પ્રેરિત યોહાને ખ્રિસ્તીઓને આ લખ્યું # કે જે આરંભથી હતા આ વાક્ય "કે જે આરંભથી હતા" ઇસુને ઉદ્દેશે છે, સઘળું બનાવવામાં આવ્યું તે પહેલા તેઓનું અસ્તિત્વ હતું. તમે ભાષાંતર કરી શકો છો કે "અમે તમને જેના વિષે લખીએ છીએ તેઓનું અસ્તિત્વ સઘળા સર્જન પહેલા હતું." # શરૂઆત “સઘળાની શરૂઆત” અથવા “સૃષ્ટિનું સર્જન” # કે જે અમે સાંભળ્યું છે “ કે જે અમે સાંભળ્યું છે” આ વાક્ય ઈસુએ તેઓને જે શીખવ્યું તે છે. આ પ્રમાણે ભાષાંતર કરી શકો કે “તેઓને શિક્ષણ આપતા અમે સાંભળ્યા” # અમે ૧ અને ૨ કલમમાં અમે શબ્દ યોહાન અને જેઓએ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમને ઓળખ્યા હતા તેમને વિષે છે. પરંતુ યોહાન જેમને લખી રહ્યો છે તેમનો સમાવેશ “અમે”માં નથી. (જુઓ વિશિષ્ટ) # કે જે અમે અમારી આંખોએ જોયું, જેની ઈચ્છા અમે રાખી. “અમે પોતે તેમને જોયા” # અને અમારા હાથોએ વ્યવહાર કર્યો. “અમે તેમને અમારા હાથોએ સ્પર્શ કર્યો છે” # જીવનનો શબ્દ તે ઈસુને ઉદ્દેશે છે. તેઓ સર્વને અનંત જીવન આપે છે.” # જીવન દૃશ્યમાન થયું. ઈસુનું પૃથ્વી પર આવવું દર્શાવે છે. તેનું ભાષાંતર “ઈશ્વરે તેમને પૃથ્વી પર મોકલ્યા” થઇ શકે છે. (જુઓ સક્રિય અથવા નિષ્ક્રિય) # અને અમે જોયા છે “અને અમે જોયા” # અને સાક્ષી આપે છે “અને તેઓ વિષે તમને જણાવીએ છીએ” # અનંતજીવન આ વાક્ય પણ ઇસુ વિષે છે કે જેઓ આપણને અનંતજીવન આપે છે. તેનું ભાષાંતર “તેઓ સર્વને અનંત જીવન આપે છે” થઇ શકે છે. # કે જે પિતા પાસે હતા ‘તેઓ ઈશ્વર પિતા પાસે હતા’ અને આપણા જોવામાં આવ્યા પરંતુ તેઓ આપણામાં રહેવા આવ્યા. (યુ ડી બી )