diff --git a/tq_2CO.tsv b/tq_2CO.tsv new file mode 100644 index 0000000..5dc9cb6 --- /dev/null +++ b/tq_2CO.tsv @@ -0,0 +1,144 @@ +Reference ID Tags Quote Occurrence Question Response +1:1 krio આ પત્ર કોણે લખ્યો? પાઉલ અને તિમોથીએ આ પત્ર લખ્યો. +1:1 nkj4 આ પત્ર કોને લખવામાં આવ્યો હતો? તે કરિંથમાં જે ઈશ્વરની મંડળી હતી તેને અને આખા અખાયામાંના સર્વ સંતોને લખવામાં આવ્યો હતો +1:3 zfqy પાઉલ કેવી રીતે ઈશ્વરને વર્ણવે છે? પાઉલ ઈશ્વરને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા તરીકે, કરુણાના પિતા તરીકે અને સર્વ દિલાસાના ઈશ્વર તરીકે વર્ણવે છે. +1:4 yoz4 ઈશ્વર કેમ આપણને આપણી વિપત્તિમાં દિલાસો આપે છે? તેઓ આપણને દિલાસો આપે છે કે જેથી ઈશ્વરના જે દિલાસા દ્વારા આપણે દિલાસો પામ્યા છે તેજ દિલાસા દ્વારા જેઓ વિપત્તિમાં હોય તેમને આપણે દિલાસો આપી શકીએ. +1:8-9 khhr પાઉલ અને તેના સાથીઓને આસિયામાં કઈ વિપત્તિ પડી? તે વિપત્તિ તેઓ સહન કરી શકે તે કરતાં ભારે હતી, કે જેથી તેમણે મરવાની અપેક્ષા રાખી હતી. +1:9 cz6y કયા કારણોસર પાઉલ અને તેના સાથીઓને મોતની સજા ફટકારવામાં આવી હતી? મૃત્યુની સજાએ તેમને પોતાના પર ભરોસો રાખવાનું નહિ પણ ઈશ્વર પર ભરોસો રાખતા શીખવ્યું. +1:11 jd06 પાઉલ કઈ રીતે કહી શક્યો કે કરિંથની મંડળી તેને મદદ કરી શકી? પાઉલે કહ્યું કે કરિંથની મંડળીએ તેને તેમની પ્રાર્થનાઓ દ્વારા મદદ કરી. +1:12 yux4 તેને અને તેના સાથીઓને શાના વિષે અભિમાન હતું તે વિષે પાઉલે શું કહે છે? તેમને તેમની પ્રેરકબુધ્ધિ વિષે અભિમાન હતું, જે એ છે જેના વડે તેઓ આ જગતમાં વર્ત્યા હતા-અને ખાસ કરીને કરિંથની મંડળી સાથે-પવિત્રતાથી અને નિષ્કપટ ભાવથી કે જે ઈશ્વર તરફથી આવે છે, સાંસારિક જ્ઞાનથી નહીં પણ ઈશ્વરની કૃપાથી. \r\n\r\n \r\n\n +1:14 ikct પ્રભુ ઈસુના દહાડે શું બનશે તે વિષે પાઉલને કયો દૃઢ વિશ્વાસ હતો? પાઉલને દૃઢ વિશ્વાસ હતો કે તે દિવસે પાઉલ અને તેના સાથીઓ કરિંથના સંતોને માટે અભિમાનનું કારણ બનશે.\n\n +1:15 hzbm કેટલી વાર પાઉલે કરિંથના સંતોની મુલાકાત લેવાની યોજના કરી હતી? તેણે તેમની મુલાકાત લેવાની બે વાર યોજના કરી હતી. +1:22 t3mt શું કારણ છે કે ખ્રિસ્તે આપણાં હૃદયોમાં પવિત્ર આત્મા આપ્યો છે? તેમને આપણને તેઓ પછીથી જે આપવાના છે તેના બાના અથવા ખાતરી તરીકે પવિત્ર આત્મા આપ્યો છે. +1:23 ycfl પાઉલ કેમ કરિંથ આવ્યો નહીં? પાઉલ કરિંથ આવ્યો નહીં કે જેથી તે તેમના પર દયા રાખે. +1:24 ove4 તે અને તિમોથી કરિંથની મંડળી સાથે શું કરી રહ્યા હતા અને શું કરી રહ્યા નહોતા તે વિષે પાઉલ શું કહે છે? પાઉલે કહ્યું કે તેઓ તેમના વિશ્વાસ પર અધિકાર ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા નહોતા, પણ તેઓ કરિંથની મંડળી સાથે તેમના આનંદને માટે કામ કરી રહ્યા હતા. +2:1 tl9b પાઉલ કરિંથની મંડળી પાસે નહીં આવીને તેમને કયા સંજોગોથી દૂર રાખવાનો પ્રયત્ન કરતો હતો? પાઉલ ખેદમાં કરિંથની મંડળી પાસે આવવાનું ટાળતો હતો. +2:3 k6hk પાઉલે જેમ કરિંથની મંડળીને પહેલા જે પત્ર લખ્યો હતો તે રીતે તેણે કેમ લખ્યું? તેણે એ પ્રમાણે લખ્યું હતું કે જેથી જ્યારે તે તેમની પાસે આવે ત્યારે જેઓથી તેને હર્ષ પામવો ઘટે છે તેઓથી તેને ખેદ ના થાય. +2:4 c81q જ્યારે પાઉલે પહેલા કરિંથીઓને લખ્યું, ત્યારે તેના મનની સ્થિતિ કેવી હતી.? તે ઘણી વિપત્તિમાં અને અંત::કરણની વેદનામાં હતો. +2:4 gclm પાઉલે આ પત્ર કરિંથની મંડળીને કેમ લખ્યો? તેણે તેમને લખ્યું કે જેથી તેઓ તેમના પર તેની જે પ્રીતિ હતી તેના વિષે ઊંડાણને જાણે. +2:6-7 xw3l કરિંથના સંતોએ જેને શિક્ષા કરી હતી તેને માટે તેમણે શું કરવું જોઈએ તે વિષે પાઉલે શું કહ્યું? પાઉલે કહ્યું કે તેમણે તે માણસને માફ કરીને તેને દિલાસો આપવો જોઈએ. +2:7 jbk8 પાઉલે કેમ કહ્યું કે કરિંથના સંતોએ જેને શિક્ષા કરી તેને માફ કરીને તેને દિલાસો આપવો જોઈએ? આ એ માટે હતું કે જેથી જેને તેમણે શિક્ષા કરી તે તેના અતિશય ખેદમાં ગરક ના થઈ જાય. +2:9 acyb પાઉલનું કરિંથની મંડળીને લખવાનું બીજું કારણ શું હતું? પાઉલે તેમની પરીક્ષા કરવા અને શું તેઓ સર્વ વાતે આજ્ઞાકારી છે તે શોધી કાઢવા તેમને લખ્યું હતું. +2:11 rono કરિંથની મંડળી માટે એ જાણવું કે જેને તેમણે માફ કર્યો હતો તેને પાઉલ દ્વારા ખ્રિસ્તની સમક્ષ માફ કરવામાં આવ્યો હતો એ કેમ મહત્વનું હતું? આ એટલા માટે હતું કે જેથી શેતાન તેમના પર ફાવી ના જાય. +2:13 cosq જ્યારે પાઉલ ત્રોઆસ ગયો ત્યારે તેના આત્માને કેમ શાંતિ ન હતી? તેના આત્માને શાંતિ ન હતી કારણકે તેને તેનો ભાઈ તિતસ ત્રોઆસમાં મળ્યો નહીં. +2:14-15 h163 ઈશ્વરે પાઉલ અને તેના સાથીઓ મારફતે શું કર્યું? પાઉલ અને તેના સાથીઓ મારફતે ઈશ્વરે ખ્રિસ્તના જ્ઞાનની મધુર સુવાસ સર્વત્ર ફેલાવી. +2:17 x0a7 પાઉલે કેવી રીતે કહ્યું કે તે અને તેના સાથીઓ ઘણા લોકો કરતાં અલગ છે કે જેઓ ઈશ્વરના વચનો લાભ માટે વેચતા હતા? પાઉલ અને તેના સાથીઓ, જેમ ઈશ્વર દ્વારા મોકલવામાં આવ્યા હોય તેમ, શુદ્ધ અંત:કરણથી બોલવામાં, ઈશ્વરની સમક્ષ ખ્રિસ્તમાં બોલવામાં અલગ હતા. +3:2 fzs6 પાઉલ અને તેના સાથીઓ પાસે કયો ભલામણપત્ર હતો? કરિંથમાના સંતો તેમનો ભલામણ પત્ર હતા, જે લોકોના જાણવામાં અને વાંચવામાં આવે છે. +3:4-5 fwm9 પાઉલ અને તેના સાથીઓને ખ્રિસ્તદ્વારા ઈશ્વર પર કયો ભરોસો હતો? તેમનો ભરોસો તેમની પોતાની યોગ્યતા પર નહીં, પણ ઈશ્વરે તેમને આપેલા પુરતાપણા પર હતો. +3:6 q5yd નવા કરારનો કયો પાયો હતો જેના સેવક થવા માટે ઈશ્વરે પાઉલ અને તેના સાથીઓને યોગ્ય કર્યા હતા? નવો કરાર પવિત્ર આત્મા પર આધારિત હતો, જે જીવન આપે છે, અક્ષર નહીં, જે મારી નાંખે છે. +3:7 sbaz ઇઝરાયેલી લોકો પ્રત્યક્ષ રીતે કેમ મૂસાના મુખ જોઈ ના શક્યા? તેઓ તેના મુખના તેજને કારણે કારણે તેના મુખ પર જોઈ શક્યા નહીં, એ તેજ જે ટળી જનારું હતું. +3:9 ov3q દંડાજ્ઞાની ધર્મસંસ્થા કે ન્યાયપણાની ધર્મસંસ્થા આ બંનેમાં કયું ગૌરવમાં અધિક છે,? ન્યાયપણાની ધર્મસંસ્થા ગૌરવમાં અધિક છે. +3:14 t89r ઇઝરાએલના મન કેવી રીતે ખોલી શકાય અને તેમના હૃદય પરથી મુખપટ કઈ રીતે દૂર કરી શકાય? ફક્ત જ્યારે ઈઝરાએલ પ્રભુ ખ્રિસ્ત તરફ ફરે ત્યારેજ તેમના મન ખૂલી શકે અને તે મુખપટ દૂર થઈ શકે. +3:15 zb0n જ્યારે મૂસાનો જૂનો કરાર વાંચવામાં આવે છે ત્યારે ઈઝરાએલના લોકો માટે આજે પણ કઈ સમસ્યા રહેલી છે? તેમની સમસ્યા એ છે કે તેમના મન કઠણ થયા છે અને તેમના હૃદય પર મુખપટ રહેલો છે. +3:16 h66q કઈ રીતે ઈઝરાએલના મન ખોલી શકાય અને તેમના હૃદય પરથી મુખપટ દૂર કરી શકાય? ફક્ત જ્યારે ઈઝરાએલ પ્રભુ ખ્રિસ્ત તરફ વળે ત્યારે તેમના મન ખોલી શકાય અને મુખપટ દૂર કરી શકાય. +3:17 islc પ્રભુના આત્મા સાથે શું હાજર રહેલું છે? જ્યાં પ્રભુનો આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે. +3:18 el3x જેઓ પ્રભુનો મહિમા જુએ છે તેઑ શામાં રૂપાંતર પામે છે? તેઓ એજ મહિમાવાન સ્વરૂપમાં મહિમાના એક તબક્કામાંથી બીજા તબક્કામાં રૂપાંતર પામે છે. +4:1 zdyl પાઉલ અને તેના સાથીઓ કેમ નાહિંમત થયા નહીં? તેમને જે ધર્મસેવા સોંપેલી હતી તેથી અને તેમના પર જે દયા થઈ હતી તેથી તેઓ નાહિંમત થયા નહીં. +4:2 agpr પાઉલ અને તેના સાથીઓએ કઈ રીતો પડતી મૂકી હતી? તેમણે જે શરમભરેલી અને ગુપ્ત રીતો હતી તે પડતી મૂકી હતી. તેઓ કાવતરાથી જીવતા નહોતા અને ઈશ્વરની વાત પ્રગટ કરવામાં ઠગાઇ કરતા નહોતા. +4:2 ksfp કેવી રીતે પાઉલ અને જેઓ તેના જેવા હતા તેમણે ઈશ્વરની આગળ તેમના પોતાના વિષે માણસોના અંત:કરણમાં ખાતરી કરાવી આપી? તેમણે સત્ય પ્રગટ કરીને આ કર્યું. +4:3 wn02 સુવાર્તા કોના માટે ગુપ્ત રખાયેલી છે? તે નાશ પામનારાઓ માટે ગુપ્ત રખાયેલી છે. +4:4 eo9q જેઓ નાશ પામનારા છે તેમના માટે સુવાર્તા કેમ ગુપ્ત રખાયેલી છે? તે ગુપ્ત રખાયેલી છે કારણ કે આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે જેથી સુવાર્તાના પ્રકાશનો ઉદય તેમના પર ના થાય. +4:5 up8p પાઉલ અને તેના સાથીઓ ઈસુ વિષે અને તેમના પોતાના વિષે શું પ્રગટ કરતા હતા? તેઓ ખ્રિસ્ત ઈસુને પ્રભુ તરીકે અને તેમને પોતાને ઈસુના લીધે કરિંથની મંડળીના સેવકો તરીકે પ્રગટ કરતા હતા. +4:7 hiqn આ ખજાનો પાઉલ અને તેના સાથીઓ પાસે કેમ માટીના પાત્રોમાં રહેલો હતો? તેમની પાસે આ ખજાનો માટીના પાત્રોમાં રહેલો હતો કે જેથી તે સ્પષ્ટ થાય કે પરાક્રમની અધિકતા ઈશ્વર તરફથી છે અને તેમના તરફથી નથી. +4:10 x6tq પાઉલ અને તેના સાથીઓ તેમના શરીરમાં ઈસુનું મરણ લઈને કેમ ફરતા હતા? તેઓ તેમના શરીરમાં ઈસુનું મરણ લઈને ફરતા હતા કે જેથી ઈસુનું જીવન પણ તેમના શરીરોમાં જોવામાં આવે. +4:14 uaiv કોને ઉઠાડવામાં આવશે અને જેમણે પ્રભુ ઈસુને ઉઠાડયા તેની સમક્ષ રજૂ કરવામાં આવશે? પાઉલ અને તેના સાથીઓને અને કરિંથમાનાં સંતોને જેમણે પ્રભુ ઈસુને ઉઠાડયા તેમની સમક્ષ લાવવામાં આવશે. +4:15 gi5u ઘણા લોકો મારફત જે કૃપા ફેલાઈ તેના પરિણામે શું થશે? જ્યારે કે ઘણા લોકો મારફત કૃપા પ્રસરે છે, ઈશ્વરના મહિમાને અર્થે આભારસ્તુતિ વિશેષ થશે. +4:16 nnhv પાઉલ અને તેના સાથીઓ માટે નાહિંમત થવાનું કારણ કેમ હતું? તેમની પાસે નાહિંમત થવાનું કારણ હતું કારણ કે, બાહ્ય રીતે, તેઓ ક્ષય પામતા હતા. +4:16-18 f2sj પાઉલ અને તેના સાથીઓ કેમ નાહિંમત થયા નહીં? તેઓ નાહિંમત થયા નહીં કારણકે આંતરિક રીતે તેઓ દરરોજ નવા બની રહ્યા હતા. સાથે સાથે, તેમની ક્ષણિક, જૂજ વિપત્તિ તેમને અનંતકાલિક ભારે મહિમા માટે તૈયાર કરતી હતી જે બધા પરિમાણોથી વધારે છે. છેલ્લે, તેઓ અદ્રશ્ય અનંતકાલિક બાબતોની રાહ જોતા હતા. +5:1 i3tr જો આપણું પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નષ્ટ થાય તો પણ આપણી પાસે શું હશે તે વિષે પાઉલે શું કહ્યું? પાઉલે કહ્યું કે આપણી પાસે ઈશ્વરે રચેલું ઘર છ જે માણસોના હાથે બાંધેલું નહીં, પણ એક અનંતકાલિક ઘર, જે સ્વર્ગમાં છે. +5:4 kz4m જ્યારે આપણે આ તંબુમાં છીએ આપણે નિસાસા નાંખીએ છીએ એવું પાઉલે કેમ કહ્યું? પાઉલે આ કહ્યું કારણ કે જ્યારે આપણે આ તંબુમાં છીએ, આપણે બોજા હેઠળ છીએ અને આપણે વેષ્ટિત થવા ચાહી છીએ કે જેથી મરણ જીવનમાં ગરક થઈ જાય. +5:5 tqpu ઈશ્વરે આપણને જે થવાનું છે તેના બાના તરીકે શું આપ્યું? જે થવાનું છે તેના બાના તરીકે ઈશ્વરે આપણને તેમનો પવિત્રઆત્મા આપ્યો. +5:8 lyor પાઉલને શરીરમાં રહેવું કે પ્રભુ પાસે વાસો કરવો તેમાંથી શું પસંદ છે? પાઉલે કહ્યું, “શરીરથી વિયોગી થવું અને પ્રભુ સાથે વાસો કરવો તે અમને વધારે પસંદ છે.” +5:9 dei6 પાઉલનો ધ્યેય શું હતો? પ્રભુને પ્રસન્ન કરવો એ પાઉલનો ધ્યેય હતો. +5:10 jo62 પાઉલે પ્રભુને પ્રસન્ન કરવાને પોતાનો ધ્યેય કેમ બનાવ્યો? પાઉલે આને તેનો ધ્યેય બનાવ્યો કારણકે આપણે દરેકે શરીરમાં રહીને જે જે ભલું કે ભૂંડું કર્યું હશે, તે પ્રમાણે ફળ પામવાને આપણે ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે. +5:11 xb3x પાઉલ અને તેના સાથીઓ લોકોને કેમ સમજાવતા હતા? તેઓ લોકોને સમજાવતા હતા કારણકે તેઓ દેવનું ભય જાણતા હતા. +5:12 