પુસ્તકમાંના વચનોને આધીન થાય છે તેમના જેવો સેવક છું!"
\s5
\v 10 તેણે મને એમ પણ કહ્યું કે, "આ પુસ્તકમાંના ભવિષ્ય વચનોના સંદેશને ગુપ્ત રાખીશ નહીં, કારણ કે તેઓ તે ભવિષ્ય વચનોને ફળીભૂત કરે તે સમય આવી ગયો છે.
\v 11 તે સમય પાસે હોઈને, જેઓ દુષ્ટતાથી વર્તે છે અને તેમ કરવાનું ચાલુ રાખવા ઈચ્છે છે તેઓને તેમ કરવા દે. ઈશ્વર તેઓને જલ્દી બદલો આપશે. જેઓ અન્યાયી છે અને અન્યાય કરવાનું ચાલુ રાખવા ચાહે તો તેઓને તેમ કરવા દે. ઈશ્વર તેઓને જલદી બદલો આપશે. જેઓ ન્યાયીપણે વર્તે છે તેઓએ ન્યાયીપણે વર્તવાનું ચાલુ રાખવું. જેઓ સંપૂર્ણ છે તેઓએ સંપૂર્ણ થવા તરફ આગળ વધવાનું ચાલુ રાખવું."
\p
\s5
\v 12 ઈસુ સર્વ માણસોને કહે છે: "સાંભળો! હું જલદી આવું છું! અને દરેક વ્યક્તિએ જેવું કામ કર્યું હશે તે મુજબ દરેકને હું શિક્ષા કે ઇનામ આપીશ.
\v 13 હું સર્વ બાબતોનો આરંભ કરનાર અને તેઓનો અંત લાવનાર પણ છું. હું સર્વ બાબતોની શરૂઆતમાં હતો અને સર્વ બાબતોના અંતમાં છું.
\s5
\v 14 જેઓ પોતાનાં વસ્ત્ર ધોઈને શુદ્ધ કરે છે તેઓથી ઈશ્વર બહુ પ્રસન્ન થાય છે કેમ કે તેઓ સદા જીવંત રહેવા માટેના જીવનવૃક્ષનું ફળ ખાવા સમર્થ બનશે અને પવિત્ર શહેરના દરવાજામાં પ્રવેશ કરવા સમર્થ થશે.
\v 15 જેઓ અપવિત્ર છે તેઓ બહાર છે. તેઓમાં જાદુક્રિયા કરનારા, વ્યભિચારનું પાપ કરનારા, બીજાઓને મારી નાંખનાર, મૂર્તિપૂજા કરનાર, અને સર્વ અસત્ય આચરનાર અને સતત અસત્ય બોલવામાં આનંદ માનનારાઓનો સમાવેશ થાય છે. તેઓ કદી શહેરમાં પ્રવેશ કરી શકશે નહીં.
\p
\s5
\v 16 મેં ઈસુએ, મારા સ્વર્ગદૂતને મોકલ્યો છે કે તમે જેઓ વિશ્વાસીઓના સમુદાયના છો તેઓને તે જણાવે કે આ સર્વ બાબતો સત્ય છે. જેના આવવા વિષે પ્રબોધકોએ વચન આપ્યું હતું તે દાઉદનું સંતાન હું છું. હું પ્રભાતનો પ્રકાશિત તારો છું."
\p
\s5
\v 17 ઈશ્વરનો આત્મા અને જેઓ ખ્રિસ્તની કન્યા જેવા છે તે ઈશ્વરના લોકો, જે દરેક વિશ્વાસ કરવા માગે છે તેઓને કહે છે, "આવો! જે કોઈ આ સાંભળે છે તેણે પણ વિશ્વાસ કરવા ઈચ્છતા સર્વને કહેવું જોઈએ કે, "આવો!" જેઓ આવવા ચાહે તેઓએ આવવું જોઈએ! જેઓ સાર્વકાલિક જીવન આપનાર પાણી પીવાની ઈચ્છા રાખે છે તેઓએ તેને મફત ભેટ તરીકે પ્રાપ્ત કરવું જોઈએ!"
\s5
\v 18 હું, યોહાન, આ પુસ્તકમાં મેં ભવિષ્યવાણી તરીકે જાહેર કરેલ સંદેશ સાંભળનારને ગંભીરતાપૂર્વક ચેતવણી આપું છું: જો કોઈ આ સંદેશમાં ઉમેરો કરશે તો ઈશ્વર આ પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે તેને શિક્ષા કરશે.
\v 19 જો કોઈ આ પુસ્તકમાં જણાવેલ સંદેશમાંથી કોઈક બાબત રદ્દ કરશે તો, સર્વકાળનું જીવન આપનાર વૃક્ષનું ફળ ખાવાનો અધિકાર ઈશ્વર તેની પાસેથી લઈ લેશે. વળી, ઈશ્વરના શહેરમાં પ્રવેશ કરવાનો વ્યક્તિનો અધિકાર પણ તેઓ લઈ લેશે. આ બન્ને બાબતો આ પુસ્તકમાં વર્ણવવામાં આવી છે.
\p
\s5
\v 20 આ વાતો સત્ય છે એવું કહેનાર ઈસુ જણાવે છે, "નિશ્ચે હું આવું છું!" મેં યોહાને જવાબ આપ્યો, "એમ થાઓ! હે પ્રભુ ઈસુ આવો!"
\p
\v 21 હું પ્રાર્થના કરું છું કે તમે સર્વ જેઓ ઈશ્વરના લોકો છો તેઓ પર આપણા પ્રભુ ઈસુ દયા કરવાનું ચાલુ રાખે. આમેન!

