diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index 0ed52f9..da517f4 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -1,6 +1,6 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote 2PE front intro mvk9 0 ૨પિતરનો પરિચય

## ભાગ ૧: સાધારણ પરિચય

### ૨ પિતરની રૂપરેખા

૧. પરિચય (૧:૧-૨)
૧. ઈશ્વરીય જીવનો જીવવા સ્મરણ કરાવવું કેમ કે એ પ્રમાણે કરવા ઈશ્વરે આપણને સમર્થ કર્યા છે (૧:૩-૧૫)
૧. પ્રેરિતીય શિક્ષણની યથાર્થતા માટે સ્મરણ કરાવવું (૧:૧૬-૨૧)
૧. ખોટા ઉપદેશકો અંગેની ભવિષ્યવાણી (૨:૧-૩)
૧. ખોટા ઉપદેશકોનું વર્ણન અને જાહેર આરોપ (૨:૧૦બ -૨૨)
૧. ઇસુ નિયુક્ત સમયે આવશે તે અંગે સ્મરણ કરાવવું (૩:૧-૧૩)
૧. ઈશ્વરીય જીવનો જીવવા આખરી શિખામણ (૩:૧૪-૧૭)

### ૨ પિતરનું પુસ્તક કોણે લખ્યું ?

લેખક પોતાની ઓળખાણ સિમોન પિતર તરીકેની આપે છે. સિમોન પિતર એક પ્રેરિત હતો. તેણે ૧ પિતર પુસ્તક પણ લખ્યું. તેના મરણ પહેલાં પિતરે આ પત્ર કદાચ તે રોમની જેલમાં હતો ત્યારે લખ્યું હતું. પિતર આ પત્રને તેનો બીજો પત્ર કહે છે, માટે આપણે તેને ૧ પિતર પછીનાં સમયમાં ગોઠવી શકીએ છીએ. તેના પ્રથમ પત્રની જેમ આ પત્ર પણ તેણે પહેલાનાં જ શ્રોતાઓને લખ્યો હતો. આ શ્રોતાઓ લગભગ સમગ્ર એશિયા માઈનરમાં વિખેરાઈ ગયેલાં ખ્રિસ્તીઓને લખવામાં આવ્યો હતો.

### ૨ પિતરનાં પત્ર કયા વિષયમાં લખવામાં આવ્યું છે ?

પિતરે આ પત્ર વિશ્વાસીઓને ઈશ્વરીય સ્વભાવનાં જીવનો જીવવા માટે પ્રોત્સાહન આપવા લખ્યો હતો. તેણે તેઓને ખોટા ઉપદેશકો કે જેઓ કહી રહ્યા હતા કે ઈસુના આગમનને બહુ મોડું થઇ રહ્યું છે તેઓ વિષે ચેતવણી આપી. તેણે તેઓને કહ્યું કે ઇસુ તેમના આગમન માટે મોડું કરી રહ્યા નથી. તેને બદલે, ઈશ્વર લોકોને પસ્તાવો કરવાનો સમય આપી રહ્યા હતા કે જેથી તેઓનું તારણ થઇ શકે.

### આ પુસ્તકનાં શીર્ષકનો કઈ રીતે અનુવાદ કરવો જોઈએ ?

અનુવાદકો તેને તેના પરંપરાગત નામ “૨ પિતર” કે “બીજો પિતર” કહી શકે છે. અથવા તેઓ એક સ્પષ્ટ શિર્ષકની પણ પસંદગી કરી શકે, જેમ કે, “પિતરનો બીજો પત્ર” અથવા “પિતરે લખેલ બીજો પત્ર.” (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])

## ભાગ ૨: મહત્વનાં ધાર્મિક અને સાંસ્કૃતિક વિષયો

## # કયા લોકોની વિરુધ્ધમાં પિતર બોલ્યો ?

જે લોકોની વિરુધ્ધમાં પિતર બોલ્યો હતો તેઓ એવું બની શકે કે જેઓ જ્ઞાનવાદીઓ તરીકે જાણીતા થયા તેઓ હોય. આ ઉપદેશકો તેઓના પોતાના લાભ માટે શાસ્ત્રના ઉપદેશોનો મારીમચરડીને ખોટો અર્થ કાઢતાં હતા. તેઓ અનૈતિક માર્ગોમાં જીવતા અને તેવું કરવા બીજાઓને પણ ઉપદેશ આપતા.