tyx7 પાઉલે કહ્યું કે તેઓ ફરીથી કરિંથીઓ આગળ પોતાના વખાણ કરતા નહોતા. તેઓ શું કરતા હતા? તેઓ કરિંથીઓને તેઓને માટે અભિમાન કરવાનું કારણ આપતા હતા, કે જેથી કરિંથી સંતો પાસે જેઓ હૃદયમાં નહીં પણ બહારનો ડોળ રાખીને અભિમાન કરે છે તેઓને ઉત્તર આપવાનું સાધન હોય. +5:15 tm1r જો ખ્રિસ્ત બધાને માટે મર્યા તો જેઓ જીવે છે તેમણે શું કરવું જોઈએ? તેમણે હવેથી પોતાના માટે જીવવું ના જોઈએ, પણ જે મર્યા અને જે પાછા ઉઠ્યા તેમના માટે જીવવું જોઈએ. +5:16 wb64 સંતોએ હવેથી કોઈને કયા ધોરણથી ઓળખવા ના જોઈએ? સંતોએ કોઈને પણ હવેથી માનવીય ધોરણો પ્રમાણે ઓળખવા ના જોઈએ. +5:17 fjw3 જે કોઈ ખ્રિસ્તમાં છે તેનું શું થાય છે? તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે જતું રહ્યું છે; તે નવું થયું છે. +5:19 epiw જ્યારે ઈશ્વર લોકોનું ખ્રિસ્તની મારફતે પોતાની સાથે સમાધાન કરાવે છે, ઈશ્વર તેમને માટે શું કરે છે? ઈશ્વર તેઓના પાપમય અપરાધ તેઓને લેખે ગણતા નથી, તે તેમને સમાધાનનો સંદેશો સોંપે છે. +5:20 plr8 ખ્રિસ્તના એલચીઓ તરીકે, પાઉલ અને તેના સાથીઓની કરિંથીઓને શું આજીજી હતી? તેમની કરિંથીઓને આજીજી હતી કે ખ્રિસ્તને ખાતર ઈશ્વર સાથે સમાધાન કરો. +5:21 n2e0 ઈશ્વરે કેમ ખ્રિસ્તને આપણા પાપ માટે બલિદાન બનવા દીધા? ઈશ્વરે આમ કર્યું કે જેથી ખ્રિસ્તમાં આપણે ઈશ્વરનું ન્યાયીપણુ બની શકીએ. +6:1 j8xg પાઉલ અને તેના સાથીઓએ કરિંથીઓને શું ના કરવા માટે વિનંતી કરી? તેઓએ કરિંથીઓને ઈશ્વરની કૃપાનો અવરથા અંગીકાર ના કરવા માટે વિનંતી કરી. +6:2 dczo ક્યારે માન્ય કાળ છે? ક્યારે તારણનો દિવસ છે? હાલ જ માન્ય કાળ છે. હાલ જ તારણ નો દિવસ છે. +6:3 kyu3 પાઉલ અને તેના સાથીઓ કોઈને ઠોકર ખાવાનું કારણ કેમ આપતા નહોતા? તેઓ કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નહોતા, કારણ કે તેઓ તેમની સેવામાં દોષ કાઢવામાં આવે તેવું ઇચ્છતા નહોતા. +6:4 e2c5 પાઉલ અને તેના સાથીઓના કાર્યોએ શું સાબિત કર્યું? તેઓના કાર્યોએ સાબિત કર્યું કે તેઓ ઈશ્વરના સેવકો હતા. +6:4-5 q45m કઈ બાબતો છે કે જે પાઉલ અને તેના સાથીઓએ સહન કરી? તેમણે વિપત્તિ, તંગી, સંકટ, કોરડાનો માર, કેદ, દંગાઓ, સખત મહેનત, ઊંઘ વગરની રાતો, અને ભૂખ સહન કર્યા. +6:8 ik7g પાઉલ અને તેના સાથીઓ સાચા હતા છતાંપણ તેમના પર કયા દોષ મૂકવામાં આવ્યા? તેમના પર ઠગ હોવાનો દોષ મૂકવામાં આવ્યો. +6:11 zq4x પાઉલ કરિંથીઓ સાથે કયો વિનિમય કરવા માંગે છે? પાઉલે કહ્યું કે તેનું હૃદય કરિંથી માટે ખુલ્લુ હતુ અને, તેના યોગ્ય બદલામાં, પાઉલ કરિંથના સંતો પાસેથી ઇચ્છતો હતો કે તેમના હૃદય પાઉલ અને તેના સાથીઓ માટે ખુલ્લા થાય. +6:13 hzou પાઉલ કોરીંથીઓ સાથે શું વિનિમય કરવા માંગે છે? પાઉલે કહ્યું કે તેમના હૃદયો કરિંથીઓ માટે ખુલ્લા હતા અને તેના યોગ્ય બદલામાં પાઉલ કરિંથના સંતો પાસેથી ઇચ્છતો હતો કે તેમના હૃદયો પણ પાઉલ અને તેના સાથીઓ માટે ખુલ્લા થાય. +6:14-16 x642 પાઉલ કયા કારણો આપે છે કે કરિંથના સંતોએ અવિશ્વાસીઓ સાથે કેમ અઘટિત સંબંધો ના રાખવા જોઈએ? પાઉલ નીચેના કારણો આપે છે. ન્યાયીપણાને અન્યાયીપણા સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધકારની સાથે શી સંગત હોય? ખ્રિસ્તને બલિયાલની સાથે શો મિલાપ હોય? વિશ્વાસીને અવિશ્વાસી સાથે શો ભાગ હોય? ખ્રિસ્તના મંદિરને મૂર્તિઓ સાથે શો મેળ હોય? +6:17-18 u5ti ઈશ્વર શું કહે છે કે તે જેઓ, “ તેઓમાંથી નીકળી આવશે અને અલગ થશે, અને કોઈ મલિન વસ્તુને અડશે નહીં,” તેઓ માટે શું કરશે? ઈશ્વર કહે છે કે તેઓ તેમનો અંગીકાર કરશે. તે તેમના પિતા થશે અને તેઓ તેમના દીકરાદીકરીઓ થશે. +7:1 yeyh આપણે આપણી જાતને શાનાથી શુધ્ધ રાખવાની છે તે વિષે પાઉલ શું કહે છે? આપણે એ દરેક બાબતોથી આપણી જાતને શુધ્ધ રાખવાની છે કે જે આપણને શરીરમાં અને આત્મામાં અશુધ્ધ કરે છે. +7:2 ax17 કરિંથીઓ પાઉલના પોતાના માટે અને તેના સાથીઓ માટે શું કરે તે વિષે પાઉલ ઇચ્છતો હતો? પાઉલ તેમની પાસેથી ઇચ્છતો હતો કે, “અમારો અંગીકાર કરો!” +7:3-4 kc7w પાઉલ પાસે કરિંથના સંતો માટે ઉત્તેજનના કયા શબ્દો હતા? પાઉલે કરિંથના સંતોને કહ્યું કે તેઓ તેના અને તેમના સાથીઓના હૃદયોમાં, સાથે મરવાને અને સાથે જીવવાને હતા. પાઉલે તેમણે એ પણ કહ્યું કે તેને તેમનામાં બહુ ભરોસો હતો અને તે તેમના માટે અભિમાન કરતો હતો. +7:6-7 uwbv ઈશ્વરે પાઉલ અને તેના સાથીઓને જ્યારે તેઓ મક્દોનિયા આવ્યા અને તેમના પર ચારે બાજુથી વિપત્તિઓ હતી-બહાર લડાઇઓ હતી અને અંદર ઘણી જાતની બીક હતી ત્યારે કયો દિલાસો આપ્યો? ઈશ્વરે તેમને તિતસના આવ્યાથી, તિતસે કરિંથમાનાં સંતો પાસેથી દિલાસાની જે ખબર મેળવી હતી તેનાથી, અને કરિંથીઓની મહાન અભિલાષા, તેમનો શોક અને પાઉલ માટેની તેમની ઝંખનાથી દિલાસો આપ્યો. +7:8-9 esxj પાઉલના પહેલા પત્રએ કરિંથના સંતોમાં શું ઉત્પન્ન કર્યું? કરિંથના સંતોએ પાઉલના પહેલા પત્રના જવાબમાં ખેદનો અનુભવ કર્યો જે પસ્તાવા તરફ લઈ જાય છે. +7:9 ygq7 કરિંથના સંતોમાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થતા ખેદે શું ઉત્પન્ન કર્યું? ખેદ થવાથી તેમનામાં પસ્તાવો ઉત્પન થયો. +7:12 m7z2 પાઉલે કરિંથના સંતોને પહેલો પત્ર કેમ લખ્યો હતો તે વિષે શું કહ્યું? પાઉલે કહ્યું કે તેણે લખ્યું કે જેથી કરિંથના સંતોની પાઉલ અને તેના સાથીઓ માટે જે લાગણી હતી તે ઈશ્વરની આગળ તેમને પ્રગટ થાય. +7:13 k2om તિતસને કેમ આનંદ થયો? તે આનંદિત હતો કારણકે કરિંથના સર્વ સંતોથી તેનો આત્મા વિસામો પામ્યો હતો. +7:15 mitf તિતસની કરિંથના સંતો માટેની મમતા કેમ પુષ્કળ થઈ? તિતસની કરિંથના સંતો માટેની મમતા પુષ્કળ થઈ કારણકે તેને જ્યારે કરિંથના સંતોએ તેનો ભય અને કંપારી સહિત સ્વીકાર કર્યો હતો તેનું સ્મરણ થયું. +8:1 r2ai પાઉલ કરિંથના ભાઈઓ અને બહેનો શું જાણે એવું ઇચ્છતો હતો? પાઉલ ઇચ્છતો હતો કે તેઓ મકદોનિયાની મંડળીઓ પર થયેલી ઈશ્વરની કૃપા વિષે જાણે. +8:2 lrui મકદોનિયાની મંડળીઓએ તેઓની વિપત્તિથી ભારે કસોટી દરમિયાન અને તેઓ ખૂબ જ ગરીબ હતા ત્યારે શું કર્યું? તેઓએ ઉદારતારૂપી સમૃદ્ધિ દર્શાવી. +8:6 nvfq પાઉલે તિતસને શું કરવા વિનંતી કરી? પાઉલે તિતસને કરિંથના સંતોમાં આ ઉદારતાનું કાર્ય સંપૂર્ણ કરવા વિનંતી કરી. +8:7 nsw3 કરિંથના વિશ્વાસીઓ બીજી કઈ બાબતમાં વધ્યા? તેઓ વિશ્વાસમાં, વાકચાતુર્યમાં, જ્ઞાનમાં, ભારે ઉત્કંઠામાં અને પાઉલ માટેના તેમના પ્રેમમાં વધ્યા. +8:12 ek7v શું સારું અને માન્ય છે તે વિષે પાઉલ શું કહે છે? પાઉલ કહે છે કે કરિંથના સંતો માટે તે કામ કરવાની તૈયારી (તીવ્ર ઈચ્છા) એ સારી અને માન્ય છે. +8:13-14 ghbz શું પાઉલ આ કામ કરાવવા માંગતો હતો કે જેથી બીજાઓને આરામ થાય અને કરિંથના સંતોને સંકટ થાય? ના. પાઉલે કહ્યું કે કરિંથીઓની પુષ્કળતા તે સમયે તેઓની (બીજા સંતોની) જરૂરિયાતો પૂરી પાડે, અને જેથી તેમની પુષ્કળતા કરિંથના સંતોની જરૂરિયાતો પૂરી પાડે, કે જેથી સમાનતા થાય. +8:16-17 oufl ઈશ્વરે તિતસના હૃદયમાં પાઉલને કરિંથના સંતો માટે જેવી કાળજી હતી તેવી આતુર કાળજી ઉત્પન્ન કરી પછી તિતસે શું કર્યું? તિતસે પાઉલની વિનંતી સ્વીકારી, અને તેના વિષે ખૂબ આતુર હોવાથી, તે પોતાની ખુશીથી કરિંથના સંતો પાસે આવ્યો. +8:20 pf1h પાઉલે તેના ઉદારતાના કાર્યના સંબંધમાં કઈ બાબતને ટાળવાની સંભાળ લીધી? પાઉલે કોઈને તેના કાર્ય વિશે કોઈને દોષ મૂકવાનું કારણ આપવાનું ટાળવાની સંભાળ લીધી. +8:24 vglq બીજી મંડળીઓ દ્વારા મોકલવામાં આવેલા ભાઈઓના સબંધી કરિંથના સંતોને પાઉલે શું કરવા કહ્યું?\n\n પાઉલે કરિંથની મંડળીને તેમણે તેમનો પ્રેમ બતાવવા કહ્યું અને તે દર્શાવવા કહ્યું કે પાઉલે બીજી મંડળીઓમાં કરિંથની મંડળી વિષે કેમ અભિમાન કર્યું હતું. +9:1 o3wa શાના વિષે પાઉલે કહ્યું કે કરિંથના સંતોને તેના વિષે લખવાની અગત્ય નથી? પાઉલે કહ્યું કે સંતોની સેવા બજાવવા વિષે તેમણે લખવાની અગત્ય નથી. +9:3 bjar પાઉલે ભાઈઓને કરિંથ કેમ મોકલ્યા? પાઉલે ભાઈઓને મોકલ્યા કે જેથી તેનું કરિંથના સંતો વિષેનું અભિમાન વ્યર્થ ના જાય, અને તેથી કરિંથના સંતો, જેમ પાઉલે કહ્યું તેમ, તૈયાર થાય. +9:4-5 tumg પાઉલને ભાઈઓને કરિંથના સંતો પાસે જવાની વિનંતી કરવાની અને કરિંથીઓએ જે દાન આપવાનું વચન આપ્યું હતું તેની વ્યવસ્થા કરવાની અગત્ય કેમ જણાઈ? પાઉલને તેની અગત્ય જણાઈ કે જેથી પાઉલ અને તેના સાથીઓએ શરમાવવું ના પડે રખેને મકદોનિયાના કોઈ માણસો પાઉલ સાથે આવે અને કરિંથીઓને તૈયાર નહીં થયેલા જુએ. પાઉલ ઈચ્છતો હતો કે કરિંથીઓ જાણે કોઈ ઉદારતાથી આપતું હોય તેમ તેમના દાનો સાથે તૈયાર રહે એમ નહીં કે જાણે કે કરિંથીઓને આપવા માટે જબરદસ્તી કરવામાં આવી હોય. +9:6 rbsa તેમના આપવાનો મુખ્ય મુદ્દો કયો છે તે વિષે પાઉલે શું કહે છે? પાઉલ કહે છે કે મુદ્દો આ છે: “જે કૃપણતાથી વાવે છે, તે લણશે પણ કૃપણતાથી; અને જે ઉદારતાથી વાવે છે, તે લણશે પણ ઉદારતાથી.” +9:7 clv5 દરેકે કેવી રીતે આપવાનું છે? દરેકે પોતાના હૃદયમાં ઠરાવ્યું છે તેમ તેણે આપવું-ફરજિયાત નહીં કે જ્યારે તે આપે ત્યારે ખેદથી નહીં. +9:10-11 n3di જે વાવનારને સારું બી તથા ખોરાકને સારું રોટલી પૂરાં પાડે છે તે કરિંથના સંતો માટે શું કરશે? તે તેમનું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તેમના ન્યાયપણાના ફળની વૃધ્ધિ કરશે. તેઓ સર્વ પ્રકારે ધનવાન થશે જેથી તેઓ ઉદાર થાય. +9:13 bh3f કરિંથના સંતોએ કઈ રીતે ઈશ્વરને મહિમાવાન કર્યા? તેઓએ તેમની ખ્રિસ્તની સુવાર્તા પ્રત્યેની કબૂલાતને આધીન થઈને અને તેમના દાનો ની ઉદારતાથી ઈશ્વરને મહિમાવાન કર્યા. +9:14 b12z બીજા સંતો કેમ કરિંથના સંતો માટે પ્રાર્થના કરીને તેઓ પર મમતા રાખતા હતા? તેઓ ઈશ્વરની ઘણી કૃપા જે કરિંથીઓ પર હતી તેને લીધે તેમના પર મમતા રાખતા હતા. +10:2 v5cq પાઉલ કરિંથીઓને શું આજીજી કરે છે? પાઉલ તેમને આજીજી કરે છે કે જ્યારે તે તેમની સાથે હાજર હોય, ત્યારે તેણે નિશ્ચયતાથી હિંમતવાન ના થવું પડે. +10:2 v6f7 પાઉલ કયા પ્રસંગ માટે નિશ્ચયતાથી હિંમતવાન થવાનું વિચારતો હતો? પાઉલે વિચાર્યું કે તેણે નિશ્ચયતાથી હિંમતવાન થવું પડશે જ્યારે તે એવા લોકોનો સામનો કરે જેઓ એવું માનતા હતા કે પાઉલ અને તેના સાથીઓ દેહ પ્રમાણે ચાલતા હતા. +10:4 v4sc જ્યારે પાઉલ અને તેના સાથીઓ લડાઈ કરતા હતા, ત્યારે કયા પ્રકારના હથિયારોનો તેઓ ઉપયોગ કરતા નહોતા? પાઉલ અને તેના સાથીઓ જ્યારે લડાઈ કરતા ત્યારે સાંસારિક હથિયારોનો ઉપયોગ નહોતા કરતા. +10:4 f5m5 પાઉલ જે હથિયારોનો ઉપયોગ કરતો હતો તેમાં શું કરવાનું સામર્થ્ય હતું? જે હથિયારોનો પાઉલ ઉપયોગ કરતો હતો તેમાં કિલ્લાઓને તોડી પાડવાનું ઈશ્વરીય સામર્થ્ય હતું. +10:8 gvuy કયા કારણથી પ્રભુએ પાઉલ અને તેના સાથીઓને અધિકાર આપ્યો હતો? પ્રભુએ પાઉલ અને તેના સાથીઓને અધિકાર આપ્યો જેથી તેઓ કરિંથીઓની ઉન્નતિ કરે અને તેમનો નાશ ના કરે. +10:10 x852 કેટલાક લોકો પાઉલ અને તેના પત્રો વિષે શું કહેતા હતા? કેટલાક લોકો કહેતા હતા કે પાઉલના પત્રો વજનદાર તથા સબળ છે, પણ તે પોતે શરીરે નબળો અને તેનું બોલવું દમ વગરનું