“દહનાર્પણ” ઈશ્વરને અપાતું એક પ્રકારનું બલિદાન હતું કે જેનું વેદી ઉપર અગ્નિ દ્વારા દહન કરવામાં આવતું હતું. તે લોકોના પાપોના પ્રાયશ્ચિત કરવા માટે ચઢાવવામાં આવતું હતું. તેને “અગ્નિ દ્વારા અર્પણ” પણ કહેવામાં આવતું હતું.
* આ અર્પણ માટે સામાન્ય રીતે ઘેટું અને બકરાંનો સમાવેશ થાય છે, પરંતુ બળદો અને પક્ષીઓ પણ વાપરવામાં આવતા હતા.
* ચામડી સિવાય, આખું પ્રાણી આ અર્પણમાં બાળી નાખવામાં આવતું હતું. ત્વચા અથવા પશુનું ચામડું યાજકને આપવામાં આવતું હતું.