## # શાસ્ત્રવચનો માટે ઈશ્વરે પ્રેરણા પૂરી પાડીનો શું અર્થ થાય છે ?

શાસ્ત્રનો સિધ્ધાંત અતિશય મહત્વનો છે. ૨ પિતર વાંચકોને સમજવામાં સહાયતા આપે છે કે શાસ્ત્રવચનનાં દરેક લેખકની તેની પોતાની એક આગવી લેખનશૈલી હતી, તોપણ શાસ્ત્રનાં સાચા લેખક તો ઈશ્વર જ છે (૧:૨૦-૨૧).

## ભાગ ૩: અનુવાદમાં અગત્યની સમસ્યાઓ

### “તું”નું એકવચન અને બહુવચન

આ પુસ્તકમાં “હું” શબ્દ પિતરનો ઉલ્લેખ કરે છે. તેની સાથે, “તમને” શબ્દ હંમેશા બહુવચનમાં આવે છે અને તે પિતરનાં શ્રોતાઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]] અને [[rc://gu/ta/man/translate/figs-you]])

### ૨ પિતરનાં પાઠોમાં મુખ્ય સમસ્યાઓ કઈ છે ?

નિમ્નલિખિત કલમો માટે, અમુક પ્રાચીન હસ્તપ્રતો વચ્ચે અંતર જોવા મળે છે. ULT મોટાભાગના જ્ઞાનીઓ જેને સૌથી વધારે અસલ ગણે છે તેઓનું અનુકરણ કરે છે જયારે બીજા લેખોને ટૂંકનોંધમાં નીચેના હાંસિયામાં મૂકે છે. પ્રદેશમાં સૌથી વધારે પ્રચલિત ભાષામાં બાઈબલનો અનુવાદ અસ્તિત્વમાં હોય તો, તે આવૃતિમાં જોવા મળતા બાઈબલનાં લેખનનો અનુવાદકો ઉપયોગ કરવાની ઈચ્છા રાખી શકે. જો તેમ નથી, તો અનુવાદકો ULTનો ઉપયોગ કરે એવી સલાહ આપવામાં આવે છે.
* “ન્યાયકરણ થતાં સુધી નીચેનાં અંધકારની સાંકળોથી બંધનમાં રાખ્યા” (૨:૪). અમુક પ્રાચીન હસ્તપ્રતોમાં “ન્યાયકરણ થતાં સુધી નીચેના અંધકારના ખાડાઓમાં બંધનમાં રાખ્યા.” લખેલ છે.
*તમારી સાથે પ્રેમભોજન કરતી વેળાએ તેઓ તેઓના કપટયુક્ત આચરણોમાં મોજ માણે છે”(૨:૧૩). અમુક હસ્તપ્રતોમાં, “તેઓ પ્રેમભોજનોમાં મોજશોખ કરીને તમારી સાથે ભોજન કરે છે” લખેલ છે.
* “બસોર” (૨:૧૫). અમુક હસ્તપ્રતોમાં વાંચન આ મુજબ છે, “બયોર.”
* “તત્વો અગ્નિથી પીગળી જશે, અને પૃથ્વી તથા તેમાંના કામોને પ્રગટ કરવામાં આવશે” (૩:૧૦). અન્ય હસ્તપ્રતો કહે છે, “તત્વોને અગ્નિથી બાળી નાંખવામાં આવશે, અને પૃથ્વીને તથા તે પરના કામોને બાળી નાખવામાં આવશે.”

(જુઓ: [[rc://gu/ta/man/translate/translate-textvariants]]) -2PE 1 intro wjw5 0 # ૨ પિતર ૧ સાધારણ ટૂંકનોંધ

## માળખું અને રચના

૧. પરિચય (૧:૧-૨)
૨. ઈશ્વરીય જીવનો જીવવા સ્મરણ કરાવવું કેમ કે એ પ્રમાણે કરવા ઈશ્વરે આપણને સમર્થ કર્યા છે (૧:૩-૧૫)
૩. પ્રેરિતીય શિક્ષણની યથાર્થતા માટે સ્મરણ કરાવવું (૧:૧૬-૨૧)

પિતર જેઓને આ પત્ર લખે છે તેઓની આગળ પોતાની ઓળખ આપીને, અને શુભેચ્છા પાઠવીને, તેનું નામ લખતાં [૧:૧-૨](../૦૧/૦૧.md) માં તેના પત્રની શરૂઆત કરે છે. આ જમાનામાં પરંપરાગત રીતે પત્રોની શરૂઆત આ મુજબ જ લોકો વડે કરવામાં આવતી હતી.

