પિતર વિશ્વાસીઓની સાથે વાત ચાલુ રાખે છે. # એ માટે "એ માટે" શબ્દ અગાઉ જે કહેવામાં આવ્યું હતું તે અંગે વિશ્વાસીઓના પ્રતિભાવ રૂપે શરુ થાય છે. # તમારા પોતાને માટે તમારું તેડું અને પસંદગી ચોક્કસ કરો "તેડું" પ્રભુ દ્વારા લોકોને અપાતા ઉધ્ધારના સામાન્ય આમંત્રણના સંદર્ભમાં છે. "પસંદગી" પ્રભુ દ્વારા પસંદ થયેલા ખાસ લોકો ના સંદર્ભમાં છે. આ બન્ને શબ્દોનો એકસમાન અર્થ છે. (જુઓ: સામ્ય ધરાવનારા શબ્દ) # તમે ઠોકર ખાશો નહિ તમે નૈતિક રીતે કે આત્મિક રીતે નિષ્ફળ જશો નહિ.