View File

@ -1,5 +1,3 @@
# gu_udb
Gujarati UDB
# Gujarati UDB
STR https://git.door43.org/unfoldingWord/SourceTextRequestForm/issues/218

230
manifest.yaml Normal file
View File

@ -0,0 +1,230 @@
dublin_core:
conformsto: 'rc0.2'
contributor:
- 'Cdr. Thomas Mathew'
- 'Dr. Bobby Chellappan'
- 'Hind Prakash'
- 'Shojo John'
creator: 'Door43 World Missions Community'
description: "An open-licensed translation, intended to provide a 'functional' understanding of the Bible. It increases the translator's understanding of the text by translating theological terms as descriptive phrases."
format: 'text/usfm'
identifier: 'udb'
issued: '2018-11-23'
language:
direction: 'ltr'
identifier: 'gu'
title: ગુજરાતી
modified: '2018-11-23'
publisher: 'Door43'
relation:
- 'gu/tn'
- 'gu/tq'
- 'gu/tw'
- 'gu/ulb'
rights: 'CC BY-SA 4.0'
source:
-
identifier: 'English IDB'
language: 'en'
version: '11'
subject: 'Bible'
title: 'Gujarati Unlocked Dynamic Bible'
type: 'bundle'
version: '11.1'
checking:
checking_entity:
- 'Cdr. Thomas Mathew'
- 'BCS'
checking_level: '3'
projects:
-
title: 'કરિંથીઓને પહેલો પત્ર '
versification: ufw
identifier: 1co
sort: 46
path: ./47-1CO.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'યોહાનનો પહેલો પત્ર '
versification: ufw
identifier: 1jn
sort: 62
path: ./63-1JN.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'પિતરનો પહેલો પત્ર '
versification: ufw
identifier: 1pe
sort: 60
path: ./61-1PE.usfm
categories: [ 'bible-nt' ]
-
title: '1 થેસ્સલોનિકીઓને '
versification: ufw
identifier: 1th
sort: 52
path: ./53-1TH.usfm
categories: [ 'bible-nt' ]
-
title: '1 તિમોથીને '
versification: ufw
identifier: 1ti
sort: 54
path: ./55-1TI.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'કરિંથીઓને બીજો પત્ર '
versification: ufw
identifier: 2co
sort: 47
path: ./48-2CO.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'યોહાનનો બીજો પત્ર '
versification: ufw
identifier: 2jn
sort: 63
path: ./64-2JN.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'પિતરનો બીજો પત્ર '
versification: ufw
identifier: 2pe
sort: 61
path: ./62-2PE.usfm
categories: [ 'bible-nt' ]
-
title: '2 થેસ્સલોનિકીઓને '
versification: ufw
identifier: 2th
sort: 53
path: ./54-2TH.usfm
categories: [ 'bible-nt' ]
-
title: '2 તિમોથીને '
versification: ufw
identifier: 2ti
sort: 55
path: ./56-2TI.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'યોહાનનો ત્રીજો પત્ર '
versification: ufw
identifier: 3jn
sort: 64
path: ./65-3JN.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'પ્રેરિતોનાં ક્રત્યો '
versification: ufw
identifier: act
sort: 44
path: ./45-ACT.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'કલોસીઓને પત્ર '
versification: ufw
identifier: col
sort: 51
path: ./52-COL.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'એફેસીઓને પત્ર '
versification: ufw
identifier: eph
sort: 49
path: ./50-EPH.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'ગલાતીઓને પત્ર '
versification: ufw
identifier: gal
sort: 48
path: ./49-GAL.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'હિબ્રૂઓને પત્ર '
versification: ufw
identifier: heb
sort: 58
path: ./59-HEB.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'યાકૂબનો પત્ર '
versification: ufw
identifier: jas
sort: 59
path: ./60-JAS.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'યોહાન '
versification: ufw
identifier: jhn
sort: 43
path: ./44-JHN.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'યહૂદાનો પત્ર '
versification: ufw
identifier: jud
sort: 65
path: ./66-JUD.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'લૂક '
versification: ufw
identifier: luk
sort: 42
path: ./43-LUK.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'માર્ક '
versification: ufw
identifier: mrk
sort: 41
path: ./42-MRK.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'માથ્થી '
versification: ufw
identifier: mat
sort: 40
path: ./41-MAT.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'ફિલેમોનને પત્ર '
versification: ufw
identifier: phm
sort: 57
path: ./58-PHM.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'ફિલિપીઓને પત્ર '
versification: ufw
identifier: php
sort: 50
path: ./51-PHP.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'પ્રકટીકરણ '
versification: ufw
identifier: rev
sort: 66
path: ./67-REV.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'રોમનોને પત્ર '
versification: ufw
identifier: rom
sort: 45
path: ./46-ROM.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'તિતસનં પત્ર '
versification: ufw
identifier: tit
sort: 56
path: ./57-TIT.usfm
categories: [ 'bible-nt' ]