# # આ અધ્યાયની વિશેષ સંકલ્પનાઓ

## # ઈશ્વરનું જ્ઞાન

ઈશ્વરનું અનુભવ સાથેનું જ્ઞાન હોવાનો અર્થ થાય છે કે તેમના થઇ જવું કે તેમની સાથે સંબંધ હોવો. અહીં, “જ્ઞાન”નો ભાવાર્થ ઈશ્વર વિષે માનસિક રીતે માહિતી હોવા કરતા વિશેષ અર્થમાં વાતચીત કરવામાં આવી છે. તે વ્યક્તિગત સંબંધનાં જ્ઞાન વિષે વાત કરે છે જેમાં ઈશ્વર વ્યક્તિનું તારણ કરે છે અને તેને કૃપા અને શાંતિ આપે છે. (જુઓ: [[rc://gu/tw/dict/bible/other/know]])

### ઈશ્વરીય જીવનો જીવવા

પિતર ઉપદેશ આપતા જણાવે છે કે ઈશ્વરીય જીવનો જીવવા માટે ઈશ્વરે વિશ્વાસીઓને જરૂરી સઘળા વાનાં આપ્યા છે. તેથી, ઈશ્વરને આધીન રહેવા માટે વિશ્વાસીઓએ તેઓનાથી બનતું સઘળું વધારે ને વધારે કરતા રહેવું જોઈએ. જો વિશ્વાસીઓ આ પ્રમાણે કરવામાં સતત પ્રવૃત્ત રહે છે તો ઇસુ સાથેના તેઓના સંબંધમાં તેઓ વધારે પ્રભાવશાળી અને ફળદાયી થશે. પરંતુ, જો વિશ્વાસીઓ ઈશ્વરીય સ્વભાવ ધરાવનાર જીવનો જીવવામાં પ્રવૃત્ત નહિ રહે તો, તેઓનું તારણ કરવા માટે ખ્રિસ્તની મારફતે ઈશ્વરે જે કર્યું છે તે બાબતોને તેઓ ભૂલી ગયા છે એવું ગણાશે. (જુઓ: [[rc://gu/tw/dict/bible/kt/godly]] અને [[rc://gu/tw/dict/bible/kt/save]])

# # આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત સમસ્યાઓ

## # શાસ્ત્રનું સત્ય

પિતર ઉપદેશ આપતા જણાવે છે કે શાસ્ત્રમાં જોવા મળતી ભવિષ્યવાણીઓ મનુષ્યની બનાવટ નથી. તેઓને બોલનાર કે તેઓને લખનાર મનુષ્યોની આગળ પવિત્ર આત્માએ ઈશ્વરના સંદેશને પ્રગટ કર્યો હતો. અને એ પણ કે, પિતર અને અન્ય પ્રેરિતોએ ઇસુ વિષે લોકોને જે વાર્તાઓ કહી તે તેઓએ ઉપજાવી કાઢેલી વાર્તાઓ નથી. ઈસુએ જે કામો કર્યા અને ઈશ્વરે ઈસુને તેમનો દીકરો કહ્યો તેના તેઓ સાક્ષીઓ રહ્યા હતા. +2PE 1 intro wjw5 0 # ૨ પિતર ૧ સાધારણ ટૂંકનોંધ\n\n## માળખું અને રચના\n\n૧. પરિચય (૧:૧-૨)\n૨. ઈશ્વરીય જીવનો જીવવા સ્મરણ કરાવવું કેમ કે એ પ્રમાણે કરવા ઈશ્વરે આપણને સમર્થ કર્યા છે (૧:૩-૧૫)\n૩. પ્રેરિતીય શિક્ષણની યથાર્થતા માટે સ્મરણ કરાવવું (૧:૧૬-૨૧)\n\n પિતર જેઓને આ પત્ર લખે છે તેઓની આગળ પોતાની ઓળખ આપીને, અને શુભેચ્છા પાઠવીને, તેનું નામ લખતાં [1:1–2](../01/01.md) માં તેના પત્રની શરૂઆત કરે છે. આ જમાનામાં પરંપરાગત રીતે પત્રોની શરૂઆત આ મુજબ જ લોકો વડે કરવામાં આવતી હતી.\n\n# # આ અધ્યાયની વિશેષ સંકલ્પનાઓ\n\n## # ઈશ્વરનું જ્ઞાન\n\nઈશ્વરનું અનુભવ સાથેનું જ્ઞાન હોવાનો અર્થ થાય છે કે તેમના થઇ જવું કે તેમની સાથે સંબંધ હોવો. અહીં, “જ્ઞાન”નો ભાવાર્થ ઈશ્વર વિષે માનસિક રીતે માહિતી હોવા કરતા વિશેષ અર્થમાં વાતચીત કરવામાં આવી છે. તે વ્યક્તિગત સંબંધનાં જ્ઞાન વિષે વાત કરે છે જેમાં ઈશ્વર વ્યક્તિનું તારણ કરે છે અને તેને કૃપા અને શાંતિ આપે છે. (જુઓ: [[rc://gu/tw/dict/bible/other/know]])\n\n### ઈશ્વરીય જીવનો જીવવા\n\nપિતર ઉપદેશ આપતા જણાવે છે કે ઈશ્વરીય જીવનો જીવવા માટે ઈશ્વરે વિશ્વાસીઓને જરૂરી સઘળા વાનાં આપ્યા છે. તેથી, ઈશ્વરને આધીન રહેવા માટે વિશ્વાસીઓએ તેઓનાથી બનતું સઘળું વધારે ને વધારે કરતા રહેવું જોઈએ. જો વિશ્વાસીઓ આ પ્રમાણે કરવામાં સતત પ્રવૃત્ત રહે છે તો ઇસુ સાથેના તેઓના સંબંધમાં તેઓ વધારે પ્રભાવશાળી અને ફળદાયી થશે. પરંતુ, જો વિશ્વાસીઓ ઈશ્વરીય સ્વભાવ ધરાવનાર જીવનો જીવવામાં પ્રવૃત્ત નહિ રહે તો, તેઓનું તારણ કરવા માટે ખ્રિસ્તની મારફતે ઈશ્વરે જે કર્યું છે તે બાબતોને તેઓ ભૂલી ગયા છે એવું ગણાશે. (જુઓ: [[rc://gu/tw/dict/bible/kt/godly]] અને [[rc://gu/tw/dict/bible/kt/save]])\n\n# # આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત સમસ્યાઓ\n\n## # શાસ્ત્રનું સત્ય\n\nપિતર ઉપદેશ આપતા જણાવે છે કે શાસ્ત્રમાં જોવા મળતી ભવિષ્યવાણીઓ મનુષ્યની બનાવટ નથી. તેઓને બોલનાર કે તેઓને લખનાર મનુષ્યોની આગળ પવિત્ર આત્માએ ઈશ્વરના સંદેશને પ્રગટ કર્યો હતો. અને એ પણ કે, પિતર અને અન્ય પ્રેરિતોએ ઇસુ વિષે લોકોને જે વાર્તાઓ કહી તે તેઓએ ઉપજાવી કાઢેલી વાર્તાઓ નથી. ઈસુએ જે કામો કર્યા અને ઈશ્વરે ઈસુને તેમનો દીકરો કહ્યો તેના તેઓ સાક્ષીઓ રહ્યા હતા. 2PE 1 1 n1di figs-123person Σίμων Πέτρος 1 આ સમાજમાં, પત્રના લેખકો સૌથી પહેલા તેઓના નામો આપતા, અને પછી તેઓ પોતાને ત્રીજા પુરુષના સર્વનામમાં સંબોધિત કરતા. જો તે તમારી ભાષામાં ગૂંચવાડો ઉત્પન્ન કરનાર બાબત થતી હોય તો, તમે પ્રથમ પુરુષનો ઉપયોગ કરી શકો છો. પત્રના લેખકનો પરિચય આપવા માટે જો તમારી ભાષામાં કોઈ વિશેષ શૈલી હોય તો તમે તેનો અહીં ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હું, સિમોન પિતર, આ પત્ર લખું છું” કે “સિમોન પિતર તરફથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-123person]]) 2PE 1 1 xf2u translate-names Σίμων Πέτρος 1 **સિમોન પિતર** ઈસુના એક શિષ્ય એવા એક પુરુષનું નામ છે. ૨ પિતરનાં પરિચયનાં ભાગ ૧ માં તેના વિષેની માહિતીને જુઓ. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]]) 2PE 1 1 v381 figs-distinguish δοῦλος καὶ ἀπόστολος Ἰησοῦ Χριστοῦ 1 a servant and apostle of Jesus Christ આ શબ્દસમૂહ સિમોન પિતર વિષે વધુ પરિચય આપે છે. તે તેના વિષે સંબોધન કરતા જણાવે છે કે તે **ઇસુ ખ્રિસ્તનો સેવક** અને ખ્રિસ્તના **પ્રેરિત**તરીકેની પદવી અને અધિકાર પ્રાપ્ત કરેલ વ્યક્તિ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-distinguish]])