છે. +10:11 o9m6 પાઉલે એ લોકોને શું કહ્યું જેઓ એવું વિચારતા હતા કે તે તેના પત્રો જે દર્શાવે છે તેના કરતા રૂબરૂમાં ઘણો અલગ હતો? પાઉલે કહ્યું કે તે દૂર હોવા છતાં પત્રોમાં લખેલી બાબતથી જેવો દેખાય છે તેવો જ તે જ્યારે કરિંથના સંતો સાથે હશે ત્યારે દેખાશે. +10:12 qkvy જેઓ પોતાના વખાણ કરતા હતા છે તેઓ તેમના પોતાનામાં બુદ્ધિ નથી તેવું બતાવવા માટે શું કરતા હતા? તેઓ બતાવતા હતા કે તેઓમાં બુદ્ધિ નથી કારણકે તેઓ પોતાને એકબીજાથી માપતા હતા અને પોતાની એકબીજા સાથે સરખામણી કરતા હતા. +10:13 gpyw પાઉલના અભિમાનની હદ કઈ હતી? પાઉલે કહ્યું કે તેનું અભિમાન જે હદ ઈશ્વરે તેમને ઠરાવી આપી હતી તેમાં જ રહેશે, જે કરિંથીઓ સુધી પહોંચતી હતી. પાઉલે કહ્યું કે તેઓ બીજાઓની મહેનત પર, જે કામ બીજાઓના વિસ્તારમાં થઈ રહ્યું હોય, અભિમાન કરશે નહીં. +10:15-16 afkv પાઉલ ના અભિમાનની ચોક્કસ હદ કઈ હતી? પાઉલે કહ્યું કે તેમનું અભિમાન જે હદ ઈશ્વરે તેમને ઠરાવી આપી હતી તેમાં જ રહેશે, જે કરિંથીઓ સુધી પણ પહોંચતી હતી. પાઉલે કહ્યું કે તેઓ બીજાઓની મહેનત પર, જે કામ બીજાઓના વિસ્તારમાં થઈ રહ્યું હોય, અભિમાન કરશે નહીં. +10:18 vgxf એ કોણ છે જે માન્ય થાય છે? જેના વખાણ પ્રભુ કરે છે તે માન્ય થાય છે. +11:2 qdgp પાઉલને કરિંથના સંતો માટે કેમ ઈશ્વરીય ચિંતા છે? તે તેમના માટે ચિંતાતુર હતો કારણ કે તેણે તેમનો એક પતિની સાથે, તેમને ખ્રિસ્ત માટે પવિત્ર કુમારિકા જેવા રજુ કરવા, વિવાહ કર્યો હતો. +11:3 boci કરિંથના સંતો અંગે પાઉલને કયો ભય હતો? પાઉલને ભય હતો કે તેમના વિચારો ખ્રિસ્ત પ્રત્યેના નિષ્કપટ અને પવિત્ર ભક્તિભાવથી ભટકી જાય. +11:4 dh9x કરિંથના સંતોએ શું સહન કર્યું? તેમણે કોઈને આવતા અને બીજા ખ્રિસ્તને પ્રગટ કરતાં, પાઉલ અને તેના સાથીઓએ જે સુવાર્તા પ્રગટ કરી હતી તેના કરતા જુદી સુવાર્તા પ્રગટ કરતાં સહન કર્યો. +11:7 xbyg પાઉલે કરિંથીઓને કેવી રીતે સુવાર્તા પ્રગટ કરી? પાઉલે કરિંથીઓને સુવાર્તા મફત પ્રગટ કરી. +11:8 zb8y પાઉલે બીજી મંડળીઓને કેવી રીતે “લૂંટી”? તેમણે તેમની પાસેથી નાણાં લઈને તેમને લૂંટયા જેથી તે કરિંથીઓની સેવા બજાવી શકે. +11:13 temx પાઉલ કઈ રીતે એ લોકોને વર્ણવે છે કે જેઑ પાઉલ અને તેના સાથીઓ સાથે તેઓ જે બાબતમાં અભિમાન કરે છે તેમાં તેમના જેવા જ જણાય? પાઉલ આવા લોકોને જુઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, અને ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા તરીકે વર્ણવે છે. +11:14 mzrh શેતાન કોનો વેશ લે છે? શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. +11:16 s9lm પાઉલ કેમ કરિંથના સંતોને તેનો એક મૂર્ખ તરીકે અંગીકાર કરવાનું કહે છે? પાઉલ તેમને તેનો એક મૂર્ખ તરીકે અંગીકાર કરવાનું કહે છે જેથી તે થોડુંએક અભિમાન કરે. +11:19-20 go6f કરિંથના સંતો ખુશીથી કોનું સહન કરે છે તે વિષે પાઉલ શું કહે છે? પાઉલે કહ્યું કે તેઓ મુર્ખોનું, જેઓ તેમને ગુલામ બનાવે, જેઓ તેમને સપડાવે, જેઓ તેમનું સર્વસ્વ ખાઈ જાય, જેઓ પોતાને મોટા મનાવે, અથવા તેમને તેમના મોં પર મારે તેમનું સહન કરશે. +11:22-23 y0t3 પાઉલના એ લોકો સાથે જેઓ પાઉલ સાથે સરખા થવાની ઈચ્છા રાખતા હતા, જેઓ તેની સાથે પોતાની જાતની સરખામણી કરતા જેમાં અભિમાન કરે છે, તે અભિમાન કયા હતા ? પાઉલ અભિમાન કરતો હતો કે તે હિબ્રૂ હતો, એક ઇઝરાએલી હતો, અને જેઑ તેના સરખા થવાની ઈચ્છા રાખતા હતા તેમના જેવો જ તે ઇબ્રાહિમનો વંશજ હતો. પાઉલે કહ્યું કે તે તેઓ હતા તેના કરતા તે વધારે ખ્રિસ્તનો સેવક હતો-તેણે વધારે મહેનત કરી હતી, વધારે વખત કેદખાનામાં પડ્યો હતો. હદબહાર ફટકા ખાધા હતા, વારંવાર મોતના પંજામાં આવ્યો હતો. +11:24-26 r6hw પાઉલે કયા કેટલાક ચોક્કસ જોખમો સહન કર્યા? પાઉલે યહૂદીઓ તરફથી પાંચ વખત ઓગણચાલીસ ફટકા ખાધા. ત્રણ વાર તેણે સોટીઓનો માર ખાધો. એક વાર પથ્થરનો માર ખાધો. ત્રણ વાર તેનું વહાણ ભાંગી ગયું. એક રાત દહાડો તે સમુદ્રમાં પડી રહ્યો. તે નદીઓના, લૂંટારાઓના, તેના પોતાના લોકોના, વિદેશીઓના, જોખમમાં હતો. તે શહેરમાંના, અરણ્યમાંના,સમુદ્રમાના, અને ડોળઘાલુ ભાઈઓના જોખમમાં હતો. +11:29 sbcz પાઉલના મંતવ્ય મુજબ, તેનું હૃદય કઈ બાબતને કારણે બળતું હતું? એક વ્યક્તિ બીજા વ્યક્તિને પાપમાં પાડે તેથી પાઉલનું હૃદય બળતું હતું. +11:30 s4tr જો અભિમાન કરવું પડે તો તે શાના માટે અભિમાન કરશે તે વિષે પાઉલે શું કહ્યું? પાઉલે કહ્યું કે અભિમાન કરવું પડે તો તે જે બાબતમાં નિર્બળ છે તેમાં અભિમાન કરશે. +11:32 xdhi પાઉલને દમસ્કસમાં કયું જોખમ સતાવતું હતું? દમસ્કનો સૂબો પાઉલને પકડવા માટે શહેર પર ચોકી બેસાડતો હતો. +12:1 c7ux પાઉલ હવે કોના વિષે અભિમાન કરવાનો હતો તે વિષે શું કહ્યું? પાઉલે કહ્યું કે તે પ્રભુ તરફથી મળેલા દર્શન અને પ્રકટીકરણ વિષે અભિમાન કરશે. +12:2 pc03 ખ્રિસ્તમાં એક માણસનું ૧૪ વર્ષ પહેલાં શું થયું? તેને ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. +12:6 j4ow પાઉલ કેમ કહે છે કે જો તે અભિમાન કરે તો તે મૂર્ખ ઠરે નહીં? પાઉલે કહ્યું કે તે અભિમાન કરે તો તે મૂર્ખ ઠરે નહીં કારણકે તે સાચું બોલતો હતો. +12:7 qkhc પાઉલને તે અતિશય વડાઈ કરવાથી દૂર રહે માટે શું થયું? પાઉલને તેના દેહમાં, શેતાનના દૂત તરીકે તેને હેરાન કરવા, કાંટો આપવામાં આવ્યો. +12:9 qb1l પાઉલે પ્રભુને તેના દેહમાનોં કાંટો દૂર કરવા માટે વિનંતી કર્યા પછી પ્રભુએ પાઉલને શું કહ્યું? પ્રભુએ પાઉલને કહ્યું, “તારે વાસ્તે મારી કૃપા બસ છે; કેમ કે મારૂ સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે. +12:9 aey9 પાઉલે કેમ કહ્યું કે તેની નિર્બળતા વિષે અભિમાન કરવું વધારે સારું હતું? પાઉલે કહ્યું કે તેની નિર્બળતા વિષે અભિમાન કરવું સારું હતું કે જેથી ખ્રિસ્તનું પરાક્રમ તેનામાં આવી રહે. +12:12 s3fj કરિંથીઓ આગળ પૂરી ધીરજથી શું દર્શાવવામાં આવ્યું હતું? ચિન્હો, અદ્ભુત કૃત્યો, પરાક્રમી કામો, પ્રેરીતના ખરા લક્ષણો તેમની આગળ પૂરી ધીરજથી દર્શાવવામાં આવ્યા હતા. +12:14 wcan પાઉલે કરિંથીઓને કેમ કહ્યું કે તે તેમને ભારરૂપ નહીં થશે? પાઉલે તેમને આ એ દર્શાવવા કહ્યું કે તે તેમનું દ્રવ્ય મેળવવા ઇચ્છતો નહોતો. તે તેમને મેળવવા ઇચ્છતો હતો. +12:15 gfv8 તે ઘણી ખુશીથી કરિંથના સંતો માટે કરશે તે વિષે પાઉલે શું કહ્યું? પાઉલે કહ્યું કે તે ઘણી ખુશીથી તેમના આત્માઓને વાસ્તે તેનું ખર્ચશે અને પોતે ખર્ચાઈ જશે. +12:19 xz62 પાઉલે કયા હેતુથી આ બધી બાબતો કરિંથના સંતોને કહી? પાઉલે આ બધી બાબતો કરિંથના સંતોની ઉન્નતિના માટે કહી. +12:20 ihut જ્યારે તે પાછો કરિંથના સંતો પાસે જશે ત્યારે તેને શું જોવા મળશે તે વિષ પાઉલને શું ભય હતો? પાઉલને ભય હતો કે તેને તેઓમાં ટંટા, અદેખાઈ, અંટસ, તડ, ચાડીચુગલી, કાનફૂસિયા, ગર્વ અને ધાંધળ જોવા મળશે. +12:21 rfkd ઈશ્વર તેને શું કરશે તે વિષે પાઉલ ને શું ભય હતો? પાઉલને ભય હતો કે ઈશ્વર પાઉલને કરિંથના સંતો આગળ નીચું જોવડાવશે. +12:21 tdhb કયા કારણથી પાઉલ વિચારતો હતો કે જે કરિંથના સંતોએ પહેલાં પાપ કર્યા તેમના કારણે તેણે શોક કરવો પડશે? પાઉલને ભય હતો કે તેમણે પહેલાં આચરેલી તેમની અશુદ્ધતા, વ્યભિચાર, અને કામાતુરપણું કર્યા છતાં પસ્તાવો કર્યો નહોતો. +13:1-2 cf6k જે સમયે કરિંથીઓને ૨જો પત્ર લખવામાં આવ્યો ત્યારે પાઉલ કેટલી વખત કરિંથના સંતો પાસે આવી ચૂક્યો હતો? જે સમયે કરિંથીઓને ૨જો પત્ર લખવામાં આવ્યો પાઉલ બે વખત તેમની પાસે આવી ચૂક્યો હતો. +13:3 v2d0 પાઉલે કેમ કહ્યું કે કરિંથના સંતો કે જેમણે પાપ કર્યું હતું અને બીજા બધાને કે જો તે ફરીથી આવશે, તો તે દયા રાખશે નહીં? પાઉલે તેમને આ કહ્યું કારણકે કરિંથના સંતો સાબિતી માંગતા હતા કે ખ્રિસ્ત પાઉલ દ્વારા બોલતા હતા. +13:5 oyi5 કઈ બાબત માટે પાઉલ કરિંથીઓને તેમની પોતાની પરીક્ષા કરવા અને પોતાની જાતને તપાસવા કહે છે? પાઉલે એ જોવા માટે કે તેમનામાં વિશ્વાસ છે તેમને તેમની પરીક્ષા કરવા અને તેમની જાતને ચકાસવા કહ્યું. +13:6 tpme પાઉલને કઈ આશા હતી કે કરિંથના સંતો પાઉલ અને તેના સાથીઓ વિષે શું જાણશે? પાઉલને આશા હતી કે કરિંથના સંતો જાણશે કે તેમને નાપસંદ કરવામાં આવ્યા નહોતા, પણ ઈશ્વર દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. +13:8 x6m8 પાઉલ શું કહે છે કે તે અને તેના સાથીઓ કરી શકતા નહોતા? પાઉલે કહ્યું કે તેઓ સત્યની વિરુદ્ધ કઈં કરી શકતા નહોતા. +13:10 m3b8 જ્યારે પાઉલ કરિંથના સંતોથી દૂર હતો તે દરમિયાન તેણે તેમને આ બાબતો કેમ લખી? પાઉલે આ બાબતો લખી કે જેથી તે જ્યારે તેમની સાથે હાજર હોય, તે સખતાઈથી ના વર્તે. +13:10 qgbu પાઉલ તેને પ્રભુ તરફથી મળેલો અધિકાર કરિંથના સંતોના સંદર્ભમાં કઈ રીતે વાપરવા માંગતો હતો. પાઉલ કરિંથના સંતોની ઉન્નતિને માટે તેનો અધિકાર વાપરવા માંગતો હતો અને તેમનો નાશ કરવા માટે નહીં. +13:11-12 qz8o સારાંશમાં, પાઉલ કરિંથીઓ શું કરે તેમ ઇચ્છતો હતો? પાઉલ ઇચ્છતો હતો કે તેઓ આનંદ કરે, સંપૂર્ણ થાય, એક દિલના થાય, શાંતિમાં રહે અને પવિત્ર ચુંબન કરીને એક બીજાને સલામ કરે. +13:14 jbtv પાઉલ શું ઈચ્છતો હતો કે તે કરિંથના સંતોની સાથે હોય? પાઊલ ઈચ્છતો હતા કે તેઓ બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વરનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત મળે. diff --git a/tq_MRK.tsv b/tq_MRK.tsv new file mode 100644 index 0000000..b5cb869 --- /dev/null +++ b/tq_MRK.tsv @@ -0,0 +1,315 @@ +Reference ID Tags Quote Occurrence Question Response +1:2-3 a4zc પ્રભુના આવવા અગાઉ જે બનશે તેની યશાયા પ્રબોધકે શું ભવિષ્યવાણી કરી હતી? યશાયાએ અગાઉથી કહ્યું હતું કે ઈશ્વર પ્રભુનો માર્ગ તૈયાર કરવા માટે અરણ્યમાં પોકારનાર વાણી તરીકે એક સંદેશવાહકને મોકલશે. +1:4 g2v6 યોહાન શું બોધ કરવા આવ્યો હતો? યોહાન પાપોની માફીને માટે પસ્તાવાના બાપ્તિસ્માનો બોધ કરવા આવ્યો હતો. +1:5 kdd7 જ્યારે લોકો યોહાનથી બાપ્તિસ્મા પામ્યા ત્યારે તેમણે શું કર્યું? જ્યારે લોકો યોહાનથી બાપ્તિસ્મા પામ્યા ત્યારે તેમણે તેમના પાપો કબૂલ કર્યા. +1:6 zlqi યોહાન શું ખાતો હતો? યોહાન તીડો અને રાની મધ ખાતો હતો. +1:8 yakl યોહાને શું કહ્યું કે જે આવનાર છે તે શાના વડે બાપ્તિસ્મા કરશે? યોહાને કહ્યું કે તેની પાછળ આવનાર પવિત્ર આત્મા વડે બાપ્તિસ્મા કરશે +1:10 y6fa યોહાન દ્વારા બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ જ્યારે પાણીમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે શું જોયું? બાપ્તિસ્મા પામ્યા પછી, ઈસુએ આકાશ ઊઘડેલું અને પવિત્ર આત્માને કબૂતરની પેઠે પોતાના પર આવતા જોયા. +1:11 f2a4 ઈસુએ બાપ્તિસ્મા પામ્યા પછી આકાશમાથી થયેલી વાણીએ શું કહ્યું? આકાશમાંથી થયેલી વાણીએ કહ્યું, “તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું. +1:12 ahm3 ઈસુને અરણ્યમાં કોણ લઈ જાય છે? પવિત્ર આત્મા ઈસુને અરણ્યમાં લઈ જાય છે. +1:13 ex5p ઈસુ અરણ્યમાં કેટલા દિવસ હતા, ત્યાં