# અંત:કરણ, અંત:કરણો ## વ્યાખ્યા: અંત:કરણ વ્યક્તિના વિચારોનો એક ભાગ છે કે જે દ્વારા દેવ તેને વાકેફ કરે છે કે તે કઈંક કરી રહ્યો છે તે અધમ (પાપ) છે. * દેવે લોકોને સાચું અને ખોટું જાણવાની મદદ કરવા માટે અંત:કરણ આપ્યું છે. * દેવ કહે છે વ્યક્તિ કે જે આજ્ઞા પાળે છે, તેની પાસે તેની “શુદ્ધ” અથવા “નિર્મળ” અથવા “સ્વચ્છ” અંત:કરણ હોય છે. * જો વ્યક્તિને “નિર્મળ અંત:કરણ હોય” તેનો અર્થ કે તે કોઇપણ પાપ છૂપાવતો નથી. * જો કોઈ તેમના અંત:કરણનો નકાર કરે અને જયારે તે પાપો કરે ત્યારે અપરાધની લાગણી ના થાય, તેનો અર્થ કે જે બાબત ખોટી છે તે માટે તેનું અંત:કરણ સંવેદનશીલ રહ્યું નથી. બાઈબલ તેને “દમાયેલું” અંત:કરણ તરીકે દર્શાવે છે, જેના પર ગરમ લોખંડ દ્વારા “નિશાન (છાપ)” પાડવામાં આવ્યું છે. એટલે કે તેનું અંત:કરણ “લાગણીશૂન્ય” અને “પ્રદૂષિત” થયેલું છે. * સંભવિત રીતે આ શબ્દનું ભાષાંતર, “આંતરિક નૈતિક માર્ગદર્શક” અથવા “નૈતિક વિચારો” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે. ## બાઈબલની કલમો: * [1 તિમોથી 1:18-20](rc://gu/tn/help/1ti/01/18) * [1 તિમોથી 3:8-10](rc://gu/tn/help/1ti/03/08) * [2 કરિંથી 5:11-12](rc://gu/tn/help/2co/05/11) * [2 તિમોથી 1:3-5](rc://gu/tn/help/2ti/01/03) * [રોમન 9:1-2](rc://gu/tn/help/rom/09/01) * [તિતસ 1:15-16](rc://gu/tn/help/tit/01/15) ## શબ્દ માહિતી: * Strong's: G4893