તેમની સાથે શું થયું? ઈસુ અરણ્યમાં ૪૦ દિવસ હતા, અને શેતાનથી તેમનું પરીક્ષણ થયું. +1:15 kyxp ઈસુએ શું પ્રચાર કર્યો? ઈસુએ પ્રગટ કર્યું કે ઈશ્વરનું રાજ્ય નજદીક છે, અને લોકોએ પસ્તાવો કરવો જોઈએ અને સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ. +1:16 yzo9 સિમોન અને આન્દ્રિયાનો વ્યવસાય શો હતો? સિમોન અને આન્દ્રિયા માછીમાર હતા. +1:17 r3ba ઈસુએ સિમોન અને આન્દ્રિયાને શું બનાવશે તે વિષે શું કહ્યું? ઈસુએ કહ્યું કે તેઓ સિમોન અને આન્દ્રિયાને માણસોને પકડનારા બનાવશે. +1:19 foqj યાકુબ અને યોહાનનો વ્યવસાય શો હતો? યાકુબ અને યોહાન માછીમાર હતા. +1:22 lq6y ઈસુના શિક્ષણે કેમ સભાસ્થાનમાં રહેલા લોકોને અચરત કરી દીધા? ઈસુના શિક્ષણે લોકોને અચરત કરી દીધા કારણકે ઈસુ જાણે તેમની પાસે અધિકાર હોય તેમ બોલતા હતા +1:24 rtx4 સભાસ્થાનમાં રહેલા અશુધ્ધ આત્માએ ઈસુને કયું નામ આપ્યું? સભાસ્થાનમાં રહેલા અશુધ્ધ આત્માએ ઈસુને દેવનો પવિત્ર એ નામ આપ્યું. +1:28 dn9o ઈસુ વિશેના સમાચારની કેવી અસર થઇ? ઈસુની કિર્તિ દરેક જગ્યાએ ફેલાઈ ગઈ. +1:30 ii0v જ્યારે તેઓ સિમોનના ઘરમાં ગયા ત્યારે ઈસુએ કોને સાજાપણું આપ્યું? જ્યારે તેઓ સિમોનના ઘરમાં ગયા ત્યારે ઈસુએ સિમોનની સાસુને સાજાપણું આપ્યું. +1:32-34 ywmc જ્યારે સાંજ પડી ત્યારે શું બન્યું? જ્યારે સાંજ પડી ત્યારે લોકો જેઓ માંદા હતા અથવા અશુધ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને લઈ આવ્યા અને ઈસુએ તેમને સાજા કર્યા. +1:35 i2xa પોહ ફાટતાં પહેલા ઈસુએ શું કર્યું? પોહ ફાટતાં પહેલા ઈસુ બહાર એકાંત જગ્યાએ ગયા અને ત્યાં તેમને પ્રાર્થના કરી. +1:38-39 y32l ઈસુ કેમ આવ્યા છે તે વિષે સિમોનને શું કહ્યું? ઈસુએ કહ્યું કે તે પાસેના ગામોમાં સુવાર્તા પ્રગટ કરવા આવ્યા છે. +1:40-41 xyj3 જે કોઢિયાએ ઈસુ પાસે સાજા થવા માટે વિનંતી કરી તેના પ્રત્યે ઈસુનું વલણ કેવું હતું? ઈસુને તે કોઢિયા પર દયા આવી અને તેમણે તેને સાજો કર્યો. +1:44 dzi8 ઈસુએ કોઢિયાને શું કરવા કહ્યું, અને કેમ? ઈસુએ કોઢિયાને જઈને મૂસાના કહ્યા પ્રમાણે બલિદાન કરવાનું કહ્યું. તે લોકોની આગળ એ વાતની સાક્ષી પુરશે કે તેને સાજો કરવામાં આવ્યો છે. +2:4 zvpg જે ચાર માણસો પક્ષઘાતીને ઊંચકીએ લાવ્યા હતા તેમણે શું કર્યું? આ માણસોએ મકાનનું છાપરું ઉકેલ્યું અને પક્ષઘાતી માણસને ઈસુની પાસે ઉતાર્યો. +2:5 efne ઈસુએ પક્ષઘાતી માણસને શું કહ્યું? ઈસુએ કહ્યું, “દીકરા, તારા પાપ માફ થયા છે”. +2:6-7 k9lq ઈસુએ જે કહ્યું તેનો કેટલાક શાસ્ત્રીઓએ કેમ વિરોધ કર્યો? કેટલાક શાસ્ત્રીઓએ પોતાના મનમાં વિચાર કરીને કહ્યું કે ઈસુએ દુર્ભાષણ કર્યું કારણકે ફક્ત ઈશ્વર જ પાપની માફી આપી શકે. +2:10-12 v3ys ઈસુએ કઈ રીતે દર્શાવ્યું કે તેમને આ પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે? ઈસુએ પક્ષઘાતી માણસને તેનું બિછાનું ઊંચકીને તેના ઘરે જવા કહ્યું, અને તે માણસે તેમ કર્યું. +2:13-14 llaq જ્યારે ઈસુએ લેવીને તેમની પાછળ ચાલવા કહ્યું ત્યારે લેવી શું કરતો હતો? જ્યારે ઈસુએ લેવીને બોલાવ્યો ત્યારે તે દાણની ચોકી પર બેઠેલો હતો. +2:15-16 c07h લેવીના ઘરે ઈસુ શું કરતા હતા જેનાથી ફરોશીઓને ઠોકર લાગી? ઈસુ પાપીઓ અને દાણીઓ સાથે જમતા હતા. +2:17 zqw0 ઈસુએ કોને તેડવા આવ્યા હતા તે વિષે શું કહ્યું? ઈસુએ કહ્યું કે તે પાપીઓને તેડવા આવ્યા હતા. +2:18 p9ln કેટલાક લોકોએ ઈસુને ઉપવાસ વિષે કયા પ્રશ્નો પૂછ્યા? તેમણે ઈસુને પૂછ્યું કે યોહાનના શિષ્યો અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે ત્યારે તેમના શિષ્યો કેમ ઉપવાસ કરતા નથી? +2:19 w6go ઈસુએ કઈ રીતે સમજાવ્યું કે તેમના શિષ્યો કેમ ઉપવાસ કરતા નથી? ઈસુએ કહ્યું કે જ્યાં સુધી વર જાનૈયાઓની સાથે છે તેઓ ઉપવાસ કરી શકતા નથી. +2:23-24 ej7h ઈસુના શિષ્યોએ વિશ્રામવારે અમુક ખેતરોમાં જઈને શું કર્યું જેથી ફરોશીઓ નારાજ થયા? ઈસુના શિષ્યોએ વિશ્રામવારે દાણાના કણસલા તોડ્યા અને તેમને ખાધા. +2:25-26 iwe2 ઈસુએ કોઈનું કયું ઉદાહરણ આપ્યું કે જેમને જરૂર હતી અને જે રોટલી તેમને ખાવાની મનાઈ હતી તે તેમણે ખાધી? ઈસુએ દાઉદનું ઉદાહરણ આપ્યું કે જેને જરૂર હતી એટલે, અર્પિત રોટલી ખાધી, જે સામાન્ય રીતે યાજકો માટે રાખવામા આવતી હતી. +2:27 m19r ઈસુએ વિશ્રામવાર કોના માટે બનાવવામાં આવ્યો હતો તે વિષે શું કહ્યું? ઈસુએ કહ્યું કે વિશ્રામવાર માણસોના માટે બનાવવામાં આવ્યો હતો. +2:28 ak51 ઈસુએ પોતાના માટે કયા અધિકારનો દાવો કર્યો? ઈસુએ કહ્યું કે તેઓ વિશ્રામવારના પણ પ્રભુ છે. +3:1-2 o82f તેઓએ ઈસુ પર સભાસ્થાનમાં વિશ્રામવારે કેમ નજર રાખી? તેઓએ ઈસુ પર એ જોવા માટે નજર રાખી કે શું તેઓ વિશ્રામવારે કોઈએ સાજા કરે છે, જેથી તેઓ તેમણે દોષિત ઠરાવી શકે. +3:4 dk1g ઈસુએ લોકોને વિશ્રામવાર વિષે શું પ્રશ્ન પૂછ્યો? ઈસુએ લોકોને પ્રશ્ન પૂછ્યો કે વિશ્રામવારે સારું કરવું કે માઠું કરવું ઉચિત છે કે નહિ. +3:4 p1z9 ઈસુના પ્રશ્નનો લોકોએ શું પ્રતિભાવ આપ્યો? લોકો શાંત રહ્યા. +3:5 mrbj ઈસુનું ત્યાર પછી તેમના પ્રત્યે શું વલણ હતું? ઈસુ તેમના પર ગુસ્સે થયા. +3:6 acwq જ્યારે ઈસુએ તે માણસને સાજો કર્યો ત્યારે ફરોશીઓએ શું કર્યું? ફરોશીઓ બહાર ગયા અને ઈસુને મારી નાંખવાની યોજના કરી. +3:7-8 b2bk ઈસુ જ્યારે સમુદ્ર પાસે ગયા ત્યારે કેટલા લોકો તેમની પાછળ ગયા? એક મોટું ટોળું તેમની પાછળ ગયું. +3:11 tke0 જ્યારે અશુદ્ધ આત્માઓએ ઈસુને જોયા ત્યારે તેમણે શું બૂમ પાડી? અશુધ્ધ આત્માઓએ બૂમ પાડી કે ઈસુ ઈશ્વરના દીકરા છે. +3:14-15 e2s0 ઈસુએ કેટલા માણસોને પ્રેરિત તરીકે નિમ્યા? તેમણે શું કરવાનું હતું? ઈસુએ ૧૨ પ્રેરીતો નિમ્યા જેમણે તેમની સાથે રહેવાનુ હતું, ઉપદેશ કરવાનો હતો અને અધિકાર પામીને ભૂતોને કાઢવાના હતા. +3:19 raj7 એ કયો પ્રેરિત હતો જે ઈસુને પરસ્વાધીન કરવાનો હતો? જે પ્રેરિત ઈસુને પરસ્વાધીન કરવાનો હતો તે યહુદા ઈશ્કરિયોત હતો. +3:21 rh8o ઈસુના કુટુંબે ટોળાં વિષે અને ઈસુની આસપાસના બનાવો વિષે શું વિચાર્યું? ઈસુના કુટુંબે વિચાર્યું કે તે ઘેલા છે. +3:22 xmhs શાસ્ત્રીઓએ ઈસુ પર કયું તહોમત મૂક્યું? શાસ્ત્રીઓએ ઈસુ પર તહોમત મૂક્યું કે ઈસુ ભૂતોના સરદારની મદદથી ભૂતોને કાઢે છે. +3:23-24 ob9v શાસ્ત્રીઓના તહોમત માટે ઈસુનો ઉત્તર કયો હતો? ઈસુએ જવાબ આપ્યો કે કોઈ રાજ્ય જેમાં માંહોમાંહે ફૂટ પડી હોય તે સ્થિર રહી શકતું નથી. +3:28-29 txqb ઈસુએ કયા પાપની માફી મળતી નથી તે વિષે શું કહ્યું? ઈસુએ કહ્યું કે પવિત્ર આત્મા વિરુધ્ધના પાપની માફી મળતી નથી. +3:33-35 xtjn ઈસુએ કોના માટે કહ્યું કે તે તેમની માતા અને તેમના ભાઈઓ છે? ઈસુએ કહ્યું કે તેમની માતા અને તેમના ભાઈઓ એ લોકો છે કે જેઓ ઈશ્વરની ઈચ્છા પૂરી કરે છે. +4:1 bki3 ઈસુ શિક્ષણ આપવા હોડીમાં કેમ ચઢ્યા? ઈસુ હોડીમાં બેસવા અને શીખવવા માટે ચઢ્યા કારણકે તેમની આસપાસ એક મોટું ટોળું એકઠું થયું હતું. +4:4 wzuu રસ્તા પર પડેલા બીજનું શું થયું? પક્ષીઓ આવ્યા અને તેમને ખાઈ ગયા. +4:6 wyhf જ્યારે સૂર્ય ઊગ્યો ત્યારે પથ્થરવાળી જમીન પર પડેલા બીનું શું થયું? તેઓ ચીમળાઈ ગયા કારણકે તેમને જડ ન હતી. +4:7 b6ma કાંટાના જાળાંમાં વાવેલા બીનું શું થયું? કાંટાના જાળાંએ તેમને દાબી નાંખ્યા. +4:8 ivy4 સારી જમીન પર પડેલા બીનું શું થયું? જે વાવવામાં આવ્યું હતું તેનું ૩૦ ગણું, ૬૦ ગણું, અને ૧૦૦ ગણું ફળ આપીને, બી એ અનાજ ઉગાડ્યું. +4:11 o0ss ઈસુએ બાર શિષ્યોને શું આપવામાં આવ્યું છે, અને બહારના લોકોને આપવામાં આવ્યું નથી તે વિષે શું કહ્યું? ઈસુએ કહ્યું કે ઈશ્વરના રાજ્યનો મર્મ તે બાર શિષ્યોને આપવામાં આવ્યો છે, પણ જેઓ બહારના છે તેમને આપવામાં આવ્યો નથી. +4:14 pskj ઈસુના દ્રષ્ટાંતમાં, બી શું છે? બી ઈશ્વરનું વચન છે. +4:15 t1r5 રસ્તા પર પડેલા બી શું દર્શાવે છે? તે એ લોકો દર્શાવે છે જે વચન સાંભળે છે, પણ તરતજ શેતાન તે લઈ જાય છે. +4:16-17 zy18 પથ્થરવાળી જમીન પર વવાયેલા બી શું દર્શાવે છે? તે એ લોકો દર્શાવે છે કે જે વચનને હર્ષથી માની લે છે પણ જ્યારે સતાવણી આવે છે ત્યારે તેઓ ઠોકર ખાય છે. +4:18-19 alo5 કાંટાના જાળાંમાં વવાયેલા બી શું દર્શાવે છે? તે એ લોકો દર્શાવે છે જે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતાઓ વચનને દાબી નાંખે છે. +4:20 lhwr સારી જમીનમાં વવાયેલા બી શું દર્શાવે છે? તે એ લોકો દર્શાવે છે જેઓ વચન સાંભળે છે, તેને ગ્રહણ કરે છે, અને ફળ આપે છે. +4:22 c1ey ઈસુએ શું કહ્યું કે છાની અને ગુપ્ત રાખેલી બાબતોનું શું થશે? ઈસુએ કહ્યું કે છાની અને ગુપ્ત રાખેલી બાબતોને પ્રકાશમાં લાવવામાં આવશે. +4:26-27 fteq કઈ રીતે ઈશ્વરનું રાજ્ય એક માણસના જેવુ છે જે જમીનમાં બી વાવે છે? માણસ બી વાવે છે, અને તે ઊગે છે, પણ કઈ રીતે તે તે જાણતો નથી, પછી જ્યારે ફસલ પાકે છે તે એકઠી કરે છે. +4:30-32 tzc2 કઈ રીતે ઈશ્વરનું રાજ્ય એક રાઈના બી જેવું છે? રાઈનું બી નાનામાં નાના બી તરીકે શરૂઆત કરે છે, છતાં તે મોટા વૃક્ષ જેટલું વધે છે જ્યાં ઘણા તેમના માળા બનાવે છે. +4:35-37 tojt જ્યારે શિષ્યો અને ઈસુ સરોવર પસાર કરતા હતા ત્યારે શું બન્યું? મોટું તોફાન શરૂ થયું, હોડી પાણીથી ભરાઈ ગઈ ત્યારે તેઓને ડર લાગવા લાગ્યો. +4:38 j9v3 આ સમયે ઈસુ હોડીમાં શું કરતા હતા? ઈસુ ઊંઘતા હતા. +4:38 vu2b શિષ્યોએ ઈસુને કયો પ્રશ્ન પૂછ્યો? શિષ્યોએ ઈસુને પૂછ્યું કે તેઓ નાશ પામે છે તેની શું તેમને ચિંતા છે. +4:39 vehj ઈસુએ પછી શું કર્યું? ઈસુએ પવનને ધમકાવ્યો અને સમુદ્રને શાંત પાડ્યો. +4:41 fkpr ઈસુએ આ કર્યા પછી, શિષ્યોનો પ્રતિભાવ શું હતો? શિષ્યો બહુ બિધા અને વિચારવા લાગ્યા કે ઈસુ કોણ છે, કે પવન અને સમુદ્ર તેનું માને છે. +5:1-2 f3h1 ઈસુ ગેરસાનીઓના દેશમાં આવ્યા ત્યારે તેમને કોણ મળ્યું? અશુધ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો. +5:4 pvch જ્યારે લોકોએ આ માણસને સાંકળોથી બાંધવાનો પ્રયત્ન કર્યો ત્યારે શું થયું? જ્યારે લોકોએ આ માણસને સાંકળોથી બાંધવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે સાંકળો તોડી નાંખી. +5:7 s4bf અશુધ્ધ આત્માએ ઈસુને શું નામ આપ્યું? અશુદ્ધ આત્માએ ઈસુને પરાત્પર ઈશ્વરના દીકરા નામ આપ્યું. +5:8 s0ay તે માણસમાં રહેલા અશુદ્ધ આત્માને ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું, “અરે, અશુધ્ધ આત્મા, તું એ માણસમાંથી નિકળ.” +5:9 yw86 અશુદ્ધ આત્માનું નામ શું હતું? અશુદ્ધ આત્માનું નામ સેના હતું, કારણ કે તેઓ ઘણા હતા. +5:13 jvth ઈસુએ તે માણસમાંથી અશુદ્ધ આત્મા કાઢ્યા પછી શું બન્યું? આત્માઓ બહાર આવ્યા અને એક ભૂંડોના ટોળાંમાં પ્રવેશ્યા, જે ટેકરી પરથી નીચે દોડ્યું અને સમુદ્રમાં ડૂબી મર્યું. +5:15 ist0 અશુદ્ધ આત્માને બહાર કાઢ્યા પછી, તે માણસની સ્થિતિ કેવી હતી? તે માણસ ઈસુ પાસે, વસ્ત્ર પહેરેલો અને શુધ્ધિમા આવીને બેઠો હતો. +5:17 mpj9 તે વિસ્તારના લોકોએ ઈસુને શું કરવા કહ્યું. તે વિસ્તારના લોકોએ ઈસુને તે વિસ્તાર છોડી દેવા કહ્યું. +5:19 w96x જે માણસ કબરોમાં રહેતો હતો તેને ઈસુએ હવે શું કરવા કહ્યું? ઈસુએ તે માણસને તેના લોકોને પ્રભુએ તેના માટે શું કર્યું તે જણાવવા કહ્યું. +5:22-23 pj22 સભાસ્થાનના અધિકારી યાઇરે ઈસુને કઈ વિનંતી કરી?\n\n યાઇરે ઈસુને તેમની સાથે આવવા અને તેની દીકરી પર હાથ મૂકવા કહ્યું, જે મરણની નજદીક હતી. +5:25 atxm જે સ્ત્રીએ ઈસુના ઝભ્ભાને સ્પર્શ કર્યો તેની સમસ્યા શું હતી? તે સ્ત્રી ૧૨ વર્ષથી લોહીવાથી પીડાતી હતી. +5:28 afd1 તે સ્ત્રી કેમ ઈસુના ઝભ્ભાને અડકી? તે સ્ત્રીએ વિચાર્યું કે જો તે માત્ર ઈસુના વસ્ત્રોને અડશે તો તે સાજી થઈ જશે. +5:30 mrlf જ્યારે તે સ્ત્રી ઈસુના ઝભ્ભાને અડકી ત્યારે ઈસુએ શું કર્યું? ઈસુએ જાણ્યું કે તેમનામાંથી પરાક્રમ નિકળ્યું છે તેથી તેમણે પુછ્યું કે તેમના લૂગડાંને કોણ અડકયું? +5:32 lyq8 તે સ્ત્રી ઈસુના લૂગડાંને અડકી પછી ઈસુએ શું કર્યું? ઈસુએ તેમણે કોણ અડકયું તે જોવા આજુબાજુ નજર કરી. +5:34 jfch જ્યારે તે સ્ત્રીએ ઈસુને બધું જ સાચેસાચું કહી દીધું ત્યારે ઈસુએ તેને શું કહ્યું? ઈસુએ તેને કહ્યું કે તેના વિશ્વાસે તેને સાજી કરી છે અને તેને શાંતિએ જવા કહ્યું. +5:35 spbi જ્યારે ઈસુ ઘરમાં આવ્યા ત્યારે યાઇરની દીકરીની હાલત કેવી હતી? યાઇરની દીકરી મરેલી હતી. +5:36 fai5 આ સમયે ઈસુએ યાઇરને શું કહ્યું? ઈસુએ યાઈરને ડરવા નહિ, પણ માત્ર વિશ્વાસ રાખવા કહ્યું. +5:37 ffse કયા શિષ્યો ઈસુ સાથ તે ઓરડામાં ગયા જ્યાં આ બાળક હતું? પિત્તર, યાકૂબ, અને યોહાન ઈસુ સાથે ઓરડામાં ગયા. +5:40 sunl જ્યારે ઈસુએ કહ્યું કે યાઈરની દીકરી ખાલી ઊંઘી ગઈ છે ત્યારે ઘરના લોકોએ શું કર્યું? જ્યારે તેમણે કહ્યું કે યાઇરની દીકરી ખાલી ઊંઘી રહી છે ત્યારે લોકોએ ઈસુને હસી કાઢ્યા. +5:42 km08 જ્યારે તે છોકરી ઉઠી અને ચાલી ત્યારે લોકોએ શું પ્રતિભાવ આપ્યો? લોકો ખુબજ આશ્ચર્ય પામ્યા અને વિસ્મિત થયા. +6:2 o2l2 ઈસુના પોતાના શહેરના લોકો કેમ દિંગ થઈ ગયા? લોકો જાણતા નહોતા કે ક્યાથી ઈસુને તેમનું શિક્ષણ, બુધ્ધિ, અને ચમત્કારો મળ્યા હતા. +6:4 d9fa ઈસુએ ક્યાં એક પ્રબોધક માન વિનાનો છે તે વિષે શું કહ્યું? ઈસુએ કહ્યું કે પ્રબોધક, તેના પોતાના શહેરમાં, તેના પોતાના સગાંઓમા, અને તેના પોતાના ઘરમાં માન વિનાનો છે. +6:6 arwk ઈસુને તેના પોતાના શહેરમાં લોકો વિષે શું અચરત થયું? ઈસુને તેમના પોતાના શહેરમાં લોકોના અવિશ્વાસને લીધે અચરત થયો. +6:7 djdl ઈસુએ જ્યારે તેમના બાર શિષ્યોને બહાર મોકલ્યા ત્યારે તેમણે તેમને કયો અધિકાર આપ્યો? ઈસુએ બાર શિષ્યોને અશુધ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો. +6:8-9 e4e2 બાર શિષ્યોએ તેમની મુસાફરીમાં તેમની સાથે શું લીધું? બાર શિષ્યોએ તેમની સાથે, એક લાકડી, ચંપલ અને એક અંગરખો લીધા. +6:11 yfhp જો કોઈ જગ્યાએ શિષ્યોનો આવકાર ન થાય તો ઈસુએ તેમને શું કરવા કહ્યું? ઈસુએ તેમને તેમના વિરુદ્ધ સાક્ષી થવા સારું તેમના પગ નીચેની ધૂળ ખંખેરી નાંખવા કહ્યું. +6:14-15 iota ઈસુ કોણ છે તે વિષે લોકોએ શું ધાર્યું? લોકોએ ધાર્યું કે ઈસુ યોહાન બાપ્તિસ્મા કરનાર અથવા એલિયાહ અથવા કોઈ પ્રબોધક છે. +6:18 wv8i યોહાને તે જે ઘટારત નથી તે કરી રહ્યો હતો તે વિષે હેરોદને શું કહ્યું? ઈસુએ હેરોદને કહ્યું કે તેણે તેના ભાઈની પત્નિને પરણીને રાખવી ઘટારત નથી. +6:20 l858 જ્યારે હેરોદે યોહાનને ઉપદેશ કરતો સાંભળ્યો ત્યારે તેણે શું કર્યું? જ્યારે હેરોદે યોહાનને ઉપદેશ કરતો સાંભળ્યો ત્યારે તે નાખુશ થયો, પણ તે તેણે સાંભળવા હજી રાજી હતો. +6:23 fzf0 હેરોદે હેરોદિયાને કયું વચન આપ્યું? હેરોદે સમ ખાધા કે તેણી તેની પાસેથી જે કઈ માંગે તે તેણીને, તેના અર્ધા રાજ્ય સુધી મળશે. +6:25 tn2q હેરોદિયાએ શું માંગ્યું? હેરોદિયાએ યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું એક કથરોટમાં માંગ્યું. +6:26 cu47 હેરોદે હેરોદિયાની માંગણીનો કેવી રીતે પ્રતિભાવ આપ્યો? હેરોદ ખુબજ દિલગીર થયો, પણ તેણે તેના મહેમાનોની સામે જે સમ ખાધા હતા તેના કારણે તેણે તેણીની માંગણી નકારી નહીં. +6:33 c20j ઈસુ અને તેમના પ્રેરિતોએ પોતે વિસામો લેવા માટે જવાનો પ્રયત્ન કર્યો ત્યારે શું થયું? ઘણા લોકોએ તેમને ઓળખ્યા અને ઈસુ અને તેમના પ્રેરિતો ત્યાં પહોંચે તે પહેલા ત્યાં જવા માટે દોડ્યા. +6:34 mdl0 જે ટોળું ઈસુ માટે રાહ જોઈ રહ્યું હતું તેના માટે ઈસુનું વલણ કેવું હતું? ઈસુને તેઓ પર કરુણા આવી કેમ કે તેઓ પાળક વગરના ઘેટાંના જેવા હતા. +6:37 if60 જ્યારે ઈસુ દ્વારા પુછવામાં આવ્યું ત્યારે શિષ્યોએ શું વિચાર્યું કે તેમણે લોકોને જમાડવા શું કરવું પડશે? શિષ્યોએ વિચાર્યું કે તેમણે જવું પડશે અને ૨૦૦ દીનારની કિંમતની રોટલીઓ ખરીદવી પડશે. +6:38 o56u શિષ્યો પાસે પહેલેથી જ કયું ખાવાનું હતું? શિષ્યો પાસે પહેલેથી જ પાંચ રોટલી અને બે માછલી હતી. +6:41 bqyw જ્યારે ઈસુએ રોટલીઓ અને માછલી પોતાના હાથમાં લીધા ત્યારે તેમણે શું કર્યું? જ્યારે ઈસુએ રોટલી અને માછલી લીધા ત્યારે તેમણે આકાશ તરફ જોયું, આશીર્વાદ માગ્યો, અને તેમણે શિષ્યોને આપી દીધી. +6:43 zbvh દરેક જણે ખાઈ લીધું પછી કેટલું ખાવાનું વધ્યું? દરેક જણે ખાઈ લીધા પછી રોટલીની અને માછલીની બાર ટોપલીઓ વધી? +6:44 yrio કેટલા માણસોને ખવડાવવામાં આવ્યું? ત્યાં ૫૦૦૦, પુરુષો હતા જેમને ખવડાવવામાં આવ્યું. +6:48 uxae ઈસુ સમુદ્રમાં પોતાના શિષ્યો પાસે કેવી રીતે આવ્યા? ઈસુ તેમના શિષ્યો પાસે સમુદ્ર પર ચાલીને આવ્યા. +6:50 j2xz જ્યારે શિષ્યોએ ઈસુને જોયા ત્યારે તેમણે તેમણે શું કહ્યું? ઈસુએ શિષ્યોને નહિ ડરવા અને હિમ્મત રાખવા કહ્યું. +6:52 icdc શિષ્યો રોટલીના ચમત્કાર વિશે કેમ સમજ્યા નહીં? શિષ્યો રોટલીના ચમત્કાર સંબંધી સમજ્યા નહીં કારણકે તેમના મન કઠણ હતા. +6:55 qidu તે પ્રદેશના લોકોએ જ્યારે ઈસુને ઓળખ્યા ત્યારે તેમણે શું કર્યું? જ્યારે લોકોએ સંભાળ્યું કે ઈસુ આવી રહ્યા છે ત્યારે તેઓ માંદાઓને ખાટલામાં મુકીને ઈસુ પાસે લાવ્યા. +6:56 nkto જેઓ ઈસુના લૂગડાંની કોરને અડક્યા તેમણે શું થયું? જેઓ માત્ર ઈસુના લૂગડાંની કોરને અડક્યા તેઓ સાજા થયા. +7:2 t05x ઈસુના કેટલાક શિષ્યો શું કરતા હતા જેનાથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ નારાજ થયા? શિષ્યોમાના કેટલાક અણધોયેલે હાથે રોટલી ખાતા હતા. +7:3-4 ym0v કોની પ્રણાલી હતી કે જેમાં હાથ, પ્યાલા, ગાગરો, અને તાંબાના વાસણોને ખાતા પહેલાં ધોવા જોઈએ? એ વડીલોની પ્રણાલી હતી કે જેમાં હાથ, પ્યાલા, ગાગરો અને તાંબાના વાસણોને ખાતા પહેલાં ધોવા જોઈએ. +7:8-9 qrmr ધોવાના મુદ્દા પરના શિક્ષણ માટે ઈસુએ શાસ્ત્રીઓ અને ફરોશીઓને શું કહ્યું? ઈસુએ કહ્યું કે ફરોશીઓ જ્યારે માણસોના નિયમો શીખવે છે ત્યારે તેઓ ઈશ્વરની આજ્ઞાને પડતી મૂકે છે. +7:11-13 d1yr કઈ રીતે ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈશ્વરની આજ્ઞાને જે કહે છે તારા બાપને અને તારી માને માન આપ તેને નકામી બનાવે છે? તેઓ લોકોને એમ જે નાણાં તેમના માં-બાપને મદદ કરવા માટે હોય તે નાણાં તેમને (શાસ્ત્રીઓ અને ફરોશીઓને) કુરબાન તરીકે આપવાનું કહીને ઈશ્વરની આજ્ઞાઓ રદ કરતાં હતા. +7:15 nqfn માણસને શું વટાળતું નથી તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે માણસની બહારથી તેની અંદર પેસે એવું કઈં પણ તેને વટાળતું નથી. +7:15 l384 શું માણસને વટાળે છે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે માણસમાંથી જે બહાર નીકળે છે તે જ માણસને વટાળે છે. +7:18-19 gvrq માણસને શું વટાળતું નથી તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે માણસની બહારથી તેનામાં જે કઈં પેસે છે તેમાનું કઈં પણ તેને વટાળતું નથી. +7:19 yf7h ઈસુએ કેવા પ્રકારના ખોરાકને શુધ્ધ ઠરાવ્યા? ઈસુએ દરેક પ્રકારના ખોરાકને શુધ્ધ ઠરાવ્યા. +7:20-23 w1ic માણસને શું વટાળે છે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે માણસમાંથી જે બહાર નીકળે છે તે જ માણસને વટાળે છે. +7:21-22 t1rz ઈસુએ કઈ ત્રણ બાબતો માણસમાંથી બહાર નીકળી શકે છે જે માણસને વટાળે છે તે વિષે શું કહ્યું? ઈસુએ કહ્યું કે ભૂંડા વિચારો, છિનાળા, ચોરી, હત્યાઓ, વ્યભિચાર, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું, માણસમાંથી બહાર આવીને તેને વટાળી શકે છે. +7:25-26 y2wf જે સ્ત્રીની દીકરીને અશુધ્ધ આત્મા વળગ્યો હતો તે યહૂદી હતી કે ગ્રીક હતી? એ સ્ત્રી જેની દીકરીને અશુધ્ધ આત્મા વળગ્યો હતો તે ગ્રીક હતી. +7:28 q2o4 જ્યારે ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે છોકરાંની રોટલી લઈને કૂતરાને નાંખવી વાજબી નથી ત્યારે તેણીએ કેવો પ્રતિભાવ આપ્યો? તે સ્ત્રીએ કહ્યું કે કૂતરાં પણ છોકરાંના મેજ નીચે પડેલા કકડા ખાય છે. +7:29-30 nb1x ઈસુએ તે સ્ત્રીને માટે શું કર્યું? ઈસુએ તે સ્ત્રીની દીકરીમાંથી ભૂત કાઢ્યું. +7:33-34 ca4d જ્યારે બહેરા બોબડા માણસને ઈસુ પાસે લાવવામાં આવ્યો, ત્યારે તેમણે તે માણસને સાજો કરવા શું કર્યું? તેમણે તે માણસના કાનમાં આંગળી ઘાલી, થૂંકયા અને તે તેની જીભ પર લાગાડ્યું, અને આકાશ તરફ જોઈને કયું, “ઊઘડી જા!” +7:36 hc18 જ્યારે ઈસુએ લોકોને તેમના સાજાપણા વિષે કોઈને ના કહેવાનું કહ્યું ત્યારે લોકોએ શું કર્યું? જેટલું વધારે ઈસુએ તેમણે ચૂપ રહેવાનુ કહ્યું, તેટલું વધારે તેમણે તેના વિષે વાત કરી. +8:1-2 slgu જે અતિ ઘણા લોક ઈસુ પાછળ ચાલતા હતા તેમના વિશે ઈસુએ કઈ ચિંતા વ્યક્ત કરી. ઈસુએ કહ્યું કે આટલા બધા લોકોની પાસે ખાવાનું કઈં નથી. +8:5 s9oj શિષ્યો પાસે કેટલી રોટલી હતી? શિષ્યો પાસે સાત રોટલી હતી. +8:6 y5p3 ઈસુએ શિષ્યો પાસે જે રોટલી હતી તેનું શું કર્યું? ઈસુએ સ્તુતિ કરી, રોટલીઓ ભાંગી અને તેમના શિષ્યોને તે વહેંચવા માટે આપી. +8:8 ckyo લોકોએ ખાઈ લીધા પછી કેટલો ખોરાક વધ્યો? દરેક જણે ખાઈ લીધા પછી ખોરાકની સાત ટોપલીઓ વધી હતી. +8:9 h9sm કેટલા લોકોએ ખાધું અને તૃપ્ત થયા? ત્યાં લગભગ ૪૦૦૦ પુરુષો હતા જેમણે ખાધું અને તૃપ્ત થયા. +8:11 bo9w ઈસુનું પરીક્ષણ કરવા ઈસુ શું કરે તેવું ફરોશીઓ ઇચ્છતા હતા? ફરોશીઓ ઇચ્છતા હતા કે ઈસુ તેમણે સ્વર્ગમાંથી નિશાની આપે. +8:15 jt3x ફરોશીઓ સંબંધી ઈસુએ તેમના શિષ્યોને શાના વિશે ચેતવ્યા? ઈસુએ તેમના શિષ્યોને ફરોશીઓના ખમીર સંબંધી સાવચેત કર્યા. +8:16 fjm2 ઈસુ શાના વિશે વાત કરે છે તે વિષે શિષ્યોએ શું વિચાર્યું? શિષ્યોએ વિચાર્યું કે ઈસુ એ હકીકત વિશે વાત કરી રહ્યા હતા કે તેઓ રોટલી લાવવાનું ભૂલી ગયા છે. +8:19 nrwx જ્યારે ઈસુએ પાંચ રોટલી ભાંગી હતી ત્યારે શું બન્યું હતું તે વિષે ઈસુએ તેમના શિષ્યોને શું યાદ દેવડાવ્યું? ઈસુએ તેમણે યાદ દેવડાવ્યું કે જ્યારે તેમણે પાંચ રોટલી ભાંગી હતી, ૫૦૦૦ લોકો જમ્યા હતા અને તૂટેલા કકડાઓની ૧૨ ટોપલીઓ ઉઠાવવામાં આવી હતી. +8:23 lkdf આંધળા માણસને દેખતો કરવા માટે ઈસુએ પ્રથમ કઈ બે બાબતો કરી હતી? ઈસુ પ્રથમ તેની આંખોમાં થૂંકયા અને તેના પર તેમના હાથ મૂક્યા. +8:25 w8lo ઈસુએ આંધળો માણસ સંપૂર્ણપણે દેખતો થાય માટે કઈ ત્રીજી બાબત કરી? ઈસુએ ફરીવાર તેની આંખો પર હાથ મૂક્યા. +8:28 scql ઈસુ કોણ છે તે વિષે લોકો શું કહેતા હતા? લોકો કહેતા હતા કે ઈસુ બાપ્તિસ્મા કરનાર, એલિયાહ, અથવા પ્રબોધકોમાનાં એક છે. +8:29 pf6h ઈસુ કોણ છે તે વિષે પિત્તરે શું કહ્યું? પિત્તરે કહ્યું કે ઈસુ ખ્રિસ્ત છે. +8:31 ssr3 ઈસુએ તેમના શિષ્યોને ભવિષ્યના કયા બનાવ વિશે સ્પષ્ટપણે શીખવવાનું શરૂ કર્યું? ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે માણસના દીકરાએ ઘણું સહેવું, નાપસંદ થવું, માર્યા જવું, અને ત્રણ દહાડા પછી પાછા ઊઠવું પડશે. +8:33 o8md પિત્તરે ઈસુએ ઠપકો આપવાનું શરૂ કર્યું ત્યારે ઈસુએ શું કહ્યું? ઈસુએ પિત્તરને કહ્યું, “શેતાન મારી પછવાડે જા! તું ઈશ્વરની વાતો પર નહીં, પણ માણસોની વાતો પર ચિત્ત લગાડે છે.” +8:34 vqyx કોઈ પણ જે તેમની પાછળ ચાલવા માંગતો હોય તેને કરવું જ જોઈએ તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જે કોઈ તેમની પાછળ ચાલવા માંગતો હોય તેણે પોતાનો નકાર કરવો, પોતાનો વધસ્તંભ ઊંચકવો, અને ઈસુની પાછળ ચાલવું. +8:36 eosc કોઈ વ્યક્તિની આ જગતની બાબતો મેળવવાની ઇચ્છા વિશે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું, “જો માણસ આખું જગત મેળવે અને પોતાના જીવની હાનિ પામે તો તેણે શો લાભ?” +8:38 fczm જેઓ ઈસુના લીધે અને તેમની વાતોના લીધે શરમાય છે તેમના સંબંધી ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જ્યારે તેઓ પાછા આવશે ત્યારે તેઓ જેઓ તેમના લીધે અને તેમની વાતોના લીધે શરમાયા છે તેમના લીધે તેઓ શરમાશે. +9:1 ryud ઈસુએ કોના વિશે કહ્યું કે તેઑ ઈશ્વરનું રાજ્ય પરાક્રમ સહિત આવતું જોશે? ઈસુએ કહ્યું કે ત્યાં ઉભેલા કેટલાક પરાક્રમ સહિત આવતું ઈશ્વરનું રાજ્ય જોયા અગાઉ મૃત્યુ પામશે નહીં. +9:2-3 j5nw જ્યારે પિત્તર, યાકુબ, અને યોહાન ઈસુ સાથે ઊંચા પહાડ પર ગયા ત્યારે ઈસુને શું થયું? ઈસુનું રૂપાંતર થયું અને તેમના લૂગડાં ખૂબ જ ઉજળા થયા. +9:4 hssp ઈસુ સાથે પહાડ પર કોણ વાતો કરતું હતું? એલિયાહ અને મૂસા ઈસુ સાથે વાત કરતા હતા. +9:7 gnw6 પહાડ પર વાદળમાંથી થયેલી વાણીએ શું કહ્યું? વાણીએ કહ્યું, “આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.” +9:9 wh06 શિષ્યોએ પહાડ પર જે જોયું તે વિશે ઈસુએ શિષ્યોને શું આજ્ઞા આપી? ઈસુએ તેમણે આજ્ઞા આપી કે માણસનો દીકરો મુએલાંમાંથી પાછો ના ઊઠે ત્યાં સુધી, તેઓએ જે જોયું હતું તે તેઓ કોઈને કહે નહીં. +9:11-13 ct8y ઈસુએ એલિયાહના આવવા વિશે શું કહ્યું? ઈસુએ કહ્યું કે એલિયા પહેલા આવીને સર્વને સુધારે છે, અને એલિયા ક્યારનો આવી ચૂક્યો છે. +9:17-18 tzbr શિષ્યો એક પિતા અને તેના દીકરા માટે શું કરવા અશક્ત હતા? શિષ્યો તે પિતાના દીકરામાંથી એક અશુદ્ધ આત્માને કાઢવા માટે અશક્ત હતા. +9:22 ifim અશુદ્ધ આત્માએ તે છોકરાનો નાશ કરવાનો પ્રયત્ન કરવા માટે તેને શામાં ફેંક્યો હતો? અશુદ્ધ આત્માએ તે છોકરનો નાશ કરવા માટે તેને આગમાં અને પાણીમાં ફેંક્યો હતો. +9:23-24 ay7z જ્યારે ઈસુએ કહ્યું કે વિશ્વાસ કરનારને તો સર્વ અશક્ય છે ત્યારે તે છોકરાના પિતાએ કેવો પ્રતીભાવ આપ્યો? તે પિતાએ ઉત્તર આપ્યો, “હું વિશ્વાસ કરું છું! મારા અવિશ્વાસ વિશે મને મદદ કરો!” +9:28-29 uh6o તે છોકરામાં જે મૂંગો અને બહેરો આત્મા હતો તેને શિષ્યો કેમ કાઢી ના શક્યા? શિષ્યો તે આત્માને કાઢી ના શક્યા કારણકે તેને પ્રાર્થના વગર કાઢી શકાય નહીં. +9:31 uvpd ઈસુને શું થશે તે વિષે તેમણે તેમના શિષ્યોને કહ્યું? ઈસુએ તેમણે કહ્યું કે ઈસુને મારી નાંખવામાં આવશે અને ત્રણ દિવસ પછી તેઓ પાછા ઉઠશે. +9:33-34 q8mj શિષ્યો રસ્તામાં શાના વિશે વાદવિવાદ કરતા હતા? શિષ્યો વિવાદ કરતાં હતા કે તેમનામાં સૌથી મોટો કોણ? +9:35 xnwc ઈસુએ કોને પ્રથમ કહ્યો? ઈસુએ કહ્યું કે જે બધાનો સેવક છે તે પહેલો છે. +9:36-37 d095 જ્યારે કોઈ એક નાના બાળકનો ઈસુના નામમાં અંગીકાર કરે છે, ત્યારે તે કોનો પણ અંગીકાર કરે છે? જ્યારે કોઈ એક નાના બાળકનો ઈસુના નામમાં સ્વીકાર કરે છે, ત્યારે તેઓ ઈસુનો અને તેમણે મોકલનારનો પણ સ્વીકાર કરે છે. +9:42 xm92 ઈસુ પર વિશ્વાસ કરનારા નાનાઓમાનાં એકને જે કોઈ ઠોકર ખવડાવે તેના માટે વધારે સારું શું છે? તેના માટે વધારે સારું છે કે તેની કોટે ઘંટીનું પડ બંધાય અને તેને સમુદ્રમાં ફેંકાય. +9:47 qvrv તમારી આંખ જો તમને ઠોકર ખવડાવે તો તેની સાથે શું કરવાનું ઈસુએ કહ્યું? જો તમારી આંખ તમને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાંખવાનું ઈસુએ કહ્યું. +9:48 l2p2 ઈસુએ શું કહ્યું કે નરકમાં શું થાય છે? ઈસુએ કહ્યું કે નરકમાં કીડો મરતો નથી, અને અગ્નિ હોલવાતો નથી. +10:2 tk8r ઈસુનું પરીક્ષણ કરવા માટે ફરોશીઓએ તેમને કયો પ્રશ્ન પૂછ્યો? ફરોશીઓએ ઈસુને પુછ્યું કે માણસ પોતાની પત્નીને મૂકી દે તે ઉચિત છે? +10:4 p0nl છૂટાછેડા વિશે મૂસાએ યહુદીઓને કઈ આજ્ઞા આપી હતી? મૂસાએ માણસને ફારગતી લખીને તેની પત્નીને મૂકી દેવાની રજા આપી હતી. +10:5 cuwg છૂટાછેડા વિશે મૂસાએ કેમ યહુદીઓને આ આજ્ઞા આપી હતી? મુસાએ યહુદીઓને તેમના હૃદયની કઠણતાને લીધે આ આજ્ઞા આપી હતી. +10:6 b18w ફરોશીઓને લગ્ન માટેની ઈશ્વરની મૂળ યોજના વિશે કહેવા માટે ઈસુએ ઇતિહાસના કયા બનાવનો સંદર્ભ આપ્યો? ઈશ્વરની લગ્ન વિષેની મૂળ યોજના વિશે કહેતી વખતે ઈસુએ શરૂઆતમાં પુરુષ અને સ્ત્રીની ઉત્પતિનો ઉલ્લેખ કર્યો. +10:7-8 lkz2 ઈસુએ શું કહ્યું કે બે વ્યક્તિઓ, પુરુષ અને તેની સ્ત્રી, જ્યારે લગ્ન કરે છે ત્યારે શું થાય છે? ઈસુએ કહ્યું કે તેઓ બંને એક દેહ થાય છે. +10:9 bxgt ઈશ્વરે જેને લગ્નમાં જોડયું તેના માટે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે ઈશ્વરે જેને જોડયું છે, તેને કોઈ માણસે જુદું ના પાડવું. +10:13-14 ftqq જેઓ બાળકોને ઈસુ પાસે લાવ્યા તેમને શિષ્યોએ ધમકાવ્યા ત્યારે ઈસુનો પ્રતિભાવ કેવો હતો? ઈસુ શિષ્યો પર ગુસ્સે થયા અને તેમને બાળકોને તેમની પાસે આવવા દેવા કહ્યું. +10:15 s8f7 ઈશ્વરના રાજયમાં પ્રવેશવા માટે તેમને કેવી રીતે સ્વીકારવું જોઈએ તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે તેમને એક નાના બાળકની માફક સ્વીકારવું જોઈએ. +10:19 slbl ઈસુએ તે માણસને શું કહ્યું કે અનંત જીવનનો વારસો પામવા માટે તેણે પ્રથમ કરવાનું હતું? ઈસુએ તે માણસને કહ્યું કે તેણે ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, ચોરી કરવી નહીં, જૂઠી સાક્ષી પૂરવી નહીં, ઠગાઇ કરવી નહીં, અને તેણે તેના બાપને અને તેની માને માન આપવું. +10:21 h1nt ત્યાર પછી ઈસુએ તે માણસને કઈ વધારાની આજ્ઞા આપી? ઈસુએ તે માણસને તેનું જે કઈ હતું તે વેચી દેવા અને ઈસુ પાછળ ચાલવાની આજ્ઞા આપી. +10:22 r5hj ઈસુએ આ માણસને આ આજ્ઞા આપી ત્યારે તે માણસે શું પ્રતિક્રિયા કરી, અને કેમ? તે માણસ ઉદાસ થયો અને ચાલ્યો ગયો, કારણકે તેની સંપત્તિ ઘણી હતી. +10:23-25 fn0b ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે કોને વધારે તકલીફ હતી તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે ધનવાનોને ઈશ્વરના રાજ્યમાં જવા માટે વધારે તકલીફ હતી. +10:26-27 a2pr ધનવાન કઈ રીતે તારણ પામી શકે છે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે માણસો માટે તે અશક્ય છે, પણ ઈશ્વર માટે સર્વ શક્ય છે. +10:29-30 ut0n જેણે ઈસુને માટે પોતાનું ઘર, કુટુંબ, અને ખેતરો મૂકી દીધા છે તેણે શું મળશે તે વિષે ઈસુએ શું કયું? ઈસુએ કહ્યું કે તેઓને આ જગતમાં તે, સતાવણી સહિત સો ગણા મળશે, અને આવનાર જગતમાં અનંત જીવન મળશે. +10:32 t4vq ઈસુ અને તેમના શિષ્યો કયા માર્ગે મુસાફરી કરી રહ્યા હતા? ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમ જવાના માર્ગે મુસાફરી કરી રહ્યા હતા. +10:33-34 ie59 યરૂશાલેમમાં તેમની સાથે શું બનશે તે વિષે ઈસુએ તેના શિષ્યોને શું કહ્યું? ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે તેમને મરણદંડ ઠરાવશે અને તેમને વિદેશીઓને સોંપી દેવાશે. +10:35-37 mu7d યાકૂબ અને યોહાને ઈસુને કઈ વિનંતી કરી? યાકૂબ અને યોહાને ઈસુના મહિમામાં તેમના જમણા અને ડાબા હાથે બેસવાની વિનંતી કરી. +10:39 xafk ઈસુએ શું કહ્યું કે યાકૂબ અને યોહાનને સહન કરવું પડશે. ઈસુએ કહ્યું કે યાકૂબ અને યોહાન જે પ્યાલો ઈસુ પીવાના હતા તે પ્યાલો પીશે અને જે બાપ્તિસ્મા ઈસુ લેવાના હતા તે બાપ્તિસ્મા તેઓ લેશે +10:40 vd45 શું ઈસુએ યાકૂબ અને યોહાનની વિનંતી માન્ય રાખી? ના, ઈસુએ કહ્યું કે ઈસુના જમણા અને ડાબા હાથે કોઈને બેસવા દેવું તે તેમનું કામ નથી. +10:42 m3q4 વિદેશીઓ પર જેઓ રાજ્ય કરનારા છે તેઓ તેમની સાથે કેવું વર્તન કરે છે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે વિદેશીઓ પર જેઑ રાજ્ય કરે છે તેઓ તેમના પર અધિકાર ચલાવે છે. +10:43-44 yky8 જેઓ શિષ્યોમાં મોટા થવા ચાહે છે તેમણે કેવી રીતે જીવવું જોઈએ તે વિષે ઈસુએ શું કહું? ઈસુએ કહ્યું કે જેઓ શિષ્યોમાં મોટા થવા ચાહે છે તેમણે બધાના સેવક બનવું જોઈએ. +10:48 ece0 આંધળા માણસ બાર્તિમાયે જ્યારે તેને ઘણાએ ધમકાવ્યો અને તેને ચૂપ રહેવાનુ કહ્યું ત્યારે શું કર્યું? બાર્તિમાયે વત્તી બૂમ પાડી, “ઑ દાઉદના દીકરા, મારા પર દયા કર.” +10:52 rato ઈસુએ શું કહ્યું કે બાર્તિમાયને તેના અંધાપાથી કઈ કઈ બાબતે સજપણું આપ્યું? ઈસુએ કહ્યું કે બાર્તિમાયના વિશ્વાસે તેને સાજો કર્યો. +11:2 agr2 ઈસુએ તેમના શિષ્યોમાનાં બેને તેમની સામેના ગામમાં શું કરવા માટે મોકલ્યા? ઈસુએ તેમને એક વછેરું કે જેના પર કદી કોઈ સવાર થયેલું ન હતું તે તેમની પાસે લાવવા માટે તેમને મોકલ્યા. +11:5-6 u8he જ્યારે શિષ્યોએ વછેરાને છોડયું ત્યારે શું બન્યું? અમુક લોકોએ શિષ્યોને પુછ્યું કે તેઓ શું કરે છે, તેથી તેઓએ જેમ ઈસુએ તેમને કહ્યું હતું તેમ કહ્યું, અને લોકોએ તેમને તેમના માર્ગે જવા દીધા. +11:8 cgd8 જ્યારે ઈસુએ વછેરા પર સવારી કરી ત્યારે લોકોએ રસ્તા પર શું પાથર્યું? રસ્તા પર લોકોએ પોતાના વસ્ત્રો અને તેઓએ ખેતરમાંથી જે ડાળીઓ કાપી હતી તે પાથરી. +11:10 vfq1 જ્યારે ઈસુએ યરૂશાલેમ તરફ સવારી કરી ત્યારે લોકોએ કયા રાજ્ય વિષે પોકાર કર્યો? લોકોએ પોકાર કર્યો કે તેમના પિતા દાઉદનું રાજ્ય આવી રહ્યું છે. +11:11 pj8s જ્યારે ઈસુ ભક્તિસ્થાનના વિસ્તારમાં પ્રવેશ્યા ત્યારે તેમણે શું કર્યું? ઈસુએ ચોતરફ જોયું અને પછી બહાર બેથાની તરફ ગયા. +11:14 qg7e જ્યારે ઈસુએ જેના પર ફળ ન હતા એવી અંજીરી જોઈ ત્યારે તેમણે શું કર્યું? ઈસુએ તે અંજીરીને કહ્યું, “હવેથી કોઈ તારા પરથી કદી ફળ ના ખાઓ.” +11:15-16 pbr1 આ વખતે જ્યારે ઈસુ ભક્તિસ્થાનમાં પ્રવેશ્યા ત્યારે તેમણે શું કર્યું? ઈસુએ વેચનારાઓ અને ખરીદનારાઓને કાઢી મૂક્યા અને કોઈને ભક્તિસ્થાનમાં થઈને વાસણ લઈ જવા દીધું નહીં. +11:17 dgql પવિત્ર શાસ્ત્ર પ્રમાણે ભક્તિસ્થાન કેવું હોવું જોઈએ તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે ભક્તિસ્થાન સર્વ દેશનાઓ માટે પ્રાર્થનાનું ઘર હોવું જોઈએ. +11:17 hpgp ઈસુએ શું કહ્યું કે મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ભક્તિસ્થાનને શું બનાવી દીધું હતું? ઈસુએ કહ્યું કે તેમણે ભક્તિસ્થાનને લુટારાઓનું કોતર બનાવી દીધું હતું. +11:18 x7nj મુખ્ય યાજક અને શાસ્ત્રીઓએ ઈસુને શું કરવાનો પ્રયત્ન કર્યો? મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ઈસુને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો. +11:20 geb7 જે અંજીરી સાથે ઈસુએ વાત કરી હતી તેનું શું થયું? જે અંજીરી સાથે ઈસુએ વાત કરી હતી તે જડમૂળથી સુકાઈ ગઈ. +11:24 okwn આપણે પ્રાર્થનામાં જે સર્વ માંગીએ છીએ તેના વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે પ્રાર્થનામાં જે સર્વ આપણે માંગીએ, વિશ્વાસ રાખીએ કે તે આપણને મળ્યું છે, અને તે આપણને મળશે. +11:25 udpr જે આપણે કરવું જોઈએ કે જેથી સ્વર્ગમાનાં પિતા પણ આપણને માફ કરે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે આપણને કોઈની વિરુદ્ધ જે કઇં હોય તે માફ કરી દેવું જોઈએ કે જેથી પિતા પણ આપણને માફ કરે. +11:27-28 y3u8 ભક્તિસ્થાનમાં, મુખ્ય યજકો, શાસ્ત્રીઓ, અને વડીલો ઈસુ પાસેથી શું જાણવા માંગતા હતા? તેઓ જાણવા માંગતા હતા કે ઈસુ જે કામો કરે છે તે કયા અધિકારથી કરે છે. +11:29-30 cdce ઈસુએ મુખ્ય યાજકોને, શાસ્ત્રીઓને, અને વડીલોને કયો પ્રશ્ન પૂછ્યો? ઈસુએ તેમણે પુછ્યું કે યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસોથી. +11:31 qfb1 મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ, અને વડીલો કેમ જવાબ આપવા માંગતા ન હતા કે યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું? તેઓ આ જવાબ આપવા માંગતા નહોતા કારણકે ઈસુ તેમને પૂછે કે તો કેમ તેમણે યોહાન પર વિશ્વાસ ના કર્યો. +11:32 zg5i મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ, અને વડીલો કેમ એ જવાબ આપવા માંગતા નહોતા કે યોહાનનું બાપ્તિસ્મા માણસોથી હતું? તેઓ આ જવાબ આપવા માંગતા નહોતા કારણકે તેઓ લોકોથી બિતા હતા, જે બધા માનતા હતા કે યોહાન પ્રબોધક હતો. +12:1 k9g4 દ્રાક્ષાવાડી બનાવીને તેને ઈજારે આપ્યા પછી માલિકે શું કર્યું? દ્રાક્ષાવાડી બનાવીને તેને ઈજારે આપ્યા પછી માલિક મુસાફરીએ ચાલ્યો ગયો. +12:5 qm75 દ્રાક્ષાવાડીના ખેડૂતોએ માલિકે દ્રાક્ષાવાડીનું ફળ લેવા મોકલેલા ઘણા ચાકરોને શું કર્યું? દ્રાક્ષાવાડીના ખેડૂતોએ ઘણા ચાકરોમાના કેટલાક ને માર્યા અને કેટલાકને મારી નાંખ્યા. +12:6 p7p2 છેવટે દ્રાક્ષાવાડીના માલિકે દ્રાક્ષાવાડીના ખેડૂતો પાસે કોને મોકલ્યો? છેલ્લે માલિકે તેના વહાલા દીકરાને મોકલ્યો. +12:8 abgx માલિક દ્વારા છેલ્લે મોકલાયેલા વ્યક્તિ સાથે દ્રાક્ષાવાડીના ખેડૂતોએ શું કર્યું? દ્રાક્ષાવાડીના ખેડૂતોએ તેને પકડ્યો, મારી નાંખ્યો, અને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો. +12:9 bpsj દ્રાક્ષાવાડીનો માલિક દ્રાક્ષાવાડીના ખેડૂતોને શું કરશે? દ્રાક્ષાવાડીનો માલિક આવશે અને દ્રાક્ષાવાડીના ખેડૂતોનો નાશ કરશે અને દ્રાક્ષવાડી બીજાઓને આપી દેશે. +12:10 c54c પવિત્રશાસ્ત્રમાં, ઘર બાંધનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો તેનું શું થયું? ઘર બાંધનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો. +12:14 n5ve ફરોશીઓ અને કેટલાક હેરોદીઓએ ઈસુએ કયો પ્રશ્ન પૂછ્યો? તેમણે પુછ્યું કે કાઇસારને કર આપવો ઉચિત છે કે નહીં? +12:17 z3xo ઈસુએ કેવી રીતે આ પ્રશ્નનો જવાબ આપ્યો? ઈસુએ કહ્યું કે તેમણે જે વાનાં કાઇસારના હોય તે કાઇસારને અને જે વાના ઈશ્વરના હોય તે વાના ઈશ્વરને આપવા જોઈએ. +12:18 jy15 સાદુકીઓ શામાં માનતા નહોતા? સાદુકીઓ પુનરુત્થાનમાં માનતા ન હતા. +12:22 nmuk સાદુકીઓ દ્વારા કહેવામા આવેલી વાર્તામાં, તે સ્ત્રીને કેટલા પતિ હતા? તે સ્ત્રીને સાત પતિ હતા. +12:23 fehv સાદુકીઓએ ઈસુને તે સ્ત્રી વિષે કયો પ્રશ્ન પૂછ્યો? તેઓએ પુછ્યું કે પુનરુત્થાનમાં તે પુરુષોમાંથી તે સ્ત્રી કયા પુરુષની પત્નિ થશે. +12:24 bs3e ઈસુએ સાદુકીઓને તેમની ભૂલ માટે કયું કારણ આપ્યું? ઈસુએ કહ્યું કે સાદુકીઓ પવિત્રશાસ્ત્રને અને ઈશ્વરના સામર્થને જાણતા નથી. +12:25 ks2q તે સ્ત્રી વિષે સાદુકીઓના પ્રશ્નનો ઈસુનો જવાબ કયો હતો? ઈસુએ કહ્યું કે પુનરુત્થાનમાં પુરુષો અને સ્ત્રીઓ લગ્ન કરશે નહીં, પણ દેવદૂતો જેવા હશે. +12:26-27 ete1 ઈસુએ પવિત્ર શાસ્ત્રના વચનોથી પુનરુત્થાન છે તે કઈ રીતે બતાવ્યું? ઈસુએ મુસાના પુસ્તકોમાંથી ટાંકયું, જ્યાં ઈશ્વર કહે છે કે તે ઇબ્રાહિમ, ઇસહાક, અને યાકૂબના ઈશ્વર છે-તો તેઓ પછી હજી જીવતા હોવા જોઈએ. +12:29-30 tzeh ઈસુએ શું કહ્યું કે કઈ આજ્ઞા સૌથી વધારે મહત્વની છે? ઈસુએ કહ્યું કે પ્રભુ તારા ઈશ્વર પર તારા પૂરા હૃદયથી, જીવથી, મનથી, અને સામર્થ્યથી પ્રીતિ કરવી તે સહુથી અગત્યની આજ્ઞા છે. +12:31 mh0y ઈસુએ શુ કહ્યું કે કઈ આજ્ઞા બીજી છે? ઈસુએ કહ્યું કે પોતાના પાડોશી પર તમારી પોતાની જાત જેટલો જ પ્રેમ કરવો તે બીજી આજ્ઞા છે. +12:35-37 qo6t ઈસુએ શાસ્ત્રીઓને દાઉદ વિષે કયો પ્રશ્ન પૂછ્યો? ઈસુએ પુછ્યું કે જો ખ્રિસ્ત દાઉદનો દીકરો હોય તો દાઉદ ખ્રિસ્તને કઈ રીતે પ્રભુ કહી શકે? +12:38-40 ndcc ઈસુએ તેમના શિષ્યોને શાસ્ત્રીઓ સંબંધી શાના વિશે સાવચેત રહેવા કહ્યું? ઈસુએ કહ્યું કે શાસ્ત્રીઓ માણસોથી માન પામવા માંગે છે, પણ તેઓ વિધવાઓના ઘરો ખાઈ જાય છે અને માણસો તેમણે જુએ તે હેતુથી લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે. +12:44 vxj4 ઈસુએ એમ કેમ કહ્યું કે તે ગરીબ વિધવાએ દાનની પેટીમાં જે લોકોએ નાંખ્યું તે સર્વ કરતાં વધારે નાંખ્યું છે? ઈસુએ કહ્યું કે તેણીએ વધારે આપ્યું છે કારણ કે તેણીએ પોતાની ગરીબીમાંથી આપ્યું જ્યારે બીજાઓએ તેમની પુષ્કળતામાંથી આપ્યું. +13:2 a889 ઈસુએ શું કહ્યું કે ભક્તિસ્થાનના અદ્ભુત પથ્થરો અને તેના બાંધકામનું શું થશે? ઈસુએ કહ્યું કે એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેવામાં આવશે નહીં. +13:4 et3p પછી શિષ્યોએ ઈસુને કયો પ્રશ્ન પૂછ્યો? શિષ્યોએ ઈસુને પુછ્યું કે જ્યારે આ બાબતો બનશે, અને કયી નિશાનીઓ હશે. +13:5-6 znvi શિષ્યોએ શાના માટે સાવચેત રહેવું જ જોઈએ તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે તેમણે કોઈ ભૂલાવે નહીં માટે તેમણે સાવચેત રહેવું જોઈએ. +13:7-8 umt6 તે મહાદુ:ખોનો આરંભ હશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે લડાઇઓ, લડાઇઓની અફવાઓ, ધરતીકંપો અને દુકાળો મહાદુ:ખોનો આરંભ હશે +13:9 arqh શિષ્યોનું શું થશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે શિષ્યોને ન્યાયસભાને સોંપવામાં આવશે, તેમને સભાસ્થાનોમાં મારવામાં આવશે, અને શાહેદી તરીકે તેમને હાકેમો અને રાજાઓની આગળ ઊભા રાખવામા આવશે. +13:10 p9a0 શું થવું જ જોઈએ તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે સહુ પ્રથમ સર્વ પ્રજાઓને સુવાર્તા પ્રગટ થવી જોઈએ. +13:12 zlct કુટુંબના સભ્યો વચ્ચે શું થશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે કુટુંબનો એક સભ્ય બીજા સભ્યને મારી નંખાવા માટે સોંપી દેશે. +13:13 trz5 કોણ તારણ પામશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જે કોઈ અંત સુધી ટકશે તે તરાણ પામશે. +13:14 a194 ઈસુએ શું કહ્યું કે જ્યારે તેઓ ઉજ્જડની અમંગળપણાની નિશાની જુવે ત્યારે જેઓ યહૂદીયામાં હોય તેમણે શું કરવું? ઈસુએ કહ્યું કે જ્યારે તેઓ ઉજ્જડની અમંગળપણાની નિશાની જુવે ત્યારે જેઓ યહૂદીયામાં હોય તેઓ પહાડ પર નાસી જાય. +13:20 pgpi પ્રભુ પસંદ કરેલા માટે શું કરશે, કે જેથી તેઓ તારણ પામે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે પસંદ કરેલાઓની ખાતર વિપત્તિના દહાડા ઓછા કરવામાં આવશે. +13:22 zmok લોકોને ભૂલાવામાં નાંખવા માટે કોણ ઊભા થશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જુઠા ખ્રિસ્તો અને જુઠા પ્રબોધકો લોકોને ભૂલાવામાં નાંખવા ઊભા થશે. +13:24-25 mxj5 તે દહાડાઓની વિપત્તિ પછી આકાશમાની જ્યોતિઓ અને પરાક્રમોનું શું થશે? સૂર્ય આને ચંદ્ર અંધારાશે, તારાઓ આકાશમાંથી ખરશે, આકાશમાનાં પરાક્રમો હલાવાશે. +13:26 ctur લોકો વાદળાંમાં શું જોશે? તેઓ વાદળાંમાં માણસનાં દીકરાને મહાન પરાક્રમ અને મહિમાસહિત આવતો જોશે. +13:27 kyem જ્યારે માણસનો દીકરો આવશે ત્યારે તેઓ શું કરશે? માણસનો દીકરો તેમના પસંદ કરાયેલાઓને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી એકઠા કરશે. +13:30 zo90 ઈસુએ શું કહ્યું કે આ બધાં પૂરા નહીં થાય ત્યાં સુધી શું ગુજરી જશે નહીં? ઈસુએ કહ્યું કે આ બધાં પૂરા ન થાય ત્યાં સુધી આ પેઢી ગુજારી જશે નહીં. +13:31 oxg8 ઈસુએ તે ક્યારેય જતું નહીં રહે તે વિષે શું કહ્યું? ઈસુએ કહ્યું કે તેમની વાતો ક્યારેય જતી નહીં રહે. +13:32 pmdn આ બધી બાબતો ક્યારે બનશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે પિતા સિવાય કોઈપણ આ દિવસ કે ઘડી વિષે જાણતો નથી. +13:33 mck3 જયારે સમય આવશે તે સંબંધી ઈસુએ શિષ્યોને કઈ આજ્ઞા આપી? ઈસુએ તેમના શિષ્યોને સાવચેત રહેવા, જાગતા રહેવા અને પ્રાર્થના કરવા કહ્યું. +13:35 zfgp ઈસુએ તેમના આગમન સંબંધી તેમના શિષ્યોને કઈ આજ્ઞા આપી? ઈસુએ તેમના શિષ્યોને જ્યારે તેઓ તેમના આગમનની રાહ જોતાં હોય ત્યારે સાવચેત રહેવા કહ્યું. +13:37 c6rm ઈસુએ તેમના શિષ્યોને તેમના બીજા આગમન સંબંધી કઈ આજ્ઞા આપી? ઈસુએ તેમના શિષ્યોને સાવચેત અને જાગૃત રહેવા કહ્યું. +14:1 l7mb મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ કેવી રીતે કરવું તે વિષે શું વિચાર કરતા હતા? તેઓ વિચાર કરતા હતા કે કઈ રીતે ઈસુને દગાથી પકડીને મારી નાંખવા. +14:2 ezqi મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ બેખમીર રોટલીના પર્વ દરમિયાન કેમ કઇં કરવા માંગતા નહોતા? તેઓને ચિંતા હતી કે લોકોનું હુલ્લડ થાય. +14:3 lyx4 સિમોન કોઢિયાના ઘરે એક સ્ત્રીએ ઈસુને શું કર્યું? એક સ્ત્રીએ મૂલ્યવાન અત્તરની શીશી તોડી અને તે ઈસુના માથા પર રેડ્યું. +14:5 tn7q કેટલાક તે સ્ત્રીને કેમ ઠપકો આપતા હતા? કેટલાક તે સ્ત્રીને તે અત્તર નહીં વેચીને તે નાણાં દરિદ્રીઓને ના આપવા માટે ઠપકો આપતા હતા. +14:8 rqmp તે સ્ત્રીએ તેમના માટે શું કર્યું હતું તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે તે સ્ત્રીએ તેમના શરીરને તેમના દફનનાં માટે અત્તર ચોળ્યું હતું. +14:9 s2sy સ્ત્રીએ જે કર્યું તેના માટે ઈસુએ કયું વચન આપ્યું? ઈસુએ વચન આપ્યું કે આખા જગતમાં જ્યાં કહી સુવાર્તા પ્રગટ કરશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યું તે તેની યાદગીરીમાં કહેવામા આવશે. +14:10 rueu યહુદા ઈશ્કરિયોત કેમ મુખ્ય યાજકો પાસે ગયો? યહુદા ઈશ્કરિયોત મુખ્ય મુખ્ય યાજકો પાસે ગયો કે જેથી તે તેમને ઈસુને પરસ્વાધીન કરાવે. +14:12-15 glcb કઈ રીતે શિષ્યોને એ જગ્યા મળી જ્યાં તેઓ બધા પાસ્ખા ખાઈ શકે? ઈસુએ તેમને શહેરમાં જવા અને એક માણસ પાણીની ગાગર લઈને જતો હોય તેની પાછળ જવા કહ્યું, અને પછી તેને પૂછવા કહ્યું કે મહેમાનોની ઓરડી ક્યાં છે કે તેઓ તેનો પાસ્ખા ખાવા માટે ઉપયોગ કરી શકે. +14:18 kkmc જ્યારે તેઓ મેજ પાસે બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે શિષ્યોમાનો એક જે તેમની સાથે ખાય ખાઈ રહ્યો છે તે તેમને પરસ્વાધીન કરશે. +14:20 grhr ઈસુએ કયા શિષ્ય માટે કહ્યું કે તે તેમને પરસ્વાધીન કરશે? ઈસુએ કહ્યું કે એ શિષ્ય કે જે થાળીમાં તેમની સાથે રોટલી બોળે છે તે તેમને પરસ્વાધીન કરશે. +14:21 lk7c જે શિષ્ય ઈસુને પરસ્વાધીન કરશે તેના ભાવિ માટે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જો તે જન્મ્યો ના હોત તો તે તેના માટે સારું થાત. +14:22 jok6 જ્યારે ઈસુ શિષ્યોને ભાંગેલી રોટલી આપતા હતા ત્યારે તેમણે શું કહ્યું? ઈસુએ કહ્યું, “આ લો, આ મારુ શરીર છે.” +14:24 apk9 જ્યારે ઈસુએ શિષ્યોને પ્યાલો આપ્યો ત્યારે તેમણે શું કહ્યું? ઈસુએ કહ્યું, “ કરારનું આ મારુ રક્ત છે, જે ઘણાને માટે વહેવડાવવામાં આવ્યું છે.” +14:25 r9so ઈસુએ શું કહ્યું કે તે ક્યારે ફરીથી દ્રાક્ષાનો રસ પીશે? ઈસુએ કહ્યું કે તે જ્યારે ઈશ્વરના રાજયમાં નવો પીશે ત્યારે તે ફરી દ્રાક્ષાનો રસ પીશે. +14:27 yns3 જૈતૂનના પહાડ પર, ઈસુએ તેના શિષ્યો વિષે કયું ભવિષ્યવચન કહ્યું? ઈસુએ ભવિષયવચન કહ્યું કે તેમના શિષ્યો તેમના લીધે ઠોકર ખાશે. +14:30 gvoq જ્યારે પિત્તરે કહ્યું કે તે ક્યારેય ઠોકર ખાશે નહીં ત્યાર પછી ઈસુએ પિત્તરને શું કહ્યું? ઈસુએ પિત્તરને કહ્યું કે મરઘો બે વાર બોલે તે અગાઉ, પિત્તર ઈસુનો ત્રણ વાર નકાર કરશે. +14:32-34 v9za ઈસુ પ્રાર્થના કરતા હતા તે દરમિયાન તેમણે તેમના શિષ્યોને શું કરવા કહ્યું? ઈસુએ તેમણે ત્યાં રહેવા અને પ્રાર્થના કરવા કહ્યું. +14:35 uvgs ઈસુએ શાના માટે પ્રાર્થના કરી? ઈસુએ પ્રાર્થના કરી કે આ ઘડી તેમનાથી દૂર જાઓ. +14:36 u792 ઈસુ પિતાને કરેલી તેમની પ્રાર્થનાના જવાબ તરીકે શું સ્વીકારવા ઇચ્છતા હતા? ઈસુ તેમના માટે પિતાની જે કઇં ઇચ્છા હોય તે સ્વીકારવા ઇચ્છતા હતા. +14:37 vaa4 ઈસુ જ્યારે ત્રણ શિષ્યો પાસે પાછા ફર્યા ત્યારે તેમણે શું જોયું? ઈસુએ ત્રણ શિષ્યોને ઊંઘતા જોયા. +14:40 tadu ઈસુ પ્રાર્થના કરતાં બીજી વાર પાછા ફર્યા ત્યારે તેમણે શું જોયું. ઈસુએ ત્રણ શિષ્યોને ઊંઘતા જોયા. +14:41 yc6c ઈસુ ત્રીજી વખત પ્રાર્થના કરતાં પાછા ફર્યા ત્યારે તેમણે શું જોયું? ઈસુએ ત્રણ શિષ્યોને ઊંઘતા જોયા. +14:44-45 xku4 યહૂદાએ સૈનિકોને કયો વ્યક્તિ ઈસુ છે તે બતાવવા કઈ નિશાની આપી હતી? યહૂદાએ ઈસુ કયો વ્યક્તિ છે તે બતાવવા માટે તેને ચુંબન કર્યું. +14:48-49 afwa તેમની ધરપકડ દરમિયાન શાસ્ત્રવચન પૂર્ણ થવા માટે શું થવું જોઈએ તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે શાસ્ત્રવચન પૂર્ણ થયું કારણકે તેઓ તેમને પકડવા માટે જાણે લૂંટારાને પકડવા આવ્યા હોય તેમ, તરવારો અને સોટા સાથે આવ્યા આવ્યા. +14:50 v5q7 જ્યારે ઈસુને પકડવામાં આવ્યા ત્યારે જેઓ તેમની સાથે હતા તેમણે શું કર્યું? જેઓ ઈસુ સાથે હતા તેઓ તેમણે મૂકી અને નાસી ગયા. +14:51-52 xj5b જ્યારે ઈસુની ધરપકડ કરવામાં આવી ત્યારે એક જુવાન માણસ જે તેમની પાછળ ચાલતો હતો તેણે શું કર્યું? તે જુવાન માણસ પોતાનું શણનું લૂગડું ત્યાં મૂકીને નાગો જ નાસી ગયો. +14:53-54 mcjr જ્યારે ઈસુને પ્રમુખ યાજક પાસે લઈ જવામાં આવ્યા ત્યારે પિત્તર ક્યાં હતો? પિત્તર સૈનિકોની વચ્ચે, અગ્નિ પાસે તાપવા, બેઠો હતો. +14:55-56 k3gb ઈસુ વિરુધ્ધ ન્યાયસભાને આપવામાં આવેલી સાક્ષીમાં ખોટું શું હતું? ઈસુ વિરુધ્ધની સાક્ષી ખોટી હતી અને મળતી ન હતી. +14:61 g1ev પ્રમુખ યાજકે ઈસુ કોણ હતા તે વિષે કયો પ્રશ્ન પૂછ્યો? પ્રમુખ યાજકે ઈસુને પ્રશ્ન પૂછ્યો કે શું તે ખ્રિસ્ત, સ્તુતિમાનના દીકરા છે. +14:62 rabu પ્રમુખ યાજકના પ્રશ્નનો ઈસુનો જવાબ શું હતો? ઈસુએ “હું છુ”, કહીને જવાબ આપ્યો. +14:64 xher ઈસુનો જવાબ સાંભળીને, શાના માટે પ્રમુખ યાજકે કહ્યું કે ઈસુ દોષિત છે? પ્રમુખ યાજકે કહ્યું કે ઈસુ દુર્ભાષણ માટે દોષિત છે. +14:65 if4h એક વ્યક્તિ જે મરણદંડને લાયક હોય તે રીતે ઈસુને દોષિત ઠરાવ્યા પછી તેમણે ઈસુને શું કર્યું? તેઓ તેમના પર થૂંકયા, તેમને મુકકીઓ મારી અને તમાચા માર્યા. +14:66-68 tjt2 જે દાસી કહ્યું કે પિત્તર ઈસુની સાથે હતો તેને પિત્તરનો જવાબ કયો હતો? પિત્તરે જવાબ આપ્યો કે તે છોકરી જે કહે છે તે તે જાણતો નથી અને સમજતો નથી. +14:71 orue જ્યારે પિત્તરને ત્રીજી વાર પૂછવામાં આવ્યું કે તે પણ ઈસુની સાથે હતો ત્યારે તેનો જવાબ શું હતો? પિત્તર સમ ખાવા લાગ્યો અને શ્રાપ આપવા લાગ્યો કે તે ઈસુને ઓળખતો નથી. +14:72 dgcn પિત્તરે ત્રીજી વખત જવાબ આપ્યા પછી શું બન્યું? પિત્તરે ત્રીજી વખત જવાબ આપ્યા પછી, મરઘો બીજી વખત બોલ્યો. +14:72 wesn જ્યારે પિત્તરે મરઘો બોલતા સાંભળ્યો ત્યારે તેણે શું કર્યું? પિત્તરે મરઘો બોલતો સાંભળ્યા પછી, તે તૂટી ગયો અને રડ્યો. +15:1 myuo વહેલી સવારે મુખ્ય યાજકોએ ઈસુ સાથે શું કર્યું? વહેલી સવારે, તેઓએ ઈસુને બાંધ્યા અને તેમણે પિલાતને સોંપ્યા. +15:5 w0fh જ્યારે મુખ્ય યાજકો ઈસુ વિરુદ્ધ ઘણા આરોપો રજૂ કરતા હતા ત્યારે પિલાતને ઈસુ સંબધી શું આશ્ચર્ય થયું? પિલાતને આશ્ચર્ય થયું કે ઈસુએ તેને કોઈ જવાબ આપ્યો નહીં. +15:6 juii પિલાત સામાન્ય રીતે પર્વ વખતે લોકો માટે શું કરતો હતો? પિલાત સામાન્ય રીતે પર્વ વખતે લોકો જેના માટે વિનંતી કરે તે કેદીને છોડી મૂકતો હતો. +15:10 c38r પિલાત કેમ લોકો માટે ઈસુને છોડી દેવા માંગતો હતો? પિલાત જાણતો હતો કે મુખ્ય યાજકોએ ઈર્ષાને લીધે ઈસુને તેને સોંપ્યા હતા. +15:11 cjv6 લોકોએ કોને છોડી મૂકવા માટે બૂમો પાડી? લોકોએ બરબ્બાસને છોડી મૂકવા માટે બૂમો પાડી. +15:12-13 v1o8 યહૂદીઓના રાજા સાથે શું થવું જોઈએ તે વિષે લોકોએ શું કહ્યું? લોકોએ કહ્યું કે યહૂદીઓના રાજાને વધસ્તંભે જડાવો જોઈએ. +15:17 hku5 સૈનિકોની ટુકડીએ ઈસુને કેવા વસ્ત્રો પહેરાવ્યા? સૈનિકોએ ઈસુને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો અને તેમના માથા પર કાંટાનો ગૂંથેલો મુગટ મૂક્યો. +15:21 vt0v ઈસુનો વધસ્તંભ કોણે ઊંચક્યો? એક વટેમાર્ગુ, કુરેનીના સિમોનને ઈસુનો વધસ્તંભ ઊંચકવા માટે ફરજ પાડવામાં આવી. +15:22 ekh7 જ્યાં સૈનિકો ઈસુને વધસ્તંભે જડવા માટે લાવ્યા તે જગ્યાનું નામ શું હતું? તે જગ્યાનું નામ ગુલગુથા હતું, જેનો અર્થ છે ખોપરીની જગ્યા. +15:24 osm6 ઈસુના લૂગડાંનું સિપાઈઓએ શું કર્યું? સિપાઈઓએ ઈસુના લૂગડાં માટે ચિઠ્ઠીઓ નાંખી. +15:26 pb4n સૈનિકોએ ઈસુના ઉપર કેવું તહોમતનામું લખ્યું? સૈનિકોએ તહોમતનામા પર “યહૂદીઓનો રાજા” લખ્યું. +15:29-30 dh4r જેઓ પાસે થઈને જતાં હતા તેમણે ઈસુને કયો પડકાર આપ્યો? જેઓ પાસે થઈને જતા હતા તેમણે ઈસુને પોતાની જાતને બચાવવા અને વધસ્તંભ પરથી નીચે ઉતરી આવવાનો પડકાર આપ્યો. +15:31-32 o4cc ઈસુએ શું કરવું જોઈએ જેથી તેઓ વિશ્વાસ કરે તે વિષે મુખ્ય યાજકોએ શું કહ્યું? મુખ્ય યાજકોએ ઈસુને કહ્યું કે ઈસુએ વધસ્તંભ પરથી નીચે ઉતારી આવવું જોઈએ જેથી તેઓ વિશ્વાસ કરે. +15:32 wdk2 જ્યારે મુખ્ય યાજકોએ ઈસુની મશ્કરી કરી ત્યારે તેમણે ઈસુ માટે કયા નામો વાપર્યા? મુખ્ય યાજકોએ ઈસુને ખ્રિસ્ત અને ઇસ્રાએલના રાજા કહ્યા. +15:33 ppto છઠ્ઠા કલ્લાકે શું થયું? છઠ્ઠા કલ્લાકે, આખા દેશ પર અંધકાર છવાઈ રહ્યો. +15:34 t3wi નવમા કલ્લાકે ઈસુએ શું બૂમ પાડી? ઈસુએ બૂમ પાડી કે, “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?” +15:37 x92v ઈસુએ પ્રાણ છોડતા પહેલા શું કર્યું? ઈસુએ પ્રાણ છોડતા પહેલા મોટા અવાજે બૂમ પાડી. +15:38 jdq8 જ્યારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે ભક્તિસ્થાનમાં શું થયું? જ્યારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે ભક્તિસ્થાનનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા. +15:39 tf5m જ્યારે સૂબેદારે જોયું કે ઈસુ કઈ રીતે મૃત્યુ પામ્યા હતા ત્યારે તેણે શું સાક્ષી આપી? સૂબેદારે સાક્ષી આપી કે ખરેખર આ માણસ ઈશ્વરનો દીકરો હતો. +15:42 mthb ઈસુ કયા દિવસે મરણ પામ્યા? ઈસુ વિશ્રામવાર અગાઉના દિવસે મૃત્યુ પામ્યા. +15:43-46 yusf ઈસુ મરણ પામ્યા પછી અરિમથાઈના યુસફે શું કર્યું? અરિમથાઈના યુસફે ઈસુને વધસ્તંભપરથી નીચે ઉતાર્યા, તેમણે શણના લૂગડાંમાં લપેટયા, અને એક કબરમાં મૂક્યા, કબરના મુખ પર એક પથ્થર ગબડાવ્યો. +16:1-2 l3lc સ્ત્રીઓ ક્યારે ઈસુના શરીરને સુગંધી દ્રવ્યો ચોળવા માટે ગઈ? સ્ત્રીઓ અઠવાડિયાને પહેલે દહાડે સૂર્ય ઊગતે કબર પર ગઈ. +16:4 b2oz કબરના દરવાજે મોટો પથ્થર હતો તેમ છતાં સ્ત્રીઓ કઈ રીતે કબરમાં પ્રવેશી? કોઈએ કબરના દ્વાર પરથી પથ્થર ગબડાવી દીધો હતો. +16:5 habp જ્યારે સ્ત્રીઓ કબરમાં પ્રવેશી ત્યારે તેમણે શું જોયું? સ્ત્રીઓએ સફેદ ઝભ્ભો પહેરેલા એક જુવાન માણસને જમણી બાજુ પર બેઠેલો જોયો. +16:6 nvic તે જુવાન માણસે ઈસુ વિષે શું કહ્યું? તે જુવાન માણસે કહ્યું કે ઈસુ પાછા ઉઠ્યા છે અને ત્યાં નથી. +16:7 iqwx શિષ્યો ઈસુને ક્યાં મળશે તે વિષે જુવાન માણસે શું કહ્યું? જુવાન માણસે કહ્યું કે શિષ્યો ઈસુને ગાલીલમાં મળશે. +16:9 mgj4 ઈસુ પોતાના પુનરુત્થાન પછી પ્રથમ કોને દેખાયા? ઈસુ પ્રથમ મગ્દલાની મરિયમને દેખાયા. +16:11 ge9j જ્યારે મરિયમે કહ્યું કે તેણીએ ઈસુને જીવતા જોયા છે ત્યારે શિષ્યોનો પ્રતિભાવ કેવો હતો? શિષ્યોએ વિશ્વાસ ના કર્યો. +16:13 bhrb જ્યારે બીજા બે લોકોએ તેમણે કહ્યું કે તેમણે ઈસુને જીવતા જોયા છે ત્યારે ઈસુના શિષ્યોનો પ્રતિભાવ કેવો હતો? શિષ્યોએ વિશ્વાસ કર્યો નહીં. +16:14 f1b4 જ્યારે ઈસુ શિષ્યોને દેખાયા ત્યારે ઈસુએ તેમના અવિશ્વાસ વિશે તેમને શું કહ્યું? ઈસુએ તેમના અવિશ્વાસ માટે તેમને ઠપકો આપ્યો. +16:15 zvc5 ઈસુએ તેમના શિષ્યોને કઈ આજ્ઞા આપી? ઈસુએ તેમના શિષ્યોને આખા જગતમાં જઈને સુવાર્તા પ્રચાર કરવાની આજ્ઞા આપી. +16:16 p7ix કોણ તારણ પામશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જેઓ વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લે તેઓ તારણ પામશે. +16:16 u11w કોણ અપરાધી ઠરશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જેઓ વિશ્વાસ નહીં કરે તેઓ અપરાધી ઠરશે. +16:17-18 l58h વિશ્વાસ કરનારાઓના હાથે કેવા ચમત્કારો થશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જેઓ વિશ્વાસ કરે તેઓ ભૂતોને કાઢશે, નવી ભાષાઓમાં બોલશે, તેમને કઇં પણ પ્રાણઘાતકથી ઇજા થશે નહીં, અને તેઓ બીજાઓને સાજા કરશે. +16:19 bac6 ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરી રહ્યા પછી તેમનું શું થયું? ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરી રહ્યા પછી તેમને આકાશમાં લઈ લેવામાં આવ્યા અને તે ઈશ્વરના જમણે હાથે બેઠા. +16:20 wd92 પછી શિષ્યોએ શું કર્યું? શિષ્યો ત્યાંથી ગયા અને દરેક જગ્યાએ ઉપદેશ કર્યો. +16:20 f45x પછી પ્રભુએ શું કર્યું? પ્રભુએ પછી શિષ્યો સાથે કામ કર્યું અને ચમત્કારિક ચિન્હો સાથે વચનની ખાતરી કરાવી આપી.